الأذكار التي تقال صباحًا ومساءً
(શરૂ કરું છું) અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. એવી દુઆઓ જે સવાર-સાંજ પઢવામાં આવે છે. {અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો…
(શરૂ કરું છું) અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. એવી દુઆઓ જે સવાર-સાંજ પઢવામાં આવે છે.
{અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે} આયતુલ્ કુરસી: અલ્ બકરહ ૨૫૫.
{પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર ! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે.* અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે, (ઇમાનવાળાઓ અલ્લાહથી આ રીતે દુઆ કરો) હે અમારા પાલનહાર ! જો અમારાથી ભુલચૂક થઈ ગઈ હોય તો તેના પર અમારી પકડ ન કરીશ, હે અમારા પાલનહાર ! અમારા પર એટલો ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો, હે અમારા પાલનહાર ! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય, તે અમારાથી ન ઉઠવડાવશો,અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને કાફિરો વિરુદ્ધ તું અમારી મદદ કરી}. આયત ૨૮૫-૨૮૬ અલ્ બકરહ
{તમે કહી દો કે અલ્લાહ એક જ છે} {તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું}. {તમે કહી દો ! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું}. ઉપરોક્ત સૂરતો સંપૂણ ત્રણ વખત પઢવી.
હું અલ્લાહના સંપૂણ કલિમા સાથે તે દરેક વસ્તુથી પનાહ માંગું છું, જે તેણે પેદા કરી છે. (ત્રણ વખત).
તે અલ્લાહના નામથી શરૂ કરું છે, જેનું નામ હોવાથી કોઈ વસ્તુ નુકસાન પહોંચાડી શકતી નથી, ભલેને તે વસ્તુ જમીનની હોઈ કે આકાશની, અને તે અલ્લાહ સાંભળવાવાળો અને જાણવાવાળો છે. (ત્રણ વખત).
હું રાજી છું, અલ્લાહના પાલનહાર હોવા પર, ઇસ્લામના દીન હોવા, અને મુહમ્મદ ﷺ નાં નબી હોવા પર. (ત્રણ વખત).
અમે સવાર કરી અને અલ્લાહનું સામ્રાજ્ય હમેંશા રહેશે, દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેનું જ છે અને દરેક પ્રકારના વખાણ પણ તેના જ માટે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, હે મારા પાલનહાર ! હું તારી પાસે આ દિવસની ભલાઇનો સવાલ કરું છું, અને તેનો પણ જે તેના પછી હોય, અને આ રાતની બુરાઈથી પનાહ માંગુ છું અને તેનાથી પણ જે પછી હોય, હે મારા પાલનહાર ! હું આળસ, વૃદ્ધાવસ્થાની બુરાઈથી તારી પનાહ માંગુ છું, હે મારા પાલનહાર હું જહન્નમના અઝાબ અને કબરના અઝાબથી પણ તારી પનાહ માંગુ છું. અને સાંજના સમયે કહેવું: અલ્લાહના માટે અમે સાંજ કરી અને સમગ્ર સૃષ્ટિએ સાંજ કરી, અને કહેવું: તે રાત જેમાં ભલાઈ છે, અને જે તેનાં પછી છે, તેમાં ભલાઈ છે, હું તારાથી તેનો સવાલ કરું છું... અંત સુધી કહેવું, પરંતુ (અસ્બહના વ અસ્બહલ્) ની જગ્યાએ અમ્સયના વ અમસા લિલ્લાહી અને હાઝલ્ યવ્મિની જગ્યાએ હાઝિહીલ્ લૈયલી કહેવું.
હે અલ્લાહ ! તારા નામ સાથે અમે સવાર કરી, અને તારા નામ સાથે અમે સાંજ કરી અને તારા નામ સાથે અમે જીવિત છે, અને તારા નામ સાથે અમે મૃત્યુ પામીશું, અને તારી તરફ જ ઉઠીને પાછા ફરવાનું છે. અને સાંજના સમયે કહેવું: હે અલ્લાહ ! તારા નામ સાથે અમે સાંજ કરી , અને તારા નામ સાથે અમે સવાર કરી અને તારા નામ સાથે અમે જીવિત છે, અને તારા નામ સાથે અમે મૃત્યુ પામીશું, અને તારી તરફ જ ઉઠીને પાછા ફરવાનું છે.
હે અલ્લાહ ! સવારે જે કઈ નેઅમતો છે અથવા સર્જન માંથી કોઇની પાસે કઈ પણ નેઅમત છે એ તારી જ આપેલી છે, તું એકલો છે, તારો કોઈ ભાગીદાર નથી, બસ ! તારા માટે જ પ્રશંસા છે, અને તારા માટે જ શુક્ર છે. અને સાંજના સમયે કહેવું: જે નેઅમત સાથે પણ પણ સાંજ કરી.
(ત્રણ વખત).
હે અલ્લાહ ! હું તારા પાસે દુનિયા અને આખિરતમાં સલામતીનો સવાલ કરું છું, હે અલ્લાહ ! હું મારા દીન, મારી દુનિયા, મારા ઘર અને મારા માલમાં તારી પાસે માફી અને સલામતીનો સવાલ કરું છું, હે અલ્લાહ ! મારી પરદહ વાળી વસ્તુ પર પડદો નાખી દે, અને મારી ગભરાહટને શાંતિમાં ફેરવી દે, હે અલ્લાહ ! મારી સામેથી, પાછળથી, મારી જમણી બાજુથી, ડાબી બાજુથી, અને મારી ઉપરથી મારી સુરક્ષા કર, અને એ વાતમાં હું તારી મહાનતાની પનાહમાં આવું છું કે અચાનક પોતાની નીચેથી બરબાદ થઈ જાઉં.
હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું જે રીતે તાકાત રાખું છું તારા વચન અને વાયદા પર અડગ છું, અને મેં જે કંઈ પણ કર્યું તેની બુરાઈથી તારી પનાહ માંગુ છું, મારા પર તારા ઇનામો નો સ્વીકાર કરું છું,અને મારા ગુનાહો ને કબૂલ કરું છું, બસ ! તું મને માફ કરી દે, કારણ કે તારા સિવાય કોઈ ગુનાહો ને માફ કરનાર નથી.
હે અલ્લાહ ! આકાશો અને જમીનનું સૌથી પહેલા સર્જન કરનાર, છૂપુ અને જાહેરને જાણનાર, દરેક વસ્તુના પાલનહાર અને માલિક ! હું સાક્ષી આપું છું કે તારા સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, હું તારી પનાહ માંગુ છું, મારા નફ્સની બુરાઈથી, અને શૈતાનની બુરાઈ થી, અને તેના શિર્કથી, અને એ વાતથી કે હું મારા નફ્સનું અનુસરણ કરું, અથવા કોઈ મુસલમાન ભાઈની બુરાઈ કરું.
હે અલ્લાહ ! મેં સવાર કરી, અને હું તને અને તારા અર્શને ઉઠાવનાર ફરિશ્તાઓને અને તારા પયગંબરને અને તારી દરેક મખલુકને સાક્ષી બનાવું છું કે તું જ અલ્લાહ છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને મુહમ્મદ તારા બંદા અને પયગંબર છે. અને સાંજે કહેવું હે અલ્લાહ ! મેં સાંજ કરી... અંત સુધી (ચાર વખત).
અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે. (સો વખત) સવારે અને સાંજે.
મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ ઈલાહ નથી, હું તેના પર જ ભરોસો કરુ છું અને તે મહાન “અર્શ” નો માલિક છે. (સાત વખત).
અલ્લાહ પવિત્ર છે અને તેના માટે જ પ્રસંશા છે (સો વખત) સવારે અને સાંજે અથવા બન્ને વખત સો વાર.
હે અલ્લાહ ! હું તારી પાસે માફી માંગું છું અને તારી તરફ પાછો ફરું છું. (સો વખત)
આ એક કિતાબચો છે, હું અલ્લાહથી દુઆ કરું છું કે આના દ્વારા લોકોને ફાયદો પહોંચે.
આ કિતાબને મુહમ્મદ સાલિહ અલ્ ઉષૈમી રહ. એ ૨૦-૧-૧૪૧૮ હિજરીસનમાં લખી.