رسالة موجزة إلى ملحد
هذه رسالة مختصرة إلى ملحد فيها ذكر بعض الدلائل العقلية والأسئلة المنطقية التي تحرك فطرة الملحد وتدعوه لاتباع الحق والدخول في الإسلام
નાસ્તિક માટે એક સંક્ષિપ્ત સંદેશ
અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક કન્ટેન્ટની સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)
ખરેખર, આપણે એક અદ્ભુત સૃષ્ટિમાં જીવીએ છીએ, જે સચોટ નિયમોના નિયંત્રણ હેઠળ એક આશ્ચર્યજનક સુમેળ અને સચોટ વ્યવસ્થા દર્શાવે છે.
જેમ જેમ મનુષ્ય બ્રહ્માંડના નિયમોની સમજવાનો પ્રયત્ન કરે છે; તેમ તેમ એક એવો પ્રશ્ન વધુ ઉભા થાય છે જેનો જવાબ ભૌતિકશાસ્ત્ર પાસે નથી: આ નિયમોનો સ્ત્રોત શું છે? અને તે સૌથી પહેલ કે અસ્તિત્વમાં આવ્યા?
હું તૈયાર જવાબ આપવા નહિ, પરંતુ તમારી સાથે કોઈ પણ ધાર્મિક કે વૈચારિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, એક પૂછવા લાયક તાર્કિક સવાલ તમારી સાથે કરવા માટે લખું છું.
શું નિયમોનું બિન અસ્તિત્વ માંથી આવવું તે તાર્કિક છે? કે તંત્ર કોઈ પણ લક્ષ્ય વિના આવે? કે ચેતના નિર્જીવ પદાર્થમાંથી જન્મે?
ચાલો આપણે શરૂઆતથી જ શરૂ કરીએ, એક સમયમાં સૌથી સ્પષ્ટ ઊંડા પ્રશ્નથી:
શું બિન-અસ્તિત્વ કોઈ વસ્તુનું સર્જન કરી શકે છે?
શું તે કહેવું યોગ્ય છે કે આ અદ્ભુત બ્રહ્માંડ, તેની સચોટ વ્યવસ્થા, તેના નિયમો વચ્ચેના આટલા સંપૂર્ણ સુમેળ સાથે, બિન-અસ્તિત્વમાંથી અને કોઈ કારણ વગર ઉદ્ભવ્યું છે?
સ્વસ્થ માનવ બુદ્ધિ આ પ્રકારના વિચારને સંપૂર્ણપણે રદ કરે છે; કારણ કે આપણા જીવનમાં આપણે કોઈ પણ વસ્તુને આમજ આવતી જોતા નથી.
જરા પોતાની જાત વિશે વિચારો: કોણ છે જેણે તમને એક તુચ્છ વીર્યના ટીપાં વડે પેદા કર્યા, અને તમને સાંભળવાવાળો તેમજ જોવા વાળો માનવી બનાવ્યો?
તમારા શરીરને આવી અદભુત કારીગરી સાથે કોણે પેદા કર્યું? કોણે તમને જોવા માટે આંખ, સાંભળવા માટે કાન, અને વિશ્લેષણ અને વિચાર કરવા માટે બુદ્ધિ આપી?
જ્યારે તમે તમારી માતાના પેટમાં લાચાર અને અસમર્થ હતા, ત્યારે કોણ હતું જે તમને રોજી પહોંચાડતું હતું, તમારી માતાના લોહી દ્વારા તમારું પાલનપોષણ કરતું હતું, અને તમારા વિકાસ અને દુનિયામાં આવવા માટે દરેક જરૂરી વસ્તુ તમારા માટે તૈયાર કરતું હતું?
શું તમે પોતાને પેદા કર્યા છે? અથવા તમને બહેરી કુદરતે પેદા કર્યા છે?
ફિતરત પાસે કોઈ બુદ્ધિ નથી, કોઈ ઇરાદો નથી, કોઈ ઇચ્છા નથી, તે સૌથી મહાન કમ્પ્યુટર કરતાં પણ વધુ જટિલ વ્યવસ્થા કેવી રીતે ઉત્પન્ન કરી શકે છે? તે ચેતના, સમજ અને લાગણીઓને કેવી રીતે પેદા કરી શકે છે?
કુદરત કઈ રીતે માતાના હૃદયમાં તેના બાળક પ્રત્યે મોહબ્બત મૂકી શકે, અથવા તમારા હૃદયને અન્યાય જોઈને સંકોચાવે અને ન્યાય જોઈને પ્રફુલ્લિત કરી શકે?
આપણામાં આ ઉત્તમ સમજૂતી કોણે મૂકી? આ દરેક તત્વો ક્યાંથી આવ્યા? અંતઃકરણ ક્યાંથી આવ્યું?
ખરેખર, તમારી આસપાસની દરેક વસ્તુ સર્જનહારના અસ્તિત્વની પુષ્ટિ કરે છે.
આકાશ તરફ નજર કરો: કોણે તેને વગર સ્તંભે ઊચું કરી રાખ્યું છે?
સૂર્યને જુઓ: કોણે તેના માટે ચોક્કસ માર્ગ નક્કી કર્યો છે, જે માર્ગ ક્યારેય બદલાતો નથી?
તમારા હૃદય તરફ જુઓ: કોણ છે જે તેને તમારા આખા જીવન દરમિયાન, તમારી પરવાનગી વગર પ્રાણ પ્રદાન કરે છે?
શું આ બધું સંયોગથી બન્યું છે? અને શું સંયોગ આ વ્યવસ્થા સાથે અબજો વખત પોતાનું પુનરાવર્તન કરી શકે છે?
શું તમે માની શકો છો કે શબ્દકોશ અથવા વૈજ્ઞાનિક જ્ઞાનકોશ જેવા સચોટ પુસ્તક, છાપખાનામાં થયેલા વિસ્ફોટથી માત્ર એક સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવ્યા છે?
તમે કેવી રીતે માની શકો છો કે દરેક પુસ્તકો કરતાં પણ આ મહાન બ્રહ્માંડ, એક આંધળા વિસ્ફોટથી અસ્તિત્વમાં આવ્યું?
ઇસ્લામ તમને તમારી બુદ્ધિને નિષ્ક્રિય કરવા માટે દાવત નથી આપતો; પરંતુ તેનો ઉપયોગ કરવા માટે દાવત આપે છે, ઉચ્ચ અલ્લાહએ કુરઆનમાં કહ્યું: {...શું તે અલ્લાહ વિશે તમને શંકા છે, જે આકાશો અને ધરતીને બનાવનાર છે?...}. [ઈબ્રાહીમ: ૧૦].
શું તે શક્ય છે, જેણે દરેક વસ્તુ પેદા કરી, તેના અસ્તિત્વ પર શંકા કરવામાં આવે?
અને કહ્યું: {અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી?૨૧}. [અઝ્ ઝારિયાત: ૨૧]
તમને પોતાના શરીર અને આત્મામાં ચિંતન-મનન કરવાની દાવત આપે છે, જેથી તમે તમારી સમક્ષ પુરાવો જોઈ શકો.
ફરી પ્રતિષ્ઠિત કુરઆનમાં ચિંતન-મનન કરો, જે અલ્લાહ તરફથી આવેલ અંતિમ સંદેશ છે.
એક કિતાબ જે ૧૪૦૦ થી વધુ વર્ષો પહેલા ઉતારવામાં આવી, જેણે માનવીઓને પડકાર આપ્યો કે તેઓ તેના જેવું લઈ આવે, પરંતુ તેઓ ન કરી શક્યા.
એક એવી કિતાબ જેમાં અકીદહ, શરીઅત, કિસ્સાઓ, ઇલ્મ અને ભાષાને એક અનુપમ શૈલીમાં ભેગા કરવામાં આવ્યા છે.
નષ્ટ થયેલી કોમો, ભૂલી ગયેલ ઘટનાઓ, એવી શોધો વિશે જાણ આપી, જેની જાણ સદીઓ પછી થઈ, જેમ કે ગર્ભનો વિકાસ, વાદળોની રચના, પૃથ્વીના સ્તરો, અને ગ્રહોના પરિભ્રમણની ચોકસાઈ.
પછી પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન ચરિત્ર પર વિચાર કરો.. એક એવી વ્યક્તિ જે સંસ્કૃતિના કેન્દ્રોથી દૂર રણમાં ઉછર્યા, જેઓ વાંચી કે લખી શકતા ન હતા, અને તેમણે કોઈ પણ મનુષ્ય પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હતું, છતાં તેમણે માનવતા માટે એક શાશ્વત સંદેશ રજૂ કર્યો, જે બુદ્ધિને પ્રકાશિત કરે છે, આત્માઓને શુદ્ધ કરે છે, અને ઇતિહાસના પ્રવાહમાં એક મોટું પરિવર્તન લાવે છે.
ગુફામાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતારવામાં આવેલા કેટલાક શબ્દો દ્વારા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ માનવજાતને માનવી અને પથ્થરોની પૂજા માંથી કાઢી, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર અનેને તૌહીદ તરફ માર્ગદર્શન આપ્યું, ન્યાય, દયા અને સન્માનના મૂલ્યોની સ્થાપના કરી.
તો આ કેવી શક્તિ છે જેણે વિશ્વને બદલી નાખ્યું, દિલોને સ્પર્શી લીધા, અને સદીઓ વીતવા છતાં જેનો પડઘો હજુ પણ ગુંજી રહ્યો છે?
હે આ શબ્દો વાંચનાર!: તમારા પાલનહારને તમારી કોઈ જરૂરત નથી, પરંતુ તમે જ તેના મોહતાજ છો.
તેણે તમને પેદા કર્યા, તમને રોજી આપે છે, તમારી રક્ષા કરે છે, અને તમને છૂટ પણ આપી; જેથી તમે વિચાર કરો અને પાછા ફરો.
તે કોઈના પર અત્યાચાર કરતો નથી, અને જે નિખાલસતા સાથે તેની તરફ પાછો ફરે; તેને કબૂલ કરે છે, માફ કરે છે, અને તેના ગુનાહોને સત્કાર્યોમાં બદલી નાખે છે.
હું તમારા પર કોઈ પણ બાબતે બળજબરી નથી કરતો, પરંતુ તમને વિનંતી કરું છું કે તમારા દિલને સત્યતા માટે એક તક આપો.
ગુસ્સા અને આંતરિક ઘોંઘાટથી પોતાને મુક્ત કરો, અને એક ક્ષણ માટે વિચાર કરો:
જો હું ભૂલ પર હોઉં તો?
જો કોઈ ઇલાહ, મૃત્યુ પછીનું જીવન, અને જન્નત અને જહન્નમ હશે તો શું?
શું તમે ત્યારે પસ્તાવો કરશો, જ્યારે પસ્તાવાનો કોઈ ફાયદો નહીં હોય?
સત્યતા તરફ એક સાચો કદમ ઉઠાવો, અને કુરઆન મજીદ સાથે પોતાની યાત્રાનો પ્રારંભ કરો... કદાચ તમને તેમાં એવા ઉત્તરો મળશે જે ઉપસ્થિત ન્હતા, અને એવું પ્રકાશ જેની તમને ખોટ હતી.
કુરઆન મજીદના શબ્દોનું ભાષાંતર