دين الحق
સાચો દીન
સાચો દીન
ફઝીલતુશ્ શૈખ
અબ્દુર્ રહમાન બિન હમ્માદ અલ્ ઉમર
(શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને રહમ કરવાવાળો છે.
પ્રસ્તાવના અને સમર્પણ
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, અને દરુદ અને સલામતી થાય દરેક પયગંબરો પર, અલ્લાહના વખાણ અને પયગંબર પર દરુદ મોકલ્યા પછી:
આ એક મુક્તિ પ્રાપ્ત કરવાની એક દાવત છે, જેને અમે દરેક બુદ્ધિશાળી પુરુષ અને સ્ત્રી સામે એક આશા સાથે વર્ણન કરી રહ્યા છે, કે અલ્લાહ તઆલા તેના દ્વારા ગુમરાહ લોકોને હિદાયત નસીબ કરે, અને તે દરેક લોકો માટે સવાબ મેળવવાનું કારણ બનાવે, જે લોકો આના પ્રચાર માટે ભાગ લઈ રહ્યા છે, હવે હું કહું છું, અલ્લાહ જ મદદ કરવાવાળો છે:
હે બુદ્ધિશાળી વ્યક્તિ ! જાણી લો કે આ દુનિયાના જીવનમાં અથવા આખિરતમાં જે મૃત્યુ પછી શરૂ થશે, તેમાં તમને સફળતા અને કામયાબી ત્યારે જ મળી શકે છે, જ્યારે તમે પોતાના પાલનહારની ઓળખ કરી લો, જેણે તમારું અને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે, અને તમે તેના પર ઈમાન લઈ આવો અને ફક્ત તેની જ ઈબાદત કરો, અને તમે તે પયગંબરની ઓળખ પ્રાપ્ત કરીલો, જેમને અલ્લાહ તઆલાએ તને અને દરેક માનવીને સત્ય માર્ગ બતાવવા માટે મોકલ્યા છે, બસ ! તમે તેમના પર ઈમાન લઈ આવો અને તેમનું અનુસરણ કરો, પછી તે સત્ય દીનની ઓળખ કરો, અલ્લાહ તઆલાએ જેનો આદેશ આપ્યો છે, તેના પર તું ઈમાન લઈ આવો અને તેના પર તમે અમલ કરો.
આ કિતાબ, જે તમારા હાથમાં છે (સાચો દીન) તે દરેક મહત્વના વિષયો પર લખવામાં આવી છે, જેના વિશે ઓળખ રાખવી અને તેના પ્રમાણે અમલ કરવો અત્યંત જરૂરી છે, અને અમે નીચે ફૂટનોટમાં કેટલાક વાક્યો અને બાબતોનું સ્પષ્ટીકરણ કરી દીધું છે, જેની સમજુતી જરૂરી છે, (બીજી બાજુ) અમે આ સંપૂર્ણ કિતાબમાં કુરઆન મજીદની આયતો અને રસૂલ ﷺ ની હદીષોની ચકાસણી કર્યા પછી જ વર્ણન કરી છે, કારણકે આ બન્ને વસ્તુઓ જ આ સત્ય દીનના સ્ત્રોત છે, જેના સિવાય અલ્લાહ કોઈ દીન કબૂલ કરતો નથી.
અને હું અંધ ભક્તિથી છેટો રહ્યું છું, જેણે ઘણા લોકોને ગુમરાહ કર્યા છે, અને અમે કેટલાક બાતેલ અને ગુમરાહ પંથોનું પણ વર્ણન કર્યું છે, જેઓ સત્ય હોવાનો દાવો કરી રહ્યા છે, જો કે તેઓ સત્યથી ઘણા દૂર છે, આવું અમે એટલા માટે કર્યું છે, જેથી જેઓ અજાણતામાં તે પંથો તરફ પોતાને સંબોધિત કરતા હોય તો તેઓ સચેત થઈ જાય, અલ્લાહ મારા માટે પૂરતો છે અને તે શ્રેષ્ઠ કારસાજ છે.
લાચાર બંદો, અલ્લાહની માફીનો તલબગાર
અબ્દુર રહમાન બિન હમ્માદ આલિ ઉમર
દીનના ઇલ્મના શિક્ષક
વિભાગ : ૧- અલ્લાહ તઆલાની ઓળખ (૧) જે પેદા કરવાવાળો અને મહાન છે.
(૧) અલ્લાહ: તે ખાસ નામ જે સૃષ્ટિ અને લોકો તેમજ દરેક વસ્તુનો ઇલાહ છે, અને આ નામ અલ્લાહની પ્રતિષ્ઠતા અને ઇઝઝત અને તેને ઉચ્ચ ગુણો સાથે પોકારવામાં આવે છે. "સાચો ઇલાહ".
હે બુદ્ધિશાળી ઇન્સાન ! જાણી લો કે જે પવિત્ર હસ્તીએ તમને બિન અસ્તિત્વ માંથી અસ્તિત્વ આપ્યું, અને ઘણા પ્રકારની નેઅમતો તમને આપી, તે જ અલ્લાહ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, અલ્લાહ પર ઈમાન ધરાવનાર બુદ્ધિશાળી મોમિનોએ પોતાની આંખોથી તેને નથી જોયા, પરંતુ એવી દલીલો તે પોતાની પાસે રાખે છે, જે તેના અસ્તિત્વ પર, એવી જ રીતે તે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, તેના પર અને સૃષ્ટિની વ્યવસ્થા કરવા પર ગવાહી આપે છે, તે દલીલો માંથી કેટલીક આ પ્રમાણે છે:
[૨] તઆલા: આ શબ્દ અલ્લાહની મહાનતા અને વખાણ માટે પોકારવામાં આવે છે, અને તેનો એક ગુણ ઉચ્ચતા અને પવિત્રતાને સાબિત કરવા માટે બોલવામાં આવે છે.
- પહેલી દલીલ: સૃષ્ટિ, ઇન્સાન અને જીવન: આ ત્રણેય વસ્તુઓનો ઉલ્લેખ સમજાય છે, જેની શરૂઆત અને અંત બન્ને છે, અને પોતાના અસ્તિત્વ માટે બીજા પર આધીન છે, અને જે વસ્તુનો ઉલ્લેખ થતો હોય અને જે લાચાર હોય તેમનો સમાવેશ સર્જનીઓ માંથી થયો ગણાશે, અને જે વસ્તુ સર્જન બની તો જાહેર વાત છે કે તેનો કોઈ પેદા કરવાવાળો હોવો અવશ્ય છે, અને તે મહાન પેદા કરવાવાળી અલ્લાહની ઝાત છે, જેણે પોતે પોતાના વિશે કહ્યું, કે તે સમગ્ર સૃષ્ટિનો પેદા કરવાવાળો છે, અને તેની વ્યવસ્થા કરનાર છે, અને આ વિશે આપણને જાણકારી આકાશીય કિતાબો દ્વારા આપી, જે કિતાબો અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરો પર ઉતારી. અને અલ્લાહના પયગંબરો લોકો સુધી અલ્લાહના આદેશો પહોંચાડ્યા, અને તેઓને તેના પર ઈમાન લાવવા અને ફક્ત તેની જ ઈબાદત કરવા પર જોર આપ્યું, અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં કહે છે:
(નિ:શંક તમારો પાલનહાર તે અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે દિવસને રાત વડે છુપાવી દે છે, પછી દિવસ રાતનો પાછળ નીકળી આવે છે, અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ આ બધી વસ્તુઓ તે (અલ્લાહ)ના હુકમનું અનુસરણ કરે છે, યાદ રાખો ! તેણે જ સર્જન કર્યું છે, તો આદેશ પણ તેનો જ ચાલશે, અલ્લાહ ખૂબ જ બરક્તવાળો છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.)
[અલ્ અઅરાફ: ૫૪].
- આયતની સંક્ષિપ્ત સમજુતી:
અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિને જણાવવા ઈચ્છે છે કે તે જ પાલનહાર છે, તે જ તેમને પેદા કરવાવાળો છે, અને છ દિવસમાં (૩) આકાશો અને ઝમીનનું સર્જન કરવાવાળો તે જ છે, અને એ પણ જાણકારી આપવા ઈચ્છે છે કે તે અર્શ પર બિરાજમાન (૪) છે. [૩] સમયાંતરે પેદા કરવા પર અલ્લાહની જરૂર કોઈ હિકમત છુપાયેલી છે, નહીં તો તે આ સમગ્ર સુષ્ટિ અને સંપૂર્ણ શક્તિ ધરાવે છે, કારણકે તેની મહાનતા એ છે કે જ્યારે તે કોઈ વસ્તુનું સર્જન કરવા ઈચ્છે તો ફક્ત એટલું જ કહે છે કે થઈ જા તો તે અસ્તિત્વમાં આવી જાય છે. [૪] અરબી ભાષામાં 'ઇસ્તવા'નો અર્થ જે કુરઆનની ભાષા છે, કોઈ વસ્તુનું ઉચ્ચ અને બુલંદ થવું છે, અને અલ્લાહ તઆલનું અર્શ પર બિરાજમાન થવું એવી જ રીતે છે, જેવી કે તેની મહાનતા અને શાન છે, જેની સ્થિતિ તેના સિવાય કોઈ નથી જાણતું, અને ઇસ્તવા નો અર્થ કબજો કરવો નથી થતો, જેવું કે શહેર પર કબજો કરવો કહેવામાં આવે છે, અર્થાત સામ્રાજ્ય પર કબજો કરવો તે ગુમરાહ લોકો આ અર્થ સમજતા હોય છે, જેઓ અલ્લાહના પવિત્ર નામ અને ગુણોનો ઇન્કાર કરતા હોય છે, જે નામ અલ્લાહ તઆલાએ કુરઆનમાં પોતાના માટે અથવા પયગંબરે અલ્લાહ માટે વર્ણન કર્યા છે, તેઓ એવા વિચારમાં પડેલા છે કે જો તેઓ અલ્લાહના સાચા ગુણોને તેના સાચા અર્થ પ્રમાણે સમજશે તો તેની સર્જનીઓ સાથે સરખામણી થઈ જશે, જો કે આ વિચાર બાતેલ છે, કારણકે સરખામણી તો ત્યારે ગણવામાં આવશે, જ્યારે કે આપણે આમ કહીશું કે તેનો ફલાણો ગુણ સર્જનના ગુણ જેવો છે, પરંતુ તેને આ પ્રમાણે જે તેની શાન અને મહાનતા છે, કોઈ ફેરફાર કર્યા વગર, ઇન્કાર કર્યા વગર, ઉપમા આપ્યા વગર સ્વીકાર કરીશું તો તેમાં કોઈ પણ પ્રકારની સરખામણી નહીં થાય, અને આ જ પયગંબરોનો તરીકો છે, જેના પર નેક લોકો અડગ રહ્યા હતા, અને આ જ સત્ય માર્ગ છે, જેના પર દરેક મુસલમાનો ચાલવું જોઈએ, ભલેને ઘણા લોકો આ માર્ગ નો ઇન્કાર કરી રહ્યા છે.
અને અર્શ જે આકશો ઉપર છે, જે સૌથી મહાન અને અલ્લાહનું વિશાળ સર્જન છે, અને અલ્લાહ તે મહાન અર્શ પર બિરાજમાન છે, અને પોતાના ઇલ્મ અને સાંભળવાની શક્તિ અને જોવાની શક્તિ દ્વારા દરેક સર્જનીઓ સાથે છે, અને સર્જનીઓની કોઈ વસ્તુ તેનાથી છુપાયેલી નથી, અને અલ્લાહ તઆલાએ એ પણ કહ્યું કે રાત દિવસને અંધારાથી ઢાંકી દે છે, અને તેણે સૂર્ય અને ચંદ્ર અને તારાઓનું સર્જન કર્યું, અને તેના બતાવ્યા પ્રમાણે જ પોતાના સીમાઓમાં કાર્યરત છે, વધુ એ કે તેણે જણાવ્યું કે તે એકલો સંપૂર્ણ સૃષ્ટિને પેદા કરવાવાળો છે, તેનો જ આદેશ ચાલે છે, અને તે પોતાની ઝાત અને ગુણોમાં મહાન અને સપૂર્ણ છે, જે હંમેશા ભલાઈ આપતો રહે છે અને તે સમગ્ર દુનિયાનો પાલનહાર છે, જેણે સૌને પેદા કર્યા અને ઘણી નેઅમતો આપી.
અલ્લાહ તઆલા કહે છે:
(દિવસ-રાત અને સૂર્ય-ચંદ્ર (તેની જ) નિશાનીઓ માંથી છે, તમે સૂર્યને સિજદો ન કરો અને ન તો ચંદ્રને, પરંતુ સિજદો તે અલ્લાહ માટે કરો, જેણે તે સૌનું સર્જન કર્યું, જો તમારે તેની જ બંદગી કરવી હોય તો.)
[ફુસ્સિલત: ૩૭]
- આયતની સંક્ષિપ્ત સમજુતી:
આ આયતમાં અલ્લાહ તઆલા એ તે નિશાનીઓનું વર્ણન કર્યું છે, જે તેની ઝાત પર ગવાહી આપે છે, જેવી રીતે કે રાત દિવસ, સૂર્ય અને ચંદ્ર, અને સૂર્ય અને ચંદ્રની ઈબાદત કરવાથી રોક્યા છે કારણકે તે બન્ને અન્ય સર્જનની જેમ જ એક સર્જન છે, અને કોઈ સર્જન ઈબાદતને લાયક નથી, અને સિજદો કરવો પણ ઈબાદતનો એક પ્રકાર છે, અને અલ્લાહ તઆલા આ આયત અને અન્ય આયતોમાં દરેક લોકોને ફક્ત પોતાની ઝાત માટે જ સિજદો કરવાનો આદેશ આપ્યો છે, કારણકે સાચે જ તે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર અને તે જ તેની વ્યવસ્થા કરનાર છે, અને તેને ચલાવનારો છે, અને તે જ ઈબાદતને લાયક પણ છે.
- બીજી દલીલ:
અલ્લાહ તઆલાએ જ પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું: પુરુષ અને સ્ત્રીનું અસ્તિત્વ અલ્લાહના અસ્તિત્વની દલીલ છે.
- ત્રીજી દલીલ:
જબાન અને રંગોના વિવિધ પ્રકાર: તમે જોશો કે દુનિયામાં કોઈ એવા બે વ્યક્તિ નહિ મળે, જેમનો અવાજ અથવા રંગ સરખો હશે, ચોક્કસપણે સહેજ તો તફાવત જરૂર હશે.
- ચોથી દલીલ:
ભાગ્યનું અલગ હોવું: આ માલદાર છે તો બીજો ફકીર છે, આ શેઠ છે તો બીજો નોકર છે, જો કે તે લોકોમાં દરેક બુદ્ધિશાળી તે છે, અને માલદારી, પદ અને સુંદર પત્નીના લોભ્યા છે, તો પણ દરેક વ્યક્તિ એકબીજાથી માલ અને પદમાં તફાવત ધરાવે છે, કારણકે કોઈ પણ વ્યક્તિ દુનિયાની ખુશી અને શાંતિ એટલી જ પામી શકે છે.
જેટલી અલ્લાહએ તેના નસીબમાં લખી છે, અને આવું એક મહાન હિકમતના કારણે છે, જેનો ઈરાદો અલ્લાહએ (૫) કરી રાખ્યો છે, અને એ હિકમત એ છે કે લોકોની કસોટી એકબીજા દ્વારા કરે, અને કેટલાકને કેટલાકના નોકર બનાવ્યા, જેથી દરેક લોકોની વ્યવસ્થા સુરક્ષિત રહે, કોઈનું કોઈ નુકસાન ન થાય.
[૫] સુબ્હાનહુ : અર્થાત અલ્લાહ તઆલા દરેક ખામી થી પાક છે.
અને જે લોકોને અલ્લાહએ દુનિયામાં કઇ ભાગ નથી આપ્યો, તો અલ્લાહએ તેને જાણ કરી છે કે તેમને જન્નતમાં અલ્લાહ વધુ નેઅમતો આપશે, જો તે અલ્લાહ પર ઈમાન ધરાવતો હશે તો. એવી જ રીતે સામાન્ય રીતે અલ્લાહ તઆલા ફકીરને પણ એવી ખૂબી આપે છે, જે છુપાયેલી હોય અથવા સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની હોય, જે ઘણા માલદારોને પણ નસીબ નથી થતી, અને આ પ્રમાણે અલ્લાહની સંપૂર્ણ હિકમત અને ખરો ઇન્સાફ છે.
- પાંચમી દલીલ:
ઉંઘ અને સાચા સપના છે, જેના વડે અલ્લાહ તઆલા સૂતા વ્યક્તિને શુભસુચના અથવા ડરાવવા ખાતર ગૈબની અમુક વાતોથી સચેત કરે છે.
- છઠ્ઠી દલીલ:
રૂહ: જેની સત્યતા અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી.
- સાતમી દલીલ:
ઇન્સાન: તેના શરીરમાં સંવેદના સેન્સ, નબળું મન, દિમાગ અને પાચનતંત્ર વગેરે છે.
- આઠમી દલીલ:
અલ્લાહ તઆલા ઉજ્જડ જમીન પર વરસાદ વરસાવે છે, જમીનમાં વિવિધ પ્રકારના ફૂલ અને વૃક્ષો ઉપજાવે છે, જે રંગ, આકાર, ફાયદો પહોંચાડવામાં અને સ્વાદમાં એકબીજાથી અલગ અલગ હોય છે, આ કેટલાક નમૂના તે કરોડો ઉદાહરણ માંથી છે, જેનું વર્ણન અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં કર્યું છે, અને જેના વિશે તેણે ખબર આપી છે કે આ ઠોસ પુરાવા છે, જે અલ્લાહની પાક હસ્તી અને તેના સંપૂર્ણ સૃષ્ટિના સર્જક તેમજ વયવસ્થાપક હોવાની દલીલ છે.
- નવમી દલીલઃ
તે સાચી ફિતરત જેના પર અલ્લાહ તઆલાએ માનવીને પેદા કર્યો, તે પોતાના સર્જક અને વ્યવસ્થાપક અલ્લાહ તઆલાના અસ્તિત્વ પર સંપૂર્ણ યકીન ધરાવે છે, અને જે વ્યક્તિ તેનો ઇન્કાર કરે તો તે પોતાને જ ઘોખો આપી રહ્યો છે, અને પોતાને જ દુષ્કર્મ તરફ લઈ જઈ રહ્યો છે, ઉદાહરણ તરીકે સામ્યવાદી [૬] વ્યક્તિ દુનિયામાં પણ દુર્ભાગ્ય જીવન પસાર કરે છે અને મૃત્યુ પછી પણ જહન્નમમાં કાયમી રહેશે, કારણકે તે પોતાના પાલનહારને જુઠલાવે છે, જેણે તેને અસ્તિત્વ આપ્યું તેમજ નેઅમતોથી માલામાલ કરી દીધો, પરંતુ જે વ્યક્તિ તૌબા કરી લે અને અલ્લાહ તેમજ તેના દીનનું અનુસરણ કરવા લાગશે અને તેના પયગંબર પર ઈમાન લઈ આવશે. (તો આવો વ્યક્તિ બચી જશે. ) [૬] એવી જ રીતે નાસ્તિક પણ છે. - દસમી દલીલ: કેટલાક સર્જન ઉદાહરણ તરીકે બકરીઓની પેઢીમાં બરકત આપે છે, અને તેના વિરુદ્ધ કેટલાક સર્જન ઉદાહરણ તરીકે કૂતરું અને બિલાડીને તેની બરકતથી વંચિત રાખવા પણ (અલ્લાહના અસ્તિત્વની એક ઝબરદસ્ત દલીલ છે). *** અલ્લાહ તઆલાની સિફાત (ગુણો) માંથી એ છે કે તેઃ
તે પ્રથમ છે, જેના પહેલા કોઈ શરૂઆત નથી, અને તે હંમેશા હંમેશ રહેવાવાળી ઝાત છે, જે ન તો મૃત્યુ પામનારી છે અને ન તો ખતમ થનારી છે, જે પોતે ગની (બેનિયાઝ) છે, કોઈનો પણ મોહતાજ નથી, તે એકલો જ છે, જેનો કોઈ ભાગીદાર નથી, અલ્લાહ તઆલા કહે છે:
(હે પયગંબર ! કહી દો, અલ્લાહ એક જ છે. (૧)
અલ્લાહ બેનિયાજ છે. (૨)
ન તો તેનો જન્મ થયો અને ન તો તેણે કોઈને જન્મ આપ્યો. (૩)
તેમાં જેવો બીજો કોઈ નથી. (૪))
[અલ્ ઇખલાસ: ૧- ૪].
- આયતોની સમજુતી:
જ્યારે કાફિરોએ અલ્લાહના રસૂલને અલ્લાહ તઆલાના ગુણ વિશે સવાલ કર્યો તો અલ્લાહ તઆલાએ આપ પર આ સૂરહ ઉતારી, અને આયતોમાં અલ્લાહ તઆલાએ આપને આદેશ આપ્યો કે તેમને આ વાત કહી દો કે:
અલ્લાહ તઆલા એક જ છે, જેનો કોઈ ભાગીદાર નથી, અલ્લાહ તઆલાની હસ્તી હંમેશા રહેવાવાળી છે, અને તે સૃષ્ટિની વ્યવસ્થા કરવાવાળો છે, તેના માટે જ આ સૃષ્ટિ ની સરદારી છે, લોકો માટે જરૂરી છે કે તે પોતાની જરૂરત માટે ફક્ત તેની જ તરફ હાથ ફેલાવે.
જે ન તો કોઈના દ્વારા પેદા થયો અને ન તો તેના દ્વારા કોઈ પેદા થયું, અને આ યોગ્ય પણ નથી કે તેનું કોઈ બાળક હોય અથવા બાળકી, મા હોય અથવા કે પિતા . પરંતુ તેણે આ સુરતમાં અને અન્ય સૂરતોમાં પણ આ દરેક વસ્તુને પોતાના તરફ સંબોધિત કરવાથી સખત રોક્યા છે, કારણકે પેઢીની ઓળખ અને પેદા થવું આ બન્ને વસ્તુ સર્જનના ગુણો માંથી છે, અલ્લાહ તઆલાએ ઈસાઈઓની આ માન્યતાની કે " ઇસા અલ્લાહના દીકરા છે" અને યહૂદીઓની આ માન્યતા કે " ઉઝેર અલ્લાહના દીકરા છે" સખત ઇન્કાર અને રદ કર્યો છે, એવી જ રીતે કેટલાક લોકો ફરિશ્તાઓને અલ્લાહની દીકરીઓ કહે છે, આ વાતની પણ સખત ચેતવણી અને રદ કર્યો છે.
અને તેણે જણાવ્યું કે તેણે ઇસા ને પોતાની કુદરતથી વગર પિતાએ પેદા કર્યા, જેવી રીતે કે આદમને માટી વડે અને હવ્વાને આદમની પાસળીઓ દ્વારા પેદા કર્યા, ફરૂ તેમના સંતાન અર્થાત્ સમગ્ર માનવજાતિને માતાપિતાના ટીપાં વડે પેદા કર્યા, શરૂઆતથી જ દરેક વસ્તુને અસ્તિત્વ આપ્યું, પછી તેણે પોતાના સર્જન માટે એક એવું નિયમન નક્કી કર્યું, જેમાં કોઈ વ્યક્તિ ફેરફાર નથી કરી શકતો, અને આ જ સંકુચિત માનસિકતાના નિયમ પ્રમાણે તે વસ્તુ અસ્તિત્વમાં આવી, પરંતુ એ કે પોતે અલ્લાહ તઆલા જ આ નિયમ વિરુદ્ધ કોઈ વસ્તુ પેદા કરવાની ઈચ્છા ધરાવે તો કોઈ અડચણ વગર પેદા કરવા પર સક્ષમ છે.
જેવું કે ઇસા ને વગર પિતાએ પેદા કર્યા, જેઓ માતાની ગોદમાં જ બોલી રહ્યા હતા, અને મૂસાની લાકડીને ચાલતા સાપમાં ફેરવી નાખી, અને જ્યારે તેમણે પોતાની આ લાકડી વડે સમુદ્ર પર મારી તો તેમાં રસ્તો બની ગયો, જેના પરથી તે અને તેમની કોમ પસાર થઈ ગઈ, અને આપ ﷺ ના ઇશારાથી ચંદ્ર ના બે ટુકડા થઈ ગયા, અને જ્યારે કોઈ ઝાડ પાસેથી પસાર થતા તો તે આપને સલામ કરતો હતો, અને જાનવરો આપની પયગંબરીની ઉંચા અવાજે ગવાહી આપતા હતા, જેને લોકો પોતાના કાન વડે સાંભળતા હતા, તે કહેતા, હું એ વાતની સાક્ષી આપું છું, કે તમે અલ્લાહના રસૂલ છો, અને આપને બુર્રાક પર સવારી કરાવી મસ્જિદે હરામથી મસ્જિદે અકસા તરફ લઈ જવામાં આવ્યા, પછી ત્યાંથી આકાશો સુધી જિબ્રઇલ સાથે લઈ જવામાં આવ્યા, અને અલ્લાહ તઆલાએ આપની સાથે કલામ કર્યું, અને પાંચ વખતની નમાઝની ભેટ લઈ મસ્જિદે હરામ પાછા આવ્યા, અને તે સફરમાં જે ફક્ત એક જ રાતનો હતો ફજર પહેલા આકાશ પર રહેવાવાળા દરેક સાથે ઓળખ કરી, ઇસ્રા અને મેઅરાજના કિસ્સાની સ્પષ્ટતા કુરઆન મજીદ અને અન્ય હદીષની કિતાબોમાં લખેલી મળે છે.
***
તે ગુણો, જેને અલ્લાહએ પોતાના માટે વર્ણન કર્યા છે અથવા મુહમ્મદ ﷺએ જણાવ્યા છે:
૧. સાંભળવું, જોવું, ઇલ્મ, કુદરત ધરાવવી અને ઈરાદો કરવો, તે દરેક વસ્તુને સાંભળે અને જોવે છે, અને કોઈ પણ વસ્તુ તેના સાંભળવા અથવા જોવા પર રોકી શક્તિ નથી.
અને ગર્ભમાં જે કંઈ છે તે તેને પણ જાણે છે તેમજ દિલમાં છુપાયેલા ભેદ પણ, અને જે કઈ થઈ ગયું છે અને જે કંઈ ભવિષ્યમાં થશે, અલ્લાહ તેને ખૂબ સારી રીતે જાણે છે, તે ઝાત એવી શક્તિશાળી છે, કે જ્યારે કોઈ વસ્તુનો ઈરાદો કરી લે છે તો ફક્ત તેને કહે છે 'કુન' થઈ જા, તે વસ્તુ તરત જ થઈ જાય છે. ૨- કલામ: આ પણ અલ્લાહના ગુણો માંથી એક ગુણ છે, તે જે રીતે પણ ઈચ્છે, વાત કરી શકે છે, મૂસા સાથે કલામ કર્યું, એવી જ રીતે મુહમ્મદ સાહેબ સાથે પણ કલામ કર્યું, એવી જ રીતે કુરઆન મજીદ પોતાના શબ્દો અને અર્થ અલ્લાહનું કલામ જ છે, જે આપ ﷺ પર ઉતારવામાં આવ્યું, જે અલ્લાહના ગુણો માંથી એક ગુણ છે, સર્જન નથી, જેવું કે ગુમરાહ પંથ મુઅતઝિલાનો ખ્યાલ છે. [૭]. [૭] મુઅતઝિલા એક ગુમરાહ પંથ છે, જેમણે અલ્લાહના સુંદર નામોમાં ફેરફાર કર્યા, અને તેના અર્થ અલ્લાહ અને તેના પયગંબરની સમજુતી વિરુદ્ધ વર્ણન કર્યો. ૩- ચહેરો, બન્ને હાથ હોવા, ચઢવું, ઉતરવું [૮], ખુશ થવું અને નાખુશ થવું. જેવું કે તે પોતાના મોમિન બંદાઓથી ખુશ થાય છે, અને કાફિર તેમજ તેની અવજ્ઞા કરવાવાળા પર નાખુશ અને ગુસ્સે થાય છે, અને તેનું ખુશ થવું અથવા નાખુશ થવું અને ગુસ્સે થવું પણ અન્ય ગુણોની જેમ જ તેના પ્રમાણે સાબિત છે, જે સર્જનીઓના ગુણોની જેમ નથી, અને ન તો તેમાં કોઈ અર્થઘટન વર્ણન કરી શકે છે અને ન તો કોઈ તેની સ્થિતિ વર્ણન કરી શકે છે. [૮] જેવું કે હદીષમાં વર્ણન છે કે આપ ﷺ એ કહ્યું: <<જ્યારે રાતનો છેલ્લો તૃતિયાંશ ભાગ બાકી રહે છે, તો આપણો પાલનહાર દરેક રાત્રે દુનિયામાં નજર આવતા આકાશ તરફ ઉતરે છે, અને સૂચના આપે છે કે "કોઈ બંદો મારી પાસે દુઆ કરવાવાળો છે, જેની દુઆ હું કબૂલ કરું? છે કોઈ મારી સામે માંગવાવાળો કે હું તેની માંગણી પુરી કરું? છે કોઈ મારી સામે માફી માગનાર કે હું તેની માફી કબૂલ કરું>> [બુખારી: ૭૪૯૪, મુસ્લિમ: ૭૫૮, તિરમિઝી: ૩૪૯૮].
કુરઆન અને હદીષમાં સાબિત કરવામાં આવ્યું છે કે મોમિન મહેશરના મેદાનમાં અને જન્નતમાં પોતાની આંખો વડે અલ્લાહ તઆલાને જોશે, અને અલ્લાહ તઆલાના ગુણો કુરઆન અને હદીષમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યા છે, ત્યાં તમારે એકવાર વાંચન કરી લેવું જોઈએ.
***
જિન્નાત અને ઇન્સાનને પેદા કરવાનો મહત્ત્વનો હેતુ હે બુદ્ધિશાળી ! જ્યારે તમે જાણી લીધું કે અલ્લાહ જ તમારો પાલનહાર છે, તો એ પણ જાણી લો કે તેણે તમને વ્યર્થ પેદા નથી કર્યા, પરંતુ પોતાની ઈબાદત માટે પેદા કર્યા છે, અલ્લાહ તઆલાએ કહ્યું:
(અમે જિન્નો અને માનવીઓ ને ફક્ત અમારી ઇબાદત માટે પેદા કર્યા છે. (૫૬)
{ન તો હું તેમનાથી કોઈ પ્રકારનું મહેનતાણું માંગુ છું ન તો મારી એવી ઈચ્છા છે કે તેઓ મને ખવડાવે. (૫૭)
{અલ્લાહ તો પોતે જ દરેકને રોજી આપનારો છે અને ખૂબ જ તાકાત ધરાવનારો છે. (૫૮))
[અઝ્ ઝારીયાત: ૫૬-૫૮]. - આયતની સંક્ષિપ્ત સમજુતી:
અલ્લાહ તઆલા આ આયતમાં વર્ણન કરી રહ્યો છે કે તેણે જિન્નાત [૯], અને માનવીઓને ફક્ત પોતાની ઈબાદત માટે પેદા કર્યા છે, અને બીજી તેમજ ત્રીજ આયતમાં એ વાત વર્ણન કરી છે કે તે પોતાના બંદોઓથી બેનિયાઝ છે, અને તેમના દ્વારા કોઈ રોજી અને ખોરાકની ઈચ્છા નથી રાખતો, પરંતુ તે તો એવી પાક હસ્તી છે, જે સૌને રોજી રોટી આપે છે, તેના સિવાય કોઈ કોઈને રોજી આપી નથી શકતું, તે જ વરસાદ વરસાવે છે અને જમીન માંથી વિવિધ પ્રકારના અનાજ અને રોજી ઉપજાવે છે. [૯] જિન્નાત: બુદ્ધિ અને સમજ ધરાવનાર એક સર્જન, જેઓને અલ્લાહ તઆલાએ ઇન્સાનની માફક જ ઈબાદત માટે પેદા કર્યા છે, અને તેઓ તેમની જ સાથે ઝમીન પર રહે છે, પરંતુ માનવી તેઓને જોઈ નથી શકતો.
અને અન્ય સર્જનીઓ, જે બુદ્ધિ નથી ધરાવતી, તેમને અલ્લાહ તઆલાએ માનવીઓની (સેવા અને રાહત) માટે પેદા કરી છે, જેથી કરીને તેઓ અલ્લાહની ઈબાદત અને તેનું અનુસરણ તેમની મદદથી ખૂબ સારી રીતે કરી શકે, અને તેમની સાથે અલ્લાહએ નક્કી કરેલ નિયમ પ્રમાણે વ્યવહાર કરે, સૃષ્ટિના દરેક સર્જન અને તેમની સંપૂર્ણ ક્રિયા અને હરકત અલ્લાહ તઆલાની કોઈને કોઈ હિકમત પ્રમાણે છે, જેના પર કુરઆન મજીદે વર્ણન કર્યું છે, અને જેનાથી દરેક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના ઇલ્મ અને બુદ્ધિ મુજબ જાણ રાખે છે. ઉદાહરણ તરીકે માનવીઓની ઉંમરમાં ફેરફાર હોવું, રોજીમાં ઘટાડો વધારો થવો, કસોટી અને આજમાયશમાં તફાવત, આ બધાનો તફાવત અને ફેરફાર અલ્લાહની હિકમત અને ઈચ્છા પ્રમાણે છે, જેથી તે પોતાના બુદ્ધિશાળી બંદાઓની કસોટી કરે, જે વ્યક્તિ અલ્લાહની ઈચ્છામાં ખુશ રહ્યો, અને ભાગ્યના સામે તેનો સ્વીકાર કરી લે અને અલ્લાહની ઈચ્છાઓ પર ચાલવાનો પ્રયત્ન કરતો રહ્યો, તો તેને અલ્લાહની ખુશી પ્રાપ્ત થશે, અને તે તેને દુનિયામાં શાંતિ અને આખિરતમાં અમન અને બરકત વાળું જીવન આપશે, અને જે વ્યક્તિએ અલ્લાહ તઆલાના નિયમ અને ભાગ્ય પર ફરિયાદ કરી અને તેની ઈચ્છા સામે માથું ન ઝુકાવ્યું તો તેણે અલ્લાહની નાખુશી પોતાના માટે નક્કી કરી લીધી, અને દુનિયા અને આખિરતમાં બદનસીબ બની ગયો. અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ આપણાથી ખુશ થાય અને પોતાની નારાજગીથી બચાવે.
***
મૃત્યુ પછી ફરીવાર જીવિત થવું, હિસાબ કિતાબ, અમલ પ્રમાણે બદલો અને સજા મળવી અને જન્નત તેમજ જહન્નમનું વર્ણન.
હે બુદ્ધિશાળી વ્યક્તિ ! જ્યારે તમે સારી રીતે જાણી લીધું કે અલ્લાહ તઆલાએ તમને પોતાની ઈબાદત માટે પેદા કર્યા છે, તો તે પણ જાણી લો કે અલ્લાહ તઆલાએ પોતાની તે કિતાબોમાં જે તેણે પોતાના પયગંબરો પર ઉતારી છે, વર્ણન કર્યું છે કે તે તમને મૃત્યુ પછી ફરીવાર જીવિત કરશે, અને તમારા દુનિયાના નેક અને ખરાબ અમલોનો બદલો આપશે, અને તે દિવસ આખિરતનો દિવસ હશે, જેને યવ્મે જઝા (બદલાનો દિવસ) પણ કહેવામાં આવે છે, અને માનવી મૃત્યુ દ્વારા જ દારુલ્ અમલ (અમલ કરવાની જગ્યા) અને દારુલ્ ફના (ખત્મ થવાનું ઘર) થી દારુલ્ જઝા (બદલાનું ઘર) અને દારુલ્ બકા (હંમેશા બાકી રહેવવાળું ઘર) તરફ ફેરવાય છે,
જયારે માનવી પોતાનું નક્કી કરેલ જીવન પૂરું કરી લે છે, તો અલ્લાહ તઆલા મૃત્યુના ફરિશ્તાને તેની રૂહ તેના શરીર માથી કાઢવાનો આદેશ આપે છે, શરીર માંથી રુહ નીકળતા પહેલા સખત તકલીફ સહન કરી મૃત્યુ પામે છે. જો તે રુહ અલ્લાહ પર ઈમાન અને તેના આજ્ઞાકરી બંદાની હોય તો અલ્લાહ તઆલા તેને દારુન્ નઇમ (જન્નત) મા પહોંચાડી દે છે, અને જો તે રુહ કાફિર અને મૃત્યુ પછી ફરીવાર જીવિત થવા અને બદલા અને સજાના દિવસનો ઇન્કાર કરતી હશે તો તો દારુલ્ અઝાબ (જહન્નમ) માં પહોંચાડી દેવામાં આવે છે. અહીં સુધી કે દુનિયા નષ્ટ થવાનો સમય આવી જાય અને કયામત કાયમ થઈ જાય, અને જે લોકો જીવિત છે તે લોકો કાયમી મૃત્યુનો સ્વાદ ચાખી લે, અને અલ્લાહ જીવિત અને બાકી સિવાય કોઈ બાકી ન રહે, ત્યારબાદ અલ્લાહ તઆલા ફરીવાર પોતાના સર્જનીઓને અહીં સુધી કે જાનવરોને પણ ઉઠાવશે, અને દરેકના શરીરમાં રુહ પાછી નાખશે, જેઓ પહેલા જેવા થઈ જશે, ફરી તેઓના દુનિયાના અમલોનો હિસાબ કિતાબ થશે અને તેને પોતાના અમલ બરાબર સજા અને બદલો આપવામાં આવશે, ભલેને કોઈ સ્ત્રી અથવા પુરુષ હોય અથવા માલદાર તેમજ ગરીબ કેમ ન હોય, ધનવાન અને લાચાર જ કેમ ન હોય, કોઈની સાથે જુલમ કરવામાં નહિ આવે, અહીં સુધી કે જાનવરોએ કરેલ એકબીજા પર જુલમનો બદલો પણ ચુકવવામાં આવશે, પછી તેમને કહી દેવામાં આવશે કે તમે સૌ માટી થઈ જાવ કારણકે જાનવર જન્નત અને જહન્નમમાં નહિ જાય. અલ્લાહ તઆલા જિન્નાતો અને ઇન્સાનોને તેમના અમલોને પૂરેપૂરો બદલો આપશે, તે મોમિન લોકોને, જેમણે અલ્લાહ અને તેના રસૂલની આજ્ઞાનું પાલન કર્યું તેમનું અનુસરણ કર્યું, તેમને જન્નતમાં દાખલ કરશે, ભલેને તે દુનિયામાં સૌથી ગરીબ કેમ ન હોય, અને જુઠલાવનાર કાફિરોને જહન્નનમાં નાખી દેશે, ભલે ને તે દુનિયામાં માલદાર અને પ્રભુત્વશાળી કેમ ન હોય, અલ્લાહ તઆલા કહે છે: (ખરેખર અલ્લાહ પાસે તે વધુ પ્રતિષ્ઠિત છે, જે તમારામાં સૌથી વધુ અલ્લાહથી ડરવાવાળો હશે, ખરેખર અલ્લાહ તઆલા જાણવાવાળો અને ખબર રાખવાવાળો છે.) [અલ્ હુજુરાત: ૧૩] .
જન્નત: જે વિવિધ પ્રકારની નેઅમતોથી ભરપૂર જગ્યા છે, જેને માનવી વર્ણન નથી કરી શકતો, જેમાં સો દરજ્જા છે, અને દરેક દરજ્જા માટે ઈમાન અને અલ્લાહના અનુસરણ પ્રમાણે ઠેકાણું રહેશે, જન્નતમાં સૌથી ઓછો દરજ્જાનો વ્યક્તિ દુનિયાના મોટા બાદશાહના સુખી જીવન કરતા કેટલાય ગણા વધારે સુખી જીવનમાં હશે[૧૦]. [૧૦] મુગૈરહ બિન શુઅબહ રઝી. રિવાયત કરે છે કે રસૂલ ﷺ એ કહ્યું, મૂસા એ પોતાના પાલનહારને પૂછ્યું, સૌથી ઓછા દરજ્જા વાળો જન્નતી કોણ હશે? અલ્લાહ તઆલાએ કહ્યું, તે જન્નતી હશે, જે દરેક જન્નતી લોકોના જન્નતમાં પહોંચી ગયા પછી આવશે, અને તેને કહેવામાં આવશે કે જા, જન્નતમાં દાખલ થઈ જા, તે કહેશે, હે મારા પાલનહાર ! હું કંઈ રીતે અંદર દાખલ થાઉં? ત્યાં તો દરેક લોકોએ પોતાના ઠેકાણાં બનાવી લીધા છે, અને પોત પોતાની વસ્તુઓ લઈ લીધી છે, તેને કહેવામાં આવશે કે શું તને દુનિયામાં કોઈ બાદશાહની માફક તને મળે તો તું ખુશ થઈ જઈશ? તે કહેશે કે હું ખુશ છું હે મારા પાલનહાર ! અલ્લાહ તઆલા કહેશે, જા એટલું અમે તને આપ્યું, અને તેના જેટલું બીજું પણ, તેના જેટલું બીજું, તેના જેટલું બીજું, પાંચમી વાર તે કહેશે કે હે મારા પાલનહાર ! હું ખુશ છું હે મારા પાલનહાર ! અલ્લાહ તઆલા કહેશે, આ પણ તારા માટે અને આટલું દસ ગણું પણ તારા માટે. અને જે તારી ઈચ્છા કરે અને દિલ ઈચ્છે, તે પણ તારું છે, તે કહેશે કે હે મારા પાલનહાર ! હું ખુશ છું, પછી મૂસા અ.સ.એ સવાલ કર્યો કે સૌથી ઉચ્ચ દરજ્જા વાળો જન્નતી કોણ હશે? અલ્લાહ તઆલા કહેશે કે તેઓ તે લોકો છે, જેમને મેં પોતે પસંદ કરી લીધા છે, તેમના માન અને સન્માન માટે મેં મારા હાથો વડે શણગાવ્યું છે, અને તેના પર મહોર લગાવી દીધી છે, ન તો કોઈ આંખે જોયું છે, ન તો કોઈ કાને સાંભળ્યું છે, અને ન તો કોઈ વ્યક્તિના દિલમાં કોઈ વિચાર આવ્યો હશે. આ હદીષને ઇમામ મુસ્લિમ રહ.એ વર્ણન કરી. (૧૮૯). જહન્નમ: તેનાથી અલ્લાહની પનાહ, તે મૃત્યુ પછી આખિરતમાં ફક્ત ને ફક્ત અઝાબનું ઘર છે, જેના અઝાબના પ્રકારોથી દિલ અને જીગર બન્ને કાંપી ઉઠે છે, અને આંખો માંથી આંસુ આવી જાય છે.
જો કયામત પછી બીજી વાર મૃત્યુ હોત તો તો ફક્ત જહન્નમને જોઈને જ જહન્નમી લોકો મૃત્યુ પામતા, પરંતુ મૃત્યુ તો ફક્ત એક જ વાર આવે છે, જેના દ્વારા ઇન્સાન દુનિયાથી આખિરત તરફ ફેરવાય છે, કુરઆન મજીદમાં મૃત્યુ, મહેશર અને કયામત, હિસાબ કિતાબ, સજા અને બદલો અને જન્નત અને જહન્નમ વિશે વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે, અને તેની દરેક વસ્તુઓની સ્પષ્ટતા ચોખવટ કરી દીધી છે, જેની તરફ અમે ઈશારો કર્યો છે.
મૃત્યુ પછી ફરીવાર જીવિત થવા અને હિસાબ કિતાબ અને સજા તેમજ બદલાની વાત સાચી હોવા પર ઘણી દલીળો વર્ણન કરી છે, કુરઆન મજીદમાં અલ્લાહ તઆલા કહે છે:
(۞ તે જ ધરતી માંથી અમે તમારું સર્જન કર્યું અને તેમાં જ પાછા ફેરવીશું અને તેમાંથી જ ફરીવાર તમને સૌને બહાર કાઢીશું.)
[તોહા: ૫૫].
અલ્લાહ તઆલા કહે છે: (તેણે આપણા માટે એક ઉદાહરણ આપ્યું છે, તે પોતાની પેદાશને ભૂલી ગયો, કહેવા લાગ્યો કે આ સડેલા હાડકાઓને કોણ ભેગા કરશે?) [યાસીન: ૭૮-૭૯].
અલ્લાહ તઆલા કહે છે:
( (આખિરતનો) ઇન્કાર કરવાવાળાઓએ એવું વિચારી લીધુ છે કે તેઓ ફરી વાર જીવિત કરવામાં નહીં આવે, તમે તેમને કહીં દો કે કેમ નહીં ? અલ્લાહની કસમ ! તમે ચોક્કસ ફરીવાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કરતા રહ્યા, તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું સરળ છે.)
[અત્ તગાબુન: ૭]. - આયતની સંક્ષિપ્ત સમજુતી: ૧- અલ્લાહ તઆલા પહેલી આયત દ્વારા વર્ણન કરે છે કે માનવીને તેણે જમીન માથી અર્થાત્ માટી વડે પેદા કર્યો, અને એ રીતે કે તેના પિતા આદમને માટી વડે પેદા કર્યા, અને બીજી વાર મૃત્યુ પછી માટી જ કરી દેશે, અને પછી કબરો માંથી જીવિત કરી સૌને ભેગા કરશે, અને હિસાબ કિતાબ કરી સારા અને ખરાબ અમલોનો બદલો આપશે. ૨- બીજી આયતમાં અલ્લાહ તઆલા તે કાફિરોનો ઇનકાર કરી રહ્યો છે, જેઓ મૃત્યુ પછી ફરીવાર જીવિત થવાનો ઇન્કાર કરે છે, અને તેઓને આશ્ચર્ય થાય છે કે હાડકા સડી ગયા પછી માટી થઈ ગયા પછી કઈ રીતે જીવિત થઈ જશે, તેઓને ખબર આપવા માગે છે કે તે હસ્તી જે પ્રથમ વખત તેમને પેદા કરવા પર કુદરત ધરાવે છે તે જ તેમને ફરીવાર જીવિત કરવામાં પણ કુદરત ધરાવે છે. ૩- ત્રીજી આયતમાં અલ્લાહ તઆલા તે જુઠ્ઠા કાફિરોને જવાબ આપી રહ્યો છે, જેઓ મૃત્યુ પછીના જીવનનો ઇન્કાર કરે છે, અને તેને અશક્ય સમજી રહ્યા છે, તો તેને સાબિત કરવા માટે અલ્લાહ તઆલા આપ ﷺ ને આદેશ આપી રહ્યો છે કે તેમને કસમ ખાઈ કહી દો કે અલ્લાહ તઆલા મૃત્યુ પછી ફરી જીવિત કરવા માટે સક્ષમ છે, અને તેમના અમલ રજૂ કરવામાં આવશે અને તે પ્રમાણે જ નિર્ણય કરવામાં આવશે, અને તેના પ્રમાણે જ બદલો આપવામાં આવશે, અને આવું કરવું અલ્લાહ તઆલા માટે કોઈ મોટી વાત નથી, પરંતુ સામાન્ય વસ્તુ છે.
અને એક બીજી આયતમાં વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે જ્યારે મૃત્યુ પછી જીવિત થવાનો ઇન્કાર કરનારાઓ અને જહન્નમનો ઇન્કાર કરવાવાળાઓને જીવિત કરશે અને જહન્નમમાં અઝાબ આપવામાં આવશે તેને કહેવામાં આવશે કે:
(લો, હવે જહન્નમના અઝાબનો સ્વાદ ચાખો, જેને તમે જુઠલાવતા હતા.)
[અસ્ સજદહ: ૨૦]
માનવીના કાર્યો અને વાતચીત પર નિયંત્રણ કરવો:
અલ્લાહ તઆલાએ તે વાતની પણ સ્પષ્ટતા કરી છે કે માનવી જે કંઈ પણ સારા અથવા ખરાબ અમલ કરશે અને સારી વાતચીત કરશે ભલેને તે જાહેરમાં કરતો હોય કે છુપી રીતે કરતો હોય, બધું જ અલ્લાહના ઇલ્મમાં છે, અને લોહે મહફુઝમાં આકાશો અને જમીન અને ઇન્સાન તેમજ અન્ય દરેકના સર્જન કરતા પહેલા જ લખી દીધું હતું, અને તેની સાથે સાથે દરેક માનવીની દેખરેખ, અને તેના સારા અને ખરાબ અમલ લખવા માટે બે ફરિશ્તાઓને નક્કી કર્યા છે, જમણી બાજુ વાળો ફરિશ્તો નેકીઓ લખતો હોય છે અને ડાબી બાજુ વાળો ફરિશ્તો બુરાઈઓ લખી રહ્યો છે, માનવીની કોઈ વાત અથવા અમલ તેનાથી અજાણ નથી હોતો, અને પછી કયામતના દિવસે તેને તે સુરક્ષિત રેકોર્ડ તેને બતાવી દેવામાં આવશે, જેથી તે તેને જોઈ અને વાંચી લીધા પછી ઇન્કાર ન કરે, અને જે વ્યક્તિ કોઈ વસ્તુનો ઇન્કાર કરશે તો અલ્લાહ તઆલા તેને કાન આંખ, બન્ને હાથ તેના બન્ને પગ તેની ચામડીને દ્વારા પણ તેના અમલની ગવાહી આપશે.
અને મહાન કુરઆનમાં આ બધી વાતોની સ્પષ્ટતા કરવામાં આવી છે, અલ્લાહ તઆલા એ કહ્યું:
((માનવી) મોં વડે કોઇ શબ્દ બોલી શકતો નથી પરંતુ તેની ઉપર એક દેખરેખ રાખનારા તૈયાર છે.)
[કોફ: ૧૮].
અને અલ્લાહ તઆલાએ કહ્યું: (નિ:શંક તમારા પર નિરીક્ષક (ફરિશ્તા) નક્કી છે.(૧૦) જે પ્રતિષ્ઠિત છે, કાર્યો લખનાર, (૧૧) તેઓ જાણે છે, જે કઈ તમે કરી રહ્યા છો. (૧૨)) [અલ્ અન્ફાલ: ૧૦-૧૨].
- આયતોની સમજુતી:
અલ્લાહ તઆલા ખબર આપે છે કે દરેક વ્યક્તિ પર બે ફરિશ્તાઓ નક્કી છે, એક જમણી બાજુ દેખરેખ રાખે છે, જે નેક અમલ નોંધ કરે છે અને એક ડાબી બાજુ નક્કી છે, જે ખરાબ કાર્યોને નોંધ કરે છે, અને છેલ્લી બે આયતોમાં અલ્લાહ તઆલાએ જાણ આપી છે કે તેણે લોકો સાથે કેટલાક પ્રતિષ્ઠિત ફરિશ્તાઓ નક્કી કર્યા છે, જે તેમના દરેક અમલ નોંધ કરી રહ્યા છે, અને એ પણ જણાવ્યું કે તેણે તે ફરિશ્તાઓને બંદાઓના દરેક અમલની જાણ રાખવા અને તેમને લખવાની શક્તિ આપી છે, અને તે વગર પણ અલ્લાહને બંદાઓના દરેક અમલની જાણ હોય છે, અને તેમના પેદા થતા પહેલા જ લોહે મહફૂઝમાં લખી રાખ્યું છે.
ગવાહી:
હું એ વાતની ગવાહી આપું છું કે અલ્લાહ તઆલા સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, અને એ પણ ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને એ વાતની પણ ગવાહી આપું છું કે જન્નત અને જહન્નમ સાચે જ છે, અને કયામતના આવવામાં કોઈ શંકા નથી અને અલ્લાહ તઆલા લોકોના હિસાબ અને કિતાબ માટે તેમની કબરો માંથી ઉઠાવશે, અને તેમના નેક તેમજ ખરાબ કાર્યોનો બદલો આપશે, અને જે કંઈ પણ અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં અમને જણાવ્યું છે, અથવા પયગંબર દ્વારા અમારા સુધી પહોચાડ્યું છે, બધું જ સાચું અને સત્ય છે. હે બુદ્ધિશાળી વ્યક્તિ ! અમે તને આ ગવાહી પર ઈમાન લાવવા તેનું એલાન કરવા અને તેની સમજુતી પર અમલ કરવા માટે માર્ગદેશન આપી રહ્યા છે; ખરેખર આ જ સફળતાનો માર્ગ છે.
ભાગ- ૨ રસૂલ ﷺ ની ઓળખ:
હે બુદ્ધિશાળી વ્યક્તિ ! જ્યારે તમે જાણી લીધું કે અલ્લાહ તઆલાની ઝાત તે પવિત્ર હસ્તી છે, જેણે તમને પેદા કર્યા, પછી તમને મૃત્યુ પછી ફરીવાર જીવિત કરશે, અને તમારા સારા અને ખરાબ કાર્યો મુજબ બદલો અને સજા આપશે, તો તમે ત્યારબાદ એ વાત પર યકીન રાખો કે અલ્લાહ તઆલાએ તમારી તરફ અને દરેક લોકો તરફ પયગંબર મોકલ્યા છે, અને તેના આદેશોનું પાલન તેમજ અનુસરણ કરવાનો આદેશ આપ્યો છે, અને એ વાતની પણ ચોખવટ કરી દીધી કે સાચી અને યોગ્ય ઈબાદત કરવાની રીત તે પયગંબરના અનુસરણથી જ પ્રાપ્ત કરી શકાય છે, અને અલ્લાહની શરીઅત પર ત્યારે જ અમલ કરી શકીએ છીએ, અને તેની ઈબાદતનો હક અદા કરી શકીએ છીએ, જ્યારે તેમનું સંપૂર્ણ અનુસરણ કરવામાં આવે.
અને આ પ્રતિષ્ઠિત પયગંબર જેમના પર ઈમાન લાવવું અને તેમનું અનુસરણ કરવું દરેક વ્યક્તિ પર જરૂરી છે, તે પયગંબરોની શ્રુંખલામાં અંતિમ પયગંબર છે અને દરેક લોકો તરફ અલ્લાહ તરફથી મોકલેલા, ઉમ્મી પયગંબર મુહમ્મદ છે, જેમની પયગંબરીની ખુશખબર મૂસા અને ઇસાએ પોત પોતાના સમયમાં આપી હતી, જેમનું વર્ણન તૌરાત અને ઇન્જિલમાં ચાળીસથી વધારે જગ્યા પર આવ્યું છે, અને જેને યહૂદી અને ઈસાઈ લોકો તૌરાત અને ઇન્જિલમાં ફેરફાર થયા પહેલા પઢતા હતા.[૧૧].
[૧૧] જુઓ: તે ખુશખબર જે તૌરાત અને ઇન્જિલમાં વર્ણન થઈ છે, તેને જાણવા ઇચ્છતા હોય તો શેખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈય્મિયહ રહ.એ લખેલી કિતાબ 'અલ્ જ્વાબુસ્ સહીહ લિમન્ બદલ દીનીલ્ મસીહ' નો પ્રથમ ભાગ જોઈ શકો છો, એવી જ રીતે અલ્લામહ ઇબ્નુલ્ કયયીમ રહ.ની કિતાબ 'હિદયતુલ્ હયારી' અને સિરતે ઈબ્ને હિશામ અને તારીખ ઈબ્ને કષિર મુઅજિઝાતુન્ નુબૂવ્વહ' માં પણ જોઈ શકો છો.
અને વ્હાલા નબી મુહમ્મદ ﷺ જે સમગ્ર માનવજાતિ તરફ પયગંબર બનાવી મોકલવામાં આવ્યા છે, તેમનું નામ અને ખાનદાન: મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ અલ્ હાશમી અલ્ કુરૈશી છે. જે જમીન પર સૌથી પ્રતિષ્ઠિત કુટુંબના સૌથી સાચા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. જેમનું ખાનદાન પયગંબર ઇસ્માઇલ બિન ઈબ્રાહીમ સાથે મળે છે. આપ ﷺ મક્કાહમાં ૫૭૦ ઈસ્વીસનમાં પેદા થયા.
આપ ﷺ જે રાત્રે આંખ ખોલી આપના પેદા થતા જ એક ભવ્ય નૂરથી સંપૂર્ણ સૃષ્ટિ પ્રકાશિત થઈ, જેનાથી લોકો ડરી ગયા, ઈતિહાસની કિતાબોમાં આ કિસ્સો નોંધ કરવામાં આવ્યો છે, અને કુરૈશના લોકોની તે મૂર્તિઓ જેની તેઓ મક્કાહમાં કાબામાં પૂજા કરતા હતા, અને ફરસ જે ઈરાનનું એક રાજય છે જેનો બાદશાહ કુસરુની સભા હલી ગઈ, અને જે મૂર્તિઓને કોતરવામાં આવી હતી તે ઊંધી પડી ગઈ, અને કેસર અને કિસરાના મહેલો હલી ગયા, અને દસ કરતા વધારે તારાઓ તૂટીને પડી ગયા, અને સળગાવેલા ફાનસ ઓલવાઈ ગયા, અને ઠંડા પડી ગયા,જે બે હજાર વર્ષ સુધી ઓલવાયા ન હતા.
આ ક્રાંતિ અલ્લાહ તઆલા તરફથી સમગ્ર સૃષ્ટિના માનવજાતિ માટે એક સૂચના હતી કે અંતિમ પયગંબરનો જન્મ થઈ ગયો છે, જેઓ મૂર્તિઓને નષ્ટ કરશે, જેમને અલ્લાહને છોડીને પૂજી રહ્યા છે, અને જે નબી કેસર અને કિસરાને એક અલ્લાહની ઈબાદત તરફ માર્ગદેશન આપશે, અને આ દીન સ્વીકાર કરવા માટે કહેશે, અને જ્યારે તે આ દીનનો સ્વીકાર કરવાથી ઇન્કાર કરશે તો આ અંતિમ પયગંબર તેમની સાથે યુદ્ધ કરશે, અને તેમના અનુયાયીઓ તેમનો સાથ આપશે, અને છેવટે આ લોકો તેમની સાથે યુદ્ધ કરી વિજય મેળવશે, અને અલ્લાહના દીનને, જે જમીન પર એક નૂર છે, તેને ફેલાવશે, અલ્લાહ તઆલાએ આપની પયગંબરી પછી આ પ્રમાણે જ કર્યું, જેવું કે કહેવામાં આવ્યું હતું-.
અલ્લાહ તઆલાએ આપ ﷺ ને કેટલાક એવા ગુણો આપ્યા છે, જે અન્ય પયગંબરોમાં જોવા નથી મળતા, તેમાંથી કેટલાક નીચે પ્રમાણે છે:
એક: પયગંબર ﷺ અંતિમ પયગંબર છે, આપ ﷺ પછી કોઈ રસૂલ અને પયગંબર નહિ આવે.
બીજું: આપની પયગંબરી સૌના માટે : આપ ﷺ સમગ્ર માનવજાતિ માટે પયગંબર બનાવી મોકલવામાં આવ્યા, અને દરેક લોકો આપની ઉમ્મત ગણવામાં આવશે, જેણે આપનું અનુસરણ કર્યું તે જન્નતી હશે અને જે વ્યક્તિએ આપની અવજ્ઞા કરી તે જહન્નમમાં જશે, યહૂદી અને ઈસાઈ પણ આપ ﷺ ની સંપૂર્ણ અનુસરણને પાત્ર છે, અને જે લોકોએ આપ ﷺ નું અનુસરણ ન કર્યું, અને ન તો આપની પયગંબરી પર ઈમાન લાવ્યા, તેઓ ખરેખર મૂસા, ઇસા અને દરેક પયગંબરોના ઇન્કાર કરનારા ગણાશે.
અને મૂસા, ઈસા અને દરેક પયગંબર તેમના અનુયાયીઓથી અળગા થઈ જશે, જે લોકોએ આપ ﷺ નું અનુસરણ ન કર્યું, કારણકે તે પયગંબરોએ અલ્લાહના આદેશ મુજબ અંતિમ પયગંબરની ખુશખબર આપી હતી, અને આપ ﷺ પયગંબરી પર ઈમાન લાવવાનું પણ કહ્યું હતું, અને એટલા માટે પણ આપ ﷺ નો દીન ઇસ્લામ દરેક પયગંબરોનો પણ દીન છે, જેને અલ્લાહ તઆલાએ આપ ﷺની પયગંબરી દ્વારા સંપૂર્ણ કરી દીધો, એટલે જ કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે આપ ﷺની પયગંબરી પછી ઇસ્લામ દીન સિવાય કોઈ અન્ય દીનનો સ્વીકાર કરે, કારણકે ઇસ્લામ દીન જ અંતિમ અને સંપૂર્ણ દીન છે, જેના દ્વારા અલ્લાહ તઆલાએ દરેક દીનને મિટાવી દીધા, અને ઇસ્લામ દીન જ કયામત સુધી બાકી રહેવાવાળો દીન છે.
જ્યાં સુધી યહૂદી અને ઈસાઈનો સંબંધ છે, તો તે પોતાની સાચી સ્થિતિમાં સુરક્ષિત નથી, પરંતુ તેમાં ઘણા ફેરફાર થઈ ચૂક્યા છે, એટલા માટે જે લોકોએ ઇસ્લામ દીનનું અનુસરણ કર્યું, ખરેખર તે લોકોએ ઈસા મૂસા અને દરેક પયગંબરોનું અનુસરણ કર્યું એમ ગણાશે, અને જે લોકોએ ઇસ્લામ દીનનો ઇન્કાર કર્યો, ખરેખર તે લોકોએ મૂસા, ઈસા અને દરેક પયગંબરોનો ઇન્કાર કર્યો તેમ ગણવામાં આવશે, ભલેને તે મૂસા અને ઈસાના અનુસરણ કરવાનો દાવો કરતા હોય. આ જ કારણે યહૂદીઓના આલિમો અને ઈસાઈઓના પાદરીઓ તેમજ બુદ્ધિશાળી અને ઇન્સાફ પસંદ લોકો આપ ﷺ પર ઈમાન લાવવા અને ઇસ્લામ દીનમાં પ્રવેશવા માટે આગળ આવ્યા. ***
રસૂલ ﷺના મુઅજિઝા [૧૨]
[૧૨] કુરઆનની ભાષામાં મુઅજિઝાતને આયાત કહેવામાં આવે છે, અને આજ સાચું છે, પરંતુ મુઅજિઝા શબ્દ અમે એટલા માટે ઉપયોગ કર્યો કે સામાન્ય આદત વિરુદ્ધ થનાર કિસ્સાઓ માટે આ જ શબ્દનો ઉપયોગ થાય છે. આપ ﷺ ના જીવન ચરિત્ર અંગે લખનાર નિષ્ણાતોએ આપની પયગંબરીની સત્યતા સાબિત કરવા માટે જે મુઅજિઝા થયા તેમની સંખ્યા લગભગ એક હજાર ગણાવી છે, જેમાંથી અમુક નીચે પ્રમાણે છે: ૧- નુબૂવ્વતની મહોર: અલ્લાહ તઆલાએ મુહમ્મદﷺના ખભા વચ્ચે નુબૂવ્વતની મહોર બનાવી હતી, તે શરીરમાં થતા મસા અને તલ માફક હતી. [૧૩]. ૧૩- અષ્ષઆલીલુ: આ શબ્દનું એકવચન ષૂઅલૂલુન્ છે, ચામડી પર ચણાની જેમ અથવા તેનાથી નાના જાહેર થનારા દાણાને કહે છે, અને નુબુવ્વતની મહોર ચંદ્રની જેમ ગોળ હતી. અને તે કબૂતરીના ઈંડા ની જેમ હતી.
૨- વાદળનો છાયડો: જ્યારે આપ ﷺ સખત તડકામાં ચાલતા તો વાદળનો એક ટુકડો આપ ﷺ માટે છાયડો કરતો હતો.
૩- કાંકરીઓની તસ્બીહ: આપ ﷺ ના હાથમાં કાંકરીઓનું તસ્બીહ પઢવું અને વૃક્ષ આપ ﷺને સલામ કરતું હતું.
૪- આપ ﷺ એ કયામત નજીક આવનાર કિસ્સાઓ વર્ણન કર્યા હતા, જે સમયાંતરે જોવામાં આવ્યા અને આપના એક એક શબ્દ સાચા સાબિત થયા. અને ગૈબની કેટલીક વાતો, જે આપના મૃત્યુ પછી થી લઈ કયામત સુધી થવાની હતી અને તે કિસ્સાઓ જેનું ઇલ્મ અલ્લાહ તઆલાએ આપ ﷺને આપ્યું હતું, હદીષની કિતાબોમાં સંપૂર્ણ વાતો વર્ણન કરવામાં આવી છે, હદીષની કિતાબો સિવાય આલિમોએ વર્ણન કરેલ "કયામતની નિશાનીઓના વિષય ઉપર" ઉદાહરણ તરીકે ઇમામ ઈબ્ને કષિરની કિતાબ અન્ નિહાયા, એવી જ રીતે 'અલ્ અખબારુલ્ મશાઅહ ફી અશરાતી સાઅહ' અને હદીષની કિતાબોમાં ફિતનના નામથી પાઠ, પણ આ વિષય પર માહિતી સુરક્ષિત છે, વર્ણન કરેલ મુઅજિઝા અન્ય પયગંબરોના મુઅજિઝાની જેમ સરખા હતા. પરંતુ આ સિવાય અલ્લાહ તઆલાએ આપ ﷺ ને એક એવો મુએજિઝો આપ્યો, જે કયામત સુધી બાકી રહેશે, જે કોઈ પયગંબર ને આપવામાં નથી આવ્યો, અને એ મુઅજિઝો છે, કુરઆન મજીદ: જેની સુરક્ષાની જવાબદારી પોતે અલ્લાહએ લઈ રાખી છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો અશક્ય વાત છે, જો કોઈ દુરાચારીએ એ પ્રયત્ન કર્યો તો તે નાકામ અને અસફળ રહ્યો, કારણકે કુરઆન મજીદના હજારો લાખો નુસખા આખી દુનિયાના લોકોના હાથમા છે, જે એકબીજાથી એક શબ્દ પણ વિરુદ્ધ નથી. તેની વિરુદ્ધ તૌરાત અને ઇન્જીલના નુસખામાં અસામાન્ય ફેરફાર થઈ ચૂક્યો છે, તેમના નુસખા એકબીજાથી વિરુદ્ધ અને અલગ અલગ છે, અને દરેક નવી આવૃત્તિ પાછળની આવૃત્તિ કરતા વિરુદ્ધ હોય છે, કારણકે તેની સુરક્ષાની જવાબદારી અલ્લાહ તઆલાએ યહૂદી અને ઈસાઈઓને સોંપી છે, તો તે લોકોએ તેની સાથે રમત કરી, જયારે કે કુરઆનની સુરક્ષાની જવાબદારી પોતે અલ્લાહ તઆલા લીધી છે અને વચન પણ આપ્યું છે, જેવું કે અલ્લાહ તઆલા કહે છે: (નિઃશંક અમે જ આ કુરઆનને ઉતારવાવાળા છે અને અમે જ તેની હિફાજત પણ કરવાવાળા છે.) [અલ્ હિજર: ૯]. કુરઆન મજીદ અલ્લાહનું કલામ હોવામાં અને પયગંબર મુહમ્મદ ﷺ પયગંબર હોવાના બોદ્ધિક પુરાવા: કુરઆન મજીદ અલ્લાહનું કલામ હોવામાં અને મુહમ્મદ પયગંબર હોવાના પુરાવા માંથી એક એ કે જ્યારે મક્કાહના કાફિરોએ આપ ﷺ ને જુઠલાવ્યા, જેવી રીતે પહેલાની કોમોએ પોત પોતાના પયગંબરોને જુઠલાવ્યા હતા, અને કહ્યું કે આ કુરઆન અલ્લાહનું કલામ નથી, તો અલ્લાહ તઆલાએ તેમને પડકાર આપતા કહ્યું, કે તેના જેવું જ સ્પષ્ટ અને સાફ કુરઆન લાવી બતાવો, તેઓ અરબી જબાનના નિષ્ણાત હોવા છતાંય તેની જેમ ન લાવી શક્યા અને લાચાર બની ગયાં, જો કે તે લોકો પોતાને અરબી ભાષાના નિષ્ણાત અને ખિલાડી સમજતા હતા, અને તેમની વચ્ચે મહાન કવિઓ અને પ્રખ્યાત અરબીના વિદ્વાનો હાજર હતા, પછી તેમને ફક્ત કુરઆન જેવી દસ આયતો લાવવાનું કહેવામાં આવ્યું, તો પણ તેઓ ન લાવી શક્યા, પછી એ વાત કહેવામાં આવી કે કમસે કમ એક સૂરત તો આ કુરઆન જેવી લાવીને બતાવો, તેઓ તેમાં પણ નિશફળ રહ્યા, પછી અલ્લાહ તઆલાએ પોતે જ કહી દીધું કે આ લોકો લાવી જ નથી શકતા, જો કે સમગ્ર સૃષ્ટિના માનવ અને જિન્નાત પણ આ પ્રમાણે કલામ લાવવાની ઈચ્છા કરે તો પણ કુરઆન જેવું કલામ લાવી નથી શકતા, અલ્લાહ તઆલા કહે છે:
((હે પયગંબર !) કહી દો કે દરેક ઇન્સાન અને જિન્નાત મળીને આ કુરઆન જેવી કિતાબ લાવવા ઈચ્છે તો પણ કુરઆન જેવી કિતાબ લાવવી અશક્ય છે, ભલેને તે એકબીજાના મદદગાર પણ બની જાય.)
[અલ્ ઇસ્રા: ૮૮].
જો કુરઆન મજીદ મુહમ્મદ ﷺ નું કલામ અથવા કોઈ બીજા વ્યક્તિનું કલામ અને અલ્લાહનું કલામ ન હોત
તો અરબીના નિષ્ણાત ખરેખર એમના જેવું કલામ લાવીને બતાવી દેતા, પરંતુ અલ્લાહનું કલામ એવી જ રીતે મહાન છે, જે રીતે તેની હસ્તી અને ગુણો સર્જનીઓના ગુણોથી ઉચ્ચ અને મહાન છે. અને જે રીતે તે પાક હસ્તી "તેના જેવું કોઈ જ નથી" આ ગુણથી ખાસ છે, ઠીક એવી જ રીતે તેનું કલામ પણ એવું જ છે, તેના જેવું કે તેના બરાબર કોઈ જ નથી, આ વર્ણન કરી સારી રીતે અંદાજો આવી ગયો હશે કે કુરઆન મજીદ ખરેખર અલ્લાહનું જ કલામ છે, અને મુહમ્મદ ﷺ તેના સાચા રસૂલ છે, કારણકે અલ્લાહનું કલામ રસૂલ સિવાય કોઈ બીજા વ્યક્તિ પર ઉતરતું નથી. અલ્લાહ તઆલા કહે છે:
(લોકો ! તમારા પુરુષો માંથી મુહમ્મદ (ﷺ) કોઈના પિતા નથી, પરંતુ આપ તો અલ્લાહના રસૂલ છો, અને દરેક પયગંબરો માંથી સૌથી અંતિમ પયગંબર છો અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને ખૂબ સારી રીતે જાણવાવાળો છે.)
[અલ્ અહઝાબ: ૪૦].
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
(અને હે પયગંબર ! અમે તમને સમગ્ર લોકો માટે એવા પયગંબર બનાવી મોકલ્યા છે, જે ખુશખબરી પણ સંભળાવે અને સચેત પણ કરે, પરંતુ ઘણા લોકો સમજતા નથી)
[સબા: ૨૮].
અલ્લાહ તઆલા કહે છે:
(અને અમે તમને સમગ્ર સૃષ્ટિ માટે રહેમત બનાવીને મોકલ્યા છે.)
[અલ્ અન્બિયા: ૧૦૭].
- આયતની સંક્ષિપ્ત સમજુતી: ૧- પહેલી આયતમાં અલ્લાહ તઆલા વર્ણન કરવા ઈચ્છે છે કે આપ ﷺ સમગ્ર સુષ્ટિના માનવજાત તરફ પયગંબર અને રસૂલ બનાવી મોકલવામાં આવ્યા છો, અને તેઓ અંતિમ પયગંબર છે, આપ ﷺ પછી કોઈ નબી અને પયગંબર બનીને નહિ આવે, અને આપ ﷺ ને મહાન પદ પયગંબરી આપવામાં આવી, જેના તમે જ લાયક હતા, અને જેનો અંત તમારા પર જ થવાનો હતો, કારણકે અલ્લાહ ખૂબ સારી રીતે જાણતો હતો કે તમે જ તેને લાયક છો.
૨- બીજી આયતમાં અલ્લાહ તઆલા વર્ણન કરે છે કે તેણે મુહમ્મદ ﷺ ને સમગ્ર લોકો તરફ રસૂલ બનાવી મોકલ્યા છે, ભલે ને તે કાળા હોય અથવા સફેદ, અરબ હોય કે ગેર અરબ, અને અલ્લાહ એ પણ જણાવ્યું કે ઘણા લોકો સત્ય અને સત્યતાથી અજાણતાના કારણે ગુમરાહ છે, અને પયગંબરનો ઇન્કાર કરી કાફિર બન્યા. ૩- ત્રીજી આયતમાં અલ્લાહ તઆલા આપ ﷺ ને સંબોધિત કરી કહે છે કે તેણે આપ ﷺ ની હસ્તી અને પયગંબરીને સમગ્ર સૃષ્ટિ માટે રહેમત બનાવી, જેણે અલ્લાહએ તેમને ભેટ રૂપે આપી, જેણે આપ ﷺનું અનુસરણ કર્યું તેણે અલ્લાહ તઆલાએ આપેલ ભેટ કબૂલ કરી, અને જન્નતનો હકદાર બન્યો. અને જે મુહમ્મદ ﷺ પર ઈમાન નથી લાવ્યા અને આપના અનુસરણ કરવાથી દૂર રહ્યા તેણે અલ્લાહએ આપેલ ભેટ ને ઠુકરાવી દીધી, અને જહન્નમનો હકદાર બન્યો. અલ્લાહ અને તેના રસૂલ ﷺ પર ઈમાન લાવવા માટેની પોકાર: એટલા માટે હે બુદ્ધિશાળી વ્યક્તિ ! તને અમે બોલાવીએ છીએ કે તું અલ્લાહ તઆલાને પાલનહાર સ્વીકાર કરી રસૂલ ﷺ ને પયગંબર માની તેમના પર ઈમાન લાવ, અને આપ ﷺ ની સુન્નત અને દીનનું સંપૂર્ણ અનુસરણ કર, અને તેનું જ નામ ઇસ્લામ દીન છે, જેનું ખરેખર સ્ત્રોત કુરઆન મજીદ અને રસૂલ ﷺ ની હદીષ છે, અને તેમની પાક સુન્નત છે, કારણકે અલ્લાહ તઆલાએ આપને દરેક ભૂલથી સુરક્ષિત રાખ્યા છે, એટલા માટે આપ અલ્લાહની જ ઈચ્છા પ્રમાણે કોઈ કામ કરવા અને ન કરવાનો આદેશ આપતા હતા, એટલા માટે સાચા દિલ થી કહો કે હું એ વાત પર ઈમાન લાવ્યો, કે અલ્લાહ જ મારો પાલનહાર છે, અને સાચો ઇલાહ છે, અને એ વાત પર કે મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને પછી તેમનું અનુસરણ કરો કારણકે તે જ છુટકારા અને સફળ થવાનો માર્ગ છે. અલ્લાહ તઆલા અમને અને તમને ખુશી અને સફળતા આપે... આમીન.
***
ત્રીજો વિભાગ: - સત્ય દીન ઇસ્લામની ઓળખ -
જ્યારે તમે જાણી લીધું કે અલ્લાહ જ તે પાક હસ્તી છે, જેણે તમને પેદા કર્યા, અને રોજી આપી, અને તે એકલો જ ઇલાહ પણ છે, જેનો કોઈ શરીક ભાગીદાર નથી, અને તમારા માટે જરૂરી છે કે તમે ફક્ત તેની જ ઈબાદત કરો, અને તમે એ પણ જાણી લીધું કે મુહમ્મદ ﷺ તમારી તરફ અને સમગ્ર સૃષ્ટિના લોકો તરફ અલ્લાહ તરફથી આવેલ રસૂલ છે, તો હવે એ પણ જાણી લો કે તમારું અલ્લાહ પર ઈમાન અને રસૂલ પર ઈમાન ત્યારે જ ભરોસાને પાત્ર ગણવામાં આવશે જ્યારે તમે ઇસ્લામ દીનની સાચી માહિતી જાણી તેના પર ઈમાન લાવો, અને તેના મુજબ જ નેક અમલ કરો, કારણકે આજ ઇસ્લામ દીન છે, જેને અલ્લાહ તઆલાએ પસંદ કરી લીધો છે,અને તેનો જ આદેશ તેણે દરેક પયગંબરોને પણ આપ્યો છે, અને મુહમ્મદ ﷺ ને આપી દરેક લોકો તરફ મોકલ્યા છે, અને તેના પ્રમાણે અમલ કરવો જરૂરી કરી દીધો છે.
*** ઇસ્લામની વ્યાખ્યા અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ જે સમગ્ર લોકો માટે રસૂલ બનાવી મોકલવામાં આવ્યા છે, તેઓ કહે છે:
<<(ઇસ્લામના પાંચ (સ્તંભો) છે, તે સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાન રોઝા રાખવા, અને બૈતુલ્લાહનો હજ કરવો જો શક્તિ ધરાવતા હોય.>> [૧૪].
[૧૪] મુસ્લિમ (૮), અને અબૂ દાવુદ: ૪૬૯૫.
ઇસ્લામ તે દુનિયાનો દીન છે, જેનો સ્વીકાર કરવાનો અલ્લાહ તઆલાએ લોકોને આદેશ આપ્યો છે, અને દરેક પયગંબરો તેના પર ઈમાન લઈ આવ્યા, અને આ બાબતે તે લોકોએ એલાન અને સ્વીકાર કર્યો, અને પોતે અલ્લાહ તઆલા કહે છે : કે આ જ સત્ય દીન છે, તેના સિવાય અન્ય દીન કબૂલ કરવામાં નહિ આવે, કહેવામાં આવ્યું: (નિંશંક અલ્લાહ તઆલાની નજીક દીન ઇસ્લામ જ છે.) [આલિ ઇમરાન: ૧૯].
અલ્લાહ તઆલા કહે છે:
(અને જે વ્યક્તિ ઈસ્લામ સિવાય બીજા ધર્મની આવશ્યકતા રાખશે તો તેનો ધર્મ સ્વીકારવામાં નહીં આવે, અને આખિરતના દિવસે નુકસાન થનારાઓમાંથી હશે)
[આલિ ઇમરાન: ૮૫].
- આયતની સંક્ષિપ્ત સમજુતી:
૧- અલ્લાહ તઆલા જાણ કરે છે કે તેની નજીક માન્ય દીન ફક્ત ઇસ્લામ જ છે.
૨- અને બીજી આયતમાં તેની સ્પષ્ટતા કરી કે ઇસ્લામ દીન સિવાય તે કોઈના દ્વારા અન્ય દીન કબૂલ નહીં કરે, અને મૃત્યુ પછી ફક્ત મુસલમાન જ ખુશનસીબ હશે, અને જે લોકો ઇસ્લામ સિવાય અન્ય દીન અપનાવશે, અને તેના પર જ મૃત્યુ પામશે તો તેને આખિરતમાં નુકસાન ઉઠાવવું પડશે અને જહન્નમમાં તેમને અઝાબ આપવામાં આવશે.
એટલા માટે જ દરેક પયગંબરોએ ઇસ્લામ દીનનો સ્વીકાર કર્યો, અને જે લોકોએ આ દીનથી પીઠ ફેરવી તેમનાથી તે લોકો અળગા થઈ ગયા, એટલા માટે જે યહૂદી અને ઈસાઈ સફળતા ઇચ્છતા હોય તેમણે ઇસ્લામનો સ્વીકાર કરી લેવો જોઈએ, અને મુહમ્મદ ﷺની પયગંબરીનો સ્વીકાર કરી આપ ﷺની શરીઅતને અપનાવી લેવી જોઈએ, જેથી કરીને મૂસા અને ઈસા અ.સ.ના સાચા અનુયાયી સાબિત થાઓ, કારણકે પોતે મૂસા અને ઈસા તેમજ દરેક પયગંબર મુસલમાન હતા, અને ઇસ્લામ દીન તરફ જ તેમણે માર્ગદર્શન આપ્યુ છે, કારણકે આ જ તે દીન છે, જે તેમને આપવામાં આવ્યો છે,આપ ﷺની પયગંબરી થી લઈ કયામત સુધી કોઈ વ્યક્તિ ત્યાં સુધી મુસલમાન હોવાનો દાવો નથી કરી શકતો જ્યાં સુધી કે તે આપ ﷺની પયગંબરીને દિલથી સ્વીકાર ન કરી લે, અને આપ ﷺની સુન્નત અને શરીઅતનું સંપૂર્ણ અનુસરણ ન કરી લે, અને આપ પર ઉતારવામાં આવેલી કિતાબ કુરઆન મજીદના આદેશો પર અમલ કરવા ન લાગે, કુરઆન મજીદમાં અલ્લાહ તઆલા કહે છે:
(કહી દો કે જો તમે અલ્લાહથી મોહબ્બત રાખો છો તો મારું અનુસરણ કરો, અલ્લાહ તઆલા પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને અલ્લાહ તઆલા ઘણો જ માફ કરનાર, દયાળુ છે.)
[આલિ ઇમરાન: ૩૧].
- આયતની સંક્ષિપ્ત સમજુતી:
અલ્લાહ તઆલા રસૂલ ﷺ ને એક આદેશ આપી રહ્યો છે, કે અલ્લાહથી મુહબ્બતનો દાવો કરનારને જણાવી દો કે જો તમે ખરેખર અલ્લાહથી મુહબ્બત કરતા હોય, તો મારું અનુસરણ કરો, અલ્લાહ તમારાથી મુહબ્બત કરવા લાગશે, અને તમારા ગુનાહોને માફ કરી દેશે, જ્યારે તમે મુહમ્મદ ﷺ પર ઈમાન લાવો અને તેમનું અનુસરણ કરશો ત્યારે જ અલ્લાહ તઆલા તમારાથી મુહબ્બત કરશે.
અને આ જ તે ઇસ્લામ દીન છે, જેને આપ ﷺ સમગ્ર માનવજાતિ તરફ લઈને મોકલવામાં આવ્યા, અને આ એવો સંપૂર્ણ, ખુબસુરત અને સરળ દીન છે, જેને અલ્લાહએ સંપૂર્ણ કર્યો છે, અને પોતાના બંદાઓ માટે આજ દીનને પસંદ કર્યો, જેની નજીક તેના સિવાય કોઈ દીન કબૂલ નથી, અને તે જ દીનની દરેક પયગંબરએ ખુશખબર આપી હતી, અને તેના પર ઈમાન લાવ્યા, કુરઆનમાં અલ્લાહ તઆલા કહે છે:
(આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો)
[અલ્ માઇદહ: ૩].
- આયતની સંક્ષિપ્ત સમજુતી:
આ આયત આપ ﷺ પર તે સમયે ઉતરી જ્યારે આપ ﷺ અને આપની સાથે દરેક સહાબા હજ્જે વિદાઅના સમયે અરફાના દિવસે ઝિક્ર અને દુઆઓ કરવામાં વ્યસ્ત હતા, અને ઇસ્લામ દીન ખૂબ જ પ્રગતિ કરી રહ્યો હતો, અને આપ ﷺ નું જીવન અંતિમ તબક્કામાં હતું. ત્યારબાદ અલ્લાહની મદદ આવી, ઇસ્લામ દીન ફેલાય ગયો અને કુરઆન મજીદનો ઉતરવાનો સિલસિલો પૂરો થઈ ગયો.
આ આયત દ્વારા અલ્લાહ તઆલા એ જાણ આપવા માગે છે કે તેણે મુસલમાનો માટે ઇસ્લામ દીન પૂરો કરી દીધો, અને તેમના પર પોતાની નેઅમતો, આપ ﷺની પયગંબરી અને આપ ﷺ પર કુરઆન પૂરું કર્યું, અને તેમના માટે દીન રૂપે ઇસ્લામને પસંદ કરી લીધો, જેનાથી તે ક્યારેય નારાજ નહીં થાય, અને ન તો તે તેના સિવાય બીજો કોઈ દીન કબૂલ કરશે.
અલ્લાહ તઆલા જાણ આપી રહ્યો છે કે તે ઇસ્લામ દીન જેને લઈ આપ ﷺ આવ્યા, એક એવો સંપૂર્ણ દીન અને શરીઅત છે, જે દરેક સમયમાં, દરેક જગ્યાએ અને દરેક કોમ માટે યોગ્ય અને સચોટ દીન છે, તે ઇલ્મ, સરળતા, ભલાઈ અને બરકત વાળો દીન છે, ઇસ્લામ જીવનના વિવિધ તબક્કા માટે અને સંપૂર્ણ દીન અને સ્પષ્ટ તરીકો છે, તે દીન અને સિયાસત બન્ને પર આધારિત છે, તેમાં સામ્રાજ્ય, નિર્ણય, સિયાસત, સામાજિક અને આર્થિક બાબતો તેમજ તે દરેક વસ્તુ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેની જરૂરત એક માનવીને હોઈ શકે છે, અને આ દીન પર જ મૃત્યુ પામવા પર આખિરતમાં સફળતા મળશે.
****
ઇસ્લામના અરકાન (સ્થભો)
ઇસ્લામ દીન જેને આપ ﷺ લઈને આવ્યા તેના કુલ પાંચ મહત્વના પાયા છે, જેના પર ઈમાન લાવ્યા વગર અને તેના નિયમોનું પાલન કર્યા વગર કોઈ વ્યક્તિ સાચો મુસલમાન નથી બની શકતો, તે પાંચ રુકન આ પ્રમાણે છે: ૧- તે વાતની ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ પયગંબર ﷺ અલ્લાહના રસૂલ છે. ૨- નમાઝ કાયમ કરવી. ૩- ઝકાત આપવી. ૪- રમઝાનના રોઝા રાખવા. ૫- પ્રબળ હોય તો બૈતુલ્લાહનો હજ કરવો. [૧૫]. [૧૫] <<આપ ﷺએ કહ્યું, (ઇસ્લામના પાંચ (સ્તંભો) છે, સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાન રોઝા રાખવા, અને બૈતુલ્લાહની હજ કરવી>>. ઈમામ બુખારી રહ. એ <<સહીહ>> માં રિવાયત કરી છે, (૮, ૪૫૧૫) <<તારીખુલ્ કબીર>> (૪/૨૧૩) (૮/૩૧૯,૩૨૨) મુસ્લિમ (૧૬) અને કુરઆનમાં પણ આ રુકન વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. - પહેલો રુકન (ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ પયગંબર સાહેબ અલ્લાહના રસૂલ છે):
અને આ ગવાહીની કેટલીક સમજુતી અને અર્થ થાય છે, જેના વિશે દરેક મુસલમાન એ જાણવું જરૂરી છે, અને તે પ્રમાણે અમલ કરવો જરૂરી છે, અને જે લોકો વિચાર્યા વગર જ તેને ફક્ત પોતાની જબાન વડે કહી દે છે, અને તેની સમજુતીની જાણ નથી રાખતા અને ન તો તેના પર અમલ કરે છે તેઓ યોગ્ય રીતે તેના દ્વારા કઈ પણ ફાયદો ઉઠાવી નથી શકતા.
કલિમા (લા ઇલાહ ઇલ્લલ્લાહ) નો અર્થ એ છે કે જમીન અને આકાશમાં અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ મઅબૂદ નથી, તેની જ હસ્તી ઇલાહ હોવાને લાયક છે, અને તેના સિવાય અન્ય મઅબૂદ બાતેલ છે, ઇલાહનો અર્થ: મઅબૂદ. જે વ્યક્તિ અલ્લાહને છોડીને અન્યની ઈબાદત કરે છે તે કાફિર અને મુશરિક છે, ભલેને તેનો મઅબૂદ કોઈ નબી અથવા વલી કેમ ન હોય, અને તે તેમની બંદગીને દલીલ સાથે કરતો હોય કે તે તેમના દ્વારા અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી રહ્યા છે, તે બાતેલ છે, કારણકે તે મુશરિક જેમની સાથે આપ ﷺએ જિહાદ કર્યો તેઓ પણ નબીઓ અને વલીઓની આ જ દલીલ આપી તેમની બંદગી કરતા હતા, પરંતુ તેમની આ દલીલ બાતેલ અને રદ કરવામાં આવી છે, કારણકે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાની આ રીત નથી, કે અન્યની બંદગી કરવામાં આવે, અલ્લાહની નિકટતા માટે, નેક અમલ દ્વારા ,અને તેના નામ અને ગુણો વડે પ્રાપ્ત કરવામાં આવે છે, જે બાબતે પોતે અલ્લાહ તઆલા આદેશ આપી રહ્યો છે, જેવું કે નમાઝ પઢવામાં આવે, રોઝા રાખવામાં આવે, જિહાદ કરવામાં આવે, સદકો કરવામાં આવે, હજ કરવામાં આવે, માતાપિતાની સેવા કરવામાં આવે, વગેરે, અને જીવિત હાજર મોમિન બંદાની દુઆ, જયારે તે તે પોતાના ભાઈ માટે દુઆ કરે. ઈબાદતના ઘણા પ્રકાર છે, તેમાંથી કેટલાક નીચે વર્ણન કરવામાં આવી રહ્યા છે:
૧- દુઆ:
પોતાની જરૂરિયાતો માટે વિનંતી, જેને પુરી કરવા માટે અલ્લાહ સિવાય કોઈ કુદરત નથી ધરાવતું, જેવું કે વરસાદ વરસાવવો, બીમારના સાજો કરવો, મુસીબતોને દૂર કરવી, જેને અલ્લાહ સિવાય કોઈ દૂર નથી કરી શકતું, અને એવી જ રીતે જન્નતનો સવાલ તેમજ જહન્નમથી છુટકારો માંગવો, સંતાન માંગવી, રોજી માંગવી કરવી, શાંતિ અને અમન માગવું. વગેરે.
આ બધું જ અલ્લાહ સિવાય કોઈની પાસે માંગવામાં ન આવે, અને જો કોઈએ કોઈ સર્જન પાસે ભલેને તે જીવિત હોય કે મૃત્યુ પામેલ હોય, કોઈ પણ વસ્તુની તેમની પાસે માંગ કરી, તેણે તેની ઈબાદત કરી, તો તે જહન્નમમાં જશે. જો કે અલ્લાહએ તેમને આદેશ આપ્યો છે કે તેઓ ફક્ત અલ્લાહ પાસે જ સવાલ કરે અને એ પણ કહી દીધું છે કે દુઆ પણ એક ઈબાદત છે, અને જે વય્ક્તિ અલ્લાહ સિવાય કોઈને પોકારશે તો તે જહન્નમમાં જશે. અલ્લાહ તઆલા કહે છે:
(અને તમારા પાલનહાર એ કહ્યું: મારી પાસે દુઆ માંગો હું તમારી દુઆઓને કબૂલ કરીશ, ખરેખર જે લોકો મારી ઈબાદત થી મોઢું ફેરવે છે, તે નજીક માં જ અપમાનિત થઇ જહન્નમમાં જશે.) [ગાફિર: ૬૦]. અને અલ્લાહ તઆલાએ સ્પષ્ટ કહી દીધું છે કે જેમને અલ્લાહ સિવાય પોકારવામાં આવે છે તેઓ કોઈને નુકસાન અને ફાયદો નથી પહોંચાડી શકતા, ભલેને તે નબી અથવા વલી હોય: (તમે તેમને કહી દો કે તેમને પોકારો, જેમને તમે અલ્લાહ સિવાય મઅબૂદ સમજો છો , ન તો તે તમારી કોઈ તકલીફને દૂર કરી શકે છે અને ન તો બદલી શકે છે.) [અલ્ ઇસ્રા: ૫૬ અને તેના પછી એક બીજી આયતમાં વર્ણન કર્યું છે કે], અલ્લાહ તઆલા કહે છે: (અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે, બસ ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો.) [અલ્ જિન્ન : ૧૮]. ૨- ઝબેહ કરવું, નઝર માનવી અને કોઈ પણ નેક કામ કરવું: કોઈ પણ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે અલ્લાહના સિવાય કોઈના માટે ઝબેહ કરે અને કુરબાની કરે અથવા નઝર માને, જે અલ્લાહને છોડીને બીજા માટે ઝબેહ કરશે, ઉદાહરણ તરીકે કોઈની કબર માટે અથવા જિન્નાતને ખુશ કરવા માટે ઝબેહ કરશે તો તેણે અલ્લાહને છોડીને બીજાની ઈબાદત કરી, અને તેના પર અલ્લાહની લઅનત સાબિત થઈ જશે; અલ્લાહ તઆલા કહે છે: (તમે કહી દો, ખરેખર મારી નમાઝ મારી કુરબાની મારું જીવન અને મારું મૃત્યુ સમગ્ર સૃષ્ટિનાં પાલનહાર માટે છે.)
[અલ્ અન્આમ: ૧૬૨-૧૬૩].
અને આપ ﷺએ કહ્યું: <<જે અલ્લાહને છોડીને બીજા માટે ઝબેહ કરશે તો તેના પર અલ્લાહની લઅનત છે>> [૧૬]. [૧૬] મુસ્લિમ: (૧૯૭૮), નસાઈ: (૪૪૨૨).
જ્યારે કોઈ વ્યક્તિ આમ કહે કે મારું ફલાણુ કામ થઈ જશે તો હું ફલાણા માટે નઝર અને દાન કરીશ અથવા કંઈક બીજું કરીશ, તો આ નઝર શિર્ક થઈ જશે, કારણકે આ નઝર સર્જન માટે કરવામાં આવી છે, અને નઝર માનવી ઈબાદત છે, એટલા માટે આ કોઈ સર્જન માટે કરવી યોગ્ય નથી પરંતુ નઝર ફક્ત અલ્લાહ માટે જ હોવી જોઈએ. સાચી નઝર એ છે કે કોઈ વ્યક્તિ આમ કહે: "જો મારું ફલાણુ કામ થઈ જશે તો હું અલ્લાહ માટે દાન કરીશ, અથવા કોઈ બીજી ઈબાદત કરીશ".
૩- ઇસ્તિગાષહ (ફરિયાદ કરવી), ઇસ્તિઆનત (મદદ માંગવી) અને ઇસ્તિઆઝહ (પનાહ માંગવી) [૧૭]: [૧૭] ઇસ્તિઆનત: સામાન્ય રીતે સવાલ કરવો. ઇસ્તિગાષહ: તકલીફ અને પરેશાનીની સ્થિતિમાં મદદ માંગવી. ઇસ્તિઆઝહ: તે હસ્તીની પનાહ અને આશરો માંગવો, જે બુરાઈ અને મુસીબતને દૂર કરવાની શક્તિ ધરાવે છે. એટલા માટે અલ્લાહ સિવાય કોઈની સામે ફરિયાદ કરવામાં ન આવે, અને ન તો મદદ માંગવામાં આવે, અને ન તો પનાહ માંગવામાં આવે; કુરઆન મજીદમાં અલ્લાહ તઆલા કહે છે: (અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.) [અલ્ ફાતિહા : ૫]. અને અલ્લાહ તઆલાએ કહ્યું:
(તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.(૧) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.(૨)) [અલ્ ફલક: ૧-૨],
આપ ﷺએ કહ્યું:
<<મારી સામે ફરિયાદ કરવામાં ન આવે પરંતુ અલ્લાહની સામે ફરિયાદ કરવામાં આવે>>[૧૮],
અને આપ ﷺએ કહ્યું: <<જ્યારે તમે સવાલ કરો તો અલ્લાહ તઆલા સમક્ષ કરો, અને જ્યારે મદદ માંગો કરો તો અલ્લાહ તઆલા પાસે મદદ માંગો>>[૧૯], [૧૮] અહમદ (૫ / ૩૧૭ /૨૨૭૫૮), તબ્રાની (૧૦/૨૪૬) આ હદીષને અલ્બાની રહ.એ સહીહ દરજ્જાની કહી છે.
[૧૯] તિર્મિઝી (૨૫૧૬), અહમદ (૨૮૦૨), તબ્રાની (૨૮૨૦) (૧૨૯૮૯) અને ઇમામ તિર્મિઝી રહ. એ કહ્યું: " આ હદીષ હસન સહીહ દરજજાની છે".
અને જ્યાં દુનિયામાં ફરિયાદ અથવા મદદ લેવાની જરૂર પડે તો ફક્ત જીવિત અને હાજર વ્યક્તિ પાસે જ મદદ માંગી શકાય છે, અને તે વસ્તુ કરવાની શક્તિ ધરાવતો હોય, અને ઇસ્તિઆઝહ અર્થાત્ પનાહ માંગવી, તો આ ફક્ત અલ્લાહની જ શાન છે, તેની પાસે જ આશરો માગવો જોઈએ, તે સિવાય કોઈ મૃતક અને ગાયબ વ્યક્તિ પાસે પનાહ માંગવી જાઈઝ નથી, કારણકે તે કોઈ વસ્તુના માલિક નથી, ભલેને કોઈ નબી અથવા વલી અથવા કોઈ ફરિશ્તો હોય.
ગૈબનું ઇલ્મ અલ્લાહ સિવાય કોઈની પાસે નથી, જે વ્યક્તિ ગૈબના ઇલ્મનો દાવો કરે, તો તે કાફિર છે, જેનો ઇન્કાર કરવો જરૂરી છે, જેણે કોઈ ભવિષ્યવાણી કરી અને તે વાત સંજોગો વસાત થઈ પણ ગઈ, તો તે ફક્ત તેને સંજોગ જ ગણવામાં આવશે, કારણકે આપ ﷺ કહે છે-:
<<જે વ્યક્તિ કોઈ જ્યોતિષ પાસે ગયો અને તેની વાતોની પુષ્ટિ કરી તો તેણે જે વસ્તુ આપ ﷺ પર ઉતરી છે, તેનો ઇન્કાર કર્યો ગણાશે>> [૨૦].
[૨૦] અબૂ દાવુદ (૩૯૦૪), તિર્મિઝી (૧૩૫), ઈબ્ને માજહ (૬૩૯) અને ઇમામ અલ્બાની રહ.એ સહિહુત્ તરગીબમા આ હદીષને સહીહ કહી છે (૩૦૪૭).
તવકકુલ (ભરોસો કરવો), રજા (ઉમ્મીદ રાખવી) [૨૧] અને ખુશૂઅ (ડરવું): કોઈ પબ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે અલ્લાહ સિવાય કોઈના પર ભરોસો કરે, અને તેના સિવાય કોઈની પાસે આશા રાખે અને તેના સિવાય કોઈ બીજાથી ડરે.
[૨૧] તવકકુલ: સંપૂણ દિલથી કોઈના પર ભરોસો કરવો, રજા: તે ગૈબની વાત છે = ભવિષ્યમાં મનપસંદ વસ્તુ મેળવવા માટે આશા રાખવી.
પરંતુ ઘણા અફસોસની વાત છે કે આજના સમયમાં ઘણા ઇસ્લામનો દાવો કરનાર અલ્લાહની ઝાત અને તેના ગુણોમાં શિર્ક કરી રહ્યા છે, ઘણા લોકો જીવિત પ્રતિષ્ઠિત લોકો પાસે પોતાની જરૂરિયાત માંગતા હોય છે, કબરોના ચક્કર લગાવે છે, અને તેમની સામે પોતાની જરૂરિયાત પૂરી થવા માટે વિનંતી કરતા હોય છે, ખરેખર આ દરેક કાર્યો અલ્લાહને છોડીને બીજાની ઈબાદત ગણવામાં આવશે, અને આ અમલ કરનાર મુસલમાન હોઈ શક્તો નથી, ભલે ને તે મુસલમાન હોવાનો દાવો કેમ ન કરે, અને આપ ﷺએ કહ્યું, કલિમએ તય્યીબહની ગવાહી આપતો હોય, નમાઝ પઢતો હોય, ઝકાત આપતો હોય અને બૈતુલ્લાહનો હજ પણ કરતો હોય; અલ્લાહ તઆલા કહે છે:
(નિઃશંક તમારી તરફ વહી કરવામાં આવી ચૂકી છે અને તમારાથી પહેલાના લોકો તરફ પણ વહી કરવામાં આવી છે કે (હે પયગંબર !) જો તમે (પણ) શિર્ક કરશો તો તમારા કર્યો (પણ) બરબાદ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારાઓમાંથી બની જશો.) [અઝ્ ઝુમર :૬૫], અને અલ્લાહ તઆલાએ કહ્યું: (જે કોઈ અલ્લાહની સાથે અન્યને ભાગીદાર ઠહેરાવશે, તેના પર જન્નત હરામ થઈ જશે, તેનું ઠેકાણું જહન્નમ હશે, જાલિમો માટે કોઈ મદદ કરનાર નહિ હોય)
[અલ્ માઈદહ: ૭૨]. એવી જ રીતે અલ્લાહ તઆલાએ આપ ﷺ ને આદેશ આપ્યો કે લોકોને જણાવી દો:
(હે પયગંબર ! કહી દો કે હું તો તમારી જેમ એક માનવી જ છું, (હા પરંતુ) મારી તરફ વહી કરવામાં આવે છે, કે ખરેખર તમારો ઇલાહ ફક્ત એક જ ઇલાહ છે, તો જે કોઈ પોતાના પાલનહાર સાથે મુલાકાત કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તેણે નેક કાર્યો કરવા જોઈએ, પોતાના પાલનહારની ઈબાદતમાં કોઈને પણ ભાગીદાર ન ઠેરવે.)
[અલ્ કહફ : ૧૧૦].
કેટલાક દુરાચારી આલિમો લોકોને ધોખામાં રાખે છે, સાચી તૌહીદ, જે ઇસ્લામની બુનિયાદ છે, તેનાથી અજાણ છે, અને બસ થોડાક સામાન્ય મસ્લા મસાઈલની ઓળખ રાખે છે, એવા દુરાચારી આલિમો શફાઅત અને વસિલાના વિષયની આડમાં શિર્ક તરફ લોકોને બોલાવી રહ્યા છે, કેટલીલ હદીષોની બારીક વાતો અને બાતેલ સમજુતી અને કેટલીક જૂઠી હદીષો તેમની દલીલ છે, તેઓ પોતાના શિર્ક અને બિદઅતને સાબિત કરવા માટે શેતાની સપના પણ વર્ણન કરતા હોય છે, જેઓને તે લોકોએ અલ્લાહને છોડીને અન્યની ઈબાદત કરવા માટે દલીલ રૂપે ભેગા કરી રાખ્યા છે, અને તે લોકોએ શેતાન તેમજ મનેચ્છાઓનું અનુસરણ અને પૂર્વજોનું આંધણુ અનુસરણ કરવાની તે જ રીતે અપનાવી રાખી છે, જે પહેલા ના મુશરિકોએ અપનાવી રાખી હતી.
વસીળો તે છે જે અલ્લાહ તઆલા એ પોતાની આયતમાં શોધવાનો આદેશ આપ્યો, (અને તેનો વસિલો શોધો) [અલ્ માઈદહ: ૩૫], તે સાચી તૌહીદ અને નેક અમલ છે, જેવું કે નમાઝ, રોઝા, સદકો, હજ, જિહાદ, ભલાઈનો આદેશ અને બુરાઈથી રોકવું, અને સંબંધો જોડી રાખવા વગેરે. મૃતક પાસે પોતાની જરૂરિયાત માંગવી અને મુસીબતોના સમયે તેમની પાસે ફરિયાદ કરવી, અને એવી જ રીતે દરેક અમલ અલ્લાહને છોડીને અન્યની ઈબાદત કરવામાં ગણાશે.
શફાઅતનું વર્ણન: નબીઓ, અને વલીઓ અને અન્ય મુસલમાનોની ભલામણ, જ્યારે અલ્લાહ તઆલા તેમને તેની પરવાનગી આપશે, આપણે તેની સત્યતા પર ઈમાન ધરાવીએ છીએ, પરંતુ આ ભલામણ મૃતકો પાસે માંગવી જાઈઝ નથી, કારણકે આ ફક્ત અલ્લાહનો જ અધિકાર છે, અને તે જેને ઈચ્છે તેને જ આ અધિકાર આપી શકે છે, એટલા માટે એક સાચો મુસલમાન મોમિન વ્યક્તિ અલ્લાહ પાસે શફાઅત માંગતા આ શબ્દો કહે, "હે અલ્લાહ તું મારા માટે પોતાના પયગંબર અને નેક બંદોઓની શફાઅત કબૂલ કર", પરંતુ આ શબ્દો ક્યારેય ન કહેવા જોઈએ, હે ફલાણા વ્યક્તિ ! તું મારા માટે શફાઅર કરી દે" વગેરે, કારણકે તે મૃત્યુ પામી ચુક્યો છે, અને મૃતક પાસે ક્યારેય કોઈ વસ્તુ માંગી નથી શકતા, અલ્લાહ તઆલા કહે છે: (તમે તેમને કહી દો કે ભલામણ અલ્લાહ માટે જ છે, આકાશો અને ધરતીમાં તેની જ બાદશાહત છે, તમે સૌ તેની જ તરફ પાછા ફેરવવામાં આવશો.) [અઝ્ ઝુમર: ૪૪].
અને કેટલીક બિદઅતો જેને ઇસ્લામે હરામ કરી છે અને રસૂલ ﷺ એ સહીહ હદીષોમાં તેને કરવાથી રોક્યા છે, અને તેનાથી બચવાની તાકીદ કરી છે, જેવું કે કબરો પર ગુંબજ બનાવવા, તેમને ઠોસ મજબૂત બનાવવા, તેના પર લખવું, દીવા શણગાવવા, અને ચાદરો ચઢાવવી, અને અંદર નમાઝ પઢવી વગેરે. આ બધી જ વસ્તુથી આપ ﷺ એ સખત રોક્યા છે; કારણકે તેનાથી જ કબર પૂજાની શરૂઆત થાય છે.
અહીંયા સારી રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે ઘણા શહેરોમાં જે લોકો કબર અને દરગાહ પર હાજરી આપે છે, તેમનો આ અમલ અલ્લાહ સાથે એક પ્રકારનું શિર્ક કરવું ગણાશે, જેવું કે મિસ્રમાં બદવી અને સય્યિદહ ઝેનબની કબરો પર અને ઇરાકમાં શાહ અબ્દુલ કાદિર જિલાની, અને ઇરાકમાં નજફ નામનું શહેર અને કરબલામાં આપ ﷺ ના ઘરવાળાઓ તરફ નિસબત આપવામાં આવેલી કબરો, અને દુનિયાની કોઈ પણ કબર પર એવો હેતુ લઈ ત્યાં હાજરી આપે છે કે તેમની ફરિયાદ સાંભળવામાં આવશે, તેમની ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે કેટલાક શહેરોમાં તો હદ થઈ ગઈ છે કે લોકો કબરના ચક્કર લગાવે છે, અને કબર વાળાને ફાયદા અને નુકસાનનો માલિક સમજે છે, અને તેમની પાસે પોતાની ઈચ્છાઓની માંગણી કરતા હોય છે.
સ્પષ્ટ છે કે તેમનો આ અમલ તેમને ગુમરાહ મુશરિકો માંથી કરી દેશે, ભલે તેઓ મુસલમાન હોવાનો દાવો કરતા હોય, નમાઝ અને રોઝાની પાંબદી કરતા હોય, અને બૈતુલ્લાહનો હજ કરી ચુક્યા હોય, અને કલિમએ લા ઇલાહ ઇલ્લલ્લાહુ મુહમ્મદુર્ રસૂલુલ્લાહ વારંવાર પોતાની જબાનથી કહેતા હોય, કારણકે જે લા ઇલાહ ઇલ્લલ્લાહુ પઢતો હોય તે ત્યાં સુધી સાચો મોમિન નથી બની શકતો જ્યાં સુધી તેનો અર્થ અને સમજુતી ન સમજી લે. તેના મુજબ નેક અમલ ન કરે, જો કે જ્યારે બિન મુસ્લિમ આ કલિમા એકરાર કરે છે તો તે મુસલમાન બની જાય છે, જ્યાં સુધી તેની વિરુદ્ધ કોઈ કામ ન કરી લે, જે તેના શિર્ક પર બાકી રહેવા માટેની દલીલ સાબિત થતી હોય, જેવું કે આ અજ્ઞાની લોકો કરતા હોય છે, અથવા ઇસ્લામને સંપૂર્ણ જાણી લીધા પછી તેમાંથી કોઈ વસ્તુનો ઇન્કાર કરી લે, અથવા ઇસ્લામ દીન સિવાય કોઈ અન્ય દીનની માન્યતાઓ પર ઈમાન ધરાવે.
નબી અને વલી [૨૨] તે લોકોથી અળગા રહેશે, જે લોકો તેમની પાસે દુઆઓ માગે છે, અને ફરિયાદ કરે છે, કારણકે અલ્લાહ તઆલાએ તે લોકોને એટલા માટે મોકલ્યા છે કે તેઓ સાચી તૌહીદ અને ફક્ત એક અલ્લાહની ઈબાદત તરફ લોકોને બોલાવે, અને અલ્લાહ સિવાય અન્યની ઈબાદતથી લોકોને રોકે, ભલેને તે નબી હોય કે વલી.
[૨૨] અલ્લાહના વલી તેઓ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરનાર, તેનું અનુસરણ કરનાર, આપ ﷺનું અનુસરણ કરનાર, તેમાંથી કેટલાક પોતાના ઇલ્મ અને પોતાના પ્રયત્નો વડે ઓળખાય છે અને તેમાંથી કેટલાક ઓળખાતા નથી, તેઓ પસંદ નથી કરતા કે લોકો તેમને પવિત્ર સમજે, સાચા વલી તો પોતે વલી હોવાનો દાવો પણ નથી કરતા, પરંતુ તેઓ પોતાને ગુનેગાર સમજતા હોય છે, તેમનો કોઈ ખાસ પોશાક અથવા કે તેમની કોઈ ખાસ સ્થિતિ નથી હોતી, બસ તેઓ તો અલ્લાહના રસૂલનું અનુસરણ કરે છે, એક અલ્લાહની ઈબાદત કરનાર દરેક મુસલમાન પોતાના અનુસરણ અને પોતાના સદાચારી હોવા પ્રમાણે અલ્લાહનો વલી ગણવામાં આવશે, અહીંયા એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે જે લોકો પોતાને અલ્લાહના વલી હોવાનો દાવો કરે છે અને એક ખાસ પ્રકારનો પોશાક તેમણે પોતાના માટે નક્કી કરી રાખ્યો છે, જેથી કરીને લોકો તેમને પવિત્ર સમજે અને તેમની ઇઝ્ઝત કરે, જાણી લો કે આવા લોકો અલ્લાહના વલી નથી, પરંતુ આ લોકો જૂઠા વલીઓ છે.
રસૂલ ﷺ થી મુહબ્બત અથવા અલ્લાહના વલીઓ સાથે મુહબ્બતનો અર્થ એ નથી કે તેમની બંદગી કરવામાં આવે, કારણકે આમ તો તેમની સાથે શત્રુતા ગણાશે, પરંતુ તેમની સાથે સાચી મુહબ્બતનો તરીકો એ છે કે તેમનું સાચું અનુસરણ કરવામાં આવે, તેમના માર્ગને અપનાવવામાં આવે, સાચો મુસલમાન તે છે, જે નબીઓ અને પયગંબરોથી મુહબ્બત કરતો હોય, પરંતુ તેમની ઈબાદત નથી કરતો. અને આપણો આ અકીદો છે કે રસૂલ ﷺ થી મુહબ્બત કરવી દરેક મુસલમાન માટે જરૂરી છે, અને એ પણ એવી મુહબ્બત, જે પોતાની જાન, પોતાના સંતાન અને માલની મોહબ્બત કરતા પણ વધારે હોય. *** અલ્ ફીર્કતુનન્ નાજીયહ (સફળ થયેલ જૂથ) આમ મુસલમાનોની સંખ્યા ઘણી છે, પણ ખરી વાત એ છે કે સાચા મુસલમાનોની સંખ્યા ખૂબ જ ઓછી છે, પોતાને ઇસ્લામ તરફ સંબોધિત કરનારા જૂથ અત્યારે ફિરકા બની ગયા છે, જેમની સંખ્યા ૭૩ સુધી પહોંચી ગઈ છે, અને તેને માનનારા કરોડો લોકો છે, [૨૩], પરંતુ અકીદો અને નેક અમલ પ્રમાણે એક જ જૂથ એવું છે, જે સાચી તૌહીદનું અનુસરણ કરનાર, તેમજ આપ ﷺ અને આપના સહાબાઓનું અનુસરણ કરનાર લોકો છે, જેમના માટે આપ ﷺએ એક હદીષમાં આમ કહ્યું કે: <<યહૂદી ૭૧ ફિરકોમાં અને ઈસાઈ ૭૨ ફિરકામાં વિભાજીત થઈ ગયા, અને નજીકમાં જ મારી કોમ ૭૩ ફિરકાઓમાં વિભાજીત થઈ જશે, બધા જહન્નમી હશે, ફક્ત એક જૂથ સિવાય>>.
સહાબાઓએ કહ્યું: તે કયું જૂથ હશે હે અલ્લાહના રસૂલ ? તો આપ ﷺએ કહ્યું:
<<તે જૂથ, જે જૂથ મારા તરીકા પર હશે, જેના પર હું ચાલી રહ્યો છું અને મારા સહાબાઓના તરીકા મુજબ જે ચાલતો હશે, તે સફળ થશે>>[૨૪].
[૨૩] આ સંખ્યા જ્યારે કિતાબનું વિમોચન કરવામાં આવ્યું લગભગ ૧૩૯૫ હિજરીસન તેમજ ૧૯૭૫ ઈસ્વી પ્રમાણે છે. [૨૪] અબૂ દાવુદ (૩૮૪૨), ઈબ્ને માજહ (૩૨૨૬), સહીહ જામિઅમાં ઇમામ અલ્બાની રહ.એ આ હદીષને સહીહ કહી છે, (૧૦૮૨) અને સીલ્સિલતુસ્ સહીહહ (૨૦૩).
જાણી લો કે આપ ﷺ અને આપના સહાબા જે તરીકા પર હતા, તે આ છે, લા ઇલાહ ઇલ્લલ્લાહુ મુહમ્મદુર્ રસૂલુલ્લાહ ના અર્થની સમજુતી સારી રીતે સમજી લે, અને તેના નિયમ મુજબ અમલ કરવો જોઈએ, અર્થાત્ ફક્ત અલ્લાહ પાસે જ દુઆ કરવી જોઈએ, તેના માટે ઝબેહ કરવું જોઈએ, તેના માટે જ નઝર પુરી કરવી જોઈએ, તેની સામે જ ફરિયાદ કરવી જોઈએ, અને તેનાથી જ મદદ માંગવી જોઈએ, અને તેનું જ શરણ માંગવું જોઈએ, અને એવો અકીદો રાખવો જોઈએ કે નુકસાન અને ફાયદો પહોંચાડવાની કુદરત અલ્લાહ સિવાય કોઈની પાસે નથી, એવી જ રીતે ઇસ્લામના રુકન છે, તેને સારી રીતે અમલ કરવો જોઈએ, અને અલ્લાહએ ઉતારેલી કિતાબો, ફરિશ્તાઓ, રસૂલો, બીજી વાર જીવિત થવા પર અને હિસાબ કિતાબ પર, જન્નત અને જહન્નમ પર, અને સારી તેમજ ખરાબ તકદીર પર ઈમાન ધરાવે, તે દરેક વસ્તુ અલ્લાહ તરફથી છે
કુરઆન અને સુન્નતના માર્ગદર્શક માનતા પોતાના દરેક નિર્ણય તેના મુજબ જ કરવા જોઈએ, અને તેની સામે પોતાનું માથું ઝુકાવી દેવું જોઈએ, અને અલ્લાહ વાળાઓ સાથે મુહબ્બત અને તેમના દુશ્મનો સાથે નફરત કરવી જોઈએ, અલ્લાહના દીનનો પ્રચાર કરવો જોઈએ, અને જિહાદમાં સંપૂર્ણ ભાગ લેવો જોઈએ, અને સદાચારી આગેવાનોની ઈતાઅત કરવી જોઈએ, જ્યારે તે લોકો ભલાઈનો આદેશ આપે, અને જ્યાં પણ હોઈ સત્ય વાત કહેવાથી ડરવું ન જોઈએ, અને આપ ﷺ અને આપની પવિત્ર પત્નીઓથી મુહબ્બત કરવી જોઈએ, અને તેમની પ્રાથમિકતા, પ્રતિષ્ઠતા તેમનો મુકામ અને મહત્ત્વતાનો સ્વીકાર કરવો જોઈએ, અને તે સૌ માટે અલ્લાહની ખુશીની દુઆ કરવી જોઈએ, તેમની વચ્ચે સામાન્ય મતભેદને [૨૫] અવગણવો જોઈએ, અને તે મુનાફિક અને હઠેલા વિદ્રોહી લોકોની વાત ન માને, જે વાતો તે લોકોએ સહાબા વિશે કહી છે અને મુસલમાનો વચ્ચે મતભેદ ઉભો કરવા માટે ઘડેલી છે, અને જેના દ્વારા ઘોખો ખાઈ કેટલાક આલિમો તેમજ ઐતિહાસિકસતાને પોત પોતાની કિતાબોમાં ફક્ત સારા અનુમાન સાથે વર્ણન કરી છે, જો કે આ ખોટું છે.
[૨૫] સહાબા વચ્ચે જે મતભેદ હતો તેમના વિશે વાર્તાલાપ ન કરે.
જે લોકો પોતાને અહલે બૈત તરફ નિસબત આપે છે અને સૈયદ લખતા હોય છે તેઓએ પોતાના નસબ અને ખાનદાન તરફ ધ્યાન ધરવું જોઈએ, કારણકે અલ્લાહ તઆલા તે લોકો પર લઅનત કરી છે, જે લોકો પોતાની નિસબત પોતાના પિતાને છોડીને અન્ય તરફ કરતા હોય છે, અને જ્યારે કોઈની નિસબત સાચે જ અહલે બૈત તરફ સાબિત થઈ જાય તો તેના માટે જરૂરી છે કે તે આપ ﷺ અને અહલે બૈતની ખાસ અને સાફ તૌહીદમાં તેમનું અનુસરણ કરે, અને ગુનાહોથી બચીને રહે, અને તેમની ઇઝઝત અને બોસામાં વધારો ન કરવો જોઈએ, અને પોતાને પોશાક તેમજ પરિસ્થિતિમાં વિખ્યાત ન રાખે, કારણકે આ બધું સુન્નત વિરુદ્ધ છે, સાચે અલ્લાહની નજીક તે વધ પ્રતિષ્ઠિત અને પ્રિય તે છે, જે તેનાથી વધુ ડરતો હશે.
આપણા નબી મુહમ્મદ ﷺ પર દરૂદ ઉતરે તેમના ઘરવાળાઓ પર અને તેમના પર અલ્લાહની સલામતી થાય.
***
નિર્ણય અને કાનૂન ફક્ત અલ્લાહનો જ હક છે, એટલા માટે કે તેની શરીઅત ઇન્સાફ, રહમત અને કૃપાથી ભરપૂર છે.
લા ઇલાહ ઇલ્લલ્લાહના એકરાર પછી એ વાત પર ઈમાન રાખવું જરૂરી છે કે સરદારી અને કાનૂન ફક્ત અલ્લાહનો જ અધિકાર છે, કોઈ વ્યક્તિ માટે જાઇઝ નથી કે તે એવો કાનૂન બનાવે જે અલ્લાહના કાનૂન વિરુદ્ધ હોય એવી જ રીતે કોઈ વ્યક્તિ માટે એ પણ જાઈઝ નથી કે તે અલ્લાહના નિર્ણય વિરુદ્ધ કોઈ નિર્ણય કરે, અને ન તો શરીઅતના વિરુદ્ધ નિર્ણય સામે ઝૂકે, એવી જ રીતે જે વસ્તુને અલ્લાહ તઆલાએ હરામ કરી છે, તેને હલાલ કરવાની કોઈનો અધિકાર નથી, જે વ્યક્તિએ અલ્લાહના નિર્ણય વિરુદ્ધ જાણી જોઈને વિરોધ કર્યા અથવા શરીઅતના નિર્ણય વિરુદ્ધ કોઈ નિર્ણયનો સ્વીકાર કર્યો અને ખુશ રહ્યો તો તે કાફીર છે, અલ્લાહ તઆલા કહે છે:
(અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે.) [અલ્ માઈદહ: ૪૪]. *** પયગંબરોને મોકલવાનો હેતુ તૌહીદ તરફ લોકોને બોલાવવા, પયગંબરોને પયગંબરીની જવાબદારી સોંપવાનો ખરેખર હેતુ એ કે તેઓ લોકોને -લા ઇલાહ ઇલ્લલ્લાહ- નો એકરાર કરવા અને તેના નિયમો અનુસાર લોકોને અનુસરણ કરવા તરફ બોલાવે, અને તે ફક્ત એક અલ્લાહની ઈબાદત છે, અને બધા બાતેલ મઅબૂદો અને તેમના કાનૂનથી અળગા રહેવું જોઈએ, અને અલ્લાહની શરીઅત સામે પોતાનું માથું ઝુકાવી દેવાની છે. જે વ્યક્તિ આંધળી તકલીદ(અંધ શ્રદ્ધા)થી હટીને ઘ્યાનથી કુરઆન મજીદનું વાંચન કરશે, તો તે જાણી લેશે કે જે વાતો અમે વર્ણન કરી છે, તે જ સાચી છે, અને વધુ તેને એ પણ જાણ થઈ જશે કે અલ્લાહ તઆલા એ પોતાની પાક અને પવિત્ર હસ્તી સાથે અને દરેક સર્જનીઓ સાથે પણ ઇન્સાનના સંબંધ નક્કી કરી દીધા છે, જેવી રીતે કે પોતાનો સબંધ એક મોમિન બંદા સાથે એવી રીતે બાકી રાખવાનો આદેશ આપ્યો છે કે ઈબાદતના દરેક પ્રકાર ફક્ત તે પાક હસ્તી માટે ખાસ કરવામાં આવે, અને કોઈ સર્જન માટે કોઈ નાનામાં નાની ઈબાદત પણ કરવામાં ન આવે, એવી જ રીતે પયગંબર અને નેક લોકો સાથે મોહબ્બત અને લગાવ પોતાની મોહબ્બત અનુસાર કરવામાં આવે, અને તેમનું અનુસરણ કરવાનો આદેશ આપ્યો છે, અને એવી જ રીતે કાફિરો અને મુશરિકો સાથે નફરત ભર્યો સબંધ હોવો જોઈએ, કારણકે અલ્લાહ તઆલા તેમની સાથે નફરત કરી રહ્યો છે, અને તેમને ઇસ્લામ તરફ બોલાવવા જોઈએ, અને ઇસ્લામના સાચા અકીદા તેમની સમક્ષ સારી રીતે રજૂ કરવા જોઈએ, જેથી તેઓ તેનો સ્વીકાર કરી લે, અને જો તેઓ સત્ય દીનનો સ્વીકાર કરવાથી ઇન્કાર કરે અને અલ્લાહ સામે માથું ન ઝુકાવે તો તેમની સાથે જિહાદ માટે એલાન કરી દેવામાં આવે, જેથી કુફ્ર અને શિર્કનું મૂળિયું કપાઈ જાય, અને ઇસ્લામ દીન વિજય પામે, "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કલિમાનો અર્થ અને સમજુતી જાણવી દરેક મુસલમાન માટે જરૂરી છે, અને તેના નિયમો મુજબ અમલ કરવો ખૂબ જ જરૂરી છે, જેથી સાચે જ તમે મુસલમાન બની જાઓ.
આપ ﷺ માટે ગવાહીનો અર્થ
તૌહીદ કલિમાનો બીજો ભાગ "મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ" છે. આ શબ્દનો અર્થ: આપણે એ વાતનું જ્ઞાન ધરાવીએ કે મુહમ્મદ ﷺ સમગ્ર માનવજાતિ તરફ રસૂલ અને પયગંબર બનાવી મોકલવામાં આવ્યા છે, અને તે એક પ્રતિષ્ઠિત બંદા છે ,જેમની ઈબાદત કરવામાં નથી આવતી, અને પ્રતિષ્ઠિત પયગંબર છે, જેમને જુઠલાવી નથી શકતા, જો કે આપ ﷺનું અનુસરણ કરવું જરૂરી અને વાજિબ છે, જેણે આપનું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે અને જે વ્યક્તિ આપ ﷺ ની અવજ્ઞા કરશે તો તે જહન્નમમાં દાખલ થશે, આપણે સૌ એ તે વાતનું પણ યકીન રાખવું જોઈએ કે ઇસ્લામ દીનના આદેશો જાણવા ભલેને તેનો સબંધ ઈબાદતના પ્રકાર માંથી હોય, જેનો અલ્લાહ એ આદેશ આપ્યો છે અથવા વિવિધ પ્રકારના સામાજિક બાબતો માંથી હોય, અથવા હલાલ અને હરામ બાબતે હોય, આ દરેક વસ્તુ આપ ﷺ દ્વારા જ આપણા સુધી પહોંચી છે, કારણકે આપ ﷺની હસ્તી એવા રસૂલની છે જે અલ્લાહના આદેશોને લોકો સુધી પહોંચાડતા હોય છે, એટલા માટે કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે તે રસૂલ ﷺ ની લાવેલ શરીઅત વિરૂદ્ધ કોઈ અન્ય દીન અથવા શરીઅતને કબૂલ કરે, અલ્લાહ તઆલા કહે છે:
(અને રસૂલ જે કઇ પણ તમને આપે તેને અપનાવી લો અને જેનાથી રોકે તેનાથી બચો, અને અલ્લાહ થી ડરો, નિઃશંક અલ્લાહ સખત સજા આપનાર છે)
[અલ્ હશ્ર: ૭]. અલ્લાહ તઆલાએ કહ્યું
(હે મુહમ્મદ) તમારા પાલનહારની કસમ ! આ લોકો ત્યાં સુધી ઈમાનવાળા નથી બની શકતા, જ્યાં સુધી કે દરેક અંદરોઅંદરના વિવાદોમાં તમને ન્યાયકરતા ન માની લે, પછી જે ફેંસલો તમે તેઓ માટે કરી લો તેનાથી પોતાના મનમાં કોઇ પણ પ્રકારની તંગી અને નાખુશી ન અનુભવે અને આજ્ઞાકારી સાથે તે નિર્ણય માની લે.)
[અન્ નિસા: ૬૫].
- બન્ને આયતોની સમજુતી:
૧- અલ્લાહ તઆલા પહેલી આયતમાં મુસલમાનોને આદેશ આપી રહ્યો છે કે તેઓ રસૂલ ﷺની તે દરેક વાતોનું અનુસરણ કરે, જેનો આદેશ આપ ﷺ આપે, અને તે દરેક વસ્તુથી રુકી જાય, જેનાથી આપ ﷺ રોકે, કારણકે આપ ﷺ અલ્લાહના આદેશથી જ કોઈ કામ કરવા અથવા ન કરવાનો આદેશ આપતા હોય છે. ૨- બીજી આયતમાં અલ્લાહ તઆલા પોતે પોતાની પાક હસ્તીની કસમ ખાઈ એ વાત વર્ણન કરી રહ્યો છે, કોઈ વ્યક્તિનું અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન ત્યાં સુધી યોગ્ય અને સાચું નથી જ્યાં સુધી તે અંદરો અંદર વિવાદમાં રસૂલ ﷺ પાસે નિર્ણય ન કરાવે, [૨૬] અને પછી તે નિર્ણયને ખુશી ખુશી કબૂલ કરે, ભલેને તે નિર્ણય પોતાના હકમાં હોય કે પોતાની વિરુદ્ધ હોય, આપ ﷺ કહે છે: <<જે વ્યક્તિ કોઈ એવો અમલ કરે, જે અમારી શરીઅત મુજબ નથી તો તેનો તે અમલ રદ કરવામાં આવશે.>> [૨૭ [૨૬] જે પણ વિવાદ તેની અને બીજા લોકો વચ્ચે થતો હોય.
[૨૭] બુખારી (૨૬૯૭) , મુસ્લિમ (૧૭૧૮) શબ્દો બુખારી શરીફના છે.
***
પોકાર
હે બુદ્ધિશાળી ઇન્સાન ! જ્યારે તમે સારી રીતે કલિમએ તૌહીદને જાણી ગયા અને તમને ખબર પણ પડી ગઈ કે આ મહાન કલિમો ઇસ્લામની ચાવી અને તેનો પાયો છે, જેના પર સંપૂર્ણ ઇસ્લામનો આધાર છે, તો તમારે સાચા દિલથી આ કલિમાને "અશહદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહ વ્ અશહદુ અન્ન મુહમ્મદુર્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ ﷺ અલ્લાહના પયગંબર છે)પર ઈમાન અને યકીન રાખવું જોઈએ, અને તેના નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી દુનિયા અને આખિરતમા શાંતિ મળી શકે, અને મૃત્યુ પછી અલ્લાહના અઝાબથી બચી શકો.
અને એ પણ જાણી લેવું જોઈએ કે તૌહીદ અને રિસાલતનો કલિમાના એકરાર એ છે કે સંપૂર્ણ ઇસ્લામના રુકન પર અમલ કરવો પડશે, કારણકે અલ્લાહ તઆલા એ મુસલમાનો માટે તે ઇબાદતને એટલા માટે જ જરૂરી કરી છે, જે તેઓ ઇખલાસ અને સાચા દિલથી તેમના પર અમલ કરે અને જે વ્યક્તિએ ઇસ્લામના રુકન માંથી કોઈ પણ રુકનને કોઈ શરીઅતના કાનૂન વગર છોડી દેશે, તો તેની તૌહીદ અને રિસાલતની ગવાહી અધૂરી છે, અને તે માન્ય અને કબૂલ ગણવામાં નહીં આવે.
***
ઇસ્લામનો બીજો રુકન (નમાઝ)
હે બુદ્ધિશાળી વ્યક્તિ ! જાણી લે કે ઇસ્લામનો બીજો મહત્વનો રુકન નમાઝ છે, રાત દિવસમાં અલ્લાહ તઆલાએ પાંચ વખતની નમાઝ ફર્ઝ કરી છે, જેથી એક મુસલમાન બંદો અને તેના પાલનહાર વચ્ચે એક સંબંધ કાયમ રહે, અને તે અલ્લાહના દરબારમાં દુઆ કરે, અને ફરિયાદ કરે, અને એટલા માટે પણ કે નમાઝ તેને અશ્લીલતા અને વ્યર્થ કાર્યોથી સુરક્ષિત રાખે, જેના કારણ તેને એવી દિલની શાંતિ અને શારીરિક આરામ નસીબ થાય કે તેને દુનિયા અને આખિરતમાં સફળતા મળી જાય.
અલ્લાહ તઆલાએ નમાઝ પઢવા માટે શરીર, કપડાં અને જગ્યાની પાકી સફાઈ જરૂરી કરી છે, એટલા માટે એક મુસલમાન નમાઝ પઢતા પહેલા પાક સાફ પાણીથી પોતાના શરીરને દેખીતી ગંદકીથી જેવી કે પેશાબ, મળથી પાક સાફ કરી લે, જેથી કરીને તેનું શરીર જાહેરી ગંદકીથી અને તેનું દિલ વિણદેખી ગંદકીથી પાક થઈ જાય.
નમાઝ ઇસ્લામ દીનનો પાયો છે, અને તૌહીદ તેમજ પયગંબરીની ગવાહી આપ્યા પછી ઇસ્લામનો સૌથી અગત્યનો રુકન છે, એક મુસલમાન માટે પુખ્તવયે પહોંચ્યા પછીથી લઈ મૃત્યુ સુધી પાબંદી સાથે નમાઝ પઢવી જરૂરી છે, એવી જ રીતે પોતાના બાળકો જ્યારે તેઓ સાત વર્ષના થઇ જાય તેમને શિક્ષા આપવી જરૂરી છે, જેથી કરીને તેઓ નમાઝના પાંબંદ બની જાય, અલ્લાહ તઆલા કહે છે: (ખરેખર દરેક મોમિનો પર નમાઝ તેના સમયસર પઢવી ફરજીયાત છે.) [અન્ નિસા: ૧૦૩], અને અલ્લાહ તઆલાએ કહ્યું: (તેઓને ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ફક્ત અલ્લાહની જ ઈબાદત કરે અને અને દીનને નિખાલસતા સાથે અપનાવે, (એકાંતમાં) નમાઝ કાયમ કરતા રહે, ઝકાત આપતા રહે, આ જ સાચો દીન છે.) [અલ્ બય્યિનહ: ૫]. - બન્ને આયતોની સંક્ષિપ્ત સમજુતી: ૧- પહેલી આયતમાં અલ્લાહ તઆલા જણાવવા ઈચ્છે છે કે નમાઝ મુસલમાનો પર એક જરૂરી કાર્ય છે, અને તેમના માટે જરૂરી છે કે તે નક્કી કરેલ સમયમાં તેને અદા કરે. ૨-અને બીજી આયતમાં અલ્લાહ તઆલાએ વર્ણન કર્યું છે કે તેણે જે ભવ્ય મકસદ માટે ઇન્સાનને પેદા કર્યા છે અને જે આદેશો તેમના માટે નક્કી કર્યા છે તે આ છે કે લોકો ફક્ત ને ફક્ત તેની જ બંદગી કરે, અને સાચી ઈબાદત તેનો અધિકાર સમજે, અને નમાઝ પઢે અને ઝકાત હકદાર સુધી પહોંચાડે. નમાઝ દરેક મુસલમાનો માટે જરૂરી છે, ભલેને પરિસ્થિતિ કેવી પણ હોય, ડર અને બીમારીની સ્થિતિમાં પણ શક્તિ પ્રમાણે નમાઝ પઢવી પડશે, જો ઉભા રહી નમાઝ પઢવાની શક્તિ ધરાવતો હોય તો ઉભા રહી પઢે નહીં તો બેસીને પઢે, જો તેની પણ શક્તિ ન હોય તો સૂતા સૂતા, અને જો તેની પણ શક્તિ ન હોય તો પોતાની આંખોના ઈશારા અને દિલના ધ્યાન વડે પઢી લેવી જોઈએ, રસૂલﷺ એ કહ્યું:
<<અમારી અને તેમની (કાફિરો) વચ્ચે એક વચન છે અને તે છે, નમાઝ, જે કોઈ નમાઝ છોડી દેશે તો તેણે કુફર કર્યું.>> [૨૮].
૨૮ તિર્મિઝી (૨૬૨૧), નસાઈ (૪૬૩) અહમદ (૫/૩૪૬) , અને ઈમામ અલ્બાની રહી. એ સહીહ જામીઅમાં સહીહ કહી છે.
પાંચ ફર્ઝ નમાઝ આ પ્રમાણે છે:
ફજરની નમાઝ, ઝોહરની નમાઝ, અસરની નમાઝ, મગરિબની નમાઝ, ઇશાની નમાઝ
ફજરની નમાઝ: તેનો સમય પરોઢ સવારથી લઈ સૂર્યોદય સુધી રહે છે, પરંતુ તેના છેલ્લા સમય સુધી વાર જોવી યોગ્ય નથી, ઝોહરની નમાઝ: તેનો સમય જ્યારે સૂર્ય ઝવાલ કરે (એકદમ વચ્ચે આવી જાય) શરૂ થઈ અને ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી કોઈ વસ્તુનો પ્રતિબિંબ તે વસ્તુ બરાબર ન થઈ જાય, અસરની નમાઝ: તેનો સમય ઝોહરની નમાઝના સમયના અંતથી લઈ સૂર્યમાં પીણાશ આવવા સુધી રહે છે, પરંતુ તેને પણ તેના છેલ્લા સમય સુધી વાર જોઈ યોગ્ય નથી, પરંતુ તેને તે સમયે પઢવી જોઈએ જ્યારે સૂર્ય એકદમ સફેદ અને પ્રકાશિત હોય, મગરિબની નમાઝ: તેનો સમય સૂર્યાસ્તથી લઈ લાલાશ ગાયબ થાય ત્યાં સુધી રહે છે, તેને પણ તેના છેલ્લા સમય સુધી વાર જોવી યોગ્ય નથી, ઇશાની નમાઝનો સમય: મગરિબના અંતિમ સમય પછી શરૂ થાય છે અને રાતના છેલ્લા ભાગ સુધી રહે છે. ત્યારબાદ વિલંબ નથી કરી શકતા.
જો કોઈ વ્યક્તિએ એક વખતની નમાઝ પણ કોઈ શરઇ કારણ વગર લેટ પઢી તો તેણે મોટો ગુનોહ કર્યો, અને તેણે અલ્લાહ સામે તૌબા કરવી પડશે, અને બીજીવાર આમ ન કરવું જોઈએ, અલ્લાહ તઆલા કહે છે:
(પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે. (૪)
જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે. (૫))
[અલ્ માઉન: ૪-૫].
***
નમાઝનો તરીકો અને તેના કેટલાક આદેશો
પહેલું: પાકી સફાઈ:
જ્યારે કોઈ મુસલમાન નમાઝ પઢવાનો ઈરાદો કરે તો સૌ પ્રથમ તે પોતાની પેશાબ અને મળ કરવાની જગ્યાને સારી રીતે પાક સાફ કરી લે, જો તેણે પેશાબ કરી હોય અથવા મળ તો, પછી વુઝૂ કરવું જોઈએ.
વુઝૂ: વુઝૂ માટે નિયત કરી લેવી જોઈએ અને નિયત દિલમાં કરવી જોઈએ, જબાન વડે નિયત ન કરે, અલ્લાહ તઆલા તેને ખૂબ સારી રીતે જાણે છે, આપ ﷺએ નિયત જબાન વડે નથી કરી, વુઝુની રીત: સૌ પ્રથમ બિસ્મિલ્લાહ પઢવું જોઇએ, પછી કોગળા કરે, ત્યારબાદ નાકમાં પાણી નાખી તેને સાફ કરવું, પછી સંપૂર્ણ ચેહરાને ધોવો જોઈએ, ત્યારબાદ કોળી સુધી બન્ને હાથ ધોવા જોઈએ, પહેલા જમણા હાથને ધોવો જોઈએ પછી ડાબા હાથને, પછી બન્ને હાથ વડે માથાનો સંપૂર્ણ મસહ કરવો જોઈએ, પછી કાનનો મસહ કરવો, પછી છેલ્લે ઘૂંટી સુધી બન્ને પગ ધોવા જોઇએ, પહેલા જમણા પગને ધોવો જોઇએ. જ્યારે કોઈ વ્યક્તિ પાકી સફાઈ પછી પેશાબ, મળ, પાદવું, સૂઈ જાય અથવા બેભાન થઈ જાય તો તેણે નમાઝ પઢવા માટે ફરીવાર પાક થવું જરૂરી છે, એવી જ રીતે કોઈ પુરુષ અથવા સ્ત્રી સૂતા અથવા જાગતા મનેચ્છાથી વીર્ય નીકળી જાય તો તેણે જનાબતનું ગુસલ કરવું પડશે, અને સ્ત્રી જ્યારે હૈઝ અને નિફાસથી ફારીગ થાય તો તેના પર પણ ગુસલ કરવું જરૂરી છે, કારણકે હૈઝ અને નિફાસની સ્થિતિમાં નમાઝ પઢવી જાઈઝ નથી, અને પાક થયા સુધી તેના પર નમાઝ ફર્ઝ નથી, અલ્લાહ તઆલાએ તેમને છૂટ આપતા તેમને ફરીવાર પઢવું પણ જરૂરી નથી કર્યું, જો આ સિવાય અન્ય કારણોસર નમાઝ સમયસર ન પઢી તો પુરુષની જેમ જ તેને ફરીવાર પઢવી વાજિબ છે. જ્યારે વુઝૂ અથવા ગુસલ માટે પાણી ન મળે, અથવા પાણીનો વપરાશ નુકસાન પહોંચતો હોય, ઉદાહરણ તરીકે બીમાર વ્યક્તિ માટે, તો તે સ્થિતિમાં તયમ્મુમ જરૂરી છે, તયમ્મુમની રીત એ છે કે સૌ પ્રથમ દિલમાં તયમ્મુમ કરવાની નિયત કરે, બિસ્મિલ્લાહ પઢી બન્ને હાથ માટી પર એક વાર મારવા જોઈએ, પછી તે હાથ ચેહરા પર ફેરવવા જોઈએ, પછી ડાબા હાથની હથેળી જમણા હાથ પર અને જમણા હાથની હથેળી ડાબા હાથ પર ફેરવવી જોઈએ, આટલું કરવાથી તયમ્મુમ થઈ ગઈ, તયમ્મૂમ હેઝ અને નિફાસથી પાક થવા, એવી જ રીતે જ્યાં વુઝૂ અને ગુસલ કરવું જરૂરી હોય, અને જો પાણી ન મળે અથવા પાણીના વપરાશ પર તકલીફ થતી હોય તો તયમ્મુમ કરી શકાય છે. બીજું: નમાઝ પઢવાનો તરીકો:
૧- ફજર ની નમાઝ:
બે રકઅત એવી રીતે પઢવી જોઈએ કે નમાઝ પઢવાવાળો પુરુષ હોય અથવા કે સ્ત્રી દિલથી ફજરની નમાઝની નિયત કરી, કિબલા તરફ ઉભા થઇ જાઓ, કિબ્લો મક્કાહમાં મસ્જિદે હરામ તરફ હોવો જોઈએ, જબાનથી કોઈ પણ રીતે નિયત ન કરવી જોઈએ, પછી અલ્લાહુ અકબરના શબ્દો વડે તકબીરે તહરીમા પઢવી જોઈએ, અને પછી દુઆએ ઇસ્તિફતાહ પઢવી જોઇએ. "હે અલ્લાહ ! તું પાક છે, વખાણ તારા માટે જ છે, અને તારું નામ બરકતવાળું છે, અને તારી શાન મહાન છે, તારા સિવાય કોઈ સાચો મઅબૂદ નથી" હું ધૃતકારેલા શેતાનથી તારી પનાહમાં આવું છું, ત્યાર બાદ સૂરે ફાતિહા પઢવી જોઇએ. અને તે આ છે:
((શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે. (૧)
દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે. (૨)
(જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). (૩)
બદલાના દિવસ (કયામત) નો માલિક છે. (૪)
અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. (૫)
અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. (૬)
તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે. (૭) [અલ્ ફાતિહા: ૧-૭]. આ સંપૂર્ણ સૂરતને અરબી ભાષામાં પઢવી જરૂરી છે [૨૯] અને પછી "અલ્લાહુ અકબર" કહી રુકૂઅ કરવું જોઈએ, અને રુકૂઅમાં પોતાની પીઠ અને માથું ઝુકાવવું જોઈએ, અને પોતાની બન્ને હથેળીઓને ઘૂંટણ પર મૂકી દેવી જોઈએ, અને "સુબ્હાન રબ્બીયલ્ અઝીમ" કહેવું જોઈએ, પછી "સમિઅલ્લાહુ લિમન્ હમિદહ" કહેતા ઉભા થાઓ અને સીધા ઉભા થઇ ગયા પછી "રબ્બના વ લકલ્ હમ્દ" કહેવું, પછી "અલ્લાહુ અકબર" કહેતા એવી રીતે સિજદો કરવો જોઈએ, કે બન્ને પગની આંગળીઓ અને ઘૂંટણ અને બન્ને હાથ અને ચહેરો તેમજ નાક જમીન પર હોવું જોઈએ, અને સિજદામાં "સુબ્હાન રબ્બિઅલ્ અઅલા" કહેવું, પછી "અલ્લાહુ અકબર" કહી બેસી જવું જોઈએ, અને બંને સિજદા વચ્ચેની બેઠકમાં "રબ્બિગ્ફિર્લિ" કહેવું જોઈએ, પછી "અલ્લાહુ અકબર" કહી બીજો સિજદો કરવો જોઈએ, અને "સુબ્હાન રબ્બિયલ્ અઅલા" કહેવું અને પછી "અલ્લાહુ અકબર" કહેતા બીજી રકઅત માટે ઉભા થાઓ ,અને સૂરે ફાતિહાની તિલાવત કરવી જોઈએ, જેવી રીતે પહેલી રકઅતમાં કરી હતી, પછી "અલ્લાહુ અકબર" કહી રુકુઅ કરવો, પછી રુકુઅથી માથું ઉઠાવી પછી સિજદો કરવો જોઈએ, પછી બેસવું જોઈએ અને ફરી "અલ્લાહુ અકબર" કહી બીજો સિજદો કરવો જોઈએ, અને પછી બેસી જાય, બીજી રકઅતમાં દરેક જગ્યા પર તે જ તસ્બીહ પઢવી જોઈએ જે પહેલી રકઅતમાં પઢી હતી. [૨૯] કારણકે જો કોઈ વ્યક્તિ અરબી વગર અન્ય ભાષામાં કુરઆન પઢશે તો તે કુરઆન ગણવામાં નહીં આવે, એવી જ રીતે કુરઆન શબ્દોનું ભાષાતર કરવામાં નથી આવતું, ભાષાતર અર્થનું થાય છે, અને તેના શબ્દોનું ભાષાતર કરી દેવાથી તેના ભવ્ય અર્થ અને મુઅજિઝો ખતમ થઈ જશે, અને કેટલાક શબ્દો પણ છૂટી શકે છે, પછી તે અરબી કુરઆન નહીં ગણાય. પછી બેસીને આ દુઆ પઢવી જોઇએ: (અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ, અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવં વ અલા આલી મુહમ્મદ કમા સલ્લયતા આલા ઈબ્રાહીમ વ અલા આલી ઈબ્રાહીમ, ઈન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવં વ અલા આલી મુહમ્મદ કમા બારક્તા આલા ઈબ્રાહીમ વ અલા આલી ઈબ્રાહીમ, ઈન્નક હમીદુમ્ મજીદ) "દરેક અદબ અને ઇઝઝતનો માલિક ફક્ત અલ્લાહ તઆલા જ છે, દરેક પ્રકારની દુઆઓ અને પાક શબ્દો ફક્ત તેના માટે જ છે, હે નબી તમારા પર અલ્લાહની રહમતો, બરકતો અને સલામતી ઉતરે, અમારા પર પણ સલામતી ઉતરે અને અલ્લાહના નેક બંદાઓ પર, હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ નથી, અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ તેના બંદા અને રસૂલ છે, હે અલ્લાહ ! તું મુહમ્મદ અને મુહમ્મદના ઘરવાળાઓ પર રહમત ઉતાર, જે રીતે તે ઇબ્રાહિમ અને તેમના ઘરવાળાઓ પર ઉતારી, તું વખાણને લાયક અને પ્રતિષ્ઠિત છે, હે અલ્લાહ ! તું મુહમ્મદ અને મુહમ્મદના ઘરવાળાઓ પર બરકત ઉતાર, જે રીતે તે ઇબ્રાહિમ અને તેમના ઘરવાળાઓ પર ઉતારી, તું વખાણને લાયક અને પ્રતિષ્ઠિત છે" પછી જમણી બાજુ અને ડાબી બાજુ અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ કહી સલામ ફેરવી દે, એ રીતે ફજરની નમાઝ થઈ ગઈ.
૨- ઝોહર, અસર અને ઇશાની નમાઝ:
ઝોહર, અસર અને ઇશાની ચાર રકઅત છે, જેમાં પહેલી બે રકઅત ફજરની બે રકઅત જેમ જ પઢવામાં આવશે, પરંતુ તશહહુદ પછી સલામ ફેરવવાના બદલામાં અલ્લાહુ અકબર કહી ઉભા થઇ જાઓ, અને પહેલી બે રકઅતની જેમ જ બીજી બે રકઅત પઢો, પછી તશહહુદ માટે બેસવું જોઈએ, તશહહુદ અને આપ ﷺ પર દરુદ મોકલવું અને દુઆ કરી બન્ને તરફ સલામ ફેરવી દો, જેવું કે ફજરની નમાઝમા સલામ ફેરવ્યું હતું.
૩- મગરિબની નમાઝ:
મગરિબની નમાઝ ત્રણ રકઅત છે, જેમાં પહેલી બે રકઅત ફજરની પહેલી બે રકઅતની જેમ જ પઢવી જોઈએ, અને બીજી રકઅતમા તશહ્હુદ પછી અલ્લાહુ અકબર કહી ઉભા થઇ જાઓ, અને ત્રીજી રકઅત ઝોહર, અસર અને ઇશાની છેલ્લી બે રકઅતની જેમ જ પઢવી, પછી રુકૂઅ અને સિજદો કરી બીજા તશહ્હુદમાં બેસી જાઓ, અને તશહ્હુદ, દરૂદ અને દુઆ કરી બન્ને તરફ સલામ ફેરવી દેવું જોઈએ, નમાઝ માટે બહેતર એ છે કે રુકૂઅ અને સિજદામાં જે તસ્બીહ પઢવામાં આવે છે તેને વારંવાર પઢવી જોઈએ.
પુરુષો માટે જરૂરી છે કે તેઓ નમાઝના સમયે મસ્જિદમાં આવી પાંચ વખતની નમાઝ જમાઅત સાથે પઢે, તેમની ઇમામત તે વ્યક્તિ કરે, જે તેમના માંથી કુરઆન સૌથી સારું પઢતો હોય, અને નમાઝની બાબતો વિશે વધુ ઇલ્મ ધરાવતો હોય અને સૌથી વધારે દીનદાર હોય, ઇમામ ફજર, મગરીબ અને ઇશાની પહેલી બે રકઅતોમાં રુકૂઅ પહેલા ઊંચા અવાજે તિલાવત કરશે, અને તેમની પાછળ નમાઝ પઢનાર તેમની તિલાવત સાંભળે.
સ્ત્રીઓ પોત પોતાના ઘરોમાં પરદાનો બંદોબસ્ત કરી નમાઝ પઢશે, ચહેરા સિવાય બધું જ અહીં સુધી કે હાથ અને પગને પણ ઢાંકીને રાખે, કારણકે સ્ત્રીનું સંપૂર્ણ શરીર પરદો છે, સ્ત્રીઓ પુરુષથી દૂર ઉભી રહી નમાઝ પઢે, કારણકે તેમના દ્વારા ફિતનાનો ખતરો હોય છે, જ્યારે કોઈ સ્ત્રી મસ્જિદમાં આવી જમાઅત સાથે નમાઝ પઢવા ઈચ્છે તો તેને એક શરત પણ પરવાનગી આપવામાં આવશે કે તે સંપૂર્ણ પરદા અને સુગંધનો ઉપયોગ વગર મસ્જિદમાં જાય, અને તેની સફ પુરુષોની સફથી પાછળ હીજાબમાં હોવી જોઈએ, જેથી તેમના દ્વારા બીજું કોઈ ફિતનામાં ન પડે અને તેઓ પોતે પણ ફિતનાથી બચી શકે.
નમાઝ પઢનાર માટે જરૂરી છે કે તે પોતાની નમાઝ અત્યંત દિલ લગાવી અને ખુશૂઅ ખુઝૂઅ સાથે પઢે, અને દરેક રુકન ઉદાહરણ તરીકે રુકૂઅ, કિયામ, સિજદો, શાંતિપૂર્વક અદા કરે, નમાઝમાં વ્યર્થ કાર્યો ન કરવા જોઈએ, નજર આકાશ તરફ ન ઉઠાવવી જોઈએ, અને ન તો કુરઆન સિવાય કોઈ શબ્દો પોતાની જબાન વડે પઢવા જોઈએ, અને સુન્નતથી સાબિત દુઆઓ અને ઝિકર નમાઝમાં નક્કી કરેલ જગ્યાએ [30] અદા કરવા જોઈએ, કારણકે અલ્લાહ તઆલાએ નમાઝનો આદેશ પોતાના ઝિકર માટે આપ્યો છે.
[૩૦] હાં કોઈ વ્યક્તિ અગત્યના કામ તરફ ધ્યાન દોરવા માંગે તો સુબ્હાનલ્લાહ કહી યાદ અપાવવું જોઈએ, એવી જ રીતે ઇમામની પાછળ ઉભા રહી નમાઝ પઢનાર લોકો જો ઇમામ કોઈ ભૂલ કરે અથવા ઓછું વધતું કરે તો આ જ શબ્દ વડે જાણ અપાવે, અને સ્ત્રી તાળી પાડી યાદ અપાવી શકે છે, કારણકે તેના અવાજથી પણ ફિતનો ઉભો થઇ શકે છે.
જુમઆની નમાઝનો તરીકો: જુમઆના દિવસે દરેક મુસલમાન બે રકઅત નમાઝ પઢે, જેમાં ઇમામ બુલંદ અવાજે તિલાવત કરશે, જેવી રીતે ફજરની નમાઝમા પઢવામાં આવે છે, અને નમાઝ પહેલા બે ખૂતબા આપે, જેમાં મુસલમાનોને નસીહત કરે, અને તેમને ઇસ્લામની શિક્ષાઓ શીખવાડવી જોઈએ, મુસલમાન પુરુષો માટે ઇમામ સાથે જુમઆની નમાઝમાં હાજરી જરૂરી છે, જુમઆની આ નમાઝ જુમઆના દિવસે ઝોહરની નમાઝ બરાબર ગણાશે.
***
ઇસ્લામના અરકાનો માથી ત્રીજો રુકન (ઝકાત)
અલ્લાહ તઆલાએ દરેક વ્યક્તિ જેમનો માલ નિસાબ સુધી પહોંચ્યો હોય, [૩૧] ઝકાત આપવાનો આદેશ આપ્યો છે, જે વર્ષમા એકવાર નિકાળવામાં આવશે, અને ગરીબો તેમજ હકદારને આપવામાં આવશે, જેની સ્પષ્ટતા કુરઆન મજીદે કરી છે. [૩૧] નિસાબ: નક્કી કરેલ રકમ ભેગી થાય તો તેના પર ઝકાત વાજીબ છે. સોનું, ચાંદી અને વેપારનો માલનો નિસાબ: જ્યારે કોઈ વ્યક્તિ પાસે સાઢા સાત તોલું સોનુ, અથવા સાઢા બાવન તોલુ ચાંદી અથવા તેમના જેવી કોઈ પણ પ્રકારનું ચલણ, અથવા વેપારનો સામાન હોય, અને તે નિસાબ સુધી પહોંચી જાય તો તેના પર એક વર્ષ પસાર થઈ જવા પર ઝકાત છે, અથવા તેણે સંપૂર્ણ માલ માંથી ચાળીસમો ભાગ (અઢી ટકા) નિકાળવા જરૂરી છે, ફળ, અનાજનો નિસાબ: ફળ અને અનાજ ત્રણસો સાઅ (એક માપણું) સુધી પહોંચી જાય તો તેમાં ઝકાત કાઢવી જરૂરી છે, જ્યારે આ ખેતી કોઈ મહેનત અને તકલીફ વગર ઉપજે તો, તેના પર દસ ટકા ઝકાત કાઢવી ફર્ઝ છે, અને જો મહેનત અને તકલીફ તેમજ ખેડી અને સિંચાઈ વડે અનાજ ઉગાવવામાં આવે તો તેના પર પાંચ ટકા ઝકાત કાઢવી જરૂરી છે.
ફળો અને ખેતી પર ઝકાત દરેક ઉપજ વખતે છે, વર્ષમાં બે અથવા ત્રણ વખત ઉપજ આવતી હોય તો દરેક વખત ઝકાત કાઢવી જરૂરી છે, જાનવરોનો નિસાબ: ઊંટ, બકરી ગાય વગેરેનો નિસાબનું વર્ણન પણ ફીકહની કિતાબોમાં વર્ણન થયું છે, ત્યાં જરૂરત વખતે વાંચન કરી શકો છો, અલ્લાહ તઆલા કહે છે:
(તેઓને ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ફક્ત અલ્લાહની જ ઈબાદત કરે અને અને દીનને નિખાલસતા સાથે અપનાવે, (એકાંતમાં) નમાઝ કાયમ કરતા રહે, ઝકાત આપતા રહે, આ જ સાચો દીન છે.)
[અલ્ બય્યિનહ: ૫];
ઝકાતના ફાયદા: ઝકાતનો માલ કાઢવાથી ફકીર અને લાચારોની મદદ થાય છે, અને તેમની જરૂરત પુરી થાય છે, અને તેમની અને માલદારો વચ્ચે ભાઈચારો અને મુહબ્બત કાયમ થાય છે.
ઇસ્લામે સામાજિક મદદ અને મુસલમાનો વચ્ચે માલની મદદ અને ફકીર અને લાચારની જવાબદારી ફક્ત ઝકાતના માલમાં જ સીમિત નથી કર્યું, પરંતુ દુકાળ ના સમયે માલદારો માટે ગરીબોની મદદ કરવી જરૂરી છે, અને હરામ છે કે કોઈ વ્યક્તિ પેટ ભરીને સૂઈ જાય અને તેનો પડોશી ભૂખ્યો હોય, એવી જ રીતે મુસલમાનો પર અલ્લાહ તઆલાએ સદકએ ફિતર વાજિબ કર્યો છે, જેને તે ઇદના દિવસે શહેરમાં ઉપયોગી ખોરાકને એક સાઅ દરેક વ્યક્તિ, અહીં સુધી કે બાળક તરફથી પણ નીકાળવું પડશે, અને ગુલામનો ફીત્રો તેના માલિક પર છે, એવી જ રીતે અલ્લાહ તઆલાએ કસમનો કફફારો (પ્રાયશ્ચિત) [૩૨] પણ વાજિબ છે, જ્યારે કોઈ વ્યક્તિ કસમ ખાઈ તેને પુરી ન કરે, શરીઅત મુજબ માનવામાં આવેલ નઝર પણ પુરી કરવાનો આદેશ આપ્યો છે, એવી જ રીતે નફીલ સદકો કરવા પર લોકોને પ્રોત્સાહિત કર્યા છે, અને ભલાઈના કામોમાં ખર્ચ કરનાર માટે ઉત્તમ બદલાનું વચન આપ્યું છે, અને એ વચન આપ્યું છે કે તેમને તેમનું વળતર કઈ બમણું કરીને આપશે, એક નેકીનો બદલો દસ થી લઈ સાતસો ગણો અને તેનાથી પણ વધારે આપે છે. [૩૨] કસમનો કફફારો એ છે કે એક ગુલામ આઝાદ કરે, અથવા દસ લાચારોને ખાવાનું ખવડાવવું, અથવા તેમને કપડાં આપે, જો આ સહુલત ન હોય તો ત્રણ રોઝા રાખી શકે છે. ***
ઇસ્લામનો ચોથો રુકન (રોઝો)
તે રમઝાન માસના રોઝા છે, રમઝાન હિજરીસનનો નવમો મહિનો છે.
રોઝા રાખવાનો તરીકો:
મુસલમાન પરોઢ સવાર પહેલા સહેરી ખાઈ રોઝા રાખવાની નિયત કરી લે, અને પછી સૂર્યાસ્ત સુધી ખાધા પીધા અને સમાગમ કરવાથી રુકી જાય, અને પછી સૂર્યાસ્ત પછી ઈફતારી કરવી, અલ્લાહની ઈબાદત અને પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે આખો મહિનો રોઝા રાખવા જોઈએ.
રોઝા રાખવાના ઘણા ફાયદા છે, જેમાંથી કેટલાક નીચે પ્રમાણે છે:
- આ અલ્લાહની ઈબાદત અને તેના આદેશનું પાલન કરવું છે, બંદો ફક્ત અલ્લાહ માટે ખાવા પીવા અને પોતાની ઈચ્છાઓને છોડી દે છે, અને આવું કરવું તકવા માટે ખૂબ જ જરૂરી છે.
- એવી જ રીતે રોઝા રાખવાથી ઘણા સામાજિક, શારીરિક ફાયદા છે, જેનો અંદાજો ફક્ત તે જ કરી શકે છે, જે સાચા દિલ અને ઈમાન સાથે રોઝો રાખે. અલ્લાહ તઆલા કહે છે:
(હે ઇમાનવાળાઓ ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ. (૧૮૩)
(આ રોઝાના) ગણતરીના થોડાક જ દિવસ હોય છે, જો તમારા માંથી કોઈ વ્યક્તિ બિમાર હોય અથવા સફરમાં હોય તો તે બીજા દિવસોમાં ગણતરી પુરી કરી લે અને જે વ્યક્તિ રોઝા રાખવાની શક્તિ ધરાવતો હોય, છતાં પણ રોઝો ન રાખે તો તેના માટે ફિદયહમાં એક લાચારને ખાવાનું ખવડાવવુ છે, અને જો ભલાઈ કરવામાં વધારો કરે, તો તે તેના માટે બહેતર છે, પરંતુ તમારા માટે ઉત્તમ કાર્ય રોઝા રાખવા જ છે, જો તમે જાણતા હોય. (૧૮૪)
રમઝાન તે મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે, અને તેમાં હિદાયત તેમજ સત્ય અને અસત્ય વાતની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો મેળવી લે, તેના માટે મહિનાના સંપૂર્ણ રોઝા રાખવા જરૂરી છે, હાઁ જે બિમાર હોય અથવા મુસાફર હોય તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરી લેવી જોઇએ, (કારણકે) અલ્લાહ તઆલા તમારી સાથે સરળતા ઈચ્છે છે, કઠિનાઈ નહી, તે ઇચ્છે છે કે તમે ગણતરી પુરી કરી લો અને અલ્લાહ તઆલાએ આપેલા માર્ગદર્શન પર તેની પ્રસન્નતાનું વર્ણન કરો અને તેનો આભાર માનો. (૧૮૫))
[અલ્ બકરહ: ૧૮૩-૧૮૫].
*** રોઝાના તે મસ્અલા મસાઇલ જેને અલ્લાહ તઆલાએ કુરઆનમાં અથવા રસૂલ ﷺએ પોતાની હદીષોમાં વર્ણન કર્યા છે, તેમાંથી કેટલાક નીચે પ્રમાણે છે.
૧- જે વ્યક્તિ બીમાર હોય કે મુસાફર હોય તે જો રમઝાનના રોઝા ન રાખે તો છૂટ છે, પરંતુ રમઝાન પછી બીજા મહિનાઓમાં તેની કઝા કરવી જરૂરી છે, એવી જ રીતે હૈઝ અને નિફાસ વાળી સ્ત્રી માટે રોઝા રાખવા યોગ્ય નથી, પરંતુ પાક થઈ ગયા પછી તેની કઝા વાજીબ છે. ૨- એવી જ રીતે ગર્ભવતી અથવા દૂધ પીવડાવનાર સ્ત્રી જ્યારે પોતાના માટે અથવા પોતાના બાળક માટે કોઈ નુકસાન થવાનો ભય હોય તો તે પણ રોઝા છોડી શકે છે, પરંતુ અન્ય મહિનાઓમાં તે આ ગણતરી પુરી કરી લેશે. ૩- જો કોઈ રોજદાર ભૂલથી ખાઈ પી લે પછી તેને યાદ આવે તો તેનો રોઝો સહીહ ગણાશે, કારણકે અલ્લાહ તઆલાએ આ કોમ માટે ભૂલ ચૂક અને જબરદસ્તી કરવામાં આવેલ ગુનાહને માફ કરી દીધા છે, જો કે ખાતા ખાતા યાદ આવે તો મોઢામાં જે વસ્તુ હોય તેને પણ બહાર ફેંકી દે.
***
ઇસ્લામનો પાંચમો રુકન (હજ)
તે જીવનમાં એકવાર બૈતુલ્લાહનો સફર કરવો છે, તે સિવાય જેટલી વાર કરશો તે નફીલ ગણવામાં આવશે, હજના ઘણા ફાયદા છે:
એક: એ કે હજ અલ્લાહ માટે આત્મા, શરીર અને માલ દ્વારા થતી ઈબાદત છે.
બીજું: આખી દુનિયાના મુસલમાનોનું એક ભવ્ય જૂથ જોવા મળે છે, જેઓ એક જગ્યાએ અને એક જ જેવા પોશાકમા અને એક અલ્લાહની ઈબાદત માટે ભેગા થાય છે, જ્યાં અમીર અને ગરીબ, બાદશાહ અને ફકીર, કાળા અને સફેદનો તફાવત ખતમ કરી ભાઈ ભાઈ બનીને રહે છે, અને દરેક અલ્લાહની બંદગી કરતા નજર આવે છે, જ્યાં અલગ અલગ શહેરો અને દેશોથી આવેલ લોકોમાં મુલાકાત અને ઓળખાણ થતી હોય છે ,એક બીજાની રીત જાણે છે, પછી એક બીજા પ્રત્યે મદદ કરવાનો ઉત્સાહ પેદા થાય છે, એવી જ રીતે આ ભવ્ય માહોલ મહેશરના મેદાનની યાદ અપાવે છે, જ્યાં દરેક લોકોને અલ્લાહ હિસાબ અને કિતાબ માટે ભેગા કરશે, બસ તેઓ અલ્લાહ તઆલાનું અનુસરણ કરી મૃત્યુ પછીના જીવન માટે તૈયાર હોય છે.
કઅબાનો તવાફ કરી, જે મુસલમાનોનો કિબ્લો છે, જેની તરફ મોઢું કરી પાંચ વખતની નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે, ભલેને તેઓ જ્યાં પણ હોય, અને એવી જ રીતે અરફાતમા કિયામ, અને મુઝદલિફા અને મીનામાં રોકાણનો હેતુ પણ એ જ કે અલ્લાહએ દર્શાવેલ ઈબાદતના તરીકા પ્રમાણે ઈબાદત થવી જોઈએ, જે પ્રમાણે તેણે આપણને આદેશ આપ્યો છે.
તેનાથી કઅબતુલ્લાહ અથવા પવિત્ર જગ્યાઓની ઈબાદત કરવી નહીં ગણાય, કેમ કે ન તો તેમની ઈબાદત કરવામાં આવે છે અને ન તો તેમની અંદર ફાયદો અને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે, આપણે બધા તે એક અલ્લાહની ઈબાદત કરીએ છીએ જે એકલો ફાયદો અને નુકસાન પહોંચાડવાની શક્તિ ધરાવે છે, જો અલ્લાહ તઆલાએ અલ્લાહના ઘરનો હજ કરવા અને કઅબતુલ્લાહના તવાફનો આદેશ ન આપ્યો હોત તો કોઈ મુસલમાન માટે ત્યાં તવાફ કરવું અને ત્યાં સફર કરી જવું, યોગ્ય ન ગણાત, કારણકે ઈબાદત પોતાની ઈચ્છા અને મંતવ્ય પ્રમાણે કરવામાં નથી આવતી, ફક્ત અલ્લાહના આદેશ મુજબ જ હોય છે, જે કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવી છે અથવા આપ ﷺની સુન્નતમાં વર્ણન કરવામાં આવી હોય, અલ્લાહ તઆલા કહે છે:
(અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે.)
[આલિ ઇમરાન: ૯૭] [૩૩].
અને કેટલાક જાહિલ અને અજ્ઞાની લોકો કબરો અને દરગાહોની ઝિયારત હજ સમજીને કરતા હોય છે, તે સ્પષ્ટ ગુમરાહી અને આપ ﷺના આદેશ વિરુદ્ધ છે, આપ ﷺ કહે છે-: <<કાયદેસર સફર કરી ત્રણ મસ્જિદો સિવાય બીજે ક્યાંય ન જાઓ, મસ્જિદે હરામ, મારી મસ્જિદ (મસ્જિદે નબવી) અને મસ્જિદે અકસા>>. બુખારી (૧૧૮૯), મુસ્લિમ (૧૩૯૭) આ હદીષ અબૂ હુરેરહ રઝી. દ્વારા વર્ણન કરવામાં આવી છે.
એવી જ રીતે ઉમરહ દરેક સક્ષમ વ્યક્તિ માટે જીવનમાં એક વાર કરવું જરૂરી છે, ભલેને તે હજના સમયે કરે અથવા કોઈ પણ સમયમાં કરે, મદિનાહમાં મસ્જિદે નબવીનીની ઝિયારત હજ સાથે કરવી વાજિબ નથી અને તો કોઈ પણ સમયે, જો કે એક મુસલમાન માટે મુસ્તહબ અને સવાબને પાત્ર કાર્ય છે અને જો ઝિયારત ન કરે તો કોઈ પણ પ્રકારનો ગુનોહ અને પકડ નથી, અને જ્યાં સુધી એવી હદીષ જે લોકોમાં વિખ્યાત છે કે જેણે હજ કર્યું અને મારી ઝિયારત ન કરી તેણે મારા પર જુલમ કર્યો, તો આ સાચી હદીષ નથી, પરંતુ આ હદીષ તો મવ્ઝૂઅ (ઘડી કાઢેલી) હદીષ છે. જે આપ ﷺ તરફ ખોટી રીતે વર્ણવેલ છે. [૩૪].
[૩૪] એવી જ રીતે આ હદીષ: "મારી જગ્યાનો વસિલો લઈ દુઆ કરો, કારણકે મારી જગ્યા અલ્લાહની નજીક ખૂબ જ મોટી છે", બીજી જગ્યાએ આ પ્રમાણેના શબ્દો છે, "જેને કોઈ પથ્થર પર પણ સારું અનુમાન થવા લાગે તો તે પથ્થર પણ તેને ફાયદો પહોંચાડશે", આ પ્રમાણેની દરેક રિવાયત જૂઠી અને ઘડી કાઢેલી છે, અને હદીષની ભરોસાપાત્ર કિતાબોમાં આ હદીષ નથી, જો કે તે ગુમરાહ આલિમોની કિતાબમા જોવા મળે છે જેઓ શિર્ક અને બીદઅત તરફ લોકોને બોલાવતા હોય છે, અને તેઓને કંઈ પણ ખ્યાલ નથી રહેતો.
જો કે તે સફર માટે પરવાનગી આપવામાં આવી છે, જે મસ્જિદે નબવીની ઝિયારત માટે કરવામાં આવે, અને જ્યારે કોઈ મસ્જિદે નબવી પહોંચી જાય બે રકઅત તૈહય્યતુલ્ મસ્જિદ પઢી ફારીગ થઈ જાય, તો તેના માટે શરીઅતે પરવાનગી આપી છે કે તે આપ ﷺની પવિત્ર કબર પર હાજર થઇ આ પ્રમાણે સલામ પઢે, "અસ્સલામુ અલયકુમ યા રસૂલુલ્લાહ" તે સમય અદબ અને દરજ્જાનું ખૂબ માન રાખવું જોઈએ, અવાજ નિચો રાખે, અને આપ ﷺ થી કોઈ સવાલ અને વાત ન કરવી જોઈએ, પરંતુ સલામ કરી અને ત્યાંથી બહાર આવી જાય, આ પ્રમાણે જ કોમને આપ ﷺએ આદેશ આપ્યો છે અને સહાબાઓએ કરીને બતાવ્યું છે.
જે લોકો આપ ﷺની કબર પર નમાઝની જેમ ખુશૂઅ અને ખુઝૂઅ સાથે ઉભા રહી પોતાની જરૂરિયાત પૂરી કરવાની વિનંતી કરતા હોય છે, અથવા આપ ﷺને ફરિયાદ કરતા હોય છે, અથવા અલ્લાહ પાસે તેમને વાસતો સમજી ઉભા રહે છે, તો તેઓ અલ્લાહ તઆલા સાથે શિર્ક કરી રહ્યા છે, આપ ﷺ તેમનાથી અળગા છે, મુસલમાનોએ આ પ્રમાણેના કાર્યોથી ભલેને આપ ﷺ સાથે કરવામાં આવે અથવા કોઈ અન્ય વ્યક્તિ સાથે કરવામાં આવે, બચવુ જોઈએ, ત્યારબાદ અબૂ બકર અને ઉમર રઝી. કબરોની શરીઅત પ્રમાણે તેમની ઝિયારત કરવી જોઈએ, ત્યાં પહોંચી સલામ કરે અને તેમના માટે માફીની દુઆ કરે, અને પોતે પણ શીખ મેળવે અને પાછા આવી જાય.
હજ અને ઉમરહનો તરીકો:
સૌ પ્રથમ તો હાજી હલાલ માલનો બંદોબસ્ત કરે, અને હરામ માલથી બચે, કારણકે હરામ માલથી કરવામાં આવેલ હજ અને દુઆ રદ કરવામાં આવે છે, અને આપ ﷺની એક હદીષ વર્ણન કરવામાં આવી છે- :
<<તે દરેક માસ જેનો ઉછેર હરામ માલથી થયો હોય, તે જહન્નમમાં જવાનો વધુ હક ધરાવે છે.>> [૩૫],
હજ માટે એવા દોસ્તોને પસંદ કરવા જોઇએ જેમનો અકીદો સહીહ હોય અને ઇમાનવાળાઓ હોય.
[૩૫] તબ્રાનીએ અવસ્તમા (૪૪૮૦), અને બયહકીએ શુઅબલ્ ઇમાનમાં (૨/૨/૧૭૩) માં, અને ઇમામ અલ્બાની રહ.એ સિલ્સીલતુસ્ સહીહમાં સહીહ કહી છે. (૬/૨૧૨).
*** અલ્ મવાકીત (મીકાત)
જ્યારે હાજી ગાડી અથવા અન્ય સવારી દ્વારા મીકાત સુધી પહોંચી જાય તો ત્યાંથી એહરામ બાંધી લે, જો વિમાનમાં હોય તો મીકાતની નજીક પહોંચતા જ એહરામ બાંધી લે, અને મિકાતથી હદ ન વટાવે, મિકાત: મક્કાહ શહેરમાં બહારથી આવનારા દરેક હાજીઓ માટે આપ ﷺએ જે એહરામ બાંધવાની જગ્યાઓ વર્ણન કરી છે, તે પાંચ છે, અને તે નીચે મુજબ છે:
૧- ઝુલ્ હુલૈફા: આ મદીના શહેર અથવા તે માર્ગથી આવનારા લોકો માટે મીકાત છે, તેને અબયારે અલી પણ કહે છે.
૨- જુહફહ: આ શામ શહેર અથવા મિશ્ર શહેર અને પશ્ચિમ દિશા તરફથી આવનાર હાજીઓ માટે મીકાત છે, રાબિગ નામના શહેરથી આ જગ્યા નજીક છે.
૩- કરનુલ્ મનાઝિલ: આ નજદ શહેર અથવા તાઈફ શહેર તરફ અને તે માર્ગથી આવનાર દરેક હાજીઓની મીકાત છે, આ જગ્યા સૈલ અથવા વાદીએ મુહર્રમથી પ્રખ્યાત છે.
૪- ઝાતે ઇરક: આ ઇરાક શહેરથી અથવા તે માર્ગથી આવનાર હાજીઓ માટે મીકાત છે.
૫- યલમ્લમ: યમન તરફથી આવનારાઓની મીકાત છે.
જે લોકો હજ અથવા ઉમરહની નિયત કરી આવનાર આ માર્ગ પરથી પસાર થાઈ, તેઓ દુનિયાની કોઈ પણ જગ્યાએથી આવતા હોય તેઓએ આ જગ્યા પરથી એહરામ બાંધી ને જ જવું જોઈએ. મક્કાહના રહેવાસી અને જે લોકો મીકાતની હદમા રહેતા હોય તેઓ હજ માટે એહરામ પોતાના ઘરેથી જ બાંધીને આવે, (ઘરેથી મીકાત જઈ અહેરામ બાંધવાની જરૂર નથી)
*** એહરામ બાંધવાનો તરીકો:
એહરામ બાંધતા પહેલા શરીરની સફાઈ કરવી, ગુસલ કરવું, અને ખુશ્બુ લગાવવી મુસ્તહબ છે, મીકાત પહોંચી એહરામ માટે કપડાં પહેરવા જોઈએ, અને વિમાનમાં સફર કરી આવનાર વ્યક્તિ ઘરેથી જ કપડાં પહેરે પછી નિયત કરી લે અને મીકાતની નજીક પહોંચી તલ્બિયા પઢે [૩૬] પુરુષ બે સાફ કપડાંમાં એહરામ બાંધે જે સિલાઈ કરેલા ન હોય અને પોતાના માથાને ખુલ્લું રાખે.
સ્ત્રી એહરામમાં કોઈ પણ પ્રકારના કપડાં પહેરી શકે છે, તેમના માટે ખાસ કપડાં પહેરવા જરૂરી નથી, હા, શરત એ છે કે તેનો પોશાક ચોડો અને છુપાયેલો હોવો જોઈએ, એવો પોશાક ન પહેરવો જોઈએ, જેના કારણે સુંદરતા અને બે પરદગી જાહેર થતી હોય, તેમના માટે એહરામના સમયે બન્ને હાથોમાં મોજા પહેરવા, અથવા નકાબ દ્વારા પોતાના ચહેરો છુપાવવો યોગ્ય નથી, જો કે કોઈ ગેર મહરમ સામે આવી જાય તો ચહેરા પર કોઈ કપડું લટકાવી લે, અથવા કોઈ બીજી વસ્તુથી મોઢું છુપાવી લે, જેવું કે આપ ﷺની પવિત્ર પત્નીઓ જ્યારે તેમની સામેથી કોઈ કાફલો પસાર થતો, તો માથા પરથી પોતાની ચાદરો ચેહરા પર લટકાવી દેતા હતા.
[૩૬] તલ્બિયહ: અર્થાત્ લબૈક હજ્જન અથવા લબૈક ઉમરતન્ કહેવું, અર્થાત્ હું હજ માટે હાજર છું હું ઉમરહ માટે હાજર છું અર્થાત્ સતત અલ્લાહના દરબારમાં પોતાની હાજરી પુરાવતા રહે.
ત્યારબાદ હાજીઓ એહરામનો લિબાસ પહેર્યા પછી પોતાના દિલમાં ઉમરહની નિયત કરવી જોઈએ અને ફરી તલ્બિયહ કહેવું જોઈએ, અને અલ્લાહુમ્મહ લબૈક ઉમરતન્ " હે અલ્લાહ હું ઉમરહ માટે હાજર છું, કહી તલ્બિયહ કહેવું જોઈએ, અને ઉમરહને હજ સાથે ભેગું કરી મુતમત્તિઅ [૩૭] બની જાય.
અને હજજે તમત્તુઅ જ બહેતર છે, કારણકે રસૂલ ﷺએ સહાબાઓને આ પ્રમાણે હજ કરવાનો આદેશ આપ્યો હતો, જો કે જરૂરી કહ્યું હતું, અને જે વ્યક્તિએ આ આદેશના પાલન કરવામાં સંકોચ અનુભવ્યો તો આપ તેનાથી નારાજ થઈ ગયા હતા, જો કે જેની પાસે હદ્ય [૩૮] માટે જાનવર હોય તે કિરાનના એહરામમાં બાકી રહેશે, જેવું કે આપ ﷺએ કર્યું હતું-,
કારિન: તે વ્યક્તિ છે, જે હજ અને ઉમરહ માટે એક સાથે એહરામ બાંધે, અને તલ્બિયહમા "અલ્લાહુમ્મ લબૈક ઉમરતન્ વ હજજન્" હે અલ્લાહ હું હજ અને ઉમરહ કરવા માટે હાજર છું, કહેવું જોઈએ, કારિન પોતાના એહરામમાં ત્યાં સુધી બાકી રહેશે, જ્યાં સુધી નહરના દિવસે પોતાની હદ્ય કુરબાની ન કરી લે. [૩૭] મુતમત્તેઅ તે વ્યક્તિ છે, જે હજના સમયે ઉમરહ પણ કરે, પછી એહરામથી સપૂર્ણ રીતે હલાલ થઈ જાય, પછી તે એહરામની પાબંદીઓથી આઝાદ થઈ જાય છે, પછી ઝિલ્ હિજજહની આઠમી તારીખે હજ માટે એહરામ બાંધે, કારિન તે વ્યક્તિ છે, જે હજ અને ઉમરહ એક સાથે અદા કરે, અને ફક્ત હજના અમલ કરી લે, પરંતુ તેની સાથે ઉમરહ માટેની પણ નિયત કરી લે, અને મુફરિદ્ તે વ્યક્તિ છે, જે ફક્ત હજ માટે નિયત કરે, અને ઉમરહ માટે નિયત ન કરે. [૩૮] હદ્ય: જાનવર અને ઢોર, જેવું કે ઉંટ, ગાય બકરી, હાજી આમાંથી કોઈની પણ કુરબાની કરી લે છે, પછી ફકીર અને લાચાર લોકોમાં તેનો અમુક ભાગ વહેંચી દે છે , અને તેનો થોડોક ભાગ પોતે પણ ખાય છે.
અને મુફરીદ તે છે, જે ફક્ત હજ માટે નિયત કરે, અને અલ્લાહુમ્મ લબૈક હજજન કહે, હે અલ્લાહ ! હું હજ માટે હાજર છું, કહી તલ્બિયહ કહે.
***
અહેરામની સ્થિતિમાં જે વસ્તુઓ પર રોક લગાવી છે તેનું વર્ણન અહેરામની સ્થિતિમાં નીચે વર્ણવેલ દરેક વસ્તુઓ હરામ છે: ૧- સમાગમ અને તેને સંબંધિત દરેક કામ, ઉદાહરણ તરીકે બોસો લેવો, મનેચ્છા સાથે સ્પર્શ કરવું, અશ્લીલ વાતો કરવી, એવી જ રીતે લગ્ન કરવા, તેમજ લગ્ન કરાવવા અને સગાઈ કરાવવી. 2- માથાના વાળ કપાવવા અથવા વાળ માંથી થોડાક પણ વાળ કાપવા. ૩- નખ કાપવા. ૪- ચોટી જાય એવી વસ્તુઓથી માથું ઢાંકવું, પરંતુ છત્રી, તંબુ અથવા ગાડીની આડમા છાંયડો પ્રાપ્ત કરી શકાય છે. ૫- ખુશ્બુ લગાવવી અથવા ખુશ્બુ સૂંઘવી ૬- જમીનના જાનવરોનો શિકાર કરવો અથવા તેનું માર્ગદર્શન આપવું. ૭- પુરુષ માટે કમિસ અથવા અન્ય સિવેલું કપડું પહેરવું અને સ્ત્રીઓનું ચહેરો અને હાથ પર નકાબ અથવા સિવેલું કપડું નાખવું, પુરુષ ચપ્પલ પહેરી શકે છે, અને જો ચપ્પલ ન મળે તો મોજાનો પણ ઉપયોગ કરી શકે છે.
વર્ણવેલ વસ્તુઓ માંથી અજાણતામાં અથવા ભૂલ કરી જો કોઈ વ્યક્તિ કોઈ કામ કરી લે તો તરત જ તેને દૂર કરી દે, અને તેના પર કોઈ ફીદયો વગેરે નથી. જ્યારે હાજી કઅબતુલ્લાહ પહોંચે તો તેને સાત વખત તવાફે કુદૂમ કરે, [૩૯] શરૂઆત હજરે અસ્બદ પાસેથી તકબીર વડે કરે, અને અંત પણ ત્યાં જ કરે, તવાફ કરતી વખતે ઝિક્ર અને અન્ય દુઆઓમાં [૪૦] વ્યસ્ત રહેવું જોઈએ, તવાફ માટે કોઈ ખાસ દુઆ નથી, અને ત્યારબાદ શક્ય હોય તો મકામે ઈબ્રાહીમ પછી [૪૧] નહીં તો મસ્જિદે હરામમાં કોઈ પણ જગ્યાએ બે રકઅત નમાઝ પઢવી, ત્યારબાદ સફા પર્વત [૪૨] પર ચઢી કિબ્લા તરફ મોઢું કરે, અને તકબીર (અલ્લાહુ અકબર કહેવું) અને તહલીલ (લા ઇલાહ ઈલ્લ્લાહ પઢવું) જોઈએ, અને દુઆ કરવી જોઈએ, ત્યાંથી મરવહ તરફ જવું જોઈએ, ત્યાં પણ એવી જ રીતે કરવું જોઈએ જે સફા પર કર્યું હતું, આ પ્રમાણે સાત વખત સઇ કરવી જોઈએ, સફાથી મરવહ તરફ જવું એક ચક્કર થયું, અને મરવહથી સફા આવવું બીજું ચક્કર થયું, ત્યારબાદ માથાના વાળ કપાવવા જોઈએ, અને સ્ત્રી આંગળીના એક બોરખા જેટલા વાળ કપાવે, અને આવું કર્યા પછી ઉમરહ પૂરો થઈ ગયો, અને એહરામના કારણે જે વસ્તુઓ હરામ હતી હવે તે બધી વસ્તુઓ હલાલ થઈ જશે. [૩૯] અર્થાત્ બૈતુલ્લાહ તરફ આવવું અને તે મક્કાહમાં હરમમાં પ્રવેશ કરવો છે. ૪૦, હજરે અસ્વદ અને રુકને યમાની વચ્ચે કુરઆનમાં વર્ણન કરેલ આયત: ( હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે.) પઢવી જોઇએ. [અલ્ બકરહ: ૨૦૧].
[૪૧] તે મકામે ઈબ્રાહીમ છે
[૪૨] મસઇ: આ સઈ કરવાની જગ્યા છે, સઈ સફા અને મરવહ વચ્ચે સહેજ તેજ ચાલવાને કહે છે, સફા અને મરવહ આ બન્ને નાના પર્વતો છે.
સ્ત્રીઓના અંગત મસાઈલ: જો કોઈ સ્ત્રી અહેરામ બાંધતા પહેલા અથવા અહેરામ બાંધી લીધા પછી હૈઝ અથવા નિફાસ આવી જાય તો તે હજજે કિરાન અર્થાત્ હજ અને ઉમરહ બન્નેનો એહરામ બાંધી લે, અને અન્ય હાજીઓની જેમ જ હજ અને ઉમરહ બન્નેનો તલ્બિયા પઢતી રહે, કારણકે હૈઝ અને નિફાસ અહેરામ બાંધવા અને અરફાહ તેમજ મુઝદલિફાના રોકાણ માટે કોઈ રોક નથી, હાં, બૈતુલ્લાહનો તવાફ કરવો તેના પર રોક છે, જે સ્ત્રી આ પ્રમાણે હોય તો તે અન્ય હાજીઓની જેમ દરેક રુકન કરશે, ફક્ત બૈતુલ્લાહનો તવાફ પાક સાફ થયા સુધી રોકી રાખશે, અને પાક થયા પછી તેને કરશે, જો કોઈ સ્ત્રી લોકોના હજના એહરામ બાંધતા પહેલા જ પાક થઈ ગઈ તો તે ગુસલ કરી બૈતુલ્લાહનો તવાફ કરી શકશે, સઇ પણ કરશે અને પોતાના વાળ પણ કપાવશે, અને ઉમરહ ના એહરામથી હલાલ થઈ જાય, પછી દરેક હાજીઓ સાથે એહરામ બાંધી મિના જાય, અને જો તે આઠ તારીખ સુધી હાજીઓના એહરામ બાંધવા સુધી પાક ન થઈ શકે તો તે પણ તેમની સાથે તલ્બિયા કહેતા હજજે કિરાનની નિયત કરી દરેક રુકન કરતી રહેશે, અર્થાત્ મિના જવું, અરફાત અને મુઝદલિફામા રોકાવવું, રમયે જમરાત, કુરબાની, અને માથાના વાળા કાપવા વગેરે દરેક રુકન હાજીઓ સાથે કરતી રહે, અને જ્યારે પાક થઈ જાય તો બૈતુલ્લાહનો જરૂરી તવાફ અને સફા તેમજ મરવહની સઇ કરી લે.
અને આ તવાફ અને સઇ તેના હજ અને ઉમરહ બન્ને માટે પૂરતો ગણાશે, કારણકે આવું જ હજજતુલ્ વિદાઅના સમયે હઝરતે આયશા રઝી. સાથે થઈ હતી, અને તેમને આપ ﷺએ આ જ પ્રમાણે કરવાનો આદેશ આપ્યો હતો, સાથે સાથે ઈશારો પણ કર્યો હતો કે આ તવાફ અને સઇ હજ અને ઉમરહ બન્ને તરફથી પૂરતું છે, કારણકે હજજે કિરાન કરવાવાળા પર મુફરિદની જેમ ફક્ત એક તવાફ અને એક સઇ વાજિબ છે, [૪૩] અને આપ ﷺ નું ફરમાન આ વાતની દલીલ છે, એક બીજી હદીષમા છે કે: ઉમરહ હજમાં કયામત સુધી દાખલ થઈ ગયું, અલ્લાહ વધુ જાણે છે.
[૪૩] આ તવાફ ઇદના દિવસે અથવા ત્યારબાદ કરશે, અને પહેલો તવાફ જે તેણે હજ પહેલા કર્યો હતો, અને જેને તવાફે કુદૂમ કહે છે, આ નફીલ તવાફ છે, મુફર્રિદ અને કારિન માટે ફકત એક જ સઇ કરવી પડશે, જો આ સઇ તવાફે કુદૂમ સાથે જ કરી લે તો પૂરતી છે, નહીં તો ઇદના દિવસે અથવા ત્યાર પછી, તવાફ ઇફાઝા (વધારાના તવાફ) સાથે સઇ પણ કરી લે.
આઠ ઝિલ્ હિજજહએ મક્કાહ શહેરમાં પોતાની રહેવાની જગ્યાએથી જ હજ માટે એહરામ બાંધી લે, જેવી રીતે કે ઉમરહનો એહરામ બાંધી મિકાતથી મક્કાહ આવ્યા હતા, શક્ય હોય તો ગુસલ કરી લે, અને ખુશ્બુ લગાવી પછી એહરામ બાંધવુ જોઈએ, અને "અલ્લાહુમ્મ લબૈક હજજન" કહી હજ માટે નિયત કરવી જોઈએ, અને એહરામની દરેક બાબતનો ખ્યાલ કરવો જોઈએ, અને વર્ણવેલ રોકથી સંપૂર્ણ બચીને રહેવું જોઈએ, આ પાબંદી ત્યાં સુધી રહેશે જ્યારે મુઝદલિફહથી પાછા ફરતા મિના સુધી આવી દસમી તારીખે [૪૪] રમ્યે જમરાત અને કુરબાની અને માથાના વાળ કપાવી ફારીગ ન થઈ જાય, અને સ્ત્રી ફક્ત થોડાક જ વાળ કપાવશે.
[૪૪] નહરનો દિવસ, આ ઇદનો દિવસ છે, ઝિલ્ હિજજહની દસમી તારીખ ગણાશે, તે દિવસનું નામ યવ્મુન્ નહર છે, એટલા માટે રાખવામાં આવ્યું છે કે હાજીઓ પોતાની કુરબાનીના જાનવર ઝબેહ કરે છે.
હાજી આઠ ઝિલ્ હિજજહના દિવસે એહરામ બાંધી મિના દરેક હાજીઓ સાથે જાય, અને ત્યાં જ રાત પસાર કરે, ત્યાં પાંચ વખતની નમાઝ પોતાના સમયે કસર અદા કરવી, (ઝોહર, અસર, મગરિબ, ઇશા ફજર) બીજા દિવસે નવમી તારીખે સૂર્યોદય પછી દરેક હાજીઓ સાથે નમિરહ જવું, અને ત્યાં રોકાઈ જવું, અને ત્યાં ઇમામ સાથે ઝોહર અને અસરની નમાઝ ભેગી કરવી કસર કરવી, અને ઝવાલ પછી ત્યાંથી અરફાહ સુધી નીકળી કિબલા તરફ મોઢું કરી, વધુમાં વધુ ઝિક્ર અને દુઆમાં વ્યસ્ત રહેવું જોઈએ, અને જો (નમિરહથી ન જઈ) અરફાહમાં જઈ બેસી જાઓ તો પણ જાઈઝ છે, અરફાતનું મેદાન સંપૂર્ણ ઠહેરવાની જગ્યા છે.
અને હાજી અરફાતમા અલ્લાહનો ઝિક્ર, દુઆ અને ઇસ્તિગ્ફારમાં વ્યસ્ત રહેવું જોઈએ, અને પર્વત તરફ મોઢું ન કરી કિબલા તરફ ફરી જવું, કારણકે પર્વત તો અરફાતનો એક ભાગ છે, ઈબાદત સમજી તેના પર ચઢવું જાઈઝ નથી, એવી જ રીતે તેના પથ્થરોને સ્પર્શ કરવું પણ જાઇઝ્ નથી, જો કે આ હરામ કરેલ બિદઅતે છે. પછી સૂર્યાસ્ત પછી લબૈક પઢતા સંપૂર્ણ શાંતિ સાથે મુઝદલિફા તરફ જવું જોઈએ, અને ત્યાં પહોંચતા જ મગરીબ અને ઇશાની નમાઝ ઇશાના સમયે કસર સાથે પઢવી જોઈએ, ત્યારબાદ ત્યાં જ રાત પસાર કરવી જોઈએ, અને ફજરની નમાઝ પઢી જ્યારે અજવાળું થઈ જાય તો સૂર્યોદય પહેલા અલ્લાહનો ઝિક્ર કરતા મિના તરફ નીકળી જાય, મિના પહોંચી સૂર્યોદય પછી જમરહ ઉકબાની તરફ જવું જોઈએ, અર્થાત્ સાત કાંકરિયો એક પછી એક બહુ નાની ન હોવી જોઈએ અને ન તો ઘણી મોટી હોવી જોઇએ અને ન તો ઘણા મોટા પથ્થર હોવા જાઈએ, જો કે ચણાની જેમ હોય, ચપ્પલ વેગરે જમરાત પર મારવા જાઈઝ નથી, આ વ્યર્થ અને શેતાની અમલ છે, રસૂલ ﷺની સુન્નતનું અનુસરણ અને અલ્લાહ તેમજ રસૂલની અવજ્ઞાથી બચતા શેતાનને સૌથી વધારે અપમાનિત કરી દે એવી વસ્તુ છે. [૪૫] શૈતાન પર દબાણ કરવું અર્થાત્ તેનું શેતાનનું અપમાન કરવું. રમ્એ જમરહથી ફારીગ થઈ હાજી કુરબાની કરશે, પછી પોતાના માથાના વાળ કપાવવા જોઈએ, અને સ્ત્રીઓ થોડાક જ વાળ કપાવશે, જો પુરુષ પણ થોડા વાળ કાપશે તો જાઈઝ છે, પરંતુ સંપૂર્ણ વાળ કાઢી નાખવા બહેતર છે, પછી પોતાના કપડાં પહેરી લે હવે એહરામના દરેક પ્રતિબંધો ખતમ થઈ જશે, અને ફક્ત સ્ત્રી સિવાય દરેક વસ્તુ હલાલ થઈ જશે, પછી મક્કા જઈ અને તવાફે ઇફાઝા અને ત્યારબાદ સઇ કરવી જોઈએ, અને પછી સ્ત્રી પણ હલાલ થઈ જશે, પછી તવાફે ઇફાઝાથી ફારીગ થઈ ગયા પછી મિના તરફ પાછા આવી જાય, અને અગિયાર, બાર અને તેર તારીખની રાતો ત્યાં જ પસાર કરે, જો કોઈ ફક્ત બે જ રાતો ત્યાં પસાર કરી આવી જાય, તો પણ જાઈઝ છે, તે દિવસોમાં ઝવાલ પછી ત્રણેય જમરાતને કાંકરિયો મારવી, શરૂઆત પહેલા જમરાહથી કરવી જોઈએ, જે મિના સાથે ભેગું છે, પછી બીજા ને અને પછી જમરહ ઉકબાને, દરેક જમરાતને સાત કાંકરીઓ મારવી જોઈએ, દરેક કાંકરીઓ મારતી વખતે અલ્લાહુ અકબર કહેવું જોઈએ, અને કાંકરીઓ મિનામાં પોતાની જગ્યા પર [૪૬] થી લઈને જવું. જે કોઈને મિનામાં જગ્યા ન મળે તો ત્યાં તંબુ ખત્મ થાય છે, ત્યાં જ રોકાઈ જવું. [૪૬] અર્થાત્ જ્યાં રોકાયા હોય તે જગ્યાએથી. જો મિનામા ફકત બે જ દિવસ રોકાઈ પોતાના શહેર તરફ પાછા ફરવાનો ઈરાદો હોય તો એવું કરી શકાય છે, પરંતુ બહેતર એ છે કે ત્રીજી રાત પણ મિનામાં જ પસાર કરે, અને ઝવાલ પછી રમયી કરવી જોઈએ, જ્યારે પોતાના ઘર તરફ પાછા ફરવા ઇચ્છતા હોવ તો તવાફે વદાઅ કરવું જોઈએ, અને તરત જ રવાના થઈ જવું જોઈએ, તવાફે ફર્ઝ અથવા સઇ કર્યા પછી જો સ્ત્રીને હૈઝ અથવા નિફાસ આવી ગયું તો તે તવાફે વિદાઅ છોડી શકે છે, અને તેના પર તે તવાફ જરૂરી નથી. જો કોઈ હાજી કુરબાનીને અગિયાર, બાર અથવા તેર સુધી પણ કરે, તો આવું કરવું પણ જાઈઝ છે, એવી જ રીતે કોઈ તવાફે ઇફાઝા અને સઇને મિનાથી પાછા ફરીને કરવા ઈચ્છે તો એ પણ જાઈઝ છે, પરંતુ બહેતર દસમી તારીખે કરવી છે. અને અલ્લાહ જ સૌથી વધારે જાણે છે , દરુદ અને સલામતી થાય મુહમ્મદ પર અને તેમની સંતાન પર. *** ઈમાન અલ્લાહ તઆલાએ મુસલમાનો માટે અલ્લાહ અને તેના રસૂલ અને અરકાને ઇસ્લામ પર ઈમાન સાથે સાથે ફરિશ્તાઓ [૪૭] અને આકાશીય કિતાબો [૪૮] ઉપર પણ ઈમાન લાવવું જરૂરી કર્યું છે, જે કિતાબોને અલ્લાહ તઆલાએ પોતાના પયગંબર પર ઉતારી, જેની શ્રુંખલાની અંતિમ કિતાબ કુરઆન મજીદ છે, જે દરેક આકાશીય કિતાબોની નાસિખ (રદ કરી દેનારી) છે અને અલ્લાહ તઆલાએ તે કિતાબને પાછળની દરેક કિતાબો માટે સરક્ષક બનાવી દીધી, એવી જ રીતે અલ્લાહ તઆલાએ એ પણ આદેશ આપ્યો છે કે તેણે મોકલેલા દરેક પયગંબરો અને નબીઓ પર ઈમાન લાવે, કારણકે દરેકની વાત એક જ છે, અને દીન પણ એક જ છે, અને તે દીન ઇસ્લામ છે, જેને અલ્લાહ તઆલાએ, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, પયગંબર અને નબી બનાવી મોકલ્યા, એટલા માટે એક મુસલમાન માટે જરૂરી છે, કે તે દરેક પયગંબરો પર ઈમાન લઈ આવે, જેમનુ વર્ણન કુરઆન મજીદમાં કરવામાં આવ્યું છે, કે તેઓ અલ્લાહના પયગંબર હતા, જેમને પોતાની કોમ તરફ મોકલવામાં આવ્યા છે, અને તેની સાથે સાથે એ પણ યકીન અને ઈમાન ધરાવે કે અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ છે, જેમને સમગ્ર માનવજાતિ તરફ રસૂલ બનાવી મોકલવામાં આવ્યા, અને સમગ્ર માનવજાતિ અહીં સુધી કે યહૂદી અને નસરાની પણ અને એ વગર અન્ય ધર્મના લોકો પણ આપ ﷺ ની કોમના એક સભ્ય છે, અને જમીનના દરેક લોકો માટે આપ ﷺ પર ઈમાન લાવવું જરૂરી અને ફરજીયાત છે. [૪૭] ફરિશ્તાઓ એક સર્જન છે, જેમને અલ્લાહ તઆલાએ નૂર (પ્રકાશ) વડે પેદા કર્યા, જેમની સંખ્યા અગણિત છે, અને તેમની સંખ્યા અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, કેટલાક તો આકશોમાં છે અને કેટલાક તો ઇન્સાનોના કેટલાક કામ માટે જવાબદાર બનાવવામાં આવ્યા છે. [૪૮] મુસલમાન એ વાત પર ઈમાન ધરાવે કે તે કિતાબ, જે અલ્લાહએ રસૂલ પર ઉતારી હતી, દરેક સાચી છે, અને તેમના માંથી ફક્ત કુરઆન મજીદ જ સુરક્ષિત છે, અને તોરાત અને ઇન્જિલ જે યહૂદી લોકો પાસે છે, તે કિતાબો તો તેમણે પોતે લખેલી કિતાબો છે, કારણકે તેમાં ઘણો વિવાદ અને તફાવત જોવા મળે છે, અને સૌથી વધારે ફેરફાર કરવાની દલીલ એ કે તેમાં એવા અકીદાનું વર્ણન છે કે ખુદા ત્રણ છે, અને ઈસા અલ્લાહના દીકરા છે, જો કે સાચી વાત તો એ જ છે કે મઅબૂદ અને ઇલાહ તો એક જ છે, અને તે પવિત્ર ઝાત અલ્લાહની જ છે, અને ઈસા અલ્લાહના બંદા અને રસૂલ છે, જેવું કે કુરઆન મજીદમાં છે, એવી જ રીતે તે કિતાબોમાં અલ્લાહની વાણી જે છે, તેને કુરઆને મનસુખ કરી દીધી છે, "જેવું કે એકવાર આપ ﷺ એ ઉમર રઝી. ના હાથમાં તોરાતનું એક વરક જોયું, જેથી ખૂબ નારાજ થયા અને કહ્યું: <<હે ઈબ્ને ખત્તાબ ! હજુ પણ તમને કોઈ શંકા છે, અલ્લાહની કસમ ! જો મારો ભાઈ મૂસા અત્યારે જીવિત હોત તો મારું જ અનુસરણ કરતા>> જેથી ઉમર રઝી. એ તે વરક ફેંકી દીધું, અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મારા માટે માફીની દુઆ કરો." અહમદ (૩/૩૮૭) આ હદીષ જાબિર બિન અબ્દુલ્લાહ દ્વારા રિવાયત કરવામાં આવી છે અને ઈમામ અલ્બાની રહ. એ ઇરવાઉલ્ ગલીલમાં આ હદીષનો દરજ્જો હસન બતાવ્યો છે. (૧૫૮૯). મૂસા અને ઈસા એવી જ રીતે દરેક પયગંબર તેમનાથી છેટા રહેવાનું એલાન કરશે, જે લોકો મુહમ્મદની શરીઅત પર ઈમાન નથી લાવ્યાં, કારણકે એક મુસલમાન દરેક પયગંબરો પર ઈમાન લાવનાર અને તેમનું અનુસરણ કરવાવાળો છે, અને જે વ્યક્તિ મુહમ્મદ ﷺ પર ઈમાન નહિ લાવે, અને આપનું અનુસરણ ન કરે, અને ઇસ્લામ દીન પર ઈમાન અને યકીન ન ધરાવે, તે ખરેખર દરેક પયગંબરોનો ઇન્કાર કરવાવાળો છે, ભલેને તે પોતાને કોઈ એક નબીનો અનુયાયી દર્શાવે, આ વિશે વિસ્તાર પૂર્વક વિભાવ: ૨ મા વર્ણન કરી દીધું છે, આપ ﷺ એ કહ્યું -:
<<કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, તેણે મારી પયગંબરી વિશે જાણ્યું તો પણ મારી પયગંબરી પણ ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામે તો તે જહન્નમમા જશે>> [૪૯].
[૪૯] મુસ્લિમ (૧૫૩), અહમદ (૨/૩૧૭).
એવી જ રીતે દરેક મુસલમાન માટે મૃત્યુ પછી ફરીવાર જીવિત થવા, હિસાબ કિતાબ, સજા અને બદલો, જન્નત અને જહન્નમ, અર્થાત્ આખિરતની દરેક વસ્તુ પર ઈમાન અને અલ્લાહની તકદીર પર ઈમાન લાવવું જરૂરી છે.
તકદીર પર ઇમાનનો અર્થ:
તકદીર પર ઈમાન લાવવું દરેક મુસલમાન માટે જરૂરી છે, તકદીર પર ઈમાન લાવવાનો અર્થ એ છે કે મુસલમાન એવો અકીદો ધરાવે છે કે અલ્લાહ તઆલા એ સૃષ્ટિની દરેક વસ્તુ અને બંદાઓના દરેક કાર્યોનું જ્ઞાન આકાશ અને ધરતીના સર્જન પહેલાથી હતું, અને આ દરેક વસ્તુ લોહે મહફુઝમાં લખેલી છે, અને એક મુસલમાનું તે વસ્તુ પર પણ ઈમાન હોવું જોઈએ કે અલ્લાહ એ જે વસ્તુની ઈચ્છા કરી તે થઈ ગઈ, અને જે વસ્તુની ઈચ્છા તેણે ન કરી તે ન થઈ, અને તેણે બંદાઓને પોતાની ઈબાદત અને બંદગી માટે પેદા કર્યા, અને તેના તરીકાને સ્પષ્ટ કરી દીધો, અને તેને કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે, અને એવી જ રીતે પોતાની અવજ્ઞાથી રોક્યા છે, અને તેનું પણ માર્ગદેશન આપી દીધું છે, અને ઇન્સાનને કુદરત અને ઈરાદાની શક્તિ આપી છે, જેના દ્વારા તે અલ્લાહના આદેશોનું પાલન કરી શકે ,જેથી તેને સવાબ આપવામાં આવે, અને જે વ્યક્તિએ તેની અવજ્ઞા કરી અને ગુનાહો કર્યા તો તે સજાનો હકદાર બનશે.
અને બંદાઓની ઈચ્છા અલ્લાહની ઈચ્છા મુજબ હોય છે, જ્યાં સુધી એવી વસ્તુનો સંબંધ, જેમાં માનવીનો કોઈ અધિકાર ન હોય, જેમકે ભૂલી જવું, ભૂલ કરવી, બીમારી, ગરીબી, મુસીબતો આવવી, ઝબરદસ્તી કરવામાં આવેલી વસ્તુઓ પર અલ્લાહ તઆલા તરફથી કોઈ પકડ નથી, અને ન તો કોઈ પ્રકારનો અઝાબ અથવા સજા છે, પરંતુ તંગી, મુસીબત પર જ્યારે બંદો સબર કરી અડગ રહે છે અને અલ્લાહના નિર્ણય પર ખુશ થાય તો અલ્લાહ તેને સવાબ અને બદલો આપે છે.
વર્ણવેલ દરેક વસ્તુઓ પર ઈમાન ધરાવવું એક મુસલમાન પર જરૂરી છે.
મુસલમાનોમા સૌથી વધારે મજબૂત ઈમાન ધરાવનાર અને અલ્લાહની નજીક રહેવાવાળા અને જન્નતમાં ઉચ્ચ દરજ્જા વાળા (મુહસીનીન) એહસાન કરવા વાળ છે, જેઓ અલ્લાહ તઆલાની ઈબાદત એવી રીતે કરે છે અને તેનાથી એવી રીતે ડરે છે અને આશા રાખે છે અને ઇઝ્ઝત કરે છે જાણે કે તેઓ તેને જોઈ રહ્યા છે, અને તેની અવજ્ઞા નથી કરતા, તેમની જાહેરની સ્થિતિ અને અંદરની સ્થિતિ એક જેવી હોય છે, અને જો આ રીતે ન થાય તો કમ સે કમ તેઓ એવું વિચારતા હોય છે કે અલ્લાહ તઆલા તેમને જોઈ રહ્યો છે, અને તેમના કાર્યો, વાતો અને નિયત માંથી કોઈ વસ્તુ તેનાથી છુપાયેલી નથી, તેનું અનુસરણ કરવા માટે હંમેશા તૈયાર રહે છે અને તેની અવજ્ઞા કરવાથી હંમેશા દૂર રહે છે, અને જ્યારે તેનાથી કોઈ ગુનોહ થઈ જાય તો તૌબા અને માફી માંગવામાં જલ્દી કરે છે, પોતાના ગુનાહો પર અફસોસ કરે છે અને આગળ તે ગુનાહથી સંપૂર્ણ બચવાનું વચન કરે છે, અલ્લાહ તઆલા કહે છે:
(નિ:શંક અલ્લાહ તઆલા પરહેજગારો અને સદાચારી લોકો સાથે છે.) [અન્ નહલ: ૧૨૮]. *** ઇસ્લામ દીનનું સંપૂર્ણ હોવું અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં કહ્યું: (આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો)
[અલ્ માઈદહ: ૩],
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
(ખરેખર આ કુરઆન તે માર્ગ બતાવે છે, જે ખૂબ જ સીધો છે, અને ઈમાનવાળાઓ તેમજ જે લોકો નેક કાર્યો કરે છે કે તેમને ખુશખબરી આપે છે, કે તેમના માટે ખૂબ જ મોટો સવાબ છે.)
[અલ્ ઇસ્રા: ૯ ],
અને અલ્લાહ જે સર્વ શ્રેષ્ઠ છે, કહ્યું:
(અને અમે તમારા પર એવી કિતાબ ઉતારી છે, જેમાં દરેક વસ્તુઓને સ્પષ્ટતા સાથે વર્ણન કરી દેવામાં આવી છે, અને મુસલમાનો માટે હિદાયત, રહેમત અને ખુશ ખબરી છે)
[અન નહલ: ૮૯].
અને સહીહ હદીષમા આપ ﷺએ કહ્યું:
<<હું તમને અત્યંત ઉજ્વળ અને પ્રકાશિત માર્ગ પર છોડીને જઈ રહ્યો છું, જેની રાતો દિવસની જેમ પ્રકાશિત અને સ્પષ્ટ છે, આ માર્ગથી તે જ દૂર હશે જે નષ્ટ થવાનો હશે>> [૫૦], અને આપ ﷺએ કહ્યું- : <<હું તમારી પાસે બે વસ્તુ છોડીને જઈ રહ્યો છું, જ્યાં સુધી તેને મજબૂતી સાથે પકડી રાખશો ગુમરાહ નહિ થાઓ, એક અલ્લાહની કિતાબ (કુરઆન) અને બીજું તેના પયગંબરની સુન્નત>> [૫૧]. [૫૦] અબૂ દાવુદ (૪૬૦૭), તિર્મિઝી (૨૬૭૬) ઈબ્ને માજહ (૪૩), શબ્દો ઈબ્ને માજહના છે, અહમદ (૧૭૧૪૨), શબ્દોના ફેરફાર સાથે ઇમામ અલ્બાની રહ.એ ઈબ્ને માજહમાં આ હદીષને સહીહ કહી છે, (૪૧). [૫૧] માલિક (૩૩૩૮), સહીહ જામીઅમાં ઇમામ અલ્બાની રહ.એ સહીહ કહી છે. (૨૯૩૭). - વર્ણવેલ આયતોની સ્પષ્ટતા: પહેલી આયતમાં અલ્લાહ તઆલાએ વર્ણન કર્યું કે તેણે ઇસ્લામ દીનને લોકો માટે સંપૂર્ણ કરી દીધો, હવે તેમાં કોઈ પણ પ્રકારની વધઘટ થઈ શકતી નથી, તે દરેક સમયમાં દરેક શહેરના લોકો માટે સરખો છે, અને એવું એલાન કરી દીધું કે તેણે મુસલમાનોને આ સંપૂર્ણ દીન આપી આપ ﷺની પયગંબરી દ્વારા અને મુસલમાનોને તેમના દુશમનો પર વિજય આપી પોતાની દરેક નેઅમતોને સંપૂર્ણ કરી દીધી, વધુ એ પણ વર્ણન કરી દીધું કે તેણે દીન રૂપે ઇસ્લામને પસંદ કરી લીધો, અને હવે તેનાથી ક્યારેય નારાજ નહીં થાય, અને ઇસ્લામ દીન સિવાય કોઈ પણ દીન તે કબૂલ નહીં કરે. બીજી આયતમાં અલ્લાહ તઆલાએ વર્ણન કર્યું કે કુરઆન મજીદ એક સંપૂર્ણ માર્ગદર્શક કિતાબ છે, તેમાં દીન અને દુનિયાની દરેક બાબત અત્યંત સ્પષ્ટ રીતે અને સંતોષકારક માર્ગદર્શન અને શિક્ષાઓ વર્ણન કરી છે, એવી કોઈ ભલાઈની વાત નથી, જેનું માર્ગદર્શન કુરઆન મજીદે ન આપ્યું હોય, અને એવી જ રીતે કોઈ બુરાઈ અને ખરાબ વાત નથી, જેની જાણ ન આપી હોય, જુની અથવા નવી દરેક બાબત કેમ ન હોય, કુરઆન મજીદમાં તેનો સચોટ અને સ્પષ્ટ હલ વર્ણન છે, જે કુરઆન મજીદ વિરુદ્ધ કરશે તે સ્પષ્ટ જુલમ અને અજ્ઞાનતામાં હશે. ઇલ્મ, અકીદા, સિયાસત અને હુકુમતના નિયમો વિશે અને સામાજિક બાબતો વિશે ન્યાયપૂર્વક અને સ્પષ્ટ રીતે કુરઆન મજીદમાં વર્ણન કરવામાં આવ્યું છે, અને તેની સંપૂર્ણ સ્પષ્ટ સમજુતી આપ ﷺએ પોતાની વાતો અને કાર્યો દ્વારા વર્ણન કરી, તેની જ તરફ કુરઆનની આયત ઈશારો કરી રહી છે, ((અમે આ કિતાબને તમારા પર ઉતારી દીધી, જે સ્પષ્ટ રીતે વર્ણન કરવાવાળી છે.)) [અન્ નહલ: ૮૯]. આગળ ભાગમાં ઇસ્લામ દીનના વિશિષ્ટ સૂચનો અને તેના યોગ્ય અને સચોટ તરીકાને વર્ણન કરવામાં આવ્યો છે. *** ચોથો વિભાગ: ઇસ્લામનો સાચો તરીકો ૧- ઇલમ: અલ્લાહ તઆલાએ માનવી માટે જે સૌ પ્રથમ વસ્તુ જરૂરી કરી છે, તે ઇલમ પ્રાપ્ત કરવું છે, અલ્લાહ તઆલા કહે છે: (તો (હે પયગંબર) તમે જાણી લો કે અલ્લાહ સિવાય કોઇ બંદગીને લાયક નથી અને પોતાના માટે અને ઇમાનવાળા પુરૂષો અને ઇમાનવાળી સ્ત્રીઓના માટે પણ ગુનાહોની માફી માંગતા રહો , અલ્લાહ તઆલા તમારા લોકોની હરવા-ફરવા અને રહેઠાણને ખુબ સારી રીતે જાણે છે.)
[મુહમ્મદ: ૧૯],
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
(અલ્લાહ તઆલા ઈમાન અને ઇલ્મવાળાઓના દરજ્જાઓને બુલંદ કરે છે અને અલ્લાહ તે દરેક વસ્તુઓની જાણ ધરાવે છે, જે કંઈ તમે કરો છો)
[અલ્ મુજાદલહ: ૧૧]
અલ્લાહ તઆલા એ કહ્યું:
(અને તમે કહો કે હે મારા પાલનહાર ! મારા ઇલ્મ (જ્ઞાન)માં વધારો કર) [તોહા: ૧૧૪], અને અલ્લાહ તઆલાએ કહ્યું: (બસ ! તમે કિતાબવાળાને પૂછી લો જો તમે પોતે ન જાણતા હોય.)
[અલ્ અંબિયા: ૭].
સહીહ હદીષમાં આપ ﷺ કહે છે:
<<ઈલ્મ પ્રાપ્ત કરવું દરેક મુસલમાન માટે જરૂરી છે>> [૫૨],
અને આપ ﷺએ કહ્યું -:
<<એક આલિમને એક જાહિલ પર એવી જ રીતે મહત્વ આપવામાં આવ્યું છે, જેવું કે પૂર્ણિમા ચંદ્રની મહત્વતા સંપૂર્ણ તારાઓ પર હોય છે.>> [૫૩].
[૫૨] ઈબ્ને માજહ (૨૨૪, ફીસ્ સગીરમા તબ્રાની (૨૨), સહિહુલ્ જામીઅમાં ઇમામ અલ્બાની રહ. એ આ હદીષને સહીહ કહી છે, (૩૮૦૮), (૩૮૦૯)
[૫૩] તિર્મિઝી (૨૩૨૨), ઈબ્ને માજહ (૪૧૧૨), ઇમામ અલ્બાની રહ.એ આ હદીષને સહિહુલ્ જામીઅમાં સહીહ કહી છે. (૧૬૦૯)
ઇસ્લામમા જે જરૂરી ઇલમ પ્રાપ્ત કરવાનું છે, તેના કેટલાક પ્રકાર છે:
પહેલો પ્રકાર: જે દરેક મુસલમાન પુરુષ અને સ્ત્રી માટે જરૂરી છે, અને જે ઇલમ બાબતે કોઈનું કારણ કબૂલ કરવામાં નહીં આવે, અને તે છે "અલ્લાહની મઅરિફત (ઓળખ) " રસૂલ ﷺની મઅરિફત અને ઇસ્લામ દીનની જરૂરી વાતોની મઅરિફત રાખવી જરૂરી છે. [૫૪].
[૫૪] આ વિશે પાછળ વિભાગમાં વર્ણન થઈ ગયું છે.
બીજો પ્રકાર: ફર્ઝે કિફાયા, અર્થાત્ આ ઉમ્મત માંથી થોડાક લોકો આ ઇલમ પ્રાપ્ત કરે, તો અન્ય દરેક લોકો માટે પૂરતું થઈ જશે, અને તે લોકો તે ઇલમ ન પ્રાપ્ત કરવા પર ગુનેગાર નહીં થાય, પરંતુ તે લોકો માટે પણ તે ઇલમ પ્રાપ્ત કરવું મુસ્તહબ છે, જો કે બહેતર રહેશે, અને તે ઇલમ એ છે કે આયતો અને હદીષોની સચોટ સમજુતી, મસ્અલા મસાઇલનું ઇલમ પ્રાપ્ત કરવું અને તેમાં એટલી મહારત પ્રાપ્ત કરવી કે તે ઇલમ બીજા ને પઢાવી શકે, નિર્ણાયક શક્તિ પ્રાપ્ત થઈ જાય અને કોઈને ફતવો આપી શકે, અને લોકોને દીન તરફ માર્ગદર્શન આપી શકે, આ ઇલમ હેઠળ તે દરેક દુનિયાના ઇલમ પણ આવે છે, જેને પ્રાપ્ત કરવાથી તે પોતે પ્રબળ બની શકે, અને કોઈના પર નિર્ભર ન રહે, એટલા માટે મુસલમાન સરદારો માટે જરૂરી છે, તેઓ કેટલાક એવા લોકો તૈયાર કરાવે, જેઓ આ ઇલ્મ પઢાવી શકે, જે મુસલમાનો માટે જરૂરી છે, અને તે પોતે પ્રબળ બની શકે.
ત્રીજો પ્રકાર: અકીદાનું ઇલમ:
અલ્લાહ તઆલાએ મુહમ્મદﷺને આદેશ આપ્યો કે તેઓ સ્પષ્ટ સૂચના આપી દે કે દરેક લોકો ફક્ત એક અલ્લાહના બંદા છે, એટલા માટે તેમના માટે જરૂરી છે કે તેઓ ફક્ત તેની જ બંદગી કરે, અને ફક્ત તેની જ પાસે દુઆ અને ફરિયાદ કરે, જેનું સ્પષ્ટીકરણ તૌહીદના વિભાગમાં વર્ણન થઈ ગયું છે, અને એવી જ રીતે ફક્ત અલ્લાહની જ ઝાત પર ભરોસો કરે, તેની જ સામે ડર અને આશા જાહેર કરે, તેનાથી જ આશાઓ જોડાયેલી રાખે, [૫૫] કારણકે ફાયદા અને નુકસાન પહોંચાડવાનો માલિક ફક્ત તે જ છે, અને તે દરેક ગુણોને સાબિત કરે, જે ગુણો અલ્લાહ તઆલાએ પોતે વર્ણન કર્યા છે, અથવા મુહમ્મદ ﷺ એ વર્ણન કર્યા છે, આ વિશે પણ આગળ વર્ણન થઈ ગયું છે.
[૫૫] અર્થાત્ કોઈ પણ સર્જનીઓથી ન ડરવું જોઈએ અને ન તો તેમનાથી આશા રાખવી જોઈએ, જેવું કે મૃતક લોકોથી અને મૂર્તિઓથી ડરવું, અને આશા રાખવી, જેઓ કોઈ પણ પ્રકારની શક્તિ નથી ધરાવતા, હા, એવો ડર જે માનવીમાં હોય છે કે જેવું કે સિંહ અને ચોરનો ડર, વગેરે, અને એવી જ રીતે કોઈ એવા વ્યક્તિથી આશા રાખવી, જેનાથી મદદની આશા હોય જેવું કે એક જવાબદાર અને દાનવીર વ્યક્તિ, તો એ પ્રકારનો ડર અને આશા એક પ્રાકૃતિક વસ્તુ છે, તેના પર કોઈ પ્રકારની પકડ નથી.
ત્રીજું: લોકો સાથે જોડાયેલો રહે:
અલ્લાહ તઆલાએ એક મુસલમાનને આદેશ આપ્યો છે કે તે એવો સદાચારી માનવી બને જે માનવતાને કૂફર અને શિર્કના અંધકાર માંથી કાઢી, ઇસ્લામના પ્રકાશ તરફ લાવવા માટે પ્રયત્ન કરે, એ જ વસ્તુ ધ્યાનમાં રાખી અમે આ કિતાબને તરતીબ આપી અને અને તેનું પ્રકાસન કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જેથી ઇસ્લામના પ્રચાર અને હુકુકુલ્ ઈબાદની જવાબદારી નિભાવી શકે.
એવી જ રીતે અલ્લાહ તઆલાએ એ પણ સ્પષ્ટ કહી દીધું કે અલ્લાહ પર ઈમાન જ એક મુસલમાનને બીજા સાથે મુસલમાન જોડે છે, અને તેના કારણે જ સંબંધ બનાવવામાં આવે છે, એટલા માટે એક મુસલમાન પોતાના મુસલમાન ભાઈથી, જે નેક અને અલ્લાહનો આજ્ઞાકારી હોય, મુહબ્બત કરે, ભલેને તે દૂરનો સંબંધી પણ ન હોય, અને તે કાફિરોથી દ્વેષ રાખે, જેઓ અલ્લાહ અને તેના રસૂલના અવજ્ઞાકારી છે, ભલેને તે નજીકનો સંબંધી જ કેમ ન હોય, આ જ મજબૂત સંબંધ છે,જે અલગ અલગ પ્રકારના બે વ્યક્તિઓને જોડે છે, અને તે બન્નેમાં મુહબ્બત પેદા કરે છે, ખાનદાની, શહેરી, અને ઔપચારિકતાના સબંધ તો તરત જ તૂટી જતા હોય છે. અલ્લાહ તઆલા કહે છે: (જે લોકો અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન ધરાવે છે, તમે ક્યારેય તેમને નહિ જુવો કે તેઓ એવા લોકો સાથે મિત્રતા કરતા હોય, જેઓ અલ્લાહ અને તેના પયગંબરના વિરોધી છે, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય) [અલ્ મુજાદલહ: ૨૨]. અને અલ્લાહ તઆલાએ કહ્યું: (ખરેખર અલ્લાહ પાસે તે વધુ પ્રતિષ્ઠિત છે, જે તમારામાં સૌથી વધુ અલ્લાહથી ડરવાવાળો હશે) [અલ્ હુજરાત: ૧૩]. અલ્લાહ તઆલા પહેલી આયતમાં કહે છે કે અલ્લાહ પર ઈમાન રાખનાર મોમિન, અલ્લાહના દુશમનોથી મુહબ્બત જાહેર નથી કરતો, ભલેને તે નજીકનો સંબંધી પણ કેમ ન હોય.
બીજી આયતમાં વર્ણન કરી રહ્યો છે કે અલ્લાહ તઆલાની નજીક પ્રતિષ્ઠિત અને ઇઝ્ઝતદાર તે વ્યક્તિ છે, જે તેનો આજ્ઞાકારી હશે, ભલેને તે કોઈ પણ રંગ અથવા નસલથી સંબંધ રાખતો હોય.
એવી જ રીતે અલ્લાહ તઆલાએ ઇન્સાફ અને ન્યાય સાથે નિર્ણય કરવાનો આદેશ આપ્યો છે, ભલેને વિરોધી વ્યક્તિ દુશમન હોય કે દોસ્ત, અને જુલમને પોતાના પર હરામ કરી દીધું છે, તો પોતાના બંદાઓ માટે પણ તેને હરામ કર્યું છે, અને અમાનતદારી તેમજ સાચું બોલવાનો આદેશ આપ્યો છે, અને ખિયાનત કરવાથી રોક્યા છે, તેમજ માતાપિતાની સેવા, સબંધીઓ સાથે સિલા રહેમી, લાચાર અને ગરીબ સાથે એહસાન, અને દયા કરવાનો આદેશ આપ્યો છે, અને સામાજિક કાર્યોમા ભાગ લેવા પર પ્રોત્સાહન આપ્યું છે, એવી જ રીતે દરેક સર્જનીઓ સાથે સારો વ્યવહાર કરવાનો આદેશ આપ્યો છે, અહીં સુધી કે જાનવરો સાથે પણ સારો વ્યવહાર અને તેમને તકલીફ પહોંચાડવાથી રોક્યા છે, [૫૬], હા નુકસાન પહોંચાડવાવાળા જાનવર, [૫૭] જેવું કે પાગલ કૂતરું, સાંપ, ઉદરડો, વીંછી, ગરોળી, વગેરે જેવા જાનવરોને મારી નાખવામાં આવશે, જેથી તેમનાથી લોકો સુરક્ષિત રહી શકે, હાં તેમને પણ તકલીફ આપી મારવાથી રોક્યા છે.
[૫૬] અહીં સુધી કે હલાલ જાનવરને ઝબેહ કરતી વખતે આપ ﷺ એ માર્ગદેશક આપ્યું છે કે છરીને ધારદાર કરી લેવામાં આવે, જેથી જાનવરને વધારે તકલીફ ન થાય, અને સરળતાથી ઝબેહ થઈ જાય, અને ગળાની જગ્યાએ છરી ફેરાવવામાં આવે અને તેની ધોરી નસ કાપવામાં આવે, જેથી લોહી સારી રીતે નીકળી જાય, અને ઊંટને ગરદનની નીચે નહર કરવામાં આવે, અને જાનવરોને વીજળીનો ઝટકો આપવાથી અથવા માથા પર મારી તેને કતલ કરવાથી રોક્યા છે, અને આ રીતે ઝબેહ કરવામાં આવેલ જાનવર ખાવું જાઈઝ નથી.
[૫૭] જંગલી કૂતરું, જે લોકોને તકલીફ પહોંચાડે, અને તેમાં દરેક જંગલી જાનવર શામેલ છે.
ચોથું: મોમિનના દિલની સ્થિતિ અને નસીહત કરવા બાબતે:
કુરઆન મજીદની ઘણી આયતો એ દર્શાવે છે કે અલ્લાહ તઆલા પોતાના બંદાઓને જોઈ રહ્યો છે, તે જ્યાં પણ હોય, એવી જ રીતે તે તેમના દરેક અમલ, અને દિલમાં છુપાયેલા ભેદો અને નિયતોને જાણે છે, અને તેમના અમલનો રેકોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને આ કામ માટે કેટલાક ફરિશ્તાઓ નક્કી કર્યા છે, જે હંમેશા સાથે રહે છે, અને તે દરેક નાની મોટી, દેખીતી અને વિણદેખી વસ્તુઓ જે માનવી કરતો હોય છે, તેને લખી લે છે, અને તે પ્રમાણે જ અલ્લાહ તઆલા આખિરતના દિવસે હિસાબ કિતાબ કરશે, અને એવી જ રીતે અલ્લાહ તઆલાએ તે લોકોને દુઃખદાયી અઝાબથી સચેત કર્યા છે જે લોકો આ દુનિયાના જીવનમાં તેની અવજ્ઞા અને ગુનાહ કરે છે, તેથી મોમિન ચેતવણીઓથી શીખ મેળવે છે અને ગુનાહ તેમજ અવજ્ઞાથી બચવાની ભરપૂર કોશિશ કરે છે, અને ગુનાહના કામોથી અળગા રહે છે, અને અલ્લાહથી ડર અને ભય જાહેર કરે છે.
અને તે લોકો, જેઓ અલ્લાહનો ડર અને ભય નથી રાખતા અને ગુનાહના કાર્યો કરે છે તો અલ્લાહ તઆલાએ તેમનાથી પણ અળગા રહેવાનો એક તરીકો નક્કી કર્યા છે, તે એ છે કે તેણે મુસલમાનોને આદેશ આપ્યો છે કે તેઓ અંદરો અંદર એકબીજાને ભલાઈનો આદેશ અને બુરાઈથી રોકવાનું કામ કરતા રહે, અને એવી જ રીતે દરેક મુસલમાન એ એહસાસ જરૂર રાખે કે તે દરેક ગુનાહ જે કોઈ બીજો વ્યક્તિ કરતો હોય તે પોતાને અલ્લાહ પાસે તેનો જવાબદાર ઠહેરાવી, પોતાની શક્તિ પ્રમાણે હાથ વડે અથવા જબાન વડે રોકવાનો પ્રયત્ન કરે, નહિ તો કમ સે કમ તેને દિલમાં ખોટું સમજે, એવી જ રીતે અલ્લાહ તઆલાએ મુસલમાન આગેવાનોને [૫૮] આદેશ આપ્યો છે કે ઇસ્લામી નિયમોનો વિરોધ કરનારાઓ પર અલ્લાહએ વર્ણન કરેલી હદ સાબિત કરે, જેની સ્પષ્ટતા અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં અને રસૂલ ﷺએ હદીષોમાં વર્ણન કરી છે, અર્થાત પાપ કરનારાઓ પર તેમના પાપ પ્રમાણે સજા સાબિત કરવી જોઈએ, જેથી ન્યાય અને ઇન્સાફ તેમજ શાંતિ અને અમન કાયમ રહે.
[૫૮] હાકિમ અથવા સરદાર, આગેવાન.
પાંચમું: ઇસ્લામનો સામાજિક તેમજ એકતા માટે સહકાર:
અલ્લાહ તઆલાએ મુસલમાનોને આદેશ આપ્યો છે કે તેઓ અંદરો અંદરો એકબીજાની માલ દ્વારા અને દરેક રીતે મદદ કરતા રહે, જે બાબતે ઝકાત અને સદકાના પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે, એવી જ રીતે તેણે મુસલમાનોને એકબીજાને તકલીફ આપવાથી રોક્યા છે, ભલેને સામાન્ય વસ્તુ દ્વારા પણ કેમ ન હોય, જેવું કે રસ્તા વચ્ચે અથવા છાંયડાની જગ્યાએ કોઈ ખરાબ વસ્તુ નાખવામાં આવે, અલ્લાહએ તે હરામ કર્યું છે, અને આવી તકલીફ આપનારી વસ્તુ દૂર કરવા પર સવાબ અને નેકીનું વચન આપ્યું છે, અને તકલીફ આપનારને સજાની ચેતવણી આપી છે.
એવી જ રીતે અલ્લાહ તઆલાએ એક મુસલમાન પર જરૂરી કર્યું છે કે તે બીજા માટે તે જ વસ્તુ પસંદ કરે જે પોતાના માટે પસંદ કરતો હોય, અને બીજા માટે તે વસ્તુ નાપસંદ કરે, જે પોતાના માટે નાપસંદ કરતો હોય, અલ્લાહ તઆલા કહે છે:
(નેકી અને તકવાના કામોમાં લોકોનો સહકાર આપો અને ગુનાહ અને અત્યાચારના કામોમાં લોકોનો સહકાર ન આપો, અલ્લાહથી ડરો, ખરેખર અલ્લાહ સખત અઝાબ આપનાર છે)
[અલ્ માઈદહ: ૨].
અલ્લાહ તઆલા કહે છે:
(મોમિન તો સૌ એકબીજાના ભાઈ છે, એટલા માટે પોતાના બે ભાઇઓમાં મેળાપ કરાવી દો)
[અલ્ હુજરાત: ૧૦].
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
(۞તેઓના વધારે પડતા ગુપ્ત સૂચનોમાં કોઇ ભલાઇ નથી, હાં ભલાઇ તેઓના સલાહસૂચનોમાં છે, જેઓ દાન કરવામાં અથવા સત્કાર્ય કરવામાં તથા લોકોને મેળાપ કરવાનો આદેશ આપે, અને જે વ્યક્તિ ફકત અલ્લાહ તઆલાની પ્રસન્નતા ઇચ્છતા આ કાર્ય કરે તેને અમે ચોક્કસપણે ખૂબ જ પ્રમાણમાં ફળ આપીશું.)
[અન્ નિસા: ૧૧૪].
આપ ﷺએ કહ્યું- : <<તમે ત્યાં સુધી મોમિન નથી બની શકતા જ્યાં સુધી તમે પોતાના ભાઈ માટે તે વસ્તુ પસંદ ન કરો જે વસ્તુ તમે પોતાના માટે પસંદ કરતા હોય>> [૫૯]. એટલા માટે જ આપ ﷺએ હજજતુલ્ વદાઅના મહત્વના ખુતબા વખતે [૬૦] જે આપ ﷺએ પોતાના જીવનના અંતિમ દિવસોમાં આપ્યો હતો, અલ્લાહ તઆલાના વર્ણવેલ આદેશોની પુષ્ટિ કરતા કહ્યું અને ઇમામ અહમદે રિવાયત કરી:
<<હે લોકો ! ખબરદાર તમારો પાલનહાર એક જ છે, અને તમારા પિતા એક જ છે, ધ્યાનથી સાંભળો ! કોઈ અરબના વ્યક્તિને કોઈ ગેર અરબ વ્યક્તિ પર, અથવા કોઈ ગેર અરબ વ્યક્તિને કોઈ અરબના વ્યક્તિ પર કોઈ પણ પ્રાથમિકતા નથી, અને ન તો કોઈ કાળા વ્યક્તિને કોઈ ગોળા વ્યક્તિ પર તેમજ ન તો કોઈ ગોળા વ્યક્તિને કોઈ કાળા વ્યક્તિ પર કંઈ પણ પ્રાથમિકતા નથી, હા જો પ્રાથમિકતા હોઈ શકે છે, તો ફક્ત તકવાના આધારે. શુ મેં તમારી સમક્ષ અલ્લાહનો આદેશ પહોંચાડી નથી દીધો? તો દરેક લોકોએ કહ્યું, અલ્લાહના પયગંબરે પહોંચાડી દીધું છે>> [૬૧].
અને આપ ﷺ વધુ કહ્યું- :
<<નિઃશંક અલ્લાહ તઆલાએ તમારા પર તમારી જાન, તમારો માલ તમારી ઇઝ્ઝતને એવી રીતે હરામ કરી દીધી છે જેવી રીતે કે આ દિવસને, આ મહિનાને અને આ શહેરને હરામ કર્યો છે. શું મેં પહોંચાડી નથી દીધું? દરેકે જવાબ આપ્યો કે હા, પછી આપ ﷺએ પોતાની આંગળી આકાશ તરફ ઉઠાવી કહ્યું, હે અલ્લાહ ! તું સાક્ષી રહેજે>> [૬૨].
[૫૯] બુખારી (૧૩) મુસ્લિમ (૪૫) શબ્દો મુસ્લિમ શરીફના છે.
[૬૦] આ શબ્દો તે મહત્વના ખુતબાના છે જે હદીષોની કિતાબોમાં અલગ અલગ જગ્યાએ વર્ણન થયો છે.
[૬૧] અહમદ (૨૨૯૭૮), ઇમામ અલ્બાની રહ.એ સિલસિલતુસ્સહીહમા આ હદીષને સહિહ કહી છે. (૬/૧૯૯).
[૬૨] બુખારી (૧૦૫), મુસ્લિમ (૧૬૭૯), શબ્દો બુખારી શરીફના છે.
છઠ્ઠું: સરદારી
અલ્લાહ તઆલાએ મુસલમાનોને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના માંથી જ કોઈને પસંદ કરી પોતાનો ઇમામ અને સરદાર નક્કી કરી લે, અને તેની ઈતાઅત અને સત્તાને કબૂલ કરે, અને એકતાના પ્રેરક બને, અને વિવાદથી દુર રહે, અને એવી જ રીતે એક કોમ હોવાનું સાબિત કરે, એવી જ રીતે તેમને આદેશ આપવામાં આવ્યો કે પોતાના ઇમામ અને સરદારનું અનુસરણ અને આજ્ઞાનું પાલન કરે, જો કે જ્યારે સરદાર અલ્લાહની નાફરમાની પર મજબૂર કરે તો તે કામમાં તેમની ઈતાઅત અને આજ્ઞાનું પાલન કરવામાં નહીં આવે, કારણકે અલ્લાહની અવજ્ઞામાં કોઈ સર્જનનું અનુસરણ કરવું જાઈઝ નથી.
અલ્લાહ તઆલાએ એક મુસલમાનને એ પણ આદેશ આપ્યો છે કે જ્યારે તે કોઈ એવા શહેર અથવા દેશમાં રહેતો હોય જ્યાં પોતાના ઇસ્લામને જાહેર ન કરી શકતો હોય, અને ન તો તે આઝાદ બની તેનો પ્રચાર કરી શકતો હોય તો ત્યાંથી કોઇ ઇસ્લામી શહેર તરફ હિજરત કરી લે [૬૩] જ્યાં ઇસ્લામના આદેશ મુજબ કામ ચાલતું હોય, અને અલ્લાહએ આપેલ માર્ગદર્શન મુજબ કોઈ મુસલમાન સરદારી કરતો હોય.
[૬૩] તેનો આદેશ આપ્યો: જો તેના માટે તે સક્ષમ હોય તો-.
કારણકે ઇસ્લામ શહેરની બંદીશો અને કોમ તથા જબાનના તફાવત અને પ્રાથમિકતાને કબૂલ નથી કરતો, પરંતુ એક મુસલમાનની ઓળખ ઇસ્લામ છે, દરેક લોકો અલ્લાહ તઆલાના બંદાઓ છે, અને સમગ્ર સૃષ્ટિનો માલિક અને પેદા કરનાર અલ્લાહ તઆલા છે, એટલા માટે મુસલમાન જ્યાં પણ ઈચ્છે આઝાદ રહી અવરજવર કરી શકે છે, શરત એ કે તે અલ્લાહના નિયમોનું પાલન કરતો હોય, અને જ્યારે તે અલ્લાહના આદેશો વિરુદ્ધ કોઈ કામ કરે તો તેને ઇસ્લામી કાનૂન [૬૪] અને સજા પ્રમાણે નિર્ણય કરવામાં આવશે, અલ્લાહના આદેશો પર અમલ અને ઇસ્લામી હદ પ્રમાણે સજા આપવાથી જ દેશમાં શાંતિ અને અમન કાયમ થઈ શકે છે, મુસલમાનોના અધિકાર સુરક્ષિત રહી શકે છે, અને તેમની જાન અને માલ તેમજ ઇઝઝ્તની સુરક્ષા થઈ શકે છે, અને તેમાં જ લોકોની ભલાઈ છે, અને તેના આદેશ વિરુદ્ધ કામ કરવાથી દરેક બુરાઈ જન્મ લઈ શકે છે.
[૬૪] ઇસ્લામી કાનૂને નક્કી કરેલ સજા પાપ કરનાર પર સાબિત કરવી.
અલ્લાહ તઆલાએ માનવીની અકલની હિફાજત માટે દરેક નશીલી પદાર્થ અને અકલ પર પરદો કરી દેનારી વસ્તુઓને હરામ કરી છે, [૬૫] અને શરાબ પીનારની સજા ચાળીસ થી એસી કોડા મારવાની નક્કી કરી છે, જેથી કરીને તે શરાબ પીવાનું છોડી દે, અસલ તેની અકલની સુરક્ષા થઈ શકે, એવી જ રીતે તે બીજા માટે શીખામણનો સ્ત્રોત બને, અને તેની બુરાઈથી સુરક્ષિત બની જાય. [૬૫] એવી વસ્તુઓ જે આળસ, સુસ્તી અને માનવીની અકલને મંદ પડવાનું કારણ બનતી હોય. એવી જ રીતે અલ્લાહ તઆલાએ મુસલમાનોની જાન અને લોહીની હિફાજત માટે નાહક કતલ કરવાને હરામ ઠહેરાવ્યું છે, અને કતલ કરનારની સજા બદલામાં કતલ જ નક્કી કરી છે, અને ઘા ની સજા પણ નક્કી કરી દીધી છે, એવી જ રીતે એક મુસલમાનને પોતાની જાન, માલ અને ઇઝ્ઝતની હિફાજત અને કદાચ તેના પર આંચ આવે તેને દૂર કરવાની પણ પરવાનગી આપી છે; અલ્લાહ તઆલા કહે છે:
(અને હે બુધ્ધીશાળી લોકો ! તમારા માટે કિસાસ લેવામાં જ જીવન છે, (અને આ કાનૂન એટલા માટે જરૂરી કરી દેવામાં આવ્યો છે,) કે તમે બધા આ પ્રમાણેના કાર્યોથી બચીને રહો) [અલ્ બકરહ: ૧૭૯]. અને અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું- : <<જે વ્યક્તિ પોતાની નફસની સુરક્ષા કરવામાં કતલ થયો તે શહીદ ગણાશે, અને જે પોતાના સંતાન અને ખાનદાનની સુરક્ષા કરવામાં કતલ થયો તો તેને શહીદ ગણવામાં આવશે, અને જે વ્યક્તિ પોતાના માલની સુરક્ષા કરતા કતલ થયો તો તે પણ શહીદ છે>> [૬૬]. [૬૬] અબૂ દાવુદ (૨/૨૭૫), નિસાઈ (૨/૩૧૬) અહેમદ (૧૬૫૨), અને ઇમામ અલ્બાની રહ.એ સહિહુત્ તરગીબમા (૧૪૧૧) અને સહિહુલ્ જામીઅમા આ હદીષને સહિહ કહી છે. (૪૧૭૨).
અલ્લાહ તઆલાએ મુસલમાનોની ઇઝ્ઝતની હિફાજત એવી રીતે કરી છે, કે એક મુસલમાને બીજા મુસલમાન ભાઈને ગેર હાજરીમાં એવી વાત કહેવાથી રોક્યા છે, જે તેને પસંદ ન હોય, (અર્થાત્ ગિબત કરવાથી રોક્યા છે) એવી જ રીતે કોઈ મુસલમાન પર કોઈ અખલાકી આરોપ લગાવવાથી જેવું કે ઝીના અથવા લીવાતત વિશે આરોપ મુકવાની સજા, જ્યાં સુધી તે શરીઅત મુજબ સાબિત ન કરે એસી કોડા નક્કી કરી છે.
એવી જ રીતે અલ્લાહ તઆલાએ મુસલમાનોના નસબ અને ખાનદાનની હિફાજત માટે ઝીના અને શારીરિક સબંધ [૬૭], ને હરામ કર્યા છે, અને તે પાપને ઘણી મોટું પાપ કહ્યું છે, અને સખતી સાથે તેનાથી રોક્યા છે, અને જો શરીઅત મુજબ તે સાબિત થઈ જાય તો ભયાનક સજા તેના માટે નક્કી કરી છે, જેથી લોકો માટે શિખામણ બને.
[૬૭] અલ્લાહ તઆલાએ નસલ અને ખાનદાન નષ્ટ ન થાય તેના માટે ઝીના હરામ કર્યું છે; જેથી તેના કારણે કોઈ વ્યક્તિની નિસબત પોતાના ગેર પિતા તરફ ન થાય.
અલ્લાહ તઆલાએ લોકોના માલની દેખરેખ માટે ચોરી, ધોખો, જુગાર, લાંચ અને તે સિવાય તે દરેક અયોગ્ય રીતે કમાવવામાં આવતી કમાણીને હરામ કરી છે, અને તે ખોટા માર્ગને રોકવા માટે ચોરી અને લૂંટફાટ કરવાવાળાની સજા હાથ કાપવાની નક્કી કરી છે, જ્યારે કે હાથ કાપવાની શરતો નક્કી છે, અને જો હાથ કાપવાની શરતો પુરી ન થાય અને ચોરી સાબિત થાય તો પણ કેટલીક સજાઓ આપવામાં આવશે, જેથી તે આવી હરકતો કરવાથી રુકી જાય. આ નિયમો અને કાનૂન તે અલ્લાહએ નક્કી કર્યા છે, જે અસામાન્ય ઇલ્મ અને હિકમત વાળો છે, અને તે પોતાના બંદાઓની ફિતરત સારી રીતે જાણે છે, અને સાથે સાથે તેમના પર દયા અને રહેમ કરવાવાળો છે, તેણે તે સજાઓને મુસલમાન પાપીઓના ગુનાહો માટે કફફારો બનાવી દીધી છે, અને સમાજને તેમનાથી અને દુરાચારી લોકોથી સુરક્ષિત રહેવાનો સ્ત્રોત બનાવ્યો છે, જે લોકો કાતિલના કતલ અને ચોરનો હાથ કાપવા પર વિરોધ ઉઠાવે છે તેઓ ખરેખર તે બેકાર અંગ કાપવાનો વિરોધ કરી રહ્યા છે, જો તેને કાપવામાં ન આવે તો તેનો અસર સંપૂર્ણ સમાજમાં ફેલાય જશે, અને એવી રીતે તો સંપૂર્ણ સમાજ બરબાદ થઈ જશે, [૬૮] જ્યારે કે આ જ લોકો બીજી બાજુ મઅસૂમ જાનો લેવા અને જુલમ અને અત્યાચાર કરવાનો અને ખૂનામરીકા પર ખુશ થતા હોય છે.
[૬૮] બીમાર વ્યક્તિના ખરાબ અંગને કાપી નાખવું વધુ બહેતર છે, જેની માંગ પોતે બીમાર અને તેના ઘરવાળાઓ કરતા હોય છે, જેથી કરીને તેનું સંપૂર્ણ શરીર તંદુરસ્ત થઈ જાય.
સાતમું: ઇસ્લામમાં બાહ્ય સિયાસ્ત
અલ્લાહ તઆલાએ મુસલમાન અને તેમના સરદારોને આ આદેશ આપ્યો છે કે તેઓ બિન મુસ્લિમને ઇસ્લામ તરફ બોલાવે, જેથી તેમને શિર્કના અંધકાર માંથી નીકાળી ઈમાન અને ઇસ્લામના પ્રકાશ તરફ લઈ જાય, અને દુનિયા અલ્પકાલિક સામાન થી છૂટકારો આપી તે કાયમ રહેનારી નેઅમતો અને દિલની શાંતિ તરફ માર્ગદર્શન આપે, જેનાથી ખરેખર મુસલમાન ફાયદો ઉઠાવી રહ્યા છે, એવી જ રીતે એક મુસલમાનને આદેશ આપવામાં આવ્યો છે કે તે એક માર્ગદર્શક અને સદાચારી મુસલમાન બનીને સમાજમાં રહે, અને પોતાના ઇલ્મથી બગડેલા સમાજને સુધારે, અને સમગ્ર માનવજાતિને નષ્ટતાથી બચાવે, અને તેમની શુભેચ્છામા કોઈ પ્રકારની કમી ન હોવી જોઈએ, બીજા માનવતાના કાનૂન મુજબ નહીં, જેઓ કહે છે મેં પોતે સારા બનીને રહો બીજાની ઇસ્લાહ અને તેના સુધારાની કઈ જરૂર નથી, આ એ વાતની સ્પષ્ટ દલીલ છે કે માનવીએ બનાવેલ માનવતાના કાનૂન અધૂરા અને ખોટા છે, અને ઇસ્લામનો જીવન પસાર કરવાના નિયમો કેટલા સાચા અને સચોટ છે.
એવી જ રીતે અલ્લાહ તઆલાએ મુસલમાનોને એ આદેશ આપ્યો છે કે તેઓ અલ્લાહના દુશ્મનોનો મુકાબલો કરવા માટે પોતાની સંપૂર્ણ શક્તિ અને આવડતને કામમાં લાવે, જેથી ઇસ્લામ અને મુસલમાનોની હિફાજત થઈ શકે, અને અલ્લાહ અને તેમના દુશ્મનોને ભયભીત અને ડરાવવામા આવે, એવી જ રીતે સમયાંતરે જરૂરત પડવા પર કરાર કરવાની પરવાનગી આપી છે, જે શરીઅત મુજબ હોય, અને તેમને વચનભંગ કરવાથી રોક્યા છે, જો કે દુશ્મન જ વચનભંગ કરે અથવા એવી સ્થિતિ ઉભી કરી દે, જે કરાર વિરુદ્ધ હોય તો તમે પણ તેમને જવાબ આપી શકો છો. મુસલમાનોને યુદ્ધ કરતા પહેલા આદેશ આપવામાં આવ્યો છે કે સૌ પ્રથમ કાફિર અને મુશરિકોને ઇસ્લામ તરફ બોલાવે, જો તેઓ તેનો ઇન્કાર કરી દે તો તેમને ટેક્સ આપવા અને અલ્લાહની સામે ઝૂકી જવા માટે કહે [૬૯] જો તેનો પણ ઇન્કાર કરે તો કૂફર અને શિર્ક અને ઝુલ્મ તેમજ અત્યાચારને નાબૂદ કરી તેમની સાથે યુદ્ધ કરે, [૭૦] જેથી ફક્ત અલ્લાહના દીનનો જ વિજય થાય. [૬૯] ઇસ્લામી શહેરમાં રહેવાવાળા મુસ્લિમ રહેવાસી હુકુમતને ઝકાત આપશે, અને બિન મુસ્લિમ રહેવાસી કરવેરો આપશે, કરવેરો એક નક્કી રકમ પુખ્તવયના લોકો પાસેથી લેવામાં આવે છે, સ્ત્રીઓ, બાળકો, પાગલ, વૃદ્ધ વ્યક્તિ અને ફકીર અને લાચાર લોકો પાસેથી લેવામાં નથી આવતો, કરવેરો સરળતાથી આપી શકે તેટલી રકમ હોય છે, જેની સંખ્યા આપ ﷺ ના સમયમાં એક દીનાર હતી, અને આ સંખ્યા એટલી ઓછી છે કે દરેક માલદાર વર્ષમાં એકવાર જરૂર આપી શકે છે, આ રકમ ઇસ્લામી હુકુમતમા શાંતિ પૂર્વક જીવન પસાર કરવા માટે છે, આ ટેક્સ દ્વારા તેમના માલ અને ઇઝઝ્તની સુરક્ષા કરવામાં આવે છે, અને જ્યારે મુસલમાન તેમના અધિકાર આપવા અને દુશ્મનો સાથે મુકાબલો કરતા તેમની મદદ કરવાથી નિર્બળ બની જાય તો મુસલમાન તેમનો માલ પરત કરી દેશે, અને જો આ લોકો (બિન મુસ્લિમ) હુકુમત સાથે ઇસ્લામી હુકુમતનો સાથ આપવા માટે આગળ આવશે તો મુસલમાન તેમની પાસેથી ટેક્સ નહિ લે, અને ઇસ્લામી હુકુમત મુસલમાનોની મદદની જેમ જ તેમના ફકીર અને લાચાર લોકોની સારવાર કરશે. [૭૦] ફિતનો ત્યારે થશે જયારે લોકો સુધી ઇસ્લામ પહોંચાડવામાં નહીં આવે, અને તે સમયે પણ જ્યારે લોકો સ્વૈચ્છિક ઇસ્લામનો સ્વીકાર કરવા માંગે અને તેમને રોકી દેવામાં આવે. એવી જ રીતે યુદ્ધ વખતે મુસલમાનોને આદેશ આપવામાં આવ્યો કે તેઓ સ્ત્રીઓ, વૃદ્ધ, અને સાધુઓને કઈ પણ તકલીફ ન પહોંચાડે, જો કે તે લોકો કાફિરો સાથે ભેગા મળી કોઈ નુકસાન પહોંચાડે તો અલગ વાત છે, એવી જ રીતે કેદીઓ સાથે પણ સદ્ વ્યવહાર કરવામાં આવે, આવી શિક્ષાઓથી અનુમાન લગાવી શકાય છે કે ઇસ્લામી જિહાદનો મકસદ ફક્ત લૂંટમાર અને પદ પ્રાપ્ત કરવું અથવા અયોગ્ય રીતે ફાયદો ઉઠાવવો નથી, પરંતુ તેના અત્યંત ઉચ્ચ અને સાચા હેતુઓ છે, અને તે છે દીનનો પ્રચાર, અને માનવતા સાથે રહેમ અને દયા, અને માનવતાને માનવીની ગુલામીથી કાઢી એક અલ્લાહની બંદગી તરફ ફેરવવા છે.
આઠ: ઇસ્લામી આઝાદી: (૧) દીન પ્રત્યે આઝાદી અલ્લાહ તઆલાએ બિન મુસ્લિમોને જેઓ ઇસ્લામી હુકુમતની હેઠળ આવી જાય તેઓને પોતાના દીન બાબતે આઝાદી આપી રાખી છે, તેમને ઇસ્લામના અકીદા અને શિક્ષાઓથી પરિચિત કરાવવામાં આવે અને ઇસ્લામ તરફ બોલાવવામાં આવે, ત્યારબાદ જો ઈચ્છે તો ઇસ્લામ દીનનો સ્વીકાર કરી લે, અને દુનિયા અને આખિરતના જીવનની નેઅમતોથી ફાયદો ઉઠાવે, અને જો કોઈ પોતાના પૂર્વજોના દીન પર બાકી રહી કમનસીબી અથવા અઝાબનો હકદાર બનવા માગશે, તો તેને પણ સંપૂર્ણ અધિકાર છે, અને આ રીતે તેના પર હુજ્જત કાયમ થઈ ગઈ, અને તેના માટે અલ્લાહ પાસે આ કારણ મુકવાનો મોકો નહીં મળે કે મારી પાસે ઇસ્લામ લઈને કોઈ પણ નથી આવ્યું ત્યારે મુસલમાન તેને તેના સાદા દીન પર છોડી દેશે, અને તેની જાણ અને માલની સુરક્ષાના કારણે તેમની પાસેથી ટેક્સ વુસૂલ કરીશું, તે ઇસ્લામી આદેશોનું પાલન કરતો હોવો જોઈએ, અને મુસલમાનો સામે પોતાના નાજઇઝ શિક્ષાઓ જાહેર ન કરે.
પરંતુ જો કોઈ મુસલમાન ઇસ્લામ દીનનો સ્વીકાર કર્યા પછી પાછો ફરી જાય, તો તેની સજા કતલ છે, તે આ ભયાનક પાપના કારણે જીવિત રહેવાનો હક નથી રાખતો, હાં, તૌબા અને ઇસ્તિગ્ફાર કરી ફરીવાર ઇસ્લામમાં દાખલ થઈ જાય તો તેની તૌબા કબૂલ કરવામાં આવશે.[૭૧].
[૭૧] અર્ રદ્દતુ: ઇસ્લામ છોડીને કૂફર અપનાવવું, જેણે સંપૂર્ણ યકીન સાથે ઇસ્લામ અપનાવ્યું હોય તો કોઈ પણ દીન, તહઝીબ તેને ઇસ્લામથી ફેરવી નથી શકતી, કારણકે કોઈ પણ ઇસ્લામની શિક્ષાઓ અને તેના અર્થ સુધી નથી પહોંચી શકતો, ઇસ્લામથી ફરી જવું નષ્ટતાના સ્ત્રોત માંથી એક છે, મુસ્લિમ સમાજમાં ઊભદ્રવ ફેલાવવો, તેને કુફ્ર તરફ ધકેલવો, અથવા અશ્લીલ અને સામાજિક કાર્યો માટે પ્રયત્ન કરવા એવી જ રીતે ઇસ્લામ છોડી કુફ્ર અપનાવવું, તે અગત્યના અને મહત્વના પાલનહાર સાથે કરેલ વચન વિરુદ્ધ ગણાશે, આ એવી જ રીતે છે, જે કોઈ વ્યક્તિ પોતાના દેશ સાથે દગો કરનારને દેશ મોતની સજા સંભળાવે છે, ઇસ્લામની શરીઅતમા આ હદ નક્કી કરવાનો અધિકાર ફક્ત હાકિમ પાસે જ હોય છે, અને હાકિમ નિર્ણય ના નિયમો મુજબ મુસ્લિમ સમાજની સુરક્ષાકરતા તેની સજા સંભળાવશે.
જો કોઈએ ઇસ્લામથી ફેરવી દેનારી વસ્તુઓ માંથી કોઈ પણ વસ્તુને અમલમાં લાવી તો તેને તરત જ છોડી તૌબા કરવી જોઈએ, અને અલ્લાહ તઆલાથી માફી માંગે.
ઇસ્લામ માંથી ફેરવી નાખનારી વસ્તુઓ ઘણી છે; જેમાંથી કેટલીક નીચે પ્રમાણે છે: શિર્ક તે છે, અલ્લાહ તઆલાની ઝાત અને સિફાત અને ઈબાદતમાં અન્યને શરીક કરવા, ભલેને પોતાના અને અલ્લાહ વચ્ચે કોઈ વાસતો અથવા ભલામણ બનાવી જ કેમ ન હોય, જેને તે પોકારતો હોય અને ભલામણની વિનંતી કરતો હોય, ભલેને તેની મઅબૂદ હોવાનો એકરાર શાબ્દિક અથવા સમજુતીમાં જ કરતો હોય, અથવા ઈબાદતનો અર્થ જાણવા માટે કરતો હોય, જેવું કે અજ્ઞાનતાના સમયમાં જાહિલ મુશરીક લોકો કરતા હતા, જેઓએ પોતાના નેક પૂર્વજોની મૂર્તિઓ એ હેતુથી બનાવી રાખી હતી કે તેઓ ભલામણ કરવા માટે કામમાં આવશે, અથવા એકરાર ન કરતા કે તેઓ મઅબૂદ છે, પરંતુ તેમનો આ અમલ ઈબાદત છે, જેવું કે આજના નામચીન મુસલમાનોની સ્થિતિ છે, જેમને તૌહીદના અકીદા તરફ બોલાવવામાં આવે તો તેને કબૂલ નથી કરતા, તેઓ ખોટા અનુમાનમા છે કે શિર્ક તો ફક્ત મૂર્તિઓ સામે સિજદો કરવાનું નામ છે, અથવા કોઈ બંદો કોઈના વિશે એમ કહે કે આ માટે મઅબૂદ છે. તેમની સ્થિતિ તે વ્યક્તિની જેમ છે, જે શરાબનું નામ બીજું આપી તેને પીવે, જેનું વર્ણન આગળ થઈ ગયું છે, અલ્લાહ તઆલા કહે છે:
(બસ ! તમે અલ્લાહ તઆલાની જ બંદગી કરો, તેના માટે જ દીનને નિખાલસ કરતા. (૨)
યાદ રાખો ! અલ્લાહ માટે જ નિખાલસતાથી બંદગી કરવી અને જે લોકોએ તેને છોડીને બીજાને કારસાજ બનાવી રાખ્યા છે, (તેઓ કહે છે) કે અમે તો તેમની બંદગી ફક્ત એટલા માટે કરી રહ્યા છે કે તેઓ અમને અલ્લાહથી નજીક કરી દે, આ લોકો જેના વિશે વિવાદ કરી રહ્યા છે, તેનો નિર્ણય અલ્લાહ કરશે, જુઠ્ઠા અને કૃતઘ્ની લોકોને અલ્લાહ હિદાયત નથી આપતો.(૩))
[અઝ્ ઝૂમર: ૨-૩],
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
(આ જ અલ્લાહ છે, તમારા સૌનો પાલનહાર, તેની જ બાદશાહી છે, તેને છોડીને જેમને તમે પોકારો છો, તે તો ખજૂરના ઠળિયાના છોતરાંના પણ માલિક નથી. (૧૩) જો તમે તે લોકોને પોકારો, તો તેઓ તમારી પોકાર સાંભળી શકતા નથી અને જો સાંભળી પણ લે, તો તેનો જવાબ આપી શકતા નથી, પરંતુ કયામતના દિવસે તમારા તે શિર્કનો ઇન્કાર જ કરશે, અને અલ્લાહ જેવી કોઈ સાચી વાત તમને નહિ જણાવે. (૧૪)) [ફાતિર: ૧૩-૧૪] ૧- મુશરિક અને અન્ય કાફિર જેવું કે યહૂદી, ઈસાઈ, નાસ્તિક, મજૂસી અને તાગૂત શક્તિઓ, જે અલ્લાહના નિયમો વિરુદ્ધ નિર્ણય કરે છે, અને અલ્લાહના આદેશોનો વિરોધ કરે છે, અને અલ્લાહના નિર્ણયથી ખુશ નથી થતા, તો જે વ્યક્તિ જાણવા છતાંય કાફિર ન સમજે તે પોતે પણ કાફીર છે. ૨- જે વ્યક્તિએ શિર્કના આધાર પર જાદુ પોતે કર્યું અથવા જાણી લીધા પછી જાદુ કરનારને સાચો ગણ્યો તો તે કાફિર ગણાશે. ૩- એવો અકીદો રાખવો કે બીજી શરીઅત અથવા કાનૂન ઇસ્લામી શરીઅત કરતા સારી અને મહાન છે, અથવા કોઈ બીજાનો નિર્ણય અલ્લાહના રસૂલ કરતા વધુ સારો છે, અથવા કુરઆન અને હદીષ વિરુદ્ધ અન્યનો નિર્ણય લેવો જાઈઝ છે. ૪- રસૂલથી દ્વેષ રાખવો, અથવા આપે દર્શાવેલ વાતો માંથી કોઈ વાતને નાપસંદ કરવી. ૫- જાણતા હોવા છતાંય દીનની કોઈ વાતનો મજાક કરવો. [૭૨]. [૭૨] અલ્લાહ અને તેના પયગંબરો; જેવું કે મુહમ્મદ, મૂસા, ઈસા અથવા ઇસ્લામ દીનના કોઈ પણ આદેશોનો મજાક કરવો. ૬- ઇસ્લામના વિજય અને પ્રાથમિકતા અને પ્રગતિને નાપસંદ કરવી, અને તેની કમજોરી અને હાર પર ખુશ થવું. ૭- કાફિરો સાથે દોસ્તી અને તેમની મદદ કરવી અને મુસલમાનો વિરુદ્ધ જાણતા છતાંય તેમની મદદ કરવી કે કાફિરો સાથે દોસ્તી કરનાર તે લોકોમાં જ ગણવામાં આવશે. ૮- એવો અકીદો રાખવો કે મારી પાસે શરીઅત ઇસ્લામની હદ વટાવવાનો અધિકાર છે, જો કે કોઈ પણ બાબતમાં કોઈ વ્યક્તિને રસૂલની શરીઅત અથવા આદેશો વિરુદ્ધ હદ વટાવવાનો અધિકાર નથી.
૯- અલ્લાહ તઆલાના દીનથી મોઢું ફેરવવું, જે વ્યક્તિએ જાણવા છતાંય ઇસ્લામથી મોઢું ફેરવ્યું અર્થાત્ ન તો તેને સમજ્યો અને ન તો તેના પર અમલ કર્યો તો તે કાફિર છે.
૧૦- ઇસ્લામના કોઈ એવા આદેશનો ઇન્કાર જેના પર સૌ એકમ હોય, અને તેનો હુકમ કોઈનાથી છુપાયેલો ન હોય, આ દરેક બાબતોની દલીલ કુરઆનમા વર્ણન કરવામાં આવ્યા છે. (૨) અભિપ્રાય આપવાની સ્વતંત્રતા: ઇસ્લામે વિચાર કરવાની સંપૂર્ણ આઝાદી આપી છે, શરત એ કે તે વિચાર ઇસ્લામની શિક્ષા વિરુદ્ધ ન હોય, એક મુસલમાનને આદેશ આપવામાં આવ્યો કે સત્ય વાત કહેવામાં કોઈની ચિંતા ન કરે, તેને ઉત્તમ જિહાદ કહેવામાં આવ્યું છે, એવી જ રીતે તેને આદેશ આપવામાં આવ્યો છે કે પોતાના આગેવાનોને બેહતર મશવરા આપે, અને સારી વાતોની શિખામણ આપે, અને ખરાબ વસ્તુઓથી રોકે, અને બાતેલ લોકોનો વિરોધ કરે, અને તેમનાથી દૂર રાખે, અને કોઈના વિચારને માન આપવા માટે સૌથી સારો નિયમ છે,એવા વિચારો જે ઇસ્લામની શિક્ષા વિરુદ્ધ હોય તો તેમને જાહેર કરવાની પરવાનગી નથી, કારણકે આ તો સ્પષ્ટ વિદ્રોહ, નષ્ટતા અને સત્યની જળ કાપી નાખવી ગણાશે.
૩- વ્યક્તિગત આઝાદી: અલ્લાહ તઆલાએ ઇસ્લામની શરીઅતમાં રહી મુસલમાનને વ્યક્તિગત આઝાદી આપી રાખી છે, એક મુસલમાન ભલેને તે સ્ત્રી હોય કે પુરુષ પોતાની બાબતોમાં સંપૂર્ણ અધિકાર ધરાવે છે, અને આ આપેલી આઝાદીના કારણે લે-વેચ ભેટ, વકફ કરવું, માફી અને દરગુજર એવી જ રીતે નેક સ્ત્રીને લગ્ન માટે પસંદ કરવી અને અન્ય ઘણા દીની તેમજ દુન્યવી વસ્તુઓનો અધિકાર આપ્યો છે, તેના પર કોઈ જબરદસ્તી નથી કરી શકતું, હા, એક મુસલમાન સ્ત્રી કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન નથી કરી શકતી, જે દીનમા સરખો ન હોય, જેથી તેના અકીદા અને દીનની સુરક્ષા થઈ શકે, અને આ પાબંદી તેની સુરક્ષા અને તેના ખાનદાનની સુરક્ષા માટે છે. સ્ત્રીનો વલી (નસબ પ્રમાણે સબંધમાં નજીક વ્યક્તિ અથવા તેનો નાયબ) જ તેના લગ્નનો જવાબદાર હશે, કારણકે સ્ત્રી પોતે જ પોતાનો લગ્ન નથી કરી શક્તિ, જેથી વ્યાભિચારી સ્ત્રી સાથે તેની સરખામણી ન થઈ શકે અને તેની હિફાજત અને તેની પવિત્રતા પર આંગળી ન ઉઠી શકે, જે વલી હશે, તે થનાર પતિને કહેશે કે મેં ફલાણીના લગ્ન તમારી સાથે કરાવી દીધા, તેના જવાબમાં તે બે સાક્ષીઓની હાજરીમાં કહેશે કે મેં કબૂલ કર્યું. ઇસ્લામ એક મુસલમાનને પરવાનગી નથી આપતો કે તે શરીઅતની હદને ઉલ્લંઘન કરે, કારણકે તે અને સમગ્ર સૃષ્ટિ અલ્લાહની માલિકી હેઠળ છે, એટલા માટે હદમાં રહેતા વ્યસ્તતા અને કામ કરે, જેને અલ્લાહ તઆલાએ માનવતા માટે ખુશી અને તેમના અમનનું કારણ બનાવ્યું છે, જે તેના પર અમલ કરશે તે હિદાયત પર અને સફળ થશે, અને જે વ્યક્તિએ તેનો વિરોધ કર્યો તે બદનસીબ અને બરબાદ થશે, એટલા માટે અલ્લાહ તઆલાએ વ્યભિચાર, સમલૈંગિકતા, આત્મહત્યા અને અલ્લાહના સર્જનમા ફેરફાર કરવાને હરામ ઠહેરાવ્યું છે. જ્યાં સુધી નખ કાપવા, મૂછો કતરાવવા, દુટી નીચેના વાળ કાપવા, બગલના વાળ સાફ કરવા, અને ખતના કરવાનો સબંધ છે, તો તે એટલા માટે કરતો હોય છે કે અલ્લાહ તઆલાએ આદેશ આપ્યો છે. ઇસ્લામે મુસલમાનોને અલ્લાહના દુશ્મનોની તે વસ્તુઓમાં સરખામણી કરવાથી રોક્યા છે , જે તેમની ગુણવત્તાના આધારે હોય, કારણકે જાહેરમાં સરખામણી કરવાથી અંદરો અંદર જ તેમની મુહબ્બત અને એક દિલનો લગાવ થઈ જતો હોય છે.
અને અલ્લાહ તઆલા એક મુસલમાનથી ઈચ્છે છે કે તે સાચો મુસલમામ બનીને રહે, તે લોકોના અભિપ્રાય અને વિચાર પર આધારિત ન હોય, એવી જ રીતે તે બીજા માટે સદાચારી આદર્શ વ્યક્તિ બનીને રહે, કોઈનો અનુસરણ કરવાવાળો ન હોય. એવી જ રીતે ઇસ્લામે બનાવટ અને પ્રગતિ અને નવા નવા ફન બનાવવા, અને નવી નવી વસ્તુઓ બનાવવી અને ઉચ્ચ શિક્ષણને પ્રાપ્ત કરવાનો આદેશ આપ્યો છે, અને બિન મુસ્લિમો દ્વારા ફાયદો ઉઠાવવા અને શીખવા માટે કોઈ વાંધો નથી ઉઠાવ્યો, કારણકે અલ્લાહ જ સાચે જ માનવીનો શિક્ષક છે, અલ્લાહ તઆલા કહે છે:
(માનવીને તે કઈ શીખવાડયું, જે તે નહતો જાણતો.)
[અલ્ અલક: ૫].
અને માનવીને વ્યક્તિગત જીવનથી ફાયદો ઉઠાવવા, તેમની પવિત્રતા કાયમ રાખવા, અને પોતે અને અન્યની તકલીફથી બચાવવા માટે ઇન્સાનનો સુધારો અને સદ્ભાવના માટે સૌથી સારી ઉચ્ચ જગ્યા છે.
(૪) રહેવા માટે આઝાદી:
અલ્લાહ તઆલાએ મુસલમાનોને ઘરમાં રહેતા સમયે આઝાદ રાખ્યા છે, કોઈ બીજા વ્યક્તિને તેની પરવાનગી વગર ઘરમાં નજર કરવા અથવા અંદર દાખલ થવાની પરવાનગી નથી આપી.
(૫) કમાવવા માટે આઝાદી:
અલ્લાહ તઆલાએ મુસલમાનોને રોજી શોધવા, અને તેને ખર્ચ કરવા માટે શરીઅતના હદમાં રહેતા આઝાદી આપી છે, તેને કામ કરવા, કમાવવા, અને મહેનત અને મજદૂરી કરવાનો આદેશ આપ્યો છે, જેથી તે પોતાની અને પોતાના સંતાનની જવાબદારી ઉઠાવી શકે, ઉપરાંત સારા અને ભલાઈના માર્ગમાં ખર્ચ કરવું જોઈએ, એના વિરુદ્ધ હરામ કમાણી જેવું કે વ્યાજ, જુગાર, લાંચ, ચોરી, જાદુની કમાણી, શરાબ વેચાણ, વ્યભિચાર, અશ્લિલતા, સજીવની છબી લેવી, [૭૩] રમતગમતના સાધનોથી મળતી કમાણી, અને નૃત્ય અને ગીત દ્વારા પ્રાપ્ત થતી કમાણીને હરામ કરી છે, અને જેવી રીતે આ માર્ગની કમાણી હરામ છે એવી જ રીતે તે માર્ગમાં મદદ કરવી પણ હરામ છે, એટલા માટે એક મુસલમાન માટે જરૂરી છે કે તે ફક્ત ભલાઈના કામોમાં અને યોગ્ય માર્ગેમાં જ ખર્ચ કરે, અને આ ગાઈડલાઈન માનવી માટે કમાણી અને ખર્ચ કરવા માટે ભલામણ તેમજ સૌથી સાચી ગાઈડલાઈન છે, જેથી તે હલાલ કમાણી દ્વારા માલદાર બની ખુશહાલ જીવન પસાર કરી શકે.
[૭૩] સજીવની છબી લેવી, હાથથી બનાવવામાં આવતી પેઇન્ટિંગ, અથવા લાકડી પર કરવામાં આવતું કોતરકામ, અથવા માટી પર કલાકારી, વગેરે આ દરેક પ્રકારમા હરામ કમાણી માટે જે ચેતવણીઓ આપી છે તેનો સમાવેશ આમાં પણ થાય છે.
૯: પરિવાર માટે ઇસ્લામે સૂચવેલા નિયમો:
અલ્લાહ તઆલાએ ઇસ્લામમાં પરિવારમાં સંપૂણ ગુણો સાથે તરતીબ આપ્યું છે, અને તે નિયમો એવા સંપૂર્ણ અને સચોટ તેમજ ફાયદારૂપ છે, જેના મુજબ અમલ કરવાથી દરેક પ્રકારની રાહત અને ખુશનસીબી પ્રાપ્ત થાય છે, નીચે તેના નિયમો અને ઉસૂલ વર્ણન કરવામાં આવી રહ્યા છે, માતાપિતાના હક: અલ્લાહ તઆલાએ દરેક મુસલમાન પુરુષ અને સ્ત્રી પર માતાપિતા સાથે સારો વ્યવહાર અને તેમની સેવા તેમજ તેમનું અનુસરણ કરવું જરૂરી કરી દીધું છે, જેથી તેઓ તેમનાથી ખુશ રહે, કારણકે તેમની ખુશીમાં અલ્લાહની ખુશી છે, એવી જ રીતે માતાપિતાથી દુર રહેવાવાળા માટે તેમની વારંવાર મુલાકાત કરવી, તેમની સેવા કરવી, અને જો જરૂરતમંદ હોય તો તેમનો ખર્ચ ઉઠાવવો, અને તેમના માટે રહેવાની સગવડ કરવી જરૂરી છે, અને આવું કરવાથી સવાબ અને નેકીનું વચન આપ્યું છે, એવી જ રીતે અલ્લાહ તઆલાએ તે લોકો માટે અઝાબની ચેતવણી સંભળાવી છે, જેઓ માતાપિતાની અવજ્ઞા કરે છે, અને તેમની સેવા તેમજ જરૂરતની વસ્તુઓ પુરી પાડવામાં કચાસ રાખે છે. પતિપત્નીના હક: અલ્લાહ તઆલાએ લગ્ન કરવાનો આદેશ આપ્યો છે, અને તેની હિકમત કુરઆન મજીદમાં તેમજ આપની પવિત્ર જબાન વડે વર્ણન અને સ્પષ્ટ બતાવી.
***
લગ્ન કરવાની હિકતમો:
૧- લગ્ન કરવાથી પવિત્રતા અને ઇઝ્ઝતનું જીવન મળે છે, હરામ કાર્ય અને ખરાબ કૃત્યો કરવાથી -વ્યભિચાર- કરવાથી સુરક્ષિત રહે છે, અને ખરાબ નજરથી માનવી બચીને રહે છે.
૨- લગ્ન કર્યા પછી પુરુષ અને સ્ત્રી બન્નેને શાંતિ મળે છે, કારણકે અલ્લાહ તઆલાએ પતિપત્ની વચ્ચે મુહબ્બત રાખી છે.
૩- મુસલમાનોની સંખ્યામાં વધારો થાય છે અને એક પવિત્ર સમાજની રચના થાય છે. ૪- પતિપત્ની માંથી દરેક એકબીજાને કામ આવે છે, જ્યારે કે દરેક અલ્લાહએ નક્કી કરેલ નિયમનું અનુસરણ કરે છે, જે દરેકની તબિયત પ્રમાણે હોય છે. પુરુષ બહારની દુનિયા અને રોજી રોટી માટે જવાબદાર છે, અને સ્ત્રી અંદર ઘરોના કામકાજ તેમજ ગર્ભ, જન્મ, બાળકોને દૂધ પીવડાવવું, તરબિયત, સફાઈ અને પાકી, ખાવાનું બનાવવું, વગેરે જેવી જવાબદારીઓ તેના પર હોય છે, અને જ્યારે પતિ થાકીને લોત પોત થઈ ઘરમાં પ્રવેશે, તો પત્ની તેના માટે શાંતિના સ્ત્રોત ઉભા કરે છે, તે પોતાના બાળકોથી સુકૂન અને શાંતિ પ્રાપ્ત કરે છે, અને દરેક થકાવટ, ચિંતા ભૂલી જાય છે, અને એવી જ રીતે તે ઘરમાં અમન અને શાંતિ નજર આવતી હોય છે. જો કોઈ જરૂરત અને યોગ્ય જગ્યા હોય તો સ્ત્રીઓ માટે કામ કરવું, અને સ્ત્રી માટે ઘરના ખર્ચ માટે પતિ સાથે જવાબદારી સંભાળવી જાઈઝ છે, પરંતુ તેના માટે કેટલીક શરતો છે, પહેલી: સ્ત્રીની કામ કરવાની જગ્યા પુરુષની કામ કરવાની જગ્યાએથી અલગ હોવી જોઈએ, એવી જગ્યા કે બન્ને એકબીજા સાથે ભેગા ન મળી જાય, જેવું કે પોતાના ઘરમાં, અથવા પોતાના કોઈ બાગ અથવા ફાર્મ હાઉસમાં, વગેરે જેવી જગ્યાઓ છે, જેમાં બન્ને ભેગા નથી થતા, અને જ્યાં ભેગા થતા હોય જેવું કે ફેકટરી, અને દુકાન તેમજ ઓફીસોમાં, તો આવી જગ્યાએ તેને કદાપિ કામ કરવાની પરવાનગી નથી, અને ન તો તેના પતિ અથવા તેના ભાઈ અને માતાપિતાને અને સંબધીઓ ને હક છે કે તેને તેની પરવાનગી આપે, કારણકે આ વસ્તુ પોતે વિદ્રોહમાં પડવા, અથવા બીજાને વિદ્રોહમાં પાડવા અને આખા સમાજમાં ફસાદ ફેલાવવા જેવું છે.
સ્ત્રી જ્યાં સુધી પોતાના ઘરમાં સુરક્ષિત, પરદામાં અને શાંતિમાં રહે ત્યાં સુધી દુરાચારી લોકો હાથ નથી મારી શકતા, અને ગુનેગાર લોકો ખરાબ નઝર નથી કરી શકતા, પરંતુ તેના વિરુદ્ધ જ્યારે સ્ત્રી લોકો વચ્ચે નીકળી જાય છે, તો પોતાની કિંમતી વસ્તુ પવિત્રતા અને હયા ખોઈ નાખે છે, અને તે બકરીની જેમ થઈ જાય છે, જે જંગલી જાનવરની વચ્ચે ફસાઈ ગઇ હોય, પછી સહેજ વારમાં તેની પવિત્રતા, ઇઝ્ઝતના ચૂરે ચૂરા થઈ જાય છે. અને દુરાચારી લોકો તેની ઇઝ્ઝતને માટીમાં મેળવી દે છે.
જો કોઈ વ્યક્તિ એક સ્ત્રી પર સંતોષ નથી પામતો તો અલ્લાહ તઆલાએ તેને ચાર લગ્ન કરવાની પરવાનગી આપી છે, શરત એ કે તે તેણીઓ વચ્ચે ખર્ચ ઉઠાવવામાં, રહેઠાણમાં, અને રાત પસાર કરવામાં ન્યાય સાથે કામ લે, અને જ્યાં સુધી દિલની મુહબ્બતની વાત છે તો તેમાં ઇન્સાફ શરત નથી, કારણકે આ માનવીના હાથમાં નથી, કારણકે તે લાચાર છે, અને આ વસ્તુ માટે ઇન્સાફ કરવા પર અલ્લાહ તઆલાએ ઇન્કાર કર્યો છે: (તમારાથી એવું તો ક્યારેય નહીં થઇ શકે કે પોતાની દરેક પત્નીઓમાં દરેક રીતે ન્યાય કરો)
[અન્ નિસા: ૧૨૯],
તે મોહબ્બત અને તેના પ્રત્યેના સ્ત્રોત છે, જેમાં ન્યાય ન કરવામાં આવે તો કોઈ વાંધો નથી, જે વસ્તુ એકથી વધારે લગ્ન માટે જરૂરી છે, તેના પર માનવી કુદરત નથી ધરાવતો, અલ્લાહ તઆલાએ પયગંબરો માટે એક થી વધારે લગ્ન માટે પરવાનગી આપી હતી અને આ છૂટ તે દરેક વ્યક્તિ માટે છે, જે તેમની વચ્ચે ન્યાય કરવાની ક્ષમતા ધરાવતો હોય, કારણકે અલ્લાહ તઆલા પુરુષ અને સ્ત્રીઓ માટે શું સારું છે અને શું ખરાબ છે, તે સારી રીતે જાણે છે અને એવી જ રીતે વ્યવહાર અને મજાક પર સારી રીતે જાણે છે, અને તે પ્રમાણે આદેશો ઉતારતો હોય છે, એટલા માટે એક તંદુરસ્ત વ્યક્તિ એટલી શારીરિક શક્તિ તો ધરાવતો હોય છે કે તે એક સમયે ચાર સ્ત્રીઓને એક સાથે રાખી શકે, અને તેમને ઇઝ્ઝત આપી શકે, જો ઈસાઈ [૭૪] ના દીન પ્રમાણે એક પત્ની સુધી લગ્ન જીવનને સીમિત કરી દેવામાં આવે, જેની પુષ્ટિ કેટલાક મુસલમાનો પણ કરતા હોય છે, તો તેના કારણે નીચે વર્ણવેલ ખરાબીઓ જાહેર થઈ શકે છે.
[૭૪] ઈસાની શરીઅતમાં એક થી વધારે પત્નીઓ પર રોક ન હતી, આ તો પાછળના લોકોએ પોતાની મનેચ્છાઓ પ્રમાણે કાનૂન અને નિયમો નક્કી કરી દીધા.
પહેલું: જો કોઈ વ્યક્તિ સાચો મોમિન અને ડરવાવાળો હશે તો આ નિયમ અને પાબંદીના કારણે પોતાને નિરાશ અને પોતાને વંચિત સમજશે, અને પોતાની પોતાની જાઈઝ ઈચ્છાને છુપાવવા અને ખતમ કરવા માટે મજબૂર થઈ જશે, કારણકે એક પત્ની પોતાની રચનાના કારણે વિવિધ પ્રકારની સમસ્યાઓથી પસાર થતી હોય છે, જેવું કે ગર્ભ, હૈઝ, નિફાસ અને બીમારી વગેરે, જેમાં એક પતિ શારીરિક સંબંધ નથી બનાવી શકતો, તો તે સમયે પોતાને અલગ અને પત્ની વગરનો વિચાર કરે છે, આ ત્યારે જ્યારે કે પત્ની તેને પસંદ હોય, અને તે બન્નેની વચ્ચે મુહબ્બત અને પ્યાર કાયમ હોય, જો તેને પોતાની પત્ની સાથે મોહબ્બત અને લગાવ ન હોય તો આ દિવસોમાં વધારે તકલીફ અને માનસિક તણાવમાં જતો રહે છે.
બીજું: જો કોઈ વ્યક્તિ અલ્લાહની અવજ્ઞા કરતો હોય અને ખિયાનત કરતો હોય અને એવા સંજોગમાં ખરેખર ખિયાનત કરશે, અને પત્નીને નજર અંદાજ કરી વ્યભિચાર જેવો ખતરનાક ગુનોહ કરી લે, ઘણા તે લોકો જેઓ એક થી વધારે લગ્ન પર લાંબી લાંબી તકરીર અને અવરોધ પેદા કરે છે, અને પત્નીના અધિકાર માટે જાગૃત નજરે આવી રહ્યા છે, તેઓ પોતાના નિજી જીવનમાં વ્યભિચાર, અશ્લિલતામાં સપડાયેલા હોય છે, અને તેના કરતાં પણ વધારે ખતરનાક વાત એવી છે કે એક થી વધારે લગ્નનો વિરોધ કરનાર, તેના આદેશને જાણતા હોવા છતાંય કે અલ્લાહએ તેની પરવાનગી આપી છે, તો તેનો વિરોધ કરનાર કાફિર ગણવામાં આવશે.
ત્રીજું: જો એકથી વધારે લગ્ન પર રોક લગાવીશુ તો ઘણી સ્ત્રીઓ પરિણીત જીવન અને સંતાન જેવી મોટી નેઅમતથી વંચીત થઈ જશે, જેથી એક પવિત્ર સ્ત્રી લાચાર બની જીવન પસાર કરશે, જ્યારે કે બીજી તરફ વિદ્રોહ અને અશ્લિલતા પસંદ કરવાવાળી સ્ત્રી પાપી વ્યક્તિ સાથે જીવન પસાર કરશે.
દરેક લોકો સારી રીતે જાણે છે કે દુનિયામાં દરેક સમયે સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધારે હોય છે, કારણકે પુરુષ જ યુદ્ધમાં કામ આવે છે અને રોજીની શોધમાં વિવિધ પ્રકારના ખતરાઓનો સામનો કરી મૃત્યુની ગોદમાં જતા રહે છે, એવી જ રીતે દરેક લોકો પણ જાણે છે કે સ્ત્રી બાલિગ થયા પછી લગ્ન માટે કાબીલ થઈ જાય છે, પરંતુ ઘણા પુરુષ બાલિગ થયા પછી તરત જ પરિણીત જીવન સંભાળવાની શક્તિ નથી ધરાવતા, કારણકે તેમના શિરે મહોર અને પત્ની ના ખર્ચની જવાબદારી હોય છે...
વર્ણવેલ કારણોથી સારી રીતે અંદાજો લગાવી શકાય છે કે ઇસ્લામે સ્ત્રી સાથે ઇન્સાફ અને દયા કરી છે, જે લોકો એકથી વધારે લગ્નનો વિરોધ કરે છે તેઓ ખરેખર સ્ત્રીઓ, પયગંબરોની સુન્નતના દુશ્મન છે, કારણકે પયગંબરોએ પણ એકથી વધારે લગ્ન કર્યા છે, અને શરીઅતની હદમાં એકથી વધારે સ્ત્રીને અપનાવી છે.
રહી ગેરત, ચિંતા અને ગેરતની વાત, જે બીજી પત્ની આવવા પર પહેલી પત્ની મહેસુસ કરતી હોય છે, તો આ એક જઝબાતી વાત છે, તેને શરીઅતના આદેશ પર પ્રાથમિકતા નથી આપી શકતા, હા એવું થઈ શકે છે કે લગ્ન પહેલા પોતાના પતિથી એવી શરત લગાવી શકે છે કે તેના જીવનમાં તે બીજા લગ્ન નહિ કરે, અને આ શરત કબૂલ કરી લીધા પછી પતિએ તેની પાબંદી કરવી પડશે, પરંતુ જો શરત હોય છતાંય બીજા લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે તો પહેલી પત્નીને છૂટ આપવામાં આવી છે કે તે ચાહે તો તેની સાથે પરિણીત જીવનમાં રહે અથવા તો પછી અલગ થઈ જાય, અને આ પ્રમાણે પતિનો કોઈ હક નથી કે સ્ત્રીને આપેલી કોઈ પણ વસ્તુ પાછી લે.
તલાકની પરવાનગી: અલ્લાહ તઆલાએ તલાકની પરવાનગી આપી છે, અને તેની પરવાનગી એવી સ્થિતિમાં છે, જ્યારે પતિપત્ની વચ્ચે સખત વિવાદ થઈ જાય, અને બન્નેના સ્વભાવમાં કોઈ સમજોતા ન હોય, અને પ્યાર તેમજ મુહબ્બત ખતમ થઈ જાય, અને એકબીજા વચ્ચે કોઈ સંબંધ ન રહે, આવી પરિસ્થિતિમાં બન્નેને ખરાબ માહોલથી બચાવવા માટે ઇસ્લામ પરવાનગી આપે છે કે પતિપત્ની સારી રીતે અલગ થઈ જાય, અને પછી નવેસરથી બીજા જીવન સાથીની શોધ કરે, જે જીવન બાકી રહી ગયું છે, તેને ખુશહાલી સાથે પસાર કરે, અને જો બન્નેનું મૃત્યુ ઇસ્લામ પર થાય તો આખિરતમાં પણ તેમને ખુશહાલી નસીબ થઈ શકે છે. [૭૫].
[૭૫] નેક અને મુસલમાન સ્ત્રી (જેમના લગ્ન ન થઈ શક્યા અથવા તેને તલાક આપવામાં આવી હોય) ને જ્યારે અલ્લાહ તઆલા હિસાબ કિતાબ પછી જન્નતમા પ્રવેશ આપશે તો તેને મુસલમાન જન્નતી પુરુષો સાથે લગ્ન કરવા અને તેમને પસંદ કરવાનો અધિકાર આપવામાં આવશે, તો તે જેની સાથે ઈચ્છે લગ્ન કરી શકશે, અને તે સ્ત્રી જેના દુનિયામાં એકથી વધારે પતિ રહ્યા હશે તો તેમાંથી તેનો સૌથી વધારે પ્રિય પતિ જન્નતમા તેનો પતિ હશે, શરત એ કે તે જન્નતી હોય.
દસ: ઇસ્લામનો સ્વાસ્થ્ય નિયમ:
શરીઅત ઇસ્લામમે દરેક ફાયદારૂપે તબીબી નુસ્ખા બતાવી દીધા છે, કુરઆન મજીદ અને આપ ﷺ એ ઘણી હદીષોમાં માનસિક અને શારીરિક બીમારીની શોધ અને તેની સારવારના કેટલાક તરીકા વર્ણન કર્યા છે, અલ્લાહ તઆલા કહે છે:
(અને અમે કુરઆનમાં જે કઈ પણ ઉતારીએ છીએ તે તો મોમિનો માટે શિફા અને રહેમત છે)
[અલ્ ઇસ્રા: ૮૨],
આપ ﷺ એ કહ્યું- :
<<અલ્લાહ તઆલા જ્યારે કોઈ બીમારી ઉતારે છે, તો તેની સાથે તેની સારવાર પણ ઉતારે છે, તો કેટલાક લોકો તેના સારવાર સુધી પહોંચી જાય છે અને કેટલાક તેનાથી અજાણ રહે છે>> [૭૬].
[૭૬] અહેમદ (૧/૩૭૭, ૪૧૩,૪૫૩), ઈબ્ને માજહ (૨/૩૪૦), ઈબ્ને હિબ્બાન (૧૩૯૪), હાકિમ (૪/૯૬), અને ઇમામ અલ્બાની રહ. એ સિલ્ સિલતુસ્ સહીહહમાં આ હદીષને સહિહ કહી છે (૪૫૧).
અને આપ ﷺ એ કહ્યું- :
<<સારવાર કરતા રહો ! અને ખબરદાર ! હરામ વસ્તુઓથી સારવાર ન કરશો>> [૭૭].
ઇમામ ઈબ્નુલ્ કય્યિમ રહ.એ પોતાની કિતાબ "ઝાદુલ્ મઆદ ફી હદ્યિ ખયરુલ્ ઇબાદ" માં નબવી સારવાર વિષય પર વિસ્તારપૂર્વક લખ્યું છે, આ કિતાબનું વાંચન કરવું જોઈએ, કારણકે ઇસ્લામ અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ની જીવન ચરિત્ર વિશે આ કિતાબ સૌથી સારી અને સ્પષ્ટ અને સાચી કિતાબો માંથી એક છે.
[૭૭] અબૂ દાવુદ (૩૮૭૪), અને ઇમામ અલ્બાની રહ. એ સહીહુલ્ જામીઅમાં આ હદીષને સહીહ કહી છે(૧૭૬૨).
અગિયાર: રોજી, વેપાર, કારીગરી અને ખેતીવાડી વિશે અને લોકોને જે વસ્તુઓની જરૂરત છે, જેવું કે પાણી, ખોરાક, લોકોનો ફાયદો, અને તે સંસ્થાઓ, જેઓ પોતાના શહેરોમાં અને ગામડામાં ખુશી, તેમની સાફસફાઈ, તેમનામાં ટ્રાફિક નિયમો, ધોખો અને જૂઠ વિરુદ્ધ યુદ્ધ, વગેરેથી સંબધ ધરાવે છે, તે દરેકનું વર્ણન ઇસ્લામમાં જોવા મળે છે.
બારમું: છુપાયેલો દુશ્મન અને તેનાથી સુરક્ષિત રહેવાના તરીકા: અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં મુસલમાનોના દુશ્મનોનું વર્ણન કર્યું છે, જે તેમના દીન અને દુનિયાની નષ્ટતાનું કારણ બને છે, જ્યારે તેઓ તે દુશ્મનોનું અનુસરણ કરવા લાગે, તેમનાથી બચવા અને તેમની બુરાઈથી સુરક્ષિત રહેવાના તરીકા વર્ણન કર્યા છે. અને તે દુશ્મનો નીચે પ્રમાણે છે:
પહેલો: ધૃતકારેલો શેતાન: જે અન્ય દુશમનોને માનવી વિરુદ્ધ ઉકસાવે છે, અને તેણે જ આપણા માતાપિતા આદમ અને હવ્વાને જન્નતથી બહાર કર્યા, અને કયામત સુધી તેમની સંતાનનો કાયમી દુશ્મન બની ગયો, તે ખૂબ જ પ્રયત્ન કરે છે કે માનવીને પથભ્રષ્ટ કરી કુફ્ર અને શિર્કમાં સપડાવી દે, જેથી અલ્લાહની પનાહ તેઓ તેની સાથે જહન્નમમા જાય, અને જે વ્યક્તિ તેના કુફ્ર અને શિર્કમાં સપડાતો નથી તો તેને બુરાઈ અને ગુનાહમા નાખવાની કોશિશ કરે છે જેથી તે અલ્લાહ તઆલાની નારાજગી અને અઝાબ તેમજ સજાનો હકદાર બને.
શેતાન એવુ સર્જન છે, જે માનવીની રગ રગમાં દોડે અને અસર કરે છે, તેમના હૃદયમાં વસ્વસો નાખે છે, અને બુરાઈને તેની સામે સારી રીતે પેશ કરે છે, જેથી માનવી ધોખો ખાઈ પથભ્રષ્ટ થઈ જાય, શેતાનની યુક્તિઓથી બચવા માટેના નુસ્ખા: જેવું કે અલ્લાહ તઆલાએ પોતે જ વર્ણન કર્યું કે જ્યારે કોઈ મુસલમાનને ગુસ્સો આવે અથવા કોઈ ગુનાહનો ઈરાદો કરે, તો ":અઉઝુબિલ્લાહિ મિનશ્શય્તાનિર્ રજીમ" (હું ધૃતકારેલા શેતાનથી અલ્લાહની પનાહ માંગુ છું) કહે, અને ગુસ્સા પર અમલ અને ગુનાહનું કામ ન કરે, અને એવું સમજે કે આ ગુનાહ પર ઉશ્કેરવાનું કામ તેનો પ્રથમ દુશ્મન શેતાન તરફથી છે, જે તેની નષ્ટતા માટે તૈયાર રહે છે, પછી તેનાથી અળગા રહે તેમજ નફરત જાહેર કરે. અલ્લાહ તઆલા કહે છે:
(યાદ રાખો ! શેતાન તમારો દુશ્મન છે, તમે પણ તેને દુશ્મન જ માનો, તે તો પોતાના જૂથને ફક્ત એટલા માટે જ બોલાવે છે કે તે સૌ જહન્નમમાં જનારા થઇ જાય.)
[ફાતિર: ૬].
બીજો દુશમન: પોતાનું નફસ (મનેચ્છાઓ): અને જેના કારણે માનવી સત્યનો ઇન્કાર અને તેને છુપાવવા માટે તૈયાર રહે છે, અને પોતાના નફસની મનેચ્છાઓને અલ્લાહના આદેશ અને રસૂલની સુન્નતો પર પ્રાથમિકતા આપે છે, જઝબાતને સત્ય અને ઇન્સાફ પર પ્રાથમિકતા આપવી પણ મનેચ્છાઓનું અનુસરણ કરવામાં ગણાશે, આ દુશમનથી સુરક્ષિત રહેવાનો નુસખો એ છે કે નફસના અનુસરણથી અલ્લાહની પનાહ માંગે, અને નફસનું અનુસરણ ન કરે, પરંતુ સત્ય અને હિદાયતના માર્ગને અપનાવે, અને તેના નિયમોનું પાલન કરે, ભલેને તેમાં કઠિનતા હોઈ અને દિલ નાપસંદ કરતું હોય, એવી જ રીતે શેતાનથી પણ અલ્લાહની પનાહ માંગવી જોઇએ.
ત્રીજા દુશ્મન: નફસે અમ્મારહ: જે માનવીને હંમેશા બુરાઈ પર ઉશ્કેરે છે, ક્યારેક માનવી પોતાના દિલમાં જે અયોગ્ય ઈચ્છાઓ જાહેર કરે છે, ઉદાહરણ તરીકે વ્યાભિચાર, અથવા શરાબ પીવું, અથવા કારણ વગર રમઝાનના રોઝા છોડવા, અથવા આ પ્રમાણેના અન્ય ગુનાહો કરવાની ઈચ્છા કરવી, જેને અલ્લાહએ હરામ કર્યા છે, આ બધા જ નફસે અમ્મારહ તરફથી હોય છે, આ છુપાયેલા દુશ્મનથી છુટકારો મેળવવાનો તરીકો એ છે કે બંદો પોતાના નફસ્ અને શેતાનની યુકિતઓથી પનાહ માંગે, અને હરામ વસ્તુઓથી દૂર રહે, અને અલ્લાહની પ્રસન્નતા ઇચ્છતા આ ગુનાહોથી સંપૂર્ણ બચીને રહે, જે રીતે ઈચ્છા હોવા છતાંય નુકસાનકારક વસ્તુઓથી બચીને રહે છે, અને એવો વિચાર કરે આ હરામ ઈચ્છાઓ નજીકમાં જ નષ્ટ થઈ જશે, અને ત્યારબાદ અફસોસ અને ખેદ કરવો પડશે.
ચોથો દુશમન: માનવીઓ માંથી શેતાન: અને આ તે ગુનેગાર લોકો છે, જે ધૃતકારેલા શેતાનના મદદગાર લોકો છે, જે ગુનાહ કરતા રહે છે, અને તેમની સાથે રહેવાવાળા લોકોને તેની તરફ બોલાવે છે, તેમની મજલિસો અથવા તેમનાથી દૂર રહી સુરક્ષિત રહી શકાય છે.
તેરમું: જીવનનો મકસદ અને ખુશહાલ જીવન: તે ઉચ્ચ હેતુ, જેના કારણે અલ્લાહ તઆલાએ ઇન્સાનને પેદા કર્યા, તે હેતુ નષ્ટ થનારી દુનિયા અને તેનો રંગીન સામાન નહીં પરંતુ હંમેશા બાકી રહેવાવાળી ભવિષ્યની તૈયારી છે, જે મૃત્યુ પછી નસીબ થશે, જેને આપણે આખિરતનું જીવન કહીએ છીએ, એટલા માટે એક સાચો મુસલમાન દુનિયાના જીવનને આખિરતના જીવન સુધી પહોંચવા માટેનો વસિલો બનાવે છે, અને તેના માટે એક ખેતરની જેમ છે, એવું વિચારે છે, તેને જ પોતાના જીવનનો હેતુ નથી સમજતો.
અને તે અલ્લાહના આદેશોને યાદ રાખે છે. અલ્લાહ તઆલા કહે છે:
(અમે જિનો અને માનવીઓ ને ફક્ત અમારી ઇબાદત માટે પેદા કર્યા છે)
[અઝ્ ઝારિયાત: ૫૬],
અને અલ્લાહ તઆલા કહે છે:
(હે ઇમાનવાળાઓ ! અલ્લાહથી ડરતા રહો અને દરેક વ્યક્તિ જોઇ લે કે તેણે કાલ (કયામત) માટે શું (સંગ્રહ) કર્યું છે. અને (દરેક સમયે) અલ્લાહથી ડરતા રહો, અલ્લાહ તમારા દરેક કાર્યોથી ખબરદાર છે. (૧૮)
અને તમે તે લોકો જેવા ન થઇ જાઓ જેઓ અલ્લાહને ભૂલી ગયા , તો અલ્લાહએ તેમને એવી રીતે ભુલાવી દીધા કે તેઓ પોતાના અસ્તિત્વને જ ભૂલી ગયા અને આવા જ લોકો વિદ્રોહી છે. (૧૯)
જહન્નમવાળાઓ અને જન્નતવાળાઓ સરખા નથી, જન્નતવાળાઓ જ (ખરેખર) સફળ છે. (૨૦)
[અલ્ હશ્ર: ૧૮/૨૦],
અલ્લાહ તઆલા કહે છે:
બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે (૭)
અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે. (૮))
[અલ્ ઝલ્ઝલહ: ૭-૮].
એક સાચો મોમિન આ પ્રમાણેની દરેક આયતો પર ચિંતનમનન કરતો હોય છે, જે આયતોમાં અલ્લાહ તઆલાએ ઇન્સાનના જન્મનો મકસદ અને હેતુ વર્ણન કર્યા હોય, અને તેનું ખરું ભવિષ્ય અને ખરેખર ઠેકાણાં તરફ ધ્યાન દોર્યું હોય, એટલા માટે એક સાચો મોમિન તે સાચી ભવિષ્યની તૈયારીમાં નિખાલસતા સાથે અલ્લાહ તઆલાની ઈબાદત અને તેની ઈચ્છાઓ પ્રમાણે જીવન પસાર કરવામાં વ્યસ્ત હોય છે, જેથી દુનિયામાં અલ્લાહની પ્રસન્નતા અને આખિરતમાં જન્નતનો હકદાર બને, અલ્લાહ તઆલા આવા વ્યક્તિને દુનિયામાં શાંતિ ભર્યું જીવન આપે છે, તે અલ્લાહની સુરક્ષામાં રહે છે, અને અલ્લાહના નૂરથી જુએ છે અને તેની ઈબાદત તેમજ તેની સમક્ષ દુઆ કરી ખુશ થાય છે, અને અલ્લાહ તેનો ઝિકર કરવાથી તેના દિલ અને દિમાગને શક્તિ આપે છે.
અને વાતચીત તેમજ પોતાના વ્યવહારથી લોકો સાથે ભલાઈ કરે છે, જેથી લોકોની સારી દુઆઓ અને સારી ઈચ્છાઓ તેને પ્રાપ્ત થાય છે, જેના કારણે તેને વધુ ખુશી અને દિલની ઠંડક નસીબ થાય છે, બીજી તરફ તેનો સામનો કેટલાક એવા લોકો સામે થાય છે, જેઓ ઉપકાર ભૂલી જાય છે અને તેને તકલીફ આપે છે, તો પણ તે પોતાની ગુણવત્તા અને પ્રતિષ્ઠતા છોડતો નથી, કારણકે તેનો મકસદ અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને સવાબ તેમજ નેકીનો હોય છે, એવી જ રીતે કેટલાક ઇસ્લામના દુશ્મનોને જોવે છે કે તેઓ ઇસ્લામનો મજાક ઉડાવતા હોય છે, અને તેઓ આઝાદ છે, તો તેને પયગંબરોની સુન્નત સમજી વેઠી લે છે, અને ઇસ્લામથી સાચે મુહબ્બત અને સુન્નત તેમજ શરીઅતમાં વધારો થાય છે,
એવી જ રીતે એક મોમિન હલાલ રોજી માટે મહેનત કરે છે, તે ઓફીસ, દુકાન, કારખાનું, અથવા ખેતીમા ખૂબ મહેનત કરે છે અને ધ્યાન કેન્દ્રિત કરી કામ કરે છે, જેથી પોતાનાથી ઇસ્લામ અને લોકોને ફાયદો પહોંચાડી શકે, અને કયામતના દિવસે પોતાના ઇખલાસ અને સારી નિયતના કારણે સવાબ અને નેકીનો હકદાર બને અને તેના દ્વારા પોતાના સંતાનની સુરક્ષા કરે અને ફકીર અને લાચારો પર સદકો કરે, અને આ પ્રમાણે પ્રતિષ્ઠતા ભર્યું જીવન અને ઇઝઝ્ત દાર જીવન પસાર કરે કારણકે અલ્લાહ તઆલાની નજીક મજબૂત મોમિન વધારે પ્રિય છે, અને એવી જ રીતે તે વ્યર્થ ખર્ચા વગર ખાય છે, પીવે છે, અને સૂઈ જાય છે, જેથી કરીને અલ્લાહની ઇતાઅત કરી તકવો પ્રાપ્ત કરી શકે,
તે પોતાની પત્ની સાથે ભેગો થાય છે, જેથી તે પોતાને અને તેને પણ સુરક્ષિત રાખી શકે, અને એવા સંતાન પેદા કરે, જે અલ્લાહની ઈબાદત અને તેનું અનુસરણ કરતા હોય, અને તેંમના જીવનમાં અથવા મૃત્યુ પામ્યા પછી દુઆઓ કરે, અને તેમના માટે સદકએ જારીયહનું કામ કરે, અને ઉમ્મતે મુહમ્મદીયહમાં વધારો થાય, અને એવી રીતે તે અલ્લાહ પાસે સવાબનો હકદાર બને, મુસલમાન અલ્લાહએ આપેલ નેઅમતનો શુકર માને છે, જેના કારણે તેને ઈબાદત કરવામા મદદરૂપ થાય છે,.અને તેને ફક્ત અલ્લાહ તરફથી વિચાર કરે છે, જેના કારણે તેને વધુ નેઅમતો આપવામા આવે છે, અને તેને સવાબ મળે છે, બીજી તરફ જ્યારે તેના પર મુસીબત, તકલીફ આવે છે તો જેવું કે ફકીરી, તંગી, બીમારી, ડર. વગેરે તો તેને અલ્લાહ તરફથી અજમાયશ સમજે છે, જેથી અલ્લાહ તઆલા તકદીર બાબતે તેનું ઇમાન જોઈ લે, જો કે અલ્લાહ તઆલા.દરેક વસ્તુને પહેલાથી જ સારી રીતે જાણે છે, [૭૮]- એક મોમિન સબર કરે છે અને તેને અલ્લાહની પ્રસન્નતાનું કારણ સમજી કબૂલ કરે છે, અને તેના વખાણ કરે છે, જેથી તે સબરનો સવાબ પ્રાપ્ત કરે, જે સવાબ તેના માટે નક્કી કર્યો છે, આવી રીતે મુસીબત તેના માટે સરળ બની જાય છે, અને તેને તે ખૂબ જ હસતા હસતા કબૂલ કરે છે, જેવી રીતે કોઈ બીમાર કડવી દવાને પોતાની સારવારનું કારણ સમજી પી જાય છે.
[૭૮] અલ્લાહ તઆલા પોતાના બંદાઓને આદેશ આપી અથવા કોઈ કામથી રોકી જવાબદાર બનાવે છે, પરંતુ તે ખૂબ જાણે છે કે કોણ અનુસરણ કરવાવાળો છે તેમજ કોણ ગુનાહ કરવાવાળો છે, અને તે જાણી લે કે તેમના અમલ પ્રમાણે અલ્લાહ બદલો આપે છે અને ગુનાહ કરવાવાળો એમ ન કહે કે તેને અલ્લાહએ આમ જ સજા આપી, અને મારા પર જુલમ કર્યો; અલ્લાહ તઆલા કહે છે: (અલ્લાહ તઆલા બંદાઓ પર જુલમ નથી કરતો) [ફુસ્સિલત: ૪૬].
જો કોઈ મુસલમાન પોતાના જીવનને અલ્લાહના આદેશ મુજબ પસાર કરે અને અલ્લાહના રસૂલે પોતાના અમલ અને વાતથી સ્પષ્ટ કર્યું છે તો તેને ખુશહાલ જીવન આપવામાં આવશે, જેને કોઈ તકલીફ નુકસાન નથી પહોંચાડી શકતી. અને ન તો મૃત્યુ તેને ડગમગાવી શકે છે, અને તે દુનિયા અને આખિરત બન્નેમાં સફળ થશે, અલ્લાહ તઆલા કહે છે:
(આખિરતનું ઘર અમે તેમના માટે બનાવ્યું છે, જેઓ ધરતી પર ઘમંડ નથી કરતા, ન વિદ્રોહ ઇચ્છે છે, (અને ઉત્તમ પરિણામ) તો ડરવાવાળાઓ માટે શ્રેષ્ઠ પરિણામ છે)
[અલ્ કસસ: ૮૩],
અલ્લાહ તઆલાએ સાચું કહ્યું:
(જે વ્યક્તિ પણ નેક કાર્ય કરે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, શરત એ કે તે મોમિન હોવા જોઈએ, તો અમે તેમને ખરેખર અત્યંત શ્રેષ્ઠ જીવન આપીશું અને આખિરતમાં તેમના સત્કાર્યોનો ઉત્તમ બદલો પણ તેમને જરૂર આપીશું)
[અન્ નહલ: ૯૭].
પાછલી આયતોમાં અને આ પ્રમાણેની દરેક આયતોમાં અલ્લાહ તઆલા ખબર આપે છે કે તે નેક વ્યક્તિને ભલેને તે પુરુષ હોય કે સ્ત્રી તે દરેક નેક કામો પર ઉત્તમ બદલો આપશે, જે તેની પ્રસન્નતા ખાતર કર્યા હશે, અને આ બદલો અલ્લાહ તઆલા દુનિયામાં ઉત્તમ જીવન આપી આપે છે અને આખિરતમાં જન્નતની નેઅમતો આપી આપશે, જે હમેશા બાકી રહેવાવાળી છે, આપ ﷺ કહે છે:
<<મોમિનની સ્થિતિ પણ અનોખી હોય છે, તેના દરેક કામમાં ભલાઈ હોય છે, અને આ ફક્ત મોમિન વ્યક્તિ માટે જ છે, જ્યારે તેને કોઈ ખુશી પહોંચે છે તો તે તેના પર અલ્લાહનો શુકર કરે છે અને તે તેના માટે શ્રેષ્ઠ છે અને જ્યારે તેને કોઈ તકલીફ પહોંચે છે તો તે તેના પર સબર કરે છે અને તે પણ તેના માટે શ્રેષ્ઠ છે>> [૭૯].
[૭૯] મુસ્લિમ (૨૯૯૯), એહમદ (૪/૩૩૨), દારીમી (૨૭૭૭).
વર્ણવેલ દરેક વાતોથી સ્પષ્ટ જાણવા મળે છે કે ઇસ્લામ જ એક એવો દીન છે, જે ફિતરત મુજબ છે, અને સારું અને ખરાબની સાચું માપ છે, અને તે મધ્યમ અને સંપૂર્ણ દીન છે, અને તે સિવાય દરેક રાજકીય, સામાજિક અને તરબીયતના કાનૂન અધૂરા છે, અને તે દરેક કાનૂનને ઇસ્લામ પ્રમાણે તપાસ કરવી જોઈએ અને તેના પ્રમાણે કામ કરવું જોઈએ, અને દરેક નિયમ, ઉસૂલ, કાનૂન બનાવતા પહેલા સૌ પ્રથમ ઇસ્લામને ગાઈડ લાઇન રૂપે ઉપયોગ કરવો જોઈએ, તેના વગર કોઈ પણ નિયમ અથવા કાનૂનની સફળતા અશક્ય છે, જો કે તેને અપનાવનાર માટે દુનિયા અને આખિરત બન્નેમા દુર્ભાગ્યનું કારણ બનશે.
***
પાંચમો વિભાગ - કેટલીક શંકાસ્પદ વસ્તુઓના જવાબ
પહેલું: એવા લોકો જેમનો અકીદો ખરાબ છે અને પોતાને ઇસ્લામ તરફ સંબોધિત કરે છે:
પહેલો પ્રકાર: આ તે લોકો છે, જેઓ પોતાને મુસલમાન કહે છે, અને મુસલમાન સમાજમાં દાખલ થવાનો દાવો પણ કરે છે, પરંતુ પોતાની વાતો અને અમલથી ઇસ્લામ વિરુદ્ધ કામ કરે છે, અને એવા ખરાબ કાર્યો કરતા હોય છે, જેનો થોડોક પણ સંબંધ ઇસ્લામ સાથે નથી, ખરેખર આ લોકો ઇસ્લામને માનવાવાળા નથી, અને ન તો તેમને ઇસ્લામ તરફ સંબોધિત કરવા યોગ્ય છે, અને તેમનામાં પણ કેટલાક પ્રકાર છે:
(૧) જે લોકોના અકીદામાં ખરાબી હોય છે: અને તે લોકો કબરોનો તવાફ કરે છે, અને કબર વાળા પાસે પોતાની જરૂરત માંગતા હોય છે, અને તેમને ફાયદો અથવા નુકસાન પહોંચાડનાર ગણતા હોય છે... [૮૦].
[૮૦] ખવારિજ: જેઓ નિર્દોષ લોકોને ઇસ્લામના નામ પર કતલ કરે છે, જો કે ખરેખર આ લોકો ઇસ્લામના દુશ્મનોના મદદગાર છે.
(૨) જે લોકોના અમલ કરવામાં ખરાબી હોય છે:
જે ફરજ કાર્યો છોડી દે છે, અને હરામ કામ કરતા હોય છે, જેવી રીતે કે વ્યભિચાર, શરાબ પીવી, વગેરે. અને અલ્લાહના દુશ્મનોથી મુહબ્બત કરતા હોય છે, અને તેમની સરખામણી કરતા હોય છે.
(૩) આ તે લોકો છે, જેમના અકીદા કમજોર છે, અને ઇસ્લામી શિક્ષાઓને સંપૂર્ણ રીતે નથી માનતા, અને કેટલાક જરૂરી કામોમાં આળસ કરે છે, પરંતુ સંપૂર્ણ રીતે નથી છોડતા, એવી જ રીતે કેટલાક હરામ કામ પણ કરે છે, જે કૂફર અને શિર્ક સુધી નથી પહોંચાડતા, અને કેટલીક ખરાબ આદતો તેમનામાં હોય છે, ઇસ્લામે તેને હરામ અને કબીરહ ગુનાહ ગણાવ્યા છે, ઉદાહરણ તરીકે, વચનભંગ, દ્વેષ, હસદ, વગેરે.. તો આવા લોકો ઇસ્લામને જાણી જોઈને અથવા અજાણતામા ઇસ્લામને નુકસાન પહોંચાડી રહ્યા છે, કારણકે ઇસ્લામી શિક્ષાથી અજાણ એક બિન મુસ્લિમ એમ સમજતો હોય છે કે ઇસ્લામ આ પ્રમાણેની ખરાબ આદતોની પરવાનગી આપે છે.
બીજો પ્રકાર: આ તે લોકો છે, જેઓ ઇસ્લામ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતા, પરંતુ ઇસ્લામના સખત દુશ્મન છે, અને તેનાથી સ્પષ્ટ દ્વેષ રાખે છે, અને તેને નુકસાન પહોંચાડવા માટે હંમેશા તૈયાર રહે છે, મુશતશ્રિકીન અને ઈસાઈ સંસ્થાઓ અને યહૂદી મિશનિરી, અને એ પ્રમાણે બીજા લોકો, જેઓ ઇસ્લામના ઝડપથી ફેલાવવા અને તેની અસામાન્ય શિક્ષાઓના અને દીને ફિતરત હોવાના [૮૧] કારણે દિલમાં દ્વેષ અને નફરત રાખે છે, જેથી બિન મુસ્લિમ માનસિક પરેશાની અને દબાવમાં રહે છે, અને પોતાના પૂર્વજોના દીનથી અશાંત રહે છે, કારણકે તેણે ફિતરી દીનનો સ્વીકાર નથી કર્યો, અને તેના વિરુદ્ધ જીવન પસાર કરી રહ્યો છે, તેના વિરુદ્ધ એક મુસલમાન જે પોતાના દીનથી ખુશ થઈ શાંતિ ભર્યું જીવન પસાર કરી રહ્યો છે, કારણકે તેણે અલ્લાહએ નક્કી કરેલ દીનનો સ્વીકાર કર્યો છે, જે તેની ફિતરત પ્રમાણે છે, એટલા માટે જ કોઈ પણ યહૂદી અથવા ઈસાઈ પરંતુ કોઈ પણ બાતેલ દીન અપનાવેલ વ્યક્તિને અમે કહીએ છીએ કે તમારા બાળકો તો ઇસ્લામ ફિતરત પર પેદા થાય છે, પરંતુ કૂફર પર ખોટી તરબીયત કરી તમે તેઓને ઇસ્લામથી દુર કરી બાતેલ દીન પર લગાવી દો છો.
[૮૧] રસૂલ ﷺ એ કહ્યું: <<દરેક બાળક ફિતરત પર પેદા થાય છે, પછી તેના માતાપિતા તેને યહૂદી અથવા ઈસાઈ અથવા મજૂસી બનાવી દે છે>> [બુખારી (૧૨૯૨), મુસ્લિમ (૨૬૫૮), અને શબ્દો મુસ્લિમના છે] આ હદીષમાં આપ ﷺ એવું જણાવવા ઈચ્છે છે, દરેક બાળક ઇસ્લામ દીન પર પેદા થાય છે, જેના પર ફીતરી રીતે ઈમાન ધરાવે છે, જો તેને ફિતરત પર જ છોડી દેવામાં આવે તો ઇસ્લામને કોઈ શંકા વગર કબૂલ કરશે, પરંતુ ખોટી તરબીયત અને ખરાબ માહોલના કારણે તે યહૂદી, નસ્રાની, અથવા મજૂસી, અથવા બીજા કોઈ બાતેલ દીનને કબૂલ કરી લે છે.
સખત હસદ અને દ્વેષ રાખનાર મુસ્તશરિકીન, અને મિશનરીઓએ જાણી જોઈને મુહમ્મદ ﷺ પર જુઠાણું બાંધ્યું છે- :
૧- ક્યારેક તો આપ ﷺ ની પયગંબરીને જૂઠલાવે છે.
૨- અને ક્યારેક આપ ﷺ નું અપમાન કરે છે, જો કે આપ ﷺની ઝાત અલ્લાહ તઆલા તરફથી દરેક શારીરિક અને અખલાકી. ખામીઓથી પાક છે.
૩- ઇસ્લામના કેટલાક શંકાસ્પદ આદેશોને બદલી, જો કે તે આદેશો પણ ન્યાયપૂર્વક અને બધું જ જાણનાર અલ્લાહ તઆલાએ આદેશ આપ્યા છે, એવા આદેશો દ્વારા તેમનો મકસદ લોકોને પથભ્રષ્ટ કરવાનો હોય છે۔
પરંતુ દરેક વખતે અલ્લાહ તઆલા તેમની યુક્તિઓને નાકામ બનાવી દે છે, કારણકે તેઓ સત્યનો મુકાબલો કરી રહ્યા હોય છે, અને સત્ય હંમેશા બુલંદ રહે છે, હારતું નથી۔ અલ્લાહ તઆલા કહે છે:
(તે ઇચ્છે છે કે અલ્લાહના પ્રકાશને ફૂંક મારીને ઓલવી દેં અને અલ્લાહ પોતાના પ્રકાશને પૂરું કરીને જ રહેશે, ભલેને કાફિરોને ખરાબ લાગે (૮)
તે જ છે, જેણે પોતાના પયગંબરને હિદાયત અને સાચો દીન આપીને મોકલ્યા, જેથી તેને દરેક દીન પર વિજેતા બનાવી દે, ભલેને મુશરિક લોકો રાજી ન હોય. (૯))
[અસ્ સફ્ફ: ૮-૯].
બીજું: ઇસ્લામના મસ્દર (સ્ત્રોત):
જ્યારે કોઈ વ્યક્તિ ઇસ્લામ દીનની સત્યતા જાણવા ઇચ્છતો હોય તો તેણે ઇસ્લામને જાણવા માટે સૌ પ્રથમ કુરઆન મજીદનું વાંચન કરવું જોઈએ, પછી અલ્લાહના રસૂલની હદીષોનું વાંચન કરવું જોઈએ, અને ખાસ કરીને સહીહ બુખારી, સહીહ મુસ્લિમ, મુઅત્તા ઇમામ માલિક, મુસ્નદ ઇમામ અહમદ બિન હન્બલ, સુનન્ અબૂ દાઉદ, સુનન્ તિર્મિઝી, સુનન્ નસાઈ, સુનન્ ઈબ્ને માજહ, અને સુનન્ દાર્મી, વગેરે હદીષની કિતાબોનું વાંચન કરવું જોઈએ,
એવી જ રીતે સિરતે ઈબ્ને હિશામ, તફસીર ઈબ્ને કષિર, એવી જ રીતે ઇમામ ઈબ્નુલ્ કય્યિમ રહ.ની કિતાબ "ઝાદુલ્ મઆદ ફી હદ્યિ ખયરુલ્ ઈબાદ" નું વાંચન કરવું જોઈએ, તે સિવાય ઇસ્લામની સચોટ રીતે સમજાવનાર આલિમો ઉદાહરણ તરીકે, શેખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈયમિયહ રહ. અને ઇમામ મુહમ્મદ બિન અબ્દુલ વહહાબ રહ.ની કિતાબો પઢવી જોઈએ, તે જ ઇમામ મુહમ્મદ બિન અબ્દુલ વહહાબ, જેમના દ્વારા અને અમીરુલ્ મુવહહદીન મુહમ્મદ બિન સઉદની મદદથી બારમી સદી ઈસ્વીમાં અલ્લાહ તઆલાએ સંપૂર્ણ અરબ દેશમાં અને અન્ય શહેરોમાં પણ તૌહીદ ફેલાવી, અને શિર્ક અને બિદઅતને નિસ્ત અને નાબૂદ કર્યા, અને અલ્લાહની તૌફીકથી આજ સુધી તેના સારા અસર જોવા મળી રહ્યા છે.
મુશતશ્રિકીન અને ઘણા પ્રખ્યાત ઇસ્લામી સંસ્થાઓની તે કિતાબો જે ઇસ્લામી શિક્ષાઓનો વિરોધ કરે છે, અને સહાબા તેમજ નેક લોકોને ગાળો આપે છે, અથવા નિષ્ણાંત આલિમો ઉદાહરણ તરીકે અલ્લામહ ઈબ્ને તૈયમિયહ, અલ્લામહ ઈબ્નુલ્ કય્યિમ રહ. અને ઇમામ મુહમ્મદ બિન અબ્દુલ વહહાબ વિરુદ્ધ જુઠાણું બાંધે છે, અને તેમની ઇઝ્ઝતમાં અલગ અલગ પ્રકારની શંકાસ્પદ વાતો કરે છે, તો આવા લોકોની કિતાબો વાંચવાથી દૂર રહેવું જોઈએ, કારણકે તે ગુમરાહી તરફ લઈ જાય છે.
ત્રીજું: ઇસ્લામના દીન
દરેક મુસલમાનનો એક જ દીન છે, અને તે છે, ઇસ્લામ, જેને સમજવા માટે કુરઆન મજીદ અને અલ્લાહના રસૂલની સુન્નત છે, અને જે ઇસ્લામની સમજુતી રજૂ કરનાર વિખ્યાત આલિમો, જેવા કે ચાર મંતવ્યો, હન્બલી, માલિકી, શાફઇ, અને હનફી તો આ મદરસા છે, જેમાં ઉપરોક્ત. આલિમોએ પોતાના મદરસામાં પોતાના વિદ્યાર્થીઓને શિક્ષા આપી હતી, તે દરેક મદરસાનું મૂળયુ કુરઆન અને હદીષ છે, અને તેમની વચ્ચે જે થોડોક વિવાદ છે, તે તો ફુરુઇ મસાઇલ(પેટા સમસ્યાઓ)માં જોવા મળે છે, અને પોતે ઇમામોને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષા આપી હતી કે જે વાત કુરઆન અને સુન્નત પ્રમાણે હોય તેનો સ્વીકાર કરી લેવામાં આવે, ભલેને તેમના વિરુદ્ધ કોઈ પણ હોય.
મુસલમાન આ મસ્લક માંથી એક પણ મસ્લકનો પાંબદ નથી, પરંતુ કુરઆન અને સુન્નતનું અનુસરણ કરવું તેના માટે જરૂરી છે,અને જે લોકો આ મસ્લક તરફ નિસબત આપી અકીદામાં ખોટ ઉભી કરે છે અને દરગાહો તેમજ કબરોની મુલાકાત કરે છે અને તેમના દ્વારા પોતાની જરૂરિયાત રજૂ કરે છે, અને અલ્લાહના નામ અને ગુણોમાં ખોટી સમજુતી વર્ણન કરતા હોય છે, તો આ લોકો તે ઇમામોનો વિરોધ કરી રહ્યા છે, કારણકે ઇમામોના અકીદા પ્રમાણે નેક લોકોનો અકીદો હોય છે, જેમનું વર્ણન આગળ ફિરકએ નાજીયામાં વર્ણન થઈ ગયું છે.
ચોથું: એવા જૂથો જેમનો સંબંધ ઇસ્લામથી નથી:
દુનિયામાં કેટલાક એવા જૂથો આવ્યા છે, જેઓ પોતાના બાતેલ અકીદા અને પથભ્રષ્ટ વિચારના કારણે ઇસ્લામથી તેમનો કોઈ સંબંધ નથી, તો પણ તેઓ પોતાની નિસબત ઇસ્લામ તરફ બતાવે છે, પરંતુ ખરેખર તેમનો સંબધ ઇસ્લામ સાથે કઈ નથી, તેમના અકીદા કુફ્રના અકીદા છે, આ લોકો અલ્લાહની આયતો અને તૌહીદનો ઇન્કાર કરે છે, કેટલાક ફિરકા નીચે પ્રમાણે છે:
૧- બાતિની ફિરકો:
આ જૂથ હુલૂલ અને રુહ એકબીજામાં પ્રવેશ કરે છે, એવો અકીદો રાખે છે, તેમજ તેમનું કહેવું છે કે આયતોનો એક જાહેરી અર્થ હોય છે અને બીજો અંદરનો અર્થ હોય છે, જાહિરી અર્થ એ જે આપ ﷺ એ વર્ણન કર્યું, અને દરેક મુસલમાન તેના પર એકમત છે, અને અંદરનો એક અર્થ તેની વિરુદ્ધ છે, જે પોતાની મનેચ્છા પ્રમાણે પોતે કરી શકે છે [૮૨ આ જૂથની શરૂઆત જ્યારે ઇસ્લામ પોતાના પ્રચારના પ્રગતિ પર હતો, અને યહૂદી અને મજૂસી અને ફ્રાન્સમાં રહેતા ફલસફો વર્ણન કરનાર એક જૂથ ઇસ્લામને નુકસાન પહોંચાડવા, અને મુસલમાનોમાં વિવાદ અને નિફાક પેદા કરી ઇસ્લામને નાબૂદ કરવાના હેતુથી એક મસલક (મંતવ્ય) તૈયાર કર્યો, જેના કારણે કુરઆનની આયતોમાં પોતાની મનમાની કરી સમજુતી વર્ણન કરવામાં આવે, અને એવી રીતે મુસલમાન એકબીજા સાથે લડાઈ કરે, અને એવી જ રીતે અહલે બૈત સાથે દોસ્તી અને મુહબ્બતની આડમાં એક નવો મસલક ઉભો કર્યો, અને પોતાને તેમના શુભેચ્છુક અને વફાદાર ગણાવ્યા, જેથી લોકોની હમદર્દી પ્રાપ્ત કરી શકે, અને આવી રીતે અજ્ઞાની લોકોની એક મોટી સંખ્યા તેમની સાથે જોડાઈ, જેઓએ તે લોકોને ગુમરાહ કરી દીધા.
[૮૨] બાતિની જૂથના કેટલાક નામ છે, અને તેઓ ઘણા સંપ્રદાયોમાં વહેંચાયેલા છે, જે હિન્દુસ્તાન, શામ, ઈરાન, ઇરાક, અને બીજા ઘણા શહેરોમાં ફેલાયેલા છે, જેના વિશે માહિતી અલ્લામહ શહેરસ્તાનીએ પોતાની પ્રખ્યાત કિતાબ, 'અલ્ મિલલ્ વન્ નહલ' માં વર્ણન કરી છે, અને કેટલાક પછી આવનાર લેખકોએ પણ, 'કાદયાનિયત' અને બહાઈયત' ને આ જ સંપ્રદાયની એક ડાળી બતાવી છે, અને એવી જ રીતે શિક્ષક મુહમ્મદ સઇદ કિલાનીએ પોતાની કિતાબ 'ઝય્લુલ્ મિલલ્ વન્નહલ' અને એવી જ રીતે અબ્દુલ કાદિર શિબતુલ્ હમદે પોતાની કિતાબ ' અલ્ અદયાન્ વલ્ ફિરક વલ્ મઝાહીબ અલ્ મૂઆસિરહ' મા આ સંપ્રદાયો વિશે વર્ણન કર્યું છે.
૨- કાદયાની ફિરકો: તે ગુમરાહ અને બાતેલ ફિરકાઓ માંથી એક કાદયાની પણ છે, જે ગુલામ અહમદ કાદયાની તરફ નિસબત કરે છે, જેણે નુબુવ્વતનો દાવો કર્યો, ગુલામ અહમદ કાદયાનીને અંગ્રેજોએ સંપૂર્ણ રીતે પોતાના હેતુ અને મકસદ માટે ઉપયોગ કર્યો, જેથી તે અને તેના અનુયાયી બરતાની હુકૂમતમાં તેના ચેલા બનીને રહ્યા અને તેઓ તેમને ઘણા ઇનામો આપતા રહ્યા, અને ખૂબ દાન કરતો રહ્યો, અજ્ઞાની લોકોનું એક ભવ્ય જૂથ તેના વિચારનો સ્વીકાર કર્યો, કાદયાની લોકો પોતાને મુસ્લિમ જ કહેતા હતા પરંતુ ખરેખર તેઓ ઇસ્લામને નાબૂદ કરવા માંગતા હતા, અને ખૂબ ભાગદોડ લગાવી લોકોને ઇસ્લામ થી દુર કરતા હતા, 'ગુલામ અહમદ કાદયાનીએ' બરાહીને અહમદિયા' નામથી એક કિતાબ લખી, જેમાં જાહેરમાં તેણે પયગંબરીનો દાવો કર્યો છે, અને ઇસ્લામી દલીલોનો ફેરફાર કર્યો હતો, અને તેણે એ પણ દાવો કર્યો કે જિહાદ
ઇસ્લામ માંથી નીકળી ગયું છે, અને દરેક મુસલમાનોએ અંગ્રેજોના હાથ પર બૈઅત કરી લેવી જોઈએ, અને તેમના વફાદાર બની જવા જોઇએ, અને તે જૂઠા વ્યક્તિએ 'તિરયાકુલ્ કુલુબ' ના નામથી એક બીજી કિતાબ લખી જે આ પ્રમાણેની ગુમરાહ વાતોથી ભરેલી હતી, આ દજ્જાલ ઘણા લોકોને ગુમરાહ કરી, ૧૯૦૮ ઈ.સ માં મૃત્યુ પામ્યો, અને પોતાનો નાયબ હકીમ નુરુદ્દીન નામના ગુમરાહ વ્યક્તિને બનાવી ગયો.
૩- બહાઈ ફિરકા: આ ફિરકો પણ બાતેલ ફિરકાની એક ડાળી છે, જેનો ઇસ્લામથી કોઈ પણ સંબંધ નથી, ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈરાનના અલી મુહમ્મદ નામના વ્યક્તિએ એક બીજા મંતવ્ય પ્રમાણે મુહમ્મદ અલી શેરાઝી નામના વ્યક્તિએ તેની બુનિયાદ નાખી, આ વ્યક્તિનો આ પહેલા શિયા ઇષ્ના અશરિય્યા ફિરકા સાથે સંબધ હતો, પરંતુ થોડાક સમય પછી તેમનાથી અલગ થઈ ગયો અને નવા દીનની બુનિયાદ નાખી, અને જે મહદીની વાર જોવામાં આવી રહી છે, તેનો દાવો કર્યો, પછી થોડાક સમય પછી એ દાવો કર્યો કે અલ્લાહ તઆલા તેની અંદર હુલૂલ (પ્રવેશ) કરી ગયો છે, અને તે લોકોનો ઇલાહ બની ગયો, (અલ્લાહ તઆલા તેના નામ, ઝાત અને ગુણોમાં પાક અને સાફ અને આ પ્રમાણેની વ્યર્થ વાતોથી પવિત્ર છે). પછી તે વ્યક્તિએ મૃત્યુ પછી ફરીવાર જીવિત થવા અને કયામતના દિવસથી હિસાબ અને કિતાબ જન્નત અને જહન્નમ અને આખિરતની અન્ય વસ્તુઓનો ઇન્કાર કર્યો, અને ઈબાદતનો તરીકો હિંદુઓ અને બૌધ ધર્મની જેમ અપનાવ્યો, પછી વહદતે અદયાન (બધા ધર્મો એક જ છે) વિચાર ધારણાનો પ્રચારક બની ગયો, અને એવું કહેવા લાગ્યો કે યહૂદીયત, ઈસાઇયત અને ઇસ્લામ દીનમાં કોઈ તફાવત નથી, પરંતુ આ ત્રણેય દીન એક જ દીન છે, થોડાક સમય પછી રસૂલ ﷺ ની પયગંબરી અને રિસાલત તેમજ ઘણા ઇસ્લામી આદેશોનો પણ ઇન્કાર કરવા લાગ્યો, તેના મૃત્યુ પછી 'બહા' નામનો વ્યક્તિ તેનો નાયબ બન્યો, જેણે તેના ફિરકાનો ખૂબ પ્રચાર કર્યો, અને અજ્ઞાની લોકોની એક ભવ્ય સંખ્યાને ગુમરાહ કરી તેના અનુયાયી બનાવ્યા, અને થોડાક સમય પછી આ ફિરકો તેના નામથી જ ઓળખાયો, બહાઈયત.
૪- જે જૂથનો ઇસ્લામથી કોઈ સંબધ નથી તેમાંથી એક એ તે પણ છે, જે ઇસ્લામનો દાવો કરે છે, નમાઝ પઢે છે, રોઝા રાખે છે, અને હજ વગેરે કરે છે, પરંતુ તેમનો એવો બાતેલ અકીદો છે કે જિબ્રઇલે પયગંબરી આપ ﷺ સુધી પહોંચાડવામાં ખિયાનત કરી છે, અને તેમણે અલીના બદલામાં મુહમ્મદ તરફ પયગંબરી પહોંચાડી દીધી, આ ફિરકાના કેટલાક લોકોનું કહેવું છે કે અલી રઝી. જ અલ્લાહ છે, તેઓ અલી રઝી. ની તેમના સંતાનની તેમના કબીલાની તેમની પત્ની ફાતિમા રઝી. અને ખદિજા રઝી. ઇઝઝ્ત કરવામાં અતિશય વધારો કરે છે, જો કે અલ્લાહ સાથે તેમણે પણ મઅબુદ ગણાવી દીધા છે, જેમને તેઓ પોકારે છે, અને સાથે સાથે એવા અકીદા પણ રાખે છે કે આ લોકો ભૂલ ચૂક નથી કરી શકતા, અને અલ્લાહની નજીક તેમનું પદ પયગંબરના પદ કરતા પણ વધારે છે.
આ લોકો કહે છે કે તે કુરઆન મજીદ જે હાલ મુસલમાન કોમ પાસે છે, તે ખરેખર કુરઆન નથી, પરંતુ તેમાં વધઘટ કરી દેવામાં આવી છે, એટલા માટે તે લોકોએ તેમનું કુરઆન બીજું સમજી રાખ્યું છે, જેમાં તેમના તરફથી ખાસ આયતો અને સૂરતો છે, પયગંબર પછી સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ અબૂ બકર રઝી. પહેલા ખલીફા અને બીજા ખલીફા ઉમર રઝી. જે દરેક મુસલમાનો કરતા વધારે પ્રતિષ્ઠિત છે, તેમના વિશે અપશબ્દો તેમનું અપમાન અને તેમને ગાળો આપે છે. ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી. પર આરોપ લગાવી તેમને ગાળો આપે છે, અલી રઝી. અને અહલે બૈત પાસે ખુશી અને પરેશાનીના સમયમાં ફરિયાદ કરે છે, અને તેમની સાથે મદદ માગે છે, અને અલ્લાહ તઆલા સિવાય દુઆ અને ઇસ્તિગ્ફાર કરે છે, તે લોકોએ અલ્લાહ પર જુઠાણું બાંધ્યું છે, અને તેના કલામમા ફેરફાર કરવાની કોશિશ કરી છે, જો કે અલ્લાહ તઆલા આવા દરેક બાતેલ અકીદાથી ઉચ્ચ અને પવિત્ર છે. [૮૩].
[૮૩] આ પોતાના ચહેરા, છાતીઓ અને શરીર પર ચેન અને ચાકુ મારી ઇસ્લામને બદનામ કરે છે.
વર્ણવેલ દરેક ફિરકા કાફિર ફિરકાઓ માંથી થોડાક છે, જેઓ ઇસ્લામનો દાવો તો કરે છે, પરંતુ ખરેખર તેઓ ઇસ્લામને નાબૂદ કરવામાં વ્યસ્ત છે, એટલા માટે હે બુદ્ધિશાળી વ્યક્તિ ! અને હે મુસલમાન ! તમારો સંબંધ દુનિયાની કોઈ પણ જગ્યાએથી કેમ ન હોય, સચેત રહેજે, કે ઇસ્લામ ફક્ત દાવો કરવાનું નામ નથી, પરંતુ ઇસ્લામ કુરઆન અને રસૂલ ﷺ ની હદીષોની સાચી ઓળખ અને તેના પ્રમાણે અનુસરણ તેમજ આજ્ઞાનું નામ છે, એટલા માટે કુરઆનમાં ચિંતન મનન કરવું જોઈએ, અને રસૂલ ﷺ ની હદીષ અને શરીઅતની શિક્ષા પ્રાપ્ત કરવી જોઈએ, અને પછી તેના નિયમ અને આદેશ પ્રમાણે પાલન કરવું જોઈએ, ત્યારબાદ બંદાને સત્યમાર્ગ અને હિદાયતનું નૂર પ્રાપ્ત થઈ શકે છે, જે તેને દુનિયા અને આખિરતમાં સફળતાની ચાવી અને પાલનહારની હંમેશા રહેવાવાળી જન્નત સુધી પહોંચાડી દેશે.
***
નજાત (જહન્નમથી છુટકારો મેળવવા માટે)નો માર્ગ
હે બુદ્ધિશાળી વ્યક્તિ ! અંતમાં અમે તે દરેક લોકોને જેઓએ ઇસ્લામ દીન કબૂલ નથી કર્યો નજાત અને સફળતા માટે પોકારીએ છીએ.
મૃત્યુ પછી કબરના અઝાબ અને જહન્નમના અઝાબથી પોતાને બચાવ.
અને અલ્લાહને પાલનહાર સ્વીકાર કરો અને પયગંબર મુહમ્મદ ﷺ ને રસૂલ સ્વીકાર કરી અને ઇસ્લામને સાચો દીન માની પોતાને બચાવી લે, અને સાચા દિલથી તૌહીદનો કલિમો "લા ઇલાહ ઇલ્લલ્લાહુ મુહમ્મદુર્ રસૂલુલ્લાહ" કહી ઇસ્લામ દીન કબૂલ કર, પછી પાંચ નમાઝોની પાબંદી કર, ઝકાત આપતો રહે, અને રમઝાનના રોઝા રાખ, અને જો શક્તિ હોય તો બૈતુલ્લાહનો હજ કર.
અને પોતે ઇસ્લામનો સ્વીકાર કરવાનું એલાન કરો, કારણકે દુનિયા અને આખિરતમાં સફળતા નો ફક્ત આ જ માર્ગ છે. [૮૪].
[૮૪] દુનિયામાં સારું જીવન પસાર કરશે અને આખિરતમાં જન્નતમાં જશે.
હું ઉચ્ચ પ્રતિષ્ઠિત અલ્લાહના નામની કસમ ખાઈ જેના સિવાય કોઈ ઇલાહ નથી, કહું છું કે ઇસ્લામ દીન જ સાચો દીન છે, જેના સિવાય કોઈ બીજો દીન અલ્લાહ પાસે માન્ય નથી, હું અલ્લાહને, તેના રસૂલોને અને દરેક ફરિશ્તાઓને અને દરેક સર્જનને ગવાહ બનાવી કહું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને ઇસ્લામ દીન જ સાચો દીન છે અને હું મુસલમાન છું.
અંતમાં આપણે અલ્લાહથી દુઆ કરીએ કે તે પોતાના ફઝલથી આપણો અને આપણી સંતાનનો અને દરેક મુસલમાન ભાઈઓનો ઇસ્લામ દીન પર મૃત્યુ આપે, અને જન્નતમાં પયગંબરોનો સહાબાઓનો અને નેક લોકોનો સાથ નસીબ કરે, અને અંતમાં ફરીવાર દુઆ કરી રહ્યો છું કે અલ્લાહ તઆલા આ કિતાબને તે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક બનાવે જે આ કિતાબનું વાંચન કરે, અથવા કોઈના દ્વારા સાંભળી આ કિતાબ વિશે જાણકારી પ્રાપ્ત કરે, "હે અલ્લાહ ! તું ગવાહ રહેજે કે મેં પહોંચાડી દીધું".
અલ્લાહ જ વધુ જાણવવાળો છે, અને દરૂદ અને સલામ થાય આપણા નબી મુહમ્મદ ﷺ પર અને તેમના સંતાન પર, દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્રસૃષ્ટિનો પાલનહાર છે.
***