المختصر المفيد للمؤذن والإمام والخطيب وأحكام المساجد

المختصر المفيد للمؤذن والإمام والخطيب وأحكام المساجد

كتاب "المختصر المفيد للمؤذن والإمام والخطيب وأحكام المساجد" يتناول مسؤوليات المؤذن والإمام والخطيب وأحكام الأذان والإقامة وصلاة الجمعة وأحكام المساجد. يوضح الكتاب تعريف الأذان والإقامة وحكمهما وفضلهما، كما يبين الصفات المطلوبة في المؤذن والشروط اللازمة لصحة الأذان والإقامة. بالإضافة إلى ذلك يستعرض الكتاب أحكام الإمامة، ومشروعيتها وفضلها، وشروط وصفات الإمام، مع التركيز على أهمية العلم والخلق في من يتولى هذه الوظيفة الشرعية.

Language: lang_gu
Prepared by: અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક કન્ટેન દર્શાવતી સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ
Version: 2.1
Translations 30
Afrikanns Assamese Azerbaijani Bengali +26
Attachments 7
PDF
Audio
Video
+3

મુઅઝ્ઝિન, ઇમામ અને ખતીબ માટે તેમજ મસ્જિદના આદેશો માટે ફાયદાકારક સારાંશ

અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક કન્ટેન દર્શાવતી વૈજ્ઞાનિક સમિતિ

દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, અમે તેની જ પ્રશંસા કરીએ છીએ અને તેની પાસે જ માફી માંગીએ છીએ અને પોતાના નફસ અને કાર્યોની બુરાઈથી પનાહ માંગીએ છીએ, જે વ્યક્તિને અલ્લાહએ હિદાયત આપી તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું, અને જેને અલ્લાહએ પથભ્રષ્ટ કરી દીધો તેને કોઈ હિદાયત આપી શકતું નથી, અને હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈલાહ નથી તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, તેમના પર અને તેમની સંતાન અને તેમના સાથીઓ અને જેણે કયામત સુધી તેમનું સારી રીતે અનુસરણ કર્યું દરૂદ અને સલામતી ઉતરે.

ત્યારબાદ: લોકોને પોતાની સ્થિતિ શ્રેષ્ઠ બનાવવા માટે કંઈકને કઈકની સતત જરૂરત હતી, એટલા માટે શરીઅત તેના માટે લાવવામાં આવી, જેમાં અઝાન, ઈકામત, નમાઝ કાયમ કરવી, લોકો માટે ઇમામત કરાવવી, શુક્રવારનો ખુતબો અને મસ્જિદના આદેશોનો પણ સમાવેશ થાય છે, મસ્જિદના મુઅઝ્ઝિન, ઇમામ અને શુક્રવારે ખતીબની જવાબદારી ઘણી મોટી છે, એટલા માટે અમોએ આ વિશે કિતાબ તૈયાર કરવાની ઈચ્છા દર્શાવી, જેનો વિષય રાખ્યો (મુઅઝ્ઝિન, ઇમામ અને ખતીબ માટે તેમજ મસ્જિદના આદેશો માટે એક ફાયદાકારક સારાંશ). જેનું ભાષાતર ઘણી ભાષાઓમાં કરવામાં આવે.

પહેલું પ્રકરણ: અઝાન અને ઈકામતના આદેશો

અઝાન ઇસ્લામ તેમજ તેનું અનુસરણ કરનાર માટે એક નિશાની છે, જેવું કે તેના દ્વારા દિવસ અને રાત દરમિયાન પાંચ વખત અવાજ લગાવવામાં આવે છે, અને આલિમોએ અઝાન, તેના આદેશો, સુન્નતો, તેને લગતા મુસ્તહબ (યોગ્ય) અને અવૈધ કાર્યો બાબતે પોતાની પુસ્તકોમાં લખ્યું છે, જે આ ઈબાદતની મહાનતા અને મહત્ત્વતા દર્શાવે છે[૧]). [૧] જુઓ: ફત્હુલ મુનઈમ શર્હ સહીહ મુસ્લિમ: (૨/ ૪૬૦).

પહેલો વિષય: અઝાન અને ઈકામતની વ્યાખ્યા

અઝાનનો કાયદાકીય અર્થ: નમાઝનો સમય થઇ જવા પર આપવામાં આવતી સૂચના, જે શરીઅતે ખાસ અને નક્કી કરેલ શબ્દો દ્વારા જાહેર કરવામાં આવે છે ([૨]). () જુઓ: અલ્ મુગ્નિ લિ ઈબ્ને કુદામહ: ૨૯૨/૧, અને મુખતારુસ્ સિહાહ: પેજ નંબર: ૧૬- મૂળ શબ્દો અલિફ, ઝાલ અને નૂન, વલ્ અઝાનુ વલ્ ઈકામતુ લિલ્ કહતાની: પેજ નબર: ૫.

ઈકામતનો કાયદાકીય અર્થ: નમાઝ માટે ઉભા થવાની સૂચના આપવી, શરીઅતે ખાસ કરેલ ઝિક્ર દ્વારા ([૩]). () જુઓ: કશ્શાફુલ્ કિનાઅ: ૧/૨૩૦.

બીજો વિષય: અઝાન અને ઈકામતનો આદેશ

અઝાન અને ઈકામત બન્ને કુરઆન, સુન્નત અને ઇજમાઅ (આલિમોની સર્વસંમતિ) દ્વારા સાબિત છે.

કુરઆન મજીદની દલીલ: તેમાં અલ્લાહ તઆલાએ કહ્યું: {અને જ્યારે તમે નમાઝ માટે પોકારો છો તો તેઓ તેને ઠઠ્ઠામશ્કરી અને રમત બનાવી લે છે, તેનું કારણ એ છે કે તેઓ મૂર્ખ લોકો છે. 58} [અલ્ માઇદહ: ૫૮].

સુન્નતથી દલીલ: ઘણી હદીષો અઝાન બાબતે પુષ્ટિ કરે છે, જેમાંથી:

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે મુસલમાનો હિજરત કરી મદીના પહોંચ્યા, તો એક સમય નક્કી કરી નમાઝ પઢવા માટે આવતા હતા, પરંતુ તેના માટે અઝાન આપવામાં આવતી ન હતી, એક દિવસ આ બાબતે મશવરો થયો, એકે કહ્યું: નસારાની જેમ એક ઘંટ લઈ લેવામાં આવે, કેટલાકે કહ્યું: યહૂદીની જેમ એક શિંગડા માફક વસ્તુ લઈ લેવી જોઈએ, ઉમર અલ્લાહુ અન્હુએ કહ્યું: એક વ્યક્તિને લોકોને નમાઝના સમયની જાણ કરવા માટે મોકલી દેવામાં આવે? તો અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «હે બિલાલ ! ઉભા થાઓ, અને નમાઝ માટે અઝાન આપો» () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૦૪, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૭૭.

હવે ઇજમાઅની દલીલ; ખરેખર ઉમ્મતનો આ પાંચ નમાઝો માટે (અઝાન બાબતે) જાઈઝ હોવા પર ઈજમાઅ (સર્વસંમતિ) દર્શાવી છે.

ઇમામ ઈબ્ને કુદામહ અલ્ મકદસી રહિમહુલ્લાહએ કહ્યું: "પાંચ વખતની નમાઝ માટે અઝાન પણ શરીઅતનો જ આદેશ છે, આ વાત પર ઉમ્મતનો ઇજમાઅ છે"([૫]). () અલ્ મુગ્ની: ૧/૨૯૩.

અઝાન અને ઈકામત પુરુષો માટે પાંચેય નમાઝમાં ફર્ઝે કિફાયા છે, સફરમાં હોય કે ન હોય; માલિક બિન હુવૈરિષ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ પ્રમાણે, આપ ﷺએ કહ્યું: «જ્યારે નમાઝનો સમય થઈ જાય તો તમારા માંથી કોઈ અઝાન આપે અને જે વડીલ હોય તે ઇમામત કરાવે» ([૬]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૨૮, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૭૪.

બન્ને ઇસ્લામની જાહેર નિશાનીઓ માંથી છે તેને છોડવું યોગ્ય નથી.

જ્યાં સુધી સ્ત્રીઓનો સવાલ છે, તો તેમના માટે અઝાન અને ઈકામત આપવી મશરુઅ (શરીઅતનો આદેશ) નથી, ભલેને તે એકલી નમાઝ પઢતી હોય, કે જમાઅત કરી પઢતી હોય ([૭]). () શરહુલ્ ઉમદહ લિ ઈબ્ને તૈમિય્યહ - કિતાબુસ્ સલાહ- પેજ નંબર: ૧૦૧.

ત્રીજો વિષય: અઝાન અને ઈકામત આપવાની મહત્ત્વતા.

અઝાન અને ઈકામત વિશે ઘણી મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, જેમાંથી કેટલીક નીચે પ્રમાણે છે:

અઝાન આપનાર અલ્લાહ તરફથી પ્રચારક કરનાર માંથી એક પ્રચારક છે, અને તે લોકો કરતા સૌથી શ્રેષ્ઠ વાત કરનાર છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {અને તેના કરતાં વધારે ઉત્તમ વાત કોની હોઇ શકે છે, જે અલ્લાહ તરફ બોલાવે અને સત્કાર્યો કરે અને કહે, કે ખરેખર હું મુસલમાનો માંથી છું.33}. [ફુસ્સિલત: ૩૩].

અઝાન આપનારની ગરદન કયામતના દિવસે સૌથી લાંબી હશે; મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે આપ ﷺને કહેતા સાંભળ્યા: «કયામતના દિવસે અઝાન આપનારની ગરદન સૌથી લાંબી હશે» ([૮]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે) એ રીવાયત કરી છે, હદીષ નંબર:૩૮૭.

અઝાન અને ઈકામત શેતાનને દુર કરે છે; અબૂ હુરેરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જ્યારે નમાઝ માટે અઝાન આપવામાં આવે છે, તો શૈતાન હવા છોડતા ભાગે છે, જ્યાં સુધી અઝાનનો અવાજ ન સંભળાય ત્યાં સુધી, જ્યારે અઝાન પુરી થઈ જાય તો ફરી આવી જાય છે, પછી જ્યારે નમાઝ માટે તકબીર કહેવામાં આવે છે, તો ફરી પીઠ બતાવી ભાગી જાય છે, જ્યારે ઈકામત પુરી થઈ જાય તો ફરી આવી જાય છે, જેથી તે માનવીના દિલમાં વસવસો નાખે, તે કહે છે: ફલાણી વસ્તુને યાદ કરો ફલાણી વસ્તુને યાદ કરો, તે વસ્તુઓ યાદ અપાવે છે, જે તેને પહેલા યાદ ન હતી, અહીં સુધી કે નમાઝ પઢનારની સ્થિતિ એવી થઈ જાય છે કે તે ભૂલી જાય છે કે તેણે કેટલી નમાઝ પઢી છે» ([૯]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૨૨૨, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૮૯.

મુઅઝ્ઝિનની વાતની સાક્ષી તે દરેક વસ્તુ આપે છે, જે તેની અઝાન સાંભળે છે; અબ્દુલ્લાહ બિન અબ્દુર્ રહમાન અલ્ અન્સારી રિવાયત કરે છે કે અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ તેમને કહ્યું: હું જોઉં છું કે તમને બકરીઓ સાથે અને જંગલમાં રહેવું પસંદ છે, એટલા માટે જ્યારે તમે પોતાની બકરીઓ સાથે હોવ અથવા જંગલમાં હોવ અને નમાઝ માટે અઝાન આપો તો ઊંચા અવાજે અઝાન આપો, કારણકે: «મુઅઝ્ઝિનના અવાજને જિન હોય અથવા માનવી અથવા કોઈ પણ વસ્તુ નથી સાંભળતું, [પરંતુ તે કયામતના દિવસે તેની સાક્ષી આપશે» અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ વાત મેં આપ ﷺ થી સાંભળી છે. ([૧૦]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૦૯.

જો લોકોને અઝાનની સાચી મહત્ત્વતા ખબર હોત, તો તેઓ જરૂર તેમાં પહેલ કરતા, અર્થાત્: તેઓ અંદરો અંદરો પોતાના નામની ચિઠ્ઠી બનાવી ફેકતા, જેવું કે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જો લોકો જાણી લે કે અઝાન આપવાનો અને પહેલી સફમાં નમાઝ પઢવાનો સવાબ કેટલો છે, તો તેમની પાસે ચિઠ્ઠીમાં (નામ લખી જેનું નામ આવે તે અઝાન આપે અને તે જ પહેલી સફમાં નમાઝ પણ પઢે) તે સિવાય અન્ય કોઈ માર્ગ ન હોત» ([૧૧]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૧૫, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૭.

જ્યાં સુધી અઝાનનો અવાજ પહોંચે છે, ત્યાં સુધી મુઅઝ્ઝિનના ગુનાહોને માફ કરી દેવામાં આવે છે, જે કોઈ તેનો અવાજ સાંભળશે, તે જાનવર હોય કે અન્ય કોઈ, તે તેની સત્યતાની ગવાહી આપશે, તેને પણ તે જ સવાબ મળશે, જે તેની સાથે નમાઝ પઢવાવાળાને મળે છે, કારણકે બીજાને નેકી તરફ માર્ગદર્શન આપનાર નેકી કરનાર જેમ જ ગણવામાં આવશે, બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું: «નિઃશંક અલ્લાહ અને તેના ફરિશ્તા પહેલી સફમાં નમાઝ પઢવા પર દરુદ મોકલે છે, (અર્થાત્ તેમના માટે દુઆ કરે છે) અને મુઅઝ્ઝિનને જ્યાં સુધી તેનો અવાજ પહોંચશે, તેને માફ કરી દેવામાં આવશે, અને જે પણ સૂકી અથવા ભીની જગ્યા પર તેનો અવાજ સાંભળે છે, તે તેની પુષ્ટિ કરે છે, અને તેને તે લોકોનો પણ સવાબ મળે છે, જે તેની સાથે નમાઝ પઢે છે» ([૧૨]). () આ હદીષને ઇમામ અહમદે: ૧૮૫૦૬, ઇમામ નસાઈ: ૬૪૬, રિવાયત કરી છે, તદગીબ અને તરહીબમાં ઇમામ મુન્ઝિરીએ કહ્યું: (૧/૧૭૬): આ હદીષનો દરજ્જો હસન જય્યિદ દરજાનો છે, ઇબ્નુલ્ મુલક્કિને અલ્ બદરુલ્ મુનીરમાં કહ્યું (૩/૩૮૫): આ હદીષનો દરજ્જો જય્યિદ છે.

ખરેખર અઝાન ઇસ્લામની ભવ્ય નિશાનીઓ માંથી એક છે, જે કાફિરોના શહેર તેમજ ઇસ્લામી શહેર વચ્ચે તફાવત કરે છે, ઇમામ બુખારી રહિમહુલ્લાહએ પોતાની સહીહમાં એક વિષયનું નામ જ આપ્યું છે, "અઝાન સાંભળી યુદ્ધ રોકી દેવું" પછી તેઓએ અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુની આ હદીષ વર્ણન કરી: જ્યારે આપ ﷺ જિહાદ માટે અમને કોઈ જગ્યાએ લઈ જતા, તો તરત જ હમલો નહતા કરતા, સવાર થવાની રાહ જોતા અને જો અઝાનનો અવાજ સાંભળી લેતા, તો હમલો કરવાનું ટાળી દેતા, અને જો અઝાનનો અવાજ ન સંભળાય તો પછી હમલો કરી દેતા([૧૩]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૧૦, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૮૨.

ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે અઝાન તે ઇસ્લામ દીનની ભવ્ય નિશાનિઓ માંથી એક છે, એટલા માટે આ આદેશ વાજિબ (અનિવાર્ય) છે, તેને છોડવામાં ન આવે, જો કોઈ કોમ અઝાન ન કરવા પર ખુશ થાય અને અઝાન આપવાનો ઇન્કાર કરી દે, તો હાકિમને તેમની સાથે યુદ્ધ કરવાનું યોગ્ય ગણાશે ([૧૪]). () એઅલામુલ્ હદીષ શરહ સહીહ બુખારી: ૧/૪૬૦.

ચોથું પ્રકરણ: અઝાન અને ઈકામતને યોગ્ય હોવાની શરતો.

૧- મુસલમાન હોવું: કાફિર માટે અઝાન અને ઈકામત આપવી યોગ્ય નથી; કારણકે બન્ને ઈબાદત છે અને કાફિર દ્વારા કરવામાં આવતી ઈબાદત યોગ્ય નહીં ગણાય.

૨- બુદ્ધિ: પાગલ, નશાખોર અને એવું બાળક જેને હજુ સમજ નથી, તેમના તરફથી આપવામાં આવતી અઝાન અને ઈકામત પણ યોગ્ય નથી, જેવું કે દરેક ઈબાદતો.

૩- નિયત: તેના વગર બન્ને ઈબાદત યોગ્ય નથી; કારણકે બન્ને ઈબાદત માંથી છે, અને ઈબાદત નિયત વગર યોગ્ય નથી, કારણકે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «દરેક કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તે જ મળે છે જેની તે નિયત કરે છે» ([૧૫]). () આ હદીષ ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૯૦૭, ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ દ્વારા હદીષ રિવાયત કરી છે.

૪- પુરુષ હોવું: સ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલ અઝાન અને ઈકામત ગણવામાં નથી આવે.

૫- નમાઝના સમયે જ અઝાન આપવામાં આવે: નમાઝના સમય પહેલા આપવામાં આવતી અઝાન યોગ્ય ગણવામાં નહીં આવે; માલિક બિન હુવૈરિષ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ, જેમાં આપ ﷺએ કહ્યું: «... જ્યારે નમાઝનો સમય થઈ જાય તો તમારા માંથી એક વ્યક્તિ અઝાન આપે, અને તમારા માંથી જે વડીલ હોય તે ઇમામત કરાવે» ([૧૬]), અઝાન નમાઝના સમય ઉપર આધારિત છે, નમાઝનો સમય થાય પછી જ અઝાન આપવામાં આવશે, અને ઈકામત જ્યારે કોઈ નમાઝ પઢવા ઉભો થાય ત્યારે જ ઈકામત કહેવામાં આવશે. () આ હદીષ ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૨૮, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૭૪.

૬- અઝાન અને ઈકામત બન્ને તરતીબથી જ આપવામાં આવે: તરતીબ એટલે: અઝાન અને ઈકામત માટે મુઅઝ્ઝિન તે જ શબ્દોનો ઉલ્લેખ કરશે, જે શરીઅતે (કુરઆન અને હદીષ)માં અઝાન અને ઈકામત માટે વર્ણન થયા છે, કોઈ શબ્દને આગળ પાછળ કર્યા વગર અથવા અન્ય શબ્દનો ઉલ્લેખ કર્યા વગર; કારણકે અઝાન ઈબાદત છે, અને ઈબાદત તે જ પ્રમાણે કરવામાં આવશે, જે પ્રમાણે વર્ણન થઈ છે, જેવું કે આપ ﷺએ કહ્યું: «જે કોઈ વ્યક્તિ દીન બાબતે કોઈ નવી વાત કહેશે, જે તેમાં નથી, તો તેની તે વાત માન્ય નહીં ગણાય» ([૧૭]). () આ હદીષ ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૬૯૭, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૭૧૮, આયશા રઝી અલ્લાહુ અન્હા દ્વારા રિવાયત કરવામાં આવી છે.

૭- અઝાન અને ઈકામત સંળગ હોવી જોઈએ ,અર્થાત્ વચ્ચે વિક્ષેપ ન હોવો જોઈએ, અઝાન અને ઈકામત કરતી વખતે કોઈ અંતર ન હોવું જોઈએ, અથવા એક લાંબો સમયગાળો ન હોવો જોઈએ.

૮- અઝાન અને ઈકામત બન્ને અરબી ભાષામાં કહેવામાં આવશે, અને તે જ શબ્દો દ્વારા જે સુન્નતમાં વર્ણન થયા છે, તેમજ અર્થને વિકૃત કરતી ધૂનથી સુરક્ષિત હોવી જોઈએ.

અઝાન ઊંચા અવાજે કહેવામાં આવે; કારણે જો મુઅઝ્ઝિન ધીમા અવાજે અઝાન આપશે તો તેના સિવાય કોઈ અઝાન સાંભળી નહીં શકે, અને અઝાન આપવાનો જે મકસદ શરીઅતે વર્ણન કર્યો છે તે પૂરો નહીં થાય; આપ ﷺએ કહ્યું: «તમારા માંથી કોઈ અઝાન આપે» ([૧૮]), અઝાન આપતી વખતે બુલંદ અવાજ તરફ ઈશારો કરવામાં આવ્યો છે, જેથી અન્ય લોકો સાંભળી શકે, અને અઝાનનો અવાજ સાંભળી શકાય, જો મુઅઝ્ઝિન પોતાના માટે અથવા પોતાના સાથી માટે અઝાન આપી રહ્યો હોય તો તેના માટે જરૂરી નથી કે તે ઊંચા અવાજે અઝાન આપે, પરંતુ તેના માટે એટલો અવાજ બુલંદ કરવો જરૂરી છે કે તે અને તેનો સાથી યોગ્ય રીતે અઝાન સાંભળી શકે, પરંતુ બુલંદ અવાજે અઝાન કહેવી શ્રેષ્ઠ છે, અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુની હદીષ, જેમાં નબી ﷺએ કહ્યું: «... હું જોઉં છું કે તમને બકરીઓ સાથે અને જંગલમાં રહેવું પસંદ છે, એટલા માટે જ્યારે તમે પોતાની બકરીઓ સાથે હોવ અથવા જંગલમાં હોવ અને નમાઝ માટે અઝાન આપો તો ઊંચા અવાજે અઝાન આપો એટલા માટે કે જિન્નાત અને માનવીઓ જો કે દરેક વસ્તુ, જે અઝાનનો અવાજ સાંભળશે, તે કયામતના દિવસે ગવાહી આપશે» ([૧૯]). () આ હદીષની તખરીજ આગળ વર્ણન થઈ ચૂકી છે. () આ હદીષની તખરીજ આગળ વર્ણન થઈ ચૂકી છે.

પાચમું પ્રકરણ: મુઅઝ્ઝિનના જરૂરી લક્ષણો:

૧- દીનદારી તેમજ સાચું બોલવામાં જાણીતા હોવા જોઈએ; કારણકે આપ ﷺએ કહ્યું: ઇમામ નમાઝ પઢનારની નમાઝનો જવાબદાર છે અને મુઅઝ્ઝિન અઝાનનો જવાબદાર છે, હે અલ્લાહ ! તું ઇમામોને સત્યમાર્ગ પર જમાવી દે અને મુઅઝ્ઝિનોને માફ કરી દે. ([૨૦]) મુઅઝ્ઝિન નમાઝ અને રોઝાના સમય માટે અઝાનનો જવાબદાર છે અને આ જવાબદારી ફક્ત એક ન્યાયી વ્યક્તિ જ પુરી શકે છે, માટે મુઅઝ્ઝિન કોઈ વિદ્રોહી નથી હોઈ શકતો અને ન તો કોઈ જાહેરમાં ગુનાહ કરવાવાળો અને ન તો બેપરવા હોઈ શકે છે. () આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૧૭, અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૦૭.

૨- તે વ્યક્તિ બાલિગ (પુખ્તવય) હોય; કારણકે બાલિગની અઝાન સંપૂર્ણ હોય છે, અને સમજદાર બાળકની અઝાન યોગ્ય છે, જ્યારે તે નમાઝના સમયમાં અઝાન આપે, તો તેની અઝાન પૂરતી છે; કારણકે તે અઝાન વડે નમાઝના સમયની જાણ આપી રહ્યો છે.

૩- મુઅઝ્ઝિનને નમાઝના સમયની જાણ હોવી જોઈએ, જેથી તે જવાબદારી સમયસર પુરી કરી શકે, અને અવ્વલ (પ્રથમ) સમયમાં અઝાન આપી શકે, જો તેને જાણ નહીં હોય, તો ભૂલ થવાની શકયતા વધી જશે.

૪- બુલંદ અને મજબૂત અવાજ હોવો જોઈએ; અબ્દુલ્લાહ બિન ઝેદ રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે કે અઝાનના સપના વાળી હદીષ પ્રમાણે, અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «આ સપનું તદ્દન સાચું છે, તમે ઉઠો, બિલાલ પાસે જાઓ તેમનો અવાજ તમારા અવાજ કરતા બુલંદ અને ઊંચો છે, જે તમને દેખાડવામાં આવ્યું છે તે તેમને કહો, તેઓ તે શબ્દો ઊંચા અવાજે કહેશે» ([૨૧]), અર્થાત્: «તેમનો અવાજ તમારા અવાજ કરતા બુલંદ અને ઊંચો છે» અર્થાત્: તેમનો અવાજ ખૂબ બુલંદ છે, આ શબ્દ વાતની પુષ્ટિ કરે છે કે મુઅઝ્ઝિનનો અવાજ બુલંદ અને લાંબો હોવો જોઈએ; જે અઝાન વધુ લોકો સુધી પહોંચવામાં મદદરૂપ થાય([૨૨)]. () આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૮૯, અને કહ્યું કે આ હદીષ હસન સહીહ દરજ્જાની છે . () જુઓ: તોહ્ફતુલ્ અહ્વઝી: ૧/૪૮૧.

૫- મુઅઝ્ઝિનનો અવાજ સુંદર હોવો જોઈએ; આગળ અબ્દુલ્લાહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હાની હદીષ વર્ણન થઈ ચૂકી છે, જેમાં આપ ﷺએ કહ્યું: «તેમનો અવાજ તમારા અવાજ કરતા બુલંદ અને ઉંચો છે» , અર્થાત્: સુંદર અને મીઠો અવાજ.

૬- નાની તેમજ મોટી ગંદકીથી પાક હોય; કારણકે અઝાન અને ઈકામત બન્ને અલ્લાહના ઝિક્ર માંથી છે, ઝિક્ર કરનાર માટે મુસ્તહબ છે કે તે પાક સાફની સ્થિતિમાં ઝિક્ર કરે.

૭- તે ઉભો રહી અઝાન આપે; કારણકે આપ ﷺનું વર્ણન છે: «હે બિલાલ ! ઉભા થાઓ, અને નમાઝ માટે અઝાન આપો» ([૨૩]), ઈમામ ઈબ્ને મુન્ઝિર રહિમહુલ્લાહએ કહ્યું: "એ વાત પર ઇજમાઅ છે, અને સુન્નત તરીકો એ છે કે મુઅઝ્ઝિન અઝાન આપતી વખતે ઉભો રહી અઝાન આપે" ([૨૪]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૦૪, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૭૭, આ હદીષ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા દ્વારા રિવાયત કરવામાં આવી છે. () અલ્ ઇજમાઅ લિ ઈબ્ને મુન્ઝિર: પેજ નંબર: ૩૮.

૮- કિબ્લા તરફ મોઢું કરી અઝાન આપવી જોઈએ; અબ્દુલ્લાહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હાની અઝાન બાબતે સપના વાળી હદીષો માંથી એક હદીષમાં આપ ﷺએ વર્ણન કર્યું: «કિબ્લા તરફ મોઢું કરો, અને કહો : અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર....»([૨૫]), ઈમામ ઈબ્ને મુન્ઝિર રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "એ વાત પર ઇજમાઅ છે અને સુન્નત તરીકો એ છે કે અઝાન આપતી વખતે કિબ્લા તરફ મોઢું કરી ઉભા રહેવું જોઈએ. ([૨૬]). () આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૦૭. () અલ્ ઇજમાઅ લિ ઈબ્ને મુન્ઝિર: પેજ નંબર: ૩૮.

૯- શહાદતની બન્ને આંગળીઓ કાનમાં નાખવી; કારણકે બિલાલ રઝી અલ્લાહુ અનહુએ આપ ﷺની હાજરીમાં અઝાન આપતા આ પ્રમાણે કર્યું, અબૂ જુહૈફહ રઝી અલ્લાહુ અનહુએ કહ્યું: મેં બિલાલને અઝાન આપતા જોયા, તેઓ પોતાનો ચહેરો આજુબાજુ ફેરવી રહ્યા હતા, અને પોતાની બન્ને આંગળીઓ બન્ને કાનમાં નાખી હતી, અને આપ ﷺએ લાલ રંગના ગુંબજમાં હતા... ([૨૭]). () આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૯૭, અને કહ્યું કે આ હદીષ હસન સહીહ દરજ્જાની છે, મૂળ આ હદીષ સહીહ બુખારીમાં છે, હદીષ નંબર: ૬૩૪: જુહૈફહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ પોતાના પિતાથી રિવાયત કરે છે કે બિલાલ રઝી અલ્લાહુ અન્હુને તેમણે અઝાન આપતી વખતે જમણી અને ડાબી બાજુ મોઢું ફેરવતા જોયા.

આ હદીષ વર્ણન કર્યા પછી ઇમામ તીર્મિઝી રહિમહુલ્લાહએ કહ્યું: "આલીમો પાસે આ અમલ: અઝાન આપતી વખતે મુઅઝ્ઝિનને પોતાની આંગળીઓ કાનમાં નાખવી મુસ્તહબ અમલ છે".

ઈબ્ને શિબ્રિમહ રહિમહુલ્લાહને સવાલ કરવામાં આવ્યો કે અઝાન આપતી વખતે બન્ને આંગળીઓ કાનમાં નાખવાનો આદેશ કેમ આપવામાં આવ્યો? તેમણે કહ્યું: અવાજ ઊંચી થાય તે માટે ..." ([૨૮]). () "અલ્ અવ્સત" (૪/૧૧).

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: "સુન્નત એ છે કે તે બન્ને આંગળીઓને અઝાન આપતી વખતે કાનમાં રાખે અને આ બાબત પર દરેક લોકો એકમત છે, મહામલી રહિમહુલ્લાહ એ મજ્મુઅમાં જમહુર આલિમો વતી આ વાત નકલ કરી છે કે અમારા આલિમોએ કહ્યું: તેનો એક બીજો ફાયદો એ પણ છે કે કોઈ વ્યક્તિ બહેરો હોય અથવા કોઈ દૂરીના કારણે અથવા તો અન્ય કારણે અઝાન સાંભળી ન શકતો હોય તો, તે મુઅઝ્ઝિનને કાનમાં આંગળીઓ નાખવાના કારણે સમજી શકે છે કે અઝાન થઈ રહી છે" ([૨૯]). () શર્હુલ્ મુહઝ્ઝબ (૩/૧૧૩).

૧૦- જ્યારે હય્ય અલસ્ સલાહ કહેવામાં આવે તો જમણી બાજુએ મોઢું કરવું જોઈએ, બન્ને વખત, અને જ્યારે હય્ય અલલ્ ફલાહ કહેવામાં આવે તો ડાબી બાજુ મોઢું કરવામાં આવે, પગને મજબૂત સાથે જમાવી દેવામાં આવે, અબૂ જુહૈફહ રઝી અલ્લાહુ અનહુ હદીષ પ્રમાણે, જેમાં આપ ﷺની હાજરીમાં બિલાલ રઝી અલ્લાહુ અનહુ અઝાન આપતા કહ્યું: «હું તેમના મોઢાને જોયા કરતો હતો, તેઓ આજુબાજુ, જમણી અને ડાબી બાજુ કહેતા હતા: હય્ય અલસ્ સલાહ, હય્ય અલલ્ ફલાહ»[૩૦]؛ કારણકે મસ્જિદથી દૂર રહેનારા લોકો માટે અઝાનનો અવાજ પહોંચે, તે સંતુષ્ટ થઈ જાય. () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૩૪, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૦૩, અને આ શબ્દો સહીહ મુસ્લિમના છે.

૧૧- અઝાન આપતી વખતે અવાજ લાંબો કરવામાં આવે, અર્થાત્ અવાજને ખેંચીને કાઢવામાં આવે; કારણકે અઝાન, મસ્જિદથી ગાયબ રહેનાર લોકો માટે નમાઝની સૂચનાનું કામ કરે છે, અને ઈકામતમાં આમ કરવામાં નહીં આવે, અર્થાત્ ઈકામત ઉતાવળ જલ્દીથી કહેવામાં આવશે; કારણકે ઈકામત હાજર લોકો માટે નમાઝની સૂચનાનું કામ કરે છે ([૩૧]). () જુઓ: અલ્ મુગ્ની લિ ઈબ્ને કુદામહ: ૧/૨૯૫.

૧૨- નિર્ધારિત રીતે સુખદ અને સ્પષ્ટ અવાજ સાથે અઝાન આપવી જોઈએ, જે ન તો પ્રભાવશાળી હોય અને ન મધુર હોય, ગાવાની શૈલીમાં અઝાનનું પઠન ન કરવું જોઈએ, અને અઝાનના ઉદ્દેશ્યની વિરુદ્ધ જાય તે પ્રમાણે પણ લંબાવવું જોઈએ નહીં, તેના બદલે, મુઅઝ્ઝિને તેની શરતો અને નિર્ધારિત શિષ્ટાચારનું પાલન કરવું અને પોતાના સામાન્ય અવાજમાં અઝાન આપવી જોઈએ.

છઠ્ઠું પ્રકરણ: અઝાન અને ઈકામત વિશે વિસ્તૃત વર્ણન

અઝાન અને ઈકામત આપવા માટે તેના ખાસ શબ્દો વર્ણન કરવામાં આવ્યા છે, જે શરીઅતે આપણને બતાવ્યા છે, અઝાન અને ઈકામતનું વર્ણન કરવાવાળી હદીષો માંથી એક હદીષ અબ્દુલ્લાહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુની છે, જેમાં અઝાનના શબ્દો આ પ્રમાણે છે:

"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે,અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે).

"અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ",(હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી. હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી).

"અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ", (હું ગવાહી આપું છું કે મુહમ્મદ અલ્લાહના રસૂલ છે. હું ગવાહી આપું છું કે મુહમ્મદ અલ્લાહના રસૂલ છે).

"હય્ય અલસ્ સલાહ, હય્ય અલસ્ સલાહ" (આવો નમાઝ તરફ, આવો નમાઝ તરફ).

"હય્ય અલલ્ ફલાહ, હય્ય અલલ્ ફલાહ" (આવો સફળતા તરફ, આવો સફળતા તરફ).

"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે).

"લા ઇલાહ ઇલ્લ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી).

ઈકામતના શબ્દો:

"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે).

"અશ્હદુ અલ્ લા ઈલાહ ઇલ્લલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી).

"અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ", (હું ગવાહી આપું છું કે મોહમ્મદ અલ્લાહના રસૂલ છે).

"હય્ય અલસ્ સલાહ" (આવો નમાઝ તરફ), "હય્ય અલલ્ ફલાહ" (આવો સફળતા તરફ).

"કદ્ કોમતિસ્ સલાહ" (ખરેખર નમાઝ ઊભી થઈ ગઈ), "કદ્ કોમતિસ્ સલાહ" (ખરેખર નમાઝ ઊભી થઈ ગઈ).

"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે).

"લા ઇલાહ ઇલ્લ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી). ([૩૨]) () આ હદીષને ઈમામ અબુદાવુદ રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૯૯, અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહ એ સંક્ષિપ્ત રૂપમાં વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૮૯, અને કહ્યું: અબ્દુલ્લાહ બિન ઝૈદની હદીષ હસન સહીહ દરજ્જાની છે.

તો આ અઝાન અને ઈકામત જે વર્ણન કરવાંમાં આવી, બિલાલ રઝી અલ્લાહુ અન્હુ સફરમાં પણ અને સફરમાં ન હોય તો પણ બંને સ્થિતિમાં જ્યાં સુધી નબી ﷺ જીવિત રહ્યા ત્યાં સુધી આપતા રહ્યા.

ફજરની અઝાનમાં હય્ય અલલ્ ફલાહ પછી આ શબ્દો કહેતા: "અસ્સલાતુ ખયરુમ્ મિનન્ નવમ" (નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે) બે વખત કહેવામાં આવે, અબૂ મહઝુરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષમાં વર્ણન છે કે આપ ﷺએ કહ્યું: «જ્યારે તમે ફજરની નમાઝ માટે અઝાન કહો તો આ શબ્દો કહો: "અસ્સલાતુ ખયરુમ્ મિનન્ નવમ, અસ્સલાતુ ખયરુમ્ મિનન્ નવમ" (નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે, નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે)» ([૩૩]). () આ હદીષને ઈમામ અબુદાવુદ રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૦૦, ઈમામ નવવી રહિમહુલ્લાહએ "ફી ખુલાસતિલ્ અહકામ" માં કહ્યું: (૧/૨૮૬) : આ હદીષ હસન દરજ્જાની છે.

અઝાનના એક બીજા શબ્દો પણ સાબિત છે, જેને તરજીઅ વાળી અઝાન કહેવામાં આવે છે, અર્થાત્ દોહરાવવુ, પહેલા બન્ને શહાદતૈનના શબ્દોમાં અવાજ ધીમેથી કરવામાં આવશે, ત્યારબાદ ફરીવાર બુલંદ અવાજે તે જ શબ્દો કહેવામાં આવશે, અને ઈકામતમાં બે વખત દોહરાવવામાં આવે, અને આ પ્રમાણેની અઝાન માટે અબૂ મહઝૂરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ પુષ્ટિ કરે છે, તેઓ કહે છે કે આપ ﷺએ પોતે મને અઝાનના શબ્દો શીખવડ્યા અને કહ્યું: «કહો: અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, બે બે વખત, પછી ઊંચા અવાજે તેને ફરીવાર કહેવામાં આવે: અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, હય્ય અલસ્ સલાહ, હય્ય અલસ્ સલાહ, હય્ય અલલ્ ફલાહ, હય્ય અલલ્ ફલાહ, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, લા ઇલાહ ઇલ્લલ્લાહ».

ઈકામત માટેના શબ્દો: અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, હય્ય અલસ્ સલાહ, હય્ય અલસ્ સલાહ, હય્ય અલલ્ ફલાહ, હય્ય અલલ્ ફલાહ, કોદ કોમતિસ્ સલાહ, કદ્ કોમતિસ્ સલાહ, અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર, લા ઇલાહ ઇલ્લલ્લાહ. ([૩૪]). () આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૦૨, ૫૦૩.

શબ્દોના થોડાક ફેરફાર સાથે, મુઅઝ્ઝિન જે કંઈ શબ્દો દ્વારા અઝાન આપે તે સારું છે, શેખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈયમિયહ રહિમહુલ્લાહ બન્ને સાબિત અઝાનના શબ્દો વર્ણન કર્યા પછી કહે છે: «જો આ પ્રમાણે હોય, તો જમાઅતે અહલે હદીષ અને તેમની સાથે સહમતિ ધરાવતા લોકો સાચા છે, કે જે કઈ આપ ﷺથી સાબિત હોય, તે શબ્દો અઝાન માટે કહેવા જાઈઝ છે, કંઈ પણ વસ્તુને નાપસંદ કર્યા વગર, અઝાન અને ઈકામતના શબ્દોમાં ફેરફાર હોઈ શકે છે, જેવું કે કિરાત અને તશહ્હુદના શબ્દો, તેમન અન્ય ઈબાદતમાં પણ, કોઈ ફેરફાર હોય છે, કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે અલ્લાહના પયગંબર ﷺએ પોતાની કોમ માટે આપેલી તાલીમ (શિક્ષા)ને નાપસંદ કરે». ([૩૫]). () મજમુઉલ્ ફતાવા: ૨૨/૬૬.

સાતમું પ્રકરણ: અઝાન સાંભળનારે શું કહેવું જોઈએ, અને ત્યાર બાદ કંઈ દુઆ પઢવી

જે વ્યક્તિ અઝાન સાંભળે, તેના માટે મુસ્તહબ છે કે તે વ્યક્તિ મુઅઝ્ઝિન જેવા જ શબ્દો કહે; અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, જેમાં આપ ﷺએ કહ્યું: «જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે તે જ શબ્દો કહો જે મુઅઝ્ઝિન કહે છે» ([૩૬]). હય્ય અલસ્ સલાહ અને હય્ય અલ્ ફલાહ સિવાય, બન્નેના જવાબમાં અઝાન સાંભળનારે આ જ શબ્દો કહેવા: «લા હવ્‌લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ» (અલ્લાહની તૌફીક અને મદદ વગર ન તો ગુનાહથી બચવાની ક્ષમતા છે અને ન તો નેકી કરવાની ક્ષમતા). ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુની હદીષ પુષ્ટિ કરે છે કે આપ ﷺએ કહ્યું: «જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લ્લાહ કહે તો તમારે પણ અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેવું જોઈએ પછી મુઅઝ્ઝિન અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહે તો તમારે પણ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ કહેવું જોઈએ, પછી જ્યારે મુઅઝ્ઝિન હય્ય અલસ્ સલાહ કહે તો તેમારે લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ, પછી જ્યારે હય્ય અલલ્ ફલાહ કહે તો ફરી લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, પછી મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે તો તે પણ અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહે, પછી મુઅઝ્ઝિન લા ઇલાહ ઇલ્લ્લ્લાહ કહે તો તે પણ દિલથી લા ઇલાહ ઇલ્લ્લાહ કહેશે તો તે જન્નતમાં દાખલ થશે» ([૩૭]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૧૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૮૩. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૮૫.

અને તે બંને સાક્ષીઓ આપ્યા પછી કહે: (અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદર્ અબ્દુહુ વ રસૂલુહ, રઝીતુબિલ્લાહિ રબ્બવ, વબિ મુહમ્મદીન્ રસૂલા, વબિલ્ ઇસ્લામિ દીના, (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ કે મુહમ્મદ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું અલ્લાહના રબ હોવા પર, મુહમ્મદ ﷺના રસૂલ હોવા પર અને ઇસ્લામના દીન હોવા પર ખુશ થઈ ગયો).

સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ મુઅઝ્ઝિનની અઝાન સાંભળીને કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહ, રઝીતુ બિલ્લાહિ રબ્બવ્ વબિમુહમ્મદીન્ રસૂલન્, વબિલ્ ઇસ્લામિ દીના" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ કે મુહમ્મદ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું અલ્લાહના રબ હોવા પર, મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રસૂલ હોવા પર અને ઇસ્લામના દીન હોવા પર ખુશ થઈ ગયો. તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે)» ([૩૮]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૮૬.

જ્યારે મુઅઝ્ઝિન સવારની અઝાનમાં કહે: અસ્ સલાતુ ખયરુમ્ મિનન્ નવમ (નમાઝ ઊંઘ કરતા વધુ શ્રેષ્ઠ છે), તો અઝાન સાંભળાનારે પણ એ જ પ્રમાણે કહેવું જોઈએ; આપ ﷺએ કહ્યું: «જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે તે જ શબ્દો કહે જે મુઅઝ્ઝિન કહે છે» ([૩૯]). () મુત્તફકુન અલૈહ (બુખારી અને મુસ્લિમ).

ત્યારબાદ આપ ﷺ પર દરુદ પઢવું જોઈએ, જેવું કે હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે, આપ ﷺએ કહ્યું: «જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ ﷺને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ ﷺની ભલામણ અનિવાર્ય થઈ જશે» ([૪૦]), તેનો અર્થ: «સંપૂર્ણ દઅવત» અર્થાત્: અઝાનની દઅવત, જે સંપૂર્ણ છે, જે અલ્લાહની મહાનતા અને તૌહીદને દર્શાવે છે, અને જેમાં પયગંબર માટેની સાક્ષી તેમજ ભલાઈની દઅવત શામેલ છે. «અને ઉભી થવાવાળી નમાઝ» અર્થાત્: નમાઝ જે હમણાં ઉભી કરવામાં આવશે, અને પઢવામાં આવશે «વસીલો» જન્નતમાં એક દરજ્જો મહ્ત્વતા ઉચ્ચ જગ્યા, જે તેમના માટે નક્કી છે, જેમાં તેમનો કોઈ પણ ભાગીદાર નહીં હોય. «મહમૂદ નામની જગ્યા» મહમૂદ નામની જગ્યા: તે દરેક જગ્યા જ્યાં લોકો તેની પ્રશંસા કરતા હોય, અને ત્યાં દરેક લોકો માટે ભવ્ય ભલામણનો સમાવેશ થાય છે, જ્યાં લોકોની ભલામણ કરવામાં આવશે, અહીં સુધી કે અલ્લાહ બંદાઓનો નિર્ણય કરશે. () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૨૮, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૭૪, જાબિર રઝી અલ્લાહુ અન્હુ દ્વારા રિવાયત કરવામાં આવી છે.

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે આપ ﷺને કહેતા સાંભળ્યા: «જ્યારે મુઅઝ્ઝિનનો અવાજ સાંભળો તો તમે તેના જેવા જ શબ્દો કહો, પછી મારા પર દરુદ મોકલો; કારણકે જે વ્યક્તિ મારા પર એક વાર દરુદ પઢશે તો અલ્લાહ તેના માટે દસ રહમતો ઉતારશે, પછી અલ્લાહ પાસે મારા માટે વસીલાનો સવાલ કરો; કારણકે એ જન્નતમાં પ્રતિષ્ઠિત પદ છે, જે અલ્લાહના બંદાઓ માંથી ફક્ત એક જ બંદાને મળશે, હું આશા કરું છું કે તે બંદો હું જ હશું, જે વ્યક્તિએ મારા માટે અલ્લાહ પાસે વસીલાનો સવાલ કરશે, તેના માટે મારી ભલામણ વાજિબ (અનિવાર્ય) થઈ જશે» ([૪૧]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૮૪.

અઝાન બાબતે શરીઅત વિરુદ્ધ કરવામાં આવતા કાર્યો માંથી, મુઅઝ્ઝિન અઝાન આપી લીધા પછી બુલંદ અવાજે આપ ﷺ પર ઉંચા અવાજે દરુદ પઢવું, એવી જ રીતે અઝાન પછીની દુઆ સૌએ ભેગા મળીને પઢવી પણ બિદઅતના કાર્યો માંથી એક છે, દુઆ કરતી વખતે બન્ને હાથ ઉઠાવવા, મુઅઝ્ઝિનના છેલ્લા શબ્દ પઢી લીધા પછી (હકકન્) અથવા (અબદન્) શબ્દનો વધારો કરવામાં આવે છે, અર્થાત્: (સાચે જ અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી) અથવા (કદાપિ નહીં, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી); આ દરેક વાતની કોઈ દલીલ મળતી નથી.

આઠમું પ્રકરણ: અઝાન પછી મસ્જિદ માંથી બહાર નીકળવાનો હુકમ:

અઝાન થઈ ગયા પછી મસ્જિદ માંથી બહાર નીકળવું હરામ છે, જ્યાં સુધી નમાઝ પઢી ન લે, હા, જો કોઈ ઠોસ કારણ હોય, તો બહાર જઇ શકે છે, અથવા મસ્જિદમાં પાછું આવવાનો ઈરાદો હોય, તો કંઇ વાંધો નથી; અબૂ શઅષાઅ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: અમે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ સાથે મસ્જિદમાં બેઠા હતા, મુઅઝ્ઝિને અઝાન કહી, એક વ્યક્તિ ઉભો થયો અને ચાલવા લાગ્યો, તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ તેની પાછળ ગયા અને જોયું તો તે મસ્જિદ માંથી બહાર નીકળી ગયો, તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખરેખર આ વ્યક્તિએ અબૂલ્ કાસિમ ﷺની અવજ્ઞા કરી.([૪૨]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૫૫.

ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ પોતાની સુનનમાં આ હદીષ વર્ણન કર્યા પછી કહ્યું: "આપ ﷺના સહાબા અને તેમના પછીના આલિમોના મતે આ કાર્ય વિશે જણાવ્યું: અઝાન પછી મસ્જિદ માંથી કોઈ કારણ વગર બહાર નીકળવામાં ન આવે, જેવું કે પાકી માટે અથવા અન્ય જરૂરી કાર્ય" ([૪૩]). () સુનન અત્ તિર્મિઝી: ૧/૩૯૭, હદીષ નંબર: (૨૦૪).

નવમું પ્રકરણ: અઝાન અને ઈકામત વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ?

સુન્નત દ્વારા જાણવા મળે છે કે અઝાન અને ઈકામત વચ્ચે એક લાંબો સમયગાળો હતો; અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ્ રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «પ્રત્યેક બે અઝાન વચ્ચે અર્થાત્ અઝાન અને ઈકામત વચ્ચે નમાઝ છે, પ્રત્યેક બે અઝાન વચ્ચે અર્થાત્ અઝાન અને ઈકામત વચ્ચે નમાઝ છે», ત્રીજી વખત કહ્યું: તેના માટે જે ઈચ્છે» ([૪૪]), બન્ને અઝાન એટલે: અઝાન અને ઈકામત, મુઅઝ્ઝિન અઝાન અને ઈકામત વચ્ચે સમય આપે છે, જેથી મસ્જિદમાં હાજર લોકો બે રકઅત નમાઝ પઢી લે, અને અન્ય લોકો મસ્જિદમાં આવી નમાઝ મેળવી લે. () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૨૭, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૩૮.

ઈમામ ઇમામ અહમદ રહિમહુલ્લાહએ કહ્યું: "મુઅઝ્ઝિન માટે જરૂરી છે કે જ્યારે તે અઝાન આપે તો ઈકામત કહેવામાં ઉતાવળ ન કરે પરંતુ ત્યાં સુધી રાહ જુએ કે લોકો મસ્જિદમાં આવી જાય, હાજત પુરી કરનાર પોતાની જરૂરતથી ફારીગ થઈ જાય, તેણે પોતે અઝાન અને ઈકામત વચ્ચે સમય રાખવો જોઈએ". ([૪૫]). () શર્હુ ઉમ્દતલ્ ફિક્હ, લિ ઈબ્ને તૈમિય્યહ, કિતાબુસ્ સલાહ: પેજ નંબર: ૧૩૫.

દસમુ પ્રકરણ: મુઅઝ્ઝિનની જવાબદારી અને તેના અદબો:

મુઅઝ્ઝિન માટે જરૂરી છે કે તે અઝાન ફક્ત અલ્લાહને ખુશ કરવા માટે આપે, ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુની હદીષ જેમાં તેઓએ કહ્યું: મને આપ ﷺએ છેલ્લી નસીહત એ કરી કે મુઅઝ્ઝિન એવો નક્કી કરજો, જે અઝાન માટે મહેનતાણું ન લે ([૪૬]). () આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૦૯, અને કહ્યું કે આ હદીષ હસન દરજ્જાની છે .

ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ આ હદીષ વર્ણન કર્યા પછી કહ્યું: "આલિમોના મતે અઝાનનું મહેનતાણું લેવું મકરુહ છે, અને મુઅઝ્ઝિન માટે મુસ્તહબ છે કે તે અઝાન આપી, અલ્લાહ પાસે સવાબની આશા રાખે".

બૈતુલ્ માલ માંથી મુઅઝ્ઝિનને કંઈક હદીયો આપવામાં આવે, તો વાંધો નથી; કારણકે બૈતુલ્ માલ મુસલમાનોના ફાયદા માટે કાયમ કરવામાં આવે છે, અને અઝાન તેમજ ઈકામત લોકોના ફાયદા માટે જ કહેવામાં આવે છે ([૪૭]). () જુઓ: અલ્ અઝાનુ વલ્ ઈકામતુ લિલ્ કહતાની: પેજ નબર: ૧૯.

મુઅઝ્ઝિન માટે પાંચેય નમાઝના સમય જાણવા જરૂરી છે કે તે અઝાનનો જવાબદાર છે, કારણકે નબી ﷺએ કહ્યું: «ઇમામ (નમાઝ માટે) જવાબદાર છે અને મુઅઝ્ઝિન (અઝાન માટે) જવાબદાર છે» ([૪૮]) અર્થાત્: નમાઝના સમયનો જવાબદાર રહેશે, તે મુઅઝ્ઝિન અઝાનના સમય પહેલા પાક સાક થઈ મસ્જિદમાં આવી જાય, અને કોઈ કારણ વગર મસ્જિદ માંથી ગેરહાજર ન રહે, અને જો ક્યારેક તે ગેરહાજર હોય, તો પોતાની જવાબદારી બીજાને સોંપી, તેને જવાબદાર બનાવી દે. () આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૧૭, અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૦૭. અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ દ્વારા.

તદઉપરાંત નીચે વર્ણવેલ બાબતો પણ મુઅઝ્ઝિન માટે જરૂરી છે:

(૧) મસ્જિદમાં પાકી સફાઈનો સંપૂર્ણ ખ્યાલ રાખે, તેમજ મસ્જિદના જવાબદાર અને મસ્જિદના લોકોની સહાય કરે; કારણકે અલ્લાહના ઘરની દેખરેખ રાખનાર વ્યક્તિના અલ્લાહ તઆલાએ વખાણ કર્યા છે, કહ્યું: {અલ્લાહની મસ્જિદોની આબાદ કરવું તો તે લોકોનું કામ છે, જે અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે, નમાઝ કાયમ કરે, ઝકાત આપે, અને અલ્લાહ સિવાય કોઈનાથી ન ડરે, આશા છે કે આવા લોકો જ હિદાયત પર હશે.18}. [અત્ તૌબા: ૧૮]. મસ્જિદને બનાવવી, તેની સુરક્ષા અને પાકી સફાઈનું ધ્યાન રાખવું પણ તેની દેખરેખમાં શામેલ છે, અથવા નમાઝ પઢવી, અલ્લાહનો ઝિકર કરવો, આ બન્ને અર્થનો પણ સમાવેશ થઈ શકે. ([૪૯]). () જુઓ: ઈબ્ને હજર રહિમહુલ્લાહની કિતાબ: "ફત્હુલ્ બારી": ૧/૫૪૧.

(૨) સાચા અકીદાનું જ્ઞાન તેમજ અઝાન અને પાકી સફાઈના આદેશોનું જ્ઞાન શીખવું, તેમજ અલ્લાહની કિતાબ કુરઆન મજીદની અમુક સૂરતો યાદ હોવી જોઈએ, જેથી ક્યારેક જો ઇમામ ગેરહાજર હોય તો તેની જગ્યાએ નમાઝ પઢાવી શકે.

(૩) નેકીનો આદેશ અને બુરાઈથી રોકવા જોઈએ અને એ કે અલ્લાહ તરફ લોકોને હિકમત અને સારી નસીહત કરી બોલાવવા જોઈએ, લોકો સાથે નરમીભર્યો વ્યવહાર કરવો જોઈએ અને લોકો દ્વારા આપવામાં આવતી તકલીફો પર સબર કરવી જોઈએ, તેમજ મસ્જિદના ઇમામની મદદ કરવી.

(૪) મસ્જિદમાં ઇલ્મ અને ઈબાદતમાં વ્યસ્ત રહેવું જોઈએ, જેથી નમાઝીઓ ફાયદો ઉઠાવી શકે, અને તે દરેક કામથી મસ્જિદને દૂર રાખવી, જે લોકોના દીન અને દુનિયામાં નુકસાનનું કારણ બનતું હોય.

(૫) મસ્જિદમાં આવતા લોકો સાથે સારો વ્યવહાર કરવો અને તેમની મદદ કરવી, જ્યારે તેઓ ગેરહાજર હોય, તો તેમની ખબર અંતર લેતા રહેવું, તેમની જનાઝાની નમાઝ પઢવી અને મુસીબત તેમજ તકલીફ વખતે તેમની સાથે ઉભા રહેવું જોઈએ.

બીજું પ્રકરણ : ઇમામત વિશેના આદેશો

પહેલો વિષય: ઇમામતની વ્યાખ્યા:

નમાઝ માટે ઇમામત: જે મુસલ્લીઓ કરતા સહેજ આગળ ઉભા હોય, જેથી તે નમાઝીઓને નમાઝ પઢાવી શકે, અને નમાઝ પઢાવનાર ઇમામ: તે વ્યક્તિ જેનું અનુસરણ કરવામાં આવે, અર્થાત્ લોકો પોતાની નમાઝ તેના જેવી જ પઢે ([૫૦]). () જુઓ: હાશિયાહ અર્ રવઝુલ્ મુરબિઅ: ૨/૨૯૬, ઈમામ કહતાનીની કિતાબ: "અલ્ ઇમામતુ ફીસ્ સલાહ": પેજ નંબર: ૬.

બીજો વિષય : ઇમામતના કાયદાકીય નિયમો અને તેની મહત્ત્વતા:

નમાઝની ઇમામત એવા શ્રેષ્ઠ અમલ માંથી એક છે, જે લોકો માંથી શ્રેષ્ઠ ગુણો ધરાવનાર વ્યક્તિને જ પ્રાપ્ત થતી હોય છે, શ્રેષ્ઠ ગુણો જેવા કે ઇલ્મ, કુરઆનની સારી તિલાવત, દીનદારી, જેવા અન્ય ગુણો, જેવું કે આગળ વર્ણન કરવામાં આવશે, અને ઈમામ વગર જમાઅત સાથે નમાઝ પઢવી શક્ય જ નથી અને જમાઅત સાથે નમાઝ પઢવી, તે ઇસ્લામની ભવ્ય નિશાનીઓ માંથી એક નિશાની છે([૫૧]). () જુઓ: અલ્ મવસુઅહ અલ્ ફિક્હિય્યહ અલ્ કુવૈતિય્યહ: ૬/૨૦૧.

ઇમામતની મહત્ત્વતાઓ:

૧- ઇમામતની મહત્ત્વતા પ્રખ્યાત છે, જેવું કે પોતે આપ ﷺ ઇમામ હતા, એવી જ રીતે ખુલફાએ રાશિદીન પણ ઇમામત કરાવી ચુક્યા છે, અને મુસલમાનોમાં ઇલ્મ તેમજ અમલ પ્રત્યે સૌથી શ્રેષ્ઠ મુસલમાનો ઇમામત કરતા રહ્યા છે. ([૫૨]). () જુઓ: ઈમામ કહ્તાનીની કિતાબ: "અલ્ ઈમામતુ ફિસ્ સલાતિ": પેજ નંબર: ૯.

૨- નમાઝની ઇમામત શરીઅતનો એક જાઈઝ અને યોગ્ય આદેશ છે, જે ફક્ત સૌથી શ્રેષ્ઠ લોકોને જ સોંપવામાં આવે છે; કારણકે નબી ﷺએ કહ્યું: «તમારા માંથી તે ઇમામત કરાવે, જે કુરઆન મજીદ સૌથી વધારે પઢવાવાળો હોય...» ([૫૩]), જાણવા મળ્યું કે કુરઆન વધુ પઢવાવાળા સૌથી શ્રેષ્ઠ લોકો માંથી છે, માટે ઇમામત તેમને સોંપવી, તે તેમની શ્રેષ્ઠતા દર્શાવે છે([૫૪]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રીવાયત કરી છે, હદીષ નંબર: ૬૭૩, અબુ મસ્ઉદ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ દ્વારા આ હદીષ વર્ણન કરવામાં આવી છે. () જુઓ: અશ્ શર્હુલ્ મુમત્તિઅ અલા ઝાદિલ્ મુસ્તકનિઅ: ૨/૪૧.

૩- અલ્લાહના પયગંબર ﷺએ ઇમામો માટે હિદાયતની દુઆ કરી છે; અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «ઇમામ નમાઝ પઢનારની નમાઝનો જવાબદાર છે અને મુઅઝ્ઝિન અઝાનનો જવાબદાર છે, હે અલ્લાહ ! તું ઇમામોને સત્યમાર્ગ પર જમાવી દે અને મુઅઝ્ઝિનોને માફ કરી દે» ([૫૫]). () આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૧૭, અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૦૭.

અને તેનો અર્થ: «ઇમામ જવાબદાર છે» અર્થાત્: તેની પાછળ નમાઝ પઢનાર લોકોની યોગ્ય નમાઝની જવાબદારી ઇમામ પર હોય છે; કારણકે તેમની નમાઝ ઇમામની નમાઝ સાથે જોડાયેલી છે, અને આ શબ્દનો અર્થ: «હે અલ્લાહ ! દરેક ઇમામને સત્ય માર્ગ પર જમાવી દે» અર્થાત્: સાચા માર્ગ તરફ માર્ગદર્શન આપ, જેથી તેઓ સારી રીતે નમાઝ પઢાવી શકે([૫૬]). () જુઓ: ઈમામ ઐનીની કિતાબ: શર્હ અબી દાવુદ: ૨/૪૬૮, અને ઈમામ મનાવીની કિતાબ: ફૈઝુલ્ કદીર: ૩/૧૮૨.

ત્રીજો વિષય: ઇમામતનો વધારે હક કોણ ધરાવે છે:

આપ ﷺએ ઇમામત માટે સૌથી વધારે હકદાર વિશે જણાવ્યું અને તે યોગ્ય પણ છે, અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «લોકોની ઇમામત તે વ્યક્તિ કરાવે, જેને કુરઆન મજીદ વધારે યાદ હોય, જો બન્ને સરખું કુરઆન યાદ હોય, તો તેમના માંથી તે વ્યક્તિ ઇમામત કરાવશે જેને સુન્નતનું જ્ઞાન વધારે હશે, જો તેમાં પણ બન્ને સરખા હોય, તો તે વ્યક્તિ જેણે પહેલા હિજરત કરી હોય, જો તેમાં પણ બન્ને સરખા હોય, તો તે વ્યક્તિ ઇમામત કરાવશે, જેણે ઇસ્લામનો સ્વીકાર પહેલા કર્યો હશે, -અને બીજી રિવાયતના શબ્દો છે: તે વ્યક્તિ ઈમામત કરાવશે જે ઉંમરમાં મોટો હોય-, કોઈ વ્યક્તિ બાદશાહની હાજરીમાં ઇમામત ન કરાવે» ([૫૭]). ઇમામત માટે સૌ પ્રથમ હકદાર અને શ્રેષ્ઠ નીચે પ્રમાણે છે: () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૭૩.

૧- જેને વધારે કુરઆન મજીદ યાદ હોય અને તિલાવત પણ સારી રીતે કરી શકતો હોય, તે પઢવામાં સૌથી વધારે ગુણવત્તા ધરાવતો હોય અને તેના પ્રમાણે અમલ પણ કરતો હોય, નમાઝના મસઅલા મસાઈલની જાણ હોય, એક એવો વ્યક્તિ જે પઢવામાં ગુણવત્તા ધરાવતો હોય અને એક બીજો એવો વ્યક્તિ જે વધારે ગુણવત્તા ધરાવતો નથી, પરંતુ નમાઝના મસાઈલ બાબતે જ્ઞાન પહેલા વ્યક્તિ કરતા વધારે રાખતો હોય, તો ઇલ્મ વાળા વ્યક્તિને તેની સમજના કારણે પ્રાથમિકતા આપવામા આવશે; કારણકે ઇમામત માટે કુરઆન યાદ કરવા કરતાં નમાઝના મસાઈલ જાણવાની વધુ જરૂર છે.

૨- પછી સુન્નતનું ઇલ્મ ધરાવનાર વ્યક્તિને આગળ કરવામાં આવશે, જો કુરઆન યાદ કરવામાં બન્ને સરખા હોય તો તે બન્ને માંથી એક વધુ સમજદાર અને સુન્નતનું ઇલ્મ ધરાવનાર છે, માટે તેને આગળ કરવામાં આવશે, આપ ﷺના આદેશ પ્રમાણે: «જો તે બન્ને કુરઆન યાદ કરવામાં સરખા હોય, તો જેને સુન્નતનું જ્ઞાન વધુ હોય તેને આગળ કરવામાં આવશે»

૩- જો તે બન્ને કુરઆન યાદ કરવામાં તેમજ સુન્નતના ઇલ્મમાં સરખા હોય, તો પછી જે વ્યક્તિએ કાફિરોના શહેરથી ઇસ્લામી શહેર તરફ હિજરત પહેલા કરી હશે તેને આગળ કરવામાં આવશે, આપ ﷺના આદેશ મુજબ: «જો તે બન્ને સુન્નતના ઇલ્મમાં પણ સરખા હોય, તો જેણે પહેલા હિજરત કરી હશે તેને આગળ કરવામાં આવશે»

૪- જો હિજરત કરવામાં પણ બંને સરખા હોય, તો પછી જે વ્યક્તિએ પહેલાં ઇસ્લામનો સ્વીકાર કર્યો હશે, તે ઇમામત કરાવશે, આગળ વર્ણન થયેલ આપ ﷺની હદીષ મુજબ: «જો તે બન્ને હિજરત કરવામાં પણ સરખા હોય, તો પછી જે વ્યક્તિએ ઇસ્લામનો સ્વીકાર પહેલા કર્યો હશે, તે વ્યક્તિ ઇમામત કરાવવાનો વધારે હકદાર બનશે» અર્થાત્: ઇસ્લામ.

૫- ફરી જો વર્ણવેલ ગુણવત્તામાં પણ સરખા હોય, તો પછી જે વ્યક્તિ વય પ્રમાણે મોટો હશે તે ઇમામત કરાવશે; કારણકે આપ ﷺએ આગળની એક રિવાયતમાં વર્ણન કર્યું . «તો તે વ્યક્તિ ઈમામત કરાવશે જે ઉંમરમાં મોટો હોય» , માલિક બિન હુવૈરિષ રઝી અલ્લાહુ અન્હુની હદીષ પ્રમાણે આપ ﷺએ કહ્યું: «તમારા માંથી એક અઝાન આપે અને તમારા માંથી જે વડીલ હોય તે ઇમામત કરાવે» ([૫૮]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૨૮, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૭૪.

આગળ હદીષમાં વર્ણન થયું છે કે આપ ﷺએ ઉંમરમાં જે મોટો હશે તેને પ્રાથમિકતા આપવામાં આવશે; કારણકે તેઓ બન્ને ઇલ્મમાં સરખા છે.

જો કદાચ વર્ણવેલ દરેક વસ્તુઓમાં બન્ને બરાબર હોય અને તણાવની સ્થિતિ ઉભી થાય અને બન્ને ઇમામત કરવાની ઈચ્છા ધરાવતા હોય, તો પછી ચિઠ્ઠી ઉછાડવામાં આવશે, ચિઠ્ઠીમાં જેનું નામ હશે તે ઇમામત કરાવશે; કારણકે બન્ને દરેક વસ્તુઓમાં સરખા છે, અને કારણ ભેગુ થયું તો અન્ય અધિકારોની માફક અહીંયા પણ ચિઠ્ઠી ઉછાડવામાં આવશે.

ઘરનો માલિક પોતાના મહેમાન પર ઇમામત કરવા પર પ્રાથમિકતા ધરાવે છે, એવી જ રીતે આગેવાન પણ, તે મહાન ઇમામ છે, અને અન્ય કરતા ઇમામત કરવાનો વધારે અધિકાર ધરાવે છે, જ્યારે સૌ ઇમામત કરવા માટે સક્ષમ હોય તે સમયે, કારણકે આપ ﷺએ કહ્યું: «કોઈ વ્યક્તિ અન્યના ઘરમાં તેની પરવાનગી વગર ઇમામત નથી કરાવી શકતો, અને ન તો આગેવાનની હાજરીમાં ઈમામત કરાવી શકે છે»

આ જ વાત મસ્જિદમાં નિયુક્ત કરેલ ઇમામ ઉપર પણ લાગુ પડે છે, કારણકે તે વધુ અધિકાર ધરાવે છે, અમીર સાહેબ સિવાય, ભલેને ત્યાં કોઈને ઇમામ કરતા વધારે કુરઆન યાદ હોય અથવા ઇલ્મ હોય; આગળની હદીષનો સામાન્ય અર્થ પ્રમાણે.

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુના આજાદ કરેલ ગુલામ એક મસ્જિદમાં નમાઝ પઢાવતા હતા, એકવાર તે મસ્જિદમાં ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ પહોંચ્યા, તો ગુલામે તેમને ઇમામત માટે આગળ કર્યા, તો ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: (તમે તમારી મસ્જિદમાં ઇમામતનો વધારે અધિકાર ધરાવો છો ([૫૯]). () આ હદીષને ઈમામ શાફઇ રહિમહુલ્લાહએ (અલ્ ઉમ્મ) માં રિવાયત કરી છે, ૧/૧૮૫, અબ્દુર રઝઝાકે અલ્ મુસન્નફમાં રિવાયત કરી છે, ૨/૩૯૯ (૫૫૩૧), અને ઈમામ નવવી રહિમહુલ્લાહએ (અલ્ ખુલાસહ) ૨/૭૦૧, માં કહ્યું: આ હદીષનો દરજ્જો હસન છે અથવા તો સહીહ દરજ્જાની છે, ઇરવાઉલ્ ગલીલમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને હસન દરજ્જાની કહી છે. (૨/૩૦૨).

એટલા માટે પણ કે તેની જગ્યાએ બીજાને ઇમામત કરાવવા પર તેના અધિકારનો વિરોધ કરવો ગણાશે, અને તેનું મન તૂટી જશે.

ચપળ બાળકની ઇમામતમાં વિરોધ જોવા મળે છે, કેટલાક આલિમો તેની પરવાનગી આપે છે; અમ્ર બિન સલમા રઝી અલ્લાહુ અન્હુની હદીષ પ્રમાણે આપ ﷺના સમયમાં તેઓ પોતાની કોમની ઇમામત કરાવતા હતા, તે સમયે તેમની ઉંમર છ અથવા સાત વર્ષની હતી([૬૦]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૦૨.

નફિલ નમાઝની નિયત કરનાર વ્યક્તિ ફર્ઝ નમાઝની નિયત કરનાર વ્યક્તિની ઇમામત કરાવી શકે છે, મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુની હદીષ પ્રમાણે. તેઓ આપ ﷺ સાથે ઇશાની નમાઝ પઢતા હતા, પછી પોતાની કોમ પાસે આવી ઇશાની નમાઝ પઢાવતા હતા. ([૬૧]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૭૦૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૬૫.

ચોથો વિષય: તે લોકો જેઓ ઇમામત કરાવી શકતા નથી:

ઇમામત નીચે વર્ણવેલ સ્થિતિમાં હરામ છે:

૧- પુરુષો માટે સ્ત્રીની ઇમામત, આપ ﷺએ કહ્યું: «તે કોમ ક્યારેય પ્રગતિ નથી કરી શકતી, જેની આગેવાની એક સ્ત્રીના હાથમાં હોય» ([૬૨]), ઇમામત પણ એક પ્રકારની આગેવાની છે, કાયદા પ્રમાણે સ્ત્રીઓએ છેલ્લી સફમાં ઉભા રહેવું જોઈએ, જેવું કે સુન્નતથી સાબિત છે; અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેમણે કહ્યું: આપ ﷺએ કહ્યું: «પુરુષોની સૌથી શ્રેષ્ઠ સફ, પહેલી સફ છે અને અત્યંત ખરાબ સફ છેલ્લી સફ છે, જ્યારે કે સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી સફ છે અને સૌથી ખરાબ સફ પહેલી સફ છે» ([૬૩]), એટલા માટે કે છેલ્લી સફમાં ઉભા રહેવું સ્ત્રીઓ માટે વધુ સારું અને તેમની હિફાજત માટે શ્રેષ્ઠ છે, જો તેને નમાઝ પઢાવવાનું કહેવામાં આવે તો શરીઅતનો વિરોધ કર્યો ગણાશે, આ એક એવી બાબત છે, જેના પર આલિમો એકમત છે, ઈબ્ને હઝ્મ રહિમહુલ્લાહએ કહ્યું: "આલિમો આ વાત પર એકમત છે કે પુરુષોની ઇમામત સ્ત્રી નથી કરાવી શકતી, જ્યારે કે સૌ જાણતા હોય કે તે સ્ત્રી છે, જો તેઓએ સ્ત્રીની ઇમામતમાં નમાઝ પઢી, તો આલિમો સૌ એકમત સાથે કહે છે કે તેમની નમાઝ અમાન્ય ગણાશે" ([૬૪]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૪૨૫, અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૪૦. () મરાતિબુલ્ ઇજમાઅ: પેજ નંબર: ૨૭.

૨- જો ઇમામ નાપાક હોય તો તેની ઇમામતમાં નમાઝ ન પઢી શકાય, જો ઇમામને નાપાકીની જાણ ન હોય અને તે અજાણ હોય અને તે નમાઝ પણ પઢાવી દે તો નમાઝ યોગ્ય ગણવામાં આવશે, જ્યારે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ આવ્યા તેમણે લોકોને જનાબત (નાપાકી) સ્થિતિમાં નમાઝ પઢાવી, જ્યારે તેમને જાણ થઈ તો તેમણે પોતે નમાઝ ફરીવાર પઢી પરંતુ લોકોને ફરીવાર નમાઝ પઢવાનું ન કહ્યું ([૬૫]). () આ હદીષને ઈમામ દાર કુત્ની રહિમહુલ્લાહએ પોતાની સુનનમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૩૭૧.

અને અબ્દુર રહમાન બિન મહ્દી રહિમહુલ્લાહએ કહ્યું: "આ વાત પર દરેક આલિમો એકમત છે કે જે વ્યક્તિને જનાબત (નાપાકી) હશે તો તે ફરીવાર નમાઝ પઢશે, પરંતુ તેની પાછળ નમાઝ પઢનાર લોકો ફરીવાર નમાઝ નહીં પઢે, અને હું આ વિષે કોઈ વિરોધ નથી જાણતો ([૬૬]). () સુનન દારુલ્ કુત્ની: ૨/૧૮૮.

૩- જે વ્યક્તિને સૂરે ફાતિહા યાદ ન હોય અથવા તેને સારી રીતે પઢી શકતો ન હોય, તો તે વ્યક્તિ ઇમામત નથી કરાવી શકતો, અથવા જે શબ્દમાં ઇદગામ કરવાનું હોય, ત્યાં ઇદગામ કરતો ન હોય, જેવું કે હા શબ્દને રાઅ સાથે ઇદગામ કરી દે, આ આયતમાં: {દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે.2}. [અલ્ ફાતિહા: ૨] એટલા માટે કે તેણે એવા શબ્દમાં ઈદગામ કર્યું, જેમાં ઇદગામ થતું નથી, અને ન તો તેની નજીક પણ છે, અથવા એક શબ્દને બીજા શબ્દ વડે બદલી નાખવું, જેવું કે રા શબ્દને યા વડે બદલવું, અથવા એવી તિલાવત કરે કે જેનાથી કુરઆન મજીદનો અર્થ જ બદલાઇ જતો હોય, સિવાય તે વ્યક્તિના જે નમાઝમાં કોઈ રૂકનને ન કરી શકતો હોય.

૪- બિદઅતી વ્યક્તિની ઇમામત, જેની બિદઅતને કાફિર કહી શકાય; અલ્લાહ તઆલા કહે છે: {શું તે લોકો, જેઓ ઈમાન લાવ્યા, વિદ્રોહીઓ જેવા હોઇ શકે છે? આ સરખા નથી.18}. [અસ્ સજદહ: ૧૮]. અહીંયા ફાસિક શબ્દ એટલે કાફિર છે, જેવું કે આગળની આયતોથી સાબિત થાય છે.

૫- જે મસ્જિદમાં ઇમામ નિયુક્ત હોય તેની હાજરીમાં અન્યની ઇમામત કરવી યોગ્ય નથી, હા જો તે પરવાનગી આપતો હોય અથવા નમાઝમાં વિલંબ થઈ ગયો હોય અથવા સમય થોડોક જ હોય તો ઈમામત કરાવી શકે છે ([૬૭]). () જુઓ: અલ્ અસ્ઇલતુ વલ્ અજવિબતુલ્ ફિક્હિયહ લિસ્ સલમાન: ૧/૧૬૩.

પાંચમો વિષય: એવા લોકો, જેમની ઇમામત મકરુહ (નાપસંદ) છે:

નીચે વર્ણવેલ લોકોની ઇમામત કરાવવી મકરુહ (નાપસંદ) છે:

૧- (અલ્ લહ્હાન): જે તિલાવત કરતા વધુ ભૂલો કરતો હોય, પરંતુ તેનાથી અર્થ બદલાતો ન હોય, સૂરે ફાતિહા અથવા અન્ય કોઈ પણ સૂરહમાં જેવું કે તે સૂરે ફાતિહામાં (અલ્ હમ્દુ લિલ્લાહિ) દાલ પર પેશની જગ્યાએ ઝબર પઢી લે, તેની નમાઝ તો યોગ્ય ગણાશે, પરંતુ તેની ઇમામત મકરુહ ગણવામાં આવશે, આપ ﷺના કહેવા પ્રમાણે: «તમારા માંથી તે ઇમામત કરાવે, જે કુરઆન મજીદ સૌથી વધારે પઢવાવાળો હોય...» ([૬૮]). () આ હદીષની તખરીજ આગળ વર્ણન થઈ ગઈ છે.

સૂરે ફાતિહા વગર અન્ય કોઈ સૂરહમાં ભૂલ કરે અથવા જબાનમાં લુકનત સાથે તિલાવત કરે, પરંતુ જો તેના અર્થમાં કંઈ ફેરફાર થતો ન હોય, તો તેની ઈમામત કરવું તો સહીહ છે, પરંતુ નાપસંદ ગણવામાં આવશે; કારણકે સૂરે ફાતિહા વગર કોઈ પણ કિરાત છોડી દેવામાં વાંધો નથી, એવી જ રીતે જો કોઈ જાણી જોઈને ભૂલ કરે, તો તેની નમાઝ બાતેલ ગણાશે; કારણકે તે નમાઝની સાથે રમત કરી રહ્યો છે.

૨- કેટલાક શબ્દોને વારંવાર દોહરાવવા, જેવુ કે ફા, તા અથવા બીજો કોઈ શબ્દ, અને એટલા માટે મકરુહ ગણવામાં આવશે, કે તેણે તિલાવતમાં શબ્દોનો વધારો કર્યો.

૩- વિદ્રોહી અને બિદઅતી વ્યક્તિ, જે કુફ્ર ન કરે, તેની ઇમામત પણ મકરુહ છે ([૬૯]). () જુઓ: કશ્શાફુલ્ કન્નાઅ: ૧/૪૭૫ અને ત્યારબાદ.

૪- એવો ઇમામ, જે પોતાની કોમને ઇમામત કરાવતો હોય, પરંતુ ઘણા લોકો તેને નાપસંદ કરતા હોય; અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «ત્રણ લોકોની નમાઝ તેમના કાનોની ઉપર નથી જતી, એક ભાગી ગયેલ ગુલામ, જ્યાં સુધી તે પોતાના માલિક પાસે પાછો ન આવી જાય, બીજી તે સ્ત્રી, જે રાત એવી સ્થિતિમાં પસાર કરે, કે તેનો પતિ તેનાથી નારાજ હોય, ત્રીજો એક એવો ઇમામ જેને લોકો નાપસંદ કરતા હોય». ([૭૦]). () આ હદીષને ઇમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૬૦, અને કહ્યું: આ હદીષ હસન ગરીબ દરજ્જાની છે, કોઈ કારણસર.

ઇમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ કહ્યું: કોમના લોકો જેને નાપસંદ કરતા હોય, તેની ઇમામતને આલિમો યોગ્ય નથી ગણતા, જો ઇમામ અત્યાચારી ન હોય, તો તે નો ગુનોહ જે નાપસંદ કરતા હોય તેમના શિરે છે, અહમદ અને ઇસ્હાક બન્નેએ આ વિષે કહ્યું: "એક, બે અથવા ત્રણ વ્યક્તિ નાપસંદ કરતા હોય તો તે ઇમામને નમાઝ પઢાવવામાં કોઈ વાંધો નથી, અહીં સુધી કે તેને વધારે લોકો નાપસંદ કરવા લાગે" ([૭૧]). () સુનન અત્ તિર્મિઝી: ૨/૧૯૨.

લોકો એટલા માટે નાપસંદ કરતા હોય કે ઇમામ સુન્નતનું અનુસરણ કરવા, સુન્નત પ્રમાણે સૂરતો પઢવા અને આરામથી નમાઝ પઢાવતો હોય તો લોકોનું નાપસંદ કરવું માન્ય ગણવામાં નહીં આવે; કારણકે તેઓ કોઈ કારણ વગર નાપસંદ કરી રહ્યા છે, એટલા માટે તેમની નારાજગીનો કોઈ મતલબ નથી, જો લોકો તેમની સાથે આમ જ નફરત કરતા હોય તો ઇમામે નસીહત કરવી જોઈએ અને તેમની સાથે ઉપકાર કરવો જોઈએ, અને તેમને કહે કે હું સુન્નત પ્રમાણે નમાઝ પઢાવું છું, જો તેમના દિલમાં નિખાલસતા હશે, તો અલ્લાહ જરૂર તેમના માટે સરળતાનો માર્ગ પેદા કરશે([૭૨]). () જુઓ: અશ્ શર્હુલ્ મુમત્તિઅ અલા ઝાદિલ્ મુસ્તકનિઅ: ૪/૨૫૩.

છઠ્ઠો વિષય: નમાઝ પઢનાર વચ્ચે ઇમામની જગ્યા:

સુન્નત તરીકો એ છે કે ઇમામ મુક્તદીઓ કરતા આગળ ઉભા રહેશે, બે કે તેથી વધુ લોકો નમાઝ પઢવાવાળા હોય તો તેઓ ઇમામની પાછળ ઉભા રહેશે; કારણકે આપ ﷺ જ્યારે નમાઝ માટે ઉભા થતા, તો આગળ ઉભા રહેતા આપના સહાબા આપ ﷺની પાછળ ઉભા રહેતા, આ રીત સાબિત છે જાબિર અને જબ્બાર રઝી અલ્લાહુ અન્હુમા બન્ને માંથી એક આપ ﷺની જમણી બાજુ અને બીજા ડાબી બાજુ ઉભા રહી નમાઝ પઢી, આપ ﷺ બન્નેના હાથ પકડી પોતાની પાછળ ઉભા કરી દીધા. ([૭૩]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૦૧૦, જાબિર રઝી રઝી અલ્લાહુ અન્હુની લાંબી હદીષ માંથી.

જ્યારે ઇમામ સાથે એક જ વ્યક્તિ હોય તો તે ઇમામની જમણી બાજુ ઉભો થઇ જશે, ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ પ્રમાણે: આપ ﷺ નમાઝ પઢવા માટે ઉભા થયા, તો હું આપ ﷺની ડાબી બાજુ ઉભો થઇ ગયો, આપ ﷺએ મારો કાન પકડી મને પોતાની જમણી બાજુ ઊભો કરી દીધો([૭૪]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૩૧૬, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૭૬૩.

સ્ત્રીઓ પુરુષોની સફની પાછળ ઉભી રહેશે; અનસ રઝી અલ્લાહુ અનહુની હદીષ પ્રમાણે: મેં અને ત્યાં હાજર એક અનાથ બાળકે આપ ﷺની પાછળ સફ બનાવી અને અમે અમારી પાછળ એક વૃદ્ધ સ્ત્રીએ સફ કરી ([૭૫]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૮૦, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૫૮.

ઇમામે સફની વચ્ચે વચ્ચ આગળ ઉભા રહેવું જોઈએ. અલ્લામહ બિન બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: "સુન્નત એ છે કે ઇમામ મસ્જિદની વચ્ચે ઉભો રહી નમાઝ પઢાવે, આ તે સુન્નતી અમલ છે, જેમાં દરેક મુસલમાન ટેવાય ગયા છે" ([૭૬]). () સઇદ અલ્ કહતાની રહિમહુલ્લાહની કિતાબ: "અલ્ ઈમામહ ફિસ્ સલાહ" માંથી નકલ કરીને, પેજ નંબર: ૫૫.

અલ્લામહ બિન બાઝ રહિમહુલ્લાહએ વધુ કહ્યું: "સફ ઇમામની પાછળ વચ્ચેથી શરૂ કરવામાં આવશે અને સફમાં જમણી બાજુ ડાબી બાજુ કરતા વધુ મહત્તમ છે, જ્યાં સુધી પહેલી સફ પુરી ન થાય ત્યાં સુધી બીજી સફ બનાવવી ન જોઇએ".

સાતમો વિષય: ઇમામ પહેલા આગળ વધી જવું:

મુક્તદી માટે જરૂરી છે કે નમાઝના દરેક રુકન ઇમામના કર્યા પછી જ કરે, દરેક કાર્યમાં ઇમામનું અનુસરણ કરે, મુક્તદી ન તો ઇમામ પહેલા કોઈ કાર્ય કરે અને ન તો તેના બરાબર કોઈ કાર્ય કરે, પરંતુ તેની સ્થિતિ પર નજર રાખે અને પછી તેના પ્રમાણે જ કરે, તેના માટે જરૂરી છે કે તેના વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરે; એટલા માટે જ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી હદીષ સાબિત છે કે આપ ﷺએ કહ્યું: «ઇમામ એટલા માટે બનાવવામાં આવે છે કે તેનું અનુસરણ કરવામાં આવે, એટલા માટે તમે તેનો વિરોધ ન કરો, જ્યારે તે રુકૂઅ કરે, તો તમે પણ રુકૂઅ કરો, અને જ્યારે તે સમિઅલ્લાહુ લિમન હમીદહ કહે તો તમે કહો: રબ્બના લકલ્ હમ્દ અને જ્યારે તે સિજદો કરે તો તમે પણ સિજદો કરો, જ્યારે તે બેસીને નમાઝ પઢે, તો તમે પણ સૌ બેસીને નમાઝ પઢો, અને નમાઝમાં સફ બરાબર કરો; કારણકે નમાઝની સુંદરતા સફોને બરાબર રાખવામાં છે» ([૭૭]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૭૨૨, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૧૭.

નમાઝના દરેક રુકન ઇમામ પહેલા કરવા હરામ છે; અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક દિવસ અમે આપ ﷺ પાછળ નમાઝ પઢી, જ્યારે નમાઝ પુરી થઈ તો આપ ﷺ અમારી સામે ચહેરો કરીને અમને કહ્યું: «હે લોકો ! હું તમારી ઇમામત કરાવું છું, તો તમે રુકુઅ અને સિજદો મારી આગળ આગળ ન કરો, અને ન તો મારા પહેલા ઉભા થાઓ, અને ન તો સલામ ફેરવવામાં પહેલ કરો, હું તમને મારી સામે અને પાછળથી પણ જોઈ રહ્યો છું» ([૭૮]). અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ ﷺએ કહ્યું: «શું તમારા માંથી કોઈ ડરતુ નથી, જ્યારે તે ઈમામ પહેલા પોતાનું માથું ઉઠાવી લે, તો અલ્લાહ તેના માથાને ગધેડાના માથા માફક કરી દેશે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દેશે» ([૭૯)]. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રીવાયત કરી છે: ૪૨૬. () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૯૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૨૭.

જે વ્યક્તિ ઇમામ પહેલા તકબીરે તહરીમા કહેશે તો તેની નમાઝ બાતેલ છે; કારણકે શરત છે કે તકબીરે તહરીમા ઇમામના કહ્યા પછી જ કહેવામાં આવે.

આઠમો વિષય: ઇમામત અને જમાઅતના વિવિધ આદેશો:

ઇમામ અને જમાઅતના વર્ણવેલ આદેશો સિવાય અન્ય આદેશો માંથી:

૧- પુખ્તવય અને હોશિયાર લોકો માટે મુસ્તહબ છે કે તેઓ ઇમામની નજીક ઉભા રહે, અર્થાત્ ચપળ અને ઇલ્મ વાળા વ્યક્તિઓએ ઇમામની પાછળ નજીક ઉભા રહેવું જોઈએ; આપ ﷺના આદેશ પ્રમાણે: «તમારા માંથી હોશિયાર અને પુખ્તવય વ્યક્તિએ મારી નજીક ઉભા રહેવુ જોઈએ, પછી તે વ્યક્તિ, જે હોશિયાર (અર્થાત જે દીનનું ઇલ્મ વધારે જાણતો) હોય, ત્યારબાદ તેમના પછી જે તેમના કરતા ઓછા ઇલ્મ જાણવવાળા હોય» ([૮૦[). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૨, અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુની હદીષ માંથી.

૨- પહેલી સફ માટે ઉત્સુકતા: મોમિન માટે પહેલી સફમાં ઉભા રહી નમાઝ પઢવી મુસ્તહબ છે, અને તેના માટે ઉત્સુક રહેવું જોઈએ, તદ્દન પાછળ ઉભા રહેવાથી બચવું જોઈએ, અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ પોતાના સહાબાઓને પાછળ ઉભા રહેતા જોયા તો તેમને કહ્યું:

«આગળ આવો, અને મારું અનુસરણ કરો, અને જે વ્યક્તિ તમારા પછી હોય તેઓ તમારું અનુસરણ કરે, કેટલાક લોકો સતત પાછળ ઉભા હોય છે, અહીં સુધી કે અલ્લાહ તેમને પાછળ કરી દેશે» ([૮૧]), અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જો લોકો જાણી લે કે અઝાન આપવાનો અને પહેલી સફમાં નમાઝ પઢવાનો સવાબ કેટલો છે, તો તેમની પાસે ચિઠ્ઠીમાં (નામ લખી જેનું નામ આવે તે અઝાન આપે અને તે જ પહેલી સફમાં નમાઝ પણ પઢે) તે સિવાય અન્ય કોઈ માર્ગ ન હોત» ([૮૨]), અને તેનો અર્થ: «ચિઠ્ઠી ઉછાડવી» અર્થાત્: પહેલી સફનો સવાબ મેળવવા માટે ચિઠ્ઠી ઉછાડવી પડે તો પણ ઉછાડશે. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૮. () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૧૫, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૭.

સ્ત્રીઓ માટે મુસ્તહબ છે કે તેઓ પાછળ સફમાં ઉભી રહે, અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «પુરુષોની સૌથી શ્રેષ્ઠ સફ, પહેલી સફ છે અને અત્યંત ખરાબ સફ છેલ્લી સફ છે, જ્યારે કે સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી સફ છે અને સૌથી ખરાબ સફ પહેલી સફ છે». ([૮૩]). આ સફબંધી ત્યારે, જ્યારે સ્ત્રીઓ માટે પડદાનો બંદોબસ્ત ન હોય, જો પડદાનો બંદોબસ્ત હોય, તો તે પણ પ્રથમ સફની મહત્ત્વતાનો ખ્યાલ રાખશે, જે પહેલા તે પહેલો. ([૮૪]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૪૦. () જુઓ: મજમુઉલ્ ફતાવા ઈબ્ને બાઝ: ૧૨/૧૯૬.

૩- સૂરે ફાતિહા પઢવામાં ઇમામે ઉતાવળ ન કરવી જોઈએ, તેને ધીમે ધીમે પઢવી જોઈએ અહીં સુધી કે પાછળ નમાઝ પઢનાર મુસલ્લી આરામથી પઢી શકે. ([૮૫]). () જુઓ: સોલિહ આલુશ્ શૈખની કિતાબ: "અલ્ મિન્ઝાર ફી બયાની કષીરીમ્ મિનલ્ અખ્તાઇશ્ શાઇઅહ": પેજ નંબર: (૫૩).

૪- પાછળ એકલા ઉભા રહી નમાઝ પઢવી યોગ્ય નથી, વાબિસહ બિન મઅબદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક વ્યક્તિએ એકલા પાછળ ઉભા રહી નમાઝ પઢી તો આપ ﷺએ તેને ફરી નમાઝ પઢવાનો આદેશ આપ્યો ([૮૬]). () આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૩૦, અને કહ્યું કે વાબિસહ તરફથી વર્ણવેલ હદીષ હસન દરજ્જાની છે.

નવમો વિષય: એવી સુન્નતો જેના પર ઇમામે અમલ કરવો જોઈએ:

ઇમામ માટે જરૂરી છે કે ઇમામત કરાવવમાં આપ ﷺની સુન્નત પ્રમાણે કરે, તે સુન્નતો માંથી:

૧- નમાઝ હલકી પઢાવે અને પાછળ લોકોનો ખ્યાલ રાખે, નમાઝમાં આળસ કરવી જાઈઝ નથી, એવી રીતે કે નમાઝ એટલી ઉતાવળથી પઢાવવી કે પાછળ ઉભા રહી નમાઝ પઢનાર લોકો નમાઝના વાજિબ કાર્યો અદા ન કરી શકે, તેણે નમાઝ શાંતિથી પઢાવવી જોઈએ, જેથી તેની પાછળ નમાઝ પઢનારા લોકો પોતાની નમાઝ પુરી પઢી શકે, અબૂ મસ્ઉદ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કસમ હે અલ્લાહના રસૂલ! હું સવારની નમાઝ પઢવા ફલાણા વ્યક્તિના કારણે વિલંબ કરું છું; કારણકે તે નમાઝ ખૂબ લાંબી પઢાવે છે, મેં આપ ﷺને નસીહત કરવા બાબતે, તે દિવસ કરતા વધારે ગુસ્સે નથી જોયા, પછી નબી ﷺએ કહ્યું: «તમારા માંથી કેટલાક એવું ઈચ્છે છે કે તે પાછળ લોકોને (દીન અને નમાઝ)થી દૂર કરી દે, ખબરદાર! તમારા માંથી જ્યારે કોઈ વ્યક્તિ નમાઝ પઢાવે, તો હલકી નમાઝ પઢાવે; કારણકે નમાઝમાં નબળા, વૃદ્ધ અને જરૂરતમંદ દરેક પ્રકારના લોકો હોય છે» ([૮૭]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૦.

૨- નમાઝ શરૂ કરતાં પહેલા પાછળ નમાઝ પઢવાવાળા લોકોને સફ સીધી કરવા અને તેમણે બે વ્યક્તિ વચ્ચે જગ્યા છોડી ઉભા ન રહેવું જોઈએ, આ બાબતે ઇમામે લોકોને ધ્યાન અપાવવું જોઈએ કારણકે આપ ﷺ આ પ્રમાણે પાછળ નમાઝ પઢનારને આદેશ આપતા હતા, નૌમાન બિન બશિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ ﷺ અમોને એટલા અંશ સુધી સફને સીધી કરાવતા હતા, જાણે કે આપ તેના દ્વારા તીરને સીધા કરી રહ્યા હોય, અહીં સુધી કે આપને યકીન થઈ ગયું કે સહાબાઓએ આ વાતને સારી રીતે સમજી લીધી છે, તો એક દિવસે ઘરની બહાર આવ્યા, અને નમાઝની જગ્યા પર ઉભા થયા, બસ અલ્લાહુ અકબર કહેવા જતા હતા, આપ ﷺએ જોયું કે એક વ્યક્તિની છાતી સફથી થોડીક બહાર નીકળેલી હતી, તો આપ ﷺએ કહ્યું: «અલ્લાહના બંદાઓ! સફને બરાબર કરો, નહીં તો અલ્લાહ તમારા ચહેરાઓને એકબીજા વિરુદ્ધ કરી દેશે» ([૮૮]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૭૧૭, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૬, અને આ શબ્દો સહીહ મુસ્લિમના છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: "અલ્ કિદાહું કાફ પર ઝેર પઢતા, એક એવી લાકડી, જેના વડે તીરને સીધી કરવામાં આવે, અર્થાત્, સફને એટલી સીધી કરવી, જોઈએ જેવું કે એક તીર ચલાવનાર તીરને ખૂબ સીધો કરતો હોય છે; અત્યંત બરાબર કરવા અને સીધી કરવા માટે" ([૮૯]). () શર્હુ સહીહ મુસ્લિમ લિન્ નવવી: ૪/૧૫૭.

૩- પાછળ પઢનાર મુસ્લીઓને પહેલી સફ પુરી કરવાનો આદેશ આપવો જોઈએ, ત્યારબાદ તેના પછીની સફો પૂરી કરવાનો આદેશ આપવો જોઈએ, છેલ્લી સફમાં જગ્યા હોય તો રહેવા દેવી; આપ ﷺના કહેવા પ્રમાણે: «જે પ્રમાણે ફરિશ્તાઓ પાલનહાર સામે સફબંધી કરે છે, તે પ્રમાણે તમે સફબંધી કેમ નથી કરતા?» અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ! ફરિશ્તાઓ પોતાના પાલનહાર સમક્ષ કંઈ રીતે સફ કરે છે? તો નબી ﷺએ કહ્યું: «તેઓ પહેલી સફને પુરી કરે છે અને એકબીજાના ખૂબ નજીક ઉભા રહે છે» ([૯૦]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૦, જાબિર બિન સમુરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ માંથી.

૪- નમાઝમાં તિલાવત કરવામાં પણ આપ ﷺનો તરીકો અપનાવવો, ફજર નમાઝમાં ઘણી વખત આપ ﷺ તિવાલે મુફસ્સલ પઢતા હતા, મગરિબમાં કિસારની તિલાવત કરતા અને ઇશા તેમજ ઝોહર અસરમાં અવસતની તિલાવત કરતા હતા, સુલૈમાન બિન યસાર રિવાયત કરે છે કે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: «આપ ﷺ કરતા સરળ અને સંપૂર્ણ નમાઝ મેં કોઈની પાછળ નથી પઢી, સુલૈમાને કહ્યું: ઝોહરની નમાઝમાં પહેલી બે રકઅત લાંબી પઢાવતા અને બીજી બે રકઅત નાની પઢાવતા, અસરની નમાઝ હલકી પઢાવતા હતા, મગરિબની નમાઝમાં કિસારે મુફસ્સલ્ માંથી કોઈ સુરહ પઢાવતા, ઇશાની નમાઝમાં અવસ્ત સૂરતો માંથી પઢાવતા હતા, અને ફજરની નમાઝમાં તિવાલે મુફસ્સલ માંથી પઢાવતા હતા» ([૯૧]). () આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરે છે, હદીષ નંબર: ૯૮૨, અને હાફિઝ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ "બુલૂગુલ્ મુરામ"માં હદીષ નંબર: ૨૮૬, કહ્યું: આ હદીષનો દરજ્જો સહીહ છે.

અને તિવાલે મુફસ્સલ: સૂરે હુજુરાતથી લઈ કે સૂરે બુરુજ સુધી, અને અવસત સૂરતો: સૂરે બુરુજ થી સૂરે બૈયિનહ સુધી, અને કિસાર સૂરતો: સૂરે બૈયીનહ થી લઈ કુરઆનની છેલ્લી સુરત સુધી([૯૨]). () જુઓ: મિરકાતુલ્ મફાતિહ: ૨/૭૦૦.

દસમો વિષય: ઇમામના લક્ષણો:

મસ્જિદનો ઈમામ મસ્જિદનો પાયો અને તેની તાકાત છે, મસ્જિદ ઇસ્લામની દઅવત ફેલાવવા, અને સમાજમાં જાગૃત્તા લાવવા, અને લોકોને દીન (ધર્મ)ની વાતોનો આદેશ આપવાનો એક સ્ત્રોત છે, જો ખુતબો આપનાર આલિમ, બુદ્ધિશાળી, અને હિકમતવાળો હોય અને લોકોની સ્થિતિ સારી રીતે જાણતો હોય, તો તેની વાતનો અસર મસ્જિદની જમાઅત અને તે મહોલ્લો, જેમાં મસ્જિદ આવેલી છે ત્યાંના લોકોને શિખામણ આપવા અને માર્ગદર્શન આપવામાં વધુ ફાયદાકારક થશે, અને તે તેમને દરેક પ્રકારની નેકી તરફ દોરી જશે.

અને આ જ સ્થિતિ ઇસ્લામની શરૂઆતમાં ઈમામોની હતી, અને નબી ﷺ પોતે પણ ઈમામ હતા, તેમના પછી (ખુલફાએ રાશિદીન(સત્યનું માર્ગદર્શન આપનાર તેમના અનુયાયીઓ), ફરી મુસલમાનોના શાસકો, માર્ગદર્શકો, આલિમો, અને અન્ય લોકો, આ વાતથી જાણવા મળે છે કે ઈમામ ઇસ્લામ દીન (ધર્મ), નાગરિક, જ્ઞાન અને અખ્લાક બાબતે ઉચ્ચ દરજ્જાનો હોવો જોઈએ.

એવી રીતે લોકોના જીવનમાં તેના ચારિત્ર્યની મહત્ત્વતા સ્પષ્ટ થઈ જશે; કારણકે ઇમામની ગુણવત્તા અને નબળાઈ બન્ને સમાજ પર જાહેર થાય છે, કારણકે મસ્જિદ તે જગ્યા છે, જ્યાંથી લોકોને જોડવાનું અને તેમને શિક્ષા આપવાનું કામ થાય છે, જો તે ઇમામ ઇલ્મ અને બુદ્ધિમાં કમજોર હોય અથવા ખરાબ અખ્લાક અને વ્યવહારવાળો હશે, તો તે નુકસાનકારક છે અને તેનાથી કોઈને ફાયદો નહીં પહોંચે, અને ઇમામનો હેતુ નમાઝ પઢવા આવનાર લોકોને નેકી, ભલાઈ અને સુધારા તરફ આકર્ષિત કરવાનો હોય છે, તો અજ્ઞાની ઇમામ માટે આ મિશન અને હેતુ પ્રાપ્ત કરવો અશક્ય છે.

અને ઇમામ ઇલ્મ અને પોતાની ગુણવત્તાના આધારે આ હેતુ અને શરતો પુરી કરી શકતો હોવો જોઈએ, પરંતુ જો તે અન્ય કામોમાં વ્યસ્ત રહે, જે તેના મૂળ કાર્ય ઇમામતને અસર કરી શકતું હોય અને તે નમાઝ માટે સમયસર પહોંચી શકતો ન હોય, તેને એટલો સમય નથી મળતો કે નમાઝમાં જે સૂરતો પઢવાની છે, તેને યાદ કરી શકે, અને આપણે તેને જોઈએ છે તે ફક્ત ખાસ અને નક્કી જ સૂરતો પઢાવતો હોય છે, અને તે સિવાય અન્ય સૂરતો પઢાવતો નથી.

અને મનેચ્છા, અજ્ઞાનતા, તકરાર અને નિંદનીય ઉગ્રવતા જેવા ઝહેરીલા તત્વો તેનામાં આવી જાય છે અને ઇમામના જે હેતુઓ જેમકે: શિક્ષા, તાલીમ, હિકમત ને પૂરા પાડી શકતો નથી.

અને ખરેખર ઇસ્લામ દીનમાં મસ્જિદનો એક મહત્વનો અસર હોય છે; કારણકે તે માર્ગદર્શનનું સ્થાન છે, જ્યાંથી બંદો પોતાના પાલનહાર સાથે જોડાય છે, જ્યાંથી તેનું ઈમાન મજબૂત થાય છે, અને ત્યાંથી તે પોતાના ભાઈઓ સાથે મળીને નેકીને ફેલાવવા અને બુરાઈઓને રોકવાના કામમાં મદદરૂપ થાય છે, અને મસ્જિદ ફક્ત ત્યારે જ આ ભૂમિકા નિભાવી શકે છે, જ્યારે અલ્લાહ મસ્જિદને એક એવો ઈમામ આપે, જે આ મહાન પદ પર બિરાજમાન થવાની દરેક જરૂરી લાક્ષણિકતા જેમકે જ્ઞાન અને સારા અખ્લાક અને વ્યવહાર ધરાવતો હોય, અને આ મહાન કાર્યને પૂરો કરનાર હોય.

ઈમામો માટે અગત્યની ઇલ્મી લાયકાતો:

૧- ફક્ત અલ્લાહ માટે અમલ કરે; જેથી તેઓ અલ્લાહની મદદ, મોહબ્બત, લોકપ્રિયતા પ્રાપ્ત કરી શકે.

૨- રિયા અને દેખાડા અને બડાઈથી દૂર રહે; કારણકે કાર્યોના હેતુઓ હોય છે, કાર્યોનો આધાર નિયત પર નિર્ભર છે, અને દરેક વ્યક્તિને તે જ મળે છે, જેની તે નિયત કરે છે, અને જે વ્યક્તિ પણ કોઈ એવા ગુણનો દાવો કરે, જે તેનામાં નથી તો અલ્લાહ તેને અપમાનિત કરશે.

૩- અને ઈમામ કુરઆન મજીદનો હાફિઝ હોવો જોઈએ, અથવા તેને જરૂરત પ્રમાણે તેને કુરઆન યાદ હોવુ જોઈએ, અને તેણે જે કઈ પણ યાદ કર્યું હોય, તેને તે નિયમિત રૂપે પઢતો હોય, અને દરરોજ કુરઆનનો દોર કરતો રહે.

૪- અને તેણે રિયાઝુસ્ સાલિહીન અથવા અરબઈને નવવી અથવા બુલૂગુલ્ મરામ જેવી અન્ય હદીષોની કિતાબ માંથી હદીષો યાદ કરી હોય.

૬- તેણે સાચો ઇસ્લામી અકીદો શીખ્યો હોય, જે સલફે સાલિહીન (પાછલા નેક લોકો)નો અકીદો છે.

૬- દીનના દરેક આદેશોનું તેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, ખાસ કરીને ઈબાદતોના આદેશોનું જ્ઞાન, જેમાં, પાકી સફાઇ, નમાઝ, ઝકાત, રોઝા વગેરે જેવી ઈબાદતોને લગતા આદેશો હોય; કારણકે તે કમાણી અને ખર્ચ કરવાના નિયમો જાણી અને લોકોને છેતરપિંડી, ધોખો તેમજ અન્યના માલને અયોગ્ય રીતે હડપી લેવાથી સચેત કરે, એવી જ રીતે તે લોકોને વ્યર્થ માલ વેડફવા, કંજૂસી કરવા પર પણ સચેત કરે, અહીં સુધી કે તેમના નાણાકીય વ્યવહારો કુરઆન હદીષ પ્રમાણે થઈ જાય.

૭- તે અરબી ભાષાનો જાણકાર હોવા જોઈએ, જેથી તે શબ્દોના અર્થ જાણી શકે, જે અલ્લાહએ પોતાના પયગંબર ﷺ પર ઉતાર્યા છે, અને કુરઆન અરબી ભાષામાં ઉતારવામાં આવ્યું છે.

૮- તે પયગંબર ﷺનું જીવનચરિત્ર, અને તેમના ગુણો તેમજ સલફે સાલિહીનનું જીવનચરિત્ર વાંચતો હોય; કારણકે તેમાં તેના માટે એક ઉદાહરણ અનુકરણીય રોલ મોડલ, ફાયદાકારક વિદ્વતાપૂર્ણ જ્ઞાન અને ઉચ્ચ સ્તરની ઇસ્લામિક સંસ્કૃતિનું ઇલ્મ છે.

૯- તેના શહેરના આલિમો તેને જાણતા હોય અને અન્ય આલિમો પણ તેને જાણતા હોય, જેઓ પોતાના ઇલ્મ, અકીદા અને બુદ્ધિશાળી હોવામાં વિખ્યાત હોય, અને તેણે દીનની દરેક બાબતોમાં આવતી પરેશાનીઓ તેમની તરફ રજૂ કરવી જોઈએ.

૧૦- તે ઇસ્લામી દીન અને તેના અકીદા અને માન્યતાઓ, સિદ્ધાંતો અને બૌદ્ધિક હેતુઓ અને વિચારધારાઓ તેમજ ઉદ્દેશ્યો વિષે જાણતો હોય, અહીં સુધી કે તે અલ્લાહની કિતાબ કુરઆન મજીદ અને નબી ﷺની સુન્નત અને આલિમોએ લખેલી કિતાબો દ્વારા તેમની સાથે વાતચીત કરી તેમની માન્યતાને અયોગ્ય ઠેહરાવવાની લાયકાત ધરાવતો હોય.

૧૨- મીડિયાના અલગ અલગ માધ્યમનો જાણકાર અને તેના ફાયદા તેમજ નુકસાનકારક બાબતોને જાણતો હોવો જોઈએ, તેથી તેના વડે તે લોકોને અલ્લાહ તરફ દઅવત આપવાના ફાયદો ઉઠાવી શકે, અને તે દરેક વાતોથી સચેત કરે, જે તેના માટે અને સમાજ માટે નુકસાનકારક હોય.

જ્યારે મસ્જિદના ઇમામમાં આ દરેક ગુણો હશે, તો તેના વડે દીન પર અડગ રહેવાની તૌફીક અને સંતુલન નસીબ થશે, ઇન્ શાઅ અલ્લાહ.

ઈમામત કરનારના મૂળ નૈતિક ગુણો:

૧- મસ્જિદના ઇમામે મસ્જિદમાં આવતા લોકો અને મહોલ્લામાં રહેતા લોકોને દીન તરફ લોકોને માર્ગદર્શન આપનાર અને એક શિક્ષક જેવું હોવુ જોઈએ, તેમજ તેણે અલ્લાહના પયગંબર ﷺના કહેવા પ્રમાણે એક આદર્શ વ્યક્તિ હોવું જોઈએ અને એક નેક નમૂનો અને એક સારું ઉદાહરણ બનવું જોઈએ, અને નબી ﷺ કોમના દરેક શાસક માટે એક આદર્શ છે, જેમકે અલ્લાહ તઆલાએ કહ્યું: {(મુસલમાનો) નિ:શંક તમારા માટે પયગંબર શ્રેષ્ઠ આદર્શ છે, તે દરેક વ્યક્તિ માટે, જેઓ અલ્લાહ તઆલા અને કયામતના દિવસ પર ઈમાન ધરાવતપ હોય અને અલ્લાહને ખૂબ યાદ કરતો હોય.21}. [અલ્ અહઝાબ: ૨૧].

અને તે પોતાને અને મસ્જિદમાં આવનાર દરેક લોકોને દુનિયા અને રાજકારણની દરેક વાતોથી દૂર રાખે, અને મસ્જિદને ઇલ્મ (જ્ઞાન) અને ઈબાદત સુધી સીમિત રાખે.

૨- તે પોતે સ્વચ્છ હોય, અને મસ્જિદની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખતો હોય, મસ્જિદના સામાનની વ્યવસ્થા અને તેની દરેક સુવિધાઓની કાળજી રાખનાર હોય, અને તે દરેક વ્યર્થ અને નકામી સજાવટથી બચતો હોય.

૩- તેના અખ્લાક અને દેખાવ પણ સારો હોવો જોઈએ, અને તે નબી ﷺની દરેક સુન્નતોનું પાલન કરતો હોય, જેમકે દાઢી રાખવી, મૂછો કાપવી, અને સાથે સાથે કપડાં ઘૂંટી નીચે લટકાવવાથી પણ બચતો હોય, અને તે ગૌરવ અને શાંતિને પણ જાણવી રાખે, અને સલફે સાલિહીન (પ્રામાણિક પુરોગામીઓ) રહિમહુમુલ્લાહ નું અનુસરણ કરનાર હોય.

૪- ઇમામે સૌમ્ય, દયાળુ અને દોસ્ત માફક રહેવું જોઈએ; કારણકે નરમી જે કઈપણ વસ્તુમાં હોય છે, તે તેને સુંદર બનાવે છે, અને જે વસ્તુમાંથી પણ નરમી કાઢી નાખવામાં આવે છે તે તેને કદરૂપુ બનાવી દે છે, જમકે હદીષમાં વર્ણન કરવામાં આવ્યું; આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «નરમી જે કંઈ પણ વસ્તુમાં હોય,તે તેને સુંદર બનાવે છે, અને જે વસ્તુ માંથી પણ નરમી કાઢી નાખવામાં આવે તો તે તેને કદરૂપુ બનાવી દે છે» ([૯૩]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૫૯૪.

મસ્જિદમાં આવનાર વ્યક્તિથી ભૂલચૂક થઈ જાય, તો ઇમામે તેને ઠપકો ન આપવો જોઈએ, પરંતુ તેને નરમી સાથે નસીહત કરી અને સારા અંદાજમાં તેને શિક્ષા આપવી જોઈએ. મુઆવીયહ બિન હકમ અસ્ સુલ્લમિ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું અલ્લાહના પયગંબર ﷺ સાથે નમાઝ પઢી રહ્યો હતો; તો લોકોમાંથી એક વ્યક્તિને છીંક આવી, તો મેં કહ્યું: "યર્હમકુમુલ્લાહ (અલ્લાહ તમારા પર રહેમ કરે)" લોકો મને અણગમતી નજરે જોવા લાગ્યા, તો મેં દિલમાં કહ્યું: મારી માતા મને ગુમાવી દે, તમને સૌને શું થઈ ગયું છે, અને તેઓ પોતાના હાથ પોતાની જાંઘો પર મારવા લાગ્યા, જ્યારે મેં જોયું કે તે લોકો મને ચૂપ કરવાની કોશિશ કરી રહ્યા છે (તો મને આશ્ચર્ય થયું) પરંતુ હું ચૂપ રહ્યો, જ્યારે નબી ﷺ નમાઝ પઢી રહ્યા, મારા માતા પિતા તેમના પર કુરબાન થાય, મેં નબી ﷺ જેવા શિક્ષક પહેલા અને ન પછી જોયા છે, અલ્લાહની કસમ! ન તો તેમણે મને કંઈ કહ્યું, ન ઠપકો આપ્યો, અને ન તો મને માર્યો, અને કહ્યું: «નમાઝમાં વાતચીત કરવી જાઈઝ નથી; કારણકે આ નમાઝ તસબીહ (અલ્લાહની પવિત્રતા વર્ણન કરવી) અને તકબીર (અલ્લાહની મોટાઈ વર્ણન કરવી) અને કુરઆનની તિલાવત કરવાનું નામ છે» ([૯૪]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૩૭.

૫- ઇમામ નરમ દિલ હોવો જોઈએ; જેથી તે લોકોને પોતાની જોડે એકઠા કરી શકે, તેમજ લોકો તેના ઇલ્મ, મદદ અને નરમીથી ફાયદો ઉઠાવી શકે, અને તેમની મુશ્કેલીઓ અને પરેશાનીઓમાં તેમનો સાથ આપે, અને મસ્જિદને લગતી બાબતોમાં તેમની સાથે સલાહ સૂચન કરે.

અને અલ્લાહના પયગંબર ﷺ દરેક બાબતોમાં સૌથી ઉચ્ચ દરજ્જાના હતા, જેમકે અલ્લાહ તઆલાએ તેમના વિષે કહ્યું: {અલ્લાહ તઆલાની દયાના કારણે તમે (હે પયગંબર) તેઓ પર નમ્રતા દાખવો છો અને જો તમે ખરાબ જબાન અને સખત હૃદયના હોત તો આ સૌ તમારી પાસેથી છૂટી જતા, એટલા માટે તમે તેઓને માફ કરો અને તેઓ માટે માફી માંગતા રહો અને કાર્યની સલાહ-સુચન તેઓથી લેતા રહો, પછી જ્યારે તમારો મજબુત નિર્ણય થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિંશંક અલ્લાહ તઆલા ભરોસો કરનારને પસંદ કરે છે.159}. [આલિ ઇમરાન: ૧૫૯].

૬- ઇમામે સબર અને યકીન જેવા ઉચ્ચ ગુણો અપનાવવા જોઈએ; તેમજ સાચું બોલવું જોઈએ, જેથી તે પોતાની મસ્જિદ અને સમાજમાં જવાબદાર બનવાને લાયક બની શકે; કારણકે સબર (ધીરજ) અને યકીન બંને એક બંદાને દીનમાં ઈમામતના દરજ્જા સુધી પહોંચાડે છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {અને જ્યારે તે લોકોએ (મુસીબત પર) સબર કર્યું, તો અમે તે લોકો માંથી એવા નાયબ બનાવ્યા જેઓ અમારા આદેશ દ્વારા લોકોને સત્ય માર્ગ પર બોલાવતા હતા અને તેઓ અમારી આયતો પર ઈમાન ધરાવતા હતા.24}. [અસ્ સજદહ: ૨૪].

૭- અને ઈમામ સાચું બોલનારા લોકોમાંથી હોવો જોઈએ, ભલેને તે જુમ્માનો ખુતબો હોય, અથવા નસીહતનો દરસ આપી રહ્યો હોય અથવા લોકો સાથે વાતચીત કરતો હોય, સાચું બોલે; કારણકે સાચા અને માર્ગદર્શન પામેલ, બન્ને સફળ થનારા લોકો માંથી હશે; કારણકે નબી ﷺ ની હદીષમાં છે કે નબી ﷺએ કહ્યું: «સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે*, માનવી હંમેશા સાચું બોલતો રહે છે, અને હમેંશા સાચું બોલવાનો જ ઇરાદો રાખતો હોય છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને સિદ્દીક (ખૂબ સાચો) લખી દેવામાં આવે છે, એવી જ રીતે જૂઠ બોલવાથી સંપૂર્ણ રીતે બચો; કારણકે જૂઠ ગુનાહ (પાપ) તરફ માર્ગદર્શન આપે છે, અને પાપ તમને જહન્નમ તરફ લઈ જશે, માનવી હંમેશા જૂઠ બોલતો રહે છે, અને હંમેશા જૂઠ બોલવાનો જ ઇરાદો રાખે છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને કઝ્ઝાબ (ખૂબ જુઠ્ઠો) લખી દેવામાં આવે છે» ([૯૫]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહ એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૦૯૪, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૬૦૭, અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુની હદીષ પ્રમાણે.

જૂઠ એક બુરાઈ અને બીમારી છે, તેમજ સૌથી મોટું જૂઠ અલ્લાહ વિશે કહેવું, અલ્લાહ વિશે કોઈ વાત ઇલ્મ વગર કહેવી, અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે તેમને કહી દો કે મારા પાલનહારે જે વસ્તુ હરામ કરી છે, તે આ પ્રમાણે છે, અશ્લીલ કાર્યો, ભલેને જાહેરમાં હોય કે છુપી રીતે હોય, અને ગુનાહના કાર્યો અને અત્યાચાર કરવાને અને એ કે તમે અલ્લાહના ભાગીદાર ઠહેરાવો, જેના માટે તેણે કોઈ પુરાવો નથી ઉતાર્યો અને એ કે તમે અલ્લાહ વિશે એવી વાતો કહો, જેની તમને જાણ નથી.33}. [અલ્ અઅરાફ: ૩૩].

આ આયતમાં દરેક મોટા ગુનાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે નાનાથી શરૂ થઈ મોટું સ્વરૂપ લઈ લે છે અને સૌથી મોટો ગુનોહ એ કે અલ્લાહ વિશે ઇલ્મ વગર તેના નામો અને ગુણો અને શરીઅત વિશે કોઈ (જૂઠી) વાત કહેવી.

અને અલ્લાહના પયગંબર ﷺ પર જૂઠ બાંધવું એ પણ સૌથી મોટો અને સૌથી ખરાબ ગુનોહ છે, અને તે કબીરાહ ગુનાહો માંથી છે, જેના કારણે બંદાને જહન્નમની ચેતના આપવામાં આવી છે કારણકે મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુ ની હદીષ છે કે તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «ખરેખર મારા પ્રત્યે જૂઠ બાંધવું લોકો પ્રત્યે જૂઠ બાંધવા બરાબર નથી, અને જે વ્યક્તિ મારી તરફથી જાણી જોઈને જુઠ્ઠું કહેશે, તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે» ([૯૬]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૨૯૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪.

અને તેણે જૂઠથી સંપૂર્ણ રીતે બચવું જોઈએ, ભલેને તે સારી નિયત અને સારા હેતુથી ભલાઈનો આદેશ આપવા માટે પણ કેમ ન હોય, જેમકે કેટલાક પ્રવચકો કરતા હોય છે; કારણકે આ એક ખરાબ કામ છે, જેમાં કોઈ ભલાઈ અને માર્ગદર્શન નથી, અને કેહવાવાળો જૂઠો અને ગુનેગાર છે, અને તેને કોઈ સવાબ નહીં મળે, અને તેના કહેવાનો કોઈ ફાયદો નહીં થાય.

૮- અને તે વાત નકલ કરવામાં અમાનતદાર હોવો જોઈએ, અને ખબરોની પુષ્ટિ કરે તેમજ જૂઠી ખબરોને અપનાવવામાં જલ્દી ન કરે, અને સાચી વાત સિવાય અન્ય વાત પર ભરોસો ન કરે, અને ખરેખર અલ્લાહ તઆલાએ આપણને પોતાની આયતમાં આજ વાતનો આદેશ આપતા કહ્યું: {હે ઇમાનવાળાઓ! જો તમને કોઇ પાપી ખબર આપે તો તમે તેને સારી રીતે તપાસ કરી લો, એવું ન થાય કે અજાણમાં કોઇ કોમને નુકસાન પહોંચાડી દો, પછી તમને પોતાના કર્યા પર પસ્તાવો થાય.6}. [અલ્ હુજુરાત: ૬].

૯- ઈમામ લોકોની વાતો અને તેમના ભેદને છુપાવે, બસ જે વ્યક્તિ મુસલમાનોના ભેદ છુપાવશે, તો અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેના ભેદ છુપાવશે, અને જે કોઈ મુસ્લિમોના દોષોને અનુસરે, તો અલ્લાહ તેના દોષોનું પાલન કરશે જ્યાં સુધી તે તેને ખુલ્લા ન કરી દે, અહીં સુધી કે તેના ઘરમાં પણ જાહેર ન કરી દે, અને અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિ મુસલમાનોના ભેદને છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે» (૯૭).અબૂ બરઝહ અસ્લમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺ એ કહ્યું: «હે લોકો! જેઓ ફક્ત જબાન વડે તો ઇમાન લઈ આવ્યા છો, પરંતુ હજુ સુધી તેમના દિલોમાં ઇમાન દાખલ નથી થયું, મુસલમાનોની નિંદા ન કરો અને ન તો તેઓની ખામીઓ શોધો, જે વ્યક્તિ તેમની ખામીઓ શોધશે, તો અલ્લાહ તઆલા તેની ખામીઓ ખૂબ સારી રીતે જાણે છે, અને અલ્લાહ અહીં સુધી તેની ખામીઓ પાછળ રહેશે કે તેના ઘરમાં પણ તેની ખામીઓ જાહેર કરી દેશે» ([૯૮]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૪૪૨, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૫૮૦. () આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૮૮૦, આ વિષે વધુ જાણવા માટે જુઓ, શૈખ સઊદ બિન મુહમ્મદ અલ્ બશરની કિતાબ "ઈમામુલ્ મસ્જિદ મુકવ્વિમાતુહુ અલ્ ઇલ્મિયહ વલ્ ખુલ્કિયહ".

ત્રીજું પ્રકરણ : શુક્રવારની નમાઝ અને તેનો ખુતબો

પહેલો વિષય: શુક્રવારની નમાઝ

પહેલી બાબત: શુક્રવારની નમાઝનો અર્થ અને તેનો સમય

પહેલું: શુક્રવારની નમાઝનો અર્થ

શુક્રવાર: અઠવાડિયાનો એક દિવસ, જેમાં એક ખાસ નમાઝ પઢવામાં આવે છે, તેને શુક્રવારની નમાઝ કહે છે ([૯૯]). () જુઓ: "મુઅજમ લુગતુલ્ ફુક્હાઅ" મુહમ્મદ રવ્વાસ કલ્અજી અને અન્ય લોકો દ્વારા તૈયાર કરેલ, પેજ નંબર: ૧૬૬.

આ અલ્લાહની મોટી કૃપા છે કે તેણે આ કોમ માટે શુક્રવારના દિવસને મહત્વનો બનાવ્યો; કારણકે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «આપણે દુનિયામાં દરેક ઉમ્મતો કરતા છેલ્લા આવ્યા હોવા છતાંય, કયામતના દિવસે (અન્ય કોમોથી) આગળ રહીશું, પહેલાની કોમોને આપણાં પહેલા પુસ્તક આપવામાં આવી હતી, અને આપણને તેમના પછી, આ (શુક્રવાર)નો દિવસ તેમનો પણ હતો, જેવી રીતે તમારા પર ફર્ઝ કરવામાં આવ્યો છે, પરંતુ તેઓએ આ દિવસ વિષે મતભેદ કર્યો, તો અલ્લાહએ આ દિવસનું માર્ગદર્શન આપણને આપ્યું, જેથી દરેક લોકો આપણી હેઠળ હશે, યહૂદીઓ માટે બીજો (શનિવાર) નોદિવસ, અને ઈસાઈઓ માટે ત્રીજો (રવિવાર) નો દિવસ» ([૧૦૦]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૭૬, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૫૫.

શુક્રવારનો દિવસ તે દરેક દિવસોમાં સૌથી શ્રેષ્ઠ છે, જેમાં સૂરજ નીકળે છે; કારણકે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «સૌથી ઉત્તમ દિવસ જેમાં સૂરજ નીકળે છે, તે શુક્રવારનો દિવસ છે, તે દિવસે આદમ અલૈહિસ્ સલામને પેદા કરવામાં આવ્યા, તે જ દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપવામાં આવ્યો, અને તે જ દિવસે તેમને ત્યાંથી કાઢવામાં આવ્યા» ([૧૦૧]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૫૪.

સતત બે જુમ્માની નમાઝ પઢવાથી, તે બન્ને દરમિયાન થયેલા (સગિરહ) ગુનાહ માફ કરી દેવામાં આવે છે, કારણકે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺ કહે છે: «પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી, તે દરમિયાન થયેલા ગુનાહોનો કફ્ફ઼ારો (પ્રાયશ્ચિત) બને છે, શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે» ([૧૦૨]). () આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૩૩.

શુક્રવારની નમાઝ એક અલગ નમાઝ છે, અને તે સંખ્યામાં ઝુહરની નમાઝ વિરુદ્ધ છે, તેમાં કિરાઅત, અને ખુતબો શામેલ હોય છે, અને તેની શરતો પણ અલગ છે, પરતું બંને સમયમાં એક સમાન છે.

બીજું: જુમ્માની નમાઝનો સમય:

જુમ્માની નમાઝનો સમય ઝુહરની નમાઝનો સમય છે, આ સમય સૂરજ જ્યારે ઢળી જાય ત્યારથી લઈને કે કોઈ વસ્તુનો પડછાયો તેની લંબાઈ સુધી ન આવી જાય ત્યાં સુધી હોય છે, અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષના આધારે, કે નબી ﷺ જ્યારે સૂરજ ઢળી જતો ત્યારે જુમ્માની નમાઝ પઢતા ([૧૦૩]). અર્થાત્: જ્યારે સૂરજ પશ્ચિમ તરફ નમી જતો, અને મધ્ય આકશેથી સહેજ હટી જતો, અને તે જ ઝુહરની નમાઝનો સમય છે. () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૦૪.

બીજી બાબત: જુમ્માની નમાઝનો હુકમ અને જુમ્માની નમાઝ કોના પર વાજિબ (જરૂરી) છે?

પહેલું: જુમ્માની નમાઝનો હુકમ:

જુમ્માની નમાઝ પુરુષો માટે વ્યક્તિગત રીતે ફરજ છે, જેમકે પવિત્ર અલ્લાહએ કહ્યું: {હે ઇમાનવાળાઓ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના ઝિકર તરફ ભાગો અને લે-વેચ છોડી દો, આ તમારા માટે ખૂબ જ ઉત્તમ છે, જો તમે જાણતા હોવ.9}. [અલ્ જુમઅહ: ૯]. અબ્દુલ્લાહ બિન ઉમર અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુમાં (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે કે તે બન્ને સહાબીએ નબી ﷺને મિમ્બર પર ઊભા રહી કહેતા સાંભળ્યા: «ખબરદાર ! લોકો જુમ્માની નમાઝ ન પઢવા પર સચેત થઈ જાવ, નહીં તો અલ્લાહ તઆલા તેમના હ્રદય પર મહોર લગાવી દેશે, અને તેઓ ગાફેલ લોકો માંથી બની જાશે» ([૧૦૪]). () આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૬૫.

જુમ્માની નમાઝ વાજિબ હોવા પર દરેક મુસલમાનો એકમત છે, ઈમામ ઈબ્ને મુન્ઝિર રહિમહુલ્લાહ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ કહ્યું: "જુમ્માની નમાઝ પુખ્તવય, આઝાદ, રહેવાસી અને જેની પાસે કોઈ યોગ્ય (શરઇ) કારણ ન હોય તેમના પર વાજિબ (અનિવાર્ય) હોવા પર દરેક લોકો એકમત છે" ([૧૦૫]). () અલ્ ઈજમાઅ: પેજ નંબર: ૪૦.

બીજું: કોના માટે જુમ્માની નમાઝ જરૂરી છે?

જુમ્માની નમાઝ દરેક આઝાદ, પુખ્તવય, બુદ્ધિશાળી, અને જે મસ્જિદ આવી શકતો હોય, અને રહેવાસી હોય, તેમના પર વાજિબ (અનિવાર્ય) છે, ગુલામ, સ્ત્રી, બાળક, અથવા પાગલ, અને બીમાર તેમજ મુસાફર પર વાજિબ (જરૂરી) નથી, કારણકે એક હદીષ જેને તારિક બિન શિહાબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «ગુલામ (નોકર), સ્ત્રી, બાળક અને બીમાર, આ ચાર વ્યક્તિ સિવાય દરેક મુસાલમાનો પર જુમ્મા (શુક્રવાર)ની નમાઝ વાજિબ (જરૂરી) છે» ([106]). () આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૦૬૭.

અને વાત કરીએ મુસાફર વ્યક્તિની, તો તેના માટે જુમ્માની નમાઝ વાજિબ (અનિવાર્ય) નથી; કારણકે કે નબી ﷺ પોતાના સફરોમાં જુમ્માની નમાઝ પઢતા ન હતા, અને જ્યારે હજના સમયે અરફાનો દિવસ જુમ્માનો દિવસ આવ્યો તો પણ નબી ﷺએ જુમ્માની નમાઝ ન પઢી, પરંતુ ઝુહરની નમાઝ પઢી તેને પણ અસરની નમાઝ સાથે ભેગી કરીને પઢી.

અને ઈમામ ઇબને મુન્ઝિર રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ આ બાબતે આલિમોની ઈજમાઅ (એકમત) વર્ણન કરતાં કહ્યું: આ બાબતે આલિમો એકમત છે કે બાળકો અને સ્ત્રીઓ પર જુમ્માની નમાઝ વાજિબ નથી, અને આલિમો આ વાત ઉપર પણ એકમત છે કે આઝાદ, પુખ્તવય અને રહેવાસી પુરુષ, જેમની પાસે જુમ્માની નમાઝ છોડવાનું કોઈ યોગ્ય કારણ ન હોય તેમના પર જુમ્માની નમાઝ વાજિબ (અનિવાર્ય) છે" ([૧૦૭]). () અલ્ ઈજમાઅ: પેજ નંબર: ૪૦.

અને જો કોઈ ગુલામ (નોકર), સ્ત્રી, બાળક, બીમાર વ્યક્તિ અથવા મુસાફર જુમ્માની નમાઝમાં હાજર થઈ જાય તો તેમની નમાઝ સહીહ ગણાશે, અને તેમણે ફરી ઝુહરની નમાઝ પઢવી નહીં પડે.

એવી જ રીતે રણમાં રહેતા લોકો, જેઓ પાણી અને ચારાની શોધમાં આમ તેમ ફરતા હોય છે, તેમના ઉપર પણ જુમ્માની નમાઝ વાજિબ (જરૂરી) નથી; કારણકે નબી ﷺના સમયે કેટલાક લોકો રણ પ્રદેશમાં શહેરોની આસપાસ રહેતા હતા, પરંતુ તેમને નબી ﷺએ જુમ્માની નમાઝનો આદેશ આપ્યો ન હતો, અને ઈમામ અહમદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "રણ પ્રદેશમાં રહેતા લોકો માટે જુમ્માની નમાઝ ફરજિયાત નથી; કારણકે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતા રહે છે, અને સતત ફરવાના કારણે તેમના પર જુમ્માની નમાઝ ફરજિયાત કરવામાં આવી નથી, પરંતુ જે વ્યક્તિ કોઈ જગ્યાનો રહેવાસી હોય, અને પોતાની ઈચ્છાથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો ન હોય, તો તેને ગામડાનો રહેવાસી સમજવામાં આવશે" ([૧૦૮]). () મજમુઉલ્ ફતાવા: ૨૨/૧૬૬.

જુમ્માની નમાઝ માટે ત્રણ વ્યક્તિનું હોવું જરૂરી છે: એક જે ખુતબો આપે, અને બે લોકો જે ખુતબો સાંભળે; કારણકે અલ્લાહએ કહ્યું; {...અલ્લાહના ઝિકર તરફ ભાગો...} [અલ્ જુમઅહ: ૯]. અહીંયા બહુવચનનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ એ કે કમસે કમ ત્રણ વ્યક્તિ હોવા જરૂરી છે.

ત્રીજી બાબત: જુમ્માની નમાઝ પઢવાનો તરીકો:

જુમ્માની નમાઝ બે રકઅત હોય છે, જેમાં બુલંદ અવાજે કિરાઅત કરવામાં આવે છે; કારણકે નબી ﷺ આ પ્રમાણે જ કરતાં હતા, અને આ વાત પર દરેક આલિમો એકમત છે, ઈમામ ઇબ્ને હઝ્મ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "આ બાબતે દરેક આલિમો એકમત છે કે જ્યારે જુમ્માની નમાઝ દરેક શરતો સાથે પૂર્ણ થઈ જાય, તો તેની બે રકઅત બુલંદ અવાજે કિરઅત કરી પઢવામાં આવશે" ([૧૦૯]). () મરાતિબુલ્ ઈજમાઅ: પેજ નંબર: ૩૩.

અને પહેલી રકઅતમાં સૂરે ફાતિહા અને સૂરે અઅલા પઢવી સુન્નત છે, તેમજ બીજી રકઅતમાં સૂરે અલ્ ફાતિહા અને સૂરે અલ્ ગાશિયહ પઢવી પણ સુન્નત છે, નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ ઈદની બંને નમાઝો અને જુમ્માની નમાઝમાં સૂરે અઅલા અને સૂરે ગાશિયહ પઢતા હતા. ([૧૧૦]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રીવાયત કરી છે, હદીષ નંબર: ૮૭૮.

અથવા પહેલી રકઅતમાં સૂરે ફાતિહા અને સૂરે અલ્ જુમઅહ પઢતા, અને બીજી રકઅતમાં સૂરે ફાતિહા અને સૂરે અલ્ મુનાફિકૂન પઢતા, ઈબ્ને અબીર્ રાફીઅ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મરવાને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ને મદિનહના ગવર્નર બનાવ્યા અને તેઓ મક્કા તરફ નીકળ્યા, તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ અમને જુમ્માની નમાઝ પઢાવી, તો પહેલી રકઅતમાં સૂરે જુમઅહ અને બીજી રકઅતમાં સૂરે અલ્ મુનાફિકૂનની તિલાવત કરી, જ્યારે તેઓ નમાઝ પઢી જવા લાગ્યા, તો મેં અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) સાથે મુલાકાત કરી, અને તેમને કહ્યું: તમે જે બન્ને સૂરતો પઢી, તે જ બન્ને સૂરતો અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) પણ કૂફામાં પઢે છે, તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ કહ્યું: મેં સાંભળ્યું છે કે અલ્લાહના પયગંબર ﷺ આ બન્ને સૂરતો જુમ્માની નમાઝમાં પઢતા હતા ([૧૧૧]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રીવાયત કરી છે, હદીષ નંબર: ૮૭૭.

ચોથી બાબત: જુમ્માની નમાઝ ક્યારે પ્રાપ્ત થશે?

ઈમામ સાથે જો એક રકઅત પણ મળી જાય, તો જુમ્માની નમાઝ પ્રાપ્ત થઈ જશે; કારણકે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)ની હદીષ છે, તેઓ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિનને જુમ્મા અથવા અન્ય કોઈ નમાઝની એક રકઅત મળી જાય, તો તેને નમાઝ મળી ગઈ અને તેની નમાઝ પૂર્ણ થઈ જશે» ([૧૧૨]). () આ હદીષને ઈમામ નસઈ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રીવાયત કરી છે, હદીષ નંબર: ૫૫૭.

અને જો તેને એક પણ રકઅતન મળે તો તેને ઝુહરની નમાઝ પઢવી જોઈએ ([૧૧૩]). () જુઓ: અલ્ મુગ્ની લિ ઈબ્ને કુદામહ: ૨/૨૩૧.

અને જેની જુમ્માની નમાઝની એક રકઅત છૂટી જાય અને એવી સ્થિતિમાં આવે કે ઈમામ બીજી રકઅતમાં રુકૂઅ અથવા તે પહેલાંની સ્થિતિમાં હોય, તો તેની તે રકઅત્ પૂરી થઈ જશે, અને તેને ફક્ત એક જ રકઅતની કઝા કરવી પડશે; કારણકે હદીષ છે: «જેણે નમાઝની એક રકઅત મેળવી લીધી, તો ખરેખર તેણે નમાઝ મેળવી લીધી» ([૧૧૪]). () આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૯૩.

પાંચમી બાબત: જુમ્માની નમાઝ દરમિયાન કેટલાક હરામ અને નાપસંદ કાર્યો:

૧- ઈમામ જ્યારે ખુતબો આપતો હોય ત્યારે વાતચીત કરવી હરામ છે; કારણકે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) દ્વારા સાબિત છે કે નબી ﷺએ કહ્યું: «જુમ્માના દિવસે જ્યારે ઈમામ ખુતબો આપી રહ્યો હોય, તે સમયે જો તમે પોતાના સાથીને કહ્યું: સાંભળો, તો તમે બેકાર કામમાં સપડાઈ ગયા» ([૧૧૫]), અર્થાત્ તમે અમાન્ય અને અસ્વીકાર્ય વાત કરી, જેના કારણે તમે જુમ્માની મહત્ત્વતા ગુમાવી દીધી. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૩૪, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૫૧.

ઈમામ નવવી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "આ હદીષ તે વાતનો પુરાવો છે કે ઈમામ જ્યારે ખુતબો આપતો હોય ત્યારે દરેક પ્રકારની વાતચીત કરવી હરામ છે, નબી ﷺના શબ્દ: "સાંભળો" કહી દરેક પ્રકારની વાતચીત કરવાથી સચેત કર્યા છે, સારી વાત કરવાને પણ જુમ્માની નમાઝમાં વ્યર્થ કહેવામાં આવી છે, તો અન્ય વાતોથી તો વધુ બચવું જોઈએ ([૧૧૬]). () શર્હ મુસ્લિમ: ૬/૧૩૮.

અને આ મનાઈમાં છીંકનાર વ્યક્તિને આ શબ્દો: યર્હમુકલ્લાહ (અલ્લાહ તમારા પર રહેમ કરે) અથવા સલામનો જવાબ આપવો પણ પર શામેલ છે, અને જ્યારે ઈમામ ખુતબો આપી રહ્યો હોય, તો આ પ્રકારના કામોમાં વ્યસ્ત થવું હરામ છે, પરંતુ જ્યારે ઈમામે ખુતબો શરૂ ન કર્યો હોય અથવા બન્ને ખુતબા દરમિયાન વાતચીત કરવી જાઈઝ છે.

પરંતુ નમાઝ પઢનાર અને ખુતબો આપનાર વ્યક્તિ વચ્ચે વાતચીત કરવી જાઈઝ છે, અને તેમાં કોઈ વાંધો નથી, અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: એક વ્યક્તિ જુમ્માના દિવસે દારુલ્ કઝા (ન્યાય કરવાની જગ્યા)ના દ્વારથી દાખલ થયો અને નબી ﷺ ઉભા રહી ખુતબો આપી રહ્યા હતા, તે વ્યક્તિએ નબી ﷺ તરફ ચહેરો કરીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમારો માલ નષ્ટ થઈ ગયો અને રસ્તાઓ બંધ થઈ ગયા છે, તો અમારા માટે અલ્લાહ પાસે દુઆ કરી આપો કે તે અમને વરસાદ આપે, તો અલ્લાહના પયગંબર ﷺએ હાથ ઉઠાવ્યા.. સંપૂર્ણ હદીષ ([૧૧૭]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૬૭, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૯૭.

૨- ખુતબા દરમિયાન અયોગ્ય કાર્યો કરવા, જેમકે: કાંકરીઓ સાથે રમત કરવી, અથવા મોતીઓની માળાનો ઉપયોગ કરવો, અથવા મોબાઈલ ફોનમાં વ્યસ્ત થઈ જવું જેવા કાર્યો હરામ છે; કારણકે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિએ કાંકરીઓ સાથે રમત કરી, તો તેણે વ્યર્થ કાર્ય કર્યું» ([૧૧૮]). આ કાર્યોને વ્યર્થ કહેવાનો હેતુ એ છે કે તે ખુતબો સમજવા અને શાંતિમાં ભંગ કરે છે. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રીવાયત કરી છે, હદીષ નંબર: ૮૫૭.

૩- ખુતબા દરમિયાન લોકોને ઓળંગીને આગળ જવું પણ હરામ છે; કારણકે અબ્દુલ્લાહ બિન યુસ્ર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે, તેમણે કહ્યું; એક વ્યક્તિ જુમ્માના દિવસે ઓળંગીને આવ્યો, અને નબી ﷺ ખુતબો આપી રહ્યા હતા, તો નબી ﷺએ કહ્યું: «બેસી જાઓ, કારણકે તમે નુકસાન પહોંચાડી રહ્યા છો» ([૧૧૯]). () આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૧૧૮.

તે એટલા માટે કે લોકોને ઓળંગીને જવાથી નમાઝ પઢનારને તકલીફ થાય છે, અને તેમને ખુતબો સાંભળવામાં ભંગ પડે છે, પરંતુ જો ઈમામ પોતાની જગ્યાએ પહોંચવા માટે લોકોને ઓળંગીને જાય તો તેમાં કોઈ વાંધો નથી, અથવા અન્ય કોઈ વ્યક્તિ જેને જરૂરત હોય, તે પણ જઇ શકે છે, જેમકે વઝૂ કરવા, અથવા પોતાની સામેની ખાલી સફને ભરવા, વગેરે જેવા કારણે ઓળંગીને જઈ શકે છે.

૪- પહેલા આવી ગયેલ વ્યક્તિને તેની બેસેલી જગ્યાએથી ઉભો કરવો પણ હરામ છે; કારણકે જાબિર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) દ્વારા હદીષ સાબિત છે, તેઓ વર્ણન કરે છે કે નબી ﷺએ કહ્યું: «તમારા માંથી કોઈ પણ જુમ્માના દિવસે પોતાના ભાઈને (નમાઝના સમયે) તેની જગ્યાએથી ઉભો ન કરે, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવું જોઈએ, પરંતુ તમારે એકબીજા માટે જગ્યા બનાવવી જોઈએ» ([૧૨૦]). () આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૧૭૮.

૫- બે વ્યક્તિની વચ્ચે બેસવુ અથવા બંને વચ્ચેથી પસાર થઈ બન્નેને અલગ કરવા પણ મકરુહ (અયોગ્ય) છે; કારણકે સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ કહ્યું; અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિ જુમ્માના દિવસે સ્નાન કરે, ફરી નમાઝ માટે નીકળે અને બે વ્યક્તિ દરમિયાન રસ્તો અલગ ન કરે, ફરી તેના પર જેટલી નમાઝ ફર્ઝ કરવામાં આવી છે, તે પઢે, ફરી જ્યારે ઈમામ આવી જાય તો શાંતિથી ખુતબો સાંભળે, તો તેના પાછળના અને આ જુમ્મા દરમિયાન થયેલા (નાના) ગુનાહ માફ કરી દેવામાં આવે છે» ([૧૨૧]), આ હદીષ દ્વારા જાણવા મળ્યું જે વ્યક્તિ બે લોકોને અલગ કરશે તેને આ માફી પ્રાપ્ત નહીં થાય. () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૧૦.

છઠ્ઠી બાબત: જુમ્માની સુન્નતો:

૧- જુમ્માના દિવસે ફજરની નમાઝમાં સૂરે સજદહ અને સૂરે ઇન્સાન પઢવી સુન્નત છે; કારણકે નબી ﷺ આ બન્ને સૂરતો નિયમિત પઢતા હતા, અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: «નબી ﷺ જુમ્માના દિવસે ફજરની નમાઝમાં સૂરે સજદહ અને સૂરે ઇન્સાન પઢતા હતા»([૧૨૨]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૯૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૮૦.

૨- જુમ્માના દિવસે સ્નાન કરવું, સુન્નતે મુઅકદહ છે; કારણકે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)ની હદીષ છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ જુમ્માની નમાઝ માટે આવે, તો તે ગુસલ (સ્નાન) કરીને આવે» ([૧૨૩]), તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને જે લોકોના શરીર માંથી દુર્ગંધ આવતી હોય, તેમણે તો સ્નાન કરીને જ આવવું જોઈએ. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૭૭, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૪૪.

અને ગુસલ (સ્નાન)નો સમય ફજર પછી થી શરૂ થાય છે, અને જનાબતનું ગુસલ (સ્નાન) જુમ્માના ગુસલ માટે પૂરતું થઈ જશે; કારણકે જુમ્માના દિવસે ગુસલ કરવાનો હેતુ પાકી સફાઇ અને શરીર માંથી ગંદકી અને દુર્ગંધ દૂર કરવાનો છે, અને આ હેતુ જનાબતના ગુસલથી પણ પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ તે જુમ્માના ગુસલની નિયતને જનાબતના ગુસલ (સ્નાન)ની નિયત સાથે ભેગી કરી લે; જેથી તેને તેનો સવાબ મળી જાય.

૩- ખુશ્બુ લગાવવી, પોતાને પાક સફ રાખવો અને શરીર માંથી જે વસ્તુઓને કાઢવી જરૂરી છે, જેમકે નખ કાપવા, નાભી નીચેના વાળ કાપવા, બગલના વાળ ઉખેડવા, મૂછો કાપવી સુન્નત છે; કારણકે સલમાન ફરસી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું; «જે વ્યક્તિએ જુમ્માના દિવસે ગુસલ (સ્નાન) કર્યું, પોતાની શક્તિ પ્રમાણે પાકી સફાઇ પ્રાપ્ત કરી, ફરી માથાના વાળમાં તેલ લગાવ્યું, અને ખુશ્બુ લગાવી, ત્યારબાદ નમાઝ માટે નીકળે અને બે વ્યક્તિ દરમિયાન રસ્તો અલગ ન કરે, ફરી તેના પર જેટલી નમાઝ ફર્ઝ કરવામાં આવી છે, તે પઢે, ફરી જ્યારે ઈમામ આવી જાય તો શાંતિથી ખુતબો સાંભળે, તો તેના પાછળના અને આ જુમ્મા દરમિયાન થયેલા (નાના) ગુનાહ માફ કરી દેવામાં આવે છે» ([૧૨૪]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૧૦.

એવી જ રીતે જુમ્માના દિવસે દાતણનો ઉપયોગ કરવા પર પણ જોર આપવામાં આવ્યું છે; કારણકે અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે, તેમણે કહ્યું: હું સાક્ષી આપું છું કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જુમ્માના દિવસે દરેક પુખ્તવય મુસલમાન પર ગુસલ (સ્નાન) કરવું વાજિબ (અનિવાર્ય) છે, અને દાંત સાફ કરવા સુન્નત છે -અર્થાત્ દાતણ કરવું-, અને જો ખુશ્બુ હોય તો તે પણ લગાવવી સુન્નત છે» ([૧૨૫]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૮૦.

૪- સૌથી સારા કપડાં પહેરવા સુન્નત છે; કારણકે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ(અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે «તેમણે મસ્જિદના દરવાજા પાસે એક રેશમની ચાદર જોઈ, જે વેચવામાં આવી રહી હતી, તો કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું હું આ ચાદર ખરીદી ન લઉં જેથી તમે તેને જુમ્માના દિવસે અને જ્યારે લોકો મળવા આવે ત્યારે પહેરો...» ([૧૨૬]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૮૬, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૦૬૮.

૫- જુમ્માના દિવસે મસ્જિદમાં વહેલા આવવું સુન્નત છે; કારણકે નબી ﷺએ આ વિષે પ્રોત્સાહિત કર્યા છે, અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષમાં છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિ જુમ્માના દિવસે જનાબતનું ગુસલ (સ્નાન) કરે, અર્થાત્: તે સ્નાન જેને જનાબતનું સ્નાન કહેવામાં આવે છે, ફરી જલ્દી મસ્જિદ તરફ નીકળે, તો તેણે એક ઊંટ અથવા ઊંટણીની પોતાના માટે કુરબાની આપી, અને જે બીજી ઘડીએ આવે, તો તેણે એક ગાયની કુરબાની આપી ગણાશે, અને જે ત્રીજી ઘડીએ આવે તો તેણે પોતાના માટે એક સિંગળાવાળા ઘેટાની કુરબાની આપી ગણાશે, અને જે ચોથી ઘડીએ આવે, તો તેણે એક મરઘીની કુરબાની આપી ગણાશે, અને જે પાંચમી ઘડીએ આવે, તો તેણે એક ઇંડાની કુરબાની આપી ગણાશે, બસ જ્યારે ઈમામ આવી પહોંચે, તો ફરિશ્તાઓ ખુતબો સાંભળવા બેસી જાય છે» ([૧૨૭]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૮૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૫૦.

૬- જ્યારે કોઈ વ્યક્તિ જુમ્માના દિવસે મસ્જિદમાં એ સ્થિતિમાં દાખલ થાય કે ઈમામ ખુતબો આપી રહ્યો હોય, તો તે બે રકઅત પઢયા વગર ન બેસે, અને તે બે રકઅત પઢવી સુન્નત છે, અને તે બન્ને રકઅત નાની પઢે; કારણકે ખુતબાની સ્થિતિમાં દાખલ થનાર વ્યક્તિને નબી ﷺએ બે રકઅત પઢવાનો આદેશ આપ્યો, જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: સુલૈલ્ અલ્ ગત્ફાની જુમ્માના દિવસે આવ્યા અને નબી ﷺ ખુતબો આપી રહ્યા હતા, તો તેઓ બેસી ગયા, તો નબી ﷺએ તેમને કહ્યું: «હે સુલૈક ! ઉભા થાઓ અને બે રકઅત પઢો, અને તેને ટૂંકી પઢો» ફરી કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ જુમ્માના દિવસે જુમ્માની નમાઝ માટે આવે, અને ઈમામ ખુતબો આપી રહ્યો હોય, તો તેણે બે રકઅત પઢવી જોઈએ, અને તેને ટૂંકી પઢવી જોઈએ» ([૧૨૮]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૩૦, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૭૫.

૭- જુમ્માના દિવસે સૂરે અલ્ કહફ પઢવી સુન્નત છે; કારણકે અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «જે વ્યક્તિ જુમ્માના દિવસે સૂરે કહફ પઢશે, તો તેના માટે બન્ને જુમ્મા દરમિયાન પ્રકાશ હશે» ([૧૨૯]). () આ હદીષને ઈમામ હાકિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ મુસ્તદરકમાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૩૩૯૨, અને આ હદીષ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) સુધી મૌકૂફ હોવાના કારણે મઅલૂલ દરજ્જો બતાવ્યો છે.

૮- જુમ્માના દિવસે અને રાત્રે ખૂબ જ નબી ﷺ પર દરૂદ મોકલવું સુન્નત છે; કારણકે ઔસ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «તમારા દિવસોમાં સૌથી શ્રેષ્ઠ દિવસ શુક્રવારનો દિવસ છે, બસ તેમાં મારા પર ખૂબ જ દરૂદ પઢો; કારણકે તમારું પઢેલું દરૂદ મને મોકલવામાં આવે છે» ([૧૩૦]). () આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૫૩૧.

૯- જુમ્માના દિવસે ખૂબ જ દુઆઓ કરવી અને તે ઘડીને શોધવી જેમાં દુઆ કબૂલ કરવામાં આવે છે, તે સુન્નત છે; અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી ﷺએ જુમ્માના દિવસનું વર્ણન કર્યું અને કહ્યું: «(જુમ્માના દિવસે) એક ઘડી એવી હોય છે, જેમાં એક મુસલમાન બંદો જ્યારે ઉભો થઈ દુઆ માંગે અને અલ્લાહ પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે, તો તેને અલ્લાહ તે આપી દે છે» ([૧૩૧]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૩૫, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૫૨.

જો કે જુમ્માની દરેક ઘડીમાં, તે દુઆ કબૂલ થવાની આશા રાખે, પરંતુ આશા ત્યારે વધી જાય છે, જ્યારે ઈમામ ખુતબો આપવા માટે મિન્બર પર બેસે છે, અને જ્યાં સુધી નમાઝ ખતમ ન થઈ જાય, અને એવી જ રીતે જુમ્માની છેલ્લી ઘડી પણ છે, જેમાં દુઆ કબૂલ થવાની ખૂબ જ આશા હોય છે, જેમાં એક વ્યક્તિ બેસીને મગરિબની નમાઝની રહ જુએ છે, ભલેને તે મસ્જિદમાં હોય કે ઘરમાં, અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે કે નબી ﷺએ જુમ્માની ઘડી વિષે કહ્યું: «દુઆ કબૂલ થવાનો સમય, જ્યારે ઈમામ ખુતબો આપવા માટે બેસે અને જ્યાં સુધી નમાઝ પૂર્ણ ન થઈ જાય» ([૧૩૨]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૫૩.

સાતમી બાબત: જુમ્માના દિવસે પઢવામાં આવતી નફિલ નમાઝો:

જુમ્માના દિવસે જુમ્માની નમાઝ પહેલા કોઈ ખાસ સુન્નત નથી, પરંતુ જે વ્યક્તિ જુમ્માની નમાઝ માટે આવે, તો તેના માટે બે અથવા ચાર અથવા છો અથવા વધુ રકઅતો પઢવી સુન્નત છે, અને તે દરેક બે રકઅત પઢી સલામ ફેરવે; કારણકે નબી ﷺએ આ વિષે પ્રોત્સાહિત કર્યા છે, જેમકે સલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિ જુમ્માના દિવસે સ્નાન કરે, ફરી નમાઝ માટે નીકળે અને બે વ્યક્તિ દરમિયાન રસ્તો અલગ ન કરે, ફરી તેના પર જેટલી નમાઝ ફર્ઝ કરવામાં આવી છે, તે પઢે, ફરી જ્યારે ઈમામ આવી જાય તો શાંતિથી ખુતબો સાંભળે, તો તેના પાછળના અને આ જુમ્મા દરમિયાન થયેલા (નાના) ગુનાહ માફ કરી દેવામાં આવે છે» ([૧૩૩]), અને સહાબા રઝી અલ્લાહુ અન્હુમ (અલ્લાહ તે સૌથી રાજી થાય) પણ આ કાર્ય કરતાં હતા, તેની સામાન્ય મહત્ત્વતા વર્ણન હોવાના કારણે. ૧૩૩ આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૧૦.

જ્યાં સુધી સુનને રવાતિબની વાત છે, તો તે જુમ્માની નમાઝ પછી પઢવામાં આવશે, અને જો ઘરમાં પઢે તો બે રકઅત અને મસ્જિદમાં પઢે તો ચાર રકઅત; કારણકે નબી ﷺ જુમ્માના દિવસે જુમ્માની નમાઝ પઢી ઘરમાં બે રકઅત સુન્નત પઢતા હતા ([૧૩૪]). અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ જુમ્માની નમાઝ પઢે, તો તેના પછી ચાર રકઅત સુન્નત પઢે» ([૧૩૫]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૩૭, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૭૨૯, ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૮૧.

બસ જુમ્માની સુન્નતો નમાઝ પછી મસ્જિદમાં ચાર પઢવામાં આવશે અને ઘરમાં બે રકઅત પઢવામાં આવશે.

બીજો વિષય: જુમ્માનો ખુતબો:

પહેલી બાબત: જુમ્માનો ખુતબો

એક એવું વ્યક્તવય જે જુમ્માના દિવસે નમાઝ પહેલા લોકો સામે કરવામાં આવે છે, જેમાં અલ્લાહના વખાણ, તેની મહાનતા અને નબી ﷺ પર દરૂદ અને સલામતી અને આદેશો અને શિખામણો શામેલ હોય છે ([૧૩૬]). () જુઓ: મુઅજમ લુગતુલ્ ફુકહાઅ, પેજ નંબર: ૧૯૭,અને શૈખ હુજૈલાનની કિતાબ: "ખુત્બતુલ્ જુમ્આ વ અહકામુહા અલ્ ફિક્હિયહ": પેજ નંબર: ૨૨.

બીજી બાબત: જુમ્માના ખુતબાનો હુકમ:

જુમ્માનો ખુતબો જુમ્માની નમાઝ માટે શરત છે, તેના વગર જુમ્માની નમાઝ સહીહ નહીં ગણાય; કારણકે અલ્લાહ તઆલાએ કહ્યું: {હે ઇમાનવાળાઓ! જુમ્અહના દિવસે નમાઝ માટે અઝાન આપવામાં આવે તો તમે અલ્લાહના ઝિકર તરફ ભાગો...} [અલ્ જુમઅહ: ૯]. અને આ આયતમાં અલ્લાહના ઝિકરનો અર્થ ખુતબો કરવામાં આવ્યો છે ([૧૩૭]), જો ખુતબો વાજિબ ન હોત, તો તેના માટે જલ્દી કરવાનું કહેવામાં ન આવ્યું હોત, અને નબી ﷺ સતત ખુતબો આપતા રહ્યા અને ક્યારેય ખુતબો આપવાનું છોડ્યું ન હતું. () જુઓ: તફસીરે તબરી: ૨૨/૬૪૨.

ઈમામ ઈબ્ને કુદામહ હંબલી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "આ વાક્યનો સંક્ષિપ્ત અર્થ એ છે જુમ્માનો ખુતબો જુમ્માની નમાઝ સહીહ હોવાની શરત માંથી છે, જેના વગર તે સહીહ નહીં ગણાય" ([૧૩૮]). () અલ્ મુગની: ૨/૨૨૪.

ત્રીજી બાબત: ખુતબાની શરતો:

૧- બે ખુતબા હોવા જોઈએ; કારણકે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની (અલ્લાહ તે બંનેથી રાજી થાય) હદીષ દ્વારા સાબિત છે કે તેમણે કહ્યું: નબી ﷺ જુમ્માના દિવસે બે ખુતબા આપતા હતા, અને બન્ને દરમિયાન થોડી વાર બેસતા હતા ([૧૩૯]). () આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૨૮.

૨- ખુતબો જુમ્માની નમાઝનો સમય થઈ ગયા પછી આપવામાં આવે, અને જો ખુતબાનો થોડો ભાગ અથવા સંપૂર્ણ ભાગ નમાઝના સમય પહેલા કરવામાં આવે, તો તે ગણવામાં નહીં આવે.

૩- બન્ને ખુતબા નમાઝ પહેલા હોવા જોઈએ; કારણકે સાઈબ બિન યઝીદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે કે તેમણે કહ્યું: જુમ્માઅન્ દિવસે નબી ﷺ, અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)ના સમયે અઝાન ત્યારે આપવામાં આવતી જ્યારે ઈમામ ખુતબો આપવા માટે મિન્બર પર બેસી જતો ([૧૪૦]). અને આ હદીષથી જાણવા મળે છે કે બન્ને ખુતબા નમાઝ પહેલા હોવા જોઈએ. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૧૬.

અને નબી ﷺએ કહ્યું: «તમે એવી રીતે નમાઝ પઢો, જેવી રીતે તમે મને નમાઝ પઢતા જુઓ છો» ([૧૪૧]), અને નબી ﷺ બન્ને ખુતબા પહેલા નમાઝ પઢતા ન હતા, અને ઈમામ મરદાવી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "બંને ખુતબા નમાઝ પહેલા હોવા શરત છે, અર્થાત્ બન્ને ખુતબા કોઈ પણ મતભેદ વિના નમાઝ પહેલા આપવા"([૧૪૨]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૩૧, માલિક બિન હુવૈરિષ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ. () અલ્ ઇન્સાફ: ૨/૩૮૯.

૪- ખુતબામાં વિલંભ ન કરવો જોઈએ, સતત ખુતબો આપતા રહેવું જોઈએ, ઈમામ ઈબ્ને કુદામહ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "ખુતબાના સહીહ હોવા માટે શરત એ છે કે તેની વચ્ચે વિલંબ કરવામાં ન આવે, જો તેના કેટલાક ભાગને બીજા ભાગથી લાંબુ વ્યક્તવય અથવા લાંબા મૌન અથવા અન્ય કોઈ વસ્તુ દ્વારા અલગ કરી દેવામાં આવે, તો તેને ફરીથી શરૂ કરવું પડશે, એવી જ રીતે ખુતબા અને નમાઝ વચ્ચે પણ કોઈ વિલંભ ન હોવો જોઈએ, અને પાકી સફાઇની જરૂર હોય તો પાકી સફાઈ પ્રાપ્ત કરી લે, ફરી ખુતબો શરૂ કરે અને લાંબો મૌન ન થવો જોઈએ"([૧૪૩]). () અલ્ મુગની: ૨/૨૩૦.

૫- ઊંચા અવાજે ખુતબો આપવો; કારણકે જુમ્માની યોગ્યતાઓ માંથી ખુતબો આપવો વાજિબ અને શરત છે, અને ઊંચા અવાજે ખુતબો આપવો તેને પૂરો કરવા અને હેતુને પ્રાપ્ત કરવા માટેનો એક સ્ત્રોત છે, અને તેમાં શિખામણ અને નસીહત કરવામાં આવે છે, વાજિબ (અનિવાર્ય) અમલ તેને કરવાથી જ પૂર્ણ થાય છે, એટલા માટે તેને વાજિબ (અનિવાર્ય) કહે છે.

૬- જુમ્માની નમાઝને સહીહ અને યોગ્ય હોવા માટે વર્ણવેલ સંખ્યામાં લોકોનું હોવું જરૂરી છે; કારણકે ખુતબો એક એવો ઝિક્ર છે, જેના માટે કોશિશ કરવી જરૂરી છે, એટલા માટે વર્ણવેલ સંખ્યામાં લોકો તેને સાંભળે તે જરૂરી છે.

ચોથી બાબત: જુમ્માના ખુતબાના અરકાન:

૧- જુમ્માના ખુતબાની શરૂઆત ઉચ્ચ તેમજ સર્વશ્રેષ્ઠ અલ્લાહના વખાણ દ્વારા કરવામાં આવશે; કારણકે જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: «જુમ્માના દિવસે નબી ﷺ ખુતબાની શરૂઆત અલ્લાહના વખાણ કરી કરતા, ત્યાર બાદ તેઓ કહેતા...» સંપૂર્ણ હદીષ [૧૪૪]. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રીવાયત કરી છે, હદીષ નંબર: ૮૬૭.

૨- જુમ્માના ખુતબામાં અલ્લાહના પયગંબર ﷺ પર દરૂદ પઢવામાં આવે, કારણકે નબી ﷺ પર ખુતબામાં દરૂદ પઢવું એક વિખ્યાત કાર્ય છે, જે સહાબા રઝી અલ્લાહુ અન્હુમ (અલ્લાહ તે સૌથી રાજી થાય) પાસે એક સામાન્ય વાત હતી ([૧૪૫]). () જુઓ: ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહની કિતાબ "જિલાઉલ્ અફહામ" પેજ નંબર: ૩૭૧.

૩- જુમ્માના ખુતબામાં નસીહત કરવામાં આવે, અને અલ્લાહનો તકવો અપનાવવા પર વસિયત કરવામાં આવે; કારણકે જાબિર બિન સમુરાહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે, તેમણે કહ્યું: નબી ﷺ બે ખુતબા આપતા હતા, અને બન્ને દરમિયાન બેસતા હતા, કુરઆન પઢતા, અને નસીહત કરતા ([૧૪૬]); કારણેકે તે જ ખુતબો આપવાનો હેતુ છે. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ રીવાયત કરી છે, હદીષ નંબર: ૮૬૨.

૪- કુરઆન મજીદ માંથી થોડી આયતોની તિલાવત કરવી; કારણકે જાબિર બિન સમુરાહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે: (નબી ﷺ બે ખુતબા આપતા હતા, અને બન્ને દરમિયાન બેસતા હતા, કુરઆન પઢતા, અને નસીહત કરતા).

પાંચમી બાબત: ખુતબાની સુન્નતો:

૧- ખુતબો મિમ્બર અથવા ઉંચી જગ્યાએ ઉભા રહી આપવામાં આવે; કારણકે નબી ﷺ માટે મિમ્બર બનાવવામાં આવ્યું હતું, જેના પર ચઢી જુમ્માના દિવસે આપ ﷺ ખુતબો આપતા હતા ([૧૪૭]), અને સહાબા રઝી અલ્લાહુ અન્હુમ (અલ્લાહ તે સૌથી રાજી થાય) દ્વારા ઘણી હદીષો સાબિત છે કે નબી ﷺ મિમ્બર ઉપર ચઢી ખુતબો આપતા હતા ([૧૪૮]), અને ઇમામ નવવી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ મિમ્બર પર ચઢી ખુતબો આપવાને મુસ્તહબ કહ્યું છે, તેના પર ઇજમાઅ છે, અને કહ્યું: "મિમ્બર પર ચઢી ખુતબો આપવો દરેક આલિમોની સર્વસંમતિથી મુસ્તહબ (સારું કાર્ય) છે" ([૧૪૯]), અને મિમ્બર પર ચઢી ખુતબો આપવો, તે વાત પહોંચાડવામાં વધુ અસરકારક છે, અને જો લોકો ખુતબો આપનારને જુએ તો નસીહતમાં વધુ અસર થાય છે. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૦૯૫, જાબિર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ માંથી. () જુઓ: ઇરવાઉલ્ ગલીલ ફી તખરીજિ અહાદીષિ મનારિસ્ સબીલ: ૩/૫૭ અને તેના પછી. () અલ્ મજમૂઅ શર્હુલ્ મુહઝ્ઝબ: ૪/૫૨૭.

૨- ખુતબો દરમિયાન ઉભા રહી ખુતબો આપવો; કારણકે અલ્લાહ તઆલાએ કહ્યું: અને જ્યારે તે લોકોએ કોઇ સોદો અથવા કોઇ તમાશો થતો જોયો, તો તેઓ તેની તરફ ભાગી ગયા અને તમને (એકલા) ઉભા રહેલા છોડી દીધા... [અલ્ જુમઅહ: ૧૧], અબ્દુલ્લાહ બિં ઉમર રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું : નબી ﷺ ઉભા રહી ખુતબો આપતા હતા, ફરી બેસી જતા, ફરી ઉભા થઇ તે કરતા જે તમે કરો છો ([૧૫૦]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૨૦, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૬૧.

૩- ખુતબો આપનાર વ્યક્તિ માટે નમાઝ પઢવા આવેલ લોકો તરફ ચહેરો કરવો સુન્નત છે; અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺ જ્યારે જુમ્માના દિવસે મિમ્બરની નજીક આવતા, તો પાસે બેસેલા લોકોને સલામ કરતા, ફરી મિમ્બર પર ચઢતા અને લોકો તરફ પોતાનો ચહેરો કરતા અને સલામ કરતા ([૧૫૧]). () આ હદીષને ઈમામ બૈહકી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૭૪૨.

હાફિઝ ઈબ્ને રજબ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "ઇમામ માટે મસ્જિદના લોકો તરફ ચહેરો કરવો અને કિબલા તરફ પીઠ કરવા પર ઇજમાઅ (દરેક આલિમોની સર્વસંમતિ) છે, અને કુરઆન અને હદીષ પણ તેની પુષ્ટિ કરે છે; કારણકે તે લોકોને સંભોધિત કરે છે, જેથી લોકો તેની વાત સમજી શકે, અને આ દરેક કાર્ય સુન્નત છે, અને જો ઇમામ તેની વિરુદ્ધ કરે તો તેણે સુન્નત વિરુદ્ધ કાર્ય કર્યું" ([૧૫૨]). () ઈબ્ને રજબ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)ની કિતાબ, "ફત્હુલ્ બારી": ૮/૨૫૦.

૪- ખુતબો આપનાર જ્યારે નમાઝ પઢવા આવેલ લોકો તરફ પોતાનું મોઢું કરે તો સલામ કરવું સુન્નત છે; કારણકે જાબિર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનથી રાજી થાય)ની હદીષ છે, નબી ﷺ જ્યારે મિમ્બર પર ચઢતા અને લોકો તરફ પોતાનો ચહેરો કરતા, તો સલામ કહેતા" ([૧૫૩]). () આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૧૦૯.

૫- મુઅઝ્ઝિન જ્યાં સુધી અઝાન આપે ત્યાં સુધી ખુતબો આપનાર વ્યક્તિ માટે મિમ્બર પર બેસવું સુન્નત છે; કારણકે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)એ કહ્યું: નબી ﷺ બે ખુતબા આપતા હતા, અને જ્યાં સુધી મુઅઝ્ઝિન અઝાન આપી ન રહેતો ત્યાં સુધી મિમ્બર પર ચઢી બેસતા, ફરી ઉભા થઇ ખુતબો આપતા, ફરી બેસી જતા, અને કોઈ પણ વાત ન કરતા, ફરી ઉભા થઇ ખુતબો આપતા" ([૧૫૪]). અને તેની પુષ્ટિ માટે સાઈબ બિન યઝીદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ પણ છે, તેમણે કહ્યું: જુમ્માના દિવસે અઝાન નબી ﷺ, અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)ના સમયે ત્યારે આપવામાં આવતી જ્યારે ખુતબો આપનાર મિમ્બર પર બેસી જતો ([૧૫૫]). () આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૦૯૨. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૧૬.

૬- પોતાની શક્તિ પ્રમાણે ઉંચા અવાજે ખુતબો આપવો; કારણકે જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺ જ્યારે ખુતબો આપતા તો તેમની આંખો લાલ થઈ જતી, અને સખત ગુસ્સે થઈ જતા, એવું લાગતું કે આપ એક લશ્કરને સચેત કરી રહ્યા હોય, અને કહેતા: «સવાર અને સાંજે તમારા પર હુમલો કરવામાં આવશે» ([૧૫૬])، (સવારે) અર્થાત્: તમારા ઉપર એક લશ્કર સવારના સમયે હુમલો કરવા માટે આવશે, અને (સાંજે) અર્થાત્: હું તમારી પાસે સાંજના સમયે આવું છું, અને તમને આ બે શબ્દો કહી સચેત કરું છું. () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૬૭.

૭- બન્ને ખુતબા દરમિયાન થોડી વાર બેસવુ; કારણકે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)ની હદીષ છે: નબી ﷺ બે ખુતબા આપતા હતા અને બન્ને ખુતબા દરમિયાન થોડી વાર બેસતા હતા ([૧૫૭]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૨૮.

૮- બન્ને ખુતબા નાના નાના આપવા સુન્નત છે, અને બીજો ખુતબો પહેલા ખુતબાથી થોડો વધુ નાનો હોવો જોઈએ, અને નમાઝ લાંબી હોવી જોઈએ; કારણકે અમ્માર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે કે નબી ﷺએ કહ્યું: «ખરેખર માનવીની લાંબી નમાઝ અને નાનો ખુતબો તેની સમજદારીની નિશાની છે, બસ તમે નમાઝ લાંબી પઢો અને અને ખુતબો નાનો આપો» ([૧૫૮]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૬૯.

૯- મુસલમાનો માટે તેમના દીન અને દુનિયાના સુધારા માટે દુઆ કરવી સુન્નત છે, અને મુસલમાનોના શાસકો માટે તેમના સુધારા અને તૌફીક માટેની દુઆ કરવી પણ સુન્નત છે, ઇમામ નવવી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ કહ્યું: "મુસલમાનોના ઇમામો અને શાસકો માટે તેમના સુધારા અને સત્ય તેમજ ન્યાય ને સાબિત કરવાની મદદ માટે અલ્લાહ પાસે દુઆ કરવી, અને મુસલમાનોના લશ્કર માટે દુઆ કરવી સર્વસંમતિ સાથે જાઈઝ છે" ([૧૫૯]). () અલ્ મજમૂઅ શર્હુલ્ મુહઝ્ઝબ: ૪/૫૨૧.

ઇમામ માટે વરસાદની નમાઝ સિવાય અન્ય ખુતબામાં દુઆમાં હાથ ઉઠાવવા જાઈઝ નથી, અને તેના માટે આંગળી વડે ઈશારો કરવો જાઈઝ છે; કારણકે ઉમારાહ બિન રુવૈબહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે તેમણે બશીર બિન મરવાનને હાથ ઉઠાવતા જોયા તો કહ્યું: અલ્લાહ કરે તમારા બન્ને હાથ ખરાબ થઈ જાય; કારણકે મેં અલ્લાહના પયગંબર ﷺ પોતાના હાથની આંગળીઓ સિવાય કોઈ પણ ભાગ ઉઠાવતા જોયા ન હતા ([૧૬૦]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૮૭૪.

૧૦- જે વ્યક્તિ ખુતબો આપે તે જ નમાઝ પઢાવે; કારણકે નબી ﷺ બન્ને કામ પોતે કરતા હતા, અને તેમના પછી તેમના અનુયાયીઓ પણ આ પ્રમાણે જ કરતા હતા, અને એક વ્યક્તિ ખુતબો આપે તો બીજો વ્યક્તિ કોઈ કારણસર નમાઝ પઢાવે, તો આમ કરવું પણ જાઈઝ છે ([૧૬૧]). () જુઓ: અલ્ મુગ્ની લિ ઈબ્ને કુદામહ: ૨/૨૨૮.

છઠ્ઠી બાબત: ખુતબા જુમ્મા ખુતબાનું ભાષાતર:

ખુતબો આપનાર વ્યક્તિ માટે જાઈઝ છે કે તે શહેરમાં જો થોડાક અથવા વધારે લોકો અરબી ભાષા ન જાણતા હોય તો તે તેમની ભાષામાં ખુતબો આપી શકે છે, જેથી લોકો ખુતબો સમજી શકે, અને ખુતબો આપવાનો જે હેતું છે એ પણ પ્રાપ્ત થઈ શકે, અને લોકો તેમાં વર્ણન કરેલ જ્ઞાન, નસીહત અને શિખામણથી ફાયદો ઉઠાવી શકે, અને નબી ﷺ થી સાબિત નથી કે ખુતબો અરબી ભાષામાં જ આપવો જરૂરી છે, તેમજ નબી ﷺ અરબી ભાષામાં ખુતબો આપતા હતા; કારણકે તેમની અને તેમના કોમની ભાષા એક જ હતી.

અને ખુતબો આપનાર માટે શ્રેષ્ઠ એ છે કે તે અરબી ભાષામાં ખુતબો આપે ફરી, તેને પોતાના શહેરની ભાષામાં અનુવાદ કરી દે, નબી ﷺના ખુતબા આપવાના તરીકાનું અનુસરણ કરવું, અને આ બાબતે જે મતભેદ જોવા મળે તેનાથી બેચવું.

અનુવાદના સમયે ખુતબો આપનાર માટે તે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે સાંભળવાવાળા માટે શું યોગ્ય છે, જેમકે ખુતબાના દરેક ભાગની યોગ્ય વહેંચણી કરી તેનું અનુવાદ કરવું, અથવા અનુવાદ કરવામાં વિલંબ કરવો જેથી અનુવાદ અરબી ભાષામાં ખુતબો ખતમ થયા પછી અને નમાઝ પહેલા થાય.

એવી જ રીતે ખુતબાનું તે જ સમયે અનુવાદ કરવું અથવા ટ્રાન્સમિશન સ્ટેશન દ્વારા તેના અનુવાદનું પ્રસારણ કરવું જાઈઝ છે, તે નમાઝ પઢનાર લોકો માટે જેઓ અરબી ભાષા જાણતા નથી, તેમના માટે અનુવાદ રજૂ કરવા માટે સ્ક્રીનનો પણ ઉપયોગ કરવો પણ જાઈઝ છે, અને આ કાર્ય અયોગ્ય કાર્યોમાંથી નથી, જે ન તો અનુવાદ કરનાર અને ન તો તેને રજૂ કરનાર માટે હરામ છે; કારણકે આ કાર્ય લોકોને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવે છે, અને તેના દ્વારા ખુતબાનો હેતુ પ્રાપ્ત થાય છે.

સાતમી બાબત: ખુતબો આપનાર (વક્તા)ના જરૂરી ગુણો:

ખુતબો આપનાર મસ્જિદનો પાયો અને તેની તાકાત છે, મસ્જિદ ઇસ્લામની દઅવત ફેલાવવા, અને સમાજમાં જાગૃત્તા લાવવા, અને લોકોને દીન (ધર્મ)ની વાતોનો આદેશ આપવાનો એક સ્ત્રોત છે, જો ખુતબો આપનાર આલિમ, બુદ્ધિશાળી, અને હિકમતવાળો હોય અને લોકોની સ્થિતિ સારી રીતે જાણતો હોય, તો તેની વાતનો અસર મસ્જિદની જમાઅત અને તે મહોલ્લો જેમાં મસ્જિદ આવેલી છે, ત્યાંના લોકોને શિખામણ આપવા અને માર્ગદર્શન આપવામાં વધુ ફાયદાકારક થશે, અને તે તેમને દરેક પ્રકારની નેકી તરફ દોરી જશે.

અને આ જ સ્થિતિ ઇસ્લામની શરૂઆતમાં ખુતબો આપનારની હતી, અને નબી ﷺ પણ ખુતબો આપતા હતા, તેમના પછી સત્યનું માર્ગદર્શન આપનાર તેમના અનુયાયી, મુસલમાનોના શાસકો, માર્ગદર્શકો, આલિમો, અને અન્ય લોકો, આ વાતથી જાણવા મળે છે કે ખુતબો આપનાર વ્યક્તિ ઇસ્લામ દીન (ધર્મ), નાગરિક, જ્ઞાન અને અખ્લાક બાબતે ઉચ્ચ દરજ્જાનો હોવો જોઈએ.

એવી રીતે લોકોના જીવનમાં તેના ચરિત્રની મહત્ત્વતા સ્પષ્ટ થઈ જશે; કારણકે ખુતબો આપનાર લોકોની શક્તિ તેમના સમુદાય પર જાહેર થાય છે, અને તે જ રીતે તેમની નબળાઈ પણ દર્શાવે છે; કારણકે મસ્જિદ તે જગ્યા છે, જ્યાંથી લોકોને જોડવાનું અને તેમણે શિક્ષા આપવાનું કામ થાય છે, જો ખુતબો આપનાર વ્યક્તિ જ્ઞાન અને બુદ્ધિમાં કમજોર હોય અથવા ખરાબ અખ્લાક અને સંપૂર્ણ હક પૂરો કરનાર હોય, તો તે નુકસાનકારક છે અને તેનાથી કોઈને ફાયદો નહીં પહોંચે, અને ખુતબો આપનારનો હેતુ નમાઝ પઢવા માટે આવનાર લોકોને નેકી, ભલાઈ અને સુધારા તરફ આકર્ષિત કરવાનો છે, તો એક અજ્ઞાની પ્રવકતા આ હેતુ પ્રાપ્ત નહીં કરી શકે.

એક ખુતબો આપનાર વક્તા પોતાના જ્ઞાન, વ્યક્તિગત ક્ષમતાના સંદર્ભમાં આ કાર્યની દરેક શરતો પૂરી કરનાર હોવો જોઈએ, પરંતુ જો તે અન્ય કામોમાં વ્યસ્ત થઈ જાય, તો તે કાર્ય તેના પ્રભાવ પર અસર કરી શકે છે.

શક્ય છે કે તેની પાસે તેની પરિસ્થિતિ પ્રમાણે ખુતબો તૈયાર કરવા માટે સમય ન હોય, તેથી તે લોકો પાસે જાય છે, જેમકે ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: આ પ્રકારના ખુતબો લોકોમાં અલ્લાહ પ્રત્યે ઈમાન જાગૃત કરવા, તૌહીદ પર ભાર આપવા, અને અલ્લાહ વિષે માહિતી પ્રાપ્ત કરવા, અને તેમને કયામતના દિવસની યાદ અપાવવામાં અસફળ છે, એવી જ રીતે ન તો તે હૃદયપૂર્વક અલ્લાહની મોહબ્બત અને તેની સાથે મુલાકાત કરવા પર પ્રોત્સાહિત કરી શકે છે ([૧૬૨]). () ઝાદુલ્ મઆદ ફી હદય ખૈરિલ્ ઈબાદ: ૧/૪૦૯.

અને એ પણ શક્ય છે કે જો તે મનેચ્છા, અજ્ઞાનતા, વિવાદ, અથવા નિંદનીય ઉગ્રવાદમાં સપડાયેલો હોય, તો તે નિરપેક્ષતા, શૈક્ષણિક માર્ગદશન, હિકમત દ્વારા દઅવત અને સારી વાતની શિખામણ આપવાથી હટી જાય છે.

અને ખરેખર ઇસ્લામ દીનમાં મસ્જિદનો એક મહત્વનો અસર હોય છે; કારણકે તે માર્ગદર્શનનું સ્થાન છે, જ્યાંથી બંદો પોતાના પાલનહાર સાથે જોડાય છે, તેનું ઈમાન મજબૂત થાય છે, અને ત્યાંથી તે પોતાના ભાઈઓ સાથે મળીને નેકીને ફેલાવવા અને બુરાઈઓને રોકવાના કામમાં મદદરૂપ થાય છે, અને મસ્જિદ ફક્ત ત્યારે જ આ ભૂમિકા નિભાવી શકે છે, જ્યારે અલ્લાહ મસ્જિદને એક એવો ઈમામ આપે, જે આ મહાન પદ પર બિરાજમાન થવાની દરેક જરૂરી લાક્ષણિકતા જેમકે જ્ઞાન અને સારા અખ્લાક અને વ્યવહાર ધરાવતો હોય, અને આ મહાન કાર્યને પૂરો કરનાર હોય.

ખુતબો આપનાર માટે અગત્યની શૈક્ષણિક લાયકાતો:

૧- ફક્ત અલ્લાહ માટે અમલ કરે; જેથી તેને અલ્લાહ અને લોકો તરફથી મદદ, મોહબ્બત અને લોકપ્રિયતા મળતી રહે.

૨- રિયા અને દેખાડા અને બડાઈથી દૂર રહે; કારણકે કાર્યોના હેતુઓ હોય છે, અને કાર્યોનો આધાર નિયત પર નિર્ભર છે, અને દરેક વ્યક્તિને તે જ મળે છે, જેની તે નિયત કરે છે, અને જે વ્યક્તિ પણ કોઈ એવા ગુણનો દાવો કરે, જે તેનામાં નથી તો અલ્લાહ તેને અપમાનિત કરશે.

૩- અને ઈમામ કુરઆન મજીદનો હાફિઝ હોવો જોઈએ, અથવા તેને જરૂરત પ્રમાણે તેને કુરઆન યાદ હોય, અને તેણે જે કઈ પણ યાદ કર્યું હોય, તેને તે નિયમિત રૂપે પઢતો હોય, અને દરરોજ કુરઆનનો દોર કરતો રહે.

૪- અને તેણે રિયાઝુસ્ સાલિહીન અથવા અરબઈને નવવી અથવા બુલૂગુલ્ મુરામ જેવી અન્ય હદીષોની કિતાબ માંથી હદીષો યાદ કરી હોય.

૬- તેણે સાચો ઇસ્લામી અકીદો શીખ્યો હોય, જે સલફે સાલિહીન (પાછલા નેક લોકો) નો અકીદો છે.

૬- દીનના દરેક આદેશોનું તેણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, ખાસ કરીને જેમાં ઈબાદતોના આદેશો વર્ણન કરવામાં આવ્યા છે, જેમાં, પાકી સફાઇ, નમાઝ, ઝકાત, રોઝા વગેરે જેવી ઈબાદતોને લગતા આદેશો હોય; કારણકે તે કમાણી અને ખર્ચ કરવાના નિયમો જાણી અને લોકોને છેતરપિંડી, ધોખો તેમજ અન્યના માલને અયોગ્ય રીતે હડપી લેવાથી સચેત કરે, એવી જ રીતે તે લોકોને વ્યર્થ માલ વેડફવા, કંજૂસી કરવા પર પણ સચેત કરે, અહીં સુધી કે તેમના નાણાકીય વ્યવહારો કુરઆન હદીષ પ્રમાણે થઈ જાય.

૭- તે અરબી ભાષાના જાણકાર હોવા જોઈએ, જેથી તે શબ્દોના અર્થ જાણી શકે, જે અલ્લાહએ પોતાના પયગંબર ﷺ પર ઉતાર્યા છે, અને કુરઆન અરબી ભાષામાં ઉતારવામાં આવ્યું છે.

૮- તે પયગંબર ﷺ નું જીવનચરિત્ર, અને તેમના ગુણો તેમજ સલફે સાલિહીનનું જીવનચરિત્ર વાંચતો હોય; કારણકે તેમાં તેના માટે તે એક ઉદાહરણ અનુકરણીય રોલ મોડલ, ફાયદાકારક વિદ્વતાપૂર્ણ જ્ઞાન અને ઉચ્ચ સ્તરની ઇસ્લામિક સંસ્કૃતિનું ઇલ્મ છે.

૯- તેના શહેરના આલિમો તેને જાણતા હોય અને અન્ય આલિમો પણ તેને જાણતા હોય, જેઓ પોતાના ઇલ્મ, અકીદા અને બુદ્ધિશાળી હોવામાં વિખ્યાત હોય, અને તેણે દીનની દરેક બાબતોમાં આવતી પરેશાનીઓ તેમની તરફ રજૂ કરવી જોઈએ.

૧૦- તે ઇસ્લામી દીન અને તેના અકીદા અને માન્યતાઓ, સુદ્ધાંતો અને બૌદ્ધિક હેતુઓ અને વિચારધારાઓ તેમજ ઉદ્દેશ્યો વિષે જાણતો હોય, અહીં સુધી કે તે અલ્લાહની કિતાબ કુરઆન મજીદ અને નબી ﷺની સુન્નત અને આલિમોએ લખેલી કિતાબો દ્વારા તેમની સાથે વાતચીત કરી તેમની માન્યતાને અયોગ્ય ઠેહરાવવાની લાયકાત ધરાવતો હોય.

૧૧- મુસલમાનોની સ્થિતિ, તેમની કમજોરી અને તેમના પર થતાં દુશ્મનો દ્વારા હુમલા પર તે ચિંતિત હોય, અને તે જાણતો હોય કે આ દરેક પરેશાનીઓ સત્ય માર્ગ પરથી હટી જવાના કારણે, અલ્લાહ પર ઇમાન કમજોર થઈ જવાન કારણે, અને તેની શરીઅતથી વિરુદ્ધ કામ કરવાના કારણે છે, તેથી ખુતબો આપનાર વક્તા લોકોને દીન અને દુનિયામાં કઈ વસ્તુથી ફાયદો થશે, તે શિખવાડવાની કોશિશ કરે છે.

૧૨- મીડિયાના અલગ અલગ માધ્યમનો જાણકાર અને તેના ફાયદા તેમજ નુકસાનકારક બાબતોને જાણતો હોવો જોઈએ, તેથી તેના વડે તે લોકોને અલ્લાહ તરફ દઅવત આપવાના ફાયદા ઉઠાવી શકે, અને તે દરેક વાતોથી સચેત કરે, જે તેના માટે અને સમાજ માટે નુકસાનકારક હોય.

જ્યારે જુમ્માનો ખુતબો આપનાર વક્તામાં આ દરેક ગુણો હશે, તો અલ્લાહ તેને આ દરેક લાક્ષણિકતાઓમાં અડગતા અને સંતુલન બનાવી રાખશે.

ખુતબો આપનારના મૂળ નૈતિક ગુણો:

૧- ખુતબો આપનાર વક્તાએ મસ્જિદમાં આવતા લોકો અને મહોલ્લામાં રહેતા લોકોને દીન તરફ લોકોને માર્ગદર્શન આપનાર અને એક શિક્ષક હોવો જોઈએ, તેમજ તેણે અલ્લાહના પયગંબર ﷺ ના કહેવા પ્રમાણે એક આદર્શ વ્યક્તિ હોવું જોઈએ અને એક નેક નમૂનો અને એક સારું ઉદાહરણ બનવું જોઈએ, અને નબી ﷺ કોમના દરેક શાસક માટે એક આદર્શ છે, જેમકે અલ્લાહ તઆલાએ કહ્યું: (મુસલમાનો) નિ:શંક તમારા માટે પયગંબર શ્રેષ્ઠ આદર્શ છે, તે દરેક વ્યક્તિ માટે, જેઓ અલ્લાહ તઆલા અને કયામતના દિવસ પર ઈમાન ધરાવતપ હોય અને અલ્લાહને ખૂબ યાદ કરતો હોય. [અલ્ અહઝાબ: ૨૧].

અને તે પોતાને અને મસ્જિદમાં આવનાર દરેક લોકોને દુનિયા અને રાજકારણની દરેક વાતોથી દૂર રાખે, અને મસ્જિદને ઇલ્મ (જ્ઞાન) અને ઈબાદત સુધી સીમિત રાખે.

૨- તે પોતે સ્વચ્છ હોય, અને મસ્જિદની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખતો હોય, મસ્જિદના સામાનની વ્યવસ્થા અને તેની દરેક સુવિધાઓની કાળજી રાખનાર હોય, અને તે દરેક વ્યર્થ અને નકામી સજાવટથી બચતો હોય.

૩- તેના અખ્લાક અને દેખાવ પણ સારો હોવો જોઈએ, અને તે નબી ﷺની દરેક સુન્નતોનું પાલન કરતો હોય, જેમકે દાઢી રાખવી, મૂછો કાપવી, અને સાથે સાથે કપડાં ઘૂંટી નીચે લટકાવવાથી પણ બચતો હોય, અને તે ગૌરવ અને શાંતિને પણ જાણવી રાખે, અને સલફે સાલિહીન (પ્રામાણિક પુરોગામીઓ) રહિમહુમુલ્લાહ (અલ્લાહ તે સૌ પર રહેમ કરે) નું અનુસરણ કરનાર હોય.

૪- ખુતબો આપનાર સૌમ્ય, દયાળુ અને દોસ્ત માફક રહેવું જોઈએ; કારણકે નરમી જે કઈપણ વસ્તુમાં હોય છે, તે તેને સુંદર બનાવે છે, અને જે વસ્તુમાંથી પણ નરમી કાઢી નાખવામાં આવે છે તે તેને કદરૂપુ બનાવી દે છે, જમકે હદીષમાં વર્ણન કરવામાં આવ્યું; આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «નરમી જે કંઈ વસ્તુમાં હોય, તો તે તેને સુંદર બનાવે છે, અને જે વસ્તુ માંથી નરમી કાઢી નાખવામાં આવે તો તે તેને કદરૂપુ બનાવી દે છે» ([૧૬૩]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૫૯૪.

જો મસ્જિદમાં આવનાર વ્યક્તિથી કોઈ ભૂલ થઈ જાય, તો ખતીબ તેને ઠપકો ન આપે, પરંતુ નમ્રતા સાથે તેને સલાહ આપે, અને સારી રીતે શિખામણ આપે; કારણકે મુઆવિયહ બિન હકમ રઝી અલ્લાહુ અન્હુ (યાલઃ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અલ્લાહના પયગંબર ﷺ સાથે નમાઝ પઢી રહ્યો હતો; લોકોમાંથી એક વ્યક્તિને છીંક આવી, તો મેં કહ્યું: "યર્હમકુમુલ્લાહ (અલ્લાહ તમારા પર રહેમ કરે)" લોકો મને અણગમતી નજરે જોવા લાગ્યા, તો મેં દિલમાં કહ્યું: મારી માતા મને ગુમાવી દે, તમને સૌને શું થઈ ગયું છે, અને તેઓ પોતાના હાથ પોતાની જાંઘો પર મારવા લાગ્યા, જ્યારે મેં જોયું કે તે લોકો મને ચૂપ કરાવવાની કોશિશ કરી રહ્યા છે (તો મને આશ્ચર્ય થયું) પરંતુ હું ચૂપ રહ્યો, જ્યારે નબી ﷺ નમાઝ પઢી રહ્યા, મારા માતા પિતા તેમના પર કુરબાન થાય, મેં નબી ﷺ જેવો પહેલા અને ન પછી કોઈ શિક્ષક જોયા છે, અલ્લાહની કસમ! ન તો તેમણે મને કંઈ કહ્યું, ન ઠપકો આપ્યો, અને ન તો મને માર્યો, અને કહ્યું: «નમાઝમાં વાતચીત કરવી જાઈઝ નથી; કારણકે આ નમાઝ તસબીહ (અલ્લાહની પવિત્રતા વર્ણન કરવી) અને તકબીર (અલ્લાહની મોટાઈ વર્ણન કરવી) અને કુરઆનની તિલાવત કરવાનું નામ છે» ([૧૬૪]). () આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૭૩.

૫- ખુતબો આપનાર નરમ દિલ હોવો જોઈએ; જેથી તે લોકોને પોતાની જોડે એકઠા કરી શકે, તેમજ લોકો તેના ઇલ્મ, મદદ અને નરમીથી ફાયદો ઉઠાવી શકે, અને તેમની મુશ્કેલીઓ અને પરેશાનીઓમાં તેમનો સાથ આપે, અને મસ્જિદને લગતી બાબતોમાં તેમની સાથે સલાહ સૂચન કરે.

અને અલ્લાહના પયગંબર ﷺ દરેક બાબતોમાં સૌથી ઉચ્ચ દરજ્જાના હતા, જેમકે અલ્લાહ તઆલાએ તેમના વિષે કહ્યું: અલ્લાહ તઆલાની દયાના કારણે તમે (હે પયગંબર) તેઓ પર નમ્રતા દાખવો છો અને જો તમે ખરાબ જબાન અને સખત હૃદયના હોત તો આ સૌ તમારી પાસેથી છૂટી જતા, એટલા માટે તમે તેઓને માફ કરો અને તેઓ માટે માફી માંગતા રહો અને કાર્યની સલાહ-સુચન તેઓથી લેતા રહો, પછી જ્યારે તમારો મજબુત નિર્ણય થઇ જાય તો અલ્લાહ તઆલા પર ભરોસો કરો, નિંશંક અલ્લાહ તઆલા ભરોસો કરનારને પસંદ કરે છે.{159}. [આલિ ઇમરાન: ૧૫૯].

૬- ખુતબો આપનારે સબરથી કામ લેવું જોઈએ અને યકીન અપનાવવું જોઈએ; જેથી તે પોતાની મસ્જિદ અને સમાજમાં જવાબદાર ઇમામ બની શકે; કારણકે સબર (ધીરજ) અને યકીન બંને એક બંદાને દીનમાં ઈમામતના દરજ્જા સુધી પહોંચાડે છે, અલ્લાહ તઆલાએ કહ્યું: અને જ્યારે તે લોકોએ (મુસીબત પર) સબર કર્યું, તો અમે તે લોકો માંથી એવા નાયબ બનાવ્યા જેઓ અમારા આદેશ દ્વારા લોકોને સત્ય માર્ગ પર બોલાવતા હતા અને તેઓ અમારી આયતો પર ઈમાન ધરાવતા હતા.{42}. [અસ્ સજદહ: ૨૪] .

૭- અને ખુતબો આપનાર સાચું બોલનારા લોકોમાંથી હોવો જોઈએ, ભલેને તે જુમ્માનો ખુતબો હોય, અથવા નસીહતનો દરસ આપી રહ્યો હોય અથવા લોકો સાથે વાતચીત કરતો હોય, સાચું બોલે; કારણકે સાચા અને માર્ગદર્શન પામેલ, બન્ને સફળ થનારા લોકો માંથી હશે; કારણકે નબી ﷺ ની હદીષમાં છે કે નબી ﷺ એ કહ્યું: «સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે*, માનવી હંમેશા સાચું બોલતો રહે છે, અને હમેંશા સાચું બોલવાનો જ ઇરાદો રાખતો હોય છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને સિદ્દીક (ખૂબ સાચો) લખી દેવામાં આવે છે, એવી જ રીતે જૂઠ બોલવાથી સંપૂર્ણ રીતે બચો; કારણકે જૂઠ ગુનાહ (પાપ) તરફ માર્ગદર્શન આપે છે, અને પાપ તમને જહન્નમ તરફ લઈ જશે, માનવી હંમેશા જૂઠ બોલતો રહે છે, અને હંમેશા જૂઠ બોલવાનો જ ઇરાદો રાખે છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને કઝ્ઝાબ (ખૂબ જુઠ્ઠો) લખી દેવામાં આવે છે» ([૧૬૫]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૬૦૯૪, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૬૦૭, અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ.

જૂઠ એક બુરાઈ અને બીમારી છે, તેમજ સૌથી મોટું જૂઠ અલ્લાહ વિશે કહેવું, અલ્લાહ વિશે કોઈ વાત ઇલ્મ વગર કહેવી, અલ્લાહ તઆલાએ કહ્યું: તમે તેમને કહી દો કે મારા પાલનહારે જે વસ્તુ હરામ કરી છે, તે આ પ્રમાણે છે, અશ્લીલ કાર્યો, ભલેને જાહેરમાં હોય કે છુપી રીતે હોય, અને ગુનાહના કાર્યો અને અત્યાચાર કરવાને અને એ કે તમે અલ્લાહના ભાગીદાર ઠહેરાવો, જેના માટે તેણે કોઈ પુરાવો નથી ઉતાર્યો અને એ કે તમે અલ્લાહ વિશે એવી વાતો કહો, જેની તમને જાણ નથી.33}. [અલ્ અઅરાફ: ૩૩].

આ આયતમાં દરેક મોટા ગુનાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે નાનાથી શરૂ થઈ મોટું સ્વરૂપ લઈ લે છે અને સૌથી મોટો ગુનોહ એ કે અલ્લાહ વિશે ઇલ્મ વગર તેના નામો અને ગુણો અને શરીઅત વિશે કોઈ (જૂઠી) વાત કહેવી.

અને અલ્લાહના પયગંબર ﷺ પર જૂઠ બાંધવું એ પણ સૌથી મોટો અને સૌથી ખરાબ ગુનોહ છે, અને તે કબીરાહ ગુનાહો માંથી છે, જેના કારણે બંદાને જહન્નમની ચેતના આપવામાં આવી છે કારણકે મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)ની હદીષ છે કે તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «ખરેખર મારા પ્રત્યે જૂઠ બાંધવું તે લોકો પ્રત્યે જૂઠ બાંધવા બરાબર નથી, અને જે વ્યક્તિ મારી તરફથી જાણી જોઈને જુઠ્ઠું કહેશે, તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે» ([૧૬૬]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૨૯૧, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪.

અને તેણે જૂઠથી સંપૂર્ણ રીતે બચવું જોઈએ, ભલેને તે સારી નિયત અને સારા હેતુથી ભલાઈનો આદેશ આપવા માટે પણ કેમ ન હોય, જેમકે કેટલાક પ્રવચકો કરતા હોય છે; કારણકે આ એક ખરાબ કામ છે, જેમાં કોઈ ભલાઈ અને માર્ગદર્શન નથી, અને કેહવાવાળો જૂઠો અને ગુનેગાર છે, અને તેને કોઈ સવાબ નહીં મળે, અને તેના કહેવાનો કોઈ ફાયદો નહીં થાય.

૮- અને તે વાત નકલ કરવામાં અમાનતદાર હોવો જોઈએ, અને ખબરોની પુષ્ટિ કરે તેમજ જૂઠી ખબરોને અપનાવવામાં જલ્દી ન કરે, અને સાચી વાત સિવાય અન્ય વાત પર ભરોસો ન કરે, અને ખરેખર અલ્લાહ તઆલાએ આપણને પોતાની આયતમાં આજ વાતનો આદેશ આપતા કહ્યું: હે ઇમાનવાળાઓ! જો તમને કોઇ પાપી ખબર આપે તો તમે તેને સારી રીતે તપાસ કરી લો, એવું ન થાય કે અજાણમાં કોઇ કોમને નુકસાન પહોંચાડી દો, પછી તમને પોતાના કર્યા પર પસ્તાવો થાય.6}. [અલ્ હુજુરાત: ૬].

૯- ખુતબો આપનાર (વક્તા) લોકોની વાતો અને તેમના ભેદ છુપાવે, બસ જે વ્યક્તિ મુસલમાનોના ભેદ છુપાવશે તો અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેના ભેદ છુપાવશે, અને જે કોઈ મુસ્લિમોના દોષોને અનુસરે છે, તો અલ્લાહ તેના દોષો તરફ ધ્યાન કરશે જ્યાં સુધી તે તેને ખુલ્લા ન કરી દે, અહીં સુધી કે તેના ઘરમાં પણ, અને ખરેખર અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિ મુસલમાનોના ભેદ છુપાવશે તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે» ([૧૬૮]). અબૂ બરઝહ અસ્લમી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગમ્બર ﷺએ કહ્યું: «હે લોકો! જેઓ ફક્ત જબાન વડે તો ઇમાન લઈ આવ્યા છો, પરંતુ હજુ સુધી તેમના દિલોમાં ઇમાન દાખલ નથી થયું, મુસલમાનોની નિંદા ન કરો અને ન તો તેઓની ખામીઓ શોધો, જે વ્યક્તિ તેમની ખામીઓ શોધશે, તો અલ્લાહ તઆલા તેની ખામીઓ ખૂબ સારી રીતે જાણે છે, અને અલ્લાહ અહીં સુધી તેની ખામીઓ પાછળ રહેશે કે તેના ઘરમાં પણ તેની ખામીઓ જાહેર કરી દેશે» ([૧૬૮]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૪૪૨, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૫૮૦. આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૮૮૦.

આઠમી બાબત: ખુતબો અને ખુતબો આપનારના અદબો:

૧- જુમ્માના ખુતબાને કોઈ વ્યક્તિ, સંગઠન, સંસ્થા અને કોઈની વિરુદ્ધ ઉપયોગ કરવાથી બચવું જોઈએ, અને જુમ્માનો ખુતબો ફક્ત અલ્લાહ અને તેના દીન માટે ખાસ હોવો જોઈએ, અને તેના દ્વારા દઅવત પહોંચાડવાનું અને અલ્લાહનો કાલિમો ઉંચો કરવાનો હેતુ હોવો જોઈએ, અલ્લાહ તઆલાએ કહ્યું: અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો.18}. [અલ્ જિન: ૧૮].

૨- ખુતબો એટલો લાંબો ન હોવો જોઈએ કે સાંભળનાર માટે બોજ બની જાય અને તેઓ ખુતબો સાંભળવાથી ફરી જાય, અને એટલો નાનો પણ ન હોવો જોઈએ કે વિષય બગડી જાય અને તેનો હક અદા ન થાય.

૩- ખતીબે ખુતબા દરમિયાન લોકોની સ્થિતિ અને તૈયારી પણ ખ્યાલ રાખવો જોઈએ, અને એવા ફકરા અને શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ જે તેઓ સમજી શકે, અને એવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ, જે તેમને સમજ ન પડે, સામાન્ય લોકો માટે સામાન્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, એવી જ રીતે દરેક ફકરાને સારી રીતે રજૂ કરે અને તેને તેની યોગ્ય જગ્યા પર વર્ણન કરે, અને ખતીબે બિનજરૂરી સુશોભિત વાતોથી બચવું જોઈએ.

૪- નારાજી, નફરત અને વિરોધ ઉભા કરતા દરેક કાર્યોથી બચવું જોઈએ; કારણકે ખુતબો આપનારનો મૂળ હેતુ લોકોને શિક્ષા આપવી, અને સત્ય પ્રત્યે તેમના દિલ નરમ કરવા અને લોકોના દિલોથી મતભેદ દૂર કરવાનો છે.

૫- ખતીબે બિનજરૂરી શાયરી અને સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ ન કરે, તેનાથી બચી, ખુતબાના મૂળ હેતુને સ્પષ્ટ શબ્દોમાં અને વ્યાપક અસરો દ્વારા રજુઆત કરે, જેથી લોકોને ફાયદો પહોંચે.

૬- ખતીબે ઘૃણાસ્પદ અને દંભી તત્વોથી દૂર રહેવું જોઈએ, અને વિખ્યાત પ્રવચકોનું પણ અનુસરણ કરવાથી બચવું જોઈએ, આ પ્રકારના કાર્યોથી લોકોના દિલોમાં અસંતુષ્ટતા પેદા થાય છે([૧૬૯]). () જુઓ: અબ્દુલ્લાહ બિન ઝૈફુલ્લાહ અર્ રુહૈલીની કિતાબ: "ઉસલૂબ ખુત્બતુલ્ જુમ્અહ", પેજ નંબર: ૧૨, ૨૦, ૨૨, અને અમીર બિન મુહમ્મદ અલ્ મદરીની કિતાબ: "ખમ્સૂન વસિય્યતન વ વસીય્યતુન લિતકૂન ખતીબન્ નાજિહન", પેજ નંબર: ૩૩, ૭૩, ૮૭.

નવમી બાબત: ખુતબો આપવાનો હેતુ અને ઉદ્દેશ્ય:

જુમ્માના દિવસે ખુતબો આપવાના હેતુ અને ઉદ્દેશ્યો નીચે પ્રમાણે છે:

૧- તૌહીદના સિદ્ધાંતો, તેની મહત્ત્વતાઓ વર્ણન કરવી, અને શિર્ક તેમજ તેના દરેક પ્રકાર, શ્રેણીઓ, અને માધ્યમો વિષે ચેતવણી આપવી.

૨- લોકોને અલ્લાહ, તેનો હિસાબ, આખિરતમાં તેનો સવાબ અને દિલોને જાગૃત કરનાર દરેક અર્થો યાદ અપાવવા, અને લોકોને ભલાઈ, નેકી તરફ દઅવત આપવી, અને ભલાઈનો આદેશ આપવો તેમજ બુરાઈથી રોકવા.

૩- મુસલમાનોને અલ્લાહની કિતાબ (કુરઆન) અને અલ્લાહના પયગંબર ﷺની હદીષ દ્વારા શિક્ષા આપવી જોઈએ, અને તેમને તેમના દીન (ધર્મ) વિષે સત્ય હકીકતો જણાવવી જોઈએ, અને સાથે સાથે સારા અખ્લાક અપનાવવા અને ઉગ્રવાદ અને અતિશયોક્તિથી બચવા પર ધ્યાન આપવું જોઈએ.

૪- ઇસ્લામ વિષે ફેલાયલી ગેરમાન્યતાઓને સુધારવી, અને શંકાઓનો જવાબ આપવો, જે તેના દુશ્મનના દિલને મૂંઝવણમાં નાખી દે છે, અપશબ્દો, મહેણાંટોણાંથી બચીને અને હિકમતથી આ દરેક વાતો કહેવી.

૫- વિનાશક અને ભ્રામક વિચારધારાઓ સમક્ષ સત્ય ઇસ્લામ સાચા તરીકા પ્રમાણે પેશ કરવો જોઈએ, એવો તરીકો જેનાથી અલ્લાહ ખુશ થઈ ગયો, અને જેને તેણે પોતાના માટે દીન સ્વીકાર્યો છે, તેને વ્યાપક્તા, સંતુલન, અને ઊંડાણપૂર્વક અને સકારાત્મક લાક્ષણિકતાઓ સાથે રજૂ કરવો.

૬- ખુતબાને જીવન અને તેની વાસ્તવિકતા સાથે જોડવો, જેમાં લોકો જીવી રહ્યા છે, અને સમાજમાં ફેલાયેલી બીમારીઓનો ઈલાજ રજૂ કરવો, જે મહાન ઇસ્લામી શરીઅત દ્વારા હોય, અને સાથે સાથે ઇસ્લામી અકીદો, તેમની ઇસ્લાહ, ઇસ્લામ અને ઈમાનના સ્થંભો, સ્ત્રીઓ અને ખાનદાનને લગતી બાબતો અને તે સિવાય બીજા અન્ય વિષયો વર્ણન કરવા જેની લોકોને જરૂર હોય છે.

૭- વર્ષમાં આવતા અલગ અલગ પ્રસંગોને ધ્યાનમાં રાખવા, જેમકે રમજાન, હજ, અને અન્ય પ્રસંગોનું વર્ણન કરે, જે લોકોને તેના વિષે જાણવા પ્રત્યે ઉત્સુક કરે છે, જે તેમના માટે તેનો માર્ગ સરળ બનાવે.

૮- મુસલમાનો દરમિયાન સત્ય ઇસ્લામી ભાઇચારાનો અર્થ સાબિત કરવો, અને જાતિવાદ, સાંપ્રદાયિક્તા, પ્રાદેશિકતા જેવા અન્ય તત્વોથી બચવું જોઈએ, જે મુસલમાનોને વિભાજિત કરે છે, અને તેનો પ્રતિકાર કરવો.

દસમી બાબત: ખુતબાની તૈયારી કઈ રીતે કરવી:

ખુતબો આપનાર વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાનો ખુતબો કાળજીપૂર્વક તૈયાર કરે, અને નીચે વર્ણન કરેલ મુદ્દાઓ ધ્યાનમાં રાખે:

સામાન્ય રીતે ખુતબાના ત્રણ ભાગ હોય છે: શરૂઆત, વિષય, અને અંત, આ તે તત્વો છે, જેને લખાણ અથવા વિતરણ દરમિયાન જાહેર કરવામાં આવતા નથી, તેઓ એકબીજા સાથે જોડાયેલા તત્વો છે, તેમની વચ્ચે જોડાણ, ખુતબો આપનારની ગુણવત્તા, ક્ષમતા, જ્ઞાન અને તેની વિપુલતા અને અનુભવને જાહેર કરે છે, જેથી ખુતબાના ભાગોને વહેંચણી કરવામાં આવેલ છે અને તે પોતાની વહેંચણીમાં ચોક્કસ છે.

આ તરીકો અર્થ અને હેતુઓને સ્પષ્ટ કરે છે, અને વક્તા માટે જરૂરી છે કે તે સાંભળવાવાળા માટે સારી વાતનો ઉલ્લેખ કરે, અને તેની આસપાસ બેસેલા દરેક પર સંપૂર્ણ રીતે ધ્યાન આપે.

શરૂઆત: ખતીબે ખુતબાની શરૂઆતનો ખ્યાલ કરવો જોઈએ, અને તેમાં એવા શબ્દોનો ઉલ્લેખ કરવો, જે સાંભળવાવાળાને ખુતબાનો હેતુ જણાવી શકે, જે તેમને પોતાની તરફ આકર્ષિત કરે છે, અને મનને પ્રોત્સાહિત કરે છે, જે વ્યાપક અને હિકમતવાળી કુરઆની આયતો અથવા વ્યાપક નબી ﷺની હદીષ પણ હોય શકે છે, અને શરૂઆત તે પહેલી વસ્તુ છે, જે એક વક્તા સાંભળવાવાળા સમક્ષ રજૂ કરે છે, અને જો તે એક સારી રજૂઆત દ્વારા આશ્ચર્યચકિત કરી દે, તો તેમનો ઉત્સાહ અને ઉર્જા બંને બીજી વાતો સાંભળવા માટે વધી જાય છે.

અને ખુતબાની શરૂઆત એવા શબ્દો વડે થવી જોઈએ જે ખુતબો આપનારનો હેતુ જાહેર કરે, જો કે જુમ્માનો ખુતબો અલ્લાહના વખાણ, તેનો શુક્ર અને સાથે સાથે ઈમાનની બંને સાક્ષીઓ આપવા અને અલ્લાહના પયગંબર ﷺ પર દરૂદ પઢવાથી શરૂ થાય છે, ખુતબાનો મકસદ અને હેતુ જાણવા માટે શબ્દોને સારી રીતે પસંદ કરવા જોઈએ.

વિષય: ખુતબાનો મૂળ હેતુ છે, ખુતબાની શરૂઆતમાં તેને સ્પષ્ટ રીતે રજૂ કરવો છે, જેમકે કહેવું: હું તમારી સમક્ષ આ અને આવા વિષય પર વાત કરવા ઈચ્છું છું, જે વર્તમાન સમયનો મુદ્દો છે, જેમાં ઘણા લોકો સપડાયેલા છે, અને તેના માટે યોગ્ય શબ્દો પસંદ કરવા જોઈએ.

અને જો કેટલીક જગ્યાએ તેને સ્પષ્ટ કરવું યોગ્ય ન હોય, તો તેને વર્ણન ન કરવું જોઈએ, જેથી લોકો વિભાજિત ન થઈ જાય, અને આ સ્થિતિમાં ખુતબો આપનાર વ્યક્તિએ ધીમે ધીમે પોતાના વિષય તરફ લઈ જવા જોઈએ, અને તેને સીધું વર્ણન ન કરવું જોઈએ, અને સાંભળવાવાળા લોકોને તાર્કિક રીતે ઉત્તેજના અને વિભાજનથી દૂર રહી સંતુલન સાથે વિષયના હેતુ સુધી પહોંચાડવા જોઈએ, આ રીતે ખુતબો આપનાર વક્તા લોકોને પોતાના વિષયના હેતુ સુધી પહોંચાડવા માટે આકર્ષિત કરી લેશે, જો તેઓ ખુતબો સાંભળવા રસ ન ધરાવતા હોય, અથવા તેઓ ટેવાયેલા ન હોય.

અને વિષય સામાન્ય રીતે બે મૂળ હેતુઓ પર તૈયાર કરવામાં આવે છે: સ્પષ્ટતા અને તર્ક.

સ્પસ્ટતા: તે જે વિષય પર ચર્ચા કરી રહ્યો હોય તેની વ્યાખ્યા, ખૂબીઓ, અને ફાયદા વર્ણન કરે.

તર્ક: ઘણીવાર વિષયને પુરાવા, દલીલો, અને સાક્ષીઓની જરૂરત હોય છે, અને તે કુરઆન, હદીષ અને સલફની કહેલી વાતો દ્વારા હોય છે, અને સમાનતા અને ચિંતન મનન કરવા માટે કેટલાક કિસ્સાઓનો ઉલ્લેખ કરવો, અને તેના માટે વિખ્યાત આલિમોની વાતો નકલ કરવી પણ ફાયદાકારક છે, જેઓ નેકી, ઈમામત, શોર્ય, સંન્યાસ, હિંમત અને ધર્મનિષ્ઠા માટે જાણીતા હતા, અને વિષયમાં જ્યાં યોગ્ય હોય ત્યાં તેમની વાત નકલ કરવી.

ખુતબાનો અંત: વક્તા પોતાના વિષયને સમાપ્ત કર્યા પછી, તેના માટે યોગ્ય છે કે તે પોતાના ખુતબાનો અંત એવા યોગ્ય શબ્દો વડે કરે, જે તેના વિષયના વિચારોને એકઠા કરે અને તે પોતાના વિષયનો સારાંશ વિવિધ શબ્દોમાં અને સંક્ષિપ્ત રૂપમાં રજૂ કરે; કારણકે લાંબી વાતો કરવી કંટાળાજનક અને મનને વિચલિત કરે છે.

અને તેમાં નવા વિચારો અને નવી દલીલો ન હોવી જોઈએ; કારણકે આમ કરવાથી ખુતબાનો અંત નહીં થાય, અને આ તો ખુતબાનો એક ભાગ થઈ જશે અને ખુતબો લંબાઈ જશે.

અને અંત અસરકારક અને મજબૂત હોવો જોઈએ, કારણકે આ અંતિમ વસ્તુ છે, જે સાંભળવાવાળાના કાન સુધી પહોંચે છે, અને તેમના દિમાગમાં બેસી જાય છે, અને અંત જો કમજોર અને સુસ્ત હોય, તો ખુતબાનો ફાયદો નષ્ટ થઈ જશે.

અને ખુતબાનો અંત કુરઆનની આયતો વડે પણ થઈ શકે છે, જે પહેલા વર્ણન ન કરી હોય, અને તેના વિષયમાં પ્રોત્સાહન, પરેણાં હોવી જોઈએ, અને નબી ﷺની હદીષ દ્વારા પણ થઈ શકે છે, જે કુરઆનની આયતનો ફાયદો આપતી હોય, અને તે ખુતબાના મુખ્ય તત્વોને વ્યાપક અને મજબૂત રૂપમાં રજૂ કરે.

અને બે મુદ્દાઓ છે, જેના પર એક વક્તાએ ધ્યાન રાખવું જોઈએ, વિષયની એકતા અને નવીકરણ, વિવિધતા.

વિષયની એકતા: જરૂરી છે કે ફક્ત એક જ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવું, તેના દરેક ભાગને પૂર્ણ કરવા, અને યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો; કારણકે એક જ સંદર્ભમાં અલગ અલગ વિષયો અને મુદ્દાઓ વર્ણન કરવા મનને વિચલિત કરે છે, અને લોકો તેમાંથી કેટલાક મુદ્દાઓ ભૂલી જાય છે, કંટાળાજનક અને અસ્પસ્ટતા તરફ દોરી જાય છે.

નવીકરણ, વિવિધતા: સંપૂર્ણ ખુતબા દરમિયાન પતન વિષયથી બહાર ન નીકળે, અને તેને જ વારંવાર વર્ણન કરતાં ન રહેવું જોઈએ, પરંતુ પોતાના વિષયમાં શરીઅતની દરેક બાબતો શામેલ કરે, જેમકે તૌહીદ, ઈબાદત, વ્યાવહારિક બાબતો, અખ્લાક વગેરે.

અને ખતીબે ખુતબો આપવામાં એક જ પદ્ધતિ અને એક જ ગતિએ ન ચાલવું જોઈએ, પરંતુ કેટલીક વાર સવાલ જવાબનો અંદાજ અપનાવે, અને ક્યારેક ઘોષણાત્મક અંદાજ અપનાવે, અને ઉદાહરણો આપે, હિકમતની વાતો વર્ણન કરે, અને સાથે સાથે સમાજની સ્થિતિનો અનુભવ, લોકોની જરૂરતોનો ખ્યાલ કરે, અને તેમને માર્ગદર્શન આપે, અને તેમને બદલાવના અસરો પણ જણાવે. () જુઓ: ડૉ. સાલીહ બિન અબ્દુલ્લાહ બિન હુમૈદની કિતાબ: "મનહજ ફી ઇઅદાદિ ખુતબતુલ્ જુમઅહ" પેજ નંબર: ૨૨ અને તેના પછી.

ચોથું પ્રકરણ: મસ્જિદના આદેશો

પહેલો વિષય: મસ્જિદની વ્યાખ્યા

મસ્જિદનો કાયદાકીય અર્થ: તે જગ્યા જ્યાં પાંચ ફર્ઝ નમાઝો અને જુમ્માનો ખુતબો વગેરે થતો હોય, અને ત્યાં ઉંચા અવાજે અઝાન કહેવામાં આવતી હોય, તેને મસ્જિદ કહેવાય છે; કારણકે તે અલ્લાહ તઆલા માટે સિજદો કરવાની જગ્યા છે.

મસ્જિદ અને મુસલ્લામાં ફર્ક

મસ્જિદ તે જગ્યા જ્યાં કાયમી રૂપે ફર્ઝ નમાઝો પઢવામાં આવતી હોય, અને મુસલ્લો તે જગ્યા છે જ્યાં સામન્ય રીતે નમાઝ પઢવામાં આવે છે, જેમકે મદ્રસા, કંપનીઓ અને સફરના રસ્તામાં વગેરે, જ્યાં પાંચ નમાઝો ઉભી ન થતી હોય, અને મુસલ્લામાં દાખલ થતી વખતે તહય્યતુલ મસ્જિદ પઢવી સુન્નત નથી, અને મસ્જિદમાં દાખલ થતી વખતે પઢવી સુન્નત છે.

બીજો વિષય: મસ્જિદ બનાવવી અને તેની મહત્ત્વતા:

મસ્જિદ જમીન પર સૌથી શ્રેષ્ઠ જગ્યા છે, જેમાં શ્રેષ્ઠ ઈબાદત નમાઝ પઢવામાં આવે છે, અલ્લાહ તઆલાએ કહ્યું: (આ તખ્તિઓ) એવા ઘરોમાં હોય છે, જેના વિશે અલ્લાહ તઆલએ આદેશ આપ્યો છે કે તેના ઘરોમાં અલ્લાહનું નામ બુલંદ કરવામાં આવે અને તેનો ઝિકર કરવામાં આવે, આ (મસ્જિદો)માં સવાર સાંજ આવા લોકો અલ્લાહના નામની તસ્બીહ કરતા હોય છે.36 આવા લોકો, જેમને વેપાર-ધંધો અને લે-વેચ, અલ્લાહના સ્મરણથી અને નમાઝ કાયમ પઢવાથી અને ઝકાત આપવાથી વંચીત નથી રાખતી, તે લોકો, તે દિવસથી ડરે છે જે દિવસે ઘણા હૃદય અને ઘણી આંખો પથરાઇ જશે.37}. [અન્ નૂર: ૩૬-૩૭].

અને ખરેખર અલ્લાહ તઆલાએ મસ્જિદ અને તેની મહાનતા દર્શાવતા મસ્જિદની નિસ્બત કરી, જેમકે કહ્યું: {તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ તઆલાની મસ્જિદોમાં અલ્લાહ તઆલાના સ્મરણથી લોકોને રોકે ...}. [અલ્ બકરહ: ૧૧૪]. અને પવિત્ર અલ્લાહએ કહ્યું: અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો.18}. [અલ્ જિન: ૧૮].

એટલા માટે શરીઅતે મસ્જિદને બનાવવા અને તેનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવા પર પ્રોત્સાહિત કર્યા છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: અલ્લાહની મસ્જિદોની આબાદ કરવું તો તે લોકોનું કામ છે, જે અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે, નમાઝ કાયમ કરે, ઝકાત આપે, અને અલ્લાહ સિવાય કોઈનાથી ન ડરે, આશા છે કે આવા લોકો જ હિદાયત પર હશે.18}. [અત્ તૌબા: ૧૮].

અબૂ ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિ ફક્ત અલ્લાહની પ્રસન્નતા માટે મસ્જિદ બનાવે, તો અલ્લાહ તેના માટે તેવું જ ઘર જન્નતમાં બનાવશે» ([૧૭૧]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૫૦, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૩૩.

અબૂ જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «જે વ્યક્તિ ફક્ત અલ્લાહની પ્રસન્નતા માટે પક્ષીના માળા જેટલી અથવા તેનાથી પણ નાની મસ્જિદ બનાવે, તો અલ્લાહ તેના માટે જન્નતમાં એક ઘર બનાવશે» ([૧૭૨]). () આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૭૩૮, અને ઇમામ બૂસીરી એ «અઝ્ ઝવાઈદ» (પેજ નંબર: ૧/૯૪): આ હદીષની સનદને સહીહ છે.

અને નબી ﷺએ કહ્યું: «પક્ષીના માળા જેટલી» અર્થાત્: તે જગ્યા જ્યાં માદા પક્ષી પોતાના ઇંડા મૂકવાની તૈયારી કરે છે, અહીંયા નાનામાં નાની જગ્યાનો શબ્દ વ્યાપક રૂપમાં વર્ણન કરવામાં આવ્યો છે, કે મસ્જિદ માટે થોડુંક પણ બાંધકામ કરવામાં આવે, તો પણ તેનું મહત્વ ઘણું છે.

અને આ શબ્દમાં તે લોકો પણ તે લોકો પણ સમાવેશ થાય છે, જેઓ મસ્જિદના બાંધકામમાં ભાગ લે છે, ભલેને ઈંટો કે માટી લાવી આપે, અથવા પોતાના હાથ વડે કામ કરે, અથવા મજૂરોને મજૂરી આપે, જેવા કાર્યો, જે મસ્જિદના બાંધકામમાં મદદરૂપ થતાં હોય, જેણે પોતાના માલ અથવા મહેનત વડે ભાગ લીધો હોય, આ બધું જ કામ ફકત અલ્લાહ પાસે સવાબની આશાથી કર્યું હોય, જેના પરિણામે અલ્લાહ તઆલા તેના માટે જન્નતમાં એવું જ ઘર બનાવશે અથવા તેનાથી પણ વધુ શાનદાર ઘર બનાવશે, જ્યાં દુનિયાનું કોઈ પણ ઘર તેનો મુકાબલો નહીં કરી શકે, અને તે બંને વચ્ચે કોઈ પણ પ્રકારની સરખામણી પણ નહીં હોય, આ હદીષનો એક અર્થ એ પણ છે, તે લોકો જેઓને અલ્લાહએ ખૂબ માલ આપ્યો છે, તેઓ પણ સત્કાર્યોમાં જલ્દી કરે અને દુનિયાના જીવનનો ફાયદો ઉઠાવી આખિરત માટે એવા કાર્યો ભેગા કરે, જે તેમના પાલનહાર પાસે બમળો સવાબ અપાવશે અને સત્કાર્યો કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ([૧૭૩]). () જુઓ: ઈબ્ને જિબ્રૈન રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)ની કિતાબ: «ફુસૂલ વ મસાઈલ તતઅલ્લક બિલ્ મસાજિદ» પેજ નંબર: ૧૪.

ત્રીજો વિષય: મસ્જિદ બનાવવાની મહત્ત્વતા:

મસ્જિદના નિર્માણમાં, તેના સામાન્ય અર્થમાં ભૌતિક અને આધ્યાત્મિક બંનેનો સમાવેશ થાય છે, તેમાં મસ્જિદ બનાવવી, તેનો શણગાર કરવો, તેમાં લાઇટ અને અન્ય સામાન મૂકવો, તેની સંભાળ રાખવી, સાફ સફાઇ કરવી, તેમાં અલ્લાહ માટે ઈબાદત કરવી, મસ્જિદ માટે ઈમામ અને મુઅઝ્ઝિન નક્કી કરવા, અને તેમાં અલ્લાહના ઝિક્રના કલાસ ચાલુ કરવા; જેમાં કુરઆન, હદીષ, તફસીર અને ફિકહ વગેરે જેવા જ્ઞાન શિખવાડવામાં આવે, તે મસ્જિદમાં કામ કરવાવાળાઓને પગાર આપવો, અને તેમના ફાયદા માટે સામાનનો બંદોબસ્ત કરી આપવો, જેમકે ઈમામ અને મુઅઝ્ઝિન અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ઘર બનાવી આપવું, અને સાથે સાથે વઝૂ કરવાની સહુલત કરાવી આપવી, આવી રીતે કરવામાં આવતા દરેક ફાયદાકારક કાર્યોનો સમાવેશ થાય છે.

અલ્લાહ તઆલાએ કહ્યું: અલ્લાહની મસ્જિદોની આબાદ કરવું તો તે લોકોનું કામ છે, જે અલ્લાહ અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે, નમાઝ કાયમ કરે, ઝકાત આપે, અને અલ્લાહ સિવાય કોઈનાથી ન ડરે, આશા છે કે આવા લોકો જ હિદાયત પર હશે.18}. [અત્ તૌબા: ૧૮].

અને ખરેખર આ આયત તે લોકોના ઈમાનની પુષ્ટિ કરે છે, જેઓ મસ્જિદ બનાવે છે અને તેમાં નમાઝ પઢે છે, અને તૂટી ગયેલ મસ્જિદનું સમારકામ કરે છે([૧૭૪]). () જુઓ: મુહમ્મદ અલ્ અર્ ફન્જની કિતાબ: «અલ્ મશરૂઅ વલ્ મમ્નૂઅ ફીલ્ મસ્જિદ» (પેજ નંબર: ૯).

ચોથો વિષય: મસ્જિદને સ્વચ્છ રાખવી અને તેમાંથી ગંદકી દૂર કરવી:

જો કે મસ્જિદો ઈબાદત કરવાની જગ્યા અને અનુસરણ દ્વારા અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાનો સ્ત્રોત છે, એટલા માટે તેની સુરક્ષા અને તેને ગંદકીથી દૂર રાખવાનો આદેશ આપ્યો છે, જેથી તે પાક સાફ અને સુંદર થઈ જાય.

ઇમામ સઅદી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ અલ્લાહની આ આયતની તફસીરમાં કહ્યું: (આ તખ્તિઓ) એવા ઘરોમાં હોય છે, જેના વિશે અલ્લાહ તઆલએ આદેશ આપ્યો છે કે તેના ઘરોમાં અલ્લાહનું નામ બુલંદ કરવામાં આવે અને તેનો ઝિકર કરવામાં આવે, આ (મસ્જિદો)માં સવાર સાંજ આવા લોકો અલ્લાહના નામની તસ્બીહ કરતા હોય છે.36}. [અન્ નૂર: ૩૬]. કહ્યું: " {...કે તેના ઘરોમાં અલ્લાહનું નામ બુલંદ કરવામાં આવે અને તેનો ઝિકર કરવામાં આવે...}. આ બન્ને આયતોમાં મસ્જિદના દરેક આદેશોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં મસ્જિદનું નિર્માણ કરવું, અને તેને નાપાકી અને ગંદકીથી બચાવવી, એવી જ રીતે મસ્જિદ એવા પાગલો અને બાળકોથી સુરક્ષિત રાખવી, જે તેમાં ગંદકી કરે, અને અયોગ્ય કાર્યો અને ઊંચી અવાજો જેમાં અલ્લાહનો ઝિક્ર ન હોય, તેનાથી સુરક્ષિત રાખવી([૧૭૫]). () «તફસીરે સઅદી» (પેજ નંબર: ૫૬૯).

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે એક કાળી સ્ત્રી મસ્જિદમાં સાફ સફાઈ કરતી હતી, તો એક દિવસ નબી ﷺએ તેને ન જોઈ, તેના વિશે સવાલ કર્યો, તો લોકોએ કહ્યું: તેનું મૃત્યુ થઈ ગયું છે, તો નબી ﷺએ કહ્યું: «તમે મને તેના વિષે જણાવ્યું કેમ નહીં?» તો રિવાયત કરનાર સહાબીએ કહ્યું: (અમે એટલા માટે ન જણાવ્યું કે) અમને આ વાત સામાન્ય લાગી, તો નબી ﷺએ કહ્યું:«મને તેની કબર દેખાડો», આપ ﷺને તેણીની કબર દેખાડવામાં આવી, તો નબી ﷺએ ત્યાં નમાઝ પઢી અને કહ્યું: «આ કબરો તેમના માટે અંધારાથી ભરેલી છે, સર્વશ્રેષ્ઠ અલ્લાહએ તેને મારી નમાઝ વડે પ્રકાશિત કરી દીધી» ([૧૭૬]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૬૦, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૯૫૬.

અને અનસ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) દ્વારા સાબિત છે કે તેમણે કહ્યું: અમે મસ્જિદમાં અલ્લાહના પયગંબર સાથે હતા, તો એક ગામડિયો આવ્યો અને મસ્જિદમાં ઉભો રહી પેશાબ કરવા લાગ્યો, તો સહાબાઓએ કહ્યું: તેને રોકો, તેને રોકો, તો અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું: «તેની સાથે જબદસ્તી ન કરો -અર્થાત્: તેને પેશાબ કરવાથી ન રોકો- તેને છોડી દો» બસ તેને છોડી દીધો અને તેણે પેશાબ કરી લે, ફરી અલ્લાહના પયગંબર ﷺએ તેને બોલાવ્યો અને તેને કહ્યું: «ખરેખર આ મસ્જિદોમાં આ બધા કાર્યો કરવા, જેમકે પેશાબ કરવી અને ગંદકી કરવી, યોગ્ય નથી, અને મસ્જિદો સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહનો ઝિક્ર કરવા, નમાઝ પઢવા અને કુરઆનની તિલાવત કરવા માટે હોય છે» ફરી એક વ્યક્તિને નબી ﷺએ આદેશ આપ્યો કે ત્યાં એક ડોલ પાણી નાખી દો, અર્થાત્: પાણી વહાવી દો([૧૭૭]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૧૯ સંક્ષિપ્ત રૂપે વર્ણન કરી છે, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૨૮૫.

અને તેમાં કોઈ વિવાદ નથી કે પેશાબ અને તેના જેવી વસ્તુઓથી મસ્જિદને સુરક્ષિત રાખવામાં આવે, અને મસ્જિદને સુરક્ષિત રાખવી તેની શરતો માંથી એક શરત છે, બસ મસ્જિદ, તેનું આંગણું, તેના કમરાઓ અને છત, જેવી દરેક વસ્તુને દરેક પ્રકારની ગંદકીથી પાક રાખવામાં આવે, અને જ્યારે તેમાં ગંદકી લાગી જાય તો તેને સાફ કરી દેવામાં આવે.

એવી જ રીતે મસ્જિદને કફ, લાળ, થૂંક, લોહી અને વોમીટ જેવી દરેક ગંદકીથી સાફ રાખવામાં આવે, અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી ﷺએ કિબલા તરફ ગલ્ફો જોયો, તો નબી ﷺ પરેશાન થઈ ગયા, અહીં સુધી કે તે પરેશાની આપના ચહેરા પર દેખાવા લાગી, બસ ઉભા થઇ તેને પોતાના હાથ વડે સાફ કરી દીધો, અને કહ્યું: «તમારા માંથી જ્યારે કોઈ નમાઝ પઢવા માટે ઉભો થાય, તો તે પોતાના પાલનહાર સાથે વાતચીત કરી રહ્યો હોય છે -અથવા તે અને તેનો પાલનહાર કિબલા દરમિયાન હોય છે- બસ તમારા માંથી કોઈ વ્યક્તિ કિબલા તરફ ન થૂંકે, બસ જો તેને થૂંકવું હોય તો જમણી અથવા ડાબી બાજુ અથવા પગની નીચે થૂંકે», ફરી નબી ﷺ પોતાના કપડાંનો એક ભાગ ઉઠાવ્યો અને તેમાં થૂંકી તેને પોતાની ઉપર લપેટી લીધું, અને કહ્યું: «અથવા તે આમ કરે» ([૧૭૮]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૦૫, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૫૧.

ઘણી હદીષોમાં મસ્જિદમાં થૂંકવા અને નાક સાફ કરવા બાબતે રોક લગાવવામાં આવી છે, કેટલાક લોકોએ તેની સમજૂતીમાં લખ્યું છે કે કિબલા તરફ અને જમણી બાજું ન થૂંકવું જોઈએ, પરંતુ ડાબી બાજુ અથવા પગની નીચે થૂંકવું જોઈએ અને ફરી પગ વડે તેને કચડી નાખવું જોઈએ, અને તેમાં કોઈ શંકા નથી કે કફ કાઢવો અને નાક સાફ કરવું મકરુહ (અયોગ્ય) કાર્ય છે, એટલા માટે જ જ્યારે નબી ﷺએ મસ્જિદમાં કિબલા તરફ થૂંક જોઈ, તો સખત ગુસ્સે થયા, અહીં સુધી કે તેમનો ચહેરો લાલ થઈ ગયો, અને તેને સાફ કરવા માટે જલ્દી કરી અને તે જગ્યા પર સુગંધિત કેસર લગાવી દીધું.

તો જાણવા મળ્યું કે જો મસ્જિદ માટી વડે બનાવવામાં આવી હોય તો ઘસવું સરળ છે, અને તેને દાટી દેવું પણ શક્ય છે એવી જ રીતે ત્યાંથી ખરાબ થયેલ માટીને પણ કાઢી શકાય છે.

અને આજે મસ્જિદો ટાઇલ્સ અને સ્વચ્છ કાર્પેટ દ્વારા બનાવવામાં આવે છે, એટલા માટે તેમાં જલ્દી ગંદકી આવી જાય છે, અને નાકમાંથી નીકળતો કફ, લોહી, પરું અને તેના જેવી વસ્તુઓનો દાગ દેખાવા લાગે છે, એટલા માટે ફ્લોર પર, કાર્પેટ અને, દીવાલો પર અથવા ટાઇલ્સો પર થૂંકવા પ્રત્યે સખ્તી સાથે રોક લગાવી છે, અને જે વ્યક્તિને થૂંકવાની જરૂર હોય અથવા તેના નાક સાફ કરવું હોય, તો તેણે બહાર જવું જોઈએ, અથવા તેણે ટિશ્યૂમાં થૂંકી તેને બહાર ફેંકી દેવું જોઈએ, અથવા તે કપડાંના છેડા પર થૂંકી તેને લપેટી લે, જેવુકે હદીષમાં વર્ણન કરવામાં આવ્યું, જેથી મસ્જિદ સાફ અને સ્વચ્છ રહે.

અને આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ આદેશ આપ્યો કે મસ્જિદો રહેવાની જગ્યાએ બનાવવામાં આવે, અને તેને સાફ અને સુગંધિત રાખવામાં આવે. ઈમામ સુફીયાન રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: મસ્જિદો રહેવાની જગ્યાઓ પર બનાવવાનો અર્થ: ખાનદાનમાં બનાવવી ([૧૭૯]). () આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૯૪, અને જુઓ: «ફુસૂલ વ મસાઈલ તતઅલ્લક બિલ્ મસાજિદ», (પેજ નંબર: ૨૭).

પાંચમો વિષય: કબર પર મસ્જિદ બાંધવી અથવા મસ્જિદમાં કબર બાંધવાનો હુકમ:

કોઈ પણ વ્યક્તિની કબર પર મસ્જિદ બાંધવી જાઈઝ નથી, અને આમ કરવું હરામ છે, શૈખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈય્મિયહ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "દરેક આલિમો આ વાત પર એકમત છે કે કબર પર મસ્જિદ બનાવવામાં ન આવે; કારણકે નબી ﷺએ કહ્યું: «ખરેખર તમારા પહેલાના લોકો કબરોને મસ્જિદ (ઈબાદત કરવાની જગ્યા) બનાવી લેતા હતા, ખબરદાર તમે કબરોને મસ્જિદ ન બનાવો, મેં તમને તેનાથી મનાઈ કરી છે»

એવી જ રીતે કોઈ મૃતકને પણ મસ્જિદમાં દફન કરવો જાઈઝ નથી, અને જો દફન પહેલા મસ્જિદ હોય, તો તેને બરાબર કરી દેવામાં આવે અને મય્યિત નવી હોય, તો તેની જગ્યા બદલી દેવામાં આવે.

અને જો મસ્જિદ કબર પછી બનાવવામાં આવી હોય, તો તે મસ્જિદને હટાવી દેવામાં આવશે અથવા કબરના ઢાંચાને બદલી નાખવામાં આવશે, ખરેખર તે મસ્જિદ જે કબર પર બનાવવામાં આવી હોય, ત્યાં ફર્ઝ અથવા નફિલ કોઈ પણ પ્રકારની નમાઝ પઢવી જાઈઝ નથી; કારણકે તેનાથી રોક્યા છે" ([૧૮૦]). () «મજમુઉલ્ ફતાવા» (૨૨/૧૯૪).

શૈખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈય્મિયહ રહિમહુલ્લાહએ આ વિષે વર્ણન કરેલ અન્ય દલીલો: આયશા અને અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તે બન્નેએ કહ્યું: જ્યારે અલ્લાહના પયગંબર ﷺ મૃત્યુશૈયા પર હતા તો તેમણે પોતાનો ચહેરો ખમીસા (ચાદર) વડે ઢાંકી લીધો, જ્યારે તકલીફ થવા લગતી તો ચાદર હટાવી લેતા, તે સ્થિતિમાં તેમણે કહ્યું: «યહૂદીઓ અને નસારા પર અલ્લાહની લઅનત થાય, તેમણે પોતાના પયગંબરોની કબરોને મસ્જિદ બનાવી લીધી» આ હદીષમાં નબી ﷺએ તેમના જેવું કરવાથી સચેત કર્યા છે([૧૮૧]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૩૫, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૩૧.

અલ્લાહના પયગંબર ﷺ જ્યારે પોતાના અંતિમ સમયમાં મૃત્યુની પથારી પર હતા, ત્યારે જણાવ્યું કે યહૂદીઓ અને નસારા પર સર્વશ્રેષ્ઠ અલ્લાહની લઅનત થાય, કારણકે તેઓએ તેમના પયગંબરોની કબરોને ઈબાદત કરવાનું સ્થાન બનાવી લીધું, અને જણાવ્યું કે આ કાર્ય પહેલા કાફિરોનું હતું, તેથી તે પોતાની ઉમ્મતને તેમનું અનુસરણ કરવાથી સચેત કર્યા જેથી શિર્કના દરેક દ્વાર બંધ થઈ જાય.

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ વર્ણન કર્યું કે ઉમ્મે હબિબહ અને ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ વર્ણન કર્યું કે તેમણે હબશહમાં એક ચર્ચ જોયું જેમાં ચિત્રો હતા, તો તે બન્નેએ તેના વિષે નબી ﷺને જણાવ્યું તો નબી ﷺએ કહ્યું: «ખરેખર જ્યારે તેમનામાં કોઈ નેક વ્યક્તિ મૃત્યુ પામી જતો, તો તેઓ તેની કબર પાસે મસ્જિદ બનાવી લેતા અને ચિત્રો બનાવતા, તો આ લોકો કયામતના દિવસે અલ્લાહની નજીક સૌથી ખરાબ સર્જન માંથી હશે» ([૧૮૨]). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૨૭, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૨૮.

આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ વધુ વર્ણન કરતાં કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ પોતાની અંતિમ બીમારી જેમાંથી તેઓ પછી ઊભા ન થયા, કહ્યું: «યહૂદીઓ અને નસારા પર અલ્લાહની લઅનત થાય, તેમણે પોતાના પયગંબરોની કબરોને મસ્જિદ બનાવી લીધી» જો તેમને એ ભય ન હોત કે તેમની કબરને પણ મસ્જિદ બનાવી લેવામાં આવશે, તો નબી ﷺની કબર સૌથી ઊંચી અને શ્રેષ્ઠ બનાવવામાં આવતી. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૧૩૯૦, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૫૨૯.

છઠ્ઠો વિષય: મસ્જિદને સુશોભિત કરવાનો હુકમ

મસ્જિદો પર ગર્વ કરવાના હેતુથી મસ્જિદમાં સજાવટ કરવી જાઈઝ નથી, ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ વર્ણન કર્યું કે અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય)એ કહ્યું: "ખરેખર તમે યહૂદીઓ અને નસારાની માફક મસ્જિદને ન શણગારો".

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે તેમણે કહ્યું: «તેઓ મસ્જિદને શણગાર કરવા બાબતે ગર્વ કરે છે, પરંતુ તેમાં ફક્ત થોડી વાર જ રહે છે»

અને એ પણ વર્ણન કરવામાં આવ્યું છે કે ઉમર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ મસ્જિદ બનાવવાનો આદેશ આપ્યો અને કહ્યું: "લોકોને વરસાદથી બચાવવા માટે (મસ્જિદ) બનાવો, પરંતુ તેને રંગબેરંગી સજાવટ કરવાથી બચો; કારણકે લોકો તેનાથી ફિતનામાં સપડાઈ શકે છે" ([૧૮૪]). () આ અસરોને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ પોતાની «સહીહ» માં મુઅલ્લક સ્વરૂપમાં વર્ણન કર્યા છે, સીગએ જઝ્મ (ચોક્કસ સ્ત્રોત સાથે) (૧/૯૬-૯૭).

વર્તમાન સમયના લોકો મસ્જિદોનો શણગાર કરવા અને તેના પર વ્યર્થ માલ ખર્ચ કરવા પ્રત્યે ખૂબ જ ગર્વ અને ઘમંડ કરે છે, અને આલિમોએ ફતવો આપ્યો કે ઘરે અને રહેઠાણની જગ્યાએ મસ્જિદ બનાવો, તો તેને સુંદર બનાવો જેથી મસ્જિદ ઘરની તુલનામાં વધુ સુંદર લાગે, પરંતુ આ સજાવટ રંગબેરંગી, વ્યર્થ માલ ખર્ચ કરવો, અતિશયોક્તિ, સિરામિક્સ, ટાઇલ્સ અને ફર્નિચર જેવા ખર્ચોથી બચીને કરવામાં આવે જેમાં વિવિધતાની જરૂર નથી, તે જાણીને કે આ એવી મસ્જિદ છે કે જે નાની અને તેના સુધારાની જરૂર છે તો તેના માટે માલ ખર્ચ કરવામાં આવે કારણકે તે મસ્જિદ છે.

અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી ﷺના સમયમાં મસ્જિદ ઈંટો વડે બનાવવામાં આવી હતી, અને તેની છત ખજૂરના પાંદડા વડે, અને તેના પિલર ખજૂરના ઝાડના લાકડા વડે બનાવવામાં આવતા, ત્યારબાદ અબૂ બકર રઝી અલ્લાહુ અનહુએ તેમાં કઈ પણ વધારો ન કર્યો, અને ઉમર રઝી અલ્લાહુ અન્હુએ તેમાં વધારો કર્યો અને તેને નબી ﷺના સમયના બાંધકામ મુજબ જ ઈંટો અને ખજૂરના પાંદડા વડે બનાવ્યું અને તેના પિલરોને લાકડાના જ ફરી બનાવ્યા, ફરી ઉષમાન રઝી અલ્લાહુ અન્હુએ તેને બદલી નાખી અને તેમાં ઘણો વધારો કર્યો, અને તેની દીવાલને કોતરેલા પથ્થરો અને પ્લાસ્ટર વડે બનાવી, અને તેના થાંભલાને કોતરેલા પથ્થરો વડે બનાવ્યા અને તેની છતને સાગના લાકડા દ્વારા બનાવી [૧૮૫]. () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, હદીષ નંબર: ૪૪૬.

શૈખ અબ્દુલ અઝીઝ બિન બાઝ રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ કહ્યું: "ઉષમાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ જે કઈ પણ કર્યું તેના દ્વારા જાણવા મળે છે કે મસ્જિદને કોતરેલા પથ્થરો, સારા લાકડા, પ્લાસ્ટર વડે અને દીવાલોને કલર કરી સારી બનાવી શકાય છે, સલફે કરેલો અમલ સૌથી શ્રેષ્ઠ અમલ છે, અત્યારે લોકો પોતાના ઘરોને સુંદર બનાવે છે, તો આ સ્થિતિમાં મસ્જિદોને તેની જૂની સ્થિતિમાં છોડવી, તે મસ્જિદમાં નમાઝ પઢવા માટે આવનાર વ્યક્તિ નિરાશ થઈ શકે છે, તેથી લોકોને મસ્જિદ તરફ આકર્ષિત કરવા માટે ઉષમાન રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય)એ જે કઈ પણ કર્યું તેમાં કોઈ વાંધો નથી, જ્યાં સુધી મસ્જિદ વિષે બડાઈ મારવી, ઘમંડ કરવું તે અયોગ્ય છે, અને મસ્જિદમાં અલગ અલગ પ્રકારના લખાણ કરવા પણ નાપસંદ કાર્ય છે, બસ મસ્જિદો જેટલી સાદી હોય એટલી સારી છે" ([૧૮૬]). દુક્તૂર સઈદ બિન અલી બિન વહફ અલ્ કહ્તાનીની કિતાબ: «અલ્ મસાજિદ» માંથી નકલ કરીને, (પેજ નંબર: ૭૧).

સાતમો વિષય: કાફિર વ્યક્તિને મસ્જિદમાં દાખલ થવાનો હુકમ:

મુસલમાનો માટે કોઈ પણ કાફિરને મસ્જિદે હરામ અને તેની આસપાસની જગ્યાએ દાખલ થવાની પરવાનગી આપવી હરામ છે; અને આ નિયમ અલ્લાહએ વર્ણન કર્યો છે: {હે ઈમાનવાળાઓ! ખરેખર મુશરિક તદ્દન નાપાક છે, એટલા માટે તેઓ આ વર્ષ પછી મસ્જિદે હરામની આસ-પાસ પણ ન ભટકે...}. [અત્ તૌબા: ૨૮], જ્યાં સુધી અન્ય મસ્જિદોની વાત છે, તો યોગ્ય કારણે તેમાં દાખલ થવું જાઇઝ છે, અને તેમાં કોઈ વાંધો નથી, જેમકે ઇસ્લામ વિષે સવાલ કરવા, મસ્જિદ અથવા મુસલમાનોના ફાયદા માટે કામ કરવું, નસીહત સાંભળવી, અથવા કોઈ જાઈઝ કામ માટે દાખલ થવું, આવા કાર્યો માટે મસ્જિદમાં દાખલ થવું જાઈઝ છે, કારણકે નબી ﷺએ ષુમામા બિન ઉષાલને મસ્જિદના થાંભલા સાથે બાંધ્યો હતો, અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ નજદ તરફ ઘોડેસવારો મોકલ્યા, તો તેઓ બનૂ હનીફહના એક વ્યક્તિને લઈને આવ્યા, જેનું નામ ષુમામા બિન ઉષાલ હતું, અને તેને મસ્જિદના સ્થંભ સાથે બાંધી દીધો, ફરી નબી ﷺ બહાર આવ્યા અને કહ્યું: (હે ષુમામા! તમને શું આશા છે?) તો તેણે જવાબ આપ્યો: હે મોહમ્મદ! મને ભલાઈની આશા છે, જો તમે મારી હત્યા કરશો તો તમે એવા વ્યક્તિની હત્યા કરશો જેનો બદલો લેવામાં આવશે, અને જો તમે મારી સાથે સારો વ્યવહાર કરશો તો તમે એક આભારી વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરશો, અને જો તમને માલની ઈચ્છા હોય તો માંગો જેટલો માંગી શકતા હોય, તો નબી ﷺએ તેને બીજા દિવસે છોડી દીધો... સંપૂર્ણ હદીષ) ([૧૮૭]). () મુત્તફકુન અલૈહ (બુખારી અને મુસ્લિમ).

એવી જ રીતે નજરાનનું એક જુથ મસ્જિદમાં દાખલ થયું, અને તેઓ નસારા હતા, ([૧૮૮]), અને જિમામ બિન ષઅલબા નબી ﷺ પાસે આવ્યા, અને તે સમયે નબી ﷺ મસ્જિદમાં બેઠા હતા, અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: «અમે નબી ﷺ સાથે મસ્જિદમાં બેઠા હતા, એટલામાં એક વ્યક્તિ ઊંટ પર સવાર થઈને આવ્યો, તેણે મસ્જિદમાં ઊંટને બેસાડીને બાંધી દીધું, પછી તેણે કહ્યું: તમારામાં મોહમ્મદ કોણ છે? અને નબી ﷺ તે સમયે લોકો વચ્ચે ટેકો આપીને બેઠા હતા, તો અમે કહ્યું: આ સફેદ વ્યક્તિ જે ટેકો આપીને બેઠા છે. તે વ્યક્તિએ તેમને કહ્યું: હે અબ્દુલ મુત્તલિબની સંતાન! તો નબી ﷺએ તેને કહ્યું: «હું તમારી વાત સાંભળી રહ્યો છું», તે વ્યક્તિએ નબી ﷺને કહ્યું: હું તમને સવાલ કરીશ અને સવાલ કરવામાં સખ્તી પણ કરીશ, તો તમે ખોટું ન લગાડશો, તેમણે કહ્યું: «તમારે જે પૂછવું હોય તે પૂછો»... અહીં સુધી કે તે વ્યક્તિએ કહ્યું: તમે જે લઈને આવ્યા છો તેના પર હું ઈમાન લાવ્યો, અને હું મારી પાછળ મારી કોમનો સંદેશવાહક છું, અને હું ઝિમામ બિન ષઅલબા છું, બનૂ સઅદ બિન બકરના ખાનદાનમાંથી છું.» ([૧૮૯]). () મુત્તફકુન અલૈહ (બુખારી અને મુસ્લિમ). () આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ (અલ્લાહ તેમના પર રહેમ કરે)એ રિવાયત કરી છે, અને જુઓ: મજમૂઉલ્ ફતાવા વ મકાલાત ઈબ્ને બાઝ, આઠમો ભાગ, કાફિરો માટે મસ્જિદમાં દાખલ થવાના આદેશ, અને જુઓ: ફતાવા લજનહ અદ્ દાઇમહ (સ્થાયી ફતવા કમિટી), ૬/૨૭૬.

મસ્જિદના આદેશો, મુઅઝ્ઝિન, ઈમામ અને ખતીબને લગતી બાબતો જેના વિષે જાણકારી રાખવી જરૂરી છે, અમો એ બાબતે માહિતી પહોંચાડવામાં સફળ રહ્યા, અને અમે મુઅઝ્ઝિન, ઈમામ અને ખતીબને સલાહ આપીએ છીએ કે તે અલ્લાહથી ડરતો રહે, ઇલ્મ શીખે અને તેને ફેલાવવાની કોશિશ કરતો રહે, અને આ દરેક બાબતોને ધ્યાનમાં રાખે.

આ સફળતા ફક્ત અલ્લાહની મદદ અને તેની તૌફીકથી જ છે, દરુદ અને સલામતી આપણા નબી મુહમ્મદ ﷺ પર અને તેમના સંતાન પર અને તેમના દરેક સાથીઓ પર, અને અમારી અંતિમ વિનંતી બસ એ જ છે કે દરેક પ્રકારના વખાણ અને પ્રસંશા ફકત સમગ્ર સૃષ્ટિના પાલનહાર અલ્લાહ માટે જ છે.

મુઅઝ્ઝિન, ઈમામ અને ખતીબ માટે ફાયદા કારક કેટલાક સંદર્ભો

દુક્તૂર સઈદ બિન અલી બિન વહફ અલ્ કહ્તાનીની કિતાબ: "અલ્ અઝાન વલ્ ઈકામહ" પ્રકાશક: સફીર પ્રેસ, રિયાઝ.

ડૉ. અબ્દુલ મોહસીન અલ્ મુનીફની કિતાબ: "અહકામ અલ્ ઈમામહ્ વ અલ્ ઇઅતિમામ ફીસ્ સલાહ".

દુક્તૂર સઈદ બિન અલી બિન વહફ અલ્ કહ્તાનીની કિતાબ: "અલ્ ઈમામહ ફીસ્ સલાહ ફી ઝવઇલ્ કિતાબ વસ્ સુનનહ".

ડૉ. અબ્દુલ્લાહ બિન ઝૈફુલ્લાહ અર્ રુહૈલીની કિતાબ: "ઉસલૂબ ખુતબતુલ્ જુમઅહ", પ્રકાશન: ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયા.

દુક્તૂર સઈદ બિન અલી બિન વહફ અલ્ કહ્તાનીની કિતાબ: "અલ્ ઈમામહ ફીસ્ સલાહ -મફહૂમ્, ફઝાઇલ, અન્વાઅ, વ આદાબ, વ અહકામ ફી ઝવઇલ્ કિતાબ વસ્ સુનનહ", પ્રકાશન: સફીર પ્રેસ, રિયાઝ.

ખુતબતુલ્ જુમઅહ વ મસ્ઊલિય્યાત્ અલ્ ખુતબાઅ, દ્વારા તૈયાર કરેલ: ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયા.

ડૉ. અબ્દુર્ રહમાન બિન મુહમ્મદ અલ્ હમ્દની કિતાબ: " ખુતબતુલ્ જુમઅહ્ ફીલ્ કિતાબિ વસ્ સુન્નહ", પ્રકાશન: ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયા.

અબ્દુલ્ અઝીઝ બિન મુહમ્મદ બિન અબ્દુલ્લાહ અલ્ હુજૈલાનની કિતાબ, "ખુતબતુલ્ જુમઅહ વ અહકામુહા અલ્ ફિક્હિય્યહ", પ્રકાશન: ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયા.

અબ્દુલ્ ગની અહમદ જબર મુઝહરની કિતાબ, " ખુતબતુલ્ જુમઅહ્ વ દવરુહા ફી તરબિયતિલ્ ઉમ્મહ, પ્રકાશન: ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયા.

અમીર બિન મુહમ્મદ અલ્ મદરીની કિતાબ: "ખમ્સૂન વસિય્યતન વ વસિય્યતુન લિતકૂન ખતીબન્ નાજિહન", ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયાની વેબસાઇટ દ્વારા પ્રકાશિત.

દુક્તૂર સઈદ બિન અલી બિન વહફ અલ્ કહ્તાનીની કિતાબ: "સલાતુલ્ જુમઅહ - મફહૂમ્, વ શુરૂત, વ ફઝાઇલ, વ ખસાઇસ, વ આદાબ, વ અહકામ ફી ઝવઇલ્ કિતાબ વસ્ સુનનહ", પ્રકાશન: સફીર પ્રેસ, રિયાઝ.

અબ્દુલ્લાહ બિન મુહમ્મદ બિન હુમૈદની કિતાબ: "મિમ્બરુલ્ ખુતબહ અમાનતુન્ વ મસ્ઊલિય્યતુન્", પ્રકાશન: ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયા.

અબ્દુલ્લાહ બિન મુહમ્મદ બિન હુમૈદની કિતાબ: "મનહજ ફી ઇઅદાદિલ્ ખુતબતિલ્ જુમઅહ", પ્રકાશન: ઇસ્લામિક બાબતોનું મંત્રાલય, દાવા અને માર્ગદર્શન કેન્દ્ર, સાઉદી અરેબિયા.

શૈખ અબ્દુલ્લાહ બિન સલીહ અલ્ ફવઝાનની કિતાબ: "રસાઇલ લિ અઇમ્મહ વલ્ મુઅઝ્ઝિનીન", પ્રકાશન: દાર ઈબ્ને જવ્ઝી.

શૈખ અબ્દુલ્લાહ બિન જારુલ્લાહ અલ્ જારુલ્લાહની કિતાબ: "રસાઇલ ઇલા અઇમ્મતિલ્ મસાજિદ વલ્ મુઅઝ્ઝિનીન વલ્ મઅમૂમીન".

કુવૈતી ફિકહ જ્ઞાનકોશ, જેમાં ખુતબા, ઈમામત, અઝાન અને મસ્જિદોના પ્રકરણોનો સમાવેશ થાય છે.