العقيدة الصحيحة وما يضادها
تكلم المؤلف في هذا الكتيب الصغير عن العقيدة الصحيحة التي تتلخص في: الإيمان بالله، وملائكته، وكتبه، ورسله، واليوم الآخر، وبالقدر خيره وشره، فهذه الأمور الستة هي أصول العقيدة الصحيحة عند أهل السنة والجماعة. وقد شرح الشيخ في الكتاب هذه الأصول الستة مستدلًا بالكتاب والسنة وما عليه سلف هذه الأمة، ثم تكلم عن مسألة الإيمان وقرر أنه قول وعمل يزيد بالطاعة وينقص بالمعصية. ثم ذكر مسألة الولاء والبراء وواجب المسلم تجاه أخيه في الدين. ثم شرع في ذكر المنحرفين عن هذه العقيدة الصحيحة مع ذكر أصنافهم، وذكر شبهة المعاصرين وأنها هي نفس شبهة الأولين، وذكر بعض العقائد الكفرية وما زاده المشركون المتأخرون على الأولين. وأكد الشيخ أن النصر لا يأتي إلا بإخلاص العبادة لوجه الله تعالى وحده لا شريك له، ثم ختم هذا الكتيب بذكر نواقض الإسلام.
સાચો અકીદો અને તેની વિરુદ્ધ વાતો
લેખક
સમાહતુસ્ શૈખ અબ્દુલ અઝીઝ બિન અબ્દુલ્લાહ બિન બાઝ
અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે.
પ્રસ્તાવના
દરેક પ્રકારના વખાણ તે અલ્લાહ માટે જ છે જે એકલો છે, દરૂદ અને સલામતી તે નબી પર જેના પછી કોઈ નબી નથી અને તેમના સંતાનો અને તેમના મિત્રો પર.
ત્યાર બાદ: બસ જ્યારે સાચો અકિદોહ (સાચી માન્યતા) જેના પર ઈસ્લામનો આધાર છે અને તેનો પાયો છે,તેથી મેં વિચાર્યું કે આજે મારું ભાષણ એ જ વિષય પર હોય એ મને યોગ્ય લાગ્યું, આ વાત કુરઆન અને હદીષ દ્વારા સાબિત છે કે માનવીના દરેક કાર્યો તે સમયે સાચા અને અલ્લાહ પાસે ત્યારે જ સ્વીકાર્ય હશે જ્યારે તેનો અકીદોહ સાચો હશે, જો કોઈનો અકીદોહ સાચો નહીં હોઇ તો તેની દરેક વાતો અને કાર્યો બેકાર થઈ જશે અને અલ્લાહ પાસે તેની કોઈ ગણતરી કરવામાં નહીં આવે. જેમકે અલ્લાહ એ કહ્યું : {બધી જ પાક વસ્તુઓ આજે તમારા માટે હલાલ કરવામાં આવી છે અને અહલે કિતાબનું ઝબહ (કરેલ જાનવર) તમારા માટે હલાલ છે અને તમારું ઝબહ કરેલ તેઓ માટે હલાલ છે. પવિત્ર મુસલમાન સ્ત્રીઓ અને જે લોકોને તમારા પહેલા કિતાબ આપવામાં આવી છે તેઓની પવિત્ર સ્ત્રીઓ પણ હલાલ છે, શરત એ છે કે તમે તેઓને મહેર આપી લગ્ન કરવા ઇચ્છતા હોય, ફક્ત મનેચ્છા પુરી કરવા અથવા છુપી રીતે સંબંધ ન હોવો જોઈએ, અને જે વ્યક્તિએ ઈમાનને છોડીને કૂફરનો માર્ગ અપનાવ્યો તો તેના દરેક કાર્યો વ્યર્થ થઈ જશે અને આખિરતમાં તે નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.} [અલ્ માઈદહ : ૫]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {નિઃશંક તમારી તરફ વહી કરવામાં આવી ચૂકી છે અને તમારાથી પહેલાના લોકો તરફ પણ વહી કરવામાં આવી છે કે (હે પયગંબર) જો તમે (પણ) શિર્ક કરશો તો તમારા કર્યો (પણ) બરબાદ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારાઓમાંથી બની જશો. ૬૫} [અઝ્ ઝુમર :૬૫]. આ વિશેની ઘણી આયાતો છે, નિઃશંક જેના પર અલ્લાહની સ્પષ્ટ કિતાબ અને તેના અમાનતદાર રસૂલની હદીષ સૂચવે છે તેમના પર દરૂદ અને સલામતી, કે સાચા અકીદહ નો સારાંશ એ છે કે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને કયામતના દિવસ પર અને તકદીરનું સારું અને ખરાબ હોવા પર ઈમાન લાવો, આ છો કાર્યો જ સાચા અકીદહ ના મુળ્યા છે જેના કારણે અલ્લાહ તઆલા એ કિતાબ ઉતારી અને તેના માટે જ મોહમ્મદ ﷺ ને મોકલ્યા, અને તે દરેક ગૈબની બાબતો જેના વિશે અલ્લાહ અને તેના રસૂલે ખબર આપી, અને જેના પર ઈમાન ધરાવવું જરૂરી છે તે બધી જ બાબતો અહીંયાંથી જ લેવામાં આવી છે. અને આ છો સિદ્ધાંતો વિશેની દલીલો કુરઆન અને હદીષમાં ઘણી છે જેમાથી અમુક આ પ્રમાણે છે, પવિત્ર અલ્લાહ એ કહ્યું. {નેકી પુર્વ અને પશ્ર્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી પરંતુ ખરેખર નેકી તે છે કે કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલા પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબ પર અને પયગંબરો પર ઇમાન ધરાવે છે} [અલ્ બકરહ: ૧૭૭]. આયત સુધી, અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા} [અલ બકરહ: ૨૮૫]., અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા પર, તેના પયગંબર પર અને તે કિતાબ પર જે તેણે પોતાના પયગંબર પર ઉતારી છે અને તે કિતાબ પર જે આ પહેલા તેણે ઉતારી છે, ઈમાન લાવો. જે વ્યક્તિ અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, તેની કિતાબો, તેના પયગંબરો, અને કયામતના દિવસનો ઇન્કાર કરશે તો તે ઘણી જ દૂરની ગુમરાહીમાં પડી જશે.૧૩૬} [અન્ નિસા : ૧૩૬]., અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {શું તમે નથી જાણતા કે જે કઇ પણ આકાશો અને જમીનમાં છે તેને અલ્લાહ જાણે છે, અને તે (બધું તેની પાસે) કિતાબમાં (લખેલું) છે, અને આ અલ્લાહ માટે સહેલું છે. ૭૦} [અલ્ હજ્જ :૭૦]. આ છો સિદ્ધાંતો દર્શાવતી સાચી હદીષો પણ ઘણી છે જેમ તે વિખ્યાત હદીષ જેને ઈમામ મુસ્લિમ રહ. એ અમીરુલ્ મુઅમિનીન ઉમર બિન ખત્તાબ દ્વારા પોતાની સહીહ માં વર્ણન કરી, કે જિબ્રઇલ અસ.એ નબી ﷺ ને ઈમાન વિશે સવાલ કર્યો, તો આપ એ તેમને કહ્યું : ((ઈમાન તે છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને કયામતના દિવસ પર અને તકદીરનું સારું અને ખરાબ હોવા પર ઈમાન લાવો)) [1] હદીષ (છેલ્લે સુધી), આ હદીષને શૈખાન (ઈમામ બુખારી રહ. અને મુસ્લિમ રહ.)એ અબૂ હુરૈરહ રઝી. દ્વારા પણ વર્ણન કરી છે. આ છો સિદ્ધાંતો: એક મુસલમાન પર અલ્લાહના હક માંથી અને આખિરત વિશે જેટલી બાબતો છે તેના પર ઈમાન ધરાવવું જરૂરી છે અને તેના સિવાય ગૈબની જેટલી બાબતો છે જેના પર ઈમાન રાખવું જરૂરી છે તે દરેક આ સિદ્ધાંતમાંથી લેવામાં આવ્યા છે. [1] મુસ્લિમ અલ્ ઈમાન (૮), અત્ તિર્મિઝી અલ્ ઈમાન (૨૬૧૦), અન્ નસાઈ અલ્ ઈમાન વ શરાઈઉહુ (૪૯૯૦), અબૂ દાઉદ અસ્ સુન્નહ (૪૬૯૫), ઈબ્ને માજહ અલ્ મુકદ્દમહ (૬૩) અહમદ (૧/૨૭).
અલ્લાહ તઆલા પર ઈમાન
અલ્લાહ પર ઈમાન એ છે કે અલ્લાહ જ સાચો ઈલાહ છે અને તેના સિવાય કોઇ ઈબાદતને લાયક નથી
બસ અલ્લાહ પર ઈમાન તે છે કે તે જ સાચો ઈલાહ છે તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી કરી કારણકે તે સેવકોનો સર્જનહાર છે અને તેમના પર તેના ઉપકાર છે અને તે જ તેમનું ભરણપોષણ કરે છે અને તે જ તેમના છુપા અને જાહેર કાર્યોને જાણે છે, અને તે પોતાના આજ્ઞાકારીઓ પર ઉપકાર કરવાની અને પોતાની અવજ્ઞા કરનારને સજા કરવાની કુદરત ધરાવે છે, આ જ ઈબાદતના કારણે અલ્લાહ એ બે વજનદાર (જિન અને માનવી) નું સર્જન કર્યું અને તમને પણ આ જ વાતનો આદેશ આપ્યો જેમકે અલ્લાહ તઆલા એ કહ્યું : {અમે જિનો અને માનવીઓ ને ફક્ત અમારી ઇબાદત માટે પેદા કર્યા છે. ૫૬} [અઝ્ ઝારિયાત: ૫૬]. {ન તો હું તેમનાથી કોઈ પ્રકારનું મહેનતાણું માંગુ છું ન તો મારી એવી ઈચ્છા છે કે તેઓ મને ખવડાવે. ૫૭} [અઝ્ ઝારિયાત: ૫૭]. {અલ્લાહ તો પોતે જ દરેકને રોજી આપનારો છે અને ખૂબ જ તાકાત ધરાવનારો છે. ૫૮} [અઝ્ ઝારિયાત: ૫૮]. અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {હે લોકો ! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો. ૨૧} [અલ બકરહ: ૨૧]. {તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર ! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો. ૨૨} [અલ બકરહ: ૨૨]. અને આજ સત્ય વાતના ઉપદેશ અને તેના વિરુદ્ધ કાર્યોથી સચેત કરવા માટે અલ્લાહ એ પયગંબરો ને મોકલ્યા અને કિતાબો ઉતારી જેમ કે અલ્લાહ જે પવિત્ર છે અને સર્વોચ્ચ છે કહ્યું : {અને દરેક કોમમાં એક પયગંબર મોકલ્યા, (જે તેઓને કહેતા હતા કે) અલ્લાહની ઈબાદત કરો અને તાગૂતથી બચો} [અન્ નહલ :૩૬]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: (અને તમારા કરતા પહેલા અમે જેટલા રસૂલ પણ મોકલ્યા, તેમની તરફ એ જ વહી કરતા રહ્યા કે મારા સિવાય કોઈ સાચો ઈબાદતને લાયક નથી, એટલા માટે તમે ફક્ત મારી જ ઈબાદત કરો.૨૫ ) [અલ્ અંબિયા : ૨૫]. અને અલ્લાહ.જે સર્વ શ્રેષ્ઠ છે. કહ્યું : { ૧) અલિફ-લામ-રાઅ, આ એક એવી કિતાબ છે કે જેની આયતો મુહકમ (મજબૂત) છે, અને આ કીતાબ એક હકીમ-માહિતગાર તરફથી સ્પષ્ટ રીતે વર્ણન કરવામાં આવી છે ૧ ૨- એ કે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરો, હું તમને અલ્લાહ તરફથી તમને સચેત કરનાર અને ખુશખબર આપનારો છું. ૨} [હૂદ: ૧-૨]. આ ઇબાદતની હકીકત એ છે કે ઈબાદત કરવાના દરેક સ્તોત્રો જેના દ્વારા લોકો અલ્લાહની ઈબાદત કરે છે, જેમકે દુઆ, ખોફ, ઉમ્મીદ, નમાઝ, રોજા, કુરબાની, નઝર માનવી વગેરે જે ઈબાદતના પ્રકારો છે તેને સંપૂર્ણ મોહબ્બત, ખોફ અને ઉમ્મીદ સાથે ફક્ત અલ્લાહ માટે ખાસ કરી દેવામાં આવે,અને અલ્લાહની સામે વિનમ્રતા અપનાવવામાં આવે કુરઆન એ મજીદનો ઘણો ભાગ આજ મૂળભૂત અકિદાર્ય વિષે ઉતાર્યો છે.જેમકે અલ્લાહનો આ આદેશ: {તમે ફક્ત અલ્લાહની જ બંદગી કરો તેના દીનને શુદ્ધ કરી ને. ૨ ખબરદાર ! બંદગીફક્ત અલ્લાહ માટે જ છે} [અઝ્ ઝુમર :૨-૩]. અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {અને તમારા પાલનહાર એ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે તેની જ બંદગી કરો.} [અલ્ ઇસ્રા: ૨૩]. અને અલ્લાહ -જે સર્વ શ્રેષ્ઠ છે- કહ્યું {તમે ઇબાદત માટે ફક્ત અલ્લાહને જ પોકારો, ભલે ને કાફિરો તેને ખરાબ માને. ૧૪} [ગાફિર :૧૪]. અને સહીહૈન (બુખારી અને મુસ્લિમ) માં મુઆઝ રઝી. થી રિવાયત છે કે નિઃશંક નબી સલ્લલ્લાહુ અલય્હિ વ સલ્લમ- કહ્યું: <<બંદાઓ પર અલ્લાહનો હક તે છે તેઓ ફક્ત તેની બંદગી કરે અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેહરાવે >> [2]. [2] બુખારી : અલ્ જિહાદ વસ્સિયર (૨૭૦૧), મુસ્લિમ : અલ્ ઈમાન (૩૦), અત્ તિર્મિઝી :અલ્ ઈમાન :(૨૬૪૩), ઈબ્ને માજહ :અઝ્ ઝુહદ (૪૨૯૬),અહમદ :(૫/૨૩૮).
અલ્લાહ એ પોતાના બંદાઓ જે કઈ જરૂરી કર્યું છે અર્થાત્ ઇસ્લામના પાંચ જાહેર અરકાનો (સ્તંભો) તેના પર પણ ઈમાન લાવવામાં આવે
અલ્લાહ એ પોતાના બંદાઓ જે કઈ જરૂરી કર્યું છે અર્થાત્ ઇસ્લામના પાંચ જાહેર અરકાનો (સ્તંભો) તેના પર પણ ઈમાન લાવવામાં આવે, અને તે આ છે કે કલિમએ શહાદત અર્થાત્ એ વાતની ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મોહંમદ ﷺ તેના રસૂલ છે, અને નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમજાન માસના રોજા રાખવા, અને જો ક્ષમતા હોય તો મસ્જિદે હરામની હજ્જ કરવી, અને તેના સિવાય બીજા ઘણા કાર્યો છે જેને પવિત્ર શરીઅતે વર્ણન કાર્ય છે, તે દરેક પર ઈમાન લાવવું જરૂરી છે.
આ સ્તંભો માથી સૌથી મહત્ત્વનો સ્તંભ એ છે કે એ વાતની ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મોહંમદ ﷺ તેના રસૂલ છે, અને "લા ઇલાહ" કેહવાનો અર્થ એ છે કે ઈબાદતને ફક્ત અલ્લાહ માટે ખાસ કરી દેવામાં આવ,અને તેના સિવાય બીજા કોઈની ઈબાદત કરવામાં ન આવે, આજ અર્થ "લા ઈલાહ ઈલ્લલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ ઇબાદત ને લાયક નથી) થાય છે, ખરેખર તેનો અર્થ એ જ થાય છે તેના સિવાય કોઈ સાચો ઈલાહ નથી, તેથી અલ્લાહ સિવાય જેની પણ બંદગી કરવામાં આવે, ભલે તે મઅબૂદ હોય કે ફરિશ્તો કે જિન્નાતોમાંથી અથવા બીજું કોઈ, બસ તે દરેક ખોટા છે, બસ સાચો ઈલાહ અલ્લાહ એકલો જ છે. જેમકે તેણે કહ્યું : {નિઃશંક આ તે માટે કે અલ્લાહ જ સાચો છે અને તે દરેક ખોટા છે જેને (કાફરો) અલ્લાહ ને છોડી ને પોકારે છે} [અલ્ હજ્જ :૬૨]. આથી પહેલા આ વાતનું વર્ણન થઇ ચૂક્યું છે કે અલ્લાહ એ જિન અને માનવીને આજ મહત્તવપૂર્ણ મકસદ માટે પેદા કર્યા, અને તેના માટે જ પયગંબરો ને મોકલ્યા અને કિતાબો ઉતારી, તમે આ વાતમાં ખુબ સારી રીતે ચિંતન મનન કરી સમજી લો જેથી તમને તે વાતની ખબર પડી જાય કે આજે મુસલમાનો અત્યંત ખતરનાક અજ્ઞાનતામાં સપડાયેલા છે, અહીંયા સુધી કે આ જ કારણે તેઓએ અલ્લાહની ઇબાદતમાં બીજાને ભાગીદાર ઠેરાવવા લાગ્યા, અને તેના ખાસ હકોમાં બીજાનો સમાવેશ કરી દીધો, બસ અલ્લાહ જ મદદ કરે.
અલ્લાહ પર ઈમાન લાવવામાં આ વાત નો પણ સમાવેશ થાય છે કે એ વાત પર ઈમાન રાખો કે અલ્લાહ તઆલા જ આ શ્રુષ્ટિનો સર્જનહાર છે અને દરેક કાર્યોની વ્યવસ્થા કરનાર છે અને તે પોતાના જ્ઞાન અને તાકાત દ્વારા જેમ ઈચ્છે છે તેમ ફેરફાર કરે છે
અને અલ્લાહ પર ઈમાનમાંથી તે પણ છે કે અલ્લાહ સમગ્ર શ્રુષ્ટિનો સર્જનહાર છે અને દરેક કાર્યોની વ્યવસ્થા કરનાર છે અને તે જ પોતાના જ્ઞાન અને તાકાત દ્વારા જેવું તે ઈચ્છે છે તેમ તે પોતે જ દરેક કાર્યોની વ્યવથા કરે છે, અને તે જ દુનિયાનો અને આખિરતનો માલિક છે અને તે જ સમગ્ર શ્રુષ્ટિનો માલિક છે તેના સિવાય કોઈ સર્જનહાર અને પાલનહાર નથી, અને તેણે પોતાના બંદોઓના સુધારા તેમની દુનિયા અને આખિરાતની કામયાબી માટેનો માર્ગ બતાવવા માટે પોતાના પયગંબરોને મોકલ્યા અને કિતાબો ઉતારી અને આ દરેક કાર્યોમાં અલ્લાહનો કોઈ ભાગીદાર નથી, જેમકે તેણે કહ્યું : {અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે, અને તેજ દરેક વસ્તુઓ નો કારસાઝ છે. ૬૨} [અઝ્ ઝુમર :૬૨]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {નિ:શંક તમારો પાલનહાર તે અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે દિવસને રાત વડે છુપાવી દે છે, પછી દિવસ રાતનો પાછળ નીકળી આવે છે, અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ આ બધી વસ્તુઓ તે (અલ્લાહ)ના હુકમનું અનુસરણ કરે છે, યાદ રાખો ! તેણે જ સર્જન કર્યું છે, તો આદેશ પણ તેનો જ ચાલશે, અલ્લાહ ખૂબ જ બરક્તવાળો છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. ૫૪} [અલ્ અઅરાફ: ૫૪].
અલ્લાહ પર ઈમાન તે પણ છે કે અલ્લાહના પવિત્ર નામો અને તેના ઉચ્ચ ગુણો પર ઈમાન એવી રીતે લાવવું કે ન તો તેમાં કોઈ ફેરફાર કરવામાં આવે ન તો તેમાં કોઈ શંકા કરવામાં આવે ન તો સ્થિતી વર્ણન કરવામાં આવે ન તો તેની કોઈ સાથે સરખામણી કરવામાં આવે
અલ્લાહ પર ઈમાન તે પણ છે કે અલ્લાહના પવિત્ર નામો અને તેના ઉચ્ચ ગુણો પર ઈમાન લાવવું જેનું કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યું છે અને જે અમાનતદાર રસૂલની હદીષ દ્વારા જણાવામાં આવ્યા છે અને તેના પર એવી રીતે ઈમાન લાવવું કે તેમાં કોઈ ફેરફાર કરવામાં ન આવે ન તો તેમાં કોઈ શંકા કરવામાં આવે ન તો સ્થિતી વર્ણન કરવામાં આવે ન તો તેની કોઈ સાથે સરખામણી કરવામાં આવે, આપણા પર જરૂરી છે કે આપણે તેના પર એવી રીતે ઈમાન લાવીએ જે રીતે તે વર્ણન કરાવવામાં આવ્યા છે તેની સ્તિથી વર્ણન કર્યા વગર, પરંતુ આ ગુણો જે ઉચ્ચ અર્થ દર્શાવે છે તેના પર ઇમાન લાવવામાં આવે, એટલા માટે કે તે અલ્લાહના ગુણો છે, આપણા પર જરૂરી છે કે આ ગુણોને અલ્લાહ માટે એવી રીતે સમજીએ જે પ્રમાણે અલ્લાહ એ પોતાના ગુણોને સમજયા છે, અને જે તેની શાનને લાયક છે અને તે તેના સર્જનના કોઈ ગુણ સમાન ન હોય, જેમકે અલ્લાહ એ કહ્યું : {શ્રુષ્ટિની કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે} (અશ્ શૂરા: ૧૧). અને અલ્લાહ.જે સર્વ શ્રેષ્ઠ છે કહ્યું : {બસ અલ્લાહ માટે કોઈ ઉદાહરણો ન બનાવો, અલ્લાહ બધું જાણે છે તમે નથી જાણતા. ૭૪} [અન્ નહલ :૭૪]. આ જ એહલે સુન્નત વલ્ જમાઅતનો અકીદો છે, અને અલ્લાહના રસૂલના ﷺ સાથીઓમાંથી અને સાચા દીનના અનુસરણ કરનારા તાબઇનનો આ જ અકીદો રહ્યો છે, જેમકે ઈમામ અબૂલ્ હસન અલ્ અશ્અરી રહ. એ પોતાની કિતાબ "અલ્ મકાલાત અન્ અસ્હાબિલ્ હદીષ વ અહલુસ્ સુન્નહ" માં વર્ણન કર્યો, તેવી જ રીતે બીજા ઘણાં આલિમો અને ઈમાનવાળાઓ એ વર્ણન કર્યો છે.
ઈમામ અવ્ઝાઈ રહ. એ કહ્યુ કે ઈમામ ઝોહરી રહ. અને મક્હૂલ રહ. ને અલ્લાહના ગુણો દર્શાવતી આયાતો વિશે પૂછવામાં આવ્યું તો તે બંનેએ કહ્યું: આ આયતોને તે જ પ્રમાણે રેહવા દો જે પ્રમાણે તે ઉતારવામાં આવી છે. અને વલીદ બિન મુસ્લિમ રહ. એ કહ્યું: ઈમામ માલિક, ઈમામ અવ્ઝાઈ, લૈષ બિન સઅદ, સુફ્યાન ષૈરી રહ. ને (અલ્લાહના) ગુણો બાબતે આવેલા નુસૂસ (કુરઆન અને હદીષના ઉપદેશો) વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ જવાબ આપ્યો: તેને તેની સ્તિથી વર્ણન કર્યા વગર, જે રીતે બયાન કરવામાં આવી છે માનવામાં આવે. અને અવ્ઝાઈ રહ. એ કહ્યું: જયારે કે આપણા વચ્ચે તાબઈઓ ઘણી સંખ્યામાં હતા, અમે કેહતા હતા: નિઃશંક અલ્લાહ અર્શ પર પર છે, અને અલ્લાહના ગુણો બાબતેની હદીષો પર પણ ઈમાન રાખીએ છીએ. અને જ્યારે ઈમામ માલિક રહ.ના શિક્ષક રબીઅહ બિન અબૂ અબ્દુર્ રહમાન ને ઈસ્તવા (અલ્લાહ અર્શ પર બિરાજમાન થયો) તેના વિશે પૂછવામાં આવ્યું તો તેમેણ કહ્યું : ( ઈસ્તવા એ અપરિચિત નથી પરંતુ તેની સ્થિતી નક્કી કરવી એ બૌદ્ધિક નથી, અલ્લાહ તરફથી આ એક ઉપદેશ છે તેના રસૂલ પર કે તેને સારી રીતે પહોંચાડવું જરૂરી છે,અને આપણા પર તેની પુષ્ટિ કરવી જરૂરી છે), એવું જ રીતે જ્યારે ઈમામ માલિક રહ. ને આ વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું : (ઈસ્તવા એ ખબર છે પરંતુ તેની સ્થિતી ખબર નથી અને તેના પર ઈમાન લાવ્યું જરૂરી છે અને વિશે સવાલ કરવો એ બિદ્અત છે) ફરી ઈમામ માલિક રહ. એ સવાલ કરનાર ને કહ્યું હું તમને એક ખરાબ વ્યકિત સમજુ છું ! અને તેને આદેશ આપ્યો કે તે અહિંયા થી જતો રહે.
અને આ વિશે ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા - રઝી. - ની રિવાયત પણ વર્ણન કરવામાં આવી છે, અને ઈમામ અબૂ અબ્દુર્ રહમાન બિન મુબારક રહ. એ કહ્યું : (અમે અમારાં પાલનહારને એ રીતે જાણીએ છીએ કે તે પોતાન સર્જનથી અલગ આકાશો ની ઉપર અર્શ પર બિરાજમાન છે). આ વિશે આલિમોની વાતો ઘણી છે જેને આ પ્રવચનમાં ઉલ્લેખ કરવી એ અશક્ય છે, અને જો કોઈ આ વિશે વધુ માહિતી મેળવવા માંગતો હોય તે આ વિશેની કિતાબો જે ઉલ્માએ સુન્નતે લખી છે જેમકે કિતાબ "અસ્ સુન્નહ" અબ્દુલ્લાહ બિન ઈમામ અહમદ ની, અને કિતાબ " અત્ તૌહીદ" ઈમામ મોહંમદ બિન ખુઝૈમા ની, અને કિતાબ "અસ્ સુન્નહ" અબૂલ્ કાસિમ અલ્ લલાકાઈ તબરી ની, અને કિતાબ "અસ્ સુન્નહ" અબૂ બકર બિન અબિલ્ આસિમ ની, અને શૈખુલ્ ઈસ્લામ ઈબ્ને તયિમિયહ રહ. એ એહલે હુમાતને આપેલ જવાબ, અને તે જવાબ ખૂબ જ મહત્વ પૂર્ણ અને ફાયદાકારક છે જેમાં ખરેખર તેમણે એહલે સુન્નતના અકીદહને સ્પષ્ટતા સાથે વર્ણન કર્યો છે, અને તેમાં તેમની ઘણી બધી વાતો નકલ કરી છે, અને તેની શરઈ દલીલો જે તેને સચોટ હોવાને જણાવે છે જે એહલે સુન્નત એ કહી છે તે વર્ણન કરી છે અને જે વિરોધીઓ એ કહ્યું તેને અમાન્ય ગણાવ્યું છે. એવી જ રીતે તેમની "તદમિરિયહ" નામનું એક પરિપત્ર છે, જેમાં તેમણે વિસ્તાર પૂર્વક દરેક વાતોનો ઉલ્લેખ કર્યો છે અને તેમાં તેમણે એહલે સુન્નત નો અકીદહને તેની શરઈ (કુરઆન અને હદીષ), અકલી (જે બુદ્ધીને યોગ્ય લાગે) દલીલો દ્વારા સ્પષ્ટ કર્યો છે, વિરૃધ્ધીઓને જવાબ આપ્યો છે, અને હકને સાચું અને બાતેલને અસત્ય બતાવ્યું છે, અને જે વ્યક્તિ અસ્મા વ સિફાતના પ્રકરણમાં જે એહલે સુન્નતના અકીદહનો વિરોધ કરે છે ખરેખર તે નકલી અને અકલી દલીલો જે કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવી છે તેનો વિરોધ કરે છે.
જ્યાં સુધી એહલે સુન્નત વલ્ જમાઅતની વાત છે તો તે લોકો એ અલ્લાહના અસ્મા વ સિફાતમાં નામો અને ગુણો) જે અલ્લાહ એ કુરઆનમાં પોતાના માટે સાબિત કર્યા છે અને તેના રસૂલ મોહંમદ ﷺ એ પોતની સાચી હદીષમાં સાબિત કર્યા છે, જે વગર કોઈની સરખામણી એ સાબિત કર્યા છે, અને અલ્લાહના તે ગુણોને સર્જનની સરખામણી થી પાક રાખે છે ન તો તેનો ઈન્કાર કરે છે, બસ તે તેને વિરોધાભાસથી સલામત રહે, અને તેઓએ દરેક દલીલોનું અનુસરણ કર્યું અને આ અલ્લાહનો તરીકો છે તે અલ્લાહ પાક છે અને તેના સાચો હોવાનો પુરાવો છે, તેણે તેના પયગંબરો ને મોકલ્યા અને તેમાં તેણે પોતાની શક્તિ લગાવી. અને તે નિખાલસતાવાળો છે, અને તે સાચું માર્ગદર્શન આપે છે અને પોતાની દલીલને જાહેર કરે છે, જેમકે અલ્લાહ એ કહ્યું : {પરંતુ અમે સત્યને જુઠ પર ફેકી દઇએ છીએ, બસ ! સત્ય જુઠનુ માથું તોડી નાખે છે અને તે જ સમયે નષ્ટ થઇ જાય છે} [અલ્ અંબિયા : ૮]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: { આ લોકો તમારી પાસે જે પણ ઉદાહરણ લાવશે, અમે તેનો સાચો જવાબ અને ઉત્તમ ઉકેલ તમને બતાવી દઇશું. ૩૩} [અલ્ ફુરકાન: ૩૩]. એવું જ રીતે હાફિઝ ઈબ્ને કષીર રહ. એ પોતાની પ્રખ્યાત તફસીર માં અલ્લાહની આ વાત પર ટિપ્પણી કરી - તે અલ્લાહ જે સર્વ શ્રેષ્ઠ છે - {નિઃશંક તમારો પાલનહાર અલ્લાહ જ છે, જેણે આકાશો અને જમીનને છો દિવસમાં પેદા કર્યા, ફરી તે અર્શ પર બિરાજમાન થયો.} [અલ્ અઅરાફ :૫૪]. આ વિષે આ સારી વાત છે, અહીંયા તેને ફક્ત એટલા માટે વર્ણન કરવામાં આવ્યું કે તેનો લાભ ઘણો છે. ઈમામ ઈબ્ને કષીર રહ. એ કહ્યું :આ વિશે લોકોએ ઘણી વાતો કહી છે, જેને વિસ્તાર પૂર્વક અહીંયા વર્ણન કરવી યોગ્ય નથી. યોગ્ય એ છે અહીંયા જે સલફે સોલિહીન (પૂર્વજોમાંના સારા લોકો) છે તેમનો તરીકો અપનાવવામાં આવે, જેમકે ઈમાન માલિક, ઈમામ અવ્ઝાઈ, ઈમામ ષૈરી, ઈમાન લૈષ, ઈમામ શાફઈ, ઈમામ અહમદ, ઈમામ ઈસ્હાક બિન રાહવય્હ રહ. વગેરે જેવા ભુતકાળમાં પસાર થયેલ અને વર્તમાનના મુસલમાનોનો રસ્તો (મત) આપનાવે છે, અને તે મત એ છે કે આ (અસ્મા વ સિફાત ને) તેની સ્તિથી વર્ણન કર્યા વગર,બીજા કોઈની સરખામણી કર્યા વગર,અને તેમાં અર્થઘટન કર્યા વગર એવી જ રીતે માની લેમાં આવે જે રીતે તે વર્ણન કરવામાં આવી છે, અને હાં જે વાત શંકાસ્પદ લોકોના દિમાગમાં આવે છે તેનાથી અલ્લાહ પાક છે અને તેનાથી ઘણો દૂર છે, અલ્લાહના સર્જનમાં તેના જેવું કોઈ નથી, અને કોઈ તેના જેવું નથી, તે સાંભળવાવાળો, અને જોવાવાળો છે, પરંતુ સત્ય વાત એ છે જે આલિમો એ કહી છે, જેમાથી ઈમામ બુખારી રહ. ના શિક્ષક નઈમ બિન હમ્માદ ખુઝાઈ રહ. છે તે કહે છે કે જે વ્યક્તિ અલ્લાહની તેના સર્જન સાથે સરખામણી કરે તે કાફિર છે અને જે ગુણો અલ્લાહ એ પોતાની પવિત્ર જાત માટે વર્ણન કર્યા છે જે તેનો ઈન્કાર કરે છે તે પણ કાફિર છે. જે ગુણો અલ્લાહ એ અને તેના રસૂલ ﷺ એ અલ્લાહ માટે વર્ણન કર્યા છે તેમાં ખરેખર કોઈ પણ પ્રકારની સરખામણી નથી. બસ હિદાયત ના માર્ગે તે છે જે યોગ્ય અસરો અને સાચી ખબરો દ્વારા જે ગુણો અલ્લાહ જે પાલનહાર છે અને તેનો કોઈ ભાગીદાર નથી માટે સાબિત છે તેને તેવી જ રીતે સ્વીકાર કરે જે તેને લાયક છે અને દરેક પ્રકારના નુકસાન અને ખામીઓ થી પોતાના પાલનહારને પવિત્ર માને.
ફરિશ્તાઓ પર ઈમાન
જ્યાં સુધી ફરિશ્તાઓ પર ઈમાનની વાત છે: તો તેમના પર વિસ્તાર પૂર્વક અને એકંદરે ઈમાન લાવ્યું બસ, એક મુસલમાન તે વાત પર ઈમાન રાખે કે કે અલ્લાહ એ ફરિશ્તાઓ ને પોતાના અનુસરણ માટે પેદા કર્યા છે, તેમનો ઉલ્લેખ પોતાના શ્રેષ્ઠ બંદાઓ માં કર્યો છે, અલ્લાહ જે કઇ પણ તેમને આદેશ આપે છે તેઓ તેનું અનુસરણ કરે છે અને તેનાથી વધારે કઈ પણ કર્તા નથી {તે તેમના આગળ-પાછળના દરેક કાર્યોને જાણે છે, તે કોઈના માટે ભલામણ નથી કરતા, સિવાય તે લોકોની જેમનાથી અલ્લાહ રાજી છે, તે તો પોતે જ અલ્લાહના ડરથી ભયભીત છે. ૨૮} [અલ્ અંબિયા : ૨૮]. તે (ફરિશ્તાઓ) ઘણા પ્રકારના છે, તેમાંથી અમુક લોકો જેને (અલ્લાહના) અર્શને ઉઠાવવાની જવાબદારી સોંપવામાં આવી છે, અને તે જેઓ જન્નત અને જહંનમના ખજાનચી છે, અને અમુક માનવીઓ ના કાર્યોની હિફાજત માટે નક્કી છે, અમે તેના પર વિસ્તાર પૂર્વક ઈમાન રાખીએ છીએ જેનું નામ અલ્લાહ એ અને તેના રસૂલે રાખ્યું જેમકે જિબ્રઇલ, મિકાઈલ, માલિક જે જહંનમના ખજાનચી છે, ઈસ્રાફિલ જેમને કયામતના દિવસે સૂરમાં ફૂંક મારવાની જવાબદારી સોંપવામાં આવી છે, અને જેમનું વર્ણન સહીહ હદીષમાં કરવામાં આવ્યું છે, આયેશા રઝી. ની રિવાયત જે સહીહ મુસ્લિમોમાં છે કે નબી ﷺ એ કહ્યું : <<ફરિશ્તાઓ ને નૂર (પ્રકાશ) થી પેદા કર્યા અને જિન્નાને આગની જ્વાળાઓ થી પેદા કર્યા અને આદમને તેનાથી જે કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યું (માટી)>> [૩] આ હદીષ ને ઈમામ મુસ્લિમ રહ. એ પોતાની કિતાબ માં વર્ણન કરી છે. [૩] મુસ્લિમ :અઝ્ ઝુહદ વર્ રકાઈક (૨૯૯૬), અહમદ :(૬/૧૫૩).
અલ્લાહની કિતાબો પર ઈમાન
એવી જ રીતે કિતાબો પર ટૂંકમાં ઈમાન લાવવું જરૂરી છે, નિઃશંક અલ્લાહ એ પોતાના નબીઓ અને રસૂલો તરફ કિતાબો ઉતારી જેથી તે સત્યને સ્પષ્ટ કરી દે અને તેની તરફ લોકોને બોલાવે, જેમકે અલ્લાહ એ કહ્યું : {ખરેખર અમે અમારા પયગંબરો ને સ્પષ્ટ નિશાનીઓ સાથે મોકલ્યા અને તેમની સાથે કિતાબ પણ ઉતારી અને ત્રાજવું તૈયાર કર્યું જેથી તેઓ ન્યાય પર કાયમ રહે} [અલ્ હદીદ: ૨૫]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {(શરૂઆતમાં) દરેક લોકો એક જ ઉમ્મત હતા, (પછી તેઓએ અંદરો અંદર મતભેદ કરવા લાગ્યા) તો અલ્લાહ તઆલાએ પયગંબરોને શુભસુચના આપનારા અને ડરાવનારા બનાવીને મોકલ્યા અને તેમની સાથે-સાથે સત્ય વાતની પુષ્ટિ માટે કિતાબ પણ ઉતારી, જેથી તેઓ લોકો વચ્ચે તેમના ઝઘડાઓનો નિર્ણય કરી દે, અને ફક્ત તે લોકો, જેમની પાસે સ્પષ્ટ પુરાવા આવી ગયા છતાંય પણ તેઓએ પોતાના વિદ્રોહ અંદરો અંદર મતભેદ કર્યો} [અલ બકરહ: ૨૧૩].
અને અમે વિસ્તાર પૂર્વક ઈમાન રાખીએ છીએ, જેના નામ અલ્લાહ એ બતાવ્યા જેમકે તૌરાત, ઈન્જીલ, ઝબૂર અને કુરઆન જે સૌથી શ્રેષ્ઠ અને છેલ્લી કિતાબ છે અને તે પ્રબળ અને પાછલી કિતાબોની પુષ્ટિ કરનારી છે, આ જ તે કિતાબ છે જેનું અનુસરણ કરવું અને નબી ﷺ દ્વારા વર્ણવેલ હદીષો પ્રમાણે નિર્ણય કરવો દરેક સમુદાય માટે અનિવાર્ય છે, કારણ કે અલ્લાહ એ પોતાના નબી ﷺને સમગ્ર માનવજાત અને જિન માટે નબી બનાવી ને મોકલ્યા છે અને આપ પર આ કુરઆનને ઉતાર્યું જેથી આપ લોકો વચ્ચે આના દ્વારા નિર્ણય કરે, તથા અલ્લાહ એ આ કુરઆનને દીલોની બીમારી માટેનો ઈલાજ અને દરેક બાબતો ને સ્પષ્ટ કરનાર, અને મોમિનો માટે હિદાયત અને રહેમત બનાવી દીધું, જેમકે અલ્લાહ એ કહ્યું : {અને આ કિતાબ (કુરઆન) જે અમે ઉતારી છે તે ખૂબ જ બરકતવાળી કિતાબ છે, એટલા માટે તમે તેનું અનુસરણ કરો અને અલ્લાહથી ડરતા રહો, કદાચ કે તમારા પર રહેમ કરવામાં આવે.૧૫૫} [અલ્ અન્આમ: ૧૫૫]. અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {અને અમે તમારા પર એવી કિતાબન ઉતારી છે જેમાં દરેક વસ્તુઓ ને સ્પષ્ટતા સાથે વર્ણન કરી દેવામાં આવી છે, અને મુસલમાનો માટે હિદાયત, રહેમત અને ખુશ ખબરી છે} [અન્ નહલ :૮૯]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે કહી દો કે હે લોકો ! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું જ અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ. ૧૫૮} [અલ્ અઅરાફ : ૧૫૮]. આ વિશે ઘણી આયતો છે.
અલ્લાહના રસૂલો પર ઈમાન
એવી જ રીતે રસૂલો પર ટૂંકમાં અને વિસ્તાર પૂર્વક ઈમાન લાવવું જરૂરી છે, અમે ઈમાન રાખીએ છીએ કે અલ્લાહ એ તેણે પોતાના બંદાઓ તરફ રસૂલોને ખુશખબર આપનારા, ડરાવવાવાળા અને સત્યમાર્ગ તરફ બોલાવનારા બનાવીને મોકલ્યા હતા, બસ જેણે તેમનું અનુસરણ કયું તે કામયાબ થયો અને જેણે તેમની અવજ્ઞા કરી તેં નાસીપાસ થયો, તથા રસૂલોમાંના છેલ્લા જે શ્રેષ્ઠ અને છેલ્લા આપણાં નબી છે-ﷺ- જેમકે અલ્લાહ એ કહ્યું : {અને દરેક કોમમાં એક પયગંબર મોકલ્યા, (જે તેઓને કહેતા હતા કે) અલ્લાહની ઈબાદત કરો અને તાગૂતથી બચો} [અન્ નહલ: ૩૬]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {આ દરેક પયગંબર (લોકોને) ખુશખબરી આપનાર અને સચેત કરવાવાળા હતા, જેથી આ પયગંબરો આવી ગયા પછી લોકો માટે અલ્લાહ પર કોઇ દલીલ બાકી ન રહે, અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે.} [અન્ નિસા: ૧૬૫]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: ((હે લોકો !) મુહમ્મદ ﷺ કોઇ પુરુષના પિતા નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે, અને દરેક પયગંબરમાંના છેલ્લા છે.) [અલ્ અહઝાબ: ૪૦]. અને અલ્લાહના તે પયગંબરો જમના નામ અલ્લાહ એ બતાવ્યા છે, તથા અલ્લાહના રસૂલ ﷺ એ સાબિત કર્યા છે તેના પર અમે સ્પષ્ટ રીતે ઈમાન રાખીએ છીએ જેમકે નૂહ, હૂદ, સોલિહ, ઈબ્રાહીમ સિવાયના બીજા રસૂલ પર, તેમની સંતાનો પર,અને તેમના અનુયાયીઓ પર અલ્લાહની કૃપા અમે શાંતિ નાઝિલ થાય.
આખિરતના દિવસ પર ઈમાન
અને આખિરતના દિવસ પર ઈમાન:
તેમાં તે દરેક બાબતોનો પર ઈમાન લાવવું જરૂરી છે જેની ખબર અલ્લાહ એ અને તેના રસૂલ એ મોત પછી થનારી બાબતો વિષે આપી જેમકે કબરમાં સજા થવી, કબરમાં નેઅમતો મળવી, કયામતના દિવસની ભયાનકતા અને પૂલ સિરાત, ત્રાજવું, હિસાબ, અને દંડ આપવો અને લોકો સામે તેમના કાર્યોની પુસ્તિકા જાહેર કરી દેવામાં આવશે, બસ કોઈએ પોતાની પુસ્તિકા જમણા હાથ પકડી હશે અને કોઈએ પોતાની પુસ્તિકા ડાબા હાથે ખભા પાછળથી પકડી હશે, તથા આપણા નબી ﷺના હોજ કૌષર પર, અને જન્નત અને જહંનમ પર ઈમાન, અને મોમીનો પોતાના પાલનહાર સાથે મુલાકાત કરશે અને તે તેમની સાથે વાતચીત પણ કરશે, વગેરે વગેરે જે કઇ પણ કુરઆન અને સહીહ હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે તેના પર ઈમામ લાવવું જરૂરી છે, અને આ દરેક બાબતો પર ઈમાન લાવવું અને તેની પુષ્ટિ કરવી અનિવાર્ય છે જેવી રીતે અલ્લાહ અને તેના રસૂલ ﷺ એ વર્ણન કરી છે.
તકદીર પર ઈમાન
જ્યાં સુધી તકદીર પર ઈમાન લાવવું તો તેમાં ચાર બાબતોનો સમાવેશ થાય છે :
પહેલી બાબત : અલ્લાહ જે થઇ ચૂક્યું છે અને જે થવાનું છે તેને જાણે છે, અને તેના ઉપાસકો ની સ્થિતી ને જાણે છે, તેમની રોજી, તેમની સમયમર્યાદા, તેમના કાર્યોને જાણે છે વગેરે વગેરે જે તેમની આદતોમાંથી છે, તેનાથી કોઈ વસ્તુ છૂપી નથી, જેમકે પવિત્ર અલ્લાહ એ કહ્યું : {ખરેખર તે દરેક વસ્તુને જાણે છે} [અલ બકરહ: ૨૩૧]. અને અલ્લાહ જે સર્વ શ્રેષ્ઠ છે, કહ્યું : {જેથી તમે જાણી લો અલ્લાહ દરેક વસ્તુ પર સક્ષમ છે અને અલ્લાહ એ દરેકને પોતાની ઈલ્મ દ્વારા ઘેરી લીધી છે.} [અત્ તલાક :૧૨].
બીજી બાબત : અલ્લાહ એ નક્કી કરેલ અને નિર્ણય કરેલ દરેક વસ્તુને લખી દીધી છે, જેમકે પવિત્ર અલ્લાહ એ કહ્યું : {ખરેખર જમીનમાં જે કઇ પણ ઘટાડો કરે છે અમે તેને જાણીએ છીએ અને અમારી પાસે દરેક વસ્તુઓને યાદ રાખનાર કિતાબ છે.૪} [કોફ: ૪]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {અને અમે દરેક વસ્તુને એક સ્પષ્ટ કિતાબ માં ભેગી કરીને રાખી છે.} [યાસીન :૧૨]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {શું તમે નથી જાણતા આકાશો અને જમીનમાં કે જે કઇ પણ છે તેને અલ્લાહ જાણે છે, અને તે (બધું) કિતાબ મા (લખેલું) છે, અને આ બધું અલ્લાહ માટે સહેલું છે ૭૦} [અલ્ હજ્જ: ૭૦].
ત્રીજી બાબત: તે વાત પર ઈમાન કે અલ્લાહ પોતાની ઈચ્છા પ્રમાણે જે ઈચ્છે છે કરે છે અને જેની ઈચ્છા તે નથી કરતો તો થતું નથી, જેમકે પવિત્ર અલ્લાહ એ કહ્યું : {નિઃશંક અલ્લાહ જે ચાહે છે તે કરે છે} [અલ્ હજ્જ :૧૮]. અને અલ્લાહ જે સર્વ શ્રેષ્ઠ છે કહ્યું : {અને જ્યારે પણ તે કોઈ કાર્ય કરવાનો ઈરાદો કરે છે, તેને ફક્ત એટલું કહી દે છે કે થઇ જા, તે તરત જ થઇ જાય છે} [યાસીન : ૮૨]. અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {અને તમે નહી ઇચ્છો પરંતુ એ કે અલ્લાહ તઆલા જ ઇચ્છે, નિઃશંક અલ્લાહ જાણવાવાળો અને તે હિકમતવાળો છે.૩૦} [અલ્ ઇન્સાન :૩૦].
ચોથી બાબત : દરેક અસ્તિત્વમાં આવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહ એ કર્યું છે, તેના સિવાય બીજો કોઈ સર્જનહાર અને પાલનહાર નથી, જેમકે પવિત્ર અલ્લાહ એ કહ્યું : {અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જનહાર છે અને તે જ દરેક વસ્તુઓ નો કારસાઝ છે ૬૨} [અઝ્ ઝુમર: ૬૨]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: (હે લોકો ! તમારા ઉપર અલ્લાહએ કરેલ નેઅમતોને યાદ કરો, શું અલ્લાહ સિવાય બીજો કોઈ પેદા કરવાવાળો છે, જે તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપી શકે? તેના સિવાય કોઈ સાચો ઈબાદતને લાયક નથી, પછી તમે ક્યાં ધોખો ખાઈ રહ્યા છો. ૩) [ફાતિર :૩]. એહલે સુન્નત વલ્ જમાઅત પાસે તકદીર પર ઈમાનમાં આ ચાર બાબતોનો સમાવેશ થાય છે, તેમાંથી અમુકનો એહલે બિદ્અત ઈન્કાર કરે છે.
ઈમાન કોલ અને અમલ (વાત અને કાર્ય) નું નામ છે જે અનુસરણ કરવાથી વધે છે અને અવજ્ઞા કરવાથી ઘટે છે
અને અલ્લાહ પર ઈમાન લાવવામાં તે વાતનો પણ સમાવેશ થાય છે કે કોલ વ અલમ (વાત અને કાર્ય) નું નામ છે,જે અનુસરણ કરવાથી વધે છે અને અવજ્ઞા કરવાથી ઘટે છે,અને કોઈ પણ મુસલમાન માટે યોગ્ય નથી કે તેમાંથી કોઈ વસ્તુનો ઈન્કાર કરે સિવાય શિર્ક (અનેકેશ્વરવાદ), કુફ્ર (નાસ્તિકતા), તથા વ્યભિચાર, ચોરી, વ્યાજ ખાવું, નશીલા પદાર્થોનું સેવન, માતા પિતાની અવજ્ઞા કરવી, વગેરે વગેરે જે મોટા મોટા ગુના છે જે તેમના માટે હલાલ નથી, કારણકે અલ્લાહ તઆલાનું ફરમાન છે: {નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે} [અન્ નિસા: ૪૮]. તથા નબી ﷺની મુતવાતિર હદીષો દ્વારા સાબિત છે કે અલ્લાહ તે વ્યક્તિને જહન્નમમાંથી કાઢી લે છે જેના દિલમાં કણ બરાબર પર ઈમાન હશે.
મોહબ્બત અલ્લાહ માટે, નફરત અલ્લાહ માટે અને દોસ્તી અલ્લાહ માટે અને દુશ્મની અલ્લાહ માટે
અલ્લાહ પર ઈમાન લાવવામાં તે બાબતનો પણ સમાવેશ થાય છે કે મોહબ્બત અલ્લાહ માટે, નફરત અલ્લાહ માટે અને દોસ્તી અલ્લાહ માટે અને દુશ્મની અલ્લાહ માટે, બસ એક મોમીન માટે જરૂરી છે કે તે ઈમાનવાળાઓ સાથે મોહબ્બત રાખે અને કાફિરોને નફરત કરે અને તેમની સાથે દુશ્મની રાખે, મોમિનોમાંથી સૌ પ્રથમ નબી -ﷺ- ના સહાબાઓ છે. એહલે સુન્નત વલ્ જમાઅત લોકોમાંથી જે સદાચારી છે તે તેમને મોહબ્બત કરે છે અને તેમની સાથે દોસ્તી રાખે છે અને એવી માન્યતા રાખે છે નબી ﷺ પછી તે સારા લોકો છે, કારણકે નબી ﷺનું ફરમાન છે ; << સૌથી સારો સમયગાળો મારો છે ત્યારબાદ તે લોકોનો જે મારા પછી આવ્યા, ત્યાર બાદ તે લોકો જે તેમના પછીના છે>> [૪] મુત્તફક અલા સિહ્તિહી ( આ હદીષ ઈમામ બુખારી રહ. અને ઈમામ મુસ્લિમ રહ. ના નિયમો પ્રમાણે સાચી છે) તેઓ અકિદો રાખે છે કે તેમાંથી સૌથી શ્રેષ્ઠ અબૂ બકર રઝી. છે ફરી ઉમર ફારૂક રઝી. ફરી ઉષ્માન રઝી. ફરી અલી મુર્તઝા રઝી. છે ત્યાર બાદ તે દસ લોકો જેમને દુનિયામાં જ જન્નતની ખુશખબર આપી દેવામાં આવી, ત્યારબાદ બીજા સહાબીઓ, તેઓ બે સહાબીઓ વચ્ચેના મતભેદો ને તેમની મહેનત સમજે છે, કેમ કે જેણે મહેનત કરી તેના માટે બે નેકી અને જેનાથી ભૂલ થઈ ગઈ તેના માટે પણ એક નેકી તો છે જ. તેઓ એહલે બૈત (રસૂલ ﷺના ઘરના લોકો) સાથે મોહબ્બત કરે છે, નબી ﷺની પત્નીઓનો ખ્યાલ રાખે છે જે દરેક મોમીનોની માતાઓ છે, અને તેમનાથી સંતુષ્ટ છે, તેઓ રવાફિઝ ના માર્ગનો ઈન્કાર કરે છે, જેઓ નબી ﷺ ના સાથીઓને નફરત કરે છે અને તેમને ગાળો આપે છે અને એહલે બૈત ના સન્માનમાં વધારો કરે છે, અને તેમને તેમના દરજ્જાથી વધાવી દે છે જે દરજ્જો તેમને અલ્લાહ એ આપ્યો છે, એવી જ રીતે અહલે સુન્નત વલ્ જમાઅત, નવાસિબના માર્ગનો પણ ઇનકાર કરે છે જેઓ પોતાની વાતો અને કાર્યોથી એહલે બૈત ને ઇજા પહોંચાડે છે. [૪]બુખારી: અશ્ શહાદાત (૨૫૦૯)મુસ્લિમ: ફઝાઈલુસ્ સહાબતુ (૨૫૩૩) અત્ તિર્મિઝી: અલ્ મનાકિબ (૩૮૫૯)ઈબ્ને માજહ: અલ્ અહકામ(૨૩૬૨) અહમદ (૧/૪૩૪)
અમે જે કઇ પણ આ વિશે વર્ણન કર્યું તેનો સમાવેશ સહીહ અકીદહ માં થાય છે જેના માટે અલ્લાહ એ નબી ﷺ ને મોકલ્યા અને આ જ અકીદોહ કામયાબ થનાર જૂથનો છે એ એહલે સુન્નત વલ્ જમાઅત છે જેમના વિશે નબી ﷺ એ કહ્યું : <,મારી કોમ માથી એક જૂથ હંમેશાં હક પર કાયમ રહેશે, તેમનો સાથ ન આપનારા તેમને કઈ પણ નુકસાન નહીં પહોચાડી શકે અહીં સુધી કે અલ્લાહનો આદેશ (કયામત) આવી જાય>> અને નબી ﷺ એ કહ્યું : <<યહૂદીઓ ૭૧ જૂથમાં વહેંચાઈ ગયા અને ખ્રિસ્તીઓ ૭૨ જૂથમાં વહેંચાઈ ગયા અને આ (મારી ) કોમ ૭૩ જૂથમાં વહેંચાઈ જશે તેમાંથી દરેક જૂથ જહંનમમાં જશે ફક્ત તેના સિવાય, તો સહાબાઓએ પૂછયું હે અલ્લાહના રસૂલ! તે કોણ? તો આપ ﷺ એ કહ્યું: જે મારા અને મારા સાથીઓના માર્ગ પર હશે>> [૬] આ જ તે અકીદોહ છે જેના પર અડગ રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેનો વિરોધ કરનારને ચેતવણી આપવામાં આવી છે. [૫] મુસ્લિમ: અલ્ ઈમારહ (૧૯૨૦), અત્ તિર્મિઝી: અલ્ ફિતન (૨૨૨૯), અબૂ દાઉદ: અલ્ ફિતન વલ્ મલાહિમ (૪૨૫૨), ઈબ્ને માજહ: અલ્ ફિતન (૩૯૫૨), અહમદ (૫/૨૭૯). [૬] ઈબ્ને માજહ:અલ્ ફિતન (૩૯૯૨).
વિરોધીઓએ આ અકીદહના વિરોધમાં ઘણું બધું કહ્યું છે
તેમના પ્રકાર
જ્યાં સુધી આ સહીહ અકીદહના વિરોધ કરનારાઓની વાત છે તેમના પણ ઘણા પ્રકાર છે,બસ તેમાંથી મૂર્તિઓ, પથ્થરો, ફરિશ્તાઓ, અવ્લિયાઓ, જિન્નો, વૃક્ષો વગેરેની ઈબાદત કરનારા છે, તેઓએ રસૂલોના માર્ગને ન અપ્નાવ્યો, પરંતુ તેમનો વિરોધ કર્યો અને તેમના દુશ્મની બની ગયા, જેવુકે કુરૈશીઓના અમુક લોકોએ અને અરબના બીજા વર્ગના લોકોએ આપણા નબી ﷺ સાથે કર્યું, તેઓ પોતાના મઅબૂદો પાસે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટેનો સવાલ કરે છે, જેમકે બીમારીની શિફા, અને દુશ્મનો પર વિજય મેળવવા મદદ માંગે છે, તેમના માટે કુરબાની કરે છે, તેથા મન્નત માનતા હતા તો જ્યારે તેઓને નબી ﷺ એ આ દરેક કાર્યોનો ઇનકાર કર્યો અને તેનું ખંડન કર્યું અને તેમનો ઈબાદતને ફક્ત અલ્લાહ માટે જ કરવાનો આદેશ આપ્યો તો તેઓ આશ્ચર્ય ચકિત થઇ ગયા અને ઇનકાર કર્યો, અને કહેવા લાગ્યા: (શું તેણે આટલા બધા ઇલાહને એક જ ઇલાહ કરી દીધો, ખરેખર આ તો આશ્વર્યજનક વાત છે.૫) [સોદ: ૫] નબી ﷺ તેઓને સતત અલ્લાહ તરફ બોલાવતા રહ્યા,અને તેમણે શિર્ક (અનેકેશ્વરવાદ) થી ડરાવતા રહ્યા અને તેઓને સમક્ષ શિર્કની વાસ્તવિકતા તેમની સામે સ્પષ્ટ કરતા રહ્યા અહીં સુધી કે અલ્લાહ એ તેમના માંથી જેના પ્રત્યે હિદયાતની ઈચ્છા કરી તેને હિદાયત આપી, ફરી તેઓ અલ્લાહના દિનમાં જૂથને જૂથ બની દાખલ થવા લાગ્યા, એવી જ રીતે અલ્લાહના રસૂલ ﷺ અને સહાબાઓ અને તેમનું અનુસરણ કરનારાઓના સઘર્શથી અલ્લાહનો દીન દરેક ધર્મો પર ગાલીબ આવી ગયો,ત્યારબાદ સમય બદલાય ગયો અને અજ્ઞાનતા ફરી આવી ગઈ અહીં સુધી કે વધારે પડતા લોકો નબીઓ તથા વાલીઓના સમ્માનમાં ગૂલુ (અતિશયોક્તિ) કરવા લાગ્યા, અને સંકટના સમયે તેમને પોકારવા લાગ્યા તથા અન્ય પ્રકારના શિર્કના કારણે તેનો જાહિલિય્યાત (અજ્ઞાનતાના કાળ) ના ધર્મ તરફ પાછા ફરી ગયા,અને તેઓ " લા ઇલાહ ઈલ્લલ્લાહ " નો એટલો પણ અર્થ સમજી ના શક્ય જેટલો અરબના કાફિરો સમજ્યા હતા, બસ આ સ્તિથીમાં અલ્લાહ જ મદદગાર છે.
તથા અજ્ઞનાનતા (દિનમાં અ સમાજ) અને નબી ﷺના સમયથી દૂરી વધવાના કારણે આપણા સમય સુધી શિર્ક ફેલાઈ રહ્યો છે.
પછીના આવનારા લોકોની શંકા પણ જે પહેલાના લોકોની હતી, અહીં તેમના અમુક ખોટા અકીદહ નું વર્ણન કરવામાં આવ્યું છે
પછીના આવનારા લોકોની શંકા પણ જે પહેલાના લોકોની હતી, અને તેમનું કેહવું હતું કે : તેઓ અમારા માટે અલ્લાહ પાસે ભલામણ કરનારા છે, અમે તેઓની બંદગી ફક્ત એટલા માટે કરીએ છીએ કે તેઓ અમને અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરાવવામાં મદદરૂપ થશે, અલ્લાહ એ આ માન્યતાને ખોટી બતાવી અને સ્પષ્ટ કર્યું કે જે કોઈ તેને છોડીને બીજાની બંદગી કરશે તો તેણે શિર્ક કર્યું અને તે કાફિર થય ગયો, જેમકે અલ્લાહ એ કહ્યું: {અને આ લોકો અલ્લાહને છોડીને એવી વસ્તુઓની બંદગી કરે છે, જે ન તો તેમને કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો તેમને કોઈ ફાયદો પહોંચાડી શકે છે અને કહે છે કે આ લોકો અલ્લાહની સમક્ષ અમારા માટે ભલામણ કરશે} [યૂનુસ : ૧૮]. બસ અલ્લાહ એ પોતાની આયાત દ્વારા તેઓને જવાબ આપ્યો. {તમે કહી દો કે શું તમે અલ્લાહને એવી વસ્તુની જાણ આપી રહ્યા છો, જે અલ્લાહ તઆલાને આકાશો અને ઝમીનમાં ખબર જ નથી, તે આ પ્રમાણની વસ્તુથી પવિત્ર અને સર્વગ્રાહી છે, તે લોકોના ભાગીદાર ઠેરાવવાથી.} [યૂનુસ : ૧૮]. અલ્લાહ એ આ આયતમાં સ્પષ્ટ કર્યું કે તેના સિવાય નબીઓ, વલીઓ વગેરેની ઈબાદત કરવી એ શિર્કે અકબર (સૌથી મોટું શિર્ક) છે, અને અલ્લાહ એ કહ્યું : {અને જે લોકોએ અલ્લાહ સિવાય અન્યને દોસ્ત બનાવ્યા છે, અને કહે છે કે અમે તો તેમની ઈબાદત ફક્ત તે માટે કરીએ છીએ કે તેઓ અમને અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે} [અઝ્ ઝુમર :૩]. બસ અલ્લાહ એ પોતાની આયાત તેઓને જવાબ દ્વારા આપ્યો. [નિઃશંક આ લોકો જેના વિષે મતભેદ કરી રહ્યા છે તેનો સાચો નિર્ણય અલ્લાહ જ કરશે, અલ્લાહ ખોટા અને કાફિર ને હિદાયત નથી આપતો.} [અઝ્ ઝુમર :૩]. બસ અલ્લાહએ આ આયાતમાં સ્પષ્ટ કર્યું કે તેના સિવાય કોઈના માટે દુઆ, ખોફ, ઉમ્મીદ વગેરે જેવી ઇબાદતો કરવી તે કુફર છે જેનાથી અલ્લાહ પાક છે, અને તેઓ પોતાની વાતમાં જૂઠ્ઠા છે કે તેના દ્વારા તેઓ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરશે.
સહીહ અકીદહના વિરોદ્ધમાં અને પયગંબરો એ લાવેલ અકીદહના વિરુદ્ધમાં વર્નાતમાન સમયના નાસ્તિકતની માન્યતા ધરાવનાર માર્ક્સ અને લેનિનના અનુયાયી વિધર્મીઓ અને અન્ય અધર્મ કે નાસ્તિકના પ્રચારકોનો પણ અકીદો છે પછી ભલેને તેનું નામ સામ્યવાદ, બેસિઝમ અથવા આના સિવાય બીજું કોઈ નામ આપીએ, કારણકે આ વિધર્મીઓના અકીદહ માથી છે કે કોઈ પણ ઈલાહનો અસ્તિત્વ નથી, અથવા તો આ એક ભૌતિક્વાદનું નામ છે, તથા તેમના સિદ્ધાંતોમાં આખિરતનો,જન્નત અને જહન્નમનો તથા દરેક ધર્મોનો ઇન્કાર પણ શામેલ છે.જે વ્યક્તિ તેમના પુસ્તકો ને જોશે અને તેનો અભ્યાસ કરશે તો તે ચોક્કસપણે આ વાસ્તવિકતાને જાણી લેશે,તથા આમાં કોઈ શંકા નથી કે આ અકીદો દરેક આસમાની કિતાબોના વિરુદ્ધ છે ,અને આ એકીદહને માનવાવાળા ને દુનિયા અને આખિરતના અત્યંત ખરાબ પરિણામો સુધી પહોચાડવાવાળો છે.
એવી જ રીતે સાચા અકીદાના વિરોધમાંથી: અમુક સૂફીઓનો પણ અકીદો છે કે તેમના અમુક માનનીય વલીઓ શ્રુષ્ટિના સંચાલનમાં અલ્લાહના સાક્ષી અને દુનિયાના કામોમાં હેરફેર કરે છે અને આ લોકો આને અક્તાબ, અવ્તાદ, અગ્વાસ તથા આના જેવા બીજા નામો આપે છે જે તેઓએ પોતાના મઅબૂદો માટે ઘડી રાખ્યા છે , આ અલ્લાહની રુબૂબિય્યત (અર્થાત્ અલ્લાહનું એકમાત્ર સર્જક, પ્રવર્તક,પાલનહાર હોવામાં) માં અત્યંત ખરાબ શિર્ક છે અને આ અરબના અજ્ઞાનતાના યુગના લોકોના શિર્ક કરતા પણ વધુ ખરાબ છે; કારણકે અરબના કાફિરોએ અલ્લાહની રુબૂબિય્યતમાં શિર્ક કર્યું ન હતું, તેમણે ફક્ત અલ્લાહની ઇબાદતમાં શિર્ક કર્યું હતું તથા તેમનું શિર્ક ફક્ત સમૃદ્ધિમાં હતું, જ્યાં સુધી મુસીબતના સમયની વાત છે તો તેઓ ઇબાદતને ફક્ત અલ્લાહ માટે જ કરતા હતા જેમકે અલ્લાહ એ કહ્યું : {બસ જયારે તેઓ હોડીમાં સવારી કરે છે ,તો અલ્લાહ ને એવી જ રીતે પોકારે છે કે તેઓ ફક્ત તેને જ માનનારા છે,અને જયારે અલ્લાહ તેઓને બચાવી ને ધરતી તરફ લઇ આવે છે તો તરત જ શિર્ક કરવા લાગે છે.૬૫} [અલ્ અન્કબૂત :૬૫]. જ્યાં સુધી રુબૂબિય્યતની વાત છે તો તેઓ જાણતા હતા કે તે ફક્ત અલ્લાહ જ છે,જેમકે અલ્લાહ એ કહ્યું : {જો અગર તમે તેમને પૂછો કે કોણે તેઓને પેદા કર્યા, તો તે કહેશે અલ્લાહ } [અઝ્ ઝુખ્રુફ :૮૭]. અને અલ્લાહ તઆલાએ કહ્યું : (તમે તેમને કહી દો કે તે કોણ છે જે તમને આકાશ અને ધરતી માંથી રોજી પહોંચાડે છે? અથવા તે કોણ છે જે કાન અને આંખો બન્ને પર સંપૂર્ણ અધિકાર ધરાવે છે ? અને તે કોણ છે જે નિર્જીવ માંથી સજીવ કાઢે છે અને સજીવ માંથી નિર્જીવ કાઢે છે? અને તે કોણ છે જે દરેક કાર્યની વ્યવસ્થા કરે છે, જરૂર તેઓ એ જ કહેશે કે “અલ્લાહ”. તો તેમને કહો કે તમે તેનાથી ડરતા કેમાં નથી?૩૧) [યૂનુસ :૩૧]. અને આ વિશેની ઘણી આયતો છે.
જ્યાં સુધી પછી આવનારા મુશરિકો (અનેકેશ્વારવાદીઓ) ની વાત છે તો પહેલાના લોકો કરતા પણ આગળ વધી ગયા
જ્યાં સુધી પછી આવનારા મુશરિકો (અનેકેશ્વારવાદી) ની વાત છે તો પહેલાના લોકો કરતા પણ આગળ વધી ગયા (અને તેમના બે પ્રકાર છે ) પહેલો પ્રકાર: તેમાંથી અમુક જેઓએ અલ્લાહની રુબૂબિય્યતમાં શિર્ક કર્યો, બીજો પ્રકાર: જેઓ સમૃદ્ધિ અને તંગી બંને સ્તિથીમાં તેઓ શિર્ક કરે છે, આ વાત તે જ વ્યક્તિ સારી રીતે જાણે છે જે તેમની સાથે રહે છે, અને જે તેમની સાથે રહી ચુક્યો છે તે તેમની સ્તિથીને ઊંડાણપૂર્વક જાણે છે અને તેમના તે કર્યો ને જોઈ ચુક્યો છે જે ઈજિપ્તમાં હુસૈન અને બદવી વગેરે લોકોની કબરો પાસે, અને ઈડનમાં ઈદરોસની કબર પાસે, અને યમનમાં હાદીની કબર પાસે, સિરીયામાં ઈબ્નુલ્ અરબી, અને ઇરાકમાં શૈખ અબ્દુલ કાદિર જીલાનીની કબરો પાસે, વગેરે જેવા વિખ્યાત લોકોની કબરો પાસે કરે છે, જે બાબતે સામાન્ય લોકોએ ગૂલું ( અતિશયોક્તિ) કર્યું અને અલ્લાહના હકોને તેઓને આપી દીધા, બસ બહુ ઓછા લોકો એવા હોઈ છે જે આ દરેક કાર્યોનો ઇન્કાર કરે છે અને તેમની સમક્ષ તૌહીદની વાસ્તવિકતાને સ્પષ્ટ કરે છે,જેની સાથે નબી મોહમ્મદ અને આપના પહેલાના પયગંબરો ને મોકલવામાં આવ્યા, ઈન્ના લિલ્લાહિ વ ઇન્ના ઈલય્હિ રાજિઉન (અર્થ: નિ:શંક અમે અલ્લાહની માલિકી હેઠળ છે અને તેની જ તરફ પાછા ફરી ને જવાનું છે) અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ તેઓને હિદાયત તરફ પાછા ફેરવે, અને તેઓની વચ્ચે હિદાયતના પ્રચારકોને વધારી દે, અને મુસલમાનો ના આગેવાનો અને વિદ્ધાનોને આ શિર્કથી લડવાની અને તેના સાધનોને નષ્ટ કરવાની તોફિક આપે, તે અલ્લાહ સાંભળવાવાળો અને નિકટ છે.
આવીજ રીતે અસ્મા વ સિફાત (અલ્લાહના નામો અને ગુણો) ના પાઠમાં પણ સહીહ અકીદહના વિરુદ્ધ અકીદાઓમાં: એહલે બિદ્અત, જહ્મિય્યા, મોતઝિલહના અને તેમના માર્ગ પર ચાલનારાઓનો અકીદો છે, તેઓએ અલ્લાહની સિફાત (ગુણો)નો ઈન્કાર કર્યો, અને તે સર્વોત્તમ ગુણોને અક્ષમ કરી, અલ્લાહના અસ્તિત્વનો ઈન્કાર કર્યો અને અલ્લાહને અશક્ય, નિર્જીવ જેવી વસ્તુઓના ગુણોથી વિશષ્ટ કરવાનો માર્ગ આપ્નાવ્યો (પરંતુ) અલ્લાહ તેઓની દરેક વાતોથી ખૂબ જ બુલંદ અને સર્વોચ્ચ છે. એવી જ રીતે આમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓએ અલ્લાહના અમુક ગુણોને તો માન્યા પરંતુ અમુક નો ઈન્કાર કર્યો જેમકે આશાઇરહ, બસ તે લોકો જે વાતથી બચવા માટે અલ્લાહના અમુક ગુણોનો ઇનકાર કર્યો તો તે જ વસ્તુ તેમના પર લાગુ પડે છે જે સિફાતને તેઓએ અલ્લાહ માટે સાબિત કર્યા અને તેની દલીલોનું અર્થઘટન કર્યું, એવી જ રીતે તે લોકો એ શરઈ અને અકલી દલીલોનો વિરોધ કર્યો અને તે બાબતે તેઓ સ્પષ્ટ વિરોધીઓ બની ગયા, જયારે કે એહલે સુન્નત વલ્ જમાઅતે તો તે દરેક ગુણોને અલ્લાહ માટે સાબિત કર્યા જે અલ્લાહ એ પોતાના માટે અને તેના રસૂલ ﷺ એ સાબિત કર્યા છે, અને તેને સર્જન સાથેની સરખામણીથી એવી રીતે પાક રાખે છે કે તેણે અર્થહીન કરવાની કોઈ શંકા રહેતી નથી, એવી જ રીતે તેઓએ દરેક દલીલો પર અમલ કર્યો,અસ્મા વ સિફાતમાં ફેરફાર કે તેના ઇન્કાર, કે તેનું અર્થઘટન કે તેણે અર્થહીન કરવાથી સુરક્ષિત રહ્યા, જેમાં તેમના સિવાયના અન્ય લોકો સપડાયેલા છે, જેમકે તેનો ઉલ્લેખ કરી ચુકયા છે-, દુનિયા અને આખિરતમાં નિજાત મેળવવાનો આ જ એકમાત્ર રસ્તો છે, અને સીધો માર્ગ છે, અને આજ તે માર્ગ છે જેને ઉમ્મતના સલફ (સદાચારી પૂર્વજો) અને ધાર્મિક વિદ્ધાનો એ અપનાવ્યો, આના દ્વારા જ પછીના લોકોનો સુધાર સંભવ છે જેના દ્વારા પહેલાના લોકોની ઈસ્લાહ થઈ, અને તે કુરઆન અને હદીષનું અનુસરણ છે અને તેના વિરુદ્ધ વસ્તુઓને છોડવામાં.
ફક્ત અલ્લાહની જ બંદગી કરવી અને અલ્લાહના દુશ્મનો પર વિજય મેળવવા તેની પાસે જ મદદ માગવી જોઈએ
ખરેખર અલ્લાહના દરેક બંદાઓ પર સૌ પ્રથમ ફરજ એ છે કે તેઓ પોતાના પાલનહાર જે પવિત્ર છે અને જે આકાશો અને ધરતી અને અર્શે અઝીમનો રબ (પાલનહાર) છે તેણે પોતાની કિતાબમાં કહ્યું : {નિઃશંક તમારો પાલનહાર અલ્લાહ જ છે, જેણે આકાશો અને જમીનને છો દિવસમાં પેદા કર્યા, ફરી તે પોતાના અર્શ પર બિરાજમાન થયો. તેજ રાત્રિ દ્વારા દિવસને ઢાંકી દે છે, ફરી દિવસ રાત પછી તરત આવી જાય છે, અને જેણે સૂર્ય, ચંદ્ર અને તારાઓ પેદા કાર્ય અને દરેકે દરેક અલ્લાહના આદેશ ને આધીન છે, ખબરદાર! તેનું જ સર્જન છે અને તનો જ આદેશ છે. અલ્લાહ ખૂબ જ બરકતવાળો છે જે સમગ્ર શ્રુષ્ટિનો પાલનહાર છે. ૫૪} [અલ્ અઅરાફ: ૫૪]. એવી જ રીતે અલ્લાહ એ પોતાની કિતાબમાં બીજી એક જગ્યા પર કહ્યું કે તેણે માનવને અને જિન્નાતો ને પેદા કર્યા, અલ્લાહ એ કહ્યું : {અમે જિનો અને માનવીઓ ને ફક્ત અમારી ઇબાદત માટે પેદા કર્યા છે. ૫૬} [અઝ્ ઝારિયાત: ૫૬]. આ જ ઈબાદતના કારણે અલ્લાહ એ ઇન્સાનો અને જિન્નોનું સર્જન કર્યું, તે તૌહીદ છે જે તેની ઇબાદતોનું સંયોજન છે, જેમકે નમાઝ, રોજા, ઝકાત, હજ, રુકૂઅ, સિજદો કરવો, તવાફ, કુરબાની, નઝર માનવી, ખોફ, ઉમ્મીદ, મદદ માંગવી, મુસીબતમાં અલ્લાહને પોકારવો, આશરો લેવો, અને દુઆના દરેક પ્રકાર, અને જે ઇબદાતના આ પ્રકારોનું અનુસરણ કરે છે ખરેખર તેણે અલ્લાહનું અનુસરણ કર્યું,અથવા તે દરેક આદેશોનું પાલન કરવું અને તે દરેક કાર્યોને છોડી દેવા જેનથી અલ્લાહ એ રોક્યા છે અને જેના પર તેની પવિત્ર કિતાબ અને અમાનતદાર રસૂલની સુન્નત વર્ણવે છે, અને ખરેખર અલ્લાહ એ દરેક બન્ને સર્જનને તેની જ ઈબાદત કરવાનો આદેશ આપ્યો જેના કારણે તેઓનું સર્જન કરવામાં આવ્યું, અને પયગંબરો ને મોકલવામાં આવ્યા, અને તે વાતન પુષ્ટિ માટે કિતાબો ઉતારવામાં આવી, અને તેને નિખાલસતા પૂર્વક નીભાવવાની દાવત આપવામાં આવી, જેમકે અલ્લાહ એ કહ્યું : {હે લોકો તે પાલનહાર ની ઇબાદત કરો જેણે તમને પેદા કર્યા અને તે લોકો ને પણ પેદા કર્યા જે તમારા થી પેહલા હતા જેથી તમે અલ્લાહ નો તકવો અપનાવો.૨૧} [અલ બકરહ: ૨૧]. અને અલ્લાહ -જે સર્વ શ્રેષ્ઠ છે- કહ્યું: {અને તમારા પાલનહાર એ નિર્ણય આપી દીધો છે કે ઈબાદત ફક્ત તેની જ કરો અને માતા પિતા સાથે સદ્ વર્તન કરો} [અલ્ ઇસ્રા: ૨૩]. આ આયતમાં કઝા નો અર્થ આદેશ અને વસિયત છે. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {તેઓને ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ફક્ત અલ્લાહની જ ઈબાદત કરે અને અને દીનને નિખાલસતા સાથે અપનાવે, (એકાંતમાં) નમાઝ કાયમ કરતા રહે, ઝકાત આપતા રહે, આ જ સાચો દીન છે.૫} [ અલ્ બય્યિનહ:૫]. અને આ વિશે કુરઆનમાં ઘણી આયતો છે, જેમકે અલ્લાહ -જે સર્વ શ્રેષ્ઠ છે- કહ્યું : {અને રસૂલ જે કઇ પણ તમને આપે તેને અપનાવી લો અને જેનાથી રોકે તેનાથી બચો, અને અલ્લાહ થી ડરો, નિઃશંક અલ્લાહ સખત સજા આપનાર છે} [અલ્ હશ્ર: ૭]. અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {હે ઈમામવાળાઓ! અલ્લાહ નું અનુસરણ કરો અને રસૂલ નું અનુસરણ કરો અને તમારામાંથી જેઓ આગેવાનો નું તેમનું, ફરી જો કોઈ વાતે મતભેદ થઇ જાય તો તેને અલ્લાહ અને તેના રસૂલ તરફ ફેરવી દો, જો અગર તમે અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવતા હોય, આ ઘણું જ ઉત્તમ છે અને પરિણામ પણ શ્રેષ્ઠ છે.૫૯} [અન્ નિસા: ૫૯]. અને અલ્લાહ-જે સર્વ શ્રેષ્ઠ છે- કહ્યું : {જેણે રસૂલ નું અનુસરણ કર્યું તેણે અલ્લાહ નું અનુસરણ કર્યું} [અન્ નિસા: ૮૦].
અને પવિત્ર અલ્લાહ એ કહ્યું : {અને દરેક કોમમાં એક પયગંબર મોકલ્યા, (જે તેઓને કહેતા હતા કે) અલ્લાહની ઈબાદત કરો અને તાગૂતથી બચો} [અન્ નહલ: ૩૬], અને પવિત્ર અલ્લાહ એ કહ્યું: { અને તમારાથી પહેલા જે રસૂલ પણ અમે મોકલ્યા, તેમની તરફ આ જ વહી કરતા રહ્યા કે મારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, બસ તમે ફક્ત મારી જ બંદગી કરો.૨૫ } [અલ્ અંબિયા: ૨૫], અને અલ્લાહ તઆલાએ કહ્યું : { અલિફ-લામ-રૉ, આ તે કિતાબ છે જેની આયાતો મુહકમ છે, જે હિકમતવાળા અને માહિતગાર પાલનહાર તરફથી વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવી છે. ૧} {એ કે અલ્લાહના સિવાય કોઈની પણ ઈબાદત ન કરો, નિઃશંક હું તે અલ્લાહ તરફથી અને ડરાવવાવાળો અને ખુશખબર આપવાનાર છું. ૨} [હૂદ: ૧-૨].
અને આ દરેક મુહકમ આયતો જે આના વિષે વર્ણન કરવામાં આવી છે જે અલ્લાહની કિતાબમાં છે તે દર્શાવે છે કે ઇબાદતને નિખાલસતા પૂર્વક ફક્ત અલ્લાહ માટે જ કરવામાં આવે, અને આજ સાચો દીન અને દિનનો પાયો છે, જેમકે જિન્નો અને માનવીઓ ને પેદા કરવાની આજ હિકમત છે અને આ જ કારણે પયગંબરોને મોકલવામાં આવ્યા અને કિતાબો ઉતારવામાં આવી; બસ દરેક મુસલમાનો પર જરૂરી છે કે તેઓ આ બાબતને ધ્યાનમાં રાખે અને તેણે સમજે,અને તેનથી હોશિયાર રહે જેમાં ઘણા મુસલામાનો સપડાયેલા છે,જેમાંથી પયગંબરો, સદાચારી લોકોના વિશે ગુલૂ કર્યું અને તેમની કબરો પર ઈમારતો બનવી અને મસ્જિદ, ગુંબજ બનાવ્યા અને તેમને મદદ માટે સવાલ કરવા લાગ્યા અને આશ્ચર્ય એ કે પોતાની જરૂરિયાતોનો સવાલ કરવા લાગ્યા,જેમકે આવનારી તકલીફો, બીમારીથી શિફા, અને દુશ્મનો પર વિજય મેળવવા માટે દુઆઓ કરવા લાગ્યા વગેરે જેવા શિર્ક અકબરના પ્રકારોને તેઓ અપનાવવા લાગ્યા, અને નબી ﷺ થી સહીહ સનદ સાથે સાબિત છે,અને તે વાતથી એકમત છે જેનો ઉલ્લેખ અલ્લાહની કિતાબમાં કરવામાં આવ્યો, પાસ તેને સહીહૈનમાં (બુખારી અને મુસ્લિમ) મુઆઝ રઝી થી રિવાયત છે કે નબી ﷺ એ તેમને કહ્યું : <<શું તમે જાણો છો કે બંદાના શિરે અલ્લાહનો હક શું છે? અને અલ્લાહના શિરે બંદાઓ નો શું હક છે? મુઆઝ રઝી. એ કહ્યું કે : મેં કહ્યું : અલ્લાહ અને તેના રસૂલ વધારે જાણે છે, તો નબી ﷺ એ કહ્યું :અલ્લાહનો હક બંદાઓ પર તે છે કે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવે, અને બંદાનો હક અલ્લાહ પર તે છે કે જે કોઈ તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવે તેને તે સજા ન આપે.>> [7]અલ્ હદીષ. અને સહીહ બુખારીમાં ઈબ્ને મસ્ઊદ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું : << કોઈ વ્યક્તિ તે સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો હતો તો તે જહંનમ માં જશે >> [૮] અને ઈમામ મુસ્લિમ રહ. એ પોતાની સહીહ માં જાબિર રઝી. ની રિવાયત વર્ણન કરી કે નબી ﷺ એ કહ્યું : << જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહંનમ માં દાખલ થશે>> [૯] આ વિશે ઘણી હદીષો છે, અને આ સમસ્યા ખૂબ જ અગત્યની છે જેના કારણે નબી ﷺ ને મોકલવામાં આવ્યા, જે પોતાની દાવત દ્વારા લોકોને તૌહીદ તરફ બોલાવતા રહ્યા અને શિર્ક થી ડરાવતા રહ્યા, બસ જ્યારે તેઓ પોતાની દાવત સાથે લોકો સમક્ષ ઉભા થયા તો તેમને ખૂબ જ ઇજા પહોંચાડવામાં આવી, બસ તેમણે સબર કરી તેમની સાથે તેમના સાથીઓ એ પણ સબર કરી અહીં સુધી સમગ્ર અરબમાથી મૂર્તિ પૂજા હટાવી દીધી, લોકો અલ્લાહના દીનમાં દાખલ થવા લાગ્યા, અને મૂર્તિઓને તોડી નાખવામાં આવી, અહીં સુધી કે જે કઅબહની અંદર હતી તેને પણ તોડી નાખવામાં આવી જે લાત, ઉઝ્ઝા, મનાત નામની દરેક મૂર્તિઓ જે અરબમાં હતી તેને તોડી નાખવામાં આવી અને અલ્લાહનો કલિમો પ્રબળ થયો અને સમગ્ર અરબમાં ઇસ્લામ જાહેર થઇ ગયો, ફરી મુસલમાનોએ અરબની બહાર દાવત અને જિહાદ કરવાનું ધ્યાન કેન્દ્રિત કર્યું, અને અલ્લાહ એ તેમના દ્વારા લોકો સુધી સાચું માર્ગદર્શન પહોંચાડયું, અને તેમના દ્વારા દુનિયાની અમુક જગ્યાઓ પર ઈન્સાફને પહોંચાડયો, એવી જ રીતે તેઓ માર્ગદર્શન આપનારા, સાચું બોલનારા અને ઈન્સાફ અને સુધારાના ઈમામ બની ગયા, અને તેઓ જે અલ્લાહનું અનુસરણ કરનારા ઈમામો હતા તેમનો માર્ગ અપનાવ્યો, જેઓ દીનને ફેલાવે છે, લોકોને અલ્લાહની તૌહીદ તરફ બોલાવે છે, અને પોતાના પ્રાણ અને માલ વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કરે છે, અને કોઈ નિંદા કરવાવાળાની નિંદાથી ડરતા નથી, બસ અલ્લાહ એ તેમનો સાથ આપ્યો અને તેમની મદદ કરી અને તે લોકો પર તેમને વિજય આપ્યો જેઓ તેમનો વિરોધ કરતા હતા અને જે વાયદો અલ્લાહ એ કર્યો હતો તે પૂરો કર્યો, બસ પવિત્ર અલ્લાહ એ કહ્યું : {હે ઈમાનવાળાઓ ! જો તમે અલ્લાહના (દિનની) મદદ કરશો તો અલ્લાહ તમારી મદદ કરશે અને તમારા ડગલાને (જમીનમાં) મજબૂત કરી દેશે. ૭} [મુહમ્મદ: ૭] . અને અલ્લાહ -જે સર્વ શ્રેષ્ઠ છે- કહ્યું: {અને અલ્લાહ તે વ્યક્તિની જરૂર મદદ કરશે જે અલ્લાહના (દિનની) મદદ કરશે, નિઃશંક અલ્લાહ ખુબ જ તાકાતવાળો અને પ્રબળ છે. ૪૦ (અલ્લાહના દિનની મદદ કરવાવાળા) તે લોકો છે જેને અમે જમીનમાં સરદાર બનાવીએ તો તે નમાઝ કાયમ કરશે, ઝકાત આપશે, અને નેક કાર્યોનો આદેશ આપશે અને ખરાબ કાર્યોથી અટકાવશે, અને દરેક કાર્યોનું પરિણામ તો અલ્લાહ પાસે છે. ૪૧} [અલ્ હજ્જ :૪૦-૪૧]. ત્યાર બાદ લોકો બદલાઈ ગયા, અને જૂથોમાં વહેંચાઈ ગયા, અને જિહાદ પ્રત્યે સુસ્ત થઇ ગયા, અને આરામ પસંદ બની ગયા, અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરવા લાગ્યા, તેમનામાં ગૂનો સામાન્ય બની ગયો, બસ અલ્લાહ એ પણ તેમની સ્થિતી બદલી નાખી અને તેમના પર તેઓના દુશ્મનો ને હાવી કરી દીધા, અને આ તે કાર્યોનું પરિણામ હતું જે તેઓ કરતા હતા, અને તમારો પાલનહાર તો પોતાના બંદાઓ પર જુલમ કરનારો નથી, અલ્લાહ એ કહ્યું : {આ એટલા માટે કે અલ્લાહ તઆલા એવો નથી કે કોઇ કોમ પર કોઇ નેઅમત આપ્યા પછી તેને છીનવી લે, ત્યાં સુધી કે તે લોકો પોતે પોતાની સ્થિતિની ન બદલી લે, જે તેમની હતી} [અલ્ અન્ફાલ:૫૩]. બસ દરેક મુસલમાન પર જરૂરી છે કે તે અલ્લાહ તરફ પાછો ફરે અને તેની ઈબાદતને નિખાલસતા પુર્વક કરે, અને જે કઇ પણ તેનાથી ગુના થયા છે તેની અલ્લાહ સમક્ષ માફી માંગે, અને તે કાર્યો કરે જેનો અલ્લાહ એ આદેશ આપ્યો છે અને તેનાથી બચી ને રહે જેનાથી રોકવામાં આવ્યા છે, અને એક બીજા સાથે વાતચીત કરવામાં અને કાર્યોમાં મદદ કરે. [2] બુખારી: અલ્ ઈસ્તિઝાન(૫૯૧૨), મુસ્લિમ: અલ્ ઈમાન (૩૦), અત્ તિર્મિઝી :અલ્ ઈમાન: (૨૬૪૩), ઈબ્ને માજહ: અઝ્ ઝુહદ (૪૨૯૬), અહમદ :(૫/૨૩૮). [૮] બુખારી : તફસીરુલ કુરઆન (૪૨૨૭),મુસ્લિમ: અલ્ ઈમાન (૯૨),અહમદ (૧/૩૭૪). [૯] બુખારી :અલ્ ઈલ્મ (૧૨૯),મુસ્લિમ :અલ્ ઈમાન (૩૨),અહમદ (૩/૧૫૭)
તેમાંથી સૌથી અગત્યની વાત એ કે શરીઅતના સિદ્ધાંતોનું અનુસરણ કરવામાં આવે, અને લોકો વચ્ચે તેને લાગુ પાડવામાં આવે, અને માનવીએ બનાવેલા સિદ્ધાંતો જે અલ્લાહના સિદ્ધાંતો વિરુદ્ધ હોય તેને ન અપનવવા,અને શાસકોને શરીઅત પ્રમાણે શાસન કરવાનો આગ્રહ કરવો, અને આલિમો માટે અત્યંત જરૂરી છે તેઓ લોકોને ઈસ્લામની શિક્ષા આપે, તેમનામાં ઈસ્લામ પ્રત્યે બેદારી લાવે, અને હક અને સબરનો આદેશ આપે અને સત્કાર્યો તરફ બોલાવે અને ખરાબ કાર્યોથી રોકે અને પોતે ખૂબ ધીરજ રાખે, અને શાસકોને પણ આ વિશે પ્રોત્સાહન આપે, અને સમાજવાદના વિનાશક નિયમો, બાથવાદ અને તે સંપ્રદાયો જે શરીઅત વિરુદ્ધ હોય તે સિદ્ધાંતો વિરુદ્ધ લડવું જરૂરી છે, જેથી અલ્લાહ તે મુસલમાનોમાં સુધારો લાવે છે જે લોકોએ પદભ્રષ્ટ થયેલા છે, અલ્લાહ તેમની તેમના દુશ્મનો વિરુદ્ધ તેમની મદદ કરે છે, અને જમીનમાં તેઓને મજબૂત કરે છે, જેમકે અલ્લાહ એ કહ્યું અને તે કહેવાવાળાઓ માં સૌથી સાચો છે : {અમારા માટે ઈમાનવાળાઓની મદદ કરવી જરૂરી છે.} [અર્ રૂમ : ૪૭]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: {તમારા માંથી તે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કર્યા છે, અલ્લાહ તઆલા વચન આપી ચૂક્યો છે કે તેમને જરૂર ધરતીમાં નાયબ (સરદાર) બનાવશે, જેવી રીતે કે તે લોકોને નાયબ બનાવ્યા હતાં, જેઓ તેમના કરતા પહેલા હતાં અને ખરેખર તેમના માટે તે દીનને મજબૂત કરી દેશે, જે દીન તેમના માટે તેણે પસંદ કર્યો છે. અને તેમના ભયને શાંતિમાં બદલી નાખશે, તેઓ મારી બંદગી કરશે, મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ત્યાર પછી પણ જે લોકો કૃતઘ્ની અને ઇન્કાર કરનારા બને, તે ખરેખર વિદ્રોહી છે.૫૫} [અન્ નૂર :૫૫]. અને પવિત્ર અલ્લાહ એ કહ્યું: {નિ:શંક અમે પોતાના પયગંબરોની અને ઈમાનવાળાઓની મદદ દુનિયાના જીવનમાં પણ કરીશું અને તે દિવસે પણ, જ્યારે સાક્ષી આપનારા ઊભા થશે.૫૧} [ગાફિર :૫૧]. {જે દિવસે અત્યાચારીઓને તેમની માફીનું બહાનું કંઈ ફાયદો નહીં પહોંચાડે, તેમના માટે લાઅનત જ હશે અને તેમના માટે ખરાબ ઘર હશે.૫૨} [ગાફિર :૫૨].
અને અલ્લાહ જે પવિત્ર છે મુસલમાનો ના આગેવાનો અને સામાન્ય લોકોને સુધારવા માટે જવાબદાર છે, તેમને દીનની સમજ આપવા માટે, અને તેમને તકવા પર કાયમ રાખવા માટે, અને દરેકને સત્ય માર્ગે લાવવા માટે, અને તેમને હક દ્વારા સમર્થન આપવા, અને વિદ્રોહીઓને નીચા પાડવા, અને તે દરેકને સત્કાર્યો અને તકવા પર એકબીજાની મદદ કરવા અને હક અને ધીરજની પ્રેરણા આપવા કારણકે તે તેમનો વાલી અને કુદરત ધરાવનાર છે, અને દરૂદ અને સલામતી તેના બંદા અને રસૂલ પર, જે તેના સર્જનમાં સૌથી શ્રેષ્ઠ, આપણાં નબી, ઈમામ મોહંમદ બિન અબ્દુલ્લાહ માટે અને તેમના સંતાનો અને અને તેમના સાથીઓ જેઓ તેમની હિદાયત પર હતા _ વસ્સલામુ અલય્કુમ વરહમતુલ્લાહિ વબરકાતુહૂ