رسول الإسلام محمد صلى الله عليه وسلم

رسول الإسلام محمد صلى الله عليه وسلم

ઇસ્લામના પયગંબર મુહમ્મદ ﷺ તેમના પર દરુદ અને અલ્લાહની સલામતી.

Language: lang_gu
Prepared by: અલ્ લજ્નહ અલ્ ઇલ્મીય્યહ બિ રિઆસતિશ્ શુઊનિદ્ દીનિય્યહ બિલ્ મસ્જિદિલ્ હરામિ વલ્ મસ્જિદિન્ નબવી (મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં દીનની બાબતો વર્ણન કરતી વૈજ્ઞાનિક પ્રમુખ સંસ્થા)
Version: 1.0
Translations 64
Afrikanns Amharic Assamese Azerbaijani +60
Attachments 7
PDF
Audio
Video
+3

ઇસ્લામના પયગંબર મુહમ્મદ ﷺ તેમના પર દરુદ અને અલ્લાહની સલામતી.

મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં દીન બાબતો વર્ણન કરતી પ્રમુખ સંસ્થા.

(શરૂ કરું છું) અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ઇસ્લામના પયગંબર મુહમ્મદ ﷺનો ટૂંકમાં પરિચય, જેમાં મેં તેમનું નામ, તેમનું ખાનદાન, તેમનું શહેર, તેમની પત્નીઓ, તેમની પયગંબરી જેના તરફ તેઓએ લોકોને બોલાવ્યા, તેમની નુબૂવ્વતની નિશાનીઓ અને શરીઅત અને તેમના વિરોધ કરનારના મંતવ્ય વર્ણન કર્યા છે.

૧- તેમનું નામ, ખાનદાન, અને તેઓ જ્યાં પેદા થયા અને જ્યાં તેમની પરવરીશ થઈ

ઇસ્લામના પયગંબર, મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ, ઇસ્માઇલ બિન ઈબ્રાહીમની પેઢી માંથી છે.

અને તે અલ્લાહના પયગંબર ઈબ્રાહીમ અ.સ. શામ શહેરથી મક્કા શહેર તરફ આવ્યા, તેમની સાથે તેમની પત્ની હાજરા અ.સ. હતા અને તેમનો દીકરો ઇસ્માઇલ પણ હતો, તેઓ ઓશિકામાં હતા, તેઓ બન્ને અલ્લાહના આદેશ પર અમલ કરતા મક્કા શહેરમાં રહેવા લાગ્યા, જ્યારે બાળક યુવાન થયો, પયગંબર ઈબ્રાહીમ અ.સ. મક્કા શહેર આવ્યા, અને તેમણે અને તેમના દીકરા ઇસ્માઇલએ ભેગા મળી અલ્લાહનું ઘર કઅબતુલ્લાહ બનાવ્યું, અને ઘણા લોકો તે ઘરનો તવાફ કરે છે, અને અલ્લાહની બંદગી કરવાના હેતુથી મક્કા આવે છે, હજ જેવા જરૂરી રૂકન અદા કરવા માટે, વર્ષો થી લોકો અલ્લાહની બંદગી કરતા રહ્યા અને વર્ષો સુધી ઈબ્રાહીમ અ.સ.ના તરીકા પર અમલ કરતા રહ્યા.

ત્યારબાદ થોડો ફેરફાર થવા લાગ્યો, અરબ શહેરની સ્થિતિ પર એવી જ થવા લાગી જેવી સ્થિતિ દુનિયાના બીજા શહેરોની હતી, અલ્લાહને છોડીને અન્યની ઈબાદત થવા લાગી, જેવું કે મૂર્તિ પૂજા, બાળકીઓને જીવિત દાટી દેવી, સ્ત્રીઓ પર અત્યાચાર, જૂઠી વાતો, શરાબ પીવા લાગ્યા, વ્યાભિચાર કરવા લાગ્યા, અનાથનો માલ હડપ કરવા લાગ્યા અને વ્યાજ લેવા લાગ્યા.

આવી જગ્યા પર અને આવા પરિસ્થિતિમાં ઇસ્લામના પયગંબર મુહમ્મદ બિન અબ્દુલ્લાહ, જેઓ ઈબ્રાહીમ બિન ઇસ્માઇલની પેઢી માંથી હતા, તેમનો ૫૭૧ ઇસ્વીસનમાં જન્મ થયો. આપના જન્મ પહેલાં જ આપના પિતા મૃત્યુ પામી ગયા હતા, અને આપની માતા પણ જ્યારે આપની ઉંમર છ વર્ષની હતી, મૃત્યુ પામ્યા, આપની દેખરેખની જવાબદારી આપના કાકા અબૂ તાલિબના શિરે આવી, આપને અનાથ અને લાચારીમાં જીવન પસાર કર્યું, પોતાના હાથ વડે મહેનત કરી કમાણી કરતા.

૨- પવિત્ર સ્ત્રીના પવિત્ર લગ્ન

અને જ્યારે આપ પચ્ચીસ ૨૫ વર્ષના થયા, મક્કા શહેરની એક પવિત્ર સ્ત્રી સાથે આપના લગ્ન થયા, અને તેમનું નામ ખદીજા બિન્તે ખુવૈલિદ રઝી. છે, અલ્લાહ તઆલાએ ચાર બાળકીઓ અને બે બાળકો આપ્યા, આપના બાળકો બાળપણમાં જ મૃત્યુ પામી ગયા, અને આપને પોતાની પત્ની સાથે અને તેમના ખાનદાન સાથે ખૂબ જ દયાળુ અને મુહબ્બત ભર્યો વ્યવહાર કરતા, એટલા માટે જ ખદીજા રઝી. આપને ખૂબ જ મુહબ્બત કરતી હતી, અને કેટલીક વખત આપ મુહબ્બતને જાહેર કરી ચુક્યા છે, એટલા માટે તેમના મૃત્યુના ઘણા વર્ષો સુધી તેમને ભુલાવી ન શક્યા, એટલા માટે જ્યારે પણ આપ બકરી ઝબહ કરતા, ખદીજા રઝી.ના દોસ્તોની ઇઝ્ઝત કરતા તેમને મોકલાવતા હતા, તેમની સાથે નેકી અને તેમની મુહબ્બતને યાદ કરતા.

૩- વહીની શરૂઆત

અલ્લાહ તઆલાએ જ્યારથી મુહમ્મદ ﷺને પેદા કર્યા, ત્યારથી જ આપ ઉચ્ચ અખલાકના માલિક હતા, આપની કોમ આપ ﷺ ને સાદિક (સાચા) અને અમીન (અમાનતદાર) ના લકબથી યાદ કરતી હતી, અને આપ ﷺ સામાજિક કાર્યોમાં સાથ આપતા, અને મૂર્તિપૂજા ના દરેક કામને નાપસંદ કરતાં અને ક્યારેય તેનો સાથ ન આપતા.

અને જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના થયા, જ્યારે આપ મક્કા શહેરમાં હતા, તો અલ્લાહ તઆલાએ આપને પયગંબરી માટે પસંદ કરી લીધા, જિબ્રઇલ અ.સ. નામનો એક ફરીશતો આપ ﷺ ની છાતી પાસે આવ્યો, અને કુરઆન મજીદની સૌ પ્રથમ સૂરત ઉતરી, તે આ હતી અલ્લાહ તઆલાએ કહ્યું:

(પઢો, તમારા તે પાલનહારના નામથી જેણે પેદા કર્યા (૧)

જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ.

પઢો પોતાના તે પાલનહારના નામથી જે ઇઝ્ઝત વાળો છે. (૩)

તેણે કલમ વડે શીખવાડ્યું (૪)

માનવીને તે શીખવાડ્યું, જે તે જાણતો ન હતો(૫))

[સૂરે અલક : ૧-૫] ,

આપ ﷺ પોતાની પત્ની ખદીજા રઝી. પાસે આવ્યા, આપ ﷺનું દિલ ધ્રૂજી રહ્યું હતું, તેમને સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, તેમણે તેમને ભરોસો અપાયો, અને પોતાના કાકાના છોકરા વરકહ બિન નૌફલ પાસે લઈ ગયા, તેઓ ધર્મ પરિવર્તન કરી ચુક્યા હતા, અને તૌરાત અને ઇન્જીલ પણ પઢી ચુક્યા હતા, ખદીજા રઝી.એ કહ્યું, હે ભાઈ ! તમે તમારા ભત્રીજાની વાત સાંભળો, વરકહએ તેમને કહ્યું, હે ભત્રીજા ! તને શું થયા છે, તો આપ ﷺ સંપૂર્ણ વાત જણાવી, વરકહએ કહ્યું:

(આ તે જ પ્રખ્યાત ફરિશતો છે, જે મૂસા તરફ અલ્લાહના આદેશો લઈ આવતા હતો, હે કાશ ! કે હું જીવિત રહ્યો, જ્યારે તમારી કોમ તમને તમારા શહેર માંથી નીકાળશે, રસૂલ ﷺએ કહ્યું, "શું મને નિકાળશે?" કહ્યું : હા, તમારા જેવો જે પણ વ્યક્તિ સત્ય લઈને આવ્યો, લોકો તેના દુશ્મન બની ગયા, જો હું તે દિવસ જીવિત રહ્યો તો હું જરૂર તમારી મદદ કરીશ.)

અને મક્કા શહેરમાં બરાબર કુરઆન મજીદની આયતો ઉતરતી રહી, જિબ્રઇલ સમગ્ર સૃષ્ટિના પાલનહાર તરફથી આયતો લઈ આવતા, જેવું કે પયગંબરીના કિતાબચામાં વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું છે.

બરાબર આપ ﷺ પોતાની કોમને ઇસ્લામ તરફ બોલાવતા રહ્યા, કોમને આપ ﷺની સાથે તેના કારણે સંબધ તોડી દીધો, અને ઝઘડો કરવા લાગ્યા, અને પયગંબરીને છોડી દેવા માટે માલ અને બાદશાહત આપવાની વાત મૂકી, પરંતુ આપ ﷺએ તે દરેક વસ્તુનો ઇન્કાર કરી દીધો, તેઓએ કહ્યું, આ પહેલા જેટલા લોકો પણ નબી હતા, તેઓ જાદુગર, જુઠા, વાતો બનાવનાર હતા , તેઓએ તેમના પર અત્યાચાર કર્યો, તેમના પવિત્ર શરીર પર હમલો કર્યો, અને તેમના અનુયાયીઓને પણ ખૂબ સતાવ્યા,

બરાબર આપ ﷺ મક્કા શહેરમાં ઇસ્લામ તરફ બોલાવતા રહ્યા, અને હજ્જ નો સમય આવી ગયો, અને હજ્જ ના સમયના પ્રખ્યાત બજારોમાં જઈ લોકો સાથે મુલાકાત કરતા અને તેમને પણ ઇસ્લામ તરફ બોલાવતા, તેમને પદ અને શરીરની કઇ પણ લાલચ ન હતી, તે નબી કોઈની તલ્વારથી નહતો ડરતો, અને ન તો તેની પાસે કોઈ અધિકાર હતો, અને ન તો તે બાદશાહ હતો, અને તેણે પ્રથમ વખત લોકોને ચેલેન્જ કર્યું કે તમે મહાન કુરઆન જેવી એક આયત લઈને આવી બતાવો, તેઓ બરાબર વિરોધ કરનાર સામે ચેલેન્જ કરતા રહ્યા, બસ ! કેટલાક સહાબાઓ ઈમાન લાવ્યા, અલ્લાહ તે દરેકથી ખુશ થઈ ગયો.

અને મક્કામાં એક નિશાની દ્વારા અલ્લાહ તઆલાએ આપ ﷺની મદદ કરી, અને તે બૈતુલ્ મુકદ્દસથી લઈને, ઉપર આકાશ તરફનો સફર, અને એ ખબર છે કે અલ્લાહ તઆલાએ ઇલ્યાસ અને મસીહ અ.સ.ને ઉઠાવ્યા, જેવું કે મુસલમાન અને ઈસાઈઓ વર્ણન કરે છે.

આસ્માન પર અલ્લાહ સાથે મુલાકાત કરી અને ત્યાં જ નમાઝનો આદેશ આપવામાં આવ્યો, અને તે નમાઝ જેને મુસલમાનો રાત દિવસમાં પાંચ વખત પઢતા હોય છે, અને મક્કામાં બીજી ઘણી મહત્વની નિશાનીઓ જાહેર થઈ, તેમાંથી એક ચાંદના ટુકડા થવાની નિશાની પણ જાહેર થઈ, જે મુશરિકોએ જોયું.

અને મક્કાના કુરૈશના લોકોએ આપ ﷺને રોકવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો, આપના વિરુદ્ધ અલગ અલગ યુક્તિઓ કરીને અને દૂરી રહી, પોતાની મનેચ્છા પ્રમાણે આયતોની માંગણી, યહૂદી લોકોની મદદ કરી, અને તે લોકોએ યહૂદીઓ પાસે મદદ માંગી, જેથી તેમના દ્વારા એવા પુરાવા અને વાતો હાજીઓને બતાવે, જેનાથી તેની સાથે લડાઈમાં કામ આવે અને લોકો તેનાથી દૂર જતા રહે.

અને બરાબર કુરૈશના કાફિરો મોમિનોને પરેશાન કરતા રહ્યા આપ ﷺ એ તેમને હબશહ તરફ હિજરત કરવાની પરવાનગી આપી, આપ ﷺ એ તેમને કહ્યું: નિઃશંક ત્યાં એક ન્યાયી બાદશાહ છે, તે કોઈના પર અત્યાચાર નથી કરતો, અને તે ઈસાઈ બાદશાહ હતો, બે જૂથોએ હબશહ તરફ હિજરત કરી, જ્યારે તેઓ હબશહ પહોંચી ગયા અને તેઓ તે દીન, જે આપ ﷺ લઈને આવ્યા છે, જણાવ્યો, તેણે સ્વીકાર કર્યો: અને કહ્યું કે અલ્લાહની કસમ અને આ તો તે જ દીન છે, જે મૂસા અ.સ. લઈને આવ્યા હતા, જેથી તેમને સત્ય માર્ગ પર લાવે, પરંતુ તેમની કોમે તેમને અને તેમના અનુયાયીઓને ઘણી તકલીફો આપી.

અને હજ્જ નામોસમ વખતે મદીના શહેરથી આવેલી એક જૂથે ઇસ્લામ કબૂલ કર્યો અને આપની ﷺની સામે ઇસ્લામની મદદ કરવા પર બૈઅત કરી, જેઓ મદીના શહેર તરફ પાછા ફર્યા, અને તેને યષરિબ પણ કહેતા હતા. તેમજ મક્કા શહેરમાં કેટલાક બાકી રહી ગયા હતા, તેમને મદીના શહેર તરફ હિજરત કરવાની પરવાનગી આપવામાં આવી, તેઓએ હિજરત કરી અને મદીનામાં ખૂબ ઇસ્લામ દીનનો પ્રચાર કર્યો, અહીં સુધી કે મદીનામાં એક પણ ઘર એવું ન હતું, જેમાં ઇસ્લામ દાખલ ન થયો હોય.

તે પછી સતત આપ ﷺ મક્કા શહેરમાં તેર વર્ષ સુધી લોકોને અલ્લાહ તરફ બોલાવતા રહ્યા, અલ્લાહ તઆલાએ આપને મદીના શહેર તરફ હિજરત કરવાની પરવાનગી આપી, આદેશ પ્રમાણે આપ ﷺએ હિજરત કરી-, આપ ﷺ અલ્લાહ તઆલાથી દુઆ કરતા રહ્યા અને એક પછી એક ઇસ્લામના આદેશો આવવાના શરૂ થઈ ગયા, અને આપ ﷺએ કબીલાના સરદારો અને બાદશાહો પાસે પોતાના એલચી ઇસ્લામના સંદેશ લઈ મોકલવાના શરૂ કર્યા, તેમાંથી રોમના બાદશાહ, ફ્રાન્સના બાદશાહ અને મિશ્રના બદશાહ સમક્ષ પોતાનો સંદેશ મોકલ્યો.

મદીના શહેરમાં સૂર્યગ્રહણની ઘટના ઘટી, લોકો ડરી ગયા, અને તે જ દિવસે આપ ﷺના દીકરા ઈબ્રાહીમનું મૃત્યુ પણ થયું, તો લોકો કહેવા લાગ્યા, ઇબ્રાહીમના મૃત્યુના કારણે સૂર્યને ગ્રહણ લાગ્યું છે, તે સમયે આપ ﷺએ લોકોને કહ્યું :

(નિઃશંક સૂર્ય અને ચંદ્ર બંનેને કોઈની મૃત્યુ થવાના કારણે અથવા કોઈના જીવતા થવાના કારણે ગ્રહણ નથી લાગતું, પરંતુ તે બન્ને તો અલ્લાહની નિશાનીઓ માંથી છે, જેના કારણે પોતાના બંદાઓને બીવડાવતો રહે છે.) [1],

જો આપ ﷺ જુઠા પયગંબર હોતા તો તરત જ લોકોને તેમની જૂઠી વાતો દ્વારા બીવડાવવામાં ઉતાવળ કરતા અને કહેતા કે સૂર્યને મારા દીકરાના મૃત્યુના કારણે ગ્રહણ લાગ્યું છે, કેવી રીતે તે લોકો મારા પર જૂથ બાંધતા હોય છે.

[1] સહીહ મુસ્લિમ: (901)

અને પયગંબર ﷺ ને તેમના પાલનહારે સંપૂર્ણ અખલાક આપ્યા હતા, અને ઉચ્ચ ગુણો આપ્યા હતા અલ્લાહ તઆલાએ આપ ﷺ ગુણ વર્ણન કરતાં કહ્યું :

((હે પયગંબર ! ) ખરેખર તમે ઉચ્ચ અખલાક વાળા છો.)

[સૂરહ કલમ: ૪] ,

આપ ﷺ દરેક ઉચ્ચ અખલાકના માલિક હતા, ઉદાહરણ તરીકે, સાચું બોલવું, નિખાલસતા, બહાદુરી, ન્યાય, આપના વિરોધી પક્ષ સાથે વફાદારી, ફકીરો લાચારો પર દાન કરવું, વિદ્વ સ્ત્રીઓ અને જરૂરતમંદને સદકો આપવો, લોકોને સત્યમાર્ગ તરફ લાવવાની તીવ્ર ઈચ્છા, દયાશીલ, ખૂબ ન આજીજી, અહીં સુધી કે જ્યારે કોઈ અજાણ વ્યક્તિ આપ ﷺને શોધતા શોધતા આવતો, અને તે વ્યક્તિ સહાબાઓને આપ ﷺવિશે સવાલ કરતો, જો કે આપ તેમની વચ્ચે જ હોતા, તો પણ તે ઓળખી ન હતો શકતો અને કહેતો: મુહમ્મદ કોણ છે?

અને દરેકે દરેક સાથે સદ્ વ્યવહાર આપ ﷺના ઉચ્ચ અખલાકની દલીલ છે, ભલેને તે દુશ્મન હોય કે દોસ્ત, નજીક હોય કે દૂર, મોટો હોય કે નાનો, પુરુષ હોય કે સ્ત્રી, જાનવર હોય કે પક્ષી.

અને જ્યારે અલ્લાહ તઆલાએ પોતાનો દીન સંપૂર્ણ કરી દીધો, અને આપ ﷺ એ સચોટ દીન લોકો સુધી પહોંચાડી દીધો, તો ત્રેસઠ વર્ષની ઉંમરે આપની વફાત થઈ, ચાળીસ વર્ષ પયગંબરી પહેલાના અને ત્રેવીસ વર્ષ પયગંબર બન્યા પછી ના .

આપ ﷺને મદીના શહેરમાં જ દફન કરવામાં આવ્યા, આપને કોઈ માલ અથવા વિરાસત નહતી છોડી, બસ એક સફેદ ખચ્ચર જેના પર આપ સવારી કરતા હતા અને કેટલીક જમીન, જે આપ ﷺ જિહાદ કરવાવાળાઓ માટે અને મુસાફિરો માટે સદકો કરી હતી[2] .

[2] સહીહ બુખારી (4461) 6/15.

અને મુસલમાનોની સંખ્યા, જેમણે સાચો માર્ગ અપનાવ્યો અને નબી ﷺ નું અનુસરણ કર્યું, ઘણા લોકો હતા, હજ્જતુલ્ વદાઅના સમયે આપ ﷺના સહાબાઓએ આપની સાથે હજ્જ કરી તે સમયે સંખ્યા લગભગ એક લાખ ની હતી, અને આ હજ્જ આપ ﷺના મૃત્યુના લગભગ ત્રણ મહિના પહેલા કર્યું, અને કદાચ દીનની હિફાજત અને તેના પ્રચાર માટે એક ભેદ છે, અને તે સહાબાઓ, જેમણે ઇસ્લામને કાયમ કરવા માટે અને તેના નિયમોનું પાલન કરવા કર્યું, દરેક લોકોમાં ઉત્તમ હતા, તેઓ ન્યાય, તકવો, પરહેજગારી અને વફાદારી આ ભવ્ય દીન માટે ખર્ચ કરી, જેના પર તેઓ ઈમાન લાવ્યા હતા.

અને પ્રતિષ્ઠિત સહાબાઓ ઈમાન, ઇલ્મ, અમલ અને ઇખલાસ, આપ ﷺની વાત સ્વીકારવા અને ખર્ચ કરવામાં અને બહાદુરી અને દાનમાં અબૂ બકર સિદ્દીક રઝી., ઉમર બિન ખત્તાબ, ઉષ્માન બિન અફ્ફાન, અલી બિન અબી તાલિબ રઝી. આ દરેક સહાબા શરૂ શરૂમાં ઈમાન લાવ્યા અને વાતને સ્વીકાર કરી, અને આ ચારેય આપ ﷺપછી ખલીફા બન્યા, આપના પછી દીનની જવાબદારી ઉઠાવી, તેમના માટે કોઈ ખાસ વસ્તુ ન હતી, અને બીજા સહાબાઓ કરતા કોઈ પ્રાથમિકતા ન હતી .

અને અલ્લાહએ તેનું પુસ્તક જે તે લાવ્યું હતું, તેની સુન્નત, તેનું જીવનચરિત્ર, તેના શબ્દો અને તેની ક્રિયાઓ તેણે જે ભાષામાં બોલ્યા તે સાચવી રાખી હતી. અલ્લાહએ તે કિતાબની હિફાજત કરી, જે તે લઈને આવ્યા, અને તેમના આદેશો, તેમનું જીવન, તેમના શબ્દો તેમના કાર્યો જે ભાષામાં વાતચિત કરતા હતા તે ભાષામાં પહોચાડ્યું, અને તેમનું જીવનની હિફાજત નથી કરી, જેવી રીતે આપ ના આદેશોની હિફાજત કરવામાં આવી, પરંતુ હિફાજત કરવામાં આવી કે કઈ રીતે આપ સૂતા, કઈ રીતે આપ ખાતા, પિતા અને હસતાં હતા?

અને ઘરમાં પોતાના ઘરવાળોએ સાથે કઈ રીતે વ્યવહાર કરતા હતા?

દરેક હાલત સુરક્ષિત છે, આપ ﷺની જીવન વિશે લખેલી કિતાબો છે, આપ ઇન્સાન અને પયગંબર હતા, જે ગુણો પાલનહારના માટે ખાસ છે, તે ગુણો માંથી એક પણ વસ્તુ ન હતી, ન તો આપ કોઈને ફાયદો પહોંચાડી શકતા અને ન તો આપ કોઈને નુકસાન પહોંચાડી શકતા.

૪- આપ ﷺની નુબૂવ્વત

જ્યારે શિર્ક, કૂફર અને અજ્ઞાનતા આખી દુનિયામાં સામાન્ય થઈ ગઈ તો અલ્લાહ તઆલાએ નબી ﷺને મોકલ્યા, જમીનનો એક ભાગ પણ એવો ન હતો, જેમાં અલ્લાહની બંદગી કરવામાં આવતી હોય અને તેની સાથે શિર્ક ન કરતા હોય, થોડાક લોકો સિવાય, અલ્લાહ તઆલાએ આપ ﷺને પયગંબર બનાવી મોકલ્યા, પયગંબર અને નબીઓની શ્રુખલામાં અંતિમ પયગંબર, સમગ્ર સૃષ્ટિના લોકો માટે હિદાયત અને સાચો દીન લઈ મોકલ્યા, અને લોકોને મૃતિઓની બંદગીના અંધકાર, કૂફર અને અજ્ઞાનતા માંથી કાઢી, તૌહીદ તરફ અને ઈમાન તરફ લાવવા માટે મોકલ્યા, અને આપ ﷺની પયગંબરી પહેલાના દરેક પયગંબરોના આદેશોને પુરી કરતી હતી. દરેક પયગંબરો પર અલ્લાહની સલામતી નાઝીલ થાય.

આપ ﷺએ દરેકને તે તરફ બોલાવ્યા, જેની તરફ દરેક પયગંબરો અને રસૂલોને બોલાવ્યા, નૂહ, ઈબ્રાહીમ, મૂસા, સુલેમાન, દાવુદ, ઈસા અ.સ. ઇમાન અર્થાત્ પોતાના પાલનહાર પર ઈમાન લાવવું, કે તે જ પેદા કરનાર, રોજી આપનાર, જીવિત કરનાર, મૃત્યુ આપનાર, સામ્રાજ્યનો માલિક, કાર્યોની વ્યવસ્થા કરનાર, અને તે ખૂબ જ દયાળુ અને રહેમ કરનાર છે. અને એ કે અલ્લાહ સૃષ્ટિમાં દરેકને પેદા કરવાવાળો છે, જેને આપણે જોઈ શકીએ છીએ તેને પણ અને જેને આપણે નથી જોઈ શકતા તેને પણ, અને તેના સિવાય દરેકે દરેક અલ્લાહના સર્જનો માંથી એક સર્જન છે.

એવી જ રીતે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનો આદેશ આપ્યો, અને તેના સિવાય દરેકની ઈબાદત કરવાથી રોક્યા, નિઃશંક અલ્લાહ તઆલા એક જ છે, તેની ઈબાદતમાં કોઈ ભાગીદાર નથી, તેમજ પેદા કરવામાં, વ્યવસ્થા કરવામાં, કોઈ બીજો ભાગીદાર નથી, અને એ વાત પણ સ્પષ્ટ કરવા કે બેશક ન તો તેણે કોઈને જન્મ આપ્યો અને ન તો તેને કોઈએ જન્મ આપ્યો, તે પવિત્ર છે, તેના બરાબર કોઈ નથી, તેની કોઈ ઉપમા નથી, તે પોતાના કોઈ પણ સર્જનમાં અવતરિત નથી અને ન તો તેની અંદર છે.

અને પાલનહાર તરફથી આવેલી કિતાબો પર ઈમાન, ઈબ્રાહીમ અને મૂસા અ.સ.ના સહીફા પર, જેવી રીતે કે તૌરાત, ઝબૂર અને ઈન્જિલ. એવી જ રીતે દરેક રસૂલો પર ઇમાન લાવવું જરૂરી છે, એવી જ રીતે તેમણે સમજાવ્યું કે જે કોઈ એક નબીનો ઇન્કાર કરશે તો તે દરેક નબીનો ઇન્કાર કરવો ગણાશે.

દરેક લોકોને અલ્લાહની ખુશખબરી આપી કે તે અલ્લાહ જ તમારી સમગ્ર દુનિયાનો રક્ષક છે, અને તે જ તમારો પાલનહાર, દયાળુ છે, અને તે એકલો જ છે, તે કયામતના દિવસે દરેક લોકો પાસે હિસાબ લેશે, જ્યારે તે લોકોને તેમની કબરો માંથી ઉભા કરશે, અને તે જ છે, જે ઇમાનવાળાઓને તેમના નેક કાર્યોના બદલામાં દસ ઘણો સવાબ અને બદલો આપશે, અને તેમની જેટલી બુરાઈ તે પ્રમાણે જ બદલો લેશે, અને આખિરતમાં તેમના માટે હંમેશા બાકી રહેવાવાળી જન્નત હશે, અને જે લોકોએ ઇન્કાર કર્યો અને કૂફર કર્યો તે લોકો માટે દુનિયા અને આખિરત બન્નેમાં તેની સજા પામશે.

અને આપ ﷺએ પોતાની પયગંબરીમાં પોતાના ખાનદાન, પોતાના શહેર અને પોતાની પ્રસંશા નથી કરી, પરંતુ કુરઆન મજીદમાં નબીયોના નામનું વર્ણન થયું છે, નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા નું નામ ઘણી વાર વર્ણન થયું છે, અને તેમની માતા તેમજ પત્નીઓનું નામ પણ વર્ણન કરવામાં નથી આવ્યા, કુરઆન મજીદમાં મૂસાની માતાનું નામ ઘણી વખત વર્ણન થયું છે, અને મરયમ નું નામ પાત્રીસ વખત વર્ણન થયું છે.

અને મુહમ્મદ ﷺ તે દરેક બાબતોથી પાક હતા, જે શરીઅતની વિરુદ્ધ હોય, અથવા બુદ્ધિ અને ફિતરતની વિરુદ્ધ હોય, અથવા સારા અખલાકની વિરુદ્ધ કામ હોય, એટલા માટે દરેક પયગંબર નિર્દોષ છે , તેઓ અલ્લાહ તરફથી આવેલ આદેશોને પહોંચાડે છે, અને એટલા માટે પણ કે તેઓએ અલ્લાહના આદેશોને તેના બંદાઓ સુધી પહોંચાડી દેવા માટે જવાબદાર છે, અને પયગંબરોમાં કોઈ પણ પાલનહારનો ગુણ હોતો નથી, પરંતુ તેઓ અન્ય ઇન્સાન જેવા જ એક મનુષ્ય છે, અલ્લાહ તઆલા પોતાના આદેશો લોકો સુધી પહોંચાડવા માટે તેમની તરફ વહી કરી રહ્યો છે.

અને પયગંબર મુહમ્મદ ﷺના આદેશો અલ્લાહ તરફથી વહી હોવાનું એક મોટો પુરાવો એ છે કે વર્તમાનમાં તે આદેશોનું પાલન થઈ રહ્યું છે, જેવી રીતે આપ ﷺના સમયમાં પાલન થતું હતું, અને એક અરબથી વધારે મુસલમાન તેનું અનુસરણ કરી રહ્યા છે, ઇસ્લામના દરેક આદેશોનું પાલન કરી રહ્યા છે, જેવી રીતે કે નમાઝ, ઝકાત, રોઝા, હજ્જ વગેરે, કોઈ ફેરફાર અને બદલ્યા વગર જ પાલન કરી રહ્યા છે .

૫ - નુબૂવ્વતની નિશાનીઓ તેની જાણકારી અને તેના પુરાવા

અલ્લાહ તઆલાએ પયગંબરોની મદદ કરી પયગંબરી સાબિત કરતી હોય, એવી નિશાનીઓ દ્વારા, અને તેમની પયગંબરી માટેના પુરાવા, અને હુજ્જત કાયમ થઈ જાય, અને અલ્લાહ તઆલાએ દરેક પયગંબર સાથે નિશાનીઓ મોકલી, જેથી તે તેમના માટે પુરાવો બની જાય અને લોકો તેમના પર ઈમાન લાવે, અને મોટી નિશાનીઓ માંથી આપ ﷺ તરફ જે સૌથી મહત્વ અને મોટી નિશાની આવી, તે અલ્લાહ તઆલાએ તેમના તરફ કુરઆન મજીદ નાઝીલ કર્યું, અને તે નિશાનીઓ કયામત સુધી બાકી રહેવાવાળી હોય છે, જેવું કે અલ્લાહ તઆલાએ તેમની મદદ કરી મૂઅજિઝાતના દ્વારા, અને મુહમ્મદ ﷺ તરફ મોકલેલી નિશાનીઓ ઘણી છે, તેમનાથી કેટલીક નીચે પ્રમાણે છે:

અલ્ ઇસ્રા અને મેઅરાજ, ચાંદના બે ટુકડા થવા, અને કેટલીય વખત આપ ﷺ નું પોતાના પામલનહાર સામે દુઆ કરવાની સાથે જ વરસાદ વરસવો, જેથી દુકાળના સમયે લોકો પાણી પી શકે.

ખોરાક અને પાણી થોડું હોવા છતાંય તેમાંથી ઘણા લોકોનું ફાયદો ઉઠાવવું, અને ઘણા લોકો તે સહેજ ખોરાક અને પાણી માંથી ખાઈ અને પી લેવું.

એવી જ રીતે ભૂતકાળના સમયની એવી વાતોની જાણકારી આપવી, જેના વિશે કોઈ ન જાણતું હોય, અલ્લાહ તઆલા આપને તે વાતોની જાણ આપતો જેવું કે પયગંબરોના તેમની કોમ સાથેના કિસ્સા, અસ્હાબે કહફનો કિસ્સો.

એવી જ રીતે ભવિષ્યમાં થનારી વાતોની જાણ આપવી, જે વાતો અલ્લાહ તઆલા એ જણાવ્યા બાદ આપ જણાવતા, જેવું કે એક એવી આગ હિજાજ શહેર માંથી નીકળશે, જેને શામ શહેરના દરેક લોકો જોઈ શકશે, લોકો તેને પોતાના ઘરોની છતો પરથી જોઈ શકશે.

અલ્લાહ તઆલા લોકો માટે પૂરતો થઈ જશે અને તે લોકોની હિફાજત કરશે.

અને તેણે પોતાના સાથીઓને આપેલ વચન પુરા કર્યા, જેવું કે તેમણે કહ્યું:

(ફારસ અને રૂમને તમે પર જરૂર કબ્જો કરશો, અને તે બંને ના ખજાનાઓની ચાવીઓ તમારા માટે ખોલી નાખવામાં આવશે જેને તમે જરૂર અલ્લાહના માર્ગમાં ખર્ચ કરશો).

ફરિશ્તાઓ દ્વારા અલ્લાહ તઆલાએ નબી ﷺ ની મદદ કરી.

પયગંબરોએ પોતાની કોમ ને આપ ﷺની પયગંબરી વિશે ખુશખબરી આપવી, જેમણે ખુશખબરી આપી તેમાંથી મૂસા, દાવુદ, સુલેમાન, ઈસા અને અન્ય બની ઇસરાઇલના પયગંબરો હતા.

અકલી પુરાવા અને ઠોસ ઉદાહરણ [3] દ્વારા જે દરેક બુદ્ધિશાળી વ્યક્તિ તેનું અનુસરણ કરતો હોય.

(3) અલ્લાહ તઆલાએ ઉદાહરણ આપતા સમજાવ્યું: ( હે લોકો ! એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, તેને ધ્યાનથી સાંભળો, ખરેખર તમે અલ્લાહને છોડીને જેને પોકારો છો, તેઓ સૌ ભેગા થઈ એક માખી પણ પેદા નથી કરી શકતા, અને જો માખી તેમની પાસેથી કઈક લઈ જાય તો તેઓ તેને પણ લઈ નથી શકતા, કમજોર છે માગવાવાળો અને તે પણ જેની પાસે માંગવામાં આવે છે) [અલ્ હજ્જ: ૭૩]

અને આ પ્રમાણેની ઘણી નિશાનીઓ અને પુરાવા અને ઠોસ મજબૂત ઉદાહરણ કુરઆન અને સુન્નતમાં જોવા મળશે, અને આ પ્રમાણેની ઘણી આયતો તેમાં જોવા મળશે, અને જે વ્યક્તિ તેના વિશે જાણવા ઇચ્છતો હોય તેણે કુરઆન મજીદ, સિહાહ સિત્તહની કિતાબો, આપ ﷺની જીવન ચરિત્ર વિશેની કિતાબો પઢે, તેમાં ઘણી જાણકારી અને નિશાનીઓ મળી શકે છે.

અને આ ભવ્ય નિશાનીઓ સાબિત ન થઈ હોત તો કુરૈશના કાફિરો અને અરબમાં રહેવાવાળા યહૂદી અને ઈસાઈઓને ઠુકરાવવાની તક મળી જતી, અને તેઓ લોકોને સચેત કરતા.

અને કુરઆન મજીદ એવી કિતાબ છે, જેને આપ ﷺ તરફ વહી કરવામાં આવી, તે સમગ્ર સૃષ્ટિના પાલનહારની વાત છે, અને અલ્લાહ તરફથી દરેક ઇન્સાન અને જિન્નાતોને એક ચેલેન્જ છે કે તેના જેવી વાત અથવા એક સુરત લાવી બતાવે, અને આ ચેલનેજ આજે પણ બાકી છે, અને કુરઆન મજીદ લાખો લોકોના અઘરા સવાલોના જવાબ આપે છે, અને કુરઆન મજીદ અરબી ભાષામાં ઉતર્યું, અને અત્યારે પણ સુરક્ષિત છે, તેનો એક શબ્દ પણ ઓછો નથી થયો, અને તે કિતાબની શકલમાં છે, તે કિતાબ ઉચ્ચ મુઅજીઝો છે, આ મોટી કિતાબ જે લોકો પાસે આવી છે, તેને પઢી શકાય છે, તેનું ભાષાતર અને સમજુતી દરેકે દરેક પઢી શકે છે, અને જે તેની વાતોને નથી જાણતો અને તે કિતાબ પર ઈમાન નથી ધરાવતો તો તે દરેક ભલાઇથી વંચિત રહે છે.

એવી જ રીતે આપ ﷺની સુન્નત, તેમનું માર્ગદર્શન અને જીવનચરિત્ર સુરક્ષિત છે, અને ભરોસાપાત્ર રાવીયો દ્વારા તે વાતો નકલ કરવામાં આવી છે, અને તે અરબી ભાષામાં નકલ કરવામાં આવી છે, કારણકે આપ ﷺ અરબી ભાષામાં વાતચીત કરતા હતા, એવું લાગે છે કે તેઓ આપણી વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે, અને તેમના જીવન ચારિત્ર વિશેની કિતાબ ઘણી ભાષાઓમાં ભાષાતર થઈ ગયું છે, અને કુરઆન મજીદ અને આપ ﷺની હદીષો આ બન્ને ઇસ્લામી શરીઅતના મૂળ પુરાવા અને માર્ગદર્શક છે.

૬- જે શરીઅત આપ ﷺ લઈને આવ્યા.

જે શરીઅત આપ ﷺ લઈને આવ્યા, તે ઇસ્લામી શરીઅત છે, અને ઇલાહી આદેશો અને છેલ્લી રબ્બાની શરીઅત છે, તેના નિયમ અને કાનૂન પાછલી શરીઅતના નિયમ અને કાનૂન પ્રમાણે જ છે, બસ તેની પદ્ધતિ અલગ છે.

અને આ સંપૂર્ણ શરીઅત છે, અને દરેક યુગ અને સમય માટે સચોટ છે, તેમાં લોકોના દીન અને દુનિયા બન્નેનો ફાયદો છે, દરેક ઈબાદત અલ્લાહના બંદાઓ માટે જરૂરી છે, જેવી કે નમાઝ, ઝકાત. અને દરેક માલની બાબતો અને સોસાયટીની બાબતો તેમજ સિયાસત વિશે સંપૂર્ણ માહિતી આપી, તેમજ હલાલ અને હરામ અને અન્ય જરૂરતો વિશે સ્પષ્ટતા કરી.

અને આ શરીઅત લોકોના દીન, તેમના પ્રાણ, તેમની ઇઝઝ્ત તેમની બુદ્ધિ તેમનો માલ અને તેમના સંતાનોની હિફાજત કરે છે, અને તેમાં દરેક ખૂબી અને પ્રતિષ્ઠતા શામેલ છે, અને દરેક બુરાઇ અને ખરાબ કાર્યોથી રોકે છે, તે દીન ઇન્સાની ઇઝઝત, માનવતા, ન્યાય, નિખાલસતા, પાકી સફાઈ, પરહેજગારી, અને મુહબ્બત તરફ પોકારે છે, અને લોકોને ડરાવવા, ધમકાવવા અને વિદ્રોહ કરવાથી રોકે છે, અને આપ ﷺ ફસાદ, વિદ્રોહ અને એ પ્રમાણેના દરેક કાર્યો વિરુદ્ધ તેમજ અંધશ્દ્ધાની વિરુદ્ધ જંગ હતી.

અને મુહમ્મદ ﷺ એ સ્પષ્ટ કર્યું કે અલ્લાહ તઆલા ઇન્સાનોની ઇઝઝ્ત કરે છે, ભલેને તે પુરુષ હોય કે સ્ત્રી, અને તે બન્નેના સંપૂર્ણ અધિકારો આપે છે, અને પુરુષને દરેક કાર્ય અને વ્યવસ્થા નો જવાબદાર બનાવ્યો, અને તેને દરેક કાર્યનો જવાબદારી સોંપી, જે કાર્ય તેને પોતાને નુકસાન પહોંચાડતું હોય અથવા બીજાને નુકસાન પહોંચાડતું હોય, ઈમાન, જવાબદારી, બદ્લો, અને સવાબમાં પુરુષ અને સ્ત્રી બન્ને સમાન છે, અને આ શરીઅતમાં સ્ત્રીઓને ખાસ ઉપલબ્ધિ આપવામાં આવી છે, ભલે ને તે પત્ની સ્વરૂપ હોય કે દીકરી કે બહેન.

અને આ શરીઅત જે આપ ﷺ લઈને આવ્યા બુદ્ધીની સુરક્ષા કરે છે, અને દરેક નુકસાન કરનારી વસ્તુઓને હરામ કરે છે, જેવું કે શરાબ, ઇસ્લામ દીનને પ્રકાશ સમજે છે, જે બુધ્ધિને સત્ય માર્ગ તરફ પ્રકાશિત કરે છે, જેથી માનવી ઇલ્મ અને યોગ્યતા સાથે પોતાના પાલનહારની ઈબાદત કરી શકે, ઇસ્લામ ના કાનૂને બુદ્ધિની શાન વધારી, અને તેને માણસાઈની બંદગી અને મૃતિઓની બંદગીથી આઝાદી અપાવી.

ઇસ્લામી શરીઅત સચોટ જ્ઞાનની કદર કરે છે, અને મનેચ્છાઓના આઝાદ જ્ઞાનથી દૂર કરે છે, અને સૃષ્ટિ અને પોતાનામાં ચિંતન મનન કરવાની તાકીદ કરે છે, દુનિયાના સચોટ જ્ઞાનમાં અને જે ઇલ્મ આપ ﷺ લઈને આવ્યા છે, બન્નેમાં કોઈ તફાવત નથી.

અને શરીઅતમાં એક જૂથ અથવા એક કેટેગરીના લોકોને અન્ય કરતા કોઈ પ્રાથમીકતા નથી આપવામાં આવી, અને ન તો એક કોમને બીજી કોમ પર પ્રાથમિકતા આપી, પરંતુ દરેકની સામે તેમના આદેશો સમાન છે, કારણકે દરેક લોકોની અસલ એક જ છે, અને જો એક કોમ અથવા ખાનદાનને પ્રાથમિકતા આપવામાં આવી હોય તો ફક્ત તકવા (પરહેજગારી) પ્રમાણે પ્રાથમિકતા આપવામાં આવી છે, અને આપ ﷺ જણાવ્યું, કે દરેક બાળક ફિતરત પર જ પેદા થાય છે, કોઈ માનવી ગુનેગાર અથવા બીજાના ગુનાહોનો વારસદાર બની જન્મ નથી લેતો.

ઇસ્લામી શરીઅતમાં અલ્લાહ તઆલાએ એક ઈબાદત તૌબા નામની બતાવી છે, અને તેનો અર્થ થાય છે, માનવીનું પોતાના પાલનહાર તરફ આજીજી કરતા ઝૂકી જવું અને ગુનાહ છોડી દેવા, અને ઇસ્લામ પહેલાના દરેક ગુનાહ ખતમ કરે છે, અને તૌબા પહેલાના ગુનાહોને માફ કરી દે છે, માનવીએ લોકો સામે પોતાના ગુનાહોનો એકરાર કરવાની જરૂર નથી, ઇસ્લામ દીનમાં પોતાના પાલનહાર સાથે સીધો સંબંધ છે, એટલા માટે પોતાના પાલનહારની વચ્ચે કોઈ લિંક અથવા કોન્ટેકટની જરૂર નથી, ઇસ્લામ માનવીઓની પૂજા કરવા અથવા અલ્લાહ સાથે ભાગીદાર ઠહેરાવવાથી રોકે છે,

અને ઇસ્લામી શરીઅત પહેલાની દરેક શરીઅતને રદ કરે છે, કારણકે જે શરીઅત આપ ﷺ લઈને આવ્યા તે અલ્લાહ તરફથી છે અને કયામત સુધી આ શરીઅત બાકી રહેશે, અને આ શરીઅત સમગ્ર સૃષ્ટિ માટે છે, એટલા માટે તે પહેલાની દરેક શરીઅતને રદ કરે છે, એવી જ રીતે પાછળની એક શરીઅત બીજી શરીઅતને રદ કરતી હતી, અને અલ્લાહ તઆલા ફક્ત ઇસ્લામી શરીઅતને જ પસંદ કરે છે, અને તે ઇસ્લામ સિવાય બીજા કોઈ દીનને પસંદ કરતો નથી, જે દીન આપ ﷺ લઈને આવ્યા તેને જ પસંદ કરે છે, અને જે વ્યક્તિ ઇસ્લામ સિવાય અન્ય દીન સ્વીકારતો હશે તો તે દીન અલ્લાહ પાસે કબૂલ નહિ ગણાય, અને જે વ્યક્તિ આ શરીઅત બાબતે સંપૂર્ણ આદેશો જાણવા ઇચ્છતો હોય તો તે ઇસ્લામની ઠોસ કિતાબો વાંચી લે.

ઇસ્લામી શરીઅતનો હેતુ જેવું કે અલ્લાહ તરફથી આવેલા દરેક આદેશોનો નિચોડ છે, આ સાચો દીન માનવીને માર્ગદર્શન આપે છે, જેથી તે સમગ્ર સૃષ્ટિ નો પાલનહાર અલ્લાહનો ખાસ બંદો બનીને રહે, અને માનવીઓની બંદગી અને મનેચ્છાઓના અનુસરણથી આ દીન બચાવે છે.

આ શરીઅત દરેક સમય અને યુગ માટે યોગ્ય શરીઅત છે, આમાં કોઈ એવી વાત નથી જે માનવીઓની યોગ્યતાથી વિરુદ્ધ હોય, કારણકે આ અલ્લાહ તરફથી છે, જે માનવીઓની જરૂરતોને જાણે છે, લોકોને એવા દીનની જરૂરત છે, જે એકબીજાથી વિરુદ્ધ ન હોય, ઇન્સાનો માટે યોગ્ય હોય, જે ઇન્સાનો તરફથી નક્કી કરેલ ન હોય, પરંતુ તે અલ્લાહ તરફથી નક્કી કરવામાં આવ્યો હોય, જે લોકોને ભલાઇ અને સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપતો હોય, જો તેઓ અનુસરણ કરશે તો તેમના દરેક કાર્યમાં સુધાર આવશે, અને એક બીજા પર અત્યાચાર કરવાથી બચીને રહેશે.

૭- તેના વિશે તેના વિરોધી તરફના મંતવ્ય, અને તેમની સાક્ષીઓ

એમાં કોઈ શંકા નથી કે દરેક નબીના વિરોધી હતા, અને તેમના આદેશો વચ્ચે રોક લગાવતા હતા, અને લોકોને ઈમાન લાવવાથી રોકતા હોય છે, અને આપﷺ ના વિરોધી આપના જીવનમાં પણ અને મૃત્યુ પછી પણ ઘણા લોકો છે, પરંતુ તે દરેક લોકોથી અલ્લાહ તઆલાએ આપની મદદ કરી, તેમાંથી કેટલાક લોકોની સાક્ષીઓનું વર્ણન છે, તેમાંથી કેટલાક લોકોએ કહ્યું, કે આ તો એક નબી છે, અને જેવી રીતે પહેલા પયગંબરો આવ્યા તેવી જ રીતે આ પણ પયગંબર બનાવી મોકલવામાં આવ્યા છે, અને તે લોકો જાણતા હતા કે આ વાત સત્ય છે, પરંતુ તેઓ ઘણા લોકોને ઈમાન લાવવાથી રોકતા હતા, કેટલીક અડચણો તેમની સામે વર્ણન કરી, જેવી કે સરદારીની લાલચ તેમજ બાઇકોટ કરવાના ડરથી, અથવા તેમનો માલ અને હોદ્દો છીનવી લેવાના ડરથી.

દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.