نبذة في العقيدة الإسلامية (شرح أصول الإيمان)
رسالة لطيفة تتناول أصول العقيدة الإسلامية بأسلوب مبسط وميسر. تبدأ بمقدمة حول أهمية علم التوحيد، كونه أشرف العلوم وأجلّها، ثم تتناول مفهوم الدين الإسلامي وأركانه الخمسة: الشهادتان، والصلاة، والزكاة، والصوم، والحج. كما يشرح الإيمان بالله، وملائكته، وكتبه، ورسله، واليوم الآخر، ويؤكد على أهمية التوحيد في بناء دين المسلم بشكل سليم. الكتاب يهدف إلى تعزيز الفهم الصحيح للعقيدة الإسلامية وتطبيقها في حياة المسلم اليومية.
ઇસ્લામના અકીદહ વિશે ટૂંકમાં માહિતી
ફઝિલતુશૈખ, અલ્લામહ દ્વારા
મુહમ્મદ બિન સોલૈહ અલ્ ઉષૈમીન
અલ્લાહ તેમની, તેમના માતા પિતાની અને દરેક મુસલમાનોને માફ કરે
(શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને રહમ કરવાવાળો છે.
પ્રસ્તાવના
દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે, અમે તેની જ પ્રશંસા કરીએ છીએ, તેની પાસે મદદ માંગીએ છીએ અને તેની પાસે જ માફી માંગીએ છીએ અને તેની તરફ જ પાછા ફરીએ છીએ, અને પોતાના નફસ અને કાર્યોની બુરાઈથી પનાહ માંગીએ છીએ, જે વ્યક્તિને અલ્લાહએ હિદાયત આપી, તેને કોઈ ગુમરાહ નથી કરી શકતું, અને જેને અલ્લાહએ ગુમરાહ કરી દીધો તેને કોઈ હિદાયત આપી શકતું નથી, અને હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઈલાહ નથી અને તેનો કોઈ ભાગીદાર નથી, અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે, દરૂદ અને સલામતી ઉતરે તેમના પર, તેમની સંતાન અને તેમના સાથીઓ પર અને જેમણે કયામત સુધી તેમનું સારી રીતે અનુસરણ કર્યું.
ત્યારબાદ: ખરેખર (તૌહીદનું જ્ઞાન) તમામ જ્ઞાનમાં ખુબ જ ઉચ્ચ, સૌથી ઉચ્ચ દરજ્જાવાળું અને અત્યંત ઇચ્છનીય અને માનનીય જ્ઞાન છે, કારણકે તેના વડે અલ્લાહ તઆલા, તેના નામો અને ગુણો અને બંદાઓ પર તેના અધિકારોની ઓળખ થાય છે, અને બીજું કે તે અલ્લાહના માર્ગ સુધી પહોંચવાની ચાવી અને તેની દરેક શરીઅત (કાયદાઓ) નો આધાર તેના (તૌહીદના જ્ઞાન) પર જ છે.
એટલા માટે: દરેક પયગંબરો લોકોને તૌહીદ તરફ બોલાવવા માટે એકમત છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {તમારા કરતા પહેલા અમે જેટલા પયગંબરો મોકલ્યા, તેની તરફ આ જ વહી કરવામાં આવતી કે મારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, બસ ! તમે સૌ મારી જ બંદગી કરો} [અલ્ અંબિયા: ૨૫].
અલ્લાહ તઆલા એ પોતાને એકલા હોવાની ગવાહી આપી, અલ્લાહ તઆલાના ફરિશ્તાઓ અને આલિમો એ પણ આ જ વાતની ગવાહી આપી, અલ્લાહ તઆલા એ કહ્યું: {અલ્લાહ તઆલાએ, ફરિશ્તાઓએ અને જ્ઞાનવાળાઓએ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને તે હંમેશા ન્યાય કરવાવાળો છે, તે વિજયી અને હિકમતવાળા સિવાય કોઇ બંદગીને લાયક નથી} [આલિ ઇમરાન: ૧૮].
તૌહીદના ઉચ્ચ સ્થાન અને મહત્વતાને કારણે દરેક મુસલમાને તેનું જ્ઞાન મેળવવું, બીજાને શીખવાડવું, તેમાં ચિંતન મનન કરવું, અને તેની માન્યતા ધરાવવી અત્યંત જરૂરી છે.
અલ્લાહ જ તૌફીક આપનાર છે.
લેખક
ઇસ્લામ દીન
ઇસ્લામ દીન: તે દીન છે કે જેની સાથે અલ્લાહ તઆલા એ મુહમ્મદ ﷺ ને મોકલ્યા અને તેના વડે પાછલા દરેક ધર્મોને સમાપ્ત કરી દીધા, અને તેને પોતાના બંદાઓ માટે એક સંપૂણ દીન બનાવ્યો, અને તેના વડે તેમના પર પોતાની નેઅમત પૂરી કરી, અને તેને દીન તરીકે પસંદ કર્યો, જેથી તેની પાસે ઇસ્લામ સિવાય બીજો કોઈ દીન સ્વીકારવામાં નહીં આવે, અલ્લાહ તઆલા એ કહ્યું: {(હે લોકો !) કોઇ પુરુષના પિતા મુહમ્મદ નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે અને ખાતમુન્ નબીય્યીન્ (પયગંબરોમાં છેલ્લા નબી) છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને સારી રીતે જાણે છે} [અલ્ અહઝાબ: ૪૦].
અને અલ્લાહ તઆલાએ કહ્યું: {આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો} [અલ્ માઇદહ: ૩].
અને અલ્લાહ તઆલાએ કહ્યું: {નિંશંક અલ્લાહ તઆલાની નજીક દીન ઇસ્લામ જ છે.} [આલિ ઇમરાન: ૧૯].
અને અલ્લાહ તઆલાએ કહ્યું: {અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહીં આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે} [આલિ ઇમરાન: ૮૫].
અલ્લાહ તઆલાએ દરેક લોકો પર પોતાના આજ દીનને અનિવાર્ય કર્યો છે, જેથી અલ્લાહ તઆલા એ નબી ﷺ ને સંભોધિત કરી કહ્યું: {તમે કહી દો કે હે લોકો ! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું જ અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ} [અલ્ અઅરાફ: ૧૫૮].
અને સહીહ મુસ્લિમમાં અબુ હુરૈરહ રઝી.થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «કસમ છે, તે હસ્તીના જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, તેણે મારી પયગંબરી વિશે જાણ્યું તો પણ મારી પયગંબરી પર ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામે તો તે જહન્નમમાં જશે». [૮] સહીહ મુસ્લિમ: પુસ્તક: ઇમાનનું વર્ણન, પાઠ: આપણા પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સંદેશા પર ઈમાન લાવવું દરેક લોકો માટે જરૂરી છે અને તેમની શરીઅત દ્વારા દરેક શરીઅતો રદ કરવામાં આવી, હદીષ નંબર: (૧૫૩).
ઇસ્લામ દીન પર ઈમાન: તે છે, નબી ﷺ પર જે કઈ પણ દીન તરીકે ઉતારવામાં આવ્યું, તેની ફક્ત તેની પુષ્ટિ કરવી જ નહીં પરંતુ તેને (દિલથી) સ્વીકારવું અને તેનું અનુસરણ કરવું; એટલા માટે અબૂ તાલિબ નબી ﷺ ની પુષ્ટિ કરનાર હતા તો પણ તેમના પર ઈમાન લાવવાવાળાઓ માંથી ન થઇ શક્યા, અને તેઓ એ વાતની સાક્ષી પણ આપતા હતા કે આ દીન દરેક ધર્મોથી શ્રેષ્ઠ છે.
અને ઇસ્લામ દીનમાં તે દરેક અનુકુળતાઓનો સમાવેશ થાય છે, જે પાછલા ધર્મોમાં હતી, અને તેની સાથે સાથે તે ધર્મો વિરુદ્ધ આ દીનની વિશિષ્ટ લાક્ષણિકતા એ હતી કે આ દીન દરેક સમય માટે, જગ્યા અને દરેક લોકો માટે માન્ય અને કાર્યક્ષમ છે, અલ્લાહ તઆલાએ નબી ﷺ ને સંભોધિત કરી કહ્યું: {અને અમે તમારી તરફ સાચી કિતાબ (કુરઆન) ઉતારી છે, જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે અને તે (કિતાબો)ની સુરક્ષા પણ કરે છે} [અલ્ માઈદહ: ૪૮].
ઇસ્લામ દીન (ધર્મ) દરેક સમય, જગ્યા અને લોકો માટે અનુકુળ છે તેનો અર્થ: તે દીન સાથે મજબૂત સંબંધ કોઈ પણ સમય, જગ્યા અને કોમની અનુકુળતા વિરુદ્ધ નથી, તેમાં તેમનો સુધારો છે, અને તેનો અર્થ એ નથી કે દીન (ધર્મ) દરેક સમય, જગ્યા અને દરેક કોમને આધીન અને આજ્ઞાકારી છે, જેવું કે કેટલાક ગેરમાર્ગે દોરાયેલા લોકો સમજે છે.
ઇસ્લામ દીન ( ધર્મ): સત્ય અને સાચો દીન (ધર્મ) છે, હે તેને સંપૂણ રીતે અપનાવી લે અલ્લાહ તઆલાએ તેની મદદ કરવાની અને તેને પ્રભુત્વ આપવાની બાંહેધરી આપી છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {તે જ છે, જેણે પોતાના પયગંબરને હિદાયત અને સાચો દીન આપીને મોકલ્યા, જેથી તેને દરેક દીન પર વિજેતા બનાવી દે, ભલેને મુશરિક લોકો રાજી ન હોય} [અસ્ સફ્ફ: ૯].
અને અલ્લાહ તઆલા એ કહ્યું: {તમારા માંથી જે લોકો મોમિન છે અને અને સત્કાર્યો કરે છે, અલ્લાહ તઆલાએ તેમને વચન આપ્યું છે કે તે તેમને જરૂર ધરતીમાં નાયબ (સરદાર) બનાવશે, જેવી રીતે કે તે લોકોને નાયબ બનાવ્યા હતાં, જેઓ તેમના કરતા પહેલા હતાં અને ખરેખર તેમના માટે તે દીનને મજબૂત કરી દેશે, જે દીન તેમના માટે તેણે પસંદ કર્યો છે. અને તેમના ભયને શાંતિમાં બદલી નાખશે, તેઓ મારી બંદગી કરશે, મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ત્યાર પછી પણ જે લોકો કુફર કરશે, તો આવા જ લોકો ખરેખર વિદ્રોહી છે} [અન્ નૂર: ૫૫].
અને ઈસ્લામ દીન (ધર્મ): અકીદહ (માન્યતા) અને શરીઅત (કાનૂન) પર આધારિત છે, અને બંને રીતે તે સંપૂણ દીન છે (જે નીચે જણાવેલ આદેશો પર આધારિત છે):
૧- અલ્લાહની તૌહીદનો આદેશ આપવો અને શિર્કથી રોકવા.
૨- સત્યતા, પ્રમાણિકતાનો આદેશ આપવો અને જૂઠથી રોકવું.
૩- ન્યાય કરવનો આદેશ આપવો અને જુલમ કરવાથી રોકવા, ન્યાયનો અર્થ બરાબર (અર્થાત્ એક જેવું) વસ્તુઓ દરમિયાન એક જેવું હોવું અને વિવિધ વસ્તુઓ દરમિયાન તફાવત કરવો, જેથી ન્યાયનો અર્થ ફક્ત બરાબરીનો નથી જેવું કે લોકો સમજે છે કે ઇસ્લામ દીન (ધર્મ) એ બરાબરીનો દીન (ધર્મ) છે, કારણકે વિવિધ વસ્તુઓ દરમિયાન બરાબરી કરવી તે તદ્દન જુલમ છે, જેનું ઇસ્લામમાં કોઈ સ્થાન નથી, અને ન તો તેના વિષે પ્રસંશા અને વખાણને લાયક અલ્લાહએ કહ્યું.
૪- અમાનતનો આદેશ આપવો અને ખયાનતથી રોકવું.
૫- વચન પુરા કરવાનો આદેશ આપવો અને ધોખો આપવાથી અને વચન ભંગ કરવાથી રોકવું.
૬- માતા-પિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપવો અને તેમની અવજ્ઞા કરવાથી બચવું.
૭- સગા સંબંધીઓ સાથે સદવ્યવહાર કરવાનો આદેશ આપવો અને તેમની સાથે સંબંધ તોડવાથી રોકવું.
૮- પાડોસીઓ સાથે સારો વ્યવહાર કરવાનો આદેશ આપવો અને તેમની સાથે ખરાબ વર્તન કરવાથી રોકવું.
સારાંશ એ છે કે: (ઇસ્લામ) દરેક સારા અખલાક (સારી રીતભાત) અપનાવવાનો આદેશ આપે છે, અને દરેક ખરાબ અખલાક (ખરાબ રીતભાત) થી રોકે છે, અને સાથે સાથે દરેક સત્કાર્યો કરવાનો આદેશ આપે છે, અને દરેક દુષ્કર્મથી રોકે છે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {અલ્લાહ તઆલા ઇન્સાફ કરવાનો, ભલાઈ કરવાનો, સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરવાનો આદેશ આપે છે, અને દુષ્ટ કાર્યો, વ્યર્થ હરકતો, અને વિદ્રોહ તેમજ જુલ્મ કરવાથી રોકે છે, તે m તમને નસીહત કરી રહ્યો છે કે તમે નસીહત પ્રાપ્ત કરો} [અન્ નહલ: ૯૦].
ઇસ્લામના અરકાન (સ્તંભ)
ઇસ્લામના અરકાન (સ્તંભ): અહીં તેનો અર્થ તે પાંચ પાયા છે, જેના પર ઇસ્લામ આધારિત છે: તેનું વર્ણન ઇબ્ને ઉમર રઝી. ની રિવાયતમાં છે, કે નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવી, એક બીજી રિવાયતમાં છે કે-: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (ઈબાદતને લાયક) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાન મહિનાના રોઝા રાખવા, અને બૈતુલ્લાહની હજ કરવી» એક વ્યક્તિ એ હજને પહેલા અને રમજાનને પછી વર્ણન કરી, તો અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. એ કહ્યું: આમ નહીં પરંતુ «રમજાનનો રોઝા અને હજ» છે, અને મેં નબી ﷺ ને આ પ્રમાણે જ કહેતા સાંભળ્યા છે. «ઇસ્લામ પાંચ વસ્તુઓ પર આધારિત છે: એક અલ્લાહને માનવું, -બીજી રિવાયતમાં પાંચ વસ્તુઓ આ છે:- તે વાતની સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, અને બૈતુલ્લાહ જઈ હજ કરવી». તે વ્યક્તિએ કહ્યું: હજ અને રમજાનના રોઝા? તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ના, રમજાનના રોઝા અને હજ» આ પ્રમાણે જ મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાંભળ્યું છે [૨]. [૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: ઇમાનનું વર્ણન, હદીષ નંબર: (૮), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: ઈમાનનું વર્ણન, પાઠ: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કથન: ઇસ્લામ પાંચ વસ્તુઓ પર આધારિત છે, હદીષ નંબર: (૧૬).
૧- તે વાતની ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ તેના બંદા અને પયગંબર છે, તેનો અર્થ: આ ગવાહી વિષે સંપૂણ યકીન રાખો અને જબાન વડે આ ગવાહી આપવી, અને ગવાહી આપનારની ગવાહીમાં એવો ભરોસો (પ્રતીતિ) હોવો જોઈએ કે જાણે તેણે તેનું અવલોકન કર્યું હોઈ, આ ગવાહીને ફક્ત એક જ રુકન બનાવવામાં આવ્યો છે જો કે ગવાહી એકથી વધુ વસ્તુની આપવામાં આવી રહી છે.
અને આવું એટલા માટે છે, કારણકે નબી ﷺ અલ્લાહના પયગંબર છે, એટલા માટે નબી ﷺ માટે અલ્લાહના બંદા અને તેના પયગંબર હોવાની ગવાહી આપવી તે અલ્લાહને એક સાચો ઇલાહ (મઅબૂદ) હોવાની ગવાહીમાં સમાવેશ થાય છે અને તેની પૂર્ણતા થાય છે.
અથવા આવું એટલા માટે છે કે આ બને ગવાહીઓ અમલોની સત્યતા અને તેના કબૂલ થવાનું મૂળ કારણ છે; કારણકે અલ્લાહ તઆલા માટે નિખાલસતા અને તેના પયગંબરનું અનુસરણ વગર કોઈ કાર્ય સહીહ અને કબૂલ કરવામાં આવતું નથી.
જેથી જાણવા મળ્યું કે "લા ઇલાહ ઈલ્લલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી) ની ગવાહી આપવી અલ્લાહ માટે નિખાલસતા અને "અન્ન મુહમ્મદન અબ્દુહુ વરસૂલુહ" (કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના પયગંબર છે) ની ગવાહી નબી ﷺ ના અનુસરણથી જ સાચી સાબિત થશે.
આ મહાન ગવાહીના ફાયદા: પોતાની સર્જન (અલ્લાહ સિવાય) ની ગુલામીથી આઝાદ કરવા, અને જે પયગંબરો નથી તેમના અનુસરણથી પણ છુટકારો મેળવવો.
૨- નમાઝ કાયમ કરવી: આ અલ્લાહની ઈબાદત છે જે નિયમિત સમયે, દ્રઢતા સાથે અને એક વિશેષ સ્થિતિ સાથે પઢવામાં આવે છે.
નમાઝના ફાયદા: સંતુષ્ટ થવું, આંખોની ઠંડક પ્રાપ્ત કરવી એવી જ રીતે નમાઝ ખરાબ કર્યો અને અપરાધથી રોકે છે.
૩- ઝકાત આપવી: આ પણ અલ્લાહની ઈબાદત છે, ઝકાત માટે લાયક માલ માંથી વાજિબ થયેલ રકમની ચુકવણીથી પૂરી થાય છે.
ઝકાતના ફાયદા: ખરાબ આદતો (જેમકે કંજુસી વગરે) થી દિલને પાક કરવું અને મુસલમાનોની જરૂરતોનો ખયાલ કરવો.
૪- રમજાન મહિનાના રોઝા રાખવા: આ પણ એક પ્રકારની અલ્લાહની ઈબાદત છે, જે રમજાન મહિનામાં દિવસે ખાવા-પીવાની વસ્તુઓ અને એવી જ રીતે પોતાની મનેચ્છાઓથી દૂર રહેવું.
રોઝાના ફાયદા: પોતાની મનપસંદ વસ્તુઓ છોડી પોતાના નફસ પર અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા નિયંત્રણ રાખવું
૫- બૈતુલ્લાહનો હજ કરવો: આ પણ અલ્લાહની ઈબાદતના પ્રકારોમાંથી એક છે, જે હજના પવિત્ર કાર્યો કરવાની નિયતથી અલ્લાહના પવિત્ર ઘર તરફ સફર કરવો.
હજના ફાયદા: અલ્લાહના અનુસરણ માટે જેટલું શક્ય હોઈ તેટલું શરીર વડે મહેનત કરવી અને માલ ખર્ચ કરવા પર પોતાના દિલને આધીન બનાવવું, એટલા માટે જ હજને અલ્લાહના માર્ગમાં યુદ્ધનો એક પ્રકાર પણ કહેવામાં આવે છે.
યાદ રાખો ઉપર અમે જે કઈ પણ ઇસ્લામના અરકાન (સ્તંભ)ના ફાયદાનો ઉલ્લેખ કર્યો, અને જે કઈ ફાયદાનો ઉલ્લેખ અમે ન કરી શક્યા, તે એવી વાતો છે, જે એક કામને પાક સાફ, અલ્લાહના દીન પર દ્રઢતા અને સર્જનીઓ સાથે સત્યતા અને ન્યાય કરવાવાળી એક મુસ્લિમ કોમ બનાવી દે છે; કારણેકે તે સિવાય ઇસ્લામના જે બીજા નિયમો છે, તેનો આધાર પણ આ મહત્વના અરકાન પર જ છે, અને કોઈ કોમની સ્થિતિ તેના દીનના કાર્યોના સુધારાથી જ થશે, બસ જયારે કોઈ કોમમાં દીનની બાબતોમાં જેટલી ખરાબી હશે, તેટલી જ ખરાબી તેમનામાં હશે.
અને જે કોઈ આ વાતની સ્પસ્ટતા જાણવા માંગતો હોઈ તે અલ્લાહની આ આયત પઢી લે: {અને જો તે વસ્તીના રહેવાસીઓ ઈમાન લઈ આવતા અને ડરવા લાગતા, તો અમે તેઓ માટે આકાશ અને ધરતીની બરકતો ખોલી નાખતા, પરંતુ તેઓએ જુઠલાવ્યું, તો અમે તેઓના કાર્યોના કારણે તેઓને પકડી લીધા. શું તો પણ તે વસ્તીના રહેવાસીઓ તે વાતથી નીડર બનીને રહે છે કે તેઓ પર અમારો પ્રકોપ રાત્રિના સમયે આવી પહોંચે, જે સમયે તેઓ સૂઈ રહ્યાં હોય. અને શું તે વસ્તીના રહેવાસી એ વાતથી નીડર બની ગયા છે કે તેમના પર અમારો અઝાબ ચાશ્ત (ચઢતા દિવસે) ના સમયે આવી પહોંચશે, જે સમયે તેઓ પોતાની રમતોમાં વ્યસ્ત હશે. શું તેઓ અલ્લાહની એ પકડથી નીડર બની ગયા, જો કે અલ્લાહની પકડથી તે જ કોમ ડરતી નથી જે નાશ થવાની હોય} શું તો પણ તે વસ્તીના રહેવાસીઓ તે વાતથી નીડર બનીને રહે છે કે તેઓ પર અમારો પ્રકોપ રાત્રિના સમયે આવી પહોંચે, જે સમયે તેઓ સૂઈ રહ્યાં હોય (૯૭) અને શું તે વસ્તીના રહેવાસી એ વાતથી નીડર બની ગયા છે કે તેમના પર અમારો અઝાબ ચાશ્ત (ચઢતા દિવસે) ના સમયે આવી પહોંચશે, જે સમયે તેઓ પોતાની રમતોમાં વ્યસ્ત હશે (૯૮) શું તેઓ અલ્લાહની એ પકડથી નીડર બની ગયા, જો કે અલ્લાહની પકડથી તે જ કોમ ડરતી નથી જે નાશ થવાની હોય (૯૯) [અલ્ અઅરાફ: ૯૬-૯૯].
અને જો પાછલો ઈતિહાસ જોવામાં આવે તો તેમાં પાક બુધ્ધીશાળી અને તે લોકો જેમના દિલ પર પડદા નથી પડ્યા તે લોકો માટે ઘણી શિક્ષાઓ છે, અલ્લાહ જ મદદ કરે.
ઇસ્લામના અકીદહની બુનિયાદો
ઇસ્લામ દીન (ધર્મ): જેવું કે પાછળ વર્ણન થઇ ચુક્યું છે કે તે અકીદહ (માન્યતા) અને શરીઅત (કાનૂન) નું નામ છે, અને પાછલા પૃષ્ઠોમાં અમે ઇસ્લામ દીનના કેટલાક નિયમો (અર્થાત્ અરકાન) તરફ ઈશારો અને તેના અરકાન જે તે નિયમોની બુનિયાદ છે વર્ણન કરી ચુક્યા છે, હવે અમે "ઇસ્લામી અકીદહ" વિષે વર્ણન કરીશું.
ઇસ્લામી અકીદો, અલ્લાહ તઆલા, તેના ફરિશ્તાઓ, તેની કિતાબો, તેના પયગંબરો, આખિરતના દિવસ પર અને તકદીરની સારી અથવા ખરાબ હોવા પર ઈમાન ધરાવવું જેવા મૂળ બુનિયાદ પર કાયમ છે.
અલ્લાહની કિતાબ અને તેના પયગંબરની હદીષમાં આ વિષે ઘણી દલીલો છે.
અલ્લાહ તઆલા પોતાની કિતાબમાં કહે છે: {નેકી પુર્વ અને પશ્ર્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી પરંતુ ખરેખર નેકી તે છે કે કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલા પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબ પર અને પયગંબરો પર ઇમાન ધરાવે છે} [અલ્ બકરહ: ૧૭૭]. અને તકદીર વિષે કહે છે: {નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે. અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે, જેમકે પલકવારમાં} અને અમારો આદેશ ફકત એક વખત જ હોય છે, જેમકે પલકવારમાં (૫૦)} [અલ્ કમર: ૪૯-૫૦].
અને એવી જ રીતે હદીષમાં પણ વર્ણન કરવા આવ્યું છે કે નબી ﷺ એ જિબ્રઈલ અ.સ. ને જવાબ આપતા કહ્યું: «ઈમાન: તમે અલ્લાહ પર અને તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને કયામતના દિવસ પર અને તકદીરની સારી અથવા ખરાબ હોવા પર ઈમાન લાવો». [૩] સહીહ મુસ્લિમ, પુસ્તક: ઈમાનનું વર્ણન, હદીષ નંબર: (૮), અબૂ દાવૂદ, પુસ્તક: અસ્ સુન્નહ, બાબ: તકદીર વિષે, હદીષ નંબર: (૪૬૯૫).
અલ્લાહ તઆલા પર ઈમાન
અલ્લાહ પર ઈમાનમાં ચાર બાબતો પર આધારિત છે:
પહેલી બાબત: અલ્લાહના અસ્તિત્વ પર ઈમાન:
અલ્લાહના અસ્તિત્વ પર અકલ, વૃત્તિ, ચેતના અને શરીઅત દરેક વસ્તુઓ સૂચિત કરે છે.
૧- અલ્લાહના અસ્તિત્વ પર ઈમાનના ફિતરત (વૃત્તિ) દ્વારા પુરાવા: જો કે દરેક સર્જન પોતાના સર્જક પર ઈમાનની સ્થિતિમાં પેદા થવું તે એક એવો કુદરતી ગુણ છે, જે તેમાં કોઈ પણ પ્રકારના ચિંતન મનન અને જ્ઞાન વગર જોવા મળે છે, જેથી તે આ કુદરતી માર્ગથી ક્યારેક વિચલિત થતો નથી, સિવાય કે કોઈ તેના દિલમાં એવી શંકાઓ નાખી દે, જે તેને કુદરતી માર્ગથી વિચલિત કરી દે; જવું કે નબી ﷺ ના આ ફરમાન દ્વારા સાબિત થાય છે: «દરેક બાળક ઇસ્લામની ફિતરત પર પેદા થાય છે, ફરી તેના માતા-પિતા તેને યહૂદી, ઈસાઈ (ખ્રિસ્તી) અથવા મજૂસી (આગ, સુર્ય અને ચંદ્રની પૂજા કરનાર) બનાવી દે છે». «દરેક બાળક ફિતરત (ઇસ્લામ ધર્મ) પર પેદા થાય છે, ફરી તેના માતા-પિતા તેને યહૂદી, ઈસાઈ (ખ્રિસ્તી) અથવા મજૂસી (આગ, સુર્ય અને ચંદ્રની પૂજા કરનાર) બનાવી દે છે»[૪]. [૪] આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: જનાઝહનું વર્ણન, પાઠ: જો બાળક ઇસ્લામ સ્વીકારી મૃત્યુ પામે, તો શું તેની નમાઝ પઢવામાં આવશે, અને શું તેની સમક્ષ ઇસ્લામ રજૂ કરવામાં આવશે?, હદીષ નંબર (૧૨૯૨), અમે ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: તકદીરનું વર્ણન, બાબ: દરેક બાળકનું ફિતરત (ઇસ્લામ) પર જન્મ થવાનો અર્થ અને કાફિર બાળકો અને મુસલમાન બાળકોના મૃત્યુનો આદેશ હદીષ નંબર: (૨૬૫૮).
૨- અલ્લાહના અસ્તિત્વ પર ઈમાનના તાર્કિક પુરાવા: દરેક સર્જન પહેલા તેના સર્જક અને તેમને અસ્તિત્વમાં લાવનારનું હોવું અત્યંત જરૂરી છે, કારણકે કોઈ વસ્તુનું સ્વંય, તક અથવા આકસ્મિક રીતે અસ્તિત્વમાં આવવું અશક્ય છે.
કોઈ વસ્તુનું સ્વંય રીતે અસ્તિત્વમાં આવવું એટલા માટે અશક્ય છે કે કોઈ વસ્તુ પોતાને પેદા નથી કરી શકતી, કારણકે તે પોતાના અસ્તિત્વ પહેલા બિનઅસ્તિત્વમાં હોય છે, બસ જ્યારે કોઈ વસ્તુનું અસ્તિત્વ ન હોઇ તો તે કેવી રીતે સર્જક બની શકે છે?!
એવી જ રીતે કોઈ વસ્તુનું તક અથવા આકસ્મિક રીતે અસ્તિત્વમાં આવવું પણ અશક્ય છે, કારણકે દરેક નવુ અસ્તિત્વમાં આવનાર વસ્તુ માટે તેને અસ્તિત્વમાં લાવનારનું હોવું જરૂરી છે, અને એટલા માટે પણ કોઈ નવી વસ્તુનું અસ્તિત્વ એક કાયમી આકર્ષક સિસ્ટમ, યોગ્ય વ્યવસ્થા અને કારણોને આધાર આપનાર અને સૃષ્ટિની અમુક વસ્તુઓ દરમિયાન મજબૂત સહસંબંધ પર આધારિત હોવું, ચોક્કસ રીતે તે વાતને નકારી કાઢે છે કે તેનું અસ્તિત્વ તક અથવા એક અકસ્માત છે; જો અસ્તિત્વમાં આવેલ વસ્તુઓ પોતાની અસ્તિત્વની અસલમાં કોઈ નિયમનું પાલન ન કરતી હોય અને તે ફક્ત એક જ અથવા અકસ્માત રૂપે અસ્તિત્વમાં આવી હોય, તો અત્યાર સુધી તેમનું અનુજીવન અને ઉત્ક્રાંતિ કેવી રીતે તે નિયમત અને વ્યવસ્થિત હોત?!
જ્યારે સર્જનીઓનું સ્વંય અથવા તક અને આકસ્મિક રીતે અસ્તિત્વમાં આવવું અશકય છે, તો એ વાત સાબિત થઈ ગઈ કે તે દરેક વસ્તુઓનો એક સર્જક જરૂર છે અને તે અલ્લાહ તઆલા જ છે, જે સર્વ સૃષ્ટિનો પાલનહાર છે.
અલ્લાહ તઆલા એ આ સચોટ તાર્કિક દલીલનું વર્ણન સૂરે તૂરમાં આ રીતે કર્યું: {શું આ લોકો કોઈ પણ (સર્જનહાર) વગર પેદા થઇ ગયા છે, અથવા એ પોતે જ સર્જનહાર છે} [અત્ તૂર: ૩૫]. અર્થાત્ તે વસ્તુઓ સર્જક વગર પેદા નથી થઈ, અને ન તો તેમણે પોતે જ પોતાને પેદા કર્યા છે, તો સાબિત થયું કે જરૂર તેમનો કોઈ સર્જક છે અને તે બરકતવાળો અલ્લાહ છે. એટલા માટે જ જ્યારે જુબૈર બિન મુત્ઇમ રઝી. એ નબી ﷺ સૂરે તૂરની આ આયતો પઢતા સાંભળ્યા: {શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે? અથવા તો આ પોતે સર્જન કરનારા છે? શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા. અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે} શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા (૩૬) અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે (૩૭)} [અત્ તૂર: ૩૫-૩૭].
પોતે મુશરીક હતા તો પણ તે સમયે કહ્યું: «મારું દિલ ઊડી રહ્યું છે, અને આ પહેલી તક છે, જ્યારે ઈમાને મારા દિલમાં જગ્યા બનાવી». "મારું દિલ ઊડી રહ્યું છે, અને આ પહેલી તક છે, જ્યારે ઈમાને મારા દિલમાં જગ્યા બનાવી" [૫]. [૫] સહીહ બુખારી: સૂરે તૂર, હદીષ નંબર: (૪૮૫૪).
વધુ સ્પસ્ટતા માટે અમે અહીં એક ઉદાહરણ રજૂ કરી રહ્યા છે: જો કોઈ વ્યક્તિ તમને કોઈ એવા મજબૂત અને વિશાળ મહેલ વિષે જણાવે જેની ચારે બાજુ બગીચાઓ હોય અને તેની વચ્ચે નહેરો વહેતી હોય, સિંહાસનો, નરમ કાલીનો અને શણગારના દરેક પ્રકારના સામાન વડે તેને સુશોભિત કરેલું હોય, અને તમને તેના વિષે કહે: આ મહેલ અને જે કઈ પણ તેમાં છે કોઈ પણ બનાવનાર અથવા તેને અસ્તિત્વમાં લાવનાર વગર પોતે જ અસ્તિત્વમાં આવી ગયું છે, તો તમે ન તો ફક્ત તેની વાતને નકારશો અને ન તો તેને જૂઠલાવશો પરંતુ તેની વાતને કોઈ પાગલ જેવી વાત કહી દે શો, શું આ ઉદાહરણ પછી કોઈ દલીલ બાકી રહી જાય છે કે આ વિશાળ બ્રહ્માંડ અને તેમ રહેલા આકાશ અને જમીન, અને તેની આશ્ચર્ય જનક સિસ્ટમ, શું તે કોઈ સર્જક વગર પોતે જ અસ્તિત્વમાં આવી ગઈ છે અથવા આકસ્મિક રીતે અસ્તિત્વમાં આવી છે?!
૩- અલ્લાહના અસ્તિત્વ પર શરઇ દલીલો: દરેક આકાશી પુસ્તકો, અલ્લાહના અસ્તિત્વ પર સાક્ષી છે કે અને તેમાં સર્જનીઓની હિતમાં જે આદેશો આ આકાશી પુસ્તકોમાં વર્ણન કરવામાં આવ્યા છે, તે દરેક એ વાતની દલીલ છે કે આ પુસ્તકો એક તે સર્વજ્ઞાની (હિકમતવાળા) અને પોતાના સર્જનીઓની અનુકૂળતાને સંપૂણ રીતે જાણનાર પાલનહાર તરફથી છે, અને આકાશી પુસ્તકોમાં વર્ણવેલ સૃષ્ટિ વિષે થવા વાળી ખબરોથી એ વાતની દલીલ છે કે આ દરેક વસ્તુઓ એક એવા પાલનહાર તરફથી છે, જે દરેક વસ્તુઓને અસ્તિત્વમાં લાવવાની શક્તિ ધરાવે છે જેના વિષે તેણે ખબર આપી.
૪- અલ્લાહના અસ્તિત્વ પર હિસ્સ (ચેતના) દ્વારા દલીલો; અને તે બે પ્રકારની છે:
પહેલો પ્રકાર: આપણે દુઆ કરવાવાળાની દુઆને પૂરી થતાં જોઈએ છીએ, અને સાંભળીએ છીએ, એવી જ રીતે દુ:ખ અને તકલીફમાં સપડાયેલા લોકોની ફરિયાદ પૂરી થવાને પણ આપણે જોઈએ છીએ, આ વસ્તુઓ અલ્લાહના અસ્તિત્વ પર એક સચોટ દલીલ બને છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {અને નૂહને પણ (તેના પર પણ તે જ રહેમત કરી) જ્યારે તેમણે એ પહેલા દુઆ કરી, અમે તેમની દુઆ કબૂલ કરી} [અલ્ અંબિયા: ૭૬]. અલ્લાહ તઆલા એ કહ્યું: {(તે સમયને યાદ કરો) જ્યારે કે તમે પોતાના પાલનહાર સામે ફરિયાદ કરી રહ્યા હતા, પછી અલ્લાહ તઆલાએ તમારી (ફરિયાદ) સાંભળી લીધી} [અલ્ અન્ફાલ: ૯].
અને સહીહ બુખારીમાં અનસ રઝી. દ્વારા રિવાયત છે કે તેમણે કહ્યું: જુમ્માના દિવસે એક ગામડિયો તે સમયે (મસ્જિદે નબવી) માં દાખલ થયો જ્યારે નબી ﷺ ખુત્બો આપી રહ્યા હતા, તેણે કહ્યું: હે અલ્લાહના પયગંબર ! (વરસાદ ન થવાના કારણે) માલ-સામાન નષ્ટ થઈ ગયા અને ઘરવાળા ભૂખમરીનો ભોગ બન્યા, અલ્લાહ તઆલા પાસે અમારા માટે (વરસાદ) ની દુઆ કરી આપો, નબી ﷺ એ હાથ ઉઠાવ્યા અને દુઆ કરી, બસ ચારે બાજુએથી પર્વતોની જેમ વાદળો આવી ગયા, નબી ﷺ મિમ્બર પરથી નીચે પણ નહતા ઉતાર્યા કે મેં વરસાદના છાંટાને તેમની દાઢી પરથી ટપક્તા જોયા. «જુમ્માના દિવસે એક ગામડિયો તે સમયે (મસ્જિદે નબવી) માં દાખલ થયો જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુત્બો આપી રહ્યા હતા, તેણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! (વરસાદ ન થવાના કારણે) માલ-સામાન નષ્ટ થઈ ગયા અને ઘરવાળા ભૂખમરીનો ભોગ બન્યા, અલ્લાહ તઆલા પાસે અમારા માટે (વરસાદ) ની દુઆ કરી આપો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યા અને દુઆ કરી, બસ ચારે બાજુએથી પર્વતોની જેમ વાદળો આવી ગયા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિમ્બર પરથી નીચે પણ નહતા ઉતાર્યા કે મેં વરસાદના છાંટાને તેમની દાઢી પરથી ટપક્તા જોયા» [૬]. [૬] સહીહ બુખારી, જુમ્માનું વર્ણન, પાઠ: જુમ્મા દિવસે જુમ્માના ખુત્બામાં વરસાદની દુઆ કરવી, હદીષ નંબર: (૮૯૧).
બીજી જુમ્માના દિવસે, તે જ અથવા બીજો કોઈ ગામડિયો ઊભો થયો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર ! (વધુ વરસાદના કારણે) અમારા ઘરો પડી ગયા, અને માલ સામાન પાણીમાં ડૂબી ગયો, જેથી તમે અલ્લાહ તઆલા પાસે અમારા માટે (વરસાદ રોકાઈ જવાની) દુઆ કરી આપો, નબી ﷺએ પોતાના હાથ ઉઠાવ્યા, અને આ દુઆ કરી «"અલ્લાહુમ્મ હવા લયના વલા અલૈના વલા અલૈના" ( અર્થાત્ હે અલ્લાહ ! અમારી આસ પાસ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ)» ફરી જેવો નબી ﷺ એ ઈશારો કર્યો, વાદળોમાં તિરાડો પડી ગઈ અને તે બીજી તરફ જતાં રહ્યા. «"અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલૈના" (અર્થ: હે અલ્લાહ! બીજી બાજુ વરસાદ વરસાવ અને અમારી ઉપરથી રોકી લે)» તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે તરફ ઈશારો કરતા વાદળ સાફ થઇ જતું [૭]. [૭] સહીહ બુખારી, જુમ્માનું વર્ણન, પાઠ: જુમ્મા દિવસે જુમ્માના ખુત્બામાં વરસાદની દુઆ કરવી, હદીષ નંબર: (૮૯૧), સહીહ મુસ્લિમ, પુસ્તક: વરસાદની નમાઝનું વર્ણન, પાઠ: વરસાદની નમાઝનું દુઆ, હદીષ નંબર: (૮૯૭).
દુઆઓનું કબૂલ થવું તે એક જોવાનું કાર્ય છે, જો લોકો સત્ય અને કબૂલ થવાની શરતો સાથે અલ્લાહ તઆલા પાસે દુઆ માંગે છે તેમના માટે દુઆઓ કબૂલ થવાનો સિલસિલો આજે પણ એવી જ રીતે છે.
બીજો પ્રકાર: ઘણા લોકોએ પયગંબરોની નિશાનીઓ (જેને મુઅજિઝાત કહેવામાં આવે છે) પોતે જોઈ, અથવા (સચોટ સ્ત્રોતો દ્વારા) તેના વિષે સાંભળ્યું, આ મુઅજિઝાઓ તે પયગંબરોને મોકલનાર અલ્લાહ તઆલાના અસ્તિત્વ પર સાચી દલીલ છે, અને આ સત્ય ઘટનાઓ માનવીની સમજ બહારની છે, અને અલ્લાહ તઆલા તેને પોતાના પયગંબરોને સમર્થન આપવા અને તેમની મદદ માટે જાહેર કરે છે.
તેનું ઉદાહરણ: મૂસા અ.સ. નો તે મુઅજિઝાની છે, જ્યારે અલ્લાહ તઆલા એ તેમને સમુદ્ર પર પોતાની લાકડી મારવાનો આદેશ આપ્યો, જેવું મૂસા અ. સ એ અલ્લાહના આદેશનું પાલન કર્યું સમુદ્રમાં બાર સૂકા રસ્તાઓ નીકળી આવ્યા, અને તે રસ્તાઓમાં પાણી પર્વતોની જેમ ઊભું થઈ ગઈ, અલ્લાહ તઆલા એ કહ્યું: {અમે મૂસા તરફ વહી કરી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો} [અશ્ શુઅરાઅ: ૬૩].
બીજું ઉદાહરણ: ઈસા અ.સ.નું મૃતકોને જીવિત કરવું, અને અલ્લાહના આદેશથી તેમને કબરો માંથી બહાર કાઢવાનો મુઅજિઝાનું છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {અને અલ્લાહના આદેશથી મૃતકોને જીવિત કરુ છું} [આલિ ઇમરાન: ૫૧]. અને કહ્યું: {અને જ્યારે મૃતકોને મારા આદેશથી (કબરો માંથી) કાઢી ઉભા કરી દેતો} [અલ્ માઈદહ: ૧૧૦].
ત્રીજું ઉદાહરણ: નબી ﷺનો મુઅજિઝો જે ચંદ્રના ટુકડા થઈ જવા પર હતો, જ્યારે કુરૈશના લોકોએ તેમની પાસે મુઅજિઝા (ચમત્કાર) ની માંગ કરી, તો નબી ﷺ ચંદ્ર તરફ ઈશારો કર્યો તો તે બે ભાગમાં વહેચાઈ ગયો, અને દરેક લોકોએ તેને જોઈ, તેના વિષે અલ્લાહ તઆલા એ કહ્યું: {કયામત નજીક આવી ગઇ અને ચંદ્ર ફાટી ગયો. આ (કાફિર) જો કોઇ નિશાની જોઇ લે છે , તો મોઢું ફેરવી લે છે અને કહી દે છે કે આ તો જાદુ છે, જે પહેલાથી ચાલતું આવ્યું છે} [અલ્ કમર: ૧-૨].
આ દરેક નિશાનીઓ અને મુઅજિઝા (ચમત્કારો) એહસાસ અને અનુભવ દ્વારા જાણી શકાય છે, અલ્લાહ તઆલા એ આ નિશાનીઓને પોતાના પયગંબરને સમર્થન આપવા અને તેમની મદદ માટે જાહેર કર્યા હતા, જે અલ્લાહના અસ્તિત્વ પર સચોટ પુરાવો છે.
બીજું: અલ્લાહની રુબૂબિય્યત પર ઈમાન: અર્થાત્ (તે વાત પર ઈમાન) કે તે એકલો જ પાલનહાર છે ન તો તેનો કોઈ ભાગીદાર છે ન તો કોઈ મદદ કરવાવાળો.
રબ (પાલનહાર): તે એકલો જ પેદા કરવાવાળો અને સર્જન કરનાર છે, માલિકી અને રાજ્ય તેના માટે જ હોવુ જોઈએ, અને આદેશ પણ ફક્ત તેનો જ ચાલતો હોઈ, બસ અલ્લાહ સિવાય ન તો કોઈ બીજો સર્જક છે ન તો કોઈ માલિક, અને ન તો તેના સિવાય બીજો કોઈ આદેશ આપનાર હોઈ, અલ્લાહ તઆલા એ કહ્યું: {યાદ રાખો ! તેણે જ સર્જન કર્યું છે, તો આદેશ પણ તેનો જ ચાલશે} [અલ્ અઅરાફ: ૫૪]. અને કહ્યું: {આ જ અલ્લાહ છે, તમારા સૌનો પાલનહાર, તેની જ બાદશાહી છે, તેને છોડીને જેમને તમે પોકારો છો, તે તો ખજૂરના ઠળિયાના છોતરાંના પણ માલિક નથી} [ફાતિર: ૧૩].
સર્જનમાંથી કોઈ એ પણ અલ્લાહની રુબૂબિય્યતનો ઇન્કાર નથી કર્યો, સિવાય તે લોકો જેઓ ઘમંડી હતા, પરતું જે પણ તેઓ કેહતા હતા તેની પોતે પણ માન્યતા નહતા ધરાવતા, જેવુકે ફિરઔનની વાતથી જાહેર થાય છે, જ્યારે તેણે પોતાની કોમને કહ્યું: {કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું} [અન્ નાઝિઆત: ૨૪], અને કહ્યું: {ફિરઔન કહેવા લાગ્યો, હે દરબારીઓ ! હું તો મારા સિવાય કોઈને તમારો ઇલાહ નથી માનતો} [અલ્ કસસ: ૩૮] પરંતુ ફિરઔનનો આ દાવો તેનો અકીદો (માન્યતા) ન હતો, {કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું (૨૪)} [અન્ નાઝિઆત: ૨૪], એવી જ રીતે બીજી જગ્યાએ અલ્લાહએ કહ્યું: {...હે દરબારીઓ! હું તો મારા સિવાય કોઈને તમારો ઇલાહ નથી માનતો...} [અલ્ કસસ: ૩૮], પરંતુ આ તેની માન્યતા ન હતી. અલ્લાહ તઆલા એ કહ્યું: {તે લોકોએ અહંકાર અને જુલમના કારણે ઇન્કાર કરી દીધો જો કે તેમના હૃદય માની ગયા હતાં, (કે મૂસા સાચા છે)} [અન્ નમલ: ૧૪]. {તે લોકોએ અહંકાર અને જુલમનાં કારણે ઇન્કાર કરી દીધો, જો કે તેમના હૃદય માની ગયા હતાં, (કે મૂસા સાચા છે)...} [અન્ નમલ: ૧૪]. એવી જ રીતે મૂસા અ. સ એ કહ્યું જેવું કે અલ્લાહ તઆલા એ કુરઆનમાં તેમના વિશે ખબર આપી:{મૂસાએ જવાબ આપ્યો કે તું ખૂબ સારી રીતે જાણે છે કે આ દરેક નિશાનીઓ તે હસ્તીએ ઉતારી છે, જે આકાશો અને ધરતીનો માલિક છે, અને હે ફિરઔન ! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ થઈને રહીશ} [અલ્ ઈસ્રા: ૧૦૨], {...તું ખૂબ સારી રીતે જાણે છે કે આ દરેક નિશાનીઓ તે હસ્તીએ ઉતારી છે, જે આકાશો અને ધરતીનો માલિક છે, અને હે ફિરઔન! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ થઈને રહીશ} [અલ્ ઇસ્રા: ૧૦૨], એવી જ રીતે આપણે જોઈએ છે કે અરબના મુશરિકો જેઓ અલ્લાહની "ઉલૂહિય્યત" માં શિર્ક કરતાં હતા પરંતુ તેઓ અલ્લાહની "રુબૂબિય્યત" ને માનતા હતા, અલ્લાહ તઆલાએ કહ્યું: {(હે પયગંબર) તમે તેમને પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે ? જણાવો જો તમે જાણતા હોય? તરત જ તેઓ જવાબ આપશે કે “અલ્લાહનું ” છે. તમને તેમને કહી દો કે પછી તમે શિખામણ પ્રાપ્ત કેમ નથી કરતા, પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે? પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે? સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો? આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે?} [અલ્ મુઅમિનૂન: ૮૪ - ૮૯].
અને અલ્લાહ તઆલાએ કહ્યું: {જો તમે તેમને પૂછશો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું, તો ખરેખર તેમનો જવાબ એ જ હશે કે તેમનું સર્જન વિજયી અને હિકમતવાળા (અલ્લાહ)એ જ કર્યું છે} [અઝ્ ઝુખ્રુફ: ૯].
અને પવિત્ર અલ્લાહએ કહ્યું: {જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ"એ, પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે} [અઝ્ ઝુખ્રુફ: ૮૭].
અને પવિત્ર અલ્લાહના આદેશમાં વ્યવસ્થા (બ્રહ્માંડીય) અને શરઇ (ઇસ્લામી કાયદાકીય) બંને શામેલ છે, જેથી જે રીતે તે પોતાની શ્રેષ્ઠ હિકમત સાથે બ્રહ્માંડની વ્યવસ્થા કરે છે, અને તેમાં પોતાની મરજી પ્રમાણે આદેશો લાગુ કરે છે, એવી જ રીતે તે પોતાની હિકમત પ્રમાણે ઈબાદત અને બાબતો વિષે આદેશો લાગુ કરે છે તેથી પણ તે આ બ્રહ્માંડનો બાદશાહ છે, જો કોઈ અલ્લાહ તઆલા સાથે અન્યને ઈબાદતમાં શરિઅત બનાવનાર અથવા બાબતોમાં બીજા કોઈને બાદશાહ માનીલે તો તે મુશરિક છે, અને તેનું ઈમાન સાબિત થઈ શકશે નહીં.
ત્રીજું: અલ્લાહની ઉલૂહિય્યત પર ઈમાન: અર્થાત્ ફક્ત તે એકલો જ સાચો મઅબૂદ (ઈબાદતને લાયક) છે, કોઈ તેનો ભાગીદાર નથી, અને "ઇલાહ" જેનો અર્થ "મઅલૂહ" અર્થાત્ તે જેની મોહબ્બત અને આદર સાથે ઈબાદત કરવામાં આવે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {તમારો ઇલાહ એક જ છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે ઘણો જ દયા કરવાવાળો અને ઘણો જ કૃપાળુ છે} [અલ્ બકરહ: ૧૬૩]. {તમારો ઇલાહ (પૂજ્ય) એક જ છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે ઘણો જ દયા કરવાવાળો અને ઘણો જ કૃપાળુ છે. (૧૬૩)} [અલ્ બકરહ: ૧૬૩]. અને બીજી જગ્યાએ અલ્લાહ તઆલા એ કહ્યું: {અલ્લાહ તઆલાએ, ફરિશ્તાઓએ અને જ્ઞાનવાળાઓએ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને તે હંમેશા ન્યાય કરવાવાળો છે, તે વિજયી અને હિકમતવાળા સિવાય કોઇ બંદગીને લાયક નથી} [આલિ ઇમરાન: ૧૮], {અલ્લાહ તઆલાએ, ફરિશ્તાઓએ અને જ્ઞાનવાળાઓએ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને તે હંમેશા ન્યાય કરવાવાળો છે, તે વિજયી અને હિકમતવાળા સિવાય કોઇ બંદગીને લાયક નથી (૧૮)} [આલિ ઇમરાન: ૧૮], બસ! અલ્લાહ તઆલા સાથે જેને પણ ઇલાહ સમજી પૂજવામાં આવે, તેનું ઇલાહ હોવું ગલત અને બાતેલ છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {આ બધું એટલા માટે કે અલ્લાહ જ સાચો છે અને તેના સિવાય જેમને પણ આ લોકો પોકારે છે તે ખોટા છે. અને નિ:શંક અલ્લાહ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ મોટો છે} [અલ્ હજ્જ: ૬૨]. [અલ્ હજ્જ: ૬૨]. જેથી કોઈ વ્યક્તિ અન્યને "ઇલાહ" અથવા "મઅબૂદ" સમજી તેમને પોકારે તો તેમને કહી દેવાથી તેઓ ઇલાહ નથી થઈ જતાં, અલ્લાહ તઆલા એ (લાત, ઉઝ્ઝા અને મનાત) વિષે કહ્યું: {ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે, અલ્લાહ તઆલાએ તેના માટે કોઇ પુરાવા નથી ઉતારયા} [અન્ નજમ: ૨૩].
અને અલ્લાહ તઆલા એ કહ્યું જ્યારે હૂદ અ. સ. એ પોતાની કોમને કહ્યું: {શું તમે મારાથી તે નામો વિશે ઝઘડો કરો છો, જેને તમે અને તમારા બાપ-દાદાઓએ રાખ્યા છે, તેઓના પૂજ્ય હોવાના કોઇ પુરાવા અલ્લાહએ નથી ઉતાર્યા} [અલ્ અઅરાફ: ૭૧].
અને યૂસુફ અ. સ. એ જ્યારે પોતાના જેલના બંને સાથીઓને જે કહ્યું હતું તેના વશે અલ્લાહ તઆલા એ કહ્યું: {હે મારા જેલના મિત્રો ! શું કેટલાક અલગ-અલગ પાલનહાર શ્રેષ્ઠ છે અથવા એક અલ્લાહ જબરદસ્ત? તેના સિવાય જેની પણ તમે બંદગી કરી રહ્યા છો, તે ફક્ત નામ જ છે, જે તમે અને તમારા પૂર્વજોએ પોતે જ ઘડી કાઢ્યા છે, અલ્લાહ તઆલાએ તેમના માટે કોઈ દલીલ નથી ઉતારી} [યૂસુફ: ૩૯-૪૦].
એટલા માટે દરેક પયગંબરો એ પોતાની કોમને આજ વાતો કેહતા રહ્યા: {તમે અલ્લાહની બંદગી કરો, તેના સિવાય કોઇ તમારો ઇલાહ નથી} [અલ્ અઅરાફ: ૫૯]. પરંતુ મુશરિકોએ આ સત્યતાનો ઇન્કાર કર્યો, અને અલ્લાહ સિવાય અમુક બીજાને ઇલાહ (પૂજ્ય) બનાવી પવિત્ર અલ્લાહ તઆલા સાથે તેમની પૂજા કરવા લાગ્યા, અને તેમની માસે મદદ માંગવા લાગ્યા અને તેમની સમક્ષ ફરિયાદ કરવા લાગ્યા.
મુશરિકોએ જે પૂજયો બનાવી લીધા હતા તેમનો રદ બે તાર્કિક દલીલો દ્વારા કર્યો:
પહેલી દલીલ: જે લોકોને ઇલાહ (પૂજ્ય) બનાવી લીધા છે તેમનામાં "ઉલૂહિય્યત" ના ગુણો નથી, પરંતુ તે તો પોતે સર્જક છે, કોઈ પણ વસ્તુનું સર્જન કરવું તેમનું કામ નથી, તેઓ તેમની પૂજા કરનારા લોકોને કોઈ ફાયદો પહોંચાડી નથી શકતા, ન તો તેમની કોઈ તકલીફ દૂર કરી શકે છે, ન તો તેઓ તેમના જીવનના માલિક છે, ન તો તેમની મોતના, ન તો આકશોની કૌ વસ્તુના માલિક છે, ન તો તેમ ભાગીદાર છે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {અને (લોકોએ) અલ્લાહ સિવાય કઇ ઇલાહ બનાવી દીધા છે, જે કોઈ વસ્તુ થોડી પેદા કરી શકવાના છે, પરંતુ તેમને પોતે પેદા કરવામાં આવ્યા છે, આ ઇલાહ તો પોતાના ફાયદા અને નુકસાનનો પણ અધિકાર નથી ધરાવતા, અને ન તો તેમને કોઈનાં મૃત્યુ અને જીવન આપવા પર અધિકાર છે અને ન તો મૃતકને ફરી જીવિત કરવાનો કઈ અધિકાર છે} [અલ્ ફુરકાન: ૩]. {અને (લોકોએ) અલ્લાહ સિવાય કઇ ઇલાહ બનાવી દીધા છે, જે કોઈ વસ્તુ થોડી પેદા કરી શકવાના છે, પરંતુ તેમને પોતે પેદા કરવામાં આવ્યા છે, આ ઇલાહ તો પોતાના ફાયદા અને નુકસાનનો પણ અધિકાર નથી ધરાવતા, અને ન તો તેમને કોઈનાં મૃત્યુ અને જીવન આપવા પર અધિકાર છે અને ન તો મૃતકને ફરી જીવિત કરવાનો કઈ અધિકાર છે (૩)} [અલ્ ફુરકાન: ૩].
અને બીજી જગ્યાએ અલ્લાહ તઆલા એ કહ્યું: {(હે નબી! ) કહી દો કે જે લોકોને અલ્લાહ સિવાય તમે ઇલાહ સમજી રહ્યા છો, તેમને પોકારી જોઈ લો, તેમના માંથી કોઇ આકાશો અને ધરતી માંથી એક કણ બરાબર પણ અધિકાર નથી ધરાવતા , ન તો તેમાં તે લોકોનો કોઇ ભાગ છે, ન તો તેમના માંથી કોઇ અલ્લાહની મદદ કરે છે. તેની પાસે ફક્ત તેમની જ ભલામણો ફાયદો પહોચાડી શકે છે, જેને તે પોતે પરવાનગી આપે} [સબા: ૨૨-૨૩]. {(હે નબી!) કહી દો કે જે લોકોને અલ્લાહ સિવાય તમે ઇલાહ સમજી રહ્યા છો, તેમને પોકારી જોઈ લો, તેમના માંથી કોઇ આકાશો અને ધરતી માંથી એક કણ બરાબર પણ અધિકાર નથી ધરાવતા, ન તો તેમાં તે લોકોનો કોઇ ભાગ છે, ન તો તેમના માંથી કોઇ અલ્લાહની મદદ કરે છે. તેની પાસે ફક્ત તેમની જ ભલામણો ફાયદો પહોચાડી શકે છે, જેને તે પોતે પરવાનગી આપે...} [સબા: ૨૨-૨૩] અને અલ્લાહ તઆલા એ કહ્યું: {શું એવા લોકોને શરીક બનાવે છે, જે કોઇ પણ વસ્તુનું સર્જન નથી કરી શકતા અને તેમનું પોતાનું જ સર્જન કરવામાં આવ્યું છે. અને તેઓ તેમની કોઇ પણ પ્રકારની મદદ નથી કરી શકતા અને તે પોતે પોતાની મદદ કરી શકે છે} [અલ્ અઅરાફ: ૧૯૧-૧૯૨]. [અલ્ અઅરાફ: ૧૯૧-૧૯૨].
જ્યારે આ બાતેલ પૂજયોની આ સ્થિતિ છે, તો આ લોકોને સાચા પૂજયો બનાવવા સખત મૂર્ખતાની વાત છે.
બીજી દલીલ: આ મુશરિકોને પણ તે વાતનું યકીન હતું કે ખરેખર અલ્લાહ તઆલા જ એકલો પાલનહાર અને સર્જક છે, જેની પાસે સંપૂણ અધિકાર છે, અને તેજ પનાહ આપે છે, પરંતુ તેની સરખામણીમાં બીજું કોઈ પનાહ આપવવાળું નથી, અને આ એકરારથી એ વાત સાબિત થાય છે કે રુબૂબિય્યતની જેમ જ તે ઉલૂહિય્યતને પણ અપનાવે, જેવુંકે અલ્લાહ તઆલા એ કહ્યું: {હે લોકો ! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો. તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર ! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો} [અલ્ બકરહ: ૨૧-૨૨]. {હે લોકો! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો, (૨૧) તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો (૨૨)} [અલ્ બકરહ: ૨૧-૨૨].
અલ્લાહ તઆલા એ બીજી જગ્યાએ કહ્યું: {જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ"એ, પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે} [અઝ્ ઝુખ્રુફ: ૮૭]. {જો તમે તે લોકોને પૂછો કે તેમનું સર્જન કોણે કર્યું, તો નિ:શંક તે લોકો જવાબ આપશે કે "અલ્લાહ"એ, પછી આ લોકો ક્યાં જઇ રહ્યા છે (૮૭)} [અઝ્ ઝુખ્રુફ: ૮૭].
અને અલ્લાહ તઆલા એ બીજી જગ્યાએ કહ્યું:{તમે તેમને કહી દો કે તે કોણ છે જે તમને આકાશ અને ધરતી માંથી રોજી પહોંચાડે છે? અથવા તે કોણ છે જે કાન અને આંખો બન્ને પર સંપૂર્ણ અધિકાર ધરાવે છે ? અને તે કોણ છે જે નિર્જીવ માંથી સજીવ કાઢે છે અને સજીવ માંથી નિર્જીવ કાઢે છે? અને તે કોણ છે જે દરેક કાર્યની વ્યવસ્થા કરે છે, જરૂર તેઓ એ જ કહેશે કે “અલ્લાહ”. તો તેમને કહો કે તમે તેનાથી ડરતા કેમાં નથી? ૩૨- તો આ છે, અલ્લાહ તઆલા, જે તમારો સાચો પાલનહાર છે, સત્ય પછી પથભ્રષ્ટતા સિવાય હવે શું રહી ગયું, પછી તમે ક્યાં ભટકી રહ્યા છો?} [યૂનુસ: ૩૧-૩૨]. {તમે તેમને કહી દો કે તે કોણ છે જે તમને આકાશ અને ધરતી માંથી રોજી પહોંચાડે છે? અથવા તે કોણ છે જે કાન અને આંખો બન્ને પર સંપૂર્ણ અધિકાર ધરાવે છે? અને તે કોણ છે જે નિર્જીવ માંથી સજીવ કાઢે છે અને સજીવ માંથી નિર્જીવ કાઢે છે? અને તે કોણ છે જે દરેક કાર્યની વ્યવસ્થા કરે છે, જરૂર તેઓ એ જ કહેશે કે “અલ્લાહ”. તો તેમને કહો કે તમે તેનાથી ડરતા કેમાં નથી? (૩૧) તો આ છે, અલ્લાહ તઆલા, જે તમારો સાચો પાલનહાર છે, સત્ય પછી પથભ્રષ્ટતા સિવાય હવે શું રહી ગયું, પછી તમે ક્યાં ભટકી રહ્યા છો? (૩૨)} [યૂનુસ: ૩૧-૩૨].
ચોથું: અલ્લાહના નામો અને ગુણો પર ઈમાન:
અર્થાત્ અલ્લાહ તઆલાએ પોતાના માટે પોતાની કિતાબમાં અથવા તેના પયગંબર ﷺ ની હદીષમાં જે નામો અને ગુણો સાબિત કર્યા છે, તેમાં તેહરિફ (ફેરફાર) અને તઅતીલ (અર્થઘટન) અને વગર કોઈ તક્ઇફ (સ્થિતિ વર્ણન કરવી) અને તમ્ષીલ (સરખામણી) કર્યા વગર, જે રીતે તેના માટે લાયક છે સાબિત કરવા, અલ્લાહ તઆલા એ કહ્યું: {અને અલ્લાહના સારા સારા નામો છે, તો તમે તે નામો વડે જ અલ્લાહને પોકારો અને એવા લોકોને છોડી દો જેઓ તેના નામમાં ખામી શોધે છે, જે કંઈ પણ તેઓ કરી રહ્યા છે, નજીક માંજ તેમને તેનો બદલો મળી જશે} [અલ્ અઅરાફ: ૧૮૦]. {અને અલ્લાહના સારા સારા નામો છે, તો તમે તે નામો વડે જ અલ્લાહને પોકારો અને એવા લોકોને છોડી દો જેઓ તેના નામમાં ખામી શોધે છે, જે કંઈ પણ તેઓ કરી રહ્યા છે, નજીક માંજ તેમને તેનો બદલો મળી જશે (૧૮૦)}. [અલ્ અઅરાફ: ૧૮૦]. અને બીજી જગ્યાએ અલ્લાહ તઆલા એ કહ્યું: {તેના જ ગુણો ઉત્તમ છે આકાશો અને ધરતીમાં પણ, અને તે જ પ્રભુત્વશાળી, હિકમતવાળો છે} [અર્ રૂમ: ૨૭]. {...તેના જ ગુણો ઉત્તમ છે આકાશો અને ધરતીમાં પણ, અને તે જ પ્રભુત્વશાળી, હિકમતવાળો છે} [અર્ રૂમ: ૨૭]. અને બીજી એક જગ્યાએ અલ્લાહ તઆલા એ કહ્યું: {તેના જેવી કોઇ વસ્તુ નથી, તે જ છે, જે દરેક વાત સાંભળે છે અને બધું જ જુએ છે} [અશ્ શૂરા: ૧૧]. {...તેના જેવી કોઇ વસ્તુ નથી, તે જ છે, જે દરેક વાત સાંભળે છે અને બધું જ જુએ છે} [અશ્ શૂરા: ૧૧].
આ બાબતે બે જૂથો ગુમરાહ થઈ ગયા છે:
પહેલું જૂથ: (અલ્ મુઅત્તિલા) આ તે લોકો છે જેઓ અલ્લાહ તઆલાના નામો અને ગુણો અથવા તેમાંના કેટલાકનો ઇન્કાર કરનારા છે, તેઓ વિચારે છે કે અલ્લાહ તઆલા માટે નામો અને ગુણો સાબિત કરવા હકીકતમાં તશ્બીહ (અર્થાત્ અલ્લાહ તઆલાને તેના સર્જન સાથે સમાનતા) છે, પરંતુ આ દાવો સંપૂર્ણપણે વાહિયાત અને નીચેના કારણોથી બાતેલ (અમાન્ય) છે:
પહેલું કારણ: આ દાવો પવિત્ર અલ્લાહ તઆલાના શબ્દો વચ્ચે વિરોધાભાસ જેવા જૂઠા આરોપો પર આધારિત છે, અને આ એટલા માટે કે અલ્લાહ તઆલાએ પોતાના માટે આ નામો અને ગુણો સાબિત કરવાની સાથે સાથે તેને બીજી કોઈ વસ્તુ સાથે સરખામણીનો ઇન્કાર કર્યો છે, એટલા માટે જો માની લેવામાં આવે તે પવિત્ર નામો અને ગુણોને સરખામણી સાથે સાબિત કરવા છે તો આના દ્વારા કેટલીક આયતોનો કેટલીક આયતો સાથે વિરોધાભાસ અને ઇન્કાર સાબિત થાય છે.
બીજું કારણ: નામ અથવા ગુણ કોઈ પણ બે વસ્તુઓ સાથે એકતા તેમની એક બીજા સાથે એક જેવુ હોવું સાબિત નથી થતું, જેવુ કે તમે જુઓ છો બે વ્યક્તિ વચ્ચે એક પ્રકારથી સરખામણી જોવા મળે છે કે તે બંને માનવી છે, સાંભળે છે, જુએ છે, બોલે છે, પરંતુ તેની સાથે સાથે તેઓ માનવ સ્વભાવ, અથવા સાંભળવા, જોવા અને બોલવામાં પણ એકબીજા સાથે સુસંગત છે.
એવી જ રીતે જાનવરોનું ઉદાહરણ જોઇલો, તેમની પાસે હાથ, પગ અને આંખો હોય છે, પરંતુ આ સુસંગત દ્વારા એ સાબિત નથી થતું કે તેમના હાથ, પગ અને આંખો હકીકતમાં એક જેવી હોઇ.
બસ જ્યારે સર્જનીઓ વચ્ચે નામો અને ગુણોમાં સરખામણી હોવા છતાં પણ મતભેદ સ્પષ્ટ છે, તો સર્જક અને સર્જન વચ્ચેનો તફાવતતો વધુ સ્પષ્ટ છે.
બીજું જૂથ: (અલ્ મુશબ્બિહા) આ તે લોકો છે જેઓ અલ્લાહ તઆલાના નામો અને ગુણો સર્જન સાથે સરખામણી કરી સાબિત કરે છે, તેઓ વિચારે છે આ આયતોના અર્થ દ્વારા સાબિત છે, કારણકે અલ્લાહ તઆલા પોતાના બંદાઓને આજ રીતે સંબોધિત કરે છે, જે રીતે તે સમજી શકે, પરંતુ તેમની આ માન્યતા પણ નીચે વર્ણવેલ કારણોથી જૂઠી છે:
પહેલું કારણ: અલ્લાહ તઆલાની તેના સર્જન સાથે સરખામણી તે એક એવું કાર્ય છે, જે બુદ્ધિ અને શરિઅત બંને દ્વારા બાતેલ અને અમાન્ય છે, જ્યારે કે આ વાત ચોક્કસ પણે અશક્ય છે કે કુરઆન અને હદીષનો અર્થ ગલત અને બાતેલ હોઇ.
બીજું કારણ: ખરેખર અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓ સાથે આ રીતે જ વાત કરી છે, જેવી રીતે તેઓ તેને તેના અસલ અર્થ સાથે સમજે છે, પરંતુ તેના શબ્દોના અર્થ જે તેની ઝાત સાથે જોડાયેલા છે તેની હકીકતનું ઇલમ ફક્ત તેને જ છે.
જેથી અલ્લાહ તઆલાએ પોતાના માટે "સમીઅ" (સાંભળવાવાળો) હોવાને સાબિત કર્યું છે, તો "સમ્અ" પોતાના અસલ અર્થમાં છે એ ખબર છે, (અર્થાત્ અવાજોની ધારણા કરવી) પરંતુ અલ્લાહની સાંભળવાની નિસ્બતથી તેના "સમીઅ" હોવાની અસલ હકીકતની જાણ નથી; જો કે "સમ્અ" ની હકીકત સર્જનીઓ માં પણ અલગ હોય છે, જેથી સર્જક અને સર્જન વચ્ચે તેનું અલગ હોવું વધુ સ્પષ્ટ અને ચોક્કસપણે છે.
એવી જ રીતે અલ્લાહ તઆલાએ પોતાના વિષે એ પણ ખબર આપી કે અર્શ પર મુસ્તવી છે, તો "ઇસ્તવા" પોતાના અસલ અર્થ પ્રમાણે ભલે ખબર છે, પરંતુ અર્શ પર અલ્લાહનું મુસ્તવી થવું, તેના વિષે જાણ નથી, જો સર્જનની દૃષ્ટિ પ્રમાણે જોવા જઈએ તો "ઇસ્તવા" ની હકીકત અલગ હોઇ છે, જેથી કોઈ સ્થિર કુર્સી પર મુસ્તવી થવું (ઊંચું થવું), ઊંટના ઢેકા પર મુસ્તવી થવા જેવુ નથી, બસ જ્યારે આ વસ્તુ સર્જનના હકમાં અલગ છે, તો સર્જક અને સર્જન વચ્ચે ચોક્કસપણે અને વધુ સ્પસ્ટ રીતે અલગ હોઇ છે.
ઉપર વર્ણવેલ સિફાત (ગુણો) પર ઈમાન ધરાવવાના ઘણા ફાયદા છે, જે નીચે મુજબ છે:
પહેલો ફાયદો: અલ્લાહની તૌહીદની પુષ્ટિ એવી રીતે કે બંદો અલ્લાહ સિવાય બીજા કોઈ પાસે ઉમ્મીદ ન રાખે, ન તો બીજા કોઇથી ભયભીત થાય અને ન તો કોઇની ઈબાદત કરે.
બીજો ફાયદો: "અસ્મા એ હુસ્ના" (અર્થાત્ સારા નામ) અને "સિફાતે ઉલયા" (ઉચ્ચ ગુણો) ના અનુસાર અલ્લાહનો આદર કરવો અને તેને મોહબ્બત કરવી.
ત્રીજો ફાયદો: "ઈબાદતની પુષ્ટિ" અર્થાત્ જે બાબતો વિષે અલ્લાહ તઆલા એ આદેશ આપ્યો છે તેનું અનુસરણ કરવું અને જે બાબતોથી રોક્યા છે તેનાથી બચીને રહેવું.
*
ફરિશ્તાઓ પર ઈમાન
ફરિશ્તા એક ગૈબી દુનિયાના છે, અને ખરેખર તેઓ અલ્લાહની ઈબાદત કરનાર સર્જન છે, તેમનામાં "રુબૂબિય્યત" અને "ઉલૂહિય્યત" ના કોઈ ગુણો નથી, અલ્લાહ તઆલા એ તેમને નૂર (પ્રકાશ) વડે પેદા કર્યા છે, અને તેમને અલ્લાહના સંપૂણ આદેશોનું પાલન કરવાની અને તેને લાગુ કરવાની કુદરત આપી છે. અલ્લાહ તઆલા એ કહ્યું: {જેઓ (ફરિશ્તાઓ) તેની પાસે છે, તે તેની બંદગીથી ન વિદ્રોહ કરે છે અને ન તો થાકે છે. તે રાત-દિવસ અલ્લાહનો ઝિકર કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા} [અલ્ અંબિયા: ૧૯-૨૦]. {...તે અલ્લાહનું જ છે અને જેઓ (ફરિશ્તાઓ) તેની પાસે છે, તે તેની બંદગીથી ન વિદ્રોહ કરે છે અને ન તો થાકે છે (૧૯), તે રાત-દિવસ અલ્લાહનો ઝિક્ર કરે છે અને થોડીક પણ આળસ નથી કરતા (૨૦)} [અલ્ અન્બિયા: ૧૯-૨૦].
ફરિશ્તાઓની સંખ્યા ઘણી છે, અલ્લાહ તઆલા સિવાય તેમની સાચી સંખ્યા કોઈ નથી જાણતું, અનસ રઝી. મેઅરાજ વાળા કિસ્સા વાળી હદીષમાં છે કે: "નબી ﷺ જ્યારે આકાશમાં રહેલા "બૈતુલ્ મઅમૂર" પર પહોંચ્યા તો જોયું કે તેમાં દરરોજ સિત્તેર હજાર ફરિશ્તાઓ નમાઝ પઢે છે, જે કોઈ તેમાં એક વખત (નમાઝ પઢી) નીકળી જાય તો તે ફરીવાર પાછો નથી જતો, (અર્થાત્ ફરી ક્યારેય તેનો વારો નથી આવતો)".
ફરિશ્તાઓ પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:
૧- ફરિશ્તાઓના અસ્તિત્વ પર ઈમાન.
૨- જે ફરિશ્તાઓના નામ ખબર હોય, જેવું કે જિબ્રઇલ, તેના પર વિસ્તાર પૂર્વક ઈમાન ધરાવવું અને જે ફરિશ્તાઓના નામ ખબર ન હોય તેના પર સંક્ષિપ્ત રૂપે ઈમાન ધરાવવું.
૩- ફરિશ્તાઓના જે ગુણો વિષે આપણને ખબર છે તેમના પર ઈમાન ધરાવવું, જેવું કે જિબ્રઇલ અ.સ. વિશે નબી ﷺ એ વર્ણન કર્યું: "મેં જિબ્રઇલને તેમના મૂળ રૂપમાં જોયા, તેમની છસો પાંખો હતી, જેનાથી આકાશ ઢંકાય ગયું હતું".
અને ક્યારેક ફરિશ્તાઓ અલ્લાહના આદેશથી માનવીનું રૂપ અપનાવી જાહેર થાય છે, જેવુ કે જિબ્રઈલ વિષે જાણીતું છે કે જ્યારે તેમને અલ્લાહ તઆલાએ મરીયમ અ. સ. પાસે મોકલ્યા તો તેઓ તેમની પાસે એક સામાન્ય વ્યક્તિના રૂપમાં આવ્યા, એવી જ રીતે એક વખત જિબ્રઈલ અ. સ. નબી ﷺ પાસે આવ્યા, તે વખતે નબી ﷺ સહાબા દરમિયાન બેઠા હતા, તેઓ એક એવા વ્યક્તિના રૂપમાં આવ્યા હતા કે તેમના કપડાં સખત સફેદ અને માથાના વાળ કાળા હતા, અને તેમના પર સફર કરવાનો થાક પણ ન હતો, સહાબાઓ માંથી કોઈ પણ તેમને ઓળખતું ન હતું, તેઓ પોતાનું ઘૂંટણ નબી ﷺ ના ઘૂંટણ સાથે મિલાવીને બેસી ગયા, અને પોતાના હાથ પોતાની જાંઘો પર મૂકી દીધા, તેમણે નબી ﷺ પાસે ઇસ્લામ, ઈમાન, એહસાન, કયામતનો સમય અને તેની નિશાનીઓ વિષે સવાલ કર્યો, અને નબી ﷺ તેમને જવાબ આપતા રહ્યા, ફરી નબી ﷺ એ (સહાબા રઝી. ને) કહ્યું: «આ જિબ્રઈલ અ. સ. હતા જેઓ તમને તમારો દિન શીખવાડવા આવ્યા હતા». «આ જિબ્ઈલ છે, જે તમને તમારો દીન શીખવાડવા આવ્યા હતા» [૮]. [૮] સહીહ મુસ્લિમ: પુસ્તક: ઇમાનનું વર્ણન, પાઠ: ઈમાન, ઇસ્લામ અને એહસાન અને પવિત્ર અલ્લાહની તકદીર અને નિર્યણ પર ઈમાન જરૂરી હોવાનું વર્ણન, હદીષ નંબર: (૮).
એવી જ રીતે તે ફરિશ્તાઓ જેમને અલ્લાહ તઆલા એ ઈબ્રાહીમ અ. સ. અને લૂત અ. સ. પાસે મકલ્યા હતા તેઓ પણ માનવીના રૂપમાં જ આવ્યા હતા.
૪- ફરિશ્તાઓને જે કાર્યોનું ઇલ્મ હોય તેના પર ઈમાન લાવવું, જેને તેઓ અલ્લાહના આદેશથી કરે છે, જેવું કે થાક્યા વગર સતત સવાર-સાંજ અલ્લાહની તસબીહ અને તેની ઈબાદતમાં વ્યસ્ત રહેવું.
અમુક ફરિશ્તાઓ ચોક્કસ કાર્યો માટે નક્કી છે.
ઉદાહરણ તરીકે: જિબ્રઈલ અ. સ અલ્લાહની વહી પહોંચાડવા પર લાગેલા છે, અલ્લાહ તઆલા એ તેમને પોતાની વહી સાથે પોતાના નબીઓ અને પયગંબરો પાસે મોકલ્યા.
અને બીજું ઉદાહરણ: મીકાઈલ જેમનું કામ વરસાદ અને વૃક્ષોને જોવાનું છે.
ત્રીજું ઉદાહરણ: ઇસ્રાફીલ કયામતના સમયે અને સર્જનીઓને બીજી વખત જીવતા કરવાના સમયે સૂરમાં ફૂંક મારશે.
ચોથું ઉદાહરણ: મલિકુલ્ મૌત (મોતનો ફરિશ્તો) જે મોતના સમયે શરીર માંથી રૂહ (આત્મા) કાઢવા પર નક્કી છે.
પાંચમું ઉદાહરણ: માલિક: જેમને જહન્નમની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ તે જહન્નમના રક્ષક છે.
એવી જ રીતે છઠ્ઠું ઉદાહરણ: તે ફરિશ્તાઓ જેઓ સ્ત્રીના ગર્ભાશયમાં રહેલા બાળકની દેખરેખ કરે છે, તો જ્યારે માનવી માતાના ગર્ભાશયમાં ચાર મહિના પૂરા કરે છે, તો અલ્લાહ તઆલા તેની પાસે એક ફરિશ્તો મોકલે છે, જે તેનું મૃત્યુ, તેનો અમલ અને તેનું સદાચારી અથવા પાપી હોવા વિષે લખે છે.
એવી જ રીતે સાતમું ઉદાહરણ: તે ફરિશ્તાઓ જેઓ આદમની સંતાનના કાર્યોની સુરક્ષા કરે છે, દરેક વ્યક્તિના કાર્યોની સુરક્ષા અને તેને લખવા માટે બે ફરિશ્તાઓ નક્કી છે, જેમાંથી એક માનવીની જમણી બાજુ છે અને બીજો ડાબી બાજુ.
એવી જ રીતે આઠમું ઉદાહરણ: મૃતકોને સવાલ કરવા માટે ફરિશ્તાઓ નક્કી છે, જ્યારે મૃતકને કબરમાં ઉતારી દેવામાં આવે છે ત્યારે તેની પાસે બે ફરિશ્તાઓ આવે છે, જેઓ તેને તેના પાલનહાર, તેના દીન અને તેના પયગંબર વિષે સવાલ કરે છે.
ફરિશ્તાઓ પર ઈમાન લાવવાના ફાયદા:
પહેલો ફાયદો: અલ્લાહની મહાનતા, કુદરત અને તેની બાદશાહતનું ઇલમ, યાદ રાખો ! સર્જનની મહાનતા એ સર્જકની ઉચ્ચ મહાનતાનો પુરાવો છે.
બીજો ફાયદો: આદમના સંતાન પર અલ્લાહએ આપેલ નેઅમતો પર તેનો આભાર વ્યક્ત કરવો, કે તેણે આ ફરિશ્તાઓને આદમના સંતાનની સુરક્ષા, તેમના કાર્યો લખવા અને બીજી ઘણી અનુકૂળતા માટે ઘણા કામ સોંપ્યા છે.
ત્રીજો ફાયદો: ફરિશ્તાઓ સાથે મોહબ્બત કે તેઓ અલ્લાહની ઈબાદત અને તેમને સોંપવામાં આવેલ કાર્યોમાં વ્યસ્ત છે.
ફરિશ્તાઓ વિષે અમુક શંકાઓ દૂર કરવી: વિચલિત અને પથભ્રષ્ટ લોકોના જૂથો માંથીએક જૂથે ફરિશ્તાઓને એક શરીર વાળું સર્જન હોવાનો ઇન્કાર કર્યો, તેમનો દાવો છે કે ફરિશ્તાઓ હકીકતમાં સર્જનીઓમાં રહેલી (છુપાયેલી) બરકતોનું નામ છે, પરંતુ આ દાવો કુરઆન અને હદીષ અને મુસલમાનોના એકમતને સ્પષ્ટ જૂઠલાવવા જેવુ છે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, જે ફરિશ્તાઓને સંદેશાવાહક બનાવનાર છે, જેમના બે-બે ત્રણ-ત્રણ અને ચાર ચાર પાંખો છે} [ફાતિર: ૧]. {દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, જે ફરિશ્તાઓને સંદેશાવાહક બનાવનાર છે, જેમના બે-બે ત્રણ-ત્રણ અને ચાર ચાર પાંખો છે...} [ફાતિર: ૧].
બીજી જગ્યાએ અલ્લાહ તઆલા એ કહ્યું: {કાશ કે તમે તે સ્થિતિને જોતાં, જ્યારે ફરિશ્તાઓ કાફિરોના પ્રાણ કાઢી રહ્યા હતા, તેઓના ચહેરા પર અને થાપા પર માર મારતા હતા} [અલ્ અન્ફાલ: ૫૦]. {કાશ કે તમે તે સ્થિતિને જોતાં, જ્યારે ફરિશ્તાઓ કાફિરોના પ્રાણ કાઢી રહ્યા હતા, તેઓના ચહેરા પર અને થાપા પર માર મારતા હતા...} [અલ્ અન્ફાલ: ૫૦].
અને અલ્લાહ તઆલા એ કહ્યું: {જ્યારે તેઓ મૃત્યુની કઠણાઇઓમાં હશે અને ફરિશ્તાઓ પોતાન હાથ તેમની તરફ લંબાવતા હશે (અને કહે છે) લાવો પોતામાં જીવો કાઢો. આજે તમને એવો અઝાબ આપવામાં આવશે} [અલ્ અન્આમ: ૯૩]. {....જ્યારે તેઓ મૃત્યુની કઠણાઇઓમાં હશે અને ફરિશ્તાઓ પોતાન હાથ તેમની તરફ લંબાવતા હશે (અને કહે છે) લાવો પોતામાં જીવો કાઢો. આજે તમને એવો અઝાબ આપવામાં આવશે...} [અલ્ અન્આમ: ૯૩].
અને બીજી જગ્યાએ અલ્લાહ તઆલા એ કહ્યું: {અને જ્યારે લોકોના દિલો માંથી ભય દૂર થશે તો પૂછે છે કે તમારા પાલનહારે શું કહ્યું ? તેઓ જવાબ આપે છે કે સાચું કહ્યું અને તે ઉચ્ચ અને ઘણો જ મોટો છે} [સબા: ૨૩]. {...અને જ્યારે લોકોના દિલો માંથી ભય દૂર થશે તો પૂછે છે કે તમારા પાલનહારે શું કહ્યું ? તેઓ જવાબ આપે છે કે સાચું કહ્યું અને તે ઉચ્ચ અને ઘણો જ મોટો છે} [સબા: ૨૩].
અને અલ્લાહ તઆલા એ જન્નતીઓ વિષે કહ્યું: {અને ફરિશ્તાઓ (જન્નતના) દરેક દરવાજા ઉપર (તેમનું સન્માન કરવામ માટે) આવશે. (કહેશે) કે, તમારા પર સલામતી થાય કારણકે તમે (દુનિયામાં મુસીબતો પર) સબર કરતા રહ્યા. તેના માટે આખિતનું ઘર, કેટલું સુંદર છે} [અર્ રઅદ:૨૩-૨૩]. {...અને ફરિશ્તાઓ (જન્નતના) દરેક દરવાજા ઉપર (તેમનું સન્માન કરવામ માટે) આવશે. (કહેશે) કે, તમારા પર સલામતી થાય કારણકે તમે (દુનિયામાં મુસીબતો પર) સબર કરતા રહ્યા, તેના માટે આખિતનું ઘર, કેટલું સુંદર છે} [અર્ રઅદ: ૨૩-૨૩].
અને સહીહ બુખારીમાં અબુ હુરૈરહ રઝી. થી રિવાયત છે નબી ﷺ એ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલા પોતાના કોઈ બંદાને પસંદ કરે છે, તો જિબ્રઈલને બોલાવી કહે છે: હું તે બંદાને મોહબ્બત કરું છું, બસ તમે પણ તેને મોહબ્બત કરો, તો જિબ્રઈલ પણ તેનાથી મોહબ્બત કરે છે, ફરી જિબ્રઈલ આકાશના લોકોને બોલાવી કહે છે, અલ્લાહ તઆલા પોતાના ફલાણા બંદાથી મોહબ્બત કરે છે, તમે પણ તેની સાથે મોહબ્બત કરો, તો આકાશના દરેક લોકો પણ તે બંદાથી મોહબ્બત કરવા લાગે છે, ફરી તેને જમીનમાં પણ સન્માનિત કરવામાં આવે છે». «જ્યારે અલ્લાહ તઆલા પોતાના કોઈ બંદાને પસંદ કરે છે, તો જિબ્રઈલને બોલાવી કહે છે: હું તે બંદાને મોહબ્બત કરું છું, બસ તમે પણ તેને મોહબ્બત કરો, તો જિબ્રઈલ પણ તેનાથી મોહબ્બત કરે છે, ફરી જિબ્રઈલ આકાશના લોકોને બોલાવી કહે છે: અલ્લાહ તઆલા પોતાના ફલાણા બંદાથી મોહબ્બત કરે છે, તમે પણ તેની સાથે મોહબ્બત કરો, તો આકાશના દરેક લોકો પણ તે બંદાથી મોહબ્બત કરવા લાગે છે, ફરી તેને જમીનમાં પણ સન્માનિત કરવામાં આવે છે» [૯]. [૯] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: વહીની શરૂઆતનું વર્ણન, પાઠ: ફરિશ્તાઓનું વર્ણન, હદીષ નંબર: (૩૦૩૭), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: નેકી, સંબંધ અને શિષ્ટાચારનું વર્ણન, પાઠ: જયારે અલ્લાહ કોઈ બંદા સાથે મોહબ્બત કરે છે, તો તને પોતાના બંદાઓમાં પ્રિય બનાવી દે છે, હદીષ નંબર: (૨૬૩૭).
અને સહીહ બુખારીમાં અબુ હુરૈરહ રઝી.ની બીજી એક રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જુમ્માના દિવસે મસ્જિદના દરેક દરવાજાઓ પર ફરિશ્તાઓ ઊભા થઈ જાય છે, અને મસ્જિદમાં આવવાવાળા નમાઝીઓના (નામ) તરતીબ સાથે લખે છે, ફરી જ્યારે ઈમામ (ખુત્બા માટે મિન્બર પર) બેસી જાય છે તો તેઓ પણ પોતાના રજીસ્ટર બંધ કરી (અલ્લાહનો ઝિક્ર) સાંભળવા માટે (મસ્જિદમાં) આવી જાય છે». [૧૦] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: જુમ્માનું વર્ણન, પાઠ: ખુતબો સંભાળવાનું વર્ણન, હદીષ નંબર: (૮૮૭), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: જુમ્માનું વર્ણન, પાઠ: જુમ્માના દિવસે ઉતાવળ કરવાની મહત્ત્વતા, હદીષ નંબર: (૮૫૦).
કુરઆનમાં વર્ણન કરેલ આયતો અને હદીષો દ્વારા સ્પષ્ટ થાય છે કે ફરિશ્તાઓ એક શરીર વાળું સર્જન છે, છુપાયેલી કોઈ શક્તિ નથી, જેવુ કે પથભ્રષ્ટ થયેલા લોકો કહે છે, અને જોકે આ દરેક દલીલો પર દરેક મુસલમાનો એકમત છે.
*
અલ્લાહની કિતાબો પર ઈમાન
અલ્ કુતુબ: તે (કિતાબ) નું બહુવચન છે, અર્થાત્ (લખેલું).
અહીંયા કિતાબનો અર્થ તે પુસ્તકો છે, જેને અલ્લાહ તઆલા એ સર્જનની હિદાયત અને રહમત માટે પયગંબરો પર ઉતારી, જેથી તેના દ્વારા દુનિયા અને આખિરતમાં કામયાબ થઈ શકે.
કિતાબો પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:
૧- તે વાત પર ઈમાન કે આ કિતાબોનું અલ્લાહ તરફથી ઉતરવું સાચું છે.
૨- આ કિતાબોમાંથી જેના નામ આપણે જાણીએ છીએ, ઉદાહરણ તરીકે, કુરઆન, જે મોહમ્મદ ﷺ પર ઉતારવામાં આવ્યું, અને તૌરાત જેને મૂસા અ.સ. પર ઉતારવામાં આવી, એવી જ રીતે ઇન્જિલ જે ઈસા અ. સ. પર ઉતારવામાં આવી, અને ઝબૂર જે દાવૂદ અ.સ. ને આપવામાં આવી, આ કિતાબો પર વિસ્તાર પૂર્વક ઈમાન લાવવું અને આ સિવાય જે બીજા સહીફા છે, અને જે કિતાબોના નામ આપણે જાણતા નથી, તેના પર સંક્ષિપ્ત રૂપે ઈમાન લાવવું.
૩- તે કિતાબો જેની સત્યતા સાથે પુષ્ટિ કરવામાં આવી છે, જેમકે કુરઆનમાં દરેક પાછલી કિતાબોની તે ખબરો અને આયતો જેમાં ફેરફાર ન થયો હોય તેની પુષ્ટિ કરવી.
૪- તે કિતાબોના તે આદેશો પર ઈમાન લાવવું જે રદ કરવામાં ન આવ્યા હોઇ તેના પર રાજી ખુશી અમલ કરવો, ભલે ને આપણે તે આદેશોની હિકમત ન સમજી શકીએ, અથવા આપણે તેને કરવા સક્ષમ ન હોઇ, યાદ રાખો પાછલી દરેક કિતાબો કુરઆન મજીદ દ્વારા રદ કરી દેવામાં આવી છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {અને અમે તમારી તરફ સાચી કિતાબ (કુરઆન) ઉતારી છે, જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે અને તે (કિતાબો)ની સુરક્ષા પણ કરે છે} [અલ્ માઈદહ: ૪૮]. {અને અમે તમારી તરફ સાચી કિતાબ (કુરઆન) ઉતારી છે, જે પોતાના કરતા પહેલાની કિતાબોની પુષ્ટિ કરે છે અને તે (કિતાબો)ની સુરક્ષા પણ કરે છે...} [અલ્ માઈદહ: ૪૮]. અર્થાત્: તેનો નિર્ણય કરી.
એટલા માટે પહેલાની કિતાબો માંથી કોઈ આદેશ પર અમલ કરવો જાઈઝ નથી, હા, જે અમલને કુરઆનને મનસુખ (રદ) ન કર્યો હોય, પરંતુ તે જ અમલ કુરઆનમાં પણ હોય.
કિતાબો પર ઈમાન લાવવાના ફાયદા:
પહેલો ફાયદો: બંદાઓ પર અલ્લાહની નેઅમતનું જ્ઞાન, કે તેણે દરેક કોમની હિદાયત માટે કિતાબો ઉતારી.
બીજો ફાયદો: શરીઅત (કાયદા) લાગુ કરવામાં અલ્લાહની ઉચ્ચ હિકમતનું જ્ઞાન, કે તેણે દરેક માટે તેમની સ્થિતિ પ્રમાણે કાયદાઓ લાગુ કર્યા, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું: {તમારા દરેક માટે અમે એક નિયમ અને તરીકો નક્કી કરી દીધો છે} [અલ્ માઈદહ: ૪૮]. {...તમારા માંથી પ્રત્યેક માટે એક કાનૂન અને રસ્તો નક્કી કરી દીધો છે...} [અલ્ માઈદહ: ૪૮].
ત્રીજો ફાયદો: આ બાબતે અલ્લાહની નેઅમતનો આભાર વ્યક્ત કરવો.
*
અલ્લાહના પયગંબરો પર ઈમાન
રુસૂલ: તે રસૂલનું બહુવચન છે, જેનો અર્થ: (મુરસલ) અર્થાત્ પયગંબર, જે કોઈ વસ્તુ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો હોય.
અહીંયા તેનો અર્થ: તે લોકો છે, જેમને વહી દ્વારા શરીઅત આપવામાં આવી અને તેમને તેને પહોંચાડવાનો આદેશ આપવામાં આવ્યો.
પહેલા રસૂલ નૂહ અ. સ. છે અને છેલ્લા મુહમ્મદ ﷺ છે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {હે મુહમ્મદ ! અમે તમારી તરફ એવી જ રીતે વહી કરી, જેવી કે નૂહ અને ત્યારપછી આવેલા પયગંબરો તરફ કરી} [અન્ નિસા: ૧૬૩]. {હે મુહમ્મદ! અમે તમારી તરફ એવી જ રીતે વહી કરી, જેવી કે નૂહ અને તેમના પછી આવેલા પયગંબરો તરફ કરી હતી...} [અન્ નિસા: ૧૬૩].
અને સહીહ બુખારીમાં અનસ રઝી. ની શફાઅત વાળી રિવાયતમાં છે કે નબી ﷺ એ કહ્યું: «(કયામતના દિવસે) લોકો આદમ અ. સ. પાસે આવશે; કે તે તેમના માટે ભલામણ કરે, પરંતુ તેઓ બહાનું કરશે અને કહેશે કે તમે લોકો નૂહ અ. સ. પાસે જાઓ જેઓ સૌ પ્રથમ રસૂલ હતા જેમને અલ્લાહ તઆલા એ મોકલ્યા હતા» ફરી સંપૂર્ણ હદીષ વર્ણન કરી. [૧૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: તૌહીદનું વર્ણન, પાઠ: અલ્લાહની આ આયત: {જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું} નું વર્ણન, હદીષ નંબર (૭૪૧૦), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: ઈમાનનું વર્ણન, પાઠ: જન્નતના સૌથી નીચા દરજ્જાનું વર્ણન, હદીષ નંબર: (૧૯૩).
અને અલ્લાહ તઆલા એ મુહમ્મદ ﷺ વિષે કહ્યું: {(હે લોકો !) મુહમ્મદ ﷺ કોઇ પુરુષના પિતા નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે, અને દરેક પયગંબરમાંના છેલ્લા છે} [અલ્ અહઝાબ]. [અલ્ અહઝાબ].
કોઈ પણ કોમ એવી પસાર નથી થઈ જેમની તરફ કોઈ નબી અથવા રસૂલ ન આવ્યો હોઈ, પરંતુ અલ્લાહ તઆલાએ તો કોઈક પયગંબરને તેની કોમ તરફ એક સંપૂર્ણ શરીઅત આપી મોકલ્યો અથવા કોઈ નબીને તેના પહેલાના નબીની શરીઅતને સ્પષ્ટીકરણ માટે મોકલ્યો, અલ્લાહ તઆલા એ કહ્યું: {અને દરેક કોમમાં એક પયગંબર મોકલ્યા, (જે તેઓને કહેતા હતા કે) અલ્લાહની ઈબાદત કરો અને તાગૂતથી બચો} [અન્ નહલ: ૩૬]. [અન્ નહલ: ૩૬].
અને બીજી જગ્યાએ અલ્લાહ તઆલાએ કહ્યું: {અને કોઇ કોમ એવી નથી, જેમાં કોઇ સચેત કરનાર ન આવ્યો હોય} [ફાતિર: ૨૪]. {...અને કોઇ કોમ એવી નથી, જેમાં કોઇ સચેત કરનાર ન આવ્યો હોય} [ફાતિર: ૨૪].
અને અલ્લાહ તઆલા એ કહ્યું: {અમે તૌરાત ઉતારી છે, જેમાં હિદાયત અને પ્રકાશ છે, તેં પ્રમાણે જ અલ્લાહના પયગંબરો તે લોકોના ફેસલા કરતા હતા, જેઓ યહૂદી બની ગયા હતા} [અલ્ માઈદહ: ૪૪]. {અમે તૌરાત ઉતારી છે, જેમાં હિદાયત અને પ્રકાશ છે, તે પ્રમાણે જ અલ્લાહના પયગંબરો તે લોકોના નિર્ણય કરતા હતા, જેઓ યહૂદી બની ગયા હતા...} [અલ્ માઈદહ: ૪૪].
દરેક પયગંબરો માનવી અને સર્જન છે, તેમના માથી કોઈના માં પણ રુબૂબિય્યત (પાલનહાર હોવાની) અથવા ઉલૂહિય્યત (ઇબાદતને લાયક) હોવાના કોઈ ગુણો નથી, નબી ﷺ માં પણ, જેઓ અલ્લાહની નજીક દરેક પયગંબરોના સરદાર છે અને અલ્લાહ પાસે તેમનું ઉચ્ચ સ્થાન છે: {તમે કહી દો કે હું પોતે મારા માટે કોઇ ફાયદા તેમજ કોઈ નુકસાનનો અધિકાર નથી ધરાવતો, અલ્લાહ જે કંઈ ઈચ્છે તે જ થાય છે, અને જો હું ગેબની વાતો જાણતો હોત તો ઘણી ભલાઈઓ પ્રાપ્ત કરી લેતો, અને મને કઈ પણ તકલીફ ન પહોંચતી, હું તો ફકત ચેતવણી આપનાર અને શુભેચ્છક છું, તે લોકો માટે જેઓ ઈમાન રાખે છે} [અલ્ અઅરાફ: ૧૮૮]. [અલ્ અઅરાફ: ૧૮૮]. .
અને અલ્લાહ તઆલાએ બીજી જગ્યાએ કહ્યું: {કહી દો કે હું તમારા માટે કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર નથી ધરાવતો. કહી દો કે મને અલ્લાહથી કોઈ નહી બચાવી શકે અને હું તેના સિવાય કોઈ આશરો નહી મેળવી શકું} [અલ્ જિન: ૨૧-૨૨]. {કહી દો કે હું તમારા માટે કોઇ નુકસાન અને ફાયદાનો અધિકાર નથી ધરાવતો, (૨૧) કહી દો કે મને અલ્લાહથી કોઈ નહી બચાવી શકે અને હું તેના સિવાય કોઈ આશરો નહી મેળવી શકું (૨૨)} [અલ્ જિન્ન: ૨૧-૨૨].
એવી જ રીતે પયગંબરો સાથે માનવીય લક્ષણો છે, જેમકે બીમારી, મૃત્યુ, ખાવા પીવાની જરૂરત, વગેરે, જેથી ઈબ્રાહીમ અ.સ.એ જે કઈ પણ પોતાના પાલનહાર વિશે કહ્યું હતું તેને અલ્લાહ તઆલા એ કહ્યું: {તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે.અને જ્યારે હું બિમાર પડું તો તે જ મને તંદુરસ્તી આપે છે. અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે} [અશ્ શુઅરાઅ: ૭૯-૮૧]. [અશ્ શુઅરાઅ: ૭૯-૮૧].
અને નબી ﷺ એ કહ્યું: «ખરેખર હું પણ તમારી જેમ માનવી જ છું, જે રીતે તમે ભૂલી જાઓ છો હું પણ ભૂલું છું, બસ જ્યારે હું ભૂલી જાઉં તો મને યાદ અપાવી દો». «ખરેખર હું પણ તમારી જેમ માનવી જ છું, જે રીતે તમે ભૂલી જાઓ છો, હું પણ ભૂલું છું, બસ જ્યારે હું ભૂલી જાઉં, તો મને યાદ અપાવી દો» [૧૨]. [૧૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: કિબલાહનું વર્ણન, પાઠ: જ્યાં પણ હોવ ત્યાંથી કિબલા તરફ મોઢું કરવું, હદીષ નંબર (૩૯૨), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: મસ્જિદ અને નમાઝની જગ્યાઓનું વર્ણન, પાઠ: નમાઝમાં ભૂલ અને તેના સિજદાનું વર્ણન, હદીષ નંબર: (૫૭૨).
અલ્લાહ તઆલા એ તેમના ઉચ્ચ સ્થાન અને તેમના વખાણની સાથે સાથે તેમના બંદા હોવાનું પણ વર્ણન કર્યું; અલ્લાહ તઆલાએ નૂહ અ.સ. વિશે કહ્યું: {ખરેખર નૂહ અમારો આભારી બંદો હતો} [અલ્ ઇસ્રા: ૩]. {...ખરેખર નૂહ અમારો આભારી બંદો હતો} [અલ્ ઇસ્રા: ૩], અને મુહમ્મદ ﷺ વિશે કહ્યું: {ઘણો જ બરકતવાળો છે, જેણે પોતાના બંદા પર ફુરકાન (કુરઆન) ઉતાર્યું , જેથી તે સમગ્ર લોકોને સચેત કરી દે} [અલ્ ફુરકાન: ૧]. {ઘણો જ બરકતવાળો છે, જેણે પોતાના બંદા પર ફુરકાન (કુરઆન) ઉતાર્યું, જેથી તે સમગ્ર લોકોને સચેત કરી દે (૧)}. [અલ્ ફુરકાન: ૧],
અને ઈબ્રાહીમ, ઈસ્હાક અને યાકૂબ અ.સ. વિશે કહ્યું: {અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબનું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ ખૂબ અમલ કરનાર અને બુદ્ધિશાળી હતા. અમે તેમને એક ખાસ વાતના કારણે નિકટતા આપી હતી, તે આખિરતની યાદ હતી. આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા} [સૉદ: ૪૫-૪૭]. {અમારા બંદા ઇબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબનું પણ વર્ણન લોકો સામે કરો, જેઓ ખૂબ અમલ કરનાર અને બુદ્ધિશાળી હતા, (૪૫) અમે તેમને એક ખાસ વાતના કારણે નિકટતા આપી હતી, તે આખિરતની યાદ હતી, (૪૬) આ બધા અમારી ખૂબ જ નિકટ અને શ્રેષ્ઠ લોકો હતા (૪૭)} [સૉદ: ૪૫-૪૭].
અને ઈસા ઈબ્ને મરયમ વિશે કહ્યું: {ઈસા ફક્ત એક બંદા હતા, જેના પર અમે ઉપકાર કર્યા અને તેમને બની ઇસ્રાઇલના માટે (પોતાની કુદરતની) નિશાની બનાવી દીધી} [અઝ્ ઝુખ્રૃફ: ૫૯]. {ઈસા ફક્ત એક બંદા હતા, જેના પર અમે ઉપકાર કર્યા અને તેમને બની ઇસ્રાઇલના માટે (પોતાની કુદરતની) નિશાની બનાવી દીધી (૫૯)} [અઝ્ ઝુખ્રૃફ: ૫૯].
રસૂલો પર ઈમાન ચાર વસ્તુઓ પર આધારિત છે:
૧- એ વાત પર ઈમાન કે તેમની પયગંબરી સાચી છે, અને અલ્લાહ તરફથી હતી, બસ ! જે એક પણ પયગંબરની પયગંબરીનો ઇન્કાર કરશે તો તેણે દરેક પયગંબરોનો ઇન્કાર કર્યો ગણાશે. જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું: {નૂહની કોમના લોકોએ (પણ) પયગંબરોને જુઠલાવ્યા} [અશ્ શુઅરાઅ: ૧૦૫]. ધ્યાન આપો કે અલ્લાહ તઆલાએ નૂહ અ.સ.ની કોમને દરેક પયગંબરોનો ઇન્કાર કરવાવાળી કોમ કહ્યું, જ્યારે કે તે લોકોએ જે સમયે નૂહ અ.સ.ને જુઠલાવ્યા હતા ત્યારે નૂહ અ.સ. સિવાય બીજા કોઈ પયગંબર આવ્યા ન હતા, {નૂહની કોમના લોકોએ (પણ) પયગંબરોને જુઠલાવ્યા (૧૦૫)} [અશ્ શુઅરાઅ: ૧૦૫]. ધ્યાન આપો કે અલ્લાહ તઆલાએ નૂહ અલૈહિસ્ સલામની કોમને દરેક પયગંબરોનો ઇન્કાર કરવાવાળી કોમ કહ્યું, જ્યારે કે તે લોકોએ જે સમયે નૂહ અલૈહિસ્ સલામને જુઠલાવ્યા હતા, ત્યારે નૂહ અલૈહિસ્ સલામ સિવાય બીજા કોઈ પયગંબર આવ્યા ન હતા, એવી જ રીતે જે લોકોએ નબી ﷺ ને જુઠલાવ્યા અને તેમનું અનુસરણ ન કર્યું તો તેઓએ ઈસા બિન મરયમને પણ જુઠલાવ્યા, અને તેઓ તેમના અનુયાયીઓ માંથી પણ ન રહ્યા, કારણકે ઈસા અ.સ.એ તેઓને આપ ﷺની ખુશખબર આપી હતી, તેમને આ ખુશખબર આપવાનો અર્થ એ હતો કે મુહમ્મદ ﷺ તેમની તરફ પયગંબર બનાવી મોકલવામાં આવી રહ્યા છે, અલ્લાહ તઆલા તેમના દ્વારા લોકોને પથભ્રષ્ટ થવાથી બચાવશે, અને સીધા માર્ગ તરફ માર્ગદર્શન આપશે.
૨- તે પયગંબરો પર તેમના નામ સાથે ઈમાન લાવવું, જેમના નામ આપણને ખબર છે, ઉદાહરણ તરીકે, મુહમ્મદ ﷺ મૂસા, ઈસા, નૂહ અ.સ. અને આ પાંચેય પયગંબરોને ઉલુલ્ અઝ્મ પયગંબરો કેહવામાં આવે છે, અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં બે જગ્યાએ તેમનું વર્ણન કર્યું છે: {અને (હે પયગંબર) તે વચનને યાદ રાખો, જે વચન અમે દરેક પયગંબરો પાસેથી લીધું અને તમારી પાસેથી પણ અને નૂહ, ઇબ્રાહીમ, મૂસા, અને ઈસા બિન મરયમ પાસેથી પણ અમે મજબૂત વચન લીધું હતું} [અલ્ અહઝાબ: ૭]. [અલ્ અહઝાબ: ૭], અને બીજી જગ્યાએ કહ્યું: {અલ્લાહ તઆલાએ તમારા માટે દીનનો તે જ તરીકો નક્કી કરી દીધો છે, જેને સ્થાપિત કરવા માટે તેણે નૂહને આદેશ આપ્યો હતો અને જે (વહી) અમે તમારી તરફ મોકલી દીધી છે અને જેનો ચોકસાઇ પૂર્વક આદેશ અમે ઇબ્રાહીમ, મૂસા અને ઈસાને આપ્યો હતો, કે આ દીન પર અડગ રહેજો અને આમાં વિવાદ ન કરશો, જે વસ્તુ તરફ તમે તેમને બોલાવી રહ્યા છો, મુશરિકો તેને નાપસંદ કરે છે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, પોતાની નજીક કરી દે છે અને જે પણ તેની તરફ વિનમ્રતા દાખવે, તે તેને સાચું માર્ગદર્શન આપે છે} [અશ્ શૂરા: ૧૩]. {અલ્લાહ તઆલાએ તમારા માટે દીનનો તે જ તરીકો નક્કી કરી દીધો છે, જેને સ્થાપિત કરવા માટે તેણે નૂહને આદેશ આપ્યો હતો અને જે (વહી) અમે તમારી તરફ મોકલી દીધી છે અને જેનો ચોકસાઇ પૂર્વક આદેશ અમે ઇબ્રાહીમ, મૂસા અને ઈસાને આપ્યો હતો, કે આ દીન પર અડગ રહેજો અને આમાં વિવાદ ન કરશો, જે વસ્તુ તરફ તમે તેમને બોલાવી રહ્યા છો, મુશરિકો તેને નાપસંદ કરે છે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, પોતાની નજીક કરી દે છે અને જે પણ તેની તરફ વિનમ્રતા દાખવે, તે તેને સાચું માર્ગદર્શન આપે છે (૧૩)} [અશ્ શૂરા: ૧૩].
અને જે પયગંબરોના નામ આપણને ખબર નથી તેમના ઉપર પણ સંક્ષિપ્ત રૂપે ઈમાન લાવવું જરૂરી છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા} [ગોફિર: ૭૮]. [ગાફિર: ૭૮].
૩- તેમની જે ખબરો સાચા દરજ્જા સુધી પહોંચે તેની પુષ્ટિ કરવી.
૪- તે પયગંબરો માંથી જે પયગંબર આપણી પાસે આવ્યા, તેમની શરીઅત પર અમલ કરવો, અને તેઓ મુહમ્મદ ﷺ છે, જેઓ સમગ્ર માનવીઓ તરફ મોકલેલા પયગંબર છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {(હે મુહમ્મદ) તમારા પાલનહારની કસમ ! આ લોકો ત્યાં સુધી ઈમાનવાળા નથી બની શકતા, જ્યાં સુધી કે દરેક અંદરોઅંદરના વિવાદોમાં તમને ન્યાયકરતા ન માની લે, પછી જે ફેંસલો તમે તેઓ માટે કરી લો તેનાથી પોતાના મનમાં કોઇ પણ પ્રકારની તંગી અને નાખુશી ન અનુભવે અને આજ્ઞાકારી સાથે તે નિર્ણય માની લે} [અન્ નિસા: ૬૫]. [અન્ નિસા: ૬૫].
રસૂલો પર ઈમાન લાવવાના કેટલાક ફાયદોઓ:
પહેલો ફાયદો: બંદાઓ પર અલ્લાહની રહેમત અને દયાની જાણ કે તેણે પોતાના બંદાઓ તરફ પોતાના પયગંબરોને ફક્ત એટલા માટે મોકલ્યા, કે તેઓ તેમને અલ્લાહના માર્ગ તરફ માર્ગદર્શન આપે, અને તેઓને તેની ઈબાદત કરવાનો તરીકો જણાવે, કારણકે ફક્ત માનવીની બુદ્ધિ દ્વારા તે વસ્તુની ઓળખ અશક્ય છે.
બીજો ફાયદો: આ ભવ્ય નેઅમત પર અલ્લાહનો શુક્ર કરવો.
ત્રીજો ફાયદો: દરેક પયગંબરોને તેમના દરજ્જા પ્રમાણે મોહબ્બત કરવી, તેમનો આદર કરવો અને પ્રસંશા કરવી, કારણકે તેઓ અલ્લાહના નિકટ પયગંબરો છે, અને એટલા માટે પણ કે તેઓ અલ્લાહની ઈબાદત કરનારા છે અને તેઓએ અલ્લાહના આદેશો લોકો સુધી પહોંચાડ્યા, અને બંદાઓને નસીહત પણ કરી.
જે લોકો પયગંબરોનો ઇન્કાર કરે છે તેઓનો દાવો એવો હતો કે પયગંબર કોઈ માનવી ન હોઈ શકે, અલ્લાહ તઆલાએ તેમના આ વિચારને ખંડન કરતા કહ્યું: {લોકો પાસે સત્યમાર્ગ આવી ગયા પછી પણ તેમને ઇમાન લાવવાથી ફક્ત એ જ વાત રોકે છે કે શું અલ્લાહએ મનુષ્યને પયગંબર બનાવી મોકલ્યા છે?તમે તેમને કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા} [અલ્ ઇસ્રા: ૯૪-૯૫]. [અલ્ ઇસ્રા: ૯૪-૯૫],
અલ્લાહ તઆલા તેમના આ વિચારનો રદ કરતા કહે છે કે જમીન પર રહેનારા લોકો માનવી છે, અને પયગંબરો તેમના તરફ જ મોકલવામાં આવ્યા છે, માટે તેમનું માનવી હોવું જરૂરી છે, જો ધરતી પર રહેનારા લોકો ફરિશ્તાઓ હોત તો અલ્લાહ ખરેખર પયગંબર તરીકે ફરિશ્તાઓને મોકલતો, કે તેઓ તેમના જેવા જ હોય, અને અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં પયગંબરોને જુઠલાવનારા લોકોની વાત નકલ કરી છે, તેઓ કહે છે: {તમે તો અમારી જેમ જ ઇન્સાન છો, તમે એવું ઇચ્છો છો કે અમને તે માબૂદોથી રોકી દો જેમની બંદગી અમારા પૂર્વજો કરતા હતાં, સારું તો અમારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લાવો. તેમના પયગંબરોએ તેમને કહ્યું કે આ તો સાચું છે કે અમે તમારી જેમ જ ઇન્સાન છે, પરંતુ અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેના પર ઇચ્છે છે, પોતાની કૃપા કરે છે. અલ્લાહના આદેશ વગર અમારી શક્તિ નથી કે અમે કોઈ નિશાની તમારી સામે લાવી બતાવીએ}[ઈબ્રાહીમ: ૧૦-૧૧]. [ઈબ્રાહીમ: ૧૦-૧૧].
*
આખિરતના દિવસ પર ઈમાન
આખિરત એટલે કે કયામતનો દિવસ, જે દિવસે લોકોને હિસાબ અને બદલો આપવા માટે ફરી ઉઠાવવામાં આવશે.
તે દિવસનું નામ એટલા માટે આખિરત છે કે તે દિવસ પછી કોઈ બીજો દિવસ નહીં હોય, કારણકે જન્નતમાં જનાર અને જહન્નમમાં જનાર પોત પોતાના ઠેકાણાં સુધી પહોંચી જશે.
અને આખિરત પર ઈમાન ત્રણ વસ્તુ પર આધારિત છે:
૧- ફરીવાર ઉઠાવવા પર ઈમાન લાવવું, અર્થાત્ બીજી વાર સૂરમાં ફૂંક મારતી વખતે મૃતકોને જીવિત કરવા, દરેક લોકોના પગમાં ચપ્પલ પણ નહીં હોય, નગ્ન શરીર પોશાક વગર, અને તેમની ખતના પણ નહીં થઈ હોય, અલ્લાહ તઆલા એ કહ્યું: {જેવી રીતે અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે એક વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું} [અંબિયા: ૧૦૪]. [અલ્ અન્બિયા: ૧૦૪].
ફરીવાર ઉઠાવવું એ હક (સત્ય) અને સાબિત છે, અલ્લાહની કિતાબ, સુન્નતે રસૂલ અને મુસલમાનોનો ઇજમાઅ તેની પુષ્ટિ કરે છે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો, પછી, નિ:શંક તમને સૌને કયામતના દિવસે ફરીવાર ઉઠાડવામાં આવશે} [અલ્ મુઅમિનૂન: ૧૫-૧૬]. {ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો (૧૫), પછી, નિ:શંક તમને સૌને કયામતના દિવસે ફરીવાર ઉઠાડવામાં આવશે (૧૬)}. [અલ્ મુઅમિનૂન: ૧૫-૧૬].
અને નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે લોકોને ચપ્પલ વગર, નગ્ન શરીરે પોશાક વગર અને ખતના કર્યા વગર ઉઠાવવામાં આવશે». બુખારી, મુસ્લિમ. «કયામતના દિવસે લોકોને ચપ્પલ વગર, નગ્ન શરીરે પોશાક વગર અને ખતના કર્યા વગર ઉઠાવવામાં આવશે». મુત્તફકુન અલૈહ (અર્થાત્ આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે) [૧૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: જન્નત તેની સ્થિતિ, તેની નેઅમતો અને તેના લોકોનું વર્ણન, પાઠ: દુનિયાનું નષ્ટ થવું અને કયામતના દિવસે હશર (એકઠા થવાનું) વર્ણન, હદીષ નંબર: (૨૮૫૯).
અને આ વાત પર મુસલમાનોનો ઇજમાઅ (એકમત) છે, અને હિકમત પણ આ જ છે કે અલ્લાહ તઆલા પોતાના સર્જનને ફરીવાર જીવિત કરે, અને પોતાના પયગંબરો દ્વારા જે ફરઝ ઈબાદતો, તેમના પર જરૂરી કરી હતી તેનો બદલો આપે, અલ્લાહ તઆલા એ કહ્યું: {શુ આ લોકો એવું સમજે છે કે અમે તેમને બેકાર પેદા કર્યા છે, અને તેમને અમારી તરફ પાછા ફરવાનું નથી?} [અલ્ મુઅમિનૂન: ૧૧૫]. [અલ્ મુઅમિનૂન: ૧૧૫] અને અલ્લાહ તઆલા એ પોતાના નબી ﷺ ને કહ્યું: {(હે નબી) જે અલ્લાહએ તમારા પર કુરઆન ઉતાર્યું છે,, તે તમને ફરીવાર પ્રથમ જગ્યાએ લાવશે} [અલ્ કસસ: ૮૫]. [અલ્ કસસ: ૮૫].
૨- હિસાબ અને બદલો મળવા પર ઈમાન: બંદાઓના દરેક અમલોનો હિસાબ કરવામાં આવશે, અને તે મુજબ તેમને પૂરેપૂરો બદલો આપવામાં આવશે, અને આ વાત ઉપર પણ કુરઆન અને સુન્નત તેમજ મુસલમાનોનો ઇજમાઅ પુષ્ટિ કરે છે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે.અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે} [અલ્ ગોશિયહ: ૨૫-૨૬]. {ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે (૨૫), અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે (૨૬)} [અલ્ ગોશિયહ: ૨૫-૨૬]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેને તેના કરતા દસ ગણું વળતર મળશે, અને જે વ્યક્તિ ખોટું કાર્ય કરશે તેને તેના (ગુના) જેટલી જ સજા મળશે, અને તે લોકો પર અત્યાચાર કરવામાં નહીં આવે} [અલ્ અનઆમ: ૧૬૦]. {જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેને તેના કરતા દસ ગણું વળતર મળશે, અને જે વ્યક્તિ ખોટું કાર્ય કરશે તેને તેના (ગુના) જેટલી જ સજા મળશે, અને તે લોકો પર અત્યાચાર કરવામાં નહીં આવે (૧૬૦)} [અલ્ અનઆમ: ૧૬૦]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ ઝુલ્મ કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે} [અલ્ અનબિયા: ૪૭]. {અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ ઝુલ્મ કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે (૪૭)} [અલ્ અનબિયા: ૪૭].
અબ્દુલ્લાહ બિન ઉંમર રઝી. રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે અલ્લાહ તઆલા મોમિન બંદાઓને પોતાની નજીક બોલાવી, પોતાના પડદા વડે ઢાંકી લેશે, અને તેને કહેશે: કે શું તું આ આ ગુનાહ વિષે જાણે છે? તે કહેશે કે હા, મારા રબ, અહીં સુધી કે તે પોતાના ગુનાહો વિષે એમ સમજી લેશે કે તે બરબાદ થઈ ગયો છે, તો અલ્લાહ તઆલા કહેશે: મેં દુનિયામાં તારા ગુનાહો પર પડદો નાખી દીધો હતો, આજે હું તારા તે ગુનાહોને પણ માફ કરું છું, તેને તેની નેકિઓનો બદલો આપી દેવામાં આવશે પરંતુ કાફિર અને મુનાફિકને જાહેરમાં દરેક લોકો સામે બોલાવી કહેવામાં આવશે કે આ તે લોકો છે, જેઓએ તેમના પાલનહારને જુઠલાવ્યા, ખબરદાર! જાલીમો પર અલ્લાહની લઅનત કરવામાં આવી છે». «કયામતના દિવસે અલ્લાહ તઆલા મોમિન બંદાને પોતાની નજીક બોલાવી, પોતાના પડદા વડે ઢાંકી લેશે, અને તેને કહેશે: શું તું આ આ ગુનાહ વિષે જાણે છે? તે કહેશે: હા, મારા પાલનહાર, અહીં સુધી કે તે પોતાના ગુનાહો વિષે એમ સમજી લેશે કે તે નષ્ટ થઈ ગયો, તો અલ્લાહ તઆલા કહેશે: મેં દુનિયામાં તારા ગુનાહો પર પરદો નાખી દીધો હતો, આજે હું તારા તે ગુનાહોને પણ માફ કરું છું, તેને તેની નેકિઓનો બદલો આપી દેવામાં આવશે પરંતુ કાફિર અને મુનાફિકને જાહેરમાં દરેક લોકો સામે બોલાવી કહેવામાં આવશે કે આ તે લોકો છે, જેઓએ તેમના પાલનહારને જુઠલાવ્યા, ખબરદાર! જાલીમો પર અલ્લાહની લઅનત કરવામાં આવી છે»[૧૪]. મુત્તફકુન અલૈહ (બુખારી અને મુસ્લિમ). [૧૪] આ હદીષ ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: અલ્ મઝાલિમ, પાઠ: અલ્લાહના આ કથનનું વર્ણન: {ખબરદાર! જાલિમ લોકો પર અલ્લાહની લઅનત (ફિટકાર) છે}, હદીષ નંબર: (૨૩૦૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: તૌબાનું વર્ણન, પાઠ: હત્યારાની માફી કબૂલ કરવા બાબતે, ભલેને તેણે ઘણી હત્યા કરી હોય, હદીષ નંબર: (૨૭૬૮).
અને નબી ﷺ દ્વારા સહીહ હદીષ સાબિત છે: «જેણે કોઈ નેકીનો ઈરાદો કર્યા પછી તેના પર અમલ કરશે, તો અલ્લાહ તે નેકીને પોતાની પાસે દસથી લઈ સાતસો સુધી બમણી જો કે તેના કરતાં પણ વધારે, નેકિઓ લખી દે છે, અને કોઈ ખરાબ કાર્યનો ઈરાદો કરે તેના પર અમલ પણ કરી લે તો અલ્લાહ તઆલા પોતાની પાસે તેના અમલમાં એક જ ગુનોહ લખે છે». «જે વ્યક્તિ કોઈ નેકીનો ઈરાદો કર્યા પછી તેના પર અમલ કરશે, તો અલ્લાહ તે નેકીને પોતાની પાસે દસથી લઈ સાતસો સુધી બમણી કરી દેશે જો કે તેના કરતાં પણ વધારે, નેકીઓ લખી દે છે, અને કોઈ ખરાબ કાર્યનો ઈરાદો કરે તેના પર અમલ પણ કરી લે તો અલ્લાહ તઆલા પોતાની પાસે તેના અમલમાં એક જ ગુનોહ લખે છે» [૧૫]. [૧૫] આ હદીષ ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: ઈમાનનું વર્ણન, પાઠ: જયારે બંદો કોઈ નેકી કરવાનો ઇરાદો કરે છે તો તે નેકી લખવામાં આવે છે અને જયારે પાપ કરવાનો ઈરાદો કરે છે, તે લખવામાં આવતું નથી, હદીષ નંબર: (૧૩૧).
કયામતના દિવસે દરેક માનવીના અમલોનો હિસાબ અને બદલો લેવા પર દરેક મુસલમાનો એકમત છે, અને હિકમત પણ આ જ છે, કારણકે અલ્લાહ તઆલાએ કિતાબો ઉતારી છે, રસૂલોને મોકલ્યા છે, જે શરીઅતના આદેશો તે લાવ્યા હતા, તેને કબૂલ કરવા અને તેમાંથી જે આદેશો પર અમલ કરવો જરૂરી હતો, તેને ફરઝ કર્યા અને જે લોકો તેની શરીઅત વિરુદ્ધ છે, તેમની સામે કતલ કરવાને જરૂરી કર્યું, તેમના પ્રાણ, તેમનો માલ, તેમના સંતાન, અને તેમની સ્ત્રીઓને હલાલ કરી, તો આ દરેક અમલનો હિસાબ અને બદલો જ ન હોય, અને ન તો તેમના પ્રમાણે બદલો અને સજા આપવામાં આવે, તો આ દરેક અમલ વ્યર્થ થઈ જશે, જો કે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર તો દરેક વ્યર્થ વસ્તુથી પાક છે, અલ્લાહ તઆલા આ તરફ ઈશારો કરતા કહે છે: {જે લોકો તરફ અમે પયગંબર મોકલ્યા હતા, તેમને અમે જરૂર સવાલ કરીશું, અમે પયગંબરોને જરૂર સવાલ કરીશું. પછી અમે પોતાના ઇલ્મથી સંપૂર્ણ સત્યતા તેમની સામે લાવી દઈશું, છેવટે તે સમયે અમે ગાયબ ન હતા} [અલ્ અઅરાફ: ૬-૭]. [અલ્ અઅરાફ: ૬-૭].
૩- જન્નત અને જહન્નમ પર ઈમાન લાવવું, અને બન્ને સર્જનીઓ માટે કાયમી ઠેકાણાં છે.
જન્નત નેઅમતો વાળું ઘર છે, જેને અલ્લાહ તઆલાએ મોમિન અને ડરવાવાળા લોકો માટે તૈયાર કરી રાખ્યું છે, તેઓ તે વસ્તુ પર ઈમાન લાવ્યા, જેના પર ઈમાન લાવવું અલ્લાહ તઆલાએ જરૂરી કર્યું હતું, અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ કર્યું, અલ્લાહ માટે નિખાલસ અને તેના રસૂલના અનુયાયી બનવું, તેમના માટે જન્નતમાં ઘણી નેઅમતો છે, એક હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે કે «જે નેઅમતોને ન તો કોઈ આંખે જોઈ છે, અને ન તો કોઈ કાને સાંભળી છે અને ન તો કોઈના વિચારમાં પણ એ નેઅમતો આવી હશે», અલ્લાહ તઆલા એ કહ્યું: «જેને અત્યાર સુધી કોઈ આંખે જોયું નથી અને કોઈ કાને સાંભળ્યું પણ નથી અને ન તો કોઈ માનવીના દિલમાં અત્યાર સુધી તેના વિશે કંઈ ખ્યાલ આવ્યો છે»[૧૬]. ઉચ્ચ અને મહાન અલ્લાહએ કહ્યું: {જે લોકો ઇમાન લાવ્યા અને નેક અમલ કર્યા, આ જ લોકો શ્રેષ્ઠ સર્જન છે. તેમનો બદલો તેમના પાલનહાર પાસે હંમેશા રહેવાવાળી જન્નતો છે, જેની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશા-હંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમનાથી ખુશ થયો અને તેઓ અલ્લાહથી ખુશ થયા. આ બધું તેના માટે છે, જે પોતાના પાલનહારથી ડરતો રહ્યો} [અલ્ બય્યિનહ: ૭-૮]. [અલ્ બય્યિનહ: ૭-૮]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે} [અસ્ સજદહ: ૧૭]. {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે (૧૭)} [અસ્ સજદહ: ૧૭]. [૧૬] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: કુરઆનનું સમજુતી, પાઠ: અલ્લાહની આ આયત: {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે}, હદીષ નંબર: (૪૫૦૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: જન્નત તેની સ્થિતિ, તેની નેઅમતો અને તેના લોકોનું વર્ણન, હદીષ નંબર: (૨૮૨૪).
અને જહન્નમ: અઝાબનું ઘર છે, તેને અલ્લાહ તઆલાએ તે જાલિમ અને કાફિરો માટે તૈયાર કરી છે, જે લોકોએ કુફ્ર કર્યું, અને રસૂલની અવજ્ઞા કરી, જહન્નમમાં ઘણા પ્રકારના અઝાબ છે, જેની નષ્ટતાનો વિચાર કોઈ નથી કરી શકતું, અલ્લાહ તઆલા એ કહ્યું : {અને તે આગથી ડરો, જે ઇન્કારીઓ માટે તૈયાર કરવામાં આવી છે} [આલિ ઇમરાન: ૧૩૧]. {અને તે આગથી ડરો, જે ઇન્કારીઓ માટે તૈયાર કરવામાં આવી છે (૧૩૧)} [આલિ ઇમરાન: ૧૩૧]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી ગ છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે, અમે જાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી રાખી છે, જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ પાણી ઇચ્છશે તો તેમને તે પાણી આપવામાં આવશે. જે ઓગળેલા તાંબાની જેમ ગરમ ગરમ હશે, જે તેમના ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ છે તે પીણું , અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે} [અલ્ કહફ: ૨૯]. {તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી ગ છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે, અમે જાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી રાખી છે, જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે, જો તેઓ પાણી ઇચ્છશે તો તેમને તે પાણી આપવામાં આવશે. જે ઓગળેલા તાંબાની જેમ ગરમ ગરમ હશે, જે તેમના ચહેરાઓને બાળી નાખશે, ખૂબ જ ખરાબ છે તે પીણું, અને અત્યંત ખરાબ ઠેકાણું (જહન્નમ) છે. (૨૯)} [અલ્ કહફ: ૨૯]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {અલ્લાહ તઆલાએ કાફિરો પર લઅનત કરી છે અને તેમના માટે ભડકેલી આગ તૈયાર કરી રાખી છે. જેમાં તેઓ હંમેશા રહેશે, ન તો તેમનો કોઇ મિત્ર હશે અને ન તો કોઈ તેમની મદદ કરનાર હશે.તે દિવસે તેમના ચહેરા આગમાં ઊંધા કરી દેવામાં આવશે, (અફસોસથી) કહેશે કે કાશ ! અમે અલ્લાહ તઆલા અને પયગંબરનું અનુસરણ કરતા} [અલ્ અહઝાબ: ૬૬]. {અલ્લાહ તઆલાએ કાફિરો પર લઅનત કરી છે અને તેમના માટે ભડકેલી આગ તૈયાર કરી રાખી છે (૬૪), જેમાં તેઓ હંમેશા રહેશે, ન તો તેમનો કોઇ મિત્ર હશે અને ન તો કોઈ તેમની મદદ કરનાર હશે (૬૫), તે દિવસે તેમના ચહેરા આગમાં ઊંધા કરી દેવામાં આવશે, (અફસોસથી) કહેશે કે કાશ! અમે અલ્લાહ તઆલા અને પયગંબરનું અનુસરણ કરતા (૬૬)} [અલ્ અહઝાબ: ૬૪-૬૬].
આખિરતના દિવસ પર ઈમાન લાવવાના ઘણા ફાયદાઓ છે, જેમાંથી:
પહેલો ફાયદો: તે દિવસે બદલો મળવાની આશા અને તેની ઈચ્છાથી ઈતાઅત અને આજ્ઞાકારી તરફ પ્રોત્સાહિત થવું.
બીજો ફાયદો: તે દિવસના અઝાબથી બચવા માટે અવજ્ઞા કરવાથી બચવું.
ત્રીજો ફાયદો: આખિરતની નેઅમતો અને સવાબ મળવાની આશાએ મોમિન માટે દુનિયામાં નેઅમતથી વંચિત રહેવા પર તસલ્લી.
ફરીવાર જીવિત થવાના અકીદાને જુઠલાવનાર કાફિરોનો રદ; કાફિરો ફરીવાર જીવિત કરવાને માનતા નથી, તેઓ કહે છે કે આ વસ્તુ અશક્ય છે.
પરંતુ આ વિચાર તદ્દન ખોટો છે, શરીઅત, તર્ક અને ફિતરત તેનું ખંડન કરે છે.
શરીઅતથી તેમનો રદ અલ્લાહ તઆલા એ કહ્યું : {(આખિરતનો) ઇન્કાર કરવાવાળાઓએ એવું વિચારી લીધુ છે કે તેઓ ફરી વાર જીવિત કરવામાં નહીં આવે, તમે ટીમને કહીં દો કે કેમ નહીં ? અલ્લાહની કસમ ! તમે ચોક્કસ ફરીવાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કરતા રહ્યા, તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું સરળ છે} [અત્ તગાબુન: ૭]. {(આખિરતનો) ઇન્કાર કરવાવાળાઓએ એવું વિચારી લીધુ છે કે તેઓ ફરી વાર જીવિત કરવામાં નહીં આવે, તમે ટીમને કહીં દો કે કેમ નહીં? અલ્લાહની કસમ! તમે ચોક્કસ ફરીવાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કરતા રહ્યા, તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું સરળ છે (૭)} [અત્ તગાબુન: ૭]. અને દરેક આકાશીય કિતાબો આ વાતની પુષ્ટિ કરે છે.
ફિતરતના પુરાવાથી તેમનો રદ: અલ્લાહ તઆલાએ દુનિયામાં જ મૃતકોને ફરીવાર જીવિત કરી પોતાના બંદાઓને તે વસ્તુ જણાવી, સૂરે બકરહમાં જ તેના પાંચ ઉદાહરણો વર્ણન કર્યા છે, જે નીચે પ્રમાણે છે:
પહેલું ઉદાહરણ: મૂસાની કોમે જ્યારે તેમને કહ્યું હે મૂસા ! {જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ} [અલ્ બકરહ: ૫૫] બસ અલ્લાહ તઆલા એ તેમને મૃત્યુ આપ્યું અને ફરી જીવિત કર્યા, {...જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ ત્યાં સુધી ઇમાન નહીં લાવીએ...} [અલ્ બકરહ: ૫૫] બસ અલ્લાહ તઆલાએ તેમને મૃત્યુ આપ્યું અને ફરી જીવિત કર્યા, અલ્લાહ તઆલાએ બની ઇસ્રાઇલને સંબોધિત કરતા કહ્યું: {(અને તે સમય પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે જ્યાં સુધી અમે અમારા પાલનહારને સામે ન જોઇ લઇએ ત્યાં સુધી ઇમાન નહિ લાવીએ, જેથી તમારા જોતા જ તમારા પર વિજળી પડી.તમારા મૃત્યુ પછી અમે તમને જીવિત કર્યા, કદાચ કે તમે આભારી બની જાઓ} [અલ્ બકરહ: ૫૫-૫૬]. [અલ્ બકરહ: ૫૫-૫૬].
બીજું ઉદાહરણ: તે કતલ થયેલ વ્યક્તિનું છે, જેના ગેરવાજબી કતલ થવા પર બની ઇસ્રાઇલ માંથી કોઈએ જવાબદારી કબૂલ ન કરી, અલ્લાહ તઆલા એ તેમને ગાય ઝબહ કરવાનો આદેશ આપ્યો, અને તેનો એક ભાગ મૃતક પર મારવાનો આદેશ આપ્યો, જેથી તે મૃતક કાતિલ (ખૂની) વિષે ખબર આપે, આ વિશે અલ્લાહ તઆલા કહે છે: {અને (હે બની ઇસ્રરાઈલ ! તે કિસ્સો પણ યાદ કરો) જ્યારે તમે એક વ્યક્તિનું કત્લ કરી દીધું હતું, પછી તમે આ આરોપ એક બીજા પર મૂકી અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા અને તમારી ગુપ્ત વાતોને અલ્લાહ તઆલા જાહેર કરવાવાળો હતો, અમે કહ્યું કે તે ગાયનો એક ટુકડો મૃત વ્યક્તિની લાશ પર મારો (તે જીવિત થઈ જશે, અને કતલ કરવાવાળાનું નામ બતાવી દેશે) અલ્લાહ તઆલા આ જ પ્રમાણે મૃતકોને જીવિત કરશે અને તમને તમારી સમજદારી માટે પોતાની નિશાનીઓ દેખાડે છે} [અલ્ બકરહ: ૭૨-૭૩]. [અલ્ બકરહ: ૭૨-૭૩].
ત્રીજું ઉદાહરણ: તે કિસ્સો જેમાં બની ઇસ્રાઇલની એક ભવ્ય કોમ મોતના ભયથી પોતાના શહેરો માંથી ભાગી ગયા, અલ્લાહ તઆલાએ તેમને મોત આપી અને પછી ફરી જીવિત કર્યા, અલ્લાહ તઆલા કહે છે: {શું તમે તેઓને જોયા નથી, જે હજારોની સંખ્યામાં હતા અને મૃત્યુના ભયથી પોતાના ઘરો માંથી નીકળી ગયા હતા, અલ્લાહ તઆલાએ તેઓને કહ્યું મરી જાવ, (તે રસ્તામાં જ મૃત્યું પામ્યાં) પછી અલ્લાહ તઆલા તેઓને તેઓને જીવિત કરી દીધા, નિઃશંક અલ્લાહ તઆલા લોકો પર ઘણો જ કૃપાળુ છે, પરંતુ વધુ લોકો કૃતઘ્ની છે} [અલ્ બકરહ: ૨૪૩]. [અલ્ બકરહ: ૨૪૩].
ચોથું ઉદાહરણ: તે વ્યક્તિનું છે, જે વ્યક્તિ એક ખંડેર વસ્તી પરથી પસાર થયો, વસ્તીને જોઈ તેણે આશ્ચર્ય કર્યું કે અલ્લાહ તઆલા આ લોકો ને કઈ રીતે કયામતના દિવસે ઉઠાવશે, અલ્લાહ તઆલાએ તેના પ્રાણ લઈ લીધા અને સો વર્ષ સુધી તેને મૃતક બનાવી દીધો, પછી તેને ફરી જીવિત કર્યો અને પૂછ્યું કે તું કેટલા વર્ષ સુધી સૂઈ રહ્યો: આ વિશે અલ્લાહ તઆલા કહે છે: {અથવા તે વ્યક્તિને નથી જોયો, જે તે વસ્તી માંથી પસાર થયો જે છત પર ઉંધી પડી હતી, તે કહેવા લાગ્યો તેના મૃત્યુ પછી અલ્લાહ તઆલા તેને કેવી રીતે જીવિત કરશે ? તો અલ્લાહ તઆલાએ તેને સો વર્ષ સુધી મૃત્યુ આપ્યું, પછી તેને જીવિત કરી પુછયું, કેટલો સમયગાળો તારા પર પસાર થયો ? કહેવા લાગ્યો એક દિવસ અથવા તો દિવસ નો થોડોક ભાગ, ફરમાવ્યું પરંતુ તું સો વર્ષ સુધી પડી રહ્યો, પછી હવે તું તારા ભોજન સામગ્રીને જો, જે થોડુંક પણ ખરાબ નથી થયું અને પોતાના ગધેડાને પણ જોવો, અમે તને લોકો માટે એક નિશાની બનાવીએ છીએ, તું જો કે હાડકાઓને કેવી રીતે ઉઠાવીએ છીએ, પછી તેના પર માંસ ચઢાવીએ છીએ, જ્યારે આ બધું ચોખ્ખું થઇ ગયું તો કહેવા લાગ્યો હું જાણું છું કે અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે} [અલ્ બકરહ: ૨૫૯]. [અલ્ બકરહ: ૨૫૯].
પાંચમુ ઉદાહરણ: ઈબ્રાહીમ અ.સ.ના તે કિસ્સાનું છે, જ્યારે તેઓએ અલ્લાહ પાસે મૃતક કઈ રીતે જીવિત થવાનો છે, તેને જોવા માટે વિનંતી કરી, તો અલ્લાહ તઆલાએ તેમને ચાર પક્ષીઓને ઝબહ કરી, તેમના ટુકડા કરી (એકબીજા સાથે ભેગા કરી) આજુબાજુ પર્વતો પર ફેંકી દેવા અને પછી તેને અવાજ કરવા માટે કહ્યું: દરેક ભાગ એકબીજાથી ભેગા મળી દોડતા ઈબ્રાહીમ અ.સ. પાસે આવી ગયા, અલ્લાહ તઆલાએ આ કિસ્સાનું વર્ણન કુરઆન મજીદમાં આ શબ્દો વડે કર્યું છે: {અને જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે હે મારા પાલનહાર ! મને બતાવ તું મૃતકોને કેવી રીતે જીવિત કરીશ? (અલ્લાહ તઆલાએ) કહ્યું શું તને ઇમાન નથી? જવાબ આપ્યો ઇમાન તો છે પરંતુ મારુ હૃદય સંતુષ્ટ થઇ જાય, ફરમાવ્યું ચાર પંખીઓ લઇ લો, તેઓના ટુકડા કરી નાખો, પછી દરેક પર્વત પર તેનો એક એક ટુકડો મુકી દો, પછી તેને પોકારો, તમારી પાસે દોડીને આવી જશે અને જાણી લો કે અલ્લાહ તઆલા વિજયી, હિકમતોવાળો છે} [અલ્ બકરહ: ૨૬૦]. [અલ્ બકરહ: ૨૬૦].
તો આ કેટલાક એવા ઉદાહરણો હતા, જે મૃતકને ફરીવાર જીવિત કરવાના સ્પષ્ટ પુરાવા દર્શાવે છે, આ કિસ્સા વર્ણન કરતા પહેલા અમે અલ્લાહ તઆલા તરફથી ઈસા ઈબ્ને મરયમને આપેલી નબુવ્વતની નિશાનીઓ તરફ ધ્યાન દોરી ચુક્યા છે, અર્થાત્ અલ્લાહના આદેશથી મૃતકને જીવિત કરવા અને તેમને કબરો માંથી નીકાળવા.
ફરી જીવિત કરવા પર તાર્કિક પુરાવા: તે બે પ્રકારના છે:
પહેલો પ્રકાર: ખરેખર અલ્લાહ તઆલાએ આકાશો અને ધરતીને અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે, તેને પ્રથમ વાર અર્થાત્ કોઈ ઉદાહરણ સામે રાખ્યા વગર, સર્જન કર્યું, હવે સ્પષ્ટ વાત છે કે જે ઝાત પ્રથમ વખત સર્જનને પેદા કરી શકે છે, તે તેને બીજી વાર પેદા કરવા માટે વધારે સક્ષમ છે: અલ્લાહ તઆલા એ કહ્યું: {તે જ છે, જે પ્રથમ વાર સર્જન કરે છે અને ફરીવાર જીવિત કરશે અને આવું (બીજી વારનું સર્જન કરવું) તો તેના માટે ખૂબ જ સરળ છે} [અર્ રુમ: ૨૭]. [અર્ રૂમ: ૨૭]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે એક વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું} [અલ્ અંબિયા: ૧૦૪]. {જેવી રીતે અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે એક વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું} [અલ્ અન્બિયા: ૧૦૪]. જે લોકોએ હાડકાઓને ફરીવાર જીવિત થવાનો ઇન્કાર કર્યો હતો, તેમનો રદ કરતા અલ્લાહ તઆલા એ કહ્યું: {તમે કહી દો, તે જ પેદા કરશે, જેણે પહેલી વાર પેદા કર્યા છે, અને તે દરેક રીતે પેદા કરવાનું જાણે છે} [યાસીન: ૭૯]. [યાસીન: ૭૯].
બીજો પ્રકાર: જમીન સખત અને બંજર હોય છે, જેમાં કોઈ લીલુંછમ છોડ નથી હોતું, પરંતુ અલ્લાહ તઆલા તેના પર વરસાદ વરસાવે છે, તો તેના પર લીલુંછમ અને જબરદસ્ત છોડ ઉપજી આવે છે, તો જે બંજર જમીન પર છોડ ઉપજાવવા પર સક્ષમ હોય તો તે મૃતકને ફરીવાર જીવિત કરવા પર પણ સક્ષમ છે. અલ્લાહ તઆલા એ કહ્યું: {તે (અલ્લાહ)ની નિશાનીઓ માંથી એ પણ છે કે તું ધરતીને જુએ છે, કે તે નિર્જન છે, પછી અમે તેના પર પાણી વરસાવીએ છીએ, તો તે હરકતમાં આવી જાય છે અને ઉભરવા લાગે છે, નિઃશંક જે (અલ્લાહ)એ તે ઝમીનને જીવિત કરી છે એવી જ રીતે તે મૃતકોને પણ જીવિત કરશે, ખરેખર અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે} [ફુસ્સિલત: ૩૯]. [ફુસ્સિલત: ૩૯]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને અનાજના દાણા ઉગાડ્યાં, જેમને કાપવામાં આવે છે.અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે. આ બંદાઓની રોજી છે અને અમે પાણી વડે મૃત જમીનને જીવિત કરીએ છીએ, (તમારું જમીન માંથી બીજીવાર) નીકળવું પણ આવી જ રીતે થશે} [કોફ: ૯-૧૧]. {અને અમે આકાશ માંથી બરકતવાળું પાણી વરસાવ્યું અને તેનાથી બગીચાઓ અને અનાજના દાણા ઉગાડ્યાં, જેમને કાપવામાં આવે છે (૯), અને ખજૂરોના ઊંચા ઊંચા વૃક્ષો જેમના ગુચ્છા એક પર એક છે. (૧૦), આ બંદાઓની રોજી છે અને અમે પાણી વડે મૃત જમીનને જીવિત કરીએ છીએ, (તમારું જમીન માંથી બીજીવાર) નીકળવું પણ આવી જ રીતે થશે (૧૧)} [કૉફ: ૯-૧૧].
મૃત્યુ પછી થનાર દરેક સ્થિતિ પર ઇમના લાવવું પણ આખિરત પર ઈમાન લાવવામાં શામેલ છે, ઉદાહરણ તરીકે:
(૧) કબરનો ફિતનો: દફન કર્યા પછી મૃતકથી તેના પાલનહાર, તેના દીન અને તેના પયગંબર વિશે સવાલ કરવામાં આવશે, તો ઇમનાવાળાઓને અલ્લાહ તઆલા સાબિત કદમ અને ઠોસ જવાબ શીખવાડશે, મૃતક મોમિન જવાબ આપશે: મારો પાલનહાર અલ્લાહ છે, મારો દીન ઇસ્લામ છે, અને મુહમ્મદ ﷺ મારા નબી છે, તેના વિરુદ્ધ જાલીમોને અલ્લાહ પથભ્રષ્ટ કરી દેશે, કાફિર કહેશે કે હાય!હાય! હું કશું જ નથી જાણતો, અને મુનાફિક અથવા દીન બાબતે શંકા કરનાર કહેશે: હું નથી જાણતો, મેં લોકોને આ વિશે કંઈક કહેતા સાંભળ્યા છે, તો મેં પણ કહી દીધું,
(૨) કબરનો અઝાબ અને તેની નેઅમતો: જાલિમ અર્થાત કાફીર અને મુનાફિકો માટે કબરનો અઝાબ નક્કી જ છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {કાશ તમે આ જાલિમ લોકોને જોતા, જ્યારે તેઓ મૃત્યુની કઠણાઇઓમાં હશે અને ફરિશ્તાઓ પોતાન હાથ તેમની તરફ લંબાવતા હશે (અને કહે છે) લાવો પોતામાં જીવો કાઢો. આજે તમને એવો અઝાબ આપવામાં આવશે ,જે તમને અપમાનિત કરી દેશે, કારણે કે તમે અલ્લાહ તઆલા વિશે જૂઠી વાતો કહેતા હતા. અને તમે અલ્લાહ તઆલાની આયતો સામે ઇતરાતા હતા} [અલ્ અન્આમ: ૯૩]. [અલ્ અન્આમ: ૯૩].
અને અલ્લાહ તઆલાએ બીજી જગ્યાએ ફિરઔનની સંતાન વિષે કહ્યું: {તે લોકો પ્રત્યેક સવાર-સાંજ અલ્લાહની સામે આ લોકોને હાજર કરવામાં આઅવે છે, અને જે દિવસે કયામત આવી જશે, (કહેવામાં આવશે કે) ફિરઔનના લોકોને સખત અઝાબમાં નાંખો} [ગોફિર: ૪૬]. {તે લોકો પ્રત્યેક સવાર-સાંજ અલ્લાહની સામે આ લોકોને હાજર કરવામાં આઅવે છે, અને જે દિવસે કયામત આવી જશે, (કહેવામાં આવશે કે) ફિરઔનના લોકોને સખત અઝાબમાં નાખો (૪૬)} [ગાફિર: ૪૬].
અને સહીહ મુસ્લિમમાં ઝૈદ બિન સાબિત રઝી. રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જો હું અલ્લાહ પાસે દુઆ કરું કે તે તમને કબરના અઝાબ માંથી કંઈક સંભળાવી દે, જે મેં સાંભળ્યું છે, તો તમે એક બીજાને ક્યારેય દફન ન કરો» પછી નબી ﷺ એ કહ્યું: «જહન્નમના અઝાબથી અલ્લાહની પનાહ માંગો» સહાબાએ કહ્યું: અમે જહન્નમથી અલ્લાહની પનાહ માંગીએ છીએ, ફરી નબી ﷺ એ કહ્યું: «છૂપું અને જાહેર દરેક વસ્તુથી પનાહ માંગો» સહાબાએ કહ્યું: અમે છૂપું અને દેખીતું દરેક વસ્તુથી અલ્લાહની પનાહ માંગીએ છીએ, નબી ﷺ એ કહ્યું: «દજ્જાલના ફિતનાથી અલ્લાહની પનાહ માંગો» સહાબાએ કહ્યું: અમે દજ્જાલના ફિતનાથી અલ્લાહની પનાહ માંગીએ છીએ. «જો મને ભય ન હોત કે તમે (પોતાના મૃતકોને) દફન નહીં કરો, તો અલ્લાહ પાસે દુઆ કરતો કે કબરમાં જે અઝાબ (ની અવાજો)ને હું સાંભળી રહ્યો છું, તમને પણ સંભળાવી દે» પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારી તરફ મોઢું કર્યું અને કહ્યું: «જહન્નમના અઝાબથી અલ્લાહની પનાહ માંગો» સહાબાઓએ કહ્યું: અમે જહન્નમથી અલ્લાહની પનાહ માંગીએ છીએ, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કબરના અઝાબથી અલ્લાહ પાસે પનાહ માંગો» સહાબાઓએ કહ્યું: અમે કબરના અઝાબથી અલ્લાહ પાસે શરણ માંગીએ છીએ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પાસે જાહેર અને છુપા ફિતનાથી પનાહ માંગો» સહાબાઓએ કહ્યું: અમે જાહેર અને છુપા બંને પ્રકારના ફિતનાથી અલ્લાહ પાસે શરણ માંગીએ છીએ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દજ્જાલના ફિતનાથી અલ્લાહની પનાહ માંગો» સહાબાઓએ કહ્યું: અમે દજ્જાલના ફિતનાથી અલ્લાહની પનાહ માંગીએ છીએ[૧૭]. [૧૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: જન્નત તેની સ્થિતિ, તેની નેઅમતો અને તેના લોકોનું વર્ણન, પાઠ: મૃતક સમક્ષ તેના જન્નત અથવા જહન્નમના સ્થાનનું વર્ણન, કબરના અઝાબની પુષ્ટિ અને તેનાથી શરણ માંગવાનું વર્ણન, હદીષ નંબર: (૨૮૬૭).
જ્યાં સુધી કબરમાં નેઅમતોની વાત છે: તો આ નેઅમતો ફક્ત સાચા મોમિન માટે જ નક્કી છે. અલ્લાહ તઆલા એ કહ્યું: {નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે, પછી તેના પર જ અડગ રહ્યા, તેમની પાસે ફરિશ્તાઓ આવે છે, અને કહે છે કે તમે ડરો નહીં અને નિરાશ ન થાવ, (પરંતુ) તે જન્નતની ખુશખબરી સાંભળી લો, જેનું વચન તમને આપવામાં આવ્યું છે} [ફુસ્સિલત: ૩૦]. {નિ:શંક જે લોકોએ કહ્યું કે અમારો પાલનહાર અલ્લાહ છે, પછી તેના પર જ અડગ રહ્યા, તેમની પાસે ફરિશ્તાઓ આવે છે, અને કહે છે કે તમે ડરો નહીં અને નિરાશ ન થાવ, (પરંતુ) તે જન્નતની ખુશખબરી સાંભળી લો, જેનું વચન તમને આપવામાં આવ્યું છે (૩૦)} [ફુસ્સિલત: ૩૦].
અને અલ્લાહ તઆલા એ બીજી જગ્યાએ કહ્યું: {એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે. અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા.જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું?અને જો તમે (પોતાની વાતમાં) સાચા હોવ તો આ જીવને પાછે લાવી બતાઓ. હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય, તેને તો આરામ , ખોરાક અને આરામદાયક બગીચા હશે} [અલ્ વાકીઆ: ૮૩-૮૯]. {એવું કેમ થયું કે જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે (૮૩), અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો (૮૪), અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે જોઇ નથી શકતા (૮૫), જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું? (૮૬), જો તમારો હિસાબ થવાનો જ નથી, તો આવું કેમ ન થયું? (૮૭), હા, (મૃત્યુ પામનાર) અલ્લાહના નિકટ બંદાઓ માંથી હોય (૮૮), તેને તો આરામ, ખોરાક અને આરામદાયક બગીચા હશે (૮૯)} [અલ્ વાકિઆ: ૮૩-૮૯].
બરાઅ બિન આઝીબ રઝી. રિવાયત કરે છે કે નબી ﷺ એ મોમીનો વિશે કહ્યું: «જ્યારે તે કબરમાં ફરિશ્તાઓને પોતાના સવાલના જવાબ આપી દેશે, તો આકાશ માંથી એક પોકારવાવાળો પોકારશે કે સાચું કહ્યું મારા બંદાએ, બસ ! તેના માટે જન્નત માંથી એક પાથરણું પાથરો, તેને જન્નતનો પોશાક પહેરાવો, અને તેના માટે જન્નતના દ્વારા ખોલી નાખો, તેની પાસે જન્નતની હવા અને ખુશ્બુ આવવા લાગશે, અને જ્યાં સુધી તેની નજર જશે ત્યાં સુધી તેની કબર ચોડી કરી દેવામાં આવશે». આ હદીષને ઇમામ અહમદ અને અબુદાવુદ રહ.એ એક લાંબી હદીષ માંથી રિવાયત કરી છે. «આકાશ માંથી એક પોકારવાવાળો પોકારશે કે સાચું કહ્યું મારા બંદાએ, બસ! તેના માટે જન્નત માંથી એક પાથરણું પાથરો, તેને જન્નતનો પોશાક પહેરાવો, અને તેના માટે જન્નતના દ્વારા ખોલી નાખો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ફરી જન્નતથી હવા અને ખુશ્બુ આવવા લાગશે, અને જ્યાં સુધી તેની નજર જશે ત્યાં સુધી તેની કબર પહોળી કરી દેવામાં આવશે» આ હદીષને ઇમામ અહમદ રહિમહુલ્લાહ અને અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ એક લાંબી હદીષ માંથી રિવાયત કરી છે. [૧૮] આ હદીષનએ ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: સુન્નતનું વર્ણન, પાઠ: કબર અને કબરના અઝાબ વિષે, હદીષ નંબર: (૪૭૫૩), અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: મુસ્નદ અલ્ કૂફીય્યીન, બરાઅ બિન્ આઝિબની હદીષ, હદીષ નંબર: (૧૮૫૩૪).
બરઝખનો ઇન્કાર કરનારાઓનો અકીદો અને તેમનો રદ: નાસ્તિક અને વિદ્રોહ લોકોનું એક જૂથ ગુમરાહ થઈ ગયું, તે લોકોએ એવો વિચાર કરી અને તેની નેઅમતોનો ઇન્કાર કર્યો, કે આ એક અશક્ય વાત છે, તેઓ કહે છે કે જો કબર ખોલીને મૃતકને જોવામાં આવે તો તે જ સ્થિતિમાં જોવા મળે છે, જે સ્થિતિમાં તેને દફન કરવામાં આવ્યો હતો, કબરમાં પહોળાઈ અથવા તંગ(ચુસ્ત) જગ્યા જોવા નથી મળતી.
આવો વિચાર શરીઅત, તર્ક તેમજ ફિતરત દ્વારા બાતેલ છે:
શરીઅત પ્રમાણે: કબરના અઝાબ અને તેની નેઅમતો વિશે આયતો અને હદીષો આગળ વર્ણન થઈ ગઈ છે.
અને સહીહ બુખારી અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી. રિવાયત કરે છે: «નબી ﷺ મદીનામાં કોઈ બગીચા માંથી નીકળ્યા, તો નબી ﷺ એ બે વ્યક્તિનો અવાજ સાંભળ્યો, જેમને તેમની કબરોમાં અઝાબ આપવામાં આવતો હતો, પછી સંપૂર્ણ હદીષ વર્ણન કરી, જેમાં એવું છે કે એક પેશાબ કરી સફાઈ નહતો કરતો અને બીજો વ્યક્તિ ચાડી કરનાર હતો» અને બીજી એક રિવાયતમાં છે, «પેશાબ કરી પાકી પ્રાપ્ત નહતો કરતો. «તે બંને માંથી એક વ્યક્તિ પેશાબના છાંટાથી બચતો ન હતો» બીજી એક રિવાયતના શબ્દો આ પ્રમાણે છે: «પેશાબના છાંટાથી» «અને બીજો વ્યક્તિ ચાડી કરતો હતો», સહીહ મુસ્લિમની બીજી એક રિવાયતમાં છે: «તે પેશાબથી બચતો ન હતો»[૧૯]. [૧૯] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: વઝૂનું વર્ણન, પાઠ: પેશાબને ધોવા બાબતેનું વર્ણન, હદીષ નંબર (૨૧૫).
ફિતરત દ્વારા પુરાવો : સૂઈ ગયેલો વ્યક્તિ સપનામાં જોવે છે કે તે ઘણી મોટી અને સુંદર જગ્યા પર છે, અને તે ત્યાં ખૂબ જ ખુશ અને મજા કરી રહ્યો છે, અને એક બીજો જોવે છે કે તે ખૂબ જ વેરાન અને ભયંકર જગ્યાએ છે, અને તે ત્યાં તકલીફ મહેસુસ કરી રહ્યો છે, અને ક્યારેક એવું પણ થાય છે કે સપનું જોનાર વ્યક્તિ, પોતાના સપનાથી ડરી, ઉભો થઇ જાય છે, જો કે તે પોતાના જ ઘરમાં પોતાની જ પથારી પર સૂતો હોય છે, અને ઊંઘ મોતનો ભાઈ છે, એટલા માટે તેનું જ નામ (વફાત) પણ પડ્યું છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {અલ્લાહ જ છે, જે મૃત્યુના સમયે રૂહોને લઇ લે છે અને જેમનું મૃત્યુ નથી થયું તેમની રૂહ તેમની નિંદ્રાના સમયે કાઢી લે છે, પછી જેના માટે મૃત્યુનો નિર્ણય થઇ ગયો હોય તેની રૂહ તો રોકી લે છે અને બીજી (રૂહો)ને એક નક્કી કરેલ સમય સુધી છોડી દે છે, ચિંતન કરનારાઓ માટે આમાં ખરેખર ઘણી શિખામણો છે} [અઝ્ ઝૂમર: ૪૨]. [અઝ્ ઝુમર: ૪૨].
તાર્કિક રીતે તેનો રદ: સૂવાવાળો વ્યક્તિ ક્યારેક પોતાના સપનામાં સ્થિતિ પ્રમાણે સપના પણ જોતો હોય છે, અને ક્યારેક સાચી શકલમાં નબી ﷺ જુએ છે અને જે કોઈ નબી ﷺ ને પોતાના લક્ષણો પ્રમાણે જુએ છે ખરેખર તે નબી ﷺ ને જ જુએ છે, જો કે સૂવાવાળો વ્યક્તિ જેને પોતાના સપનામાં જુએ છે, તે તેનાથી ખૂબ જ દૂર હોય છે, જો આ બધી વસ્તુઓ દુનિયામાં જ શક્ય હોય તો પછી આખિરતમાં કઈ રીતે અશક્ય હોઈ શકે છે?!
જ્યાં સુધી તેમનો આ દાવો કે કબરને ખોલીને મૃતકની સ્થિતિ જોવામાં આવે તો તે જ સ્થિતિમાં જોવા મળે છે, જે સ્થિતિમાં તેને દફન કરવામાં આવ્યો છે, એવી જ રીતે કબર પહોળી અથવા તંગ (ચુસ્ત) નથી હોતી, તો તેનો જવાબ ઘણી રીતે આપી શકાય છે:
પહેલો: શરીઅતમાં જે કઈ પણ વર્ણન થયું છે, તેની આવા બાતેલ વિચાર સાથે સરખામણી કરવી જાઈઝ નથી, અને શંકાસ્પદ વ્યક્તિ શરીઅતમાં વર્ણન થયેલ આયતો અને હદીષ પર ચિંતન મનન કરશે તો તેના પર આ બધી શંકાઓની સત્યતા સ્પષ્ટ થઈ જશે, કોઈ કવિએ કહ્યું છે:
"કેટલાય એવા લોકો છે, જેઓ સાચી વાતોમાં મહેણાંટોણા અને ખામીઓ શોધતા હોય છે,
પોતાની ગેરસમજના કારણે
બીજું: બરઝખમાં જે થશે તેનો સંબંધ ગેબના કાર્યો માંથી છે, જેને સમજવું શક્ય નથી, અને જો જાહેરમાં જાણવું શક્ય હોતું તો પછી ગેબ પર ઈમાન લાવવાનો મતલબ શુ રહેતો, આવી રીતે તો ગેબ પર ઈમાન લાવનાર અને જે જાણી જોઈને તેનો ઇન્કાર કરે છે, બન્ને સરખા ગણાશે.
ત્રીજું: કબરમાં રાહત અથવા તકલીફ, તેમજ કબરની પહોળાઈ અને તંગી ફક્ત મૃતક જ સમજી શકે છે, તેમના સિવાય બીજો વ્યક્તિ તેને સમજી શકતો નથી, તેનું ઉદાહરણ તેના જેવું છે, જે સપનામાં કોઈ ભયાનક જગ્યા અથવા અંધારું અથવા અત્યંત સુંદર જગ્યા અથવા મોટી જગ્યા જુએ છે, પરંતુ તેના વિરુદ્ધ તેના કમરામાં તેની પથારી પર સૂવાવાળો બીજો કોઈ વ્યક્તિ તે દરેક સ્થિતિઓથી તદ્દન અજાણ હોય છે, એક બીજું સ્પષ્ટ ઉદાહરણ: નબી ﷺ પર અલ્લાહ તરફથી વહી ઉતરતી હતી, અને નબી ﷺ પોતાના સહાબાઓ વચ્ચે જ હોતા, પરંતુ વહીને ફક્ત આપ જ સાંભળી શકતા હતા, જ્યારે કે સહાબાઓને તે વહી સંભળાતી જ ન હતી, અને ક્યારેક તો ફરિશ્તો માનવીની શકલ ધારણ કરી, નબી ﷺ સાથે વાતચીત પણ કરતો, તો પણ સહાબાઓ તેને ન હતા જોઈ શકતા અને ન તો તેમની વાતો સાંભળી શકતા હતા.
ચોથું: સર્જનીઓની સમજવાની શક્તિ સીમિત છે, કોઈ વ્યક્તિ એટલું જ સમજી શકે છે, જેટલી સમજ અલ્લાહ તઆલા એ તેને આપી છે, તેના માટે દરેક દેખીતી વસ્તુની સમજ શક્ય નથી, ઉદાહરણ તરીકે સાત આકાશ, જમીન, અને જે જે વસ્તુઓ જોઈ શકે છે, તે દરેક વસ્તુ સાચે જ અલ્લાહની પ્રશંસા કરે છે, અને ક્યારેક અલ્લાહ તઆલા પોતાના સર્જન માંથી જેને ઈચ્છે તેને તે સંભળાવે છે, તો પણ આ દરેક બાબત આપણાથી અદ્રશ્ય છે, અને આ વાતને અલ્લાહ તઆલા એ કુરઆન મજીદમાં આ રીતે વર્ણન કરી: {સાત આકાશો અને ધરતી અને જે કંઈ પણ તેમાં છે, તેના જ નામની તસ્બીહ કરી રહ્યા છે, એવી કોઈ વસ્તુ નથી, જે તેના વખાણ સાથે તેની તસ્બીહ ન કરતી હોય, હાં આ સાચું છે કે તમે તેમની તસ્બીહ સમજી શકતા નથી} [અલ્ ઇસ્રા: ૪૪]. [અલ્ ઇસ્રા: ૪૪] અને એવી જ રીતે શૈતાનો અને જિન્નો જમીન પર આમ તેમ ફરતા હોય છે, અને આ સત્ય વાત છે કે જિન્નોનું એક જૂથ રસૂલ ﷺ ની મજલીસમાં હાજર થયું, અને શાંતિથી આપની તિલાવત સાંભળી અને ધીમેથી પ્રચારક બની પોતાની કોમ તરફ જતા રહ્યા, અને આ જૂથ દરેક વસ્તુ થયા પછી પણ આપણે તેને જોઈ શકતા નથી, તે વિશે અલ્લાહ કહે છે: {હે આદમના સંતાનો ! શેતાન તમને કોઇ ખરાબીમાં ન નાખી દે, જેવું કે તેણે તમારા માતા-પિતાને જન્નત માંથી કઢાવી દીધા, તે જ સ્થિતિમાં તેમનો પોશાક પણ ઉતારી નખાવ્યો, જેથી તે તેમને તેમના ગુપ્તાંગ બતાવે, તે અને તેનું લશ્કર તમને એવી રીતે જુએ છે કે તમે તેઓને નથી જોઇ શકતા, અમે શેતાનોને તે લોકોના જ મિત્રો બનાવ્યા છે જેઓ ઈમાન નથી લાવતા} [અલ્ અઅરાફ: ૨]. [અલ્ અઅરાફ: ૨૭]. બસ ! જ્યારે સર્જનને દરેક હાજર વસ્તુની સમજ નથી હોતી તો તેના માટે ગેબની વાતોની સમજ અને તેનો ઇન્કાર જાઈઝ નથી.
*
તકદીર પર ઈમાન
તકદીર: અલ્લાહ તઆલાનું પોતાના ઇલ્મ અને હિકમત પ્રમાણે સમગ્ર સૃષ્ટિના અસ્તિત્વ પહેલા અંદાજો લગાવવો અને નિર્ણય કરવો.
તકદીર પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:
પહેલું: એ વાત પર ઈમાન કે અલ્લાહ શરૂ થી લઈને અંત સુધી દરેક વસ્તુને સંક્ષિપ્ત રીતે અથવા વિસ્તાર પૂર્વક જાણે છે, અને તેનો સબંધ પોતાના કાર્યોથી હોઈ અથવા પોતાના બંદાઓના કાર્યો અને અમલોથી હોય.
બીજું: તે વાત પર ઈમાન કે અલ્લાહ તઆલા એ દરેક વસ્તુ "લોહે મહફુઝ" (અર્થાત્ તે પુસ્તક જેમાં દરેક સર્જનની તકદીર લખેલી છે) માં લખી રાખ્યું છે, આ બન્ને વાતો વિશે અલ્લાહ તઆલા વર્ણન કરે છે: {શું તમે જાણતા નથી કે આકાશો અને ધરતીની દરેક વસ્તુને અલ્લાહ જાણેછે, આ બધું જ લખેલી કિતાબમાં સુરક્ષિત છે, અલ્લાહ તઆલા માટે તો આ કામ ઘણું જ સરળ છે} [અલ્ હજ: ૭૦]. [અલ્ હજ્જ: ૭૦].
અને સહીહ મુસ્લિમમાં હઝરત અમ્ર બિન આસ રઝી. રિવાયતકરે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ એ સર્જનીઓની તકદીર આકાશ અને જમીનને પેદા કરવાના પચાર હજાર વર્ષ પહેલાં લખી દીધી હતી». «અલ્લાહએ સર્જનીઓની તકદીર આકાશ અને જમીનને પેદા કરવાના પચાર હજાર વર્ષ પહેલાં લખી દીધી હતી». [૨૦] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે: પુસ્તક: તકદીરનું વર્ણન, પાઠ: મૂસા અલૈહિસ્ સલામ અને આદમ અલૈહિસ્ સલામની ચર્ચા, હદીષ નંબર: (૨૬૫૩).
ત્રીજું: તે વાત પર ઈમાન કે સમગ્ર સૃષ્ટિમાં જે કઈ પણ થઈ રહ્યું છે અલ્લાહની ઈચ્છા પ્રમાણે જ છે, તેનો સંબંધ અલ્લાહ તઆલાના પોતાના કાર્યોથી હોય અથવા સર્જનના અમલો અને કાર્યોથી હોય, અલ્લાહ તઆલા પોતાના કાર્યો વિશે કહે છે: {અને તમારો પાલનહાર જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે અને જેને ઇચ્છે છે, (પોતાના કામ માટે) પસંદ કરી લે છે} [અલ્ કસસ ૬૮]. [અલ્ કસસ: ૬૮]. અને કહ્યું: {અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે} [ઇબ્રાહિમ: ૨૭]. {...અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે} [ઈબ્રાહીમ: ૨૭]. અને કહ્યું: {તે જ માં ના પેટમાં તમારા મૂખોને જેવી રીતે ઇચ્છે છે તેવી રીતે બનાવે છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે વિજયી છે, હિકમતવાળો છે} [આલિ ઇમરાન: ૬] અને સર્જનના કાર્યો વિષે કહ્યું: {તે જ માતાના પેટમાં તમારા મૂખોને જેવી રીતે ઇચ્છે છે તેવી રીતે બનાવે છે...} [આલિ ઇમરાન: ૬] અને સર્જનના કાર્યો વિષે કહ્યું: {અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો તેઓને તમારા પર પ્રભુત્વ આપી દેતો} [અન નિસા: ૯૦]. [અન્ નિસા: ૯૦] અને કહ્યું: {અને જો અલ્લાહ ઇચ્છતો તો આવું ન કરતા, એટલા માટે તેઓને તેમના જુઠમાં પડયા રહેવા દો} [અલ્ અન્આમ: ૧૧૨]. {...અને જો તમારો પાલનહાર ઇચ્છતો તો આમ ન કરતા, એટલા માટે તેઓને તેમના જુઠમાં પડયા રહેવા દો} [અલ્ અન્આમ: ૧૧૨].
ચોથું: તે વાત પર ઈમાન કે સમગ્ર સૃષ્ટિ તેની જાત, લક્ષણ અને હરકત બધું જ અલ્લાહએ પેદા કરેલું છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે} [અઝ્ ઝૂમર: ૬૨]. [અઝ્ ઝુમર: ૬૨]. {અને અલ્લાહ તઆલાએ કહ્યું : તેણે દરેક વસ્તુનું સર્જન કરી એક યોગ્ય સમય નક્કી કરી દીધો છે} [અલ્ ફુરકાન: ૨]. {...તેણે દરેક વસ્તુનું સર્જન કરી એક યોગ્ય સમય નક્કી કરી દીધો છે} [અલ્ ફુરકાન: ૨]. અને અલ્લાહ તઆલાએ પોતાના પયગંબર ઈબ્રાહીમ અ.સ. વિશે જણાવ્યું કે તેમણે પોતાની કોમને કહ્યું: {જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહ એ જ કર્યું} [અસ્ સોફફાત: ૯૬]. [અસ્ સોફફાત: ૯૬].
પાછળ અમે તકદીર પર ઈમાનનો જે ગુણ વર્ણન કર્યો છે, તે બંદાઓના ઇચ્છનીય કાર્યો પર તેમને પ્રાપ્ત થનાર કુદરત અને મનેચ્છાની વિરુદ્ધ નથી, કારણકે શરીઅત અને કાર્યો બન્ને તેને સાબિત કરે છે.
શરીઅત દ્વારા તેની સાબિતી, પોતાની ઈચ્છા પ્રમાણે, અલ્લાહ તઆલા એ કહ્યું: {જે ઇચ્છે તે પોતાના પાલનહાર પાસે (સારા કાર્યો) કરી ઠેકાણુ બનાવી લે} [અન્ નબા: ૩૯]. [અન્ નબા: ૩૯]. અને કહ્યું: {પોતાની ખેતીઓમાં જેવી રીતે ઇચ્છો આવો} [અલ્ બકરહ: ૨૨૩]. {...પોતાની ખેતીઓમાં જેવી રીતે ઇચ્છો આવો...} [અલ્ બકરહ: ૨૨૩]. અને સર્જનીઓની કુદરત વિશે કહ્યું: {બસ ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો અને સાંભળો અને આજ્ઞાનું પાલન કરો} [અત્ તગાબુન: ૧૬]. {બસ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો અને સાંભળો અને આજ્ઞાનું પાલન કરો...} [અત્ તગાબુન: ૧૬]. અને કહ્યું: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે} [અલ્ બકરહ: ૨૮૬]. {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે...} [અલ્ બકરહ: ૨૮૬].
સ્થિતિ પ્રમાણે સાબિતી: દરેક માનવી જાણે છે કે તેને કંઈકને કંઈ ઈચ્છા અને કુદરત જરૂર પ્રાપ્ત થયેલ છે, જેના કારણે તે કોઈ કામ કરવા અથવા છોડી દેવાનો અધિકાર ધરાવે છે, અને તે કોઈ ઇચ્છનીય કાર્ય જેવું કે ચાલવું, અને અઇચ્છનીય કાર્ય જેવું કે કાંપવું, બન્નેમાં ફરક કરે છે, પરંતુ કોઈ બંદાની ઈચ્છા અને કુદરત અલ્લાહની કુદરત અને ઈચ્છા પર આધારિત હોય છે, કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું: {(ખાસ કરીને) તેમના માટે, જેઓ સીધો માર્ગ પર ચાલવા માંગે. અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય} [અત્ તકવીર: ૨૮-૨૯]. [અત્ તક્વીર: ૨૮-૨૯]. કારણકે સમગ્ર સૃષ્ટિ અલ્લાહની માલિકી હેઠળ છે, એટલા માટે તેની માલિકીમાં કોઈ વસ્તુ તેના ઇલ્મ અને આદેશ વગર થઈ શકતી નથી.
તકદીર પર ઇમાનની જે વ્યાખ્યા અમે વર્ણન કરી છે, તે કોઈ બંદા માટે ફરઝ કામ છોડવા અથવા અવજ્ઞાની પરવાનગી માટે દલીલ નથી બની શક્તી, તેના દ્વારા દલીલ લેવી કેટલાક કારણો દ્વારા બાતેલ છે:
પહેલું કારણ: અલ્લાહ તઆલા એ કહ્યું: {આ મુશરિકો (જવાબમાં) કહેશે કે, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો, ન અમે શિર્ક કરતા અને ન તો અમારા પૂર્વજો, અને ન તો અમે કોઇ વસ્તુને હરામ ઠેરવતા, આવી જ રીતે જે લોકો તેમના કરતા પહેલા હતા, તેઓએ પણ જુઠલાવ્યું હતું, અહીં સુધી કે તેઓએ અમારા અઝાબનો સ્વાદ ચાખ્યો, તમે તેમને કહી દો કે શું તમારી પાસે કોઇ પુરાવો હોય તો તેને અમારી સમક્ષ જાહેર કરો ? તમે તો ફકત કાલ્પનિક વાતો જ કહો છો અને તમે તદ્દન નકામી વાતો કરી રહ્યા છો} [અલ્ અનઆમ: ૧૪૮]. {આ મુશરિકો (જવાબમાં) કહેશે કે, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો, ન અમે શિર્ક કરતા અને ન તો અમારા પૂર્વજો, અને ન તો અમે કોઇ વસ્તુને હરામ ઠેરવતા, આવી જ રીતે જે લોકો તેમના કરતા પહેલા હતા, તેઓએ પણ જુઠલાવ્યું હતું, અહીં સુધી કે તેઓએ અમારા અઝાબનો સ્વાદ ચાખ્યો, તમે તેમને કહી દો કે શું તમારી પાસે કોઇ પુરાવો હોય તો તેને અમારી સમક્ષ જાહેર કરો? તમે તો ફકત કાલ્પનિક વાતો જ કહો છો અને તમે તદ્દન નકામી વાતો કરી રહ્યા છો (૧૪૮)} [અલ્ અન્આમ: ૧૪૮]. જો તકદીર તેમના માટે પુરાવો બનતી હોય તો પછી કેમ કરી અલ્લાહ તઆલા તે કાફિરો અને મુશરિક લોકોને પોતાના અઝાબનો ચખાડતો.
બીજું કારણ: અલ્લાહ તઆલાએ કહ્યું: {આ દરેક પયગંબર (લોકોને) ખુશખબરી આપનાર અને સચેત કરવાવાળા હતા, જેથી આ પયગંબરો આવી ગયા પછી લોકો માટે અલ્લાહ પર કોઇ દલીલ બાકી ન રહે, અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે} [અન્ નિસા: ૧૬૫]. {આ દરેક પયગંબર (લોકોને) ખુશખબરી આપનાર અને સચેત કરવાવાળા હતા, જેથી આ પયગંબરો આવી ગયા પછી લોકો માટે અલ્લાહ પર કોઇ દલીલ બાકી ન રહે, અને અલ્લાહ તઆલા જબરદસ્ત અને હિકમતવાળો છે (૧૬૫)} [અન્ નિસા: ૧૬૫]. એવી જ રીતે વિરોધ કરનારાઓ માટે તકદીર દલીલ બની રહી હોય, તો પયગંબરોને મોકલી તેમના દાવાને બાતેલ જણાવવામાં ન આવતું, કારણકે પયગંબરોને મોકલ્યા પછી જો કોઈ વાતનો વિરોધ થાય છે તો તે ફક્ત અલ્લાહ તઆલા તરફથી નક્કી કરેલ તકદીરથી જ થતું હોય છે.
ત્રીજું કારણ: ઇમામ બુખારી રહ. અને ઇમામ મુસ્લિમ રહ.એ અલી બિન અબી તાલિબ રઝી. રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી દરેક વ્યક્તિનું ઠેકાણું જન્નત અથવા જહન્નમ લખી દીધું છે» આ સાંભળી સહાબાઓ માંથી એક વ્યક્તિએ સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ! શું અમે તેના પર જ ભરોસો કરી ન બેસી રહીએ? તો નબી ﷺ એ કહ્યું: «કે ના, અમલ કરો કારણકે દરેક માટે સરળ કરી દેવામાં આવ્યું છે» પછી નબી ﷺ એ આ આયત તિલાવત કરી: {જે વ્યક્તિએ આપ્યું અને અલ્લાહથી ડરીને રહ્યો} [અલ્ લૈલ: ૫]. «તમારા માંથી દરેક વ્યક્તિનું ઠેકાણું જન્નત અથવા જહન્નમ લખી દીધું છે» આ સાંભળી સહાબાઓ માંથી એક વ્યક્તિએ સવાલ કર્યો કે હે અલ્લાહના પયગંબર! શું અમે તેના પર જ ભરોસો કરીએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ના, અમલ કરો કારણકે દરેક માટે સરળ કરી દેવામાં આવ્યું છે» પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત તિલાવત કરી: {પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો (૫)} [અલ્ લૈલ: ૫]. સહીહ મુસ્લિમના શબ્દો આ પ્રમાણે છે: «દરેક માટે તે કાર્ય સરળ બનાવી દેવામાં આવ્યું છે, જેના માટે તેને પેદા કરવામાં આવ્યો છે» બસ ! જાણવા મળ્યું કે નબી ﷺએ અમલ કરવાનો આદેશ આપ્યો છે, અને અમલને છોડીને ફક્ત તકદીર પર ભરોસો કરવાથી રોક્યા છે. «દરેક માટે તે કાર્ય સરળ બનાવી દેવામાં આવ્યું છે, જેના માટે તેને પેદા કરવામાં આવ્યો છે» [૨૧]. બસ! જાણવા મળ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમલ કરવાનો આદેશ આપ્યો છે, અને અમલને છોડીને ફક્ત તકદીર પર ભરોસો કરવાથી રોક્યા છે. [૨૧] સહીહ બુખારી, પાઠ: તકદીરનું વર્ણન, પાઠ: ખરેખર અલ્લાહએ તકદીર નક્કી કરી લીધી છે, હદીષ નંબર: (૬૬૦૫), સહીહ મુસ્લિમ, પુસ્તક: તકદીરનું વર્ણન, પાઠ: માનવીને માતાને પેટમાં કેવી રોતે પેદા કરવા આવે છે, તેની રોજી, તેની ઉંમર, તેના કાર્યો, તેને મળતા દુ:ખો અને સુખની સ્થિતિનું વર્ણન, હદીષ નંબર: (૨૬૪૭).
ચોથું કારણ: અલ્લાહ તઆલાએ બંદાઓને આદેશોનું પાલન કરવા અને જેનાથી રોક્યા છે તેનાથી રુકી જવાનો આદેશ આપ્યો છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {બસ ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો અને સાંભળો અને આજ્ઞાનું પાલન કરો} [અત્ તગાબુન: ૧૬]. [અત્ તગાબુન: ૧૬]. અને કહ્યું: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો} [અલ્ બકરહ: ૨૮૬]. {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો...} [અલ્ બકરહ: ૨૮૬]. જો બંદો કોઈ આદેશના અનુસરણ કરવા પર મજબૂર હોત તો તેના માટે તે દરેક કાર્ય કરવુ જરૂરી હોત, જે નાથી છુટકારો મેળવવાની તાકાત તેનામાં નથી, પરંતુ આ વસ્તુ બાતેલ છે, એટલા માટે જો કોઈનાથી ભૂલથી, અજ્ઞાનતામાં કોઈ અવૈદ્ય કાર્ય થઈ જાય તો તે બિચારો નિર્દોષ ગણવામાં આવશે.
પાંચમું કારણ: અલ્લાહ તઆલાએ તકદીરને છૂપાયેલી અને ભેદમાં રાખી છે, એટલા માટે કોઈ તકદીરની વાત તેના થયા પછી જ જાણવા મળે છે, પરંતુ બંદો જે કામ કરવાનો ઈરાદો કરે છે, તો તે પહેલાથી જ જાણે છે કે તે ક્યાં કામનો ઈરાદો ધરાવે છે, બસ ! તેના કાર્યનો ઇરાદો અલ્લાહની કુદરત વિશે તેના જ્ઞાન પર આધારિત નથી હોતું, આ વસ્તુ અવજ્ઞાના કાર્યો પર તકદીર દ્વારા પુરાવા લેવાને રોકે છે, કારણકે જે વસ્તુનું જ્ઞાન જ ન હોય તો તે કોઈ કામ માટે પુરાવો કેવી રીતે બની શકે છે.
છઠ્ઠું કારણ: આપણે જોઈએ છીએ કે માનવી દુનિયાના કાર્યોમાં, વ્યવહારમાં દરેક મનપસંદ અને ફાયદાકારક વસ્તુઓનો લોભ્યો હોય છે, અને જ્યાં સુધી તેને પામી ન લે તેને શોધતો રહે છે, અને તેની આશા કરતો હોય છે, જ્યારે કે જે વસ્તુ પસંદ નથી અથવા નુકસાનકારક વસ્તુ તરફ ધ્યાન નથી આપતો, અને ન તો તે તેના માટે તકદીર દ્વારા દલીલ લે છે, તો પછી દીનના કાર્યોમા તેના માટે જે વસ્તુ ફાયદાકારક હોય શકે છે, તો તેને છોડીને તકલીફ આપનારી વસ્તુ તરફ જવું, અને પછી તેને તકદીર દ્વારા પુરાવો પકડવો કંઈ રીતે યોગ્ય હોઈ શકે છે? શું (દીન અને દુનિયા) બન્નેની બાબત સરખી નથી?
આ વસ્તુની વધુ સ્પષ્ટતા માટે અમે અહીયાં બે ઉદાહરણો આપીશું:
પહેલું ઉદાહરણ: જો કોઈ વ્યક્તિની સામે બે માર્ગ હોય, જેનો એક માર્ગ એક એવા શહેર તરફ જતો હોય, જ્યાં અસ્ત વ્યસતા, કતલગીરી, લુંટફાટ, ભય અને ડર તેમજ ભૂખમરો હોય, અને બીજો માર્ગ એક એવા શહેર તરફ જતો હોય, જ્યાં શાંતિ, સુકૂન, આરામ, ઠાઠમાઠ જીવન, માનવતા સુરક્ષિત હોય તો તે કયો માર્ગ અપનાવશે?
સ્પષ્ટ છે કે તે બીજો માર્ગ જ અપનાવશે, જ્યાંનો માર્ગ એક એવા શહેર તરફ જઈને ખતમ થાય છે, જ્યાં શાંતિ, સુકૂન, ખુશી, સુરક્ષા હોય, જ્યારે કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ તકદીરનો પુરાવો પકડી, કોઈ એવો માર્ગ ક્યારેય પસંદ નહીં કરે, જ્યાં હત્યા થતી હોઇ, અશાંતિ, ડર અને ભય હોય, તો જે વ્યક્તિ આખિરતના કાર્યોમાં જન્નતનો માર્ગ છોડી પોતે જહન્નમનો માર્ગ અપનાવે તો કઈ રીતે તકદીરને પુરાવા રૂપે દલીલ બનાવી શકે છે?
બીજું ઉદાહરણ: આપણે જોઈએ છીએ કે કોઈ ડોકટર બીમારને દવા પીવાનો આદેશ આપે છે, તો તે તેને નાપસંદ હોવા છતાંય પી લે છે, એવી જ રીતે તે જ્યારે તેને નુકસાનકારક ખોરાક ખાવાથી રોકે છે, તો તે તેની પસંદ હોવા છતાંય છોડી દે છે, જાહેર છે કે તે બીમાર પોતાની સુરક્ષા માટે અને પોતાની સલામતી માટે જ આવું કરતો હોય છે, અને તે તકદીરને દલીલ બનાવી ક્યારેય એવું નથી કહેતો કે તે દવાઓ પીવાથી અળગો રહે અથવા નુકસાનકારક ખોરાક લેતો રહે, બસ ! આ કઈ રીતે યોગ્ય હોઈ શકે છે કે માનવી અલ્લાહ અને તેના પયગંબરના આદેશોને છોડી અલ્લાહ અને તેના રસૂલે રોક લગાવેલી વસ્તુઓને અપનાવે, અને પછી તેના પર તકદીરને દલીલ બનાવતો ફરે?
સાતમું કારણ: તકદીરને આડ બનાવી ફરઝ ઇબાદતો છોડનાર, અથવા ગુનો કરનાર વ્યક્તિ પર જો બીજો કોઈ વ્યક્તિ જુલમ કરે અને તેનો માલ છીનવી લે, અથવા તેની ઇઝઝત પર આંગળી ઉઠાવે, અને પછી તકદીર દ્વારા દલીલ પકડે અને કહે કે મારી નિંદા કરો, કારણકે મારો જુલમ કરવો તો ફક્ત તકદીર તરફથી છે, તો તે વ્યક્તિ તેની આ દલીલને ક્યારેય કુબૂલ નહીં કરે. તો બસ ! જ્યારે તે તકદીરને દલીલ રૂપે પોતાના ઉપર કરવામાં આવતો અન્ય વ્યક્તિ તરફથી જુલમ માટે કબૂલ નથી કરતો, તો પછી તે અલ્લાહના આદેશો અને ફરઝ ઈબાદતને પોતાની કચાસ અને છુટકારાને કઈ રીતે કબૂલ કરી શકે છે?
આ વિશે એક કિસ્સો વર્ણન કરવામાં આવ્યો છે કે ઉંમર બિન ખત્તાબ્ રઝી.ના સામે એક ચોરનો મુકદમો હાજર કરવામાં આવ્યો, તો ઉંમર રઝી.એ તેના હાથ કાપી નાખવાનો આદેશ આપ્યો, તેણે કહ્યું, હે મોમીનોના આમિર ! નરમી કરો કેમકે આ ચોરી ફક્ત મેં તકદીર પ્રમાણે કરી હતી. તો ઉંમર રઝી.એ કહ્યું, અમે પણ અલ્લાહની તકદીર પ્રમાણે જ તારો હાથ કાપી રહ્યા છે.
તકદીર પર ઈમાન લાવવાના ફાયદા:
પહેલો ફાયદો: કોઈ બાબત કરતી વખતે તે બાબત પર ભરોસો ન કરતા ફક્ત એક અલ્લાહ પર ભરોસો કરવામાં આવે, કારણકે દરેક વસ્તુ અલ્લાહની ઈચ્છા પ્રમાણે થાય છે.
બીજો ફાયદો: કોઈ ઈચ્છા પ્રાપ્ત કરતી વખતે ઇતરાવવું ન જોઈએ, કારણકે આ પ્રાપ્તિ તો અલ્લાહ તરફથી એક નેઅમત છે, જેને અલ્લાહ તઆલા એ ભલાઈના કારણો માંથી બનાવ્યું છે, જો વ્યક્તિ ઈતરાવવા લાગશે તો તેને તે નેઅમત અલ્લાહના શુક્ર કરવાથી રોકી દેશે.
ત્રીજો ફાયદો: અલ્લાહની તકદીર અને નિર્ણય પ્રમાણે જે કઈ પણ માનવી પર સ્થિતિ આવે, તેના પર ખુશ રહેવું, તેણે કોઈ સખત પરિસ્થિતિ પર અથવા મનપસંદ વસ્તુ નષ્ટ થઈ જવા પર, પરેશાન ન થવું જોઈએ, કારણકે તે જાણે છે આ બધું અલ્લાહની ઈચ્છા પ્રમાણે છે, જે આકાશે અને જમીનનો માલિક, અને સર્જક છે, અને જે કઈ તકદીરમાં છે તે થઈને જ રહેશે, તેના વિષે જ અલ્લાહ કહે છે: {કોઇ મુસીબત જે જમીન પર આવે છે અથવા તમને પોતાને પહોચે છે, તે આપણા સર્જન પહેલા એક કિતાબમાં લખેલી છે, આ (કાર્ય) અલ્લાહ માટે (ખૂબ જ) સરળ છે.આ એટલા માટે કે જે કઈ તમને ન મળે તેના પર તમે રંજ ન કરો અને જે કઈ અલ્લાહ તમને આપે તેના પર ઇતરાવો નહી અને અલ્લાહ કોઈ અહંકારી અને ઘમંડ કરનારને પસંદ નથી કરતો} [અલ્ હદીદ: ૨૨-૨૩]. [અલ્ હદીદ: ૨૨-૨૩], અને નબી ﷺ એ કહ્યું: «મોમિનની સ્થિતિ પણ કેટલી વિચિત્ર હોય છે, ખરેખર તેના દરેક કામમાં ભલાઈ હોય છે, અને આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે છે તો તે તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, તો તે તેના માટે શ્રેષ્ઠ છે, અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે». «મોમિનની સ્થિતિ પણ કેટલી વિચિત્ર હોય છે, ખરેખર તેના દરેક કાર્યમાં ભલાઈ હોય છે, જ્યારે કે આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે, તો તે તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે, તો તે તેના માટે શ્રેષ્ઠ છે, અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે, તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે» [૨૨]. [૨૨] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: ઝુહદ (દુનિયાથી અળગા રહેવું) અને નમ્રતાનું વર્ણન, પાઠ: મોમિનના દરેક કાર્યોમાં ભલાઈ છે, હદીષ નંબર: (૨૯૯૯).
તકદીર વિષે બે પંથ ગુમરાહ થઈ ગયા છે:
(૧) જબ્રિય્યા, જેઓ એવું કહે છે કે બંદાઓ પોતાના દરેક અમલ પર મજબુર છે, તેમાં તેની ઈચ્છા અને શક્તિની કોઈ દખલગીરી નથી.
(૨) કદ્રિય્યા: જેઓ એવું માને છે, બંદાઓ પોતાની ઈચ્છા અને શકતી સાથે અમલ કરવામાં પોતે જ જવાબદાર છે, અને તેના અમલમાં અલ્લાહની ઈચ્છા શામેલ નથી.
પ્રથમ જૂથ (જબ્રિય્યા) ના મંતવ્યનો, શરીઅત અને વાસ્તવિકતા પ્રમાણે રદ:
શરીઅત પ્રમાણે: જેવું કે અલ્લાહ તઆલાએ બંદાઓ માટે ઈરાદો અને ઈચ્છા કરવાનું સાબિત કર્યું છે, અલ્લાહ તઆલા એ કહ્યું: {તમારા માંથી કેટલાક તો દુનિયા ઇચ્છતા હતા અને કેટલાક તો આખિરતની ઈચ્છા કરતા હતા} [આલિ ઇમરાન: ૧૫૨]. [આલિ ઇમરાન: ૧૫૨]. અને અલ્લાહ તઆલા એ કહ્યું: {તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી ગ છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે, અમે જાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી રાખી છે, જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે} આયત.. [અલ્ કહફ: ૨૯]. {તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી ગ છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે, અમે જાલિમ લોકો માટે એવી આગ તૈયાર કરી રાખી છે, જેની જ્વાળાઓ તેમને ઘેરાવમાં લઇ લેશે...} સંપૂર્ણ આયત. [અલ્ કહફ: ૨૯], અને અલ્લાહ તઆલાએ બીજી જગ્યાએ કહ્યું: {જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેનો ફાયદો તેને જ પહોચશે અને જે દુષ્કર્મ કરશે તેની આફત પણ તેના પર જ છે અને તમારો પાલનહાર બંદાઓ પર ઝુલ્મ કરવાવાળો નથી} [ફુસ્સિલત: ૪૬]. {જે વ્યક્તિ સત્કાર્ય કરશે, તેનો ફાયદો તેને જ પહોચશે અને જે દુષ્કર્મ કરશે તેની આફત પણ તેના પર જ છે અને તમારો પાલનહાર બંદાઓ પર જુલમ કરવાવાળો નથી (૪૬)} [ફુસ્સિલત: ૪૬].
વાસ્તવિકતા પ્રમાણે: દરેક માનવી પોતાના "ઇચ્છનીય કાર્યો" જેને તેઓ પોતાના ઈરાદાથી કરે છે, ઉદાહરણ તરીકે: ખાવુપીવું, લેવેચ કરવી વગેરે, અને જેની ઈચ્છા નથી, તેવા કાર્યો જેવું કે તાવના કારણે શરીર કાંપવું, ઉંચાઈ પરથી નીચે પડવું, વગેરે જેવા ફરક સાથે સારી રીતે સમજી શકો છો, યાદ રાખજો ! પહેલા પ્રકારના કાર્યો કરવા પર પોતે જ કરનાર જવાબદાર છે, અને તેના પર કોઈ જબરદસ્તી નથી, પરંતુ બીજા પ્રકારના કાર્યોમાં કોઈ કાર્ય થતા બંદાના હાથમાં નથી, અને ન તો તેનો કોઈ ઈરાદો હોય છે.
બીજું જૂથ (કદ્રિય્યા) નો શરીઅત તેમજ વાસ્તવિક પ્રમાણે રદ:
શરીઅત પ્રમાણે રદ: અલ્લાહ તઆલા દરેક વસ્તુ પેદા કરવાવાળો છે, અને દરેક વસ્તુ તેની ઈચ્છા પ્રમાણે અસ્તિત્વમાં અને કાયમ છે, અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં વર્ણન કર્યું: {જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો તે પયગંબરોને આવી ગયા પછી લોકો અંદરોઅંદર ઝઘડો ન કરતા, જ્યારે કે તેમની પાસે સ્પષ્ટ આદેશો પણ આવી ગયા હતા, તે લોકોએ મતભેદ કર્યો, તેઓ માંથી કેટલાક તો ઇમાન લાવ્યા અને કેટલાક ઇન્કાર કર્યો અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો અંદરોઅંદર ન ઝઘડતા, પરંતુ અલ્લાહ તઆલા જે ઇચ્છે છે, તે કરે છે} [અલ્ બકરહ: ૨૫૩]. [અલ્ બકરહ: ૨૫૩], અને અલ્લાહ તઆલાએ કહ્યું: {જો અમે ઇચ્છતા તો (પહેલાથી જ ) દરેક વ્યક્તિને હિદાયત આપી દેત, પરંતુ મારી આ વાત સાચી છે કે હું જરૂર જહન્નમને માનવીઓ અને જિન્નાતોથી ભરી દઇશ} [અસ્ સજદહ: ૧૩] {જો અમે ઇચ્છતા તો (પહેલાથી જ) દરેક વ્યક્તિને હિદાયત આપી દેત, પરંતુ મારી આ વાત સાચી છે કે હું જરૂર જહન્નમને માનવીઓ અને જિન્નાતોથી ભરી દઇશ (૧૩)} [અસ્ સજદહ: ૧૩].
વાસ્તવિકતા પ્રમાણે: નિઃશંક સમગ્ર સૃષ્ટિ અલ્લાહની માલિકી હેઠળ છે, હવે માનવી પણ આ સૃષ્ટિનો એક ભાગ છે, એટલા માટે તે પણ અલ્લાહનો ગુલામ છે, અને તેની માલિકી હેઠળ છે, એટલા માટે વાતનો નતિજો એ કે કોઈ ગુલામ માટે તેના માલિકની માલિકી હેઠળ તેની ઈચ્છા અને ઈરાદા વગર કોઈ પણ ફેરફાર કરવું અશક્ય છે.
*
ઇસ્લામી અકીદાના હેતુઓ
હદફનો શાબ્દિક રીતે વિવિધ અર્થ થાય છે, જેમાં બે પ્રકાર નીચે પ્રમાણે છે, ૧. ટાર્ગેટ બનાવવો જેને નિશાનો બનાવવામાં આવે છે. ૨. તે વસ્તુ જે ઇચ્છનીય હોય.
ઇસ્લામી અકીદાના હેતુઓ: ઇસ્લામી અકીદા સાથે મજબૂત સંબંધ, અને તેના કારણકે પ્રાપ્ત થનાર ભવ્ય હેતુઓ ઘણા હોવાના કારણે અગણિત પ્રકાર પર આધારિત છે, જેમાંથી કેટલાક નીચે પ્રમાણે છે:
પહેલો પ્રકાર: નિયત અને ઈબાદતને ફક્ત અલ્લાહ માટે ખાસ કરવામાં આવે, કારણકે તે જ સર્જક છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, જરૂરી છે કે તેનાથી જ દિલ લગાવવામાં આવે, અને ફક્ત તેની જ બંદગી કરવામાં આવે.
બીજો પ્રકાર: ઇસ્લામી અકીદાથી ખાલી દિલમાં ઉત્તપન્ન થનારી દરેક પ્રકારની પથભ્રષ્ટતાઓથી અકલ અને બુદ્ધિને આઝાદ કરવું, કારણકે જેનું દિલ તેનાથી ખાલી હોય, તો તે દરેક અકીદાથી વંચિત અને ફક્ત દેખીતી વસ્તુઓનું જ અનુસરણ કરવાવાળો હોય છે, અથવા તો અકીદાની ગુમરાહી અને પથભ્રષ્ટતાનો શિકાર બને છે.
ત્રીજો પ્રકાર: દિલની શાંતિ, ઇસ્લામી અકીદો માનવાવાળો અને માનસિક બેચેનીનો શિકાર નથી થતો, કારણકે આ અકીદો તેના અને તેના મલિક દરમિયાન મજબૂત સંબંધ છે, તે પોતાના સર્જકને પાલનહાર, વ્યસવસ્થા કરનાર, હાકિમ, અને શરીઅત લાગુ કરવા માટે રાજી થઈ જાય છે, એટલા માટે તેનું દિલ પોતાના પાલનહારના નિર્ણય અને તકદીર પર ખુશ થઈ જાય છે, અને તેને ઇસ્લામની સત્યતા વિષે સ્વીકાર કરે છે, તો તે ઇસ્લામ વગર અન્ય દીન શોધતો નથી.
ચોથો પ્રકાર: અલ્લાહની ઈબાદત અથવા સર્જનની બાબતે વિદ્રોહથી બચવું, કારણકે રસૂલો પર ઈમાન લાવવું, ઇસ્લામી અકીદાનો એક એવો સ્તંભ છે, જે હેતુ અને અમલમાં વિદ્રોહ કરવાથી સુરક્ષિત રાખે છે.
પાંચમો પ્રકાર: વર્ણવેલ બાબતોમાં મજબૂતી, આજીજી અને ખુશનસીબી, કારણકે મોમિન નેકી કમાવવાનો કોઈ સ્ત્રોત વ્યર્થ નથી જવા દેતો, એવી જ રીતે અઝાબના ભયથી તે પોતાને ગુનાહથી દૂર રાખે છે, કારણકે તેના અકીદા માંથી એક મૂળ અકીદો ફરીવાર જીવિત થવાનો પણ છે, જે સારા કાર્યો પર બદલો અને ખરાબ કાર્યો પર સજા મળવાનો અકીદો પણ ધરાવે છે.
અલ્લાહ તઆલા એ કહ્યું: {અને દરેકના માટે તેઓના કાર્યોના બદલામાં દરજ્જા મળશે અને તમારો પાલનહાર તેઓના કાર્યોથી અજાણ નથી} [અલ્ અનઆમ: ૧૩૨]. {અને દરેકના માટે તેઓના કાર્યોના બદલામાં દરજ્જા મળશે અને તમારો પાલનહાર તેઓના કાર્યોથી અજાણ નથી (૧૩૨)} [અલ્ અનઆમ: ૧૩૨]. લોકોને આ હેતુઓની પ્રાપ્તિ માટે નબી ﷺ એ પોતાની હદીષમાં કેટલું પ્રોત્સાહન આપ્યું જુવો: «મજબૂત અને હિંમતવાળો મોમિન અલ્લાહ તઆલાની નજીક કમજોર મોમિન કરતા વધારે શ્રેષ્ઠ છે, અને પ્રિય છે, અને દરેક મોમિન માટે શ્રેષ્ઠતા અને ઉત્તમતા છે, પછી કહ્યું: તે વસ્તુ માટે તૈયાર રહો જે તમને ફાયદો આપે, અને તેના માટે અલ્લાહ પાસે મદદ માંગો, અને નિરાશ ન થઇ જાઓ, અને જો તમારા પર કોઈ મુસીબતો આવી જાય તો આમ ન કહો કે જો મેં ફલાણું કામ કર્યું હોત તો ફલાણા ફાયદો પ્રાપ્ત થાત, પરંતુ આમ કહેવું જોઈએ કે અલ્લાહ તઆલા એ આ જ ભાગ્યમાં લખ્યું હતું, અને જે ઇચ્છા કરી તે જ થયું, કારણકે "કાશ, આમ" આ પ્રમાણેના શબ્દો કહેવાથી શૈતાનની કાર્યોના દ્વાર ખુલે છે». «અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે, જે વસ્તુ તમારા માટે ફાયદાકારક હોય, તેની ઈચ્છા રાખો, અલ્લાહ પાસે મદદ માંગો અને નાસીપાસ ન થશો, જો તમારા પર કોઈ મુસીબત આવી જાય, તો એવા શબ્દો ન કહો કે જો હું આમ કરતો તો આમ થઈ જતું, પરંતુ આ પ્રમાણેના શબ્દો કહો કે આતો અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, તે જ થાય છે, કારણકે "જો શબ્દ" શૈતાનની દખલગીરીનો દ્વાર ખોલી નાખે છે». આ હદીષ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે. [૨૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, પુસ્તક: તકદીરનું વર્ણન, પાઠ: શક્તિ અપનાવવી અને કમજોરીને છોડવી, અલ્લાહ પાસે મદદ માંગવી અને તકદીર અલ્લાહને સોંપવી, હદીષ નંબર: (૨૬૬૪).
છઠ્ઠો પ્રકાર: ઇસ્લામ દીન અને તેના સ્તંભ ઠોસ કરવા માટે એક એવું ઝબરદસ કોમને બનાવવી, જેઓ તેના માટે દરેક પ્રકારના સરળ અને સખત વસ્તુઓને પણ કુરબાન કરવા માટે તૈયાર થઈ જાય, અને તેના માર્ગમાં જે કઈ મુસીબતો આવે તેની સહેજ પણ પરવાહ ન કરે, આ વિષે અલ્લાહ કહે છે: {(સાચા) ઇમાનવાળા તો તે છે, જે અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવે, પછી શંકા ન કરે અને પોતાના ધન વડે અને પોતાના પ્રાણ વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કરે છે, આ જ લોકો સાચા (મુસલમાન) છે} [અલ્ હુજુરાત: ૧૫] [અલ્ હુજુરાત: ૧૫].
સાતમો પ્રકાર: વ્યક્તિગત અને સામાજિક સુધારા માટે દુનિયા અને આખિરતમાં ખુશખબર, સવાબ અને બદલો અને અલ્લાહ પાસે ઇનામ પ્રાપ્ત કરવું, જેના વિષે અલ્લાહ તઆલા કહે છે: {જે વ્યક્તિ પણ નેક કાર્ય કરે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, શરત એ કે તે મોમિન હોવા જોઈએ, તો અમે તેમને ખરેખર અત્યંત શ્રેષ્ઠ જીવન આપીશું અને આખિરતમાં તેમના સત્કાર્યોનો ઉત્તમ બદલો પણ તેમને જરૂર આપીશું} [અન્ નહલ: ૯૭]. [અન્ નહલ: ૯૭].
આ ઇસ્લામી અકીદા માટે કેટલાક હેતુઓ હતા, અને આપણે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે તે હેતુઓને આપણા અને દરેક મુસલમાનો માટે સરળ બનાવે, અને સંપૂર્ણ કરે, તે અત્યંત માયાળુ અને દયાળુ છે, અને દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
સલામતી અને દરુદ ઉતરે આપણા પયગંબર મુહમ્મદ ﷺ પર, તેમની સંતાન પર અને તેમના દરેક સહાબાઓ પર.
આ કિતાબ લેખક દ્વારા પૂર્ણ થઈ.
મુહમ્મદ બિન સોલૈહ અલ્ ઉષૈમીન