المختصر في صفة العمرة وأحكامها

المختصر في صفة العمرة وأحكامها

ઉમરહની સંક્ષિપ્ત પદ્ધતિ અને તેના આદેશો

Language: lang_gu
Prepared by: અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)
Version: 3.0
Translations 56
Amharic Assamese Azerbaijani Bambara +52
Attachments 7
PDF
Audio
Video
+3

ઉમરહની સંક્ષિપ્ત પદ્ધતિ અને તેના આદેશો

દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, દરુદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના પરિજનો અને તેમના દરેક સહાબાઓ પર.

ત્યારબાદ:

આ સંક્ષિપ્ત પુસ્તિકા ઉમરહ માટેની જરૂરી બાબતો તેમજ તેના આદેશો અને આદાબ વિશે છે, અમે એ બાબતો વર્ણન કરવા માટે વધુ ઉત્સુક હતા કે એક ઉમરહ કરનાર વ્યક્તિ માટે શું શું જરૂરી છે.

અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ કામ ફક્ત નિખાલસ સાથે કરવાની તૌફીક આપે અને આ પુસ્તિકાને દરેક મુસલમાનો માટે ફાયદાકારક બનાવે.

અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)

પ્રસ્તાવના

પહેલું: ઈબાદત કબૂલ થવાની શરતો

કોઈ પણ ઈબાદત અલ્લાહ પાસે બે શરતો વગર કબૂલ કરવામાં આવતી નથી:

ઇખલાસ, જેનો અર્થ એ કે તે કાર્ય ફક્ત એક અલ્લાહની પ્રસન્નતા માટે તેમજ આખિરત માટે કરવામાં આવે, જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું: "તેઓને ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ફક્ત અલ્લાહની જ ઈબાદત કરે અને અને દીનને નિખાલસતા સાથે અપનાવે" [૧], [અલ્ બય્યિનહ: ૫]. અર્થાત્: તેની તરફ ધ્યાન કરી ઈબાદત કરવી તેના સિવાયના દરેકથી મોઢું ફેરવી લેવું. તફસીરે સઅદી, પેજ નંબર (૫૩૮)

તેમજ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "દરેક કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તે જ મળે છે જેની તે નિયત કરે છે" [૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૦૭).

પોતાની દરેક વાત અને કાર્યોમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "જે કોઈ વ્યક્તિ દીન બાબતે કોઈ નવી વાત કહેશે, જે તેમાં નથી, તો તેની તે વાત માન્ય નહીં ગણાય" અને મુસ્લિમની બીજી રિવાયતમાં છે, હદીષ નંબર: (૧૭૧૮): "જે વ્યક્તિ કોઈ એવો અમલ કરે, જે અમારી શરીઅત મુજબ નથી, તો તેનો તે અમલ રદ કરવામાં આવશે". [૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૯૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૧૮). [૪] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૧૮).

***

બીજું: ઉમરહનો તરીકો અને તેના આદેશો જાણવાનો હુકમ

જે લોકો અલ્લાહની ઈબાદત કરવા ઇચ્છતા હોય તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપેલ માર્ગદર્શન શીખવું જોઈએ, જેથી તેનો અમલ સુન્નત પ્રમાણે થાય, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને નબીનું અનુસરણ કરવા તેમજ આપના તરીકા મુજબ જ અમલ કરવા પર પ્રોત્સાહન આપતા હતા, માલિક બિન હુવૈરિષ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "તમે એવી રીતે નમાઝ પઢો જેવી રીતે મને નમાઝ પઢતા જુઓ છો" [૫] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૦૦૮).

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: "મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે આપ કુરબાનીના દિવસે પોતાની સવારી પર ઉભા રહી કાંકરિયો મારી રહ્યા હતા અને કહી રહ્યા હતા: તમારે મારી પાસેથી હજનો તરીકો શીખી લેવો જોઈએ; હું નથી જાણતો કદાચ આ હજ કર્યા પછી આગલા વર્ષે હજ કરી શકીશ કે નહીં" [૬] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૯૭).

***

ત્રીજું: ઉમરહ કરવાની મહત્ત્વતા

ઉમરહ કરનાર માટે બે મહત્ત્વતા છે: એક સામાન્ય અને બીજી ખાસ

સામાન્ય મહત્ત્વતા:

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (એક ઉમરહ બીજા ઉમરહ સુધી થનાર ગુનાહો માટેનો કફ્ફારો છે અને હજ્જે મબરૂર તેનો બદલો જન્નત સિવાય કંઈ નથી) [૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૭૩), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૪૯).

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (હજ અને ઉમરહ એક પછી એક કરતાં રહો; એટલા માટે કે આ લાચારી અને ગુનાહને એવી રીતે ખતમ કરે છે [૨] જેવી રીતે કે ભઠ્ઠી લોખંડ, સોનુ અને ચાંદીના મેલને ભષ્મ કરે છે, અને હજ્જે મબરૂરનો સવાબ જન્નત સિવાય કંઈ નથી) લુહાર અને સુથારની આગ સળગાવતી જગ્યા, અત્ તમ્હીદ લિબ્ને અબ્દિલ્ બર્ર (૧૫/૧૦૨) [૯] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૧૦) અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૩૧).

અને ખાસ રમઝાન મહિનામાં: ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "રમઝાનમાં ઉમરહ કરવા મારી સાથે હજ કરવા બરાબર છે[૩]" અર્થાત્: મારી સાથે હજ કરવા બરાબર છે, જેવું કે એક બીજી રિવાયતમાં વર્ણન થયું છે.

***

ઉમરાહનો તરીકો

પહેલું: મીકાત માટેના ખાસ આદેશો

મીકાત: તે જગ્યાઓ, જેને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉમરહ કરનાર અથવા હજ કરનાર વ્યક્તિ માટે એહરામ બાંધવા માટે નક્કી કરી હોય.

તમારા માંથી કોઈ પણ વ્યક્તિ જેણે ઉમરહ અથવા હજની નિયત કરી હોય: જો તે આ જગ્યાએથી પસાર થાય તો તેના માટે એહરામ બાંધવું જરૂરી છે, એહરામ બાંધ્યા વગર આગળ જવું જાઈઝ (યોગ્ય) નથી.

અને જે વ્યક્તિનું રહેઠાણ મીકાત કરતા મક્કહની નજીક હોય: તો તેમની મીકાત તેમની જગ્યા પરથી જ ગણાશે; તેઓ ત્યાંથી જ હજ અને ઉમરહ માટે એહરામ બાંધી લે.

મક્કહના રહેવાસીઓ માટે જેઓ એહરામ બાંધવાની નિયત કરે છે: તેઓ હજ માટે મક્કહથી જ એહરામ બાંધતા હોય છે અને ઉમરહ માટે: તેઓ એક ખુલ્લા મેદાનમાં જઈ એહરામ બાંધતા હોય છે, જેવું કે તન્અીમ નામની જગ્યા અથવા તેના જેવી જગ્યાઓ.

અને જો કોઈ વ્યક્તિ હવાઈ યાત્રા કરી રહ્યો હોય, તો તે મીકાત પ્રમાણે આવે ત્યારે એહરામ બાંધવો જોઈએ, તેણે તૈયાર થઈને એહરામના કપડાં પહેરીને એહરામ સાથે સુમેળમાં આવે. મિકાત પર પહોંચ્યા પછી, તેણે તરત જ એહરામની નિમણૂક કરવી જોઈએ. એરપોર્ટ પર ઉતરાણ સુધી તેને મોકૂફ રાખવાની પરવાનગી નથી. વિમાન ઝડપથી પસાર થવાના ડરથી, તે મિકાત પર પહોંચતા પહેલા તલબીયાહ કરીને સાવચેતી રાખી શકે છે.

બીજું: અહેરામનો તરીકો અને તેના વિશે કેટલાક આદેશો:

જે વ્યક્તિ એહરામ બાંધવા માંગે છે તેના માટે નીચે વર્ણવેલ કાર્યો કરવા મુસ્તહબ (યોગ્ય) છે:

ગુસલ, (સ્નાન), એહરામ બાંધતા પહેલા ગુસલ કરવું, સુન્નતે મુઅક્કિદહ છે, દરેક પુરુષ અને સ્ત્રી માટે અહીં સુધી કે હૈઝ અને નિફાસ વાળી સ્ત્રીઓ માટે પણ.

ઉદ અથવા અન્ય સુગંધિત તેલ માથા અને દાઢી પર લગાવવું, અને તે સુગંધ એહરામ બાંધ્યા પછી પણ બાકી રહે તો કંઈ વાંધો નથી, જ્યાં સુધી સ્ત્રીઓ સવાલ છે, તો તેના માટે ખુશ્બુનો ઉપયોગ કરવો જાઈઝ નથી, જેનાથી અજાણ પુરુષ સૂંઘી શકે.

એહરામનો ખાસ પોશાક પહેરવો, જે ઉપર નીચેની ચાદર હોય છે, સુન્નત એ છે કે તે ચાદર સફેદ રંગની હોય, પાક અને નવી હોવી જોઈએ, સ્ત્રી માટે એહરામ, જે તે ઈચ્છે પોશાક પહેરી શકે છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે તે પોશાક શણગાર માટે ન હોય, ચહેરા પર નકાબ અને બન્ને હાથ પર મોજા પહેરવાથી બચવું જોઈએ, જો કે તેનો ચહેરો અને હાથ અન્ય કપડાં વડે ઢાંકી શકે છે.

શરીઅત દ્વારા સાબિત નમાઝ પછી એહરામ બાંધવામાં આવે, તે નમાઝ ફર્ઝ હોય કે નફિલ, અને આ વસ્તુ જરૂરી નથી.

અને કહેવું જોઈએ: (લબૈક અલ્લાહુમ્મ ઉમરતન્) અને જો કોઈ બીજા વ્યક્તિ તરફથી ઉમરહ કરી રહ્યા હોય તો કહેવું જોઈએ (લબૈક અલ્લાહુમ્મ ઉમરતન્ અન્ ફલાનિન (તે વ્યક્તિનું નામ લેવું)).

જે વ્યક્તિ એહરામ બાંધવાની ઈચ્છા ધરાવતો હોય અને તેને ભય હોય કે ઉમરહ કરતી વખતે તેને કોઈ અવરોધનો સામનો થઈ શકે છે, તો તેના માટે બે શરતો જરૂરી છે, અને તેણે કહેવું જોઈએ: ("લબૈક અલ્લાહુમ્મ ઉમરતન્, વ ઇન્ હબસની હાબિસ ફમહલ્લી હયષુ હબસ્તની" અર્થ: હે અલ્લાહ! હું હાજર છું, ઉમરહ કરવા માટે, જો મને કોઈ અવરોધ આવી જાય, તો મારા માટે છુટકારાની જગ્યા તે છે જ્યાં તે મને તે અવરોધનો સામનો થાય), જો તેણે આ શરત લગાવી અને ઈબાદત દરમિયાન કંઈક એવો બનાવ બની જાય, જેના કારણે તે ઈબાદત કરી ન શકે, તો તે ત્યાં જ હલાલ થઈ શકે છે અને તેના પર કંઈ કફ્ફારો કે ગુનોહ નહીં હોય.

ત્યારબાદ વધુમાં વધુ તલ્બિયા પઢવું જોઈએ: (લબૈક અલ્લાહુમ્મ લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્ નિઅમત લક વલ્ મુલ્ક લા શરિક લક) [૪[ પુરુષ ઊંચા અવાજે તલ્બિયા પઢે, અને સ્ત્રી પણ બુલંદ અવાજે, જો તેની આજુબાજુ કોઈ અજાણ વ્યક્તિ ન હોય, જે વ્યક્તિ એહરામ બાંધે તેના માટે જરૂરી છે કે જ્યારે પરિસ્થિતિ બદલાય તો બુલંદ અવાજે તલ્બિયા પઢવું જોઈએ, ઉદાહરણ તરીકે તે કોઈ ઉંચી જગ્યા પર ચઢતો હોય અથવા નીચે ઉતરતો હોય અથવા રાત થતી હોય કે દિવસ બદલાતો હોય. માનવીનું (લબૈક) કહેવાનો અર્થ: હે મારા પાલનહાર! મેં જવાબ આપ્યો, એક પછી એક વાર લબૈક કહેવું, અને પાલનહારને જવાબ આપવાનો અર્થ એ કે અમે તારું અનુસરણ કરવા માટે હાજર છે. "ઇન્નલ્ હમ્દ વન્નિઅમત લક વલ્ મુલ્કિ" અલ્ હમ્દ્ (પ્રશંસા) પ્રશંસાની સંપૂર્ણતાનો ગુણ ધરાવે છે, મોહબ્બત અને મહાનતાની સાથે, જ્યારે વારંવાર મહાનતા વર્ણન કરવામાં આવે તો તે પ્રશંસા બની જાય છે, વન્નિઅમત: અલ્લાહ તે જ છે, જે પોતાના બંદાઓની ઈચ્છા પૂરી કરે છે અને મુસીબતને દૂર કરે છે, અને કહેવું (મુલ્ક) અર્થાત્ સામ્રાજ્ય ફક્ત તેનું જ છે, અલ્લાહ તે જ છે, જે બરકત વાળો, ઉચ્ચ એકલો માલિક છે, (લા શરીક લક) મહાન અલ્લાહ માટે જ તેણે વર્ણવેલ ગુણોમાં સંપૂર્ણ અને મહાન સમજવામાં આવે, સામ્રાજ્યમાં, પેદા કરવામાં, વ્યવસ્થા કરવામાં તેમજ ઈબાદત કરવામાં ફક્ત તેને એકલો સમજવામાં આવે. મજમુઉલ્ ફતાવા વ રસાઇલુલ્ ઉષેયમિન (૨૨/૯૬) માંથી સાર વર્ણન કરવામાં આવ્યો છે.

ઉમરહમાં એહરામ બાંધ્યા પછીથી લઈ કે તવાફ શરૂ કરતાં સુધી તલ્બિયા પઢવું જાઈઝ (યોગ્ય) છે.

એહરામ બાંધનાર વ્યક્તિએ સચેત રહેવું જોઈએ કે જ્યાં સુધી તે એહરામથી હલાલ ન થઈ જાય ત્યાં સુધી તેણે વર્ણવેલ બાબતોનું ખાસ ખ્યાલ રાખવું જોઈએ.

ત્રીજું: તવાફનો તરીકો

એહરામ બાંધનાર વ્યક્તિ જ્યારે મસ્જિદે હરામમાં પ્રવેશ કરે તો સુન્નત એ છે કે પોતાનો જમણો પગ પહેલા મૂકે, અને મસ્જિદમાં પ્રવેશ કરવાની દુઆ પઢે, સહીહ રિવાયતથી સાબિત દુઆ આ પ્રમાણે છે, કહેવું જોઈએ : અલ્લાહુમ્મફ તહલી અબ્વાબ્ રહમતિક, હે અલ્લાહ! તું મારા માટે રહમતના દરવાજા ખોલી નાખ, અને આ દુઆ મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે પઢવાની છે, કોઈ પણ મસ્જિદ હોય પઢી શકે છે, મસ્જિદે હરામ માટે ખાસ નથી.

જ્યારે તવાફ કરવાનું શરૂ કરો તો તલ્બીયહ છોડી દો, અને ઇઝતિબાઅ કરવું જોઈએ, ઇઝતિબાઅ કરવાની રીત એહરામના મધ્ય ભાગ તેની જમણી બગલ નીચે અને તેના છેડા તેના ડાબા ખભા પર રાખવા. એકવાર તવાફ પૂર્ણ થાય, પછી તે તેના કપડાને પહેલાની સ્થિતિમાં કરી લેવું જોઈએ, કારણ કે ઇઝતિબા ફક્ત તવાફ દરમિયાન જ હોવુ જોઈએ.

ત્યારબાદ હજરે અસ્વદ પાસે આવી, જમણા હાથ વડે સ્પર્શ કરી સલામ કરવું અને તેનો બોસો આપવો જોઈએ, જો તેને બોસો આપવાનું શક્ય ન હોય તો હાથ વડે સ્પર્શ કરી હાથનો બોસો લઈ લેવો જોઈએ, અને જો હાથ વડે પણ સ્પર્શ કરવું શક્ય ન હોય તો જે વસ્તુ પોતાની સાથે હોય જેવી કે લાકડી વગેરે તેનાથી સ્પર્શ કરી લેવું જોઈએ અને તેનો બોસો લઈ કેવો જોઈએ, જો તેને સ્પર્શ ન કરી શકતા હોય તો હજરે અસ્વદ તરફ મોઢું કરી હાથ વડે ઈશારો કરવો જોઈએ અને હાથનો બોસો ન લેવો જોઇર, ત્યાં ભીડભાળ ન કરવી બહેતર છે, જેથી લોકોને નુકસાન પહોંચે અથવા લોકો તમને નુકસાન પહોંચાડે.

હજરે અસ્વદને સ્પર્શ કરતી વખતે અથવા તેના તરફ ઈશારો કરતી વખતે અલ્લાહુ અકબર કહેવું જોઈએ. (અલ્લાહ સૌથી મોટો છે).

પછી જમણી બાજુ ફરી કઅબાને ડાબી બાજુ થઈ જવું જોઈએ અને રુકને યમાનીને સ્પર્શ કરવું જોઈએ, તેને બોસો ન આપવો જોઈએ, જો શક્ય ન હોય તો ત્યાં ભીડ ન કરવી જોઈએ અને ન તો ઈશારો કરવો જોઈએ.

રુકને યમાની અને હજરે અસ્વદ દરમિયાન આ દુઆ પઢવી જોઈએ: ("રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ્ વફીલ્ આખિરતિ હસનતવ્ વકિના અઝાબન્ નાર" હે અમારા પાલનહાર! મને દુનિયા અને દીન બન્ને જગ્યાએ શ્રેષ્ઠતા આપ, અને અમને જહન્નમની આગથી બચાવી લે).

જ્યારે પણ હજરે અસ્વદ તરફ આવો તો હાથ વડે ઈશારો કરી અલ્લાહુ અકબર (અલ્લાહ સૌથી મોટો છે) કહેવું જોઈએ.

અને તવાફ કરતી વખતે અન્ય જગ્યાઓ પર જે કંઇ તમને ઝિકર પઢી શકતા હોય અથવા દુઆ માંગી શકતા હોય અથવા કુરઆન મજીદની તિલાવત કરી શકતા હોય, તે કરવું જોઈએ.

સુન્નત તરીકો એ છે કે પ્રથમ ત્રણ ચક્કરોમાં રમલ કરવું જોઈએ, રમલનો અર્થ થાય છે, ઝડપથી મોટા ડગલાં ભરવા જોઈએ, અને બાકીના ચાર ચકકરોમાં સામાન્ય આદત પ્રમાણે ચાલવું જોઈએ, તેમાં રમલ કરવાની જરૂર નથી.

જ્યારે તવાફ પૂર્ણ થાય તો મકામે ઈબ્રાહીમ પર આવી આ તિલાવત કરવી જોઈએ : (અને ઇબ્રાહીમની જગ્યાને નમાઝ પઢવાની જગ્યા બનાવી લો), [અલ્ બકરહ: ૧૨૫]. જો શક્ય હોય તેની પાછળ બે રકઅત નમાઝ પઢવી જોઇએ, જો ત્યાં જગ્યા ન મળે તો મસ્જિદમાં જ્યાં જગ્યા મળે બે રકઅત નમાઝ પઢી લેવી જોઈએ, પહેલી રકઅતમાં સૂરે ફાતિહા પઢયા બાદ આ સુરત પઢવી જોઈએ : (કુલ્ યા અય્યુહલ્ કાફિરુન) [અલ્ કાફિરુન: ૧]. અને બીજી રકઅતમાં સૂરે ફાતિહા પઢયા પછી આ સુરત પઢવી જોઇએ: (કુલ્ હુવલ્લાહુ અહદ) [અલ્ ઇખલાસ: ૧].

ચોથું : સઇ કરવાનો તરીકો

તવાફ કરી લીધા પછી તેમજ બે રકઅત નમાઝ પઢી લીધા પછી સઇ કરવા માટે મસઆ તરફ આવવું જોઈએ, જ્યારે સફાની નજીક આવો ત્યારે આ આયત પઢવી જોઈએ : (સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે,) [અલ્ બકરહ: ૧૫૮]. પછી આ શબ્દો કહો : " હું ત્યાંથી શરૂ કરું છું, જ્યાંથી અલ્લાહએ શરૂ કર્યું", «હું ત્યાંથી શરૂ કરું છું, જ્યાંથી અલ્લાહએ શરૂ કર્યું» [૧૨]. [૧૨] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૮).

ફરી સફા પર ચઢી, કઅબતુલ્લાહ દેખવવા લાગે અથવા તેની તરફ મોઢું કરવું જેથી તે કિબ્લહ બની જાય ત્યાબાદ તેની તરફ મોઢું કરી અલ્લાહની તૌહીદનું વર્ણન કરો, અલ્લાહની મહાનતાનું વર્ણન કરો અને આ દુઆ પઢવી જોઈએ : (લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરિક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વ હુવ અલા કુલ્લિ શયઇન્ કદીર, લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, અન્જિઝ વઅદહુ, વ નસર અબ્દહુ, વ હઝમલ્ અહઝાબ વહદહુ",) અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, તે એકલો છે તેનો કોઈ ભાગીદાર નથી, તેનું જ સામ્રાજ્ય છે, પ્રશંસા તેના માટે જ છે, તે સંપૂર્ણ કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, તેણે પોતાનું વચન પૂરું કર્યું, બંદાઓની મદદ કરી અને ઇસ્લામના શત્રુઓને તેણે એકલાએ હરાવ્યા) આ દુઆ ત્રણ વખત પઢવી જોઈએ અને દરમિયાનમાં જે ઈચ્છા થાય તે દુઆ કરી શકાય છે. «"લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દ, વહુવ અલા કુલ્લી શૈઇન કદીર, લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહ, અન્જઝ વઅદહુ, વનસર અબ્દહુ, વહઝિમલ્ અહ્ઝાબ વહદહુ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેણે પોતાનું વચન પૂર્ણ કર્યું, અને પોતાના બંદાની મદદ કરી અને તેણે એકલા એ સંપૂર્ણ લશ્કરને હરાવી દીધું)», ફરી તે વચ્ચે દુઆ કરી અને આ દુઆને ત્રણ વખત પઢી [૧૩]. [૧૩] આ હદીષને રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૮).

પછી સફા પરથી ઉતરી મરવહ તરફ ચાલવું જોઈએ, જ્યારે તમને ઉપર લીલા રંગની લાઈટ દેખાય ત્યાં થોડુંક ઝડપથી ચાલવું જોઈએ, પછી જ્યારે બીજી લીલા રંગની લાઈટ દેખાય ત્યારે સામાન્ય આદત પ્રમાણે ચાલવું જોઈએ, ઝડપથી દોડવું સ્ત્રીઓ માટે નથી.

જ્યારે મરવહ પર પહોંચો તો સફા પર ઉભા રહી જે પ્રમાણે કર્યું એ જ પ્રમાણે મરવહ પર કરવું જોઈએ, (બીજા નંબરનો પેરેગ્રાફ).

પછી મરવહ પરથી ઉતરી સફા તરફ ચાલતા આવવું જોઈએ, જ્યારે લીલા રંગની લાઈટ દેખાય તો ઝડપથી ચાલવું જોઈએ અને બીજી વાર લીલા રંગની લાઈટ જુઓ તો સામાન્ય આદત પ્રમાણે ચાલવું જોઈએ.

આ જ પ્રમાણે સાત ચક્કર પુરા કરવા જોઈએ, સફાથી મરવહ જવામાં એક ચક્કર અને છેલ્લો સાતમો ચક્કર મરવહ પર પૂર્ણ થશે.

ચાલતા ચાલતા જે કંઈ ઈચ્છા થાય, ઝિકર, દુઆ અને કિરાઅત કરી શકો છો.

પાંચમું : સંપૂર્ણ વાળ અથવા થોડા વાળ કપાવવા બાબતે :

જ્યારે તવાફ અને સઇ પૂર્ણ થઈ જાય તો પુરુષ માટે થોડાક અથવા સંપૂર્ણ વાળ કપાવવા જરૂરી છે, સુન્નત છે કે સંપૂર્ણ વાળ કાઢી નાખવા જોઈએ, અથવા માથાના દરેક ભાગથી સહેજ સહેજ વાળ કાપવા જોઈએ.

સંપૂર્ણ વાળ કપાવવા થોડાક વાળ કપાવવા કરતા બહેતર છે, જો કે હજનો સમય નજીક હોય અને તમે હજ કરવાના હોવ, તેમજ વાળ કપાવ્યા પછી માથા પર વાળ તરત જ ન આવતા હોય તો પછી તે સમયે થોડાક જ વાળ કપાવવા જોઈએ.

સ્ત્રીઓ માટે તો માથાના કિનારેથી આંગળીયો ના ટેરવાં જેટલા વાળ કાપી નાખવા જોઈએ

એહરામમાં ધ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબતો

તે બાબતો જેનાથી બચવું જરૂરી છે તે :

શરીરના ગમે તે અંગ પરથી વાળ કાપવા, ખેંચવા અથવા કાઢી નાખવા.

બન્ને પગ અને હાથના સંપૂર્ણ અથવા સહેજ નખ કાપવા.

કોઈ પણ વસ્તુથી માથાને ઢાંકવું, ઉદાહરણ તરીકે : ટોપી, પાઘડી, અથવા માથા પર રૂમાલ મુકવો અથવા ચાદર મુકવી, કામળો અથવા કોઈ પણ વસ્તુ મુકવી, જેનાથી માથું ઢાંકવાનો હેતુ હોય, આ આદેશ પુરુષો માટે ખાસ છે, સ્ત્રીઓ માટે નહીં.

સામાન્ય ફોર્મ-ફિટિંગ કપડાં તેની પરંપરાગત રીતે, જેમ કે સીવેલા કપડાં, ટ્રાઉઝર, શર્ટ, હાથના મોજાં અને પગના મોજા. આ ખાસ કરીને પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે નહીં. સ્ત્રીઓને ફક્ત આનાથી પ્રતિબંધિત છે:

નકાબ, બુરકો અથવા કોઈ વસ્તુથી ચહેરો ઢાંકવો, જો કે અજાણી વ્યક્તિથી ચહેરો છુપાવવો જરૂરી છે, જે કંઈ માથા પર ઓઢયું હોય, તેનાથી, જો કે માથા પર કાયદેસર કોઈ કપડું અથવા કપડાં જેવું કંઈક બાંધવું તેના માટે જાઈઝ નથી, જેથી તેને કોઈ અજાણ વ્યક્તિ સ્પર્શ ન કરી શકે, અને આ શરીઅતથી સાબિત નથી.

હાથમાં મોજા પહેરવા જોઈએ, અને અજાણ પુરુષોની સામે તેણીએ પોતાના હાથને અબાયાની અંદર મૂકીને ઢાંકવા જોઈએ.

શરીર પર ખુશ્બુ લગાવવી અથવા એહરામ પર.

જાનવરોનો શિકાર અથવા તેમને પકડવા ભલેને કતલ ન કરતા હોય

પોતાના માટે અથવા અન્ય માટે સગાઈ કરવી.

લગ્ન કરવા

સંભોગ સિવાય ભેગા થવું, બોસો આપવો, ઈચ્છા સાથે સ્પર્શ કરવું.

સંભોગ, ગુપ્તાંગને દાખલ કરવું.

ઉમરહ માટેના કાર્યોનો ક્ષાર (પ્રથમ પેજ પર અથવા છેલ્લા પેજ પર)

ગુસલ(સ્નાન)

ખુશ્બુ(સુગંધ લગાવવી)

એહરામ માટે કપડું પહેરવું.

એહરામ, જે ઈબાદતમાં પ્રવેશ માટેની નિયત છે.

તલ્બિયહ પઢવું

બૈતુલ્લાહનો તવાફ કરવો.

મકામે ઈબ્રાહીમ પાછળ બે રકઅત નમાઝ પઢવી.

સફા અને મરવહની સઇ કરવી.

વાળ નીકળવા અથવા છાંટવા. અલ્લાહ સૌથી વધારે જાણવાવાળો છે, દરુદ અને સલામતી ઉતરે આપણાં નબી મુહમ્મદ પર.