شرح ألفاظ الأذان
كتاب ألفاظ الأذان شرح مختصر لمعاني ألفاظ الأذان بأسلوب يناسب غير المسلمين
અઝાનના શબ્દોની સમજૂતી
અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી પ્રસ્તુત કરતી કમિટી
અઝાન પાલનહારની પોકાર છે, જેને મુસલમાન દિવસમાં પાંચ વખત સાંભળે છે, જે તેને અલ્લાહની મહાનતા યાદ અપાવે છે અને તેને ભલાઇ તેમજ સફળતા તરફ બોલાવે છે, આ માનવી અને તેના પાલનહાર દરમિયાન સંબંધ માટેનો એક ક્ષણ છે, થોડીક વાર માટે તે દુનિયાના ઘોંઘાટથી દૂર થઇ, પોતાના પાલનહારના સમક્ષ ઉભો રહી સબંધ જોડી શકે છે. અઝાન ફક્ત નમાઝ માટે આપવામાં આવતી પોકાર નથી, પરંતુ તે શાંતિ, ઇમાન, ભરોસો અને અલ્લાહ સાથે મજબૂત સંબંધની પોકાર છે. અઝાનના અર્થ ખૂબ જ મહાન છે, જે અલ્લાહની મહાનતાથી શરૂ થાય છે અને નમાઝ તરફ બોલાવવા પર પૂર્ણ થાય છે, જેમાં એક મુસલમાન શાંતિ અનુભવે છે. જ્યારે પણ અઝાન થાય છે, તો દિલમાં એક વિચાર આવે છે સાચું જીવન તો અલ્લાહથી નજીક હોવાથી શરૂ થાય છે.
અઝાનના શબ્દો:
"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે,અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે).
"અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે)
મહાન શબ્દ "અલ્લાહ" ઇલાહના અર્થમાં સાચો ઇલાહ, આ સર્વશ્રેષ્ઠ સર્જક પાલનહારનું મહાન નામ છે, દરેક ઇલાહના નામ તેના આધીન છે અને તેને વર્ણન કરે છે, અલ્લાહ એક જ છે, ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન અને તે આકાશ અને જમીનનો સર્જક છે.
અલ્લાહુ અકબર કહેવાનો અર્થ એ કે અલ્લાહ દરેક વસ્તુથી મહાન છે, તે એટલો મહાન છે કે તેની મહાનતા અને સપૂર્ણતા સુધી કોઈ પહોંચી શકતું નથી.
અલ્લાહુ અકબર.. આ શબ્દ મુસલમાનને યાદ અપાવે છે કે તેને તેના જીવનમાં કોઈ પણ વસ્તુ પોતાના પાલનહારથી ગાફેલ ન કરે, તેણે પોતાના પાલનહાર તરફ નજર કરવી જોઈએ અને તેણે પોતાનું જીવન અલ્લાહની ઈચ્છા અને તેની શરીઅત પ્રમાણે જીવવું જોઈએ, તેણે મનેચ્છા અને ગેરમાર્ગે ન જવું જોઈએ, કારણકે અલ્લાહ દુનિયાની દરેક વસ્તુથી ખૂબ મહાન છે.
અલ્લાહુ અકબર સાંભળવાની સાથે જ ઉત્પાદક પોતાનું કામ, ખેડૂત પોતાનું ખેડાણ, વેપારી પોતાની દુકાન બંધ કરે છે. તેમજ એક શિક્ષક શિક્ષા આપવાનું રોકી દે છે; કારણકે અલ્લાહ દરેક કામ અને અમલથી સૌથી મહાન છે, આ કામથી રોકાઈ જવું અને ઈબાદત કરવા તરફ ફરવું, તે વાતનો પુરાવો છે કે એક મોમિનના દિલમાં અલ્લાહ દુનિયાની દરેક વસ્તુ કરતા સૌથી મહાન છે. અલ્લાહ દરેક આફત અને મુસીબત કરતાં અને જીવનના કોઈપણ સંજોગો કરતાં મહાન છે, અને જે કોઈ તેના પર ઇમાન ધરાવે છે, તે આ પ્રમાણેની મુશ્કેલીની ચિંતા નહીં કરે અને તેના હૃદયને શાંતિ મળશે, કારણકે તે અલ્લાહ સાથે છે અને તેના નિર્ણયથી સંતુષ્ટ છ, અને તેની હિકમત અને વ્યવસ્થા પર ઇમાન ધરાવે છે.
"અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ", (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી).
"અશ્હદુ અલ્ લા ઈલાહ ઇલ્લલ્લાહ" (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી)
આ પ્રથમ સાક્ષી છે, તેનો અર્થ એ કે અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જક, તેનો પાલનહાર, તેનો માલિક અને વ્યવસ્થાપક છે, તો જરૂરી છે કે ફક્ત તે એકલાની જ ઈબાદત કરવામાં આવે, તેના સિવાય કોઈની ઈબાદત કરવામાં ન આવે, કારણકે એક અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેની કોઈ સંતાન નથી, તેના જેવું કોઈ નથી, એટલા માટે અલ્લાહ સિવાય કોઈ બીજાની ઈબાદત કરવામાં ન આવે અને ન તો તેના સિવાય કોઈની પાસે દુઆ માંગવામાં આવે.
આ સાક્ષી અસ્તિત્વમાં રહેલી સૌથી મોટી સાક્ષી છે, અને ઇમાનના સિદ્ધાંતોનું મૂળ છે, કારણકે દરેક પયગંબરો, જેમકે નુહ, ઈબ્રાહીમ, મૂસા, ઇસા અને મુહમ્મદ સુધી જેટલા પણ નબી આવ્યા, તે પયગંબરોએ પોતાની કોમને સૌ પ્રથમ એકરાર, કબૂલ અને ઇમાન સ્વીકારવા તરફ આમંત્રિત કર્યા કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, આ તે શબ્દો છે, જેના માટે અલ્લાહએ આ સૃષ્ટિ બનાવી, સમયાંતરે પોતાના પયગંબરોને મોકલ્યા અને સમજૂતી માટે આકાશીય પુસ્તકો પણ ઉતારી, સવાબ રૂપે જન્નત તૈયાર કરવા આવી છે, અને જે વ્યક્તિ ઇમાન અને યકીન સાથે મૃત્યુ પામશે તો પછી તેના પર જહન્નમ હરામ છે.
આ શબ્દો ઇમાનની ચાવી, મુક્તિનો સ્ત્રોત, દિનનું મૂળ અને તૌહીદનો આધાર ગણવામાં આવે છે.
આ શબ્દના કારણે લોકોને તેમની કબરોથી કયામતના દિવસે ઉઠાડવામાં આવશે અને તેમનો હિસાબ કરવામાં આવશે; જે વ્યક્તિએ તેના પર અડગ રહી જીવન પસાર કર્યું હશે, તો તે સફળ અને કામયાબ ગણવામાં આવશે, અને જે વ્યક્તિઅ આ શબ્દની વિરુદ્ધ ગયો અને તેનાથી વિપરીત જીવન પસાર કર્યું, તો હમેંશા માટે તે જહન્નમમાં જશે.
"અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ", (હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના પયગંબર છે, હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના પયગંબર છે).
"અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ" (હું સાક્ષી આપું છું કે મોહમ્મદ અલ્લાહના પયગંબર છે).
આ ગવાહીનો અર્થ એ છે કે એક મુસલમાન સાક્ષી આપી રહ્યો છે કે અલ્લાહએ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહના સંદેશા આપી અંતિમ પયગંબર બનાવી મોકલ્યા, જેથી તેઓ લોકો સુધી તેમના પાલનહારનો સંદેશો પહોંચાડી દે, એક મુસલમાને જાણી લેવું જોઇએ કે અલ્લાહની ઈબાદત કરવા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો કોઈ માર્ગ નથી સિવાય એ કે અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પયગંબર હોવાની સાક્ષી આપવામાં આવે, તેમના અનુયાયી બની અનુસરણ કરવામાં આવે, અને અલ્લાહની ઈબાદત તેમની શરીઅત મુજબ કરવામાં આવે, એવી જ રીતે એક મુસલમાને જાણી લેવું જોઈએ કે તે દરેક ઈબાદત જેના દ્વારા તે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે તે જો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ન જણાવ્યુ હોય, તે અમાન્ય છે, તેને દુનિયા અને આખિરતમાં કોઈ ફાયદો થશે નહીં, પરંતુ તેના પર તેની પકડ કરવામાં આવશે અને તેને સજા આપવામાં આવશે; કારણકે તેને અલ્લાહની ઈબાદત તે તરીકાથી કરી હતી જે તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યો ન હતો.
આ સાક્ષીમાં તે વાતનો પણ સમાવેશ થાય છે કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના બંદા અને સમગ્ર સૃષ્ટિ માટે પયગંબર બનાવી મોકલવામાં આવ્યા છે અને તે પણ કે તેઓ પયગંબરોની શ્રુખલામાં અંતિમ પયગંબર છે, તેમના પછી કોઈ નબી નહીં આવે, એવી જ રીતે આ સાક્ષીમાં તે વાતનો પણ સમાવેશ થાય છે, જે આયતો તે લઈને આવ્યા, જે મહાન કુરઆન મજીદની આયતો છે, જે અંતિમ ઇલાહી સંદેશ છે, જે આજે પણ તે ભાષામાં સ્થિત છે જે ભાષામાં ઉતારવામાં આવી છે, જે વધ-ઘટ, અને ફેરફારથી સુરક્ષિત છે, તેનો પણ સ્વીકાર કરવામાં આવે, અને કુરઆન મજીદ તેની વિપુલતા તેના આદેશ અને માર્ગદર્શનમાં સચોટ કિતાબ છે, અલ્લાહ તઆલાએ સંપૂર્ણ માનવજાતિને પડકાર આપ્યો છે કે તેના જેવી એક સૂરહ બનાવી લાવો, તો પણ આટલા વર્ષો પસાર થઈ ગયા, પરંતુ તેઓ લાવી શક્યાં નથી.
એવી જ રીતે આ સાક્ષીમાં તે વાતનો પણ સમાવેશ થાય છે, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને તૌહીદ તરફ ધ્યાન દોરવા માટે આવ્યા છે, જેવું કે પહેલા ઈબ્રાહીમ, મૂસા અને ઈસા અલયહિસ્ સલામએ પણ તે પહેલા આપ્યો હતો. તેઓ સમગ્ર સૃષ્ટિના પાલનહારના પયગંબર છે, તે જ માર્ગ પર ચાલી રહ્યા હતા જેના પર દરેક પયગંબરો પોતાના પાલનહારના સંદેશાને પહોંચાડવા બાબતે અપનાવતા હતા, સિવાય એ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી કોઈ પયગંબર નથી.
"હય્ય અલસ્ સલાહ, હય્ય અલસ્ સલાહ" (આવો નમાઝ તરફ, આવો નમાઝ તરફ)
"હય્ય અલસ્ સલાહ" (આવો નમાઝ તરફ)
આ વાક્યનો અર્થ: હે મોમિનો, તમારા પાલનહારની ઈબાદત તરફ આવો, કારણકે તે માફ કરવાવાળો અને અત્યંત દયાળુ છે, તે તૌબા કબૂલ કરવાવાળો છે, અને ગુનાહોને માફ કરવાવાળો છે.
મુસલમાનોનું એક જૂથ એક વ્યક્તિને આદેશ આપે છે કે તે દરરોજ પાંચ વખત અઝાન આપે, જે અલ્લાહ માટે મહાન સન્માન છે, તે લોકોને દરરોજ પાંચ વખત બોલાવે છે અને તેમને કહે છે: આઓ અને પોતાના પાલનહારની ઈબાદત કરો.
નિઃશંક આ સૂચના મોમિનો માટે યાદગીરી છે કે આ સમય પોતાના પાલનહારની ઈબાદતનો છે, તેમણે દુનિયાના કામ છોડી દેવા જોઈએ અને ઈબાદત તરફ જવું જોઈએ, અને જે કંઇ પોતાના હાથમાં હોય, વેપાર હોય કે નોકરી કરતા હોય છે, અલ્લાહ તરફ આવવું જોઈએ, અને આ જ તમારા સાચા ઇમાનની પરખ છે કે તમે તેને દરેક વસ્તુઓ પર પ્રાથમિકતા આપો.
આ અઝાન લોકોને નમાઝ તરફ બોલાવવા માટે છે, જે બંદા અને તેના પાલનહાર વચ્ચે એક સાચો સબંધ છે, આ એક એવી ઈબાદત છે જે વર્ગીકરણને ખત્મ કરે છે, અને દરેક લોકોને પોતાના પાલનહાર સમક્ષ સમાન બનાવે છે.
"હય્ય અલલ્ ફલાહ, હય્ય અલલ્ ફલાહ" (આવો સફળતા તરફ, આવો સફળતા તરફ)
"હય્ય અલલ્ ફલાહ" (આવો સફળતા તરફ)
સફળતા અર્થાત અલ્લાહની પ્રસન્નતા, કામયાબી તેમજ દુનિયા અને આખિરતમાં મુક્તિ, અને સલામતી, હમેંશાની ખુશી, અને સત્ય માર્ગ તરફ માર્ગદર્શન.
કામયાબીનો અર્થ એટલે અલ્લાહની પ્રસન્નતા, જન્નતની પ્રાપ્તિ, જહન્નમથી છુટકારો; કારણકે જે ઇમાન લાવશે અને નમાઝ પઢશે તે સફળ થઈ જશે, જે સફળ થઈ ગયો, તેને મુક્તિ પ્રાપ્ત થઇ ગઈ, અને હમેંશા માટેનું ઠેકાણું જન્નત મળી જશે
અઝાન આપનાર દરેક નમાઝના સમયે મોમિનોને યાદ અપાવે છે કે આવો અમન, શાંતિ, દિલની ઠંડક, આત્માની પવિત્રતા તેમજ દુનિયા અને આખિરતની ખુશી તરફ.
"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે), "લા ઇલાહ ઇલ્લલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી)
અઝાન તકબીર તેમજ તૌહીદ પર પૂર્ણ કરવામાં આવે છે.
અઝાન "અલ્લાહુ અકબર" ના શબ્દો સાથે પૂર્ણ કરવામાં આવેશે અને તેની પુષ્ટિ "લા ઇલાહ ઇલ્લલ્લાહ" દ્વારા થાય છે, આ બન્ને શબ્દો પાછળના દરેક અર્થની પુષ્ટિ કરે છે, અને તેના પર જ માનવીના અસ્તિત્વનો આધાર છે, અને આ જ સૃષ્ટિની સાચી વાસ્તવિકતા છે, ભલેને માનવી જાણતો હોય કે ન જાણતો હોય, અથવા આ વાત તેના સુધી પહોંચી હોય કે ન પહોંચી હોય, આ ભવ્ય ખબરથી અજાણ રહેવાથી કંઈ નુકસાન થતું નથી. આ સત્યતા ગમે તેટલો સમય પસાર થઇ જાય, બદલાતી નથી અને ક્યારેય બદલાશે પણ નહી, તે એ છે કે અલ્લાહ દરેક વસ્તુથી મહાન છે, અલ્લાહ જ સાચો ઇલાહ છે, તે એકલા જ ઈબાદતને લાયક છે, અને તેના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની ઈબાદત કરવી અમાન્ય છે.
આ આદેશ છે કે અલ્લાહની મહાનતા વર્ણન કરવામાં આવે અને તેની સાક્ષી આપવામાં આવે, જેવું કે તેણે પોતે સાક્ષી આપી છે, તેમજ તેના પયગંબરોએ સાક્ષી આપી અને મોમિનોને સાક્ષી આપી છે.
અંતમાં: અઝાન ફક્ત નમાઝ માટેનું આમંત્રણ નથી, પરંતુ તે સફળતા, વિજય અને નજાત માટેની પોકાર છે, આ સંદેશો એક દિવસમાં પાંચ વખત મસ્જિદોમાં પોકારવામાં આવે છે, જે દિલને જાગૃત કરે છે અને આપણને યાદ અપાવે છે અલ્લાહ નજીક જ છે, મનની શાંતિ શક્ય છે, અને સફળતાનો માર્ગ નમાઝ અને બંદા તેના સર્જક વચ્ચે એક સબંધ જોડવાથી શરૂ થાય છે.
તમે પણ મુઅઝ્ઝિનના જવાબમાં આ શબ્દો પઢો: અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહ ઇલલ્લાહ, તમે પણ તૌહીદની સાક્ષી આપો, તે વસ્તુની જેની સાક્ષી અલ્લાહએ આપી, અને તે સત્યતાની જે તેના પયગંબરો લઈને આવ્યા છે, તમે પણ સફળ અને સાચા મુસલમાન લોકો માંથી બની જશો.
પોતાના હૃદયને ઇમાન માટે ખોલી કહો: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, વ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ" (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના પયગંબર છે), તમે પણ અલ્લાહની કૃપામાં દાખલ થઇ જશો, દુનિયામાં ખુશી પ્રાપ્ત થશે અને આખિરતમાં નજાત મળશે, અને કયામતના દિવસે મોમિનોના જૂથ સાથે હશો.