الإسلام دين رسل الله

الإسلام دين رسل الله

رسالة لطبفة توضح أن الإسلام هو الاستسلام لله خالق الكون والانقياد له محبة وتعظيماً، وهو دين جميع الأنبياء، يقوم على الإيمان بالله، ورسله، وملائكته، وكتبه، واليوم الآخر، والقدر خيره وشره. ويدعو إلى عبادة الله وحده، ويرى أن عيسى عبد الله ورسوله وليس ابن الله.

Language: lang_gu
Prepared by:
Version: 2.0
Translations 80
Afrikanns Akan Amharic Assamese +76
Attachments 7
PDF
Audio
Video
+3

ઇસ્લામ અલ્લાહના દરેક પયગંબરોનો દીન છે.

ઇસ્લામ પોતાને અલ્લાહની સામે સમપ્રિત કરવાને કહે છે, જે આ સૃષ્ટિને પેદા કરવાવાળો તેમજ તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવાવાળો છે, અને નિખાલસતા તેમજ આદર દ્વારા તેની આજ્ઞાનું પાલન કરવું, ઇસ્લામની મૂળ બુનિયાદ એ કે અલ્લાહ પર ઇમાન, અર્થાત આ સૃષ્ટિને તેણે પેદા કરી, તેના સિવાય દરેકે દરેક મખલૂક એટલે કે સર્જન છે, અને એ કે ફક્ત તે એકલો જ ઈબાદતને લાયક છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તેના માટે જ પવિત્ર નામો અને ઉચ્ચ ગુણો છે, તેની પાસે જ દરેક સપૂર્ણતા છે કોઈ ખામી વગર, ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન, તેના જેવું કોઈ નથી, તે કોઈના જેવો નથી, તે તેના કોઈપણ જીવોમાં ન તો અવતારિત છે અને ન તો તેનો કોઈ અવતાર છે.

ઇસ્લામ, અલ્લાહ તઆલાનો દીન છે, તે લોકો દ્વારા બીજા કોઈ પણ દીનનો સ્વીકાર નહિ કરે, અને આ તે દીન છે, જેને દરેક પયગંબરો લઈને આવ્યા.

ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી એક એ પણ કે દરેક પયગંબરો પર ઇમાન લાવવું જોઈએ, એવી રીતે કે અલ્લાહએ દરેક પયગંબરને મોકલ્યા, જેથી કરીને તેઓ અલ્લાહની ઈબાદત માટેના આદેશો લોકો સુધી પહોંચાડે, તેમને કિતાબો આપી મોકલ્યા, પયગંબરોની શ્રુખલામાં અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ છે, જેમને અલ્લાહ તઆલાએ અંતિમ શરીઅત લઈને મોકલ્યા, તેમના પહેલાની દરેક શરીઅતને નાસિખ કરી, અલ્લાહ તઆલાએ મહાન આયતો દ્વારા તેમની મદદ કરી, અને સૌથી મહાન નિશાની પવિત્ર કુરઆન મજીદરૂપે તેમને આપી, તે સમગ્ર સૃષ્ટિના પાલનહારની વાળી છે, માનવજાત માટે સૌથી મહાન કિતાબ, તે તેના અર્થ, વિષય, બાબતો, શબ્દો તેમજ શબ્દપ્રયોગમાં અને તેની વાક્ય રચના અને રૂપાંતરણમાં ચમત્કારિક કિતાબ છે, જેના દ્વારા સાચા માર્ગ તરફ હિદાયત મળે છે, જેના દ્વારા દુનિયા અને આખિરતમાં સુખ શાંતિ મળે છે, જે આજ સુધી સંપૂર્ણ કિતાબ અરબી ભાષામાં સુરક્ષિત છે, એક પણ શબ્દનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી ફરિશ્તાઓ પર ઇમાન, આખિરતના દિવસ પર ઇમાન, કયામતના દિવસે અલ્લાહ તઆલા લોકોને પોતાની કબરો માંથી ઉઠાડશે, અને પોતાના અમલ બરાબર હિસાબ કિતાબ આપશે, જે વ્યક્તિએ ઇમાનની સ્થિતિમાં નેક કાર્યો કર્યા હશે, તેનું કાયમી ઠેકાણું જન્નત હશે, જે વ્યક્તિ કૂફર કરશે, અને ખરાબ કાર્યો કર્યા હશે, તેને જહન્નમનો ભયાનક અઝાબ આપવામાં આવશે, તેમજ ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી સારી અને ખરાબ તકદીર પર ઇમાન લાવવું પણ છે.

એક મુસલમાન ઇમાન ધરાવે છે કે ઈસા અ.સ. અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, તેઓ અલ્લાહના દીકરા નથી, કારણકે અલ્લાહ સૌથી મહાન છે, તેના માટે પત્ની અને દીકરાનો વિચાર શક્ય નથી, અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં જણાવ્યું કે ઈસા અ.સ. નબી છે, અલ્લાહ તઆલાએ તેમને ભવ્ય મુઅજીઝા આપ્યા, અલ્લાહ તઆલાએ તેમને પોતાની કોમ તરફ એક અલ્લાહની ઈબાદતનો સંદેશો પહોંચાડવા માટે મોકલ્યા, અને એ કે તેનો કોઈ ભાગીદાર નથી, તેમજ ઈસા પણ નથી ઇચ્છતા કે તેમની ઈબાદત કરવામાં આવે, પરંતુ તે પોતે પોતાના સર્જકની ઈબાદત કરતા હતા.

ઇસ્લામ તદ્દન ફિતરત પ્રમાણે અને સ્વસ્થ બુદ્ધિ પ્રમાણે સુસંગત છે, દરેક સામાન્ય પ્રાણ તેનો સ્વીકાર કરી શકે છે, મહાન સર્જકે તેને પોતાના સર્જન માટે નક્કી કર્યો છે, અને ઇસ્લામ દીન દરેક માટે ભલાઈ તેમજ સુખશાંતિનો દીન છે, તે કોઈ જાતિને બીજી જાતિ પર પ્રાથમિકતા આપતો નથી, અને ન તો રંગ દ્વારા કોઈને પ્રાથમિકતા આપવામાં આવે છે, તે દરેક માટે બરાબર છે, કોઈ વ્યક્તિને કોઈના પર પ્રાથમિકતા આપવામાં આવતી નથી, પરંતુ નેક અમલ પ્રમાણે.

દરેક સમજુ વ્યક્તિ માટે જરૂરી છે કે તે અલ્લાહના રબ હોવા પર, ઇસ્લામના દીન હોવા પર અને મુહમ્મદ ﷺ નબી હોવા પર ઇમાન ધરાવે, અને આ એવી વસ્તુ છે કે માનવી પાસે આ વગર બીજો કોઈ વિકલ્પ જ નથી, કારણકે અલ્લાહ કયામતના દિવસે સવાલ કરશે તે વિશે જે પયગંબરો તેમને સમજાવ્યું હતું, જો તે મોમિન હશે, તો તેમના માટે ભવ્ય સફળતા અને કામયાબી મળશે, અને જો તેઓ કાફીર હશે તો તેમને ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડશે.

જે વ્યક્તિ ઇસ્લામમાં દાખલ થવા ઇચ્છતો હોય તેના માટે જરૂરી છે કે તેઓ આ શબ્દો: ("અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, તેનો અર્થ જાણી અને તેના પર ઇમાન લાવીને કહે, તો તે મુસલમાન બની જશે, ત્યારબાદ ઇસ્લામના અન્ય આદેશો સમયાંતરે શીખી લે, જેથી અલ્લાહએ ફર્ઝ કરેલ કાર્યો પર અમલ કરી શકે.

વધુ માહિતી માટે જુઓ: