هل سألت نفسك؟ من خلقك؟ ولماذا؟ وماذا بعد الموت؟
كتاب: هل سألت نفسك ؟ من خلقك؟ ولماذا ؟ وماذا بعد الموت؟ كتاب مختصر يتحدث عن إجابة أسئلة الإنسان الوجودية ويحرك الفطرة بضرب بعض الأمثلة والحجج العقلية وبيان دلائل الإسلام بأسلوب مختصر.
શું તમે પોતાને સવાલ કર્યો? તમને કોણે પેદા કર્યા? અને કેમ? અને મૃત્યુ પછી શું થશે?
અલ્ લજ્નતુ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવીલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક કન્ટેન દર્શાવતી સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)
હે માનવી! તને કોણે પેદા કર્યો? જો તમે પોતાના શરીરને માઈક્રોસ્કોપ (સુક્ષ્મદર્શક યંત્ર) પ્રમાણે જુઓ, તો તમને એક ચમત્કારિક દુનિયા દેખાશે, તમારા શરીરના દરેક કોષમાં એક આનુવંશિક માહિતી છે, જે એક જટિલ કોડ છે, શું તમે ક્યારેય પોતાને પૂછ્યું કે આ કોડ કોણે લખ્યા? અને કોણે તેને યોગ્ય જગ્યાએ મુક્યા?
દરેક ઉંચી ઈમારત અને દરેક નીચું ઘર તેને બનાવનાર વિષે કહે છે, શું કલ્પના કરી શકીએ કે આ વિશાળ બ્રહ્માંડ, તેની સુંદરતા, ચોકસાઈ અને તેનું વિગતવાર નિયંત્રણ કોઈ સર્જક વગર અસ્તિત્વમાં આવ્યું છે?
હે માનવી! જે રીતે તમે સ્વીકારી નથી શકતા કે આ સુંદર રીતે તૈયાર કરવામાં આવેલો આધુનિક મોબાઈલ કોઈ પ્રયોજક અને ઉત્પાદક વગર આવ્યો છે અથવા ઉપકરણોનું એક જટિલ નેટવર્ક જે કોઈ આયોજક અથવા નિરીક્ષક વગર ચોકસાઈ પૂર્વક કામ કરી રહ્યું છે, એવી જ રીતે બુદ્ધિ તે પણ સ્વીકાર કરતી નથી કે કહેવામાં આવે: આ મહાન બ્રહ્માંડ તેની વ્યવસ્થા, સર્જનાત્મકતા, ચોક્કસ નિયમો અને સંપૂર્ણ વ્યવસ્થા સાથે કોઈ પણ સર્જનહાર વગર અસ્તિત્વમાં આવ્યું છે?!
ખરેખર આ બ્રહ્માંડનો દરેક ભાગ, નાનામાં નાના કણથી લઇ મોટામાં મોટી આકાશગંગા સુધી દરેક તેના મહાન સર્જકને દર્શાવે છે; કારણકે આ ચોક્કસ વ્યવસ્થા કોઈ વ્યવસ્થાપક વિના અસ્તિત્વમાં આવી હોય તે તાર્કિક રીતે અશકય છે, ખરેખર બુદ્ધિ તે વાતને પણ નકારી કાઢે છે કે આ બ્રહ્માંડ બિન અસ્તિત્વમાંથી ઉદ્ભવ્યું છે, અથવા આ જટિલ સુંદર વ્યવસ્થા આંધળા તકનું પરિણામ છે!
એવી જ રીતે સાચી બુદ્ધિ અને યોગ્ય વૃત્તિ માનવીને ભ્રમાંડના સર્જકના અસ્તિત્વ તરફ દોરી જાય છે, તે આપણને સર્જકના ગુણો અને આપણા પર તેના અધિકારો વિષે ચિંતન-મનન કરવા પર પ્રોત્સાહિત કરે છે.
ખરેખર આ સર્જકના ગુણોમાં ચિંતન-મનન કરવાથી, આપણને તેના સંપૂર્ણ અને દરેક પ્રકારની ખામીઓથી પવિત્ર હોવાની આવશ્કતાની ઊંડી સમજણના દ્વાર ખુલે છે.
તેનો અર્થ એ કે સર્જક દરેક પ્રકારની સુંદરતા અને મહાનતાના ગુણો ધરાવે છે, તે પવિત્ર છે, દરેક પર કુદરત ધરાવે છે, દરેક વસ્તુને સારી રીતે જાણે છે, જે કઈ તેણે સર્જન કર્યું છે અને જે નક્કી કર્યું છે તેમાં તે હિકમતવાળો છે, આ પૂર્ણતા ફક્ત સંભાવના નથી, પરંતુ એક તાર્કિક આવશ્કતા છે; કારણકે સર્જકના ગુણોમાં ખામી તે સર્જન અને વ્યવસ્થામાં ખામી તરફ દોરી જશે, આ બ્રહ્માંડમાં આપણે જે પૂર્ણતા જોઈએ છે તેની સાથે અસંગત છે.
કોઈ પણ ખામીથી મુક્ત હોવા માટે તે પણ જરૂરી છે કે સર્જક પોતાના સર્જનથી બેનિયાઝ હોય અને કોઈનો મોહતાજ ન હોય, પરંતુ દરેકને પોતાના અસ્તિત્વ માટે તેની જરૂર હોય, તે પવિત્ર અલ્લાહ જે શિર્ક, સંતાનથી પવિત્ર છે, કારણકે તે બંને ખામી અને કમજોરી દર્શાવે છે, અને અલ્લાહ આ દરેક વસ્તુથી ઉચ્ચ અને સર્વોચ્ચ છે.
તો અલ્લાહ જ મહાન સર્જક છે, જેમાં મહાન ગુણો સમાયેલા છે, અને તે જ છે જેણે આપણને અને આ સૃષ્ટિને કોઈ પણ વસ્તુ વગર પેદા કર્યા, અને તે જ સૃષ્ટિમાં રહેલ દરેક વસ્તુઓનો માલિક છે, અને તે જ આપણને રોજી આપનાર છે, અને તે જ પોતાની કૃપા વડે ઘેરાવ કરનાર છે, અને તે જ દરેક વસ્તુઓનો નિયંત્રક અને વ્યવસ્થાપક છે, તો શું આપણા માટે જરૂરી નથી કે આપણે તેનો આભાર વ્યક્ત કરીએ, અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને તેના અધિકાર પુરા પાડીએ અને તેણે જે હેતુ ખાતર આપણને પેદા કર્યા છે તે કરીએ?!
શું તે શક્ય છે કે અલ્લાહ આપણને પેદા કરે અને તે ન જણાવે કે તે આપણી પાસે શું ઈચ્છે છે? આપણે અહીંયા કેમ છીએ? જીવનમાં આપણા અસ્તિત્વનો હેતુ શું છે? મૃત્યુ પછી આપણું શું થશે?
મારી સાથે ચિંતન-મનન કરો કે એક વ્યક્તિએ એક ભવ્ય ઈમારત બનાવી, તેને નવીનતમ ટેકનોલોજી દ્વારા સજ્જ કરી, અહીં સુધી કે તે તેનું બાંધકામ પૂર્ણ કરી લે છે, પરંતુ તે અચાનક કોઈ કારણ વગર તેને તોડવા માટે આગળ વધે છે, તો શું આપણે તે વ્યક્તિને બુદ્ધિશાળી કહી શકીએ છે? શું તે સ્પષ્ટ નથી કે આ પ્રકારનું કાર્ય એક બુદ્ધિશાળી વ્યક્તિ માટે બેકાર અને અયોગ્ય છે?
તો જો આ કાર્ય કોઈ માનવી માટે યોગ્ય નથી તો આપણે કેવી રીતે માની લઈએ કે હિકમતવાળો અને દરેક વસ્તુને જાણવાવાળો, જેણે આ મહાન અને સુંદર બ્રહ્માંડને સર્જનાત્મક અને સંપૂર્ણ બનાવ્યું, ફરી તેને તે કોઈ કારણ અને હેતુ વગર તેને નષ્ટ કરી દે?
ખરેખર અલ્લાહએ માનવીને એક મહાન હેતુ ખાતર પેદા કર્યા છે, જે ફક્ત તેની ઈબાદત છે, જેનો કોઈ ભાગીદાર નથી, તેણે તેમને દુનિયામાં અજમાયશ ખાતર પેદા કર્યા છે, અને તેણે તેમના માટે કયામતના દિવસને તેમના કાર્યોનો હિસાબ લેવા માટે એક સમય નક્કી કરી દીધો છે, જે વ્યક્તિ અલ્લાહ પર ઈમાન લાવે અને તેના આમંત્રણને સ્વીકારે, તેના માટે કાયમી જન્નત છે અને જે વ્યક્તિ સત્યથી મોઢું ફેરવી લેશે, તેના માટે જહન્નમ છે.
બસ ઈબાદત એક એવો અધિકાર છે જે આપણા માટે જરૂરી છે; કારણ કે આપણા અસ્તિત્વનો તે જ હેતુ છે, જે આપણા આભાર વ્યક્ત કરવાનો અને અલ્લાહના પાલનહાર અને ઈબાદતને લાયક હોવાનો પુરાવો છે.
જરા વિચારો કે અલ્લાહ જેણે તમને પેદા કર્યા અને તમને શ્રવણ અને દ્રષ્ટિથી સન્માનિત કર્યા, અને તમને અસંખ્ય નેઅમતો (ભેટો) આપી, તે જ છે, જે તમારી રગોમાં રક્ત વહાવે છે, તમને પાણી અને હવા આપે છે, તમે દરેક ક્ષણે તેના મોહતાજ છો, જો તેની કૃપા અને સંભાળ ન હોત, તો તમે નષ્ટ થઇ જતા, અને તમારી શક્તિ અસ્તવ્યસ્ત થઇ જતી, ખરેખર તે પવિત્ર છે, તેણે જ તમને રોજી પહોંચાડવાની જવાબદારી લીધી, જયારે તમે પોતાના માતાના ગર્ભમાં લાચાર અને પોતાના કાર્યોનું નિયંત્રણ રાખવામાં અસમર્થ હતા.
શું આ મહાન સર્જક ઈબાદતને લાયક નથી, જે પ્રમાણે તે ઈચ્છે છે? અથવા તમે જે પ્રમાણે ઈચ્છો છે? જરા વિચારો કે તમે પોતાની માતા ને કોઈ ભેટ આપવા ઈચ્છો, તો શું કોઈ એવું વસ્તુ પસંદ કરશો, જે તમને પસંદ હોય અને તમારા માટે યોગ્ય હોય અથવા તે જાણવાનો પ્રયત્ન કરશો કે કેવી વસ્તુ તેને પસંદ છે અને તેના માટે યોગ્ય છે? એવી જ રીતે અલ્લાહની ઈબાદત પણ આપણી મનેચ્છા અથવા વારસાગત રીવાજો અનુસાર ન હોવી જોઈએ, પરંતુ તે પ્રમાણે હોવી જોઈએ, તે પવિત્ર ઈચ્છે છે એ જે પ્રમાણે તેણે આપણને આદેશ આપ્યો છે.
ઈબાદત ફક્ત એક અલ્લાહ માટે હોવી જોઈએ, જેનો કોઈ ભાગીદાર નથી, કોઈ વ્યક્તિ માટે માન્ય નથી કે તે પોતાની ઈબાદત પોતાના સર્જક સિવાય અન્ય માટે કરે, સૌથી મોટો ગુનોહ જે જહન્નમમાં કાયમી રહેવાનું કારણ બનશે, તે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેરવવું છે, આ ત્યારે થાય છે જયારે માનવી સર્જનીઓ માંથી કોઈની ઈબાદત કરે છે, જેમ કે મૂર્તિઓ, સૂર્ય અથવા ચંદ્ર અથવા કોઈ માનવી, જાનવર અથવા સદાચારી વ્યક્તિની ઈબાદત કરતો હશે, આ દરેક એક પ્રકારનું શિર્ક અને કુફ્ર છે, અને જે વ્યક્તિ આ સ્થિતિમાં મૃત્યુ પામશે તેને જહન્નમની આગ દ્વારા કાયમી અઝાબ આપવામાં આવશે.
ખરેખર અલ્લાહએ ઘણા પયગંબરો અને નબીઓ મોકલ્યા, જેથી તે આપણને આ દુનિયામાં આપણા અસ્તિત્વનો હેતુ જણાવી શકે, દરેક પયગંબરોનો એક જ સંદેશો હતો, જે ઇસ્લામનો સંદેશ છે, અને ફક્ત સર્જકની ઈબાદતનું આમંત્રણ છે, જેનો કોઈ ભાગીદાર નથી, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેમણે પાછલા પયગંબરો દ્વારા લાવેલ સંદેશામાં ફેરફાર કરી દીધો, તો અલ્લાહએ માનવજાતિ માટે પોતાના અંતિમ પયગંબર મુહમ્મદને મોકલ્યા અને તેમને અંતિમ સંદેશ (પુસ્તક) આપી, જેને પવિત્ર કુરઆન કહેવામાં આવે છે, ઘણા તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવા દ્વારા જાણવા મળે છે કે કુરઆન અલ્લાહની વાળી છે, અને તે એક એવી પુસ્તક છે, જેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી, અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે તે માનવીઓ પાસે ઇસ્લામ સિવાય અન્ય કોઈ ધર્મ સ્વીકારશે નહીં, અને દરેક પયગંબરોનો એક જ સંદેશો હતો: ફક્ત સર્જકની ઈબાદત કરવાનું આમંત્રણ, જેનો કોઈ ભાગીદાર નથી, અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે મોમિનો માટે જન્નત અને કાયમી નેઅમતો છે, અને જે લોકો અલ્લાહ સિવાય અન્યની ઈબાદત કરે છે અથવા ઇસ્લામ સ્વીકારતા નથી તેમના જહન્નમ અને દુઃખદાયી અઝાબ છે.
જે બાબત ઇસ્લામને અન્ય ધર્મોથી અલગ કરે છે તે એ કે ફક્ત મુસલમાનો જ એવા ભરોસાપાત્ર જ્ઞાનના સ્ત્રોતોના આધારે તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરી શકે છે, જે સાબિત કરે છે કે આજે તેમની પાસે જે પવિત્ર કુરઆન છે, તે પવિત્ર સર્જકની વાળી છે, અને દરેક પ્રકારના ફેરફાર અને વિકૃતિથી સુરક્ષિત છે.
પવિત્ર કુરઆન તે ગ્રંથ છે, જે અલ્લાહએ પોતાના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતાર્યું છે, તેની સાથે તેણે ચૌદ સદીઓ પહેલા માનવજાતિને પડકાર આપ્યો કે તેઓ તેના જેવું કુરઆન અથવા એક સૂરહ લઇ આવે, પરંતુ તેઓ અસફળ રહ્યા, આ પડકાર આજે પણ સ્થિત છે; કારણ કે કોઈ પણ વ્યક્તિ વકતૃત્વ, સ્પષ્ટતા, ચમત્કારિકતા અને શરીઅત પ્રમાણે તેની સરખામણી કરી શક્યો નથી, અને ન તો આટલા વર્ષો સુધી કોઈ તેની માફક કોઈ વસ્તુ રજૂ કરી શક્યું છે, કુરઆનનું ચમત્કારિક સ્વરૂપ ફક્ત તેની ભાષા સુધી માર્યાદિત નથી, જે વકતૃત્વ, સ્પષ્ટતાના શિખરે પહોંચી ગઈ છે, પરંતુ તેમાં તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનો સમાવેશ છે, જે પુષ્ટિ કરે છે કે તે અલ્લાહની વાળી છે, જો કુરઆનમાં સ્પષ્ટ પુરાવા આવેલા છે કે તે અલ્લાહની વાળી છે, તો સમજદારી અને તાર્કિક વાત એ છે કે તેના પર ઈમાન લાવવું અને જે કઈ પણ તેમાં છે, તેનું અનુસરણ કરવું, અને તે દરેક પુસ્તકોના આધારે અમલ કરવામાં ન આવે જે માનવ હસ્તક્ષેપથી પ્રભાવિત હતી.
યોગ્ય બુદ્ધિ આપણને એવું માનવા તરફ આકર્ષિત કરે છે કે બ્રહ્માંડનું સર્જન કરનાર અને તેની વ્યવસ્થાને પૂર્ણ કરનાર સર્જકની વાળી જાણવા માટે સૌથી ભરોસાપાત્ર સ્ત્રોત છે, જયારે આપણે આ ચમત્કારિક ભાષા, વૈજ્ઞાનિક પુરાવા અને સચોટ નિયંત્રણ સાથે તેનું દરેક સ્થિતમાં વિકૃતિથી સુરક્ષિત રહેવું દર્શાવે છે, તે ખરેખર અલ્લાહની વાળી છે.
એટલા માટે જે પણ કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યું છે તેના પર ફક્ત ઈમાન લાવવું નથી પરંતુ તે તાર્કિક નિર્ણય છે, જે સત્યની શોધના તર્ક સાથે સુસંગત છે.
ખરેખર ઉચ્ચ અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે તેણે આપણને વ્યર્થ પેદા નથી કર્યા, પરંતુ તેણે આપણને તેની ઈબાદત કરવા માટે પેદા કર્યા છે.
એવી જ રીતે અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે આપણે જે દુનિયાનું જીવન જીવી રહ્યા છે, તે ફક્ત એક ક્ષણિક તબક્કો છે, જે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે, ખરેખર સાચું અને કાયમી જીવન તો આખિરતમાં હશે, જેમાં મોમિનો જન્નતમાં રહેશે અને કાફિરો જહન્નમમાં રહેશે.
તે સર્જનહાર, જેણે આપણને બિન અસ્તિત્વમાંથી અસ્તિત્વ આપ્યું, તે ખરેખર આપણને મૃત્યુ પછી ફરીવાર જીવિત કરવા પર સક્ષમ છે, સૃષ્ટિમાં આપણી આસપાસ રહેલી નિશાનીઓમાં આપણે મૃતક વસ્તુને જીવિત કરવા માટે અલ્લાહની અપાર શક્તિના પુરાવા જોઈએ છીએ, જે રીતે અલ્લાહ લીલા વૃક્ષોમાંથી અગ્નિને ઉત્પન્ન કરે છે, સુકી જમીનમાંથી પાક અને ફળો ઉત્પન્ન કરે છે, માતાના ગર્ભમાં શુક્રાણુંના ટીપા માંથી ગર્ભનું સર્જન કરે છે, ખરેખર તે પવિત્ર મૃતકોને જીવિત કરવા અને કયામતના દિવસે તેમની પાસે બદલો લેવા અને તેમને કબરો માંથી ઉભા કરવા પર સક્ષમ છે, અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અત્યાચારી અને પીડિતનું જીવન કોઈ પણ હિસાબ વગર ખત્મ કરવું અન્યાયી છે.
ખરેખર કોઈ વ્યક્તિ સવાલ કરી શકે છે કે ઇસ્લામ જ કેમ અન્ય કોઈ ધર્મ કેમ નહીં?
ખરેખર સૌથી મહાન વસ્તુ જે માનવીને દરેક સર્જનીઓથી અલગ કરે છે, તે બુદ્ધિ છે, જેનું કામ વિચારવું અને સત્યને શોધવું છે.
ખરેખર ઇસ્લામ એક એવો ધર્મ છે, જે બુદ્ધિ અને વૃત્તિ સાથે સુસંગત છે, જે અસ્તિત્વના મુખ્ય સવાલોનો તાર્કિક જવાબ આપે છે: આપણે અહીંયા કેમ છીએ? આપના જીવનનો હેતુ શું છે? મૃત્યુ પછી શું થશે?
ઇસ્લામ ફક્ત એક સર્જકની ઈબાદત કરવા અને તે વાતની સાક્ષી આપવા પર આધારિત છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, જે ઇસ્લામમાં ઈમાનનો આધાર છે, અને તેનો અર્થ એ કે એક અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી.
આ સાક્ષીમાં નીચે મુજબ વાતોનો સમાવેશ થાય છે:
તૌહીદ: અર્થાત્ એક એવા ઇલાહ (પૂજ્ય) પર ઈમાન લાવવું, જે એકલો ઈબાદતને લાયક છે, જેનો કોઈ ભાગીદાર નથી, અને ન તો કોઈ સંતાન છે અને ન તો તેના જેવું કોઈ છે.
શિર્કથી નિર્દોષતા: અર્થાત્ મનુષ્યો દ્વારા બનાવામાં આવેલ દરેક મૂર્તિઓ અને પૂજ્યોનો ઇન્કાર કરવો.
ઇસ્લામ દરેક પયગંબરો પર ઈમાન લાવવાનું કહે છે, જેથી મોમિનો ઈમાન રાખે છે જે પ્રમાણે અલ્લાહએ કુરઆનમાં જણાવ્યું કે ઈસા અલ્લાહના બંદા અને તેના પયગંબર છે, અને તે અલ્લાહના પુત્ર નથી; કારણકે અલ્લાહ મહાન છે જે પત્ની અને સંતાનથી અળગો છે; કારણકે તે તેમના અને દરેક વસ્તુથી બેનિયાઝ છે, અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે ઈસા અલૈહિસ્ સલામ એક પયગંબર હતા જેમને અલ્લાહએ ઘણા મુઅજિઝા (ચમત્કારો) આપ્યા હતા અને અલ્લાહએ તેમને તેમની કોમને અલ્લાહની ઈબાદત કરવા તરફ આમંત્રણ આપવા માટે મોકલ્યા, જેનો કોઈ ભાગીદાર નથી, અને અલ્લાહએ આપણને જણાવ્યું કે ઈસા અલૈહિસ્ સલામએ લોકોને પોતાની ઈબાદત તરફ બોલાવ્યા ન હતા, પરંતુ તેઓ પોતે પણ પોતાના સર્જકની ઈબાદત કરતા હતા, જો તમે સાચે જ ઈસા અલૈહિસ્ સલામ પર ઈમાન લાવવા ઈચ્છો છો, જે અલ્લાહને પસંદ છે, તો તમારે ઇસ્લામ સ્વીકારવો પડશે.
અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે ઈસા અલૈહિસ્ સલામએ લોકોને અલ્લાહની ઈબાદત તરફ આમંત્રણ આપ્યું અને તેમને શિર્કથી સચેત કર્યા.
શું એક બુદ્ધિશાળી વ્યક્તિ માટે પોતાના જેવા સર્જનની ઈબાદત કરવી તાર્કિક છે, જે ભૂખ્યો, તરસ્યો અને પોતે મૃત્યુ અથવા નુકસાનથી બચી શકતો નથી? હે માનવી! તમે મરયમના પુત્ર ઈસાની કેવી રીતે ઈબાદત (પૂજા) કરી શકો છો, એક એવા માનવીની જેને ખાવા-પીવાની જરૂર હતી, જે પોતાના સર્જક પાસે દુઆ માંગતો હતો?! શું બુદ્ધિ તે વાત સ્વીકારી શકે છે કે કોઈ પૂજ્ય પોતાને જ દુઆ કરે? શું તે એવો પૂજ્ય નથી જે મહાન ગુણો ધરાવે છે? જે સંપૂર્ણ એકલો, કોઈ પ્રકારની સરખામણીથી પવિત્ર, અને શું તે સૃષ્ટિની દરેક વસ્તુ પર કુદરત ધરાવનાર અને તેના આધીન નથી? આ કેવી રીતે શક્ય છે કે આકાશો અને જમીનને પેદા કરનાર, બાળપણમાં પેદા થઇ પોતાના કૃસારોહણ માટે પોતાના સર્જનને સોંપી દે? જેને ફાંસી આપવામાં આવે છે અથવા હત્યા કરવામાં આવે છે, તે નાશ પામે છે, પરંતુ સર્જક જીવિત છે, જેને ક્યારેય મૃત્યુ નથી આવતું, જે આત્મનિર્ભર છે, જેને ન તો સુસ્તી આવે છે ન તો ઊંઘ, શું આ તેની મહાનતા અને પૂર્ણતાનો ભાગ નથી કે તે આ પ્રકારની વસ્તુઓથી દૂર છે?
ખરેખર અલ્લાહએ આપણને પવિત્ર કુરઆનમાં જણાવ્યું કે દરેક પયગંબરો એક જ સંદેશો લઈને આવ્યા હતા, તે એ કે પોતાની કોમને અલ્લાહની ઈબાદતનું આમંત્રણ આપવું, અન્યને ભાગીદાર બનાવ્યા વગર, પરંતુ સમય પસાર થતા લોકોએ આ કાયમી સંદેશમાં ફેરફાર કરી દીધો, જેણે પયગંબરોએ લાવેલ તૌહીદના પ્રકાશને અંધકારમાં ફેરવી દીધો, જેથી અલ્લાહએ અંતિમ પયગંબરોમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મોકલ્યા અને તેમના પર વહી ઉતારી, જેથી તૌહીદના સંદેશનું નવીકરણ કરવામાં આવે, જે પહેલાના દરેક પયગંબરો લઈને આવ્યા હતા.
અંતમાં અમે તમને કહીએ છીએ, હે માનવી:
ઇસ્લામ એક તાર્કિક અને વૃત્તિ સાથે સુસંગત ધરાવતો ધર્મ છે, તે એકલો એવો ધર્મ છે, જે મહાન સર્જકે માનવજાતિ માટે સૂચવ્યો છે, તેથી દરેક બુદ્ધિશાળી વ્યક્તિ અલ્લાહને પોતાનો પાલનહાર, ઇસ્લામને ધર્મ અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પયગંબર માની ઇસ્લામ સ્વીકાર કરવામાં ઉતાવળ કરે, આ એવી બાબત છે, જેમાં માનવી પાસે કોઈ અધિકાર નથી; કારણકે ઉચ્ચ અલ્લાહ કયામતના દિવસે તેને પૂછશે કે તેણે પયગંબરોને શું જવાબ આપ્યો, જો તે મોમિન હશે, તો તેને મહાન સફળતા પ્રાપ્ત થશે અને જો તે કાફિર હશે, તો તેને સ્પષ્ટ નુકસાન થશે.
જો તમે દુનિયામાં સાચી ખુશી અને આખિરતમાં સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, તો જાણી લો કે પોતાના જીવનનો સૌથી મહાન નિર્ણય ઇસ્લામ સ્વીકાર કરવો છે, તમારે ફક્ત આ શબ્દો સાચા દિલ અને ઈમાનથી કહે: "અશહદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, વ અશહદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલાહ" (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને હું સાક્ષી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ અલ્લાહના પયગંબર છે), ફરી પોતાના ધર્મની શિક્ષા પ્રાપ્ત કરવાનું અને તેના પ્રમાણે અમલ કરવાનું શરુ કરો, જો ઈમાનની બંને સાક્ષીઓની માંગણી છે, જે અલ્લાહ અને તેના પયગંબર પર ઈમાન અને ઇસ્લામના દરેક સ્તંભોનું અનુસરણ છે.
અત્યારે જ કહો, અચકાશો નહીં; કારણ કે મૃત્યુ અચાનક આવી શકે છે, તેથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં વિલંબ ન કરો, શૈતાન તમને સત્કાર્યો કરવાથી ન રોકે, બહાદુર બનો અને પ્રકાશ અને માર્ગદર્શન તરફ આગળ વધો.
હમણાં જ નિર્ણય લો અને શાંતિ અને સંતોષથી ભરપૂર જીવન શરૂ કરો.
"અશહદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, વ અશહદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલાહ" (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને હું સાક્ષી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ અલ્લાહના પયગંબર છે).