هل القرآن كلام الله؟
هل القرآن كلام الله؟ نعم، القرآن الكريم هو كلام الله، ويتضح ذلك من خلال إعجازه اللغوي والتحدي للبشر بأن يأتوا بمثله، وعدم وجود تناقض فيه رغم نزوله قبل أكثر من 1400 سنة، وأمية النبي محمد ﷺ الذي لم يكن يقرأ أو يكتب، وإخباره بأحداث مستقبلية وحقائق علمية اكتشفت حديثًا. كل هذه الدلائل تؤكد أنه وحي من الله وليس من صنع البشر.
શું કુરઆન અલ્લાહનું કલામ (શબ્દો) છે?
અરબી ભાષામાં
ખરેખર કુરઆન અલ્લાહનું કલામ છે અને તેની જ વહી છે, જે તેણે પોતાના પયગંબર મુહમ્મદ ﷺ પર કરી અને તેમને તેને યાદ કરવા પર જોર આપ્યું અને કહ્યું: {નિઃશંક અમે જ આ કુરઆનને ઉતારવાવાળા છે અને અમે જ તેની હિફાજત પણ કરવાવાળા છે} [અલ્ હિજર: ૯].
જો કોઈ કહેવા વાળો કહે: મને કેવી રીતે ખબર પડે કે આ કુરઆન અલ્લાહના શબ્દો છે માનવીના નથી?
તો તેનો જવાબ પાંચ દલીલો વડે આપી શકાય છે, અને કોઈ ન્યાયી અને સમજદાર વ્યક્તિ તે દલીલોને નકારી શકતો નથી કે કુરઆન તે અલ્લાહના શબ્દો છે:
પહેલી દલીલ: કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના શબ્દો લાવી શકતો નથી:
જો કુરઆન મનુષ્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોત તો શું બીજા માનવીઓ તેના જેવુ કુરઆન તૈયાર કરવામાં કેમ અસમર્થ છે?
અલ્લાહ તઆલાએ સમગ્ર માનવીઓને પડકાર આપ્યો કે તેઓ તેના જેવુ કુરઆન લઈ આવે, પરંતુ તેઓ લાવી ન શક્યા, અલ્લાહ તઆલાએ કહ્યું: {જો તે લોકો (પોતાની વાતોમાં) સાચા છે તો પછી આના જેવી જ એક વાત લઈને આવે} [અત્ તૂર: ૩૪].
ફરી તેમને તેના જેવી દસ સૂરતો લાવવાનો પડકાર આપ્યો, પરંતુ તેઓ લાવી ન શક્યા, અલ્લાહ તઆલાએ કહ્યું: {અથવા તો ત લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, તમે તેમને જવાબ આપી દો કે જો તમે પોતાની વાતમાં સાચા છો તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો} [હૂદ: ૧૩].
ફરી તેમને તેના જેવી એક સૂરત લાવવાનો પડકાર આપ્યો, પરંતુ તેઓ લાવી ન શક્યા, અલ્લાહ તઆલાએ કહ્યું: {અથવા તો તે લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, તમે તેમને જવાબ આપી દો કે જો તમે પોતાની વાતમાં સાચા છો તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો} [યૂનુસ: ૩૮]. અર્થાત્: તેઓ સમગ્ર માનવજાતિ અને જિન્નાતોની મદદ સાથે આ કુરઆન જેવી એક સૂરત લઈ આવે, અને આ પડકાર આજે પણ છે, અને કોઈ પણ કઈ જ લાવી શક્યું નથી, અને આ પડકાર માનવીઓ અને જિન્નાતો બંને માટે છે,
અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે તેમને કહી દો કે જો દરેક માનવી અને દરેક જિન્નાતો મળી આ કુરઆન જેવું લાવવા ઇચ્છે તો નથી લાવી શકતા, ભલેને તેઓ એક બીજાની મદદ કરનારા બની જાય} [અલ્ ઇસ્રા: ૮૮].
અને આ આશ્ચર્યજનક વાત છે કે અલ્લાહ સંપૂણ યકીન સાથે દાવો કરે છે કે દુનિયાના અંત સુધી કોઈ પણ આના જેવુ કુરઆન લાવી શકતું નથી, અલ્લાહ તઆલાએ કહ્યું: {અને (હે કાફિરો !) અમે જે કંઇ પણ પોતાના બંદા (મુહમ્મદ) પર ઉતાર્યું છે, તેમાં જો તમને કંઇ પણ શંકા હોય, તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, જો તમે સાચા હોય તો અલ્લાહ તઆલાને છોડીને પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો} [અલ્ બકરહ: ૨૩].
અને આ પડકાર પર ચૌદ સદીઓ પસાર થઈ ગઈ, પરંતુ માનવીઓ આ પડકારનો જવાબ આપવામાં અસમર્થ છે.
કુરઆનની સૌથી નાની સૂરત સૂરે કૌષર છે, તે એક લાઇન (લીટી) જેટલી છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {અમે તમને કૌષર આપ્યું છે. ۞ બસ ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો. ۞ ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે} [અલ્ કૌષર: ૧-૩].
શું સેંકડો વર્ષોમાં આલિમો, લેખકો, કવિઓ ફલસફીઓ સહિત અબજો લોકો આ કુરઆન જેવી એક આયત પણ ન લાવી શક્યા?
શું આ દરેક આયતો તે વાત તરફ ઈશારો નથી કરતી કે કુરઆન મજીદ તે અલ્લાહના શબ્દો છે, માનવીઓના નહીં?
બીજી દલીલ: દરેક પ્રકારની ભૂલ અને ખામીઓથી સુરક્ષિત છે:
કોઈ પણ માનવીની પુસ્તકમાં ભલેને તે સંપૂણ હોઇ, તેમાં ભૂલો, ખામીઓ અને ઊણપ જરૂર હોઇ છે, અને લેખક કેટલાક વિરોધમાં સપડાઈ જાય છે, એક જગ્યાએ તે કોઈ વાતની પુષ્ટિ કરે છે તો બીજી જગ્યાએ તેને નકારી કાઢે છે.
જેથી આપણે કેટલાક લેખકોને જોઈએ છીએ કે તેઓ પોતાની પુસ્તકમાં કરેલી ભૂલોની માફી માંગતા હોઇ છે.
અને જ્યાં સુધી કુરઆન મજીદની વાત છે તો તેમાં શરૂઆતમાં એક સ્પસ્ટ ઘોષણા કરવામાં આવે છે કે આમાં રહેલી દરેક વસ્તુઓ સાચી છે, અને તેમાં ભૂલ હોવાની સહેજ પણ સંભાવના નથી, અલ્લાહ તઆલાએ સૂરે બકરહની શરૂઆતમાં કહ્યું: {આ કિતાબ (કુરઆન મજીદ)માં કોઇ શંકા નથી. એવા ડરવાવાળા લોકોને માર્ગદર્શન આપે છે} [અલ્ બકરહ: ૨].
અને અલ્લાહ ﷻ એ સ્પસ્ટ કર્યું કે આ કિતાબ દરેક પ્રકારની ભૂલો અને વિરોધથી પવિત્ર છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {શું આ લોકો કુરઆનમાં ચિંતન નથી કરતા ? જો આ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઇ તરફથી હોત તો ખરેખર તેમાં ઘણો જ વિવાદ જોતા} [અન્ નિસા: ૮૨], અર્થાત્: જો આ કુરઆન બનાવટી હોત જેમકે મુશરિકો કહે છે તો આમાં ઘણી ભૂલો અને વિરોધ જોવા મળતો.
ત્રીજી દલીલ: મુહમ્મદ ﷺ નું અભળ અને સાચા હોવું:
મુહમ્મદ ﷺ, જેઓ અલ્લાહનું કુરઆન પહોંચાડવા વાળા હતા, અમાનતદાર અને સાચા હતા.
તેમના અનુસરણ પહેલા તેમના દુશ્મનો એ તેમને અમાનતદાર અને સાચા કહેતા હતા, તો તેમને નબી બનતા પહેલા લોકો તેમને "અમીન (અમાનતદાર)" કહેતા હતા.
અને જ્યારે તેમણે સ્પસ્ટ દાવત આપવાનું શરૂ કર્યું, તો તેઓ સફા પર્વત પર ચઢ્યા અને લોકોને ભેગા કરી કહ્યું: (તમને શું લાગે છે? જો હું તમને કહું કે આ પર્વતની પાછળથી એક સેન આવી રહી છે , તો શું તમે મારી વાતને સાચી નહીં માનો?) લોકો એ કહ્યું: (હા ! અમે ક્યારેય તમારી પાસેથી જૂઠનો અનુભવ કર્યો નથી).
નબી ﷺ એ આના દ્વારા પોતાની કોમ સામે પુરાવો રજૂ કર્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે એવું કહી દો કે જો અલ્લાહ ઇચ્છે, તો હું તમારી સમક્ષ આ કુરઆન પઢીને ન સંભળાવતો અને ન તો અલ્લાહ તઆલા તમને તેની જાણ કરતો, કારણકે હું તમારી સાથે મારા જીવનનો એક લાંબો સમય વિતાવી ચૂક્યો છું, તો પણ તમે સમજતા નથી?} [યૂનુસ: ૧૬].
હું તમારી વચ્ચે ચાલીસ વર્ષ રહ્યો અને હું સાચો છું અને મેં એક પણ જૂઠ બોલ્યું નથી, તો પછી જો હું લોકો વિષે જૂઠૂ બોલતો નથી તો અલ્લાહ વિશે કેવી તીતે જૂઠુ બોલી શકું?
અને એવી જ રીતે મુહમ્મદ ﷺ તેમના વચ્ચે ચાળીસ વર્ષ રહ્યા, અને તેઓ અભણ હતા, ન તો પઢી શકતા હતા ન તો લખી શકતા હતા, તો તેઓ આ મહાન કિતાબ કેવી રીતે લાવી શકતા, જેના વિષે સમગ્ર અરબવાસીઓ જેઓ વાકપટુતા, વકતૃત્વ અને ચમત્કારિક રીતે સક્ષમ હોવા છતાં પણ કુરઆન જેવી કિતાબ લાવવામાં અસમર્થ હતા, તો કેવી રીતે આ કિતાબ તેમની તરફથી હોય શકે છે, અથવા આ એક સચોટ દલીલ છે કે તે હિકમત અને વખાણને લાયક અલ્લાહ તરફથી ઉતારવામાં આવી છે.
ચોથી દલીલ: તે ભૂતકાળ અને ભવિષ્યના ગૈબની ખબરો જણાવે છે:
અને એવી જ રીતે કુરઆન મજીદમાં હજારો વર્ષો પહેલા થયેલા કાર્યોના કિસ્સામાંઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેના વિશે વિસ્તાર પૂર્વક ખબર આપવામાં આવી છે, જેમકે નૂહ અ.સ.ની કોમ, આદ, ષમૂદ, લૂત અને ફિરઔનની કોમ એવી જ રીતે બની ઇસ્રાઇલના લોકો.
આધુનિક શોધ દ્વારા કરવામાં આવેલા અવશેષો, શિલાલેખો અને લખાણો પુષ્ટિ કરે છે કે કુરઆને કઈ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
તો મુહમ્મદ બિન અબ્દુલ્લાહ જેઓ ન તો પઢી શકતા હતા ન તો લખી શકતા હતા, તો તેઓ આ બધી માહિતી ક્યાંથી લાવી શકે છે, શું આના દ્વારા જાણવા નથી મળતું કે કુરઆન તે અલાહ તરફથી છે માનવી તરફથી નથી, અલ્લાહ તઆલા એ કહ્યું: {(હે નબી) આ જાણકારી ગેબની વાતો માંથી છે, જેની વહી અમે તમારી તરફ કરીએ છીએ, તેને આ પહેલા ન તમે જાણતા હતા અને ન તો તમારી કોમ, એટલા માટે ધીરજ રાખો, (એટલા માટે કે) નિ:શંક સારું પરિણામ ડરવાવાળાઓ માટે જ છે} [હૂદ: ૪૮].
એવી જ રીતે કુરઆન મજીદે ભવિષ્યમાં થવા વાળી બાબતો વિશે પણ જાણ આપી, જેવુ કે જોવા મળ્યું, અલ્લાહ તઆલાએ કહ્યું: {અલિફ-લામ-મીમ્ ۞ રૂમના લોકો હારી ગયા ۞ તેઓ હારી ગયા પછી થોડાક જ સમયમાં ફરીવાર વિજય મેળવશે ۞ આ (હાર) પહેલા અને પછી પણ અધિકાર તો અલ્લાહ તઆલાનો જ છે, અને (જ્યારે રૂમના લોકો વિજય મેળવશે) તે દિવસે મુસલમાન ખુશ હશે ۞ તેમને પણ અલ્લાહની મદદ મળશે, તે જેની મદદ કરવા ઇચ્છે, તેની મદદ કરે છે, અલ્લાહ જ પ્રભુત્વશાળી અને દયાળુ છે} [અર્ રૂમ: ૧-૫].
કુરઆને ફક્ત રૂમના લોકોની હાર વિશે જ નથી જણાવ્યું પરંતુ તેનો સમય પણ નક્કી કર્યો (થોડાક વર્ષોમાં), જેથી રૂમના લોકો એ પોતાની હારના સાત વર્ષ પછી ફારસનો લોકો પર વિજય મેળવ્યો.
શું અલ્લાહ સિવાય કોઈ જાણે છે તે કાલે શું પ્રાપ્ત કરશે? અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે તેમને કહી દો: કે અલ્લાહ સિવાય આકાશો અને ધરતીની છુપી વસ્તુઓને કોઈ નથી જાણતું, તેમને તો એ પણ ખબર નથી કે તેઓની ક્યારે ઉઠાવવામાં આવશે} [અન્ નમલ: ૬૫].
પાંચમી દલીલ: તેનું એક વૈજ્ઞાનિક અને કાયદાકીય મુઅજિઝો હોવું:
ખરેખર કુરઆન મજીદે દવા, ખગોળશાસ્ત્ર અને સમુદ્ર વગેરે જેવા વિષયોની જાણકારી આપી છે, અને તેને ઘણા લોકો વીસમી સદી અથવા તેના પહેલાની સદીમાં શોધી શક્ય ન હતા, તો કોણ છે જેણે અભણ મુહમ્મદને ગર્ભવિજ્ઞાન વિશે જ્ઞાન આપ્યું? કે માનવી વીર્યના ટીપા, જામેલું લોહી, ફરી માંસનો ટુકડો આવા તબ્બકામાં પેદા કરવામાં આવ્યો છે?
અલ્લાહ તઆલાએ કહ્યું: {નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું ۞ પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ (માતાના ગર્ભમાં) મૂકી દીધું. ۞ પછી ટીપાને જામેલું લોહી બનાવી દીધું. પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર માંસ ચઢાવી દીધું, પછી અમે તેનું સર્જન બીજી બનાવટમાં કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે. ۞ ત્યાર પછી તમે સૌ ખરેખર મૃત્યુ પામશો} [સૂરે મુઅમિનૂન: ૧૨-૧૫].
કોણે અભણ મુહમ્મદને શીખવાડ્યું, જેમણે પોતાનું જીવન રણમાં વિતાવ્યું, અને સમુદ્રનો ક્યારેય સફર કર્યો ન હતો, કે સમુદ્રમાં કાળી લહેરો અને મોજાઓ છે, અને સમુદ્ર બહુ જ ઊંડો છે, અને તે એટલો કાળો છે, કોઈ વ્યક્તિ બહુ મુશ્કેલીથી તેમાં પોતાનો જોઈ શકે છે?
અલ્લાહ તઆલાએ કહ્યું: {અથવા (પછી તે કાફીરોના કર્મોનું ઉદાહરણ) તે અંધકાર જેવું છે, જે અત્યંત ઊંડા સમુદ્રમાં હોય, જેને મોજાઓએ ઢાંકી દીધો હોય, જેની ઉપર એક બીજી મોજ હોય, પછી ઉપરથી વાદળો છવાઇ ગયા હોય, છેવટે અંધારું છે, જે ઉપર નીચે હોય છે, જ્યારે કોઈ પોતાનો હાથ કાઢે તો તે હાથને પણ ન જોઇ શકે અને (વાત એવી છે કે) જેને અલ્લાહ તઆલા જ નૂર ન આપે, તેની પાસે કોઈ પ્રકાશ નથી} [અન્ નૂર: ૪૦].
કોને અભણ મુહમ્મદને શીખવાડ્યું, માલમાં લેવડ દેવડના વિસ્તાર પર્વક નિયમો છે, એવી જ રીતે કુટુંબ અને વારસાગત બાબતે અને આંતરરાષ્ટીય કરારો, જેનો દસમો ભાગ લાવવા પર માનવી અસમર્થ છે?
ખરેખર આ કુરઆન મુહમ્મદ ﷺ તરફથી નથી, પરંતુ તે જબરદસ્ત, વખાણવાળા અલ્લાહ તરફથી છે.
ખરેખર કુરઆન જે પોતાના ઇલમ, માહિતી, રહષ્યો, વર્ણન કરવાની સુંદરતા, ભાષાકીય સચોટતા સાથે એવી વસ્તુ છે, જે કોઈ મનુષ્ય બનાવી શકતો નથી, તો જો આપણે આમાં ઉમેરો કરીએ કે મુહમ્મદ ﷺ જેઓ અભણ હતા, ન તો વાંચી શકતા ન તો પઢી શકતા હતા, ન તો કોઈ શાળામાં શીખવા ગયા હતા, અને ન તો તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાય હતા, ન તો તેમણે અરબનો ટાપુ છોડ્યો હતો, કારણકે આ અશક્ય છે.
કોડ સ્કેન કરો
જેથી અન્ય ભાષાઓમાં ડાઉનલોડ કરી શકો
ઇસ્લામ વિષે શોધો
શું કુરઆન અલ્લાહનું કલામ (શબ્દો) છે?