الدعاء ويليه العلاج بالرقى من الكتاب والسنة
કુરઆન અને હદીષથી સાબિત દુઆઓ દ્વારા રુકિય્યહ (ઝાડ-ફૂંક, દમ) કરી સારવાર કરવી.
કુરઆન અને હદીષથી સાબિત દુઆઓ દ્વારા રુકિય્યહ (ઝાડ-ફૂંક, દમ) કરી સારવાર કરવી.
કુરઆન અને હદીષ દ્વારા સાબિત દુઆઓ
લેખક
અલ્લાહની કૃપાનો જરૂરતમંદ બંદો દુક્તૂર સઈદ બિન્ અલી બિન્ વહફ અલ્ કહ્તાની
{અને અલ્લાહના સારા સારા નામો છે, તો તમે તે નામો વડે જ અલ્લાહને પોકારો અને એવા લોકોને છોડી દો, જેઓ તેના નામમાં ખામી શોધે છે, જે કઈ પણ તેઓ કરી રહ્યા છે, નજીક માંજ તેમને તેનો બદલો મળી જશે} સૂરે અલ્ અઅરાફ, આયત નંબર: ૧૮૦..
અલ્લાહુ (સાચો પૂજ્ય)- અલ્ અવ્વલુ (પ્રથમ) અલ્ આખિરુ (અંતિમ)- અઝ્ ઝોહિરુ (જાહેર) અલ્ બાતિનુ (બાતેન)- અલ્ અલિય્યુ (સર્વોચ્ચ) અલ્ અઅલા (ઉચ્ચ)
અલ્ મુતઆલુ (સૌથી ઉચ્ચ)- અલ્ અઝીમુ (મહાન)- અલ્ મજીદુ (બુઝુર્ગ) અલ્ કબીરુ (મોટો) અસ્ સમીઉ (બધું જ સાંભળવાવાળો)- અલ્ બસીરુ (બધું જ જોનાર)- અલ્ અલીમુ (બધું જ જાણવા વાળો)
અલ્ ખબીરુ (જાણકારી રાખનાર, નિષ્ણાત) અલ્ હમીદુ (વખાણને લાયક) અલ્ અઝીઝુ (જબરદસ્ત)- અલ્ કદીરુ (કુદરત ધરાવનાર) અલ્ કાદીરુ (કુદરત રાખનાર) અલ્ મુક્તદિરુ (સંપૂર્ણ કુદરત ધરાવનાર) અલ્ કવિય્ય (મજબૂત, તાકતવર)
અલ્ મતીનુ (મજબૂત) અલ્ ગનિય્યુ (સમ્રુધ્ધિ વાળો, બે નિયાઝ) અલ્ હકીમુ (હિકમત વાળો) અલ્ હલીમુ (ધૈર્યવાન, દરગુજર કરનાર) અલ્ અફુવ્વુ (માફ કરનાર) અલ્ ગફૂરુ (ખૂબ માફ કરનાર) અલ્ ગફ્ફાર (સૌથી વધારે માફ કરવાવાળો)
અત્ તવ્વાબુ (તૌબા કબૂલ કરવાવાળો) અર્ રકીબુ (અવેક્ષક) અશ્ શહીદ (સરંક્ષક) અલ્ હફીઝુ (સુરક્ષા કરનાર) અલ્ લતીફુ (નાનાં માં નાના કાર્ય ને જાણનાર, ભલાઈ અને અહેસાન કરનાર) અલ્ કરીબુ (સૌથી નજીક) અલ્ મુજીબુ ((દુઆઓ) કબૂલ કરનાર)
અલ્ વદૂદુ (મુહબ્બત કરનાર) અશ્ શાકિરુ (કદર કરનાર) અશ્ શકૂરુ (અત્યંત કદર કરનાર) અસ્ સય્યિદુ (માલિક) અસ્ સમદુ (બેનિયાઝ) અલ્ કાહિરુ (વિજયી) અલ્ કહ્હારુ (જબરદસ્ત વિજયી)
અલ્ જબ્બારુ (પ્રભાવશાળી, શક્તિશાળી) અલ્ હસીબ (પુરતો, હિસાબ લેનાર) અલ્ હાદી (હિદાયત આપનાર) અલ્ હકમ (હાકિમ, નિર્ણય કરનાર) અલ્ કુદ્દુસ (પવિત્ર, દરેક ખામીથી પાક) અસ્ સલામ (સલામતી વાળો) અલ્ બિર્ર (અહેસાન કરવાવાળો)
અલ્ વહ્હાબુ (ખૂબ વધારે આપનાર) અર્ રહમાનુ (અત્યંત કૃપાળુ) અર્ રહીમુ (અત્યંત દયાળુ) અલ્ કરીમુ (ખૂબ ઉદાર) અલ્ ફત્તાહ (કૃપાના દ્વાર ખોલનાર)
અર્ રઝ્ઝાકુ (અત્યંત રોઝી આપનાર) અલ્ હય્યુ (જીવીત) અલ્ કય્યુમુ (હંમેશા રહેનાર) અર્ રબ (પાલનહાર)- અલ્ મલિકુ (બાદશાહ) અલ્ મલીકુ (બાદશાહ)
અલ્ વાહિદુ (એકલો) અલ્ અહદુ (એક જ) અલ્ મુતકબ્બિરુ (મોટાઈ વાળો) અલ્ ખાલિકુ (પૈદા કરનાર) અલ્ ખલ્લાકુ (અત્યંત વધારે નવું નવું બનાવનાર) અલ્ બારી (અસ્તિત્વમાં લાવનાર) અલ્ મુસવ્વિરુ (સ્વરૂપ આપનાર)
અલ્ મુઅ્મીનુ - શાંતિ આપનાર)- અલ્ મુહય્મિનુ (દેખરેખ રાખનાર) -અલ્ મુહીતુ (દરેકને પોતાના ઈલ્મના ઘેરાવમાં રાખનાર)- અલ્ મુકીતુ (રોઝી આપનાર)- અલ્ વકીલુ (કારસાઝ)- અલ્ કાફી (પૂરતો)- અલ્ વાસિઉ (સર્વગ્રાહી)
અલ્ હક્કુ (સાચો અને સાબિત)- અલ્ જમીલુ (ખૂબસુરત)- અર્ રફીકુ (દોસ્ત)- અલ્ હય્યિ (હયાદાર, શરમવાળો)- અસ્ સિત્તિરુ (છુપાવનાર)- અલ્ ઇલાહુ (સાચો ઇલાહ)- અલ્ કાબિઝુ (કબ્જો ધરાવનાર)
અલ્ બાસિતુ (નેઅમતો આપવાવાળો)- અલ્ મુઅ્તિ (આપવા વાળો)- અલ્ મુકદ્દિમુ (આગળ કરવા વાળો)- અલ્ મુઅખ્ખિરુ (પાછળ કરવાવાળો)- અલ્ મુબીનુ (સ્પષ્ટ કરવાવાળો)- અલ્ મન્નાનુ (ખૂબ ઉપકાર કરનાર)- અલ્ વલીય્યુ (નજીક, મદદ કરવાવાળો, વાલી)
અલ્ મવ્લા (સંરક્ષક)- અન્ નસીરુ (મદદ કરનાર)- અશ્ શાફી (શિફા આપનાર)- માલિકુલ્ મુલ્કિ (સૃષ્ટિનો માલિક)- જામિઉન્ નાસિ (લોકોને ભેગા કરનાર)
નૂરુસ્ સમાવાતિ વલ્ અર્ઝિ (આકાશ અને જમીનનો પ્રકાશ)- ઝુલ્ જલાલિ વલ્ ઇકરામિ (સન્માનિત અને પ્રતિષ્ઠિત)-બદીઉસ્ સમાવાતિ વલ્ અર્ઝિ (આકાશ અને જમીનને કોઈ નમૂના વગર પેદા કરનાર) [૧] [૧] આ નામોને તેની દલીલો સાથે લેખકની કિતાબ (શર્હુ અસ્માઉલ્લાહિલ હુસના ફી ઝવઈલ્ કિતાબિ વ સુન્નહ) માં જોઈ શકો છો.
"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" (શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
પ્રસ્તાવના
દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, અમે તેની જ પ્રશંસા કરીએ છીએ અને તેની પાસે જ માફી માંગીએ છીએ અને પોતાના નફસ અને કાર્યોની બુરાઈથી પનાહ માંગીએ છીએ, જે વ્યક્તિને અલ્લાહએ હિદાયત આપી તેને કોઈ પથભ્રષ્ટ નથી કરી શકતું, અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે તેને કોઈ પથભ્રષ્ટ આપી શકતું નથી, અને હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈલાહ નથી અને તેનો કોઈ ભાગીદાર નથી, અને સાક્ષી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના બંદા અને પયગંબર છે, તેમના પર, તેમની સંતાન અને તેમના સાથીઓ, તેમજ જેણે કયામત સુધી તેમનું સારી રીતે અનુસરણ કર્યું દરૂદ અને સલામતી, ખૂબ દરુદ અને સલામતી ઉતરે. અલ્લાહના વખાણ અને તેના પયગંબર દરૂદ અને શાંતિ પછી:
મારી આ કિતાબ (અઝ્ ઝિક્ર વદ્ દુઆ વલ્ ઈલાજ બિર્ર રુકિય્યહ મિનલ્ કિતાબિ વસ્ સુન્નહ નામની કિતાબ) નું સંક્ષિપ્તરૂપ છે [૨], આ પુસ્તકમાં દુઆઓના પ્રકારને ટૂંકમાં વર્ણન કરી, જેથી તેનાથી ફાયદો ઉઠાવવામાં આવે, મેં તેમાં દુઆઓનો અને તેનાથી મળતા ફાયદાઓનો ઉલ્લેખ કર્યો, ઈન્ શાઅ અલ્લાહ, હું અલ્લાહ સમક્ષ અલ્લાહના નામો અને ગુણો દ્વારા સવાલ કરું છું કે અલ્લાહ તેને ફક્ત તેની પ્રસન્નતા માટેનો સ્ત્રોત બનાવે, કારણ કે તે તેનો કારસાજ છે અને તેના પર કુદરત ધરાવવાવાળો છે. [૨] અને આ કિતાબ હદીષોની પુષ્ટિ સાથે ચાર ભાગમાં પ્રસ્તુત થઇ ચુકી છે, અલ્ હમ્દુ લિલ્લાહ : અલ્ અઝકાર (હિસ્નુલ્ મુસ્લિમ) પહેલા બે ભાગમાં અને ત્રીજા ભાગમાં દુઆઓ અને ચોથા ભાગમાં રુકિય્યહ દ્વારા સારવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દરૂદ અને સલામતી તેમજ બરકતો ઉતરે આપણા નબી મુહમ્મદ પર અને તેમની સંતાન અને તેમના સાથીઓ અને તેમના પર, જેમણે કયામત સુધી તેમનું સારી રીતે અનુસરણ કર્યું.
પુસ્તકના લેખક દુક્તૂર સઈદ બિન્ અલી બિન્ વહફ અલ્ કહ્તાની
પ્રકાશન શાબાન ૧૪૦૮ હિજરિસન
દુઆની મહત્ત્વતા
અલ્લાહ તઆલાએ કહ્યું: {અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}. સૂરે ગાફિર, આયત નંબર: ૬૦, એક બીજી જગ્યાએ -સર્વ શ્રેષ્ઠ- અલ્લાહએ કહ્યું: {(હે પયગંબર) જ્યારે મારા બંદાઓ તમને મારા વિશે સવાલ કરે તો ( કહી દો) હું નજક જ છું, જ્યારે કોઈ સવાલ કરવાવાળો મને સવાલ કરે છે તો હું તેને જવાબ આપું છું, બસ મને જ સવાલ કરો અને મારા ઉપર ઈમાન રાખો જેથી તમે હિદાયત મેળવી લો} સૂરે બકરહ, આયત નંબર: ૧૮૬, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:- ((દુઆ એક ઈબાદત છે, તમારા પાલનહારે કહ્યું: તમે મારી પાસે દુઆ કરો હું તમારી દુઆઓ જરૂર કબૂલ કરીશ)) [૩], એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બીજી એક જગ્યાએ કહ્યું: ((ખરેખર તમારો પાલનહાર "હય્યુન કરીમુન" છે અર્થાત્ ખૂબ હયાદાર અને અત્યંત કૃપાળુ છે, તે તે વાતથી શરમ કરે છે કે જ્યારે કોઈ બંદો તેની સામે હાથ ફેલાવે, તો તેને ખાલી હાથ નિરાશ મોકલે))[૪], એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બીજી એક જગ્યાએ કહ્યું: ((જયારે પણ કોઈ મુસલમાન દુઆ કરે છે જેમાં કોઈ ગુનાહ અને સંબંધ તોડવાની વાત ન હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે, તેની દુઆ તે જ સમયે કબૂલ કરી તેને તેના મુજબ આપે છે, અથવા તો તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે, અથવા તો તેના જેવી કોઈ મુસીબત જે તેના પર આવી રહી હોય છે, તે દૂર કરી દેવામાં આવે છે)), સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: તો અમે વધુમા વધુ દુઆઓ કરીશું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((અલ્લાહ તેના કરતાં પણ વધારે આપવાવાળો છે)) [૫]. [૩] સુનન અબૂ દાવૂદ, ૨/૭૮, હદીષ નંબર:૧૪૮૧, સુનન તિર્મીઝી, ૫/૨૧૧, હદીષ નંબર: ૨૯૫૯, સુનન ઇબ્ને માજહ, ૨/૧૨૫૮, હદીષ નંબર: ૩૮૨૮, અને અલ્લામા અલ્બાની રહિમહુલ્લાહએ અલ્ જામીઉસ્ સગીરમાં સહીહ કહી છે, ૩/૧૫૦, અને ઈમામ ઇબ્ને માજહ રહિમહુલ્લાહએ પણ સહીહ કહી છે, ૨/૩૨૪. [૪] અબૂ દાવૂદ, ૨/૭૮, હદીષ નંબર: ૧૪૮૮, તિર્મિઝી, ૫/૫૫૭, હદીષ નંબર: ૩૫૫૬, ઇબ્ને માજહ, ૨/૧૨૭૧, હદીષ નંબર: ૩૮૬૫, અને ઇબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ((આ હદીષની સનદ જય્યિદ (સારી) છે)), અને અલ્લામાં અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૩/૧૭૯. [૫] સુનન તિર્મિઝી, ૫/૫૬૬,૫/૪૬૨, હદીષ નંબર: ૩૫૭૩, મુસ્નદ અહમદ, ૩/૧૮, હદીષ નંબર: ૧૧૧૫૦, અને અલ્લામા અલ્બાની રહિમહુલ્લાહએ અલ્ જામીઉસ્ સગીરમાં સહીહ કહી છે, ૫/૧૧૬, સહીહ સુનન અત્ તિર્મિઝી, ૩/૧૪૦.
દુઆના આદાબ અને તેના કબૂલ થવાના કારણો [૬]: [૬] દુઆના આદાબ અને તેને કબૂલ થવાના કારણો દલીલ સાથે, જુઓ મૂળ કિતાબ, ૩/૯૨૭-૯૭૫.
૧- ઇખ્લાસ (અર્થાત્ દુઆ ફક્ત અલ્લાહ માટે જ અને તેની સમક્ષ જ કરવામાં આવે).
૨- દુઆની શરૂઆત અલ્લાહ તઆલાની પ્રશંસા અને નબી -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ- પર દરૂદ અને સલામથી કરવી અને તેના પર જ ખતમ કરવી.
૩- એવા વિશ્વાસ સાથે દુઆ કરવી કે અલ્લાહ તઆલા ચોક્કસ દુઆ કબૂલ કરશે.
૪- દુઆમાં વિનમ્રતા રાખવી અને ઉતાવળ ન કરવી.
૫- દુઆ કરતી વખતે દિલને હાજર રાખવું.
૬- સારા અને ખરાબ બંને સમયમાં દુઆ કરવી.
૭- અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે ન માંગવું.
૮- પોતાનાં ઘરના લોકો પર, માલ, સંતાનો અને પોતાના નફસ પ્રત્યે બદ્ દુઆ ન કરવી.
૯- દુઆમાં પોતાનો અવાજ મધ્યમ રાખવો, વધુ ઉંચા અવાજે અથવા ધીમા અવાજે દુઆ ન કરવી જોઈએ.
૧૦- (દુઆમાં) પોતાના ગુનાહોની કબૂલાત કરી, તેની માફી માંગવી અને મળેલ નેઅમતોનું વર્ણન કરવું અને તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરવો.
૧૧- દુઆમાં સંયોજન વાક્યોનો ઉપયોગ ન કરવો.
૧૨- નમ્રતા, એકગ્રતા, આશા અને ભય સાથે દુઆ કરવી.
૧૩- તૌબા કરવાની સાથે સાથે જો કોઈનો અધિકાર હડપી લીધો હોય, તો તેનો પૂરો હક આપવો.
૧૪- ત્રણ વખત દુઆ કરવી.
૧૫- કિબ્લા તરફ મોઢું કરવું.
૧૬- દુઆ કરતી વખતે બન્ને હાથ ઉઠાવવા.
૧૭- શક્ય હોય તો દુઆ પહેલા વઝૂ કરવું.
૧૮- દુઆમાં શરીઅતની હદ (સીમા) નું ઉલ્લંઘન ન કરવું જોઉએ.
૧૯- અન્ય માટે દુઆ કરતા પહેલા પોતાના માટે દુઆ કરવી [૭]. [૭] જવું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુઆની શરૂઆત પોતાનાથી કરતાં હતાં, અને એવું પણ સાબિત છે કે ક્યારેક દુઆ પહેલા પોતનાથી શરૂ નહતી કરી, જેમકે અનસ રઝી અલ્લાહુ અન્હુ અને ઇબ્ને અબ્બાસ અને ઉમ્મે ઈસ્માઈલ વગેરે માટે જે દુઆઓ કરી હતી તેમાં જોવા મળે છે, આ વિષે વિસ્તાર પૂર્વક જાણવા માટે જુઓ સહીહ મુસ્લિમની સમજૂતી જે ઈમામ નવવી રહિમહુલ્લાહએ કરી, ૧૫/૧૪૪, અને તોહ્ફતુલ્ અહવઝી જે સુનન અત્ તિર્મિઝીની સમજૂતી છે, ૯/૩૨૮, અને ફત્હુલ્ બારી જે સહીહ બુખારીની સમજૂતી છે, ૧/૨૮૧.
૨૦- અલ્લાહ તઆલાના પવિત્ર નામો અને ગુણો સાથે અથવા પોતાના કોઈ નેક કાર્યનો વસિલો લઈને દુઆ કરવી અથવા તો કોઈ નેક હાજર વ્યક્તિ પાસે દુઆ કરાવવી.
૨૧- (દુઆ કરનારનું) ખાવા-પીવાનું, અને કપડાં હલાલ હોય.
૨૨- કોઈ ગુનાહ અથવા સંબંધ તોડવાની દુઆ ન કરવી.
૨૩- તે નેકી નો આદેશ આપનાર અને દુષ્ટતાથી રોકનાર હોય.
૨૪- દરેક પ્રકારના ગુનાહોથી દૂર રહેવુ.
તે સમયો અને સ્થળો કે જેમાં દુઆ કબૂલ કરવામાં આવે છે[૮]: [૮] તે સમયો, સ્થિતિઓ, સ્થળો કે જેમાં દુઆ ક્બૂલ કરવામાં આવે છે તે વિશેની દલીલો જાણવા માટે જુઓ મૂળ કિતાબ, ૩/૯૭૫-૧૧૧૭.
૧- લૈલતુલ્ કદર (રમજાન મહિનાની છેલ્લી રાતો).
૨- રાતનો છેલ્લો ભાગ.
૩- ફરજ નમાઝ પછી તરત જ.
૪- અઝાન અને ઇકામતની વચ્ચેનો સમય.
૫- રાત્રીના કોઈ પણ પહોરે.
૬- અઝાનના સમયે.
૭- વરસાદ પડતી વખતે.
૮- અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરતી વખતે.
૯- જુમ્અહના દિવસે કોઈ પણ ઘડીએ.
આ વિષે કેટલાક આલિમોના મતે સૌથી સચોટ વાત એ કે તે સમય જુમ્અહના દિવસે અસર પછીનો છે અને કેટલાક આલિમોના મત પ્રમાણે તે સમય ખુત્બા અને નમાઝ દરમિયાનનો હોય છે.
૧૦- સાચી નિયત સાથે ઝમઝમનું પાણી પીતી વખતે.
૧૧- સિજદાની સ્થિતિમાં.
૧૨- જ્યારે તમે રાત્રે ઊંઘમાંથી જાગી જાઓ,ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆઓ માંગવી.
૧૩- જયારે તમે પાકી પ્રાપ્ત કરી સુઈ જાઓ, ફરી રાતના કોઈ સમયે ઉઠીને દુઆ માંગવી.
૧૪- (("લા ઇલાહ ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની કુનતુ મિનઝ ઝોલિમીન" (અર્થ: તારા સિવાય કોઈ ઇલાહ નથી તું પવિત્ર છે અને હું જ જુલમ કરવાવાળાઓ માંથી છે))) પઢતી વખતે.
૧૫- મૃત્યુ પછી લોકોની દુઆ કરવી.
૧૬- છેલ્લા તશહ્હુદમાં અલ્લાહના વખાણ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ અને સલામતી મોકલ્યા પછી દુઆ કરવી.
૧૭- અલ્લાહના ઉચ્ચ નામ સાથે જ્યારે કોઈ દુઆ માંગવામાં આવે છે તે કબૂલ કરવામાં આવે છે અને જે કંઈ પણ સવાલ કરવામાં આવે છે તે આપવામાં આવે છે [૯]. [૯] આ કિતાબની હદીષોમાં અલ્લાહનું ઉચ્ચ નામ, જુઓ હદીષ નંબર: ૨૦૩, ૧૦૪, ૧૦૫.
૧૮- એક મુસલમાનની પોતાના મુસલમાન ભાઈ માટે તેની ગેરહાજરીમાં દુઆ કરવી.
૧૯- અરફહના મૈદાનમાં, અરફહના દિવસે દુઆ કરવી.
૨૦- રમઝાનના મહિનામાં દુઆ કરવી.
૨૧- ઝિક્રની મજલિસમાં જયારે મુસલમાનો એકઠા થયા હોય, ત્યારે દુઆ કરવી.
૨૨- મુસીબતના સમયે કરવામાં આવતી આ દુઆ: (("ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલય્હિ રોજિઉન, અલ્લાહુમ્મ અજુર્ની ફી મુસીબતી, વખ્લુફ લી ખય્રન્ મિન્હા" (અર્થ: ખરેખર અમે અલ્લાહ માટે જ છે અને અમે સૌ તેની તરફ જ પાછા ફરવાના છે, હે અલ્લાહ ! અમને અમારી મુસીબતમાં અજર આપ અને તેના બદલામા સારી ભલાઈ આપ))).
૨૩- ત્યારે દુઆ માંગવી જયારે સંપૂર્ણ દિલ નિખાલસતા સાથે અલ્લાહ સમક્ષ તરફ હોય.
૨૪- પીડિત વ્યક્તિની અત્યાચારી વિરુદ્ધ કરવામાં આવતી બદ્ દુઆ.
૨૫- પિતાની પોતાના સંતાન માટે અને પુત્રની પોતાના પિતા માટે દુઆ કરવી.
૨૬- મુસાફિરની દુઆ.
૨૭- રોજેદારની દુઆ, જ્યાં સુધી તે ઇફતારી ન કરી લે.
૨૮- રોજેદારની ઇફ્તારના સમયે દુઆ કરવી.
૨૯- પરેશાન વ્યક્તિની દુઆ કરવી.
૩૦- ન્યાય કરનાર શાસકની દુઆ.
૩૧- નેક સંતાનની પોતાના પિતા માટેની દુઆ.
૩૨- વુઝૂ કર્યા પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆઓ વડે દુઆ કરવી.
૩૩- નાના જમરહ પર પથ્થર માર્યા પછી દુઆ કરવી.
૩૪- મધ્ય જમરહ પર પથ્થર માર્યા પછી દુઆ કરવી.
૩૫- કઅબહની અંદર દુઆ કરવી, અને જે પથ્થરની અંદર (હતીમમાં) નમાઝ પઢે છે તે અલ્લાહનું જ ઘર છે.
૩૬- સફા પર્વત પર દુઆ કરવી.
૩૭- મરવહ પર્વત પર દુઆ કરવી.
૩૮- મશ્અરે હરામ (હરમની પવિત્ર જગ્યાઓ) પાસે દુઆ કરવી.
અને મોમિન જ્યાં પણ હોય, તે હંમેશા પોતાના પાલનહાર સમક્ષ દુઆ કરતો રહે છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {(હે પયગંબર) જ્યારે મારા બંદાઓ તમને મારા વિશે સવાલ કરે તો (કહી દો) હું તેમની નજીક જ છું, જ્યારે કોઈ સવાલ કરવાવાળો મને સવાલ કરે તો હું તેને જવાબ આપું છું, બસ મને જ સવાલ કરો અને મારા ઉપર ઈમાન રાખો જેથી તમે હિદાયત મેળવી લો} સૂરે બકરહ, આયત નંબર: ૧૮૬, પરંતુ વર્ણવેલ સમયો, સ્થિતિઓ અને જગ્યાઓ વધુ વિશિષ્ટ છે.
કુરઆન અને હદીષ દ્વારા સાબિત દુઆઓ
દરેક પ્રકારના વખાણ તે અલ્લાહ માટે જ છે, જે એકલો છે, દરૂદ અને સલામતી, તે પયગંબર પર જેના પછી કોઈ પયગંબર નથી.
૧- ((બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ. શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે.* "અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીન" (દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે)* 'અર્ રહમાનિર્ રહીમ" ((જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે))* "માલિકિ યવ્ મિદ્દિન" (બદલાના દિવસ (કયામત) નો માલિક છે)* "ઈય્યાકનઅબુદુ વઈય્યાકનસ્ તઅીન" (અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને તારી જ પાસે મદદ માંગીએ છીએ)* "ઈહ્દિનસ્ સિરોતલ્ મુસ્તકીમ" (અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ)* "સિરોતલ્લઝીન અન્અમ્ત અલૈહિમ ગૈરિલ્ મગ્ઝુબિ અલૈહિમ વલઝ્ઝૉલીન" (તે લોકોનો માર્ગ બતાવ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે))) સૂરે ફાતિહા, આયત નંબર: ૧-૭.
૨- (("રબ્બના તકબ્બલ્ મિન્ના ઇન્નક અન્તસ્ સમીઉલ્ અલીમ" (અર્થ: હે અમારા પાલનહાર! તું અમારી પાસેથી (આ અમલ) કબૂલ કરી લે, નિઃશંક તું અત્યંત સાંભળવાવાળો અને જાણવાવાળો છે)) સૂરે બકરહ, આયત નંબર: ૧૨૭.
૩- (("વતુબ અલય્ના ઇન્નક અન્તત્ તવાબુર્ રહીમ" (અર્થ: અને અમારી તૌબા કબૂલ કર, ખરેખર તું તૌબા કબૂલ કરવાવાળો અને અત્યંત દયા કરવાવાળો છે)) સૂરે બકરહ, આયત નંબર: ૧૨૮.
૪- (("રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ્ વફિલ્ આખિરતિ હસનતવ્ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે)) સૂરે બકરહ, આયત નંબર: ૨૦૧.
૫- (("સમિઅના વઅતઅના ગુફ્રાનક રબ્બના વ ઈલૈકલ્ મસીર" (અર્થ: તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી તરફ જ પાછા ફરવાનું છે)) સૂરે બકરહ, આયત નંબર: ૨૮૫.
૬- (("રબ્બના લા તુવાખિઝ્ના ઇન્નસીના અવ્ અખ્તઅના રબ્બના વલા તહમિલ્ અલય્ના ઇસ્રન્ કમા હમલ્તહુ અલલ્ લઝીન મિન્ કબ્લિના રબ્બના વલા તુહમ્મિલ્ના માલા તોકત લના બિહી, વઅફુ અન્ના વગ્ફિર્ લના વર્ હમ્ના અન્ત મૌલાના ફન્સુર્ના અલલ્ કવ્મિલ્ કાફિરીન" (અર્થ: હે અમારા પાલનહાર! જો અમારાથી ભુલચૂક થઈ ગઈ હોય, તો તેના પર અમારી પકડ ન કરીશ, હે અમારા પાલનહાર! અમારા પર એટલો ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો, હે અમારા પાલનહાર! જે ભાર અમે ઉઠાવી શકતા ન હોય તે બહાર અમારા પર ન નાખ, અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અને કાફિરો વિરુદ્ધ અમારી મદદ કર)) સૂરે બકરહ, આયત નંબર: ૨૮૬.
૭- (("રબ્બના લા તુઝિગ્ કુલૂબના બઅદ ઇઝ્ હદય્તના વહબ્ લના મિન્ લદુન્ક રહમતન્ ઇન્નક અન્તલ્ વહ્હાબ" (અર્થ: હે અમારા પાલનહાર! અમને હિદાયત આપ્યા પછી અમારા હૃદયોને ગેરમાર્ગે ન દોરીશ અને અમને તારી પાસેથી કૃપા આપ, નિઃશંક તું જ ઘણું આપનાર છે)). સૂરે આલિ ઇમરાન, આયત નંબર: ૮.
૮-(("રબ્બના ઇન્નના આમન્ના ફગ્ફિર્ લના ઝુનૂબના વ કિના અઝાબન્ નાર" (અર્થ: હે અમારા પાલનહાર! અમે ઇમાન લાવ્યા, અમારા ગુનાહ માફ કરી દેં અને અમને આગના અઝાબથી બચાવી લે)). સૂરે આલિ ઇમરાન, આયત નંબર: ૧૬.
૯- (("રબ્બિ હબ્લી મિન્ લદુન્ક ઝુર્રિય્યતન્ તોય્યિબતન્ ઇન્નક સમીઉદ્ દુઆઅ" (અર્થ: હે મારા પાલનહાર! મને પોતાની પાસેથી પવિત્ર સંતાન આપ, નિઃશંક તું દુઆને સાંભળવાવાળો છે)) સૂરે આલિ ઇમરાન, આયત નંબર: ૩૮.
૧૦- ("(રબ્બના આમન્ના બિમા અન્ઝલ્ત વત્તબઅનર્ રસૂલ ફકતુબ્ના મઅશ્ શાહિદીન" (અર્થ: હે અમારા પાલનહાર! તે ઉતારેલી વહી પર અમે ઇમાન લાવ્યા અને અમે તારા પયગંબરનું અનુસરણ કર્યું, બસ! તું અમારું નામ સાક્ષી આપનારા લોકો સાથે લખી લે)) સૂરે આલિ ઇમરાન, આયત નંબર: ૫૩.
૧૧- (("રબ્બનગ્ફિર્ લના ઝુનૂબના વ ઇસ્રાફના ફી અમ્રિના વ ષબ્બિત્ અકદામના વન્સુર્ના અલલ્ કવ્મિલ્ કાફિરીન" (અર્થ: હે પાલનહાર! અમારા ગુનાહોને માફ કરી દેં અને અમારા કાર્યોમાં જે વધારાનો અત્યાચાર થયો છે તેને પણ માફ કરી દેં અને અમને અડગ રાખ અને કાફિરો વિરુદ્ધ અમારી મદદ કર)) સૂરે આલિ ઇમરાન, આયત નંબર: ૧૪૭.
૧૨- (("રબ્બના મા ખલક્ત હાઝા બાતિલન્, સુબ્હાનક ફકિના અઝાબન્ નાર" (અર્થ: હે અમારા પાલનહાર! તે આ બધું કારણ વગર નથી બનાવ્યું, તું પવિત્ર છે, બસ! અમને જહન્નમના અઝાબથી બચાવી લે)* "રબ્બના ઇન્નક મન્ તુદ્ખિલિન્ નાર ફકદ્ અખ્ઝયત વમા લિઝ્ઝોલિમીન મિન્ અન્સાર" (અર્થ: હે અમારા પાલનહાર! તું જેને જહન્નમમાં નાખી દે, ખરેખર તે તેને અપમાનિત કર્યો અને અત્યાચારીઓની મદદ કરનાર કોઇ નથી)* "રબ્બના ઇન્નના સમિઅના મુનાદિયય્ યુનાદી લિલ્ ઇમાનિ અન્ આમિનૂ બિરબ્બિકુમ્ ફઆમન્ના રબ્બના ફગ્ફિર્ લના ઝુનૂબના વ કફ્ફિર અન્ના સય્યિઆતિના વ તવફ્ફના મઅલ્ અબ્રાર" (અર્થ: હે અમારા પાલનહાર! અમે સાંભળ્યું કે અવાજ આપનાર મોટા અવાજે ઇમાન તરફ પોકારી રહ્યો છે કે લોકો! પોતાના પાલનહાર પર ઇમાન લાવો, બસ! અમે ઇમાન લાવ્યા, હે પાલનહાર! હવે તું અમારા ગુનાહોને માફ કરી દેં અને અમારી બુરાઇ અમારાથી દુર કરી દેં અને અમને સદાચારી લોકો સાથે મૃત્યુ આપ)* "રબ્બના વ આતિના મા વઅદ્તના અલા રુસૂલિક વલા તુખ્ઝિના યવ્મલ્ કિયામતિ ઇન્નક લા તુખ્લિફુલ્ મીઆદ" (અર્થ: હે અમારા પાલનહાર! અમને તે આપ, જેનું વચન તે અમારી સાથે પોતાના પયગંબરો વડે કર્યુ છે અને અમને કયામતના દિવસે અપમાનિત ન કર, ખરેખર તું વચન ભંગ કરનાર નથી)). સૂરે આલિ ઇમરાન આયત નંબર: ૧૯૧-૧૯૪.
૧૩- (("રબ્બના આમન્ના ફક્તુબ્ના મઅશ્શાહિદીન" (અર્થ: હે અમારા પાલનહાર ! અમે ઈમાન લાવ્યા, જેથી તું અમારું નામ ગવાહી આપનાર લોકોમાં લખી દે)) સૂરે અલ્ માઈદહ, આયત નંબર: ૮૩.
૧૪- (("રબ્બના ઝોલમ્ના અન્ફુસના વ ઇલ્લમ્ તગ્ફિર્ લના વ તર્હમ્ના લનકુનન્ન મિનલ્ ખોસિરીન" (અર્થ: હે અમારા પાલનહાર! અમે પોતે જ અમારા પર જુલમ કર્યો અને જો તું અમને માફ નહીં કરે અને અમારા પર દયા નહીં કરે, તો ખરેખર અમે નુકસાન ઉઠાવનારાઓ માંથી થઇ જઇશું)). સૂરે અલ્ અઅરાફ, આયત નંબર: ૨૩.
૧૫- (("રબ્બના લા તજઅલ્ના મઅલ્ કવ્મિઝ્ ઝોલિમીન" (અર્થ: હે અમારા પાલનહાર! અમને અત્યાચારી લોકો માંથી ન કર)). સૂરે અલ્ અઅરાફ, આયત નંબર: ૪૭.
૧૬- "અલ્લાહુમ્મ" (હે અલ્લાહ!) (("અન્ત વલિય્યુના ફગ્ફિર્ લના વર્ હમ્ના વ અન્ત ખય્-રુલ્ ગોફિરીન" (અર્થ: હે અમારા પાલનહાર! તું જ અમારો જવાબદાર છે, તું અમને માફ કર અને અમારા પર દયા કર અને તું જ સૌથી વધારે માફ કરવાવાળો છે)* "વક્તુબ્ લના ફી હાઝિહિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ" (અર્થ: અને અમારા માટે આ દુનિયામાં પણ નેકી લખી દે અને આખિરતમાં પણ)) સૂરે અલ્ અઅરાફ, આયત નંબર: ૧૫૫-૧૫૬.
૧૭- (("હસ્બિયલ્લાહુ લા ઇલાહ ઇલ્લા હુવ અલૈહિ તવક્કલ્તુ વહુવ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ" (અર્થ: મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ ઈલાહ નથી, હું તેના પર જ ભરોસો કરુ છું અને તે મહાન “અર્શ” નો માલિક છે)) સૂરે અત્ તૌબા, આયત નંબર: ૧૨૯.
૧૮- (("રબ્બના લા તજઅલ્ના ફિત્નતલ્ લિલ્ કવ્મિઝ્ ઝોલિમીન" (અર્થ: હે અમારા પાલનહાર! અમને તે અત્યાચારીઓ માટે ઉપદ્રવનું કારણ ન બનાવ)* "વ નજ્જિના બિરહમતિક મિનલ્ કવ્મિલ્ કાફિરીન" (અર્થ: અને અમને પોતાની કૃપાથી તે કાફિરોથી બચાવી લે)) સૂરે યુનુસ, આયત નંબર: ૮૫-૮૬.
૧૯- ((રબ્બિ ઇન્ની અઊઝુ બિક અન્ અસ્અ લુક મા લૈસ લી બિહિ ઈલ્મુ વ ઇલ્લા તગ્ફિર્ લી વતર્-હમ્ની અકુમ્ મિનલ્ ખોસિરીન" (અર્થ: હે મારા પાલનહાર! હું તારા શરણમાં આવુ છું, તે વાતથી કે તારી પાસે તે માંગુ, જેનું જ્ઞાન મને નથી, જો તું મને માફ નહીં કરે અને તું મારા પર દયા નહીં કરે, તો હું નુકસાન ઉઠાવનારા લોકો માંથી થઇ જઇશ)) સૂરે હૂદ, આયત નંબર: ૪૭.
૨૦- (("અલ્લાહુમ્મ યા" (હે અલ્લાહ!) (("ફાતિરસ્ સમાવાતિ વલ્ અર્ઝી અન્ત વલિય્યિ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ તવફ્ફની મુસ્લિમવ્ વઅલ્ હિક્ની બિસ્ સોલિહીન" (અર્થ:હે આકાશો અને ધરતીનું સર્જન કરનાર ! તું જ દુનિયા અને આખિરતમાં મારો દોસ્ત અને વ્યવસ્થાપક છે, તું મને ઇસ્લામની સ્થિતિમાં મૃત્યુ આપ અને સદાચારી લોકો માંથી કરી દે)) સૂરે યૂસુફ, આયત નંબર: ૧૦૧ [૧૦] [૧૦] જુઓ ઈબ્ને કૈય્યિમ રહિમહુલ્લાહની કિતાબ અલ્ ફવાઇદ, પુષ્ઠ સંખ્યા: ૪૩૬ અને ૪૩૭.
૨૧- (("રબ્બિજ્અલ્ હાઝલ્ બલદ આમિનવ્ વજ્નુબ્ની વ બનિય્ય અન્ નઅબુદલ્ અસ્નામ" (અર્થ: હે મારા પાલનહાર! આ શહેરને શાંતિમય બનાવી દે તથા મને અને મારા સંતાનને મૂર્તિપૂજાથી બચાવી લે)) સૂરે ઈબ્રાહીમ, આયત નંબર: ૩૫.
૨૨- (("રબ્બિજ્ અલ્ની મુકીમસ્ સોલાતિ વ મિન્ ઝુર્રિય્યતી રબ્બના વ તકબ્બલ્ દુઆઅ" (અર્થ: હે મારા પાલનહાર! મને નમાઝ કાયમ કરનારો બનાવ અને મારા સંતાનને પણ, હે મારા પાલનહાર! મારી દુઆ કબૂલ કર)) સૂરે ઈબ્રાહીમ, આયત નંબર: ૪૦.
૨૩- (("રબ્બનગ્ફિર્ લી વલિવાલિદય્ય વ લિલ્ મુઅમિનીન યવ્મ યકૂમલ્ હિસાબ" (અર્થ: હે મારા પાલનહાર! મને, મારા માતાપિતાને અને દરેક મોમિનોને તે દિવસે માફ કરી દે, જે દિવસે હિસાબ લેવામાં આવશે)) સૂરે ઈબ્રાહીમ, આયત નંબર: ૪૧.
૨૪- (("રબ્બના આતિના મિન્ લદુન્ક રહમતવ્ વહય્યિઅ લના મિન્ અમ્રિના રશદા" (અર્થ: હે અમારા પાલનહાર! અમને તારી પાસેથી રહેમત આપ અને આ અમારા કામમાં તું અમને માર્ગદર્શન આપ)) સૂરે અલ્ કહફ, આયત નંબર: ૧૦.
૨૫- (("રબ્બિશ્ રહલી સોદ-રી" (અર્થ: હે મારા પાલનહાર! મારું હૃદય મારા માટે ખોલી નાંખ)* "વયસ્સિર-લી અમ્રી" (અર્થ: અને મારા કાર્યને મારા માટે સરળ બનાવી દે)* "વહલુલ્ ઉક્દતમ્ મિલ્ લિસાની, યફ્કહૂ કવ્લી" (અર્થ: અને મારી જબાનની ગાંઠ ખોલી નાંખ, જેથી લોકો મારી વાત સારી રીતે સમજી શકે)) સૂરે તોહા, આયત નંબર: ૨૫-૨૮.
૨૬- (("રબ્બિ ઝિદ-ની ઇલ્મા" (અર્થ: હે મારા પાલનહાર! મારા ઇલ્મમા વધારો કર)) સૂરે તોહા, આયત નંબર: ૧૧૪.
૨૭- (("લા ઇલાહ ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની કુન્તુ મિનઝ્ ઝોલિમીન" (અર્થ: અલ્લાહ તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે, ખરેખર હું અત્યાચારી લોકો માંથી બની ગયો)) સૂરે અલ્ અન્બિયા, આયત નંબર: ૮૭.
૨૮- (("રબ્બિ લા તઝર્ની ફર્દવ્ વઅન્ત ખયરુલ્ વારિષીન" (અર્થ: હે મારા પાલનહાર! તું મને એકલો ન છોડ, ખરેખર તું સૌથી શ્રેષ્ઠ વારસદાર છે)) સૂરે અલ્ અન્બિયા, આયત નંબર: ૮૯.
૨૯- (("રબ્બિ અઊઝુ બિક મિન્ હમઝાતિશ્ શયાતીનિ" (અર્થ: હે મારા પાલનહાર ! હું શેતાનના વસવસાથી તારું શરણ ઇચ્છું છું)* "વ અઊઝુ બિક રબ્બિ અય્ યહઝુરુન" (હે પાલનહાર! અને એ વાતથી પણ હું તારી પાસે શરણ માગું છું કે તે (શેતાન) મારી પાસે આવી જાય)) સૂરે અલ્ મુઅમિનૂન, આયત નંબર: ૯૭-૯૮.
૩૦- (("રબ્બના આમન્ના ફગ્ફિર્ લના વર્ હમ્ના વ અન્ત ખય્ રુર્ રોહિમીન" (અર્થ: હે અમારા પાલનહાર! અમને માફ કરી દે, અમારા પર રહમ કર, કારણકે તું જ સૌથી શ્રેષ્ઠ દયાળુ છે)) સૂરે અલ્ મુઅમિનૂન, આયત નંબર: ૧૦૯.
૩૧-(("રબ્બિગ્ફિર્ વર્ હમ્ વ અન્ત ખય-રુર્ રોહિમીન" (અર્થ: હે મારા પાલનહાર ! તું માફ કરી, અમારા પર રહમ કર, કારણકે તું જ સૌથી શ્રેષ્ઠ રહમ કરવાવાળો છે)) સૂરે અલ્ મુઅમિનૂન, આયત નંબર: ૧૧૮.
૩૨- (("રબ્બનસ્સરિફ્ અન્ના અઝાબ જહન્નમ ઇન્ન અઝાબહા કાન ગરામા" (અર્થ: હે અમારા પાલનહાર! અમને જહન્નમના અઝાબથી બચાવીને રાખ કારણકે તેનો અઝાબ ખત્મ નહિ થાય)* "ઇન્નહા સાઅત્ મુસ્તકર્રવ્ વ મુકામા" (અર્થ: નિ:શંક તે રોકાણ અને રહેવા માટે ખૂબ જ ખરાબ જગ્યા છે)) સૂરે અલ્ ફુરકાન, આયત નંબર: ૬૫-૬૬.
૩૩- (("રબ્બના હબ્ લના મિન્ અઝ્વાજિના વ ઝુર્રિય્યાતિના કુર્રત અઅયુનિવ્ વજઅલ્ના લિલ્ મુત્તકીન ઈમામા" (અર્થ: હે અમારા પાલનહાર! તું અમને અમારી પત્ની અને સંતાન દ્વારા આંખોની ઠંડક આપ અને અમને ડરવાવાળાઓના નાયબ બનાવ)) સૂરે અલ્ ફુરકાન, આયત નંબર: ૭૪.
૩૪- (("રબ્બિ હબ્-લી હુક્મવ્ વઅલ્ હિક્ની બિસ્ સોલિહીન" (અર્થ: હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે)* "વજ્અલ્ લી લિસાન સિદ્કિન્ ફિલ્ આખિરીન" (અર્થ: અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ)* "વજ્અલ્ની મિવ્ વરષતિ જન્નતિન્ નઅીમ" (અર્થ: મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ)) સૂરે અશ્ શુઅરાઅ, આયત નંબર: ૮૩-૮૫.
૩૫- (("વલા તુખ્ઝિની યવ્મ યુબ્અષૂન" (અર્થ: અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર)* "યવ્મ લા યન્ફઉ માલુવ્ વલા બનૂન" (અર્થ: જે દિવસે ધન અને સંતાન કઇ કામ નહીં આવે)* "ઇલ્લા મન્ અતલ્લાહુ બિ કલ્બિન્ સલીમ" (અર્થ: પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે (તેને નજાત મળશે)) સૂરે અશ્ શુઅરાઅ, આયત નંબર: ૮૭-૮૯.
૩૬- (("રબ્બિ અવ્ઝિઅની અન્ અશ્કુરક નિઅમતકલ્લતી અન્ અમ્ત અલય્ય વ અલા વાલિદય્ય વ અન્ અઅમલ સોલિહન્ તર-ઝાહુ વઅદ્ ખિલ્ની બિરહમતિક ફી ઇબાદકસ્ સોલિહીન" (અર્થ: હે પરવરદિગાર! તું મને તૌફીક આપ કે હું તારી તે નેઅ્મતોનો શુકર અદા કરું, જે તે મારા પર અને મારા માતાપિતા પર ઇનામ કરી છે અને હું એવા નેક કાર્યો કરતો રહું જે તને પસંદ છે અને તું મને તારી રેહમત થી તારા મનપસંદ બંદાઓમાં શામિલ કરી દે)) સૂરે અન્ નમલ, આયત નંબર: ૧૯.
૩૭- (("રબ્બિ ઇન્ની ઝલમ્તુ નફ્સી ફગ્ફિર્ લી" (અર્થ: હે પાલનહાર! મેં પોતે મારા પર જુલમ કર્યો જેથી તું મને માફ કરી દે)) સૂરે અલ્ કસસ, આયત નંબર: ૧૬.
૩૮- (("રબ્બિ નજ્જિની મિનલ્ કવ્મિઝ્ ઝોલિમીન્" (અર્થ: હે મારા પાલનહાર! મને જાલિમ કોમથી છુટકારો આપ)) સૂરે અલ્ કસસ્, આયત નંબર: ૨૧.
૩૯- (("અસા રબ્બી અય્ યહ્દિયની સવાઅસ્ સબીલ્" (અર્થ: મને આશા છે કે મને મારો પાલનહાર સીધા માર્ગે લઇ જશે)) સૂરે અલ્ કસસ, આયત નંબર: ૨૨.
૪૦- (("રબ્બિ ઇન્ની લિમા અન્ઝલ્ત ઇલય્ય મિન્ ખય્ રિન્ ફકીર" (અર્થ: હે મારા પાલનહાર! તું જે કઇ પણ ભલાઇ મારી તરફ ઉતારે, તેનો હું મોહતાજ છું)) સૂરે અલ્ કસસ, આયત નંબર: ૨૪.
૪૧ - (("રબ્બિર્ સુર્ની અલલ્ કૌમિલ્ મુફ્સિદીન" (અર્થ: હે મારા પાલનહાર! આ વિદ્રોહી કોમ વિરુદ્ધ મારી મદદ કર)) સૂરે અલ્ અન્કબૂત, આયત નંબર: ૩૦.
૪૨- ((રબ્બિ હબ્-લી મિનસ્ સોલિહીન" (અર્થ: હે મારા પાલનહાર! મને નેક સંતાન આપ)) સૂરે અસ્ સોફફાત, આયત નંબર: ૧૦૦.
૪૩- ("(રબ્બિ અવ્ઝિઅની અન્ અશ્કુર નિઅમતકલ્લતી અન્અમત અલય્ય વ અલા વાલિદય્ય વ અન્ અઅમલ સોલિહન્ તર-ઝાહુ વ અસ્લિહ લી ફી ઝુર્રિય્યતી, ઇન્ની તુબ્તુ ઇલય્ક વ ઇન્ની મિનલ્ મુસ્લિમીન" (અર્થ: હે પાલનહાર! તું મને તૌફીક આપ કે હું તારી તે નેઅમતોનો આભાર માનું, જે તેં મારા પર અને મારા માતાપિતા પર કરી છે. અને હું એવા સત્કાર્યો કરતો રહું જેના કારણે તું રાજી થઇ જાય, અને તું મારી સંતાનને પણ પ્રામાણીક બનાવ, હું તારી તરફ જ માફી માંગુ છું અને હું મુસલમાનો માંથી છું)) સૂરે અલ્ અહકાફ, આયત નંબર: ૧૫.
૪૪- (("રબ્બનગ્ફિર્ લના વ લિઇખ્વાનિનલ્ લઝીન સબકૂના બિલ્ ઈમાનિ, વલા તજ્અલ્ ફી કુલૂબિના ગિલ્લલ્ લિલ્લઝીન આમનૂ રબ્બના ઇન્નક રઊફુર્ રહીમ" (અર્થ: હે અમારા પાલનહાર! અમને માફ કરી દે અને અમારા તે ભાઈઓને પણ જે અમારા થી પેહલા ઈમાન લાવી ચૂક્યા છે અને તે ઈમાનવાળાઓ પ્રત્યે અમારા દિલોમાં નફરત ન આપ, હે મારા પાલનહાર! નિ:શંક તું ખૂબ જ દયાળુ અને કૃપાળુ છે). સૂરે અલ્ હશ્ર, આયત નંબર: ૧૦.
૪૫- (("રબ્બના અલય્ક તવક્કલ્ના વ ઇલય્ક અનબ્ના વ ઇલય્કલ્ મસીર"(અર્થ: હે અમારા પાલનહાર! અમે તારા પર જ ભરોસો કર્યો અને અમે તારી તરફ જ રજૂઆત કરીએ છીએ અને તારી જ તરફ પાછા ફરવાનું છે)) સૂરે અલ્ મુમ્તહીનહ, આયત નંબર: ૪.
૪૬- (("રબ્બના લા તજઅલ્ના ફિતનતલ્ લિલ્લઝીન કફરુ વગ્ફિર્ લના રબ્બના ઇન્નક અન્તલ્ અઝીઝુલ્ હકીમ" (અર્થ: હે અમારા પાલનહાર! તું અમને કાફિરો માટે પરીક્ષણ ન બનાવ અને અમારા ગુનાહોને માફ કરી દે, હે મારા પાલનહાર! નિ:શંક તુ જ સંપૂર્ણ વિજયી, હિકમત વાળો છે)) સૂરે અલ્ મુમ્તહીનહ, આયત નંબર: ૫.
૪૭- (("રબ્બનગ્ફિર્-લી વલિવાલિદય્ય વલિમન્ દખલ બૈતિય મુઅમિનન્ વ લિલ્ મુઅમિનીન વલ્ મુઅમિનાત" (અર્થ:હે મારા પાલનહાર! તુ મને અને મારા માતા-પિતા અને જે ઇમાનની સ્થિતિમાં મારા ઘરમાં આવ્યા અને દરેક મોમિન પુરૂષો અને સ્ત્રીઓને માફ કરી દે)) સૂરે નુહ, આયત નંબર: ૨૮.
૪૮- (("રબ્બના અત્મિમ્ લના નૂરના વગ્ફિર્ લના ઇન્નક અલા કુલ્લિ શય્ઇન્ કદીર" (અર્થ: હે અમારા પાલનહાર! અમને સંપૂર્ણ પ્રકાશ આપ અને અમને માફ કરી દે, ખરેખર તું દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે)) સૂરે અત્ તહરીમ, આયત નંબર: ૮.
૪૯- (("અલ્લાહુમ્મહ્દિની લિમખ્તલફ ફીહિ મિનલ્ હક્કિ બિઈઝ્નિક, ઈન્નક તહ્દિ મન્ તશાઉ ઈલા સિરાતિમ્ મુસ્તકીમ" (અર્થ: હે મારા પાલનહાર! મને તે હિદાયત તરફ માર્ગદર્શન આપ જેમાં તેઓ તારી પરવાનગી વગર મતભેદ કરી રહ્યા છે, અને ખરેખર તું જેને ઈચ્છે તેને સાચો માર્ગ બતાવે છે))) [૧૧]. [૧૧] સૂરે અલ્ બકરહની આયતની સમજૂતી માંથી લીધેલ, આયત નંબર: ૨૧૩.
૫૦- (("અલ્લાહુમ્મ આતિનિલ્ હિક્મતલ્લતી મન્ ઉતીહા ફકદ્ ઉતિય ખય્રન્ કષીરન્" (અર્થ: હે અલ્લાહ! મને હિકમત આપ અને જેને હિકમત આપી દેવામાં આવી તેને ઘણી ભલાઈઓ આપવામાં આવી)) [૧૨]. [૧૨] (આ દુઆ) સૂરે અલ્ બકરહની આયત નંબર : ૨૧૩ માંથી લેવામાં આવી છે.
૫૧- (("અલ્લાહુમ્મ ષબ્બિતની બિલ્ કવ્લિષ્ ષાબિતિ ફિલ્ હયાતિત્ દુનિયા વફિલ્ આખિરતિ" (અર્થ: હે અલ્લાહ! મને દુનિયા અને આખિરતમાં (તૌહીદ) પર અડગ રેહવાની તોફીક આપ)) [૧૩]. [૧૩] આ દુઆ સૂરે ઈબ્રાહીમની આયત નંબર: ૨૭ માંથી લેવામાં આવી છે.
૫૨- (("અલ્લાહુમ્મ હબ્બબ્ ઇલૈનલ્ ઈમાન વઝય્યિન્હુ ફી કુલૂબિના, વ કર્રિહ્ ઇલૈનલ્ કુફ્ર વલ્ ફુસૂક વલ્ ઇસ્યાન વજ્અલ્ના મિનર્ રાશિદીન" (અર્થ: હે અલ્લાહ! અમને ઈમાન પ્રત્યે મોહબ્બત આપ અને તેને અમારા દિલમાં સ્થાન આપ અને કુફ્ર, વિદ્રોહ, અને અવગણના પ્રત્યે અમારા દિલોમાં નફરત આપ અને અમને માર્ગદર્શિત લોકો માંથી કરી દે)) [૧૪]. [૧૪] આ દુઆ સૂરે અલ્ હુજરાતની આયત નંબર: ૭ માંથી લેવામાં આવી છે.
૫૩- (("અલ્લાહુમ્મ કિની શુહ્હ નફ્સી વજ્અલ્ની મિનલ્ મુફ્લિહીન" (અર્થ: હે અલ્લાહ! મારા નફસને કંજુસાઈથી બચાવ અને મને સફળ લોકોમાં શામેલ કરી દે))) [૧૫]. [૧૫] આ દુઆ સૂરે અત્ તગાબુનની આયત નંબર: ૭ માંથી લેવામાં આવી છે.
૫૪- (("અલ્લાહુમ્મ આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (અર્થ: હે અલ્લાહ! અમને દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઈ આપ, અને અમને જહન્નમના અઝાબથી બચાવ)) [૧૬]. [૧૬] સહીહ બુખારી, હદીષ નંબર: ૪૫૨૨, ૬૩૮૯, સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૬૯૦.
૫૫- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ફિત્નતિન્ નારિ, વ અઝાબિન્ નારિ, વ ફિત્નતિલ્ કબ્રિ, વ અઝાબિલ્ કબ્રિ, વ શર્રિ ફિત્નતિલ્ ગિના, વ શર્રિ ફિત્નતિલ્ ફક્રિ, અલ્લાહુમ્મગ્સિલ્ કલ્બી બિમાઇષ્ ષલ્જિ વલ્ બરદિ, વ નક્કિ કલ્બી મિનલ્ ખતાયા કમા નકય્યતષ્ ષવ્બલ્ અબ્યઝ મિનદ્ દનસિ, વ બાઇદ્ બય્ની વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ કસલિ વલ્ હરમિ વલ્ મઅષમિ વલ્ મગ્રમિ" (અર્થ: હે અલ્લાહ હું તારી પનાહ માંગું છું, જહન્નમના ફિતના અને આગના અઝાબથી, કબરના ફિતના અને અઝાબથી, વિપુલતાના ફિતનાથી, ગરીબીના ફિતનાની બુરાઈથી, હે અલ્લાહ! હું મસીહ દજ્જાલના ફિતનાથી તારી પનાહ માંગું છું, હે અલ્લાહ! મારા દિલને પાણી અને બરફના કરા વડે ધોઈ નાખ અને મારા દિલને ગુનાહોથી એવી રીતે પાક કરી દે જેવી રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, અને મને ગુનાહોથી એટલો દૂર કરી દે જેટલું અંતર પૂર્વ અને પશ્ચિમ વચ્ચે છે, હે અલ્લાહ! હું આળસ, વૃદ્ધાવસ્થા અને દેવાથી તારી પનાહ માંગું છું)) [૧૭]. [૧૭] સહીહ બુખારી, હદીષ નંબર: ૮૩૨, સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૫૮૯.
૫૬- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ અજ્ઝિ, વલ્ કસલિ, વલ્ જુબ્નિ વલ્ હરમિ વલ્ બુખ્લિ, વ અઊઝુ બિક મિન્ અઝાબિલ્ કબ્રિ, વ મિન્ શર્રિ ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત્" (અર્થ: હે અલ્લાહ! હું લાચારી અને આળસથી, કાયરતા અને ખૂબ વૃદ્ધા વસ્થામા પહોંચવાથી, તેમજ કંજુસાઈથી તારી પનાહ માંગુ છું, અને હું કબરના અઝાબથી, તેમજ જીવન અમે મૃત્યુની બુરાઈથી તારી પનાહ માંગુ છું)) [૧૮]. [૧૮] સહીહ બુખારી, હદીષ નંબર: ૨૮૨૩, સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૩૬.
૫૭- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ જહ્દિલ્ બલાઇ, વ દરકિશ્ શકાઇ, વ સૂઈલ્ કઝાઇ, વ શમાતતિલ્ અઅદાઅ" (અર્થ: હે અલ્લાહ! હું સખત મુસીબતથી, આફતોના ઘેરી લેવાથી, ખરાબ તકદીરથી અને દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું)) [૧૯]. [૧૯] સહીહ બુખારી, હદીષ નંબર: ૬૩૪૭, સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૦૭. સહીહ મુસ્લિમના શબ્દો આ પ્રમાણે છે: ((નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સખત મુસીબતથી, આફતોના ઘેરી લેવાથી, તકદીરના ખરાબ નિર્યણથી અને દુશ્મનોના હસવાથી પનાહ માંગતા હતા)).
૫૮- (("અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન" (અર્થ: હે અલ્લાહ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે, તું મારી દુનિયા પણ સુધારી દે, જેમાં મારી રોજી છે, તું મારી આખિરતને સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે, તું મારા જીવનને દરેક ભલાઈ અને નેકીમાં વધારાનું કારણ બનાવી દે, અને મૃત્યુને દરેક બુરાઈથી બચાવી રાહત માટેનો સ્ત્રોત બનાવી દે)) [૨૦]. [૨૦] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૨૦.
૫૯- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વત્ તુકા, વલ્ અફાફ વલ્ ગિના" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત, તકવા, પવિત્રતા અને બેનિયાજીનો સવાલ કરું છું)) [૨૧]. [૨૦] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૨૧.
૬૦- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ અજ્ઝિ વલ્ કસલિ, વલ્ જુબ્નિ વલ્ બુખ્લિ, વલ્ હરમિ વ અઝાબિલ્ કબ્રિ, અલ્લહુમ્મ આતિ નફ્સી તકવાહા, વ ઝક્કિહા અન્ત ખય્રુ મન્ ઝક્કાહા, અન્ત વલિય્યુહા વ મવ્લાહા, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઅ, વ મિન્ કલ્બિન્ લા યખ્શઅ, વ મિન્ નફસિન્ લા તશ્બઅ, વ મિન્ દઅવતિન્ લા યુસ્તજાબુ લહા" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે લાચારી, આળસ, કાયરતા અને વૃદ્ધાવસ્થા (એવી વૃદ્ધાવસ્થાથી કે જેમાં બુદ્ધિ મંદ પડી જાય અને ઇબાદત કરવી શક્ય ન હોય) એવી જ રીતે કંજુસાઈથી તેમજ કબરના અઝાબ પનાહ માંગું છું, હે અલ્લાહ! તું મારા નફ્સને તકવો આપ અને તેને પવિત્ર કરી દે કારણકે તું સૌથી શ્રેષ્ઠ પાક કરવાવાળો અને તું જ તેની દેખરેખ કરનાર અને તેનો માલિક છે, હે અલ્લાહ! હું એવા ઈલ્મથી, જે કોઈ ફાયદો ન પહોંચાડે, એવા દિલથી, જેમાં તારો ડર ન હોય, એવા નફસથી, જે સંતુષ્ટ ન પામે એવી દુઆથી જે કબૂલ કરવામાં ન આવે, એનાથી પનાહ માંગું છું)) [૨૨]. [૨૨] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૨૨.
૬૧- (("અલ્લાહુમ્મહ્ દિની વસદ્દિદની, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વસ્ સદાદ્" (અર્થ: હે અલ્લાહ! મને હિદાયત આપ અને સીધો માર્ગ બતાવ, હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત અને સત્ય માર્ગનો સવાલ કરું છું)) [૨૩]. [૨૩] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૨૫.
૬૨- (("અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક" (અર્થ: હે અલ્લાહ! હું તારી આપેલ નેઅમતો જે ખત્મ થઈ જાય, એવી તંદુરસ્તી જે બીમારિમાં ફેરવાઈ જાય, અચાનક આવનારી મુસીબત અને તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગું છું)) [૨૪]. [૨૪] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૩૯.
૬૩- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ શર્રિ મા અમિલ્તુ વ મિન્ શર્રિ મા લમ્ અઅમલ" (અર્થ: હે અલ્લાહ! હું તે બુરાઈથી જે મેં કરી અને તે બુરાઇથી જે મેં નથી કરી, તે બન્નેથી હું તારી પનાહ માંગું છું)) [૨૫] [૨૫] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૧૬.
૬૪- (("અલ્લાહુમ્મ અકષિર્ માલી, વવલદી, વબારિક્ લી ફીમા અઅતય્તની" (અર્થ: હે અલ્લાહ ! મારા માલ, મારી સંતાનમાં વધારો કર અને મને આપેલ નેઅમતોમાં બરકત આપ)) [૨૬], ((["વઅતિલ્ હયાતી અલા તાઅતિક વઅહ્સિન્ અમલી" (અર્થ: અને મારા જીવનને તારા અનુસરણ કરવામાં વધારી દે અને મારા કાર્યને શ્રેષ્ટ બનાવ,] "વગ્ફિર્ લી" (અર્થ: અને મને માફ કરી દે)) [૨૭]. [૨૬] નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અનસ રઝી અલ્લાહુ અન્હુ માટે જે દુઆ કરી હતી તે આ દુઆનો પુરાવો છે: (("અલ્લાહુમ્મ અકષિર્ માલિહિ, વવલદિહિ, વબારિક્ લહુ ફીમા અઅતય્તહુ" (અર્થ: હે અલ્લાહ! (અનસ) ના માલ, સંતાનમાં વધારો કર અને જે તે તેને આપી રાખ્યું છે તેમાં બરકત આપ)) સહીહ બુખારી: હદીષ નંબર: ૧૯૮૨, સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૬૬૦. [૨૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અદબુલ્ મુફ્રદમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૫૩, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલસિલતુલ્ અહાદિષુસ્ સહીહાહમાં સહીહ કહી છે, હદીષ નંબર: ૨૨૪૧, અને અદબુલ્ મુફ્રદ" માં પણ, પેજ નંબર: ૨૪૪, અને કૌંસની વચ્ચે જે દુઆનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે વાતની પુષ્ટિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાતથી થાય છે કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું: લોકો માંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((તે જેની ઉંમર લાંબી હોય અને તેના કર્યો સારા હોય)), તિર્મિઝી, હદીષ નંબર: ૨૩૨૯, મુસ્નદ અહમદ: હદીષ નંબર: ૧૭૭૧૬, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૨/૨૭૧, અને જ્યારે મેં અમારા શૈખ ઇબ્ને બાઝ રહિમહુલ્લાહને આ દુઆ વિષે સવાલ કર્યો કે શું આ દુઆ કરવી સુન્નત છે? તો તેમણે કહ્યું: ((હાં)).
૬૪- (("લા ઇલાહ ઇલ્લલ્લાહુલ્ અઝીમુલ્ હલીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતિ, વ રબ્બુલ્ અર્ઝિ વ રબ્બુલ્ અર્શિલ્ કરીમ" (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી તે મહાન અને ધેર્યવાન છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી તે જ મહાન અર્શનો પાલનહાર છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે જ આકાશો અને ધરતીનો પાલનહાર છે અને મહાન અર્શનો રબ છે))[૨૮]. [૨૮] સહીહ બુખારી, હદીષ નંબર: ૬૩૪૫, સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૩૦.
૬૬- (("અલ્લાહુમ્મ રહ્મતક અરજુ ફલા તકિલની ઇલા નફસી તરફત અયનિન વઅસ્લિહ લી શઅની કુલ્લહુ, લા ઇલાહ ઇલ્લા અન્ત" (અર્થ: હે અલ્લાહ! હું તારી રહેમતની આશા રાખું છું, બસ તું મને આંખની પલક જપક બરાબર પણ મને મારા નફસના હવાલે ન કરીશ, મારા દરેક કાર્યોને મારા માટે ઠીક કરી દે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી)) [૨૯]. [૨૯] અબૂ દાવૂદ, હદીષ નંબર : ૫૦૯૦, અહમદ, ૫/૪૨, આ હદીષને અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અબી દાવૂદમાં હસન કહી છે, ૩/૨૫૦, અને સહીહ અદબુલ્ મુફ્રદ, ૨૬૦, અને અલ્લામા ઇબ્ને બાઝ રહિમહુલ્લાહએ "તોહ્ફતુલ્ અખ્બારમાં" આ હદીષની સનદને હસન કહી છે, પેજ નંબર: ૨૪.
૬૭- (("લા ઇલાહ ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની કુન્તુ મિનઝ્ ઝોલિમીન" (અર્થ: અલ્લાહ તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે, ખરેખર હું અત્યાચારી લોકો માંથી બની ગયો)) [૩૦]. [૩૦] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૦૫, હાકીમ, અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહ આ હદીષથી સહમત છે અને સહીહ કહી છે, આ હદીષને અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૩/૧૬૮, તેના શબ્દો આ છે: ((ઝુન્ નૂન (યૂનૂસ) એ દુઆ કરી જયારે તેઓ માછલીના પેટમાં હતા: ((ખરેખર તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે. નિ:શંક હું જ જાલિમ છું)), [સૂરે અન્બિયા, આયત નંબર: ૮૭], જયારે પણ કોઈ મુસલમાન આ શબ્દો વડે દુઆ કરે છે તો તેની દુઆ કબૂલ કરવામાં આવે છે)).
૬૮- (("અલ્લાહુમ્મ ઇન્ની અબ્દુક્, ઇબ્નુ અબ્દિક્, ઇબ્નુ અમતિક્, નાસિયતિ બિયદિક્, માઝિન્ ફિય્ય હુક્મુક્, અદ્લુન્ ફિય્ય કઝાઉક્, અસ્અલુક બિકુલ્લિ ઇસ્મિન્ હુવ લક સમ્મય્ત બિહિ નફ્સક્, અવ્ અલ્લમ્તહુ અહદન્ મિન્ ખલ્કિક્, અવ્ અન્ઝલ્તહુ ફી કિતાબિક્, અવિસ્તઅષર્ત બિહિ ફી ઇલ્મિલ્ ગય્બિ ઇન્દક્, અન્ તજ્અલલ્ કુરઆન રબીઅ કલ્બી, વ નૂર સદ્-રી , વ જિલાઅ હુઝ્ની, વ ઝહાબ હમ્મી" (અર્થ: હે અલ્લાહ! હું તારો બંદો છું, તારા બંદા અને તારી બંદીનો દીકરો છું, મારું કપાળ તારા જ હાથમાં છે, મારા પર તારો જ આદેશ ચાલે છે, મારા વિશે તારો નિર્ણય ન્યાય પૂર્વક છે, હું તારી પાસે તારા તે જ નામ દ્વારા દુઆ કરું છું, જે તે પોતે તારા માટે નક્કી કર્યા છે, અથવા પોતાનાં સર્જનીઓ માંથી જેને તે નામ શીખવાડ્યા છે, અથવા પોતાની કિતાબમાં ઉતાર્યા છે, અથવા પોતાની પાસે ગૈબના ઈલ્મમાં સુરક્ષિત રાખ્યા છે, કે તું કુરઆન મજીદને મારા દિલની ખુશી અને દિલનું નૂર બનાવી દે, મારા માટે કુરઆન મજીદને દુ:ખ માટે વિશાળતાનું કારણ તેમજ પરેશાનીઓ માટે દૂરીનું કારણ બનાવી દે)) [૩૧]. [૩૧] મુસ્નદ અહમદ, ૧/૩૯૧, હાકિમ, ૧/૫૦૯, હાફિઝ (ઈમામ નવવી રહિમહુલ્લાહ) અલ્ અઝકારની તખ્રીજ (પુષ્ટિ) માં હસન દરજ્જાની કહી છે, અને અલ્ કલીમુત્ તય્યીબમાં ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ દુઆને સહીહ દરજ્જાની કહી છે. પેજ નબર: ૭૩.
૬૯- ((અલ્લાહુમ્મ મુસર્રિફલ્ કુલૂબ્ સર્રિફ કુલૂબના અલા તાઅતિક્" (અર્થ: હે અલ્લાહ! દિલોને ફેરનાર! અમારા દિલોને તારા અનુસરણ તરફ ફેરવી દે)) [૩૨]. [૩૨] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૬૫૪.
૭૦- (("યા મુકલ્લિબલ્ કુલૂબિ, ષબ્બિત્ કલ્બી અલા દીનિક્" (અર્થ: હે અલ્લાહ ! દિલોને ઉલટ ફેર કરનાર! મારા દિલને તારા દિન પર અડગ રાખ)) [૩૩]. [૩૩] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૨૨, અહમદ, ૪/૧૮૨ હાકીમ, ૧/૫૨૫, અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહ આ હદીષથી સહમત છે અને સહીહ કહી છે, આ હદીષને અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહુલ્ જામિઅમાં સહીહ કહી છે, ૬/૩૦૯, અને સહીહ અત્ તિર્મિઝી, ૩/૧૭૧. અને ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: ((નબી -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ- આ દુઆ વધુ કરતા હતા)).
૭૧- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયત ફીદ્ દુનિયા વલ્ આખિરતિ" (અર્થ: હે અલ્લાહ! હું દુનિયા અને આખિરતમા તારી પાસે આફિયતનો સવાલ કરું છું)) [૩૪]. [૩૪] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૧૪,એવી જ રીતે ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અદબુલ્ મુફ્રદમાં રિવાયત છે, હદીષ નંબર: ૭૨૬, અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહના શબ્દો આ પ્રમાણે છે: ((અલ્લાહ પાસે દુનિયા અને આખિરતની આફિયત (તંદુરસ્તી) નો સવાલ કરો)) અને બીજા શબ્દો ((અલ્લાહ પાસે દરગુઝર અને આફિયતનો સવાલ કરો કારણકે યકીન પછી આફિયત (તંદુરસ્તી) થી શ્રેષ્ઠ વસ્તુ કોઈ નથી)) આ હદીષને અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ ઇબ્ને માજહમાં સહીહ કહી છે, ૩/૧૮૫, ૩/૧૭૦, અને આ હદીષના પુરાવા જુઓ: મુસ્નદ અહમદ જેનું સુદ્ધીકરણ અહમદ શાકિરએ કર્યું છે, ૧/૧૫૬-૧૫૭.
૭૨- (("અલ્લાહુમ્મ અહસિન્ આકિબતના ફિલ્ ઉમૂરિ કુલ્લિહા, વ અજિર્ના મિન્ ખિઝ્યિદ્ દુનિયા, વ અઝાબિલ્ આખિરતિ" (અર્થ: હે અલ્લાહ! દરેક કાર્યોમાં તું મારું પરિણામ સારું કરી દે, અને અમને દુનિયાનાં અપમાન અને આખિરતના અઝાબથી સુરક્ષિત રાખ)) [૩૫]. [૩૫] મુસ્નદ અહમદ,૪/૧૮૧, તબ્રાની ફીલ કબીર, ૨/૩૩, ૧૧૬૭ અને દુઆના બાબમાં, હદીષ નંબર: ૧૪૩૬, ઇબ્ને હિબ્બાન, હદીષ નંબર: ૨૪૨૪, ૨૪૨૫, હાફિઝ અલ્ હૈષમી રહિમહુલ્લાહએ મજ્મઉઝ્ ઝવાઈદમાં કહ્યું: ((ઈમામ અહમદ અને ઈમામ તબ્રાનીની સનદ ષિકા છે)), ૧૦/૧૭૮.
૭૩- (("રબ્બિ અઇન્ની વલા તુઇન્ અલય્ય, વન્સુર્ની વલા તન્સુર્ અલય્ય, વમ્ કુર્ લી, વલા તમ્કુર્ અલય્ય, વહ્દિની, વયસ્સિરિલ્ હુદા ઇલય્ય, વન્સુર્ની અલા મન્ બગા અલય્ય, રબ્બિજ્ અલ્ની લક શક્કારન્, લક ઝક્કારન્, લક રહ્હાબન્, લક મિત્વાઅન્, ઇલય્ક મુખ્બિતન્, અવ્વાહન્ મુનીબન્, રબ્બિ તકબ્બલ્ તવ્બતી, વગ્સિલ્ હવ્બતી, વ અજિબ્ દઅવતી, વ ષબ્બિત હુજ્જતી, વહ્દિ કલ્બી, વસદ્દિદ્ લિસાની, વસ્લુલ્ સખીમત કલ્બી" (અર્થ: હે મારા પાલનહાર ! મારી મદદ કર, મારા વિરુદ્ધ કોઈની મદદ ન કર, મને તારું સમર્થન આપ, મારા વિરુદ્ધ કોઈને સમર્થન ન આપ, જે હિદાયત તે મારા માટે નક્કી કરી હોય તેને સરળતાપૂર્વક તું મારા સુધી પહોચાડી દે, તું મારી મદદ કર અને જે વ્યક્તિ મારા પર અત્યાચાર કરવા ઈચ્છતો હોય તું તેની મદદ ન કર, હે અલ્લાહ તું મને તારો આભારી, ઝિકર કરવાવાળો, તારાથી ડરવાવાળો, તારું અનુસરણ કરનાર, તારી તરફ ઝુક્નાર બંદો બનાવ, હે અલ્લાહ! મારી તૌબા કબુલ કર, મારા ગુનાહ માફ કરી દે, મારી દુઆ કબુલ કર, મારી દલીલ મજબૂત કર, મારા દિલને સત્ય માર્ગ બતાવ, મારી જબાન સારી કર અને મારા દિલથી ગંદકી દુર કરી દે)) [૩૬]. [૩૬] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ "અદબુલ્ મુફ્રદ" માં રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૬૪,૬૬૫, અબૂ દાવૂદ, હદીષ નંબર: ૧૫૧૦, ૧૫૧૧, તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૫૧, ઇબ્ને માજહ, હદીષ નંબર: ૩૮૩૦, મુસ્નદ અહમદ, ૧/૧૨૭, હાકીમ રહિમહુલ્લાહ અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહ સહમત છે, ૧/૫૧૯, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અબૂ દાવૂદમાં સહીહ કહી છે, ૧/૪૧૪, અને સહીહ તિર્મિઝી, ૩/૧૭૮.
૭૪- (("અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિનલ્ ખૈરિ મા સઅલક મિન્હુ વનબિય્યુક મુહમ્મદ -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ-, વનઅઊઝુ બિક મિન્ શર્રિ મસ્ તઆઝ મિન્હુ વનબિય્યુક -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ-, વ અન્તલ્ મુસ્તઆનુ, વ અલૈકલ્ બલાગુ, વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ" (અર્થ: હે અલ્લાહ! અમે તારી પાસે તે દરેક ભલાઈનો સવાલ કરીએ છીએ, જે ભલાઈ તારા નબી મુહમ્મદ -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ- એ માંગી હોય, અને તે દરેક વસ્તુથી પનાહ માગીએ છીએ જેનાથી તારા પયગંબર -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ- એ પનાહ માગી, તું જ મદદ કરનાર છે અને તું જ પહોચાડનાર છે, અને હું ગુનાહોથી બચવાની તાકાત નથી ધરાવતો તેમજ ન તો નેકી કરવાની તાકાત ધરાવું છું પરતું જો એ કે અલ્લાહ ચાહે તો હું બચી શકું છું અને અલ્લાહ ઈચ્છે તો જ હું નેકી કરી શકું છું)) [૩૭]. [૩૭] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૨૧, ઈબ્ને માજહ, હદીષ નંબર:૩૮૪૬, ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ કહ્યું: ((આ હદીષ હસન ગરીબ છે)), અને ઈમામ અલબાની રહિમહુલ્લાહએ ઝઈફ તિર્મિઝીમાં ઝઇફ કહી છે, પેજ નંબર: ૩૮૭.
૭૫- ((અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ શર્રિ સમ્ઇ, વ મિન્ શર્રિ બસરી, વ મિન્ શર્રિ લિસાની, વ મિન્ શર્રિ કલ્બી, વ મિન્ શર્રિ મનિય્યી" (અર્થ: હે અલ્લાહ! હું તારી પનાહ માગું છું, પોતાના કાનની બુરાઈથી, પોતાની આંખોની બુરાઈથી, પોતાની જબાનની બુરાઈથી, પોતાના દિલની બુરાઈથી, અને પોતાના ગુપ્તાંગની બુરાઈથી)) [૩૮]. [૩૮] અબૂ દાવૂદ, હદીષ નંબર: ૧૫૫૧, તિર્મિઝી, હદીષ નંબર: ૩૪૯૨, નસાઈ, હદીષ નંબર: ૫૪૭૦, વગેરે, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૩/૧૬૬, સહીહ નસાઈ, ૩/૧૧૦૮.
૭૬- ((અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ બરસિ, વલ્ જુનૂનિ, વલ્ જુઝામિ, વ મિન્ સય્યિઇલ્ અસ્કામિ" (અર્થ: હે અલ્લાહ! હું કોઢી, પાગલપણું, જુઝામ અને દરેક પ્રકારની મોટી મોટી સખત બીમારીઓથી તારી પનાહ માગું છું))) [૩૯]. [૩૯] અબૂ દાવૂદ, હદીષ નંબર: ૧૫૫૪, નસાઈ, હદીષ નંબર: ૫૪૯૩, મુસ્નદ અહમદ, ૩/૧૯૨, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ નસાઈમાં સહીહ કહી છે, ૩/૧૧૧૬, સહીહ તિર્મિઝી, ૩/૧૮૪.
૭૭- ((અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ મુન્કરાતિલ્ અખ્લાકિ વલ્ અઅમાલિ વલ્ અહવાઇ" (અર્થ: હે અલ્લ્લાહ! હું ખરાબ અખલાકથી, ખરાબ કાર્યોથી અને ખરાબ ઈચ્છાઓથી તારી પનાહ માગું છું)) [૪૦]. [૪૦] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૯૧, ઇબ્ને હિબ્બાન, હદીષ નંબર:૨૪૨૨, હાકિમ, ૧/૫૩૨, તબ્રાની ફિલ્ કબીર, ૧૯/૧૯/૩૬, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૩/૧૮૪.
૭૮- (("અલ્લાહુમ્મ ઇન્નક અફુવ્વુન્ કરીમુન્, તુહિબ્બુલ્ અફ્વ, ફઅફુ અન્ની" (અર્થ: હે અલ્લાહ! ખરેખર તું માફ કરવાવાળો, પ્રતિષ્ઠિત છે અને માફીને પસંદ કરે છે, બસ! તું મને માફ કરી દે)) [૪૧]. [૪૧] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૧૩, નસાઈ ફિલ્ કબીર, હદીષ નંબર: ૭૭૧૨, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૩/૧૭૦.
૭૯- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક ફિઅલલ્ ખૈ-રોત, વ તર્કલ્ મુન્કરાત, વ હુબ્બલ્ મસાકીન્, વ અન્ તગ્ફિર લી, વ તર્હમની, વઇઝા અરદ્ત ફિત્નતન્ ફી કવ્મિન્ ફતવફ્ફની ગૈર મફ્તૂનિન, વઅસ્અલુક હુબ્બક, વ હુબ્બ મય્યુહિબ્બુક્, વ હુબ્બ અમલિન્ યુકર્રિબુની ઇલા હુબ્બક્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે નેકીઓ કરવા, બુરાઈઓ છોડવા અને લાચારો સાથે મોહબ્બત કરવાની તોફીક માગું છું, અને હું તારી પાસે (સવાલ કરું છું) કે તું મને માફ કરી દે, અને મારા પર તું પોતાની રહેમત ઉતાર, જ્યારે તું કોઈ કોમને કોઈ ફિતના દ્વારા કસોટી કરવા ઈચ્છે, તો તું મને ફિતનાથી કસોટી કર્યા વગર જ મૃત્યુ આપી દે, હું તારી પાસે તારી મુહબ્બત, તેમજ તે દરેક વ્યક્તિની મોહબ્બત, જે તારાથી મોહબ્બત કરે અને તે દરેક અમલ કરવાની તોફીક માગું છું, જે તારી મોહબ્બતની નજીક કરી દે)) [૪૨]. [૪૨] ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પોતાના શબ્દો સાથે આ હદીષ રિવાયત કરી છે, ૫/૨૪૩, અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ પણ આજ પ્રમાણે હદીષ રિવાયત કારી છે, અને હસન કહી, કહ્યું: મેં આ હદીષ વિશે મુહમ્મદ બિન ઈસ્માઈલ -અર્થાત્ બુખારી રહિમહુલ્લાહ- ને પૂછ્યું, તો તેમણે કહ્યું: ((આ હદીષ હસન સહીહ છે)) અને હદીષના છેલ્લા શબ્દો છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((આ સાચે જ છે અને શીખો અને શીખવાડો)) હાકિમ, ૧/૫૨૧, અને ઈમામ અલબાની રહી. એ સહીહ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૩/૩૧૮.
૮૦- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ: આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ મા સઅલક અબ્દુક્ વનબિય્યુક, વઅઊઝુ બિક મિન્ શર્રિ [મસ્ તઆઝ બિક] [મિન્હુ] અબ્દુક્ વનબિય્યુક્, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નહ્, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅઊઝુ બિક મિનન્ નાર, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅસ્અલુક અન્ તજ્અલ કુલ્લ કઝાઇન્ કઝઇતુહુ લી ખૈરન્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે સંપૂર્ણ ભલાઈ માગું છું, જે મને નજીકમાં અને ભવિષ્યમાં મળશે, જે મને ખબર હોય અને જે મને ખબર ન હોય તે પણ, હે અલ્લાહ! હું તારી પાસે દરેક બુરાઈથી પનાહ માગું છું, જે નજીકમાં આવશે કે ભવિષ્યમાં, જે મને ખબર હોય અથવા જેને હું ન જાણતો હોય, હે અલ્લાહ ! હું તારી પાસે તે ભલાઈ માંગુ છું, જે તારા બંદા અને તારા નબીએ તારી પાસે માંગી હતી, અને હું તે વસ્તુથી પનાહ માગું છું, જેને તારા બંદા અને તારા નબીએ પનાહ માંગી હોય, હે અલ્લાહ ! હું તારી પાસે જન્નતનો સવાલ કરું છું, અને તે દરેક વાત તેમજ અમલનો પણ સવાલ કરું છું, જે મને જન્નતથી નજીક કરી દે, અને હું તારી પાસે જહન્નમથી પનાહ માગું છું અને તે દરેક વાત તેમજ અમલથી પણ પનાહ માગું છું, જે મને જહન્નમથી નજીક કરી દે, અને હું તારી પાસે સવાલ કરું છું, તે દરેક નિર્ણય જે તે મારા માટે કર્યો છે, તેને શ્રેષ્ઠ કરી દે)) [૪૩]. [૪૩] ઇબ્ને માજહ, હદીષ નંબર; ૩૮૪૬, અને તેના શબ્દો, મુસ્નદ અહમદ, ૬/૧૩૪, અને બીજા તેના પણ વધુ શબ્દો, અને ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ સહીહ કહી છે અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહ સહમત છે, ૧/૫૨૧, અને તેમના વધારેલા શબ્દો વધુ સારા છે, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ ઇબ્ને માજહમાં સહી કહી છે, ૨/૩૨૭.
૮૧- (("અલ્લાહુમ્મહ્-ફઝ્ની બિલ્ ઇસ્લામિ કાઇમન્, વહ્ફઝની બિલ્ ઇસ્લામિ કાઇદન્, વહ્ફઝની બિલ્ ઇસ્લામિ રાકિદન્, વલા તુશ્મિત બી અદુવ્વન્ વલા હાસિદન્, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિન્ કુલ્લિ ખય્રિ ખઝાઇનુહુ બિયદિક્, વઅઊઝુ બિક મિન્ કુલ્લિ શર્રિ ખઝાઇનુહુ બિયદિક્" (અર્થ: હે અલ્લાહ! ઉભા રહેવાની સ્થિતિમાં, બેસવાની સ્થિતિમાં અને સૂવાની સ્થિતિમાં ઇસ્લામ બાબતે તું મારી સુરક્ષા કર અને મારી તકલીફથી મારા પ્રત્યે દ્વેષ રાખનાર અને દુશ્મનને ખુશ ન કરીશ, હે અલ્લાહ! હું તે દરેક ભલાઈનો સવાલ કરું છું, જેનો ખજાનો તારા હાથમાં છે અને તારી પનાહમા આવું છું તે દરેક બુરાઈથી, જેના ખજાના તારી પાસે છે)) [૪૪]. [૪૪] હાકિમ, ૧/૫૨૫, અને સહીહ કહી છે અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહ સહમત છે અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહુલ્ જામીઅમાં હસન કહી છે, ૨/૩૯૮, અને સિલ્સિલતુ અહાદિસુસ્ સહીહાહ, ૪/૫૪, હદીષ નંબર: ૧૫૪૦.
૮૨- (("અલ્લાહુમ્મ અક્સિમ્ લના મિન્ ખશ્યતિક મા યહૂલુ બય્નના વ બય્ન મઆસીક, વ મિન્ તાઅતિક મા તુબલ્લિગુના બિહિ જન્નતક, વ મિનલ્ યકીનિ મા તુહવ્વિનુ અલય્ના મસાઇબદ્ દુનિયા, અલ્લાહુમ્મ મત્તિઅના બિઅસ્માઇના, વ અબ્સારિના, વ કુવ્વતિના મા અહય્યતના, વજ્અલ્હુલ્ વારિષ મિન્ના, વજ્અલ્ ષઅરના અલા મન્ ઝલમના, વન્સુર્ના અલા મન્ આદાના, વલા તજ્અલ્ મુસીબતના ફી દીનિના, વલા તજ્અલિદ્ દુનિયા અક્બર હમ્મિના, વલા મબ્લગ ઇલ્મિના, વલા તુસલ્લિત્ અલય્ના મલ્લા યર્હમુના" (અર્થ: હે અલ્લાહ! અમારી વચ્ચે તું પોતાનો એટલો ડર વહેંચી દે, જે અમારી અને અમારા ગુનાહ વચ્ચે અવરોધ બની જાય અને અમારી વચ્ચે પોતાના અનુસરણ તેમજ આજ્ઞાનો એટલો જઝબો ફેલાવી દે, જે અમને તારી જન્નત સુધી પહોંચાડી દે અને અમને એટલું યકીન આપ, જેના આધારે દુનિયાની તકલીફો તુચ્છ અને સરળ બની જાય, હે અલ્લાહ! તું જ્યાં સુધી અમને જીવિત રાખે, અમારી આંખો, અમારા કાન અને અમારી શક્તિ વડે ફાયદો ઉઠાવવાની તૌફીક આપ અને તે સૌને અમારા મૃત્યુ સુધી બાકી રાખ અને જે અમારા પર ઝુલ્મ તેમજ અત્યાચાર કરે તો તું તેમનાથી કિસાસ (બદલો) લે અને જે અમારી સાથે દુશ્મની કરે તેના વિરુદ્ધ અમારી મદદ કર, અને દુનિયાને અમારા માટે ખરાબ મકસદ ન બનાવીશ, અને ન તો અમારા ઇલ્મનો મકસદ ફક્ત દુનિયા બનાવ કે (અમારું બધું જ શીખવું, શિખાડવું દુનિયા માટે હોય) અને અમારા પર કોઈ એવા વ્યક્તિને જવાબદાર ન બનાવ, જે અમારા પર રહમ ન કરે)) [૪૫]. [૪૫] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૦૨, હાકિમ રહિમહુલ્લાહએ સહીહ કહી છે, ૧/૫૨૮, અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહ સહમતી આપી છે, ઈબ્નુસ્ સુન્ની, હદીષ નંબર: ૪૪૬, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં હસન કહી છે,૩/૧૬૮, અને સહીહુલ્ જામિઅ: ૧/૪૦૦.
૮૩- ((અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ જુબ્નિ, વ અઊઝુ બિક મિનલ્ બુખ્લિ, વ અઊઝુ બિક અન્ ઉરદ્દ્ ઇલા અર્ઝલિલ્ ઉમુરિ, વ અઊઝુ બિક મિન્ ફિત્નતિદ્ દુનિયા વ અઝાબિલ્ કબ્રિ" (અર્થ: હે અલ્લાહ! હું કાયરતાથી તારી પનાહ માગું છું, કંજુસાઈથી તારી પનાહ માગું છું, અને હું વૃદ્ધાવસ્થાના સૌથી ખરાબ સમયથી તારી પનાહ માગું છું, અને હું તારી પાસે દુનિયાના ફિતનાથી પનાહ માગું છું અને કબરના અઝાબથી તારી પનાહ માગું છું)) [૪૬]. [૪૬] સહીહ બુખારી, હદીષ નંબર: ૨૮૨૨.
૮૪- (("અલ્લાહુમ્મગ્ફિર્ લી ખતિઅતી, વ જહ્-લી , વ ઇસ્-રાફી અમ્-રી , વમા અન્ત અઅ્લમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મ ઇગ્-ફિર્ લી જિદ્-દી, વ હઝ્-લી, વ ખતઇ, વ અમ્દી, વ કુલ્લુ ઝાલિક ઇન્દી" (અર્થ: હે અલ્લાહ! તું મારા ગુનાહોને માફ કરી દે, મારી અજ્ઞાનતા અને મારા તરફથી થતી લાપરવાહી પણ માફ કરી દે, અને તે પણ માફ કરી દે, જે તું મારા કરતા વધારે જાણે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહ માફ કરી દે, જે મેં જાણતા હોવા છતાં કર્યા હોય અથવા અજાણતામાં કર્યા હોય, અથવા મજાકમાં કર્યા હોય અને તે દરેક ગુનાહ, જે મારા નામએ અઅમાલમાં લખેલા હોય)) [૪૭]. [૪૭] મુત્તફકુન અલૈહ: સહીહ બુખારી, હદીષ નંબર: ૬૩૯૮, સહીહ મુસ્લિમ: ૨૭૧૯.
૮૫- (("અલ્લાહુમ્મ ઇન્ની ઝલમ્-તુ નફ્સી ઝુલ્મન્ કષીરન્, વલા યગ્ફિરુઝ્ ઝુનૂબ ઇલ્લા અન્ત, ફગ્ફિર્ લી મગ્ફિરતન્ મિન્ ઇન્દિક્, વર્હમની, ઇન્નક અન્તલ્ ગફુરુર્ રહીમ" (અર્થ: હે અલ્લાહ! મેં મારા પર ઘણો અત્યાચાર કર્યો છે, અને તારા સિવાય કોઈ ગુનાહ માફ કરી શકતું નથી, તું મારા ગુનાહ માફ કરી દે અને મારા પર રહેમ કર, ખરેખર તું ઘણો જ માફ કરનાર અને રહેમ કરવાવાળો છે)) [૪૮]. [૪૮] મુત્તફકુન અલૈહ: સહીહ બુખારી, હદીષ નંબર: ૮૩૪, સહીહ મુસ્લિમ: ૨૭૦૫.
૮૬-((અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" (અર્થ: હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે)) [૪૯]. [૪૯] મુત્તફકુન અલૈહ: સહીહ બુખારી, હદીષ નંબર: ૬૩૯૮, સહીહ મુસ્લિમ: ૨૭૧૯.
૮૭- (("અલ્લાહુમ્મ ઇન્ની નસ્અલુક મૂજિબાતિ રહ્-મતિક, અઝાઇમ મગ્-ફિરતિક, વસ્સલામત મિન્ કુલ્લિ ઇષ્મિન્, વલ્ ગનીમત મિન્ કુલ્લિ બિર્ર, વલ્ ફવ્ઝ બિલ્ જન્નતિ, વન્નજાત મિનન્નારિ" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારી તે વસ્તુઓનો સવાલ કરું છું, જે તારી રહમતનું કારણ બનતી હોય, અને તારી માફીને અનિવાર્ય બનાવતી હોય, અને હું તારી પાસે દરેક ગુનાહથી બચવા અને નેકી કરવાનો સવાલ કરું છું અને તે દરેક વસ્તુનો સવાલ કરું છું, જેના કારણે જન્નત મળવાનું કારણ અને જહન્નમથી છુટકારા નું કારણ બનતું હોય)) [૫૦]. [૫૦] ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી અને સહીહ કહી છે,૧/૫૨૫, ઈમામ બૈહકી રહિમહુલ્લાહએ દઅવાતમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૦૬, અને જુઓ અલ્ અઝકાર ઈમામ નવવી રહિમહુલ્લાહની કિતાબ, પેજ નંબર: ૩૪૦ અને આ હદીષને મુહક્કીક અબ્દુલ કદીર અલ્ અર્નાઊતએ હસન કહી છે.
૮૮- (("અલ્લાહુમ્મગ્ફિર્ લિલ્ મુઅમિનીન વલ્ મુઅમિનાતિ" (અર્થ: હે અલ્લાહ! તું ઇમાનવાળા પુરુષો અને ઇમાનવાળી સ્ત્રીઓને માફ કરી દે))) [૫૧]. [૫૧] ઉબાદહ -રઝી અલ્લાહુ અન્હુ- ની હદીષ, તેમણે કહ્યું: મેં આપ -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ- ને કહેતા સાંભળ્યા, તેમણે કહ્યું: (જે વ્યક્તિ મોમિન પુરુષ અને સ્ત્રી માટે માફી માંગશે, તો અલ્લાહ તઆલા દરેક મોમિન પુરુષ અને સ્ત્રીના બદલામાં તેના માટે એક નેકી લખી દે છે) અત્ તિબ્રાની ફીલ્ કબીર, ૫/૨૦૨, હદીષ નંબર: ૫૦૯૨, ૩/૩૩૪, હદીષ નંબર: ૨૧૫૫, મજમઉઝ્ ઝવાઇદમાં હૈષમી આ હદીષને જય્યીદ (સારા) દરજ્જાની કહે છે, ૧૦/૨૧૦, ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહિહુલ્ જામીઅમાં હસન દરજ્જાની કહી છે, નંબર: ૫૯૦૨, ૫/૨૪૨.
૮૯- (("અલ્લાહુમ્મગ્ફિર્ લી ઝમ્-બી, વ વસ્સિઅ લી ફી દારી, વ બારિક્ લી ફી રિઝ્કી" (અર્થ: હે અલ્લાહ! તું મારા ગુનાહોને માફ કરી દે, મારા માટે મારા ઘરને વિશાળ કર અને મારી રોજી માં બરકત આપ)) [૫૨]. [૫૨] મુસ્નદ અહમદ, હદીષ નંબર: ૧૬૫૯૯, તેમજ હદીષ નંબર: ૨૩૧૧૪ તેમજ હદીષ નંબર: ૨૩૧૮૮, તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૦૦, મુસ્નદના પુષ્ટિ કરનાર આલિમોએ ૨૭/૧૪૪, અને ૩૮/૧૯૭ અને ૩૮/૧૪૫ માં આ હદીષને ((હસન્ લિગયરિહી)) કહી છે.
૯૦- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિન્ ફઝ્-લિક વ રહ્-મતિક, ફઇન્નહુ લા યમ્લિકુહા ઇલ્લા અન્ત" (અર્થ: હે અલ્લાહ! હું તારી કૃપા અને રહેમતનો સવાલ કરું છું, ખરેખર તારા સિવાય બીજું કોઈ કુદરત ધરાવતું નથી)) [૫૩]. [૫૩] અત્ તબ્રાની, મજ્મઇઝ્ ઝવાઇદમાં, હૈષમી ૧૦/૧૫૯, કહે છે: ((આ હદીષના દરેક વર્ણનકર્તા સાચા છે, ફક્ત મુહમ્મદ બિન્ ઝિયાદના કારણ કે તે ષિકહ રાવી છે)) ઇમામ અલ્બાની રહિમહુલ્લાહ આ હદીષ સહિહુલ્ જામીઅમાં સહીહ દરજાની કહે છે, ૧/૧૦૪ નંબર: ૧૨૭૮.
૯૧- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ તરદ્-દી, વલ્ હદ્-મિ, વલ્ ગમ્મિ, વલ્ ગર્-કિ, વલ્ હર્-કિ, વઅઊઝુ બિક અંય્ યતખબ્બતનિશ્ શૈતાનુ ઇન્દલ્ મૌતિ, વ અઊઝુ બિક અન્ અમૂત ફી સબીલિક મુદ્-બિર્-રન વ અઊઝુ બિક અન્ અમુત લદીગન્" (અર્થ: હે અલ્લાહ! કોઈ મકાન અથવા દીવાલ મારા પર પડવાથી, ઉંચી જગ્યાએથી પડી જવાથી તારી પનાહ માંગુ છું, ડૂબી જવાથી, બળીને મરી જવાથી, અને ખૂબ જ વૃદ્ધ થઈ જવાથી હું તારી પનાહ માંગુ છું, હું એ વાતથી પણ તારી પનાહ માગું છું કે મૃત્યુના સમયે શેતાન મારા પર પ્રભુત્વ મેળવે, અને એ વાતથી પણ કે હું તારા માર્ગમાં પીઠ બતાવી ભાગતા મૃત્ય પામું, અને એ વાતથી પનાહ માગું છું કે કોઈ ઝેરી જાનવરના ડંખ મારવાથી મારુ મૃત્યુ થાય)) [૫૪]. [૫૪] આ હદીષ ઇમામ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૫૫૨, અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૫૩૧, ૫૫૩૨, સહીહ નસાઈમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહ આ હદીષને સહીહ દરજાની કહી છે, ૩/૧૧૨૩, અને સુનન અબી દાવૂદમાં પણ સહીહ કહી છે, ૧/૪૨૫.
૯૨- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ જૂઇ, ફઇન્નહુ બિઅ્સઝ્જીઉ, વ અઊઝુ બિક મિનલ્ ખિયાનતિ, ફઇન્નહા બિઅ્સતિલ્ બિતાનતુ" (અર્થ: હે અલ્લાહ! હું ભૂખથી તારી પનાહ માંગુ છું, તે અત્યંત ખરાબ સાથી છે, હું ખયાનતથી તારી પનાહ માગું છું તે ખૂબ જ છૂપાયેલી આદત છે)) [૫૫]. [૫૫] આ હદીષ ઇમામ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૫૪૭, અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૪૮૩, સહીહ નસાઈમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહ આ હદીષને હસન દરજ્જાની કહી છે, ૩/૧૧૧૨.
૯૩-(("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ અજ્-ઝિ,વલ્ કસલિ, વલ્ જુબ્નિ, વલ્ બુખ્લિ, વલ્ હર્-મિ, વલ્ કસ્-વતિ, વલ્ ગફ્-લતિ, વલ્ અય્-લતિ, વઝ્ ઝિલ્લતિ, વલ્ મસ્કનતિ, વ અઊઝુ બિક મિનલ્ ફક્-રિ વલ્ કુફ્-રિ,વલ્ ફુસૂકિ, વશ્-શિકૉક, વન્-નિફાક્, વસ્-સુમ્અતિ, વર્ રિયાઇ, વ અઊઝુ બિક મિનસ્ સમમિ, વલ્ બકમિ, વલ્ જુનૂનિ, વલ્ જુઝામિ, વલ્ બરસિ, વસય્યિઇલ્ અસ્કામિ" (અર્થ: હે અલ્લાહ! હું લાચારી, આળસ, કાયરતા, કંજુસાઈથી, કોઈ દીવાલ અથવા મકાન મારા પર પડવાથી, મારુ દિલ કઠોર થઈ જવાથી, બેદરકારીથી, કંગાળ થઈ જવાથી, મારુ અપમાન થવાથી, ખરાબ પરિસ્થિતિથી તારી પનાહ માંગુ છું, અને હું ગરીબી, કુફ્ર, વિદ્રોહ , સત્યને ઠુકરાવવાથી, નિફાક (દંભ), મારા નેક કાર્યોની લોકોમાં ચર્ચા થાય તેનાથી, કોઈ પણ નેક કાર્ય અલ્લાહને છોડીને અન્ય માટે કરું તેનાથી તારી પનાહ માંગુ છું, હું બહેરાશથી, મૂંગું થવાથી, મંદબુદ્ધિથી, જુઝામ નામની બીમારીથી, કોડથી અને દરેક બીમારીઓથી હું તારી પનાહ માંગુ છું)) [૫૬]. [૫૬] આ હદીષને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૪૯૩, અને ઇમામ હાકિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, ૧/૫૩૦, સહિહુલ્ જામિઅમા ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૧/૪૦૬, અને ઇરવાઉલ્ ગલીલમાં પણ સહીહ દરજાની કહી છે, હદીષ નંબર: ૮૫૨.
૯૪-(("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ ફક્-રિ, વલ્ કિલ્-લતિ, વઝ્ ઝિલ્લતિ, વ અઊઝુ બિક મિન્ અન્ અઝ્લિમ્ અવ્ ઉઝ્-લમ્" (અર્થ: હે અલ્લાહ! હું ફકીરીથી, માલની અછતથી અને મારું અપમાન થવાથી તારી પનાહ માંગુ છું અને એ વાતથી પણ તારી પનાહ માંગુ છું કે હું કોઈના પર અત્યાચાર કરું અથવા કોઈ મારા પર અત્યાચાર કરે))[૫૭]. [૫૭] આ હદીષને ઇમામ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૫૪૪, અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરે છે, હદીષ નંબર: ૫૪૭૫, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ નસાઈમાં આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૩/૧૧૧૧, અને સહિહુલ્ જામીઅમાં પણ સહીહ દરજ્જાની કહી છે, ૧/૪૦૭, અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ મવારીદુઝ્ ઝમઆનમાં પણ સહીહ દરજ્જાની કહી છે, ૨/૪૫૫.
૯૫- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ જારિસ્ સૂઇ ફી દારિલ્ મુકામતિ; ફઇન્-ન જારલ્ બાદિયતિ યતહવ્વલુ" (અર્થ: હે અલ્લાહ! હું કાયમી નિવાસની જગ્યાએ ખરાબ પાડોશીથી તારી પનાહ માંગુ છું, કારણકે તંબુમાં રહેનાર નિવાસી તો (થોડાક સમય પછી આમ તેમ) બદલતો રહે છે)) [૫૮]. [૫૮] ઇમામ બુખારી રહિમહુલ્લાહએ અદબુલ્ મુફ્રદ કિતાબમાં આ હદીષને રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૧૭ અને હાકિમ, ૧/૫૩૨, અને આ હદીષ સહીહ હોવાની પુષ્ટિ ઇમામ ઝહબી રહિમહુલ્લાહએ કરી છે, અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૫૧૭, અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહિહુલ્ જામિઅમાં ૧/૪૦૮ અને ઇમામ નસાઈએ, ૩/૧૧૧૮ સહીહ દરજ્જાની કહી છે.
૯૬- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ કલ્-બિન્ લા યખ્-શઉ, વ મિન્ નફ્-સિન્ લા તશ્બઉ વ મિન્ દુઆઇન્ લા યુસ્-મઉ, વ મિન્ ઇલ્મિન્ લા યન્-ફઉ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ હુઉલાઇલ્ અર્-બઇ." (અર્થ: હે અલ્લાહ! હું એવા દિલથી જેમાં તારો ડર ન હોય, એવા નફસથી, જે ક્યારેય સંતુષ્ટ ન પામે, એવી દુઆથી, જે કબૂલ ન થાય અને એવા ઇલ્મથી, જે ફાયદો ન પહોંચાડે, હું આ ચાર વસ્તુથી તારી પનાહ માંગુ છું)) [૫૯]. [૫૯] તિર્મિઝી, હદીષ નંબર: ૩૪૮૨, અબૂ દાવૂદ હદીષ નંબર: ૧૫૪૯, અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહિહુલ્ જામિઅમાં, હદીષ નંબર: ૧૨૯૫ અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ ૩/૧૧૧૩ સહીહ દરજ્જજાની કહી છે.
૯૭- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ યવ્-મિસ્ સૂઇ, વ મિન્ લય્-લતિસ્ સૂઇ, વ મિન્ સાઅતિસ્ સૂઇ, વ મિન્ સાહિબિસ્ સૂઇ, વ મિન્ જારિસ્ સૂઈ ફી દારિલ્ મુકામતિ" (અર્થ: હે અલ્લાહ! હું દિવસની બુરાઈથી, રાતની બુરાઈથી, કોઈ પણ ક્ષણની બુરાઈથી, મિત્ર તરફથી આવનારી બુરાઈથી અને મારા ઘરની આજુબાજુ ના પાડોશીની બુરાઈથી હું તારી પનાહ માંગુ છું)) [૬૦]. [૬૦] આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, અને ઈમામ હૈષમી રહિમહુલ્લાહએ મજમઇઝ્ ઝવાઇદમાં, ૧૦/૧૪૪ કહ્યું: ((આ હદીષના દરેક વર્ણનકર્તા સાચા છે)), ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહિહુલ્ જામીઅમાં હસન દરજ્જાની કહી છે, ૧/૪૧૧, હદીષ નંબર: ૧૨૯૦.
૯૮- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નત, વઅસ્તજીરુ બિક મિનન્ નારિ" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે જન્નતનો સવાલ કરું છું અને જહન્નમથી છુટકારો માગું છું))) (ત્રણ વખત)) [૬૧]. [૬૧] તિર્મિઝી, હદીષ નંબર: ૨૫૭૨, ઇબ્ને માજા હદીષ નંબર: ૩૩૪૦, નસાઈ હદીષ નંબર: ૫૫૩૬ અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં આ હદીષને સહીહ કહી છે, ૨/૩૧૯ અને સહીહ નસાઈમાં ૩/૧૧૨૧ અને તેના શબ્દો આ પ્રમાણે છે: ((જે વ્યક્તિ ત્રણ વખત અલ્લાહ પાસે જન્નતનો સવાલ કરશે તો જન્નત કહે છે: હે અલ્લાહ! તું આ વ્યક્તિને જન્નતમાં દાખલ કર અને જે વ્યક્તિ ત્રણ વખત જહન્નમની આગથી બચાવની દુઆ કરે છે, તો જહન્નમ કહે છે: હે અલ્લાહ! તું આ વ્યક્તિને જહન્નમથી આગથી બચાવી લે)).
૯૯- (("અલ્લાહુમ્મ ફક્-કિહ્-ની ફીદ્-દીનિ" (અર્થ: હે અલ્લાહ! તું મને દીનની સમજ આપ)) [૬૨]. [૬૨] બુખારી અને મુસ્લિમમાં ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા રિવાયત કરેલ હદીષ પુષ્ટિ કરે છે, બુખારી હદીષ નંબર: ૧૪૩, મુસ્લિમ: હદીષ નંબર: ૨૪૭૭.
૧૦૦- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક અન્ ઉશ્-રિક બિક વ અના અઅ્લમુ, વ અસ્-તગ્-ફિરુક લિમા લા અઅ્લમુ" (અર્થ: હે અલ્લાહ! હું તારી શરણમાં આવું છું કે હું જાણતા હોવા છતાંય તારી સાથે શિર્ક કરું, અને હું જે જાણતો નથી તેની હું માફી માંગું છું)) [૬૩]. [૬૩] આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, ૪/૪૦૩, ઇમામ તબ્રાની રહિમહુલ્લાહએ અલ મુઅજમુલ્ અવસતમાં રિવાયત કરી છે, ૪/૨૮૪, ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તર્ગીબ અને અત્ તર્હીબમાં ૧/૧૯ માં આ હદીષને હસન દરજ્જાની કહી છે.
૧૦૧- (("અલ્લાહુમ્મન્ ફઅ્ની બિમા અલ્લમ્તની, વ અલ્લિમ્-ની મા યન્-ફઉની, વ ઝિદ્-ની ઇલ્મા" (અર્થ: હે અલ્લાહ! જે ઇલ્મ મેં પ્રાપ્ત કર્યું છે તેના દ્વારા તું મને ફાયદો પહોંચાડ અને જે ઇલ્મ મને ફાયદો પહોંચાડે તે ઇલ્મ મને શીખવાડ અને મારા ઈલ્મમાં વધારો કર)) [૬૪]. [૬૪] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૯૯, ઈબ્ને માજા હદીષ નંબર: ૨૫૯, સહીહ ઈબ્ને માજહમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ કહી છે. ૧/૪૭.
૧૦૨- ((અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક ઇલ્મન્ નાફિઅન્, વ રિઝ્-કન્ તય્યિબન્, વ અમલન્ મુતકબ્બલા" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે ફાયદાકારક ઇલ્મ, પવિત્ર રોજી, અને જે અમલ કબૂલ થાય તેનો સવાલ કરું છું)) [૬૫]. [૬૫] આ હદીષને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૨૫, અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ ફી અમલિલ્ યવમિ વલ્ લૈલમાં આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, અને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ આ હદીષ રિવાયત કરી છે, ૬/૨૯૪, ૩૦૫, અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ ઈબ્ને માજહમાં સહીહ કહી છે, ૧/૧૫૨.
૧૦૩- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક યા અલ્લાહુ બિઅન્નકલ્ વાહિદુલ્ અહદુસ્ સમદુલ્ લઝી લમ્ યલિદ્ વ લમ્ યૂલદ્ વ લમ્ યકુલ્લહુ કુફુવન્ અહદુન્ અન્ તગ્ફિર લી ઝુનૂબી, ઇન્નક અન્તલ્ ગફૂરુર્ રહીમ" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે સવાલ કરું છું, હે અલ્લાહ! તું ફક્ત એક જ છે, તું બેનિયાજ છે, ન તો તારી કોઈ સંતાન છે અને ન તો તું કોઈની સંતાન, તારા જેવું કોઈ નથી, એ કે તું મારા ગુનાહને માફ કરી દે, ખરેખર તું જ માફ કરવાવાળો અને ખૂબ જ દયાળુ છે)) [૬૬]. [૬૬] આ હદીષને નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૩૦૦, અને શબ્દો તેમના છે, નસાઈ ફીલ્ કુબ્રામાં પણ આ હદીષ રિવાયત થઈ છે, હદીષ નંબર: ૭૬૬૫, અબૂ દાવુદ, હદીષ નંબર: ૯૮૫, સહીહ નસાઈમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ દરજ્જાની કહી છે, ૧/૧૪૭.
૧૦૪- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક બિઅન્ન લકલ્ હમ્દ, લા ઇલાહ ઇલ્લા અન્ત, વહ્-દક લા શરીક લકલ્ મન્નાન્ યા બદીઅસ્ સમાવાતિ વલ્ અર્-ઝિ યા ઝલ્-જલાલિ વલ્ ઇક્-રામ, યા હય્યુ યા કય્યુમુ, ઇન્ની અસ્અલુકલ્ જન્નત વ અઊઝુ બિક મિનન્નારિ" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે સવાલ કરું છું, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત તારા માટે જ છે, તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું એકલો જ છે, તારો કોઈ ભાગીદાર નથી, હે ખૂબ જ આપનાર!, હે આકાશો અને જમીનનું સૌ પ્રથમ સર્જન કરનાર, પ્રતિષ્ઠા અને ખૂબ જ સન્માન ધરાવનાર, હે જીવિત અને બાકી રહેવાવાળા! હું તારી પાસે જન્નતનો સવાલ કરું છું, અને જહન્નમની આગથી છુટકારા માટે સવાલ કરું છું)) [૬૭]. [૬૭] અબૂ દાવૂદ, હદીષ નંબર: ૧૪૯૫, ઈબ્ને માજહ, હદીષ નંબર: ૩૮૫૮, નસાઈ, હદીષ નંબર: ૧૨૯૯, તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૪૪, ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ નસાઈમાં ૧/૨૭૯ અને સહીહ ઈબ્ને માજહમાં ૨/૩૨૯, આ હદીષને સહીહ કહી છે.
૧૦૫- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક બિઅન્ની અશ્હદુ અન્નક અન્તલ્લાહ, લા ઇલાહ ઇલ્લા અન્ત, અલ્ અહદુ, અસ્ સમદુ, અલ્લઝી લમ્ યલિદ્, વ લમ્ યૂલદ્, વ લમ્ યકુલ્લહુ કુફુવન્ અહદુન્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે સવાલ કરું છું, હું સાક્ષી આપું છું કે તું જ ઇલાહ છે, તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું ફક્ત એક જ છે, બેનિયાઝ છે, ન તો તારી કોઈ સંતાન છે અને ન તો તું કોઈની સંતાન, તારા જેવું કોઈ નથી)) [૬૮]. [૬૮] અબૂ દાવૂદ, હદીષ નંબર: ૯૮૫, તિર્મિઝી, હદીષ નંબર: ૩૪૭૫, ઈબ્ને માજહ, હદીષ નંબર: ૩૮૫૭, અહમદ, ૫/૩૬૦, સહીહ સુનન તિર્મિઝીમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ કહી છે, ૩/૧૬૩.
૧૦૬- (("રબ્બિગ્ફિર્ લી વ તુબ્ અલય્ય, ઇન્નક અન્તત્ તવ્વાબુલ્ ગફૂર" (અર્થ: હે મારા પાલનહાર! તું મને માફ કરી દે, મારી તૌબા કબૂલ કર, કારણકે તું જ તૌબા કબૂલ કરવાવાળો અને માફ કરવાવાળો છે)) [૬૯]. [૬૯] અબૂ દાવુદ, હદીષ નંબર: ૧૫૧૮, તિર્મીઝી, હદીષ નંબર: ૩૪૩૪, અને શબ્દો તિર્મિઝીના છે, નસાઈ ફીલ્ કુબ્રા, હદીષ નંબર: ૧૦૨૯૨, ઈબ્ને માજહ, હદીષ નંબર: ૩૪૧૮, સહીહ ઈબ્ને માજહમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ કહી છે, ૨/૩૨૧ અને સહીહ તિર્મિઝીમાં પણ, ૩/૧૫૩.
૧૦૭- (("અલ્લાહુમ્મ બિ ઇલ્મિકલ્ ગય્-બિ, વ કુદ્-રતિક્ અલલ્ ખલ્-કિ, અહ્-યિની મા અલિમ્-તલ્ હયાત ખય્-રન્ લી, વ તવફ્-ફની ઇઝા અલિમ્-તલ્ વફાત ખય્-રન્ લી, અલ્લાહુમ્મ અસ્અલુક ખશ્યતક ફિલ્ ગય્-બિ વશ્-શહાદતિ, વ અસ્અલુક કલિમતલ્ હક્કિ ફિર્ રિઝા વલ્ ગઝબિ, વ અસ્અલુકલ્ કસ્-દ ફિલ્ ફક્-રિ વલ્ ગિના, વ અસ્અલુક નઇમન્ લા યન્-ફદુ, વ અસ્અલુક કુર્-રત અય્-નિન્ લા તન્-કતિઉ, વ અસ્અલુકર્ -રિઝૉઅ બઅ્દલ્ કઝૉઇ, વ અસ્અલુક બર્-દલ્ અય્-શિ બઅ્દલ્ મવ્-તિ, વ અસ્અલુક લઝ્-ઝતન્ નઝરિ ઇલા વજ્-હિક, વશ્-શવ્-ક ઇલા લિકૉઇક ફી ગય્-રિ ઝર્રાઅ મુઝિર્તિન્, વલા ફિત્નતિન્ મુઝિલ્તિન્,અલ્લાહુમ્મ ઝય્યન્-ના બિઝીનતિલ્ ઇમાનિ, વજ્અલ્ના હુદાતન્ મુહ્-તદિન્" (અર્થ: હે અલ્લાહ! હું તારા ગેબના ઇલ્મ તેમજ દરેક સર્જન પર તારી કુદરતનો આશરો આપી તારાથી સવાલ કરું છું, તું મને ત્યાં સુધી જીવિત રાખ જ્યાં સુધી તું જાણે કે જીવન મારા માટે ભલાઈનું કારણ છે અને મને ત્યાં સુધી મૃત્યુ ન આપ, જ્યાં સુધી તું જાણે કે મૃત્યુ મારા માટે શ્રેષ્ઠ છે, હે અલ્લાહ! હું જાહેર તેમજ આંતરિક બન્ને સ્થિતિમાં તારા ડરનો સવાલ કરું છું, તેમજ ખુશી અને ગમ બન્ને સ્થિતિમા કલમએ હક પઢવાની તૌફીક આપ, તેમજ ખુશહાલી અથવા તંગી બન્ને સ્થિતિમા મધ્યમ માર્ગ અપનાવવાનો સવાલ કરું છું, હું તારી પાસે એવી નેઅમતનો સવાલ કરું છું, જે ક્યારેય ખત્મ ન થાય અને હું તારી પાસે એવી આંખોની ઠંડકનો સવાલ કરું છું, જે ક્યારેય પૂર્ણ ન થાય, હું તારી પાસે તારા ફેસલા પર ખુશ થવાનો સવાલ કરું છું તેમજ હું મૃત્યુ પછી આરામ અને શાંતિ તલબ કરું છું અને હું તારી પાસે તારા દીદારની લિઝ્ઝત અને તારી મુલાકાત કરવાની ઈચ્છા ધરાવું છું અને પનાહ માંગુ છું એવી મુસીબતથી, જેના પર સબર ન થઈ શકે અને એવા ફિતનાથી જે પથભ્રષ્ટ કરી દે, હે અલ્લાહ! અમને ઇમાનના આભૂષણથી શણગાર તેમજ અમને (સત્યના) માર્ગદર્શક અને તેમાંથી કરી દે, જેમને તે હિદાયત (માર્ગદર્શન) આપી છે)) [૭૦]. [૭૦] નસાઈ, હદીષ નંબર: .૧૩૦૫, અહમદ, ૪/૨૬૪, સહીહ નસાઈમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષનો દરજ્જો સહીહ બતાવ્યો છે. ૧/૨૮૦, અને ૧/૨૮૧.
૧૦૮- (("અલ્લાહુમ્મર્ ઝુક્-ની હુબ્બક, વ હુબ્બ મય્ યન્-ફઅની હુબ્બુહુ ઇન્દક, અલ્લાહુમ્મ મા રઝક્-તની મિમ્મા ઉહિબ્બુ ફજ્અલ્હુ કુવ્વતન્ લી ફીમા તુહિબ્બુ, અલ્લાહુમ્મ વમા ઝવય્ત અન્-ની મિમ્મા ઉહિબ્બુ ફજ્અલ્હુ ફરાગન્ લી ફીમા તુહિબ્બુ" (અર્થ: હે અલ્લાહ! મને તારી મોહબ્બત નસીબ કર, અને તે વ્યક્તિની પણ મોહબ્બત નસીબ કર, જેની મોહબ્બત મને તારા દરબારમા ફાયદો પહોંચાડી શકે, હે અલ્લાહ! જે કંઈ પણ તું મને મારી મનગમતી રોજી આપે, તે રોજીને તારી મનગમતી વસ્તુઓમા ઉપયોગ કરવા માટેની શક્તિ અને તાકાતનું કારણ બનાવ, હે અલ્લાહ! જે કંઈ મારા માટે તે રોકી રાખ્યું છે, જેને હું મોહબ્બત કરું છું, તેમાંથી તું તે વસ્તુને મારા માટે નક્કી કરી દે, જેનાથી તું મોહબ્બત કરે છે)) [૭૧]. [૭૧] તિર્મિઝી, હદીષ નંબર: ૩૪૯૧, અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ આ હદીષને હસન કહી છે, અબ્દુલ કાદિર અલ અરનાવૂત કહે છે, આ પ્રમાણે ની જ હદીષ વર્ણન કરવામાં આવી છે, જામીઉલ્ ઉસૂલમાં આ વાત વર્ણન કરી છે, ૪/૩૪૧
૧૦૯- (("અલ્લાહુમ્મ તહ્હિર્ની મિનઝ્ ઝુનૂબિ વલ્ ખતાયા, અલ્લાહુમ્મ નક્કિની મિન્હા કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસિ, અલ્લાહુમ્મ તહ્હિર્ની બિષ્ ષલ્જિ વલ્ બરદિ વલ્ માઈલ્ બારિદ" (અર્થ: હે અલ્લાહ! તું મને મારા ગુનાહ અને મારી ભૂલોથી પાક કરી દે, અને તેને એવી રીતે સાફ કરી દે જેવી રીતે કે સફેદ કપડા માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું તેને બરફના કરા અને ઠંડા પાણી વડે (સાફ કરી દે)) [૭૨]. [૭૨] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૪૭૬, સુનન નસાઈ હદીષ નંબર: ૪૦૦.
૧૧૦- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ બુખ્-લિ, વલ્ જુબ્-નિ, વ સૂઇલ્ ઉમુરિ, વ ફિત્નતિસ્ સદ્-રિ, વ અઝાબિલ્ કબ્-રિ" (અર્થ: હે અલ્લાહ! હું કંજુસાઈ, કાયરતાથી તારી પનાહ માંગુ છું, તેમજ વૃદ્ધા વસ્થાની સ્થિતિથી, તેમજ હૃદયના ફિતના અને કબરના અઝાબથી તારી પનાહ માંગુ છું)) [૭૩]. [૭૩] નસાઈ, હદીષ નંબર: ૫૪૬૯, તેના શબ્દો આ પ્રમાણે છે ((આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાંચ વસ્તુઓથી પનાહ માંગતા હતા: કંજુસાઈથી, કાયરતા, ખરાબ ઉંમર, દિલના ફિતનાથી અને કબરના અઝાબથી)), અબૂદાવૂદ, હદીષ નંબર: ૧૫૩૯, અલ્ અરનાવૂતએ આ હદીષને જામીઉલ્ ઉસૂલમાં હસન દરજાની વર્ણન કરી છે, ૪/૩૬૩.
૧૧૧- (("અલ્લાહુમ્મ રબ્બ જિબ્-રઈલ વ મિકાઇલ, વ રબ્બ ઇસ્-રાફીલ, અઊઝુ બિક મિન્ હર્રિન્ નાર, વ મિન્ અઝાબિલ્ કબ્-રિ" (અર્થ: હે અલ્લાહ! જિબ્રઈલ, મિકાઈલ અને ઇસ્-રાફીલના પાલનહાર! હું જહન્નમની આગથી તારી પનાહ માગું છું, અને કબરના અઝાબથી તારી પનાહ માગું છુ))[૭૪]. [૭૪] નસાઈ, હદીષ નંબર: ૧૩૪૪, મુસ્નદ અહમદ: ૬/૬૧, ઈમામ બૈહકી રહિમહુલ્લાહએ દઅવાતમાં વર્ણન કરી છે, ૧૦૯, સહીહ નસાઈમાં ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ દરજાની કહી છે, ૩/૧૧૨૧, અને સિલસિલતુ અહાદીષિસ્ સહીહહમાં, ૧૫૪૪.
૧૧૨- (("અલ્લાહુમ્મ અલ્હિમ્ની રુશ્દી, વ અઈઝ્ની મિન્ શર્રિ નફ્સી" (અર્થ: હે અલ્લાહ! તું મને ભલાઈની વાતો શીખવાડ અને મારા નફસની બુરાઈથી મને બચાવી લે)) [૭૫]. [૭૫] તિર્મિઝી, તેના જ શબ્દો છે, ૫/૫૧૯, હદીષ નંબર: ૩૪૮૩, મુસ્નદ અહમદ, ૨૩/૧૯૭, હદીષ નંબર: ૧૯૯૯૨, હાકિમ, ૧/૫૦૧, આ પ્રમાણેના શબ્દો સાથે વર્ણન કરી છે, ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ સહીહ કહી છે, અને ઈમામ ઝહ્બી રહિમહુલ્લાહએ સહમતી આપી છે, મુસ્નદ અહમદની પુષ્ટિ કરનાર ૩૩/૧૯૭ નિષ્ણાંત લોકોએ કહ્યું: ((આ હદીષ ઈમામ બુખારી અને મુસ્લિમની શરત પ્રમાણે સહીહ દરજાની છે)), જે શબ્દો તિર્મિઝીના છે, તો ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ ઝઈફ અત્ તિર્મિઝીમાં આ હદીષને ઝઇફ (કમજોર) દરજ્જાની કહી છે. પેજ નંબર: ૩૯૭.
૧૧૩- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક ઇલ્મન્ નાફિઆ, વ અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઉ" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે ફાયદાકારક ઇલ્મનો સવાલ કરું છું અને એ ઇલ્મથી તારી પનાહ માંગુ છું, જે ફાયદો ન પહોંચાડે)) [૭૬]. [૭૬] નસાઈ ફીલ્ કુબ્રા, હદીષ નંબર: ૭૮૬૭, ઇબ્ને માજહ, હદીષ નંબર: ૩૮૪૩ સહીહ ઇબ્ને માજહમાં અલ્બાની રહિમહુલ્લાહએ હસન દરજ્જાની કહી છે, ૨,૩૨૭, અને શબ્દો આ પ્રમાણે છે: ((અલ્લાહ પાસે ફાયદાકારક ઇલ્મ માંગો અને જે ઇલ્મ તમને ફાયદો ન પહોચાડે તેનાથી તમે પનાહ માંગો)).
૧૧૪-(("અલ્લાહુમ્મ રબ્બસ્ સમાવાતિસ્ [સબ્ઇ], વ રબ્બલ્ અર્-ઝિ, વ રબ્બલ્ અર્-શિલ્ અઝીમિ, રબ્બના વ રબ્બ કુલ્લિ શયઇન્, ફાલિકલ્ હબ્બિ વન્-નવા, વ મુન્-ઝિલત્ તવ્-રાત, વલ્ ઇન્-જિલ, વલ્ ફુર્-કાન, અઊઝુ બિક મિન્ શર્-રિ કુલ્લિ શય્ઇન્ અન્ત આખિઝુન્ બિનાસિયતિહી, અલ્લાહુમ્મ અન્તલ્ અવ્વલુ, ફલય્-સ કબ્-લક શય્ઉન્, વ અન્તલ્ આખિરુ ફલય્સ બઅદક શય્ઉન્, વ અન્તઝ્ ઝોહિરુ ફલય્સ ફવ્કક શય્ઉન્, વ અન્તલ્ બાતિનુ ફલય્સ દૂનક શય્ઉન્, ઇક્-ઝિ અન્-નદ્- દય્ન, વ અગ્-નિના મિનલ્ ફક્-રિ" (અર્થ: હે [સાત] આકાશોના પાલનહાર, હે જમીનના માલિક, અને ઉચ્ચ અર્શના માલિક, હે અમારા પાલનહાર! અને દરેક વસ્તુનો માલિક, હે દાણાને ફાડી વૃક્ષ ઉગાડનાર અને તૌરાત, ઈન્જીલ તેમજ કુરઆન ઉતારનાર, હું દરેક વસ્તુની બુરાઈથી તારી પનાહ માગું છું, જેના પર તું સપૂર્ણ અધિકાર ધરાવે છે, તું સૌથી પહેલા છે અને તારા કરતા પહેલા કોઈ નથી, તું સૌથી છેલ્લો છે, તારા પછી કોઈ નથી, (અર્થાત્ શરૂ થી લઇ અંત સુધી તું જ છે) તું જાહેર છે અને તારા ઉપર કોઈ વસ્તુ નથી, તું (લોકોની નઝરોથી છુપાયેલો છે) પરંતુ તારાથી વંચિત કોઈ વસ્તુ નથી, અમારું દેવું ચૂકવી દે અને અમારી લાચારી દુર કરી દે))[૭૭]. [૭૭] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૭૧૩ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા આ હદીષ વર્ણન કરી છે.
૧૧૫- (("અલ્લાહુમ્મ અલ્લિફ્ બય્ન કુલૂબિના, વ અસ્લિહ્ ઝાત બય્-નિના, વહ્-દિના સુબુલસ્ સલામિ, વ નજ્-જિના મિનઝ્ ઝુલુમાતિ ઇલન્ નૂર, વ જન્-નિબ્-નલ્ ફવાહિશ વલ્ ફિત્-ન, મા ઝહર મિન્હા, વમા બતન, વ બારિક્ લના ફી અસ્માઇના, વ અબ્સારિના, વ કુલૂબિના, વ અઝ્-વાજિના, વ ઝુર્-રિય્યાતિના, વ તુબ્ અલય્-ના ઇન્નક અન્તત્ તવ્વાબુર્ રહીમ, વજ્ અલ્ના શાકિરીન લિનિઅમિક્, મુષ્નીન બિહા અલય્ક, કાબિલીન લહા, વ અત્-મિમ્-હા અલય્ના" (અર્થ: હે અલ્લાહ ! તું અમારા દિલોમાં મોહબ્બત પેદા કરી દે, અને અમારી સ્થિતિ સારી બનાવી દે, અને શાંતિના માર્ગ તરફ અમને માર્ગદર્શન આપ અને અમને અંધારા માંથી છુટકારો આપી પ્રકાશ તરફ માર્ગદર્શન આપ, આંખ, દિલ અને અમારી પત્નીઓ તેમજ બાળકોમાં બરકત આપ, અને અમારી તૌબા કબુલ કર, તું જ તૌબા કરવાવાળો અને રહમ કરવાવાળો છે, અને તે આપેલ નેઅમતો પર શુકર કરવાવાળો બંદો અને તારી પ્રશંસા કરવાવાળો બંદો અને કબુલ કરવાવાળો બંદો બનાવી દે, અને હે અલ્લાહ! તું આ નેઅમતોને અમારા પર પૂરી કરી દે)) [૭૮]. [૭૮] અબૂ દાવૂદ, હદીષ નંબર: ૯૬૯, હાકિમ, અને તેના શબ્દો, ૧/૨૬૫,અને કહ્યું: ((આ હદીષ ઈમામ મુસ્લિમની શરત પ્રમાણે સહીહ દરજ્જાની છે)) અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ પુષ્ટિ કરી છે, ૧/૨૬, અદબુલ્ મુફરદમાં ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, હદીષ નંબર: ૬૩૦.
૧૧૬- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક ખય્-રલ્ મસ્અલતિ,વ ખય્-રદ્ દુઆઇ, વ ખય્-રન્-નજાહ, વ ખય્-રષ્-ષવાબિ, વ ખય્-રલ્ હયાતિ, વ ખય્-રલ્ મમાતિ, વ ષબ્બિત્ની, વ ષક્કિલ્ મવાઝીની વ હક્-કિક્ ઈમાની, વર્-ફઅ દરજાતી, વ તકબ્બલ્ સલાતી, વગ્ફિર્ ખતીઅતી, વ અસ્અલુકદ્ દરજાતિલ્ ઉલા મિનલ્ જન્નતિ, આમીન, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક ખય્-ર મા આતી, વ ખય્-ર મા અફ્અલુ, વ ખય્-ર અઅમલુ, વ ખય્-ર બતન, વ ખય્-ર મા ઝહર, વદ્ દરજાતિલ્ ઉલા મિનલ્ જન્નતિ, આમીન, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક અન્ તર્ફઅ ઝિક્રી, વ તઝઅ વિઝરી, વ તુસ્લિહ અમ્રિ, વ તુતહ્હિર કલ્બી, વ તુહસ્સિન ફર્જી, વ તુનવ્વિર કલ્બી, વ તગ્ફિર લી ઝન્બી, વ અસ્અલુકદ્ દરજાતિલ્ ઉલા મિનલ્ જન્નતિ આમીન, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક અન્ તુબારિક ફી નફ્સી, વ ફી સમ્ઇ, વ ફી બસરી, વ ફી રુહી, વ ફી ખલ્કી, વ ફી ખુલુકી, વફી અહલ , વફી મહ્-યાય, વફી મમાતી, વફી અમલી, ફતકબ્બલ્ હસનાતી, વ અસ્અલુકદ્ દરજાતિલ્ ઉલા મિનલ્ જન્નતિ, આમીન" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે ઉત્તમ સવાલ, ઉત્તમ દુઆ, શ્રેષ્ઠ સફળતા, શ્રેષ્ઠ અમલ, શ્રેષ્ઠ સવાબ, ઉત્તમ જીવન અને શ્રેષ્ઠ મૃત્યુનો સવાલ કરું છું, (હું એ વાતની તૌફીક માગું છું કે) તું મને દીન પર અડગ રાખ, મારી નેકીઓના ત્રાજવાને ભારે કરી દે, મારા ઇમાનને સાચું રૂપ આપ, મારા દરજ્જા બુલંદ કર, મારી નમાઝ કબૂલ કર અને મારા ગુનાહ માફ કરી દે, હું તારી પાસે જન્નતના ઉચ્ચ દરજ્જા માગું છું, હે અલ્લાહ ! હું તારી પાસે ભલાઈની શરૂઆત, ભલાઈનો અંત, ભલાઇની સપૂર્ણતા, જાહેરમાં ભલાઈ તેમજ આંતરિક ભલાઈ અને જન્નતના ઉચ્ચ દરજ્જાનો સવાલ કરું છું, હે અલ્લાહ ! હું તે દરેક વસ્તુમાં ભલાઈનો સવાલ કરું છું, જેને હું લાઉં છું, જેને હું કરું છું, જેને હું અમલ રૂપે કરું છું, જે છુપી છે અને જે જાહેર છે, એવી જ રીતે હું તારી પાસે જન્નતના ઉચ્ચ દરજ્જાનો સવાલ કરું છું, હે અલ્લાહ! તું કબૂલ કર, હે અલ્લાહ ! હું તારી પાસે સવાલ કરું છું કે તું મારા નામને બુલંદ કર, મારા ગુનાહને માફ કરી દે, મારી સ્થિતિને સુધારી દે, મારા હૃદયને પાક કર, મારા ગુપ્તાગની હિફાજત કર, મારા દિલને રોશન કર, મારા ગુનાહ માફ કરી દે, હું તારી પાસે જન્નતના ઉચ્ચ દરજ્જાનું સવાલ કરું છું, હે અલ્લાહ! કબૂલ કર, હે અલ્લાહ! હું તારી પાસે સવાલ કરું છું કે તું મારા નફસ, મારા કાન, મારી આંખ, મારી રુહ, મારું રૂપ, મારા અખલાક, મારા બીવી બચ્ચા, મારું જીવન, મારું મૃત્યુ અને મારા અમલમાં બરકત આપ, અને મારી નેકીઓને કબૂલ કર, હું તારી પાસે જન્નતના ઉચ્ચ દરજ્જાનો સવાલ કરું છું, હે અલ્લાહ! તું કબૂલ કર)) [૭૯]. [૭૯] ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા દ્વારા મરફૂઅન્ રિવાયત કરી છે, ૧/૫૨૦, અને સહીહ દરજ્જાની કહી છે, જેની પુષ્ટિ ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ કરી છે, ૧/૫૨૦, ઈમામ બૈહકી રહિમહુલ્લાહએ અદ્ દઅવાતમાં વર્ણન કરી, હદીષ નંબર: ૨૨૫, ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ અલ્ કબીરમાં વર્ણન કરી છે, ૨૩/૩૨૬, હદીષ નંબર: ૭૧૭.
૧૧૭- (("અલ્લાહુમ્મ જન્નિબ્ની મુન્કરાતિલ્ અખ્લાકિ, વલ્ અઅમાલિ, વલ્ અહ્વાઇ, વલ્ અદ્ વાઈ" (અર્થ: હે અલ્લાહ! તું મને નિંદનીય ચારિત્ર્ય, કાર્યો, મનેચ્છાઓ તેમજ રોગોથી સુરક્ષિત રાખ))) [૮૦]. [૮૦] હાકિમ, ૧/૫૨૩ અને કહ્યું: ((આ હદીષ મુસ્લિમ ની શરત પ્રમાણે સહીહ છે)), જેની પુષ્ટિ ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ કરી છે, ૧/૫૩૨, ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ અલ્ મુઅજમૂલ્ કબીરમાં વર્ણન કરી છે, ૧૯/૧૯, હદીષ નંબર: ૩૬, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ ઝિલાલિલ્ જન્નહમાં સહીહ દરજ્જાની કહી છે, હદીષ નંબર: ૧૩.
૧૧૮- (("અલ્લાહુમ્મ કન્નિઅની બિમા રઝક્તની, વ બારિક લી ફીહિ, વખ્લુફ્ અલય્ય કુલ્લ ગોઇબતિન્ લી બિખય્રિન્"(અર્થ: હે અલ્લાહ! તે જે મને રોજી આપી રાખી છે, તેમાં મને સંતુષ્ટ કરી દે અને તેમાં બરકત આપ અને જે કંઈ મારી પાસે નથી, તેના દરેક વસ્તુના બદલામાં તું મને ભલાઈ આપ. )) [૮૧]. [૮૧] હાકિમ, ૧/૫૩૨, અને સહીહ કહી છે જેની પુષ્ટિ ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા રિવાયત કરી છે, ૧/૫૧૦, ઈમામ બૈહકી રહિમહુલ્લાહએ આદાબમાં વર્ણન કરી, ૧૦૮૪, અને અદ્ દઅવાતમાં, ૨૧૧ અને ઇબ્ને હજર રહિમહુલ્લાહએ ફૂતુહાતે રબ્બાનિય્યામાં આ હદીષ ને હસન દરજ્જાની કહી છે, ૪/૩૮૩.
૧૧૯- ((અલ્લાહુમ્મ હાસિબ્ની હિસાબય્ યસીરા" (અર્થ: હે અલ્લાહ! તું (કયામતના દિવસે) મારો હિસાબ આસાન લેજે)) [૮૨]. [૮૨] આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, ૬/૧૪૮ અને ઇમામ હાકિમ રહિમહુલ્લાહએ પણ, ૧/૨૫૫ અને કહ્યું: ((ઈમામ મુસ્લિમની શરત મુજબ આ હદીષ સહીહ છે)), ઇમામ ઝહબી રહિમહુલ્લાહએ પુષ્ટિ કરી છે, ૧/૨૫૫, આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની તરફ ધ્યાન ધર્યું તો તેમણે સવાલ કર્યો કે હે અલ્લાહના પયગંબર! સરળ હિસાબ એટલે શું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((બંદો તે દિવસ પોતાના અમલ તરફ જોશે, તો અલ્લાહ તેના અમલ ને દરગુજર કરતો હશે, અને હે આયશા! જો અલ્લાહ તઆલાએ કોઈ બંદાના અમલ તરફ ધ્યાન ધર્યું તો તે નષ્ટ થઈ જશે, અને તે દરેક તકલીફો જે એક મોમીનને પહોંચે છે અલ્લાહ તેના વડે તેના ગુનાહ માફ કરે છે, અહીં સુધી કે તેને કોઈ કાંટો પણ વાગે)), અને આ હદીષ વિષે ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ કહ્યું: ((આ હદીષની સનદ સારી છે)).
૧૨૦- (("અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક, વ શુક્રિક, વ હુસ્નિ ઇબાદતિક્" (અર્થ: હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, તારો આભાર વ્યક્ત કરવા અને તારી ઈબાદત સારી રીતે કરવામાં અમારી મદદ કર)) [૮૩]. [૮૩] મુસ્નદ અહમદ, ૨/૨૯૯, હાકિમ, ૧/૪૯૯ અને આ હદીષને સહીહ કહી છે અને ઇમામ ઝહબી રહિમહુલ્લાહએ પુષ્ટિ કરી છે, અને એવી જ રીતે તે બન્નેએ પણ કહ્યું, અને ઇમામ અબૂ દાવૂદ પાસે પણ સહીહ છે, હદીષ નંબર: ૧૫૨૪, અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ અલ્ કુબ્રામાં પણ વર્ણન કરી છે, હદીષ નંબર: ૯૯૭૩, અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ અદબુલ્ મુફર્દમાં આ હદીષને સહીહ કહી છે, હદીષ નંબર: ૫૩૪.
૧૨૧- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક ઇમાનન્ લા યર્તદ્-દુ, વ નઇમન્ લા યન્ફદુ, વ મુરાફકત નબિય્યિક મુહમ્મદીન્ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફી અઅલા જન્નતિલ્ ખુલ્દિ" (અર્થ: હે અલ્લાહ! તું મને એવું ઈમાન નસીબ કર, જે ક્યારેય ડગમગે નહીં અને એવી નેઅમત આપ, જે ક્યારેય ખત્મ ન થાય, અને હંમેશા રહેવા વાળી જન્નતમાં ઉચ્ચ દરજ્જા સાથે તારા નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સાથ નસીબ કર)) [૮૪]. [૮૪] આ હદીષને ઈમામ ઇબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ (મવારિદ) માં રિવાયત કરી છે, પેજ નંબર: ૬૦૪, હદીષ નંબર: ૨૪૩૬, ઇબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હું દ્વારા મવકૂફન, ઈમામ અહમદ રહિમહુલ્લાહએ બીજા રાવી દ્વારા રિવાયત કરી છે, ૧/૩૫૮, ૪૦૦,અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ અમલુલ્ યવ્મ વલ્ લૈલમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૬૯, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ અસ્ સિલ્સિતુસ્ સહીહાહમાં હસન કહી છે, હદીષ નંબર: ૨૩૦૧.
૧૨૨- (("અલ્લાહુમ્મ કિની શર્ર નફ્સી, વઅઝિમ્ લી અલા અર્શદિ અમ્રી, અલ્લાહુમ્મગ્ફિર્ લી મા અસરર્-તુ, વમા અઅલન્તુ, વમા અખ્તઅતુ, વમા અમદ્તુ, વમા અલિમ્તુ, વમા જહિલ્તુ" (અર્થ: હે અલ્લાહ! મને મારા નફસની બુરાઈથી બચાવ, અને હિદાયતના માર્ગ પર મારા ઈરાદાને મજબૂત બનાવી દે, હે અલ્લાહ! મારા તે ગુનાહ માફ કરી દે, જે મેં એકાંતમાં કર્યા હોય, જે જાહેરમાં કર્યા હોય, જે અજાણતામાં કર્યા હોય અથવા જાણ હોવા છતાંય કર્યા હોય, તે ગુનાહ પણ માફ કરી દે, જેને હું જાણું છું અને તે પણ જે હું જાણતો નથી))[૮૫]. [૮૫] નસાઈ ફીલ કુબ્રા, ૬/૨૪૬, હદીષ નંબર: ૧૦૮૩૦, હાકિમ, ૧/૧૫૦, અને ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ સહીહ કહી છે અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ પુષ્ટિ કરી છે, અહમદ, ૪/૪૪૪, મુસ્નદ અલ્ મુહક્કક, ૩૩/૯૭, હદીષ નંબર: ૧૯૯૯૨, અને હાફિઝ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ અલ્ ઇસાબહમાં કહું: ((આ હદીષના રાવી સહીહ છે)), અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ રિયાઝુસ્ સોલિહીનની પુષ્ટિમાં, હદીષ નંબર: ૧૪૯૫ ના ઉલ્લેખમાં સહીહ કહી છે.
૧૨૩- ((અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશમાતતિલ્ અઅદાઅ" (અર્થ: હે અલ્લાહ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી, તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું)) [૮૬]. [૮૬] નસાઈ, હદીષ નંબર: ૫૪૭૫, મુસ્નદ અહમદ, ૨/૧૭૩, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ નસાઈમાં સહીહ કહી છે, ૩/૧૧૧૩.
૧૨૪- (("અલ્લાહુમ્મગ્ફિર્ લી, વહ્દિની, વર્ઝુક્ની, વ આફિની, વ અઊઝુ બિલ્લાહિ મિન્ ઝીકિલ્ મકોમિ યવ્મલ્ કિયામતિ" (અર્થ: હે અલ્લાહ! તું મને માફ કરી દે, મને માર્ગદર્શન આપ, મને રોજી આપ, મને આફિયત આપ અને હું કયામતના દિવસે જગ્યાની તંગીથી તારી પનાહ માંગુ છું))[૮૭]. [૮૭] નસાઈ, હદીષ નંબર: ૧૬૧૭, ઇબ્ને માજહ, હદીષ નંબર: ૧૩૫૬, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ નસાઈમાં સહીહ કહી છે, ૧/૩૫૬, અને સહીહ ઇબ્ને માજહમાં પણ, ૧/૨૨૬.
૧૨૫- (("અલ્લાહુમ્મ મત્તિઅની બિસમ્ઇ, વ બસરી, વજ્અલ્હુમલ્ વારિષ મિન્ની, વન્સુર્ની અલા મય્ યઝ્લિમુની, વ ખુઝ્ મિન્હુ બિષઅરી" (અર્થ: હે અલ્લાહ! તું મારા કાન અને મારી આંખ વડે મને ફાયદો પહોંચાડ, તેને મારા વારસદાર માટે નક્કી કરી દે, જે મારા પર જુલમ કરે તું તેના વિરુદ્ધ મારી મદદ કર અને જાલિમ પાસે તું મારો બદલો લે))[૮૮]. [૮૮] તિર્મિઝી, હદીષ નંબર: ૩૬૮૧, ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અદબુલ્ મુફ્રદમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૫૦, હાકિમ, ૧/૫૨૩, અને ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ સહીહ કહી છે અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ પુષ્ટિ કરી છે, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં હસન કહી છે, ૩/૧૮૮.
૧૨૬- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક ઇશતન્ નકીય્યતન્, વ મીતતન્ સવિય્યતન્, વ મરદ્-દન ગય્ર મુખ્ઝિન્, વલા ફાઝિહિન્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે એક પવિત્ર જીવન, સામાન્ય મૃત્યુ અને તે રીતે પાછા ફરવાનો સવાલ કરું છું, જે શરમજનક અને નિંદનીય ન હોય))[૮૯]. [૮૯] હાકિમ,૧/૫૪૧, અને ઝવાઈદ મુસ્નદ અલ્ બઝ્ઝાર, ૨/૪૪૨, હદીષ નંબર: ૨૧૭૭, ઈમામ તબ્રરાની દુઆઓના બાબમાં હદીષ નંબર: ૧૪૩૫,અને ઈમામ હૈષમી રહિમહુલ્લાહએ મજ્મઉઝ્ ઝવાઈદ ૧૦/૧૭૯ માં કહ્યું: ((ઈમામ તબ્રરાની જય્યિદ (સારી) દરજ્જાની છે)).
૧૨૭- (("અલ્લાહુમ્મ લકલ્ હમ્દુ કુલ્લુહુ, અલ્લાહુમ્મ લા કોબિઝ લિમા બસત્ત, વલા બાસિત લિમા કબઝ્ત, વલા હાદિય લિમન્ અઝ્લલ્ત, વલા મુઝિલ્લ લિમન્ હદય્ત, વલા મુઅતિય લિમા મનઅત, વલા માનિઅ લિમા અઅતય્ત, વલા મુકર્રિબ લિમા બાઅદ્ત, વલા મુબાઈદ લિમા કર્-રબ્ત, અલ્લાહુમ્મબ્ સુત અલૈના મિન્ બરકાતિક, વ રહ્-મતિક, વફઝ્લિક, વરિઝ્કિક, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકન્ નઅીમલ્ મુકીમલ્ લઝી લા યહૂલુ વલા યઝૂલુ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકન્ નઅીમ યવ્મલ્ ઐલતિ, વલ્ અમ્ન યવ્મલ્ ખૌફિ, અલ્લાહુમ્મ ઇન્ની આઈદુન્ મિન્ શર્રિ માં અઅતય્તના, વ શર્રિ મા મનઅતના, અલ્લાહુમ્મ હબ્બબ્ ઇલૈનલ્ ઈમાન વઝય્યિન્હુ ફી કુલૂબિના, વ કર્રિહ્ ઇલૈનલ્ કુફ્ર વલ્ ફુસૂક વલ્ ઇસ્યાન વજ્અલ્ના મિનર્ રાશિદીન, અલ્લાહુમ્મ તવફ્ફના મુસ્લિમીન, અહ્-યિના મુસ્લિમીન, અલ્હિક્ના બિસ્ સોલિહીન ગૈર ખઝાયા વલા મફ્તૂનીન, અલ્લાહુમ્મ કોતિલલ્ કફરતલ્ લઝી યુકઝ્ઝિબૂન રસૂલક, વયસુદ્દૂન અન્ સબીલિક, વજ્અલ્ અલૈહિમ્ રિજ્ઝક વ અઝાબક, અલ્લાહુમ્મ કોતિલ્ કફરતલ્ લઝીન ઊતૂલ્ કિતાબ ઈલૈહિલ્ હક્ક [આમીન]" (અર્થ: હે અલ્લાહ! દરેક પ્રકારની પ્રશંસા ફક્ત તારા માટે જ છે, હે અલ્લાહ! તું જે વસ્તુ ફેલાવી દે તેને કોઈ પકડી નથી શકતું, અને જેને તું પકડી લે તેને કોઈ છોડાવી શકતું નથી, અને જેને તું પથભ્રષ્ટ કરે તેને કોઈ હિદાયત આપી શકતું નથી અને જેને તું હિદાયત આપે તેને કોઈ પથભ્રષ્ટ કરી શકતું નથી, જ્યારે તું કોઈની પાસે કંઈ રોકી લે, તો તેને કોઈ અપાવી શકતું નથી અને જ્યારે તું કોઈને કંઈ આપે તો તેને કોઈ રોકી શકતું નથી, જેને તું દૂર કરવા ઈચ્છે તેને કોઈ નજીક નથી કરી શકતું અને જેને તું નજીક કરવા ઈચ્છે તેને કોઈ દૂર નથી કરી શકતું, હે અલ્લાહ! તું મારા પર તારી બરકતો, રહેમતો, રોજી અને કૃપાઓ ફેલાવી દે, હે અલ્લાહ! હું તારી પાસે કાયમી નેઅમતોનો સવાલ કરું છું, જે કયારેય બદલાતી નથી અને ખત્મ પણ નથી થતી, હે અલ્લાહ! હું તારી પાસે તંગીના દિવસોમાં ખુશી અને ડરના દિવસોમાં સલામતીનો સવાલ કરું છું, હે અલ્લાહ! જે તે મને આપી રાખ્યું છે, તેની બુરાઈથી હું તારી પનાહ માંગુ છું, અને જે વસ્તુ રોકી રાખી છે, તેની બુરાઈથી પણ, હે અલ્લાહ! તું અમારા માટે ઈમાનને પ્રિય બનાવી દે અને તેને અમારા દિલોમાં શણગાર, અને કુફ્ર, વિદ્રોહ અને અવગણના બાબતે અમારા દિલોમાં નફરત ભરી દે, અને અમને હિદાયત પામેલા લોકો માંથી કરી દે, હે અલ્લાહ! ઇસલામની સ્થિતિમાં અમને મૃત્યુ આપ, અને ઇસ્લામની સ્થિતિમાં જ જીવિત રાખ, અને અમને નેક લોકો માંથી કરી દે, કોઈ અપમાન અને અવગણના વગર. હે અલ્લાહ! તું નષ્ટ કર તે કાફિરોને, જેઓ તારા પયગંબરોને જુઠલાવે છે, અને જેઓ તારા માર્ગથી રોકે છે, અને તેમના માટે અપમાન અને અઝાબ નક્કી કરી દે, હે અલ્લાહ! તું તે કાફિરોને નષ્ટ કરી દે, જેમને કિતાબ આપવામાં આવી (છતાંય તે લોકો તને જુઠલાવે છે, તું જ સાચો ઇલાહ છે))[૯૯]. [૯૦] મુસ્નદ અહમદ અને તેના શબ્દો, ૩/૪૨૪, ૨૪/૨૪૬, હદીષ નંબર: ૧૫૪૨૯, અને જે શબ્દો બંને કૌંસ વચ્ચે છે તે હાકિમના છે, ૧/૫૦૧, ૩/૨૩-૨૪, અને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અદબુલ્ મુફ્રદમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૯૯, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ ફિક્હુસ્ સીરહની પુષ્ટિમાં સહીહ કહી છે, પેજ નંબર: ૨૮૪, અને સહીહ અદબુલ્ મુફ્રદમાં પણ સહીહ્બ કહી છે, હદીષ નંબર: ૫૩૮, પેજ નંબર: ૨૫૬, અને મુસ્નદની પુષ્ટિ કરવાવાળાઓએ કહ્યું: ((આ હદીષને રિવાયત કરનારા ષિકા (ભરોસાપાત્ર) છે)).
૧૨૮- (("અલ્લાહુમ્મગ્ફિર્ લી, વર્ હમ્ની, વહ્-દીની, વ આફિની, વર્ ઝુક્-ની" (અર્થ: હે અલ્લાહ! તું મને માફ કરી દે, મારા પર રહમ(દયા) કર, મને હિદાયત (માર્ગદર્શન) આપ, મને આફિયત (તંદુરસ્તી)આપ, અને મને રોજી આપ))[૯૧]. [૯૧] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૬૯૬, ૨૬૯૭, અને મુસ્લિમની બીજી રિવાયતમાં છે: ((આ દુઆ ખરેખર તમારી દુનિયા અને આખિરત બંનેનો સમાવેશ થાય છે)), અબૂ દાવૂદ, હદીષ નંબર: ૮૫૦, અને હદીષ વર્ણન કરનારે કહ્યું: ((જયારે તે ગામડિયો પાછો જવા લાગ્યો, તો નબી -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ- એ કહ્યું: ((આ વ્યક્તિએ પોતાના હાથ ભલાઈથી ભરી લીધા)).
(("...વજ્બુર્ની, વર્ ફઅની" (અર્થ: હે અલ્લાહ! જે મારું નુકસાન થયું છે તેનું મને વળતર આપ અને મને ઉચ્ચ દરજ્જા આપ))[૯૨]. [૯૨] જુઓ: ઈબ્ને માજહ, હદીષ નંબર ૮૯૮, તિર્મિઝી, નંબર ૨૮૪, સહીહ ઈબ્ને માજહ, ૧/૧૪૮, સહીહ તિરમિઝી, ૧/૯૦.
૧૨૯- (("અલ્લાહુમ્મ ઝિદ્-ના વલા તન્કુસ્ના, વઅક્રિમ્ના વલા તુહિન્ના, વઅઅતિના વલા તહ્-રિમ્ના, વઆષિર્ના વલા તુઅષિર્ અલૈના, વઅર્-ઝિના વર્-ઝ અન્ના" (અર્થ: હે અલ્લાહ! અમને વધારે આપ, અને ઘટાડો ન કર, અમને સન્માન આપ અને અમારું અપમાન ન કર, અમને તારી નેઅમતો આપ, તારી રહમતથી અમને વંચિત ન કર, અમને અન્ય લોકો પર પ્રાથમિકતા આપ, અને અન્યને અમારા પર પ્રાથમિકતા અને પ્રભુત્વ ન આપ અને અમને (પોતાની ઈબાદત અને બંદગી માટે) રાજી કરી દે, અને અમારાથી ખુશ થઈ જા)) [૯૩]. [૯૩] તિર્મિઝી, ૫/૩૨૬, હદીષ નંબર: ૩૧૭૩, હાકિમ, ૨/૯૮, અને ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ સહીહ કહી છે, અને અબ્દુલ કાદિર અલ્ અરનાવૂતએ જામિઉલ્ ઉસૂલની પુષ્ટિમાં હસન કહી છે, ૧૧/૨૮૨, હદીષ નંબર: ૮૮૪૭.
૧૩૦- (("અલ્લાહુમ્મ અહ્સન્ત ખલ્કી, ફઅહ્સિન્ ખુલુકી" (અર્થ: હે અલ્લાહ! જે રીતે તે મારી રચના ઉત્તમ કરી છે, તું એવી જ રીતે મારા અખલાક (ચારિત્ર્ય) સારા બનાવી દે)) [૯૪]. [૯૪] મુસ્નદ અહમદ, ૬/૬૮, ૧૫૫, ૧/૪૦૩, ઈબ્ને હિબ્બાન (મવારિદ), ૨૪૨૩, તયાલિસી, ૩૭૪, મુસ્નદ અબી યઅલા, હદીષ નંબર: ૫૦૭૫, ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ ઈરવાઉલ્ ગલીલમાં સહીહ કહી છે, ૧/૧૧૫, હદીષ નંબર: ૭૪.
૧૩૧- (("અલ્લાહુમ્મ ષબ્બિત્ની વજ્અલ્ની હાદિયન્ મહ્દિય્યન્" (અર્થ: હે અલ્લાહ! તું મને દીન પર અડગ કરી દે અને (તારા તરફથી) હિદાયત આપનાર અને હિદાયત મેળવનાર બનાવી દે))[૯૫]. [૯૫] આ હદીષનો પુરાવો માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જરીર રઝી અલ્લાહુ અન્હુ માટે કરેલી દુઆ જુઓ, સહીહ બુખારી, હદીષ નંબર: ૬૩૩૩, એવી જ રીતે બીજી જગ્યાએ, ૩૦૨૦, ૩૦૩૬, વગેરે.
૧૩૨- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકષ્ ષબાત ફિલ્ અમ્રિ વલ્ અઝીમતિ અલર્ રુશ્દિ, વઅસ્અલુક નિઅમતક વહુસ્નિ ઈબાદતિક, વઅસ્અલુક કલ્બન સલિમન્ વ લિસાનન્ સાદિકન્, વઅસ્અલુક્ મિન્ ખૈરિ મા તઅલમ્, વઅઊઝુબિક મિન્ શર્રિ મા તઅલમ, વઅસ્તગ્ફિરુક લમ્મા તઅલમ, ઇન્નક અલ્લામુલ્ ગુયૂબ્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે દીન પર સાબિત રહેવા અને હિદાયત પર અડગ રહેવાની તૌફીક માગું છું, હું તારી પાસે તે આપેલ નેઅમતોનો શુકર કરવા અને નિખાલસતાથી તારી ઈબાદત કરવાનો સવાલ કરું છું, હું તારી પાસે સલામતી વાળું દિલ, અને સાચી જબાનનો સવાલ કરું છું, અને હું તારી પાસે તે દરેક ભલાઈનો સવાલ કરું છું, જેને તું જાણે છે, અને તે દરેક બુરાઈથી તારી પનાહમાં આવું છું, જેને તું જાણે છે, અને હું તારી પાસે તે દરેક ગુનાહની માફી માંગુ છું, જેને તું જાણે છે, ખરેખર તું ગૈબ જાણવવાળો છે)) [૯૬]. [૯૬] મુસ્નદ અહમદ, ૨૮/૩૩૮, હદીષ નંબર: ૧૭૧૩૩, તિર્મિઝી, હદીષ નંબર: ૩૪૦૭, અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ આ જ શબ્દો સાથે મુઅજમુલ્ કબીરમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૭૧૩૫, ૭૧૫૭, ૭૧૭૫, ૭૧૭૬,, ૭૧૭૭, ૭૧૭૮, ૭૧૭૯, ૭૧૮૦, અને ઈમામ ઇબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ પોતાની સહીહમાં રીવાયત કરી છે, ૩/૨૧૫, હદીષ નંબર: ૯૩૫, અને ૫/૩૧૦, હદીષ નંબર: ૧૯૭૪, અને શુઐબ અલ્ અરનાવૂતએ સહીહ ઇબ્ને હિબ્બાનમાં સહીહ કહી છે, અને બીજી રિવાયતને મુસ્નદની પુષ્ટિ કરનાર લોકોએ હસન કહી છે, ૨૮/૩૩૮, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિતુ અહાદિસુસ્ સહીહહના સાતમાં ભાગમાં વર્ણન કરી છે, હદીષ નંબર: ૩૨૨૮, અને સહીહ મવારિદુઝ્ ઝમઆન માં પણ, હદીષ નંબર: ૨૪૧૬,, ૨૪૧૮, અને કહ્યું: ((આ હદીષ સહીહ લિગૈરિહિ દરજ્જાની છે)).
૧૩૩- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ ફિર્-દૌસ અઅલ્ જન્નત" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે જન્નતમાં ઉચ્ચ ફિરદૌસનો સવાલ કરું છું))[૯૭]. [૯૭] નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની વાત માંથી લેવામાં આવી છે: ((...જ્યારે તમે અલ્લાહ સમક્ષ સવાલ કરો તો ફિરદૌસનો સવાલ કરો, કારણકે તે જન્નતનો વચ્ચેનો ભાગ છે, અને તેની ઉપર જન્નતનો ઉપરનો ભાગ છે અને તેની ઉપર અલ્લાહનું અર્શ છે, જ્યાંથી જન્નતની નહેરો નીકળે છે)), સહીહ બુખારી, હદીષ નંબર: ૨૮૯૦, ૭૪૨૩.
૧૩૪- (("અલ્લાહુમ્મ જદ્દિદિલ્ ઈમાન ફી કલબી" (અર્થ: હે અલ્લાહ! તું મારા દિલમાં ઈમાનને નવું કરી દે))[૯૮]. [૯૮] અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ માંથી આ દુઆ લેવામાં આવી છે, તેમણે કહ્યું: કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((ઇમાન તમારા પેટમાં એવી જ રીતે જુનું થઇ જાય છે, જેવી રીતે કપડા જુના થઇ જાય છે, તેથી તમે અલ્લાહ પાસે પોતાના ઈમાનના નવીકરણ માટે દુઆ કરતા રહો)), હાકિમ, ૧/૪, અને ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ સહીહ કહી છે અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ પુષ્ટિ કરી છે, ઈમામ હૈષમી રહિમહુલ્લાહએ મજમઉઝ્ ઝવાઈદમાં કહ્યું: ૧/૫૨: ((આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ કબીરમાં રિવાયત કરી, જેની સનદ હસન છે)), અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિતુ અહાદિસુસ્ સહીહહમાં હસન કહી છે, ૪/૧૧૩, હદીષ નંબર: ૧૫૮૫.
૧૩૫- (("અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિનલસ્ સલાતિન્ લા તન્ફઉ" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તે નમાઝથી પનાહ માગું છું, જે મને ફાયદો ન પહોચાડે))[૯૯]. ૧૩૬- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ જારિસ્ સૂઈ, વમિન્ ઝવ્જિન્ તુશય્યિબુનિ કબ્લલ્ મશીબિ, વમિન્ વલદિન્ યકૂનુ અલય્ય રબ્બન્, વમિન્ માલિન્ યકૂનુ અલય્ય અઝાબન્, વમિન્ ખલીલિન્ માકિરિન્ અય્નુહુ તરાની, વકલ્બુહુ યર્-આની; ઈન્ રઆ હસનતન્ દફનહા, વઈઝા રઆ સય્યિઅતન્ અઝાઅહા" (અર્થ: હે અલ્લાહ! હું તારી પનાહ માંગુ છું, ખરાબ પાડોશીથી, એવી પત્નીથી જે મને વૃદ્ધા વસ્થા પહેલા જ વૃદ્ધ કરી દે, એવી સંતાનથી જે મારા પર હાકિમ બની જાય, એવા માલથી જે મારા માટે અઝાબનું કારણ બને, એવા ચાલાક દોસ્તોથી, જેની આંખો મારા તરફ હોય, પરંતુ તેનું દિલ મારી પાછળ પડ્યું હોય, અને જે મારી કોઈ નેકીને જુએ તો તેને દબાવી દે અને મારી દરેક બુરાઈને જુએ તો તેને ફેલાવતો જાય)) [૧૦૦]. [૧૦૦] અબૂ દાવૂદ, હદીષ નંબર: ૧૫૪૯, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ સુનન અબી દાવૂદમાં સહી કહી છે, ૧/૪૨૪. [૧૦૦] ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ અદ્ દુઆ માં રિવાયત કરી છે, ૩/૧૪૨૫, હદીષ નંબર: ૧૩૩૯, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષિસ્ સહીહહમાં, ૭/૩૭૭, હદીષ નંબર: ૩૧૩૭, કહ્યું: ((હું કહું છું કે આ હદીષના વર્ણનકર્તા સારા છે અને તેને દરેક લોકોનો ઉલ્લેખ "અત્ તહઝીબ" માં થયો છે...)).
૧૩૭- (("અલ્લાહુમ્મ લા તુખ્ઝિની યવ્મલ્ કિયામતિ" (અર્થ: હે અલ્લાહ! તું કયામતના દિવસે મારું અપમાન ન કરજે))[૧૦૧]. [૧૦૧] ઈમામ અહમદ રહિમહુલ્લાહએ મુસ્નદમાં રિવાયત કરી છે, ૨૯/૫૯૬, હદીષ નંબર: ૧૮૦૫૬, અને મુસ્નદની પુષ્ટિ કરનારા લોકોએ કહ્યું: ((આ હદીષની સનદ સહીહ છે)), અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ મુઅજમુલ્ કબીરમાં રિવાયત કરી છે, ૩/૨૦, હદીષ નંબર: ૨૫૨૪, આ શબ્દો સાથે: ((હે અલ્લાહ! તું કયામતના દિવસે મારું અપમાન ન કરજે અને મુસીબતના દિવસે મારું અપમાન ન કરજે)).
૧૩૮- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ મુઆફાત ફિદ્ દુનિયા વલ્ આખિરતિ" (અર્થ: હે અલ્લાહ! હું દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું)) [૧૦૨]. [૧૦૨] ઇબ્ને માજહ, હદીષ નંબર: ૩૮૫૧, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ ઇબ્ને માજહમાં સહીહ કહી છે, ૩/૨૫૯, અને સિલ્સિલતુ અહાદિષિસ્ સહીહહમાં સહીહ કહી છે, હદીષ નંબર: ૧૧૩૮.
૧૩૯- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઅ, વ અમલિન્ લા યુર્-ફઉ, વ મિન્ કલ્બિન્ લા યખ્શઅ, વ કવ્લિન્ લા યુસ્મઅ" (અર્થ: હે અલ્લાહ! હું એવા ઇલ્મથી તારી પનાહ માગું છું, જે મને ફાયદો ન પહોચાડે, એવા અમલથી, જે કબૂલ ન થાય, એવા દિલથી, જે ભયભીત ન થાય, અને એવી વાતથી, જે સાંભળવામાં ન આવે)) [૧૦૩]. [૧૦૩] ઈમામ ઇબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છે (મવારિદ) , હદીષ નંબર: ૨૪૪૦, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ મવારિદુઝ્ ઝમઆનમાં સહીહ કહી છે, ૨/૪૫૪, હદીષ નંબર: ૨૦૬૬.
૧૪૦- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ હમ્મિ વલ્ હઝનિ, વલ્ અજ્ઝિ વલ્ કસલિ, વલ્ બુખ્લિ, વલ્ જુબ્નિ, વઝલ્ઈદ્ દૈનિ વ ગલબતિર્ રિજાલિ" (અર્થ: હે અલ્લાહ! હું ચિંતા, દુઃખ, કમજોરી, આળસ, કંજુસાઈ, કાયરતા, તેમજ દેવામાં ફસાઈ જવાથી અને લોકોના મારા પર હાવી થઈ જવાથી તારી પનાહ માંગુ છું))[૧૦૫]. [૧૦૪] સહીહ બુખારી, હદીષ નંબર: ૬૩૬૩, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ((હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે પણ ઘરમાં હોય, તેમની સેવા કરતો, તે સમય દરમિયાન મેં સંભાળ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વધુ માં વધુ આ દુઆ પઢતા હતા: ((હે અલ્લાહ! હું તારી પનાહ માંગું છું...)).
૧૪૧- (("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ અઝાબિન્ નારિ, વ અઊઝુ બિક મિન્ અઝાબિલ્ કબ્રિ, અઊઝુ બિક મિનલ્ ફિતનિ મા ઝહર મિન્હા વમા બતન, અઊઝુ બિક મિન્ ફિત્નતિદ્ દજ્જાલિ" (અર્થ: હે અલ્લાહ! હું જહન્નમના અઝાબથી તારી પનાહ માંગુ છું, કબરના અઝાબથી તારી પનાહ માંગુ છું, અને હું જે ફિતના જાહેર છે અને જે છુપા છે તે બન્નેથી પનાહ માગું છું, અને હું દજ્જાલના ફિતનાથી તારી પનાહ માંગુ છું)) [૧૦૫]. [૧૦૫] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૮૬૭, અને તેમાં છે: ((તમે અલ્લાહ પાસે જહન્નમના અઝાબથી પનાહ માંગો))..., [તમે કબરના અઝાબથી અલ્લાહની પનાહ માંગો...] છેલ્લે સુધી.
૧૪૨- (("અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક શહાદતન્ ફી સબીલિક" (અર્થ: હે અલ્લાહ! હું તારા માર્ગમાં શહાદતનો સવાલ કરું છું)) [૧૦૬]. [૧૦૬] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૧૯૦૯, (આ દુઆ) નબી રહિમહુલ્લાહ સલ્લલ્લાહુના વાણી માંથી લેવામાં આવી છે: ((જે વ્યક્તિ સાચા દિલથી અલ્લાહ પાસે શહાદત (અલ્લાહના માર્ગમાં મૃત્યુ પામવું) માંગે તો અલ્લાહ તેને શહીદોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, પછી ભલે ને તે પોતાની પથારી પર મૃત્યુ પામે)).
૧૪૩- (("અલ્લાહુમ્મગ્ફિર્ લી, અલ્લાહુમ્મજ્અલ્ની યવ્મલ્ કિયામતિ ફવ્ક કષીરિમ્ મિન્ ખલ્કિક મિનન્ નાસ, અલ્લાહુમ્મગ્ફિર્ લી ઝન્બી, વ અદ્ખિલ્ની યવ્મલ્ કિયામતિ મુદ્ખલન્ કરીમા" (અર્થ: હે અલ્લાહ! તું મને માફ કરી દે, હે અલ્લાહ! પોતાના સર્જનમાં મને પ્રાથમિકતા આપ, હે અલ્લાહ! તું મારા ગુનાહોને માફ કરી દે અને મને પ્રતિષ્ઠિત જગ્યાએ દાખલ કર))[૧૦૭]. [૧૦૭] સહીહ બુખારી, હદીષ નંબર: ૪૩૨૩, સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૪૯૮, અને આ દુઆ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુઆ જે ઉબૈદ બિન્ આમીર માટે કરી હતી, તે અને જે દુઆ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ બરદહ રઝી અલ્લાહુ અન્હુ માટે કરી હતી, તેમાંથી લેવામાં આવી છે.
૧૪૪- (("અલ્લાહુમ્મહ્ દિની ફીમન્ હદય્ત, વઆફિની ફીમન્ આફય્ત, વતવલ્લની ફીમન્ તવલ્લય્ત, વબારિક્ લી ફીમા અઅતય્ત, વકિની શર્રમાક્ તઝય્ત, ઈન્નહુ લા યઝિલ્લુ મવ્ વાલૈત, તબારક્ત રબ્બના વતઆલૈત" (અર્થ: હે અલ્લાહ! મને હિદાયત આપી તે લોકોમાં મારો સમાવેશ કરી દે, જે લોકોને તે હિદાયત આપી છે, મને આફિયત આપી તે લોકોમાં મારો સમાવેશ કરી દે, જે લોકોને તે આફિયત આપી છે, અને જે લોકોને તે પોતાના દોસ્ત બનાવ્યા હોય, તે લોકોમાં મારો સમાવેશ કરી મને પણ દોસ્ત બનાવી લે, જે કંઈ તે મને આપી રાખ્યું છે, તેમાં તું મારા માટે બરકત આપ, મને પોતાના નિર્ણયની દુષ્ટતાથી સુરક્ષિત રાખ, ખરેખર નિર્ણય કરનાર તો તું જ છે, તારા વિરુદ્ધ કોઈ નિર્ણય નથી કરી શકતું, અને જેનો તું દોસ્ત બની જાય તેનું અપમાન ક્યારેય થઈ શકતું નથી, હે અમારા પાલનહાર! તું જ બરકત વાળો અને મહાનતા વાળો છે)) [૧૦૮]. [૧૦૮] ઈમામ અહમદ રહિમહુલ્લાહએ મુસ્નદમાં રિવાયત કરી છે, ૩/૨૪૯, હદીષ નંબર: ૧૭૨૩, અને મુસ્નદની પુષ્ટિ કરનારા લોકોએ કહ્યું: ((આ હદીષની સનદ સહીહ છે)), આ એક સામાન્ય રિવાયત છે, મુતવાતિર (સતત) નથી, જેમ કે બીજી રીવાયતો જોવા મળે છે, આ રિવાયતમાં છે કે અનસ રાઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: ((નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આ દુઆ શીખવાડતા હતા...)).
૧૪૫- (("રબ્બિગ્ફિર્લી ખતિઅતી યવ્મદ્ દીનિ" (અર્થ: હે મારા પાલનહાર! કયામતના દિવસે તું મારા ગુનાહ માફ કરી દે જે)) [૧૦૯]. [૧૦૯] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: ૨૧૪, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કેહવામાં આવ્યું: હે અલ્લાહના પયગંબર, ઇબ્ને જદઆન, અજ્ઞાનતાના સમયે લોકો સાથે સદ્ વ્યવહાર કરતા હતા, ગરીબોને ખાવાનું ખવડાવતા હતા, તો આ બધું તેમને કઈ ફાયદો પહોંચાડશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((તેને તેનો કઈ ફાયદો નહીં થાય; કારણકે તેણે કયારેય એવું નથી કહ્યું કે હે મારા પાલનહાર! કયામતના દિવસે મારા ગુનાહો માફ કરી દે જે)).
૧૪૬- (("અસ્તગ્ફિરુલ્લાહલ્ અઝીમલ્ લઝી લા ઇલાહ ઇલ્લા હુવ, અલ્ હય્યુલ્ કય્યુમ, વઅતૂબુ ઈલૈહ" (અર્થ: હું મહાન અલ્લાહ પાસે માફી માંગું છું, જેના સિવાય કોઈ ઇલાહ નથી, તે હંમેશા જીવિત રહેનાર, કાયમ રહેવાવાળો છે, અને હું તેની જ તરફ પાછો ફરું છું)) [૧૧૦]. [૧૧૦] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૭૭, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ તિર્મિઝીમાં સહીહ કહી છે, ૩/૪૬૯: ((જે વ્યક્તિ એ પણ કહ્યું કે અલ્લાહ તેને માફ કરી દે, તો અલ્લાહ તેને માફ કરી દેશે પછી ભલેને તે હદ વટાવી જનાર હોય)).
૧૪૭- (("અલ્લાહુમ્મગ્ફિર્લિ ઝન્બી, વઝ્હબ ગૈઝ કલ્બી વઅજિર્ની મિન્ મુઝિલ્લાતિલ્ ફિતનિ" (અર્થ: હે અલ્લાહ! તું મારા ગુનાહોને માફ કરી દે, મારા દિલની કઠિનતાને દૂર કરી દે, મને ફિતનાની પથભ્રષ્ટતાથી બચાવી લે)) [૧૧૧]. [૧૧૧] નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આયશા રઝી અલ્લાહુ અન્હા માટે જે દુઆ કરી હતી તેમાંથી આ દુઆ લેવામાં આવી છે: ((હે અલ્લાહ! તું તેના ગુનાહ માફ કરી દે, અને તેના દિલની કઠિનતાને દૂર કરી દે અને તેને ખરાબ ફિતનાથી બચાવી લે)) ઇબ્ને અસાકિર રહિમહુલ્લાહએ પોતાની સનદ સાથે રિવાયત કરી છે ((અલ્ અરબઇન ફી મનાકિબિ ઉમ્મહાતુલ્ મઅમિનીન)), પેજ નંબર: ૮૫, આયશા રઝી અલ્લાહુ અન્હાની રિવાયત, અને કહ્યું: ((આ હદીષ બકિય્યા બિન્ વલીદની હદીષો માંથી સહીહ હસન છે)), ઇબ્ને સુન્ની એ પણ આ પ્રમાણે જ રિવાયત કરી છે અમલુલ્ યૈમ વલ્ લૈલમાં, હદીષ નંબર: ૪૫૭, ઇબ્ને સુન્નીના બીજી નકલમાં કહ્યું: ((મને શૈતાનથી બચાવી લે)), ((ખરાબ ફિતનાથી બચાવી લે)), શબ્દોના બદલામાં, અને જુઓ ઈમામ અલ્બાની રહિમહુલ્લાહ ની તખ્રીજ ઝઈફહમાં, હદીષ નંબર: ૪૨૦૭, અને તેની પુષ્ટિ માટે ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાની હદીષ, જે ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, ૨/૪૪, હદીષ નંબર: ૨૬૫૭૬, અને તેના શબ્દો: ((કહો, હે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પાલનહાર! મારા ગુનાહ માફ કરી દે અને મારા દિલ માંથી ગુસ્સો દૂર કરી દે અને જ્યાં સુધુ હું જીવિત રહું ત્યાં સુધી મને ખરાબ ફિતનાથી બચાવી લે)) ઈમામ હૈષમી રહિમહુલ્લાહએ મજમઉઝ્ ઝવાઈદમાં હસન કહી છે, ૨૭/૧૦, અને આ હદીષ ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ મુઅજમૂલ્ કબીરમાં ,૨૩/૩૩૮, હદીષ નંબર: ૭૮૫, ((જ્યાં સુધી જીવિત રહું)), આ શબ્દો વગર રિવાયત કરી છે, અને આ હદીષની પુષ્ટિ માટે ઉમ્મે હાની રઝી અલ્લાહુ અન્હાની હદીષ, તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! મને દુઆ શીખવાડો જેથી હું તેના વડે દુઆ કરું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((કહો હે અલ્લાહ! મારા ગુનાહ માફ કરી દે...)) હદીષ અંત સુધી, અને ઈમામ ખરાઈતી રહિમહુલ્લાહએ ઈઅતિલાલુલ્ કુલૂબમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૨, અને મસાવિઉલ્ અખલાક, હદીષ નંબર: ૩૨૩.
૧૪૮- (("અલ્લાહુમ્મ અહ્યિની અલા સુન્નતિ નબિય્યિક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વતવફ્ની અલા મિલ્લતિહિ, વઅઈઝ્ની મિન્ મુઝિલ્લાતિલ્ ફિતનિ" (અર્થ: હે અલ્લાહ! તું મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત પર જીવિત રાખ, અને તેમના જ તરીકા પર મૃત્યુ આપ, અને મને ફિતનાની પથભ્રષ્ટતાથી બચાવી લે)) [૧૧૨]. [૧૧૨] ઈમામ બૈહકી રહિમહુલ્લાહએ અલ્ કુબ્રામાં, ૫/૯૫. ઇબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની દુઆ મવકૂફન રિવાયત કરી છે, અને ઈમામ ઇબ્ને મુલક્કીન રહિમહુલ્લાહએ અલ્ બદરુલ્ મુનીરમાં નલલ કરી, ૬/૩૦૯ અને ઝીયાથી નકલ કરી કહ્યું: ((આ હદીષની સનદ સારી છે)), ઇબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ((તમારા માંથી કોઈ એવું ન કહે કે હે અલ્લાહ! હું ફિતનાથી પનાહ માંગું છે; કારણકે કોઈ એવું નથી જે ફિતનાથી બચેલું હોય; અલ્લાહ તઆલા કહે છે: {ખરેખર તમારો માલ અને અને તમારી સંતાન તમારા માટે ફિતનો છે} [અત્ તગાબુન: ૧૫], બસ તમારા માંથી કોણ છે જે ફિતનાની ગુમરાહીથી પનાહ માંગે છે)), ઇબ્ને જરીર રહિમહુલ્લાહએ પોતાની તફસીરમાં વર્ણન કરી, ૧૩/૪૭૫, નંબર: ૧૫૯૧૨, અને ઈમામ ઇબ્ને બત્તાલ રહિમહુલ્લાહએ બુખારીની સમજૂતીમાં વર્ણન કરી, ૪/૧૩.
૧૪૯- (("અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા સલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે પોતાની કૃપા ઉતાર, જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર પર પોતાની કૃપા ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીયછે, હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે બરકતો ઉતાર, જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર સંતાન પર બરકતો ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીય છે)) [૧૧૩]. [૧૧૩] સહીહ બુખારી, હદીષ નંબર: ૩૩૭૦, અને જે હદીષ બંને કૌંસ વચ્ચે વર્ણન કરવામાં આવી છે, તે હદીષ ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ એ અબૂ હુરૈરહ -રઝી અલ્લાહુ અન્હુ- દ્વારા રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૦૫.
દરેક પ્રકારના વખાણ ફક્ત સમગ્ર સુષ્ટિના પનાહાર માટે જ છે, જે તેની ઉચ્ચ મહાનતાને લાયક છે, અલ્લાહની રહેમતો અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમની સંતાન પર, તેમના સાથીઓ પર અને તેમના અનુયાયીઓ પર જેમણે કયામત સુધી અનુસરણ કર્યું.
રુકિય્યહ (ઝાડ-ફૂંક, દમ) દ્વારા ઈલાજ
કુરઆન અને હદીષ માંથી
અલ્લાહની કૃપાનો જરૂરતમંદ બંદો
દુક્તૂર સઈદ બિન્ અલી બિન્ વહફ અલ્ કહ્તાની
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
પ્રસ્તાવના: કુરઆન અને હદીષ દ્વારા સારવાર કરવાની મહત્ત્વતા
દરેક પ્રકારની પ્રશંસા ફક્ત અલ્લાહ માટે જ છે, અમે તેની પ્રશંસા કરીએ છીએ, તેની પાસે જ મદદ માંગીએ છીએ, તેની પાસે જ પોતાના ગુનાહોની માફી માંગીએ છે, તેની તરફ જ તૌબા કરીએ છીએ, અમે અમારી આત્માની દુષ્ટતા તેમજ ખરાબ કાર્યોથી અલ્લાહની પનાહ માંગીએ છીએ, જેને અલ્લાહ હિદાયત આપે તેને કોઈ પથભ્રષ્ટ નથી કરી શકતું, જેને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે તેને કોઈ હિદાયત આપી શકતું નથી, હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, હું સાક્ષી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના બંદા અને તેના પયગંબર છે, તેમના પર, તેમના ખાનદાન વાળાઓ પર, તેમના સહાબાઓ પર અને જેમણે ભલાઈ સાથે તેમનું અનુસરણ કર્યું તેમના પર અલ્લાહની રહમતો ઉતરે, આપ પર ખૂબ ખૂબ દરૂદ અને સલામતી, ત્યાર પછી:
ખરેખર કુરઆન અને હદીષ દ્વારા કરવામાં આવતા રુકિય્યહ (દમ) ફાયદાકારક છે, જે સંપૂર્ણ શિફા (સારવાર) અપાવનાર છે, જેમકે સર્વશ્રેષ્ઠ અલ્લાહએ કહ્યું: {તમે તેમને કહી દો! આ તો ઈમાનવાળાઓ માટે હિદાયત અને રોગ-નિવારણનું કારણ છે} સૂરે ફુસ્સિલત, આયત નંબર: ૪૪. બીજી જગ્યાએ પવિત્ર અને ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને અમે કુરઆનમાં જે કઈ પણ ઉતારીએ છીએ તે તો મોમિનો માટે શિફા અને રહેમત છે, પરંતુ જાલિમ લોકોના નુકસાનમાં વધારો કરે છે} સૂરે અલ્ ઇસ્રા, આયત નંબર: ૮૨. આ આયતમાં વર્ણવેલ શબ્દ "મિન" અહીંયા શ્રેણી વર્ણન કરવા માટે છે; કારણ કે કુરઆન સંપૂર્ણ શિફા (સ્વાસ્થ્ય) છે, જેમકે પાછળની આયતમાં વર્ણન થયું [૧], એવી જ રીતે બીજી એક જગ્યાએ સર્વશ્રેષ્ઠ અલ્લાહએ કહ્યું: {હે લોકો! તમારી પાસે તમારા પાલનહાર તરફથી નસીહત આવી ગઇ છે, અને જે લોકોના હૃદયોમાં રોગ છે, તેમના માટે તે દવા છે અને મોમિનો માટે હિદાયત અને રહેમત છે} સૂરે યુનૂસ, આયત નંબર: ૫૭. [૧] જુઓ: ઈમામ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહની કિતાબ "અલ્ જવાબુલ્ કાફી લિમન સઅલ અનિદ્ દવાઈશ્ શાફી", પેજ નંબર: ૨૦.
તો આ રીતે કુરઆન શરીર તથા આત્માના દરેક રોગો તેમજ દુનિયા અને આખિરતની દરેક બીમારીઓ માટે સંપૂર્ણ રીતે શિફા (સારવાર) છે, પરંતુ દરેક વ્યક્તિ ન તો કુરઆન દ્વારા ઈલાજ પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે, ન તો દરેકને તેની તક મળે છે, સત્યતા એ છે કે જો કોઈ રોગી સાચા મનથી, ઈમાન તથા સંપૂર્ણ વિશ્વાસ સાથે અને દુઆને કબૂલ થવાની શરતોનું પાલન કરી કુરઆન દ્વારા ઈલાજ કરે, તો ક્યારે પણ કોઈ બીમારી તેની સામે ટકી શકતી નથી, આકાશો અને જમીનના માલિકની વાણી સમક્ષ કેવી રીતે ટકી શકે છે કે જેને પર્વતો પર ઉતારવામાં આવતી તો તે ફાટી જતા, અને જો ધરતી પર ઉતારવામાં આવતી તો ધરતીના ટુકડા થઇ જતા, તો શરીર અને આત્માની કોઈ બીમારી એવી નથી જેનો ઈલાજ, સ્ત્રોત અને તેનાથી સુરક્ષિત રહેવાના તરીકા કુરઆનમાં ન હોય, તે લોકો માટે જેમને અલ્લાહએ પોતાની પુસ્તકની સમજ આપી છે, મહાન અલ્લાહએ શરીર અને આત્માની બીમારીઓ અને તેની સારવારનું વર્ણન કર્યું છે:
દિલની બીમારીઓના બે પ્રકાર છે: શંકાની બીમારીઓ, મનેચ્છા અને પથભ્રષ્ટતાની બીમારીઓ, ઉચ્ચ અને મહાન અલ્લાહએ વિસ્તાર પૂર્વક દિલની બીમારીઓ વર્ણન કરી, તેનું કારણ અને સારવાર પણ જણાવી [૨], ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {શું આ લોકો માટે પૂરતું નથી કે અમે તમારા પર આ કિતાબ ઉતારી છે, જે તેમની સમક્ષ પઢવામાં આવે છે, તેમાં ઈમાનવાળાઓ માટે રહેમત અને શિખામણ છે} સૂરે અલ્ અન્કબૂત, આયત નંબર: ૫૧. અલ્લામહ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: ((જે વ્યક્તિને કુરઆન શિફા (સારવાર) ન આપે, તેને અલ્લાહ શિફા નથી આપતો, અને જેના માટે કુરઆન પુરતું ન થઇ જાય, અલ્લાહ તેના માટે પુરતો થતો નથી)) [૩]. [૨] અલ્લામહ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહની કિતાબ, "ઝાદુલ્ મઆદ" ૪/૬ અને ૪/૩૫૨. [૩] ઝાદુલ્ મઆદ: ૪/૩૫૨.
જ્યાં સુધી શરીરની બીમારીઓની વાત છે, તો કુરઆને તેની સારવારને લગતા મૂળભૂત સિદ્ધાંતો આપ્યા છે, જોવા જઈએ તો શારીરિક ચિકિત્સાના દરેક નિયમો કુરઆનમાં છે, અને તે ત્રણ છે: સ્વાસ્થ્યની સુરક્ષા, હાનિકારક બાબતોથી દૂર રહેવું, અને હાનિકારક વસ્તુઓને ખત્મ કરવી, તથા તેના આધારે દરેક બીમારીઓની સારવાર કરવી [૪]. [૪] ઝાદુલ્ મઆદ: અને ૪/૩૫૨, અને ૪/૬.
જો માનવી કુરઆન દ્વારા સારી રીતે સારવાર કરે, તો તેને તરત જ સારવારમાં આશ્ચર્જનક અસરો જોવા મળશે.
અલ્લામહ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: ((મક્કહમાં એક સમય એવો આવ્યો કે હું બીમાર થઇ ગયો, મને ન તો કોઈ ડૉક્ટર મળ્યો ન દવા, આ સ્થિતિમાં હું સૂરે ફાતિહા દ્વારા ઈલાજ કરતો હતો, અને તેનો આશ્ચર્યજનક અસર જોતો હતો, હું થોડું ઝમઝમનું પાણી લઇ તેના પર ઘણીવાર સૂરે ફાતિહા પઢતો, ફરી તેને પી લેતો, તો તેના દ્વારા મને સંપૂર્ણ સારવાર પ્રાપ્ત થઇ, ફરી મેં ઘણી બીમારીઓમાં તેના પર ભરોસો કર્યો, અને મને ઘણો ફાયદો થવા લાગ્યો, જયારે પણ કોઈને કોઈ પરેશાની થતી, તો હું તેને આજ તરીકો બતાવતો અને ઘણા લોકો જડપથી સારા થઇ જતા)) [૫]. [૫] જુઓ: ઝાદુલ્ મઆદ: ૪/૧૭૮, અને અલ્ જવાબુલ્ કાફી, પેજ નંબર: ૨૧.
એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત તરીકાથી પણ સારવાર ખુબ જ લાભદાયક છે, અને દુઆઓ પણ, જો અવરોધ વિના હોય, તો અપ્રિય વસ્તુઓથી બચાવ અને હેતુની પ્રાપ્તિ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે, ખાસ કરીને જયારે વિનમ્રતા સાથે દુઆ કરવામાં આવે, દુઆ તકલીફની દુશ્મન છે, તેનો સામનો કરે છે અને ઈલાજ પણ કરે છે અને તે મુસીબતને ટાળી દે છે, અને તે મુસીબત આવી પહોંચી હોય, તો તેને હળવી કરી દે છે [૬]; કારણ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દુઆ આવેલી આફતમાં પણ ફાયદાકારક છે અને જે આફત આવી નથી, તેમાં પણ ફાયદાકારક છે, તથી અલ્લાહના બંદાઓ દુઆ કરો»[7]; એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના નિર્ણયને દુઆ સિવાય બીજી વસ્તુ ટાળી શકતી નથી અને નેકી સિવાય કોઈ વસ્તુ ઉંમરમાં વધારો કરતી નથી»[૮], પરંતુ અહીંયા એક વાત પર ધ્યાન આપવા જેવુ છે: ખરેખર કુરઆનની આયતો, અઝ્કાર, દુઆઓ અને શરણ પ્રાપ્ત કરવાના શબ્દોને સ્વાસ્થ્યના લાભ માટે પઢવામાં આવે છે, અને જેના દ્વારા દમ કરવામાં આવે છે તે સ્વયં તો લાભદાયક છે અને શિફા આપે છે, પરંતુ તેને કરનારના પ્રભાવની પણ જરૂર હોય છે, એટલા માટે જો સારવાર પ્રાપ્ત ન થાય, તો તેનો અર્થ એ કે પઢનારમાં કોઈ કમજોરી છે, જેથી ન તો દુઆ કબૂલ થાય છે અથવા કોઈ એવો અવરોધ છે, જેના કારણે દવા કામ નથી કરી રહી; કારણ કે રુકિય્યહ દ્વારા ઈલાજ બે બાબતો પર આધારિત છે: [૬]જુઓ: અલ્ જવાબુલ્ કાફી, પેજ નંબર: ૨૨-૨૫. [૭] તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૪૮, હાકિમ, ૧/૬૭૦, મુસ્નદ અહમદ, હદીષ નંબર: ૨૨૦૪૪, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહુલ્ જામિઅમાં હસન દરજ્જાની કહી છે, ૩/૧૫૧, હદીષ નંબર: ૩૪૦૩. [૮] હાકિમ, ૧/૬૭૦, તિર્મિઝી, હદીષ નંબર: ૨૧૩૯, મુસ્નદ અહમદ, હદીષ નંબર: ૨૨૦૪૪, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહહમાં હસન દરજ્જાની કહી છે, ૧/૭૬, હદીષ નંબર: ૧૫૪.
પહેલી બાબત: દર્દીના દ્રષ્ટિકોણથી, ખરેખર બીમાર વ્યક્તિ ત્યારે જ સાજો થાય છે, જ્યારે તેનામાં આત્મવિશ્વાસ, અલ્લાહ પ્રત્યે સાચો લગાવ હોય અને કુરઆન મોમિનો માટે કૃપા અને ઉપચાર છે, તેવી દ્રઢ માન્યતા હોય, એવી જ રીતે તે દિલ અને જુબાન બંને દ્વારા એક સાથે અલ્લાહ પાસે શરણ માંગે; કારણકે આ એક પ્રકારનું યુદ્ધ છે, અને યુદ્ધમાં દુશ્મનનો સામનો કરવા માટે યોદ્ધામાં બે વસ્તુઓ હોવી જરૂરી છે:
એક એ કે તેની પાસે યોગ્ય અને ઉત્તમ શસ્ત્રો હોય અને બીજું એ કે તેનો હાથ મજબૂત હોવો જોઈએ, જો આ બંને માંથી એક પણ વસ્તુ નહીં હોય, તો શસ્ત્રો ફાયદો નહીં આપે, તો (તમે જોઈ શકો છો) કે એવી સ્થિતિમાં જ્યારે બન્ને ન હોય તો શું થશે? દિલ, તૌહીદ, અલ્લાહ પર ભરોસો અને ભય ન હોય, અને સાથે સાથે શસ્ત્રો પણ ન હોય.
બીજી બાબત: કુરઆન અને હદીષ દ્વારા ઈલાજ કરનાર માટે જરૂરી છે કે તેમાં પણ આ બંને વસ્તુઓ હોય [૯]; એટલા માટે જ ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: ((શરણના શબ્દો તથા અલ્લાહના નામો દ્વારા ઈલાજ એક આધ્યાત્મક સારવાર છે, જ્યારે તે સદાચારી લોકો દ્વારા હોય, તો અલ્લાહની અનુમતિ દ્વારા સારવાર પ્રાપ્ત થાય છે))[૧૦]. [૯] જુઓ: ઝાદુલ્ મઆદ: ૪/૬૮, અને અલ્ જવાબુલ્ કાફી, પેજ નંબર: ૨૧. [૧૦] ઈબ્ને હજર રહિમહુલ્લાહની કિતાબ: "ફત્હુલ્ બારી": ૧૦/૧૯૬.
ત્રણ શરતો સાથે રુકિય્યહ કરવા પર આલિમો એકમત છે:
પહેલી શરત: ઉચ્ચ અલ્લાહની વાળી દ્વારા હોય, અથવા તેના નામો અને ગુણો અથવા અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાળી દ્વારા હોય.
બીજી શરત: અરબી ભાષામાં હોય અથવા જો અન્ય ભાષાં હોય, તો તેનો અર્થ સમજી શકાય.
ત્રીજી શરત: એવી માન્યત કે આ દમ સ્વયં પ્રભાવશાળી નથી, તે અલ્લાહની શક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે [૧૧] અને રુકિય્યહ ફક્ત એક સ્ત્રોત છે. [૧૧] જુઓ: ફત્હુલ્ બારી: ૧૦/૧૯૫, અને ફતાવા અલ્લામહ ઈબ્ને બાઝ, ૨/૩૮૪.
તેથી આ વિષયના મહત્ત્વતાના કારણે મેં મારી પુસ્તક ((ઝિક્ર, દુઆ અને દમ દ્વારા ઈલાજ કુરઆન અને હદીષ મુજબ))માં દમ વિશે ભાગને સંક્ષિપ્ત રૂપે વર્ણન કર્યા છે અને તેમાં કેટલીક ફાયદાકારક વાતોનો ઉમેરો કર્યો, હું મહાન અલ્લાહ પાસે તેના સુંદર નામો અને ગુણો દ્વારા દુઆ કરું છું કે આ પુસ્તકને તેની પ્રસન્નતાની પ્રાપ્તિનો સ્ત્રોત બનાવે, અને મારી સાથે સાથે આ પુસ્તકના વાંચકો, પ્રકાશકો અને આ કાર્યના દરેક સહભાગી અને દરેક મુસલમાનો માટે ફાયદાકારક બનાવે, તેમાં કોઈ શંકા નથી કે દરેક કાર્યો તે એકલો જ કરે છે, અલ્લાહની કૃપા અને શાંતિ ઉતરે આપણાં પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર તેમના પરિવાર પર, સહાબા, તેમજ કયામત સુધી સારી રીતે તેમનું અનુસરણ કરનારાઓ પર.
અલ્લાહની કૃપાનો જરૂરતમંદ બંદો
દુક્તૂર સઈદ બિન્ અલી બિન્ વહફ અલ્ કહ્તાની
૧૮/૦૬/૧૪૧૪ હિજરીસનના રોજ લખાયેલ
૧- જાદુનો ઈલાજ
જાદુનો શરીઅત મુજબ ઈલાજના બે પ્રકાર છે:
પહેલો પ્રકાર: તે બાબતો જેના દ્વારા જાદુ થતાં પહેલા બચવામાં આવે:
૧- દરેક અનિવાર્ય કાર્યો કરવા, દરેક અવૈધ કાર્યો છોડી દેવા, અને દરેક ગુનાહથી તૌબા કરવી.
૨- કુરઆનની વધુમાં વધુ તિલાવત કરવી, એ રીતે કે દરરોજ તેનો નક્કી કરેલ ભાગ પઢવામાં આવે.
૩- દુઆઓ, પનાહ પર આધારિત શબ્દો અને શરીઅત દ્વારા સાબિત અઝ્કાર દ્વારા પોતાની સુરક્ષાની વ્યવસ્થા કરવી, તેમાંથી: «"બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" (અર્થ: તે અલ્લાહના નામ સાથે શરુ કરું છે, જેનું નામ હોવાથી કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી, ભલેને તે વસ્તુ જમીનની હોઈ કે આકાશની, અને તે અલ્લાહ સાંભળવાવાળો અને જાણવાવાળો છે)» સવાર સાંજ ત્રણ વખત [૧૨], દરેક નમાઝ પછી, સૂતી વખતે અને સવાર સાંજ આયતુલ્ કુર્સી પઢવી [૧૩] અને પઢવું: {"કુલ્ હુવલ્લાહુ અહદ" (તમે કહી દો કે અલ્લાહ એક જ છે)}, સૂરે ફલક અને સૂરે નાસને સવાર સાંજ અને સૂતી વખતે ત્રણ વખત પઢવી, અને આ દુઆ પઢવી: «"લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે» દરરોજ સો વખત [૧૪], સવાર સાંજ અને નમાઝ પછીની દુઆઓ, સૂતી વખતે અને જાગતી વખતના અઝ્કાર, ઘરમાં પ્રવેશ કરતી વખતે તથા નીકળતી વખતે, વાહન પર ચઢતી વખતે. મસ્જિદમાં દાખત થતી વખતે અને નીકળતી વખતના અઝ્કાર અને શૌચાલયમાં પ્રવેશ કરતી વખતે તથા નીકળતી વખતની દુઆઓ અને મુસીબતમાં સપડાયેલ વ્યક્તિને જોઈ પઢવામાં આવતી દુઆઓ વગેરેને નિયમિત રીતે પઢવી, મેં ((હિસ્નુલ્ મુસ્લિમ)) માં સંજોગો, પ્રસંગો, સ્થાનો અને સમય અનુસાર એવા ઘણા અઝ્કાર (દુઆઓ)નો ઉલ્લેખ કર્યો છે, તેમાં કોઈ શંકા નથી કે આ અઝ્કાર અને દુઆઓને નિયમિત રીતે પઢવાથી માનવી જાદુ, ખરાબ નજર અને જિન્નાતોના અસરથી બચે છે, એવી જ રીતે આ દુઆઓ આ પ્રકારની આફતોમાં સપડાવ્યા પછી પણ તેના ઈલાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત છે [૧૫]. [૧૨] તિર્મિઝી, હદીષ નંબર: ૩૩૮૮, અબૂ દાવૂદ: હદીષ નંબર: ૫૦૮૮, ઈબ્ને માજહ, હદીષ નંબર: ૩૮૬૯, સહીહ ઈબ્ને માજહમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જની કહી છે. ૨/૩૩૨. [૧૩] ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી, આ હદીષને સહીહ કહી છે અને ઈમામ ઝહ્બી રહિમહુલ્લાહએ સહમતી આપી છે, ૧/૫૬૨, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તર્ગીબ વત્ તર્હીબમાં સહીહ દરજ્જાની કહી છે, ૧/૨૭૩, હદીષ નંબર: ૬૫૮. [૧૪] સહીહ બુખારી, ૪/૯૫, હદીષ નંબર: ૩૨૯૩, સહીહ મુસ્લિમ, ૪/૨૦૭૧, હદીષ નંબર: ૨૬૯૧. [૧૫] જુઓ: ઝાદુલ્ મઆદ, ૪/૧૨૬, મજ્મૂઉલ્ ફતાવા, ઇબ્ને બાઝ્, ૩/૨૭૭, આ પુસ્તકમાં ઈર્ષાળુ વ્યક્તિની ઈર્ષા અને જાદુના ઈલાજ બાબતે જે દસ ઉપાયો, ત્રીજા પ્રકારમાં વર્ણન કરવામાં આવ્યા છે, તે જુઓ.
૪- જો શક્ય હોય તો સવારે ભૂખ્યા પેટે સાત અજવા ખજૂરો ખાવી; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સવારે સાત અજવા ખજૂર ખાઈ લે, તેને તે દિવસે કોઈ ઝેર અથવા જાદુ નુકસાન નહીં પહોંચાડી શકે» [૧૬], તેનો શ્રેષ્ઠ તરીકો એ છે કે તે મદીનહની ખજૂર માંથી હોય, જે મદીનહના પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ઊગે છે, જેમ કે સહીહ મુસ્લિમની હદીષમાં છે, અને આપણાં પ્રતિષ્ઠિત શૈખ અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ રહિમહુલ્લાહના મંતવ્ય મુજબ મદીનહની દરેક ખજૂરમાં આ ગુણ જોવા મળે છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સવાર સવાર મદીનહના બંને હર્રો [૧૭] વચ્ચે ઊગતી સાત ખજૂર ખાઈ લે...» સંપૂર્ણ હદીષ [૧૮]. [૧૬] બુખારી મઅલ્ ફતહ, ૧૦/૨૪૭, હદીષ નંબર: ૫૪૪૫, સહીહ મુસ્લિમ, ૩/૧૬૧૮, હદીષ નંબર: ૨૦૪૭. [૧૭] આ હદીષમાં વર્ણવેલ શબ્દ "લાબતૈહા"નો અર્થ: એવી જમીન જે કાળા અને સડેલા પથ્થરો વાળી હોય, જેમકે આગ દ્વારા બળી ગઈ હોય, અને અહીંયા તેનો અર્થ: મદીનહના બંને કિનારાઓમાં આવેલ બંને હર્રા છે, જુઓ: ઈમામ મનાવી રહિમહુલ્લાહની કિતાબ "ફૈઝુલ્ કદીર", ૨/૫૧૪. [૧૮] સહીહ મુસ્લિમ, ૩/૧૬૧૮, હદીષ નંબર: ૨૦૪૭.
એવી જ રીતે શૈખના મંતવ્ય મુજબ જે વ્યક્તિ મદીનહ સિવાય અન્ય જગ્યાની પણ સાત ખજૂર ખાઈ લે, તો તેને પણ આ ફાયદો થશે.
બીજો પ્રકાર; જાદુ થયા પછી તેનો ઈલાજ, આ ઈલાજ પણ ઘણી રીતે કરી શકે છે:
પહેલો પ્રકાર: જો યોગ્ય રીતે જાદુની જગ્યા મળી આવે, તો તેનો કાઢી નષ્ટ કરવું, જાદુ થયેલ વ્યક્તિ માટે આ એક ખૂબ જ પ્રભાવશાળી રીત છે [૧૯]. [૧૮] જુઓ: ઝાદુલ્ મઆદ, ૪.૧૨૪, બુખારી મઅલ્ ફતહ, ૧૦/૧૩૨, હદીષ નંબર: ૫૭૬૫, સહીહ મુસ્લિમ, ૪/૧૭૧૯, હદીષ નંબર: ૨૧૮૯, મજ્મૂઉલ્ ફતાવા, ઇબ્ને બાઝ્, ૩/૨૨૮.
બીજો પ્રકાર: શરીઅત મુજબ રુકિય્યહ (દમ) કરવો, જેના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે [૨૦]: [૨૦] જુઓ: ફત્હુલ્ હક્કલ્ મુબીન્ ફી ઈલાજિસ્ સરઇ વસ્ સહર વલ્ ઐન્, પેજ નંબર: ૧૩૮.
પહેલું ઉદાહરણ: ((બોરડીના સાત પાંદડાને પથ્થર અથવા અન્ય કોઈ વસ્તુ દ્વારા પીસવામાં આવે, ફરી એટલું પાણી નાખવાંમાં આવે જેનાથી સ્નાન થઈ શકે, ફરી તેમાં આ દુઆઓ પઢે:
"અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શૈતાનથી) {અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે} સૂરે અલ્ બકરહ, આયત નંબર: ૨૫૫.
{અને અમે મૂસા તરફ વહી કરી કે હવે તું પણ પોતાની લાકડી નાખી દો, (જેવી જ લાકડી નાખી અને તે અજગર બની) તે દરેક વસ્તુ ગળવા લાગ્યો, જે તેમણે જૂઠી ઘડી હતી (૧૧૭) બસ! સત્ય વાત જાહેર થઇ ગઇ અને તેઓએ જે કંઈ પણ બનાવ્યું હતું, બધું ખતમ થઇ ગયું. (૧૧૮) બસ! તે લોકો આ સમયે હારી ગયા અને ખૂબ જ અપમાનિત થઇ પાછા ફર્યા (૧૧૯) અને જાદુગરો સિજદામાં પડી ગયા (૧૨૦) (અને) કહેવા લાગ્યા કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા (૧૨૧) જે મૂસા અને હારૂનનો પાલનહાર છે} સૂરે અલ્ અઅરાફ, આયત નંબર: ૧૧૭-૧૨૨.
{અને ફિરઔને કહ્યું કે મારી પાસે દરેક નિષ્ણાંત જાદુગરોને ભેગા કરી દો (૭૯) પછી જ્યારે જાદુગરો ભેગા થયા તો મૂસાએ તેમને કહ્યું કે નાંખો, જે કંઈ પણ તમે નાંખવાના છો (૮૦) તો જ્યારે તે લોકોએ નાંખ્યું તો મૂસાએ કહ્યું કે આ જે કંઈ પણ તમે લાવ્યા છો, જાદુ છે, નિ:શંક અલ્લાહ હમણાં જ આને અસ્તવ્યસ્ત કરી દેશે, અલ્લાહ આવા વિદ્રોહી લોકોનું કામ સફળ નથી થવા દેતો (૮૧) અને અલ્લાહ તઆલા સત્યને પોતાના આદેશો દ્વારા સાબિત કરી દે છે, ભલેને અપરાધી પસંદ ન કરે} સૂરે યૂનુસ, આયત નંબર: ૭૯-૮૨.
{મૂસાને કહેવા લાગ્યા કે, હે મૂસા! તમે નાખો છો અથવા અમે પહેલા અમે નાખીએ? (૬૫) મૂસાએ કહ્યુ કે તમે જ પહેલા નાંખો, તેમના જાદુના અસરથી એવું લાગતું હતું કે તેમની દોરીઓ અને લાકડીઓ દોડી રહી છે (૬૬) આ જોઈ મૂસા મનમાં ને મનમાં ભયભીત થયા (૬૭) અમે (વહી દ્વારા) તેમને કહ્યું ભયભીત ન થાઓ, તમે જ વિજય મેળવશો (૬૮) અને જે તમારા જમણા હાથમાં જે છે, તેને નાંખી દો, કે તેમની દરેક કારીગરીને ગળી જાય. તેઓએ જે કંઇ પણ બનાવ્યું છે આ તો ફક્ત જાદુગરોની યુક્તિઓ છે અને જાદુગરો ગમે ત્યાંથી આવે, સફળ નથી થતા (૬૯) આ જોઈ દરેક જાદુગરો સિજદામાં પડી ગયા અને પોકારવા લાગ્યા કે અમે તો હારૂન અને મૂસાના પાલનહાર પર ઈમાન લાવ્યા} સૂરે તોહા, આયત નંબર: ૬૫-૭૦.
"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" (શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે {"કુલ યા અય્યૂ હલ્ કાફિરૂન" (તમે કહી દો કે હે કાફિરો!) (૧) "લા અઅબુદુ માં તઅબુદૂન" (જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો) (૨) "વલા અન્તુમ આબિદૂન મા અઅબુદ્"( અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું) (૩) "વલા અન આબિદુમ્ મા અબદ્તુમ" (અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે) (૪) "વલા અન્તુમ આબિદૂન મા અઅબુદ્"( અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું) (૫) "લકુમ્ દીનુકુમ વલીય દિન્" (તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે) (૬)
"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે {"કુલ્ હુવલ્લાહુ અહદ" તમે કહી દો કે અલ્લાહ એક જ છે} (૧ ) "અલ્લાહુસ્ સમદ" અલ્લાહ બેનિયાજ છે (૨) "લમ્ યલીદ વલમ યુલદ" ન તો તેનો જન્મ થયો અને ન તો તેણે કોઈને જન્મ આપ્યો (૩) "વલમ્ યકુલ્ લહુ કુફુવન અહદ" તેના જેવો બીજો કોઈ નથી}.
"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે "કુલ્ અઊઝુ બિ રબ્બિલ્ ફલક" (તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું) (૧) "મિન્ શર્રિ મા ખલક" (દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી) (૨) "વમિન્ શર્રિ ગોસિકિન્ ઈઝા વકબ" (અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય) (૩) વમિન્ શર્રિન્ નફ્ફાષાતિ ફીલ્ ઉકદ" (અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ)) (૪) "વમિન્ શર્રિ હાસિદિન્ ઇઝા હસદ" (અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે)}
"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" (શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે) {"કુલ્ અઊઝુ બિ રબ્બિલ્ નાસ" (તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું) (૧} "મલિકિન્ નાસ" (જે લોકોનો બાદશાહ છે) (૨) "ઇલાહિન્ નાસ" (જે લોકોનો મઅબૂદ છે) (૩) "મિન્ શર્રિલ્ વસ્વાસિલ્ ખન્નાસ" (તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે) (૪) "અલ્ લઝી યુવસ્વિસુ ફી સુદૂરિન્ નાસ" (લોકોના દિલોમાં વસ્વસો નાખે છે) (૫) "મિનલ્ જિન્નતિ વન્નાસ" ((પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી)}
વર્ણવેલ આયતોને પાણીમાં દમ કરી ત્રણ કોગળા પાણી પીવું અને વધેલા પાણીથી સ્નાન કરી લેવું, આવી રીતે જો અલ્લાહ ઈચ્છે તો બીમારી દૂર થઇ જશે, જો આવશ્કતા હોય તો આ પ્રમાણે એકથી વધુ વખત પણ પરેશાની દૂર થતા સુધી કરી શકે છે, તેનો ઘણી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે અને અલ્લાહની પરવાનગીથી તે ફાયદાકારક જ સાબિત થયું છે, આ તે લોકો માટે પણ ફાયદાકારક છે જેમને પોતાની પત્ની સાથે રહેવાથી રોકી દેવામાં આવ્યા હોય [૨૧]. [૨૧] જુઓ: ઈબ્ને બાઝ રહિમહુલ્લાહની કિતાબ "મજમૂઉ ફતાવા", ૩/૨૭૯, ફત્હુલ્ મજીદ, પેજ નંબર: ૩૪૬, અને અસ્ સારિમુલ્ બત્તાર ફી તસદ્દી લિસ્ સહરતી વલ્ અશરાર, લેખક: વહીદ અબ્દુસ્ સલામ, પેજ નંબર: ૧૦૯-૧૧૭, તેમાં એક ફાયદાકારક અને લાંબી રુકિય્યહ (ની દુઆઓ) છે, જે અલ્લાહની ઈચ્છાથી ફાયદો આપશે, મુસન્નફ અબ્દુર રઝ્ઝાક, ૧૧/૧૩, ઈબ્ને હજર રહિમહુલ્લાહની કિતાબ: "ફત્હુલ્ બારી": ૧૦/૨૩૩.
બીજો પ્રકાર: સૂરે ફાતિહા, આયતુલ્ કુર્સી અને સૂરે બકરહની છેલ્લી બે આયતો, સૂરે ઇખ્લાસ, અને સૂરે ફલક અને સૂરે નાસને ત્રણ વખત અથવા વધુ વખત પઢવામાં આવે અને સાથે સાથે ફૂંક મારવામાં આવે અને જ્યાં તકલીફ હોય તે અંગ પર હાથ ફેરવવામાં આવે [૨૨]. [૨૨] જુઓ: બુખારી મઅલ્ ફતહ, ૯/૬૨, હદીષ નંબર: ૫૦૧૬, સહીહ મુસ્લિમ, ૪/૧૭૨૩, હદીષ નંબર: ૨૧૯૨, બુખારી મઅલ્ ફતહ, ૧૦/૨૦૮.
ત્રીજું: શરણ માંગવાના શબ્દો, રુકિય્યહ (દમ) અને વ્યાપક દુઆઓ:
૧- "અસ્અલુલ્લાહલ્ અઝીમ રબ્બલ્ અર્શિલ્ અઝીમ અયં યશ્ફિક" (અર્થ: હું ખૂબ જ મહાનતાવાળા અલ્લાહ થી, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તમને સારું કરી દે (શીફા આપે)), (સાત વખત) [૨૩]. [૨૩] અબૂ દાવૂદ, ૩/૧૮૭, હદીષ નંબર: ૩૧૦૬, તિર્મિઝી, ૨/૪૧૦, હદીષ નંબર: ૨૦૮૩, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહુલ્ જામિઅમાં સહીહ દરજ્જાની કહી છે, ૫/૧૮૦, અને ૩૨૨ અને સહીહ સુનન અબૂ દાવૂદ, ૨/૨૭૬.
૨- બીમાર વ્યક્તિના જે અંગ પર તકલીફ હોય ત્યાં હાથ મૂકી ત્રણ વખત કહો: ((બિસ્મિલ્લાહ)), અને કહો: (("અઊઝુ બિલ્લાહિ વ કુદરતિહી મિન્ શર્રિ મા અજિદુ વ ઉહાઝિરુ" (અર્થ: હું અલ્લાહથી પનાહ માગું છું તે વસ્તુની બુરાઇથી, જેને હું (મારા શરીરમાં) અનુભવું છું અને જેનાથી હું ડરી રહ્યો છું)), (સાત વખત) [૨૪]. [૨૪] સહીહ મુસ્લિમ, ૪/૧૭૨૮, હદીષ નંબર: ૨૨૦૨.
૩- «"અલ્લાહુમ્મ રબ્બન્ નાસ અઝ્હિબિલ્ બઅસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્" (અર્થ: હે અલ્લાહ! હે લોકોના પાલનહાર, પરેશાની દૂર કરનાર, શિફા આપ, તું જ શિફા આપનાર છે, તારા સિવાય કોઈ શિફા આપનાર નથી, એવી શિફા જે બીમારીને બાકી ન છોડે)» [૨૫]. [૨૫] બુખારી મઅલ્ ફતહ, ૧૦/૨૦૬, હદીષ નંબર: ૫૭૫૦, સહીહ મુસ્લિમ, ૪/૧૭૨૧, હદીષ નંબર: ૨૧૯૧.
૪- «"અઊઝુબિકલિમાતિલ્લાહિત તામ્મતિ મિન્ કુલ્લિ શૈતાનિ વ હામ્મતિન્, વમિન્ કુલ્લિ ઐનિલ્ લામ્મહ" (અર્થ: હું દરેક શૈતાન અને ઝરી જાનવરોથી અને દરેક ખરાબ નજરથી અલ્લાહના સંપૂર્ણ કલેમા સાથે પનાહ માંગું છું)» [૨૬]. [૨૬] બુખારી મઅલ્ ફત્હ, ૬/૪૦૮, હદીષ નંબર: ૩૩૭૧.
૫- «"અઊઝુ બિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સંપૂણ કલિમા સાથે તે દરેક વસ્તુની દુષ્ટતાથી પનાહ માંગું છું, જે તેણે પેદા કરી છે)» [૨૭]. [૨૭] સહીહ મુસ્લિમ, ૪/૧૭૨૮, હદીષ નંબર: ૨૭૦૯.
૬- «"અઊઝુ બિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ: મિન્ ગઝબિહિ, વ્ઇકાબિહિ, વમિન્ હમઝાતિશ્ શયાતીન, વ અય્ યહ્ઝુરૂન" (અર્થ: હું અલ્લાહના સંપૂર્ણ કલિમા સાથે પનાહ માંગું છું, તેનાં ગુસ્સા અને તેની પકડથી અને અને તેનાં બંદાઓની દુષ્ટતાથી, અને શૈતાનના વસવસા (પાપ પર ઉશ્કેરવા) થી, અને એ વાત થી કે તે મારી પાસે આવે)» [૨૮]. [૨૮] અબૂ દાવુદ, હદીષ નંબર: ૩૮૯૩, તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૨૮, સહીહ તિર્મિઝીમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૩/૧૭૧.
૭- «"અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિલ્ લતી, લા યુજાવિઝુહુન્ન બર્રુન્ વલા ફાજિર, મિન્ શર્રિ મા ખલક, વ બરઅ, વઝરઅ, વ મિન્ શર્રિ મા યન્ઝિલુ મિનસ્ સમાઈ, વ મિન્ શર્રિ મા યઅરુજુ ફીહા, વ મિન્ શર્રિ મા ઝરઅ ફીલ્ અર્ઝી,વ મિન્ શર્રિ મા યખ્રુજુ મિન્હા, વ મિન્ શર્રિ ફિતનિલ્ લૈલિ વન્ નહારિ, વ મિન્ શર્રિ કુલ્લિ તારિકિન્ ઇલ્લા તારિકન યતરુકુ બિ ખૈરિ યા રહમાન" (અર્થ: હું અલ્લાહના તે સંપૂર્ણ કલિમાની શરણમાં આવું છું, જેનાથી કોઈ પણ સારો અથવા ખરાબ માનવી આગળ વધી શકતો નથી, તે દરેક વસ્તુની દુષ્ટતાથી જે તેણે પેદા કરી છે, અસ્તિત્વ આપ્યું છે, અને ફેલાવી છે, એવી જ રીતે તે દરેક વસ્તુની દુષ્ટતાથી જે આકાશ માંથી નીચે ઉતરે છે, તે દરેક વસ્તુની દુષ્ટતાથી જેને તેણે ધરતીમાં ફેલાવી છે, અને તે દરેક વસ્તુની દુષ્ટતાથી જે ધરતી માંથી નીકળે છે, એવી જ રીત-દિવસના ફિતનાની દુષ્ટતાથી, અને રાત્રે દરેક આવનારની દુષ્ટતાથી સિવાય રાત્રે તે સમયે આવનાર જે ભલાઈ સાથે આવે, હે અત્યંત કૃપા કરનાર!)[૨૯]. [૨૯] મુસ્નદ અહમદ, ૩/૧૧૯, હદીષ નંબર: ૧૪૪૬૧, તેની સનદ સહીહ છે, ઇબ્ને સુન્ની, હદીષ નંબર: ૬૩૭, જુઓ: મજ્મઉઝ્ ઝવાઈદ, ૧૦/૧૨૭, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહાહમાં સહીહ દરજ્જાની કહી છે, ૭/૧૯૬.
૮- «"અલ્લાહુમ્મ રબ્બસ્ સમાવાતિસ્ સબ્ઇ, વ રબ્બલ્ અર્-ઝિ, વ રબ્બલ્ અર્-શિલ્ અઝીમિ, રબ્બના વ રબ્બ કુલ્લિ શયઇન્, ફાલિકલ્ હબ્બિ વન્-નવા, વ મુન્-ઝિલત્ તવ્-રાત, વલ્ ઇન્-જિલ, વલ્ ફુર્-કાન, અઊઝુ બિક મિન્ શર્-રિ કુલ્લિ શય્ઇન્ અન્ત આખિઝુન્ બિનાસિયતિહી, અલ્લાહુમ્મ અન્તલ્ અવ્વલુ, ફલય્-સ કબ્-લક શય્ઉન્, વ અન્તલ્ આખિરુ ફલય્સ બઅદક શય્ઉન્, વ અન્તઝ્ ઝોહિરુ ફલય્સ ફવ્કક શય્ઉન્, વ અન્તલ્ બાતિનુ ફલય્સ દૂનક શય્ઉન્, ઇક્-ઝિ અન્-નદ્- દય્ન, વ અગ્-નિના મિનલ્ ફક્-રિ" (અર્થ: હે સાત આકાશોના પાલનહાર, હે જમીનના પાલનહાર, અને ઉચ્ચ અર્શના પાલનહાર, હે અમારા પાલનહાર! દરેક વસ્તુના માલિક, અને હે દાણાને ફાડી વૃક્ષ ઉગાડનાર અને તૌરાત, ઈન્જીલ તેમજ કુરઆન ઉતારનાર, હું દરેક વસ્તુની દુષ્ટતાથી તારી પનાહ માગું છું, જેના પર તું સપૂર્ણ અધિકાર ધરાવે છે, તું સૌથી પહેલા છે અને તારા કરતા પહેલા કોઈ નથી, તું સૌથી છેલ્લો છે, તારા પછી કોઈ નથી, (અર્થાત્ શરૂ થી લઇ અંત સુધી તું જ છે), તું જાહેર છે અને તારા ઉપર કોઈ વસ્તુ નથી, તું (લોકોની નઝરોથી છુપાયેલો છે) પરંતુ તારાથી વંચિત કોઈ વસ્તુ નથી» [૩૦]. [૩૦] સહીહ મુસ્લિમ, ૪/૨૭૧૩, હદીષ નંબર: ૨૭૧૩.
૯- «"બિસ્મિલ્લાહિ અર્કીક મિન્ કુલ્લિ શૈઇન્ યુઅઝિક, વમિન્ શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ ઐનિન્ હાસિદીન અલ્લાહુ યશ્ફિક, બિસ્મિલ્લાહિ અર્કીક" (અર્થ: હું અલ્લાહનું નામ લઈ તમારા પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે તમને તકલીફ પહોંચાડે, દરેક સજીવ, અથવા ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી, (સુરક્ષા માટે) અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામ વડે તમારા પર દમ કરું છું)» [૩૧]. [૩૧] સહીહ મુસ્લિમ, ૪/૧૭૧૮, હદીષ નંબર: ૨૧૮૬, વર્ણનકર્તા અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ.
૧૦- «"બિસ્મિલ્લાહિ યુબ્રિક, વમિન્ કુલ્લિ દાઇન્ યશ્ફીક, વમિન્ શર્રિ હાસિદિન્ ઇઝા હસદ, વમિન્ શર્રિ કુલ્લિ ઝી ઐનિન્" (અર્થ: અલ્લાહના નામથી હું તમારા પર દમ કરું છું, દરેક બીમારીથી અલ્લાહ તમને શિફા આપે, ઈર્ષા કરનારની ઈર્ષાની દુષ્ટતાથી અને દરેક ખરાબ નજરની દુષ્ટતાથી)» [૩૨]. [૩૨] સહીહ મુસ્લિમ, ૪/૧૭૧૮, હદીષ નંબર: ૨૧૮૫, વર્ણન કરનાર આયશા રઝી અલ્લાહુ અન્હા.
૧૧- ("બિસ્મિલ્લાહિ અર્કીક મિન્ કુલ્લિ શૈઇન્ યુઅઝિક, વમિન્ શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ ઐનિન્ હાસિદિન્ અલ્લાહુ યશ્ફિક, બિસ્મિલ્લાહિ અર્કીક" (અર્થ: હું અલ્લાહનું નામ લઈ તમારા પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે તમને તકલીફ પહોંચાડે, દરેક સજીવ, અથવા ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી, (સુરક્ષા માટે) અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામ વડે તમારા પર દમ કરું છું))[૩૩]. [૩૩] સુનન ઇબ્ને માજહ, હદીષ નંબર: ૩૫૨, ઉબાદહ બિન્ સોમિત રઝી અલ્લાહુ અન્હું દ્વારા વર્ણન કરવામાં આવી છે, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ ઇબ્ને માજહમાં સહીહ દરજ્જની કહી છે, ૨/૨૬૮.
અલ્લાહ પાસે શરણ માંગવાના આ શબ્દો, દુઆઓ અને દમ કરવાના આ તરિકા દ્વારા જાદુ, ખરાબ નજર, જિન્નાતનો અસર અને દરેક બીમારીઓ માટે ઈલાજ કરી શકાય છે; કારણકે આ ખૂબ ફાયદાકારક અને ઉચ્ચ અલ્લાહની પરવાનગીથી છે.
ત્રીજો પ્રકાર: જો શક્ય હોય તો હિજામાહ કરાવી, શરીરના તે અંગ માંથી ઝેર દૂર કરવું, જ્યાં જાદુનો અસર થયો હોય અને જો શક્ય ન હોય તો ઈલાજ માટે પાછળની રીત પૂરતી છે [૩૪]. [૩૪] ઝાદુલ્ મઆદ: ૪/૧૨૫, જાદુના ઈલાજ માટે કેટલીક સારવાર એવી પણ છે, જે જાદુ થયા પછી પ્રયોગમાં લેવામાં આવી અને તે ફાયદાકારક સાબિત થઈ છે. જુઓ: મુસન્નફ ઈબ્ને અબી શૈબહ, ૭/૩૮૬-૩૮૭, ફત્હુલ્ બારી, ૧૦/ ૨-૨૩૪, મુસન્નફ અબ્દુર રઝ્ઝાક, ૧૧/૧૩, અસ્ સારિમુલ્ બત્તાર, પેજ નંબર: ૧૯૪-૨૦૦, મુસફિર અદ્ દમીનીની કિતાબ, અસ્ સહર હકકતુહુ વહુક્મુહુ, પેજ નંબર: ૬૪-૬૬.
ચોથો પ્રકાર: પ્રાકૃતિક દવાઓ, ઘણી બધી ફાયદાકારક પ્રાકૃતિક દવાઓ છે, જે પવિત્ર કુરઆન અને અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીષ દ્વારા સાબિત છે, અને જો સાચા મનથી તે ભરોસા સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને ફાયદાકારક બનાવવું અલ્લાહના હાથમાં છે, એવી જ રીતે કેટલીક દવાઓ જડીબુટ્ટીઓ માંથી બનાવવામાં આવે છે, જે પ્રયોગ અને અનુભવ પર આધારિત છે, જો તે હરામ ન હોય તો શરીઅત મુજબ તેનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી [૩૫]. [૩૫] જુઓ: ફત્હુલ્ હક્કલ્ મુબીન્ ફી ઈલાજિસ્ સરઇ વસ્ સહર વલ્ ઐન્, પેજ નંબર: ૧૩૯.
એવી જ રીતે અલ્લાહના આદેશથી પ્રાકૃતિક દવાઓમાં: મધ [૩૬], કલોંજી [૩૭], ઝમઝમનું પાણી [૩૮], અને વરસાદનું પાણી; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું} સૂરે કૉફ, આયત નંબર: ૯. એવી જ રીતે ઝૈતુનનું તેલ; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઝૈતુનનું તેલ ખાઓ અને તેને (શરીર પર) લગાવો; કારણ કે તે પવિત્ર વૃક્ષનું તેલ છે» [૩૯], અનુભવ, પ્રયોગ અને પુસ્તકો દ્વારા સાબિત છે કે ઝૈતુનનું તેલ સોંથી ઉત્તમ તેલ છે [૪૦], એવી જ રીતે પ્રાકૃતિક દવાઓમાં: સ્નાન કરવું, સ્વચ્છતા રાખવી અને સુગંધનો ઉપયોગ કરવો [૪૧]. [૩૬] જુઓ: ફત્હુલ્ હક્કલ્ મુબીન્ ફી ઈલાજિસ્ સરઇ વસ્ સહર વલ્ ઐન્, પેજ નંબર: ૧૪૦. અને મધ દ્વારા ઈલાજનું વર્ણન, આ પુસ્તકમાં આગળ વર્ણન કરવામાં આવશે. [૩૭] જુઓ: ફત્હુલ્ હક્કલ્ મુબીન્, પેજ નંબર: ૧૪૧. કલોંજી દ્વારા ઈલાજનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવશે. [૩૮] જુઓ: ફત્હુલ્ હક્કલ્ મુબીન્, પેજ નંબર: ૧૪૪. ઝમઝમના પાણી દ્વારા ઈલાજનું વર્ણન આ પુસ્તકમાં આગળ વર્ણન કરવામાં આવશે. [૩૯] મુસ્નદ અહમદ, ૩/૪૯૭, હદીષ નંબર: ૧૬૦૫૫, તિર્મિઝી, હદીષ નંબર: ૧૮૫૧, ઈબ્ને માજહ, હદીષ નંબર: ૩૩૧૯, સહીહ સુનન તિર્મિઝીમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૨/૧૬૬. [૪૦] જુઓ: ફત્હુલ્ હક્કલ્ મુબીન્ ફી ઈલાજિસ્ શરઇ વસ્ સહર વલ્ ઐન્, પેજ નંબર: ૧૪૨. [૪૧] જુઓ: પાછળનો સંદર્ભ, પેજ નંબર: ૧૪૫.
ખરાબ નજરનો ઈલાજ
ખરાબ નજરનો ઈલાજ ઘણી રીતે થઇ શકે છે:
પહેલો પ્રકાર: નજર લાગતા પહેલા, તેના પણ ઘણા પ્રકાર છે:
૧- અઝ્કાર, દુઆઓ અને શરણ માંગવાના શરીઅત દ્વારા સાબિત શબ્દોથી, પોતાની અને એવા વ્યક્તિની રક્ષા કરવી જેના પ્રત્યે ખરાબ નજર લાગવાનો ભય હોય, આ સંદર્ભમાં જાદુના ઈલાજના પહેલા તરીકાના વિષયમાં ચર્ચા થઇ ચુકી છે [૪૨]. [૪૨] જુઓ: આ પુસ્તકમાં જાદુના ઈલાજ વિષે જે કઈ વર્ણન કરવામાં આવ્યું છે.
૨- જયારે કોઈ વ્યક્તિ પોતાની જ ખરાબ નજર લાગવા પ્રત્યે ભયભીત હોય -જયારે તે પોતાને, માલ અને સંતાન, ભાઈ અથવા કોઈ પણ વસ્તુને જુએ જે તેને સારી લાગે- તો બરકતની દુઆ કરે, અને કહે: ("મા શાઅ અલ્લાહ, લા કુવ્વત ઈલ્લા બિલ્લાહ, અલ્લાહુમ્મ બારિક અલૈહ" (અર્થ: અલ્લાહ જે ઈચ્છે, અલ્લાહની તૌફીક અને મદદ વગર કોઈ કાર્ય કરવાની શક્તિ નથી, હે અલ્લાહ! તેમાં બરકત આપ!)); કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((જયારે તમારા માંથી કોઈને પોતાના ભાઈની વસ્તુ સારી લાગે, તો તેના માટે બરકતની દુઆ કરે)) [૪૩]. [૪૩] મુવત્તા ઈમામ માલિક, ૨/૯૩૮, ઇબ્ને માજહ, ૨/૧૧૧૬૦, હદીષ નંબર: ૩૫૦૯, મુસ્નદ અહમદ, ૪/૪૪૭, હદીષ નંબર: ૧૫૭૦૦, અને સહીહ ઈબ્ને માજહમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જાની કહી છે. ૨/૨૬૫. ઝાદુલ્ મઆદ, ૪/૧૭૦, અને અસ્ સારિમુલ્ બત્તાર ફી તસદ્દી લિસ્ સહરતી વલ્ અશરાર, લેખક: વહીદ અબ્દુસ્ સલામ, પેજ નંબર: ૨૨૯-૨૫૨.
૩- જેના પર નજર લાગી જવાનો ભય હોય, તો તેણે સારા ગુણો છુપાવવા જોઈએ [૪૪]. [૪૪] જુઓ: ઈમામ બગવીની શર્હુસ્ સુન્નહ, ૧૩/૧૧૬, અને ઝાદુલ્ મઆદ, ૪/૧૭૩.
બીજો પ્રકાર: નજર લાગ્યા પછી તેનો ઈલાજ, તેના પણ ઘણા પ્રકાર છે:
૧- જયારે ખરાબ નજર કરનારની ઓળખ થઇ જાય, તો તેને વઝૂ કરવાનો આદેશ આપવામાં આવે અને તે પાણી દ્વારા તે વ્યક્તિને સ્નાન કરવાનો આદેશ આપવામાં આવે જેના પર નજર પડી હોય [૪૫]. [૪૫] સુનન અબૂ દવૂદ. ૪/૯, હદીષ નંબર: ૫૦૫૬, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહાહમાં સહીહ દરજ્જાની કહી છે, ૬/૬૧, ઝાદુલ્ મઆદ, ૪/૧૬૩, જુઓ: અલ્ વિકાયહ વલ્ ઈલાજ મિનલ્ કિતાબિ વસ્ સુન્નહ, લેખક: મુહમ્મદ બિન્ શાયિઅ, પેજ નંબર: ૧૪૪-૧૪૭.
૨- વધુમાં વધુ નીચે વર્ણવેલ સૂરતોની તિલાવત કરવી: {"કુલ્ હુવલ્લાહુ અહદ" અર્થ: તમે કહી દો કે અલ્લાહ એક જ છે}, સૂરે ફલક, સૂરે નાસ, સૂરે ફાતિહા, આયતુલ્લ કુર્સી, સૂરે બકરહની છેલ્લી આયતો, એવી જ રીતે શરીઅત દ્વારા સાબિત રુકિય્યહની દુઆઓ વડે દમ કરવું અને જ્યાં તકલીફ હોય ત્યાં જમણો હાથ ફેરવવો, જેમકે જાદુના ઈલાજના બીજા પ્રકારના ત્રીજા ફકરા ((જ))માં સંખ્યા ૧-૧૧ માં વર્ણન થઇ ચુક્યું છે [૪૬]. [૪૬] આ પુસ્તકમાં જાદુના ઈલાજના બીજા તરીકામાં જે કઈ પણ વર્ણન કરવામાં આવ્યું છે, તેને જુઓ.
૩- ((પાણીમાં પઢી તેના પર ફૂંક મારી બીમાર વ્યક્તિને થોડું પીવડાવવામાં આવે, બાકી પોતાના શરીર પર નાખે [૪૭], અથવા તેલ પર દમ કરી તે તેલ તેને લગાવવામાં આવે [૪૮], જો તેને ઝમઝમના પાણીમાં પઢવામાં આવે તો ઘણું સારું છે, જો શક્ય હોય [૪૯], અથવા વરસાદના પાણીમાં [૫૦]. [૪૭] સુનન અબૂ દાવૂદ, ૪/૧૦, હદીષ નંબર: ૮૮૫, આ કાર્ય અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલમએ ષાબિત બિન્ કૈસ માટે કર્યું હતું, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ ઝઈફ અબૂ દાવૂદમાં આ હદીષને ઝઈફ (કમજોર દરજ્જાની) કહી છે, હદીષ નંબર: ૮૩૬. [૪૮] મુસ્નદ અહમદ, ૩/૪૯૭, હદીષ નંબર: ૧૬૦૫૫, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહાહમાં સહીહ કહી છે, ૧/૧૦૮, હદીષ નંબર: ૩૭૯. [૪૯] આ પુસ્તકમાં જાદુના ભાગમાં ચોથા પ્રકારમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જુઓ. [૫૦] આ પુસ્તકમાં જાદુના ભાગમાં ચોથા પ્રકારમાં જે વર્ણન કરવામાં આવ્યું છે તે જુઓ.
૪- બીમાર વ્યક્તિ માટે કુરઆનની આયતો લખવામાં કોઈ વાંધો નથી, ફરી તેને ધોઈ પીવામાં આવે [૫૧], જેમાંથી: સૂરે ફાતિહા, આયતુલ્ કુર્સી, સૂરે બકરહની છેલ્લી બે આયતો અને {"કુલ્ હુવલ્લાહુ અહદ" અર્થ: તમે કહી દો કે અલ્લાહ એક જ છે}, સૂરે ફલક અને સૂરે નાસ અને રુકિય્યહની દુઆઓ, જેનું વર્ણન જાદુના ઈલાજના બીજા તરીકાના ભાગ ((બ)) માં સંખ્યા ૧-૧૧ માં થઇ ચુક્યું છે [૫૨], [૫૧] અલ્લામહ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહની કિતાબ, "ઝાદુલ્ મઆદ" ૪/૧૭૦, ફતાવા શૈખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈમિય્યહ રહિમહુલ્લાહ, ૧૯/૬૪. [૫૨] જુઓ: આ પુસ્તકમાં જાદુના ઈલાજનો બીજો પ્રકાર.
ત્રીજો પ્રકાર: ઈર્ષાળુ વ્યક્તિની ખરાબ નજરથી બચવાના સ્ત્રોત અપનાવવા, જે નીચે મુજબ છે:
૧- તેની દુષ્ટતાથી અલ્લાહ પાસે પનાહ માંગવી.
૨- અલ્લાહનો તકવો, તેના આદેશોનું પાલન અને તેણે અવૈધ કરેલ કાર્યોથી બચવું, જેમકે હદીષમાં છે: «તમે અલ્લાહ (ના આદેશો)ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે» [૫૩]. [૫૩] સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: ૨૫૧૬, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૨/૩૦૯.
૩- ઈર્ષાળુ વ્યક્તિની ઈર્ષા પર ધીરજ રાખવી, તેને માફ કરી તેની સાથે ન તો ઝગડવામાં આવે ન તો તેની ફરિયાદ કરવામાં આવે, અને ન તો તેને કોઈ નુકસાન પહોંચાડવા બાબતે વિચારવામાં આવે.
૪- અલ્લાહ પર ભરોસો રાખવો; કારણકે જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરે છે, અલ્લાહ તેના માટે પુરતો થઇ જાય છે.
૫- ઈર્ષાળુ વ્યક્તિથી ભયભીત ન થવું, અને તેના પ્રત્યે હંમેશા વિચારતા ન રહેવું, આ સૌથી વધુ લાભદાયી દવા છે.
૬- અલ્લાહ તરફ ધ્યાન કરવું, તેના પ્રત્યે નિખાલસ થવું અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો.
૭- ગુનાહોથી તૌબા કરવી; કારણકે ગુનાહ માનવી પર તેના દુશ્મનોને હાવી કરે છે. {તમારા પર જે કંઈ મુસીબત આવે છે, તે તમે કરેલા કર્મોનો બદલો છે અને તે ઘણી વાતોને દરગુજર કરે છે} સૂરે અશ્ શૂરા, આયત નંબર: ૩૦.
૮- જેટલું શક્ય હોય સદકો અને ઉપકાર કરવો; કારણ કે તેના દ્વારા માનવી આફત, ખરાબ નજર અને ઈર્ષા કરનારની દુષ્ટતાથી સુરક્ષિત રહે છે.
૯- ઈર્ષા કરનાર, ખરાબ નજર લગાડનાર અને કષ્ટ આપનાર વ્યક્તિની ક્રોધને તેના પર ઉપકાર કરી ખતમ કરવી, જેથી તે તમારી સાથે જેટલું કષ્ટ, અત્યાચાર અને ઈર્ષા ભર્યો વ્યવહાર કરે, તમે તેની સાથે ઉપકાર, શિખામણ અને નરમીમાં વધારો કરો, પરંતુ તેની તક ફક્ત તે જ વ્યક્તિને પ્રાપ્ત થાય છે જેનું અલ્લાહ પાસે ઉચ્ચ સ્થાન હોય.
૧૦- તૌહીદને ફક્ત તેના માટે જ નિખાલસ કરવી અને તેને સર્વશક્તિમાન અને સર્વજ્ઞાનીને નિષ્ઠાપૂર્વક સમર્પિત કરવું, જેની પરવાનગી વગર કોઈ પણ વસ્તુ નુકસાન અને ફાયદો પહોંચાડી શકતી નથી, દરેક વસ્તુ તેના જ હાથમાં છે, તૌહીદ અલ્લાહનો સૌથી મોટો કિલ્લો છે; જે કોઈ તેમાં પ્રવેશ કરે છે તે સુરક્ષિત થઇ ગયો.
આ દસ સ્ત્રોત છે, જેના દ્વારા ઈર્ષાળુ, ખરાબ નજર લગાવનાર અને જાદુની દુષ્ટતા દૂર થાય છે [૫૪]. [૫૪] અલ્લામહ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહની કિતાબ, "બદાઈઉલ્ ફવાઇદ" ૨/૨૩૮-૨૪૫.
૩- માનવી પર થતા જિન્નાતના અસરનો ઈલાજ
જિન્નાતના અસરથી સપડાયેલ વ્યક્તિનો ઈલાજ બે પ્રકાર દ્વારા કરી શકાય છે:
પહેલો પ્રકાર: જિન્નાતના અસર પહેલા તેનાથી બચવાનો પ્રયાસ કરવો:
તેનાથી બચવા માટે દરેક અનિવાર્ય અને જરૂરી કાર્યોનું પાલન કરવું, દરેક અવૈધ કાર્યોથી દૂર રહેવું, દરેક પાપોથી તૌબા કરવી, અઝ્કાર, દુઆઓ અને અલ્લાહનું શરણ માંગવુ, શરીઅત દ્વારા સાબિત શરણના શબ્દો દ્વારા પોતાની રક્ષા કરવી.
બીજો પ્રકાર: જિન્નાતનો અસર થયા પછી તેનો ઈલાજ:
આ ઈલાજ, તે સાચા મુસલમાનની કુરઆનની તિલાવત અને રુકય્યહ દ્વારા થાય છે, જેનું દિલ અને જબાન તેના પ્રમાણે હોય, અને સૌથી મહાન રુકય્યહ (દમ) સૂરે ફાતિહા [૫૫], આયતુલ્ કુર્સી, અને સૂરે બકરહની છેલ્લી બે આયતો, અને {"કુલ્ હુવલ્લાહુ અહદ" અર્થ: તમે કહી દો કે અલ્લાહ એક જ છે}. અને {"કુલ્ અઊઝુ બિ રબ્બિલ્ ફલક"તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું}, એવી જ રીતે {"કુલ્ અઊઝુ બિ રબ્બિલ્ નાસ" તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું}, પ્રભાવિત વ્યક્તિ પર ફૂંક મારવી, તેને ત્રણ અથવા તેથી વધુ વખત પઢવામાં આવે, આ સિવાય કુરઆનની અન્ય આયતો પણ પઢી શકાય છે; કારણ કે સંપૂર્ણ દિલની દરેક બીમારીઓ માટે કુરઆન શિફા (ઈલાજ) છે, અને મોમિનો માટે શિફા, માર્ગદર્શક અને કૃપા છે [૫૬], દમ કરવાની દુઆઓ તે જ છે જે જાદુના ઈલાજના બીજા ભાગના ફકરા ((બ)) અને ((જ)) માં વર્ણન થઇ ચુકી છે [૫૭], અને તેના ઈલાજમાં બે વસ્તુઓ હોવી જરૂરી છે: [૫૫] સુનન અબૂ દવૂદ, ૪/૧૩-૧૪, હદીષ નંબર: ૩૮૯૬, મુસ્નદ અહમદ, ૫/૨૧૦, હદીષ નંબર: ૨૧૮૩૫, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહાહમાં સહીહ દરજ્જાની કહી છે, હદીષ નંબર: ૨૦૨૮. [૫૬] જુઓ: અલ્ ફત્હુર્ રબ્બાની ઈમામ અહમદ રહિમહુલ્લાહની તરતીબ, ૧૭/૧૮૩. [૫૭] જુઓ: આ પુસ્તકમાં જાદુના ઈલાજનો બીજો પ્રકાર.
પહેલી: સપડાયેલ વ્યક્તિમાં આત્મબળ હોવું જોઈએ, અલ્લાહ પ્રત્યે સાચો લગાવ હોવો જોઈએ, દિલ અને જબાન બંને એકસાથે અલ્લાહ પાસે શરણ માંગે.
બીજું: ઈલાજ કરનાર પણ તે પ્રમાણે જ હોવો જોઈએ, કારણકે હથિયાર ત્યારે જ કામ કરે છે જયારે તેને ચલાવનારનો હાથ મજબૂત હોય [૫૮]. [૫૮] જુઓ: શૈખ અબ્દુસ્ સલામની "સારિમુલ્ બત્તાર" માં વર્ણવેલ લાભદાયક રુકિય્યહ: પેજ નંબર: ૧૦૯-૧૧૭, જુઓ: ઝાદુલ્ મઆદ, ૪/૬૬-૬૯, શૈખ અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ રહિમહુલ્લાહની કિતાબ "ઈઝાહુલ્ હક્ક ફી દુખૂલિલ્ જીન્ની વલ્ ઈન્સી વર્ રદ્દિ અલા મન્ અનકર ઝાલિક", પેજ નંબર: ૧૪, અને ફતાવા ઇબ્ને તૈમિય્યહ, ૧૯/૯-૬૫, અને ૨૪/૨૭૬, મુહમ્મદ ઇબ્ને શાઈઅની કિતાબ "અલ્ ઈલાજ મિનલ્ કિતાબિ વસ્ સુન્નહ", પેજ નંબર: ૬૬-૬૯, અને જુઓ: કૈફીયતુ તરદિલ્ જીન્ની મિનલ્ બૈત, અને તેમની જ પુસ્તક "અલ્ વિકાયહ વલ્ ઈલાજ", પેજ નંબર: ૫૯, અને અશકરની "આલમુલ્ જીન્ની વશ્ શયાતિન", પેજ નંબર: ૧૩૦.
જો પ્રભાવિત વ્યક્તિના કાનમાં અઝાન આપવામાં આવે, તો પણ સારું છે; કારણકે શૈતાન અઝાનથી ભાગે છે [૫૯]. [૫૯] જુઓ: ફત્હુલ્ હક્કલ્ મુબીન્ ફી ઈલાજિસ્ સરઇ વસ્ સહર વલ્ ઐન્, પેજ નંબર: ૧૧૨, સહીહ બુખારી, હદીષ નંબર: ૫૭૪.
૪- માનસિક રોગોની સારવાર:
માનસિક રોગો માટે સૌથી અસરકારક સારવાર [૬૦] નીચે મુજબ છે: [૬૦] જુઓ, આત્મીય ખુશીના કારણો, ઝાદુલ્ મઆદ. ૨/૨૩-૨૮, અને શૈખ અબ્દુર્ રહમાન બિન નાસિર અસ્ સઅદી રહિમહુલ્લાહની પુસ્તક "સુખી જીવન માટેના લાભદાયક ઉપાયો".
૧- સત્ય અને તૌહીદના માર્ગનું અનુસરણ કરવું, પથભ્રષ્ટતા અને શિર્ક આત્મા સાથે સંબંધિત પરેશાનીઓના મૂળ કારણો માંથી એક છે.
૨- અલ્લાહ દ્વારા માનવીના દિલમાં નાખવામાં આવેલ ઈમાનનું પ્રકાશ સત્કાર્યો અમલો સાથે.
૩- ફાયદાકારક જ્ઞાન, માનવીનું જ્ઞાન જેટલું વધતું જશે, એટલું આંતરિક સુખ અને હાર્દિક સંતોષ પ્રાપ્ત થશે.
૪- અલ્લાહ તરફ પરત ફરવું, સંપૂર્ણ દિલથી તેની સાથે મોહબ્બત કરવી, તેનામાં ધ્યાન આપવું અને તેની ઈબાદત દ્વારા આનંદ પ્રાપ્ત કરવો.
૫- દરેક સ્થિતિ અને દરેક જગ્યાએ અલ્લાહનો ઝિક્ર કરતાં રહેવું; કારણકે આંતરિક ખુશી અને દિલની શાંતિની પ્રાપ્તિ અને દુ:ખ અને ચિંતા દૂર કરવામાં ઝિક્રનો આશ્ચર્યજનક અસર હોય છે.
૬- લોકો પર ઉપકાર કરવો, અને તેમને દરેક શક્ય રીતે ફાયદો પહોંચાડવો; કારણ કે જે વ્યક્તિ લોકો પર ઉપકાર કરે છે, તે હંમેશા ખુશ અને ચિંતાથી મુક્ત થઈ આનંદમય જીવન પસાર કરે છે.
૭- બહાદુરી; કારણ કે બહાદુર માણસ હંમેશા ખુશ અને વિશાળ દિલ વાળો હોય છે.
૮- આત્માના રોગો [૬૧] જેમકે ઈર્ષા, દ્વેષ, કપટ, દુશ્મની, નફરત, અત્યાચાર અને તે ખરાબ વાતો જે આત્માને સંકુચિત અને યાતના આપે છે, તેને દિલ માંથી અબહર કાઢવી, એક હદીષમાં છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સૌથી શ્રેષ્ઠ લોકો વિષે પૂછવામાં આવ્યું. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((દરેક સાફ દિલ અને સાચી જબાન વાળો)), તો સહાબાએ કહ્યું: અમે સદૂકુલ્ લિસાન્ અર્થાત્ સાચું બોલનારને તો ઓળખીએ છીએ, પરંતુ મખ્મૂમુલ્ કલ્બ વિશે નથી જાણતા? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((અલ્લાહનો ભય (તકવો) રાખનાર, પવિત્ર દિલ જેમાં ન તો કોઈ પાપ હોય ન તો વિદ્રોહ ન હોય, ન તો કપાત હોય ન ઈર્ષા)) [૬૫]. [૬૧] અહીંયા વર્ણન કરવામાં આવેલ અરબી શબ્દ "દગલુશ્ શૈઇ" નો અર્થ: કોઈ વસ્તુની એવી ખામી જે તેને ખરાબ કરી દે. [૬૨] ઈબ્ને માજા હદીષ નંબર: ૪૨૧૬, સહીહ ઈબ્ને માજહમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૨/૪૧૧.
૯- વધુ પ્રમાણમાં વ્યર્થ જોવું, વ્યર્થ વાત કરવી, સાંભળવું, સંબંધ રાખવા અને વધુ માત્રામાં ખાવા-પીવાથી બચવું; કારણકે આ વસ્તુઓથી બચવાથી દિલ વિશાળ અને પ્રસન્ન અને ચિંતાથી મુક્ત રહે છે.
૧૦- સત્કાર્યો અને ફાયદાકારક જ્ઞાનમાં વ્યસ્ત થઈ જવું; કારણ કે તે માનવીને ચિંતાથી દૂર રખે છે.
૧૧- આજના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ભવિષ્યના કાર્યની ચિંતા ન કરવી અને ભૂતકાળ પર અફસોસ ન કરવો, માનવી દીન અને દુનિયામાં જે તેના માટે ફાયદાકારક હોય તેનો પ્રયત્ન કરવો, પોતાના પાલનહાર પાસે પોતાના હેતુની સફળતા માટે દુઆ કરવી, અને તેમ તેની મદદ માંગવી; કારણકે આ વસ્તુ માનવીને ચિંતાથી મુક્ત કરે છે.
૧૨- સ્વાસ્થ્ય અને તેના જેવી અન્ય વસ્તુઓ રોજી વગેરેમાં પોતાનાથી નીચેના દરજ્જાના લોકો તરફ ધ્યાન આપવું.
૧૩- ભૂતકાળમાં જે અપ્રિય કાર્યો કુદરતી રૂપે થયા હોય, જેને દૂર કરવા શક્ય ન હોય તેના વિષે બિલકુલ વિચારવું નહીં.
૧૪- જ્યારે માનવીને કોઈ વિપત્તિનો સામનો કરવો પડે, તો તેને હળવા કરવાનો પ્રયાસ કરવો, તેની રીત એ છે કે સૌથી ખરાબની સંભાવના કરવામાં આવે, જ્યાં સુધી તે થઈ શકતું હોય અને તેને પોતાની શક્તિ પ્રમાણે તેની સમાનતા કરવી.
૧૫- દિલને મજબૂત કરવું, આશંકાઓ અને ખરાબ વિચારોથી ચિંતિત ન થવું, ગુસ્સે ન થવું, પ્રિય વસ્તુઓ ખત્મ થવા અને અપ્રિય ઘટનાઓનું ઘટિત થવાની આશા ન રાખવી; પરંતુ દરેક વસ્તુ સર્વશક્તિમાન અલ્લાહને સોંપવી, લાભકારી સ્ત્રોત અપનાવવા અને અલ્લાહ પાસે માફી અને સુરક્ષા માંગતા રહેવું.
૧૬- દિલથી અલ્લાહ પર ભરોસો અને તેના વિષે સારું અનુમાન રાખવું; કારણ કે જે અલ્લાહ પર ભરોસો કરે છે, તેને ખરાબ વિચારો પ્રભાવિત કરતાં નથી.
૧૭- બુદ્ધિશાળી વ્યક્તિ જાણે છે કે તેનું સાચું જીવન, સંતુષ્ટ અને સુકૂનનું જીવન છે, અને આ જીવન ખૂબ જ ટૂંકું છે, જેથી તેને ચિંતાઓ અને દુ:ખોમાં લાગી તેને ટૂંકું ન કરવુ જોઈએ; કારણ કે આ સ્વસ્થ જીવનની વિરુદ્ધ છે.
૧૮- જ્યારે કોઈ વ્યક્તિને કોઈ મુસીબત અથવા અપ્રિય સ્થિતિનો સામનો કરવો પડે, તો તેને પ્રાપ્ત થયેલ દીની અને દુન્યવી નેઅમતોની તુલના અપ્રિય વસ્તુઓ સાથે કરવી, એટલા માટે કે સ્પષ્ટ થઈ જાય કે તેને જે કૃપાઓ મળેલી છે, તે વધારે છે, એવી જ રીતે તે સંભવિત નુકસાનની તુલના કરવી, જેમાં તે સપડાઈ શકતો હતો, અને એવી ઘણી સંભાવનાઓ, જે સલામત રહેવાના ઈશારો દર્શાવે છે, જેથી તે કમજોર શક્યતાઓને વધુ શક્યતાઓ પર પ્રભાવિત ન થવા દે, આ રીતે તેની દુ:ખ અને ચિંતા દૂર થઈ જશે.
૧૯- તે વાતનો વિશ્વાસ રાખવો કે લોકોના ખરાબ ઇચ્છવાથી તેને કોઈ નુકસાન નહીં પહોંચી શકે, પરંતુ તેને પોતે જ નુકસાન પહોંચાડે છે, જેથી તે વાતો પર કોઈ ધ્યાન ન આપવું અને ન તો તેના વિષે વિચારવું જેથી તેને કોઈ નુકસાન ન પહોંચી શકે.
૨૦- તે જ વાતો વિષે વિચારવું, જે ધાર્મિક અને સાંસારિક રૂપે ફાયદાકારક હોય.
૧૨- કોઈના પર ઉપકાર કર્યા પછી અલ્લાહ સિવાય કોઇની પાસે તેના આભારની ઈચ્છા ન રાખવી, તે જાણી કે તેની આ બાબત અલ્લાહ સાથે છે, જેથી જેના પર ઉપકાર કર્યો છે તેના આભારી હોવાની ચિંતા ન કરવી. {અમે તો ફક્ત અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે તમને ખવડાવીએ છીએ, અમે તમારી પાસે કોઈ બદલો નથી માંગતા અને ન તો કોઈ આભાર ઈચ્છીએ છીએ} સૂરે અલ્ ઇન્સાન, આયત નંબર: ૯.
૨૨- ફાયદાકારક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું, તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો, નુકસાનકારક વસ્તુઓ પર ધ્યાન ન આપવું, જેથી તે મન અથવા વિચારો પર પ્રભાવિત ન થઈ શકે.
૨૩- કાર્યોને તેના સમય પર કરવા અને ભવિષ્ય માટે તૈયાર રહેવું, જેથી આગળ આવનાર કાર્યોને વિચારપૂર્વક અને ઉત્કટ ભાવનાઓ સાથે કરી શકાય.
૨૪- ફાયદાકારક કાર્યો અને ફાયદાકારક જ્ઞાનમાં જે મહત્વપૂર્ણ છે તેને માનવી પ્રાથમિકતા આપે, ખાસ કરીને એવા કાર્યો જેમાં તેની રૂચી હોય, અને અલ્લાહ પાસે મદદ માંગે, ફરી એકબીજા સાથે સલાહ-સૂચન કરે, ફરી જયારે તેનો લાભ જુએ અને તેને કરવાનો ઈરાદો કરી, સર્વશક્તિમાન અલ્લાહ પર ભરોસો કરે.
૨૫- અલ્લાહએ આપેલ જાહેર અને આંતરિક નેઅમતો પર ચર્ચા કરવી અને જબાન દ્વારા તેના વિષે વાત કરવાથી પણ માનવીને આંતરિક ખુશી અને દિલને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે, અલ્લાહ તઆલા તેના કારણે તેના દુ:ખો અને ચિંતા દૂર કરે છે, તેના કારણે માનવીમાં પોતાના પાલનહાર માટે આભાર વ્યક્ત કરવાની ભાવના ઉત્પન્ન થાય છે.
૨૬- પત્ની, સગા- સબંધીઓ અને તે દરેક વ્યક્તિ જેની સાથે તમારો કોઈ સંબંધ હોય, તેમની સાથે વ્યવહાર કરતી વખતે જો તમને કોઈ ખામી નજર આવે તો તેમની ખૂબીઓને તેમની ખામી સાથે તુલના કરવી, તે ગુણો પર અપનાવવાથી સંબંધ કાયમી જળવાઈ રહે છે, અને દિલન શાંતિ પ્રાપ્ત રહય છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય આદતથી પસંદ પણ હશે)) [૬૩]. [૬૩] સહીહ મુસ્લિમ, ૨/૧૦૯૧, હદીષ નંબર: ૧૪૬૯.
૨૭- દરેક કાર્યોની યોગ્યતા માટે દુઆ કરવી, આ પ્રકારની સૌથી મહત્વપૂર્ણ દુઆ આ છે: (("અલ્લાહુમ્મ અસ્લિહ લી દીનિયલ્લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ લી દુનિયાયલ્લતિ ફીહા મઆશી, વઅસ્લિહ લી આખિરતીયલ્લતી ઇલય્હા મઆદી, વજ્અલિલ્ હયાત ઝિયાદતલ્લી ફી કુલ્લિ ખય્રિ, વજ્અલિલ્ મવ્ત રાહતલ્લી મિન્ કુલ્લિ શર્રિ" (અર્થ: હે અલ્લાહ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે, તું મારી દુનિયા પણ સુધારી દે, જેમાં મારી રોજી છે, તું મારી આખિરતને સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે, તું મારા જીવનને દરેક ભલાઈ અને નેકીમાં વધારાનું કારણ બનાવી દે, અને મૃત્યુને દરેક બુરાઈથી બચાવી રાહત માટેનો સ્ત્રોત બનાવી દે))) [૬૪], એવી જ રીતે આ દુઆ પણ: ((" અલ્લાહુમ્મ રહ્મતક અરજુ ફલા તકિલ્ની ઇલા નફસી તરફત અય્નિન વઅસ્લિહ લી શઅની કુલ્લહુ, લા ઇલાહ ઇલ્લા અન્ત" (અર્થ: હે અલ્લાહ! હું તારી રહેમતની આશા રાખું છું, બસ તું મને આંખની પલક જપક બરાબર પણ મને મારા નફસના હવાલે ન કરીશ, મારા દરેક કાર્યોને મારા માટે ઠીક કરી દે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી))) [૬૫]. [૬૪] સહીહ મુસ્લિમ, ૪/૨૦૮૭, હદીષ નંબર: ૨૭૨૦. [૬૫] અબૂ દાવૂદ, ૪/૩૨૪, હદીષ નંબર: ૫૦૯૦, મુસ્નદ અહમદ, ૫/૪૨, હદીષ નંબર: ૦૪૩૦, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહુલ્ જામિઅમાં સહીહ કહી છે, હદીષ નંબર: ૩૩૮૮, અને સુનન અબૂ દાવૂદમાં હસન દરજ્જાની કહી છે, ૩/૨૫૧.
૨૮- અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ((અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરો; કારણકે અલ્લાહના માર્ગમાં યુદ્ધ જન્નતના દરવાજા માંથી એક દરવાજો છે, જેના કારણે અલ્લાહ દિલોને દુઃખ અને ચિંતાથી મુક્તિ આપે છે)) [૬૬]. [૬૬] મુસ્નદ અહમદ, ૫/૩૧૪, ૩૧૬, ૩૧૯, ૩૨૬- ૩૩૦, હદીષ નંબર: ૨૧૬૨૪, ૨૨૬૮૦, ૨૨૭૩૨, ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે અને આ હદીષને સહીહ કહી છે અને ઈમામ ઝહ્બી રહિમહુલ્લાહએ ૨/૭૫ માં સહમતી આપી છે, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહાહમાં સહીહ દરજ્જાની કહી છે, ૨/૨૭૪.
આ કેટલાક સ્ત્રોત અને તરીકા છે, જે માનસિક બીમારીઓ માટે ફાયદાકારક સારવાર છે, જે વ્યક્તિ આ માધ્યમોમાં ચિંતન-મનન કરશે અને સાચા મન અને નિખાલસતા સાથે તેને અમલમાં લાવશે, તો તેના માટે સૌથી શ્રેષ્ઠ સારવાર છે, ઘણા આલિમોએ આ પદ્ધતિઓ દ્વારા ઘણી માનસિક સ્થિતોઓ અને બીમારીઓની સારવાર કરી છે અને ઉચ્ચ અલ્લાહએ તેના દ્વારા ઘણો ફાયદો પહોંચાડ્યો છે [૬૭]. [૬૭] જુઓ: અલ્ "વસાઈલુલ્ મુફીદહ" ની પ્રસ્તાવના, પાંચમું પ્રકાશન, પેજ નંબર: ૬.
૫- ઘા અને ઇજાઓનો ઈલાજ
જયારે કોઈ વ્યક્તિને દુઃખની ફરિયાદ હોતી અથવા તેને ઈજા અથવા ફોલ્લો થયો હોય તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની આંગળી દ્વારા આમ કરતા, સુફિયાને પોતાની પહેલી આંગળી જમીન પર મૂકી, ફરી તેને ઉઠાવી અને કહ્યું: ((અલ્લાહના નામથી, આ અમારી જમીનની માટી છે, આપણા માંથી કેટલાકની લાળ આપણા બીમારને આપણા પાલનહારની પરવાનગીથી સાજો કરી દેશે))[૬૮]. [૬૮] બુખારી મઅલ્ ફતહ, ૧૦/૨૦૬, હદીષ નંબર: ૫૭૪૫, સહીહ મુસ્લિમ, ૪/૧૭૨૪, હદીષ નંબર: ૨૧૯૪.
હદીષનો અર્થ એ છે જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની પહેલી આંગળી પર પોતાની પવિત્ર લાળ લગાવતા, ફરી તેને માટી પર ઘસતા, આ રીતે તેના પર થોડી માટી ચોંટી જતી, ફરી તેને શરીરના તે ભાગ પર ચોંટાડતા, જ્યાં ધા અથવા કોઈ દુખાવો થતો હોય અને તેની સાથે આ શબ્દો કહેતા [૬૯]. [૬૯] જુઓ: ઈમામ નાવવી રહિમહુલ્લાહ દ્વારા કરવામાં આવેલ સહીહ મુસ્લિમન સમજુતી, ૧૪/૧૮૪, અને ફત્હુલ્ બારી, ૧૦/૨૦૮, આ હદીષ વિસ્તાર પૂર્વક સમજુતી માટે જુઓ ઝાદુલ્ મઆદ, ૪/૧૮૬-૧૮૭.
૬- મુશ્કેલીની સારવાર
{કોઇ મુસીબત જે જમીન પર આવે છે અથવા તમને પોતાને પહોચે છે, તે આપણા સર્જન પહેલા એક કિતાબમાં લખેલી છે, આ (કાર્ય) અલ્લાહ માટે (ખૂબ જ) સરળ છે (૨૨) આ એટલા માટે કે જે કઈ તમને ન મળે તેના પર તમે રંજ ન કરો અને જે કઈ અલ્લાહ તમને આપે તેના પર ઇતરાવો નહી અને અલ્લાહ કોઈ અહંકારી અને ઘમંડ કરનારને પસંદ નથી કરતો (૨૩)}. સૂરે અલ્ હદીદ: ૨૨-૨૩.
૨- {જે કોઇ પરેશાની આવે તે અલ્લાહની પરવાનગીથી જ આવે છે અને જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન લાવે તો અલ્લાહ તેને હિદાયત આપે છે અને અલ્લાહ દરેક વસ્તુને જાણવાવાળો છે} સૂરે અત્ તગાબુનની આયત નંબર: ૧૧.
૩- ((જયારે કોઈ મુસલમાનને કોઈ તકલીફ પહોંચે છે, અને આ દુઆ પઢે છે: "ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રોજિઊન, અલ્લાહુમ્મ અજુર્ની ફી મુસીબતી, વખ્લુફ લી ખય્રમ્ મિન્હા" (અર્થ: ખરેખર અમે અલ્લાહ માટે જ છે અને અમે સૌ તેની તરફ જ પાછા ફરવાના છે, હે અલ્લાહ! અમને આ મુસીબતમાં અજર આપ અને તેના બદલામાં (સારી ભલાઈ આપ), તો અલ્લાહ તેની તકલીફનું પ્રતિફળ આપે છે અને તેને તેનો શ્રેષ્ઠ બદલો આપે છે))[૭૦]. [૭૭] સહીહ મુસ્લિમ, ૨/૬૩૩, હદીષ નંબર: ૯૧૮.
૪- ((જયારે કોઈ માનવીના બાળકનું મૃત્યુ થઇ જાય છે, તો ઉચ્ચ અને મહાન અલ્લાહ પોતાના ફરિશ્તાઓને કહે છે: તમે મારા બંદાના બાળકના પ્રાણ કાઢી લીધા, તેઓ કહે છે: હા, તો ઉચ્ચ અલ્લાહ કહે છે: તમે તેના દિલના ટુકડાના પ્રાણ કાઢી લીધા? તેઓ જવાબ આપે છે: હા, તો ઉચ્ચ અલ્લાહ કહે છે: મારા બંદાએ શું કહ્યું? તેઓ કહે છે: તેણે તારા વખાણ કર્યા અને ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રોજિઊન પઢયું [૭૧], તો અલ્લાહ કહે છે: મારા બંદા માટે જન્નતમાં ઘર બનાવી દો, અને તેનું નામ બૈતુલ્ હમ્દ રાખો»[૭૨]. [૭૧] અર્થાત્ કહ્યું: "અલ્ હમ્દુ લિલ્લાહ, ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજીઊન" દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે છે આપણે સૌ અલ્લાહની માલિકી હેઠળ છે અને આપણે સૌએ તેની તરફ જ પાછા ફરવાનુ છે. [૭૨] સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: ૧૦૨૧, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૧/૨૯૮.
૫- ((ઉચ્ચ અલ્લાહ કહે છે: જયારે હું મારા મોમિન બંદા પાસેથી, દુનિયા માંથી તેના કોઈ પ્રિયને લઇ લઉં છું, અને તે તેના પર સબર કરે છે, તો તેના માટે મારી પાસે જન્નત સિવાય કોઈ બાળો નથી))[૭૩]. [૭૩] સહીહ બુખારી ફત્હુલ્ બારી સાથે, ૧૧/૨૪૨, હદીષ નંબર: ૬૪૨૪.
૬- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિ જેના બાળકનું મૃત્યુ થઇ ગયું હતું, તેને કહ્યું: «શું તમે તે પસંદ નથી કરતા કે જયારે પણ તમે જન્નતના કોઈ દ્વાર પાસે આવો, તો તેને પોતાની રાહ જોતા જુઓ?»[૭૪]. [૭૪] મુસ્નદ અહમદ, હદીષ નંબર: ૧૫૫૯૫, સુનન નસાઈ, ૪/૨૩, કિતાબુલ્ જનાઈઝ, પાઠ: અલ્ અમ્ર બિલ્ ઈહ્તિસબિ વસ્ સબ્ર ઈન્દ નુઝૂલિલ્ મુસીબહ, હદીષ નંબર: ૧૮૭૦, અને આ હદીષની સનદ ઈમામ બુખારીની શરત મુજબ સહીહ છે, અને ઈમામ ઇબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ સહીહ કહી છે, ૮/૨૦૯, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તર્ગીબ વત્ તર્હીબમાં સહીહ દરજ્જાની કહી છે, હદીષ નંબર: ૨૦૦૭, જુઓ: ફત્હુલ્ બારી, ૧૧/૨૪૩.
૭- «સર્વશ્રેષ્ઠ અને મહાન અલ્લાહએ કહ્યું: જયારે હું મારા બંદાને તેની સૌથી પ્રિય બે વસ્તુઓ -અર્થાત્ આંખો- વિષે અજમાયશ કરું છું, અને તે તેના પર સબર કરે (સવાબની નિયતથી), તો હું તેના બદલામાં તેને જન્નત આપું છું» [૭૫]. [૭૫] બુખારી ફતહુલ્ બારી સાથે, ૧૦/૧૧૬, હદીષ નંબર: ૫૬૫૩, અને બંને કૌંસ વચ્ચેના શબ્દો સુનન અત્ તિર્મિઝી માંથી, હદીષ નંબર: ૨૪૦૦, જુઓ: સહીહ અત્ તિર્મિઝી, ૨/૨૮૬.
૮- «જયારે પણ કોઈ મુસલમાનને કોઈ તકલીફ પહોંચે છે, કોઈ બીમારી રૂપે અથવા અન્ય કોઈ પણ રીતે, તો તેના કારણે અલ્લાહ તેના પાપ એવી જ રીતે માફ કરી દે છે, જે રીતે ઝાડના પાંદડા ખરતા હોય છે»[૭૬]. [૭૬] બુખારી ફતહુલ્ બારી સાથે, ૧૦/૧૨૦, હદીષ નંબર: ૫૬૪૮, સહીહ મુસ્લિમ, ૪/૧૯૯૧, હદીષ નંબર: ૨૫૭૧.
૯- «કોઈ પણ મુસલમાનને કોઈ કાંટો વાગે અથવા કોઈ મોટું કષ્ટ પહોંચે, તો તેના બદલામાં તેના માટે એક દરજ્જો લખવામાં આવે છે, અને તેનો એક પાપ ખત્મ કરવામાં આવે છે» [૭૭]. [૭૭] સહીહ મુસ્લિમ, ૪/૧૯૯૧, હદીષ નંબર: ૨૫૭૨.
૧૦- «મુસલમાનને કોઈ પણ દુઃખ [૭૮], થાક [૭૯], બીમારી, તકલીફ અને અહીં સુધી કે ચિંતા [૮૦], પહોંચે છે, અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહ દૂર કરી દે છે» [૮૧]. [૭૮] આ હદીષમાં વર્ણવેલ શબ્દ "અલ્ વસબ" નો અર્થ: કાયમી પીડા, અને આજ શબ્દ અલ્લાહએ કુરઆનમાં વર્ણન કર્યો છે: {તેમના માટે હંમેશા રહેવાવાળો અઝાબ છે}, અર્થાત: કાયમી અઝાબ, જુઓ: ઈમામ નવવી રહિમહુલ્લાહની સહીહ મુસ્લિમની સમજુતી, ૧૬/૧૩૦. [૭૯] અન્ નસબ: થાક. [૮૦] કેટલાક લોકોએ «યહુમ્મુહુ» યા પર ઝબર સાથે કહ્યું છે, તો અન્ય લોકોએ «યુહમ્મુહુ» યા પર પેશ સાથે પઢયુ છે, અર્થાત્: તેને ઢાંકી લે, બંને સહીહ છે, જુઓ: ઈમામ નવવી રહિમહુલ્લાહની સહીહ મુસ્લિમની સમજુતી, ૧૬/૧૩૦. [૮૧] સહીહ મુસ્લિમ, ૪/૧૯૯૩, હદીષ નંબર: ૨૫૭૩.
૧૧- «જેટલી મહાન કસોટી કરવામાં આવે, બદલો પણ તે જ પ્રમાણે આપવામાં આવે છે, અલ્લાહ જયારે કોઈ કોમને પસંદ કરે છે, તો તેની કસોટી કરે છે, તેથી તે તેનાથી ખુશ અને સંતુષ્ટ રહે છે, તો અલ્લાહ તેમનાથી ખુશ થાય છે અને જે તેની અસંતુષ્ટ રહે છે, તો અલ્લાહ પણ તેનાથી નારાજ રહે છે» [૮૨] [૮૩]. [૮૨] સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: ૨૩૯૬, ઇબ્ને માજહ, હદીષ નંબર: ૪૦૩૧, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને હસન કહી છે, ૨/૨૮૬. [૮૩] કહેવામાં આવ્યું: અસ્ સુખ્ત અથવા અસ્ સખ્ત: સંતુષ્ટિ વિરુદ્ધ, "સખિત" અર્થાત્ ગુસ્સે થવું, "સાખિતુન્": ક્રોધિત, "અસ્ખતહુ": ગુસ્સે કર્યું, કહેવામાં આવ્યું: તસખ્ખત અતાઉહુ, અર્થાત્ કોઈએ આપેવ વસ્તુને ઓછી સમજવી અને સંતુષ્ટિ ન થવી, "સખિત સખ્તન" જે તઈબ ના બાબ માંથી છે, અને "અસ્ સુખ્તુ" પેશ સાથે તેમાંથી જ છે, અને "સખિત્તુહુ વ સખિતત અલૈહિ વ અસ્ખત્તુહુ ફસખિત" નો અર્થ અને વજન તે જ છે જે "અગ્બ્તુંહુ ફ ગઝિબ" નું છે, જુઓ: અસ્ સિહાહ તથા મિસ્બાહુલ્ મુનીર, મૂળ શબ્દ: સ ખ ત.
૧૨- «તકલીફો બંદા પર આવતી રહે છે [૮૪], અહીં સુધી કે તેને તે સ્થિતિમાં છોડે છે કે તે જમીન પર ચાલતો હોય છે અને તેના પર કોઈ ગુનોહ હોતો નથી» [૮૫]. [૮૪] અર્થાત્ મુસલમાન વ્યક્તિ. [૮૫] સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: ૨૬૯૮, ઇબ્ને માજહ, હદીષ નંબર: ૪૦૨૩, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને હસન કહી છે, ૨/૨૮૬.
૭- દુઃખ અને ચિંતાની ઈલાજ
૧- જયારે પણ કોઈ વ્યક્તિને દુઃખ અને ચિંતા થાય, અને તે કહે: «"અલ્લાહુમ્મ ઇન્ની અબ્દુક્, ઇબ્નુ અબ્દિક્, ઇબ્નુ અમતિક્, નાસિયતિ બિયદિક્, માઝિન્ ફિય્ય હુક્મુક્, અદ્લુન્ ફિય્ય કઝાઉક્, અસ્અલુક બિકુલ્લિ ઇસ્મિન્ હુવ લક સમ્મય્ત બિહિ નફ્સક્, અવ્ અલ્લમ્તહુ અહદન્ મિન્ ખલ્કિક્, અવ્ અન્ઝલ્તહુ ફી કિતાબિક્, અવિસ્તઅષર્ત બિહિ ફી ઇલ્મિલ્ ગય્બિ ઇન્દક્, અન્ તજ્અલલ્ કુરઆન રબીઅ કલ્બી, વ નૂર સદ્-રી, વ જિલાઅ હુઝ્ની, વ ઝહાબ હમ્મી, ઇલ્લા અઝ્હબલ્લાહુ હુઝ્નહુ વહમ્મહુ, વઅબ્દિલ્હુ મકાનહુ ફરહન" (અર્થ: હે અલ્લાહ! હું તારો બંદો છું, તારા બંદા અને તારી બંદીનો દીકરો છું, મારું કપાળ તારા જ હાથમાં છે, મારા પર તારો જ આદેશ ચાલે છે, મારા વિશે તારો નિર્ણય ન્યાય પૂર્વક છે, હું તારી પાસે તારા તે જ નામ દ્વારા દુઆ કરું છું, જે તે પોતે તારા માટે નક્કી કર્યા છે, અથવા પોતાનાં સર્જનીઓ માંથી જેને તે નામ શીખવાડ્યા છે, અથવા પોતાની કિતાબમાં ઉતાર્યા છે, અથવા પોતાની પાસે ગૈબના ઈલ્મમાં સુરક્ષિત રાખ્યા છે, કે તું કુરઆન મજીદને મારા દિલની ખુશી અને દિલનું નૂર બનાવી દે, મારા માટે કુરઆન મજીદને દુ:ખ માટે વિશાળતાનું કારણ તેમજ પરેશાનીઓ માટે દૂરીનું કારણ બનાવી દે, અને તેના બદલે ખુશી આપે છે)» [૮૬]. [૮૬] મુસ્નદ અહમદ, ૧/૩૯૧, હદીષ નંબર: ૩૭૧૨, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તર્ગીબ વત્ તર્હીબમાં સહીહ કહી છે, હદીષ નંબર: ૧૮૨.
૨- «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ હમ્મિ વલ્ હઝનિ, વલ્ અજ્ઝિ વલ્ કસલિ, વલ્ બુખ્લિ, વલ્ જુબ્નિ, વઝલ્ઈદ્ દૈનિ વ ગલબતિર્ રિજાલિ" (અર્થ: હે અલ્લાહ! હું ચિંતા, દુઃખ, કમજોરી, આળસ, કંજુસાઈ, કાયરતા, તેમજ દેવામાં ફસાઈ જવાથી અને લોકોના હાવી થઈ જવાથી તારી પનાહ માંગુ છું)» [૮૭]. [૮૭] સહીહ બુખારી, ૭/૧૫૮, હદીષ નંબર: ૨૮૯૩, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ વધારે પઢતા હતા, જુઓ: બુખારી ફત્હુલ્ બારી સાથે, ૧૧/૧૭૩.
૮- બેચેનીનો ઈલાજ
૧- «"લા ઇલાહ ઇલ્લલ્લાહુલ્ અઝીમુલ્ હલીમુ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતિ, વ રબ્બુલ્ અર્ઝિ વ રબ્બુલ્ અર્શિલ્ કરીમ" (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી તે મહાન અને ધેર્યવાન છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી તે જ મહાન અર્શનો પાલનહાર છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે જ આકાશો અને ધરતીનો પાલનહાર છે અને મહાન અર્શનો રબ છે)» [૮૮]. [૭૦] સહીહ બુખારી, ૭/૧૫૪, હદીષ નંબર: ૬૩૪૬, સહીહ મુસ્લિમ, ૪/૨૦૯૨, હદીષ નંબર: ૨૭૩૦.
૨- «"અલ્લાહુમ્મ રહ્મતક અરજુ ફલા તકિલ્ની ઇલા નફસી તરફત અયનિન વઅસ્લિહ લી શઅની કુલ્લહુ, લા ઇલાહ ઇલ્લા અન્ત" (અર્થ: હે અલ્લાહ! હું તારી રહેમતની આશા રાખું છું, બસ તું મને આંખની પલક જપક બરાબર પણ મને મારા નફસના હવાલે ન કરીશ, મારા દરેક કાર્યોને મારા માટે ઠીક કરી દે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી)» [૮૯]. [૮૯ ] અબૂ દાવૂદ, ૪/૩૨૪, હદીષ નંબર: ૫૦૯૨, મુસ્નદ અહમદ, ૫/૪૨, હદીષ નંબર: ૨૦૪૩૦, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ ઈરવાઉલ્ ગલીલમાં સહીહ કહી છે, ૩/૩૫૭, અને અર્નાઉત દ્વારા ચકાસણી કરેલ મુસ્નદ, ૩૪/૭૫.
૩- «"લા ઇલાહ ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની કુન્તુ મિનઝ્ ઝોલિમીન" (અર્થ: અલ્લાહ તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે, ખરેખર હું અત્યાચારી લોકો માંથી બની ગયો)» [૯૦]. [૯૦] સુનન અત્ તિર્મિઝી, ૫/૫૨૯, હદીષ નંબર: ૩૫૦૫, ઇબ્ને માજહ, હદીષ નંબર: ૪૦૩૧, ઈમામ હાકિમ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે અને સહીહ કહી છે અને ઈમામ ઝહબી રહિમહુલ્લાહએ પુષ્ટિ કરી છે,૧/૫૦૫, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને હસન દરજ્જાની કહી છે, ૩/૧૬૮.
૪- «"અલ્લાહુ અલ્લાહુ રબ્બી, લા ઉશરિકુ બિહિ શૈઅન" (અર્થ: અલ્લાહ ફક્ત જ મારો પાલનહાર છે, હું તેની સાથે કોઈ ને પણ ભાગીદાર ઠેહરાવતો નથી»[૯૧]. [૯૧] અબૂ દાવૂદ, ૨/૮૭, હદીષ નંબર: ૧૫૨૫, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ ઇબ્ને માજહમાં સહીહ કહી છે, ૨/૩૩૫, અને સહીહ અત્ તિર્મિઝીમાં પણ, ૪/૧૯૬.
૯-
«જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં તમારો હાથ મુકો અને ત્રણ વખત બિસ્મિલ્લાહ પઢો, અને સાત વખત આ દુઆ પઢો, "અઊઝુ બિલ્લાહિ વ કુદરતિહી મિન્ શર્રિ મા અજિદુ વ ઉહાઝિરુ" (અર્થ: હું અલ્લાહથી પનાહ માગું છું તે વસ્તુની દુષ્ટતાથી, જેને હું (મારા શરીરમાં) અનુભવું છું અને જેનાથી હું ડરી રહ્યો છું)» [૯૨]. [૯૨] સહીહ મુસ્લિમ, ૪/૧૭૨૮, હદીષ નંબર: ૨૨૦૨.
૧૦- બીમારપુરસી દરમિયાન બીમાર વ્યક્તિની સારવાર
«એક મુસલામન વ્યક્તિ જયારે કોઈ એવા બીમાર વ્યક્તિની મુલાકાત કરે, જેનો મૃત્યુનો સમય ન આવ્યો હોય, તો સાત વખત આ દુઆ પઢે: "અસ્અલુલ્લાહલ્ અઝીમ રબ્બિલ્ અર્શિલ્ અઝીમ અયં યશ્ફિક" (અર્થ: હું ખૂબ જ મહાનતા વાળા અલ્લાહ, જે વિશાળ અર્શનો માલિક છે, સવાલ કરું છું કે તને સારું કરી દે (શીફા આપે)» [૯૩]. [૯૩] સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: ૨૦૮૩, અબૂ દાવૂદ, હદીષ નંબર: ૩૮૯૩, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને સહીહ કહી છે, ૨/૨૧૦, અને સહીહુલ્ જામિઅમાં, ૫/૧૮૦.
૧૧- ઊંઘમાં ઘભરાહટ અને ભયનો ઈલાજ
«"અઊઝુ બિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ: મિન્ ગઝબિહિ, વ્ઇકાબિહિ, વમિન્ હમઝાતિશ્ શયાતીન, વ અય્ યહ્ઝુરૂન" (અર્થ: હું અલ્લાહના સંપૂર્ણ કલિમા સાથે પનાહ માંગું છું, તેનાં ગુસ્સા અને તેની પકડથી અને અને તેનાં બંદાઓની બુરાઈ થી, અને શૈતાનના વસવસા (પાપ પર ઉશ્કેરવા) થી, અને એ વાત થી કે તે મારી પાસે આવે)» [૯૪]. [૯૪] અબૂ દાવુદ, હદીષ નંબર: ૩૮૯૩, તિર્મિઝી, હદીષ નંબર: ૩૫૨૮, સહીહ તિર્મિઝીમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ દરજ્જાની કહે છે, ૩/૧૭૧.
૧૨- તાવ વખતે કરવામાં આવતી સારવાર
અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તાવ જહન્નમની સખત ગરમીના કારણે થાય છે, જેથી તમે તેને પાણી વડે ઠંડો કરો» [૯૫]. [૯૫] સહીહ બુખારી ફત્હુલ્ બારી સાથે, ૧૦/૧૭૪, હદીષ નંબર: ૩૨૬૪, સહીહ મુસ્લિમ, ૪/૧૭૩, હદીષ નંબર: ૨૨૧૦.
૧૩- ઝેરી જંતુઓ કરડે અથવા ડંખ મારે તે સમયે કરવામાં આવતી સારવાર
૧- લાળ એકત્રિત કરી, સૂરે ફાતિહા પઢી ડંખ મારેલી જગ્યા પર ફૂંક મારવી [૯૬]. [૯૬] સહીહ બુખારી ફત્હુલ્ બારી સાથે, ૧૦/૨૦૮, પુસ્તક: અત્ તિબ્બ, પાઠ: રુકિય્યતુન્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
૨- તેને મીઠા અને પાણી વડે સાફ કરવું અને નીચે મુજબ સૂરતો પઢવી: {"કુલ યા અય્યૂ હલ્ કાફિરૂન" (તમે કહી દો કે હે કાફિરો!)} અને સૂરે ફલક અને સૂરે નાસ [૯૭]. [૯૭] ઈમામ તબ્રાનીએ મુઅજમુસ્ સગીરમાં વર્ણન કરી છે, ૨/૮૩૦, અને હૈષમીએ મજ્મઉઝ્ ઝવાઈદમાં તેની સનદને હસન કહી છે, ૫/૧૧૧, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહાહમાં સહીહ દરજ્જાની કહી છે, હદીષ નંબર: ૫૪૮.
૧૪- ક્રોધનો ઈલાજ
ક્રોધના ઈલાજના બે તરીકા છે:
પહેલો તરીકો: ક્રોધથી બચવું
જે ક્રોધના સ્ત્રોતથી બચવાથી પ્રાપ્ત થાય છે, અને તે સ્ત્રોત: ઘમંડ, સ્વાર્થ, અભિમાન, ખરાબ લોભ, મજાક, તેના જવી અન્ય વસ્તુઓ.
બીજો તરીકો: ગુસ્સો આવ્યા પછી કરવામાં આવતી સારવાર
તેના પણ ચાર પ્રકાર છે:
ધ્રુત્કારેલા શૈતાનથી અલ્લાહ પાસે શરણ માંગવું.
વઝૂ કરવું.
ક્રોધિત વ્યક્તિએ પોતાની સ્થિતિ બદલી લેવી: બેસી જવું, સૂઈ જવું, બહાર નીકળી જવું, ચૂપ થઇ જવું અને તેના જેવી અન્ય વસ્તુઓ.
ક્રોધ પર કાબુ મેળવવા પર સવાબ અને ક્રોધના કારણે થતા અપમાન વિષે જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તેને ધ્યાનમાં રાખવું [૯૮]. [૯૮] તેના વિસ્તાર પૂર્વક વર્ણન અને તેના સાચા પુરાવા સાથે જુઓ લેખકની કિતાબ: આફાતુલ્ લિસાન, પુષ્ઠ સંખ્યા: ૧૧૦-૧૧૨, એવી જ રીતે લેખકની બીજી કિતાબ: "અલ્ હિકમતુ ફિદ્ દઅવહ ઈલલ્લાહ, પુષ્ઠ સંખ્યા: ૬૪-૬૬.
૧૫- કલોંજી દ્વારા ઈલાજ
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કલોંજીમાં મૃત્યુ સિવાય દરેક બીમારીનો ઈલાજ છે» ઇબ્ને શહાબએ કહ્યું: «"અસ્ સામ" નો અર્થ મૃત્યુ છે, અને "અલ્ હબ્બતુસ્ સૌદાઅ" નો અર્થ કલોંજી છે» [૯૯], કલોંજીના ઘણા ફાયદા છે, આ વિષે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક બીમારીની દવા છે», ઉચ્ચ અને મહાન અલ્લાહએ કહ્યું: {જે પોતાના પાલનહારના આદેશથી દરેક વસ્તુને નષ્ટ કરી રહી હતી} સૂરે અલ્ અહકોફ, આયત નંબર: ૨૫, અર્થાત્ તે દરેક વસ્તુ જે વિનાશ કરે છે [૧૦૦]. [૯૯] સહીહ બુખારી ફત્હુલ્ બારી સાથે, ૧૦/૧૪૩, હદીષ નંબર: ૫૬૮૮, સહીહ મુસ્લિમ, ૧૭૩૫, હદીષ નંબર: ૨૨૧૫. [૧૦૦] ઝાદુલ્ મઆદ. ૪/૨૯૭, અલ્લામહ મુવફ્ફિકુદ્દીન અબ્દુલ લતીફ અલ્ બગદાદીની કિતાબ "અત્ તિબ્બુ મિનલ્ કિતાબિ વસ્ સુન્નહ", પેજ નંબર: ૮૮.
૧૬- મધ દ્વારા ઈલાજ
૧- ઉચ્ચ અને મહાન અલ્લાહએ મધમાખીનો ઉલ્લેખ કરતા કહ્યું: {તેમના પેટ માંથી રંગબેરંગી પીણું નીકળે છે, અને જેમાં લોકો માટે ઇલાજ છે. ચિંતન કરનારાઓ માટે આમાં પણ ખૂબ જ મોટી નિશાની છે} સૂરે અન્ નહલ, આયત નંબર: ૬૯.
૨- અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રણ વસ્તુઓમાં શિફા છે: હિજામહ કરાવવામાં, મધ પીવામાં, અને આગ દ્વારા સારવાર કરાવવામાં, પરંતુ હું મારી કોમને દાહક (આગ દ્વારા ઈલાજ કરવો) થી રોકું છું» [૧૦૧]. [૧૦૧] સહીહ બુખારી ફત્હુલ્ બારી સાથે, ૧૦/૧૩૭, હદીષ નંબર: ૫૬૮૧, મધના ફાયદા માટે જુઓ: ઝાદુલ્ મઆદ. ૪/૫૦-૬૨, અલ્લામહ મુવફ્ફિકુદ્દીનઅબ્દુલ લતીફ અલ્ બગદાદીની કિતાબ "અત્ તિબ્બુ મિનલ્ કિતાબિ વસ્ સુન્નહ", પેજ નંબર: ૧૨૯-૧૩૬.
૧૭- ઝમઝમના પાણી દ્વારા ઈલાજ
૧- નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર કે તે બરકતવાળું પાણી છે, તે ખાવા માટેનું ભોજન છે [અને બીમારી માટે શિફા છે]» [૧૦૨]. [૧૦૨] સહીહ મુસ્લિમ, ૪/૧૯૨૨, હદીષ નંબર: ૨૪૭૩, બંને કૌંસના વર્ણવેલ શબ્દ, બઝ્ઝાર, ૨/૮૬, ઈમામ બૈહકીની સુનનુલ્ કુબ્રા, ૫/૧૪૭, અને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ મુઅજમુલ્ અવસતમાં વર્ણન કરી છે, ૩/૨૪૭, અને તેની સનદ સહીહ છે, જુઓ: મજ્મઉઝ્ ઝવાઈદ, ૩/૨૮૬.
૨- જાબિર રઝી અલ્લાહુ અન્હુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણન કરે છે: «ઝમઝમનું પાણી જે નિયત સાથે પીવામાં આવે, તે પૂર્ણ થાય છે»[૧૦૩]. [૧૦૩] ઇબ્ને માજહ, હદીષ નંબર: ૩૦૬૨, વગેરે, ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ ઇબ્ને માજહમાં સહીહ દરજ્જાની કહી છે, ૨/૧૮૩, અને ઈર્વાઉલ્ ગલીલ, ૪/૩૨૦.
૩- અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે: «આપ વાસણોમાં [૧૦૪], અને ચામડાના ધડામાં ઝમઝમનું પાણી લઇ જતા અને બીમારો પર તેને રેડતા અને તેમને પીવા માટે આપતા» [૧૦૫]. ઈમામ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: ((મેં અને ઘણા લોકોએ ઝમઝમના પાણી દ્વારા શિફા પ્રાપ્ત કરવા માટે ઘણા અનોખા પ્રયોગો કર્યા છે, અને મેં તેના દ્વારા ઘણી બીમારીઓની સારવાર કરી છે, અને અલ્લાહની પરવાનગીથી શિફા [૧૦૬] પ્રાપ્ત થઇ [૧૦૭]. [૧૦૪] આ હદીષમાં વર્ણવેલ શબ્દ "અલ્ ઇદારતુ" નો અર્થ: વઝૂના વાસણો, જુઓ: મુખ્તારુસ્ સિહાહ, ૧/૧૧. [૧૦૫] સુનન અત્ તિર્મિઝી, ૧/૧૮૦, હદીષ નંબર: ૯૬૩, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૧/૨૮૪, અને સિલ્સિલતુ અહાદિષુસ્ સહીહહમાં સહીહ દરજ્જાની કહી છે, ૨/૫૭૨, હદીષ નંબર: ૮૮૩, ઝાદુલ્ મઆદ, ૪/૩૯૨. [૧૦૬] અહીંયા વર્ણવેલ શબ્દ «ફબર્રઅતુ» વિષે હિજાજ સિવાય અન્ય લોકો કહે છે: «ફબર્રિઅતુ», જુઓ: અન્ નિહાયહ ફી ગરીબિલ્ હદીષ, ૧/૧૧૧. [૧૦૭] ઝાદુલ્ મઆદ: ૪/૩૯૩, અને ૧૭૮.
૧૮- અંતરાત્માનાં રોગોનો ઈલાજ
દિલોના ત્રણ પ્રકાર હોય છે:
૧- સ્વચ્છ દિલ: તે જેને કયામતના દિવસે મુક્તિ પ્રાપ્ત થશે, જે સ્વચ્છ દિલ લઈને આવશે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જે દિવસે ના માલ ફાયદો પહોંચાડશે ન તો સંતાન (૮૮) પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે (તેને નજાત મળશે)}. સૂરે અશ્ શુઅરાઅ, બે આયતો: ૮૮-૮૯.
પાક હૃદય એ છે, જે અલ્લાહના આદેશો અને પ્રતિબંધોની વિરુદ્ધ બધી ઇચ્છાઓથી મુક્ત હોય અને અલ્લાહ દ્વારા આપવામાં આવેલી માહિતીની વિરુદ્ધ દરેક શંકાઓથી મુક્ત હોય, તે અલ્લાહ સિવાય બીજા કોઈની ઈબાદત કરવાથી અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિવાય બીજાને જજ માનવાથી મુક્ત હોય.
ટૂંકમાં, એક શુદ્ધ હૃદય એ છે જે અલ્લાહ સિવાય કોઈ પણ માટે ભાગીદારી કરવાથી સંપૂર્ણપણે મુક્ત હોય, પરંતુ તેની ઈબાદત ફક્ત અલ્લાહ માટે જ હોય, તેની ઈચ્છા, પ્રેમ, પરત ફરવું, વિનમ્રતા, ભય અને આશામાં, તેનું દરેક કાર્ય ફક્ત અલ્લાહ માટે નિખાલસ હોય, જેથી જો પ્રેમ કરે તો અલ્લાહ માટે કરે અને દુશ્મની કરે તો અલ્લાહ માટે જ કરે અને જો આપે તો અલ્લાહ માટે આપે, અને રોકે તો અલ્લાહ માટે ક રોકે, તેની દરેક પ્રકારની ચિંતા અલ્લાહ માટે જ હોય, તેની મોહબ્બત, તેનો ઈરાદો, તેનું શરીર, તેના દરેક કાર્યો અને તેનું સુવું અને જાગવું પણ અલ્લાહ માટે જ હોય, એવી જ રીતે તેની વાતચીત પણ અલ્લાહ માટે જ હોય, અને અલ્લાહ વિષે વાતચીત તેના માટે દરેક પ્રકારની વાતચીત કરતા વધુ પ્રિય હોય, અને તેના વિચારો ફક્ત અલ્લાહની પ્રસન્નતા અને તેની મોહબ્બત સુધી કેન્દ્રિત હોય [૧૦૮] આપણે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ આપણને આ પ્રકારનું દિલ આપે (આમીન). [૧૦૮] ઈમામ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહની કિતાબ "ઇગાષતુલ્ લહ્ફાન મિન્ મસાઈદિસ્ શૈતાન", ૧/૭ અને ૭૩.
૨- મૃત હૃદય: જે શુદ્ધ હૃદયની વિરુદ્ધ હોય, જે પોતાના પાલનહારને ઓળખતું ન હોય, ન તો તેના આદેશોનું પાલન કરતું હોય, અને ન તો તે વસ્તુઓ પસંદ કરે જે અલ્લાહને પસંદ હોય અને જેનાથી અલ્લાહ પ્રસન્ન થતો હોય, પરંતુ પોતાની મનેચ્છાઓ અને આકાંક્ષાઓ પ્રમાણે ચાલે, ભલે તેના કારણે તેનો પાલનહાર નારાજ અને ગુસ્સે થાય, જેથી તે અલ્લાહ સિવાય અન્યની ઈબાદત કરે છે: મોહબ્બતમાં, ભયમાં, આશામાં, પ્રસન્નતામાં, ગુસ્સામાં, મહાનતામાં અને અપમાનમાં અને જો તે નફરત કરે છે તો પોતાની ઈચ્છા મુજબ કરે છે, અને જો મોહબ્બત કરે છે તો પોતાની મનેચ્છા મુજબ કરે છે, અને જો આપે અથવા રોકે તો પોતાની મનેચ્છા મુજબ, જેથી તે મનેચ્છાઓનો અનુયાયી બની જાય છે, અને અજ્ઞાનતા તેનું માર્ગદર્શક હોય છે અને બેદરકારી તેનું વાહન છે, [૧૦૯] અલ્લાહ આપણને આવા હૃદયથી બચાવે (આમીન). [૧૦૯] ઇગાષતુલ્ લહ્ફાન મિન્ મસાઈદિસ્ શૈતાન", ૧/૯.
૩- બીમાર હૃદય: એક એવું હૃદય જે જીવંત છે ,પણ બીમાર હોય છે, તેને બે વિરોધી શક્તિઓ પોતાની તરફ ખેંચી રહી હોય છે, ક્યારેક તે એક પોતાની તરફ તો બીજી પોતાની તરફ ખેંચે છે, આ બે શક્તિઓમાંથી જે પણ પ્રભુત્વ ધરાવે છે, તે તેના તરફ ઝુકાવ ધરાવે છે, તે અલ્લાહને પ્રેમ કરે છે, તેના પર વિશ્વાસ રાખે છે, તેના પ્રત્યે વફાદાર રહે છે અને તેનામાં વિશ્વાસ રાખે છે, આ તેના જીવંત હોવાનો સંકેત છે, પરંતુ તે ઇચ્છાઓને પણ પ્રેમ કરે છે અને તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહે છે, તેનામાં ઈર્ષા, અભિમાન, સ્વાર્થ, મહત્વાકાંક્ષા, પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવવાની ઇચ્છા, દંભ, ધોખો, લોભ અને કંજૂસતા પણ હોય છે, જે તેને વિનાશ તરફ ખેંચે છે, [૧૧૦] અલ્લાહ આપણને આ પ્રકારના હૃદયથી બચાવે. [૧૧૦] જુઓ: ઇગાષતુલ્ લહ્ફાન, ૧/૯.
હૃદયની દરેક બીમારીઓનો ઈલાજ પવિત્ર કુરઆનમાં છે.
ઉચ્ચ અને મહાન અલ્લાહએ કહ્યું: {હે લોકો! તમારી પાસે તમારા પાલનહાર તરફથી નસીહત આવી ગઇ છે, અને જે લોકોના હૃદયોમાં રોગ છે તેના માટે તે દવા છે અને મોમિનો માટે હિદાયત અને રહેમત છે} સૂરે યુનૂસ, આયત નંબર: ૫૭. બીજી એક જગ્યાએ ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને અમે કુરઆનમાં જે કઈ પણ ઉતારીએ છીએ તે તો મોમિનો માટે શિફા અને રહેમત છે, પરંતુ જાલિમ લોકોના નુકસાનમાં વધારો કરે છે} સૂરે અલ્ ઇસ્રા, આયત નંબર: ૮૨.
અંતરાત્માની બીમારી બે પ્રકારની છે:
પહેલો પ્રકાર: જે હૃદયવાળા વ્યક્તિને તરત જ પીડાનો આભાસ થતો નથી, અને આ અજ્ઞાનતા, શંકા અને સંદેહની બીમારી છે, અને તે બંને પ્રકારોમાં સૌથી પીડાદાયક છે, પરંતુ હૃદયની ખામીને કારણે તેનો આભસ થતો નથી.
બીજો પ્રકાર: એક બીમારી જે તાત્કાલિક તકલીફનું કારણ બને છે: જેમ કે ચિંતા, ઉદાસી, શોક અને ગુસ્સો, અને આ બીમારી કુદરતી દવાઓ દ્વારા તેના કારણોને દૂર કરીને મટાડી શકાય છે [૧૨૯]. [૧૧૧] જુઓ: ઇગાષતુલ્ લહ્ફાન ૧/૪૪.
અંતરાત્માની સારવાર ચાર વસ્તુઓ દ્વારા કરી શકાય છે:
પહેલી બાબત: પવિત્ર કુરઆન દ્વારા; કારણ કે તે હૃદયમાં રહેલી શંકાઓનો ઈલાજ છે, અને તે તેમાં રહેલ શિર્ક (બહુદેવવાદ), કુફ્ર (અવિશ્વાસ) ની ગંદકી, શંકાઓ અને મનેચ્છાઓની બીમારીઓને દૂર કરે છે, તે સત્યને જાણનારા અને તેના પર કાર્યરત રહેનારઓ માટે માર્ગદર્શન છે, અને તે મોમિનો માટે દયા છે; કારણ કે તેના દ્વારા તેઓને તાત્કાલિક અને કાયમી સવાબ મળે છે, જેમ કે સર્વશક્તિમાન અલ્લાહએ કહ્યું: {એવો વ્યક્તિ જે પહેલા મૃત હતો, પછી અમે તેને જીવિત કરી દીધો અને અમે તેને એક એવો પ્રકાશ આપી દીધો કે તે તેને લઈ, લોકો વચ્ચે હરે ફરે છે, શું આવો વ્યક્તિ તે વ્યક્તિ જેવો થઇ શકે છે જે અંધકાર માંથી નીકળી જ નથી શકતો, આવી જ રીતે કાફિરોના કાર્યો તેમના માટે ઉત્તમ બનાવી દીધા છે} સૂરે અલ્ અનઆમ, આયત નંબર: ૧૨૨.
બીજી બાબત: દિલને ત્રણ વસ્તુઓની જરૂર હોય છે:
૧- તે વસ્તુઓ જે તેની શક્તિને સુરક્ષિત રાખે છે, જેમકે ઈમાન, સત્કાર્યો અને અલ્લાહનું અનુસરણ.
૨- હાનિકારક વસ્તુઓની દૂર રહેવું, જેમાં દરેક પ્રકારના પાપો અને શરીઅત વિરુદ્ધ કાર્યોથી બચવાનો સમાવેશ થાય છે.
૩- દરેક દુઃખદાયક વસ્તુથી પોતાને મુક્ત રાખવું, તેના માટે તૌબા (પસ્તાવો) કરવો અને અલ્લાહ પાસેથી માફી માંગવી.
ત્રીજી બાબત: દિલની એવી બીમારીની સારવાર જે મનેચ્છાના પ્રભુત્વના કારણે ઉત્પન્ન થાય છે:
તેના ઈલાજની બે રીત છે: આત્મચિંતન અને મનેચ્છાનો વિરોધ, આત્મચિંતનના બે પ્રકાર છે:
પહેલો પ્રકાર: અમલ કરતા પહેલા, તેના ચાર તબક્કા છે:
૧- શું તે કાર્ય તેની ક્ષમતાના ક્ષેત્રમાં આવે છે?
૨- શું તે કાર્યને પૂર્ણ કરવું, તેને છોડવા કરતા વધુ શ્રેષ્ઠ છે?
૩- શું તે કાર્ય અલ્લાહની પ્રસન્નતા માટે કરવામાં આવી રહ્યું છે?
૪- શું તે કાર્ય કોઈની સહાયથી કરવામાં આવી રહ્યું છે, અને શું તેના માટે સહયોગી છે, જે તેની મદદ અને સહાય કરશે, જો કાર્યમાં સહાયકની જરૂર હોય? જો આ સવાલોના જવાબ હોય, તો આગળ વધો અન્યથા ક્યારે પણ તે કાર્ય ન કરો.
બીજો પ્રકાર: અમલ કર્યા પછી, તેના ત્રણ પ્રકાર છે:
૧- તે સત્કાય વિષે ચિંતન-મનન કરવું, જેમાં અલ્લાહના અધિકારો પૂર્ણ કરવા બાબતે બેદરકારી કરવામાં આવી હોય, અને તેને ઈચ્છિત તરીકા મુજબ કરવામાં ન આવ્યો હોય, અલ્લાહના અધિકારો: નિખાલસતા, શિખામણનું અનુસરણ, એહસાનના સ્થાન સુધી પહોંચવું, પોતાના પર અલ્લાહની નેઅમતોને યાદ કરવી અને ત્યાર પછી પોતાની બેદરકારીનો આભાસ કરવો.
૨- તે દરેક કાર્ય વિષે આત્મચિંતન કરવું, જેને છોડવું તેને કરવા વધુ શ્રેષ્ઠ હતું.
૩- કોઈ કાયદેસર કે નિયમિત કાર્ય જે કરવામાં આવ્યું ન હોય તેના પર ચિંતન કરવું, શું તે ન કરવાનું કારણ અલ્લાહની ખુશી અને આખિરત માં સફળતા હતી? જો એમ હોય, તો તે સારી બાબત છે, અથવા તે ન કરવા પાછળ કોઈ દુન્યવી કારણ હતું? જો એમ હોય, તો તે ખરાબ બાબત છે.
સારાંશમાં, સૌ પ્રથમ, વ્યક્તિએ ફરજિયાત કાર્યો પર આત્મચિંતન કરવું, જો તેમાં કોઈ ખામી હોય, તો તેને સુધારવી, પછી અલ્લાહ દ્વારા પ્રતિબંધિત કાર્યો પર ચિંતન કરવું, જો કોઈએ તેમાંથી કોઈ પણ કાર્ય કર્યું હોય, તો પસ્તાવો કરવો, અને અલ્લાહ પાસે માફી માંગવી, પછી વ્યક્તિએ શરીરના ભાગો દ્વારા કરવામાં આવતા કાર્યો પર અને પછી બેદરકારી પર ચિંતન કરવું જોઈએ [૧૧૨]. [૧૧૨] જુઓ: ઇગાષતુલ્ લહ્ફાન, ૧/૧૩૬.
ચોથી બાબત: શૈતાનના પ્રભુત્વના કારણે ઉત્પન્ન થતી દિલની બીમારીઓનો ઈલાજ:
શૈતાન માનવીનો દુશ્મન છે, તેનાથી મુક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ તે જ છે, જે અલ્લાહએ શરણ માંગવા બાબતે નક્કી કર્યો છે અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આત્મા અને શૈતાનની દુષ્ટતાથી શરણ માંગવાને એકસાથે વર્ણન કર્યું છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: ((કહો: "અલ્લાહુમ્મ ફાતિરસ્ સમાવાતિ વલ્ અર્ઝિ, આલિમલ્ ગૈબિ વશ્ શહાદતિ, રબ્બિ કુલ્લ શૈઇન વમલિકહુ, અશ્હદુ અલ્ લા ઇલાહ ઇલ્લા અન્ત, અઊઝુબિક મિન્ શર્રિ નફ્સી, વ શર્રિ શૈતાની વ શિરકિહિ, વ અન્ અક્તરિફ અલા નફ્સી સૂઅન્, અવ્ અજુર્રહુ ઈલા મુસ્લિમિન્" (અર્થ: હે અલ્લાહ! આકાશો અને જમીનનું સૌથી પહેલા સર્જન કરનાર, છૂપુ અને જાહેરને જાણનાર, દરેક વસ્તુના પાલનહાર અને માલિક! હું સાક્ષી આપું છું કે તારા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, હું તારી પનાહ માંગુ છું, મારા નફ્સની બુરાઈથી, અને શૈતાનની બુરાઈથી, અને તેના શિર્કથી, અને એ વાતથી કે હું મારા નફ્સનું અનુસરણ કરું, અથવા કોઈ મુસલમાન ભાઈની બુરાઈ કરું) આ દુઆ સવારે, સાંજે અને જયારે તમે પથારી પર જાઓ તો પઢો)) [૧૧૩]. [૧૧૩] સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: ૩૩૯૨, અબૂ દાવૂદ, હદીષ નંબર: ૫૦૫૮, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અત્ તિર્મિઝીમાં આ હદીષને સહીહ દરજ્જાની કહી છે, ૩/૧૪૨.
અલ્લાહ પાસે શરણ માંગવી, તેના પર ભરોસો અર્વો અને તેના પ્રત્યે નિખાલસતા અપનાવવી શૈતાનના પ્રભુત્વને રોકી શકે છે [૧૧૪]. [૧૧૪] જુઓ: ઇગાષતુલ્ લહ્ફાન, ૧/૧૪૫-૧૬૨.
અલ્લાહ દરૂદ અને સલામતી ઉતારે તેના બંદા અને પયગંબર મુહમ્મદ પર, તેમની સંતાન, તેમના સાથીઓ અને કયામત સુધી તેમનું સારી રીતે અનુસરણ કરનાર પર.
કુરઆન અને હદીષ દ્વારા સાબિત દુઆઓ તેમજ રુકિય્યહ (ઝાડ-ફૂંક, દમ) દ્વારા ઈલાજ
દુક્તૂર સઈદ બિન્ અલી બિન્ વહફ કહ્તાની
ડૉ. સઈદ બિન અલી બિન વહફ અલ-ક઼હતાની રહિમહુલ્લાહની કિતાબ "(અદ્ દુઆ વ યલીહિલ ઈલાજ બિર્ર રુક઼ા મિનલ કિતાબિ વસ્ સુન્નહ)" દુઆ અને સુન્નતથી સાબિત રુક઼િય્યહ દ્વારા બીમારીઓની સારવારના વિષય પર એક ઠોસ જ્ઞાની સંદર્ભ છે. આ કિતાબમાં પવિત્ર કુરઆન અને સુન્નતે નબવી માંથી લેવામાં આવેલી દુઆઓનું વર્ણન છે, અને આંતરિક તેમજ શારીરિક બીમારીઓથી શિફા મેળવવા માટે તેનાથી કેવી રીતે ફાયદો ઉઠાવી શકાય તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે તેમાં રુક઼િય્યહ દ્વારા સારવારનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને શિફા માંગવા માટે અલ્લાહ તઆલા પર મજબૂત ઇમાન અને સાચા દિલથી તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, અને તકલીફો તેમજ બીમારીઓથી બચાવ અને સારવાર માટેના અસરકારક ઉપાયો રજૂ કરે છે.