شرح ألفاظ الأذان

شرح ألفاظ الأذان

અઝાનના શબ્દોની સમજૂતી

Language: lang_gu
Prepared by: અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક કન્ટેન પ્રસ્તુત કરતી કમિટી
Version: 1.1
Translations 31
Afrikanns Assamese Azerbaijani Czech +27
Attachments 7
PDF
Audio
Video
+3

અઝાનના શબ્દોની સમજૂતી

અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક કન્ટેન પ્રસ્તુત કરતી કમિટી

અઝાન પાલનહારની પોકાર છે, જેને મુસલમાન દિવસમાં પાંચ વખત સાંભળે છે, જે તેને અલ્લાહની મહાનતા યાદ અપાવે છે અને તેને ભલાઇ તેમજ સફળતા તરફ બોલાવે છે. આ માનવી અને તેના પાલનહાર દરમિયાન સંબંધ માટેનો એક ક્ષણ છે, થોડીક વાર માટે તે દુનિયાના ઘોંઘાટથી દૂર થઇ, પોતાના પાલનહારના સમક્ષ ઉભો રહી સબંધ જોડી શકે છે.

અઝાનના અર્થ ખૂબ જ મહાન છે, જે અલ્લાહની મહાનતાથી શરૂ થાય છે અને નમાઝ તરફ બોલાવવા પર પૂર્ણ થાય છે, જેમાં એક મુસલમાન શાંતિ અનુભવે છે.

અઝાનના શબ્દો:

"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે,અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે).

"અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે)

મહાન શબ્દ "અલ્લાહ" ઇલાહના અર્થમાં સાચો ઇલાહ, આ સર્વશ્રેષ્ઠ સર્જક પાલનહારનું મહાન નામ છે, દરેક ઇલાહના નામ તેના આધીન છે અને તેને વર્ણન કરે છે, અલ્લાહ એક જ છે, ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન અને તે આકાશ અને જમીનનો સર્જક છે.

અલ્લાહુ અકબર કહેવાનો અર્થ એ કે અલ્લાહ દરેક વસ્તુથી મહાન છે, તે એટલો મહાન છે કે તેની મહાનતા અને સપૂર્ણતા સુધી કોઈ પહોંચી શકતું નથી.

અલ્લાહુ અકબર.. આ શબ્દ મુસલમાનને યાદ અપાવે છે કે તેને તેના જીવનમાં કોઈ પણ વસ્તુ પોતાના પાલનહારથી ગાફેલ ન કરે, તેણે પોતાના પાલનહાર તરફ નજર કરવી જોઈએ અને તેણે પોતાનું જીવન અલ્લાહની ઈચ્છા અને તેની શરીઅત પ્રમાણે જીવવું જોઈએ, તેણે મનેચ્છા અને ગેરમાર્ગે ન જવું જોઈએ, કારણકે અલ્લાહ દુનિયાની દરેક વસ્તુથી ખૂબ મહાન છે.

"અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ", (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી).

"અશ્હદુ અલ્ લા ઈલાહ ઇલ્લલ્લાહ" (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી)

આ પ્રથમ સાક્ષી છે, તેનો અર્થ એ કે અલ્લાહ જ દરેક વસ્તુનો સર્જક, તેનો પાલનહાર, તેનો માલિક અને વ્યવસ્થાપક છે, તો જરૂરી છે કે ફક્ત તે એકલાની જ ઈબાદત કરવામાં આવે, તેના સિવાય કોઈની ઈબાદત કરવામાં ન આવે, કારણકે એક અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેની કોઈ સંતાન નથી, તેના જેવું કોઈ નથી, એટલા માટે અલ્લાહ સિવાય કોઈ બીજાની ઈબાદત કરવામાં ન આવે અને ન તો તેના સિવાય કોઈની પાસે દુઆ માંગવામાં આવે.

આ સાક્ષી અસ્તિત્વમાં રહેલી સૌથી મોટી સાક્ષી છે, અને ઇમાનના સિદ્ધાંતોનું મૂળ છે, કારણકે દરેક પયગંબરો, જેમકે નુહ, ઈબ્રાહીમ, મૂસા, ઇસા અને મુહમ્મદ ﷺ સુધી જેટલા પણ નબી આવ્યા, તે પયગંબરોએ પોતાની કોમને સૌ પ્રથમ એકરાર, કબૂલ અને ઇમાન સ્વીકારવા તરફ આમંત્રિત કર્યા કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, આ તે શબ્દો છે, જેના માટે અલ્લાહએ સૃષ્ટિ બનાવી, સમયાંતરે પોતાના પયગંબરોને મોકલ્યા અને સમજૂતી માટે આકાશીય પુસ્તકો પણ ઉતારી, સવાબ રૂપે જન્નત તૈયાર કરવા આવી છે.

આ શબ્દના કારણે લોકોને તેમની કબરોથી કયામતના દિવસે ઉઠાડવામાં આવશે અને તેમનો હિસાબ કરવામાં આવશે; જે વ્યક્તિએ તેના પર અડગ રહી જીવન પસાર કર્યું હશે, તો તે સફળ અને કામયાબ ગણવામાં આવશે, અને જે વ્યક્તિઅ આ શબ્દની વિરુદ્ધ ગયો અને તેનાથી વિપરીત જીવન પસાર કર્યું, તો હમેંશા માટે તે જહન્નમમાં જશે.

"અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ, અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ", (હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના પયગંબર છે, હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના પયગંબર છે).

"અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ" (હું સાક્ષી આપું છું કે મોહમ્મદ અલ્લાહના પયગંબર છે).

આ ગવાહીનો અર્થ એ છે કે એક મુસલમાન સાક્ષી આપી રહ્યો છે કે અલ્લાહએ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અલ્લાહના સંદેશા આપી અંતિમ પયગંબર બનાવી મોકલ્યા, જેથી તેઓ લોકો સુધી તેમના પાલનહારનો સંદેશો પહોંચાડી દે, એક મુસલમાને જાણી લેવું જોઇએ કે અલ્લાહની ઈબાદત કરવા અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો ફક્ત એક જ માર્ગ છે અને તે એ કે અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પયગંબર હોવાની સાક્ષી આપવામાં આવે, તેમના અનુયાયી બની અનુસરણ કરવામાં આવે, અને અલ્લાહની ઈબાદત તેમની શરીઅત મુજબ કરવામાં આવે.

એવી જ રીતે આ સાક્ષીમાં તે વાતનો પણ સમાવેશ થાય છે, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લોકોને તૌહીદ તરફ ધ્યાન દોરવા માટે આવ્યા છે, જેવું કે પહેલા ઈબ્રાહીમ, મૂસા અને ઈસા અલયહિસ્ સલામએ પણ તે પહેલા આપ્યો હતો. તેઓ સમગ્ર સૃષ્ટિના પાલનહારના પયગંબર છે, તે જ માર્ગ પર ચાલી રહ્યા હતા જેના પર દરેક પયગંબરો પોતાના પાલનહારના સંદેશાને પહોંચાડવા બાબતે અપનાવતા હતા, સિવાય એ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી કોઈ પયગંબર નથી.

"હય્ય અલસ્ સલાહ, હય્ય અલસ્ સલાહ" (આવો નમાઝ તરફ, આવો નમાઝ તરફ)

"હય્ય અલસ્ સલાહ" (આવો નમાઝ તરફ)

આ વાક્યનો અર્થ: હે મોમિનો, તમારા પાલનહારની ઈબાદત તરફ આવો, કારણકે તે માફ કરવાવાળો અને અત્યંત દયાળુ છે, તે તૌબા કબૂલ કરવાવાળો છે, અને ગુનાહોને માફ કરવાવાળો છે.

નિઃશંક આ મોમિનો માટે એક પોકાર અને યાદગીરી છે કે આ સમય નમાઝમાં પોતાના પાલનહાર સમક્ષ ઉભા રહેવાનો છે.

"હય્ય અલલ્ ફલાહ, હય્ય અલલ્ ફલાહ" (આવો સફળતા તરફ, આવો સફળતા તરફ)

"હય્ય અલલ્ ફલાહ" (આવો સફળતા તરફ)

સફળતા અર્થાત અલ્લાહની પ્રસન્નતા, કામયાબી તેમજ દુનિયા અને આખિરતમાં મુક્તિ, અને સલામતી.

કામયાબીનો અર્થ એટલે અલ્લાહની પ્રસન્નતા, જન્નતની પ્રાપ્તિ, જહન્નમથી છુટકારો; કારણકે જે ઇમાન લાવશે અને નમાઝ પઢશે તે સફળ થઈ જશે, જે સફળ થઈ ગયો, તેને મુક્તિ પ્રાપ્ત થઇ ગઈ, અને હમેંશા માટેનું ઠેકાણું જન્નત મળી જશે

"અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે), "લા ઇલાહ ઇલ્લલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી)

અઝાન તકબીર તેમજ તૌહીદ પર પૂર્ણ કરવામાં આવે છે.

અઝાન "અલ્લાહુ અકબર" ના શબ્દો સાથે પૂર્ણ કરવામાં આવેશે અને તેની પુષ્ટિ "લા ઇલાહ ઇલ્લલ્લાહ" દ્વારા થાય છે, આ બન્ને શબ્દો પાછળના દરેક અર્થની પુષ્ટિ કરે છે, અને તેના પર જ માનવીના અસ્તિત્વનો આધાર છે, આ સત્યતા ગમે તેટલો સમય પસાર થઇ જાય, બદલાતી નથી અને ક્યારેય બદલાશે પણ નહી, તે એ છે કે અલ્લાહ દરેક વસ્તુથી મહાન છે, અલ્લાહ જ સાચો ઇલાહ છે, ફક્ત તે જ ઈબાદતને લાયક છે, અને તેના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની ઈબાદત કરવી અમાન્ય છે.

અંતમાં: અઝાન ફક્ત નમાઝ માટેનું આમંત્રણ નથી, પરંતુ તે સફળતા, વિજય અને નજાત માટેની પોકાર છે, આ સંદેશો એક દિવસમાં પાંચ વખત મસ્જિદોમાં પોકારવામાં આવે છે, જે દિલને જાગૃત કરે છે અને આપણને યાદ અપાવે છે અલ્લાહ નજીક જ છે.

પોતાના હૃદયને ઇમાન માટે ખોલી કહો: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ, વ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ" (હું સાક્ષી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, હું સાક્ષી આપું છું કે મુહમ્મદ અલ્લાહના પયગંબર છે), તમે પણ અલ્લાહની કૃપામાં દાખલ થઇ જશો, દુનિયામાં ખુશી પ્રાપ્ત થશે અને આખિરતમાં નજાત મળશે, અને કયામતના દિવસે મોમિનોના જૂથ સાથે હશો.