صفة العمرة لابن باز

صفة العمرة لابن باز

ઉમરહનો તરીકો

Language: lang_gu
Prepared by: અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ
Version: 2.0
Translations 24
Amharic Bengali Dendi English +20
Attachments 7
PDF
Audio
Video
+3

ઉમરહનો તરીકો

લેખક

અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ

દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે એકલો છે, ત્યાર પછી,

આ પત્રિકામાં ઉમરહ દરમિયાન કરવામાં આવતા કાર્યો (ઈબાદતો) નું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે હવે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમરહની રીત વાચકો સમક્ષ રજૂ કરીએ છીએ:

જ્યારે કોઈ વ્યક્તિ ઉમરહ કરવાનો ઈરાદો કરી મીકાત પર પહોંચે, તો તેના માટે મુસ્તહબ (યોગ્ય) છે કે તે ગુસલ (સ્નાન) કરે, પાક સાફ થઈ જાય અને આ જ આદેશ સ્ત્રીઓ માટે પણ છે, ભલેને તે માસિક અથવા નિફાસ (પ્રસૂતિ)ની સ્થિતિમાં હોય તો પણ, હા તે બૈતુલ્લાહનો તવાફ ત્યાં સુધી ન કરે, જ્યાં સુધી તે પાક ન થઈ જાય અને તે તેના માટે ગુસલ ન કરી લે.

પુરુષે પોતાના શરીર પર સુગંધ લગાવવી જોઈએ, પરંતુ એહરામની ચાદર પર ન લગાવવી જોઈએ, જો મીકાત પર ગુસલ કરવું શક્ય ન હોય તો કંઈ વાંધો નથી, જો શક્ય હોય તો મક્કહ પહોંચી તવાફ કરતા પહેલા સ્નાન કરી લે.

પુરુષે દરેક સિવેલા કપડાં ઉતારી ફક્ત ઇઝાર (લેંઘો) અને ચાદર પહેરી લેશે, મુસ્તહબ (યોગ્ય) છે કે તે બંન્ને સફેદ અને સ્વચ્છ હોય.

સ્ત્રી પોતાના સાધારણ કપડાંમા એહરામ બાંધી શકે છે, (નકાબ, બુરખો અને હાથના મોજા સિવાય, જેને તે ઉતારી દેશે અને પોતાના ચહેરા અને હાથનો પડદો અજાણ પુરુષથી બચવા માટે બીજા કપડાંથી કરશે) શરત એ કે તે કપડું શણગાર માટે ન હોવું જોઈએ.

પછી તે દિલમાં ઉમરહ માટેની નિયત કરે, અને જબાન વડે આ શબ્દો કહે: "લબૈક ઉમરતન્" (હું ઉમરહ માટે હાજર છું), અથવા "અલ્લાહુમ્મ લબૈક ઉમરતન્" (હે અલ્લાહ! હું ઉમરહ માટે હાજર છું). જો ઉમરહનો એહરામ બાંધનાર વ્યક્તિને બીમારી અથવા દુશ્મનનો ભય હોય અથવા એ પ્રમાણે અન્ય કોઈ ભય હોય કે તે ઉમરહના કાર્યો પુરા નહીં કરી શકે તો એહરામ બાંધતી વખતે શરત લગાવે, અને કહે: «"ફઇન્ હબસની હાબિસ ફમહલ્લી હય્ષુ હબસ્તની", (જો કોઈ અવરોધે મને રોકી લીધો તો હું ત્યાં જ હલાલ થઈ જઈશ, જ્યાં મને રોકી દેવામાં આવશે)» જેમકે ઝુબાઅહ બિન્તે ઝુબૈર રઝી અલ્લાહુ અન્હાની હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે. [૧] ઈમામ બૈહકી રહિમહુલ્લાહની પુસ્તક "સુનન અલ્ કુબ્રા" હદીષ નંબર: (૧૦૧૧૭).

ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શીખવાડેલા તલ્બિયાના શબ્દો કહે: "લબૈક અલ્લાહુમ્મ લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્નિઅમત લક વલ્ મુલ્ક, લા શરિક લક", (હે અલ્લાહ! હું હાજર છું, તારો કોઈ ભાગીદાર નથી, હું હાજર છું, નિઃશંક પ્રશંસા, દરેક નેઅમત અને સામ્રાજ્ય તારું જ છે, તારો કોઈ ભાગીદાર નથી), કાબા પહોંચતા સુધી વધુમાં વધુ આ તલ્બિયા પઢતા રહેવું જોઈએ, તેમજ અલ્લાહનો ઝિક્ર અને દુઆ કરતા રહેવું જોઈએ. «"લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દ વન્ નેઅમત લક વલ્ મુલ્ક, લા શરીક લક" (હું હાજર છું, હે અલ્લાહ! હું હાજર છું, હું હાજર છું, તારો કોઇ ભાગીદાર નથી, હું હાજર છું, ખરેખર દરેક પ્રકારની પ્રસંશા તારા માટે જ છે અને દરેક નેઅમતો તે જ આપેલી છે, સામ્રાજ્ય તારું જ છે, તારો કોઈ ભાગીદાર નથી)». વધુમાં વધુ આ તલ્બિયહ પઢવામાં આવે, અલ્લાહનો ઝિક્ર તેમજ તેની પવિત્રતાનું વર્ણન કરવામાં આવે, તેમજ ખૂબ દુઆઓ કરવામાં આવે, અહીં સુધી કે "બૈતુલ્લાહ" પહોંચી જાઓ.

(પુરૂષો ઊંચા અવાજે તલ્બિયહ પઢશે અને સ્ત્રીઓ ધીમા અવાજે, જેવું કે સહાબા રઝી અલ્લાહુ અન્હુમ કરતા હતા).

જ્યારે બૈતુલ્લાહ પહોંચો તો તલ્બિયા કહેવાનું બંધ કરી દો, પછી હજરે અસ્વદ તરફ જાઓ, તેની સામે ઊભા રહો, જમણા હાથ વડે હજરે અસ્વદને સ્પર્શ કરો અને જો શક્ય હોય તો તેનો બોસો લો, પરંતુ લોકોને ધક્કો મારી અથવા કોઈને તકલીફ પહોંચાડી આમ ન કરશો, હજરે અસ્વદને સ્પર્શ કરતા આ શબ્દો કહો, "બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર", જો બોસો લેવો શક્ય ન હોય તો લાકડી વડે અથવા બીજી કોઈ વસ્તુથી તેને સ્પર્શ કરી લો, અને જો સ્પર્શ કરવું પણ શક્ય ન હોય તો દૂરથી જ હજરે અસ્વદ તરફ ઈશારો કરો અને કહો: "અલ્લાહુ અકબર" પરંતુ જે વસ્તુથી ઈશારો કરો તેને બોસો ન લેશો.

તવાફ યોગ્ય હોવા માટે જરૂરી છે કે તવાફ કરનાર હદષે અસ્ગર (નાની નાપાકી) તેમજ હદષે અકબર (મોટી ગંદકી) થી પાક હોય; કારણકે તવાફ પણ નમાઝ જેમ જ છે, ફરક ફક્ત એટલો જ છે કે તવાફમાં વાતચીત કરવાની પરવાનગી હોય છે.

તવાફ શરૂ કરતાં પહેલાં કઅબતુલ્લાહને પોતાની ડાબી બાજુ રાખો, અને સાત ચક્કર લગાવો, જ્યારે રુકને યમાનીની નજીક પહોંચો તો શક્ય હોય તો તેને જમણા હાથ વડે સ્પર્શ કરો, અને કહો: "બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર", પરંતુ તેનો બોસો ન લેશો, જો સ્પર્શ કરવું શક્ય ન હોય, તો તેને છોડી તવાફ કરતા રહો, ન તો તેની તરફ ઈશારો કરો અને ન તો તકબીર કહો; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ પ્રમાણે કરવું સાબિત નથી.

હજરે અસ્વદ, તો જ્યારે પણ તેની પાસે પહોંચો તો તેને સ્પર્શ કરો અથવા બોસો લો, જેવું કે અમે પહેલા વર્ણન કર્યું છે, જો આ શક્ય ન હોય તો તેની તરફ ઈશારો કરો અને તકબીર કહો, તવાફે કુદુમ પહેલા ત્રણ ચકકરોમાં ફક્ત પુરુષો માટે રમલ્ કરવું મુસ્તહબ છે, -અર્થાત ડગલાં નાનાં લઈ જડપથી ચાલો-. તવાફ કરતી વખતે રમલ કરવું મુસ્તહબ છે, -રમલનો અર્થ: નાના નાના પગલા ભરી જડપથી ચાલવું.- જે પહેલા તવાફના પહેલા ત્રણ ચક્કરોમાં કરવામાં આવે છે અને આ કાર્ય ફક્ત પુરુષો માટે છે.

એવી જ રીતે પુરુષ માટે મુસ્તહબ છે કે તવાફે કુદુમ વખતે દરેક ચક્કરમાં ઇઝ્તિબાઅ કરે, ઇઝ્તિબાઅનો અર્થ: ચાદરનો વચ્ચેનો ભાગ જમણી બગલની નીચેથી કાઢી તેના બંને છેડા ડાબા ખભા પર મૂકવા. ઇજ્તિબાઅ: પોતાની ચાદરના વચ્ચેના ભાગને જમણી બગલની નીચેથી પસાર કરી અને બન્ને કિનારાને ડાબા ખભા પર નાખવા.

તવાફ વખતે દરેક ચક્કરમાં જેટલું શક્ય હોય વધુમાં વધુ ઝિક્ર અને દુઆઓ કરવી જોઈએ.

તવાફમાં કોઈ ખાસ દુઆ અથવા ઝિક્ર નથી, પરંતુ જેટલું શક્ય હોય અલ્લાહનો ઝિક્ર અને દુઆઓ કરવી જોઈએ, જે કંઈ ઝિક્ર અને દુઆ તમને યાદ હોય, અને બન્ને રુકનો (રુકને યમાની અને હજરે અસ્વદ) વચ્ચે આ દુઆ પઢો: "રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે) [અલ્ બકરહ: ૨૦૧] દરેક ચક્કરમાં આ દુઆ પઢવી જોઈએ; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે.

સાતમું ચક્કર હજરે અસ્વદને સ્પર્શ કરતા અથવા તેને બોસો આપતા કરવામાં આવે, અથવા તેની તરફ ઈશારો કરતા તકબીર પઢવી જોઈએ, જેવું કે પહેલા વિસ્તારપૂર્વક વર્ણન થઈ ગયું છે, તવાફ પૂર્ણ કરી લીધા પછી, પોતાની ચાદરને ખભા પર ઓઢી લે, અને તેના બન્ને કિનારા વડે છાતીને ઢાંકી દે.

પછી મકામે ઈબ્રાહીમ પાછળ બે રકઅત નમાઝ પઢે, જો શક્ય હોય તો, અને જો શક્ય ન હોય તો મસ્જિદના કોઈ પણ ભાગમાં બે રકઅત નમાઝ પઢી શકે છે, તે બંને રકઅતમાં સૂરે ફાતિહા પછી પહેલી રકઅતમાં કુલ્ યા અય્યુહલ્ કાફિરુન્ અને બીજી રકઅતમાં કુલ્ હુવલ્લાહુ અહદ, પઢવી બહેતર છે, આ સિવાય પણ કોઈ આયત અથવા સુરત પઢે, તો કંઈ વાંધો નથી, પછી બન્ને રકઅત પૂર્ણ કર્યા પછી જો શક્ય હોય, તો હજરે અસ્વદ તરફ જવું જોઈએ. {કુલ્ યા અય્યુહલ્ કાફિરુન અર્થ: તમે કહી દો કે હે કાફિરો! ૧}. [અલ્ કાફિરુન: ૧]. પહેલી રકઅતમાં, અને {કુલ્ હુવલ્લાહુ અહદ અર્થ: તમે કહી દો કે અલ્લાહ એક જ છે ૧}. [અલ્ ઇખલાસ: ૧] બીજી રકઅતમાં અને આ શ્રેષ્ઠ છે, અન્ય સૂરતો પઢવા ઈચ્છે તો પણ પઢી શકે છે, બે રકઅત પઢી સલામ ફેરવવું, હજરે અસ્વદ તરફ આવવું અને શક્ય હોય તો જમણા હાથ વડે તેને સ્પર્શ કરવું. તવાફ અને બે રકઅત નમાઝ પઢી લીધા પછી જો શક્ય હોય તો ઝમઝમનું પાણી પીવું સુન્નત છે.

પછી સફા પર્વત પર જઈ તેના પર ચઢી અથવા તેની નજીક ઉભા રહી, અને જો શક્ય હોય તો ચઢવું શ્રેષ્ઠ છે, અને ત્યાં આ આયત તિલાવત કરવી: {નિઃશંક સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી એક નિશાની છે...} [અલ્ બકરહ: ૧૫૮].

(સફા પર્વત પર ચઢ્યા પછી) મુસ્તહબ છે કે કાબા તરફ મોઢું કરી અલ્લાહની પ્રશંસા અને વખાણ વર્ણન કરે, અને આ શબ્દો કહે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર, લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહ, લહુલ્ મુલ્ક, વલહુલ્ હમ્દ્ વહુવ અલા કુલ્લિ શૈઇન્ કદીર, લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ અન્જઝ વઅદહ, વનસરહ અબ્દહ વહઝિમલ્ અહઝાબ વહદહ" (અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય ફક્ત તેનું જ છે, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત તેના માટે જ છે, અને તે દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો છે, તેણે પોતાનું વચન પૂરું કર્યું, અને પોતાના બંદાની મદદ કરી, અને તે એકલા જ (વિરોધી) શક્તિઓને પરાજિત કર્યા), ત્યાર પછી હાથ ઉઠાવી જેટલી પણ દુઆ કરવા ઈચ્છે કરી શકે છે અને આ ઝિક્ર અને દુઆ ત્રણ વખત કરે. "અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, લા ઇલાહ ઇલ્લલ્લાહ, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર વલિલ્લાહિલ્ હમ્દ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વ હુવ અલા કુલ્લિ શૈઇન્ કદીર, લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ અન્જઝ વઅદહુ વ નસર વઅદહુ વ હઝમલ્ અહઝાબ વહદહુ" (અર્થ: અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ (પૂજ્ય) નથી, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેનું જ છે, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત તેના માટે જ છે, તે દરેક વસ્તુઓ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો જ છે, તેણે પોતાનું વચન પૂર્ણ કર્યું, પોતાના બંદાની મદદ કરી અને તેણે એકલાએ જ દુશમનોને હરાવ્યા) [૨], દુઆઓ માંથી જે યાદ હોય તે પઢવી, ફરી ત્રણ વખત આ દુઆ કરતા રહો, એવી જ રીતે કઅબતુલ્લાહ તરફ મોઢું કરી દુઆઓ કરવી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે, ફરી સફા પરથી ઉતરી, મરહવ તરફ જવું, અહીં સુધી કે તે પ્રથમ નિશાન સુધી પહોંચી જાય; પુરુષોએ બીજા નિશાન દરમિયાન ઝડપથી ચાલવું જોઈએ. [૨] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૮).

સ્ત્રી માટે ઝડપથી ચાલવાનો આદેશ નથી; કારણકે તે પડદામાં હોય છે, પછી ચાલતા મરવહ તરફ જવું જોઈએ, તેના પર ચઢવું અથવા તેની નજીક ઉભા રહેવું, જો શક્ય હોય તો તેના પર ચઢવું શ્રેષ્ઠ છે, મરવહ પર તે જ ઝિક્ર અને દુઆ કરો, જે સફા પર કર્યા હતા, પછી નીચે ઉતરી ચાલવાની જગ્યા પર સામાન્ય ઝડપથી ચાલો, અને જ્યાં ઝડપથી ચાલવાનું હોય ત્યાં ઝડપથી ચાલો, અહીં સુધી કે સફા સુધી પહોંચી જાઓ, આવું સાત વાર કરો, સફાથી મરવહ સુધી જવામાં એક ચક્કર ગણો, અને મરવહથી સફા પાછું ફરવા પર બે ચક્કર ગણાશે, જો જરૂરતના સમયે સઇ સવારી પર કરો તો કંઈ વાંધો નથી. સવારી પર સવાર થઈ સઇ કરવામાં કોઈ વાંધો નથી, જો કે જરૂરતના સમયે જરૂરી છે કે સઇ કરતા કરતા જે પણ યાદ હોય તે દુઆઓ અને ઝિક્ર કરતા રહેવું, તેના માટે જરૂરી છે કે દરેક પ્રકારની નાપાકી અર્થાત્ નાની મોટી દરેક નાપાકીથી પાક હોય.

સઇ કરતી વખતે જ્યાં સુધી શક્ય હોય ઝિક્ર અને વધુમાં વધુ દુઆઓ કરવી મુસ્તહબ છે, અને હદષે અકબર અને હદષે અસ્ગર બન્નેથી પાક થઈ સઇ કરવી જોઈએ, પરંતુ જો પાકી વગર સઇ કરશો તો પણ તે ગણવામાં આવશે.

જ્યારે સઇ પુરી કરી લો તો પોતાના વાળ મૂંડન કરાવો, અથવા નાના કરાવો, (પુરુષના વાળ મૂંડન કરવા બેહતર છે) જો તે હજ્જની નજીક મક્કહ પાછો આવતો હોય, તો નાના કરાવવા શ્રેષ્ઠ છે, જેથી કરીને હજ્જમાં વાળ કઢાવી શકે, સ્ત્રી હોય તો તે પોતાના વાળને ભેગી કરે, અને તેમાંથી એક ટેરવાં જેટલા અથવા તેનાથી પણ ઓછા વાળ કાપી લે, ઉમરહ કરનાર જો આ કાર્યો કરી લે, જેનું વર્ણન કરવામાં આવ્યું, તો તેનો ઉમરહ પૂર્ણ થઈ ગયો, વલ્ હમ્દુ લિલ્લાહ, ત્યાર પછી તેના પર એહરામની સ્થિતિમાં અવેદ્ય કરેલ દરેક કાર્ય હલાલ થઈ જાય છે. (આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉમરહ પૂર્ણ કરી બે રકઅત નમાઝ પઢી ન હતી, જેને પસંદ હોય તે પણ આ પ્રમાણે જ કરે). {(મુસલમાનો) નિ:શંક તમારા માટે પયગંબર શ્રેષ્ઠ આદર્શ છે, તે દરેક વ્યક્તિ માટે, જેઓ અલ્લાહ તઆલા અને કયામતના દિવસ પર ઈમાન ધરાવતપ હોય અને અલ્લાહને ખૂબ યાદ કરતો હોય ૨૧} [અલ્ અહઝાબ: ૨૧].

અલ્લાહ અમને અને આપણા દરેક મુસલમાન ભાઈઓને દીનની સાચી સમજ આપે, તેના પર અડગ રાખે, દરેક ઈબાદત કબૂલ કરે, નિઃશંક તે અત્યંત દાનવીર અને ખૂબ જ ઉદાર છે.

દરૂદ અને સલામતી ઉતરે અલ્લાહના પયગંબર અને આપણા નબી મુહમ્મદ પર, તેમના પરિજનો તેમના સાથીઓ અને કયામત સુધી તેમનું સારી રીતે અનુસરણ કરનારા પર.

આ ઉમરહ માટે કરવામાં આવતા કાર્યોનો રજૂ કરતી સંક્ષિપ્ત પુસ્તિકા છે, જેને શૈખ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહના કાર્યાલયથી ૧૩/૨/૧૪૪૬ હીજરીસને પ્રકાશિત કરવામાં આવ્યો, (મજમૂઉલ્ ફતાવા વ મકાલાત શૈખ ઈબ્ને બાઝ, ભાગ ૧૭ પેજ નંબર ૪૨૫).