المختصر في صفة الحج
હજ્જની સંક્ષિપ્ત રીત દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, દરૂદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના ઘરવાળાઓ અને તેમના દરેક સહાબાઓ પર.
હજ્જની સંક્ષિપ્ત રીત દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, દરૂદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના ઘરવાળાઓ અને તેમના દરેક સહાબાઓ પર.
ત્યાર પછી:
આ હજ્જની સંક્ષિપ્ત રીત દર્શાવતી પત્રિકા છે, જેમાં એક હાજીને જે બાબતો જાણવી જરૂરી છે, તેને વર્ણન કરવા માટે અમે ઘણા ઉત્સુક છે.
અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ કામને ફક્ત અલ્લાહની પ્રસન્નતા માટે કરવાની તૌફીક આપે અને આ પત્રિકાને દરેક મુસલમાનો માટે ફાયદાકારક બનાવે.
અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)
પરિચય
પહેલું: ઈબાદત કબૂલ થવાની શરતો:
કોઈ પણ ઈબાદત અલ્લાહ પાસે બે શરતો વગર સ્વીકારવામાં આવતી નથી:
ઇખલાસ (નિખાલસતા), જેનો અર્થ એ કે તે કાર્ય ફક્ત એક અલ્લાહની પ્રસન્નતા માટે તેમજ આખિરત માટે કરવામાં આવે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {તેઓને ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ફક્ત અલ્લાહની જ ઈબાદત કરે અને અને દીનને નિખાલસતા સાથે અપનાવે} [૧], [અલ્ બય્યિનહ: ૫]. અર્થાત્: તેની તરફ ધ્યાન કેન્દ્રિત કરી ઈબાદત કરવી, તેના સિવાય દરેકથી મોઢું ફેરવી લેવું. તફસીર અસ્ સઅદી, પેજ નંબર (૫૩૮)
એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (દરેક કાર્યોનો આધાર નિયતો પર છે, દરેક વ્યક્તિને તે જ મળે છે જેની તે નિયત કરે છે) [૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૦૭).
પોતાની દરેક વાત અને કાર્યોમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જે કોઈ વ્યક્તિ દીન બાબતે કોઈ નવી વાત કહેશે, જે તેમાં નથી, તો તેની તે વાત માન્ય નહીં ગણાય) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૯૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૧૮), અને મુસ્લિમની એક બીજી રિવાયતમાં છે, હદીષ નંબર: (૧૭૧૮): (જે વ્યક્તિ કોઈ એવો અમલ કરે, જે અમારી શરીઅત મુજબ નથી, તો તેનો તે અમલ રદ કરવામાં આવશે). [૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૯૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૧૮). [૪] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૧૮).
***
પહેલું: મીકાતના આદેશો:
મીકાત: તે જગ્યાઓ, જેને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉમરહ કરનાર અથવા હજ્જ કરનાર વ્યક્તિ માટે એહરામ બાંધવા માટે નક્કી કરી છે.
તમારા માંથી કોઈ પણ વ્યક્તિ જેણે ઉમરહ અથવા હજ્જની નિયત કરી હોય: જો તે આ જગ્યાએથી પસાર થાય, તો તેના માટે એહરામ બાંધવું જરૂરી છે, એહરામ બાંધ્યા વગર આગળ જવું જાઈઝ (યોગ્ય) નથી.
એવી જ રીતે જે વ્યક્તિનું રહેઠાણ મીકાત કરતા મક્કહની નજીક હોય: તો તેમની મીકાત તે જ જગ્યા ગણાશે; તેઓ ત્યાંથી જ હજ્જ અને ઉમરહ માટે એહરામ બાંધે.
હા, મક્કહના રહેવાસીઓ માટે: તેમણે હજ્જ માટે મક્કહથી જ એહરામ બાંધવું જોઈએ અને જેઓ ઉમરહ કરવા ઇચ્છતા હોય, તો તેઓએ મક્કહથી બહાર જઈ એહરામ બાંધવું જોઈએ, જેમકે તન્ઇમ નામની જગ્યા, વગેરે.
એવી જ રીતે જે વ્યક્તિ હવાઈ યાત્રા કરી રહ્યો હોય, તો તે જ્યારે મીકાત પ્રમાણે આવે, ત્યારે એહરામ બાંધે, તેણે મીકાત સુધી પહોંચતા પહેલા એહરામના કપડાં તૈયાર કરી પહેરી લે, બસ જ્યારે તે મીકાત પર પહોંચે તો તે જ સ્થિતિમાં એહરામની કરે, એરપોર્ટ પર ઉતર્યા સુધી તેને મોકૂફ રાખવાની પરવાનગી નથી, વિમાન ઝડપથી પસાર થવાના ડરથી, તે મીકાત પર પહોંચતા પહેલા તલ્બિયહ કરીને સાવચેતી રૂપે નિયત કરી શકે છે.
બીજું: હજ્જના પ્રકાર અને તેના આદેશો:
હજ્જના ત્રણ પ્રકાર છે: હજ્જે તમત્તુઅ, હજ્જે ઇફરાદ અને હજ્જે કિરાન.
તે વ્યક્તિ માટે હજ્જે તમત્તુઅ કરવું શ્રેષ્ઠ છે, જે પોતાની સાથે હદ્યનું જાનવર ન લાવ્યા હોય, અને તે આ પ્રમાણે: હજ્જના મહિનામાં ઉમરહ માટે એહરામ બાંધે, તવાફ કરે, સઇ કરે અને હલાલ થઈ જાય, ફરી હજ્જના ખાસ દિવસોમાં એહરામ બાંધે.
હજ્જે ઇફરાદ: ફક્ત હજ્જ માટે એહરામ બાંધે, જ્યારે તે મક્કહ પહોંચે, તો સુન્નત એ છે કે તવાફે કુદૂમ કરે, પછી હજ્જ માટે સઇ કરે, અને માથાના વાળ ન કપાવે ન તો મુંડન કરાવે, અને એહરામ કાઢી હલાલ પણ ન થાય, પરંતુ તે ઈદના દિવસ સુધી જમરે ઉકબા પર રમ્ય (કાંકરીઓ મારવી) કર્યા સુધી એહરામની જ સ્થિતિમાં રહે અને જો તે હજ્જની સઇને હજ્જ માટે તવાફ સુધી વિલંબ કરે, તો કંઈ વાંધો નથી.
હજ્જે કિરાન: હજ્જ અને ઉમરહ બન્ને માટે એહરામ બાંધે અને કહે: ("લબૈક અલ્લાહુમ્મ ઉમરતન્ વ હજ્જન" અર્થ: હે અલ્લાહ! હું તારી સમક્ષ હાજર છું, હે અલ્લાહ! હું ઉમરહ અને હજ્જ બન્ને કરવા માટે હાજર છું).
હજ્જે કિરાન કરનાર વ્યક્તિ હજ્જે ઇફરાદ કરનાર વ્યક્તિ માફક જ જશે, બન્નેમાં તફાવત એટલો છે કે હજ્જે કિરાન કરનાર સાથે હદ્યનું જાનવર હશે અને હજ્જે ઇફરાદ કરનાર વ્યક્તિ જોડે હદ્યનું જાનવર નહીં હોય.
ત્રીજું: એહરામનો તરીકો અને તેના આદેશો:
જે વ્યક્તિ એહરામ બાંધવા ઈચ્છે, તેના માટે નીચે વર્ણવેલ કાર્યો કરવા મુસ્તહબ (યોગ્ય) છે:
ગુસલ, (સ્નાન), એહરામ બાંધતા પહેલા ગુસલ કરવું, સુન્નતે મુઅક્કિદહ છે, દરેક પુરુષ અને સ્ત્રી માટે અહીં સુધી કે હૈઝ અને નિફાસ વાળી સ્ત્રીઓ માટે પણ.
ઉદ અથવા અન્ય સુગંધિત તેલ માથા અને દાઢી પર લગાવવું, અને તે સુગંધ એહરામ બાંધ્યા પછી પણ બાકી રહે તો કંઈ વાંધો નથી, જ્યાં સુધી સ્ત્રીઓનો સવાલ છે, તો તેમના માટે ખુશ્બુનો ઉપયોગ કરવો જાઈઝ નથી, જેને અજાણ પુરુષ સૂંઘી શકે.
એહરામનો ખાસ પોશાક પહેરવો, જે ઉપર નીચેની ચાદર હોય છે, સુન્નત એ છે કે તે ચાદર સફેદ રંગની હોય, પાક અને નવી હોય, સ્ત્રી માટે એહરામ, જે તે ઈચ્છે પોશાક પહેરી શકે છે, પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે તે પોશાક શણગાર માટે ન હોય, ચહેરા પર નકાબ અને બન્ને હાથ પર મોજા પહેરવાથી બચવું જોઈએ, જો કે તે પોતાનો ચહેરો અને હાથ અન્ય કપડાં વડે ઢાંકી શકે છે.
શરીઅત દ્વારા સાબિત નમાઝ પછી એહરામ બાંધવામાં આવે, તે નમાઝ ફર્ઝ હોય કે નફિલ, અને આ વસ્તુ જરૂરી નથી.
ઉમરહ કરનાર વ્યક્તિ કહે: ("લબૈક અલ્લાહુમ્મ ઉમરતન" અર્થ: હે અલ્લાહ! હું ઉમરહ કરવા માટે હજર છું) અને જો હજ્જ ઇફરાદ કરતા હોય તો કહે: ("લબૈક અલ્લાહુમ્મ હજ્જન" અર્થ: હે અલ્લાહ! હું હજ્જ કરવા માટે હજર છું ) અને જો હજ્જે કિરાન કરતા હોય તો કહે: ("લબૈક અલ્લાહુમ્મ ઉમરતન્ વ હજ્જન" અર્થ: હે અલ્લાહ હું ઉમરહ અને હજ્જ બંને કરવા માટે હજર છું).
જે વ્યક્તિ એહરામ બાંધવાની ઈચ્છા ધરાવતો હોય અને તેને ભય હોય કે ઉમરહ કરતી વખતે તેને કોઈ અવરોધનો સામનો થઈ શકે છે, તો તે એહરામ બાંધતી વખતે શરત રાખે, અને કહે: ("... વ ઇન્ હબસની હાબિસ ફમહલ્લી હયષુ હબસ્તની" અર્થ: ...જો મને કોઈ અવરોધ આવી જાય, તો મારા માટે છુટકારાની જગ્યા તે છે જ્યાં મને તે અવરોધનો સામનો થાય), જો તેણે આ શરત લગાવી અને ઈબાદત દરમિયાન કોઈ એવો બનાવ બની જાય, જેના કારણે તે ઈબાદત કરી ન શકે, તો તે ત્યાં જ હલાલ થઈ શકે છે અને તેના પર કંઈ કફ્ફારો કે ગુનોહ નહીં હોય.
ત્યાર પછી વધુમાં વધુ તલ્બિયહ પઢવું: ("લબૈક અલ્લાહુમ્મ લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્ નિઅમત લક વલ્ મુલ્ક લા શરિક લક" અર્થ: હું હાજર છું, હે અલ્લાહ! હું હાજર છું, હું હાજર છું, તારો કોઇ ભાગીદાર નથી, હું હાજર છું, ખરેખર દરેક પ્રકારની પ્રસંશા તારા માટે જ છે અને દરેક નેઅમતો તેજ આપેલી છે, સામ્રાજ્ય તારું જ છે, તારો કોઈ ભાગીદાર નથી) [૨], પુરુષ ઊંચા અવાજે તલ્બિયહ પઢે અને સ્ત્રી પણ બુલંદ અવાજે, જો તેની આજુબાજુ કોઈ અજાણ વ્યક્તિ ન હોય, જે વ્યક્તિ એહરામ બાંધે તેના માટે જરૂરી છે કે જ્યારે પરિસ્થિતિ બદલાય તો બુલંદ અવાજે તલ્બિયહ પઢવું જોઈએ, ઉદાહરણ તરીકે તે કોઈ ઉંચી જગ્યા પર ચઢતો હોય અથવા નીચે ઉતરતો હોય અથવા રાત થતી હોય કે દિવસ બદલાતો હોય. માનવીનું (લબૈક) કહેવાનો અર્થ: હે મારા પાલનહાર! મેં જવાબ આપ્યો, એક પછી એક વાર લબૈક કહેવું અને પાલનહારને જવાબ આપવાનો અર્થ એ કે અમે તારું અનુસરણ કરવા માટે હાજર છે. "ઇન્નલ્ હમ્દ વન્ નિઅમત લક વલ્ મુલ્કિ" અલ્ હમ્દ્ (પ્રશંસા) પ્રશંસાની સંપૂર્ણતાનો ગુણ ધરાવે છે, મોહબ્બત અને મહાનતાની સાથે, જ્યારે વારંવાર મહાનતા વર્ણન કરવામાં આવે, તો તે પ્રશંસા બની જાય છે, વન્ નિઅમત: અલ્લાહ તે જ છે, જે પોતાના બંદાઓની ઈચ્છા પૂરી કરે છે અને મુસીબતને દૂર કરે છે, અને કહેવું (મુલ્ક) અર્થાત્ સામ્રાજ્ય ફક્ત તેનું જ છે, અલ્લાહ તે જ છે, જે બરકત વાળો, ઉચ્ચ એકલો માલિક છે, (લા શરીક લક) મહાન અલ્લાહ માટે જ તેણે વર્ણવેલ ગુણોમાં સંપૂર્ણ અને મહાન સમજવામાં આવે, સામ્રાજ્યમાં, પેદા કરવામાં, વ્યવસ્થા કરવામાં તેમજ ઈબાદત કરવામાં ફક્ત તેને એકલો સમજવામાં આવે. મજમુઉલ્ ફતાવા વ રસાઇલ અલ્ ઉષૈમિન (૨૨/૯૬) માંથી સાર વર્ણન કરવામાં આવ્યો છે.
તલ્બિયહ ઉમરહ માટે એહરામ બાંધવાથી લઈને કે તવાફ શરૂ કરતાં સુધી પઢવામાં આવશે અને જો હજ્જ કરતા હોય, તો ઈદના દિવસે જમરહ ઉકબાને રમ્ય કરતા સુધી પઢવામાં આવશે.
એહરામ બાંધનાર વ્યક્તિ જ્યાં સુધી તે હલાલ ન થઈ જાય ત્યાં સુધી તેણે તે બાબતોમાં સપડાવવાથી બચવું જોઈએ, જે એહરામમાં સ્થિતિમાં અવૈધ છે.
ચોથું: એહરામની સ્થિતિમાં પ્રતિબંધીત કાર્યો
એહરામની સ્થિતિમાં પ્રતિબંધિત કાર્યો નીચે મુજબ છે:
શરીરના કોઈ પણ અંગ પરથી વાળ કાપવા, ખેંચવા અથવા કાઢી નાખવા.
બન્ને પગ અને હાથના સંપૂર્ણ અથવા સહેજ નખ કાપવા.
કોઈ પણ વસ્તુથી માથાને ઢાંકવું, ઉદાહરણ તરીકે: ટોપી, પાઘડી, અથવા માથા પર રૂમાલ મુકવો અથવા ચાદર મુકવી, ધાબળો અથવા કોઈ પણ વસ્તુ મુકવી, જેનાથી માથું ઢાંકવાનો હેતુ હોય, આ આદેશ પુરુષો માટે ખાસ છે, સ્ત્રીઓ માટે નહીં.
સામાન્ય કપડાં પહેરવા જે શરીરના ઢાંચા મુજબ હોય; પોતાની સામાન્ય સ્થિતિમાં હોય, જેમકે સામાન્ય સીવેલ કપડાં, સલવાર, કમીઝ, હાથ અને પગના મોજાં, આ આદેશ ફક્ત પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે નહીં. સ્ત્રીઓ માટે ફક્ત નીચે વર્ણવેલ કાર્યો પ્રતિબંધિત છે:
નકાબ, બુરકો અથવા કોઈ વસ્તુથી ચહેરો ઢાંકવો, જો કે જે કંઈ માથા પર ઓઢયું હોય, તેના વડે અજાણી વ્યક્તિથી ચહેરો છુપાવવો જરૂરી છે, જો કે માથા પર કાયદેસર કોઈ કપડું અથવા કપડાં જેવું કંઈક બાંધવું તેના માટે જાઈઝ નથી, જેથી તેને કોઈ અજાણ વ્યક્તિ સ્પર્શ ન કરી શકે, અને આ શરીઅતથી સાબિત નથી.
પોતાના હાથમાં મોજા પહેરવા જોઈએ, અને અજાણ પુરુષોની સામે તેણીએ પોતાના હાથને અબાયાની અંદર મૂકીને ઢાંકવા જોઈએ.
શરીર પર અથવા એહરામ પર ખુશ્બુ લગાવવી.
જાનવરોનો શિકાર કરવો અથવા તેમને પકડવા ભલેને કતલ કરવા ન હોય.
પોતાના માટે અથવા અન્ય માટે સગાઈ કરવી.
લગ્ન કરવા.
સ્પર્શ વગર સમાગમ કરવું, જેમકે બોસો આપવો, ઈચ્છા સાથે સ્પર્શ કરવું.
સંભોગ, અને તે ગુપ્તાંગમાં દાખલ કરવું.
***
પાંચમું: તવાફની રીત
એહરામ બાંધનાર વ્યક્તિ જ્યારે મસ્જિદે હરામમાં પ્રવેશ કરે તો સુન્નત એ છે કે પોતાનો જમણો પગ પહેલા મૂકે, અને મસ્જિદમાં પ્રવેશ કરવાની દુઆ પઢે, સહીહ રિવાયત દ્વારા સાબિત દુઆ આ પ્રમાણે છે, જે પઢવી જોઈએ: ("અલ્લાહુમ્મફ તહલી અબ્વાબ્ રહમતિક", હે અલ્લાહ! તું મારા માટે રહમતના દરવાજા ખોલી નાખ), અને આ દુઆ મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે પઢવાની છે, કોઈ પણ મસ્જિદ હોય આ દુઆ પઢી શકે છે, મસ્જિદે હરામ માટે ખાસ નથી.
તવાફ કરતા હોવ તો શરીઅતે ઇઝ્તિબાઅ કરવાનો આદેશ આપ્યો છે, ઇઝ્તિબાઅ કરવાની રીત: એહરામના કપડાંના મધ્ય ભાગ તેની જમણી બગલ નીચે અને તેના છેડા ડાબા ખભા પર રાખવા, તવાફ પૂર્ણ થાય, પછી તે તેના કપડાને પહેલાની સ્થિતિમાં કરી લે, કારણ કે ઇઝ્તિબાઅ ફક્ત તવાફ દરમિયાન જ હોવુ જોઈએ.
ત્યાર પછી હજરે અસ્વદ પાસે આવી, જમણા હાથ વડે સ્પર્શ કરી સલામ કરે અને તેનો બોસો લે, જો તેને બોસો લેવો શક્ય ન હોય, તો હાથ વડે સ્પર્શ કરી હાથનો બોસો લઈ લે અને જો હાથ વડે પણ સ્પર્શ કરવું શક્ય ન હોય, તો જે વસ્તુ પોતાની સાથે હોય જેમકે લાકડી વગેરે તેનાથી સ્પર્શ કરે અને તેનો બોસો લે, જો તેને સ્પર્શ ન કરી શકતા હોય તો હજરે અસ્વદ તરફ મોઢું કરી હાથ વડે ઈશારો કરે પરંતુ હાથનો બોસો ન લે, ત્યાં ભીડ ન કરવી, જેથી લોકોને નુકસાન પહોંચે અથવા લોકો તમને નુકસાન પહોંચાડે.
હજરે અસ્વદને સ્પર્શ કરતી વખતે અથવા તેની તરફ ઈશારો કરતી વખતે કહે: ("અલ્લાહુ અકબર" અર્થ: અલ્લાહ સૌથી મોટો છે).
પછી જમણી બાજુ ફરી કઅબાને ડાબી બાજુ થઈ જવું જોઈએ અને રુકને યમાનીને સ્પર્શ કરે, તેને બોસો ન લે, જો શક્ય ન હોય તો ત્યાં ભીડ ન કરે અને ન તો ઈશારો કરે.
રુકને યમાની અને હજરે અસ્વદ દરમિયાન આ દુઆ પઢવી જોઈએ: ("રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ્ વફિલ્ આખિરતિ હસનતવ્ વકિના અઝાબન્ નાર" હે અમારા પાલનહાર! મને દુનિયા અને દીન બન્ને જગ્યાએ શ્રેષ્ઠતા આપ, અને અમને જહન્નમની આગથી બચાવી લે).
જ્યારે પણ હજરે અસ્વદ તરફ આવે, તો હાથ વડે ઈશારો કરે અને કહે: ("અલ્લાહુ અકબર" અલ્લાહ સૌથી મોટો છે).
અને તવાફ કરતી વખતે અન્ય જગ્યાઓ પર જે કંઇ ઝિક્ર અથવા દુઆ માંગવી હોય અથવા કુરઆન મજીદની તિલાવત કરી શકતા હોય, તે કરવું જોઈએ.
સુન્નત તરીકો એ છે કે પ્રથમ ત્રણ ચક્કરોમાં રમલ કરવું જોઈએ, રમલનો અર્થ: ઝડપથી મોટા ડગલાં ભરવા જોઈએ, અને બાકીના ચાર ચકકરોમાં સામાન્ય આદત પ્રમાણે ચાલવું જોઈએ, તેમાં રમલ કરવાની જરૂર નથી.
પછી જ્યારે તવાફ પૂર્ણ કરે તો શક્ય હોય તો મકામે ઈબ્રાહીમ પાસે આવીને બે રકઅત નમાઝ પઢે અને તેમાં આ આયત પઢે: (અને તમે ઇબ્રાહીમની જગ્યાને નમાઝ પઢવાની જગ્યા બનાવી લો), જો શક્ય ન હોય તો મસ્જિદમા કોઈ પણ જગ્યા એ ઉભા રહી બે રકઅત નમાઝ પઢી લેવી જોઈએ, પહેલી રકઅતમાં સૂરે ફાતિહા પછી (કુલ્ યા અય્યહલ્ કાફિરુન) અને બીજી રકઅતમાં (કુલ્ હુવલ્લાહુ અહદ) પઢવું જોઇએ. {... અને તમે ઇબ્રાહીમની જગ્યાને નમાઝ પઢવાની જગ્યા બનાવી લો...}, [અલ્ બકરહ: ૧૨૫]. ફરી જો શક્ય હોય તો તેની પાછળ બે રકઅત નમાઝ પઢવી, પરંતુ જો ત્યાં જગ્યા ન મળે તો મસ્જિદમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં બે રકઅત નમાઝ પઢી લેવી , પહેલી રકઅતમાં સૂરે ફાતિહા પઢયા પછી આ સૂરહ પઢવી: {"કુલ્ યા અય્યુહલ્ કાફિરુન" અર્થ: તમે કહી દો કે હે કાફિરો!}. [અલ્ કાફિરુન: ૧]. અને બીજી રકઅતમાં સૂરે ફાતિહા પઢયા પછી આ સૂરહ પઢવી: {"કુલ્ હુવલ્લાહુ અહદ" અર્થ: તમે કહી દો કે અલ્લાહ એક જ છે}. [અલ્ ઇખલાસ: ૧].
છઠ્ઠું: સઇ કરવાની રીત:
તવાફ અને બે રકઅત નમાઝ પઢી લીધા પછી સઇ કરવા માટે સફાની નજીક આવે અને આ આયત પઢે: ("ઇન્નસ્ સફા વલ્ મરવત મિન્ શઆઇરિલ્લાહ" ખરેખર સફા અને મરવહ બંને અલ્લાહની નિશાનીઓ માંથી છે), પછી આ શબ્દો કહે: "અબ્દઉ બિમા બદઅલ્લાહુ બિહિ" હું ત્યાંથી શરૂ કરું છું, જ્યાંથી અલ્લાહએ શરૂ કર્યું". {નિઃશંક સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી એક નિશાની છે...} ફરી કહે: «હું ત્યાંથી શરૂ કરું છું, જ્યાંથી અલ્લાહએ શરૂ કર્યું» [૬]. [૬] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૮).
ફરી સફા પર ચઢી, કઅબતુલ્લાહ તફર નજર કરે અથવા તેની તરફ મોઢું કરે, જેથી તે કિબલો બની જાય, ત્યા પછી તેની તરફ મોઢું કરી અલ્લાહની તૌહીદનું વર્ણન કરે, અલ્લાહની મહાનતાનું વર્ણન કરે અને આ દુઆ પઢે: ("લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરિક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વ હુવ અલા કુલ્લિ શયઇન્ કદીર, લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, અન્જઝ વઅદહુ, વ નસર અબ્દહુ, વ હઝમલ્ અહઝાબ વહદહુ" અર્થ: અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, તે એકલો છે તેનો કોઈ ભાગીદાર નથી, તેનું જ સામ્રાજ્ય છે, પ્રશંસા તેના માટે જ છે, તે સંપૂર્ણ કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, તેણે પોતાનું વચન પૂરું કર્યું, બંદાઓની મદદ કરી અને ઇસ્લામના શત્રુઓને તેણે એકલાએ હરાવ્યા), આ દુઆ ત્રણ વખત પઢવી જોઈએ અને દરમિયાનમાં જે ઈચ્છા હોય તે દુઆ કરી શકાય છે. «"લા ઇલાહ ઈલ્લલ્લાહ, વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દ, વહુવ અલા કુલ્લી શૈઇન કદીર, લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહ, અન્જઝ વઅદહ, વનસર અબ્દહ, વહઝિમલ્ અહ્ઝાબ વહદહ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેણે પોતાનું વચન પૂર્ણ કર્યું, અને પોતાના બંદાઓની મદદ કરી અને તેણે એકલા એ સંપૂણ લશ્કરને હરાવી દીધું)», ફરી તે વચ્ચે દુઆ કરી અને આ દુઆને ત્રણ વખત પઢી [૭]. [૭] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૮).
પછી સફા પરથી ઉતરી મરવહ તરફ ચાલવું જોઈએ, જ્યારે તમને ઉપર લીલા રંગની લાઈટ દેખાય ત્યાં થોડુંક ઝડપથી ચાલવું, પછી જ્યારે બીજી લીલા રંગની લાઈટ દેખાય ત્યારે સામાન્ય આદત પ્રમાણે ચાલવું, ઝડપથી દોડવું સ્ત્રીઓ માટે યોગ્ય નથી.
જ્યારે મરવહ પર પહોંચે તો સફા પર ઉભા રહી જે પ્રમાણે કર્યું તે જ પ્રમાણે મરવહ પર કરવું, (બીજા નંબરનો પેરેગ્રાફ).
ફરી મરવહ પરથી ઉતરી સફા તરફ ચાલતા આવવું, જ્યારે લીલા રંગની લાઈટ દેખાય તો ઝડપથી ચાલવું અને બીજી વાર લીલા રંગની લાઈટ જુઓ, તો સામાન્ય આદત પ્રમાણે ચાલવું જોઈએ.
આ જ પ્રમાણે સાત ચક્કર પૂર્ણ કરે, સફાથી મરવહ જવામાં એક ચક્કર અને છેલ્લો સાતમો ચક્કર મરવહ પર પૂર્ણ થશે.
ચાલતા ચાલતા જે કંઈ ઈચ્છા થાય, ઝિક્ર, દુઆ અને કુરઆનની તિલાવત કરી શકે છે.
સાતમું: હલક (મુંડન કરાવવું) અને તકસીર (માથેના વાળ કપાવવા) કરવાની રીત
જ્યારે તવાફ અને સઇ પૂર્ણ થઈ જાય તો પુરુષ માટે થોડાક અથવા સંપૂર્ણ વાળ કપાવવા જરૂરી છે, સુન્નત છે કે સંપૂર્ણ વાળ કાઢી નાખે, અથવા માથાના દરેક ભાગથી સહેજ સહેજ વાળ કાપવા જોઈએ.
સંપૂર્ણ વાળ કપાવવા થોડાક વાળ કપાવવા કરતા શ્રેષ્ઠ છે, જો કે હજ્જનો સમય નજીક હોય અને તમે હજ્જ કરવાના હોવ, તેમજ વાળ કપાવ્યા પછી માથા પર વાળ તરત જ ન આવતા હોય તો પછી તે સમયે થોડાક જ વાળ કપાવવા જોઈએ.
સ્ત્રીઓ એ માથાના કિનારેથી આંગળીઓના ટેરવાં જેટલા વાળ કાપવા જોઈએ.
હજ્જે ઇફરાદ અથવા હજ્જે કારીન કરનાર વ્યક્તિએ ઈદના દિવસે જમરહ ઉકબામાં રમ્ય કરતા સુધી વાળ ન કાપવા જોઈએ.
આ પ્રમાણે ઉમરહ કરનારે પોતાનો ઉમરહ પૂર્ણ કર્યો અને હજ્જે તમત્તુઅ કરનાર વ્યક્તિએ હજ્જ માટેની પહેલી ફરજ અદા કરી.
હજ્જની રીત:
પહેલું: હજ્જ માટે એહરામ બાંધવું:
જે વ્યક્તિ હજ્જ કરવાનો ઈરાદો ધરાવતો હોય, તેણે ઝિલ્ હિજ્જહ મહિનાની આઠમી તારીખે સવારના સમયે મીકાત પરથી અથવા મક્કહમાં જ અથવા ત્યાંથી પસાર થતા હોય, તો એ પહેલાં એહરામ બાંધવો.
હજ્જના એહરામ બાંધતી વખતે તે દરેક બાબતોનો ખ્યાલ કરવો જોઈએ, જે ઉમરહના એહરામ વખતે કરતા હોય છે; સ્નાન, ખુશ્બુ, નમાઝ, હજ્જના એહરામની નિયત અને તલ્બિયહ, તલ્બિયહ માટેના શબ્દો તે જ રહેશે, જે ઉમરહ માટેના હોય કે, ફક્ત એક જગ્યાએ બદલાશે: (લબૈક ઉમરતન્) ના બદલે (લબૈક હજ્જન) કહે.
જે વ્યક્તિ એહરામ બાંધવાની ઈચ્છા ધરાવતો હોય અને તેને ભય હોય કે ઉમરહ કરતી વખતે તેને કોઈ અવરોધનો સામનો થઈ શકે છે, તો તેના માટે બે શરતો જરૂરી છે, અને તેણે કહેવું જોઈએ: ("...વ ઇન્ હબસની હાબિસ ફમહલ્લી હયષુ હબસ્તની" અર્થ: ... જો મને કોઈ અવરોધ આવી જાય, તો મારા માટે છુટકારાની જગ્યા તે છે જ્યાં તે મને તે અવરોધનો સામનો થાય), જો તેણે આ શરત લગાવી અને ઈબાદત દરમિયાન કંઈક એવો બનાવ બની જાય, જેના કારણે તે ઈબાદત કરી ન શકે, તો તે ત્યાં જ હલાલ થઈ શકે છે અને તેના પર કંઈ કફ્ફારો કે ગુનોહ નહીં હોય.
ત્યાર પછી વધુમાં વધુ તલ્બિયહ પઢવું: ("લબૈક અલ્લાહુમ્મ લબૈક, લબૈક લા શરિક લક લબૈક, ઇન્નલ્ હમ્દ વન્ નિઅમત લક વલ્ મુલ્ક લા શરિક લક" અર્થ: હું હાજર છું, હે અલ્લાહ! હું હાજર છું, હું હાજર છું, તારો કોઇ ભાગીદાર નથી, હું હાજર છું, ખરેખર દરેક પ્રકારની પ્રસંશા તારા માટે જ છે અને દરેક નેઅમતો તેજ આપેલી છે, સામ્રાજ્ય તારું જ છે, તારો કોઈ ભાગીદાર નથી) [૨], પુરુષ ઊંચા અવાજે તલ્બિયહ પઢે અને સ્ત્રી પણ બુલંદ અવાજે, જો તેની આજુબાજુ કોઈ અજાણ વ્યક્તિ ન હોય, જે વ્યક્તિ એહરામ બાંધે તેના માટે જરૂરી છે કે જ્યારે પરિસ્થિતિ બદલાય તો બુલંદ અવાજે તલ્બિયહ પઢવું જોઈએ, ઉદાહરણ તરીકે તે કોઈ ઉંચી જગ્યા પર ચઢતો હોય અથવા નીચે ઉતરતો હોય અથવા રાત થતી હોય કે દિવસ બદલાતો હોય.
એહરામ બાંધ્યા પછી થી લઈ કે ઈદના દિવસે જમરહ ઉકબામાં રમ્ય કરતા સુધી તલ્બિયહ પઢવું જાઈઝ છે.
એહરામ બાંધનાર વ્યક્તિ જ્યાં સુધી તે હલાલ ન થઈ જાય ત્યાં સુધી તેણે તે બાબતોમાં સપડાવવાથી બચવું જોઈએ, જે એહરામમાં સ્થિતિમાં અવૈધ છે.
***
બીજું: મિનામાં રાત પસાર કરવી:
ફરી સુન્નત એ છે કે ઝિલ્ હિજ્જહની આઠમી તારીખે મિના તરફ રવાના થાય; ત્યાં ઝોહર, અસર, મગરિબ, ઇશા અને ફજરની નમાઝો કસર કરી ભેગી કર્યા વગર પઢે; કારણકે આપ સલ્લલ્લાહુ અલયહિ વસ્સલમએ મિનામાં નમાઝ કસર કરી હતી પરંતુ ભેગી કરી પઢી ન હતી.
ત્રીજું: અરફહમાં રોકાવવું અને મુઝ્દલિફામાં રાત પસાર કરવી:
ઝિલ્ હિજ્જહની નવમી તારીખે જ્યારે સૂર્યોદય થાય, તો મિનાથી અરફહ તરફ ચાલીને જવું, જો શક્ય હોય તો સૂર્યના ઢળવાના સમયે નિમરહ નામની જગ્યા પર રોકાવવું, જો ન રોકાવ તો કંઈ વાંધો નથી; કારણકે નિમરહ પર રોકાવવું સુન્નત છે (અનિવાર્ય નથી).
જ્યારે સુર્ય ઢળવા લાગે તો ઝોહર અને અસરની નમાઝ ભેગી કરી કસર કરી જમા તકદીમ (અર્થાત્ ઝોહરના સમયે ઝોહર અસર બંને નમાઝ પઢવી) કરે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલયહિ વસ્સલમે કર્યું હતું.
નમાઝ પઢી લીધા પછી ઝિક્ર, દુઆઓ અને અલ્લાહ તરફ નમીને વિનંતી કરવી, હાથ ઉઠાવી કિબલા તરફ મોઢું કરી ખૂબ દુઆઓ કરવી.
આ ભવ્ય રોકાણ વખતે આ દુઆ વધુમાં વધુ પઢવી જોઈએ; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તે સમયે આ દુઆ ખૂબ પઢતા હતા: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના જ માટે છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે).
જો તે થાકી જાય તો તે પોતાના મિત્રો સાથે ફાયદાકારક વાતો કરે અથવા સારી કિતાબોનું વાંચન કરી આરામ કરી શકે છે, ખાસ કરીને તે દિવસે અલ્લાહની કૃપા અને મહાનતાનું વર્ણન કરવું, તે દિવસે અલ્લાહ તરફથી મળતી ખાસ કૃપાની આશા, ફરી અલ્લાહથી દુઆ કરવા અને તેની તરફ નમી જવું અને તે દિવસનો છેલ્લો ભાગ ખૂબ દુઆઓ કરી પસાર કરે; કારણકે અરફહના દિવસ કરવામાં આવેલી દુઆ સૌથી શ્રેષ્ઠ દુઆ છે.
જ્યારે સૂર્યાસ્ત થાય તો મુઝ્દલિફહ તરફ ચાલતા જવું.
જ્યારે ત્યાં પહોંચો તો મગરિબની ત્રણ રકઅત નમાઝ અને ઇશાની બે રકઅત નમાઝ ભેગી કરી પઢવી જોઈએ.
જો તેને ભય હોય કે તે અડધી રાત પહેલા મુઝ્દલિફહ પહોંચી ન શકે, તો તેણે ત્યાં પહોંચતા પહેલા જ નમાઝ પઢી લેવી જોઈએ, કારણકે અડધી રાત પછી નમાઝ વિલંભ કરવી જાઈઝ નથી.
અને મુઝ્દલિફહમાં રાત પસાર કરે અને સવાર થાય તો સૌ પ્રથમ ફજરની નમાઝ અઝાન ઇકામત સાથે પઢવી જોઈએ.
ફરી મશઅરે હરામ તરફ જઈ ત્યાં અલ્લાહની મહાનતા અને તૌહીદનું વર્ણન કરવું જોઈએ અને જે કંઈ દુઆ કરવા ઇચ્છતા હોવ, તે દુઆ કરવી જોઈએ, જો મશઅરે હરામ સુધી પહોંચવામાં વિલંબ થાય, તો તે જ્યાં હોય ત્યાં જ દુઆઓ કરવી; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "અહીંયા ઉભા રહો, અને દરેક ઊભા રહેલા લોકોને (નમાઝ માટે) એકઠા કર્યા", અને ત્યાં તેમની સ્થિતિ હાથ ઉઠાવી કિબલા તરફ મોઢું કરી ઝિક્ર અને દુઆની હતી. «અહીંયા ઉભો રહ્યો, અને દરેક ઊભા રહેલા લોકોને (નમાઝ માટે) એકઠા કર્યા» [૮], અને ત્યાં તેમની સ્થિતિ હાથ ઉઠાવી કિબલા તરફ મોઢું કરી ઝિક્ર અને દુઆ કરવાની હતી. [૮] આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૩૬).
ચોથું: ઈદના દિવસના કાર્યો:
જો શક્ય હોય તો સૂર્યોદય પહેલા જ મુઝ્દલિફહ છોડી મિના તરફ જવું અને વાદીએ મુહસ્સિરમાં જડપથી પસાર થવું.
જ્યારે મિના પહોંચે, તો ત્યાં જમરે ઉકબા પર ખજૂરના ઠળિયા જેટલી સાત કાંકરીઓ એક પછી એક મારે અને દરેક કાંકરી પર અલ્લાહની મહાનતા વર્ણન કરે.
જો શક્ય હોય તો હદ્ય (જાનવર) ઝબેહ કરે.
જો પુરુષ હોય તો માથાના વાળનું મુંડન કરાવે અથવા વાળ કપાવે, જો સ્ત્રી હોય તો તેણે થોડાક જ વાળ કાપવા જોઈએ, તેણીને હલક (મુંડન) કરવાની જરૂર નથી.
જો તે રમયી કરી લે અને વાળ કાપી લે તો તેણે હલાલ થવાનો પ્રથમ તબક્કો પાર કરી લીધો, હવે તેના માટે સ્ત્રી સિવાય દરેક વસ્તુ હલાલ થઈ જશે.
ત્યારબાદ જો તે હજ્જે તમત્તુઅ કરી રહ્યો હોય, તો તેણે તવાફે ઇફાઝા કરવો જોઈએ, અને હજ્જ માટે સઇ કરવી જોઈએ, જો તે હજ્જે મુફરીદ અથવા કારીન કરી રહ્યો હોય અને તવાફે કુદૂમમાં સઇ ન કરી હોય, તો તે રાત સુધી અથવા બીજા દિવસ સુધી તવાફ અને સઇ બન્ને માટે વિલંબ કરી શકે છે, જે તેના માટે સરળ હોય.
પાંચમું: અય્યામે તશરિકના કાર્યો
બસ! જ્યારે રમ્ય, હલક, તવાફ અને સઇ થઈ જાય, તો તે સંપૂર્ણ રીતે દરેક વસ્તુથી હલાલ થઈ જશે, અહીં સુધી કે સ્ત્રી પણ તેના માટે હલાલ થઈ જશે.
તે મિના પાછો આવે અને ૧૧ તેમજ ૧૨ તારીખની રાત ત્યાં પસાર કરે અને જો તે વિલંબ કરે તો ૧૩ તારીખની રાત પણ ત્યાં જ પસાર કરે.
અને ઝવાલ પછી ત્રણેય જમરાતને કાંકરીઓ મારે.
૧૧ તારીખે પહેલા જમરહને કાંકરીઓ મારે અને તે જમરાત મક્કહથી દૂર અને મસ્જિદે ખીફથી નજીક છે, એક પછી એક સાત નાની કાંકરીઓ ત્યાં મારે, દરેક કાંકરી મારતી વખતે અલ્લાહુ અકબર કહેશે, પછી થોડાક આગળ વધી લાંબી દુઆ કરવી જોઈએ, જો ત્યાં લાંબા સમય સુધી ઊભા રહેવું કઠિન હોય, તો જેમ સરળતા હોય ત્યાં દુઆ કરે, સુન્નત પર અમલ કરતા સહેજ વાર તો ઉભા રહી દુઆ કરે.
પછી વચ્ચેના જમરાતને કાંકરિઓ મારવી અને એવી જ રીતે રમ્ય કર્યા પછી દુઆ કરવી.
પછી જમરે ઉકબા પર કાંકરીઓ મારે, પરંતુ ત્યાં દુઆ ન કરે અને ત્યાંથી નીકળી જાય.
૧૧ તારીખે જે પ્રમાણે કર્યું, તે જ પ્રમાણે ૧૨ તારીખે પણ કરે, જો કંકારીઓ મારવાનું કાર્ય પૂર્ણ થાય, તો જો ઈચ્છે તો મિનામાં તરત જ પરત આવી જાય.
અને જો વિલંબ કરવા ઇચ્છતા હોવ તો ૧૩ તારીખે પણ જિમાર કરવા ઇચ્છતા હોવ, તો રાત ત્યાં જ પસાર કરે અને વિલંબ કરવો શ્રેષ્ઠ છે.
બારમા દિવસે સૂર્યાસ્ત ન થાય ત્યાં સુધી, જે મિનામાં છે,તો તેણે તેરમા દિવસ સુધી તેને મોકૂફ કરવું જરૂરી નથી; બપોર પછી તે ત્રણ કાંકરીઓ ફેંકે ત્યાં સુધી તેણે વિલંબ કરવો જોઈએ.
પરંતુ જો બારમાં દિવસે મિનામાં સૂર્યાસ્ત થાય અને તેની મરજી વગર સૂર્યાસ્ત થાય, જેમ કે તે બહાર નીકળ્યો હોય અને સવારી કરી હોય પરંતુ ટ્રાફિક જામ અથવા તેના જેવા કારણોસર મોડું થયું હોય; તો તેણે વિલંબ કરવાની જરૂર નથી; કારણ કે તેણે પોતાની મરજી વગર સૂર્યાસ્ત સુધી તેને મોકૂફ કર્યું નથી.
છઠ્ઠું: વિદાય તવાફે:
જ્યારે તમે મક્કહથી પોતાના શહેર પરત ફરવાનો ઈરાદો કરો, તો તવાફે વિદાઅ કરીને જ પરત ફરવું.
હા, માસિક અને પ્રસૂતિ વાળી સ્ત્રીઓ માટે છૂટ છે અને તે બન્ને પર તવાફે વિદાઅ (અનિવાર્ય) નથી, તેણીઓ વિદાય આપવા માટે મસ્જિદે હરામના દરવાજા પર ઉભા ન રહેવું, કારણકે આ પ્રમાણેનો અમલ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત નથી.
સફર પહેલા અંતિમ અમલ તવાફે વિદાઅ બનાવી લે.
તવાફે વિદાઅ પછી સાથીઓની રાહ જોવી, સામાનની બેગો તૈયાર કરવી તેમજ સામાનની ખરીદી કરવા પર કંઈ વાંધો નથી અને તેના માટે ફરી વાર તવાફ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તે સફર કરવામાં વિલંબ ન કરે, જેવું કે તે સવારે સફર કરવાનો ઈરાદો કરે અને તવાફે વિદાઅ કરી લે, અને જો તે સાંજ સુધી પોતાના સફરને મોકૂફ કરે, તો તેના માટે તવાફે વિદાઅ ફરીવાર કરવું જરૂરી થશે, કારણકે તેને યકીન હોવું જોઈએ કે બૈતુલ્લાહમાં તેનું છેલ્લું કાર્ય આ કર્યું.
***