الدروس المهمة لعامة الأمة
يهدف الكتاب إلى تعليم المسلمين أساسيات دينهم بطريقة مبسطة وشاملة. يتناول مجموعة من الدروس المهمة مثل قراءة الفاتحة وقصار السور، وأركان الإسلام والإيمان، وأقسام التوحيد والشرك، وشروط وأركان وواجبات الصلاة، بالإضافة إلى مبطلاتها، مع بيان مختصر لشروط الوضوء وفروضه ونواقضه. كما يسلط الضوء على التحلي بالأخلاق الإسلامية والآداب الشرعية، ويقدم إرشادات لطيفة حول تجهيز الميت والصلاة عليه ودفنه.
એક સામાન્ય મુસલમાન વ્યક્તિ માટે અગત્યના પાઠો
સન્માનીય શૈખ અલ્લામહ
અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ
અલ્લાહ તેમના પર રહેમ કરે.
લેખકની પ્રસ્તાવના
દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, અને ડરવાવાળાઓ માટે શ્રેષ્ઠ પરિણામ છે, દરૂદ અને સલામતી ઉતરે તેના બંદા અને પયગંબર તેમજ આપણા નબી મુહમ્મદ પર, તેમના ઘરવાળાઓ પર અને તેમના દરેક સાથીઓ પર.
ત્યાર પછી:
એક સામાન્ય મુસલમાન વ્યક્તિ માટે ઇસ્લામની જે વાતો જાણવી જરૂરી છે તેમાંથી કેટલીક વાતો વર્ણન કરી રહ્યો છું, જેનું નામ મેં "એક સામાન્ય મુસલમાન વ્યક્તિ માટે અગત્યના પાઠો" રાખ્યું છે.
હું અલ્લાહથી દુઆ કરું છું કે આ પુસ્તિકાને મુસલમાનો માટે ફાયદાકારક બનાવે, અને મારો આ પ્રયત્ન કબૂલ કરે, નિઃશંક તે ખૂબ જ સખી (દાતા) અને પ્રતિષ્ઠિત છે.
અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ એક સામાન્ય મુસલમાન વ્યક્તિ માટે અગત્યના પાઠો [૧] [૧] મજ્મૂઉ ફતાવા વ મકાલાત મુતનવ્વિઅહ (૩/૨૮૮-૨૯૮).
પહેલો પાઠ: સૂરે ફાતિહા અને નાની નાની સુરતોનું વર્ણન
સૂરે ફાતિહા અને કિસારે સૂરહ અર્થાત સૂરે ઝિલ્ઝાલથી લઈને સૂરે નાસ સુધીની સૂરતો, તે સૂરતોને સમજવી, તેની યોગ્ય તિલાવત કરવી, તેને યાદ કરવી અને તે વાતોની સમજૂતી કરવી જે વાતોને સમજવી જરૂરી હોય.
બીજો પાઠ: ઇસ્લામના સ્તંભો (અરકાન)
ઇસ્લામના પાંચ સ્તંભોનું વર્ણન, તેમાંથી પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ સ્તંભ: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અન્ન મુહમ્મદુર રસૂલુલ્લાહ" ની સાક્ષી તેના અર્થની સમજૂતી સાથે, તથા ‘લા ઇલાહ ઇલ્લલ્લાહ’ ની શરતોનો બયાન, અને તેનો અર્થ: (લા ઇલાહ) અલ્લાહ સિવાય પૂજવામાં આવતા દરેક પૂજ્યોનો ઇન્કાર કરવો, (ઇલ્લલ્લાહ) જેમાં એક જ અલ્લાહની ઈબાદતની પુષ્ટિ છે, જેનો કોઈ ભાગીદાર નથી. અને (લા ઇલાહ ઇલ્લલ્લાહ) ની શરતો નીચે મુજબ છે: ૧- એવું જ્ઞાન જે અજ્ઞાનતા વિરુદ્ધ હોય. ૨- એવો વિશ્વાસ શંકા વિરુદ્ધ હોય. ૩- એવી નિખાલસતા જે શિર્ક વિરુદ્ધ હોય. ૪- એવી સત્યતા જે જુઠ વિરુદ્ધ હોય. ૫- એવી મુહબ્બત જે નફરત વિરુદ્ધ હોય. ૬- એવું અનુસરણ જે અવજ્ઞા વિરુદ્ધ હોય. ૭- એવો સ્વીકાર જે ઇન્કાર વિરુદ્ધ હોય. ૮- તે દરેક પૂજ્યોનો ઇન્કાર જેમની અલ્લાહ સિવાય પૂજા કરવામાં આવે છે. અને તેને સંક્ષિપ્ત રૂપ બે પંક્તિઓમાં વર્ણન કરવામાં આવ્યું છે:
જ્ઞાન, યકીન, ઇખલાસ, સત્યતા, ... મોહબ્બતની સાથે આજ્ઞાકારી બની તેનો સ્વીકાર કરવો ફરી આઠમી શરત એ કે તમે તે દરેક વસ્તુનો ઇન્કાર કરો *** જેની પણ સાચા ઇલાહ સિવાય ઈબાદત કરવામાં આવે છે.
તેની સાથે મુહમ્મદુર્ રસૂલુલ્લાહની સાક્ષીનો અર્થ અને તેના સ્ત્રોત વર્ણન કરવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે. ૧- અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે વાતોની ખબર આપી છે, તેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાચા માનવા. ૨- જે વાતોનો આદેશ આપ્યો છે તેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવું. ૩- જે કામોથી રોક્યા હોય, તેનાથી રુકી જવું. ૪- અલ્લાહની ઈબાદત તે પ્રમાણે જ કરવી, જેને અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નક્કી કરી હોય. ત્યારબાદ વિદ્યાર્થી માટે ઇસ્લામના બાકી રુકનની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે, જે નીચે મુજબ છે: નમાઝ, ઝકાત, રમઝાન મહિનાના રોઝા, અને બૈતુલ્લાહનો હજ, જેને ત્યાં સુધી પહોંચવાની તાકાત હોય તેના માટે.
ત્રીજો પાઠ: ઈમાનના સ્તંભો (અરકાન)
ઈમાનના છ સ્તંભ છે: ૧- અલ્લાહ પર ઈમાન લાવવું. ૨- ફરિશ્તાઓ પર ઈમાન લાવવું. ૩- કિતાબો પર ઈમાન લાવવું. ૪- પયગંબરો પર ઈમાન લાવવું. ૫- આખિરતના દિવસ પર ઈમાન લાવવું. ૬- સારી અને ખરાબ તકદીર પર ઈમાન લાવવું, જે અલ્લાહ તઆલા તરફથી છે.
ચોથો પાઠ: તૌહીદના અને શિર્કના પ્રકાર:
તૌહીદના પ્રકારનું વર્ણન, અને તે ત્રણ છે. ૧- તૌહીદે રુબુબિયત ૨- તૌહીદે ઉલુહિયત ૩- તૌહીદે અસ્મા વ સિફાત
૧- તૌહીદે રુબૂબિય્યત: તે વાત પર ઈમાન લાવવું કે અલ્લાહ એકલો જ દરેક વસ્તુનો સર્જનહાર, અને દરેક વસ્તુની વ્યવસ્થા કરનાર છે, તેમાં તેનો કોઈ ભાગીદાર નથી.
૨- તૌહીદે ઉલૂહિય્યત: તે વાત પર ઈમાન લાવવું કે ફક્ત એક અલ્લાહ જ સાચો પૂજ્ય છે, તેમાં તેનો કોઈ ભાગીદાર નથી, અને આ જ લા ઇલાહ ઇલ્લલ્લાહની સમજૂતી છે; કારણકે તેનો અર્થ થાય છે: અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, અને નમાઝ, રોજા અને બીજી દરેક ઈબાદતો ફક્ત એક અલ્લાહ માટે જ કરવી, અને અલ્લાહ સિવાય અન્ય માટે ઈબાદતનો એક સામાન્ય ભાગ પણ કરવો યોગ્ય નથી.
૩- તૌહીદે અસ્મા અને સિફાત (નામો અને ગુણો): કુરઆન મજીદ અને સહીહ હદીષોમાં ઉચ્ચ અલ્લાહના જે નામો અને ગુણો વર્ણન કરવામાં આવ્યા છે, તેના પર ઈમાન લાવવામાં આવે અને તેને અલ્લાહ માટે તેની શાન પ્રમાણે સાબિત કરવામાં આવે, કોઈ પણ ફેરફાર, અર્થહીન, સ્થિતિ વર્ણન કર્યા વગર અને સરખામણી કર્યા વગર સ્થાપિત કરવામાં આવે; જેમ કે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {તમે કહી દો કે અલ્લાહ એક જ છે (૧) અલ્લાહ બેનિયાઝ છે (૨) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન (3) અને તેના બરાબર કોઈ નથી (૪)} [અલ્ ઇખલાસ: ૧-૪]. એવી જ રીતે સર્વશ્રેષ્ઠ અલ્લાહએ કહ્યું: {તેના જેવી કોઇ વસ્તુ નથી, તે જ છે, જે દરેક વાત સાંભળે છે અને બધું જ જુએ છે}. [અશ્ શૂરા: ૧૧], કેટલાક આલિમોએ તૌહીદના બે પ્રકાર વર્ણન કર્યા છે, અને તૌહીદે અસમા વ સિફાતને તૌહીદે રુબુબિયતમાં જ ગણી છે, અને તેમાં કોઈ વાંધો નથી; કારણકે બન્ને પ્રકારમાં જે હેતુ છે, તે સ્પષ્ટ છે.
શિર્કના ત્રણ પ્રકાર છે: ૧- શિર્કે અકબર, ૨- શિર્કે અસગર, ૩- શિર્કે ખફી.
શિર્કે અકબર (મોટું શિર્ક): શિર્કે અકબર કરનાર વ્યક્તિ જો તે જ સ્થિતીમાં મૃત્યુ પામશે, તો તેના દરેક અમલ વ્યર્થ થઈ જશે અને તે હંમેશા માટે જહન્નમમાં જશે, જેમ કે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને જો આ લોકો પણ શિર્ક કરતા, તો જે કંઈ કાર્યો કરતા તે સૌ વ્યર્થ થઇ જાત}. [અલ્ અનઆમ: ૮૮], બીજી એક જગ્યાએ પવિત્ર અલ્લાહએ કહ્યું: {મુશરિકો અલ્લાહ તઆલાની મસ્જિદોને આબાદ કરવાને લાયક નથી, જો કે તેઓ પોતે પોતાના ઇન્કારના સાક્ષી છે, તેઓના કાર્યો વ્યર્થ છે અને તેઓ જ કાયમી જહન્નમી છે}. [અત્ તૌબા: ૧૭], અને જે આ સ્થિતિમાં મૃત્યુ પામશે તો અલ્લાહ તેને કદાપિ માફ નહીં કરે અને જન્નત તેના માટે હરામ થઈ જશે, જેમકે સર્વશ્રેષ્ઠ અલ્લાહએ કહ્યું: {નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે...} [અન્ નિસા: ૪૮], બીજી એક જગ્યાએ પવિત્ર અલ્લાહએ કહ્યું: {...કારણકે જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરે છે, અલ્લાહ તઆલાએ તેના પર જન્નત હરામ કરી દીધી છે, તેઓનું ઠેકાણું જહન્નમ જ છે અને પાપીઓની મદદ કરનાર કોઇ નહીં હોય}. [અલ્ માઈદહ: ૭૨].
શિર્કે અકબરના પ્રકારો માંથી: જેમ કે મૃતકો અને મૂર્તિઓ પાસે દુઆઓ કરવી, તેમની સમક્ષ ફરિયાદ કરવી, તેમના માટે નઝર માનવી, તેમના માટે ઝબેહ કરવું, અને આવી જ રીતે ઘણા અન્ય કાર્યો.
નાનું શિર્ક (શિર્કે અસગર): જેને કિતાબ અને સુન્નત પ્રમાણે શિર્કે અસગર કહેવામાં આવ્યું હોય અને તે મોટા શિર્કના પ્રકાર માંથી ન હોય, જેમકે રિયાકરી (દેખાડો) કરવી, અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી, અથવા આમ કહેવું કે અલ્લાહ જે ઈચ્છે અને ફલાણો જે ઈચ્છે એ, વગેરે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને તમારા વિશે સૌથી વધારે જે વસ્તુનો ભય છે, તે શિર્કે અસગર છે», તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેના વિશે પૂછવામાં આવ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દેખાડો» [૨] આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહ, તબ્રાની રહિમહુલ્લાહ, અને બૈહકી રહિમહુલ્લાહએ મહમૂદ બિન્ લબીદ અન્સારી દ્વારા ઉત્તમ સનદ સાથે રિવાયત કરી છે, એવી જ રીતે તબ્રાની રહિમહુલ્લાહએ આ હદીષને કેટલીય ઉત્તમ સનદ દ્વારા મહમૂદ બિન્ લબીદ અને તેમણે રાફીઅ બિન્ ખદીજ દ્વારા અને તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા રિવાયત કરી છે. [૨] મુસ્નદ અહમદ (૫/૪૨૮), તબ્રાએ અલ્ કબીરમાં (૪/૩૩૮), બૈહકીએ શઅબમાં, (૧૪/૩૫૫), મજમઉઝ્ ઝવાઇદમાં (૧/૧૨૧) માં કહ્યું: આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, તેના વર્ણનકર્તા દરેક લોકો સાચા છે.
એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાધી, તો તેણે શિર્ક કર્યું» [૩] આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ સાચી સનદ દ્વારા ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરી છે. ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ સાચી સનદ સાથે ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા રિવાયત કરી છે, જેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અલ્લાહનાને છોડીને અન્યની કસમ ખાધી, તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું» [૪] એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે એમ ન કહો: જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે, પરંતુ તમે આ પ્રમાણે કહો: જે અલ્લાહ ઈચ્છે અને પછી ફલાણો જે ઈચ્છે» [૫] ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ આ હદીષને સાચી સનદ સાથે હુઝૈફહ બિન્ યમાન રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરી છે. [૩] મુસ્નદ અહમદ (૧/૪૭). [૪] સુનન અબૂ દાવૂદ, હદીષ નંબર: (૩૨૫૧), સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: (૧૫૩૫). [૫] સુનન અબૂ દાવૂદ, હદીષ નંબર: (૪૯૮૦) મુસ્નદ અહમદ: (૫/૩૮૪).
શિર્કનો આ પ્રકારથી ન તો ઇસ્લામ માંથી નીકળી જવાશે અને ન તો તે હંમેશા માટે જહન્નમમાં રહેશે, પરંતુ સંપૂર્ણ તૌહીદ વિરુદ્ધ ગણાશે.
શિર્કનો ત્રીજો પ્રકાર: છુપાયેલ શિર્ક (શિર્કે ખફી), તેની દલીલ, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું હું તમને તે વાત ન જણાવું જેના પ્રત્યે તમારા વિશે હું મસીહ દજ્જાલ કરતા પણ વધારે ભયજનક છું?», તો સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના પયગંબર! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે છુપાયેલું શિર્ક છે, વ્યક્તિ નમાઝ પઢી રહ્યો હોય અને કોઇની નજરોને પોતાની તરફ જોતા જુએ, તો પોતાની નમાઝને ઉત્તમ તરીકાથી પઢે છે» [૬] આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા પોતાની મુસનદમાં વર્ણન કરી છે. [૬] સુનન ઈબ્ને માજહ, હદીષ નંબર: (૪૨૦૪), મુસ્નદ અહમદ: (૩/૩૦).
શિર્કના બે પ્રકાર પણ કરી શકાય છે:
શિર્કે અકબર અને શિર્કે અસગર; જ્યાં સુધી શિર્કે ખફીની વાત છે, તો તેનો સમાવેશ બન્ને શિર્કમાં થાય છે. તે શિર્કે અકબરમાં પણ હોય છે, જેમકે મુનાફિકોનું શિર્ક; કારણકે તેઓ પોતાના આંતરિક અકીદાને છુપાવે છે અને ફક્ત દેખાડો કરતા તેમજ પોતાના પ્રાણના ભયથી ઇસ્લામને જાહેર કરે છે.
એવી જ રીતે શિર્કે ખફી શિર્કે અસગરમાં હોય છે, ઉદાહરણ તરીકે રિયાકારી, આગળ મહમૂદ બિન્ લબીદ અન્સારી રઝી અલ્લાહુ અન્હુની હદીષ, અને એવી જ રીતે અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા વર્ણન કરેલ હદીષમાં છે, અને અલ્લાહ તૌફીક આપનાર છે.
પાંચમો પાઠ: એહસાન
એહસાનનો રુકન, અને તે એ છે: તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો, જેમ કે તમે તેને જોઈ રહ્યા છો, અને જો તમે તેને જોઈ નથી શકતા, તો તે તો તમને જોઈ જ રહ્યો છે.
છઠ્ઠો પાઠ: નમાઝની શરતો
તે નવ શરતો છે:
ઇસ્લામ, બુદ્ધિ, તમીઝ, વઝૂ, ગંદકી દુર કરવી, ગુપ્તાંગને છુપાવવું, નમાઝનો સમય થવો, કિબ્લા તરફ મોઢું કરવું, નિયત કરવી.
સાતમો પાઠ: નમાઝના સ્તંભો (અરકાન)
તે ચૌદ છે:
શક્તિ હોય તો ઉભા રહેવું, તકબીરે તહરીમા કહેવું, સૂરે ફાતિહા પઢવી, રુકૂઅ, રુકૂઅ પછી કોમા (અર્થાત્ સીધા ઉભા રહેવું), સાત અંગો પર સિજદો કરવો, સિજદો કરી માથું ઉઠાવવું, બન્ને સિજદાની વચ્ચે બેસવું, સંપૂર્ણ નમાઝમાં શાંતિ, દરેક રુકન (કાર્યો) માં ક્રમ, અંતિમ તશહ્હુદ, અંતિમ તશહ્હુદમાં બેસવું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરુદ પઢવું, બન્ને બાજુ સલામ ફેરવવું.
આઠમો પાઠ: નમાઝની જરૂરી બાબતો
તે આઠ છે:
તકબીરે તહરીમાં સિવાય બાકી દરેક તકબીરો, ઇમામ અને મુસલ્લીનું (સમિઅલ્લાહુ લિમન હમીદહ) કહેવું, સૌનું (રબ્બના વ લકલ્ હમ્દ) કહેવું, રુકૂઅમાં (સુબ્હાન રબ્બીયલ્ અઝીમ) કહેવું, સિજદામાં (સુબ્હાન રબ્બીયલ્ અઅલા) કહેવું, બન્ને સિજદા વચ્ચે (રબ્બીગ ફિર્-લી) કહેવું, પહેલું તશહ્હુદ, અને તેના માટે બેસવું.
નવમો પાઠ: તશહ્હુદનું વર્ણન
તે નીચે પ્રમાણે છે:
("અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુ અલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુ અલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લા ઈલાહ ઇલ્લલ્લાહુ, વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારના વખાણ, દરેક દુઆઓ અને દરેક સારા કાર્યો અને વાતો ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર! તમાર પર સલામતી, અલ્લાહની કૃપા અને તેની બરકતો ઉતરે, અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી ઉતરે, હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના બંદા અને પયગંબર છે)).
ત્યાર પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરુદ પઢવું અને આપના માટે બરકતની દુઆ કરવી, અને આ દુઆ પઢે: ("અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા સલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે પોતાની કૃપા ઉતાર, જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર પર પોતાની કૃપા ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીયછે, હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે બરકતો ઉતાર જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર સંતાન પર બરકતો ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીય છે))
પછી અંતિમ તશહ્હુદમાં અલ્લાહ પાસે જહન્નમના અઝાબથી, કબરના અઝાબથી, જીવન અને મૃત્યુના ફિતનાથી, અને મસીહ દજ્જાલના ફિતનાથી પનાહ માંગવી જોઈએ; પછી પોતાની ઇચ્છા મુજબ જે દુઆ પસંદ હોય તે કરવી, ખાસ કરીને તેમાંથી મઅષૂર (કુરઆન અને હદીષ દ્વારા સાબિત) દુઆઓ; અને તેમાંથી:
"અલ્લાહુમ્મ ઇન્ની ઝલમ્-તુ નફ્સી ઝુલ્મન્ કષીરન્, વલા યગ્ફિરુઝ્ ઝુનૂબ ઇલ્લા અન્ત, ફગ્ફિર્ લી મગ્ફિરતન્ મિન્ ઇન્દિક્, વર્હમની, ઇન્નક અન્તલ્ ગફુરુર્ રહીમહે અલ્લાહ ! પોતાના ઝિકર, શુકર અને શ્રેષ્ઠ ઈબાદત માટે તું મારી મદદ કર. હે અલ્લાહ ! મેં મારા પર ઘણો જુલમ કર્યો છે, અને તારા સિવાય કોઈ ગુનાહ માફ કરી શકતું નથી, તું મારા ગુનાહ માફ કરી દે અને મારા પર રહેમ કર, ખરેખર તું ઘણો જ માફ કરનાર અને રહેમ કરવાવાળો છે.રહિમહુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ «»
હા, પહેલા તશહ્હુદમાં શહાદતૈન પછી ઝોહર, અસર, મગરિબ, અને ઈશામાં ત્રીજી રકઅત માટે ઉભા થઇ જશે, અને જો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરુદ પણ પઢશે તો સારું છે; સામાન્ય હદીષના કારણે, પછી ત્રીજી રકઅત માટે ઉભા થઇ જાય.
દસમો પાઠ: નમાઝની સુન્નતો
તે નીચે પ્રમાણે છે:
૧. દુઆએ ષના પઢવી
૨. કિયામ કરતા સમયે, રુકૂઅ પહેલા હોય અથવા પછી હોય, જમણા હાથની હથેળી ડાબા હાથ પર મૂકી બંને હાથ છાતી પર મુકવા.
૩. તકબીરે તહરિમા, રુકૂઅ માટે નમતા સમયમાં અને રુકૂઅ કરી ઉભા થઇ, અને પહેલું તશહ્હુદ કરી, ત્રીજી રકઅત માટે ઉભા થતી વખતે બન્ને હાથોની આંગળીઓ ભેગી કરી હાથને ખભા અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવવા.
૪. રુકૂઅ અને સિજદામાં એકથી વધુ વખત તસ્બીહ પઢવી.
૫- રુકૂઅ માંથી ઊભા થયા પછી, "રબ્બના વલકલ્ હમ્દ" થી વધારું કહેવું, અને બન્ને સિજદા વચ્ચે માફીની દુઆ એકથી વધુ વખત માંગવી.
૬. રુકૂઅમાં માથાને પીઠ બરાબર રાખવું.
૭- સિજદો કરતી વખતે બાઝુઓ અલગ રાખવા, એવી જ રીતે પેટને જાંઘના ભાગથી, અને જાંઘને પિંડલી (પગ) થી દુર રાખવી.
૮. સિજદાની સ્થિતિમાં બન્ને બાઝુઓને જમીનથી ઊંચા રાખવા.
૯. પહેલા તશહ્હુદમાં અને બન્ને સિજદા વચ્ચે નમાઝીએ ડાબા પગ ઉપર બેસવું, અને જમણા પગને ઉભો રાખવો.
૧૦. ત્રણ અથવા ચાર રકઅતની નમાઝ પઢતા હોય, તો અંતિમ તશહ્હુદમાં તવર્રુક કરવું, અર્થાત્ જમણા પગને ઉભો રાખી, તેની નીચેથી ડાબા પગને કાઢવો, અને થાપાને જમીન પર મૂકી બેસવું.
૧૧. પહેલા અને બીજા તશહ્હુદમાં બેઠકના સમયથી લઈને સલામ ફેરતા સુધી શહાદતની આંગળીથી ઈશારો કરવો અને દુઆના સમયે તેને હલાવવી.
૧૨. પહેલા તશહ્હુદમાં મુહમ્મદ અને તેમના ખાનદાનવાળાઓ પર અને એવી જ રીતે ઈબ્રાહીમ અને તેમના ખાનદાનવાળાઓ પર દરુદ અને બરકતની દુઆ પઢવી.
૧૩. અંતિમ તશહ્હુદમાં દુઆ કરવી.
૧૪. ફજરની નમાઝ, જુમ્માની નમાઝ, ઇદની નમાઝ, વરસાદ માટે પઢવામાં આવતી નમાઝ, અને મગરિબ તેમજ ઈશાની પ્રથમ બે રકઅતોમાં તિલાવત ઊંચા અવાજે પઢવી.
૧૫. ઝોહરની નમાઝ, અસરની નમાઝ, મગરિબની ત્રીજી રકઅત અને ઈશાની છેલ્લી બે રકઅતોમાં તિલાવત ધીમા અવાજે કરવી.
૧૬. સૂરે ફાતિહા સિવાય કુરઆન મજીદમાંથી અન્ય આયતોની તિલાવત કરવી. વર્ણવેલ બાબતો સિવાય નમાઝની અન્ય સુન્નતોનું પણ ધ્યાન રાખવું. ઉદાહરણ તરીકે: રુકૂઅ માંથી માથું ઉઠાવ્યા પછી ઇમામ, ઈમામની પાછળ નમાઝ પઢનાર, એકલો નમાઝ પઢનાર, ત્રણેય માટે "રબ્બના વ લકલ હમ્દ" સિવાય વધુ દુઆઓ પઢવી; કારણકે આ સુન્નત છે. અને એ જ રીતે: રુકૂઅ કરતી વખતે બન્ને હાથને ઘુંટણ પર રાખવા, હાથની આંગળીઓ ફેલાયેલી હોય તે રીતે.
અગિયારમો પાઠ: નમાઝને અમાન્ય કરનારી બાબતો
તે નવ છે:
૧- જ્ઞાન અને બુદ્ધિ હોવા છતાંય જાણી જોઈને વાર્તાલાપ કરવી, જો કે ભુલથી વાત કરનારની નમાઝ અમાન્ય થતી નથી.
૨- હસવું.
૩- ખાવું.
૪- પીવું.
૫- ગુપ્તાંગ જાહેર થવા.
૬. કિબ્લા તરફથી હટી જવું.
૭. નમાઝમાં સતત વ્યર્થ હરકતો કરવી.
૮. વઝૂ તૂટી જવું.
બારમો પાઠ: વઝૂની શરતો
તે દસ છે:
ઇસ્લામ, બુદ્ધિ, તમીઝ, નિયત, સંપૂર્ણ વઝૂ સુધી નિયત બાકી રાખવી, વઝૂના કારણો ખત્મ થઈ જવા, વઝૂ પહેલા પાણી અથવા પથ્થર અથવા ઢેલા વડે ઇસ્તિનજા કરવું, પાણીનું પાક અને જાઈઝ હોવું, ચામડી સુધી પાણી પહોંચવા માટે જે અવરોધ હોય તેને દૂર કરવો, એવા વ્યક્તિ માટે નમાઝનો સમય થઈ જવો જેની નાપાકી હંમેશા માટે હોય .
તેરમો પાઠ: વઝૂની
તે છ છે:
૧- ચહેરો ધોવો, અને મોઢામાં પાણી નાખી કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવવું પણ છે. ૨- બન્ને હાથ કોણી સુધી ધોવા. ૩- સંપૂર્ણ માથાનો મસહ કરવો, તેમજ કાનનો મસહ કરવો. ૪- બન્ને પગ ઘૂંટી સુધી ધોવા. ૫- વઝૂના દરેક ફરજિયાત અંગોને ક્રમ મુજબ ધોવા. ૬- દરેક અંગોને એક પછી એક તરત જ ધોવા. ચહેરો, બન્ને હાથ અને બન્ને પગને ત્રણ ત્રણ વખત ધોવા મુસ્તહબ છે, એવી જ રીતે ત્રણ વખત કોગળા કરવા અને નાકમાં પાણી ચઢાવવું પણ યોગ્ય છે, પરંતુ જરૂરી ફક્ત એકવાર છે, એવી જ રીતે માથાનો મસહ એકથી વધારે વખત કરવો મુસ્તહબ નથી, જેવું કે સાચી હદીષો દ્વારા સાબિત છે.
ચૌદમો પાઠ: વઝૂને અમાન્ય કરનારી બાબતો
તે છ છે:
૧- પેશાબ અથવા સંડાસની જગ્યાએથી નીકળતી વસ્તુ. ૨- શરીર માંથી નીકળતી સખત નાપાકી. ૩- ઊંઘ અથવા કોઈ અન્ય કારણસર બુદ્ધિ મંદ પડી જવી. ૪- આગળ અથવા પાછળના ગુપ્તાંગને કોઈ આડ વગર સ્પર્શ કરવું. ૫- ઊંટનું માંસ ખાવું. ૬- ઇસ્લામથી ફરી જવું. અલ્લાહ તઆલા મને અને સમગ્ર મુસલમાનોને તેનાથી બચાવે.
એક અગત્યની સાવચેતી: મૃતકને ગુસલ આપવું: તો યોગ્ય વાત એ છે કે તેના કારણે ગુસલ આપનારનું વઝૂ નથી તૂટતું, અને આ જ કેટલાક આલિમોનું કહેવું છે; કારણકે તેની કોઈ દલીલ નથી, જો કે ગુસલ આપનારનો હાથ મૃતકના ગુપ્તાંગને કોઈ આડ વગર સ્પર્શ થઈ જાય, તો તેના માટે વઝૂ કરવું જરૂરી છે.
સ્નાન આપનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે મૃતકને ગુસલ આપતી વખતે કોઈ આડ વગર ગુપ્તાંગને સ્પર્શ ન કરે, એવી જ રીતે સ્ત્રીને સ્પર્શ કરવાથી પણ આલિમોના સાચા મંતવ્ય પ્રમાણે વઝૂ તૂટતું નથી, ભલેને મનેચ્છા સાથે હોય કે તેના વગર, જ્યાં સુધી કે કોઈ વસ્તુ ન નીકળે, કારણ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની કેટલીક પત્નીઓનું ચુંબન લીધું હતું, પછી નમાઝ પઢી અને વઝૂ ન કર્યું.
સૂરે નિસા અને સૂરે માઈદહની બંને આયતોની છે, જેમાં અલ્લાહએ કહ્યું: {...અથવા તો તમે પત્ની સાથે ભેગા (સમાગમ) થયા હોય...} [અન્ નિસા: ૪૩] [અલ્ માઈદહ: ૬], આલિમોના સાચા મંતવ્ય પ્રમાણે તેનો અર્થ સમાગમ છે, અને ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા, તેમજ પહેલા અને પછી આવનાર આલિમોનો આ જ મંતવ્ય છે. અલ્લાહ જ તૌફીક આપનાર છે.
પંદરમો પાઠ: દરેક મુસલમાને શરીઅતે નક્કી જરૂરી કરેલ શિષ્ટાચાર (અખ્લાક) અપનાવવા
તેમાંથી: સત્યતા, અમાનતદારી, પવિત્રતા, શરમ અને હયા, બહાદુરી, દાન કરવું, વફાદારી, અલ્લાહએ હરામ કરેલ વસ્તુઓથી દુર રહેવું, પાડોશી સાથે સારો વ્યવહાર, પોતાની ક્ષમતા પ્રમાણે જરૂરતમંદની મદદ કરવી, અને તે સિવાયના દરેક અખલાક, જેની શરીઅતમાં દલીલ મળે છે.
સોલમો પાઠ: ઇસ્લામી શિષ્ટાચાર (આદાબ) અપનાવવા
તેમાંથી: સલામ કરવું, હસતા મોઢે મુલાકાત કરવી, જમણા હાથ વડે ખાવું અને પીવું, ખાવાનું શરૂ કરતા પહેલા બિસ્મિલ્લાહ કહેવું, ખાઈ લીધા પછી અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું, છીંક આવ્યા પછી અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું, જો છીંકનાર અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેનો જવાબ આપવો, બીમારની ખબરગીરી કરવી, નમાઝ પઢવી અને દફન કરવા માટે જનાઝાની પાછળ જવું, મસ્જિદ અથવા ઘરમાં દાખલ થતી વખતે અથવા નીકળતી વખતે, સફર કરતી વખતે, માતા-પિતા, સગા સંબંધી, પાડોશી સાથે, નાના મોટા દરેક સાથે સારો વ્યવહાર કરવો, જન્મ થયેલ બાળકને શુભેચ્છા પાઠવવી, લગ્નની શુબેચ્છા આપવી, મુસીબતમાં સપડાયેલા વ્યક્તિને દિલાસો આપવો, અને તે સિવાય કપડાં પહેરતી વખતે, અને ઉતારતી વખતે, ચપ્પલ પહેરતી વખતે અને ઉતાતી વખતે ઇસ્લામી આદાબનો ખ્યાલ કરવો.
સત્તરમો પાઠ: શિર્ક તેમજ અન્ય ગુનાહોથી બચવું
તેમાંથી: સાત નષ્ટ અને બરબાદ કરી દે, તે ગુનાહો નીચે પ્રમાણે છે: અલ્લાહ સાથે શિર્ક કરવું, જાદુ કરવું, કોઈ એવા વ્યક્તિના પ્રાણ લેવા, જેને અલ્લાહએ હરામ કર્યા હોય, વ્યાજ ખાવું, અનાથનો માલ ખાવો, યુદ્ધના મેદાન માંથી ભાગી જવું, નિર્દોષ સ્ત્રી પર આરોપ લગાવવો.
તેમાંથી કેટલાક ગુનાહો નીચે પ્રમાણે છે: માતાપિતાની અવજ્ઞા, સગા-સંબંધીઓ સાથે દુર્વ્યવહાર, જૂઠી સાક્ષી આપવી, જૂઠી કસમ ખાવી, પાડોશીને તકલીફ આપવી, લોકોની જાન, માલ અને આબરૂ પર અત્યાચાર કરવો, નશીલા પદાર્થનો ઉપયોગ કરવો, જુગાર રમવું, ગિબત કરવી, ચાડી કરવી, અને આ સિવાય તે દરેક વસ્તુઓ જેનાથી અલ્લાહ તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રોક્યા હોય.
અઢારમો પાઠ: મૃતકને કફન આપવું, દફનવિધિ અને જનાઝાની નમાઝ
તેની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે:
પહેલું: જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની નજીક હોય, તો તેને (લા ઇલાહ ઇલ્લલ્લાહ) વાંરવાર પઢવા માટે યાદ અપાવવું; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે પોતાના મૃતકોને લા ઇલાહ ઇલ્લલ્લાહ પઢવાને યાદ અપાવો» [૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ પોતાની સહીહમાં વર્ણન કરી છે, આ હદીષમાં મૃતકનો અર્થ: તે લોકોને જેમના પર મૃત્યુની નિશાનીઓ જાહેર થઈ ગઈ હોય. [૭] સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૯૧૬-૯૧૭).
બીજું: જ્યારે તેના મૃત્યુનું યકીન થઈ જાય, તો પહેલા તેની આંખો બંધ કરવી, અને તેના દાઢી બાંધવી, જેમકે સુન્નત દ્વારા સાબિત છે.
ત્રીજું: મુસલમાન મૃતકને સ્નાન આપવું જરૂરી છે, જો કોઈ મુસલમાન યુદ્ધમાં શહીદ થાય, તો તેને ન તો સ્નાન આપવામાં આવશે, ન તો તેના જનાઝાની નમાઝ પઢવામાં આવશે, પરંતુ તેને તે જ પોષાકમાં દફન કરવામાં આવશે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉહદ યુદ્ધના શહીદોને ન તો સ્નાન આપ્યું અને ન તો તેમની નમાઝ પઢાવી.
ચોથું: મૃતકને સ્નાન (ગુસલ) આપવાની રીત: મૃતકને સ્નાન આપતી વખતે તેના ગુપ્તાંગને છુપાવી દેવામાં આવે, પછી તેના શરીરને થોડુંક ઊંચું કરવામાં આવે અને તેના પેટને ધીમેથી દબાવવામાં આવે, પછી ગુસલ આપનાર પોતાના હાથ પર પાટો અથવા તે પ્રમાણેની કોઈ વસ્તુ લપેટી લે, અને તેના દ્વારા તેની ગંદકી સાફ કરે, તેને નમાઝ માટે જે રીતે વઝૂ કરીએ છીએ, તે રીતે વઝૂ કરાવવું, પછી પાણી અને બોરડીના પાંદડા વડે અથવા તે પ્રમાણેની બીજી વસ્તુથી તેની દાઢી અને માથું ધોવું, પછી તેની જમણી બાજુ અને પછી ડાબી બાજુને ધોવું, પછી એવી જ રીતે તેને બીજી અને ત્રીજી વખત સ્નાન આપવું, દરેક વખત તેના પેટ પર હાથ ફેરવવો જોઈએ, અને જો તેમાથી કોઈ વસ્તુ નીકળે, તો તેને ધોઈ નાખવી, અને તે જગ્યાને રુ વગેરેથી બંધ કરી દેવી, અને જો નાપાકી નીકળવાનું બંધ ન થાય તો સાફ નરમ માટી અથવા આધુનિક ટેક્નિક વડે ઉદાહરણ તરીકે ટેપ વગેરેથી તેને બંધ કરી દે.
પછી મૃતકને ફરીવાર વઝૂ કરાવવું, અને જો ત્રણ વખતમાં સફાઈ ન થાય તો પાંચ અથવા સાત વખત ગુસલ આપે, પછી તેને કપડાં વડે સુકાવી દેવામાં આવે, અને સિજદાની જગ્યા અને જોડકામાં ખુશ્બુ લગાવવામાં આવે, અને જો સંપૂર્ણ શરીરને ખુશ્બુ લગાવવામાં આવે તો સારું છે, અને તેના કફનને ખુશ્બુ આપવામાં આવે અને જો તેની મુંછો અને નખ લાંબા હોય તો કાપી નાખવામાં આવે, અને જો એમ જ છોડી દેવામાં આવે, તો કંઈ વાંધો નથી, પરંતુ વાળમાં કાંસકો ફેરવવામાં ન આવે, દુટી નીચેના વાળ સાફ કરવામાં ન આવે, અને ન તો ખતના કરવામાં આવે, કારણકે તેની કોઈ દલીલ નથી, અને સ્ત્રીના વાળની ત્રણ ચોટલીઓ બનાવી તેની પીઠ પર છોડી દેવામાં આવે.
પાંચમું: મૃતકને કફન આપવું
બહેતર એ છે કે પુરુષને ત્રણ સફેદ કપડામાં કફન આપવામાં આવે જેમાં કમિસ અને પાઘડી ન હોય, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે કરવામાં આવ્યું, મૃતકને તે કપડાંમાં સારી રીતે લપેટી દેવામાં આવે, અને જો કમિસ, ચાદર અને લેઘામાં કફન આપવામાં આવે તો કોઈ વાંધો નથી.
સ્ત્રીને પાંચ કપડાંમાં કફન આપવામાં આવે કમિસ, દુપટ્ટો, સલવાર અને બે ચાદરો. નાના બાળકને એક અથવા ત્રણ કપડામાં કફન આપવામાં આવશે, અને નાની બાળકીને એક કમિઝ અને બે ચાદરોમાં કફન આપવામાં આવશે.
જો કે દરેક માટે એક કપડામાં કફન આપવું અનિવાર્ય છે, જે સંપૂર્ણ શરીરને ઢાંકી લે, પરંતુ જો મૃતક એહરામની સ્થિતિમાં હોય, તો તેને પાણી અને બોરડીથી ગુસલ આપવામાં આવશે, અને તે જ ચાદર અને સલવારમાં અથવા તે સિવાયના કપડામાં કફન આપવામાં આવશે, જો કે તેનું માથું અને ચેહરો ઢાંકવામાં ન આવે, અને ન તો તેને ખુશ્બુ લગાવવામાં આવે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાચી હદીષ દ્વારા સાબિત છે, કયામતના દિવસે તે વ્યક્તિ તલ્બિયહ પઢતો ઉઠાવવામાં આવશે, અને જો અહેરામની સ્થિતિમાં મૃત્યુ પામનારી સ્ત્રી હોય, તો અન્ય સ્ત્રીની જેમ તેને પણ કફન આપવામાં આવશે, પરંતુ તેને ખુશ્બુ લગાવવામાં ન આવે, અને ન તો તેના ચહેરાને નકાબ વડે અથવા દસ્તાના વડે ઢાંકવામાં આવશે, પરંતુ તેના હાથ અને ચહેરાને તે જ કપડાંથી ઢાંકવામાં આવશે, જેમાં તેને કફન આપવામાં આવ્યું છે, જેવું કે સ્ત્રીના કફન આપવાનું વર્ણન આગળ થઈ ચુક્યું છે.
છઠ્ઠું: મૃતકને ગુસલ આપવા, તેની જનાઝાની નમાઝ પઢાવવા અને એને દફન કરવાનો સૌથી વધુ અધિકાર ધરાવનાર
મૃતકને સ્નાન આપવા, તેની જનાઝાની નમાઝ પઢાવવા અને તેને કફન આપવા માટે સૌથી વધારે હક તે વ્યક્તિનો છે, જેણે તેને વસિયત કરી હોય, પછી પિતા, દાદા, પછી નજીકના સંબંધી અધિકાર ધરાવે છે.
એવી જ રીતે સ્ત્રીને ગુસલ આપવા માટે સૌથી વધારે હક જેના વિશે વસિયત કરી હોય તેનો છે, પછી માતા, દાદી અને પછી તેના નજીકના સંબંધી, પતિ-પત્ની બંને એકબીજાને ગુસલ આપવાનો અધિકાર ધરાવે છે, એટલા માટે કે અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુને તેમની પત્નીએ ગુસલ આપ્યું હતું, અને એટલા માટે પણ અલી રઝી અલ્લાહુ અન્હુએ પોતાની પત્ની ફાતિમા રઝી અલ્લાહુ અન્હાને ગુસલ આપ્યું હતું.
સાતમું: જનાઝાની નમાઝની રીત:
જનાઝાની નમાઝમાં ચાર તકબીરો કહેવામાં આવે: પ્રથમ તકબીર પછી સૂરે ફાતિહા પઢવામાં આવશે, અને તેના સાથે કોઈ નાની સુરત અથવા એક બે આયતો પઢીવી; કારણકે ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાની આ વિશે સહીહ હદીષમાં છે. બીજી તકબીરમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરુદ પઢવામાં આવે, ત્રીજી તકબીર કહી આ દુઆ પઢવી: ("અલ્લાહુમ્મગ્ ફિર લિહય્યિના, વમય્યિતિના, વશાહિદિના, વગાઈબિના, વ વસગિરિના, વકબિરિના, વઝકરિના, વઉનષાના, અલ્લાહુમ્મ મન્ અહ્-યયતહુ, મિન્ના, ફઅહ્-યિહિ અલ્ ઇસ્લામ, વમન તવફ્યતહુ મિન્ના ફતવફ્હુ અલલ્ ઈમાન, અલ્લાહુમ્મગ્ ફિર લહુ વર્-હમ્હુ, વઆફિહિ વઅફુ અન્હુ, વઅક્-રિમ નુઝુલહુ, વવસ્સિઅ મુદખલહુ, વગ્સિલહુ બિલ્ માઈ વષ્ષલજિ વલ્ બરદિ, વનક્કિહિ મિનલ્ ખતાયા કમા યુનક્કસ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્-દનસ, વઅબ્દિલહુ દારન્ ખૈરન્ મિન દારિહિ, વઅહ્-લન ખૈરન્ મિન અહ્-લિહિ, વઅદ્ખિલ્હુલ્ જન્નહ, વઅઇઝહુ મિન અઝાબિલ કબ્રી, વ અઝાબિન્ નાર,વફ્સહ્ લહુ ફી કબ્રિહિ, વનવ્વિર લહુ ફીહિ, અલ્લાહુમ્મ લા તહ્-રિમ્ના અજ્-રહુ, વલા તુઝિલ્લના બઅદહુ" (અર્થ: હે અલ્લાહ! અમારા જીવિત તેમજ મૃતકને માફ કરી દે, તેમજ હાજર અને હાજર અને ગેરહાજર લોકોને માફ કરી દે, તેમજ અમારા નાના અને મોટા લોકોને માફ કરી દે, અમારા પુરુષો અને સ્ત્રીઓને માફ કરી દે, હે અલ્લાહ! અમારા માંથી તું જેને જીવિત રાખે તેને ઇસ્લામ પર જીવિત રાખ અને અમારા માંથી જેની વફાત લખી હોય તો તેને ઈમાન પર વફાત આપ, હે અલ્લાહ! તેને માફ કરી દે, તેનાં પર રહેમ કર, તેને આફિયત આપ, તેને માફ કરી દે, અને તેની મહેમાન નવાઝી ઈજ્જત સાથે કર, અને તેના દાખલ થવાની જગ્યાને વિશાળ કરી દે, અને તેને પાણી, બરફ અને કરાની સાથે ધોઈ નાંખ, અને તેને ગુનાહોથી એવી રીતે સાફ કરી દે જેવી રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરે છે, અને તેને તેનાં ઘરના બદલામા શ્રેષ્ઠ ઘર આપ, તેનાં ઘરવાળાઓના બદલામા શ્રેષ્ઠ ઘરવાળાઓ આપ, અને તેને જન્નતમાં દાખલ કર, અને તેને કબરના અઝાબ અને આગથી બચાવ, તેની કબરને ચોડી કરી દે અને તેને નૂરથી ભરી દે, હે અલ્લાહ! તું અમને આ વફાત પામેલ વ્યક્તિના સવાબથી વંચિત ન કરજે અને અમને આ પછી પથભ્રષ્ટ ન કરજે)). ચોથી તકબીર કહ્યા પછી જમણી બાજુ એક સલામ ફેરવે.
અને મુસ્તહબ છે કે દરેક તકબીર વખત હાથ ઉઠાવવા જોઈએ, અને જો મૃતક સ્ત્રી હોય તો (અલ્લાહુમ્મગ્ફિર લહા...) કહેવું જોઈએ, અને જો જનાઝા બે હોય, તો (અલ્લાહુમ્મગ્ફિર લહુમા...) કહેવું જોઈએ, અને જો જનાઝા બે કરતા વધુ હોય તો (અલ્લાહુમ્મગ્ફિર લહુમ...) કહેવું જોઈએ, અને જો મૃતક પુખ્ત્વય ન હોય, તો મગફિરતના બદલામાં આ દુઆ પઢવી: ("અલ્લાહુમ્મજ્અલ્હુ ફર્તન્ લિ વાલિદૈહિ, વ શફીઅન્ મુજાબન્, અલ્લાહુમ્મ ષક્કિલ્ બિહિ મવાઝિનહુમા, વઅઅઝિમ્ બિહિ ઉજૂરહુમા, વઅલ્હિક્હુ બિસાલિહિ સલફિલ્ મુઅમિનીન, વજ્અલ્હુ ફી કફાલતિ ઈબ્રાહીમ અલૈહિસ્ સલાતિ વસ્ સલામિ, વકિહિ બિરહ્-મતિક અઝાબલ્ જહીમ" (અર્થ: હે અલ્લાહ! તેને આગળ જવાવાળો અને તેના માતા-પિતા માટે ખજાનો અને એવો ભલામણ કરનાર બનાવ, જેની ભલામણ સ્વીકારવામાં આવે, હે અલ્લાહ! તેના કારણે તેના માતા-પિતાના ત્રાજવામાં વજન પેદા કરી દે, અને તેનાં દ્વારા તેમનો બદલો વધારી દે, અને તેને નેક ઇમાનવાળાઓમાં બનાવી દે, અને ઈબ્રાહીમ અલૈહિસ્ સલામની દેખરેખ હેઠળ તેને આપી દે, અને પોતાની રહેમતથી તેને જહન્નમના અઝાબથી બચાવી લે)).
સુન્નત તરીકો એ છે કે ઇમામ, પુરુષના માથા બરાબર અને સ્ત્રીના જનાઝાની વચ્ચે ઉભો રહેશે, અને જો એકથી વધારે જનાઝા હોય તો પુરુષના જનાઝા ઇમામની સાથે અને સ્ત્રીના જનાઝા કિબ્લા તરફ હોય, અને જો તેમની સાથે બાળકો પણ હોય, તો બાળકના જનાઝા સ્ત્રીઓ પહેલા અને પછી સ્ત્રીનો જનાઝો અને પછી બાળકીનો જનાઝો, અને બાળકનું માથું અને સ્ત્રીની કમરનો ભાગ પુરુષના જનાઝાના માથા બરાબર હોવો જોઈએ અને એવી જ રીતે બાળકીનું માથું સ્ત્રી ના જનાઝાના માથા બરાબર હોવું જોઈએ, અને તેની કમર પુરુષના માથા બરાબર હોવી જોઈએ, દરેક નમાઝી ઇમામની પાછળ ઉભા રહેશે, જો કદાચ કોઈ ઇમામ પાછળ જગ્યા ન મળે તો ઇમામની જમણી બાજુ ઉભો રહેશે.
આઠમું: દફન કરવાની રીત
યોગ્ય રીતે આ પ્રમાણે છે કે વ્યક્તિની કમર સુધી કબર ખોદવામાં આવે, અને તેમાં કિબ્લા તરફ લહેદ બનાવવામાં આવે, મૈયતને લહેદમાં જમણી બાજુ પર રાખવામાં આવે, અને તેના કફનની ગાંઠ ખોલી તેને છોડી દેવામાં આવે, તેને નિકાળવામાં ન આવે, મૈયત પુરુષ હોય કે સ્ત્રી તેનો ચહેરો ખોલવામાં ન આવે, પછી લહેદની ઉપર કાચી ઈંટો મૂકી માટી વડે લેપ મારવામાં આવે, જેથી ઈંટો મજબૂત બની જાય, અને મૈયત સુધી માટી જવી ન જોઈએ, જો ઈંટો ન મળી શકે તો તેની જગ્યા પથ્થર અથવા લાકડી મુકવામાં આવે, જે લહેદમાં માટી જવા ન દે, પછી તેના પર માટી નાખવામાં આવે, માટી નાખતી વખતે બિસ્મિલ્લાહ વ અલા મિલ્લતિ રસૂલિલ્લાહ પઢવું મુસ્તહબ છે, માટી નાખ્યા પછી એક વેંત બરાબર કબર ઉંચી કરી દેવામાં આવે, અને જો બંદોબસ્ત હોય તો કબર પર કાંકરીઓ નાખી દેવામાં આવે અને પાણીની છીળકાવ કરી દેવામાં આવે.
જનાઝા સાથે જનાર દફન કર્યા પછી કબર પાસે ઉભા રહે અને મુર્તક માટે દુઆ કરવી યોગ્ય છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે મૃતકને દફનાવી ફારીગ થતા, તો કબર પાસે ઉભા રહેતા અને કહેતા: «પોતાના ભાઈ માટે અલ્લાહથી માફી માંગો, તેના માટે અડગ રહેવાની દુઆ કરો; કારણકે હવે તેને સવાલ જવાબ કરવામાં આવશે» [૮]. [૮] આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૨૨૧), મુસ્તદરક હાકિમ (૩/૩૯૯).
નવમું: જે વ્યક્તિ કોઈ કારણસર જનાઝાની નમાઝ ન પઢી હોય, તો તેના માટે દફન પછી તેની નમાઝ પઢવી જાઈઝ છે؛
કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આવું કર્યું હતું, મૃતકની દફનવિધિ પછી એક મહિનાની અંદરો અંદર નમાઝ પઢી શકાય છે અને જો તેનાથી વધુ સમય થઈ ગયો હોય, તો પછી તેના માટે જનાઝાની નમાઝ પઢવી જાઈઝ નથી, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા તેની કોઈ દલીલ મળતી નથી કે મૃતકને દફન કર્યાના એક મહિના પછી જનાઝાની નમાઝ પઢી હોય.
દસમુ: મૃતકના ઘરવાળાઓ માટે જાઈઝ નથી કે તેઓ લોકો માટે ખાવાનું બનાવે; કારણકે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મહાન સહાબી જરીર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ કહે છે: «મૃતકને દફન કર્યા પછી મૃતકના ઘરે ભેગા થઈ, અને (તે લોકોનું અમારા માટે) ખાવાનું બનાવવાને અમે તેને માતમ (નોહા) ગણતાં હતા» [૯] આ અસરને ઇમામ અહમદ રહિમહુલ્લાહએ હસન દરજ્જા સાથે રિવાયત કરી છે. [૯] સુનન ઈબ્ને માજહ, હદીષ નંબર (૧૬૧૨), મુસ્નદ અહમદ (૨/૨૦૪).
હા, મૃતકના ઘરવાળાઓ માટે અથવા તેમના મહેમાનો માટે ખાવાનું તૈયાર કરાવામાં કોઈ વાંધો નથી, મૃતકના પાડોશી અથવા સગા-સંબંધીઓ માટે જાઈઝ છે કે તેઓ મૃતકના ઘરવાળાઓ માટે ખાવાનું તૈયાર કરે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જયારે શામથી જઅફર બિન્ અબી તાલિબના મૃત્યુ ખબર સાંભળી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના ઘરવાળાઓને આદેશ આપ્યો કે જઅફરના ઘરવાળાઓ માટે ખાવાનું બનાવે, અને કહ્યું: «તેમની પાસે એવી ખબર આવી છે, જેના કારણે તેઓ વ્યસ્ત થઈ ગયા છે» [૧૦]. [૧૦] સહીહ મુસ્લિમ, અલ્ જનાઈઝ (૯૭૬), સુનન નસાઈ, અલ જનાઈઝ, (૨૦૩૪) સુનન અબૂ દાવુદ, અલ જનાઈઝ (૩૨૩૪), સુનન ઈબ્ને માજહ, અલ જનાઇઝ, (૧૫૬૯), મુસ્નદ અહમદ (૨/૪૪૧).
મૃતકના ઘરવાળાઓ માટે હદીયા રૂપે જે ખાવાનું આવ્યું હોય, તે ખાવા માટે પાડોશી વગેરેને બોલાવવામાં કોઈ વાંધો નથી, અને અમારા ઇલ્મ પ્રમાણે સમયની કોઈ હદ નક્કી નથી.
અગિયારમું: સ્ત્રી માટે કોઈના મૃત્યુ થવા પર ત્રણ દિવસથી વધુ માતમ કરવો યોગ્ય નથી, તે સ્ત્રી સિવાય જેનો પતિ મૃત્યુ પામ્યો હોય.
સ્ત્રી માટે જરૂરી છે કે પતિના નિધન પર ચાર મહિના અને દસ દિવસ શણગારથી બચે, સિવાય કે તે ગર્ભવતી હોય, તો ગર્ભપાત સુધી શણગાર ન કરે; કારણકે આ બાબત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સહીહ હદીષોથી સાબિત છે.
જો કે પુરુષ માટે પોતાના સંબંધીના મૃત્યુ પર સોગ મનાવવું જાઈઝ (માન્ય) નથી.
બારમું: પુરુષો માટે સમયાંતરે કબરોની મુલાકાત લેવી, તેમના માટે દુઆ કરી, તેમના પર રહેમતની દુઆ કરવી, મૃત્યુ અને તેના પછીની બાબતોને યાદ કરવી જાઈઝ છે;
કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કબરોની ઝિયારત કરતા રહો; કારણકે તે તમને આખિરતની યાદ અપાવે છે» [૧૧] આ હદીષ ને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ પોતાની સહીહમાં વર્ણન કરી છે. [૧૧] સુનન ઈબ્ને માજહ, હદીષ નંબર (૧૫૬૯), અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ કહી છે.
એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાઓને શિક્ષા આપતા હતા કે જ્યારે તેઓ કબરોની ઝિયારત કરે તો આ દુઆ પઢે. «"અસ્સલામુ અલૈકુમ અહલદ્ દિયાર, મિનલ્ મુઅમિનીન વલ્ મુસ્લિમીન, વ ઈન્ના ઇન્ શાઅ અલ્લાહુ બિકુમ લાહિકુન, નસ્અલુલ્લાહુ લના વ લકુમલ્ આફીયહ, યરહમલ્લાહુલ્ મુસ્તકદિમીન મિન્ના વલ્ મુસ્તઅખિરીન" (અર્થ: હે આ ઘરમાં રહેનારા મોમિનો અને મુસલમાનો! તમારા પર સલામતી થાય, અલ્લાહએ ઇચ્છયું તો અમે પણ તમારી સાથે પહોંચવાવાળા છે, અમે અલ્લાહ પાસે અમારા અને તમારા માટે આફિયતનો સવાલ કરીએ છીએ, અમારા માંથી જેઓ પહેલાં જઈ ચૂક્યા છે અને જેઓ પછી આવનાર છે, અલ્લાહ તેમના પર કૃપા કરે)» [૧૨]. [૧૨] સહીહ મુસ્લિમ, હદીષ નંબર (૯૭૫).
સ્ત્રીઓ માટે કબરની ઝિયારત જાઈઝ નથી, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કબરોની ઝિયારત કરનાર સ્ત્રીઓ પર લઅનત કરી છે, એટલા માટે કે તેણીઓનું કબરો પર જવું ફિતનાનો સ્ત્રોત બની શકે છે, અને ધીરજ ખોવી દેવાનો ડર છે, એવી જ રીતે સ્ત્રીઓ માટે જનાઝા પાછળ કબ્રસ્તાન સુધી જવું જાઈઝ નથી, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને રોક્યા છે. પરંતુ મસ્જિદમાં મૃતકની નમાઝ પઢવી અથવા જ્યાં નમાઝ થઈ રહી હોય, ત્યાં નમાઝ પઢવી સ્ત્રી અને પુરુષ બન્ને માટે યોગ્ય છે.
આ છેલ્લી વસ્તુ છે, જેને હું એકઠી કરી શક્યો. દરૂદ અને સલામતી ઉતરે આપણાં નબી મુહમ્મદ પર, તેમના સંતાન અને તેમના દરેક સાથીઓ પર.