التحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة على ضوء الكتاب والسنة

التحقيق والإيضاح لكثير من مسائل الحج والعمرة والزيارة على ضوء الكتاب والسنة

હજ, ઉમરહ અને ઝિયારતના ઘણા મુદ્દાઓનું કુરઆન અને હદીષ પ્રમાણે સંશોધન તેમજ સ્પષ્ટતા

Language: lang_gu
Prepared by: અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ
Version: 3.1
Translations 42
Amharic Azerbaijani Bengali Bosnian +38
Attachments 7
PDF
Audio
Video
+3

હજ, ઉમરહ અને ઝિયારતના ઘણા મુદ્દાઓનું કુરઆન અને હદીષ પ્રમાણે સંશોધન તેમજ સ્પષ્ટતા

લેખક: સન્માનીય શૈખ અલ્લામહ

અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ

લેખકની વાણી

(શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે [૧]

દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, અને પરહેજગાર લોકો માટે શ્રેષ્ઠ પરિણામ છે, દરૂદ અને સલામતી ઉતરે તેના બંદા અને પયગંબર મુહમ્મદ પર, તેમના ઘરવાળા પર અને તેમના દરેક સાથીઓ પર.

ત્યારપછી:

આ એક સંક્ષિપ્ત પુસ્તિકા છે, જેમાં હજની મહત્ત્વતા તેના શિષ્ટાચાર અને હજ પર જનાર વ્યક્તિ માટે જે બાબતો જાણવી જરૂરી છે, તેની સ્પષ્ટતા તેમજ તેની સાથે સાથે હજ, ઉમરહ અને ઝિયારત સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓનો સારાંશ રજૂ કરેલ છે, મેં આ પુસ્તિકામાં ફક્ત તે જ મુદ્દાઓનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેના વિશે કુરઆન અને હદીષમાં પુરાવા વર્ણન કરવામાં આવ્યા છે, મેં ફક્ત તેને મુસ્લિમોને સલાહ તરીકે અને અલ્લાહના આદેશને ધ્યાનમાં રાખીને સંકલિત કર્યું છે, જેમાં અલ્લાહએ કહ્યું: {અને શિખામણ આપતા રહો, નિ:શંક શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડે છે} [૨] [અઝ્ ઝારિયાત: ૫૫], બીજી એક જગ્યાએ ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તઆલાએ જ્યારે કિતાબવાળાઓ પાસેથી વચન લીધું કે તમે આ (કિતાબ) ને દરેક લોકો સામે જરૂરથી બયાન કરશો અને છુપાવશો નહી} [૩] [આલિ ઇમરાન: ૧૮૭]. સંપૂર્ણ આયત, બીજી એક જગ્યાએ ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {સત્કાર્ય અને ડરવામાં એકબીજાની મદદ કરતા રહો} [૪] [અલ્ માઈદહ: ૨].

એવી જ રીતે સાચી હદીષમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે તેમણે કહ્યું: «દીન તો નસીહત (શિખામણ) નું નામ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ શબ્દ ત્રણ વખત કહ્યા, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના પયગંબર! કોના માટે? તો કહ્યું: અલ્લાહ માટે, તેની કિતાબ, તેના પયગંબર માટે અને મુસલમાનોના ઈમામો (શાસકો) અને દરેક લોકો માટે [૫] » [૧] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૫).

ઈમામ તબરાની રહિમહુલ્લાહએ હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કર્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ મુસલમાનોની બાબતો પર ધ્યાન ન આપે, તે તેમના માંથી નથી, અને જે સવાર, સાંજ અલ્લાહની પુસ્તક, તેના પયગંબર, મુસલમાનોના શાસકો તથા તેમના સામાન્ય લોકો માટે શુભચિંતક (નસીહત કરનાર) ન હોય, તે તેમના માંથી નથી [૬] ». [૨] આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ "અલ્ ઔસત" માં વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૪૬૯).

અલ્લાહથી દુઆ છે કે આ પુસ્તક દ્વારા મને અને દરેક મુસલમાનોને ફાયદો પહોંચાડે, અને આ સંદર્ભમાં મારા પ્રયત્નને પોતાની પવિત્ર ઝાત માટે નિખાલસ કરી લે અને તેને નેઅમતોવાળી જન્નતમાં પ્રવેશ મેળવવાનો સ્ત્રોત બનાવે, ખરેખર તે જ સાંભળવાવાળો અને કબૂલ કરનાર છે, અને તે જ આપણાં માટે પૂરતો અને શ્રેષ્ઠ કારસાજ છે.

વિભાગ

હજ અને ઉમરહ અનિવાર્ય હોવાના પુરાવા અને શક્ય તેટલું વહેલી તકે તેને પૂર્ણ કરવા અંગેનું વર્ણન

જ્યારે આ વાત જાણી લેવામાં આવે, ત્યારે તમે સો -અલ્લાહ મને અને તમને સત્ય જાણવા અને તેનું પાલન કરવાની તૌફીક આપે- જાણી લો કે અલ્લાહએ પોતાના પવિત્ર ઘરનો હજ પોતાના બંદાઓ પર ફરજિયાત કર્યો છે અને તેને ઇસ્લામના સ્તંભો (અરકાન) માંથી એક સ્તંભ બનાવ્યો છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે} [૭] [આલિ ઇમરાન: ૯૭].

સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્લામ પાંચ વસ્તુઓ પર આધારિત છે: તે વાતની સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાન રોઝા રાખવા, અને બૈતુલ્લાહનો હજ કરવો [(૮)]». [૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬).

સઈદ બિન્ મન્સૂરએ પોતાની સુનનમાં ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, તેમણે કહ્યું: "મેં ઈચ્છા કરી કે કેટલાક લોકોને એવા વિસ્તારોમાં મોકલું, જેથી તેઓ જુએ છે જેમની પાસે હજ કરવાની ક્ષમતા છે [૯] પણ તેમણે હજ કરી નથી તેમના પર જિઝ્યા (ખાસ કર) અનિવાર્ય કરવામાં આવે, તેઓ મુસલમાન નથી, તેઓ મુસલમાન નથી", [૧૦] [૪] અર્થાત્: સંપત્તિની વિપુલતા. [૫] જામિઉલ્ અહાદિષમાં આ હદીષ સુનન સઇદ ઈબ્ને મન્સૂર તરફ સંબોધિત કરવામાં આવી છે, હદીષ નંબર: (૩૧૨૨૧), પરંતુ આ હદીષ મને ઉપલબ્ધ પ્રકરણમાં મળી ન શકી.

તથા અલી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણિત છે, તેમણે કહ્યું: "જે વ્યક્તિ હજ કરવાની શકતી ધરાવતા હોવા છતાંય હજ ન કરે, તેના માટે યહૂદી અથવા નસ્રાની થઈ મૃત્યુ પામવું સરખું છે" [૬]. [૬] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૧૨).

એવી જ રીતે જે વ્યક્તિ હજ કરવા પર સક્ષમ હોય, પરંતુ તેણે હજુ સુધી હજ ન કરી હોય, તેણે હજ કરવા બાબતે ઉતાવળ કરવી જોઈએ; કારણકે ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હજ કરવામાં જલ્દી કરો, -અર્થાત્: અનિવાર્ય હજ- કોઈને ખબર નથી કે તેની સાથે શું થઈ જાય [૧૨]». આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૭] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૩૨).

કારણકે હજને તરત જ પૂર્ણ કરવી તે લોકો માટે અનિવાર્ય છે જેઓ ત્યાં જવા પર સક્ષમ છે, તેથી તેમણે અલ્લાહના આ આદેશ પ્રમાણે તરત જ હજ કરવી જોઈએ: {અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે} [૧૩] [આલિ ઇમરાન: ૯૭]. એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખુતબા આપેલ આ આદેશ મુજબ: «હે લોક! અલ્લાહએ તમારા પર હજ અનિવાર્ય કરી છે, એટલા માટે તમે હજ કરો [૧૪]». [૮] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૩૭).

તે સિવાય ઘણી હદીષો છે, જે ઉમરહને અનિવાર્ય હોવાને દર્શાવે છે, જેમાંથી કેટલીક નીચે મુજબ છે:

આ સંદર્ભમાં વર્ણન કરવામાં આવેલી એક હદીષ કે જ્યારે જિબ્રઈલ અલૈહિસ્ સલામે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઇસ્લામ વિશે પૂછ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ««ઇસ્લામ, તમે તે વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરો, ઝકાત આપો, અને બૈતુલ્લાહ જઈ હજ અને ઉમરહ કરો, નાપાકીનું સ્નાન કરો, સંપૂર્ણ વઝૂ કરો, અને રમઝાનના રોઝા રાખો ([૧૫])». આ હદીષને ઈબ્ને ખુઝૈમહ અને ઈમામ દારુલ્ કુત્નીએ ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે અને ઈમામ દારુલ કુત્નીએ કહ્યું: આ હદીષની સનદ સાચી અને સાબિત છે. [૯] આ હદીષને ઈમામ ઈબ્ને ખુઝૈમહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નમબર: (૧).

તેમાં જ આયશા રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, તેમણે કહ્યું: «હે અલ્લાહના પયગંબર! શું સ્ત્રીઓ પર જિહાદ (યુદ્ધ) અનિવાર્ય છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હાં, તેમના પર તે જિહાદ (યુદ્ધ) ફરજ છે, જેમાં લડાઈ ન હોય, અર્થાત્ હજ અને ઉમરહ [૧૬]». આ હદીષને ઈમામ અહમદ અને ઈબ્ને માજહએ સાચી સનદ સાથે વર્ણન કરી છે. [૧૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૨૦).

હજ અને ઉમરહ જીવનમાં ફક્ત એક જ વાર અનિવાર્ય છે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક સાચી હદીષમાં કહ્યું: «હજ જીવનમાં ફક્ત એક જ વાર અનિવાર્ય છે, જે વ્યક્તિ એકથી વધુ વાર કરે, તેણે નફિલ (સ્વેચ્ચિક) ઈબાદત કરી [૧૭]». [૧૧] આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૨૦).

નફિલ અને સ્વૈચ્છિક રીતે હજ અને ઉમરહ કરવું સુન્નત છે; કારણકે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક ઉમરહ બીજા ઉમરહ સુધી થનાર (નાના) ગુનાહો માટેનો કફ્ફારો છે અને હજ્જે મબરૂર, તેનો બદલો જન્નત સિવાય કંઈ નથી» [૧૮]. [૧૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૭૩), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૪૯).

વિભાગ

ગુનાહોથી તૌબા કરવા અને અત્યાચારને છોડી દેવાને અનિવાર્ય હોવાનું વર્ણન

જ્યારે કોઈ મુસાલમન હજ અને ઉમરહનો સફર કરવાનો ઇરાદો કરે, તો તેના માટે યોગ્ય છે કે તે પોતાના ઘરવાળા અને મિત્રોને અલ્લાહના તકવાની વસિયત કરે, તકવાનો અર્થ: અલ્લાહના આદેશોનું પાલન કરવું અને તેણે પ્રતિબંધ કરેલ વસ્તુઓથી દૂર રહેવું.

તેના માટે ઉચિત છે કે તે પોતાની લેવડ-દેવડને લખી તેના પર સાક્ષી બનાવી લે, એવી જ રીતે તેના માટે જરૂરી છે કે તે દરેક ગુનાહથી અલ્લાહ પાસે સાચી તૌબા કરે; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {હે મોમિનો! તમે સૌ અલ્લાહની સામે તૌબા કરો, આશા છે કે તમે સફળ થઇ જાય} [૧૯]. [અન્ નૂર: ૩૧].

તૌબાની વાસ્તવિકતા: પાપોથી દૂર રહેવું અને તેને છોડી દેવા, ભૂતકાળના પાપો પર શરમ અનુભવવી અને તેને ફરીથી ન કરવાની પ્રતિજ્ઞા લેવી, અને જો તેણે કોઈના જીવન, સંપત્તિ અથવા સન્માનમાં અન્યાય કર્યો હોય, તો સફર પહેલાં તેને પરત કરવો અથવા તેમાંથી મુક્ત થવું; કારણકે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક સાચી હદીષમાં કહ્યું: «જે વ્યક્તિએ પોતાના ભાઈની આબરૂ અથવા બીજી કોઈ વસ્તુમાં અધિકાર બાબતે ખોટું કર્યું હોય, તો તે આજે જ તેની પાસે માફી માંગી લે, તે દિવસ આવતા પહેલા જે દિવસે ન તો તેની પાસે દીનાર હશે અને ન તો દિરહમ, કદાચ તેની પાસે કોઈ સારા કર્મ હશે, તો તે પીડિતને આપી દેવામાં આવશે અને જો તેની પાસે નેકીઓ નહીં હોય, તો જેના પર તેણે જુલમ કર્યો હશે તેના ગુનાહ તેના પર લાદવામાં આવશે [૨૦]». [૧૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૪૪૯).

એવી જ રીતે તેના માટે જરૂરી છે કે તે હજ અને ઉમરહ માટે પોતાના માલ માંથી હલાલ માલ પસંદ કરે; કારણકે એક સાચી હદીષમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પવિત્ર છે, તે ફક્ત પાક અને પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે [૨૧]». [૧૪] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૧૫).

ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે માનવી પવિત્ર માલ સાથે હજના સફર પર નીકળે છે, અને પોતાના પગ સવારી પર મૂકી કહે છે: "લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક" (હું હાજર છે હે પાલનહાર! હું હાજર છું), તો આકાશ માંથી એક અવાજ લગાવનાર કહે છે: "લબ્બૈક વ સઅદૈક" (તમારી હાજરી સ્વીકારવામાં આવી અને તમારા પર અલ્લાહની કૃપાઓ ઉતરે), તમારો સામાન હલાલ છે, તમારી સવારી હલાલ છે અને તમારો હજ મબરૂર (સ્વીકાર્ય) છે, તમારા પર કોઈ દોષ નથી. જ્યારે માનવી હરામ માલ સાથે હજના સફર પર નીકળે છે, અને પોતાના પગ સવારી પર મૂકી કહે છે: "લબ્બૈક અલ્લાહુમ્મ લબ્બૈક" (હું હાજર છે હે પાલનહાર! હું હાજર છું), તો આકાશ માંથી એક અવાજ લગાવનાર કહે છે: "લા લબ્બૈક વલા સઅદૈક" (તમારી હાજરી સ્વીકારવામાં નથી ન તો તમારા પર અલ્લાહની કૃપાઓ ઉતરશે), તમારો સામાન અવૈધ છે, તમારો ખર્ચ હરામ છે અને તમારો હજ મબરૂર (સ્વીકાર્ય) નથી [૨૨]». [૧૫] આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ અલ્ કબીરમાં વર્ણન કરી છે, નંબર: (૨૯૮૯).

એવી જ રીતે હજ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે લોકો પાસે જે કઈ પણ છે તેનાથી અળગો રહે અને લોકો પાસે માંગવાથી બચે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ માંગવાથી બચવાનો પ્રયત્ન કરે છે, તો અલ્લાહ પણ તેને સવાલ કરવાથી સુરક્ષિત રાખે છે, જે વ્યક્તિ બે નિયાઝ (આત્મનિર્ભર) થવાનો પ્રયત્ન કરે છે, તો અલ્લાહ તેને બે નિયાઝ (આત્મનિર્ભર) કરી દે છે ([૨૩])», [૧૬] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૪૨૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૩૫).

બીજી એક જગ્યાએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «માનવી સતત લોકો પાસે માંગતો રહે છે, અહીં સુધી કે કયામતના દિવસે તે સ્થિતિમાં આવશે કે તેના ચહેરા પર માંસનો કોઈ ભાગ નહીં હોય ([૨૪])». [૧૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૪૭૪), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૦૪૦).

એવી જ રીતે હજ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાના હજ અને ઉમરહને ફક્ત અલ્લાહની પ્રસન્નતા, અંતિમ ઘર (જન્નત)ની પ્રાપ્તિ માટે જ કરે, તથા તે પવિત્ર સ્થાનો પર અલ્લાહને પ્રસન્ન કરવાવાળા દરેક કાર્યો અને નિવેદનો દ્વારા અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે, એવી જ રીતે તે દુનિયા અને તેની પ્રાપ્તિ માટે, દેખાડો અને ખ્યાતિ માટે કે અભિમાન માટે હજ ન કરે; કારણકે તે સૌથી ખરાબ હેતુ છે, અને તે કાર્યને નષ્ટ કરી દેશે ન તો અલ્લાહ પાસે સ્વીકાર્ય થશે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જે વ્યક્તિ દુનિયાના જીવન અને તેના શણગારની ઇચ્છા ધરાવતો હોય, તો અમે આવા લોકોના દરેક કાર્યો (નો બદલો) દુનિયામાં જ પૂરેપુરો આપી દઇએ છીએ, અને દુનિયામાં તેમના બદલામાં કંઈ પણ ઓછું કરવામાં નથી આવતું (૧૫) હાં, આ જ તે લોકો છે, જેમના માટે આખિરતમાં આગ સિવાય કંઈ નથી અને જે કંઈ તેઓએ દુનિયામાં કર્યું હશે, ત્યાં બધું જ વ્યર્થ થઇ જશે. અને જે કંઈ તેમના કાર્યો હતા બધા જ નષ્ટ થઇ જશે} [૨૫] [હૂદ: ૧૫-૧૬].

બીજી એક જગ્યાએ ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જેની ઇચ્છા ફક્ત આ ઝડપથી પ્રાપ્ત થનારી દુનિયાની જ હોય તો અમે તેને આ દુનિયામાં જ જેટલું ઇચ્છીએ પૂરેપૂરું આપીએ છીએ, છેવટે અમે તેના માટે જહન્નમ નક્કી કરી દઇએ છીએ, જ્યાં તે ધૃત્કારેલ બનીને પ્રવેશ પામશે (૧૮) અને જેની ઇચ્છા આખિરત પ્રાપ્ત કરવાની હોય અને જેવો પ્રયત્ન તેના માટે કરવો જોઇએ તે પણ કરે છે અને તે મોમિન પણ હોય, તો આવા લોકોના પ્રયત્નોને સન્માન આપવામાં આવશે} [૩૬] [અલ્ ઇસ્રા: ૧૮-૧૯].

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાચી હદીષ દ્વારા સાબિત છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઉચ્ચ અલ્લાહએ કહ્યું: હું તે દરેક (જેમની અલ્લાહને છોડી ઈબાદત કરવામાં આવી રહી છે) ભાગીદારો અને તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેરવે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું [૨૭]». [૧૮] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૯૮૫).

એવી જ રીતે હજ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાના સફરમાં દીનદાર વ્યક્તિ, તકવાવાળા, અને આલિમોની સંગત અપનાવે, અને મૂર્ખ અને પાપીઓની સંગતથી બચે.

એવી જ રીતે હજ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે હજ અને ઉમરહના દરેક આદેશોને શીખે, અને અઘરી બાબતો વિશે જ્ઞાન પ્રાપ્ત કરી લે, જેથી તેને સંપૂર્ણ જ્ઞાન અને સમજ પ્રાપ્ત થઈ શકે, જ્યારે તે પોતાના વાહન, જેમ કે ઊંટ, ગાડી, વિમાન અથવા અન્ય કોઈપણ પ્રકારના વાહન પર સવારી કરે, ત્યારે તેના માટે અલ્લાહનું નામ લેવું (બિસ્મિલ્લાહ), તેની પ્રશંસા કરવી (અલ્ હમદુ લિલ્લાહ), પછી ત્રણ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે, આ દુઆ પઢે: {પવિત્ર છે, જેણે આ (ઢોરોને) અમારા વશમાં કરી દીધા, જોકે અમારી પાસે (આ ઢોરોને) વશમાં કરવાની શક્તિ ન હતી (૧૩) ખરેખર અમે અમારા પાલનહાર તરફ પાછા ફરીશું} [૨૮] [અઝ્ ઝુખ્રુફ: ૧૩-૧૪].

«"અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક ફી સફરી હાઝલ્ બિર્ર વત્ તકવા, વમિનલ્ અમલિ મા તરઝા, અલ્લાહુમ્મ હવ્વિન અલયનસ્ સફર, વત્-વિ અન્ના બુઅદહ, અલ્લાહુમ્મ અન્તસ્ સાહિબુ ફિસ્ સફરિ, વલ્ ખલીફતુ ફિલ્ અહલિ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિવ્ વઅષાઇસ્ સફરિ, વકઆબતિલ્ મન્ઝરિ, વ સૂઈલ્ મુન્કલબિ ફિલ્ માલિ, વલ્ અહલિ" (હે અલ્લાહ! અમે તારી સમક્ષ આ સફરમાં નેકી અને પરહેઝગારીનો સવાલ કરીએ છીએ, અને તે અમલોનો જે તને પસંદ છે, હે અલ્લાહ! અમારો આ સફર અમારા માટે આસાન કરી દે, અને તેની દૂરી અમારા માટે સમેટી દે, હે અલ્લાહ! તું જ સફરનો સાથી અને ઘરવાળાઓનો નાયબ છે, હે અલ્લાહ! હું તારા પાસે સફરની પરેશાનીથી તેમજ માલ અને ઘરમાં દૂખનાં દ્રશ્યોથી અને નિષ્ફળ થઈને પાછા આવવાની બુરાઈથી તારી પનાહ માંગું છું) ([૨૯])» ; કારણકે આ પ્રમાણે કરવું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાચી હદીષથી સાબિત છે, જેને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા વર્ણન કરી છે. [૧૯] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૧૩૪૨).

મુસાફરી દરમિયાન, વધુને વધુ ઝિક્ર, ઇસ્તિગ્ફાર (ક્ષમા માંગવી), દુઆ કરવી, અલ્લાહ સમક્ષ રડવું અને વિલાપ કરવો, કુરઆનની તિલાવત કરવી, અને તેમાં ચિંતન-મનન કરવું અને જમાઅત સાથે નમાઝ પઢવી, તેની સાથે સાથે બિનજરૂરી વાતો અને વધુ પડતું મજાક કરવાથી પોતાની જબાનને સુરક્ષિત રાખવી, જૂઠું બોલવું, નિંદા કરવી અને પોતાના મિત્રો અને મુસલમાન ભાઈઓની મજાક ઉડાવવાથી બચવું.

એવી જ રીતે હજ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાના મિત્રો સાથે સદ્-વ્યવહાર કરે, તેમને કોઈ પણ ઇજા ન પહોંચાડે, તેમની તકલીફ દૂર કરે અને પોતાની શક્તિ પ્રમાણે તેમને સત્કાર્યોનો આદેશ આપે અને બુરાઈથી રોકે.

વિભાગ

મીકાત (નક્કી કરેલ સીમા) પર પહોંચી હજ કરનાર વ્યક્તિના કાર્યો

હજ કરનાર જ્યારે મીકાત પહોંચે તો તે ગુસલ કરે, સુગંધ લગાવે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ એહરામ વખતે સીવેલા કપડાં કાઢી નાખ્યા હતા, અને સ્નાન કરતા, સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં આયશા રઝી અલ્લાહુ અન્હા દ્વારા વર્ણન છે કે તેમણે કહ્યું: «હું અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એહરામ બાંધતા પહેલા, એવી જ રીતે બૈતુલ્લાહના તવાફે ઝિયારત પહેલા હલાલ થવા માટે (અર્થાત નાના હલાલ થયા પછી અને મોટા હલાલ પહેલા) સુગંધ લગાવતી હતી ([૩૦])», આયશા રઝી અલ્લાહુ અન્હાએ જ્યારે ઉમરહ માટે એહરામ બાંધી રાખ્યું હતું, પરતું જ્યારે તેમને માસિક આવી ગયું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને સ્નાન કરી હજ કરવાનું કહ્યું, એવી જ રીતે જ્યારે અસ્મા બિન્તે ઉમૈસ રઝી અલ્લાહુ અન્હાને ઝુલ્ હુલૈફહ (નામની જગ્યા) માં બાળકનો જન્મ થયો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આદેશ આપ્યો કે તે સ્નાન કરી કપડું બાંધી લે અને એહરામ પહેરી લે([31]), તેના દ્વારા જાણવા મળ્યું કે માસિક અથવા પ્રસૂતિ વાળી સ્ત્રીઓ જ્યારે મીકાત પર પહોંચે તો સ્નાન કરી લોકો સાથે એહરામ બાંધી લે, અને બૈતુલ્લાહના તવાફ સિવાય હજના દરેક કાર્યો તે જ રીતે કરે જે રીતે અન્ય લોકો કરે છે, જેમકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આયશા અને અસ્મા બિન્તે ઉમૈસ રઝી અલ્લાહુ અન્હાને આદેશ આપ્યો હતો. [૨૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૩૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૮૯). [૨૧] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૮).

એહરામ બાંધનાર વ્યક્તિ માટે યોગ્ય છે કે તે પોતાની મૂછો, નાભી નીચેના વાળ, નખ અને બગલના વાળ વગેરે જોઈ લે, અને જરૂરત પ્રમાણે તેને કાપી લે, જેથી એહરામ બાંધ્યા પછી એહરામની સ્થિતિમાં તેની જરૂર ન પડે, એટલા માટે પણ કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને આ દરેક વસ્તુઓનુ ધ્યાન રાખવાનું બીજા સમયોમાં પણ કહ્યું છે, જેમકે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન છે કે અલ્લાહન પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા ([૩૨])», [૨૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૮૯૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૭).

એવી જ રીતે સહીહ મુસ્લિમમાં અનસ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણિત છે કે તેમણે કહ્યું: «અમારા માટે મૂછો કાપવા, નખ કાપવા, બગલના વાળ ઉખેડવા, અને પ્યુબિક વાળ કાપવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો હતો કે તેને ચાલીસ રાતો કરતાં વધુ છોડવામાં ન આવે ([૩૩])». [૨૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૨૫૮).

તથા ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ આ હદીષને આ શબ્દો દ્વારા વર્ણન કરી છે: «અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સમય નક્કી કરી દીધો છે», આ હદીષને ઈમામ અહમદ, અબૂ દાવૂદ્ અને ઈમામ તિર્મિઝીએ નસાઈના શબ્દો દ્વારા વર્ણન કરી છે, પરંતુ એહરામ પહેરતી વખતે માથાના વાળ કપાવવા અથવા મુંડન કરાવવા પુરુષ અને સ્ત્રી બંને માટે યોગ્ય નથી. [૨૪] આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૪).

વાત કરીએ દાઢીની, તો દાઢી કાપવી અથવા તેનો થોડો પણ ભાગ કાપવો દરેક સમયમાં અવૈધ છે, દાઢીને છોડવી અને તેને વધારવી જરૂરી છે, જેમકે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મુશરિકોનો વિરોધ કરો, દાઢી વધારો અને મૂછો કાપો ([૩૪])», ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે કે તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મૂંછો કાપી નાખો, અને દાઢી વધારો, મજૂસીઓનો વિરોધ કરો ([૩૫])». [૨૫] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૮૯૨), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૯). [૨૬] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૦).

આજના યુગમાં આ મોટી મુસીબત છે કે ઘણા લોકો આ સુન્નતનો વિરોધ કરે છે અને દાઢી કાપે છે, તથા કાફિરો અને સ્ત્રીઓની સમાનતા અપનાવે છે, ખાસ કરીને તે લોકો જેઓ જ્ઞાન અને શિક્ષા સાથે જોડાયેલા છે, ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજિઊન (આપણે અલ્લાહ માટે જ છે અને તેની તરફ જ પાછું ફરવાનું છે), અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ આપણને અને દરેક મુસલમાનોને સુન્નતનું અનુસરણ અને તેનું પાલન કરવાની અને સત્ય માર્ગ પર ચાલવા અને લોકોના વિરોધ સાથે પણ તેમને આમંત્રણ આપવાની તૌફીક આપે, અલ્લાહ જ આપણાં માટે પૂરતો છે અને તે જ શ્રેષ્ઠ કારસાજ છે, અને સર્વોચ્ચ અને મહાન અલ્લાહની મદદ વગર ન તો ખરાબ કૃત્યો છોડી શકીએ છીએ ન તો સત્કાર્યો કરવાની ક્ષમતા મળે છે.

ફરી પુરુષ સલવાર (પાયજામો) અને ચાદર પહેરે, યોગ્ય એ છે કે તે બંને સફેદ અને પાક હોય, એવી જ રીતે તે ચપ્પલ પહેરીને પણ એહરામ બાંધી શકે છે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક વ્યક્તિએ એક ઇજાર, ચાદર અને બે ચપ્પલમાં એહરામ બાંધવો જોઈએ, જો ચપ્પલ ન મળે તો ચામડાના મોજા પહેરી લે અને તેને કાપી ઘૂંટીથી નીચે કરી લે ([૩૬])», આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૨૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૭૭).

એવી જ રીતે સ્ત્રી કોઈ પણ રંગનો એહરામ બાંધી શકે છે, ભલે તે કાળો હોય અથવા લીલા રંગનો, પરંતુ તે પુરુષોના કપડાં માફક ન હોય, એવી જ રીતે એહરાની સ્થિતિમાં સ્ત્રીઓને નકાબ અને હાથ મોજા પહેરવાની પરવાનગી નથી, પરંતુ તે અન્ય કપડાં દ્વારા પોતાના ચહેરા અને હાથને ઢાંકશે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓને એહરામની સ્થિતિમાં નકાબ અને હાથ મોજા વગેરે પહેરવાથી રોક્યા છે, જે લોકો સ્ત્રીઓના એહરામ માટે ખાસ કરીને લીલા અથવા કાળા રંગને નક્કી કરે છે, તેનું કોઈ પ્રમાણ કુરઆન અને હદીષમાં નથી.

સ્નાન, સફાઇ અને એહરામના કપડાં પહેર્યા પછી હજ અથવા ઉમરહ જે કરવાની ઈચ્છા રાખતો હોય તેની દિલમાં નિયત કરે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તે જ મળે છે જેની તે નિયત કરે છે ([૩૭])». [૨૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૦૭).

એવી જ રીતે તેણે જે નિયત કરી છે, તે આ શબ્દો વડે પણ કહી શકે છે, જો તેની નિયત ઉમરહ કરવાની હોય, તો તે કહે: (લબૈક ઉમરતન) અથવા (અલ્લાહુમ્મ લબૈક ઉમરતન) અને જો તેની નિયત હજ કરવાની હોય તો કહે: (લબૈક હજ્જન) અથવા (અલ્લાહુમ્મ લબૈક હજ્જન); કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે જ કર્યું હતું, જો હજ અને ઉમરહ બંનેની નિયત એક સાથે હોય, તો કહે: (અલ્લાહુમ્મ લબૈક ઉમરતન વ હજ્જન), તેના માટે શ્રેષ્ઠ એ છે કે તે નિયતના શબ્દો સવારી, જાનવર, ગાડી વગેરે પર સવાર થઈ ગયા પછી કહે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે સમયે જ લબૈક કહ્યું હતું, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવારી પર બેસી ગયા હતા, અને સવારી મીકાતથી ચાલવાની તૈયારીમાં હતી, (આ વિષયમાં) આલિમોના કહે છે કે સૌથી શ્રેષ્ઠ વાત આ જ છે.

એહરામ સિવાય નિયત કરેલ કોઈ પણ ઈબાદતને શબ્દો વડે કહેવું યોગ્ય નથી; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વિશે વર્ણિત છે.

પરંતુ નમાઝ, તવાફ વગેરે માટે નિયત શબ્દો વડે ન કરવી જોઈએ, જેમકે એમ ના કહેવું કે હું આ નમાઝની નિયત કરું છું, અથવા હું તવાફની નિયત કરું છું, આ રીતે શબ્દો વડે નિયત કરવી બિદ્અત છે, અને ઊંચા અવાજે કહેવું તો વધુ ગુનાહનું કામ છે, જો નિયતને શબ્દો વડે કહેવી યોગ્ય હોત, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જરૂર તેને વર્ણન કરતાં, અથવા પોતાના કાર્ય અથવા નિવેદન વડે પોતાના કોમ માટે સ્પષ્ટ કરતાં અને સદાચારી પૂર્વજો પણ આપણાંથી તેના પર અમલ કરતાં.

પરંતુ જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણન કરવામાં આવ્યું નથી, ન તો આપના સહાબા રઝી અલ્લાહુ અન્હુમ દ્વારા વર્ણિત છે, તો જાણવા મળ્યું કે આ કાર્ય બિદ્અત્ છે અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અને સૌથી ખરાબ વસ્તુ (ધર્મના નામ પર ઘઢી કાઢવામાં આવેલી) નવી વસ્તુઓ અને દરેક બિદ્અત (દીનના નામે આવિષ્કાર કરવામાં આવેલી નવી વસ્તુઓ) પથભ્રષ્ટતા છે ([૩૮])». આ હદીષ ને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ પોતાની સહીહમાં વર્ણન કરી છે, એવી જ રીતે નબી અલૈહિસ્ સલાતુ વસ્સલામએ કહ્યું: «જે વ્યક્તિ અમારા આ દીનમાં કોઈ એવી વસ્તુનો ઉમેરો કરશે, જે દીનનો ભાગ નથી, તો તે અમાન્ય અને અસ્વીકાર્ય છે ([૩૯])». મુત્તફક અલા સિહ્-હતિહિ (આ હદીષ ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહના નિયમો પ્રમાણે સાચી છે), જો કે મુસ્લિમની એક હદીષમાં છે: «જે વ્યક્તિ કોઈ એવો અમલ કરે, જે અમારી શરીઅત મુજબ નથી, તો તેનો તે અમલ રદ કરવામાં આવશે ([૪૦])». [૨૯] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૬૭). [૩૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૯૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૧૮). [૩૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૫૦), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૧૮).

વિભાગ મીકાત અને તેમની સીમાઓનું વર્ણન

મીકાત પાંચ છે:

પહેલી મીકાત: ઝુલ્ હુલૈફહ, આ મદીનહ શહેરના રહેવાસીઓ માટે મીકાત છે, તેને અબયારે અલી પણ કહે છે.

બીજી મીકાત: જુહ્ફહ, તે શામ (સિરીયા) ના નિવાસીઓની મીકાત છે, તે રાબિગ નામના શહેર પાસે એક ખંડેર વસ્તી છે, પરંતુ અત્યારે લોકો રાબિગ પાસેથી જ એહરામ બાંધે છે અને જે લોકો રાબિગથી એહરામ બાંધે છે, તેમનું એહરામ મીકાતથી જ ગણાશે; કારણકે રાબિગ તે મીકાતથી થોડું પહેલા આવેલું છે.

ત્રીજી મીકાત: કર્ને મનાઝિલ, તે નજદના લોકોની મીકાત છે, જેને અત્યારે સૈલ કેહવામાં આવે છે.

ચોથી મીકાત: યલમ્લમ, જે યમનના લોકોની મીકાત છે.

પાંચમી મીકાત: ઝાતે ઇર્ક, તે ઇરાક શહેરના લોકોની મીકાત છે.

આ પાંચ મીકાત (સીમાઓ) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકો માટે નક્કી કરી છે, જેમના વિશે અમે પાછળ વર્ણન કર્યું છે, તથા તે લોકો માટે જેઓ હજ અથવા ઉમરહ કરવાની નિયતથી તે મીકાત પાસેથી પસાર થાય.

આ મીકાતો પાસેથી પસાર થનાર લોકો માટે અનિવાર્ય છે કે તે ત્યાંથી જ એહરામ બાંધે, તે નિવાસીઓ સિવાય પણ જે લોકો પણ હજ અને ઉમરહની નિયતથી તે મીકાતો પાસેથી પસાર થાય, તેમના માટે પણ આ જ મીકાત નક્કી છે, અને જે વ્યક્તિ પણ મક્કહ જવા માટે હજ અને ઉમરહની નિયતથી તે મીકાતો પાસેથી પસાર થાય, તેમના માટે જરૂરી છે કે અહીંયા થી જ એહરામ બાંધી લે, એટલા માટે એહરામ બાંધ્યા વગર ત્યાંથી આગળ પસાર થવું હરામ છે, ભલેને તે જમીનના માર્ગે હોય કે હવાના માર્ગે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ મીકાતોને નક્કી કરતી વખતે સામાન્ય રીતે કહ્યું હતું: «આ મીકાત જે તે શહેરના રહેવાસીઓ અને તે લોકો માટે પણ જેઓ હજ અને ઉમરહની નિયત કરી અહીંયાંથી પસાર થઈ રહ્યા હોય ([૪૨])». [૩૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૨૪), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૮૧).

જે વ્યક્તિ હજ અને ઉમરહની નિયતથી વિમાનનો સફર કરી મક્કહ જઈ રહ્યો હોય, તેના માટે જરૂરી છે કે તે વિમાનમાં બેસતા પહેલા સ્નાન વગેરે કરી લે, જ્યારે વિમાન મીકાતની નજીક આવે, તો ઇજાર અને ચાદર પહેરી લે અને જો સમય હોય તો ઉમરહ માટે લબૈક કહે, અને જો સમય ઓછો હોય, તો ફક્ત હજ માટે લબૈક કહે, જો કોઈ વ્યક્તિ સવાર થતાં પહેલા અથવા મીકાત પર પહોંચતા પહેલા એહરામ બાંધી લે તો પણ કોઈ વાંધો નથી, પરંતુ જ્યાં સુધી મીકાતની નજીક અથવા તેના બરાબર ન પહોંચે ત્યાં સુધી લબૈક ન કહે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મીકાતથી જ એહરામ બાંધ્યું હતું, તેથી તેમની કોમ માટે અનિવાર્ય છે કે દરેક દીની કાર્યોની માફક તેમાં પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરે; કારણકે પવિત્ર અલ્લાહએ કહ્યું: {(મુસલમાનો) નિ:શંક તમારા માટે પયગંબર શ્રેષ્ઠ આદર્શ છે} ([૪૨]) [અલ્ અહઝાબ: ૨૧]. એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજ્જતુલ્ વિદાઅ વખતે કહ્યું: «તમે મારી પાસેથી હજના કાર્યો શીખી લો ([૪૩]) ». [૩૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૯૭).

જે વ્યક્તિ મક્કહ તરફ જઈ રહ્યો હોય, પરંતુ તેનો ઈરાદો હજ અને ઉમરહ કરવાનો ન હોય, જેમકે વેપારી, લાકડા કાપનાર, ટપાલી અને એવી જ રીતે અન્ય લોકો, તો તેમના માટે એહરામ બાંધવું જરૂરી નથી, જ્યાં સુધી તે પોતે તેનો ઇરાદો ન કરે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમમાં પાછલી હદીષમાં મીકાતનું વર્ણન કરતાં કહ્યું: «આ મીકાત જે તે શહેરના રહેવાસીઓ અને તે લોકો માટે પણ જેઓ હજ અને ઉમરહની નિયત કરી અહીંયાંથી પસાર થઈ રહ્યા હોય ([૪૪])». તેનો અર્થ એ કે જે વ્યક્તિ આ મીકાત પાસેથી પસાર થાય પરંતુ તેનો ઇરાદો હજ અને ઉમરહ કરવાનો ન હોય, તેના માટે એહરામ બાંધવું જરૂરી નથી. [૩૪] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

આ અલ્લાહની પોતાના બંદાઓ પર દયા અને રહેમત છે, તેના પર તેના વખાણ અને આભાર વ્યકત કરીએ છીએ, આ વાતથી પણ જાણવા મળે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફતહ (વિજય) ના વર્ષે મક્કહ આવ્યા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એહરામ ન બાંધ્યો, પરંતુ મગફિર (લોખંડની ટોપી) પહેરી દાખલ થયા; કારણકે તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઇરાદો હજ અને ઉમરહ કરવાનો ન હતો, પરંતુ મક્કહનો વિજય અને તેમાં રહેલ મૂર્તિઓને ખત્મ કરવાનો હતો.

એવી જ રીતે જે લોકો મીકાતની અંદર રહે છે, જેમ કે જિદ્દાહ, ઉમ્મે સલમ, બહરા, અશ્ શરાઇહ, બદર, મસ્તુરા અને અન્ય સ્થળોના રહેવાસીઓ, તેમણે ઉપરોક્ત પાંચ મીકાત માંથી ક્યાં પણ જવાની જરૂર નથી, તેના બદલે, તેમનું રહેઠાણ જ તેમની મીકાત છે અને જો તેઓ હજ અથવા ઉમરાહ કરવાનો ઇરાદો ધરાવતા હોય, તો તેઓ ત્યાંથી એહરામ બાંધી શકે છે, પરંતુ જો તેમની પાસે મીકાતની બહાર બીજું રહેઠાણ હોય, તો તેમની પાસે બે વિકલ્પો છે, જો તેઓ ઇચ્છે તો તેઓ મીકાતથી અથવા તેમના રહેઠાણના સ્થળેથી એહરામ બાંધી શકે છે જે મીકાત કરતાં મક્કહની નજીક છે; કારણ કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા વર્ણન કરેલ હદીષમાં કહ્યું: «જે લોકો મીકાતની અંદર હોય, તેમની એહરામ બાંધવાની જગ્યા ([૪૫]) તેમનું ઘર જ છે, અહીં સુધી કે મક્કહ શહેરના લોકો પણ મક્કહથી જ એહરામ બાંધશે ([૪૬])». આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૩૫] આ હદીષમાં વર્ણન થયેલ શબ્દ (ફમહલ્લુહુ) નો અર્થ: તેમની લબૈક કહેવાની જગ્યા તે જ છે જ્યાંથી તેમણે એહરામ બાંધ્યું હતું. [૩૬] પાછળ વર્ણન થયેલ હદીષનો ભાગ.

પરંતુ જે લોકો હરમમાં હોય અને ઉમરહ કરવા ઇચ્છતા હોય, તો તેમના માટે જરૂરી છે કે તેઓ હિલ્લ (હરમની સીમાથી બહારની જગ્યા) એ જાય અને ત્યાંથી ઉમરહ માટે એહરામ બાંધે, એટલા માટે કે જ્યારે આયશા રઝી અલ્લાહુ અન્હાએ ઉમરહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના ભાઈ અબ્દુર્ રહમાનને આદેશ આપ્યો કે તેઓ તેમને લઈ હિલ્લ તરહ જાય અને ત્યાંથી એહરામ બાંધીને લાવે, તેથી જાણવા મળ્યું કે એહરામ બાંધનાર વ્યક્તિ પોતાનો એહરામ હરમથી બાંધી નથી શકતો પરંતુ તેણે હિલ્લ તરફ જવું પડશે.

આ હદીષ પાછળ વર્ણન કરેલ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાની હદીષને ખાસ (તેનો અર્થ સ્પષ્ટ કરે છે) કરી દે છે, અને દર્શાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઈચ્છા તેમના આ નિવેદનમાં છે: «અહીં સુધી કે મક્કહ શહેરના લોકો પણ મક્કહથી જ એહરામ બાંધશે ([૪૭])». તે ઉમરહ માટે નહીં પરંતુ હજ માટે ખાસ છે, જો ઉમરહ માટે એહરામ હરમથી બાંધવોનો હોત, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આયશા રઝી અલ્લાહુ અન્હાને તેની પરવાનગી આપતા અને તેમને હિલ્લ તરફ જવાનો આદેશ ન આપતા, આ સ્પષ્ટ પુરાવો છે, અને આ જ ઘણા આલિમોનો મંતવ્ય છે અને મોમિન માટે સૌથી શ્રેષ્ઠ સાવધાની છે; કારણકે આ પ્રમાણે બંને હદીષો પર અમલ થઈ જશે, અને અલ્લાહ જ તૌફીક આપનાર છે. [૩૭] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

જે લોકો હજ પછી તન્અીમથી વધુ પ્રમાણમાં ઉમરહ કરે છે, જ્યારે કે તેઓ હજ પહેલા ઉમરહ કરી ચૂક્યા છે, તો તેનું પ્રમાણ કુરઆન અને હદીષમાં મળતું નથી, પરંતુ દલીલો દ્વારા જાણવા મળે છે કે તેને છોડવું શ્રેષ્ઠ છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ હજ પછી આ પ્રમાણે ઉમરહ કર્યા નથી, રહી વાત તન્અીમથી આયશા રઝી અલ્લાહુ અન્હાના ઉમરહ કરવાની, તો તે ફક્ત તે કારણે હતું કે જ્યારે તેઓ મક્કહ આવ્યા, તો પોતાના માસિક ધર્મના કારણે ઉમરહ ન કરી શક્યા, એટલા માટે તેમણે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પરવાનગી માંગી કે તેમણે આ ઉમરહ જેના કારણે તેઓ મીકાત પર જઈ એહરામ બાંધી આવ્યા હતા, તો બીજી વાર ઉમરહ કરવાની પરવાનગી આપે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને પરવાનગી આપી દીધી, આ રીતે તેમના બે ઉમરહ થઈ ગયા, પહેલો ઉમરહ તેમનો હજ સાથે અને બીજો અલગ, જેથી જેને પણ આયશા રઝી અલ્લાહુ અન્હા માફક કોઈ કારણ આવી જાય, તેના માટે પરવાનગી આપવામાં આવી છે કે તે હજ પૂર્ણ કર્યા પછી ઉમરહ કરે, આ રીતે દરેક દલીલો પર અમલ થઈ જશે અને આ રીત દરેક મુસલમાનો માટે સરળ છે.

તેમાં કોઈ શંકા નથી કે હજ પૂર્ણ કર્યા પછી હાજીઓનું આ પ્રમાણેના નવા ઉમરહ માટે વ્યસ્ત થવું દરેક માટે કઠિનતા અને ભીડનું કારણ છે અને અકસ્માતો પણ થઈ શકે છે, અને તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો વિરોધ પણ છે, અલ્લાહ જ તૌફીક આપનાર છે.

વિભાગ

હજના મોસમ સિવાય જે વ્યક્તિ મીકાત પર પહોંચે તેના માટે આદેશ:

જાણી લો કે જે વ્યક્તિ મીકાત પર પહોંચે તેની બે સ્થિતિઓ હોય છે:

પહેલી સ્થિતિ: જો હજના મોસમ સિવાય અન્ય મહિનાઓ જેમકે રમઝાન અથવા શાબાનમાં મીકાત પર પહોંચે, તો તેમણે ઉમરહ માટે નિયત કરી એહરામ બાંધવા જોઈએ, અને જબાન વડે તલ્બિયહના શબ્દો આ પ્રમાણે કહે: "લબૈક ઉમરતન્" (અર્થ: હું ઉમરહ કરવા માટે હાજર છું), અથવા "અલ્લાહુમ્મ લબૈક ઉમરતન્" (અર્થ: હે અલ્લાહ! હું ઉમરહ કરવા માટે હાજર છું), ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના તલ્બિયહ મુજબ કહે, જે નીચે મુજબ છે: «"લબ્બૈકલ્લાહુમ્મ લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ્ હમ્દ વન્ નેઅમત લક વલ્ મુલ્ક, લા શરીક લક" (હું હાજર છું, હે અલ્લાહ! હું હાજર છું, હું હાજર છું, તારો કોઇ ભાગીદાર નથી, હું હાજર છું, ખરેખર દરેક પ્રકારની પ્રસંશા તારા માટે જ છે અને દરેક નેઅમતો તે જ આપેલી છે, સામ્રાજ્ય તારું જ છે, તારો ભાગીદાર નથી) ([૪૮])», આ તલ્બિયહ અને વધુમાં વધુ અલ્લાહનો ઝિકર કરતાં બૈતુલ્લાહ સુધી પહોંચે, ફરી બૈતુલ્લાહ પહોંચી તલ્બિયહ પઢવાનું બંધ કરી દે, અને બૈતુલ્લાહના સાત ચક્કરો દ્વારા તવાફ કરે અને મકામે ઈબ્રાહીમ પાસે બે રકઅત નમાઝ પઢે, ફરી સફા અને મરવહ વચ્ચે સાત ચક્કરો લગાવે, ત્યાર પછી પોતાના માથાના વાળનું મુંડન કરાવે અથવા કપાવે, આ રીતે તેમનો ઉમરહ પૂર્ણ થઈ જશે, અને એહરામના કારણે જે કાર્યો હરામ (અવૈધ) થઈ ગયા હતા તે હલાલ થઈ જશે. [૩૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૪૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૮૪).

બીજી સ્થિતિ: તે હજના મહિનામાં અર્થાત્ શવ્વાલ, ઝુલ્ કઅદહ અને ઝિલ્ હિજ્જહના પહેલા દસ દિવસોમાં મીકાત પર પહોંચે.

આ પ્રકારના વ્યક્તિ પાસે ત્રણ અધિકારો છે, તે ફક્ત હજ કરે, અથવા ફક્ત ઉમરહ કરે, અથવા બંને એક સાથે કરે, એટલા માટે કે જ્યારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હજ્જતુલ્ વિદાઅના સમયે મીકાત પર પહોંચ્યા, તો પોતાના સહાબાને આ ત્રણ તરિકા પ્રમાણે હજ કરવાનો આદેશ આપ્યો, પરંતુ જેની પાસે કુરબાનીનું જાનવર ન હોય, તેના માટે સુન્નત તરીકો એ છે કે તે ફક્ત ઉમરહ માટે એહરામ બાંધે અને દરેક કાર્યો (અરકાન) તે જ પ્રમાણે કરે જે રીતે હજના મોસમ સિવાય ઉમરહ કરનાર કરે છે, એટલા માટે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાને જયારે તેઓ મક્કહની નજીક પહોંચ્યા હતા, તેમને આદેશ આપ્યો કે પોતાનો એહરામ ઉમરહ માટે ખાસ કરી લે અને મક્કહ પહોચી આ વાત પર સખત ભાર પણ આપ્યો, જેથી સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ તવાફ અને સઈ કરી અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ મુજબ વાળ પણ મુંડન કરાવી હલાલ થઇ ગયા, તે લોકો જેઓ કુરબાનીનું જાનવર લઈને આવ્યા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને આદેશ આપ્યો કે કુરબાનીના દિવસ સુધી પોતાના એહરામમાં જ રહે, જે લોકો પોતાની સાથે કુરબાનીનું જાનવર લઈને આવે છે તેમના માટે સુન્નત તરીકો એ છે કે તેઓ હજ અને ઉમરહ બંને માટે એહરામ બાંધે, એટલા માટે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ પોતાની સાથે કુરબાનીનું જાનવર લઈને આવ્યા હતા અને આ પ્રમાણે જ કર્યું હતું, અને તેમના સહાબાઓ માંથી જે પણ કુરબાનીનું જાનવર લઈને આવ્યા હતા અને ઉમરહનો એહરામ બાંધ્યો હતો, તેમને પણ આ જ આદેશ આપ્યો કે તેઓ ઉમરહ સાથે હજ માટે તલ્બિયહ કહે, અને બન્નેથી કુરબાનીના દિવસે જ હલાલ થાય, અને જે વ્યક્તિ કુરબાનીનું જાનવર લઈને આવ્યો હોય અને તેણે ફક્ત હજ માટે જ એહરામ બાંધ્યો તો તે પણ હજ્જે કિરાન કરનારની માફક કુરબાનીના દિવસે જ હલાલ થશે.

આ વિસ્તાર પૂર્વક માહિતી દ્વારા જાણવા મળ્યું કે જે વ્યક્તિએ ફક્ત હજનો અથવા હજ અને ઉમરહ બંનેનો એહરામ બાંધ્યો હોય, પરંતુ તેની પાસે કુરબાનીનું જાનવર ન હોય તો તેના માટે યોગ્ય નથી કે તે પોતાના એહરામમાં જ રહે, પરંતુ તેના માટે સુન્નત એ છે કે તે પોતાનો એહરામ ઉમરહ માટે કરી લે તેમજ તવાફ, સઈ અને વાળ કપાવી હલાલ થઈ જાય, જેમકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાઓમાં જે વ્યક્તિ પાસે જાનવર ન હતું તેમને આ પ્રમાણે જ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જે વ્યક્તિ અંતિમ સમયમાં આવ્યો હોય અને હજ છૂટી જવાનો ભય હોય તો તેના માટે પોતાના પાછળ એહરામમાં રહેવામાં કોઈ વાંધો નથી. અલ્લાહ વધુ જાણનાર છે.

જો એહરામ બાંધનાર વ્યક્તિને તે વાતનો ભય હોય કે તે પોતાના નુસુક (હજ અને ઉમરહના કાર્યો) ને પૂર્ણ નહીં કરી શકે, કોઈ બીમારીના કારણે અથવા કોઈ શત્રુના ભયથી, તો તેના માટે એહરામ બાંધતી વખતે આ શબ્દો કહેવા યોગ્ય છે: «"ફઇન્ હબસની હાબિસ ફમહલ્લી હય્ષુ હબસ્તની", (જો કોઈ અવરોધે મને રોકી લીધો તો હું ત્યાં જ હલાલ થઈ જઈશ, જ્યાં મને રોકી દેવામાં આવશે)»; કારણકે ઝબાઅહ બિન્તે ઝુબૈર રઝી અલ્લાહુ અન્હાની હદીષમાં છે કે તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું હજ કરવા ઈચ્છું છું પરંતુ હું બીમાર છું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: «હજ કરો અને આ શરત લગાવો કે હું ત્યાં જ હલાલ થઈ જઈશ, જ્યાં મને રોકી દેવામાં આવશે ([૪૯])» મુત્તફકુન અલૈહ (અર્થાત્ આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે) [૪૭] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

આ શરત લગાવવાનો ફાયદો: જો એહરામ બાંધનાર વ્યક્તિથી કોઈ એવું કાર્ય થઈ જાય, જે તેને નુસુક (ઈબાદત) પૂર્ણ કરવાથી રોકી દે, જેમકે બીમારી અથવા દુશ્મનનો સામનો, તો તે એહરામ માંથી બહાર આવી શકે છે અને તેને કોઈ ગુનોહ નહીં થાય.

વિભાગ

શું નાના બાળકનું હજ કરવું, તેના માટે અનિવાર્ય હજ માટે પૂરતું ગણાશે?

નાના બાળક અને નાની બાળકીનું હજ યોગ્ય છે, જેમકે સહીહ મુસ્લિમમાં ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે એક સ્ત્રીએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ એક બાળકને રજૂ કરતાં કહ્યું: હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! શું તેના માટે પણ હજ છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં, અને સવાબ તમારા માટે છે ([૫૦])». [૪૦] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૩૬).

સહીહ બુખારીમાં સાઇબ્ બિન્ યઝીદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: «મને (હજ્જતુલ્ વિદાઇના સમયે) અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હજ કરાવવામાં આવી, અને તે સમયે મારી ઉંમર સાત વર્ષની હતી ([૫૧])». પરંતુ આ હજ નફિલ (સ્વૈચ્છિક) ગણવામાં આવશે, અને અનિવાર્ય હજ માટે પૂરતી નહીં થાય. [૪૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર:(૧૮૫૮).

એવી જ રીતે દાસ પુરુષ અને દાસી સ્ત્રીનો હજ પણ યોગ્ય છે, પરંતુ તેમના અનિવાર્ય હજ માટે પૂરતો નહીં ગણાય, જેમકે અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાની હદીષમાં છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે બાળક હજ કરે અને જ્યારે પુખ્તવયનો થાય તો તેના માટે જરૂરી છે કે તે ફરીવાર હજ કરે, જો કોઈ ગુલામ હજ કરે તો આઝાદ થયા પછી તેના માટે જરૂરી છે કે તે ફરીવાર હજ કરે ([૫૨])». આ હદીષને ઈબ્ને અબી શૈબહ અને ઈમામ બૈહકીએ હસન (સારી) સનદ સાથે વર્ણન કરી છે. [૪૨] આ હદીષને ઈબ્ને અબી શૈબહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, (ભાગ: ૪/૪૪૪).

બાળક બુદ્ધિશાળી અને સમજુ ન હોય, તો તેનો વલી તેના બદલામાં એહરામની નિયત કરી તેને એહરામ બાંધી તેની તરફથી લબ્બૈક કહેશે, બાળક તે સમયે મુહરિમ (એહરામની સ્થિતિ) ગણવામાં આવશે, જે વસ્તુઓ અન્ય લોકો માટે હરામ છે તે તેના માટે પણ અમાન્ય છે, એવી જ રીતે તે બાળકી જે બુદ્ધિ અને સમજ ધરાવતી ન હોય, તેનો વલી તેની તરફથી એહરામની નિયત કરે, અને તેની તરફથી લબ્બૈક કહે, તે બાળકી પણ મુહરિમ ગણાશે, અને તેના માટે પણ તે દરેક વસ્તુ હરામ ગણાશે જે મોટી સ્ત્રી માટે હરામ હોય છે, તવાફની સ્થિતિમાં તેમના કપડાં અને શરીર પાક હોવું જોઈએ; કારણકે તવાફ નમાઝ માફક જ છે, જેના યોગ્ય હોવા માટે પવિત્રતા શરત છે.

જો બાળક અને બાળકી બુદ્ધિશાળી અને સમજદાર હોય, તો તે પોતાના વલીની પરવાનગીથી એહરામ બાંધશે અને એહરામ બાંધતી વખતે તે દરેક કાર્યો કરશે જે એહરામ બાંધનાર લોકો કરે છે, જેમકે સ્નાન કરવું અને સુગંધ લગાવવી વગેરે, તેમનો વલી તેમના કાર્યોની દેખરેખ કરનાર અને તેમની જરૂરતોને પૂરી પાડનાર હશે, ભલે તે તેનો પિતા હોય, અથવા માં હોય, અથવા અન્ય કોઈ, અને જે કામ કરવાથી બાળક અસક્ષમ હોય, તેને તેમનો વલી કરશે, જેમકે કાંકરીઓ મારવી વગેરે, તે સિવાય દરેક કાર્યો તેમણે પોતે જ કરવા પડશે, જેમકે અરફહમાં રોકાણ કરવું, મિના અને મુઝદલિફહમાં રાત પસાર કરવી, તવાફ અને સઈ કરવી, જો તે તવાફ અને સઈ કરવામાં અસક્ષમ હોય, તો તેમને ઉઠાવી તવાફ અને સઈ કરાવવામાં આવશે, આ સ્થિતિમાં તેમણે ઉઠાવવાવાળા વ્યક્તિ માટે શ્રેષ્ઠ એ છે કે તે પોતાનો તવાફ અને સઈ તેમની સાથે ભેગું ન કરે, પરંતુ તે બાળક માટે જ તવાફ અને સઈની નિયત કરે, અને પોતાના માટે અલગ તવાફ અને સઈ કરે, આ ફક્ત અલ્લાહની ઈબાદતમાં સાવચેતી અને અલ્લાહના પયગંબરની આ હદીષનું અનુસરણ કરતાં: «જે વસ્તુમાં તમને શંકા હોય તેને છોડી દો અને તે વસ્તુ પર અમલ કરો જેના પર તમને શંકા ન હોય ([૫૩])». પરંતુ જે વ્યક્તિ પોતાના માટે અને જેને તેણે ઉઠાવ્યો છે તેનો પણ તવાફ અને સઈની નિયત એકસાથે કરે, તો સાચા મંતવ્ય પ્રમાણે પૂરતું થઈ જશે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે સ્ત્રીને અલગથી તવાફ કરવાનો આદેશ આપ્યો ન હતો, જેણે પોતાના બાળકના હજ વિષે સવાલ કર્યો હતો, જો અનિવાર્ય હોત, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જરૂર વર્ણન કરતાં, ખરેખર અલ્લાહ જ તૌફીક આપનાર છે. [૪૩] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૧૮).

બુદ્ધિશાળી બાળક અને બાળકી તરફથી તવાફ શરૂ કરતાં પહેલા ગંદકી અને નાપાકીથી પાક હોવાની તાકીદ કરવામાં આવે, જેમકે એહરામ બાંધનાર માટે જરૂરી છે, અને નાના બાળક અને બાળકી તરફથી તેના વલી માટે એહરામ બાંધવું જરૂરી નથી, પરતું નફિલ છે, જો કરે તો સવાબ મળશે અન્યથા કોઈ ગુનોહ નહીં થાય. અલ્લાહ જ વધુ જાણનાર છે.

વિભાગ

મહઝુરાતે એહરામ (એહરામની સ્થિતિમાં પ્રતિબંધિત કાર્યો) તથા એહરામ બાંધનાર વ્યક્તિ માટે જે કાર્યો કરવા માન્ય છે તેનું વર્ણન

એહરામની નિયત કર્યા પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી તેના માટે પોતાના વાળ અને નખ કાપવા અને સુગંધ લગાવવી જાઈઝ નથી.

પુરુષો માટે એવા કપડાં પહેરવા યોગ્ય નથી, જે તેમના શરીરના ઢાંચા મુજબ સીવેલા હોય, જેમકે શર્ટ, અથવા જે શરીરના અંગ પ્રમાણે સીવેલા હોય, જેમકે બનિયાન, સરવાલ, મોજા વગેરે, પરંતુ જો તેને ઇજાર ન મળે તો પાયજામો પહેરી શકે છે, એવી જ રીતે જેને ચપ્પલ ન મળે, તો કાપ્યા વગર ચામડાના મોજા પહેરી શકે છે; કારણકે બને અબ્બાસ રઝી અલ્લાહુઆ અન્હુમાની હદીષ છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિને ચપ્પલ ન મળે, તો ચામડાના મોજા પહેરી લે, અને જેને ઇજાર ન મળે તે સલવાર પહેરી લે ([૫૪])». [૪૪] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૪૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૭૯).

અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ, જેમાં ચામડાના મોજા કાપીને પહેરવાનો આદેશ આપવામાં આવ્યો છે, તો તે હદીષ મન્સૂખ (રદ) છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જ્યારે મદીનહમાં પૂછવામાં આવ્યું કે એહરામ બાંધનાર વ્યક્તિ કેવા કપડાં પહેરે, તો તે સમયે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું હતું, પરંતુ જ્યારે અરફહમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખુતબો આપ્યો અને જેની પાસે ચપ્પલ ન હોય, તેને ચામડાના મોજા પહેરવાની પરવાનગી આપી અને તેને કાપવાનો આદેશ ન આપ્યો, આ ખુતબામાં એવા પણ લોકો હતા, જેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા મદીનહ વાળો જવાબ સાંભળ્યો નહીં હોય, જોકે જરૂરત વખતે આદેશના વર્ણનના વિલંબ કરવો યોગ્ય નથી, જેમકે હદીષ અને ફિકહના નિયમો દ્વારા સાબિત છે, જેથી મોજા કાપવાનો આદેશ રદ થઈ ગયો, જો તેની જરૂરત હોય તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જરૂર વર્ણન કરતાં. અલ્લાહ વધુ જાણે છે.

એહરામ બાંધનાર વ્યક્તિ માટે એવા ચામડાના મોજા પહેરવા યોગ્ય છે, જેની લંબાઈ ઘૂંટીથી નીચે હોય; કારણકે તે ચપ્પલના પ્રકાર માંથી જ છે.

એવી જ રીતે ઇજારને દોરા અથવા અન્ય વસ્તુ વડે બાંધવી પણ યોગ્ય છે; કારણકે તેના વિરુદ્ધ કોઈ દલીલ વર્ણન થઈ નથી.

એહરામ બાંધનાર વ્યક્તિ માટે સ્નાન કરવું, માથું ધોવું અને જરૂરૂ હોય તો તેને ધીમે ધીમે ખાજવાળવું પર જાઈઝ છે, જેના કારણે તેના માથા માંથી વાળ નીકળે તો પણ કોઈ વાંધો નથી.

એહરામ બાંધનાર સ્ત્રી માટે હરામ છે કે તે ચહેરા માટે સીવેલું કપડું પહેરે, જેમકે બુરખો, નકાબ અથવા હાથ માટે હાથ મોજા; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સ્ત્રી ન તો નકાબ પહેરે ન તો હાથના મોજાં પહેરે ([૫૫])». આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે. કુફ્ફાઝ (હાથ મોજા): એવા કપડાંને કહે છે, જે ઉન અથવા કપાસ વગેરે દ્વારા હાથના માપ અનુસાર સીવેલા અથવા વણાયેલ હોય છે. [૪૫] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૩૮).

સ્ત્રીઓ માટે સીવેલ કપડાં માંથી અન્ય કપડાં પહેરવાની પરવાનગી આપવામાં આવી છે, જેમકે કમીસ, પાયજામા, ચપ્પલ અને મોજાં વગેરે.

એવી જ રીતે જો જરૂરતના સમયે તે પોતાના ચહેરા પર પટ્ટી વગરની સ્કાર્ફ લગાવી શકે છે, અને તે તેના ચહેરા સાથે ચોંટી જાય તો પણ કોઈ વાંધો નથી, જેમકે આયશ રઝી અલ્લાહુ અન્હાની હદીષ છે: «રાહદારો અમારી પાસેથી પસાર થતાં હતા, અને અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એહરામની સ્થિતિમાં જ હોતા, જ્યારે લોકો અમારી નજીક આવતા તો અમે ચાદર દ્વારા પોતાનો ચહેરો ઢાંકી લેતા, જ્યારે તેઓ આગળ જતાં, તો અમે હટાવી લેતા ([૫૬])». આ હદીષને ઈમામ અબૂ દાવૂદ અને ઈબ્ને માજહએ વર્ણન કરી છે અને ઈમામ દાર કુત્નીએ ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા દ્વારા આ જ પ્રમાણેની હદીષ વર્ણન કરી છે. [૪૬] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૧૮૩૩).

એવી જ રીતે સ્ત્રી માટે પોતાના કપડાં વગેરે દ્વારા પોતાના હાથ ઢાંકવા પણ જાઈઝ છે, અને જ્યારે અજાણ પુરુષો હોય તે ચહેરા અને હાથ બંને ઢાંકવા જરૂરી છે; કારણકે આ દરેક અંગો પડદાના આદેશમાં આવે છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને પોતાના શણગારને બીજા કોઈની સામે જાહેર ન કરે} ([૫૭]) [અન્ નૂર: ૩૧]. તેમાં કોઈ શંકા નથી કે ચહેરો અને હાથ બંને સૌથી વધુ શણગાર માટેના ભાગ હોય છે.

ચહેરો તો હાથ કરતાં પણ મહત્વપૂર્ણ છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જ્યારે તમે પયગંબરની પત્નીઓ પાસે કોઇ વસ્તુ માંગો તો પરદાની પાછળથી માંગો, આ વાત તમારા અને તેમના દિલોની પવિત્રતા માટે છે} ([૫૮]) [અલ્ અહઝાબ: ૫૩].

કેટલીક સ્ત્રીઓ દુપટ્ટાને ઉપર ઉઠાવવા માટે નીચે પટ્ટી રાખે છે, તો અમારા જ્ઞાન મુજબ શરીઅતમાં તેનો કોઈ પુરાવો નથી, જો તે અનિવાર્ય હોય તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની ઉમ્મત માટે જરૂર તેને વર્ણન કરતાં અને આ પ્રત્યે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ચૂપ રહેવું માન્ય ન હતું.

એહરામ બાંધનાર પુરુષો અને સ્ત્રી માટે જે કપડાંમાં તેમણે એહરામ બાંધ્યો છે, તે કપડું જો ગંદુ થઈ જાય તો તેને ધોવું જરૂરી છે, અથવા કોઈ કારણસર તેને બદલી પણ શકાય છે.

એહરામ બાંધનાર વ્યક્તિ માટે એવા કપડાં પહેરવા યોગ્ય નથી જેને કેસર અથવા વરસ (એક પ્રકારનું સુગંધિત વૃક્ષ) દ્વારા રંગવામાં આવ્યા હોય; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુની હદીષમાં આ કાર્યથી સચેત કર્યા છે.

એવી જ રીતે એહરામ બાંધનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે અશ્લીલ વાતો, ગુનાહ અને વિવાદ કરવાથી બચે; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {હજના મહિના દરેક લોકો જાણે છે, એટલા માટે જે વ્યક્તિ તે માસમાં હજ કરે તે પોતાની પત્નિ સાથે સમાગમ કરવાથી, ગુનાહ કરવાથી અને લડાઇ ઝઘડો કરવાથી બચતો રહે} ([૫૯]) [અલ્ બકરહ: ૧૯૭].

એવી જ રીતે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાચી હદીષમાં કહ્યું: «જે વ્યક્તિએ આ ઘરની એવી રીતે હજ કરે તથા હજના દિવસોમાં વ્યર્થ વાત અને ખરાબ કૃત્યોથી બચીને રહ્યો, તે વ્યક્તિ તે દિવસની માફક ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો ([૬૦])». એવી જ રીતે રફષ: સંભોગ અથવા બેકાર વાત અને કાર્ય, ફુસૂક્: સામાન્ય ગુનાહ. જિદાલ: અમાન્ય અને નક્કામી વાતો વિષે ચર્ચા કરવી, પરંતુ જો તે ચર્ચા સત્યને સ્પષ્ટ કરવા અથવા બાતેલને અમાન્ય કરવા માટે સારી રીતે કરવામાં આવે તો કોઈ વાંધો નથી; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {(હે નબી!) તમે (લોકોને) પોતાના પાલનહારના માર્ગ તરફ હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો} ([૬૧]) [અન્ નહલ: ૧૨૫]. [૪૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૧૫૨૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૧૩૫૦).

એવી જ રીતે એહરામ બાંધનાર પુરુષ માટે માથા સાથે જોડાયેલી કોઈ વસ્તુ દ્વારા માથું ઢાંકવું હરામ (અવૈધ) છે, જેમકે ટોપી, સ્કાર્ફ, પાઘડી વગેરે, એવી જ રીતે ચહેરો ઢાંકવો પણ હરામ છે; કારણકે અરફહના દિવસે જે સહાબી પોતાની સવારી પરથી પડી મૃત્યુ પામી ગયા હતા તેમના વિષે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેને પાણી અને બોરડીના પાંદડા વડે સ્નાન આપો અને એહરામ વાળા બે કપડાંમાં તેને કફન આપો, તેનું માથું અને ચહેરો ન ઢાંકો; કારણકે તે કયામતના દિવસે લબ્બૈક કહેતા ઊભો કરવામાં આવશે ([૬૨])» મુત્તફકુન અલૈહ (બુખારી અને મુસ્લિમ), અને શબ્દો મુસ્લિમના છે. [૪૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૨૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૫૦).

ગાડીની છત અથવા આ પ્રકારની વસ્તુઓ જેમકે તંબુ અથવા વૃક્ષ વગેરે દ્વારા છાંયડો પ્રાપ્ત કરવામાં કોઈ વાંધો નથી; કારણકે સાચી હદીષમાં છે જે જમરહ ઉકબા પર કાંકરીઓ મારતી વખતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર કપડાં વડે છાંયડો કરવામાં આવ્યો હતો, અને નિમરહ પાસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે અરફહના દિવસે એક તંબુ લગાવવામાં આવ્યું હતું, જ્યાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૂર્યાસ્ત સુધી બેઠા હતા.

એવી જ રીતે એહરામ બાંધનાર પુરુષો અને સ્ત્રી માટે જમીનના પ્રાણીઓને મારવા, તેમાં મદદ કરવી અથવા તેની જગ્યાએથી ભગાડવા પણ હરામ છે, એ જ રીતે શાદી કરવી, સંભોગ કરવો, સ્ત્રીઓને શાદીનો સંદેશો મોકલવો, અને મનેચ્છા સાથે સ્ત્રીઓને સ્પર્શ કરવું પણ હરામ છે; કારણકે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એહરામ બાંધનાર ન તો શાદી કરે, ન તો શાદીનો સંદેશો મોકલે ([૬૩])» આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે. [૪૯] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૪૦૯).

જો એહરામ બાંધનાર વ્યક્તિ ભૂલથી સીવેલા કપડાં પહેરી લે અથવા પોતાનું માથું ઢાંકી લે, તો તેના પર કોઈ ફિદયો નથી, જ્યારે પણ યાદ આવે અથવા જાણી જાય, તો તેને દૂર કરી દે, એવી જ રીતે જે વ્યક્તિ ભૂલ અથવા અજ્ઞાનતામાં વાળ મુંડન કરાવે અથવા થોડા વાળ કપાવી લે અથવા નખ કાપી લે તો સાચા મંતવ્ય પ્રમાણે તેના પર કોઈ દંડ નથી.

મુસલમાનો માટે ભલે તે એહરામમાં હોય અથવા ન હોય, સ્ત્રી હોય કે પુરુષ, હરમના પ્રાણીને મારવું અથવા તેને મારવા માટે કોઈ પણ પ્રકારના હથિયાર વડે તેની તરફ ઈશારો કરવો હરામ છે.

એવી જ રીતે પ્રાણીને તેની જગ્યાએથી હાંકી બીજે લઈ જવું પણ હરામ છે, હરમના વૃક્ષોને કાપવા, ત્યાં પડેલી વસ્તુઓ ઊઠાવવી પણ હરામ છે, તે સિવાય કે જે તેનું એલાન કરી તેના માલિક સુધી પહોંચાડવા માટે ઉઠાવે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ શહેર -અર્થાત્ મક્કહને અલ્લાહએ કયામત સુધી હરામ (પવિત્ર) કરી દીધું છે, ન તો તેના વૃક્ષો કાપવામાં આવશે ન તો તેમાં રહેલ શિકારને ભગાડવામાં આવશે, ન તો તેમાં પડેલી વસ્તુઓને ઉપદ્વમાં આવશે, જો કોઈ વ્યક્તિ ત્યાં પડેલી વસ્તુને એલાન કરી તેના માલિક સુધી પહોંચાડવા માટે ઉઠાવે તો વાંધો નથી ([૬૪])» સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ. મુત્તફકુન અલૈહ (અર્થાત્ આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે) [૫૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૩૪), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૫૩).

હદીષમાં વર્ણન થયેલ શબ્દ "અલ્ મુન્શિદ"નો અર્થ: ખોવાઈ ગયેલ વસ્તુનું એલાન કરનાર, અને "અલ્ ખલા"નો અર્થ: તાજી ઘાંસ, એવી જ રીતે મિના અને મુઝદલિફહ પણ હરમનો ભાગ છે, અને અરફહ હરમથી બહાર છે.

વિભાગ

મક્કહ આવ્યા પછી હાજી શું કરે, અને મસ્જિદે હરમમાં પ્રવેશ મેળવ્યા પછી તવાફ કેવી રીતે કરે?

જ્યારે એહરામ બાંધનાર વ્યક્તિ મક્કહ પહોંચે, તો તેના માટે મક્કહમાં પ્રવેશ કરતાં પહેલા સ્નાન કરવું મુસ્તહબ છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે જ કર્યું હતું, અને જ્યારે મસ્જિદે હરામ પહોંચે તો પોતાનો જમણો પગ મૂકી આ દુઆ પઢે: "બિસ્મિલ્લાહિ વસ્સલાતુ વસ્સલામ અલા રસૂલિલ્લાહ, અઊઝુબિલ્લાહિલ્ અઝીમ વ બિવજહિહીલ્ કરીમ વ સુલ્તાનિહિલ્ કદીમ, મિનશ શયતાનીર્ રજીમ, અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહમતિક", (અલ્લાહના નામથી મસ્જિદમાં પ્રવેશ કરું છું અને અલ્લાહના પયગંબર પર સલામ મોકલું છું, હું મહાન અલ્લાહ તેના દયાળુ ચહેરા અને તેની શક્તિ તેમજ પ્રતિષ્ઠતા વડે ધૃતકારેલા શૈતાનથી પનાહ માગું છું, હે અલ્લાહ! મારા માટે રહમતના દ્વાર ખોલી નાખ), આજ દુઆ દરેક મસ્જિદમાં દાખલ થતી વખતે પઢે, મસ્જિદે હરામમાં દાખલ થતી વખતે જ્યાં સુધી હું જાણું છું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કોઈ ખાસ પ્રકારની દુઆ સાબિત નથી.

ફરી જ્યારે કાબા પાસે પહોંચે તો તવાફ શરૂ કરતાં પહેલા તલ્બિયહ કહેવાનું બંધ કરી દે, જો તે હજ્જે તમત્તુઅ અથવા ઉમરહ કરી રહ્યો હોય, ફરી હજરે અસ્વદ (કાળા પથ્થર) પાસે આવે અને તેની સામે આવી ઊભો થઈ જાય, ફરી પોતાના જમણા હાથ વડે સ્પર્શ કરે અને જો સંભવ હોય તો તેને બોસો આપે, પરંતુ લોકોને ધક્કો મારી કષ્ટ ન પહોંચાડે, તેને સ્પર્શ કરી વખતે "બિસ્મિલ્લ્લાહિ અલ્લાહુ અકબર" અથવા "અલ્લાહુ અકબર" કહે. જો તેને બોસો આપવો અશક્ય હોય, તો હાથ અથવા લાકડી વડે સ્પર્શ કરે અને તે વસ્તુને બોસો આપે, જેના દ્વારા તેને સ્પર્શ કર્યું હોય, જો આ પ્રમાણે કરવું પણ અશક્ય હોય તો "અલ્લાહુ અકબર" કહી હજરે અસ્વદ તરફ ઈશારો કરી લે, પરંતુ જે વસ્તુ દ્વારા ઈશારો તેને બોસો ન આપે, તવાફને યોગ્ય હોવાની શરત: તવાફ કરનાર વ્યક્તિ દરેક નાની અને મોટી નાપાકીથી પાક હોય; કારણકે તવાફ પણ નમાઝની માફક જ છે, તફાવત એટલો છે કે તવાફમાં વાર કરવાની પરવાનગી આપવામાં આવી છે, તવાફની સ્થિતિમાં બૈતુલ્લાહને પોતાની ડાબી બાજુ રાખે, અને તવાફ શરૂ કરતાં પહેલા આ દુઆ પઢે તો વધુ સારું છે: «"અલ્લાહુમ્મ ઇમાનન્ બિક, વ તસ્દીકન બિ કિતાબિક, વ વફાઅન્ બિ અહદિક્, વ્ ઇત્તિબાઅન્ લિ સુન્નતિ નબિય્યીક મુહમ્મદિન્ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ" (અર્થ: હે અલ્લાહ તારા પર ઈમાન લાવી, તારી કિતાબની પુષ્ટિ કરી, તારા વચનને પૂર્ણ કરી અને તારા પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરી (તવાફ કરું છું))»; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે, તવાફના સાત ચક્કર લગાવે, પહેલા ત્રણ ચક્કરમાં રમલ (જડપથી ચાલે) કરે, આ પ્રમાણે તે તવાફમાં કરશે જે મક્કહ આવતા પહેલા સૌથી પહેલી વખત કરે, ભલે ને તેવાફ ઉમરહ માટે હોય કે હજ્જે તમત્તુઅ અથવા કિરાન અથવા ઈફરાદ માટે હોય, બીજા ચાર ચક્કરોમાં સામાન્ય ચાલ જ ચાલશે, દરેક ચક્કર હજરે અસ્વદ પાસેથી શરૂ કરે અને ત્યાં જ પૂર્ણ કરે.

રમલ: નાના નાના ડગલા વડે જડપથી ચાલવું, એવી જ રીતે તેના માટે સંપૂર્ણ તવાફમાં ઇઝ્તિબાઅ કરવું મુસ્તહબ છે, તે સિવાય અન્ય તવાફમાં નહીં, ઇઝ્તિબાઅ: પોતાની ચાદરના વચ્ચેના ભાગને ખભાની નીચેથી કાઢી બંને કિનારાને ડાબા ખબા પર મૂકવા.

જો તવાફના ચક્કરમાં શંકા થઈ તો તે યકીન અર્થાત્ ઓછી સંખ્યા પર આધાર રાખે, અર્થાત જો શંકા થઈ જાય કે ત્રણ ચક્કર થયા છે કે ચાર, તો તેને ત્રણ જ સમજે, આ જ પ્રમાણે સઈ કરે.

તવાફ પૂર્ણ કર્યા પછી, તે બે રકઅત નમાઝ પઢતા પહેલા પોતાની ચાદર પહેરી લે તેને બંને ખભા પર મૂકે અને તેના બંને કિનારાને છાતી પર રાખે.

સ્ત્રી માટે વિશેષ રૂપથી જે વસ્તુઓ પર પ્રતિબંધ છે, તેમાંથી તે તવાફ દરમિયાન શરગાણ અને સુગંધનો ઉપયોગ ન કરે, અને પડદાનો સંપૂર્ણ ખ્યાલ રાખે; કારણકે તે ઢાંકવાની વસ્તુ છે, અર્થાત: તેમણે પડદામાં રહેવું જોઈએ ભલે તે તવાફમાં હોય અથવા અન્ય સ્થિતિમાં જ્યાં પુરુષો અને સ્ત્રી એકઠા થતાં હોય; કારણકે તે પડદાની વસ્તુ છે અને ફિતનાનું કરણ છે, અને સ્ત્રીઓની સુંદર વસ્તુઓમાં તેમનો ચહેરો સૌથી મુખ્ય ભાગ છે; કારણકે તેને ફક્ત પોતાના મેહરિમ સામે જ ખુલ્લો રાખી શકે છે; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને પોતાના શણગારને બીજા કોઈની સામે જાહેર ન કરે} ([૬૫]) [અન્ નૂર: ૩૧], જેથી હજરે અસ્વદને બોસો આપતી વખતે જો પુરુષો તેમને જુએ તો તેમના ચહેરો ખુલ્લો રાખવો જાઈઝ નથી, અને જો હજરે અસ્વદને બોસો આપવો શક્ય ન હોય તો પુરુષો સાથે અતિશય સંઘર્ષ કરવો પણ જાઈઝ નથી, તે સમયે તેણીઓએ પુરુષોની પાછળ રહી તવાફ કરવો જોઈએ, આ તેમના માટે પુરુષો સાથે સંઘર્ષની સ્થિતિમાં બૈતુલ્લાહની નજીક તવાફ કરવા કરતાં સૌથી શ્રેષ્ઠ અને સવાબ પણ વધુ છે, તવાફે કુદૂમ સિવાય અન્ય તવાફમાં રમલ અને ઇઝ્તિબાઅ કરવું જાઈઝ નથી, એટલા માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રમલ અને ઇઝ્તિબાઅ ફક્ત પોતાના પહેલા તવાફમાં જ કર્યું હતું, જ્યારે આપ મક્કહ આવ્યા, એહરામ બાંધનાર વ્યક્તિએ તવાફની સ્થિતિમાં દરેક પ્રકારની નાપાકી અને ગંદકીથી પાક રહે, અને પોતાના પાલનહાર માટે વિનમ્રતા અપનાવે.

તેના માટે તવાફ દરમિયાન ખૂબ જ અલ્લાહનો ઝિક્ર કરવો અને દુઆઓ માંગવી મુસ્તહબ છે, જો તે કુરઆનની થોડી આયતો પઢે તો વધુ શ્રેષ્ઠ છે, આ તવાફ અને સઈમાં તે સિવાય કોઈ પણ તવાફ અને સઈમાં કોઈ પણ વિશેષ ઝિક્ર અને દુઆ કરવી જાઈઝ નથી.

જે લોકોએ તવાફ અને સઈના દરેક ચક્કર માટે ચોક્કસ દુઆઓ નક્કી કરી લીધી છે, તેમના આ કાર્યનો કોઈ પુરાવો નથી, પરંતુ જે પણ દુઆ અને ઝિક્ર યાદ હોય તે પઢી શકાય છે, જ્યારે રુકને યમાની સમક્ષ આવે તો "બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર" કહી પોતાના જમણા હાથ દ્વારા તેને સ્પર્શ કરે, પરંતુ તેને બોસો ન આપે, જો રુકને યમાનીને સ્પર્શ કરવું અશક્ય હોય, તો તેને છોડી તવાફ કરતો રહે, અને રુકને યમાની તરફ ઈશારો ન કરે અને ન તો તેની સામે આવી તકબીર કહે, એટલા માટે કે મારા ઇલ્મ પ્રમાણે આ પ્રમાણે કરવું પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત નથી, રુકને યમાની અને હજરે અસ્વદ વચ્ચે આ દુઆ પઢવી મુસ્તહબ છે: {"રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર! અમને દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે} ([૬૬]) [અલ્ બકરહ: ૨૦૧]. જ્યારે પણ તે હજરે અસ્વદ સામે આવે તો તેને સ્પર્શ કરે અથવા બોસો આપે અને "અલ્લાહુ અકબર" કહે, જો તેને સ્પર્શ કરવો અને બોસો આપવો સંભવ ન હોય તો તે દરેક વખતે જ્યારે તેની સામે હોય, તો તેની તરફ ઈશારો કરે અને અલ્લાહુ અકબર કહે.

ઝમઝમ અને મકામે ઈબ્રાહીમની પાછળથી તવાફ કરવામાં કોઈ વાંધો નથી અને ભીડ વખતે તો સંપૂર્ણ મસ્જિદ તવાફની જગ્યા છે, જો મસ્જિદના ચારેય ખૂણેથી પણ તવાફ કરે તો કોઈ વાંધો નથી, પરંતુ કાબાની નજીક તવાફ કરવો શ્રેષ્ઠ છે, જો સંભવ હોય.

તવાફ પૂર્ણ કર્યા પછી જો શક્ય હોય તો મકામે ઇબ્રાહીબની પાછળ બે રકઅત નમાઝ પઢે, જો ભીડના કારણે શક્ય ન્ હોય તો મસ્જિદની કોઈ પણ જગ્યાએ પઢી લે, તે બંને રકઅતમાં સૂરે ફાતિહા પછી પઢે: {તમે કહી દો કે હે કાફિરો!} [અલ્ કાફિરુન: ૧]. પહેલી રકઅતમાં અને {"કુલ્ હુવલ્લાહુ અહદ" તમે કહી દો કે અલ્લાહ એક જ છે} ([૬૮]) [અલ્ ઇખલાસ: ૧]. બીજી રકઅતમાં પઢે, આ જ શ્રેષ્ઠ છે, પરંતુ જો બીજી સૂરતો પણ પઢે તો કોઈ વાંધો નથી, તવાફ પછી હજરે અસ્વદ પાસે આવે, જો શક્ય હોય તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતાં પોતાના જમણા હાથ વડે સ્પર્શ કરે.

ફરી સફાના દ્વાર માંથી નીકળી સફા પર્વત પર ચઢે, અથવા તેની પાસે ઊભો રહે, અને જો સંભવ હોય તો ચઢવું શ્રેષ્ઠ છે, અને પહેલો ચક્કર શરૂ કરતી વખતે અલ્લાહની આયાત પઢે: {સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે} ([૬૯]) [અલ્ બકરહ: ૧૫૮].

સફા પર કિબલા તરફ મોઢું કરી ઊભા થઈ અલ્લાહની પ્રસંશા અને મોટાઈ વર્ણન કરતાં આ દુઆ પઢવી મુસ્તહબ છે: «"લા ઇલાહ ઈલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ, વલહુલ્ હમ્દુ, યુહ્યી વયુમિતુ, વહુવ અલા કુલ્લી શૈઇન કદીર, લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહ, અન્જઝ વઅદહ, વનસર અબ્દહ, વહઝિમલ્ અહ્ઝાબ વહદહ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેનાં માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેણે પોતાનું વચન પૂરો કર્યો, અને પોતાના બંદાઓ ની મદદ કરી અને તેણે એકલા એ સંપૂણ લશ્કરને હરાવી દીધું)», ફરી બંને હાથ ઉઠાવી જે દુઆ શક્ય હોય તે કરો, આ દુઆ અને ઝિક્રને ત્રણ વખત પઢે, ફરી સફા પરથી ઉતરી, મરહવ તરફ જાય, અહીં સુધી કે તે પ્રથમ નિશાન સુધી પહોંચી જાય; પુરુષોએ બીજા નિશાન દરમિયાન ઝડપથી ચાલવું જોઈએ, અને સ્ત્રી માટે પડદાનો ખ્યાલ કરી જડપથી ચાલવું જાઈઝ નથી, પરંતુ તેણી સંપૂણ સઈ દરમિયાન શાંતિથી ચાલશે, કારણકે તેમણે સંપૂર્ણ શરીરનો પડદો કરવાનો હોય છે, પછી ચાલતા મરવહ પર ચઢવું અથવા તેની પાસે ઊભા રહેવું, જો શક્ય હોય તો તેના પર ચઢવું શ્રેષ્ઠ છે, મરવહ પર તે જ ઝિક્ર અને દુઆ કરો, જે સફા પર કર્યા હતા, પરંતુ આ આયત ન પઢે, જેમાં અલ્લાહએ કહ્યું: {સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી છે} ([૭૦]) [અલ્ બકરહ: ૧૫૮], એટલા માટે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણમાં તેના ફક્ત પહેલા ચક્કરમાં સફા પર ચઢતી વખતે પઢવું જાઈઝ છે, ફરી ઉતરી ચાલવાની જગ્યાએ ચાલે અને દોડવાની જગ્યાએ દોડે,અહીં સુધી કે સફા સુધી પહોંચી જાય, આ રીતે સાત વખત કરે, એક વખત જવું અને બીજી વખત પાછું ફરવું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે જ કર્યું અને કહ્યું: «તમે મારી પાસેથી હજના કાર્યો શીખી લો ([૭૧])», સઈ દરમિયાન વધુમાં વધુ ઝિક્ર અને દુઆઓ કરવી જોઈએ, અને દરેક પ્રકારની ગંદકીથી પાક રહે, જો વઝૂ વગર સઈ કરે તો પણ કોઈ વાંધો નથી, એવી જ રીતે જો તવાફ પછી સ્ત્રીને હૈઝ અથવા નિફાસ આવી જાય તો તે સઈ કરે અને તેની સઈ યોગ્ય ગણવામાં આવશે, એટલા માટે સઈમાં શુદ્ધતા જરૂરી નથી, પરંતુ મુસ્તહબ છે, જેમકે વર્ણન થઈ ચૂક્યું છે. [૫૧] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

જ્યારે સઈ પૂર્ણ કરી લે તો પોતાના વાળ મુંડન કરાવી લે અથવા કપાવી લે, પુરુષ માટે મુંડન કરવું શ્રેષ્ઠ છે પરંતુ ઉમરહમાં વાળ કપાવી લે અને હજ માટે મુંડન છોડી દે તો પણ સારું છે, જો તેનું મક્કહ આવવું હજની નજીક હોય તો તેના માટે વાળ કપાવવા શ્રેષ્ઠ છે, જેથી હજમાં બીજા વાળ મુંડન કરાવી લે, એટલા માટે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબા જ્યારે ૪ ઝિલ્ હિજ્જહએ મક્કહ આવ્યા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકોને જેઓ પોતાની સાથે કુરબાનીનું જાનવર લઈને આવ્યા ન હતા, તેમણે આદેશ આપ્યો કે તેઓ હલાલ થઈ જાય અને વાળ નાના કરવી લે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને મુંડન કરાવવાનો આદેશ ન આપ્યો, વાળ નાના કરાવવાની સ્થિતિમાં સંપૂર્ણ માથાના વાળ નાના કરાવવા જરૂરી છે, માથાના થોડા ભાગના વાળ નાના કરાવવા પૂરતા નહીં થાય, એવી જ રીતે માથાના થોડા ભાગનું મુંડન કરાવવું પણ પૂરતું નહીં થાય, સ્ત્રી માટે ફક્ત વાળ કપાવવા અર્થાત નાના કરાવવા જ શરિઅત દ્વારા સંમત છે, તેણીએ પોતાના વાળ માંથી એક ટેરવાં જેટલા અથવા તેનાથી પણ નાના વાળ કાપવા જોઈએ, અન્મિલહ: આંગળીના ઉપરના ભાગને કહે છે, તેનાથી વધુ કાપવા જાઈઝ નથી.

એહરામ બાંધનાર વ્યક્તિ આ દરેક કાર્યો કરી લે, તો તેનો ઉમરહ પૂર્ણ થઈ ગયો, હવે તે દરેક પ્રતિબંધિત કાર્યોથી હલાલ થઈ ગયો, જે એહરામના કારણે હરામ હતી, પરંતુ જે વ્યક્તિ પોતાની સાથે કુરબાનીનું જાનવર હરમની સીમાની બહારથી લાવ્યો હોય, તો તે એહરામમાં બાકી રહેશે અને હજ અને ઉમરહ બંને કરી હલાલ થશે.

પરંતુ જે વ્યક્તિએ હજ અને ઉમરહ બંનેનો એહરામ બાંધ્યો હોય, તો તેના માટે સુન્નત છે કે તે પોતાનો એહરામ ઉમરહમાં બદલી લે, અને જે રીતે હજ્જે તમત્તુઅ કરનાર કરે છે તે પ્રમાણે જ કરે, પરંતુ જો જાનવર ન લાવ્યો, તો આમ ન કરે, એટલા માટે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાને આજ આદેશ આપ્યો હતો અને કહ્યું: «જો હું મારી સાથે જાનવર ન લાવ્યો હોત, તો તમારી સાથે હલાલ થઈ જતો ([૭૨])». [૫૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૬૮).

જો સ્ત્રીને ઉમરહના એહરામ પછી માસિક અથવા પ્રસુતિનું લોહી આવી જાય, તો પાક થતાં સુધી ન તો બૈતુલ્લાહનો તવાફ કરે ન તો સફા મરવહની સઈ કરે, જ્યારે પાક થઈ જાય તો તવાફ અને સઈ કરે, અને વાળ પર નાના કરાવે, આ રીતે તેનો ઉમરહ પૂર્ણ થઈ જશે, પરંતુ જો તે તર્વિય્યહ (૮ ઝિલ્ હિજ્જહ) સુધી પાક ન થાય, તો જ્યાં રોકાયેલી છે ત્યાં જ હજ માટે એહરામ બાંધી લે, અને દરેક લોકો સાથે મિના પહોંચી જાય, આ રીતે હજ્જે કિરાન કરનારી થઈ જશે અને અરફહમાં રોકાણ કરવું, મુઝ્દલિફહ અને મિનામાં સમય પસાર કરવો, જમરાતને કાંકરીઓ મારવી, જાનવરની કુરબાની કરવી અને વાળ નાના કરાવવામાં તે પ્રમાણે જ કરશે, જે રીતે દરેક હાજીઓ કરે છે, જ્યારે પાક થઈ જાય તો બૈતુલ્લાહનો તવાફ અને સફા મરવહની સઈ કરી લે, આ તેના હજ અને ઉમરહ બંને માટે પૂરતું થઈ જશે, આયશા રઝી અલ્લાહુ અન્હાની હદીષ મુજબ કે તેમને ઉમરહના એહરામ પછી માસિક આવ્યું તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: «જે હાજીઓ કરે છે, તે દરેક કાર્યો કરો, પરંતુ જ્યાં સુધી પાક ન થઈ જાઓ ત્યાં સુધી તવાફ ન કરો ([૭૩])» મુત્તફકુન અલૈહ (અર્થાત્ આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે) [૫૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૦૫), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૧).

જો માસિક ધર્મ અથવા પ્રસતિ વાળી સ્ત્રી કુરબાનીના દિવસે કાંકરા મારી લે અને વાળ નાના કરાવી લે તો તેના માટે તે દરેક વસ્તુઓ હલાલ થઈ જશે જે એહરામના કારણે હરામ હતી, જેમકે સુગંધ લગાવવી વગેરે, પરંતુ પતિ પાસે ત્યાં સુધી ન જાય જ્યાં સુધી તે હજ પૂર્ણ ન કરી લે, જ્યારે તે અન્ય પાક સ્ત્રીઓની માફક જ પોતાનો હજ પૂર્ણ કરી લે અને પાક થાય પછી તવાફ અને સઈ કરી લે, તો તેનો પતિ પણ તેના માટે હલાલ થઈ જશે.

વિભાગ

આઠમી ઝિલ્ હિજ્જહના દિવસે એહરામ બાંધી મિના તરફ નીકળવાના નિયમોનું વર્ણન

જ્યારે તર્વિયહ અર્થાત આઠમી ઝિલ્ હિજ્જહના દિવસ આવે તો જે લોકો ઉમરહથી હલાલ થઈ ગયા હોય અને મક્કહમાં જ રોકાયા હોય, અને મક્કહના રહેવાસીઓ જેઓ હજની ઈચ્છા ધરાવે છે, તેઓ પોતાના ઘરેથી એહરામ બાંધે, એટલા માટે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબા અબતહ નામની જગ્યાએ રોકાયા હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ મુજબ તે લોકોએ ત્યાંથી જ હજનો એહરામ બાંધ્યો, અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને બૈતુલ્લાહ જવાનો આદેશ આપ્યો ન હતો કે તેઓ તેની પાસે અથવા મીઝાબ પાસેથી એહરામ બાંધે, એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમણે મિના જતી વખતે તવાફે વિદાઅનો પણ આદેશ આપ્યો ન હતો, જો તે અનિવાર્ય હોત તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને જરૂર આદેશ આપતા, અને દરેક પ્રકારની ભલાઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબા રઝી અલ્લાહુ અન્હુમના અનુસરણમાં છે.

હજ માટે એહરામ બાંધતી વખતે સ્નાન કરવું, સુગંધનો ઉપયોગ કરવો અને સફાઇ રાખવી મુસ્તહબ છે, જે રીતે મીકાત પાસે એહરામ બાંધતી વખતે કરવામાં આવે છે. તર્વિયહ (આઠમી ઝિલ્ હિજ્જહ) ના દિવસે એહરામ બાંધ્યા પછી ઝવાલ પહેલા અથવા પછી મિના જવું સુન્નત છે અને જમરહ ઉકબા પર કાંકરીઓ મારતા સુધી ખૂબ જ લબ્બૈક કહેવામાં આવે, હાજીઓ ઝોહર, અસર, મગરિબ, ઈશા અને ફજર મિનામાં જ પઢશે, સુન્નત તરીકો એ છે કે દરેક નમાઝ તેના સમયે ભેગી કર્યા વિના કસર કરી પઢવામાં આવે, પરંતુ મગરિબ અને ફજરમાં કસર કરવામાં નહીં આવે.

આ આદેશમાં મક્કહના રહેવાસીઓ અને અન્ય લોકોમાં કોઈ અંતર નથી, એટલા માટે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મક્કહના રહેવાસી અને તે દરેક લોકોને મિના, અરફહ અને મુઝ્દલિફહમાં નમાઝ કસર કરી પઢાવી હતી, અને મક્કહના રહેવાસીઓને સંપૂર્ણ નમાઝ પઢવાનો આદેશ આપ્યો ન હતો, જો આ જરૂરી હોત તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેને વર્ણન કરી દેતા.

ફરી અરફહના દિવસે સૂરજ નીકળ્યા પછી, હજ કરનાર મિનાથી અરફહ તરફ પ્રસ્થાન કરે, અને સુન્નત તરીકો એ છે કે ઝવાલ (સુર્ય ઢળ્યા) સુધી નિમરહ નામની જગ્યાએ રોકાઈ, જો સંભવ હોય તો, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે જ કર્યું હતું.

જ્યારે સુર્ય ઢળી જાય તો સુન્નત એ છે કે ઈમામ અથવા તેનો નાયબ લોકોને એવો ખુતબો (પ્રવચન) આપે, જે પરિસ્થિતિ પ્રમાણે હોય, જેમાં હજના દિવસ અને ત્યાર પછીના કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવે, તેમને અલ્લાહનો તકવો અને તેની તૌહીદ પર અડગ રહેવા અને દરેક કાર્ય ફક્ત તેના માટે જ નિખાલસ થઈ કરવાનો આદેશ આપવામાં આવે, તેમને અલ્લાહએ રોકેલ કરેલ કાર્યોથી સચેત રહેવાનું કહેવામાં આવે, અલ્લાહની કિતાબ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતને મજબૂતી સાથે પકડી રાખવાની વસિયત કરવામાં આવે, અને પોતાના દરેક કાર્યોમાં અલ્લાહની કિતાબ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીષને નિર્ણાયક બનાવવાની પ્રેરણા આપવામાં આવે, જેથી દરેક કાર્યોમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ થાય, ખુતબા પછી ઝોહર અને અસર બંને એકસાથે પહેલા સમયમાં એક અઝાન અને બે ઇકામત સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણ મુજબ કસર કરી એકસાથે પઢે, આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે.

ત્યાર પછી લોકો અરફહમાં રોકાણ કરશે, ઉરનહ નામની જગ્યા સિવાય સંપૂર્ણ અરફહ રોકાણ કરવાની જગ્યા છે, જો શકય હોય તો મુસ્તહબ છે કે લોકો કાબા અથવા રહમત પર્વત તરફ મોઢું કરી ઊભા થઈ જાય, પરંતુ જો બંને તરફ મોઢું કરવું અશક્ય હોય તો ફક્ત કિબલા તરફ મોઢું કરવું પૂરતું છે, ભલે ને રહમત પર્વત તરફ મોઢું કરવામાં ન આવે, અરફહમાં રોકાણ દરમિયાન હાજીઓ માટે મુસ્તહબ છે કે તેઓ અલ્લાહનો વધુમાં વધુ ઝિક્ર કરે અને તેની પાસે દુઆઓ માંગે, આજીજી અને વિનમ્રતા અપનાવે, દુઆ કરતી વખતે પોતાના હાથ ઉઠાવે, અને જો તલ્બિ યહ પઢે અથવા કુરઆનનો થોડો ભાગ પઢે, તો પણ સારું છે, સુન્નત એ છે આ સમયે આ દુઆ ખૂબ પઢે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), એટલા માટે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સૌથી શ્રેષ્ઠ દુઆ અરફહના દિવસ ની દુઆ છે, અને સૌથી શ્રેષ્ઠ કલિમહ જે મેં અને મારા પહેલાનાં નબીઓએ કહ્યો તે આ છે: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેનાં માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે ([૭૪])», એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સહીહ હદીષથી સાબિત છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ શબ્દો આ ચાર શબ્દો છે: "સુબ્હાનલ્લાહ (અલ્લાહ પવિત્ર છે)", "વલ્ હમ્દુ લિલ્લાહ (દરેક પ્રકારના વખાણ અલ્લાહ માટે જ છે)", "વલા ઇલાહ ઇલ્લલ્લાહ (અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી), "વલ્લાહુ અકબર (અલ્લાહ સૌથી મોટો છે)" ([૭૫])». [૫૪] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: (૩૫૮૫). [૫૫] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૧૩૭).

આ દુઆને આજીજી અને વિનમ્રતા અને દિલની હાજરી સાથે વારંવાર પઢે, એવી જ રીતે શરીઅતમાં જે અન્ય અઝ્કાર અને દુઆઓ જે અન્ય સમય માટે આવેલા છે, તેને પણ વધુમાં વધુ પઢે, ખાસ કરીને આ દિવસે અને આ સમયે વધુ પઢવું જોઈએ, વ્યાપક ઝિક્ર અને દુઆઓને પસંદ કરવા જોઈએ, જેમકે:

* "સુબહાનલ્લાહિ વ બિહમ્દિહ, સુબહાનલ્લાહિલ્ અઝીમ" (અલ્લાહ પવિત્ર છે અને પ્રસંશા તેના માટે જ છે, અલ્લાહ મહાન અને પવિત્ર છે), {"લા ઇલાહ ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની કુન્તુ મિનઝ્ ઝોલિમીન". (અર્થ: અલ્લાહ તારા સિવાય કોઈ ઇલાહ નથી, તું પવિત્ર છે, ખરેખર હું અત્યાચારી લોકો માંથી બની ગયો)} ([૭૬]) [અલ્ અન્બિયા: ૮૭].

* "લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વલા નઅબુદુ ઇલ્લા ઇય્યાહુ, લહુન્ નિઅમતુ વલહુલ્ ફઝલુ, વલહુસ્ ષનાઉલ્ હસન, લા ઇલાહ ઇલ્લલ્લાહુ મુખ્લિસીન લહુદ્ દીન વલવ કરિહલ્ કાફિરૂન" (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ફક્ત તેની જ બંદગી કરીએ છીએ, સંપૂર્ણ નેઅમતોનો માલિક તે જ છે, સંપૂર્ણ કૃપા તેના માટે જ છે, દરેક સારા વખાણને લાયક તે જ છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ખાલીસ તેની જ બંદગી કરવાવાળા છે, ભલેને કાફિર નાપસંદ કરે).

«લા હવ્‌લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ» (અલ્લાહની તૌફીક અને મદદ વગર ન તો ગુનાહથી બચવાની ક્ષમતા છે અને ન તો નેકી કરવાની ક્ષમતા) ([૭૭]). [૫૬] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ ઈબ્ને ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે, હદીષ નંબર: (૫૯૪).

{"રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર! અમને દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે} ([૭૮]) [અલ્ બકરહ: ૨૦૧].

«"અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" અર્થ: હે અલ્લાહ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે, તું મારી દુનિયા પણ સુધારી દે, જેમાં મારી રોજી છે, તું મારી આખિરતને સુધારી દે, જ્યાં મારે પાછા ફરવાનું છે, તું મારા જીવનને દરેક ભલાઈ અને નેકીમાં વધારાનું કારણ બનાવી દે, અને મૃત્યુને દરેક બુરાઈથી બચાવી રાહત માટેનો સ્ત્રોત બનાવી દે ([૭૯])». [૫૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૨૭૨૦).

"અઊઝુબિલ્લાહિ મિન્ જહ્દિલ્ બલાઇ, વ દરકિશ્ શકાઇ, વ સૂઈલ્ કઝાઇ, વ શમાતતિલ્ અઅદાઅ" (અર્થ: હે અલ્લાહ! હું સખત મુસીબતથી, આફતોના ઘેરી લેવાથી, ખરાબ તકદીરથી અને દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું) ([૮૦]). [૫૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૬૩૪૭).

"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ હમ્મિ વલ્ હુઝ્નિ વ અઊઝુ બિક મિનલ્ અજ્ઝિ વલ્ કસલિ, વ અઊઝુ બિક મિનલ્ જુબ્નિ વલ્ બુખ્લિ, વમિનલ્ મઅષમિ વલ્ મગ્રમ, વ અઊઝુ બિક મિન્ ગલબતિદ્ દૈનિ વકહરિર્ રિજાલિ" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે દુ:ખ અને ચિંતાથી શરણ માંગુ છું, હે અલ્લાહ! હું લાચારી, આળસ, કાયરતા, કંજુસાઈથી તારી પનાહ માગું છું અને કંજુસાઇ થી તેમજ દેવામાં ફસાઈ જવાથી અને લોકો ના મારા પર હાવી થઈ જવાથી તારી પનાહ માંગુ છું) ([૮૧]). [૫૯] આ જ શબ્દો દ્વારા ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ અબૂ ઉમામહ અન્સારી દ્વારા વર્ણન કરી છે, પરંતુ આ શબ્દો: ("વમિનલ્ મઅષમિ વલ્ મગ્રમ્" અર્થ: પાપ અને દેવું) વર્ણન કર્યા નથી, નંબર: (૧૫૫૪).

અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ બરસિ, વલ્ જુનૂનિ, વલ્ જુઝામિ, વ મિન્ સય્યિઇલ્ અસ્કામિ" (અર્થ: હે અલ્લાહ! હું કોઢી, પાગલપણું, જુઝામ અને દરેક પ્રકારની મોટી મોટી બીમારીઓથી તારી પનાહ માગું છું) ([૮૨]). [૬૦] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ અનસ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૧૫૫૪).

* "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફ્વ વલ્ આફિયહ્ ફીદ્ દુનિયા વલ્ આખિરતિ" (અર્થ: હે અલ્લાહ! હું દુનિયા અને આખિરતમા તારી પાસે માફી અને સ્વાસ્થ્યનો સવાલ કરું છું).

* "અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફ્વ વલ્ આફિયહ્ ફી દીની વ દુનિયાય વ અહલી વ માલી" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે પોતાના ધર્મ, સંસાર, પરિવાર અને સંપત્તિમાં માફી અને આફિયતનો સવાલ કરું છું).

"અલ્લાહુમ્મસ્ તુર અવરતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્નિ યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", (અર્થ: (હે અલ્લાહ! તું મારી પડદા વાળી જગ્યા પર પડદો કરી દે, અથવા ગુનાહ ઢાંકી દે, અને મારા ભયથી સુરક્ષિત રાખ, હે અલ્લાહ! તું મારી સુરક્ષા કર, મારી સામેથી, મારી પાછળથી, મારી જમણી બાજુથી, મારી ડાબી બાજુથી, મારી ઉપરથી, અને એ વાતથી હું તારી ભવ્ય મહાનતાના શરણમાં આવું છું કે હું નીચેથી નષ્ટ થઈ જઉં) ([૮૩]). [૬૧] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા વર્ણન કરી છે, નંબર: (૫૦૭૪).

"અલ્લાહુમ્મગ્‌-ફિર્-લી જિદ્-દી, વ હઝ્-લી, વ ખતઇ, વ અમ્-દી, વ કુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્‌-ફિર્-લી મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, વમા અન્ત અઅલમ્ બિહિ મિન્ની, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" (અર્થ: હે અલ્લાહ! મારા ગંભીરતાથી, મજાકથી, ભૂલથી અને જાણી જોઈને કરેલ પાપને માફ કરી દે અને આ દરેક વસ્તુ મારા દ્વારા જ થયું છે, હે અલ્લાહ! જે કઈ મેં પહેલા કર્યું જે કઈ મેં પછી કર્યું, જે મે છૂપી રીતે કર્યું હોય અથવા જે જાહેર રૂપે કર્યું હોય અને જે કઈ તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે) ([૮૪]). [૬૨] સહીહ મુસ્લમમાં વર્ણન થયેલ હદીષ જેને અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરવામાં આવી છે, તેનો ભાગ, નંબર: (૨૭૧૯).

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકષ્ ષબાત ફિલ્ અમ્રિ વલ્ અઝીમતિ અલર્ રુશ્દિ, વઅસ્અલુક નિઅમતક વહુસ્નિ ઈબાદતિક, વઅસ્અલુક કલ્બન સલિમન્ વ લિસાનન્ સાદિકન્, વઅસ્અલુક્ મિન્ ખૈરિ મા તઅલમ્, વઅઊઝુબિક મિન્ શર્રિ મા તઅલમ, વઅસ્તગ્ફિરુક લમ્મા તઅલમ, ઇન્નક અલ્લામુલ્ ગુયૂબ્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે કાર્યોમાં સ્થિરતા અને સત્ય માર્ગ પર ચાલવાની શક્તિનો સવાલ કરું છું, તારી આપેલ નેઅમતોનો આભાર વ્યક્ત કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવાની શક્તિનો સવાલ કરું છું, હું તારી પાસે પવિત્ર દિલ અને સાચી જબાનનો સવાલ કરું છું, અને હું તારી પાસે તે દરેક ભલાઈનો સવાલ કરું છું, જેને તું જાણે છે, અને તે દરેક બુરાઈથી તારી પનાહમાં આવું છું, જેને તું જાણે છે, અને હું તારી પાસે તે દરેક ગુનાહની માફી માંગુ છું, જેને તું જાણે છે, ખરેખર તું ગૈબ જાણવવાળો છે) ([૮૫]). [૬૩] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ શદ્દાદ બિન્ ઔસ રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા રિવાયત કરી છે, હદીષ નંબર: (૩૪૦૭).

"અલ્લાહુમ્મ રબ્બિન્ નબ્બિયી મુહમ્મદિન્ અલૈહિસ્ સલાતુ વસ્ સલામ, ઇગ્ફિર્લિ ઝન્બી, વઝ્હબ ગૈઝ કલ્બી વઅજિર્ની મિન્ મુઝિલ્લાતિલ્ ફિતનિ મા અહયયતના" (અર્થ: હે અલ્લાહ! પયગંબર મુહમ્મદ તેમના પર દરૂદ અને સલામતીના પાલનહાર! તું મારા ગુનાહોને માફ કરી દે, મારા દિલની કઠિનતાને દૂર કરી દે, મને ફિતનાની પથભ્રષ્ટતાથી બચાવી લે) ([૮૬]). [૬૪] આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ સલમા રઝી અલ્લાહુ અન્હા દ્વારા વર્ણન કરી છે, (ભાગ: ૬/૩૦૧).

"અલ્લાહુમ્મ રબ્બસ્ સમાવાતિસ્ વ રબ્બલ્ અર્-ઝિ, વ રબ્બલ્ અર્-શિલ્ અઝીમિ, રબ્બના વ રબ્બ કુલ્લિ શયઇન્, ફાલિકુલ્ હબ્બિ વન્-નવા, વ મુન્-ઝિલુત્ તૌરાત વલ્ ઇન્જિલ, વલ્ ફુરકાન, અઊઝુ બિક લિમન્ શર્રિ કુલ્લિ શૈઇન્ અન્ત આખિઝુન્ બિનાસિયતિહી, અલ્લાહુમ્મ અન્તલ્ અવ્વલુ, ફલય્સ કબ્-લક શૈઉન્, વ અન્તલ્ આખિરુ ફલય્સ બઅદક શૈઉન્, વ અન્તઝ્ ઝોહિરુ ફલય્સ ફવ્કક શૈઉન્, વ અન્તલ્ બાતિનુ ફલય્સ દૂનક શૈઉન્, અક્ઝિ અન્-નદ્- દય્ન, વ અગ્-નિના મિનલ્ ફક્-રિ" (અર્થ: હે આકાશોના માલિક, હે જમીનના માલિક અને ઉંચ્ચ અર્શના માલિક, હે અમારા પાલનહાર! દરેક વસ્તુનો માલિક, અને હે દાણાને ફાડી વૃક્ષ ઉગાડનાર અને તૌરાત, ઈન્જિલ તેમજ કુરઆન ઉતારનાર, હું દરેક વસ્તુની બુરાઈથી તારી પનાહ માગું છું, જેના પર તું સપૂર્ણ અધિકાર ધરાવે છે, તું સૌથી પહેલા છે અને તારા કરતા પહેલા કોઈ નથી, તું સૌથી છેલ્લો છે, તારા પછી કોઈ નથી, (અર્થાત્ શરૂ થી લઇ છેલ્લે સુધી તું જ છે) તું જાહેર છે અને તારા ઉપર કોઈ વસ્તુ નથી, તું (લોકોની નઝરોથી છુપાયેલો છે) પરંતુ તારાથી વંચિત કોઈ વસ્તુ નથી, અમારું દેવું ચૂકવી દે અને અમારી લાચારી દુર કરી દે) ([૮૭]). [૬૫] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૨૭૧૩).

"અલ્લહુમ્મ આતિ નફ્સી તકવાહા, વ ઝક્કિહા અન્ત ખય્રુ મન્ ઝક્કાહા, અન્ત વલિય્યુહા વ મવ્લાહા, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિનલ્ અજ્ઝિ, વલ્ કસલિ, વ અઊઝુ બિક મિનલ્ જુબ્નિ વલ્ હરમિ વલ્ બુખ્લિ, વ અઊઝુ બિક મિન્ અઝાબિલ્ કબ્રિ"(અર્થ: હે અલ્લાહ! તું મારા નફસમાં તારો તકવો પેદા કરી દે, તેને ગુનાહોથી પાકસાફ કરી દે, તું જ શ્રેષ્ઠ રીતે તેને પાક સાફ કરવાવાળો છે, તું જ તેનો માલિક અને દેખરેખ રાખનાર છે, હે અલ્લાહ! હું લાચારી અને આળસથી, કાયરતા અને વૃદ્ધાવસ્થા સુધી પહોંચવાથી, તેમજ કંજુસાઈથી તારી પનાહ માંગુ છું, અને હું કબરના અઝાબથી તારી પનાહ માંગુ છું) ([૮૮]). [૬૬] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ ઝૈદ બિન્ અરકમ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૭૨૨).

"અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે ([૮૯]). [૬૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા વર્ણન કરી છે, નંબર: (૨૭૧૭).

"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ બિક મિન્ ઇલ્મિન્ લા યન્ફઅ, વ મિન્ કલ્બિન્ લા યખ્શઅ, વ મિન્ નફસિન્ લા તશ્બઅ, વ મિન્ દઅવતિન્ લા યુસ્તજાબુ લહા". (અર્થ: હે અલ્લાહ! હું એવા ઇલ્મથી તારી પનાહ માંગુ છું, જેનાથી મને ફાયદો ન પહોંચે, એવા દિલથી, જેમાં તારો ડર ન હોય, એવા નફસથી જે સંતુષ્ટ ન પામે અને એવી દુઆથી જે કબૂલ ન થાય) ([૯૦]). [૬૮] આ હદીષ ઝૈદ બિન્ અરકમ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરેલ હદીષનો ભાગ છે, જેનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે, હદીષ નંબર: (૨૭૨૨).

"અલ્લાહુમ્મ જન્નિબ્ની મુન્કરાતિલ્ અખ્લાકિ, વલ્ અઅમાલિ, વલ્ અહવાઇ, વલ્ અદ્-વાઈ" (અર્થ: હે અલ્લાહ! તું મને નિંદનીય ચારિત્ર્ય, કાર્યો, મનેચ્છાઓ તેમજ રોગોથી સુરક્ષિત રાખ) ([૯૧]). [૬૯] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ ઝિયાદ બિન્ અલાકહ અને તેમણે તેમના કાકા દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૫૯૧).

"અલ્લાહુમ્મ અલ્હિમ્ની રુશ્દી, વ અઈઝ્ની મિન્ શર્રિ નફ્સી" (અર્થ: હે અલ્લાહ! તું મને ભલાઈની વાતો શીખવાડ અને મારા નફસની બુરાઈથી મને બચાવી લે) ([૯૨]). [૭૦] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ ઇમરાન બિન્ હુસૈન રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૪૮૩).

"અલ્લાહુમ્મક્ ફિની બિહલાલિક અન હરામિક, વઅગ્નિની બિફઝ્લિક અમ્મન સિવાક" (અર્થ: હે અલ્લાહ! મને મારા હલાલ વસ્તુની સાથે પોતાની હરામ કરેલ વસ્તુઓથી પૂરતો થઈ જા અને મને તારી કૃપાથી પોતાના સિવાય બધાથી બે નિયાઝ કરી દે) ([૯૩]). [૭૧] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ અલી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૫૬૩).

"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વત્ તુકા, વલ્ અફાફ વલ્ ગિના" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત, તકવા, પવિત્રતા અને બેનિયાજીનો સવાલ કરું છું) ([૯૪]). [૭૨] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૭૨૧).

"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ હુદા વસ્ સદાદ્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે હિદાયત અને સ્થિરતાનો સવાલ કરું છું) ([૯૫]). [૭૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અલી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૭૨૫).

"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ મા સઅલક અબ્દુક્ વનબિય્યુક, વઅઊઝુ બિક મિન્ શર્રિ મા આઝ બિહિ અબ્દુક્ વનબિય્યુક્, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ જન્નહ્, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅઊઝુ બિક મિનન્ નાર, વમા કર્રબ ઇલૈહા મિન્ કવ્લિન્ વઅમલિન્, વઅસ્અલુક અન્ તજ્અલ કુલ્લ કઝાઇન્ કઝઇતુહુ લી ખૈરન્" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે સંપૂર્ણ ભલાઈ માગું છું, જે મને નજીકમાં અને ભવિષ્યમાં મળશે, જે મને ખબર હોય અને જે મને ખબર ન હોય તે પણ, હે અલ્લાહ! હું તારી પાસે દરેક બુરાઈથી પનાહ માગું છું, જે નજીકમાં આવશે કે ભવિષ્યમાં, જે મને ખબર હોય અથવા જેને હું ન જાણતો હોય, હે અલ્લાહ ! હું તારી પાસે તે ભલાઈ માંગુ છું, જે તારા બંદા અને તારા નબીએ તારી પાસે માંગી હતી, અને હું તે વસ્તુથી પનાહ માગું છું, જેને તારા બંદા અને તારા નબીએ પનાહ માંગી હોય, હે અલ્લાહ! હું તારી પાસે જન્નતનો સવાલ કરું છું, અને તે દરેક વાત તેમજ અમલનો પણ સવાલ કરું છું, જે મને જન્નતથી નજીક કરી દે, અને હું તારી પાસે જહન્નમથી પનાહ માગું છું અને તે દરેક વાત તેમજ અમલથી પણ પનાહ માગું છું, જે મને જહન્નમથી નજીક કરી દે, અને હું તારી પાસે સવાલ કરું છું, તે દરેક નિર્ણય જે તે મારા માટે કર્યો છે, તેને શ્રેષ્ઠ કરી દે) ([૯૬]). [૭૪] આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ આયશા રઝી અલ્લાહુ અન્હા દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૮૪૬).

"લા ઇલાહ ઈલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ, વલહુલ્ હમ્દુ, યુહ્યી વયુમિતુ, વહુવ અલા કુલ્લી શૈઇન કદીર, સુબ્હાનલ્લાહિ વલ્ હમ્દુલિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અક્‌બર, વલા હવ્‌લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ" (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેનાં માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અલ્લાહ પાક છે, અને દરેક વખાણ અલ્લાહ માટે છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને અલ્લાહ સૌથી મોટો છે, અને મોટાઈ અને મહાનતા વાળા અલ્લાહ ની મદદ વગર ન કોઈ વસ્તુથી બચવાની ક્ષમતા છે અને ન તો કઈ કરવાની તાકાત છે) ([૯૭]).. [૭૫] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ ઉબાદહ બિન્ સામિત રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૫૪).

* "અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા સલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્ત અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (અર્થ: હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે પોતાની કૃપા ઉતાર, જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર પર પોતાની કૃપા ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીય છે, હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે બરકતો ઉતાર જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર સંતાન પર બરકતો ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીય છે) ([૯૮]).. [૭૬] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ કઅબ બિન્ ઉજરા રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૩૭૦).

{"રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર! અમને દુનિયામાં ભલાઈ આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે} ([૯૯]) [અલ્ બકરહ: ૨૦૧].

અરફહના મહાન સમયે હાજી માટે જરૂરી છે કે વર્ણવેલ અઝ્કાર અને દુઆઓ અને તે સંદર્ભમાં અન્ય અઝ્કાર અને દુઆઓ પઢે અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વધુમાં વધુ દરૂદ મોકલે, દુઆમાં આગ્રહ કરે અને આજીજી અપનાવે, અને પોતાના પાલનહાર પાસે દુનિયા અને આખિરતની દરેક ભલાઈઓ માંગે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે દુઆઓ કરતાં, તો તેને ત્રણ વખત કહેતા, અર્થાત્: આપણે પણ આપનું અનુસરણ કરવું જોઈએ.

આ અવસર પર મુસલમાનો માટે જરૂરી છે કે તે પોતાના પવિત્ર પાલનહાર પ્રત્યે વિનમ્ર, આજીજી અપનાવી તેની સમક્ષ સમર્પિત અને તેની સામે ઝૂકી જાય, તેની દયા અને માફીની આશા રાખી, તેની સજા અને ક્રોધથી ભયભીત થઈ, આ એક મહાન દિવસ અને મોટી સભા છે, જેમાં અલ્લાહ પોતાના બંદાઓ પ્રત્યે ઉદારતા દર્શાવે છે, પોતાના ફરિશ્તાઓ સમક્ષ તેમના પર ગર્વ કરે છે, અને આ દિવસે ઘણા લોકોને જહન્નમથી મુક્તિ આપે છે, શૈતાનને ક્યારે અરફહના દિવસ કરતાં વધુ નીચ, અપમાનિત અને તુચ્છ જોવામાં આવ્યો નથી, બદરના દિવસ સિવાય; કારણકે શૈતાન જુએ છે કે અલ્લાહ પોતાના બંદાઓ પર દયા કરે છે, તેમના ગુનાહ માફ કરે છે અને તેમને જહન્નમથી મુક્તિ આપે છે.

સહીહ મુસ્લિમમાં આયશ રઝી અલ્લાહુ અન્હા દ્વારા વર્ણિત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અરફાની દિવસ કરતાં કોઈ પણ દિવસે અલ્લાહ પોતાના બંદાઓણે જહન્નમથી વધુ આઝાદ નથી કરતો, તે દિવસે તે પોતાના બંદાઓની નજીક હોય છે, તેમના દ્વારા ફરિશ્તાઓ સમક્ષ ગર્વ કરે છે, અને કહે છે: મારા આ બંદાઓ શું ઈચ્છે છે? ([૧૦૦])». [૭૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ આયશા રઝી અલ્લાહુ અન્હા દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૪૮).

જેથી દરેક મુસલમાન માટે જરૂરી છે કે તેઓ પોતાની તરફથી અલ્લાહને ભલાઈ બતાવે, પોતાના શત્રુ શૈતાનને અપમાનિત કરે અને વધુમાં વધુ ઝિક્ર, દુઆઓ, તૌબા અને દરેક પ્રકારના પાપોને યાદ કરી દુ:ખી થાય, હજ કરનાર આ સ્થાને સૂર્યાસ્ત સુધી ઝિક્ર, દુઆમાં વ્યસ્ત રહે, જ્યારે સુર્ય ડૂબી જાય, તો શાંતિ અને ગંભીરતા સાથે મુઝ્દલિફહ તરફ પ્રસ્થાન કરે, અને વધુમાં વધુ લબ્બૈક પઢે અને ખુલ્લી જગ્યા પર જડપથી ચાલે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે જ કર્યું હતું, સૂરજ ડૂબતાં પહેલા રવાના થવું જાઈઝ નથી; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૂરજ ડૂબતાં સુધી ત્યાં જ રોકાઈ રહ્યા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે મારી પાસેથી હજના કાર્યો શીખી લો ([૧૦૧]) ». «તમે મારી પાસેથી હજના કાર્યો શીખી લો» [૭૮]. [૭૮] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

જ્યારે મુઝ્દલિફહ પહોંચી જાય તો ત્યાં મગરિબની ત્રણ રકઅત અને ઈશાની બે રકઅત બંનેને ભેગી કરી પઢે, એક અઝાન અને બે ઈકામત સાથે, ત્યાં પહોંચી તરત જ પઢવામાં આવે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે જ કર્યું હતું, મુઝ્દલિફહમાં મગરિબના સમયે પહોંચે અથવા ઈશાના સમયે, નમાઝ આ પ્રમાણે જ પઢે.

જે લોકો મુઝ્દલિફહ પહોંચ્યા પછી નમાઝ પહેલા કાંકરીઓ એકઠી કરવા લાગે છે અને સમજે છે કે આજ સુન્નત તરીકો છે, તો આ પ્રમાણે કરવું ખોટું છે, તેનો કોઈ સચોટ પુરાવો નથી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મશઅરથી પરત આવ્યા પછી કાંકરીઓ શોધવાનો આદેશ આપ્યો, જે જગ્યાએથી કાંકરીઓ શોધી લેવામાં આવે પૂરતું છે, મુઝ્દલિફહમાં કાંકરીઓ શોધવાને ખાસ કરવામાં ન આવે, પરંતુ મિના માંથી પણ શોધવી જાઈઝ છે, આજ ના દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતાં ફક્ત જમરહ ઉકબાને મારવા માટે સાત કાંકરીઓ શોધવી સુન્નત છે, બાકીના ત્રણ દિવસોમાં મિનાથી દરરોજ એકવીસ કાંકરીઓ એકઠી કરી ત્રણેય જમરાતને મારવામાં આવે.

કાંકરીઓને ધોવી યોગ્ય નથી, તેને ધોયા વગર જ મારવામાં આવે; કારણકે કાંકરીઓને ધોવી ન તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે ન તો આપના સહાબા દ્વારા, હા, તે કાંકરીઓ ન મારવી જોઈએ જે પહેલા મારવામાં આવી હોય.

હાજીએ આજની રાત મુઝ્દલિફહમાં જ પસાર કરવી જોઈએ, જો કમજોર લોકો જેમકે સ્ત્રીઓ અને બાળકોને રાતના અંતમાં મિના તરફ મોકલી દેવામાં આવે, તો આયશા અને ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હુમહાની હદીષ મુજબ આ પ્રમાણે કરવું જાઈઝ છે. પરંતુ તેમના સિવાય અન્ય હાજીઓ માટે જરૂરી છે કે તેઓ ફજરની નમાઝ સુધી મુઝ્દલિફહમાં જ રોકાઈ રહે, ફજરની નમાઝ પછી કિબલા તરફ થઈ મશઅરની સામે ઊભો થઈ જાય અને વધુમાં વધુ અલ્લાહનો ઝિક્ર, તકબીર અને દુઆઓ કરે અહીં સુધી કે અજવાળું થઈ જાય. અહીંયા હાથ ઉઠાવી દુઆ કરવી મુસ્તહબ છે, મશઅરની નજીક જવું અને તેના પર ચઢવું જરૂરી નથી, પરંતુ જ્યાં પણ ઊભો થઈ જાય પૂરતું છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મેં અહીંયા -અર્થાત્ મશ્અરે હરામ પર- રોકાણ કર્યું, અને સંપૂર્ણ મુઝ્દલિફહ રોકાણ કરવાની જગ્યા છે ([૧૦૨])». આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ પોતાની સહીહમાં વર્ણન કરી છે, અને આ હદીષમાં વર્ણન થયેલ શબ્દ "જમઅ" નો અર્થ: મુઝ્દલિફહ છે. [૭૯] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૧૨૧૮).

જ્યારે સંપૂર્ણ અજવાળું થઈ જાય, તો સૂર્યોદય પહેલા મિના તરફ પ્રસ્થાન કરે, અને ચાલતા ચાલતા ખૂબ જ લબ્બૈક કહે, જ્યારે મુહસ્સિરની વાદી આવી જાય તો ત્યાં થોડું જડપથી ચાલે.

મિના પહોંચી જમરહ ઉકબા પાસે લબ્બૈક કહેવાનું બંધ કરી દે, ત્યાં પહોંચી તે જમરહને સતત સાત કાંકરીઓ મારે, દરેક કાંકરી મારતી વખતે હાથ ઉઠાવે અને અલ્લાહુ અકબર કહે, તેના માટે યોગ્ય એ છે કે કાંકરીઓ મારતી વખતે કાબાને પોતાની ડાબી બાજુ અને મિનાને જમણી બાજુ કરી વાદી (ખીણ) ની અંદરથી કાંકરીઓ મારે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે જ કર્યું હતું, જો બીજી બાજુથી પણ મારવામાં આવે અને કાંકરી યોગ્ય જગ્યાએ પડે તો પણ પૂરતું થઈ જશે, કાંકરીનું તે જગ્યાએ બાકી રહેવું જરૂરી નથી, પરંતુ શરત એ છે કે તેમાં પડે, અને જો વાગીને નીકળી જાય તો આલિમોના વિખ્યાત મંતવ્ય પ્રમાણે પૂરતું છે, તેની સ્પષ્ટતા ઈમામ નવવી રહિમહુલ્લાહએ પણ (શર્હુલ્ મુહઝ્ઝબ) માં કરી છે, જમરાત માટે કાંકરી અંગૂઠા અને તર્જની વચ્ચે પકડીને ફેંકવામાં આવે, અને તે કાંકરીઓ ચણાના દાણા બરાબર અથવા તેનાથી સહેજ મોટી હોવી જોઈએ.

કાંકરીઓ માર્યા પછી કુરબાનીનું જાનવર ઝબેહ કરે અને ઝબેહ કરતી વખતે આ દુઆ પઢે: «"બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર, અલ્લાહુમ્મ હાઝા મિન્ક વ લક" (અર્થ: અલ્લાહના નામથી, અલ્લાહ સૌથી મોટો છે, આ કુરબાની તારા તરફથી અને તારા માટે જ છે)», અને જાનવરને કિબલા તરફ રાખવું જોઈએ, અને ઊંટ ઝબેહ કરતી વખતે સુન્નત તરીકો એ છે કે તે ઊભું હોય અને તેનો આગળનો ડાબો પગ બાંધેલો હોય, ગાય અને બકરીને ડાબી બાજુથી ઝબેહ કરવામાં આવે, જો કિબલા તરફ મોઢું કરી ઝબેહ કરવામાં ન આવે તો સુન્નત છૂટી જશે, પરંતુ ઝબેહ કરેલ જાનવર હલાલ થઈ જશે; કારણકે ઝબેહ કરતી વખતે કિબલા તરફ મોઢું કરવું સુન્નત છે, વાજિબ (અનિવાર્ય) નથી, પોતાની કુરબાનીના જાનવર માંથી પોતે પણ ખાવું, ભેટ આપવું અને સદકો કરવો મુસ્તહબ છે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {બસ! તમે પોતે પણ ખાઓ અને ભુખ્યા ફકીરોને પણ ખવડાવો} ([૧૦૩]) [અલ્ હજ્જ: ૨૮], આલિમોના સાચા મંતવ્ય પ્રમાણે કુરબાનીનો સમય તશરીકના ત્રીજા દિવસે સૂર્યાસ્ત સુધી છે, જેથી કુરબાનીના ચાર દિવસ થયા, દસ ઝિલ્ હિજ્જહ અને તેના પછીના ત્રણ દિવસ.

જાનવર નહર અથવા ઝબેહ કર્યા પછી હાજી પોતાના વાળ મુંડન કરવી લે અથવા વાળ નાના કરાવે, પરંતુ મુંડન કરાવવું શ્રેષ્ઠ છે, એટલા માટે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હલક (મુંડન) કરનારા માટે રહમત અને માફીની દુઆ ત્રણ વખત કરી છે, અને વાળ નાના કરાવનાર માટે એક વખત, માથાના થોડાક ભાગના વાળ કપાવવા પૂરતા નથી, પરંતુ મુંડનની માફક સંપૂર્ણ માથાના વાળ નાના કરાવવામાં આવે, અને સ્ત્રી માટે આંગળીના ટેરવાં જેટલા અથવા તેનાથી પણ નાના વાળ પોતાની ચોટલી માંથી કાપી લે.

જમરહ ઉકબાને કાંકરીઓ માર્યા પછી અને વાળ મુંડન કરાવ્યા પછી એહરામ બાંધનાર વ્યક્તિ માટે સ્ત્રી સિવાય દરેક વસ્તુ હલાલ થઈ જશે, જે એહરામના કારણે તેના માટે અવૈધ હતી, આ હલાલને તહલ્લુલે અવ્વલ કહે છે, આ હલાલ થયા પછી હાજી માટે સુગંધ લગાવવી અને મક્કહ જઈ તવાફ કરવો જાઈઝ છે, આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: «હું અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એહરામ બાંધતા પહેલા, એવી જ રીતે બૈતુલ્લાહના તવાફે ઝિયારત પહેલા હલાલ થવા માટે (અર્થાત નાના હલાલ થયા પછી અને મોટા હલાલ પહેલા) સુગંધ લગાવતી હતી ([૧૦૪])». આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૮૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૩૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૮૯).

આ તવાફને તવાફે ઈફાઝા અને તવાફે ઝિયારત કહેવામાં આવે છે, જે હજના અરકાન (સ્તંભો) માંથી એક છે, તેના વગર હજ પૂર્ણ નહીં થાય અને આજ તે તવાફ છે જેના વિષે આ આયતમાં અલ્લાહએ કહ્યું: {પછી (હજ કરવાવાળા) લોકોએ પોતાની ગંદકી દૂર કરવી જોઈએ અને પોતાની નજરોને પૂરી કરે અને અલ્લાહના જૂના ઘરનો તવાફ કરે} [અલ્ હજ્જ: ૨૯].

ફરી તવાફ અને મકામે ઈબ્રાહીમની પાછળ બે રકઅત નમાઝ પઢયા પછી, જો તે હજ્જે તમત્તુઅ કરનાર હોય, તો તે સફા અને મરવહ વચ્ચે સઈ કરશે, આ સઈ હજ માટે છે અને પહેલી સઈ ઉમરહ માટે હતી.

આલિમોના સાચા મંતવ્ય પ્રમાણે આયશા રઝી અલ્લાહુ અન્હાની હદીષ મુજબ હજ્જે તમત્તુઅ કરનાર માટે એક સઈ પૂરતી નથી, આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: «અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હજ માટે નીકળ્યા» ફરી તેમણે સંપૂર્ણ હદીષ વર્ણન કરી જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ પોતાની સાથે કુરબાનીનું જાનવર લઈને આવ્યો હોય, તે ઉમરહ સાથે હજનો પણ એહરામ બાંધે, ફરી ત્યાં સુધી હલાલ ન્ થાય જ્યાં સુધી તે બંને (હજ અને ઉમરહ) થી હલાલ ન થઈ જાય»... આગળ કહ્યું: «જે લોકોએ ઉમરહ માટે એહરામ બાંધ્યો, તેઓ કાબાનો તવાફ કર્યો, સફા અને મરવહની સઈ કરી હલાલ થઈ જાય, ફરી જ્યારે મિનાથી પરત આવે, તો હજ માટે ફરીવાર એહરામ બાંધે([૧૦૬])» આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૮૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૫૬), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૧).

આયશા રઝી અલ્લાહુ અન્હાનું કહેવું કે જે લોકોએ ઉમરહ માટે એહરામ બાંધ્યો હતો હજ પછી મિનાથી પરત જઇ તેમણે બીજી વાર તવાફ કર્યો, તો તે તવાફનો અર્થ સફા અને મરવહની સઈ છે, જે આ હદીષની સમજૂતીમાં સૌથી સત્ય વાત છે, જે લોકો કહે છે કે તેના દ્વારા આયશા રઝી અલ્લાહુ અન્હાનો તાત્પર્ય તવાફે ઇફાઝા છે, તો તેમની વાત માન્ય નથી, એટલા માટે કે તવાફે ઇફાઝા તો દરેક માટે રૂકન છે, જેને દરેક લોકોએ કર્યું, આ તવાફનો અર્થ તે તવાફ છે, જે હજ્જે તમત્તુઅ કરનાર હાજી માટે ખાસ છે, અર્થાત્ સફા અને મરવહની બીજી વખત સઈ જે હજને પૂર્ણ કર્યા પછી મિનાથી પરત થઈ કરવામાં આવે છે, અલ્લાહનો શુક્ર છે કે મુદ્દો ખૂબ જ સ્પષ્ટ છે અને ઘણા આલિમોનો આજ મંતવ્ય છે.

આ વાતની પુષ્ટિ માટે અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ પણ છે ને જેને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, કે જ્યારે તેમને હજ્જે તમત્તુઅ વિષે પૂછમાં આવ્યું, તો તેમણે કહ્યું: «મુહાજિરો, અન્સારી સહાબાઓએ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર પત્નીઓએ હજ્જતુલ વિદાઈના સમયે એહરામ બાંધ્યો, અને અમે પણ એહરામ બાંધ્યો, જ્યારે અમે મકકહ આવ્યા તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: પોતાના હજ અને એહરામને ઉમરહનો પણ એહરામ બનાવી લો, તે લોકો સિવાય જેમની પાસે કુરબાનીનું જાનવર ન હોય, જેથી અમે બૈતુલ્લાહ અને સફા, મરવહનો તવાફ કર્યો, પોતાની સ્ત્રીઓ પાસે પણ આવ્યા અને (સીવેલા) કપડાં પહેરી લીધા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જેમની પાસે જાનવર ન હતું, તેમને કહ્યું: જે લોકો કુરબાનીનું જાનવર લઈને આવ્યા છે તે આમ કરે કારણકે તેઓ ત્યાં સુધી હલાલ નથી થઈ શકતા જ્યાં સુધી કે તે જાનવર તેના સ્થાને ન પહોંચી જાય (અર્થાત્ તેને ઝબેહ કરવામાં આવે), ફરી ઝિલ્ હિજ્જહની આઠમી તારીખે અમને આદેશ આપ્યો કે અમે હજ માટે એહરામ બાંધી લઇએ, જ્યારે અમે હજના દરેક કાર્યો પૂર્ણ કરી ચૂક્યો, તો અમે મકકહ આવ્યા અને બૈતુલ્લાનો અને સફા, મરવહનો તવાફ કર્યો ([૧૦૭])». આ સ્પષ્ટતાથી આપણો હેતુ પૂર્ણ થયો, તે એ કે હજ્જે તમત્તુઅ કરનાર માટે બે વાર સઈ કરવાનો ઉલ્લેખ છે, અને અલ્લાહ જ વધુ જાણે છે. [૮૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૭૨).

તે હદીષ જે ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે: «અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સાથીઓએ સફા અને મરવહ દરમિયાન ફક્ત એક તવાફ કર્યો હતો» ([૧૦૮]). આ તે સહાબા વિષે છે જેઓ પોતાની સાથે કુરબાનીનું જાનવર લઈને આવ્યા હતા; કારણકે તેઓ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એહરામમાં જ રહ્યા હતા, અહીં સુધી કે તેઓ હજ અને ઉમરહ પૂર્ણ કરી હલાલ થઈ ગયા, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પણ હજ અને ઉમરહનો જ એહરામ બાંધ્યો હતો, અને જે લોકો કુરબાનીનું જાનવર લઈને આવ્યા હતા, તેમને આદેશ આપ્યો કે જ્યાં સુધી તેઓ હજ અને ઉમરહથી ફારીગ ન થાય ત્યાં સુધી હલાલ ન થાય; અને હજ અને ઉમરહ બંનેને એકસાથે કરનાર (કારિન) માટે એક જ સઈ કરવી છે, જેમકે જાબિર રઝી અલ્લાહુ અન્હુની હદીષ અને અન્ય બીજી સાચી હદીષો દ્વારા જાણવા મળે છે. [૮૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૫).

એવી જ રીતે જે વ્યક્તિએ ફક્ત હજ માટે એહરામ બાંધ્યો અને કુરબાનીના દિવસ સુધી પોતાના એહરામમાં બાકી રહ્યો, તેના માટે પણ એક જ સઈ છે, બસ જ્યારે કિરાન અને હજ્જે ઈફરાદ કરનાર તવાફે કુદૂમ પછી સઈ કરી લે તો તવાફે ઇફાઝા પછીની સઈ માટે પૂરતી થઈ જશે, આ જ આયશા, ઈબ્ને અબ્બાસ અને જાબિર રઝી અલ્લાહુ અન્હુમની હદીષો એકઠી કરી એકરૂપતા આપી શકે છે, જેના દ્વારા વિરોધ પણ દૂર થાય છે અને દરેક હદીષ પર અમલ પણ થાય જાય છે.

આ એકરૂપતાની સમજૂતીની પુષ્ટિ આ રીતે પણ થાય છે કે આયશા અને ઈબ્ને અબ્બાસની હદીષો સાચી છે જે હજ્જે તમત્તુઅ (જે હજ અને ઉમરહ બંને માટે અલગ અલગ એહરામ બાંધે છે) માટે બીજી સઈ કરવાને સાબિત કરે છે, જ્યારે કે જાબિર રઝી અલ્લાહુ અન્હુની હદીષનો જાહેર અર્થ આ વાતને નકારે છે, અને ઇલ્મે ઉસૂલ (વિજ્ઞાનના નિયમો) અને મુસ્તલહુલ્ હદીષ (હદીષની પરિભાષા) પ્રમાણે સકારાત્મકને નકારાત્મક પર પ્રાથમિકતા આપવામાં આવે છે, પવિત્ર અને મહાન અલ્લાહ જ સત્યનું માર્ગદર્શન આપનાર છે, "લા હવ્‌લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ્" અલ્લાહની તૌફીક અને મદદ વગર ન તો પાપથી બચવાની ક્ષમતા છે ન તો નેકી કરવાની શક્તિ છે.

વિભાગ

હાજીઓ માટે કુરબાનીના દિવસે શ્રેષ્ઠ કાર્યોનું વર્ણન

હાજી માટે શ્રેષ્ઠ છે કે આ ચારેય કાર્યોને કુરબાનીના દિવસે એક પછી એક કરે, અર્થાત્ પહેલા જમરહ ઉકબા પર કાંકરીઓ મારે, ફરી કુરબાની કરે, ફરી મુંડન કરાવે અથવા વાળ કપાવે, ફરી બૈતુલ્લાહનો તવાફ અને હજ્જે તમત્તુઅ કરનાર સઈ કરે, અને હજ્જે કિરાન અને મુફ્રિદ કરનાર પણ જો તવાફે કુદૂમ સાથે સઈ ન કરી હોય, તો તેઓ પણ સઈ કરી લે, આ ચારેય કાર્યોમાંથી કોઈને પણ પ્રાથમિકતા આપવામાં કોઈ વાંધો નથી; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા તેની છૂટનો પુરાવો મળે છે, સઈને તવાફ પહેલા કરવું પણ શામેલ છે; કારણકે તે પણ કુરબાનીના દિવસે કરવામાં આવતા કામો માંથી છે, અને સહાબીની તે વાતમાં પણ સમાવેશ થાય છે કે તે દિવસે જે વસ્તુને આગળ પાછળ કરવા બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કરવામાં આવતો તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક જ જવાબ આપ્યો: «કરો, કોઈ વાંધો નથી ([૧૦૯])», એટલા માટે પણ કે સઇને પહેલા અથવા વિલંબ કરવામાં ભૂલ અને અજાણતા હોઈ શકે છે, એટલા માટે આ પણ "કરી લો, કંઈ વાંધો નથી" ના સામાન્ય આદેશમાં ગણવામાં આવશે; કારણકે તેમાં હાજીઓ માટે સરળતા અને સહુલત છે. [૮૪] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૩), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૦૬).

અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે જ્યારે તેમને તવાફ પહેલા સઈ કરવા બાબતે પૂછવામાં આવ્યું તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેમ કોઈ વાંધો નથી ([૧૧૦])» આ હદીષને ઇમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ ઉસામા બિન્ શરીક રઝી અલ્લાહુ અન્હુ દ્વારા સાચી સનદ સાથે વર્ણન કરી છે, જેથી તેમાં કોઈ શંકા નથી કે તેનો સામાન્યમાં સમાવેશ થાય છે, અને અલ્લાહ જ તૌફીક આપનાર છે. [૮૫] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૦૧૫).

હજ કરનાર માટે સંપૂર્ણ હલાલ થવા માટે ત્રણ કાર્યો કરવા જરૂરી છે, તે નીચે મુજબ છે: જમરહ ઉકબાને કાંકરીઓ મારવી, મુંડન કરાવવું અથવા વાળ કપાવવા, અને સઈ સાથે તવાફે ઇફાઝા, તે લોકો માટે જેમનું ઉપર વર્ણન કરવામાં આવ્યું, જ્યારે આ ત્રણેય કામ કરી લે તો તેના માટે દરેક વસ્તુ હલાલ થઈ જશે, જેમકે સ્ત્રી અને સુગંધ લગાવવી જે એહરામના કારણે હરામ (અવૈધ) હતી, અને જે વ્યક્તિ આ ત્રણ કાર્યો માંથી બે કાર્યો કરે, તો તેના માટે સ્ત્રી સિવાય દરેક વસ્તુ હલાલ થઈ જશે અને તેને તહલ્લુલે અવ્વલ (પ્રથમ હલાલ) કહેવામાં આવે છે.

હાજી માટે ઝમઝમનું પાણી પીવું અને ખૂબ મન ભરી પીવું મુસ્તહબ (યોગ્ય) છે, અને ઝમઝમ પીતી વખતે જેટલી પણ ફાયદાકારક દુઆઓ યાદ હોય કરે, «ઝમઝમનું પાણી જે નિયત સાથે પીવામાં આવે, તે પૂર્ણ થાય છે ([૧૧૧])», જેમકે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સહીહ મુસ્લિમમાં અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઝમઝમના પાણી વિષે કહ્યું: «તે પેટ ભરવાવાળું એક ભોજન છે» ([૧૧૨]). અબૂ દાવૂદમાં વધારો કરવામાં આવ્યો: «અને બીમારી માટે શિફા છે ([૧૧૩])». [૮૬] આ હદીષને ઈમામ ઇબ્ને માજહ રહિમહુલ્લાહએ જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે, હદીષ નંબર: (૩૦૬૨). [૮૮] અર્થાત્: અબૂ દાવૂદ અત્ તિયાલિસી, અને તેમણે આ હદીષનું વર્ણન અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુના ઇસ્લામ લાવવાના કિસ્સાની હદીષમાં જ કર્યું છે. જુઓ: મુસ્નદ અબી દાવૂદ અત્ત તિયાલિસી, હદીષ નંબર: (૪૫૯). [૮૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૪૭૩).

તવાફે ઇફાઝા પછી અને જે લોકો માટે સઈ કરવી અનિવાર્ય છે, તેઓ સઈ કર્યા પછી મિના જાય અને ત્યાં ત્રણ દિવસ અને ત્રણ રાત રોકાઈ અને દરેક દિવસે સૂર્યાસ્ત પછી ત્રણેય જમરાતને કાંકરીઓ મારે અને કાંકરીઓ મારવામાં ક્રમનું ધ્યાન રખે.

પહેલા જમરહ ઉકબાથી કાંકરીઓ મારવા શરૂ કરે, આ તે જમરહ છે જે મસ્જિદે ખીફ પાસે છે, તેને સતત સાત કાંકરીઓ મારવી, અને દરેક કાંકરી સાથે હાથ ઉઠાવે, તેના માટે સુન્નત એ છે જમરાતથી સહેજ આગળ વધી જાય અને તેને પોતાની ડાબી બાજુ કરી લે એ રીતે કે કિબલા તરફ તેનું મોઢું હોય, અને પોતાના બંને હાથ ઉઠાવે અને ખુબ વિનમ્રતા સાથે દુઆ કરે.

ફરી પહેલા જમરહની માફક બીજા જમરહને કાંકરીઓ મારે, સુન્નત તરીકો એ છે કે કાંકરીઓ માર્યા પછી થોડો આગળ વધે અને જમરહને પોતાની ડાબી બાજુ કરી બંને હાથ ઉઠાવી ખુબ દુઆ કરે.

ફરી ત્રીજા જમરહને કાંકરીઓ મારે, પરંતુ ત્યાં ઉભો ન રહે.

ફરી તે તશરીકના દિવસમાં ત્રણેય જમરાતને બીજા દિવસે સૂર્ય ઢળ્યા પછી કાંકરીઓ મારે, જે રીતે પહેલા દિવસે કાંકરીઓ મારી હતી, એવી જ રીતે અને જે પ્રમાણે પહેલા અને બીજા જમરહ પાસે કર્યું હતું તે જ પ્રમાણે બીજા દિવસે કરે; જેથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ થઇ શકે.

તશરીકના પહેલા બે દિવસોમાં જમરાતને કાંકરીઓ મારવી હજના અનિવાર્ય કાર્યો માંથી છે, એવી જ રીતે પહેલી અને બીજી રાત મિનાના પસાર કરવી અનિવાર્ય છે, પાણી પિવડાવનાર અને ચારો આપનાર લોકો સિવાય, અને જે તેમના આદેશ મુજબ હોય, તેમના માટે મિનામાં રાત પસાર કરવી જરૂરી નથી.

પહેલા બે દિવસમાં કાંકરીઓ માર્યા પછી જે વ્યક્તિ મિનાથી જલ્દી જવા ઈચ્છતો હોય, તેના માટે જવું જાઇઝ છે, પરંતુ તેણે સુર્યાસ્ત પહેલા જ નીકળી જવું જોઈએ, પરંતુ જે વિલંબ કરી, ત્રીજી રાત પણ પસાર કરે અને ત્રીજા દિવસે પણ જમરાતને કાંકરીઓ મારે તો શ્રેષ્ઠ છે અને સવાબમાં વધારો છે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને અલ્લાહ તઆલાના નામનું સ્મરણ ગણતરીના દિવસોમાં કરો. (તશ્રીકના દિવસો એટલે કે ઝિલ્ હિજહની ૧૧,૧૨,૧૩, તારીખ) બે દિવસ સ્મરણ કરવાવાળા પર પણ કોઇ વાંધો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઇ ગુનોહ નથી, શરત એ કે તે અલ્લાહથી ડરવાવાળાઓ હોય} ([૧૧૪]) [અલ્ બકરહ: ૨૦૩], વિલંબ કરવું એટલા માટે પણ શ્રેષ્ઠ છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલમએ લોકને જલ્દી પરત ફરવાની અનુમતિ આપી, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલમએ પોતે ઉતાવળ ન કરી, પરંતુ આપ મિનામાં રોકાઈ રહ્યા અને ત્રીજા દિવસે તેરમી ઝિલ્ હીજ્જહના દિવસે સુરજ ઢળ્યા પછી જમરાતને કાંકરીઓ મારી, ફરી ઝોહર પછી પઢી મિનાથી નીકળી ગયા.

અને નાના બાળકો જે પોતે કાંકરીઓ મારી નથી, તેમના બદલામાં તેમના વાલીને અનુમતિ આપવામાં આવી છે કે તેઓ તેમની તરફથી જમરહ ઉકબા અને અન્ય જમરાતને કાંકરીઓ મારે, પરંતુ તેઓ પહેલા તેઓ પોતાના માટે કાંકરીઓ મારે, એવી જ રીતે નાની બાળકી કાંકરા નથી મારી શકતી, તેના માટે પણ તેના વાલીને કાંકરીઓ મારવાની અનુમતિ આપવામાં આવી છે; કારણકે જાબિર રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, તેમણે કહ્યું: «અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હજ કરી, અમારી સાથે સ્ત્રીઓ, બાળકો પણ હતા, અમે બાળકો તરફથી લબ્બૈક પણ કહ્યું અને કાંકરિઓ પણ મારી ([૧૧૫])». આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૮૯] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૨૭).

જે લોકો પોતે કાંકરીઓ નથી મારી શકતા, બીમારી અથવા વૃદ્ધવસ્થાના કારણે અથવા સ્ત્રી પ્રસુતીના કારણે, તે એવા અસક્ષમ લોકો પોતાની તરફથી કોઈને વકીલ બનાવી શકે છે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જ્યાં સધી તમારાથી શક્ય હોઈ ત્યાં સુધી અલ્લાહથી ડરતા રહો} ([૧૧૬]) [અત્ તગાબુન: ૧૬]. આ લોકો જમરાત પાસે લોકોની ભીડ સહન નથી કરી શકતા અને કાંકરીઓ મારવાનો સમય નીકળી જાય અને તેની કઝા કરવી માન્ય નથી, એટલા માટે તેમના માટે જાઈઝ છે કે તેઓ પોતાના માટે વકીલ બનાવી શકે છે, બીજા હજના કાર્યો સિવાય જેને કરવા માટે કોઈને વકીલ બનાવી શકતા નથી, ભલે તેનો હજ નફિલ કેમ ન હોય, એટલા માટે કે જેણે હજ અને ઉમરહ માટે એહરામ બાંધ્યો, તે નફિલ હોય કે અનિવાર્ય, તેના માટે તેને પૂર્ણ કરવું જરૂરી છે; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {હજ અને ઉમરહને અલ્લાહ તઆલા માટે પુરા કરો} ([૧૧૭]) [અલ્ બકરહ: ૧૯૬], તવાફ અને સઈનો સમય સીમિત ન હોવાના કારણે તેમાં આ છૂટ નથી, જો કે કાંકરી મારવાનો સમય સીમિત હોવાના કારણે છૂટ મળે છે.

જ્યાં અરફહમાં ઉભા રહેવા, મઝ્દલિફહ અને મિનામાં રાત પસાર કરવાની વાત છે, તો તેમાં કોઈ શંકા નથી કે તેનો સમય સીમિત છે અને પસાર થઇ જાય છે, પરંતુ આ જગ્યાઓએ અસક્ષમ લોકો પણ ઉપસ્થિત રહેવું સંભવ છે, ભલે ને તે અઘરું કેમ ન હોય, કાંકરીઓ મારવા વિરુદ્ધ, એવી જ રીતે અસક્ષમ લોકો કાંકરી મારવા બાબતે વકીલ બનાવવું સલફે સાલિહીન દ્વારા પણ સાબિત છે, પરંતુ હજના હજના કાર્યોમાં સાબિત નથી.

અને ઈબાદત તૌકીફી (નક્કી કરેલ) છે, કોઈ વ્યક્તિ માટે ઉચિત નથી કે તે કોઈ દલીલ વગર કોઈ કાર્ય યોગ્ય કરે, વકીલ માટે જાઈઝ છે કે પહેલા પોતાની તરફથી કાંકરીઓ મારે, ફરી જેના નાયબ બન્યા હોય તેની તરફથી એક જ જગ્યાએ ઉભો રહી, જરૂરી નથી કે પહેલા ત્રણેય જમરાતને પોતાની તરફથી કાંકરીઓ મારે ફરી જેનો નાયબ બન્યો હોય તેની તરફથી બીજી વાર દરેકને કાંકરી મારે; કારણકે તેના વિરુદ્ધ કોઈ પુરાવો મળતો નથી અને આલિમોના સાચા મંતવ્ય પ્રમાણે આજ સાચી વાત છે, અને તેના વિરુદ્ધ કરવામાં તકલીફ, કષ્ટ પણ છે, જેમકે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને દીન બાબતે તમારા પર કોઈ તંગી નથી રાખી} ([૧૧૮]) [અલ્ હજ્જ: ૭૮]. એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો ([૧૧૯])», કારણકે આ વાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબા દ્વારા વર્ણન નથી કે તેમણે પોતાના બાળકો અને અસક્ષમ લોકો તરફથી ફરી વાર આવી કાંકરી મારી હોય, જો તેઓએ આ પ્રમાણે કર્યું હોત, તો તે આપણને જરૂર જાણવામાં આવતી; કારણકે આ પ્રકારની ઘટનાઓ એવી હોય છે જે લોકોમાં સરળતાથી પ્રસારિત થતી હોય છે, અને અલ્લાહ જ વધુ જાણે છે. [૯૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અનસ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૯).

વિભાગ

હજ્જે તમત્તુઅ અને કિરાન કરનાર પર દમ (જાનવરની કુરબાની) અનિવાર્ય હોવાનું વર્ણન

હાજી જયારે હજ્જે તમત્તુઅ અને હજ્જે કિરાન કરનાર હોય અને તે મસ્જિદે હરમનો રહેવાસી ન હોય, તો તેના માટે એક કુરબાની આપવી અનિવાર્ય છે, અને દમ (રક્ત) ભલે તે એક બકરી હોય અથવા ઊંટ અથવા ગાયનો સાતમો ભાગ અને તેના પર અનિવાર્ય છે કે તે તે જાનવર હલાલ માલ માંથી હોય; કારણકે અલ્લાહ પવિત્ર છે અને પવિત્ર અને પાક વસ્તુઓને જ સ્વીકારે છે.

એવી રીતે મુસલમાનોએ લોકો પાસે સવાલ અને માંગણીઓ કરવાથી બચવું જોઈએ ભલે તે રાજા હોય કે અન્ય કોઈ, જો અલ્લાહએ તેને એટલું ધન આપ્યું હોય કે જેના કારણે તે પોતાની જરુરત પૂરી કરી શકે છે, અને બીજા સમક્ષ હાથ ફેલાવવાથી બચી શકે છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા ઘણી હદીષોમાં માંગવા બાબતે નિંદા અને તેનું ખંડન કરવામાં આવ્યું છે, અને તેને છોડનારની પ્રસંશા કરવામાં આવી છે.

જો હજ્જે તમત્તુઅ અને હજ્જે કિરાન કરનાર કુરબાની આપવામાં અસમર્થ હોય, તો તેમના માટે હજ દરમિયાન ત્રણ દિવસના રોઝા રાખવા જરૂરી છે, અને જયારે તેઓ પોતાના ઘર તરફ ફરે તો સાત દિવસ રોઝા રાખે, જે તે ત્રણ દિવસના રોઝા કુરબાનીના દિવસ પહેલા પણ રાખી શકે છે, અથવા તશરીકના ત્રણ દિવસોમાં પણ રાખી શકે છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {બસ જ્યારે તમે શાંતિની સ્થિતીમાં આવી જાવ તો જે વ્યક્તિ ઉમરહથી લઇ હજ્જ સુધી તમત્તુઅ (હજ્જનો એક પ્રકાર) કરે, બસ! તેને જે કુરબાનીની સહુલત હોય તેને કરી દે, જેને શક્તિ ન હોય તે ત્રણ રોઝા હજ્જના દિવસોમાં રાખી લે અને સાત રોઝા પાછા ફરતી વખતે, આ પુરા દસ રોઝા થઇ ગયા, આ આદેશ તે લોકો માટે છે જે મસ્જિદે હરામના રહેવાસી ન હોય, લોકો! અલ્લાહથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ તઆલા સખત અઝાબ આપનાર છે} ([૧૨૦]) [અલ્ બકરહ: ૧૯૬] સંપૂર્ણ આયત.

સહીહ બુખારીમાં અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: «અય્યામે તશરીકમાં ફક્ત તેને જ રોઝા રાખવાની પરવાનગી આપી, જે પોતાની સાથે કુરબાનીનું જાનવર ન લાવ્યો હોય ([૧૨૧])», આ હદીષ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણન હદીષ પ્રમાણે માનવામાં આવશે, શ્રેષ્ઠ તરીકો એ છે કે આ ત્રણ રોઝા અરફહના દિવસ પહેલા રાખી લેવામાં આવે, જેથી હજ કરનાર વ્યક્તિ અરફહના દિવસે રોઝાની સ્થિતિમાં ન હોય; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અરફહના દિવસે રોઝો રાખ્યો ન હતો, અને અરફહના દિવસે રોઝો રાખવાથી રોક્યા છે, તે દિવસે રોઝો ન રાખવો માનવીને ઝિક્ર અને દુઆમાં વધુ સક્ષમ બનાવે છે, ત્રણ દિવસ સતત અથવા અલગ અલગ પણ રોઝા રાખી શકાય છે, એવી જ રીતે સાત દિવસના સતત રોઝા રાખવા જરૂરી નથી, પરંતુ તેને એકસાથે અથવા અલગ અલગ પણ રાખી શકે છે; કારણકે અલ્લાહએ તેમાં સતત રોઝા રાખવાની શરત રાખી નથી અને ન તો તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ પ્રમાણે કહ્યું છે, શ્રેષ્ઠ એ છે કે સાત દિવસ રોઝાને ત્યાં સુધી ટાળે, જ્યાં સુધી માનવી પોતાના ઘરે પાછો ન ફરી જાય, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને સાત રોઝા પાછા ફરતી વખતે} ([૧૨૨]) [અલ્ બકરહ: ૧૯૬]. [૯૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૯૮).

કુરબાની કરવા પર સક્ષમ ન હોય તે લોકોએ માલદારો પાસે જાનવર માંગી ઝબેહ કરવાના બદલે રોઝા રાખવા શ્રેષ્ઠ છે, જે વ્યક્તિને માંગ્યા વગર અને મનની લાલસા વગર કુરબાનીનું જાનવર અથવા અન્ય કઈ આપવામાં આવે, તો કોઈ વાંધો નથી, ભલે ને હાજી હજ્જે બદલ કરતો હોય, શરત એ કે નાયબ (પ્રતિનિધિ) બનાવનાર લોકોએ પોતાના આપેલા માલ માંથી જાનવર ખરીદવાની શરત રાખી ન હોય, તે લોકો જેઓ સરકાર અને કોઈ વ્યક્તિનું નામ લઇ જૂઠ બોલી કુરબાનીનું જાનવર માંગે છે, તો કોઈ પણ શંકા વગર તે અવૈધ છે; કારણકે તે જૂઠ બોલી ખાવાનું એક રૂપ છે, અલ્લાહ આપણને અને દરેક મુસલમાનોને સુરક્ષિત રાખે.

વિભાગ

હાજી અને અન્ય લોકો માટે સત્કાર્યોનો આદેશ આપવો અને દુષ્ટતાથી રોકવા બાબતે જરૂરી હોવાનું વર્ણન

હાજીઓ અને અન્ય લોકો માટે સૌથી મહત્વપૂર્ણ કાર્યો માંથી છે કે તેઓ સત્કાર્યોનો આદેશ આપે અને દુષ્ટતાથી રોકે, અને પાંચેય વખતની નમાઝ જમાઅત સાથે પઢે, જેમકે અલ્લાહએ પોતાની કિતાબમાં આદેશ આપ્યો છે, અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા પણ વર્ણન છે.

મક્કહના રહેવાસી તથા અન્ય શહેરોના લોકો જેઓ પોતાના ઘરોમાં નમાઝ પઢે છે અને મસ્જિદને છોડી દીધી છે, તે તેમની મહાન ભૂલ અને શરીઅતનો વિરોધ છે, અર્થાત તેનાથી બચવું જરૂરી છે, લોકોને તેનાથી રોકવામાં આવે અને મસ્જિદમાં પાબંદી સાથે નમાઝ પઢવાનો આદેશ આપવામાં આવે; કારણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે જયારે ઇબ્ને ઉમ્મે મક્તૂમ રઝી અલ્લાહુ અન્હુએ જયારે પોતાના ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી; કારણકે તેઓ અંધ હતા અને તેમનું ઘર મસ્જિદથી દૂર હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: «શું તમને અઝાન સંભળાય છે?» તેમણે કહ્યું: હાં, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો અઝાનનો જવાબ આપો, અર્થાત્ મસ્જિદમાં આવો ([૧૨૩])», બીજી એક હદીષમાં છે: «મને તમારા માટે કોઈ છુટ નથી મળતી ([૧૨૪])», એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારો ઠોસ ઈરાદો બની ગયો હતો કે હું મુઅઝ્ઝિનને કહું કે તે નમાઝ માટે ઈકામત કહે, પછી હું કોઈને નમાઝ પઢાવવા માટે આગળ કરું અને મારી સાથે કેટલાક લોકોને સાથે લઈ જાઉં, જેમની પાસે આગ સળગાવવા માટે લાકડીનો ગઠ્ઠો હોય, પછી જમાઅતથી પાછળ રહેનાર લોકોના ઘરે જઈ તેમને ઘર સાથે આગ લગાવી દઉં ([૧૨૫])», સુનન ઈબ્ને માજહ વગેરેમાં સારી સનદ સાથે વર્ણન કરવામાં આવી છે કે ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અઝાન સાંભળી અને કોઈ પણ કારણ વગર મસ્જિદમાં ન આવ્યો, તો તેની નમાઝ નથી ([૧૨૬])», સહીહ મુસ્લિમમાં ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: "જે વ્યક્તિને પસંદ હોય તે કાલે અલ્લાહ સાથે મુસલમાન થઈ મુલાકાત કરે, તો તે પાંચેય નમાઝની સુરક્ષા કરે, જ્યારે પણ તેના માટે અઝાન આપવામાં આવે; કારણકે અલ્લાહએ તમારા પયગંબર માટે હિદાયતના સ્ત્રોત બનાવ્યા છે, અને નમાઝ તે હિદાયતના સ્ત્રોતો માંથી એક છે, જો તમે પોતાના ઘરોમાં નમાઝ પઢશો જે રીતે આ પાછળ રહેનાર લોકો પઢે છે, તો તેમે પોતાના પયગંબરની સુન્નત છોડી દેશો, જો તમે પોતાના પયગંબરની સુન્નત છોડી દેશો, તો તમે પથભ્રષ્ટ થઈ જશો, જે વ્યક્તિ પણ સારી રીતે વઝૂ કરે છે, ફરી મસ્જિદો માંથી કોઈ એક મસ્જિદમાં જાય છે, તો તેના દરેક ડગલાંના બદલે એક નેકી લખે છે, અને દરજ્જો વધારે છે, અને તેના એક ડગલાના બદલામાં એક ગુનાહ માફ કરે છે, અમે જોયું કે નમાઝની પાછળ રહેવાવાળા સ્પષ્ટ મુનફિકો (દંભીઓ) જ હોતા, અન્યથા માનવીને તો તે સ્થિતિમાં પણ લાવવામાં આવતો કે તેને બે માણસો નો આશરો આપી સફમાં ઊભો કરવામાં આવતો" ([૧૨૭]). [૯૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૪૨૦), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૫૧). [૯૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૬૫૩). [૯૪] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ અબ્દુલ્લાહ બિન્ ઉમ્મે મક્તૂમ રઝી અલ્લાહુ અન્હુથી વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૫૨). [૯૫] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૫૪). [૯૬] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાથી વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૫૧).

હાજીઓ અને અન્ય લોકો માટે જરૂરી છે કે તેઓ અલ્લાહની હરામ કરેલ વસ્તુઓથી બચે અને તેને કરવાથી દૂર રહે, જેમકે વ્યભિચાર, સમલૈંગિકતા, ચોરી, વ્યાજ ખોરી, અનાથનો માલ હડપી લેવો, વ્યવહારમાં ધોખો આપવો, અમાનતમાં વિશ્વાસઘાત કરવો, નશીલા પદાર્થ અને સિગારેટ પીવી, ઘૂંટીથી નીચે કપડા રાખવા, ઘમંડ, ઈર્ષા, દંભ, નિંદા, મુસલમાનોની મશ્કરી કરવી, સંગીતના સાધનોનો ઉપયોગ કરવો, જેમકે ઉદ, વીણા, વાંસળી વગેરેનો ઉપયોગ કરવો, રેડિયો અને સંગીતનાં સાધનો દ્વારા સંગીત સાંભળવું, ચેસ (શતરંજ), જુગાર અને લોટરી જેવા કામ કરવા, જીવિત (માનવ અથવા પ્રાણીઓ) વગેરેના ફોટા પાડવા, અને આ પ્રકારના કાર્યને પસંદ કરવા, આ દરેક કાર્યો તે પ્રતિબંધિત દુષ્ટ કાર્યો માંથી છે જેને અલ્લાહએ પોતાના બંદાઓ પર દરેક સમય અને દરેક જગાએ હરામ (અવૈધ) કરી છે, અર્થાત્, હાજીઓ તથા મક્કહની આસપાસના રહેવાસીઓ અન્ય લોકો કરતા વધુ આ અવૈધ કાર્યોથી બચીને રહેવું જોઈએ; કારણકે આ પવિત્ર સ્થાને પાપ કરવાનો ગુનોહ વધુ મહાન હોય છે, અને સઝા પણ વધુ હોય છે.

ખરેખર ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને જે કોઈ જુલમ કરતા મસ્જિદે હરામમાં અવજ્ઞા કરશે, આવા લોકોને અમે દુ:ખદાયી અઝાબ ચખાડીશું} ([૧૨૮]) [અલ્ હજ્જ: ૨૫], અલ્લાહએ કાબામાં અત્યાચાર કરવાની ઈચ્છા ધરાવનાર લોકોને સઝા આપવાની ધમકી આપી છે, તો જે પણ વ્યક્તિ આ પ્રકારના કાર્યો કરશે, તેને અચૂક સઝા મળશે અને સખત સઝા મળશે, અર્થાત્ આ પ્રકારના કાર્યો અને દરેક પ્રકારની ભૂલોથી સંપૂર્ણ દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

હજ કરનારને હજનો સવાબ અને પાપોથી માફી ત્યારે જ મળશે જયારે તે આ પ્રકારના ગુનાહ અને અન્ય કાર્યોથી બચીને રહેશે, જેને અલ્લાહ તેમના પર હરામ કર્યા છે, જેમકે નબી સલ્લલ્લાહુ અલૈહહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ આ ઘરની એવી રીતે હજ કરી તથા હજના દિવસોમાં વ્યર્થ વાત અને ખરાબ કૃત્યોથી બચીને રહ્યો, તે વ્યક્તિ તે દિવસની માફક ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો ([૧૨૯])». [૯૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૧૫૨૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૧૩૫૦).

આ પ્રતિબંધિત કાર્યો કરતા પણ વધુ અગત્યની અને ગંભીર વાત એ છે કે માનવી મૃતકો પાસે દુઆ માંગે, તેમની સમક્ષ ફરિયાદ કરે તેમના માટે મન્નતો માને, તેમના માટે જાનવર ઝબેહ કરે, તે આશા સાથે કે તેઓ અલ્લાહ પાસે તેમની ભલામણ કરી દેશે, અથવા તેમના બીમારોને સાજા કરી દેશે, અથવા તેમના ખોવાયેલ વ્યક્તિને પરત કરી આપશે વગેરે જેવા કાર્યો.

આ મોટું શિર્ક છે જેને અલ્લાહએ હરામ કર્યું છે, આ અજ્ઞાનતાના સમયે મુશરીકોનો ધર્મ હતો, અલ્લાહએ આ જ પ્રકારના કાર્યો થી રોકવા માટે પયગંબરો મોકલ્યા અને પુસ્તકો ઉતારી.

તેથી દરેક હાજી અને અન્ય દરેક લોકો માટે જરૂરી છે કે તેઓ તેનાથી બચે અને જો પહેલા આ પ્રકારના શિર્ક માંથી કંઈ કરી ચુક્યા હોય તો તેનાથી તૌબા કરે, અને નવેસરથી હજ માટે તૈયાર થાય; કારણકે મોટું શિર્ક દરેક કાર્યોને નષ્ટ કરી દે છે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને જો આ લોકો (ઉપર જણાવેલ લોકો માંથી) પણ શિર્ક (અલ્લાહ સાથે ભાગીદાર) કરતા, તો જે કંઈ કાર્યો કરતા તે સૌ વ્યર્થ થઇ જાત} ([૧૩૦]) [અલ્ અન્આમ: ૮૮].

એવી જ રીતે નાના શિર્કના પ્રકાર માંથી: અલ્લાહ સિવાય અન્યની સોગંદ લેવી, જેમકે પયગંબરની કઅબાની અમાનત વગેરેના સોગંદ લેવા.

એવી જ રીતે રિયાકારી (દેખાડો કરવો), ખ્યાતિની લાલસા અને કહેવું: "જે અલ્લાહ અને તમે ઈચ્છો", અથવા "જો અલ્લાહ અને તમે ન હોતા" અથવા "આ અલ્લાહ અને તમારી કૃપા છે" વગેરે જેવા શબ્દો પણ નાના શિર્ક માંથી છે.

એવી જ રીતે દરેક પ્રકારના પ્રતિબંધિત શિર્ક સાથે સંબંધિત દુષ્ટતાથી બચવું જરૂરી છે અને તેને છોડવાની નસીહત કરવી પણ જરૂરી છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાધી તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું ([૧૩૧])». આ હદીષને ઇમામ અહમદ, ઇમામ અબૂ દાવુદ અને ઈમામ તિર્મિઝી એ સાચી સનદ સાથે વર્ણન કરી છે. [૯૮] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૨૫૧).

એવી જ રીતે સાચી હદીષમાં ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ કસમ ખાવી હોય, તે અલ્લાહના નામની કસમ ખાય અથવા ચૂપ રહે ([૧૩૨])», એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ આ પણ કહ્યું: «જે વ્યક્તિએ અમાનતની કસમ ખાધી, તો તે અમારા માંથી નથી ([૧૩૩])», આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૯૯] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૨૫૩). [૧૦૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અબ્દુલ્લાહથી વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૭૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬૪૬).

બીજી એક હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «"મને તમારા વિશે સૌથી વધારે જે વસ્તુનો ભય છે, તે શિર્કે અસગર છે", તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેના વિશે પૂછવામાં આવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "દેખાડો" ([૧૩૪])», એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બીજી એક હદીષમાં કહ્યું: «તમે એમ ન કહો: જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે, પરંતુ તમે આ પ્રમાણે કહો જે અલ્લાહ ઈચ્છે અને પછી જે ફલાણો ઈચ્છે ([૧૩૫])», આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી કે એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! જે અલ્લાહ અને જે તમે ઈચ્છો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી દીધો, તેં બદલામાં તમે કહો: જે અલ્લાહ એકલો ઈચ્છે ([૧૩૬])». [૧૦૧] આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે,(ભાગ: ૫, પેજ નંબર: ૪૨૮). [૧૦૨] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૯૮૦). [૧૦૩] આ હદીષને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૧૧૭).

આ હદીષો દ્વારા જાણવા મળે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તૌહીદની ખુબ જ રક્ષા કરી છે અને પોતાની કોમને દરેક નાના મોટા શિર્કથી સચેત કર્યા છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની કોમના ઈમાનની સુરક્ષા માટે અને અલ્લાહના અઝાબ અને ક્રોધથી તેમને બચાવવા ખાતર ખુબ જ ચિંતિત રહેતા હતા, અલ્લાહ તેમને તેનો શ્રેષ્ઠ બદલો આપે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઇસ્લામનો સંદેશ પહોંચાડી દીધો, પોતાની કોમને સચેત કર્યા અને બંદાઓની શુભચિંતા કરી, અલ્લાહ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર કયામત સુધી દરૂદ અને સલામ મોકલતો રહે.

હજ કરનાર અને મક્કહ અને મદીનહના રહેવાસી આલિમોની જવાબદારી છે કે લોકોને તે વાતો શીખવાડે, જે તેમના માટે કરવી જરૂરી છે, અને દરેક પ્રકારના શિર્ક અને ગુનાહ અને તે દરેક પ્રતિબંધિત કાર્યોથી સાવધાન કરે જે તેમના માટે કરવી માન્ય નથી, અને આ દરેકને સ્પષ્ટ પૂર્વ સાથે વર્ણન કરે જેથી લોકો અંધકાર માંથી નીકળી પ્રકાશ તરફ આવી જાય, અને પોતે અલ્લાહના દીનને પહોંચાડવાની જવાબદારી સારી રીતે પૂર્ણ કરે, પવિત્ર અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તઆલાએ જ્યારે કિતાબવાળાઓ પાસેથી વચન લીધું કે તમે આ (કિતાબ) ને દરેક લોકો સામે જરૂરથી બયાન કરશો અને છુપાવશો નહી} ([૧૩૭]) [આલિ ઇમરાન: ૧૮૭].

આ આયતનો ઉદ્દેશ્ય એ છે કે આ કોમના આલિમોને સચેત કર્યા કે તેઓ સત્ય છુપાવવા પ્રત્યે જાલિમ એહલે કિતાબના માર્ગ પર ન ચાલે, કે તેના દ્વારા આખિરાતના બદલે દુનિયા પ્રાપ્ત કરે, જોકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જે લોકો અમારા અવતરિત કરેલા સ્પષ્ટ પુરાવા અને હિદાયતને છુપાવે છે, જ્યારે કે અમે પોતાની કિતાબમાં લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરી ચુકયા છે, આવા લોકો પર અલ્લાહ લઅનત કરે છે અને દરેક લઅનત કરવાવાળાઓ પણ લઅનત કરે છે, (૧૫૯) પરંતુ જે લોકોએ (આ કામથી) તૌબા કરી લીધી અને પોતાનો સુધારો કરી લીધો અને (જે વાત છુપાવી હતી) તેને સ્પષ્ટ કરી દીધી, તો હું આવા લોકોની જ તૌબા કબુલ કરું છું અને હું તૌબા કબુલ કરવાવાળો અને અત્યંત દયા કરવાવાળો છું} ([૧૩૮]) [અલ્ બકરહ: ૧૫૯-૧૬૦]. કુરઆનની ઘણી આયતો અને હદીષો પુરાવો આપે છે કે અલ્લાહ તરફ દઅવત આપવી અને માનવીઓને તેમના ઉદ્દેશ્ય(અર્થાત અલ્લાહની ઈબાદત) તરફ માર્ગદર્શન આપવું શ્રેષ્ઠ નેકી અને મહાન ફરજો માંથી છે, અને કયામત સુધી આ જ નબીઓ અને તેમના અનુયાયીઓનો માર્ગ છે, જેમકે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને તેના કરતાં વધારે ઉત્તમ વાત કોની હોઇ શકે છે, જે અલ્લાહ તરફ બોલાવે અને સત્કાર્યો કરે અને કહે, કે ખરેખર હું મુસલમાનો માંથી છું} ([૧૩૯]), [ફુસ્સિલત: ૩૩], બીજી એક જગ્યાએ સર્વશ્રેષ્ઠ અલ્લાહએ કહ્યું: {તમે કહી દો કે, મારો માર્ગ આ જ છે, હું અને મારું અનુસરણ કરનારા અલ્લાહ તરફ બોલાવી રહ્યા છે, સંપૂર્ણ ભરોસા સાથે. અને અલ્લાહ પવિત્ર છે અને હું મુશરિકો માંથી નથી} ([૧૪૦]) [યૂસુફ: ૧૦૮].

એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે ([૧૪૧])» «જો અલ્લાહ તમારા દ્વારા કોઈ એક વ્યક્તિને પણ માર્ગદર્શન આપે, તો તે તમારા માટે લાલ રંગના ઊંટો કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે ([૧૪૨])», આ સંદર્ભમાં ઘણી આયતો અને હદીષો વર્ણન થઈ છે. [૧૦૪] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૯૩). [૧૦૫] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૦૦૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૪૦૬).

આલિમો અને મોમિનો માટે જરૂરી છે કે તેઓ અલ્લાહ તરફ માર્ગદર્શન આપવા બાબતે પોતાનો પ્રયત્ન વધારી દે અને અલ્લાહના બંદાઓને મુક્તિનો માર્ગ બતાવવા અને નષ્ટતાથી બચાવવા માટે ખુબ જ મહેનત કરે, ખાસ કરીને તે યુગમાં જ્યાં લોકોને મનેચ્છાનું પ્રભુત્વ હોય, વિનાશક સિદ્ધાંતો અને ભ્રામક સુત્રો ફેલાઈ ગયા છે, અને સત્યનું માર્ગદર્શન આપનાર ઓછા અને નાસ્તિકતા અને અશ્લીલતા તરફ માર્ગદર્શન આપનાર વધારે બની ગયા છે, બસ અલ્લાહ જ  મદદગાર છે, "લા હવ્‌લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહિલ્ અલીય્યીલ્ અઝીમ" અલ્લાહની તૌફીક અને મદદ વગર ન તો પાપથી બચવાની ક્ષમતા છે ન તો નેકી કરવાની શક્તિ, તે ઉચ્ચ અને મહાન છે.

વિભાગ

આજ્ઞાપાલનના કાર્યો વધુમાં વધુ કરવા બાબતેનું વર્ણન

હાજીઓ માટે યોગ્ય છે કે તેઓ મક્કહમાં પોતાના નિવાસ દરમિયાન અલ્લાહનો ઝિક્ર, તેનું અનુસરણ અને સત્કાર્યો કરતા રહે અને નમાઝ અને બૈતુલ્લાહનો તવાફ કરતા રહે; કારણકે હરમમાં નેકીઓનો સવાબ વધી જાય છે, અને ખરાબ કૃત્યોનો ગુનોહ પણ વધુ હોય છે, અને તે પણ યોગ્ય છે કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર વધુમાં વધુ દરૂદ મોકલતા રહે.

જયારે હાજી મક્કહથી નીકળવા ઈચ્છે તો તેના માટે બૈતુલ્લાહનો અંતિમ તવાફ કરવો જરૂરી છે, જેથી તેમનો અંતિમ સમય બૈતુલ્લાહ થઈને નીકળે, ફક્ત માસિક અને પ્રસુતિ વાળી સ્ત્રી સિવાય કારણકે તેમના માટે તવાફે વિદાઅ જરૂરી નથી, જેમકે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે તેમણે કહ્યું: «લોકોને આદેશ આપવામાં આવ્યો કે મક્કહમાં તેમનું અંતિમ કાર્ય બૈતુલ્લાહનો તવાફ હોય, પરંતુ માસિક વાળી સ્ત્રીને છૂટ આપવામાં આવી છે ([૧૪૩])» [૧૦૬] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૫૫), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૨૮).

જયારે તે કાબાનો અંતિમ તવાફ કરી લે અને મસ્જિદે હરમ માંથી નીકળવા ઈચ્છે તો સીધો નીકળી જાય, ઉંધા પગપાળા ન ચાલે; કારણકે આમ કરવું ન તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણિત છે ન તો આપના સહાબા દ્વારા, પરંતુ આ તો સ્પષ્ટ બિદઅત છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ કોઈ એવો અમલ કરે, જે અમારી શરીઅત મુજબ નથી, તો તેનો તે અમલ રદ કરવામાં આવશે ([૧૪૪])», એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બીજી એક હદીષમાં કહ્યું: «દીનના નામે નવી નવી વાતો અને વસ્તુઓથી બચીને રહેજો, કારણકે દીનના નામે દરેક નવી આવનારી બાબત બિદ્અત છે, અને દરેક બિદ્અત પથભ્રષ્ટતા છે ([૧૪૫])». [૧૦૭] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે. [૧૦૮] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, નંબર: (૮૬૭).

અલ્લાહ આપણને પોતાના દીન પર અડગ રહેવા અને તેનો વિરોધ કરવાથી સુરક્ષિત રાખે, ખરેખર તે ખૂબ જ દાનવીર અને દયાળુ છે.

વિભાગ

મસ્જિદે નબવીની ઝિયારત માટેના આદેશો અને આદાબ

હજ પહેલા અને પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મસ્જિદના દર્શન કરવા સુન્નત છે, જેમકે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા, એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે ([૧૪૬])» અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા, એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે ([૧૪૭])» આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. અબ્દુલ્લાહ બિન્ ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા, એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે અને મસ્જિદે હરામ એક સમયની નમાઝ મારી આ મસ્જિદ કરતાં સો ઘણી વધારે શ્રેષ્ઠ છે ([૧૪૮])» આ હદીષને ઈમામ અહમદ, ઇબ્ને ખુઝૈમહ અને ઈબ્ને હિબ્બાનએ વર્ણન કરી છે. [૧૦૯] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૧૧૯૦), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૧૩૯૪). [૧૧૦] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૯૫). [૧૧૧] આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪/૫).

જાબિર રઝી અલ્લાહુ અન્હુથી રીવાયત છે કે નિઃશંક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યુ: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા, એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે અને મસ્જિદે હરામમાં એક સમયની નમાઝ મારી આ મસ્જિદ કરતાં એક લાખ ઘણી વધારે શ્રેષ્ઠ છે ([૧૪૯])» આ હદીષને ઈમામ અહમદ, ઇબ્ને માજહએ વર્ણન કરી છે અને આ વિષયમાં ઘણી હદીષો વર્ણન થઈ છે. [૧૧૨] આ હદીષને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: (૧૪૦૬).

જ્યારે ઝિયારત કરનાર મસ્જિદ પહોંચે તો પોતાનો જમણો પગ મૂકે અને આ દુઆ પઢે: «"બિસ્મિલ્લાહિ વસ્સલાતુ વસ્સલામ અલા રસૂલિલ્લાહ, અઊઝુબિલ્લાહિલ્ અઝીમ વ બિવજહિહીલ્ કરીમ વ સુલ્તાનિહિલ્ કદીમ, મિનશ શયતાનીર્ રજીમ, અલ્લાહુમ્મફ્ તહલી અબ્વાબ રહમતિક" (અલ્લાહના નામથી મસ્જિદમાં પ્રવેશ કરું છું અને અલ્લાહના પયગંબર પર સલામ મોકલું છું, હું મહાન અલ્લાહ તેના દયાળુ ચહેરા અને તેની શક્તિ તેમજ પ્રતિષ્ઠતા વડે ધૃતકારેલા શૈતાનથી પનાહ માગું છું, હે અલ્લાહ! મારા માટે રહમતના દ્વાર ખોલી નાખ)».

આ જ દુઆ અન્ય મસ્જિદોમાં પણ પ્રવેશ કરતી વખતે પઢવામાં આવે છે, મસ્જિદે નબવીમાં પ્રવેશ કરતી વખતે પઢવાની કોઈ વિશેષ દુઆ નથી, ફરી બે રકઅત નમાઝ પઢે, તથા આ બંને રકઅતમાં પોતાની ઈચ્છા અનુસાર દુનિયા અને આખિરતની ભલાઈ માંગે, જો આ બંને રકઅતને રવઝહમાં પઢે તો વધુ સારું છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા ઘર અને મારા મિન્બર વચ્ચેની જગ્યા જન્નતના બગીચાઓ માંથી એક બગીચો છે ([૧૫૦])», ફરી નમાઝ પઢી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારત કરે, અને તેમના સાથી અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની કબરોની ઝિયારત કરે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની સામે આદર અને ધીમા આવજે ઉભો રહી સલામ કરી કહે: "અસ્સલામુ અલયક યા રસૂલુલ્લાહ વરહમતુલ્લાહિ વબરકાતુહુ" અર્થ: હે અલ્લાહના પયગંબર! તમારા પર સલામતી અને અલ્લાહની રહેમત તેમજ બરકતો ઉતરે, જેમકે સુનન અબૂ દાવૂદમાં સારી સનદ સાથે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જયારે પણ કોઈ વ્યક્તિ મારા પર સલામ મોકલે છે, તો અલ્લાહ તઆલા મારા પ્રાણ મારામાં પાછા મોકલી દે છે અહી સુધી કે હું તેના સલામનો જવાબ આપી દઉં ([૧૫૧])», જો ઝિયારત કરનાર પોતાના સલામમાં આ શબ્દો કહે તો પણ કંઈ વાંધો નથી: "અસ્સલામુ અલૈક યા નબિય્યલ્લાહ, અસ્સલામુ અલૈક યા ખૈરતુલ્લાહિ મિન્ ખલ્કિહિ, યા સય્યિદિલ્ મુરસલીન વ ઈમામલ્ મુત્તકીન અશ્હદુ અન્નક કદ બલ્લગતર્ રિસાલત, વ અદ્ દયતલ્ અમાનત, વ નસહતલ્ ઉમ્મહ, વ જાહદત ફિલ્લાહિ હક્ક જિહાદિહી" અર્થ: હે અલ્લાહના પયગંબર તમારા પર સલામતી થાય, હે અલ્લાહના સર્જન માંથી સોંથી શ્રેષ્ઠ સર્જન તમારા પર શાંતિ ઉતરે, હે પયગંબરોના સરદાર અને પરહેજગારોના ઈમામ! તમારા પર શાંતિ થાય, હું સાક્ષી આપું છું કે આપ અલ્લાહના સાચા રસૂલ છો, તમે અમારા સુધી સંદેશ પહોંચાડી દીધો, આપે અમાનત સંપૂર્ણ રીતે અદા કરી, અને ઉમ્મતને નસીહત કરી અને જે પ્રમાણે અલ્લાહના માર્ગમાં મહેનત કરવી જોઈએ આપે કરી, આ દુઆ પઢવામાં કોઈ વાંધો નથી; કારણકે આ દરેક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુણો છે, ફરી આપ પર દરૂદ મોકલો અને દુઆ કરે જેમકે શરીઅતમાં દરૂદ અને સલામતી એકસાથે મોકલવાની પરવાનગી આપવામાં આવી છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તઆલા અને તેના ફરિશ્તાઓ પયગંબર ઉપર દરૂદ મોકલે છે, હે ઈમાનવાળાઓ! તમે (પણ) તેમના ઉપર દરૂદ મોકલો અને ખૂબ સલામ મોકલતા રહો} ([૧૫૨]) [અલ્ અહઝાબ: ૫૬]. ફરી અબૂ બકર સિદ્દીક અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાને સલામ કરવું, તેમના માટે દુઆ કરવી અને તે બંને માટે અલ્લાહની પ્રસન્નતા માંગવી. [૧૧૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અબ્દુલ્લાહ બિન્ ઝૈદ અલ્ માઝિની રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૯૫), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૯૦). [૧૧૪] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૦૪૧).

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ જ્યારે અલ્લાહના પયગંબર અને તેમના બંને સાથીઓ પર સલામ મોકલતા, તો આ શબ્દો કરતાં વધુ કંઇ ન કહેતા: "અસ્સલામુ અલૈક યા રસૂલુલ્લાહ, અસ્સલામુ અલૈક યા અબા બકર, અસ્સલામુ અલૈક યા અબતાહુ" ફરી ત્યાંથી નીકળી જતાં.

આ પ્રકારની ઝિયારત ફક્ત પુરુષો માટે છે, અને સ્ત્રીઓ માટે કબરોની ઝિયારત કરવી માન્ય નથી, જેમકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કબરોની વધુ પ્રમાણમાં મુલાકાત લેનારી સ્ત્રીઓ અને તેમના મસ્જિદ બનાવવાવાળા લોકો અને દીવા કરનારાઓ પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લઅનત કરી છે ([૧૫૩])». [૧૧૫] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૨૩૬).

મસ્જિદે નબવી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમમાં નમાઝ પઢવા, દુઆ કરવા તથા દરેક કાર્યોનો ઉદ્દેશ્ય થી મસ્જિદે નબવીની ઝિયારત માટે સફર કરવો દરેક લોકો માટે જાઈઝ છે, જેમકે પહેલા આ સંદર્ભની હદીષો વર્ણન થઇ ચુકી છે.

એવી જ રીતે ઝિયારત કરનાર પાંચેય નમાઝ પઢે, ખુબ દુઆઓ અને નફિલ નમાઝો પઢે અને વધુમાં વધુ સવાબ મેળવવાની તકથી ફાયદો ઉઠાવે.

એવી જ રીતે રિયાઝુલ્ જન્નહમાં વધુમાં વધુ નમાઝ પઢવી મુસ્તહબ છે, જેમકે તેની મહત્ત્વતાનો ઉલ્લેખ થઇ ચુક્યો છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા ઘર અને મારા મિન્બર વચ્ચેની જગ્યા જન્નતના બગીચાઓ માંથી એક બગીચો છે ([૧૫૪])». [૧૧૬] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

પરંતુ ફર્ઝ નમાઝ ઝિયારત કરનાર અને અન્ય લોકો માટે જરૂરી છે કે તે તેને પૂર્ણ કરવા માટે આગળ વધે, જ્યાં સુધી સંભવ હોય પહેલી સફમાં નમાઝ પઢવાનો પ્રયત્ન કરે, જેનું કિબલા તરફ વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમકે પહેલી સફમાં નમાઝ પઢવા બાબતે પ્રોત્સાહન આપ્યું છે, જેમકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો લોકો જાણી લે કે અઝાન આપવાનો અને પહેલી સફમાં નમાઝ પઢવાનો સવાબ કેટલો છે, તો તેમની પાસે ચિઠ્ઠી (નામ લખી જેનું નામ આવે તે અઝાન આપે અને તે જ પહેલી સફમાં નમાઝ પણ પઢે) સિવાય અન્ય કોઈ માર્ગ ન હોત ([૧૫૫])» મુત્તફકુન અલૈહ (અર્થાત્ આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે), આ જ પ્રમાણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાને કહ્યું: «આગળ આવો, મારું અનુસરણ કરો, અને જે વ્યક્તિ તમારા પછી હોય તેઓ તમારું અનુસરણ કરે, કેટલાક લોકો નમાઝથી પાછળ ઉભા હોય છે, અહીં સુધી કે અલ્લાહ તેમને પાછળ કરી દેશે ([૧૫૬])» આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૧૧૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૩૮). [૧૧૮] આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૧૫), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૩૭).

આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ આયશા રઝી અલ્લાહુ અન્હા દ્વારા સહીહ સનદ સાથે વર્ણન કરી છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કેટલાક લોકો નમાઝથી પાછળ ઉભા હોય છે, અહીં સુધી કે અલ્લાહ તેમને પાછળ કરી દેશે ([૧૫૭])», એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે તેમણે પોતાના સહાબા રઝી અલ્લાહુ અન્હુમને કહ્યું: «તમે એવી સફો કેમ નથી બનાવતા જેમ ફરિશ્તાઓ પોતાના પાલનહાર પાસે બનાવે છે? લોકોએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! ફરિશ્તાઓ પોતાના પાલનહાર પાસે કઈ રીતે સફ બનાવે છે? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: પહેલી સફોને પૂર્ણ કરે છે અને સફમાં એકબીજા સાથે જોડાઈને ઊભા રહે છે ([૧૫૮])» આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે. [૧૧૯] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ જાબિર બિન્ સમુરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૩૦). [૧૨૦] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૭૯) અને તેના શબ્દો છે: "લોકો પહેલી સફથી પાછળ રહેતા રહેશે, ત્યાં સુધી કે અલ્લાહ તેમને આગમાં પાછળ કરી દેશે.

આ સંદર્ભમાં ઘણી હદીષો વર્ણન થઇ છે, જે મસ્જિદે નબવી અને અન્ય બીજી મસ્જિદો માટે સામાન્ય છે, વિસ્તરણ અને વધારા પહેલા અને પછી પણ, એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને પહેલી સફમાં જમણી બાજુ ઉભા રહેવા પ્રત્યે પ્રોત્સાહન આપતા હતા, અને સફનો જમણો ભાગ અત્યારે પ્રાચીન મસ્જિદે નબવીમાં આવેલો છે, અને રિયાઝુલ્ જન્નહની બહાર છે, તેથી જાણવા મળ્યું કે પહેલી સફ અને જમણી બાજુ નમાઝ પઢવાની મહત્ત્વતા રિયાઝુલ્ જન્નહમાં નમાઝ પઢવા કરતા વધુ છે, જે વ્યક્તિ આ સંદર્ભમાં વર્ણન કરવામાં આવેલ હદીષોમાં ચિંતન મનન કરશે તેને આ ફર્ક સ્પષ્ટ રીતે જાણી લેશે બસ અલ્લાહ તૌફીક આપનાર છે.

કોઈ પણ વ્યક્તિ માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઓરડાને બોસો આપવાની અથવા તેનો તવાફ કરવો જાઈઝ નથી, પરંતુ આ પ્રતિબંધિત બિદઅત છે.

કોઈ પણ વ્યક્તિ માટે માન્ય નથી કે તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કોઈ જરૂરતને પૂર્ણ કરવા અથવા કોઈ મુસીબતને દૂર કરવા અથવા બીમારને તંદુરસ્તી જેવા સવાલો કરે; કારણકે આ દરેક હાજતો ફક્ત અલ્લાહ પાસે જ માંગવામાં આવે, તેમનું મૃતક વ્યક્તિ પાસે માંગવું અલ્લાહ સાથે શિર્ક છે અને અલ્લાહ સિવાય અન્યની ઈબાદત છે અને ઇસ્લામ બે આધાર પર નિર્ધારિત છે:

પહેલો: અલ્લાહ સિવાય કોઈની પણ ઈબાદત કરવામાં ન આવે.

બીજો: અલ્લાહની ઈબાદત તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નક્કી કરેલ રીત પ્રમાણે કરવામાં આવે.

આ જ અર્થ લા ઇલાહ ઈલ્લલ્લાહ અને મુહમ્મદુર્ રસૂલુલ્લાહનો અર્થ છે.

એવી જ રીતે કોઈ પણ વ્યક્તિ માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે ભલામણ માંગવાની પરવાનગી નથી; કારણકે આ અલ્લાહનો અધિકાર છે અને તેની પાસે જ માંગવી જોઈએ, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {તમે તેમને કહી દો કે ભલામણ અલ્લાહ માટે જ છે ([૧૫૯])}. [અઝ્ ઝુમર: ૪૪], ફરી તમે આ પ્રમાણે પણ દુઆ કરી શકો છો: "અલ્લાહુમ્મ શફ્ફિઅ ફી નબીય્યીક, અલ્લાહુમ્મ શફ્ફિઅ ફી મલાઈકતિક, વ ઈબાદિકલ્ મુઅમિનીન, અલ્લાહુમ્મ શફ્ફિઅ ફી અફરાતી" અર્થ: હે અલ્લાહ! પોતાના પયગંબરને મારી ભલામણ કરનાર બનાવી દે, હે અલ્લાહ! તારા ફરિશ્તાઓને મારી ભલામણ કરનાર બનાવી દે અને પોતાના મોમિન બંદાઓને મારી ભલામણ કરનાર બનાવી દે, હે અલ્લાહ! મારા બાળકોને મારી ભલામણ કરનાર બનાવી દે, વગેરે જેવા શબ્દો વડે દુઆ કરી શકે છે, પરંતુ મૃતકો પાસે કઈ ન માંગવું જોઈએ, ન તો ભલામણ ન તો અન્ય કોઈ વસ્તુ, ભલે તે નબી હોય કે અન્ય કોઈ, કારણકે આ શરીઅત પ્રમાણે માન્ય નથી, અને એટલા માટે પણ કે મૃતક વ્યક્તિનું કાર્ય પૂર્ણ થઇ ચુક્યું છે તે કાર્યો સિવાય જેને શરીઅત એ ખાસ નક્કી કર્યા છે.

સહીહ મુસ્લિમમાં અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે માનવી મૃત્યુ પામે છે, તો ત્રણ અમલ સિવાય તેના દરેક અમલ ખત્મ થઈ જાય છે, એક સદકએ જારિયહ (નિરંતર દાન), બીજું એવું ઇલ્મ જેના દ્વારા તેના મૃત્યુ પછી પણ ફાયદો ઉઠાવવામાં આવે અને ત્રીજું નેક બાળકો જે પોતાના માતા-પિતાના હકમાં દુઆ કરતા રહે ([૧૬૦])». [૧૨૧] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬૩૧).

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવનકાળ દરમિયાન ભલામણ માંગવી માન્ય અને કયામતના દિવસે પણ માન્ય ગણાશે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના પર સક્ષમ હશે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે શક્ય હશે આપ આગળ વધી અલ્લાહ પાસે ભલામણ બાબતે સવાલ કરી શકે છે, દુનિયામાં ભલામણ પ્રાપ્ત કરવા વિશે સ્પષ્ટ છે કે તે ફક્ત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે વિશેષ નથી પરંતુ દરેક લોકો માટે સામાન્ય છે, અર્થાત દરેક મુસલમાન માટે યોગ્ય છે જો તે પોતાના ભાઈને કહે કે મારા માટે આ પ્રમાણેની ભલામણ કરે, જો સવાલ કરેલ વસ્તુ હલાલ છે તો પોતાના ભાઈ માટે ભલામણ કરી દે.

કયામતના દિવસે ફક્ત્ત જેને અલ્લાહ પરવાનગી આપશે તે જ ભલામણ કરી શકશે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? ([૧૬૧])}. [અલ્ બકરહ: ૨૫૫].

રહી વાત મૃત્યુની સ્થિતિની તો તે એક અલગ સ્થિતિ છે, જેને માનવીના મૃત્યુ પહેલાની સ્થિતિ સાથે સરખાવામાં નહીં આવે; કારણકે મૃતક દ્વારા તેના કાર્યો પૂર્ણ થઇ ગયા અને જે કઈ પણ તેણે અત્યાર સુધી કર્યું તે તેના જ માટે છે, તે કાર્ય સિવાય જે શરીઅતે ખાસ કર્યું હોય, પરંતુ મૃતકો પાસે ભલામણ માંગવી શરીઅતનો આદેશ નથી, જેથી તેને અલગ કરેલ કાર્ય સાથે જોડવામાં નહીં આવે, તેમાં કોઈ શંકા નથી કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાની કબરમાં બરઝખી જીવન સાથે જીવિત છે, જે શહીદોના જીવન કરતા વધુ પૂર્ણ છે, પરંતુ તે જીવન એવું નથી જે મૃત્યુ પહેલા હતું, અને ન તો કયામતના દિવસ જેવું જીવન છે, પરંતુ કબરનું જીવન એવું છે જેને ફક્ત પવિત્ર અલ્લાહ જ જાણે છે, તેના સિવાય કોઈ જાણતું નથી, એટલા માટે જ પાછળ વર્ણન થયેલ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જયારે પણ કોઈ વ્યક્તિ મારા પર સલામ મોકલે છે, તો અલ્લાહ તઆલા મારા પ્રાણ મારામાં પાછા મોકલી દે છે, અહી સુધી કે હું તેના સલામનો જવાબ આપી દઉં ([૧૬૨])»,

તેના દ્વારા જાણવા મળ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મૃત્યુ થઇ ચુક્યું છે, અને આપની આત્મા આપના શરીરથી અલગ થઇ ચુકી છે, પરંતુ તે સલામના સમયે પરત કરવામાં આવે છે, કુરઆન અને હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મૃત્યુના પુરાવા સ્પષ્ટ છે અને આલિમો પાસે આ મુદ્દો એક સર્વસંમતિ સાથે સ્વીકારેલો છે, પરંતુ આ મૃત્યુ આપના મૃત્યુ પછીના જીવન વિરુદ્ધ નથી, જે રીતે શહીદોનું મૃત્યુ તેમના મૃત્યુ પછીના જીવન વિરુદ્ધ નથી, જેમકે ઉચ્ચ અલ્લાહએ તેમના વિષે કહ્યું: {જે લોકો અલ્લાહના માર્ગમાં શહીદ કરવામાં આવ્યા છે તેઓને કદાપિ મૃતક ન સમજો, પરંતુ તે જીવિત છે, પોતાના પાલનહાર પાસે તેઓને રોજી આપવામાં આવે છે} ([૧૬૩]) [આલિ ઇમરાન: ૧૬૯]. [૧૨૨] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૦૪૧).

અમે આ મુદ્દાને ખુબ વિસ્તાર પૂર્વક એટલા માટે વર્ણન કર્યો કે તેની ઘણી આવશ્કતા હતી; કારણકે ઘણા લોકો આ બાબતે શંકામાં સપડાયેલા છે, જે લોકોને અલ્લાહ સિવાય મૃતકોની ઈબાદત અને શિર્ક તરફ આમંત્રિત કરે છે, અમે અલ્લાહ પાસે પોતાના અને દરેક મુસલમાની સુરક્ષાની દુઆ કરીએ છીએ, જેથી આપણે સૌ તે દરેક વસ્તુઓથી બચી શકીએ જે શરીઅત વિરુદ્ધ છે, અલ્લાહ વધુ જાણે છે.

કેટલાક ઝિયારત કરનાર જેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પાસે અવાજો ઉંચી કરે છે અને ત્યાં લાંબા સમય સુધી રોકાઈ છે, તે પણ યોગ્ય નથી; કારણકે અલ્લાહ તઆલાએ કોમને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અવાજથી ઉંચો અવાજ કરવાથી રોક્યા છે, અને જે રીતે તેઓ એકબીજા સાથે વાત કરતી વખતે અવાજ ઊંચો કરે છે, તે રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ ઊંચા અવાજે વાત કરવાથી પણ રોક્યા છે, અને તેમને આદેશ આપ્યો કે પોતાની અવાજ ધીમી રાખે, જેમકે ઉચ્ચ અલ્લાહએ આ આયતમાં કહ્યું: {હે ઇમાનવાળાઓ! પોતાના અવાજને પયગંબરના અવાજથી ઊંચો ન કરો, અને ન તો તેમની સાથે ઊંચા અવાજથી વાત કરો, જેવી રીતે કે અંદર અંદર એકબીજા સાથે કરો છો, ક્યાંક (એવું ન થાય કે) તમારા કર્મો બરબાદ થઇ જાય અને તમને ખબર પણ ન પડે, (૨) નિ:શંક જે લોકો પયગંબર સાહેબની સામે પોતાના અવાજને નીચો રાખે છે, આ જ તે લોકો છે, જેમના હૃદયોને અલ્લાહએ સંયમતા માટે પારખી લીધા છે, તેમના માટે માફી છે અને ભવ્ય બદલો છે} ([૧૬૪]) [અલ્ હુજુરાત: ૨-૩].

કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પાસે લાંભા સમય સુધી ઉભા રહેવું, વારંવાર સલામ કહેવું, ત્યાં ભીડ અને શોર બકોર અને અવાજ ઊંચો કરવાનો સ્ત્રોત છે, જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પાસે શરીઅતતે નક્કી કરેલ નિયમો વિરુદ્ધ છે, એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું સન્માન તેમના જીવન અને મૃત્યુ બંને સ્થિતિમાં અનિવાર્ય છે, અર્થાત્ એક મોમિન વ્યક્તિએ તેમની કબર પાસે એવા કામ ન કરવા જોઈએ જે શરીઅતના આદાબ વિરુદ્ધ હોય.

એવી જ રીતે કેટલાક ઝિયારત કરનાર અને અન્ય લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પાસે ઉભા રહી કિબલા તરફ મોઢું કરી હાથ ઉઠવી દુઆ કરે છે, આ દરેક કાર્યો શરીઅત વિરુદ્ધ છે, જે ન તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથીઓએ કર્યું અને ન તો ત્યાર પછી સલફે સાલીહીન (સદાચારી પૂર્વજો) એ કર્યું, જો કે આ તદ્દન ગઢી કાઢેલી બિદ્અત છે, ખરેખર અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા મૃત્યુ પછી તમે મારી સુન્નત તથા સત્ય માર્ગ પર ચાલવાવાળા ચારેય ખલીફાની તરીકાનું પાલન કરજો, તેને મજબૂતી સાથે પકડી રાખજો, અને દીનના નામે નવી નવી વાતો અને વસ્તુઓથી બચીને રહેજો, કારણકે દીનના નામે દરેક નવી આવનારી બાબત બિદ્અત છે, અને દરેક બિદ્અત પથભ્રષ્ટતા છે ([૧૬૫])». [૧૨૩] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ ઈરબાઝ બિન્ સારિયહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૬૦૭).

એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બીજી એક જગ્યાએ કહ્યું: «જે વ્યક્તિએ અમારા આ દીનમાં કોઈ એવી વસ્તુનો અવિષ્કાર કરશે, જે દીનનો ભાગ નથી, તો તે અમાન્ય અને અસ્વીકાર્ય છે ([૧૬૬])». «જે વ્યક્તિ કોઈ એવો અમલ કરે, જે અમારી શરીઅત મુજબ નથી, તો તેનો તે અમલ રદ કરવામાં આવશે ([૧૬૭])». [૧૨૪] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે. [૧૨૫] તેનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

અલી બિન્ હુસૈન ઝૈનુલ્ આબિદીન રઝી અલ્લાહુ અહુન્માએ એક વ્યક્તિને જોયો કે તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પાસે દુઆ માંગી રહ્યો હતો, તો તેમણે તેને રોક્યો અને કહ્યું: હું તમને એવી હદીષ જણાવું છું જે મેં મારા પિતા દ્વારા સાંભળી છે અને તેમણે મારા દાદા દ્વારા સાંભળી અને તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ દ્વારા સાંભળી કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી કબર ને મેળો ન બનાવશો, પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરૂદ મારા સુધી પહોંચાડવામાં આવે છે ([૧૬૮])». [૧૨૬] ઝૈનુલ્ આબિદીનની રિવાયત, શૈખે તેની નિસબત હાફિઝ મકદિસી રહિમહુલ્લાહ તરફ કરી છે, જેમણે કિસ્સા વગર હદીષનું વર્ણન કર્યું છે, અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ મુસ્નદમાં વર્ણન કરી છે, (૨/૩૬૭).

એવી જ રીતે ઝિયારત કરનારા માંથી કેટલાક લોકો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પર સલામ મોકલતી વખતે પોતાનો જમણો હાથ ડાબા હાથ પર મૂકી છાતી પર અથવા તેની નીચે નમાઝ પઢનારની માફક સ્થિતિ બનાવે છે, તો આ પ્રમાણેની સ્થિતિ ન તો આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સલામ મોકલતી વખતે અને ન તો કોઈ પણ શાસક અથવા આગેવાન વગેરેને સલામ કરતી વખતે અપનાવવો યોગ્ય છે; કારણકે આ સ્થિતિ આજીજી, વિનમ્રતા અને ઈબાદતની છે, જે અલ્લાહ સિવાય અન્ય માટે યોગ્ય નથી, જેમકે હાફિઝ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ પોતાની પુસ્તક "ફત્હુલ બારી" માં આ વાતને આલિમો દ્વારા વર્ણન કરી છે, આ વિષે જે વ્યક્તિ પણ ચિંતન-મનન કરશે તેના માટે આ મુદ્દો સ્પષ્ટ થઇ જશે, પરંતુ શરત એ છે કે તેનો હેતુ સદાચારી પૂર્વજોનું અનુસરણ કરવાનો હોય.

પરંતુ જે લોકો અંધભક્ત, મનેચ્છા અને સદાચારી પૂર્વજોના આમંત્રણ આપવાના તરીકા પ્રત્યે શંકામાં સપડાયેલા હોય છે, તેમનો મામલો અલ્લાહના શિરે છે, અમે અલ્લાહથી પોતાના અને તે લોકો માટે હિદાયતની દુઆ કરીએ છીએ અને સત્યને દરેક પર પ્રાથમિકતા આપવાની તૌફીક માંગીએ છીએ, ખરેખર તે પવિત્ર જ જવાબ આપનાર છે.

એવી જ રીતે જે લોકો દૂરથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર કબરનું સ્વાગત કરે છે અને તેની તરફ મોઢું કરી સલામ અને દુઆ માટે પોતાના હોઠ હલાવે છે, તો આ દરેક પાછલી બિદ્અતનો ભાગ છે, અને કોઈ પણ મુસલમાન માટે યોગ્ય નથી કે તે દીનમાં તે વાતોનો અવિષ્કાર કરે જેની અલ્લાહએ પરવાનગી આપી નથી; કારણકે તેઓ આ પ્રકારના કામો દ્વારા અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે પ્રેમ અને દોસ્તી નહીં પરંતુ અત્યાચાર કરી રહ્યા છે, ઈમામ માલિક રહિમહુલ્લાહએ આ કાર્યને ખુબ જ દુષ્ટ સમજી કહ્યું: "આ કોમના અંતિમ લોકોનો સુધારો પણ તે જ વસ્તુ દ્વારા થશે જેના દ્વારા પહેલાના લોકોનો સુધારો કરવામાં આવ્યો હતો". [૧૨૭] ઇગાષતુલ્ લહ્ફાન ફી મસાયિદિશ શૈતાન (૧/ ૩૬૩).

અને દરેક લોકો જાણે છે આ કોમના પહેલાના લોકોનો સુધારો ફક્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ચારેય માર્ગદર્શિત આગેવાનો અને આપના સહાબા અને તાબઈનનું અનુસરણ દ્વારા કરવામાં આવ્યો હતો, અને આ કોમના અંતિમ સમયના લોકોનો સુધાર પણ આ જ માર્ગ પર અડગ રહી અને અનુસરણ કરીને જ થશે.

અલ્લાહ દરેક મુસલમાનોને દુનિયા અને આખિરતમાં મુક્તિ અને નેકીની તૌફીક આપે, ખરેખર તે ખુબ જ ઉદાર અને દયાળુ છે.

ચેતવણી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારત વિષે શરીઅતનો આદેશ

હજ દરમિયાન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારત કરવી અનિવાર્ય નથી અને ન તો હજને યોગ્ય હોવાનો શરતો માંથી છે, તે વિરુદ્ધ કેટલાક સામાન્ય અને તેમની માફક લોકો સમજે છે કે નબવીની ઝિયારત કરે અથવા તેની નજીક હોય તો મસ્જિદ સાથે કબરની પણ મુલાકાત લઇ શકે છે.

જે વ્યક્તિ મદીનહથી દૂર હોય, તેના માટે કબરની ઝિયારતના હેતુથી સફર કરવો જાઈઝ નથી, પરંતુ મસ્જિદે નબવીની ઝિયારતના હેતુથી સફર કરવો જાઈઝ છે, જ્યારે તેઓ પહોંચી જાય તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની કબરની ઝિયારત કરી લે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની કબરની ઝિયારતને મસ્જિદે નબવી ઝિયારતમાં શામેલ કરી લે; કારણકે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રણ મસ્જિદો સિવાય કોઈ મસ્જિદ માટે સફર કરવામાં ન આવે: ત્રણ મસ્જિદો મસ્જિદ અર્થાત્ મસ્જિદે નબવી, મસ્જિદે હરામ અને મસ્જિદે અકસા([૧૬૯])». [૧૨૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૮૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૯૭).

જો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અથવા કોઈની કબર માટે સફર કરવો યોગ્ય હોત તો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેને જરૂર પોતાની કોમને જણાવતા અને તેની મહત્ત્વતા તરફ માર્ગદર્શન આપતા; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોના સૌથી વધુ શુભચિંતક, અલ્લાહ વિષે વધુ જાણનાર અને સૌથી વધુ ડરનાર હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્પષ્ટ રીતે સંદેશો પહોંચાડી દિધો, અને દરેક પ્રકારની ભલાઈઓ તરફ માર્ગદર્શન આપ્યું તથા દરેક દુષ્ટતાથી સચેત કર્યા, આ ત્રણેય મસ્જિદો સિવાય અન્ય કોઈ મસ્જિદ તરફ સફર કરવા બાબતે કેવી રીતે ચેતવણી આપી શકે છે, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી કબર ને ઈદ (મેળો) ન બનાવશો, પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરૂદ મારા સુધી પહોંચાડવામાં આવે છે ([૧૭૦])». [૧૨૯] આ હદીષનો સંદર્ભ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે.

જો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારત કરવા માટે સફર કરવાની અનુમતિની વાત છે, તો તે તેમની કબરને મેળો અને અતિશયોક્તિ તરફ લઇ જતી અને તે જ ભય ઉત્પન્ન કરતી જેના વિષે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સચેત કર્યા હતા, અર્થાત્ વધુ પ્રમાણમાં શ્રદ્ધા રાખવી અને પ્રસંશા કરવી, જેમકે કેટલાક તેમાં સપડાયેલા છે, ફક્ત એ વિશ્વાસ ખાતર કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારત કરવા માટે સફર કરવો જાઈઝ છે.

આ સંદર્ભમાં જેટલી પણ હદીષો વર્ણન કરવામાં આવે છે જેના કારણે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારત કરવાને માન્ય સમજે છે, તે દરેક ઝઈફ (કમજોર દરજ્જા) પરંતુ બનાવટી છે, જેના ઝઈફ હોવા પર ઇમામ દાર કુત્ની, બૈહકી અને હાફિઝ ઇબ્ને હજર વગેરેએ ચેતવણી આપી છે, જેથી આ ખોટી હદીષોને તે સાચી હદીષો સમક્ષ રજુ કરવામાં આવે, જે આ ત્રણેય મસ્જિદો સિવાય અન્ય મસ્જિદ તરફ સફર કરવાને હરામ ઠેરવે છે.

વ્હાલા વાંચકો, આપની સમક્ષ આ બાબતે કેટલીક ગઢી કાઢેલી હદીષો વર્ણન કરવામાં આવે છે, જેથી તમે તેને જાણી શકો અને ખોટા માર્ગથી બચી શકો:

પહેલી હદીષ: «જેણે હજ્જ કર્યું અને મારી ઝિયારત ન કરી, તો તેણે મારા પર અત્યાચાર કર્યું».

બીજી હદીષ: «જે વ્યક્તિએ મારા મૃત્યુ પછી મારી ઝિયારત કરી, તો તેણે એવી જ રીતે ઝિયારત કરી જેમકે મારી જીવતા મારી ઝિયારત કરી».

ત્રીજી હદીષ: «જે વ્યક્તિ એક વર્ષમાં મારી અને મારા પિતા ઇબ્રાહિમ અલૈહિસ્ સલામની ઝિયારત કરશે, તો હું તેને અલ્લાહ તરફથી જન્નતની ખાતરી આપું છું».

ચોથી હદીષ: «જેણે મારી કબરની ઝિયારત કરી, તો તેના માટે મારી શફાઅત (ભલામણ) નક્કી થઈ ગઈ».

આ પ્રમાણેની હદીષો અને આ સંદર્ભમાં વર્ણન કરેલ અન્ય હદીષો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત નથી.

હાફિઝ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ (અત્ તલ્ખીસ) માં -આ દરેક રિવાયતો વર્ણન કરી- કહ્યું: આ વિશે વધારે પડતી હદીષો અને તેના દરેક સ્ત્રોત ઝઇફ (કમજોર) છે.

હાફિઝ ઉકૈલી રહિમહુલ્લાહએ કહ્યું: આ વિશે કોઈ સાચી હદીષ મળતી નથી.

શૈખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈમિય્યા રહિમહુલ્લાહએ સ્પષ્ટ રીતે કહ્યું કે આ દરેક હદીષો ખોટી છે અને ઈબ્ને તૈમિય્યા રહિમહુલ્લાહનું જ્ઞાન, માહિતી બાબતે તમારા માટે પૂરતા છે.

જો તેમાંથી કોઈ પણ વાત સાચી હોત, તો સહાબા રઝી અલ્લાહુ અન્હુમ સૌથી પહેલા તેના પર અમલ કરતા અને કોમને તેના વિષે જણાવતા અથવા તેની તરફ માર્ગદર્શન આપતા; કારણકે તેઓ નબીઓ પછી સૌથી શ્રેષ્ઠ લોકો માંથી છે, અને અલ્લાહના આદેશો અને તેની શરીઅતને સારી રીતે જાણનાર છે, અલ્લાહ અને તેના સર્જનના સૌથી વધારે શુભચિંતક પણ તે જ છે, જયારે આ વિષે તેમના દ્વારા કોઈ વાત વર્ણન કરવામાં આવી નથી, તેથી જાણવા મળ્યું કે આ દરેક પ્રકારના કાર્યો અવૈધ છે.

જો તેમાંથી કોઈ પણ હદીષ સાચી હોત, તે ફક્ત શરીઅત મુજબ ઝિયારત કરવા પ્રત્યે વર્ણન કરવામાં આવી છે, જેના દ્વારા ફક્ત કબરની ઝિયારત (દર્શન) કરવાનો પુરવો નથી મળતી, પરંતુ આ અર્થથી બંને પ્રકારની હદીષો પર અમલ થઇ જાય છે, અને ઉચ્ચ અલ્લાહ જ આ વિષે સારી રીતે જાણે છે.

વિભાગ

મસ્જિદે કૂબા અને બકીઅ કબ્રસ્તાનની ઝિયારત મુસ્તહબ હોવાનું વર્ણન

મદીનહનો સફર કરનાર માટે મસ્જિદે કૂબાની ઝિયારત કરવી તથા નમાઝ પઢવી યોગ્ય છે, જેમકે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમમાં પણ અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા રિવાયત છે, તેમણે કહ્યું: «અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાર થઈ અથવા પગપાળા કુબા મસ્જિદ તરફ જતાં અને ત્યાં બે રકઅત નમાઝ પઢતા ([૧૭૧])», [૧૩૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૯૩), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૯૯).

સહલ બિન્ સઅદ રઝી અલ્લાહુ અન્હું વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ પોતાના ઘરેથી વઝુ કરી મસ્જિદે કુબા આવે અને ત્યાં નમાઝ પઢે તો તેને ઉમરહ કરવાનો સવાબ મળશે ([૧૭૨])». [૧૩૧] આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૪૧૨).

એવી જ રીતે તેના માટે બકીઅની કબરો, ઉહદના શહીદોની કબરો અને હમઝહ રઝી અલ્લાહુ અન્હુની કબરની ઝિયારત કરવી સુન્નત છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેની ઝિયારત કરતા હતા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કબરોની ઝિયારત કરતા રહો; કારણકે તે તમને આખિરતની યાદ અપાવે છે ([૧૭૩])» આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે. [૧૩૨] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૭૬).

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને આ દુઆ શીખવાડતા, જયારે તેઓ કબરની ઝિયારત કરે તો પઢે: «"અસ્સલામુ અલૈકુમ અહલદ્ દિયાર, મિનલ્ મુઅમિનીન વલ્ મુસ્લિમીન, વ ઈન્ના ઇન્ શાઅ અલ્લાહુ બિકુમ લાહિકુન, નસ્અલુલ્લાહુ લના વ લકુમલ્ આફીયહ, યરહમલ્લાહુલ્ મુસ્તકદિમીન મિન્ના વલ્ મુસ્તઅખિરીન" (અર્થ: હે આ ઘરમાં રહેનારા મોમિનો અને મુસલમાનો! તમારા પર સલામતી થાય, અલ્લાહએ ઇચ્છયું તો અમે પણ તમારી સાથે પહોંચીશું, અમે અલ્લાહ પાસે અમારા અને તમારા માટે આફિયતનો સવાલ કરીએ છીએ, અમારા માંથી જેઓ પહેલાં જઈ ચૂક્યા છે અને જેઓ પછી આવનાર છે, અલ્લાહ તેમના પર કૃપા કરે) ([૧૭૪])» આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ સુલૈમાન બિન્ બુરૈદહ જેઓ પોતાના પિતા દ્વારા વર્ણન કરે છે, તેમની હદીષ માંથી વર્ણન કરી છે. [૧૩૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૭૫).

આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા વર્ણન કરી છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહની કબરો પાસેથી પસાર થયા, તો કબરોમાં દફન લોકો તરફ મોઢું કરી કહ્યું: «"અસ્સલામુ અલૈકુમ યા અહલલ્ કુબૂર, યગ્ફિરૂલ્લાહુ લના વલકુમ, અન્તુમ સલફુના વ નહનુ બિલ્ અષર" (અર્થ: હે કબરના રહેવાસીઓ! અલ્લાહ અમને અને તમને માફ કરે તમે અમારા પૂર્વજ છો અને અમે તમારી પાછળ આવી રહ્યા છે) ([૧૭૫])». [૧૩૪] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: (૧૦૩૫).

આ હદીષો દ્વારા સ્પષ્ટ થાય છે ધાર્મિક રૂપે કબરોની ઝિયારત કરવાનો હેતુ આખિરતને યાદ કરવા, મૃતકો પ્રત્યે ભલાઈ અને તેમના માટે દુઆ કરવી અન અને તેમના માટે કૃપાની દુઆ કરવાનો છે.

જો કબરની ઝિયારત કરવાનો હેતુ તેમની પાસે દુઆ માંગવાનો, ત્યાં ઉભા રહી પોતાની જરૂરતો પૂર્ણ કરાવવાનો, બીમાર માટે ઠીક થવાની દુઆ કરવાનો અથવા અલ્લાહ પાસે તેમના માધ્યમ દ્વારા માંગવા અથવા તેમની પ્રતિષ્ઠા દ્વારા માગવાનો હોય, તો આ એક નિંદનીય બિદ્અતી સફર છે, ન તો તેને અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને માન્ય કર્યું છે ન તો સદાચારી પૂર્વજોએ તેના પર અમલ કર્યો છે, પરંતુ આ તે દુષ્ટ કાર્યો માંથી જેનાથી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રોક્યા છે અને કહ્યું: «કબરોની ઝિયારત કરતા રહો અને નક્કામી વાત ન કહો ([૧૭૬])». [૧૩૫] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ ઇબ્ને બુરૈદહ દ્વારા, અને તેમણે તેમના પિતાથી વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૭૭).

આ દરેક કાર્યો બિદ્અત હોવા બાબતે તો એક જ છે, પરંતુ દરેકના દરજ્જા અલગ છે, કેટલીક બિદ્અતો શિર્ક નથી, જેમકે કબરો પાસે અલ્લાહથી દુઆ કરવી અને મૃતકના અધિકાર અને પ્રતિષ્ઠા દ્વારા દુઆ કરવી, અને કેટલીક બિદ્અતો મોટા શિર્ક માંથી છે, જેમકે મૃતકોને પોકારવા તેમની પાસે મદદ માંગવી વગેરે.

આ સંદર્ભમાં વિસ્તાર પૂર્વક વર્ણન આગળ થઇ ચુક્યું છે, જેથી તેનાથી સચેત રહેવું જોઈએ અને અલ્લાહ પાસે સત્યની તૌફીક અને હિદાયત માંગવી જોઈએ, અલ્લાહ જ તૌફીક આપનાર છે, તેના સિવાય ન તો કોઈ પૂજ્ય છે ન તો કોઈ પાલનહાર.

આ તે છેલ્લી વાત છે જે અમે લખવા ઈચ્છતા હતા અને અલ્લાહ માટે શરૂઆત કરી હતી અને અંતમાં પણ તેની જ પ્રસંશા છે, અને અલ્લાહ તફરથી દરૂદ અને સલામ ઉતરે તેના બંદા અને પયગંબર અને તેના સર્જનમાં સૌથી શ્રેષ્ઠ મુહમ્મદ પર, તેમની સંતાન અને તેમના સહાબાઓ પર અને કયામત સુધી સારી રીતે તેમનું અનુસરણ કરનારાઓ પર.