آداب السفر وأحكامه

آداب السفر وأحكامه

સફરના આદાબ અને તેના આદેશો દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, દરૂદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના ઘરવાળાઓ અને તેમના દરેક સહાબાઓ પર.

Language: lang_gu
Prepared by: અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)
Version: 3.0
Translations 50
Akan Amharic Assamese Azerbaijani +46
Attachments 7
PDF
Audio
Video
+3

સફરના આદાબ અને તેના આદેશો દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, દરૂદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના ઘરવાળાઓ અને તેમના દરેક સહાબાઓ પર.

ત્યાર બાદ:

સફર કરવાના આદાબ અને આદેશો વિષે આ એક સંક્ષિપ્ત કિતાબચો છે, જેમાં એક મુસાફિરને જે બાબતો જાણવી જરૂરી છે, તેને વર્ણન કરવા માટે અમે ઘણા ઉત્સુક છે.

અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ કાર્યને ફક્ત તેની પ્રસન્નતા માટે કરવાની તૌફીક આપે અને દરેક મુસલમાનો માટે ફાયદાકારક બનાવે.

અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)

પહેલું: સફર કરવાના કેટલાક અદબ

જે વ્યક્તિ હજ્જ અથવા અન્ય ઈબાદત માટે સફર કરે, તો તેમણે નીચે વર્ણવેલ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ:

૧- સમય, સવારી, દોસ્ત અને જો એકથી વધારે માર્ગ હોય, તો અલ્લાહ પાસે ઇસ્તિખારહ કરવું જોઈએ, તે બાબતે નિષ્ણાંત અને માહિતગાર લોકો પાસે સલાહ લેવી, જો ઉમરહ અને હજનો સફર કરતા હોય, તો તેમાં કોઈ શંકા નથી કારણકે તેમાં તો ભલાઈ જ છે, ઇસ્તિખારહ કરવાનો તરીકો: બે રકઅત નમાઝ પઢવામાં આવે અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ દ્વારા સાબિત દુઆ પઢવામાં આવે.

૨- હજ અને ઉમરહ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે હજ અને ઉમરહ ફક્ત એક અલ્લાહને પ્રસન્ન કરવા, તેની નિકટતા પ્રાપ્ત કરવા માટે કરે, દુનિયાની પ્રાપ્તિ, નામચીન થવા તેમજ અલગ અલગ ઉપનામ લેવા અને દેખાડો કરવા માટે ન કરે; કારણકે આ પ્રમાણેની નિયતો કાર્યને અમાન્ય કરવા અને તે કાર્ય કબૂલ ન થવાના સ્ત્રોત માંથી એક છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {હે પયગંબર! કહી દો કે હું તો તમારી જેમ એક માનવી જ છું, (હા પરંતુ) મારી તરફ વહી કરવામાં આવે છે, કે ખરેખર તમારો ઇલાહ ફક્ત એક જ ઇલાહ છે, તો જે કોઈ પોતાના પાલનહાર સાથે મુલાકાત કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તેણે નેક કાર્યો કરવા જોઈએ, પોતાના પાલનહારની ઈબાદતમાં કોઈને પણ ભાગીદાર ન ઠેરવે} [સૂરે અલ્ કહફ: ૧૧૦]. અને હદીષે કુદસીમાં છે: «હું તે દરેક (જેમની અલ્લાહને છોડી ઈબાદત કરવામાં આવી રહી છે) ભાગીદારો અને તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેરવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું» [૧]. [૧] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૯૮૫).

૩- હજ અને ઉમરહ કરનાર વ્યક્તિએ સચોટ હજ અને ઉમરહના આદેશો શીખવા જોઈએ, તેમજ સફર કરતા પહેલા સફરના આદાબ પણ શીખવા જોઈએ; જેથી તેનાથી કોઈ અનિવાર્ય કાર્ય છૂટી ન જાય, અથવા કોઈ અવૈધ કાર્ય ન થઈ જાય, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સાથે અલ્લાહ ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે» [૨]. [૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૧૧૬), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૦).

૪- હજ અને ઉમરહ કરનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે હજ અને ઉમરહ પોતાના હલાલ માલ દ્વારા કરે; કારણકે અલ્લાહ પવિત્ર છે, તે ફક્ત પાક અને પવિત્ર વસ્તુઓ જ પસંદ કરે છે; કારણકે હરામ માલ દુઆ કબૂલ થવાના માર્ગમાં અવરોધ બને છે.

૫- દરેક પ્રકારના ગુનાહ અને ભૂલચૂકથી તૌબા કરવી અને જો કોઈ વ્યક્તિ પર અત્યાચાર કર્યો હોય અથવા તેનો અધિકાર હડપી લીધો હોય, તો તેને આપી દેવામાં આવે, એ જ પ્રમાણે તેની ઇઝઝત તેના માલ વગેરેમાં હક છીનવાઈ ગયો હોય, તો તેને તે આપી દેવામાં આવે.

૬- મુસાફર માટે મુસ્તહબ છે કે તે વસિયત લખી લે, જે હક તેને આપવાના હોય અથવા જે હક તેને લેવાના હોય; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ પણ મુસલમાન વ્યક્તિ, જેની પાસે કોઈ એવી વસ્તુ હોય, જેમાં તે વસીયત કરી શકે છે, તો તેના માટે વસીયત લખ્યા વગર ત્રણ રાત પણ પસાર કરવી જાઈઝ નથી» [૩]. તેના પર સાક્ષી બનાવે, તેના દેવાની ગણતરી હોવી જોઈએ, જેમની અમાનત હોય તેમના સુધી તેમની અમાનત પહોંચાડવાની ક્ષમતા તેમજ પોતાની પાસે રાખવાની પરવાનગી હોવી જોઈએ. [૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૭૩૮) અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬૨૭).

૬- મુસાફિર માટે મુસ્તહબ છે કે તે પોતાની સાથે એક સદાચારી દોસ્ત નક્કી કરે, જે દોસ્ત શરીઅતનું જ્ઞાન સારી રીતે જાણતો હોય; કારણકે આ વસ્તુ તેના સફરમાં સફળતા અને તેના હજ તેમજ ઉમરહમાં ખોટા માર્ગથી બચવાનો સ્ત્રોત છે; આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વ્યક્તિ પોતાના દોસ્તના દીન પર હોય છે, એટલા માટે તમારા માંથી દરેકે ધ્યાન રાખવું જોઈએ કે તેણે પોતાનો દોસ્ત કોને બનાવ્યો છે» [૪]; એવી જ રીતે અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ફક્ત મોમિન વ્યક્તિને જ દોસ્ત બનાવો, તમારી સાથે ફક્ત સદાચારી લોકો જ બેસીને ખાવા જોઈએ» [૫]. [૪] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૮૩૩). [૫] આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૮૩૨), અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૩૯૫).

૮- મુસાફર માટે યોગ્ય છે કે તે પોતાના ઘરવાળાઓ, પોતાના સંબંધીઓ, પાડોશીઓને અને દોસ્તોને અલ્ વિદા કહી શકે છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યુ: «જ્યારે કોઈ વ્યક્તિ સફર કરવાનો ઈરાદો કરે, તો તેણે તેની પાછળના લોકોને દુઆમાં આ શબ્દો કહે: "અસ્તવદિઉકુમુલ્લાહુલ્લઝી લા તુઝિઉ વ દાઇઅહુ", (હું તમને અલ્લાહના હવાલે કરું છું, જેની અમાનત ક્યારેય વ્યર્થ નથી થતી)» [૬], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના સાથીઓને જ્યારે તેમના માંથી કોઈ સફર કરવાનો ઈરાદો કરતા, તો આ શબ્દો કહી અલ્ વિદાઅ કહેતા હતા: «"અસ્તવ્દિઉલ્લાહ દીનક વઅમાનતક વ ખવાતિમ અમલિક" (હું તમને તમારા દીન, તમારી અમાનત અને તમારા અંજામને અલ્લાહના હવાલા કરું છું)» [૭], આપ સલ્લલ્લાહુ અલયહિ વસ્સલ્લમ તે મુસાફિરોને કહેતા, જેઓ આપથી નસીહત કરવાની માંગ કરતા : «"ઝવ્વદકલ્લાહુત્ તકવા, વગફર ઝમ્બક, વ યસ્સર્ લકલ્ ખૈર હૈષુ મા કુન્ત" (અલ્લાહ તઆલા આપને તકવો અપનાવવાની તૌફીક આપે, તમારા ગુનાહ માફ કરે, તમે જ્યાં પણ રહો તમારા માટે ભલાઈ આસાન કરી દે)» [૮] એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલયહિ વસ્સલમ પાસે આવ્યો, જેણે સફર કરવાનો ઈરાદો કર્યો હતો, તેણે કહ્યું કે હે અલ્લાહના રસૂલ ! મને વસિયત કરો, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસ્સલમે કહ્યુ : «»હું તને અલ્લાહનો તકવો અપનાવવાની વસિયત કરું છું, અને દરેક ઊંચી જગ્યા પર અલ્લાહુ અકબર કહેવાની તાકીદ કરું છું, જ્યારે તે જવા લાગ્યો તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસ્સલમે કહ્યું : (હે અલ્લાહ! તેના માટે જમીન સાંકળી કરી દે અને તેના સફરને આસાન બનાવી દે» [૯]. [૬] આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૩૨). [૭] આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પોતાની મુસ્નદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૫૨૪). [૮] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: (૩૪૪૪). [૯] આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પોતાની મુસ્નદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૭૨૪).

૯- સફરમાં પોતાની સાથે ઘંટી, સંગીતના સાધનો તેમજ કૂતરું ન લઈ જવું જોઈએ; કારણકે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: «જે જૂથ સાથે કૂતરું અથવા ઘંટી હશે તેમની સાથે ફરિશ્તાઓ જતા નથી» [૧૦]. [૧૦] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૧૧૩).

૧૦- જો તે સફરમાં પોતાની પત્નીને સાથે લેવાનો ઈરાદો હોય અને તેની એકથી વધારે પત્નીઓ હોય, તો તેણે ચિઠ્ઠી ઉછાડવી જોઈએ, જેનું નામ ચિઠ્ઠીમાં નીકળે, તે તેની સાથે સફર કરે; કારણકે આયશા રઝી અલ્લાહુ અન્હાની હદીષ છે, તેમણે કહ્યું: «જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ સફર કરવાનો ઈરાદો કરતા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ પોતાની પત્નીઓ વચ્ચે ચિઠ્ઠીઓ ઉછાડતા, જેનું નામ ચિઠ્ઠીમાં નીકળતું તેને પોતાની સાથે સફરમાં લઈ જતા» [૧૧]. [૧૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૯૩), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૭૭૦).

૧૧- મુસાફર માટે યોગ્ય છે કે તે ગુરુવારના દિવસે સવારે સફર શરૂ કરે, જો તેના માટે સરળ હોય; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ આ પ્રમાણે જ કરતાં હતા, કઅબ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગુરુવાર સિવાય અન્ય દિવસે સફર કરતા હોય, એવું ઓછું થતું» [૧૨]. [૧૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૯૪૯).

૧૨- સફર વગેરે માટે ઘરેથી નીકળતી વખતે આ દુઆ પઢવી મુસ્તહબ છે, બસ તે નીકળતી વખતે આ શબ્દો કહે: «"બિસ્મિલ્લાહિ, તવકકલ્તુ અલલ્લાહિ, વલા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક અન્ અઝિલ્લ અવ ઉઝલ્લ, અવ અઝિલ્લ અવ ઉઝલ્લ, અવ અઝ્લિમ અવ ઉઝ્લમ, અવ અજ્હલ અવ યુજ્હલ અલય્ય", અર્થ: અલ્લાહના નામથી અલ્લાહ ઉપર જ ભરોસો કરતા હું ઘર માંથી બહાર નીકળું છું, અલ્લાહની તૌફીક વગર કોઈ પણ કામ કરવાની શક્તિ હું ધરાવતો નથી, હે અલ્લાહ! હું એ વાતથી પનાહ માંગુ છું કે કોઈને ગુમરાહ કરું અથવા મને ગુમરાહ કરવામાં આવે, હું પોતે ભટકું અથવા ભટકાવવામાં આવું, હું પોતે કોઈના પર અત્યાચાર કરું અથવા કોઈ મારા પર અત્યાચાર કરે, હું પોતે અજ્ઞાની કાર્ય કરું અથવા મારાથી કોઈ નક્કામુ અજ્ઞાની કાર્ય કરાવવામાં આવે» [૧૩]. [૧૩] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૦૯૪).

૧૩- મુસાફર માટે સફરની દુઆ કરવી મુસ્તહબ છે, જ્યારે સવારી પર સવારી કરો અથવા ગાડી અથવા વિમાનમાં અથવા અન્ય કોઈ પણ વિહિકલ પર સવાર હોવ તો આ દુઆ પઢે: «"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે), ફરી કહે: {"સુબ્હાનલ્લઝી સખ્ખર લના હાઝા વમા કુન્ના લહુ મુકરિનીન, વઇન્ના ઇલા રબ્બિના લમુન્કલિબુન" (તે ઝાત અત્યંત પવિત્ર છે, જેણે આ સવારી અમારા માટે આધીન કરી, ખરેખર તેને કાબુમાં કરવાની ક્ષમતા અમારામાં ન હતી અને એ કે અમારે અલ્લાહ તરફ જ પાછા ફરવાનું છે)} [અઝ્ ઝુખ્રુફ: ૧૪], "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક ફી સફરિના હાઝલ્ બિર્ર વત્ તકવા, વમિનલ્ અમલિ મા તરઝા, અલ્લાહુમ્મ હવ્વિન અલયનસ્ સફર, વત્-વિ અન્ના બુઅદહ, અલ્લાહુમ્મ અન્તસ્ સાહિબુ ફિસ્ સફરિ, વલ્ ખલીફતુ ફિલ્ અહલિ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિવ્ વઅષાઇસ્ સફરિ [૧૪], વકઆબતિલ્ મન્ઝરિ [૧૫], વ સૂઈલ્ મુન્કલબિ [૧૬]: ફિલ્ માલિ, વલ્ અહલિ..", અર્થ:(હે અલ્લાહ! અમે તારી પાસે આ સફરમાં નેકી કરવાની અને તકવાની તૌફીક માંગીએ છીએ અને એવા અમલ કરવાની જેના કારણે તું ખુશ થઈ જાવ, હે અલ્લાહ! આ સફરને તું અમારા માટે આસાન બનાવી દે, તેમજ તેના અંતરને સમેટી દે, હે અલ્લાહ! તું જ સફરમાં મારો સાથી છે અને ફક્ત તું જ મારા ઘરની દેખરેખ રાખનાર છે, હે અલ્લાહ! હું તારી પાસે સફરની તકલીફો, ચિંતા અને ગમથી તેમજ પોતાના માલ અને ખરાબ સ્થિતિમાં મારા ઘરવાળાઓ પાસે પાછા ફરવાથી તારી પનાહ માગું છું)» [૧૭]. [૧૪] વઅષાઇસ્ સફરિ: સફરની કઠિનતા. અલ્ ઇફ્સાહ અન્ મઆનિસ્ સિહાહ (૪/૨૮૪). [૧૫] ખરાબ સ્થિતિ અને દુઃખદ કોઈ ઘટના. અલ્ ઇફ્સાહ અન્ મઆનિસ્ સિહાહ (૪/૨૮૪). [૧૬] (અલ્ મુન્કલબ): પરત ફરવું. અલ્ ઇફ્સાહ અન્ મઆનિસ્ સિહાહ: (૪/૨૮૪). [૧૭] આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પોતાની મુસ્નદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૩૭૪).

૧૪- મુસાફર માટે યોગ્ય છે કે તે કોઈને સાથે લીધા વગર એકલો સફર ન કરે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો લોકો એકલા સફર કરવાની ગંભીરતા જાણી જાય, જે હું જાણું છું તો કોઈ મુસાફિર રાતમાં એકલો યાત્રા ન કરે» [૧૮]. [૧૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૯૯૮).

૧૫- મુસાફરો જો વધારે સંખ્યામાં હોય, તો તે પોતાના માંથી એકને આગેવાન નક્કી કરી લે, જેથી એકતા જળવાઇ રહે અને ઠોસ રીતે તેના હેતુઓ પ્રાપ્ત કરી શકાય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌જ્યારે ત્રણ વ્યક્તિ સફર કરવા માટે નીકળે તો તેમાંથી એકને આગેવાન નક્કી કરી લેવા જોઈએ» [૧૯]. [૧૯] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૦૮).

૧૬- અલ્લાહએ અનિવાર્ય કરેલ ફરજો પૂરી કરવી, હરામ કામોથી બચવું અને લોકો સાથે સદ વ્યવહાર કરવો, જરૂરતમંદની મદદ કરવી, જો કોઈને જ્ઞાનની જરૂર હોય, તો તેને જ્ઞાન આપવું, પોતાના માલ બાબતે વિશાળતા અપનાવવી, જે તે પોતાના ફાયદા માટે અને પોતાના ભાઈઓ અને તેમની જરૂરીયાતો માટે ખર્ચ કરે.

૧૭- જરૂર પડતી રકમ અને સફર ખર્ચ જરૂર લઈ લેવો જોઈએ; કારણકે સફરમાં ઘણી વખત સ્થિતિ અલગ હોય છે અને મામલો પણ વિપરીત હોય છે.

૧૮- સફરમાં સાથીઓ સાથે હસતાં ચહેરે તેમજ પ્રસન્ન થઈને રહેવું, દોસ્તોને ખુશ કરવા માટે ઉત્સુક રહેવું; જેથી તેઓ વિનમ્રતા સાથે રહે.

૧૯- દોસ્તો તરફથી આવતી તકલીફો પર સબર કરવી, તેમજ તેમના વિવિધ મંતવ્યો પર ધીરજ રાખી કામ લેવું જોઈએ, તેમની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ, જેથી તેમની વચ્ચે સન્માન જળવાઈ રહે અને તેમના દિલ પવિત્ર રહે.

૨૦- જ્યારે મુસાફરો કોઈ સ્થાને ઉતરે, તો યોગ્ય છે કે દરેક સાથીઓ એકબીજાની નજીક રોકાણ કરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબા જ્યારે કોઈ જગ્યા પર રોકાણ કરતા, તો વાદીઓ અને મેદાનમાં ફેલાય જતા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌તમારું આ રીતે વાદીઓ અને મેદાનમાં ફેલાય જવું શૈતાન તરફથી છે» [૨૦], આ આદેશ પછી સહાબા તે રીતે નજીક રોકાણ કરતા કે એક કપડું તેમની ઉપરથી પાથરવામાં આવે તો દરેક સહાબા તે કપડા નીચે આવી જતા. [૨૦] આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પોતાની મુસ્નદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૭૩૬).

૨૧- જ્યારે સફર દરમિયાન કોઈ જગ્યા અથવા સ્થાન પર રોકાણ કરો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત દુઆ પઢવી જોઈએ: «‌»"અઊઝુ બિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (હું અલ્લાહના સંપૂર્ણ કલિમા સાથે તે દરેક વસ્તુની બુરાઈથી પનાહ માંગું છું, જે તેણે પેદા કરી છે)» [૨૧]; જો આ દુઆ પઢી લેવામાં આવે તો જ્યાં સુધી તે જગ્યા પર રોકાણ કરશે, અલ્લાહની મદદથી કોઈ વસ્તુ તેને નુકસાન પહોંચાડી શકતી નથી. [૨૧] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૭૦૮).

૨૨- મુસાફર માટે યોગ્ય છે કે તે ઊંચાઈ વાળી જગ્યા પર અલ્લાહુ અકબર પઢે અને ઢાળ વાળી જગ્યા પર સુબ્હાનલ્લાહ પઢે, જાબિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: "જ્યારે અમે કોઈ ઊંચાઈ પર ચઢતા તો અલ્લાહુ અકબર કહેતા અને જ્યારે ઢાળ વાળી જગ્યા પરથી ઉતરતા તો સુબ્હાનલ્લાહ કહેતા" [૨૨]. અલ્લાહુ અકબર કહેતી વખતે અવાજ બુલંદ ન કરવો જોઈએ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌હે લોકો! પોતાના પર રહમ કરો; એટલા માટે કે તમે કોઈ બહેરા અથવા ગાયબ ઝાતને નથી પોકારી રહ્યા, તે તમારી સાથે છે, નિઃશંક તે અત્યંત સાંભળવાવાળો અને નજીક છે» [૨૩]. [૨૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૯૯૪). [૨૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૯૯૩).

૨૩- મુસાફર માટે મુસ્તહબ છે કે રાતના સમયે સફર શરૂ કરે, ખાસ કરીને રાતના શરૂના ભાગમાં; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌રાત્રે સફર કરો; કારણકે રાતના સમયે જમીન સમેટવામાં આવે છે» [૨૪]. [૨૪] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૭૧).

૨૪- મુસાફર માટે મુસ્તહબ છે કે તે સફરમાં ખૂબ જ દુઆઓ કરે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «‌ત્રણ વ્યક્તિઓની દુઆ કબૂલ થવામાં કોઈ શંકા નથી: પીડિત વ્યક્તિની દુઆ, મુસાફિરની દુઆ, પિતાની પોતાના સંતાનના હિતમાં દુઆ» [૨૫]. [૨૫] આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પોતાની મુસ્નદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૭૭૧).

***

બીજો: સફર દરમિયાન પાકી સફાઈ

મુસાફિર માટે જરૂરી છે કે તે સફર દરમિયાન સફાઈનો ખાસ ખ્યાલ રાખે, નાની ગંદકી માટે વઝૂ કરવું જોઈએ અને જનાબત માટે સ્નાન કરવું જોઈએ.

જો તેને પાણી ન મળે, અથવા તેની પાસે થોડુંક જ પાણી હોય, જે ખવાપીવા માટે જરૂરી હોય, તો તેણે તયમ્મુમ કરવું જોઈએ.

તયમ્મુમ કરવાનો તરીકો: જમીન પર પોતાના બંને હાથ મારવા અને તેનાથી ચહેરા અને કાંડા સુધી હાથ પર મસહ કરવો.

તયમ્મુમથી જે પાકી લેવામાં આવે છે, તેનો સબંધ સમય સાથે હોય છે, જ્યારે તેમને પાણી મળી આવે તો તયમ્મુમનો ઉપયોગ નહી થાય, ત્યારે પાણીનો જ ઉપયોગ કરવો પડશે, જો તમે જનાબત માટે તયમ્મુમ કરેલું હોય તે છતાંય પાણી મળી આવે તો સ્નાન તો કરવું જ પડશે, અને જો તયમ્મુમ વડે પેશાબ વગેરેથી પાક થવા માટે તયમ્મુમ કર્યું હશે અને પછી પાણી મળી આવે તો વઝૂ કરવું જરૂરી થઈ જશે, હદીષમાં વર્ણન થયું છે: «પાક માટી મુસલમાન માટે વઝૂ કરવાનો સ્ત્રોત છે, જો દસ વર્ષ સુધી પણ પાણી ન મળે તો તે માટી વડે તયમ્મુમ કરી શકે છે, જ્યારે પાણી મળી આવે, તો તે અલ્લાહથી ડરે, અને તેનાથી તેની ચામડી ધૂએ» [૨૬]. [૨૬] આ હદીષને ઈમામ બઝ્ઝાર રહિમહુલ્લાહએ પોતાની મુસ્નદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૦૬૮).

મોજા પર મસહ કરવો કુરઆન, સુન્નત અને અહલે સુન્નતના ઇજમાઅ (સર્વસંમતિ) દ્વારા સાબિત છે.

ચામડાના મોજા અને તેના જેવી વસ્તુ પર મસહ કરવાની કેટલીક શરતો:

૧. ચામડા અને રૂ બંને મોજા હલાલ અને પાક હોવા જોઈએ.

૨. તેને પાકીની સ્થિતિમાં પહેર્યા હોવા જોઈએ.

૩. પગ ધોવા માટે જરૂરી જગ્યા જ્યાં સુધી નક્કી છે ત્યાં સુધીનો અંગ ઢાંકેલો હોવો જોઈએ.

૪. ફક્ત નાની ગંદકીથી પાકી માટે મસહ કરી શકાય છે, મોટી ગંદકી જેવી કે જનાબત વગેરે માટે મસહ કરવો જાઈઝ નથી, તેના માટે સ્નાન કરવું અનિવાર્ય છે.

૫. શરીઅતે વર્ણવેલ સમય સુધી મસહ કરી શકાય છે, રહેવાસી માટે એક દિવસ અને એક રાત, મુસાફર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત અને આ સમય પહેલી વખત મસહ કર્યા પછી શરૂ થશે, જોવા જઈએ તો ચોવીસ કલાસ રહેવાસી માટે અને બોત્તેર કલાક મુસાફર માટે.

ત્રણ કારણોસર મસહ કરેલ અમાન્ય થઈ જશે:

૧. એવી નાપાકી જેની પાકી માટે સ્નાન અનિવાર્ય હોય, તો મોજા પર મસહ કરેલ અમાન્ય ગણાશે, જેમકે જનાબતનું સ્નાન, ત્યારે સ્નાન કરવું જરૂરી થઈ જાય છે.

૨. મસહ કરી લીધા પછી મોજા ઉતારી દેવા.

૩. શરીઅતે નક્કી કરેલ સમયગાળો પૂરો થઈ જાય તો મસહ કરવો અમાન્ય ગણાશે.

***

ત્રીજો: સફરમાં નમાઝ કસર કરવાના આદેશો:

સફરમાં આપેલ છૂટનો ઉપયોગ કરવો એટલે કે કસર નમાઝ પઢવી પુરી નમાઝ પઢવાથી શ્રેષ્ઠ છે, જો તે ચાર રકઅત પઢી લે તો પણ તેની નમાઝ તો ગણાશે, પરંતુ તેણે શ્રેષ્ઠ કાર્ય વિરુદ્ધ કામ કર્યું.

મુસાફિર પોતાના શહેર અથવા ગામડાથી નીકળશે, તો તે કસર નમાઝ કરશે, આ જ જમહુર આલિમોનો મંતવ્ય છે.

જો તે નમાઝનો સમય થતા પહેલા જ સફર કરશે, તો તે કસર નમાઝ પઢશે; કારણકે તે નમાઝનો સમય ખતમ થતા પહેલા નીકળ્યો હતો.

ઝોહર અને અસર તેમજ મગરિબ અને ઇશા બન્ને ભેગી કરી કસર કરી શકીએ છીએ, મુસાફિર માટે જરૂરત વખતે સુન્નત તરીકો આ જ છે, જો તે કોઈ સંકટમાં ફસાયેલો હોય, તો તેના માટે જે શક્ય હોય તે જમઅ તકદીમ (ઝોહરના નમાઝના સમયે ઝોહર અને અસર બંને નમાઝ એક સાથે પઢવી એવી જ રીતે મગરિબના સમયે મગરિબ અને ઈશા બંને નમાઝ એક સાથે પઢવી) અને જમઅ તાખીર (ઝોહરના સમયે વિલંબ કરી ઝોહર અને અસર બંને નમાઝ એક સાથે પઢવી એવી જ રીતે મગરિબના સમયે વિલંબ કરી મગરિબ અને ઈશા બંને નમાઝ એક સાથે પઢવી) કરી શકે છે.

જો બન્ને નમાઝ ભેગી કરવાની જરૂર ન હોય તો ભેગી ન કરે, બીજી નમાઝનો સમય થાય ત્યાં સુધી જો તે જ જગ્યા પર હોય તો શ્રેષ્ઠ છે કે તે બે નમાઝો ભેગી ન કરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજ્જતુલ્ વિદાઅના સમયે મિનામાં રોકાણ વખતે બે નમાઝો ભેગી કરવાની જરૂર ન લાગી તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભેગી નહતી કરી.

જો મુસાફિર નફિલ નમાઝ પઢવા ઇચ્છતો હોય, તો તે એવી જ રીતે પઢશે જેવું કે રોકાણ વખતે પઢતો હતો, ચાશતની નમાઝ, તહજ્જુદની નમાઝ, વિતરની નમાઝ વગેરે. ઝોહર મગરિબ અને ઇશાની સુન્નતો માટે યોગ્ય એ છે કે તે ન પઢે.

સફરમાં નફીલ નમાઝ સવારીના સાધનો જેવા કે ટ્રેન, ગાડી, વિમાન વગેરે પર પઢી શકે છે, જ્યાં સુધી ફર્ઝ નમાઝ છે તો શક્ય હોય તો ક્યાંક ઉતરીને પઢવી જોઈએ.

મુસાફિરની નમાઝ રહેવાસી પાછળ પઢવી યોગ્ય ગણવામાં આવશે, જો તે ઇમામ પાછળ નમાઝ પઢતો હોય તો, તે નમાઝ પુરી કરશે, ભલેને એક રકઅત હોય કે તેનાથી ઓછી રકઅતમાં તે આવીને શામેલ થયો હોય, અહીં સુધી કે જો તે તશહ્હુદમાં આવીને પણ જોડાયો હોય, તો પણ તેણે સંપૂર્ણ નમાઝ પઢવી પડશે, અને આ વાત જ નિષ્ણાત આલિમો તરફથી યોગ્ય ગણવામાં આવે છે.

***

ચોથું: હજ, ઉમરહ અને સફરથી પાછા ફરતી વખતના કેટલાક આદાબ

જરૂરત વગર લાંબા સમય સુધી સફરમાં રહેવું યોગ્ય નથી, સફરથી પાછા ફરવામાં ઉતાવળ કરવી જોઈએ; આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સફર અઝાબનો એક ટુકડો છે, મુસાફરને ખાવાપીવા અને સૂવાથી વંચિત રાખે છે, એટલા માટે જરૂરત પુરી થઈ જાય, તો તરત જ ઘરે પાછા ફરવામાં ઉતાવળ કરો» [૨૭]. [૨૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૦૪), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૨૭).

જ્યારે શહેર પાછા ફરવાનો ઈરાદો કરો તો જે સવારીની દુઆ છે, તે દુઆમાં થોડાક શબ્દોનો વધારો કરી પઢવી: «"આઇબૂન, તાઇબૂન, આબિદૂન, લિરબ્બિના હામિદુન", અર્થ (અમે (સલામતી સાથે) ઘરે પાછા ફરવાના છે, અમે અલ્લાહ સામે તૌબા કરનાર, અમે અલ્લાહની ઈબાદત કરનાર અને અમે અમારા પાલનહારનો વખાણ કરનાર છીએ)» [૨૮]. [૨૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૯૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૪૨).

મુસાફર માટે યોગ્ય છે કે તે સફરથી પાછા ફરતી વખતે જે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ્ દ્વારા સાબિત હોય, તે શબ્દો કહે, જ્યારે પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિજય પામી અથવા હજ અને ઉમરહ કરી પાછા ફરતા તો દરેક ઊંચાઈ વાળી જગ્યા પર ત્રણ વખત તકબીર કહી આ શબ્દો કહેતા: «"લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન કદીર, આઇબૂન, તાઇબૂન, આબિદૂન સાજિદૂન, લિરબ્બિના હામિદૂન, સદકલ્લાહુ વઅદહ, વ નસર અબ્દહ, વ હઝમલ્ અહઝાબ વહદહ", (અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેનું જ છે, પ્રશંસા તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર સંપૂર્ણ શક્તિ ધરાવે છે, અમે (સલામતી સાથે) ઘરે પાછા ફરવાના છે, અમે અલ્લાહ સામે તૌબા કરનાર, અમે અલ્લાહની ઈબાદત કરનાર, અને તેને જ સિજદો કરનાર, અને અમે અમારા પાલનહારનો આભાર વ્યક્ત કરનાર છીએ, અલ્લાહએ તેનો વાયદો સાચો કર્યો, તેણે પોતાના બંદાની મદદ કરી, તેણે એકલા એ જ બધાને હરાવ્યા)» [૨૯]. [૨૯] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૧૧૬).

મુસાફર માટે યોગ્ય છે કે જ્યારે તે પોતાનું શહેર જુએ તો કહે: «"આઇબૂન, તાઇબૂન, આબિદૂન સાજિદૂન, લિરબ્બિના હામિદૂન", (અર્થ:અમે (સલામતી સાથે) ઘરે પાછા ફરવાના છે, અમે અલ્લાહ સામે તૌબા કરનાર, અમે અલ્લાહની ઈબાદત કરનાર અને અમે અમારા પાલનહારનો વખાણ કરનાર છીએ)» [૩૦], શહેરમાં દાખલ થતાં સુધી આ શબ્દો કહેતો રહે; કારણ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ આ પ્રમાણે જ કરતાં હતા. [૩૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૯૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૪૨).

જરૂરિયાત વગર જો તે લાંબા સમય સુધી ઘરની બહાર રહ્યો હોય, તો ઘર પર જાણ કર્યા વગર રાતના સમયે ન આવે, રાત્રે આવવાની જાણ તેમને હોવી જોઈએ; કારણ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રોક લગાવી છે, જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રોક લગાવી છે કે વ્યક્તિ (અચાનક) રાતના સમયે ઘરવાળાઓ પાસે પહોંચે અને તેમને ખિયાનતમાં સપડાયેલા સમજે અને તેમની ખામીઓને શોધે» [૩૧]. તેની હિકમતો માંથી કેટલીક હિકમત બીજી હદીષોમાં વર્ણન કરવામાં આવી: «જ્યાં સુધી એક સ્ત્રી પોતાના વિખયરાયેલા વાળ ઉપર કાંસકો ન કરી લે [૩૨], જેમના પતિ હાજર ન હતા તેણીઓ પોતાના વાળ સાફ કરી લે» [૩૩], એક બીજી હદીષમાં છે: «»આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રોક લગાવી છે કે વ્યક્તિ (અચાનક) રાતના સમયે ઘરવાળાઓ પાસે પહોંચે અને તેમને ખિયાનતમાં સપડાયેલા સમજે અને તેમની ખામીઓને શોધે» [૩૪]. [૩૧] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૧૫). [૩૨] (અશ્ શઅષહ): જેણે લાંબા સમય સુધી પોતાના વાળમાં કાંસકો ન કર્યો હોય, અને (અલ્ ઇસ્તિહ્દાદ): અસ્તરાનો ઉપયોગ કરવો, (અલ્ મુગીબહ): તે સ્ત્રી જેનો પતિ હાજર ન હોય, સહીહ મુસ્લિમની શરહ -અલ્ અસ્બહાની (પેજ: ૨૯૨). [૩૩] આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૯૦૯૯). [૩૪] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ: (૭૧૫).

સફર ખતમ કરી આવનાર વ્યક્તિ માટે યોગ્ય છે કે તે નજીકમાં કોઈ મસ્જિદમાં જઈ બે રકઅત નમાઝ પઢે; આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ પ્રમાણે જ કરતા.

મુસાફિર માટે યોગ્ય છે કે સફર કરી પાછો આવનાર વ્યક્તિ પોતાના ઘરવાળાઓ અને પાડોશીના બાળકો સાથે સારો વ્યવહાર કરે, જ્યારે તેઓ તમારો સ્વાગત કરે, તો તેમને માન આપવું જોઈએ, ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફતહે મક્કહના સમયે મક્કહ આવ્યા, તો અબ્દુલ મુત્તલિબના બાળકોએ આપનું સ્વાગત કર્યું, આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમએ એક બાળકને આગળ બેસાડ્યો અને બીજા બાળકને પાછળ બેસાડી લીધો, અબ્દુલ્લાહ બિન્ જઅફર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: "જ્યારે પણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સફર કરી પાછા ફરતા તો આપના બાળકોને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મુલાકાત કરવા માટે બહાર લાવવામાં આવતા, એકવાર મને અને હસન હુસૈનને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈ જવામાં આવ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે અમે મુલાકાત કરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને આગળ પાછળ સવારી પર બેસાડ્યા પછી અમે બધા શહેરમાં દાખલ થયા [૩૫]. [૩૫] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૨૪૨૮).

હદીયો આપવો પર મુસ્તહબ છે, જેનાથી એકબીજા પ્રત્યે દિલ સાફ અને દ્વેષ ખતમ થાય છે, ભેટ કબૂલ કરવી અને બદલામાં કંઈક આપવું પણ જાઈઝ છે, શરઇ કારણ વગર તેને રદ કરવું જાઈઝ નથી; એટલા માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હદીયો આપતા રહો, તેનાથી એકબીજા પ્રત્યે મોહબ્બત વધે છે» [૩૬]. ભેટ આપવી મુસલમાનો વચ્ચે મોહબ્બત વધવાના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે. [૩૬] આ હદીષને ઈમામ બૈહકી રહિમહુલ્લાહએ સુનનુલ્ કુબ્રામાં વર્ણન કરી છે, નંબર: (૧૧૯૪૬).

જ્યારે મુસાફિર સફર કરી પાછો ફરે તો તેણે ભેટવું યોગ્ય છે, જેવું કે સહાબા દ્વારા સાબિત છે કે અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: "અમે એકબીજાને મળતા તો સલામ કરી હાથ મેલાવતા અને જે વ્યક્તિ સફર કરી પાછો ફરતો તેને ગળે લાગતા" [૩૭]. [૩૭] આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ અલ્ અવ્સતમાં વર્ણન કરી છે, નંબર: (૯૭).

દરૂદ અને સલામતી ઉતરે આપણાં નબી મુહમ્મદ પર.