مخالفات الحج والعمرة والزيارة

مخالفات الحج والعمرة والزيارة

હજ્જ, ઉમરહ અને ઝિયારતના ઉલ્લંઘનો

Language: lang_gu
Prepared by: અલ્ લજ્નહ અલ્ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)
Version: 3.0
Translations 35
Amharic Assamese Bambara Bengali +31
Attachments 7
PDF
Audio
Video
+3

હજ્જ, ઉમરહ અને ઝિયારતના ઉલ્લંઘનો

અલ્ લજ્નહ અલ્ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)

ઉમરહ સાથે સંબંધિત ભૂલો અને ઉલ્લંઘનો

પહેલું: એહરામ વિષે લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

ઇહલાલ (લબ્બૈકલ્લાહુમ્મ લબ્બૈક) ન કહેવું, એહરામ બાંધતી વખતે જે રીતે તલ્બિય્યહ માટે અવાજ બુલંદ હોવો જોઈએ તે ન કરવો.

અને સુન્નત તરીકો એ છે: તે સમયે અવાજ બુલંદ કરવો.

કેટલાક લોકો એમ સમજે છે કે એહરામનો અર્થ ફક્ત (ચાદર ઓઢવી અને ઇજાર બાંધવી) છે.

પરંતુ ખરેખર એહરામ: ઈબાદતમાં દાખલ થવાની નિયત કરવી છે અને તેની નિશાની: તલ્બિય્યહ પઢવું છે, જે વ્યક્તિ હજ્જ અને ઉમરહની નિયત સાથે તલ્બિય્યહ પઢે, તો તે એહરામમાં દાખલ થઈ જશે.

કેટલાક લોકો સમજે છે કે એહરામ માટે ગુસલ (ધાર્મિક સ્નાન) કરવું જરૂરી છે.

પરંતુ તે તો સુન્નત છે, અને જે ગુસલ (સ્નાન) નહીં કરે તેના પર કોઈ ગુનોહ નથી.

કેટલાક લોકો સમજે છે એહરામ વખતે બે રકઅત પઢવી જરૂરી છે, અથવા તે એક જરૂરી સુન્નત છે, તેને છોડવામાં ન આવે, જેથી તેઓ તેને દરેક સ્થિતિમાં પઢે જ છે.

સત્ય વાત એ છે કે એહરામ બાંધતા પહેલા નમાઝ પઢી શકાય છે, પરંતુ તેના માટે કોઈ ખાસ પ્રકારની નમાઝ નથી, જો તે કોઈ ફરજ નમાઝ અથવા શરીઅતે નક્કી કરેલ નમાઝ પઢે તો કોઈ વાંધો નથી.

કેટલાક લોકો એમ સમજે છે કે મીકાત પાસે રોકાવવું અને અને મસ્જિદમાં જવું જરૂરી છે.

તે અનિવાર્ય નથી, જો કોઈ વ્યક્તિ એહરામ બાંધી મીકાત પાસેથી પસાર થાય અને ત્યાં જ તલ્બિય્યહ પઢે અથવા તે ગાડીમાં હોય અને મીકાતની સામે જ હોય, તો તેના માટે ત્યાં જ તલ્બિય્યહ પઢવું પૂરતું થઈ જશે, એવી જ રીતે જો તે વિમાન માંથી મીકાતની ઉપરથી પસાર થાય અને તલ્બિય્યહ પઢે અથવા પહેલા પઢે, પરંતુ મીકાત પસાર ન થવી જોઈએ.

એહરામના કપડાંને સુગંધિત કરવા.

સત્ય વાત એ છે કે ફક્ત શરીર પર સુગંધ લગાવી શકાય છે.

કેટલાક લોકો એમ સમજે છે કે એહરામ બાંધતી વખતે પ્યુબિક વાળ કાપવા, નખ કાપવા, અને બગલના વાળ ઉખેડવા જરૂરી છે, અથવા એમ સમજે કે તે એહરામની સુન્નતો માંથી છે.

પરંતુ જરૂરત વખતે તે એક સામાન્ય સુન્નત છે.

મીકાત પહેલા એહરામ બાંધવો.

આમ કરવું સુન્નત વિરુદ્ધ છે, પરંતુ જો તે વિમાનમાં હોય, તો તેના માટે એહરામની નિયત મીકાત પહેલા કરવી જાઈઝ છે, જેથી વિમાનની ગતિના કારણે મીકાત ચૂકી ન જાય, એવી જ રીતે જો તેને ભય હોય કે તે સૂઈ જશે અને મીકાત ચૂકી જશે તો જરૂરત પ્રમાણે એહરામની નિયત કરી શકે છે.

એહરામ બાંધ્યા વગર મીકાત પરથી પસાર થઈ જવું, તો અજ્ઞાનતાના કારણે, અથવા આળસના કારણે અથવા તો વિમાનમાં હોવાના કારણે.

જો કોઈ વ્યક્તિ એહરામ બાંધ્યા વગર હજ્જ અને ઉમરહની નિયત સાથે મીકાત પરથી પસાર થઈ જાય, તો તેના માટે જરૂરી છે કે તે મીકાત પર પાછો આવે અને ત્યાં એહરામ બાંધે, એવી જ રીતે જો કોઈ વ્યક્તિ જિદ્દાહના એરપોર્ટ પર ઉતરે અને કોઈ કારણસર એહરામ ન બાંધી શકે, તો તેના માટે જરૂરી છે કે ત્યાંથી નીકળી કોઈ મીકાત પાસે આવે અને એહરામ બાંધે, તે લોકો માટે નથી જેઓ મીકાત પાસેથી પસાર થતાં નથી, જેમકે સુડાનના લોકો, જો તેઓ વિમાન અથવા સ્ટીમર દ્વારા આવે, સિવાય કે જો તેઓ જાણતા હોય કે તેઓ યલમ્લમની મીકાત અથવા જુહ્ફહની મીકાત બરાબર હોય, જે રસ્તે તેઓ આવી રહ્યા હોય.

સીવેલા કપડાં વિષે ગેરસમજ કે એવુ માની લેવું કે તે દરેક વસ્તુ જેમાં સિલાઈ કરવામાં આવી છે, એટલા માટે તેઓ એવા કમીસ, બેલ્ટ અને ચપ્પલ પહેરતા અચકાઈ છે, જેમાં સિલાઈ હોય.

આ ખોટી વાત છે, અને સીવેલું એ કે જે શરીરના આકાર મુજબ સિવવામાં આવ્યું હોય અથવા તૈયાર કરવામાં આવ્યું હોય, જેમકે કપડાં અને પેન્ટ; જ્યારે તે પોતાની સામાન્ય સ્થિતિમાં હોય.

સ્ત્રીઓ માટે મોજા, બુરખો, નકાબ અથવા સંપૂર્ણ ચહેરાનો બુરખો પહરવો.

-બિન્ મહરમ્ પુરુષોની હાજરીમાં- નકાબ અને હાથ મોજા પહેર્યા વગર ચહેરા અને હાથને ઢાંકવા જરૂરી છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને એહરામની સ્થિતિમાં પહેરવાથી રોક્યા છે.

કેટલાક લોકો એમ સમજે છે કે સ્ત્રી માટે એહરામના એક ખાસ કપડાં હોય છે, જેમકે કાળા, અથવા લીલા અથવા સફેદ રંગના.

આ ખોટી વાત છે, બસ એહરામ બાંધવા વાળી સ્ત્રી પોતાના કપડાં માંથી જે ઈચ્છે પઢી શકે છે, જે શણગારમાંથી ન હોય.

કેટલાક લોકો સમજે છે કે એહરામના કપડાં બદલવા અને કાઢવાની પરવાનગી નથી.

પરંતુ સત્ય વાત એ છે કે એહરામના કપડાં બદલી પણ શકાય શકાય છે, તેને ધોઈ બીજીવાર પહેરી પણ શકાય છે.

ઇઝ્તિબાઅ (ચાદરનો વચ્ચેનો ભાગ જમણી બગલની નીચેથી કાઢી તેના બંને છેડા ડાબા ખભા પર મૂકવા) એહરામના શરૂ થી લઈ કે અંત સુધી કરવું.

પરંતુ સત્ય વાત એ છે કે ઇઝ્તિબાઅ ફક્ત ઉમરહના તવાફમાં અને તવાફે કુદૂમ (આગમન) વખતે જ કરવામાં આવશે.

કોઈ શરઇ (યોગ્ય) કારણ વગર એહરામ બાંધવું અથવા તેને કાઢવું.

એહરામ બાંધનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે એહરામની સ્થિતિમાં ત્યાં સુધી રહે જ્યાં સુધી તે ઈબાદતના દરેક કાર્યો પૂર્ણ ન કરી લે, સિવાય એ કે તેને ખતમ કરવાના કોઈ કારણે તેને રોક્યો હોય, અને તેને એહસાર કહેવામાં આવે છે, આવી સ્થિતિમાં તેને એહરામ કાઢવાની પરવાનગી છે, જો તેણે એહરામ બાંધતી વખતે કોઈ શરત મૂકી હોય, તો તે તેને વગર કારણે ખત્મ કરી શકે છે, પરંતુ જો તેણે કોઈ શરત ન મૂકી હોય તો જરૂરી છે કે કુરબાની ઝબેહ કરે, વાળ મૂંડાવે, અથવા કપાવે, ફરી એહરામ બાંધે.

***

બીજું: તવાફ દરમિયાન લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

મસ્જિદે હરામમાં દાખલ થતી વખતે અથવા કઅબા તરફ નજર કરતી વખતે તે દુઆઓ કરવી જે વર્ણન કરવામાં નથી આવી.

સુન્નત તરીકો એ છે કે ફક્ત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆઓ કરવી.

તવાફ શરૂ કરતાં પહેલા શબ્દો વડે નિયત કરવી.

નિયતનું સ્થાન દિલ છે, તેને જુબાન વડે કરવી યોગ્ય નથી.

સાવચેતી રૂપે હજરે અસ્વદ પહેલા તવાફ શરૂ કરવો.

આ એક પ્રકારની અતિશયોક્તિ અને નક્કી કરેલ હદ વટાવવી છે.

હજરે અસ્વદ પાર કર્યા પછી તવાફ શરૂ કરવો અને તેને અડધો સમજવો.

આ પણ એક પ્રકારની ભૂલ છે, જો તે આમ કરશે તો તે ફેરો તેનો યોગ્ય નહીં ગણાય.

હજરે અસ્વદ પાસે નમાઝમાં જે રીતે હાથ ઉઠાવવામાં આવે છે, અર્થાત્ રફઉલ્ યદૈન કરવામાં આવે તે રીતે કરવું અથવા તેને સતત ત્રણ વાર કરવું.

સુન્નત તરીકો એ છે કે ફકત જમણા હાથ વડે એકવાર ઈશારો કરવામાં આવે.

લાંબા સમય સુધી હજરે અસ્વદ પાસે રોકાવવું.

સુન્નત એ છે કે લાંબા સમય સુધી રોકાવું ન જોઈએ.

હજરે અસ્વદ સુધી પહોંચવા અને તેને બોસો આપવા માટે સખત ભીડ કરવી અને લોકો સાથે ઝગડો કરવો.

સુન્નત તરીકો એ છે કે તેના માટે ઝગડવામાં ન આવે, જો તેની પાસે સરળતા પૂર્વક પહોંચવું શક્ય હોય, તો કરવું જોઈએ, અને જો શક્ય ન હોય તો ફક્ત હાથ વડે ઈશારો કરી આગળ નીકળી જવું.

જો તકબીર પઢયા વગર અને ઈશારો કર્યા વગર હજરે અસ્વદ પાસેથી પસાર થઈ ગયા તો પરત ફરવું.

આ દરેક કાર્યો ખોટા છે, કારણકે તે એક સુન્નત છે જેનો સમય પસાર થઈ ગયો, અને તેના પર ફરીવાર અમલ કરવો યોગ્ય નથી, અને જો કોઈ ભૂલથી અથવા જાણી જોઈને અલ્લાહુ અકબર ન કહે તો તેના પર કોઈ ગુનોહ નથી.

દરેક ફેરા માટે ખાસ દુઆઓ નક્કી કરી પઢવી.

તેનો કોઈ પુરાવો (દલીલ) નથી, અને સુન્નત તરીકો એ છે કે તવાફ કરનાર વ્યક્તિ દુનિયા અને આખિરતની ભલાઈની દુઆ કરે[1], અને અલ્લાહનો ઝિક્ર કરે, જે કુરઆન હદીષ મુજબ હોય, જેમકે સુબ્હાનલ્લાહ અથવા અલ્ હમ્દુ લિલ્લાહ અથવા લા ઇલાહ ઇલ્લલ્લાહ અથવા અલ્લાહુ અકબર અથવા કુરઆનની તિલાવત કરે.

તવાફના દરેક ચક્કરમાં ઝડપથી ચાલવું.

સુન્નત તરીકો એ છે કે ફક્ત પહેલા ત્રણ ચક્કરમાં જ ઝડપથી ચાલવામાં આવે.

કોઈ પણ યોગ્ય કારણ વગર તવાફ દરમિયાન કઅબાને ડાબી બાજુ ન રાખવો.

સુન્નત તરીકો એ છે કે કઅબને ડાબી બાજુ રાખવામાં આવે, અને તેનો વિરોધ કારણ પર સહેજ પણ નરમી કરવામાં ન આવે, પરંતુ જો ભીડ જેવા કોઈ કારણ હોય તો કોઈ વાંધો નથી.

રુકને યમાનીને બોસો આપવો અથવા બોસો ન આપવા પર તેની તરફ ઈશારો કરવો.

સુન્નત તરીકો એ છે કે તેને ફક્ત હાથ વડે સ્પર્શ કરવામાં આવે, બોસો આપવામાં ન આવે, જો તેને સ્પર્શ ન કરી શકે તો તેની તરફ ઈશારો ન કરવો જોઈએ.

કઅબાના દરેક ખૂણા અને દીવાલોને સ્પર્શ કરવું, ચુંબન આપવું અને હાથ વડે તેને ઘસવું.

આ સુન્નત વિરુદ્ધ કાર્ય છે, ફક્ત હજરે અસ્વદ સિવાય કોઈને પણ ચુંબન કરવામાં ન આવે, અને ફક્ત રુકને યમાનીને જ સ્પર્શ કરવું યોગ્ય છે.

એવો અકીદો રાખવો કે રુકને યમાનીને સ્પર્શ કરવું બરકત પ્રાપ્ત કરવા માટે છે, ઈબાદત માટે નથી.

આ દરેક માન્યતાઓ અજ્ઞાનતા અને પથભ્રષ્ટતા છે, કારણકે ફાયદો અને નુકસાન ફક્ત અલ્લાહના જ હાથમાં છે, ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ હજરે અસ્વદ પાસે આવ્યા, બોસો આપ્યો અને કહ્યું: "હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો" [૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૯૭).

દુઆ કરતી વખતે અવાજ ઉચ્ચ કરવો, તે તવાફ કરનાર લોકોને મૂંઝવણમાં નાખવાનો એક માર્ગ છે.

સુન્નત તરીકો એ છે કે તે પોતાના પાલનહારનો ઝીકર અને તેની પાસે દુઆ એ રીતે માંગે જે તેની અને તેના પાલનહાર દરમિયાન હોય, જેથી તે લોકોને તકલીફ ન આપે.

તવાફ દરમિયાન વીડિયો બનાવવા અથવા આજુબાજુના લોકો સાથે વાતચીતમાં વ્યસ્ત થવું.

તવાફ એટલા માટે છે કે માનવી દિલની હાજરી અને વિનમ્રતા સાથે પોતાના પાલનહારને યાદ કરે.

હજરે અસ્વદ પહોંચતા પહેલા તવાફ પૂર્ણ કરવો.

તેના માટે જરૂરી એ છે કે તે સાતમો ચક્કર પૂર્ણ કરે અહીં સુધી કે તેને યકીન થઈ જાય કે તે હજરે અસ્વદ સુધી પહોંચી ગયો છે.

એવો અકીદો રાખવો કે તવાફ પછી ની બે રકઅત મકામે ઈબ્રાહીમ પાસે અથવા તેની નજીક જ પઢવી જરૂરી છે, જેના કારણે તેઓ ત્યાં ભીડ કરે છે, અને (હજ્જના) મોસમ વખતે તવાફ કરનારને તકલીફ પહોંચાડે છે, અને તેમના તવાફમાં અવરોધ બને છે.

આવી માન્યતા રાખવી ખોટી છે, અને તવાફ પછીની બે રકઅત મસ્જિદમાં કોઈ પણ જગ્યાએ પઢી શકાય છે, અને નમાઝ પઢનાર વ્યક્તિ પોતાને અને કઅબા દરમિયાન મકામનએ રાખી શકે છે, -ભલેને તે દૂર કેમ ન હોય-, અને તે મસ્જિદના ચોક અથવા ઉપરના ભાગમાં પણ નમાઝ પઢી શકે છે, જેથી તે પરેશાનીથી બચી ને રહે, અને તેને નમાઝમાં નમ્રતા અને શાંતિ પ્રાપ્ત થાય.

તવાફ પછી ખૂબ લાંબી બે રકઅત અને દુઆઓ કરવી.

સુન્નત તરીકો એ છે કે ટુંકી નમાઝ પઢે, અને ત્યાર બાદ કોઈ પણ દુઆ ન કરે, કારણકે આ વિશે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કંઇ પણ વર્ણન મળતું નથી.

ઇઝ્તિબાની સ્થિતિમાં તવાફ પછી બે રકઅત્ પઢવી.

સુન્નત તરીકો એ છે કે તવાફ પૂર્ણ થયા પછી પોતાની ચાદર ખભા પર નાખી દેવી જોઈએ.

***

ત્રીજું: સઇમાં લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

સઈ દરમિયાન ઇજઝ્તિબાઅ કરવું.

જેવુ કે પાછળ વર્ણન થઈ ચૂક્યું છે કે ઇઝ્તિબાઅ ફક્ત તવાફ દરમિયાન જ કરવામાં આવશે.

સઇ શરૂ કરતાં પહેલા શબ્દો વડે નિયત કરવી.

જેવુ કે પહેલા વર્ણન થઈ ચૂક્યું છે કે નિયતનું સ્થાન દિલ છે, અને તેને શબ્દો વડે કહેવું યોગ્ય નથી.

મરવહથી સઇની શરૂઆત કરવી.

આ એક ભૂલ છે, જે વ્યક્તિ આમ કરશે તેનો તે ચક્કર ગણવામાં નહીં આવે.

કેટલાક લોકો એમ સમજે છે કે એક ફેરામાં જવું અને આવવું બંને શામેલ છે, તેથી તેઓ સઇમાં ચૌદ ફેરા કરે છે.

આ પણ એક ભૂલ છે, સફાથી મરવહ સુધી જવું તે એક ફેરો છે, અને મરવહથી સફા તરફ જવું એક ફેરો છે, અને શરૂઆત સફાથી કરવામાં આવશે અને અંત મરવહ પર હોવો જોઈએ.

સફા પર્વત પર અત્યંત ઊચે ચઢવાને જરૂરી સમજવું.

આ પ્રકારની શરત લગાવવાનો કોઈ પુરાવો (દલીલ) નથી.

નમાઝની તકબીર વખતે જે રીતે રફઉલ્ યદૈન કરવામાં આવે છે તે રીતે બંને પાસે હાથ ઉઠાવવા.

યોગ્ય વાત એ છે કે ફક્ત કિબલા તરફ મોઢું કરવું પૂરતું થઈ જશે, અને વર્ણવેલ દુઆઓ કરવી.

સ્ત્રીઓનું પુરુષોની માફક બંને પર્વત વચ્ચે ઝડપથી દોડવું.

તેમના માટે ફક્ત પગપાળા ચાલવું પૂરતું છે, આલિમોની સર્વસંમતિ દ્વારા, જેથી તે પડદો ખૂલી જવાથી બચી શકે.

સઇના દરેક ફેરામાં દુઆઓને ખાસ કરી પઢવી.

આ વાતનો કોઈ પુરાવો નથી, પરંતુ તે પોતાની ઈચ્છા મુજબ જે ઈચ્છે દુઆ કરી શકે છે[૨].

સઇમાં એ રીતે અવાજ ઉચ્ચ કરવો જેના કારણે લોકોને તકલીફ થાય.

સુન્નત તરીકો એ છે કે તે પોતાના પાલનહારનો ઝીકર અને તેની પાસે દુઆ એ રીતે માંગે જે તેની અને તેના પાલનહાર દરમિયાન હોય, જેથી તે લોકોને તકલીફ ન આપે.

સફા અને મરવાહની સઇ દરમિયાન દરેક ફેરામાં ઝડપથી ચાલવું.

સુન્નત તરીકો એ છે ફક્ત બંને લીલી લાઇટની નિશાની દરમિયાન જ ઝડપથી દોડવામાં આવે.

સઇ પૂર્ણ કર્યા પછી બે રકઅત નમાઝ પઢવી.

તેનો કોઈ પુરાવો (દલીલ) નથી, અને તેને કરવું શરિઅતનો ભાગ નથી.

ધાર્મિક વિધિઓ (હજ્જ અને ઉમરહ) સિવાય સ્વેચ્છિક રૂપે સઇ કરવી.

સઇને સ્વૈચ્છિક રૂપે અર્થાત્ નફિલ સમજી કરવી યોગ્ય નથી.

***

ચોથું: માથું મુંડન કરવામાં અથવા વાળ કપાવવા બાબતે લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

સામાન્ય રૂપે માથાના વાળ કપાવવા અથવા મુંડન કરવવા બાબતે છૂટ.

સુન્નત તરીકો એ છે કે સામાન્ય રૂપે વાળ પણ કપાવી શકાય છે, અને મુંડન પર કરવી શકાય છે.

મસ્જિદે હરામમાં વાળ કાપવા અને મુંડન કરાવવું અને તેમાં વાળ ફેંકવા.

જરૂરી એ છે કે મસ્જિદે હરામની પવિત્રતાને ધ્યાનમાં રાખવામાં આવે જેથી તેને સાફ રાખી શકાય.

વાળ કપાવવા અને મુંડન કરાવવા બાબતે લાંબા સમય સુધી વિલંબ કરવો, જેના કારણે તેને ભૂલી જવાય અથવા અન્ય કામમાં વ્યસ્ત થઈ જવાય .

સુન્નત તરીકો એ છે કે તેને તવાફ અને સઇ પૂર્ણ કર્યા પછી તરત જ કરી લેવામાં આવે.

એહરામની સ્થિતિમાં પ્રતિબંધીત કરેલા કાર્યો મુંડન કરાવ્યા પહેલા અથવા વાળ કપાવ્યા પહેલા કરવા.

મુંડન કારવ્યા પહેલા અને વાળ કપાવ્યા પહેલા તે પ્રતિબંધિત કાર્યો ન કરે.

***

હજ્જમા થતી લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

પહેલું: તર્વિય્યહના દિવસે લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

કેટલાક લોકો સમજે છે કે તર્વિય્યહના દિવસે મસ્જિદે હરામ અથવા મીઝાબથી એહરામ બાંધવું જાઈઝ છે.

તેના માટે સુન્નત તરીકો એ છે કે જ્યાં કંઈ પણ હોય ત્યાંથી એહરામ બાંધી શકે છે, તે મક્કહ હોય કે મિના.

ઝોહરની નમાઝ સુધી એહરામ બાંધવાને મોકૂફ કરવું.

સુન્નત તરીકો એ છે કે ઝોહરની નમાઝ પહેલા ચાશ્તના સમયે હજ્જ માટે એહરામ બાંધે.

શક્તિ હોવા છત્તા મિનામાં રોકાણ ન કરવું.

હાજી માટે સુન્નત તરીકો એ છે કે જ્યાં સુધી શક્તિ હોય તે મિનામાં રાત પસાર કરે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કર્યું હતું.

મિનામાં નમાઝો ભેગી કરવી.

સુન્નત તરીકો એ છે કે મિનામાં તે નમાઝને કસર કરી પઢે, તેને ભેગી કર્યા વગર, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતાં.

***

બીજું: અરફહના દિવસે લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

સાવચેતી રૂપે આઠમા દિવસે અરફહમાં રોકાણ કરવું.

આ એક પ્રતિબંધિત કાર્ય છે, જે અતિશયોક્તિમાં શામેલ છે.

આઠમી અથવા નવમી તારીખે અરફહ જવું અને ત્યાં રાત પસાર કરવી.

આ સુન્નત વિરુદ્ધ કાર્ય છે, અને તે મિનામાં રાત પસાર કરવાની સુન્નત પર અમલ ન કરવું છે.

અરફહની સીમાંથી બહાર રોકાણ કરવું.

હાજી માટે જરૂરી છે કે તે અરફહની સીમામાં રોકાણ કરે.

એવી માન્યતા રાખવી કે નિમરહ મસ્જિદમાં ઈમામની પાછળ નમાઝ પઢવી જરૂરી છે, સખત ભીડ હોવા છતાં પણ ત્યાં રોકાણ કરવું.

આ કોઈ જરૂરી કાર્ય નથી, ત્યાં ભીડ થવાના કારણે તેને કરવું યોગ્ય નથી.

દુઆ કરવી વખતે પર્વત (ઇલ્આલ) તરફ મોઢું કરવું.

સુન્નત તરીકો એ છે કે કિબલા તરફ મોઢું કરવું જોઈએ.

એવી માન્યતા રાખવી કે ઇલ્આલ પર્વત પર ચઢવું જરૂરી છે અથવા હજ્જના કાર્યો માંથી છે, અથવા અરફહના બાકીના ભાગ પર તેને મહાનતા પ્રાપ્ત છે.

આ વાતનો કોઈ પુરાવો નથી, પરંતુ તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માર્ગદર્શન વિરુદ્ધ છે.

(ઇલ્આલ) પર્વતને જબલે રેહમત અથવા (જબલે દુઆ)નું નામ આપવું.

સત્ય વાત એ છે કે તેનું નામ (ઇલ્આલ) છે, અને તે પર્વતનું નામ જબલે રેહમત અથવા દુઆ રાખવાનો કોઈ પુરાવો નથી.

અરફાતના ગુંબદમાં પ્રવેશવું, અને તેને આદમનું ગુંબદ કહેવું, તેમાં નમાઝ પઢવી અને તેનો કાબાની માફક તવાફ કરવો.

આ દરેક કાર્યો બિદ્અત છે, જેનાથી રોકવામાં આવ્યા છે, જે શિર્ક તરફ લઈ જાય છે.

અરફાતમાં જબલે રેહમત ઉપર ઊભા થાંભલા દ્વારા બરકત પ્રાપ્ત કરવી અને તેના પર નામ લખવું.

આ દરેક કાર્યો બિદ્અત છે, જેનાથી રોકવામાં આવ્યા છે, જે શિર્ક તરફ લઈ જાય છે.

જબલે અરફહ અને જબલે નૂરના બખોલામા પૈસા નાખવા, અથવા વાળ, નખ અથવા કોઈ કપડું મૂકવું,અને એવી માન્યતા રાખવી કે તેના માલિકો (તેને નાખનાર) તેની તરફ પાછા ફરીને આવે છે.

આ દરેક કાર્યો બિદ્અત છે, જેનાથી રોકવામાં આવ્યા છે, જે શિર્ક તરફ લઈ જાય છે.

કેટલાક લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સ્થાન પર રોકાવવાને જરૂરી સમજે છે, અને તેઓ આ કાર્યને પોતાના પર અનિવાર્ય કરી લે છે.

સત્ય વાત એ છે કે તે અનિવાર્ય નથી, અને તેના માટે કોશિશ કરવી જોઈએ.

સમય બગાડવો, દુઆ અને ઝિક્ર છોડી એવા કાર્યોમાં વ્યસ્ત થવું, જેનો કોઈ ફાયદો ન હોય.

સૂર્યાસ્તની નજીક અથવા દિવસ ખતમ થતાં સુધી દુઆ શરૂ કરવામાં વિલંબ કરવો.

પોતાને દુઆ માટે ઊભો થવા પર મજબૂર કરવો, તેને સુન્નત સમજવું, અથવા એવું માનવું કે અરફહમાં ઊભા રહવાનો અર્થ દુઆ માટે ઊભા રહેવું છે.

સત્ય વાત એ છે કે અરફહમાં ઠહેરવું તે જ સમયે છે, ભલે તે ઊભા હોય અથવા બેઠા હોય અથવા સવાર હોય અથવા પગપાળા હોય.

સૂર્યાસ્ત પહેલા અરફહ માંથી નીકળી જવું.

આ એક હરામ (અવૈધ) કાર્ય છે; કારણકે તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત વિરુદ્ધ કાર્ય છે.

સૂર્યાસ્ત પછી કોઈ પણ કારણ વગર નિકળવામાં વિલંબ કરવો.

અને સુન્નત તરીકો એ છે કે સૂર્યાસ્ત પછી કોઈ પણ કારણ વગર તરત જ નીકળી જવું.

કેટલાક લોકો સમજે છે કે જુમ્માના દિવસે અરફહમાં રોકાવવું બે વર્ષ કરવા બરાબર છે.

આ વાતનો કોઈ પુરાવો (દલીલ) નથી.

***

ત્રીજું: મુઝ્દલિફહ તરફ રવાના થવામાં અને ત્યાં રાત પસાર કરવા બાબતે લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

અરફાત માંથી નીકળતી વખતે ઉતાવળ કરવી, જેના કારણે ગાડીઓની ભીડ અને ટક્કર થતી હોય છે.

સુન્નત તરીકો એ છે કે શાંતિ પૂર્વક કોઈને તકલીફ આપ્યા વગર નિકળવામાં આવે.

કેટલાક સમજે છે કે મુઝ્દલિફહમાં રાત પસાર કરવા માટે ગુસલ (ધાર્મિક સ્નાન) કરવું જરૂરી છે.

આ કાર્ય કરવાનો કોઈ પુરાવો (દલીલ) નથી.

કેટલાક લોકો સમજે છે કે સવારી પરથી ઉતરી મુઝ્દલિફ્હમાં ચાલતા જવું જોઈએ.

આ કાર્ય કરવાનો કોઈ પુરાવો (દલીલ) નથી.

પુષ્ટિ કર્યા પહેલા મુઝ્દલિફહની સીમામાં કોઈ પણ જગ્યાએ રોકાવવું.

મુઝ્દલિફહ પહોંચી જલ્દી નમાઝ પઢવામાં આળસ કરવી.

સુન્નત તરીકો એ છે કે જ્યારે પણ તમે મુઝ્દલિફહ પહોંચી જાઓ અને તરત જ નમાઝ પઢી લો.

મુઝ્દલિફહમાં આવતાની સાથે કંકારીઓ ભેગી કરવામાં વ્યસ્ત થઈ જવું, અને તેની ઈચ્છા રાખવી એવી સમજવુ આ એક જાઈઝ કાર્ય છે.

આ વાતનો કોઈ પુરાવો (દલીલ) નથી.

મગરિબ અને ઈશા બંને નમાઝ પઢવામાં વિલંબ કરવો, અહીં સુધી કે તેનો સમય પસાર થઈ જાય, અને તેનો સમય મધ્યરાત્રિ સુધી છે.

જરૂરી એ છે કે મગરિબ અને ઈશા બંને નમાઝ તે મધ્યરાત્રિ પહેલા જ પઢી લેવામાં આવે, ભલેને તે મુઝ્દલિફહ પહોંચ્યો ન હોય.

મુઝ્દલિફહમાં રાતની નમાઝ, અથવા ઈબાદત અથવા રમત-ગમત સાથે પસાર કરવી.

સુન્નત તરીકો એ છે કે સૌથી પહેલા ઊંઘ અને આરામ કરવામાં આવે; નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતાં, જેથી ઈદના કાર્યો માટે ચુસ્ત થઈ શકે.

મધ્યરાત્રિ પહેલા કમજોર લોકો અને તેમના સાથીઓનું પ્રસ્થાન.

જરૂરી એ છે કે તેઓ મધ્યરાત્રિ પહેલા ન નીકળે.

ફજર પહેલા તે લોકોનું પ્રસ્થાન જેઓ ન તો નબળા છે અને ન તો નબળાઓને સાથ આપે છે.

જરૂરી છે કે તેઓ ફજર સુધી મુઝ્દલિફહમાં રોકાઈ.

સૂર્યોદય સુધી મુઝ્દલિફહમાંથી પ્રસ્થાન કરવામાં વિલંબ કરવો.

સુન્નત તરીકો એ છે કે સૂર્યોદય પહેલા પ્રસ્થાન કરી લેવું જોઈએ.

***

ચોથું: કુરબાનીના દિવસે લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

કેટલાક લોકો એમ સમજે છે કે કાંકરીઓ ફેકવા માટે ગુસલ (ધાર્મિક સ્નાન) કરવું જરૂરી છે.

આ કાર્ય કરવાનો કોઈ પુરાવો (દલીલ) નથી.

કાંકરીઓ ધોવી.

આ કાર્યનો કોઈ પુરાવો (દલીલ) નથી.

એવી માન્યતા રાખવી કાંકરીઓ ફક્ત મુઝ્દલિફહની જ હોવી જોઈએ.

આ કાર્ય કરવાનો કોઈ પુરાવો (દલીલ) નથી, એટલા માટે કે કાંકરીઓ કોઈ પણ જગ્યાએથી લઈ શકે છે.

કાકરીઓ સિવાય અન્ય વસ્તુ ફેંકવી અથવા મોટી કાંકરીઓ ફેંકવી.

આ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માર્ગદર્શન વિરુદ્ધ કાર્ય છે.

કાંકરીઓ ફેંકતી વખતે ગુસ્સો કરવો અને એવું માનવું કે તે શૈતાનને કાંકરીઓ મારી રહ્યો છે.

કાંકરીઓ મારતી વખતે જૂથ બની જવું અને લોકોને તકલીફ પહોંચાડવી.

કાંકરીઓ મારતી વખતે વર્ણવેલ ઝિક્ર સિવાય તેમાં વધારો કરવો.

સૌથી શ્રેષ્ઠ કાર્ય તકબીર કહેવું છે.

સાતેય કાંકરીઓ ફક્ત એક જ વારમાં મારવી.

તે સ્થિતિમાં ફક્ત એક જ મારવી પૂરતી છે, જરૂરી છે કે દરેક કંકારીઓને એક એક કરીને જ મારવી જોઈએ.

કાંકરીઓને બેસિનમાં મૂક્યા વિના ફેંકવી.

તે પૂરતું નથી, અને જે જરૂરી છે કે તે નીચા સ્તરે ફેંકવી જોઈએ, જેને ફેંકવું કહેવામાં આવે છે.

કાંકરીઓ ફેંકતી વખતે ઊંચી દીવાલને નિશાનો બનાવવો અને એવું સમજવું કે આ જ હેતુ છે.

તેના માટે યોગ્ય અમલ એ છે કે તે નીચે પર ફેંકે અને તેને નિશાનો ન બનાવે.

દૂરથી કાંકરીઓ ફેંકવી, અને તે વાતની પુષ્ટિ ન કરવી કે કાંકરીઓ નીચે પડે છે કે નહીં.

જમરે ઉકબહ પાસે કાંકરીઓ ફેંકી દુઆ કરવા માટે ઊભા રહેવું.

આ અયોગ્ય અમલ છે; કારણકે તેના કરવા માટેનો કોઈ પુરાવો (દલીલ) નથી.

યવમુન્ નહર (કુરબાનીના દિવસ) પહેલા હજ્જે તમ્ત્તુઅ અને હજ્જે કિરાન કરનારે જાનવર ઝબેહ કરવું.

જે વ્યક્તિએ આમ કર્યું, તેનું આ કાર્ય પૂરતું નહીં થાય, અને તેણે શરીઅતે નક્કી કરેલ સમય પર જાનવર ઝબેહ કરવું જોઈએ, જે ઈદના દિવસથી લઈ અય્યામે તશરીક સુધી છે.

ઝબેહ કરવા પર તેની કિંમતને સદકો કરવા પર પ્રાથમિકતા આપવી.

જે વ્યક્તિ આમ કરશે તેનું આમ કરવું પૂરતું નહીં થાય, અને તેના માટે જાનવર ઝબેહ કરવું જરૂરી છે.

મુંડન કરાવવું અથવા માથાના થોડાક ભાગના વાળ કપાવવા.

સુન્નત તરીકો એ છે કે સામાન્ય રૂપે સંપૂર્ણ માથાના વાળ કપાવવા અથવા મુંડન કારવવું.

તવાફે ઇફાઝાના બદલામાં તવાફે કુદૂમ કરવું, અથવા અરફાત અને મુઝ્દલિફહમાં ઊભા રહેવા પહેલા કરવું.

જે આમ કરશે તેનું આ કામ પૂરતું નહીં થાય; કારણકે તવાફે ઈફાઝા હજ્જના અરકાન (સ્થંભો) માંથી એક છે, તેના વગર હજ્જ યોગ્ય નહીં ગણાય, અને અરફહ અને મુઝ્દલિફહમાં ઊભા રહેવા સિવાય તેને કરવું જાઈઝ નથી.

***

પાંચમું: અય્યામે મિના (અય્યામે તશરીક)માં લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

કાંકરીઓ ફેંકવા બાબતે આળસ કરવી અને તેને ફેંકવા માટે વકીલ બનાવવામાં વિલંબ કરવો.

સુન્નત તરીકો એ છે કે હાજી કાંકરીઓ પોતે જ મારે, કોઈ યોગ્ય કારણ વગર, જે તેના માટે કોઈને વકીલ અથવા નાયબ બનાવવાને જાઈઝ કરી દે.

હજ્જના કાર્યો અને દિવસો પહેલા કોઈને પોતાની તરફથી કાંકરીઓ મારવા બાબતે નાયબ બનાવી સફર કરવો.

આ એક ભૂલ છે, તેના માટે જરૂરી છે કે તે મિનામાં અથવા જે જગ્યાએ હોય, ત્યાંજ રોકાઈ રહે, અહીં સુધી કે તે પોતાના હજ્જના કાર્યો પૂર્ણ કરે, ફરી તવાફે વિદાઅ કરે, ફરી નીકળે.

અય્યામે તશરીકમાં સૂર્યના ઢળવા પહેલા કાંકરીઓ મારવી.

સુન્નત તરીકો એ છે કે સુર્યના ઢળવા પછી કાંકરીઓ મારવામાં આવે.

ત્રણેય જમરાતનો કાંકરીઓ મારવી વખતે ક્રમનો ખ્યાલ ન કરવો.

જરૂરી એ છે કે તે ત્રણેય જમરાતના ક્રમનો ખ્યાલ રાખવામાં આવે, એ રીતે કે પહેલા તે જમરહ ઉલા પછી વચ્ચેના ફરી મોટા જમરહ જેને જમરહ ઉકબા કહેવામાં આવે છે, જે વ્યક્તિ તેના વિરુદ્ધ કરશે, તો તેણે ફરીવાર ક્રમ મુજબ કરવું પડશે, અને તે જમરહ સુગરા (નાના)થી ગણતરી કરે અને કંકારીઓ મારે.

જમરે ઉકબહ પાસે કાંકરીઓ ફેંકી દુઆ કરવા માટે ઊભા રહેવું.

સુન્નત તરીકો એ છે કે દુઆ ફક્ત જમરહ ઉલા અને જમરહ વુસ્તા પાસે જ કરવી જોઈએ.

***

છઠ્ઠુ: તવાફે વિદાઅમાં લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

કાંકરીઓ મારવાના અંતિમ દિવસ પહેલા તવાફે વિદાઅ કરવું, જેથી તે કાંકરીઓ મારી તરત જ સફર કરી શકે.

આ એક ભૂલ છે, જે વ્યક્તિ આમ કરશે તેણે તેના યોગ્ય સમય વગર કર્યું, અને તે પૂરતું નહીં થાય, અને તેણે કાંકરીઓ મારી તવાફે વિદાઅ કરવો પડશે.

પોતાની તરફથી કોઈને કાંકરીઓ મારવા માટે વકીલ બનાવવો, અને વકીલના કાંકરીઓ મારતા પહેલા તવાફે વિદાઅ કરવો.

સત્ય વાત એ છે કે તે ત્યાં સુધી રાહ જુએ, જ્યારે તે કાંકરીઓ મારી લે, પછી તવાફે વિદાઅ કરે.

તેનો હેતુ કાબા તરફ ફરી પીઠ ન કરવાનો, જેથી તે વ્યક્તિ કાબાના સન્માનમાં પાછળ હટી જાય છે.

આ વાતનો કોઈ પુરાવો (દલીલ) નથી, અને સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શન મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું માર્ગદર્શન છે.

મસ્જિદે હરામ માંથી નીકળતી વખતે દુઆ કરવાં માટે ઊભા રહેવું.

આ વાતનો કોઈ પુરાવો (દલીલ) નથી.

કોઈ યોગ્ય કારણ વગર તવાફે વિદાઅ કર્યા પછી, લાંબા સમય સુધી મક્કહમાં રોકાવવું.

તેના માટે જરૂરી છે કે તે તવાફે વિદાઅ કરી તરત જ નીકળી જાય, અને પોતાના સાથીની રાહ જોવા અથવા સફરનો સામાન ખરીદવા જેવા કારણોસર રોકાઈ શકે છે.

બસ જો તે કોઈ કારણ વગર લાંબા સમય સુધી રોકાઈ, તો તેના માટે જરૂરી છે કે તે ફરીવાર તવાફે વિદાઅ કરે.

મસ્જિદે નબવીની ઝિયારત કરવા બાબતે લોકોની ભૂલો અને ઉલ્લંઘનો

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારત કરતી વખતે તેની દીવાલો, લોખંડની સાકળોને સ્પર્શ કરવું તેમજ તે જગ્યાને બરકતનો સ્ત્રોત સમજી દોરો બાંધવો, વગેરે.

બરકત માટેનો સ્ત્રોત અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વર્ણવેલ શરીઅતનો સ્વીકાર કરવામાં છે, બિદ્અતનું અનુસરણ કરવામાં નહીં.

ઉહદ પર્વતની ગુફાઓમાં જવું, એવી જ રીતે મક્કહમાં ગારે હિરા અને ગારે ષૌર પાસે જવું અને ત્યાં જઈ દોરા વડે કંઈકને કંઈક અમલ કરવો, અને એવા શબ્દો દ્વારા દુઆ કરવી, જેનો શરીઅતમાં કોઈ ઉલ્લેખ નથી, અને અલ્લાહએ તેની પરવાનગી પણ ન આપી હોય, જેના કારણે પીડા સહન કરવી.

આ દરેક વસ્તુ બિદ્અત છે, પવિત્ર શરીઅતમાં તેનો કોઈ ઉલ્લેખ નથી.

કેટલીક જગ્યાઓની ઝિયારત કરવી, અને સમજવું કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નિશાનીઓ માંથી છે, જેવું કે ઊંટ બેસવાની જગ્યા, ખાતમ નામનો કૂવો અથવા ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુનો કૂવો અને આ બધી જગ્યાઓ પરથી માટીને બરકતનો સ્ત્રોત સમજી ઉઠાવવી.

બકીઅ કબ્રસ્તાન અને ઉહદના શહીદ સહાબાઓની કબરની ઝિયારત કરતી વખતે તેમની નિકટતા પ્રાપ્ત કરવા તેમજ ઘરવાળાઓ માટે બરકતનો સ્ત્રોત સમજી સિક્કાઓ ફેકવા.

આ દરેક ગંભીર ભૂલો છે, પરંતુ જ્ઞાની લોકોએ તેને શિર્કે અકબર કહ્યું છે, અને તેના પર અલ્લાહની કિતાબ અને સુન્નત માંથી દલીલ પણ મળે છે; કારણકે ઈબાદત ફક્ત એક અલ્લાહની જ કરવામાં આવશે, કોઈ પણ વસ્તુની વ્યવસ્થા અન્ય માટે સાબિત કરવી જાઈઝ નથી, જેવું કે દુઆ, ઝબેહ, નઝર અને આ પ્રમાણેની દરેક ઈબાદતો: અલ્લાહ તઆલાએ કહ્યું: (અને તેમને આદેશ તો એ જ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઈબાદત એવી રીતે કરે કે બંદગી તરફ એકત્રિત થઇ ફક્ત તેના માટે જ કરે) [અલ્ બય્યિનહ: ૫].

દરૂદ અને સલામતી ઉતરે આપણાં નબી મુહમ્મદ પર.