وجوب العمل بالسنة وكفر من أنكرها

وجوب العمل بالسنة وكفر من أنكرها

رسالة لطيفة تبين أهمية الالتزام بسنة النبي محمد صلى الله عليه وسلم وبيان كفر من ينكرها. تبدأ بالتأكيد على أن مصادر التشريع الإسلامي تعتمد على القرآن الكريم وسنة النبي محمد صلى الله عليه وسلم وإجماع علماء الأمة. تشرح الرسالة كيف أن القرآن وسنة النبي متلازمان، وتؤكد على ضرورة اتباع السنة لفهم وتطبيق أحكام الشريعة. يُستدل فيها بآيات القرآن وأحاديث النبي العدنان وشهادات من الصحابة والتابعين، لإثبات حجية السنة وأهمية التمسك بها. تُختتم الرسالة بتذكير المسلمين بضرورة طاعة الرسول والابتعاد عن مخالفة سنته لتحقيق الهداية والرحمة من الله جل جلاله.

Language: lang_gu
Prepared by:
Version: 1.0
Translations 22
Akan Amharic Assamese Bambara +18
Attachments 7
PDF
Audio
Video
+3

નબી ﷺ ની સુન્નત પર અમલ કરવો જરૂરી છે અને તેનો ઇન્કાર કરવો કુફ્ર છે લેખક:

અબ્દુલ્ અઝીઝ બિન અબ્દુલ્લાહ બિન બાઝ રહ.

શરૂ કરું છું અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને મહેરબાન છે.

પ્રસ્તાવના

દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, અને પરહેજગારો માટે (શ્રેષ્ઠ) પરિણામ છે, અને દરૂદ અને સલામતી ઉતરે તેના બંદા અને તેના પયગંબર અને આપણા નબી મુહમ્મદ ﷺ પર જે સમગ્ર સૃષ્ટિ માટે રહેમત છે, જે દરેક લોકો માટે પુરાવો છે, અને તેમના સંતાન અને તેમના સાથીઓ પર પણ, જેમણે પોતાના પવિત્ર પાલનહારની કિતાબ અને પોતાના નબીની સુન્નતને પોતાના પછીના આવનારા લોકો માટે સંપૂણ પ્રામાણિકતા અને સંપૂણ સુરક્ષા સાથે જેના અર્થ અને શબ્દો સાથે ઉઠાવી, અલ્લાહ તેમનાથી રાજી થયો અને તેઓ અલ્લાહથી રાજી થયા, અને આપણને તેમના અનુયાયી બનાવ્યા અને દરેક બંદાઓ માટે પુરાવા બનાવ્યા, ત્યાર બાદ:

કદીમ (જુના) અને નવા આલિમો એકમત છે કે આદેશોની પુષ્ટિ અને હલાલ અને હરામને સ્પષ્ટ કરવા માટે જે નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ તે અલ્લાહની કિતાબમાં વર્ણન કરવામાં આવ્યા છે, તેથી તેની સામે અથવા તેની પાછળથી બાતેલ આવી શકતો નથી, ફરી અલ્લાહના નબી ﷺ ની સુન્નત, જે મનેચ્છાઓ દ્વારા વર્ણન કરવામાં નથી આવતી, પરંતુ તે તો ફક્ત અલ્લાહની વહી છે, ફરી આ ઉમ્મતના આલીમોનો ઈજમાઅ (એકમત), ફરી આલીમોનો બીજા નિયમોમાં મતભેદ જેમાં મહત્વ પૂર્ણ કિયાસ છે, અને જુમ્હૂર આલિમોનું કહેવું છે કે જો આ પોતાની શરતો પૂરી કરે તો એક પુરાવો છે, અને આ નિયમ પણ ઘણી દલીલો (પુરાવા) છે જેને વર્ણન કરવા વિખ્યાત છે.

આદેશોને લાગુ કરવા માટેના ભરોસા પાત્ર નિયમો

પહેલો નિયમ: અલ્લાહની કિતાબ:

જ્યાં સુધી પહેલા નિયમની વાત છે: તે અલ્લાહની કિતાબ છે, જેની પુષ્ટિ પર ઉચ્ચ અલ્લાહનું કલામ છે જેમાં અલ્લાહ એ ઘણી જગ્યા પર ઈશારો આપ્યો છે કે આ કિતાબનું અનુસરણ કરવું, તેને મજબૂતી સાથે પકડી રાખવી અને તેની હદ પર કાયમ રહેવું વાજિબ છે.

અલ્લાહ તઆલાએ કહ્યું: (અને આ કિતાબ (કુરઆન) જે અમે ઉતારી છે તે ખૂબ જ બરકતવાળી કિતાબ છે, એટલા માટે તમે તેનું અનુસરણ કરો અને અલ્લાહથી ડરતા રહો, કદાચ કે તમારા પર રહેમ કરવામાં આવે.)

અને અલ્લાહ તઆલાએ કહ્યું :

(તમારી પાસે અમારો પયગંબર આવી પહોંચ્યો, જે તમારી સમક્ષ અલ્લાહની કિતાબની વધું પડતી એવી વાતો જાહેર કરી રહ્યો છે જેને તમે છૂપાવી રહ્યા હતા અને ઘણી જ વાતોને છોડી પણ દે છે, હવે તમારી પાસે અલ્લાહ તરફથી પ્રકાશ અને ખુલ્લી કિતાબ આવી પહોંચી છે. જેના કારણે અલ્લાહ તઆલા તેઓને સલામતીનો માર્ગ બતાવે છે, જે અલ્લાહની પ્રસન્નતા ઇચ્છતા હોય (તેમને અને તેઓને પોતાની તૌફીક વડે અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લાવે છે અને સત્યમાર્ગ તરફ તેઓને માર્ગદર્શન આપે છે.)

અલ્લાહ તઆલાએ કહ્યું:

(જે લોકોએ પોતાની પાસે કુરઆન આવી ગયા પછી તેનો ઇન્કાર કર્યો, (તે પણ અમારાથી છૂપું નથી) આ ખૂબ જ પ્રતિષ્ઠિત કિતાબ છે.જેની પાસે અસત્ય ભટકી પણ નથી શકતું, તેની આગળથી, ન તો તેની પાછળથી, આ કિતાબ હિકમતવાળા અને ગુણોવાળા અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે.)

અલ્લાહ તઆલા કહે છે:

(આ કુરઆન વહી દ્વારા એટલા માટે ઉતારવામાં આવ્યું છે, જેથી હું આ કુરઆન દ્વારા તમને અને જે લોકો સુધી આ કુરઆન પહોંચે તે સૌને સચેત કરું)

અલ્લાહ તઆલા કહે છે:

(આ કુરઆન દરેક લોકો સુધી પહોચાડવાની વસ્તુ છે, જેથી તેના દ્વારા તેઓને સચેત કરવામાં આવે)

આ વિશે ઘણી આયતો છે અને આપﷺ ની સહીહ હદીષો પણ ઘણી વર્ણન થઈ છે, જે આપણને કુરઆનનું અનુસરણ કરવા અને તેને મજબૂતી સાથે પકડી રાખવાનો આદેશ આપે છે, અને તે વાત તરફ ઈશારો કરે છે કે જેણે તેના પર અમલ કર્યો તે હિદાયત પર છે અને જેણે તેને છોડી દીધી તે ગુમરાહ થયો, , અને આ વાત નબી ﷺ થી સાબિત છે, જે હજ્જતુલ્ વિદાઅના સમયે કહી:

(હું તમારી પાસે તે વસ્તુ છોડીને જઈ રહ્યો છે, જેને જો તમે પકડી રાખશો તો કદાપી ગુમરાહ નહીં થાઓ તે અલ્લાહની કિતાબ છે)

ઈમામ મુસ્લિમ રહ. એ પોતાની સહીહમાં રિવાયત કરી છે

અને સહીહ મુસ્લિમમાં બીજી, ઝૈદ બિન અરકમ રઝી. ની રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:

«હું તમારી વચ્ચે બે મહત્વપૂર્ણ વસ્તુ છોડીને જઈ રહ્યો છું, પહેલી અલ્લાહની કિતાબ છે, જેમાં હિદાયત અને નૂર છે, જેથી અલ્લાહની કિતાબને મજબૂતી સાથે પકડો»

ફરી તેમણે અલ્લાહની કિતાબ માંગી અને ફરી કહ્યું:

« અને એહલે બૈતના ખાનદાન વિશે હું તમને અલ્લાહની યાદ અપાવું છું, અને એહલે બૈતના ખાનદાન વિશે હું તમને અલ્લાહની યાદ અપાવું છું, અને એહલે બૈતના ખાનદાન વિશે હું તમને અલ્લાહની યાદ અપાવું છું»

અને બીજા શબ્દોમાં આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે કહ્યું,

તે અલ્લાહનું દોરડું છે, જેણે તેને પકડી રાખી તે હિદાયત પર છે અને જેણે તેને છોડી દીધી તે ગુમરાહ છે.

અને આ વિશે ઘણી હદીષો છે, અને આલિમો તેમજ સહાબાઓ પછી આવનાર લોકો અલ્લાહની કિતાબનું અનુસરણ કરવા પર એકમત છે, તેના મુજબ આદેશ આપવા અને પયગંબરની સુન્નત સાથે નિર્ણય કરવા પર એકમત છે, આ વિશે અલ્લાહની દુઆઓ પુરતી છે અને તેના લાંબા પુરાવાનો ઉલ્લેખ પુરતો છે.

બીજો નિયમ: નબી ﷺ અને આપના સહાબાઓ અને તેમના પછી આવવા વાળા મોમિન આલિમો દ્વારા વર્ણવેલ સહીહ હદીષો

રહ્યો બીજો નિયમ જે ત્રણ નિયમો પર એકમત છે, તે તે જ છે જે નબી ﷺ અને જે સહાબાઓ અને તેમના પછી આલિમો દ્વારા સહીહ તરીકાથી વર્ણન કરેલ છે, જેના પર લોકો ઈમાન ધરાવે છે અને તેને દલીલ માંને છે અને તેને લોકો ઉમ્મતને સીખાવાડે છે, અને ખરેખર તે લોકો એ આ વિશે ઘણી કિતાબો લખી અને તેમાં સ્પષ્ટ કર્યું, તે ફિક્હના નિયમો અને તેની પરિભાષાની કિતાબો, અને આ વિષેની ઘણી દલીલો જેને એકઠી કરવી અશક્ય છે, આ તે જ છે અલ્લાહની પવિત્ર કિતાબમાં તેનું અનુસરણ કરવા બાબતે વર્ણવેલ છે, આ તે સમય માટે અને તેમના પછી આવનારા સમયના લોકો માટે છે, કારણકે તે દરેક માટે અલ્લાહના પયગંબર છે, અને લોકોને આદેશ આપવામાં આવ્યો છે કે કયામત આવતા સુધી તેનું અનુસરણ કરે, કારણકે તે અલ્લાહની પુસ્તકના અનુવાદક છે અને તેના શબ્દો, કાર્યો અને નિશ્ચય સાથે તેમાં શું સુંદર છે તે સ્પષ્ટ કરનાર છે, જો સુન્નત ન હોત તો મુસલમાનોને, નમાઝની રકાઅતોની સંખ્યા, તેનો તરીકો અને તેમાં વાજિબ શું છે તે ખબર ન હોત, અને તે લોકો રોઝા, ઝકાત, હજ્જ, જિહાદ અને નેકીનો આદેશ આપવો અને બુરાઈથી રોકવવાના વિસ્તાર પૂર્વક આદેશો જાણતા ન હોત, અને તેઓ લેવડ દેવડ અને હરામ કાર્યો અને અલ્લાહ એ પોતાની હદ અને સજાઓ વિષે કુરઆનની આયતોમાં વર્ણવેલ છે, અલ્લાહ એ સૂરે આલિ ઇમરાનમાં કહ્યું:

(અને અલ્લાહ અને તેના પયગંબરના આજ્ઞાકારી બનો, જેથી તમારા પર દયા કરવામાં આવે.)

અને અલ્લાહ એ સૂરે નિસામાં કહ્યું:

( હે ઈમાનવાળાઓ ! અલ્લાહ અને તેના રસૂલની આજ્ઞાનું પાલન કરો, અને તમારા માંથી જે હાકિમ છે તેમની પણ આજ્ઞાનું પાલન કરો, પછી જો કોઇ બાબતે તમારી વચ્ચે વિવાદ ઉભો થઈ જાય તો તેને અલ્લાહ અને પયગંબર તરફ ફેરવી દો, જો તમને અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઈમાન હોય, આ ઘણું જ ઉત્તમ છે અને પરિણામ પણ શ્રેષ્ઠ છે. )

અને અલ્લાહ એ સૂરે નિસામાં બીજી જગ્યા એ કહ્યું:

(જેણે કોઈ પયગંબરની ઇતાઅત કરશે તો તેણે અલ્લાહની ઇતાઅત કરી, અને જે કોઈ મોઢું ફેરવી લે તો અમે તમને તેમના પર દેખરેખ કરનાર બનાવીને નથી મોકલ્યા.)

અને આ કેવી રીતે શક્ય હોઇ શકે છે કે તેમનું અનુસરણ કરવામાં આવે અને જે વાતોમાં લોકો મતભેદ કરી રહ્યા છે,તે વાતોને અલ્લાહની કિતાબ અને સુન્નત તરફ રજૂ કરવામાં આવે જો તેની સુન્નતને પુરાવા રૂપે માનવામાં ન આવે અથવા તે સુરક્ષિત ન હોય.

અલ્લાહ એ સૂરે નહલમાં કહ્યું:

(અને તમારી તરફ આ ઝિકર (કુરઆન) એટલા માટે ઉતાર્યું છે, જેથી તમે સ્પષ્ટ રીતે તેમને જણાવી દો કે તેમની તરફ શુ ઉતારવામાં આવ્યું છે. એટલા માટે કે તેઓ તેમાં ચિંતન મનન કરે.)

અને બીજી જગ્યા એ કહ્યું:

(અમે કિતાબ તમારા પર એટલા માટે ઉતારી છે, કે જે વાતોમાં આ લોકો મતભેદ કરી રહ્યા છે, તેમના માટે સત્ય વાત સ્પષ્ટ કરી દો, ખરેખર આ કિતાબ ઈમાનવાળાઓ માટે હિદાયત પણ છે અને રહમત (પણ) છે.)

તો અલ્લાહ કેવી રીતે પોતાના પયગંબર ﷺ ને જવાબદાર બનાવે છે કે અલ્લાહ એ તેમની તરફ અવતરિત કરેલ (કિતાબ) અને તેમની સુન્નત, શું તેનું કોઈ અસ્તિત્વ નથી અથવા તેમાં કોઈ પુરાવા નથી?

એવી જ રીતે અલ્લાહ તઆલા સૂરે નૂર માં કહે છે:

(તમે તેમને કહી દો કે અલ્લાહનું અનુસરણ કરો અને તેનામુ પયગંબરનું આજ્ઞાનું પાલન કરો, અને જો તમે અવજ્ઞા કરશો,તો પયગંબરની જવાબદારી તો ફક્ત તે જ છે, જે તેના માટે જરૂરી કરી દેવામાં આવી છે, (અર્થાત પ્રચારની) અને તમારા પર તેની જવાબદારી છે, જેનાં તમે જવાબદાર છો (અર્થાત અનુસરણ કરવાના), અને જો તમે પયગંબરની આજ્ઞાનું પાલન કરશો તો હિદાયત પામી લેશો, અને પયગંબરની જવાબદારી તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાની છે.)

અને અલ્લાહ તઆલા એ આ જ સૂરહમાં કહ્યું:

(નમાઝ કાયમ પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે.)

અને સૂરે અઅરાફમાં કહ્યું:

(તમે કહી દો કે હે લોકો ! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું જ અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ.)

અને આ આયતો સ્પષ્ટ જણાવે છે કે હિદાયત અને રહમત નબી ﷺ નું અનુસરણ કરવામાં છે, આ કેવી રીતે શક્ય છે કે તેમની સુન્નતનું અનુસરણ કરવામાં ન આવે અને કહેવામાં આવે કે આ સાચી નથી અથવા તો આ ભરોસાને પાત્ર નથી

અને અલ્લાહ એ સૂરે નૂરમાં કહ્યું:

(જે લોકો પયગંબરના આદેશોનો વિરોધ કરે છે, તેમણે એ વાતથી ડરવું જોઇએ કે ક્યાંક તેમના પર જબરદસ્ત મુસીબત ન આવી પહોંચે અથવા તેમને દુ:ખદાયી અઝાબ ન પહોંચે.)

અને સૂરે હશ્રમાં કહ્યું:

(જે કંઇ પણ તમને પયગંબર આપે, લઇ લો, અને જેનાથી રોકે, રુકી જાવ)

અને આ વિશેની આયતો ઘણી છે, અને તે દરેક આયતો નબી ﷺ નું અનુસરણ કરવાને વાજિબ હોવા પર સ્પષ્ટ પુરાવા છે, અને જે કઈ પણ તેઓ લઈને આવ્યા તેનું અનુસરણ કરવું, જેમકે આ પહેલા અલ્લાહની કિતાબનું અનુસરણ કરવા અને તેના અમલ કરવાનું દલીલ વર્ણન કરવામાં આવી છે, અને તેના આદેશો અને તેણે રોકેલા કાર્યોથી રુકી જવું તે ઇસ્લામનું મૂળ છે, જેના પર મોમિન આલિમોનો ઈજ્માઅ (એકમત) છે.

તે હદીષો જે નબી ﷺ દ્વારા વર્ણન કરવામાં આવી છે.

અને ખરેખર તવાતુર (ઘણી) સાથે નબી ﷺ થી હદીષો વર્ણન છે, આપ ﷺ ના અનુસરણ અને આપે લાવેલ આદેશોનું અનુસરણ અને તેમની અવગણના ન કરવા બાબતે છે, અને આ તે લોકો માટે છે જે તેમના સમયે હતા અને કયામત સુધી આવતા લોકો માટે છે, જે વાત અબૂ હુરૈરહ રઝી. થી સહીહૈન (બુખારી, મુસ્લિમ) માં સાબીત છે કે નબી ﷺ એ કહ્યું:

<<જે વ્યક્તિ એ મારું અનુસરણ કર્યું તેણે અલ્લાહનું અનુસરણ કર્યું અને જે વ્યક્તિ એ મારી અવજ્ઞા કરી તેણે અલ્લાહની અવજ્ઞા કરી>>

અને સહીહ બુખારીમાં અબૂ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:

«મારી ઉમ્મતનો દરેક વ્યક્તિ જન્નતમાં જશે ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો, કહેવામાં આવ્યું કે હે અલ્લાહના પયગંબર ! કોણે તમારો ઇન્કાર કર્યો? કહ્યું જેણે મારું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે અને જેને મારી અવજ્ઞા કરી તેણે મારો ઇન્કાર કર્યો»

અને અબૂદાવૂદ, ઈમામ હાકિમ એ સહીહ સનદ સાથે મિક્દાદ બિન મઅદી કરિબ રઝી. એ નબી ﷺ થી રિવાયત કરી કે નબી ﷺ એ કહ્યું:

«સાંભળો ! મને કિતાબ (કુરઆન) આપવામાં આવ્યું છે, અને તેના સાથે જ મને તેના જેવી જ એક બીજી વસ્તુ (અર્થાત્ સુન્નત) આપવામાં આવી છે, નજીક છે કે એક સુખી વ્યક્તિ પોતાના સિહાંસન પર ટેક લગાવીને કહે: આ કુરઆનને ફરજીયાત બનાવો, અને જે કઈ પણ તમે આમાં હલાલ જુઓ તે હલાલ સમજો અને જે હરામ જુઓ તેને જ હરામ સમજો»

અને અબૂ દાવૂદ, ઇબ્ને માજહ રહ. એ સહીહ સનદ સાથે રિવાયત કરી છે: ઇબ્ને અબી રાફિઅ એ પોતાના પિતા અને તેમને રિવાયત કરી છે કે નબી ﷺ એ કહ્યું:

«સાંભળો ! હું તમારા માંથી કોઈ વ્યક્તિને તે સ્થિતિમાં ન જોઉં કે તે પોતાના સુંદર સિહાંસન પર ટેક લગાવીને બેઠો હોઈ અને તેની પાસે મારો કોઈ આદેશ આવે અથવા કોઈ રોકેલા કાર્યો માંથી કોઈ આદેશ આવે, અને તે કહે હું નથી જાણતો, અમે અલ્લાહની કિતાબમાં જે વસ્તુ મેળવી તેના પર જ અમે અમલ કરીશું»

અને હસન બિન જાબિર રઝી. એ કહ્યું કે મેં મિક્દાદ બિન મઅદિ કરીબ ને કહેતા સાંભળ્યા, તેમણે કહ્યું:

« નબી ﷺ ને ખૈબરના દિવસે કેટલીક વસ્તુઓને હરામ કરી, ફરી કહ્યું: નજીકમાં જ એક વ્યક્તિ આવશે, જો પોતાના સિહાંસન પર બેસી કહેશે કે કુરઆનને પોતાના પર ફરજીયાત કરો , ફક્ત તે જ વસ્તુઓને હલાલ સમજો જે તમે તેમાં હલાલ જુઓ, અને જે હરામ જુઓ તેને હરામ સમજો, યાદ રાખો ! જેવી રીતે અલ્લાહ એ કેટલીક વસ્તુઓને હરામ કરી છે અલ્લાહના પયગંબરે પણ કેટલીક વસ્તુઓને હરામ કરી છે.»

આ હદીષને ઈમામ હાકિમ, ઈમામ તિર્મિઝી, અને ઇબ્ને માજહ રહ. એ સહીહ સનદ સાથે રિવાયત કરી છે.

અને ખરેખર નબી ﷺ દ્વારા સતત એવી હદીષો વર્ણન કરવામાં આવી છે જેમાં આપ ﷺ પોતાના સહાબાઓને ખુત્બામાં વસિયત કરતા હતા, કે તેઓ જે અહિયાં હાજર નથી તેને મારી વાતો પહોંચાડે, અને આપ ﷺ તેમણે કહેતા «ઘણીવાર જેને વાત પહોંચાડવામાં આવે તે સંભાળવા વાળા કરતા વધુ સમજદાર હોઈ છે»

એટલા માટે જ સહીહૈન (બુખારી અને મુસ્લિમ) માં નબી ﷺ દ્વારા વર્ણન કરવામાં આવ્યું કે જયારે આપ ﷺ એ હજ્જ્તુલ્ વદાઅમાં, અરફાતના મૈદાનમાં કુરબાનીના દિવસે ખુત્બો આપ્યો તો પોતાના સાથીઓને કહ્યું:

«તમારા માંથી દરેક જે અહિયાં હાજર નથી તેને મારી વાત પહોંચાડે કેમકે ઘણીવાર જેને વાત પહોંચાડવામાં આવે તે સંભાળવા વાળા કરતા વધુ સમજદાર હોઈ છે»

જો હદીષ તેને સાંભળવાવાળા માટે પુરાવો ન હોત અને તેના તેને પહોચાડવા વાળા પર, અને જો તે કયામત સુધી બાકી રહેવાવાળી ન હોત તો તેઓને ક્યારેય તેના પ્રચારનો આદેશ આપવામાં ન આવતો, બસ જાણીલો કે કે સુન્નત (હદીષ) તેને સાંભળવા વાળા માટે પુરાવો છે, અને તેના પર પણ જે તેને સહીહ સનદ સાથે રિવાયત કરે.

અને ખરેખર સહાબાઓએ નબી ﷺ ની સુન્નત કહેલી અને કરેલી (હદીષો) ને યાદ કરી સુરક્ષિત કરી લીધી, ફરી તેમણે તાબઈન સુધી પહોંચાડી, ફરી તેઓએ તેમના પછી આવનારા તબ્એ તાબઈન સુધી પહોંચાડી, આવી રીતે વિશ્વાસપાત્ર આલિમો તેને પેઢી દર પેઢી અને એક સદી થી લઇ બીજી સદી સુધી હદીષોને નકલ કરતા રહ્યા, અને તેને પોતાની કિતાબોમાં એકઠી કરતા રહ્યા અને તેમાંથી જૂઠી અને સાચી હદીષોને સ્પષ્ટ કરતા રહ્યા, અને તેની ઓળખના નિયમો પણ સ્પષ્ટ કર્યા જેથી સાચી અને જૂઠી હદીષોને પારખી શકાય, અને આલિમોએ હદીષોને બને સહીહ કિતાબો (બુખારી અને મુસ્લિમ) અને બીજી અન્ય છો સાચી કિતાબોમાં થી નકલ કરી, અને તેને સંપૂણ રીતે સુરક્ષિત કરી, જેવી રીતે અલ્લાહ એ પોતાની કિતાબને બેકાર વાતો, નાસ્તિકોની નાસ્તિકતા અને દુશ્મનોની વિકૃતિ (ફેરફાર) થી સુરક્ષિત રાખી, અને ખરેખર તેની વાત પુષ્ટિ કરે છે:

{નિઃશંક અમે જ આ કુરઆનને ઉતારવાવાળા છે અને અમે જ તેની હિફાજત પણ કરવાવાળા છે.}

આમાં કોઈ શંકા નથી કે અલ્લાહના પયગંબર ﷺ ની સુન્નત અલ્લાહ તફર થી આવેલ વહી છે, અલ્લાહ એ તેની તે રીતે જ સુરક્ષા કરી જેવી રીતે પોતાની કિતાબની સુરક્ષા કરી, અને અલ્લાહ તઆલા એ તેના માટે એવા આલિમો નક્કી કર્યા જે ઠોસ હતા, જેઓ દુશ્મનોના ફેરફાર અને અજ્ઞાનીઓના અર્થઘટનનો ઇન્કાર કરતા હતા, અને અજ્ઞાનીઓ, જૂઠ્ઠાણાઓ અને નાસ્તિકોએ તેની સાથે જોડાયેલી તમામ બાબતોને તેઓ નકારી કાઢે છે, કારણકે અલ્લાહ તઆલા એ તેને પોતાની કિતાબની તફસીર (સમજૂતી) બનાવી હતી અને બીજા આદેશો જે પવિત્ર કિતાબ (કુરઆન) માં નથી, જેમકે સત્નપાન અને વારસા અંગેના આદેશો, અને સ્ત્રી અને તેની ફોઈ અને સ્ત્રી અને તેની માસીને એક સાથે (લગ્નમાં) ભેગી ન કરવા બાબતેના આદેશો, અને બીજા ઘણા આદેશો જે સહીહ હદીષોમાં વર્ણન કરવામાં આવ્યા છે, જે અલ્લાહની પવિત્ર કિતાબમાં નથી. અને જે કઈ સહાબાઓ અને તાબઈન અને તેમના પછી આવનારા આલિમો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે , તેમાંથી અમુક સહાબાઓ અને તાબઈન અને તેમના પછી આવવા વાળા આલિમો એ જે સુન્નત (હદીષ) ની મહાનતા વર્ણન કરી છે તેના પર અમલ કરવો જરૂરી છે..

સહીહૈનમાં અબૂ હુરૈરહ રઝી, ની રિવાયત છે કે તેમણે કહ્યું:

જયારે નબી ﷺ વફાત પામ્યા તો અરબો માંથી કેટલાક લોકો ઇસ્લામથી ફરી ગયા, તો અબૂ બકર સિદ્દીક રાઝી. એ કહ્યું: અલ્લાહની કસમ હું નમાઝ અને ઝકાત વચ્ચે તફાવત કરનાર સાથે યુદ્ધ કરીશ, તો ઉમર રઝી. એ કહ્યું: »તમે તેમની સાથે કેવી રીતે યુદ્ધ કરશો જેમકે નબી ﷺ એ કહ્યું:» « મને આદેશ આપવામાં આવ્યો છે કે હું લોકો સાથે ત્યાં સુધુ યુદ્ધ કરું જ્યાં સુધી તેઓ "લા ઇલાહ ઈલ્લાલાહ" ( અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી) ન કહે, અને જે તેઓ કહી દે તો કોઈ હક વગર તેમના પ્રાણ અને તેમનો માલ મારાથી સુરક્ષિત છે»અબૂ બકર રઝી. એ કહ્યું: શું ઝકાત આપવી એ અલ્લાહનો હક નથી, જો કે તેઓ અમને આપવાથી રોકે છે અને તેઓ નબી ﷺ ને આપતા હતા, હું તે રોકવાના કારણે તેમની સાથે યુદ્ધ કરીશ. તો ઉમર રઝી. એ કહ્યું: જો મને ખબર હોત કે અલ્લાહ તઆલા એ અબૂ બકરની છાતી યુદ્ધ માટે ખોલી દીધી છે તો હું જાણી લેત કે આ હક છે,

અને સહાબાઓ એ આ વાતનું અનુસરણ કર્યું અને ઇસ્લામથી ફરી જનારા લોકો સાથે યુદ્ધ કર્યું અહીં સુધે કે તેઓ ઇસ્લામ તરફ પાછા ફરી ગયા અને જે લોકો અડગ રહ્યા તેમણે કતલ કરી દેવામાં આવ્યા, આ કિસ્સામાં હદીષની મહાનતા અને તેનું અનુસરણ કરવા પર્ત્યે સ્પસ્ટતા જોવા મળે છે, એક દાદી અબૂ બકર સિદ્દીક રઝી. પાસે આવી અને વારસામાં તેના ભાગ વિષે પૂછ્યું તે તેમણે તેને કહ્યું:

અલ્લાહની કિતાબમાં તમારા ભાગ વિષે કઈ પણ ઉલ્લેખ કરવામ નથી આવ્યો અને હું નથી જાણતો કે નબી ﷺ એ તમારા માટે કઈ નક્કી કર્યું છે, હું લોકોને પૂછી તમને જાણવું ફરી અબૂ બકર રઝી. એ સહાબાને સવાલ કર્યો, તો કેટલાય સહાબાઓ એ ગવાહી આપી આપી કે નબી ﷺ એ દાદી માટે છઠો ભાગ નક્કી કર્યો છે, અને ઉમર રઝી. એ પોતાના ગવર્નરોને આદેશ આપ્યો તેઓ લોકો દરમિયાન અલ્લાહની કિતાબ અને નબી ﷺ ની સુન્નત વડે નિર્ણય કરે.

અને જયારે સ્ત્રીના મૃતક બાળકના જન્મ વિશે શંકા થઇ કે શું તેનું ગર્ભપાત કરી દેવામાં આવે કારણકે તેના પર કોઈએ હુમલો કર્યો છે, સહાબાઓને આ વિશે પૂછવામાં આવ્યું, તો મુહમ્મદ બિન મુસ્લિમહ અને મુગૈરહ બિન શોઅબહ રઝી. એ ગવાહી આપી કે નબી ﷺ એ આદેશ આપ્યો કે એક ગુલામ પુરુષ અથવા એક ગુલામ સ્ત્રી આઝાદ કરો.

અને ઉષ્માન રઝી. જયારે પતિના મૃત્યુ પછી સ્ત્રીને તેને પતિના ઘરમાં રહેવા બાબતે શંકામાં પડ્યા તો અબૂ સઈદની બહેન ફરિહાહ બિન્તે માલિક રઝી. એ કહ્યું કે નબી ﷺ એ સ્ત્રીને પોતાના પતિના મૃત્યુ પછી તેના જ ઘરમાં રહેવાનો આદેશ આપ્યો અહીં સુધી કે કુરઆનમાં જણાવેલ મુદ્દત (તલાકની ઇદ્દત) પહોંચી જાય.

અને એવી જ રીતે જયારે વલીદ બિન ઉક્બાહ રઝી. પર શરાબ (દારૂ) પીવાની હદ સુન્નત પ્રમાણે લાગુ કરી, અને જયારે આ વાત અલી રઝી. ને પહોંચી, કે ઉષ્માન રઝી. એ અલી રઝી. ના ખાનદાન માટે હજ અને ઉમરાહ એક સાથે કરવાની ના પાડી અને કહ્યું: હું અલ્લાહના રસુલ ﷺ ની સુન્નતને કોઈના કહેવા પર નથી છોડતો, અને જયારે કેટલાક લોકો એ અબૂ બકર અને ઉમર રઝી. ના શબ્દો - કે હજને એકલું કરવામાં આવે- પર ઇબ્ને અબ્બાસ વિરુદ્ધ વિરોધ કર્યો, ઇબ્ને અબ્બાસ રઝી. એ કહ્યું: નજીક છે તમારા ઉપર આકાશ માંથી પથ્થર ઉતરે, હું કહું છું: અલ્લાહના રસૂલ એ કહ્યું છે અને તમે કહો છો કે અબૂ બકર અને ઉમર કહે છે, બસ જયારે કોઈ અબુ બકર અને ઉમર રઝી. ની વાતો દ્વારા સુન્નતનો વિરોધ કરે છે, તે તેણે સઝા અને પકડથી ડરી જવું જોઈએ, તો વિચારો કે જે કોઈ આ બંનેની વાતો અથવા બીજા કોઈની વાત અથવા પોતાની મહેનત દ્વારા સુન્નતનો વિરોધ કરે છે તેની શું સ્થિતિ હશે, અને જયારે લોકો અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર રઝી. સાથે જઘડો કરવા લાગ્યા અમુક સુન્નત (હદીષો) બાબતે, તો અબ્દુલ્લાહ એ કહ્યું: શું તમે ઉમર રઝી. ના આદેશોનું પાલન કરવા પર જવાબદાર છો કે સુન્નતનું?

અને જયારે એક વ્યક્તિ એ ઇમરાન બિન હુસૈન રઝી. ને કહ્યું: અમને અલ્લાહની કિતાબની વાતો વર્ણન કરો અને તેઓ હદીષો વિષે વર્ણન કરો છો, તો તેઓ ગુસ્સે થઇ ગયા અને કહ્યું: ખરેખર સુન્નત(હદીષ) અલ્લાહની કિતાબ (કુરઆન) ની તફસીર (સમજૂતી) છે, અને જો સુન્નત ન હોત તો આપણે ઝોહરની ચાર રકઅત, મગરીબની ત્રણ રકઅતઅને ફજરની બે રકાઅત વિષે જાણતા ન હોત, અને ઝકાતના આદેશો અને બીજા ઘન આદેશો જે વિસ્તાર પૂર્વક સુન્નતમાં વર્ણન કરવામાં આવ્યા છે તે જાણતા ના હોત, અને સુન્નત વિશે સહાબાઓના વાતો અને તેની મહાનતા અને તેના પર અમલ કરવા બાબતે અને તેનો વિરોધ કરવા પર ઘણી ચેતવણીઓ આપી છે, અને તેમાથી અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર રઝી. એ જયારે વર્ણન કર્યું કે નબી ﷺ એ કહ્યું: (તમે અલ્લાહની બંદીઓને અલ્લાહની મસ્જિદમાં આવવાથી ન રોકો)

તેમના કેટલાક પુત્રો એ કહ્યું: અલ્લાહની કસમ આપણે તેણીઓને જરૂર રોકીશું ,તો તેમના પર અબ્દુલ્લાહ સખત ગુસ્સે થયા અને તેમના વિશે સખત શબ્દો કહ્યા હું કહું છું કે અલ્લાહના પયગંબરે કહ્યું અને તમે કહો છે કે અલ્લાહની કસમ આપણે તેણીઓને જરૂર રોકીશું , અને જયારે અબ્દુઅલ્લહ ઇબ્ને મુગફ્ફલ અલ્ મુઝ્ની રઝી. - અને તે નબી ﷺ ના સહાબાઓ માંથી હતા- તેમણે એક વ્યક્તિને કાંકરીઓ ફેકતા જોયો તો તેને આવું કરવા થી રોક્યો અને કહ્યું કે નબી એ આ પ્રમાણે કરવાથી રોક્યા છે અને કહ્યું છે કે કાંકરીઓ દ્વારા શિકાર ન તો શિકાર કરવામાં આવે અને ન તો કોઈ દુશ્મનને નુકસાન પહોંચાડવામાં આવે, કારણકે કોઈક વખત તો આના થી કોઈના દાંત તૂટી જાય છ અને અમુક વખત તો કોઈની આંખ ફૂટી જાય છે, ત્યારબાદ પછી પણ તેમણે તે વ્યક્તિને કાંકરીઓ ફેકતા જોયો તો તેને કહ્યું કે મેં તને અલ્લાહના રસૂલ ﷺ ની હદીષ સંભળાવી કે નબી ﷺ એ કાંકરીઓ ફેંકવાથી રોક્યા છે અને કાંકરીઓ ફેંકવાને ના પસંદ કરે છે, અને તમે હજુ પણ કાંકરીઓ ફેંકો છો, હું તમારી સાથે ક્યારેય વાત નહીં કરું.

અને ઈમામ બય્હકી રહી. એ મહાન તાબઈ અય્યુબ સુખતીયાની રહ. દ્વારા રિવાયત કરી કે તેમણે કહ્યું: જયારે તમે કોઈ વ્યક્તિ ને કોઈ હદીષ સંભળાવો અને તે કહે કે રહેવા દો અમને કુરઆન સંભળાવો તો જાણી લો કે વ્યક્તિ ગુમરાહ વ્યક્તિ છે, અને ઈમામ અવ્ઝાઈ રહ. એ કહ્યું સુન્નત એ કિતાબ (કુરઆન) માં વર્ણન આદેશોને સ્પષ્ટ કરે છે અને કુરઆનમાં જે આદેશો સક્ષિપ્તરૂપે વર્ણન થયા છે તેને હદીષ સ્પષ્ટીકરણ કરે છે અને બીજા ઘણા આદેશો જે કિતાબમાં વર્ણન કરવામાં નથી આવ્યા તેને સ્પષ્ટ કરે છે, જેમકે અલ્લાહ તઆલાની આયતમાં છે:

(અને તમારી તરફ આ ઝિકર (કુરઆન) એટલા માટે ઉતાર્યું છે, જેથી તમે સ્પષ્ટ રીતે તેમને જણાવી દો કે તેમની તરફ શુ ઉતારવામાં આવ્યું છે. એટલા માટે કે તેઓ તેમાં ચિંતન મનન કરે.)

અને પહેલા નબી ﷺ ની વાત વર્ણન થઈ ગઈ છે. «સાંભળો ! મને કિતાબ આપવામાં આવી છે અને તેના જેવી બીજી વસ્તી (હદીષ) આપવામાં આવી છે»

અને ઈમામ બય્હકી રહ. એ આમીર શઅબી રહ. દ્વારા રિવાયત કરી કે એ તેમણે લોકોને કહ્યું:

ખરેખર તમે નષ્ટ થઈ ગયા, જ્યારે તમે સહીહ હદીષોને છોડી દીધી. અને ઈમામ બયહકી રહ. એ ઈમામ અવ્ઝાઈ રહ. થી પણ રિવાયત કરી કે તેમણે પોતાના સાથીઓને કહ્યું: જયારે તમારી પાસે નબી ﷺ ની કોઈ હદીષ આવે, તો તમે કઈ પણ કહેશો નહીં કેમકે નબી ﷺ ને અલ્લાહ તઆલા એ ખબર આપી છે.

અને ઈમામ બયહકી રહ. એ મહાન ઈમામ સુફયાન બિન સઈદ અષ્ સૌરી રહ. દ્વારા રિવાયત કરી કે તેમણે કહ્યું: ખરેખર સંપૂણ ઇલમ અસરોનું ઇલ્મ છે, અને માલિક રહ. એ કહ્યું-: નબી ﷺ ની કબર તરફ ઈશારો કરી કહ્યું કે આપણા વચ્ચે આ વ્યક્તિની હદીષો સિવાય બીજું કઈ નથી.

અને અબૂ હનિફહ રહ. એ કહ્યું: જયારે નબી ﷺ ની હદીષ આવી જાય તો તે વાત મારી આંખ અને માથા પર.

અને શાફઈ રહ. એ કહ્યું: જયારે પણ મેં કોઈ નબી ﷺ ની હદીષ રિવાયત કરી હોઈ અને મેં તેના પર અમલ ન કર્યો હોઈ તો હું ગવાહી આપું છું કે મારું દિમાગ જતું રહ્યું હતું.

અને હજુ પણ કહ્યું: જયારે હું કોઈ વાત કહું અને નબી ﷺ ની હદીષ આવી જાય અને મારી વાત તેની વિરુદ્ધ હોઈ તો મારી વાત દીવાર પર મારી દે જો.

અને ઈમામ અહમદ રહ. એ પોતાના સાથીઓને કહ્યું: તમે મારું અનુસરણ ન કરો ન તો માલિકનું ન તો શાફઈનું, તમે હદીષ ત્યાંથી લો જ્યાંથી અમે લોકોએ લીધી છે.

અને એ પણ કહ્યું: મને તે લોકો પર આશ્ચર્ય થાય છે જે લોકો નબી ﷺ ની સનદને જાણે છે, અને સુફિયાન પાસે જાય છે, અને અલ્લાહ તઆલા એ કહ્યું: (જે લોકો પયગંબરના આદેશોનો વિરોધ કરે છે, તેમણે એ વાતથી ડરવું જોઇએ કે ક્યાંક તેમના પર જબરદસ્ત મુસીબત ન આવી પહોંચે અથવા તેમને દુ:ખદાયી અઝાબ ન પહોંચે.)

કહ્યું: તમે જાણો છો કે ફિતનો શું છે? ફિતનો શિર્ક છે, બની શકે છે કે તમે નબી ﷺ ની કોઈ વાત નકારી કાઢો અને કોઈ વાત તમારા દિલમાં આવે તો તે પથભ્રસ્ટ છે,

અને ઈમામ બયહકી રહ. એ મહાન તાબઈ મુજાહિદ બિન જબર રહ. ની રિવાયત કરી કે અલ્લાહ તઆલા એ કહ્યું:

( પછી જો કોઇ બાબતે તમારી વચ્ચે વિવાદ ઉભો થઈ જાય તો તેને અલ્લાહ અને પયગંબર તરફ ફેરવી દો)

કહ્યું: અલ્લાહ તરફ ફેરવાનો અર્થ તેની કિતાબ (કુરઆન) તરફ ફેરવવું અને પયગંબર તરફ ફેરવવાનો અર્થ તેમની હદીષ તરફ ફેરવી, અને ઈમામ બય્હકી રહ. એ ઈમામ ઝોહરી રહ. થી વર્ણન કર્યું: અમારા કેટલા આલિમો થઈ ગયા, જેઓ કહેતા હતા કે સુન્નત પર અમલ કરવો એ નજાત (કામયાબી) નું કારણ છે, અને ઈમામ ઇબ્ને કુદામાહ રહ. એ પોતાની કિતાબ "રવ્ઝતુન્ નાઝિર" માં કહ્યું: આદેશોના નિયમોમાં જે તેના શબ્દો છે: અને પૂરાવા માંથી બીજો પુરાવો એ કે નબી ﷺ ની હદીષ અને વાત સત્ય હોવા પર દલીલ માનવી, આપ ﷺ ના સાચા હોવાનો મુઅજિઝો (ચમત્કારિક) હોવાનું કારણ અલ્લાહ તરફથી રસૂલ ﷺ ના અનુસરણનો આદેશ અને તેમની વિરુદ્ધ કરવા પર મનાઈ છે.

અમારો મકસદ પૂરો થયો.

અને હાફિઝ ઇબ્ને કષીર રહ. એ આ આયત વિષે પોતાની તફસીરમાં કહ્યું:

(જે લોકો પયગંબરના આદેશોનો વિરોધ કરે છે, તેમણે એ વાતથી ડરવું જોઇએ કે ક્યાંક તેમના પર જબરદસ્ત મુસીબત ન આવી પહોંચે અથવા તેમને દુ:ખદાયી અઝાબ ન પહોંચે.)

અર્થાત્ નબી ﷺ નો આદેશ અને તેમનો તરીકો, નિયમ, તેમની સુન્નત છે, કોઈ પણ વાત અને કામને તેમની વાત અને તેમના પ્રમાણે તોલવામાં આવશે, બસ કાર્યો અને વાતો જો તેમના મુજબ હશે તો કબૂલ કરવામાં આવશે અને જો વિરુદ્ધ હશે તો તે સ્વીકારવામાં નહીં આવે, ભલેને તે કહેવા વાળો અને કરવા વાળો કોઈ પણ હોઈ,

જેવું કે સહીહૈન (બુખારી અને મુસ્લિમ) અને બીજી કિતાબોમાં નબી ﷺ દ્વારા સાબિત છે કે તેમણે કહ્યું:

«જે વ્યક્તિ કોઈ એવો અમલ કરે, જે અમારી શરીઅત મુજબ નથી તો તેનો તે અમલ રદ કરવામાં આવશે»

અર્થાત્ તે વ્યક્તિ જે અલ્લાહના રસૂલ ﷺ ના તરીકાનો છુપી રીતે કે જાહેરમાં વિરોધ કરે છે તે લોકોએ ચેતી જવું જોઈએ:

(કે તેમના પણ કોઈ ફિતનો ન આવી જાય).

અર્થાત્ તેમના દિલમાં કુફ્ર અથવા નિફાક કે બિદઅત છે.

(અથવા તેમના પર કોઈ દુઃખદાયી અઝાબ ન આવી જાય).

અર્થાત્ દુનિયામાં કતલ કરી દેવામાં આવે, અથવા કોઈ હદ લાગુ કરવામાં આવે, અથવા કૈદ કરી દેવામાં આવે, વગેરે જેવું કઈ થાય, જેમકે ઈમામ અહમદ રહ. એ રીવાયત કરી કે અમને અબ્દુર રઝ્ઝાક એ વર્ણન કર્યું (તેમણે કહ્યું) અમને મુઅમ્મર એ હમ્મામ બિન મુનબ્બહ દ્વારા વર્ણન કરી અને કહ્યું: અમને આ અબૂ હુરૈરહ રઝી. એ વર્ણન કરી , કહ્યું: અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું-:

«મારું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે, જેણે એક આગ સળગાવી હોઈ અને તેની આસપાસની વસ્તુઓ પ્રકાશિત થઇ ગઈ હોઈ તો પતંગિયા અને જંતુઓ આગમાં પડવા લાગે છે, અને તે વ્યક્તિ તેમને આગમાં પડવાથી રોકતો હોઈ, પરંતુ તેઓ તે વ્યક્તિ પર ભારે પડી જાય છે અને આગમાં પડવા લાગે છે, નબી ﷺ એ કહ્યું મારું અને તમારું ઉદાહરણ આવું જ છે, હું તમને તમારી કમરે થી પકડીને આગથી બચાવું છું ( =અને બુમો પડી કહું છું) આગથી બચો, આગથી બચો, પરતું તમે મારા ઉપર પ્રભુત્વ મેળવી અને આગમાં પડવા લાગો છો»

અબ્દુર રઝ્ઝાકની હદીષ માંથી રિવાયત કરી છે

ઈમામ સયૂતી રહ. એ પોતાની પત્રિકા "અલ્ મુસ્સામતુ મિફ્તાહુલ્ જન્નહ ફી ઇહ્તિજાજ બિસ્ સુન્નહ" માં કહ્યું:

જાણીલો કે જે વ્યક્તિ નબી ﷺ ની સુન્નતનો, તેના નિયમો અને શરતો જાણવા છતાં ઇન્કાર કરે, તો તે કાફિર છે અને ઇસ્લામ માંથી નીકળી ગયો, અને તેનો હશર યહૂદીઓ અથવા નસ્રાનીઓ સાથે થશે, અથવા કાફિરોના જૂથો માંથી અલ્લાહ જેમાં ઈચ્છશે તેમાથી કરી કરી દેશે

અમારો મકસદ પૂરો થયો.

અને સુન્નત પર અમલ કરવા અને તેના વિરોધ કરવા પર અને તેની મહાનતા પર સહાબા, તાબઈન અને તેમના પછી આવનારા આલિમોના ઘણા અસરો છે, અને હું ઈચ્છા કરું છું, જે કઈ પણ આયતો અને હદીષો અને અસરો અમે વર્ણન કર્યા તે એક સાચા વિદ્યાર્થી માટે પુરતું હશે, અને આપણે અલ્લાહ પાસે સવાલ કરી છે કે અલ્લાહ આપણને અને દરેક મુસલામનોને તે કાર્યો કરવાની તૌફીક આપે જેનાથી તે રાજી થાય અને તે કાર્યોથી બચાવે જેનાથી તે નારાજ થાય, અને તે આપણા સૌને સત્યમાર્ગ તરફ માર્ગદર્શન આપે, ખરેખર તે સાંભળવાવાળો અને નજીક છે.

અને દરુદ અને સલામતી ઉતરે તેના બંદા અને તેના પયગંબર, આપણા નબી મુહમ્મદ પર, તેમની સંતાન, તેમના સાથીઓ અને જેણે તેમના પછી સત્ય સાથે અનુસરણ કર્યું તેમના પર.

અબ્દુલ્ અઝીઝ બિન અબ્દુલ્લાહ બિન બઝ રહ.